by Bhadrayu Vachhrajani | Jun 1, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ભારતીય વિદ્યા ભવનના લોકો એટલું કહીને ગયા હતા કે, કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો, જે અહીંયા ન થાય.
“તમે દમન કરશો તો કામ તમને વધુમાં વધુ પકડશે. પણ શમન કરશો એટલે કે અભિવ્યક્ત કરશો તો તમે કામમાંથી મુક્ત થતા જશો.” ભારતીય વિદ્યા ભવન દ્વારા યોજાયેલ આ પ્રવચનશ્રેણીના પ્રથમ દિવસે જ રજનીશે એવી જોરદાર વાતો કરી કે, જયારે મંચ ઉપરથી ઉતર્યા ત્યારે ભારતીય વિદ્યા ભવનનાં કોઈ હોદ્દેદારો હાજર નોહ્તા. એ લોકો એટલું કહીને ગયા હતા કે, કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો જે અહીંયા ન થાય. એટલે એ શ્રેણી ત્યાં બંધ થઈ ગઈ.પણ ઓશોને બહુ મોટી હાઈટ મળી. આપણને ખબર છે કે તમારી પ્રવચન શ્રેણી દસ દિવસ ચાલે તો લોકો રાજી ન થાય પણ એક દિવસ પછી બંધ થઈ જાય તો બહુ રાજી થાય. એટલે હાઈટ વધી અને ખરેખર એવું બન્યું કે એક જ મહિના પછી 28મી સપ્ટેમ્બર 1968 ગોવાલિયા ટેન્કના મેદાનમાં ભરચક લોકો વચ્ચે એમણે શ્રેણી શરુ કરી ”संभोग से समाधी तक”. એમના ઉપરથી એનું પુસ્તક અનેક ભાષાઓમાં પ્રકાશિત થયું. હકીકતમાં એમાં એમણે સેક્સ વિશે વાત નથી કરી. રજનીશે પોતે પણ ઘણી જગ્યાએ કહ્યું છે કે, હું મીરા ઉપર બોલ્યો હોઉં, કૃષ્ણ ઉપર બોલ્યો હોઉં, કબીર ઉપર બોલ્યો હોઉં, ઘણા વિષયો વિષે બોલ્યો હોઉં એ તમે વાંચતા નથી અને એક જ પુસ્તક વાંચો છો ? અને મને પૂછો છો ? વર્લ્ડની અંદર એને લોકો “સેક્સ ગુરુ” તરીકે ઓળખવા લાગ્યા. પણ ઓશોની બહુ મોટી ખાસીયત એ હતી કે એના કોઈપણ કૃત્યથી લોકો ડિસ્ટર્બ થાય તો તેઓ એ એન્જોય કરતા. અને એ વિચારતા કે, બહુ સારું ચાલો આને ચલાવાય. એટલે એમણે ચલાવ્યું.
જબલપુરમાંથી એમણે પોતાની નોકરી છેલ્લે છોડી દીધી 1970માં અને પછી મુંબઈ આવ્યા, મુંબઈ આવીને 50 સાધકો સાથે રહેવા લાગ્યા. પછી એમને વિચાર આવ્યો કે, મારે જે વાત કહેવી છે એ જાજા લોકોને કહું છું તો એનું મૂલ્ય નથી રહેતું, એટલે એણે ઓછા લોકોને કહેવાનું શરુ કર્યું. અને 1970થી રજનીશે ડાયનેમિક મેડિટેશન (સક્રિય ધ્યાન) શરુ કર્યું. જે આજે પણ જ્યાં જ્યાં ઓશો કોમ્યુન છે ત્યાં સવારનાં અચૂક થાય છે. ધ્યાનની વિધિને ખુબ સ્પષ્ટતા સાથે તેઓએ રજુ કર્યા. એમણે વિપશ્યના પણ નવું રીતે શોધ્યું. બુદ્ધની પચીસસો વર્ષ જૂની વિપશ્યના માટે એમને કેટલાક પ્રશ્નો હતા. એમણે કહ્યું કે મારો પ્રશ્ન એ છે કે, મનમાં બધું ભરીને આવેલા લોકોને તમે એક જગ્યાએ બેસાડી દ્યો અને એમ કહો કે, હવે વિચારી વિચારીને બધું બહાર કાઢો તો કેમ કરીને નીકળે ? ડબ્બામાં કંઈક ભરવું હોય તો સૌ પહેલા ભરેલા ડબ્બાને બરાબર ઠબલવવો પડે. જો ઠબલાવશો તો જગ્યા થશે. એટલે હું ઠબલાવવાની પ્રક્રિયાથી વાતની શરૂઆત કરીશ. એટલે વિપશ્યનાથી લઈને અનેક ધ્યાન એમણે શરુ કર્યા.
કુલુમનાલી ની અંદર 1970માં એમણે પહેલી વખત કોઈને દીક્ષા આપવાની શરૂઆત કરી. એ પ્રક્રિયાને નિયો સન્યાસ એવું નામ આપ્યું. રજનીશે જાહેર કર્યું કે, પરંપરાગત સંન્યાસ જે અત્યારના પ્રચલિત છે એનો હું આજથી વિરોધ જાહેર કરું છું. તેઓએ સમજાવ્યું છે ખુબ સુંદર રીતે કે, અત્યાર સુધીનો સંન્યાસ બધું છોડીને આવો એમ કહે છે. તમે ગીતાના છઠ્ઠા અધ્યાય ઉપરનાં ઓશોના વ્યાખ્યાન સાંભળો તો પહેલા જ શ્લોકમાં એમણે કહ્યું છે કે ” कृष्ण के पहले भारत का संन्यास भगेरु था. घर छोड़ के भागो, दुनिया छोड़ के भागो, जंगल में जाके ठहेरो में वो नहीं चाहता” એમનું કહેવાનું એવું હતું કે જ્યાં છો ત્યાં જ બરાબર છો. અને ત્યાં બરાબર છો એટલે જ્યાં છો ત્યાં તમે સંન્યાસ અનુભવો. કેવી રીતે? એની એમણે ટેક્નિક આપી.
1970 થી 1985 વચ્ચેના 15 વર્ષમાં એણે બહુ મોટા ફેરફારો કર્યા અને એવા ફેરફારો કર્યા કે જેની અસરો ખુબ રહી. એક સુંદર સવારે એમણે કહ્યું કે કાલથી બધા મારું રોબ પહેરજો અને મોટી 108 મણકાની એક માળા રાખજો, એમાં વચ્ચે લોકેટ રાખવાનું કે જેમાં ઓશોનો ફોટો હોય !! આવું કરવા પાછળના કારણો આપ્યા છે આ પુસ્તકમાં. એમણે કહ્યું કે એટલા બધા સંન્યાસીઓ વધી ગયા કે હું કોઈને ઓળખતો નોહ્તો કે આમાં મારો કોણ છે ? એટલે ઘણી વખત મને એમ થાય કે, હું દૂધ રેડું છું પણ બોઘેણામાં પડતું નથી ને નીચે જતું લાગે છે. તો મારે identify કેમ કરવા? એટલે મેં આ યુનિફોર્મ આપ્યો. મને ખબર પડે કે, આ બધા આપણા છે. પાછળના ભાગમાં એમણે સત્યવેદાંત સ્વામીનાં એક પુસ્તકમાં લખ્યું છે કે, ”આ બધા આપણા છે એ માનવું મારો ભ્રમ હતો એ મને પાંચ વર્ષમાં ખબર પડી. ખબર પડી તેથી મેં કહ્યું, હવે ભગવા જવા દ્યો” તો પોતાના જે જે નિર્ણયો છે એ રજનીશે લીધા છે બેધડક, ખોટા લાગે ત્યારે પાછા પણ ખેંચી લીધા છે, કશું જ કીધા વગર.
એક સરસ કામ એમણે કર્યું કે, સંન્યાસીઓને નવા નામ આપ્યા. પહેલા નામ આપતા હતા પણ એને હવે ટિપિકલ નામ આપ્યા. પુરુષ હોય તો એની આગળ “સ્વામી” લગાડવાનું, સ્ત્રી હોય તો એની પાછળ “મા” લગાડવાનું. અને એમની સ્પષ્ટતા એ હતી કે, મારા મતે પુરુષ છે એ ચેતનાનાં પંથે ચાલનારો છે. સ્ત્રી છે એ પ્રેમનાં પંથે ચાલનારી છે. ચેતનાનાં પંથે ચાલે એ આખા અસ્તિત્વને ચૈતન્ય આપી શકે એટલે કે એનો ‘સ્વામી’ થઈ શકે માટે ‘સ્વામી’ લગાડ્યું છે. અને પ્રેમનાં પંથે જે ચાલે એ અસ્તિત્વનું માતૃત્વ કરી શકે માટે એ ‘મા’ છે. આ કહેવાનું પણ કારણ હતું. એમણે કહ્યું કે, બધા પોતાના નામ લઈને આવ્યા હતા, એટલે પોતાના નામમાં જ જીવતા હતા. મારે એમનું નામ ખેરવી નાખવું હતું, અને મેં આપેલ નામ મને યાદ રહે એટલા માટે મેં બધાના જુના નામ ખેરવ્યા ને નવું નામ આપ્યું. આવી એક નાનકડી એવી તરકીબ પોતે કરી અને એનું બરાબર justification આપ્યું. એમણે એક સરસ વાત કરી, કોઈએ એમને પૂછ્યું હતું કે, તમે ધર્મનો વિરોધ કર્યો અને તમેય પાછા કપડાં તો આવા જ પહેરાવ્યા? રજનીશે કહ્યું કે, મને સમજાણું કે, લોકો કપડાં જલ્દી બદલી શકે છે, મન બદલતા વાર લાગે છે. પછી મેં બીજું નોંધ્યું કે, કપડાં બદલે પછી એની મન ઉપર અસર ય થાય છે તો મેં નક્કી કર્યું કે, આપણે શું વાંધો? પહેરાવો ને એવા કપડાં…એનાથી એનું મન મારી ભેગું ચાલતું હોય તો મારે તો એને આંગળી પકડીને લઈ જવાં છે. ધીમે-ધીમે કરતાં રજનીશ મુંબઈમાં સેટ થયા. પહેલા વુડલેન્ડ નામનાં બહુ મોટા આલીશાન એપાર્ટમેન્ટમાં રહ્યા. નાના-નાના જૂથના લોકો સાથે સંવાદ કરવા લાગ્યા, નજીકમાં સાગર કિનારો હતો એના તટે બેસીને સંવાદ કરે, બધા સંન્યાસીઓ છે એ સાગર ઉપર સૂતા હોય, ડૂબકીઓ મારતા હોય, પોતે પણ એકબાજુ બેઠા હોય.. આવું એણે શરુ કર્યું. અને 1972ના મે મહીનામાં એમણે પોતાની જાત ને ‘ભગવાન રજનીશ’ કહેવાનું શરુ કર્યું. ભગવાન રજનીશ એટલા માટે કે ત્યારે એમણે, “મને આત્મસાક્ષાત્કાર થયો છે” એવી જાહેરાત કરી. કોઈએ પૂછ્યું કે ક્યારે થયો ? તો કહે 20 વર્ષ પહેલા…તો હવે કેમ બોલ્યા? તો કહે, લોકો જિજ્ઞાસાથી આ વાતને ન સ્વીકારે પણ પુરી પુખ્તતાથી સ્વીકારે એની હું રાહ જોઈ રહ્યો હતો. હવે મને લાગે છે કે, મારા કેટલાક શિષ્યોમાં કેવળ જીજ્ઞાસા નથી, પુખ્તતા છે એટલે આ વાત હું કરી રહ્યો છું. એટલે બરાબર 20 વર્ષ પછી એણે આત્મસાક્ષાત્કારની જાહેરાત કરી. જો કે, એને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા હતા કે, ઓશો તમારામાં બદલાવ આવી ગયો છે, તમે પહેલા જેવા દેખાતા નથી, તમે બદલાઈ ગયા છો… ત્યારે એને વિચાર આવ્યો કે ‘હા, હું બદલાઈ ગયો છું, મને ખબર છે પણ તમે નોંધવા લાગ્યા છો તો હવે એને જાહેર કરવામાં મને કોઈ હરકત નથી.’
સક્રિય જ્ઞાનની સાથે સંગીત લાવ્યા, પોતે રોક લઇ આવ્યા, ઝાઝ પણ લઈ આવ્યા, સંગીત શૈલીઓ લઈ આવ્યા, બેસી-બેસીને ધ્યાનનાં મ્યુઝિકને કમ્પોઝ કરાવવા લાગ્યા, અને આત્મસાક્ષાત્કાર પછીના 21 વર્ષે પૂનાના કોરેગાંવ પાર્કમાં છ એકરમાં બે બંગલા ખરીદ્યા અને તેની લોનમાં બેસીને શરૂઆત કરી. ધીમે-ધીમે આખો આશ્રમ બનતો ગયો જે કોમ્યુન બન્યો. એમને એવું લાગ્યું કે, કોઈને હું એક કલાક આપું છું તો એ લોકો મને એક ચિત્તે નથી સાંભળતા. એટલે એમણે નક્કી કર્યું કે, એક મિનિટ માટે આપણે બેસીએ અને સંવાદ કરીએ. એમણે તારવ્યું કે એક મિનિટમાં જે પ્રશ્ન આવે છે ને એ નક્કર પ્રશ્ન આવે છે. એક કલાકમાં જે પ્રશ્ન આવે છે એ બધા વેગ આવે છે, એમાં કાંઈ જાણવાની વાત હોય છે, સમજવાની નથી હોતી. એટલે એમણે બહુ નાનું-નાનું ગ્રુપ કરવાનું શરુ કર્યું. એમની અંગ્રેજી ઉપરની પકડ સારી, અંગ્રેજી એટલું સારું નહિ, પણ પકડ ખુબ સારી અને એની શરૂઆત એમણે 1974થી કરી. એને નામ આપ્યું ‘ My way, the way of the white clouds’ -સફેદ વાદળ… આ નામની બહુ સરસ સમજૂતી આપી કે, સફેદ વાદળ એવું હોય છે કે, પવન જ્યાં લઈ જાય ત્યાં તે ચાલે. પવન સાથે સંચરણ કરે કારણ કે ખાલી છે. કાળું વાદળું ભરેલું છે, એ ઝડપથી પવનનું કીધું માનતું નથી. એટલે My way, white clouds… “તમે પણ ખરેખર વિરોધ કે સંઘર્ષ વગર જીવનમાં જે બની રહ્યું છે એને સ્વીકારવા લાગો તો તમે પણ એ સફેદ વાદળ છો”, એવું એ શ્રેણીનું અર્ક નીકળતું હતું. સતત એણે પ્રયાસ કર્યો કે આ વાતને હું સમજાવું અને અંગ્રેજીની અંદર આ જે આખી વાતની શ્રેણી હતી એણે આખા વિશ્વની અંદર ઓશોને બરાબર પ્રચલિત કર્યા.
1974માં નવો તબક્કો શરુ થયો, ઘણા સાધકો આવવા લાગ્યા, ધ્યાન મંડપમાં બેસતા હતાં એની જગ્યાએ એમણે પ્રયોગ શરુ કર્યો કે, ધ્યાન મંડપમાં ખુરશી હશે, હું નહિ હોઉં…એટલે એનો બુદ્ધ હોલ હોય એ આખો ભરેલો હોય, પણ વચ્ચે મંચ પર ખુરશી પડી હોય, પણ ઓશો ન હોય. આ પ્રયોગ માટેનો જવાબ એમનો એવો હતો કે, એક વખત હું નહિ જ હોઉં, એની ટેવ હું તમને અત્યારે પાડું છું. અને એમનું બહુ સુંદર એવું વાક્ય છે કે ‘ જે ઘટશે ત્યારે શું થશે એ તમે ત્યારે જ સ્વીકારી શકો કે જયારે તમે એની કોઈ પ્રેકટીશ કરેલી હોય. otherwise આપણને સદ્દમો પહોંચે છે‘. સાયં દર્શન શરુ કર્યા, ધીમે-ધીમે પાશ્ચાત્ય ચિકિત્સાના જૂથો શરુ કર્યા. પોતાને એવું લાગ્યું કે હું વ્યાખ્યાન આપું છું, ધ્યાન સમજાવું છું, પણ એના પછી follow up માટે કોઈ ગ્રુપ હોવું જોઈએ. એટલે એમણે ચિકિત્સા જૂથ ઉભા કર્યા. જે ચિકિત્સા જૂથની અંદર વિચિત્ર વાતો આવી. દાખલા તરીકે તમારે જીવન કેમ જીવવું, એના માટે એક જૂથને જઈને મળો; તમારે આપઘાત કરવો તો કેમ આપઘાત કરવો જોઈએ? દેહ નો નહિ મનની ગ્રંથિઓનો એના માટે બીજું જૂથ હોય; એમાં એણે એક વિષય રાખ્યો, સેક્સ સંબંધી પ્રશ્નો હોય તો પણ એક જૂથને મળી શકો છો… એ સમયે કોઈ એક વ્યક્તિએ કોમ્યુનમાં આવીને એની documentary બનાવી. અને એ documentary વિશ્વ આખામાં ફેલાણી. છેક ભારતથી લઈને અમેરિકા સુધી ફેલાયેલ આ ફિલ્મથી લોકોએ ભગવાન રજનીશ ઉપર ફિટકાર વરસાવ્યા.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 30, 2025 | Gramsetu |

ચાલો, આજે આપણે શિક્ષણ અને સંશોધનની એક હાલતીચાલતી વિદ્યાપીઠને મળીએ… જામનગરના જામસાહેબ કચ્છથી આવ્યા ત્યારે તેમણે પહેલી રાજધાની જામખંભાળિયામાં સ્થાપેલી. આજે પણ તેના કોઈ કુંવરનો રાજ્યાભિષેક થાય છે ત્યારે તે જામખંભાળીયામાં જ થાય છે. તાલુકા મથકનું નાનું શહેર જામખંભાળિયા. ચૈિત્ર સુદ બીજ. શુક્રવાર. ૧૯૪૪ના માર્ચની છવ્વીસ તારીખે જન્મ અહીં ચન્દ્રકાન્તભાઈનો. ઘી અને તેલી બે નદી અહીં. જ્યાં આજે ય ઘીની પૂજા થાય છે એવું ખામનાથ મહાદેવનું વિશિષ્ટ મંદિર. શંકરલાલ પડોશમાં રહેતા પ્રભાવી નાગર. તેના ઘરમાં બીલીનું ઝાડ. ત્યાંથી બીલીપત્રો લાવવાનાં. દાદાને આપવાનાં અને પડોશી ઢેબરભાઈને ચન્દ્રકાંતે દઈ આવવાનાં. આ ઢેબરભાઈનાં પત્ની તે શિક્ષણ સંશોધનના ભિષ્મ પિતામહ ડૉ. એમ. બી. બુચસાહેબનાં બહેન થાય. ચન્દ્રકાંત દાદાને, ઢેબરભાઈને બીલીપત્રો આપે પછી પોતે રાખે અને ખામનાથ મહાદેવને દર્શને જઈ પોતે ચડાવે. ઘણા દિવસો તો રોજના હજાર બીલીપત્રો ભાવથી ચઢાવતો ચન્દ્રકાંત કથા સાંભળવાનો જબરો શોખીન. એકાગ્રતા એવી કે કથાકારો એને શુકદેવજીનું ઉપનામ આપે! કૉલેજમાં ગયા પછી ચન્દ્રકાંતને ભગવાનના સ્થાને પ્રકૃતિને કે વિજ્ઞાનને મૂકવાની ઇચ્છા થઈ ત્યાં સુધી એ ભક્તિસભર.
દાદા-દાદી પાસેથી શિક્ષણ અને સંસ્કાર મળ્યાં. પરંપરાગત સંયુક્ત બ્રાહ્મણ કુટુંબ. દાદા કાપડના પ્રસિદ્ધ વેપારી. બાળપણ વખતે તો જાણે silver spoon in the mouth. દાદાને મિલ્કતો ખરીદવાનો શોખ. નાગરપાડામાં મકાનોનું એક આખું સંકુલ લીધેલું. એમાં સ્થળાંતરિત થયા પછી ત્રણ કાકાઓ ત્યાં જ અલગ મકાનમાં ગોઠવાયા. દાદાને પ્રાણીઓ પાળવાનો શોખ. ગાય-બળદ-ઘોડા. નાની અશ્વશાળા ઘરમાં, ઘોડાગાડી ઘરમાં. એક સાથે બે ઘોડા જોડી શકાય એવી ગાડી માજોલી”માં નિશાળે જવાનું ચન્દ્રકાંતે, નિશાળ નજીક હતી તો પણ! ઘરમાં ગ્રંથો પુષ્કળ ચન્દ્રકાંતના સુંદરકાંતના બધા જ ખંડો, ભગવદ્ગીતા, રામચરિતમાનસ, યોગ વિષેના ગ્રંથો. વાચનની ટેવ દાદાએ પાડી. નાગરપાડામાં નાગરોના સંસ્કારો મળ્યા. રોજ રાત્રે દાદાએ શીખવેલ પદ્ધતિસર રામચરિતમાનસ ચન્દ્રકાંતે જાહેરમાં વાંચવાનું. ચોપાઈ, સોગઠા ગાઈને! નજીકમાં નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર. તેની પૂજાવિધિ જોવાની. કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં નાગર યુવકો ત્રિપુરાસુરનું દહન કરતા. ત્યાં સંન્યાસી રહેવા આવે તો તેને ભોજન દેવા જવાનું. આ રીતે લક્ષ્મી હતી ત્યાં શ્રી—સરસ્વતીનું આગમન થયું.
પિતાજી ધંધામાં. માતાજી બાળકોનાં ઉછેરમાં. એટલે એ બન્નેએ શિક્ષણ આપ્યું એવું ન બન્યું. કડક પિતાજીનો ડાહ્યો દીકરો ચન્દ્રકાંત. પિતાની ઇચ્છા તો IAS બનાવવાની હતી, પણ પોતાની ખ્વાઈશ તો ડૉક્ટર થવાની હતી! પણ થયા શિક્ષકોના શિક્ષક. જીવનને વળાંક આપે તેને જ નિયતિ કહેવાય ને? દાદાની શાખ કે ધાક કેવી, ખબર છે? આ કુટુંબના મુંબઈના કોઈ મહેમાન અહીંથી પસાર થતાં હોય તો તેને ચા-નાસ્તો ન કરાવી લઈએ ત્યાં સુધી ટ્રેન અહીં રોકી રખાતી! કેશવજીભાઈના મહેમાન છે ને પછી?! ચન્દ્રકાંત એકથી ચાર ધોરણ ભણ્યા ભાટિયાઓનાં દાનથી બનેલ ‘બટુભાઈ રતનશી ધનજી વીરજીયાણી તાલુકા શાળા નં. ૨’માં. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક હતા પ્રભાશંકરસાહેબ. બધા છોકરાવ પાસે બોર્ડમાં એક શબ્દ જ લખાવે. બધાએ લખ્યું : ‘રબડ.’ એક માત્ર ચંદ્રકાંતે લખ્યું: ‘રબ્બર! વર્ગમાં માન તેનું કારણ આ. શિક્ષકો બિનતાલીમી ખરા પણ કામને સમર્પિત. તૈયાર કરીને સમજીને પછી જ શીખવે. રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું ત્યારે, જો કે, ચન્દ્રકાંતને એ બહુ આવડતું ય નહીં ને ફાવતું ય નહીં. જામખંભાળિયામાં ત્યારે મિડલ સ્કૂલ હતી, સ્ટેશન રોડ પર, ખૂબ સુંદર મકાન (આજે ય છે ત્યાં જ). જેનો એક હાથ કાંડા ઉપરથી કપાયેલો હતો તેવા શિક્ષક કાંતિલાલ દવે આજે પણ ચન્દ્રકાંતભાઈની નજર સામે છે. છઠ્ઠું ધોરણ. ભૂગોળ ભણાવે અને ભૂગોળ તો પહેલેથી કંઠસ્થ. મિત્ર જેઠો બાજુમાં. ચન્દ્રકાંતે નોટમાં મોટું ચિત્ર ઇલેક્ટ્રિક કંપનીનું દોર્યું. બન્નેએ હરખાતાં તેમાં નામ આપ્યું: ‘ઓઘો ઍન્ડ ગોધો ઇલેક્ટ્રિક કંપની! કાંતિલાલ જોઈ ગયા. બન્નેને આવા હાથે ય ગરદનથી પકડી આગળ લાવ્યા ને નોટ ક્લાસને દેખાડી કહ્યું: ‘જુઓ, આ ઓઘો અને ગોધો અને આ એની ઇલેક્ટ્રિક કંપની!” માર્યા નહીં પણ ખિજાયા જરૂર. એક મિત્ર તનસુખ મહેતા ખૂબ હોંશિયાર. પહેલો જ આવે. છઠ્ઠા ધોરણમાં ચન્દ્રકાંતે તેને ચેલેન્જ મારી પહેલો નંબર લીધો. પણ એક જ વાર, પછી તો છેક સુધી તનસુખ મોખરે રહ્યો. પછીથી આ તનસુખ મહેતા રાજકોટની કોઈ કૉમર્સ કૉલેજમાં પ્રતિભાશાળી અધ્યાપક બન્યાનું ચન્દ્રકાંતભાઈએ સાંભળેલું.
પોતાની ઇચ્છા ડૉક્ટર થવાની એટલે રાખ્યા વિજ્ઞાનના વિષયો અને પ્રથમ વર્ગમાં મૅટ્રિક પાસ થયા. પણ વૅકેશનમાં ટાઈફૉઇડ થયો. ઘરમાં કોઈને કાંઈ પ્રવેશની ચિંતા ન હતી. સાજા થઈને ગયા ડી. કે. વી. સાયન્સ કૉલેજ, જામનગર. પ્રિન્સિપાલ જે. બી. શાંડિલ્યસાહેબે કહ્યું: ‘તારા માટે જગ્યા ઉપરથી પાડું? બધી જગ્યા ભરાય ગઈ છે. જાવ, આવતા વર્ષે આવો…”કુટુંબ ઘસાયું હતું. આર્થિક ભીંસ શરૂ થઈ હતી. પ્રશ્ન થયો: ‘એક વર્ષ બગાડવું કે આર્ટ્સમાં જતા રહેવું?” દ્વારકામાં નવી કૉલેજ શરૂ થતી હતી. તેમાં પ્રવેશ મળે તેમ હતો. પણ આર્થિક બોજાનું શું? પણ ત્યારે દ્વારકામાં શંકરાચાર્ય તરીકે અભિનવ સચ્ચિદાનંદતીર્થ મહારાજ હતા. એમણે સંસ્કૃત એકેડેમી શરૂ કરી કારણ એમને વિદ્યા અને સંસ્કૃત માટે આદર હતો. સવારના કૉલેજમાં અને બપોરના સંસ્કૃત એકૅડેમીમાં જે વિદ્યાર્થી ભણે (૧) તેની ફી ન લેવી (૨) હૉસ્ટેલની ફી ન લેવી (૩) માસિક રૂ. ૩૫/- શિષ્યવૃત્તિ આપવી એવી યોજના મહારાજે જાહેર કરી. આને લઈને ચન્દ્રકાંતભાઈની મૂંઝવણ ગાયબ થઈ ગઈ. ફૂડબિલના રૂપિયા ત્રીસ શિષ્યવૃત્તિમાંથી ભરવાના, આર્ટ્સ કૉલેજમાં સ્નાતક ભણવાનું અને વિશેષમાં સંસ્કૃતમાં શાસ્ત્રીય પદ્ધતિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એમાં પણ ભાષાશાસ્ત્રી વિદ્વાન ટી. એન. દવે લંડનથી આવેલા અને તેને મહારાજે અહીં રોકી લીધેલા, તો બિહારના વ્યાકરણાચાર્ય શોભાનંદ ઝા પાસે સંસ્કૃતનું પાયાનું જ્ઞાન મેળવવામાં ચન્દ્રકાંતભાઈ મશગૂલ થઈ ગયા. એસ.વાય.બી.એ. સુધી આમ ચાલ્યું ત્યાં જીવનનો કપરો વળાંક સામે આવ્યો. માત્ર તેંતાલીસ-ચુમાલીસ વર્ષની વયે પિતાજીએ વિદાય લીધી. બા, ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોની જવાબદારી આવી ગઈ. અચાનક કાકાએ કહ્યું: ‘ચન્દ્રકાંત, હવે નોકરી શોધી લો ને કુટુંબની જવાબદારી ઉપાડી લો.’ દ્વારકાનાં બન્ને ભણતર અધૂરાં છૂટ્યાં. ભાણવડ તાલુકાનું વેરડ ગામ. ત્યાંની શાળામાં લેખિત પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ. સરપંચ હોંશિયાર અને અનુભવી, કલ્યાણસંગ વીરજી જાડેજા. એકવીસ વર્ષના ચન્દ્રકાંત ભોગાયતા અંકગણિતના શિક્ષક થયા. કુટુંબને વેરડ લાવ્યા. બીજા પગારમાંથી ટી.વાય. ઍક્સટર્નલની ફી ભરી, પુસ્તકો લીધાં. સરપંચશ્રીએ ચાલુ પગારે રજા આપી, ફી અને ચોપડીના નાણા આપ્યા ને ગુજરાતની તે સમયની ખ્યાતનામ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજમાં B.Ed. કરવા મોકલ્યા. સરપંચની શરત એટલી કે પ્રથમ વર્ગ લાવવાનો! લગ્ન પછી બી.એડ્. શરૂ કર્યું અને ત્યાં જ પ્રથમ લક્ષ્મીજી પણ પધાર્યાં.
શિક્ષક થયાના પાંચ વર્ષ પછી B.Ed. કર્યું છતાં આ વર્ષ જીવનનું ઉત્તમોત્તમ વર્ષ ચન્દ્રકાંતભાઈ લેખે છે. પ્રિન્સિપાલ મહેશભાઈ વૈષ્ણવ. ‘પ્રથમ દિવસે તેઓ નોટિસબોર્ડ પર સમયપત્રક ચોંટાડતા હતા. હું ત્યાં ઊભો રહી જોતો હતો. થોડીવાર પછી વિનયપૂર્વક તેમની અનુમતિ લઈ મેં કહ્યું: ‘સાહેબ, આપે આમાં બે શબ્દોનો ખોટો ઉપયોગ કર્યો છે. પૂર્વાનહ એટલે સવાર; અપરાનહ એટલે બપોર પછી. સમય આધારિત આ બે શબ્દો વાપરવામાં અદલાબદલી થઈ ગઈ છે.” એમણે તો કાગળો ઉતારી લીધા ને ઓફિસમાં જતા રહ્યા. RGT કૉલેજની પ્રાર્થના એટલે શણગાર. પ્રાર્થનામાં તે દિવસે જ્યારે પ્રાચાર્યશ્રી બોલવા ઊભા થયા ત્યારે એમણે જાહેરમાં કહ્યું : ‘આજે ગુરુ શિષ્ય બન્યો ને શિષ્ય ગુરુ! આજે કેવડી મોટી ભૂલ થઈ જાત? સવારવાળી ઘટના ભાવથી વર્ણવી મને મોટો કરી દીધો! પોતાના માટે સવારે ચા બનાવે ત્યારે હું રૂમમાં વાંચતો હોઉં તો ત્યાં મને ય ચા આપી જાય! હું B.Ed.માં યુનિ.માં પ્રથમ આવ્યો. મહેશભાઈએ બધાંને પત્ર લખ્યો: સ્થાપનાનાં સોળ વર્ષે કૉલેજનો કોઈ તાલીમાર્થી યુનિવર્સિટી પ્રથમ આવ્યો. કૉલેજ તરુણ વયમાં પ્રવેશી ત્યારે જ ઊંચકાઈ ગઈ…….’ ચન્દ્રકાંતભાઈએ ત્યાંથી M.Ed. પણ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે કર્યું. પછી ડી. કે. વી. જામનગરમાંથી M.A. ગુજરાતી સાથે કર્યું. ગુલાબદાસ બ્રોકરના પિતાના નામનો સુવર્ણચંદ્રક પણ મેળવ્યો. તેમનો સ્વભાવ કે જે ભણાવવું હોય તે પહેલાં ભણવું, તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક ભણવું. M.A. શરૂ કરતાં પહેલાં સંદર્ભસૂચિ તૈયાર કરી પ્રાધ્યાપક લાભશંકર પુરોહિતને ઘરે જઈને બતાવી પૂછ્યું: શું આ પુસ્તકો પૂરતાં છે? શ્રી લાભશંકરભાઈ સાનંદાશ્ચર્ય વિદ્યાના સાચા અર્થી સામે જોઈ રહ્યા! ૧૪ વર્ષ વેરડમાં માધ્યમિક શિક્ષક; એક વર્ષ જામવણથલી હાઈસ્કૂલમાં આચાર્ય; પાંચ વર્ષ માધ્યમિક શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગરમાં વ્યાખ્યાતા; પાંચ વર્ષ શિક્ષણશાસ્ત્ર ભવન — ભાવનગરમાં અધ્યાપક; પાંચ વર્ષ ત્યાં જ રીડર અને અગિયાર વર્ષ ત્યાં જ પ્રાધ્યાપક હેડ અને શિક્ષણ વિદ્યાશાખાના ડીન રહ્યા ચન્દ્રકાંત ભોગાયતા! ભાવનગર આવ્યા ને લાઇબ્રેરી સાથે ગાઢ નાતો ફરી બંધાયો. લાઈબ્રેરિયન “હોવાથી” નહીં, પણ લાઇબ્રેરિયન ‘હોવા છતાં’ જબરી વાંચનની ટેવવાળાં ઉષાબહેન બુચે પુસ્તકાલય નામનો વારસો જાણે ચન્દ્રકાંતભાઈ માટે શોધી આપ્યો! યુનિવર્સિટીના ભવનાધ્યક્ષ થયાથી તો તેમના માટે આંતરરાષ્ટ્રીય જર્નલ્સની રત્નોની ખાણ ઉપલબ્ધ થઈ. ચન્દ્રકાંતભાઈ કહે છે: ‘આંતરરાષ્ટ્રીય સામયિકો પાછળ હું પાગલ છું. તમે એના અભ્યાસ વિના ક્યારેય પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી સંસ્થાને લાવી શકો જ નહીં, એવું મારું દૃઢ માનવું છે.”
સંશોધનની શિસ્તના ધોરણો પાળવામાં કડક ગણાતા એ સમયના ધૂરંધર સંશોધક ડૉ. હરિભાઈ દેસાઈ પાસે Ph.D. કરવા માટે રજૂઆત કરતો ત્રીસ પાનાંનો નિબંધ લખી મોકલેલો. ચન્દ્રકાંતભાઈને જવાબમાં રજિસ્ટ્રેશનનું ફૉર્મ મોકલી સાથે લખ્યું: ‘આ લેખ કોઈ ઉત્તમ સામયિકમાં છપાવા માટે મોકલો. ‘What is what? ની સ્પષ્ટતા માર્ગદર્શક ડૉ. રવીન્દ્ર દવેમાંથી ડૉ. હરિભાઈ દેસાઈમાં ઊતરીને, તેમના શિષ્ય ચંદ્રકાંત ભોગાયતામાં સ્થાયી થઈ! અરે, આજે સિત્તેર વર્ષ નજીક પહોંચેલા ચન્દ્રકાંતભાઈને કોઈ પણ ગાઈડ કે સંશોધક પત્ર લખીને પોતાનું Ph.D.નું માત્ર શીર્ષક જણાવે ત્યાં તેઓ વરસી પડે. સુઘડ—મોહક અક્ષરોમાં લગભગ પૂરેપૂરાં સંશોધનની રૂપરેખા અને કાર્યપદ્ધતિ crystal clear કરીને દસેક પાનમાં મળી જ સમજો! શ્રી હરિ ઓમ આશ્રમ શ્રેષ્ઠ સંશોધક ઍવૉર્ડ બે વખત મળ્યો છે! સોળ સંશોધકોને ડૉક્ટરેટનું માર્ગદર્શન, ૩૮ રીસર્ચ પેપર્સ, ૮૦ અભ્યાસ લેખો, સાત પુસ્તકો આપનાર ચન્દ્રકાંતભાઈ ભોગાયતાએ ચિંતનાત્મક અધ્યાપન’ના ખ્યાલને ભારતમાં રમતો મૂક્યો છે. પોતે જે માને છે તે જ સ્પષ્ટ અને મૃદુતાથી કહેવાનું અને તેનાં માઠાં પરિણામો આવે તો ભોગવવાનાં,” આ સિદ્ધાંતના સ્વામી ડૉ. ચન્દ્રકાંત ભોગાયતાએ પોતાનાં કુટુંબને ગિજુભાઈની બાળવાર્તાઓ નાટકના અભિનયથી ભજવતું કર્યું છે. BITS, મિલાનીમાં દીકરો ભણતો હતો ત્યારે ત્યાં પણ કૂતરાને દૂધ પાતો નિયમિત! શિક્ષણ-સંશોધનના સાધક સંવેદનાના ઉપાસક છે…
by Bhadrayu Vachhrajani | May 25, 2025 | સ્વૈર વિહાર - મધુવન |


સવારે અને બપોર પછી દોઢ–દોઢ કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં ન્હાવું ! એમણે લખ્યું છે કે, મારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી.
બન્યું એવું કે 1945માં એટલે કે લગભગ ઓશોના ઉંમરના 14માં વર્ષે સાત દિવસ એમનેએમ કાઢ્યા પણ મૃત્યુની પ્રતીક્ષા માટે.
એમના પહેલા એમની બહેનનું અવસાન થયું હતું, જે એમને બહુ વ્હાલી હતી. 11 ભાઈ-બહેન માંથી એક બહેન હતી. 11 ભાઈ-બહેન હતા જો કે, એની એમણે તો મજાક ઉડાડી છે અને ઓશોના પપ્પાને કહ્યું છે કે, “એક શું કામ બાકી રાખ્યું? બીજું એક બાળક આપો તો આપણે ડઝન બોલીએ તો સારું લાગે. આ 11 બાળકો બોલવામાં સારું નથી લાગતું.!!:” તો એ ડઝન માંથી અગિયાર અને અગિયાર માંથી એક ઓછું થયું. એનાથી એને મૃત્યુનો પહેલો અહેસાસ થયો.
21મી માર્ચ 1953 એ એને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનું ડીક્લેરેશન જાહેરમાં એમણે 20 વર્ષ પછી મૂક્યું છે, તાત્કાલિક નથી મૂક્યું. ગામડાંની અંદર રહેતા હતાં ત્યારે એને એટલો બધો લગાવ હતો પ્રકૃતિ સાથે, કે મને અને તમને કલ્પના ન આવે. સવારે અને બપોર પછી દોઢ-દોઢ કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં ન્હાવું ! એમણે લખ્યું છે કે, મારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી. કારણ કે અમે લોકો નદીમાં પડેલા કાયમ જોવા મળતાં હતા. કેટલીક વિચિત્ર બાબતો ઓશોના જીવનમાં જોવા મળે છે. રોજ રાત્રે સુતા પહેલા મીઠાઈ ખાવી જ પડે .. ખાવી એટલે ખાવી જ.. ના હોય તો લાવવી પડે. અને ન ખાય ત્યાં સુધી ઊંઘ ન આવે, આવી ટેવ પણ એને હતી. ધીમે-ધીમે કરતાં 1951 થી 56 સુધીમાં એમણે યુનિવર્સીટીના વિદ્યાર્થી તરીકે ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું ફિલોસોફી વિષય સાથે.. બહુ પરિચિત વાત છે કે, ઇન્ટર યુનિવર્સીટી ઇલોક્યુશન કોમ્પીટીશન સાગર યુનિવર્સિટીમાં યોજાતું હતું. એ વાદ-વિવાદ સ્પર્ધા માં એક વ્યક્તિની હંમેશા જીત જ હોય અને એ યુવાન નંબર વન હોય. પણ એક વખત એક ખાદીધારી સાધુ જેવો લાગે એવો છોકરો જબલપુર કોલેજમાંથી આવ્યો અને બધાને લાગ્યું કે, આ છોકરો શું બોલશે પણ એ એવું બોલ્યો કે નિર્ણાયકો પણ દંગ રહી ગયા અને એ વખતે એને પહેલું પારિતોષિક મળ્યું. જે વિદ્યાર્થી સતત સતત ત્રણ પ્રથમ આવ્યો તેનું નામ રજનીશ હતું. આપણને આશ્ચર્ય થાય તેવું યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલરે કહ્યું. એમણે સાગર યુનિવર્સીટીના ફિલોસોફીનાં વડા એસ.એસ.રોયે એને કહ્યું કે, તમે આ છોકરો માસ્ટર્સ કરવાં આપણે ત્યાં આવે એવું ગોઠવો. સાથે હું કહી દઉં કે, સાગર યુનિવર્સીટી એ હરિસિંહજી ગૌડ નામનાં એક બહુ મોટા કંજૂસે શરુ કરી હતી. કંજૂસ એટલા માટે કે, એમણે એ સમયમાં before independence 100 કરોડ રૂપિયા ભેગા કર્યા હતાં. અને જીંદગીભર એણે 100 કરોડ માંથી એકેય પૈસો વાપર્યો જ નહીં. પણ છેલ્લા દિવસોમાં એમણે કીધું કે, આ 100 કરોડમાંથી એક એવી યુનિવર્સીટી બનાવો કે જગતમાં એનું નામ રહે. અને એ યુનિવર્સીટી બની એ સાગર યુનિવર્સીટી થઈ. અત્યારે એ સેન્ટ્રલ યુનિવર્સીટી છે. અદ્ભૂત યુનિવર્સીટી છે. બન્યું એવું કે, આખા ભારતમાંથી હરિસિંહજી ગૌડે 100 જેટલા અધ્યાપકોની નિમણુંક કરી લીધી અને તેઓને રહેવા બોલાવી લીધા. વિદ્યાર્થીઓ તો હતા નહીં. મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, છ મહિના પછી બધા અધ્યાપકો હરિસિંહજી પાસે ગયા કે, હવે અમે શું કરીએ? એકેય વિદ્યાર્થી તો છે નહીં !! એમણે સરસ જવાબ આપ્યો કે, તમે આટલા હોંશિયાર છો એટલે તમને ખાસ શોધી શોધીને બોલાવ્યા છે. તમને જોઈને વિદ્યાર્થીઓ આવશે. હવે પ્રયત્ન કરો તમે તમારી રીતે. ચિંતા ના કરો, બધાને પગાર મળશે. આ હરિસિંહજી ગૌડ પોતાની પાસે ઓછામાં ઓછા સાડા ત્રણ લાખ પુસ્તકોની લાઈબ્રેરી ધરાવતા હતા. આજે પણ તમે જો સાગર યુનિવર્સીટીમાં જાઓ તો એના નામની જુદી લાઈબ્રેરી છે, જે પોતે ડોનેટ કરેલી છે. Sagar university is considered to be the best library university in india. (મને આનંદ એ વાતનો છે કે, એ યુનિવર્સીટીમાં નેકનાં એક્રેડિટેશન ટીમમાં મેં મેંમ્બર સેક્રેટરી તરીકે કામ કરેલું અને મને ત્યાં નિરાંતે રહેવાનું મળ્યું.
આ સાગર યુનિવર્સીટીમાં હરિસિંહજી ગૌડે કહ્યું કે, પ્રોફેસર રોય, તમે પ્રયાસ કરો, આવતે વર્ષે આ છોકરો આવે તો એને રોકી લો, તમારે ઘરે ઉતારો, એને સમજાવો કે અહીં માસ્ટર્સ કરવા આવે જ આવે. એસ.એસ. રોય એક authority હતા. ફિલોસોફીનાં લોકો એને સુપ્રીમ કોર્ટ માનતા. રોય સામે કાંઈ બોલાય નહિ, રોય કહે તે ફાઇનલ. છતાં એને લાગ્યું કે વાત તો સાચી છે. આવો બ્રિલિયન્ટ છોકરો આપણે ત્યાં રહે. એટલે એમણે રજનીશને કીધું કે ભાઈ તું મારે ઘરે રહેજે. એટલે રજનીશે કહ્યું કે, મને ખબર છે કે કદાચ તમારે મને આ યુનિવર્સીટીમાં દાખલ કરાવવો છે એટલે તમારે ઘરે લઈ જાઓ છો. એણે કીધું કે, એવું નથી તો કહે એવું જ છે, મને દેખાય છે…Agree કર્યું, લઈ ગયા, પછી એણે કહ્યું કે, તું અહીં ભણવા આવ. આવતા વર્ષે માસ્ટર્સ કરવાં અહીંયા આવ. એટલે ઓશોએ કહ્યું કે, તમે મારા વિષે વાતો સાંભળી હશે. હું બહુ વિદ્રોહી માણસ છું. હું જ્યાં જાઉં છું ત્યાં લોકોને શાંત નથી રહેવા દેતો. તો જવાબ મળ્યો કે, મને ખબર છે બધી, છતાં તને બોલાવવો છે. તો કહે,… તો વાંધો નથી. એમણે આ સંવાદ દરમિયાન જાણ્યું કે, રોય સાહેબે પી.એચ.ડી. માં શેના પર વર્ક કર્યું ?? અને પ્રોફેસર રોય ચેતના અને ચૈતન્યનાં વિશ્વનાં બહુ મોટા સ્ટાર હતા..!! જયારે એણે જાણ્યું કે, આ મહાશય ચૈતન્યનાં બહુ મોટા ધુરંધર છે. ત્યારે રોય સાહેબે કહ્યું કે, હું તને મારી થીસીસ આપું, તું જોઈ જા. તરત જ જવાબ મળ્યો કે, શરત છે મારી, લઈ જાઉં પણ એમાં જ્યાં મને ભૂલ લાગશે ત્યાં હું લખીશ. શું ભૂલ છે એ પણ લખીશ અને શું સાચું છે એ પણ બાજુમાં લખીશ. એટલે તમે મને આપવાનું રહેવા દ્યો. તો કહે, ના લખજે, ચિંતા ના કર, પણ તું લઈ જા.આવી રીતે એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ને પોતાની યુનિવર્સીટીમાં આમંત્રણ આપીને રાખવામાં આવ્યા એ 1951 થી 56 સુધીનો પિરિયડ છે.
1956 થી 1970 સુધી રજનીશ ફરતાં રહ્યા, પ્રોફેસર રહ્યા. જાહેર પ્રવચનો એમણે શરુ કર્યા. જાહેર પ્રવચન શરુ કરાવનાર ગુજરાતનાં લોકો હતા. ગુજરાતનાં લોકો એટલે વેપારી માઇન્ડનાં હોય. એ એને મળવા ગયા કે, તમે બહુ સારા પ્રવચનો કરો છો, ગુજરાત આવો. અમે તમારા 10 દિવસ પ્રવચન ગોઠવીએ. તો ઓશોને થયું કે, પૈસાની તો જરૂર છે તો ચાલો જઈએ. એટલે 10 દસ દિવસ ગયા. અને બધા ગુજરાતનાં વેપારીઓએ કહ્યું કે રોજના અમે તમને દસ હજાર આપશું. તો કહે કાંઈ વાંધો નહિ. દસ દિવસ કે સાત દિવસ જાઉં તો તો 70 થી 1 લાખ મળે. ઘણું આટલું તો.. …પણ આવ્યા પછી એને ખબર પડી કે ભાઈ, આ ગુજરાતનાં લોકો છે. એટલે લોકોએ મને દસ હજાર આપ્યા છે અને પોતે તો લાખો બનાવ્યા છે. કારણ કે ટિકિટ સાથેનો પ્રોગ્રામ. એ એવા અલગારી હતા કે પૂછવાનું કારણ નોહ્તું કે શું છે. જઈને આંખો બંધ કરીને ‘આપકે અંદર બિરાજમાન પરમાત્મા કો મેં વંદન કરતા હું…’ કહીને શરુ કર્યું. અને છેલ્લે આ જ રીત એણે પૂરું કર્યું. પછી એને ખબર પડી કે જો ગુજરાતનાં લોકો મને બોલાવીને પૈસા રળી શકતા હોય તો હું પોતે જ પૈસા લઈને ભાષણ આપવાની શરૂઆત કરું તો શું વાંધો ? ત્યારથી એના માઈન્ડમાં Institutionalization of his life ની શરુઆત થઈ.
તમને આ વાત કદાચ કોઈ પુસ્તકમાં ન મળે તો એમના એક સહપાઠી છે એમણે પોતે એક મુલાકાત આપી છે. બહુ જ અદ્ભૂત મુલાકાત છે. સાંભળવા જેવી છે. એ પણ મોટા સાહિત્યકાર છે અને એ આ વાત કરે છે. how he started was this things.
… 1956 થી 70 સુધી રાયપુરની સંસ્કૃત યુનિવર્સીટીમાં રહ્યા પછી જબલપુરની યુનિવર્સીટીમાં ફિલોસોફી ભણાવ્યું, 1962માં એમણે ધ્યાન કેન્દ્ર પહેલું શરુ કર્યું અને એને ‘જીવન જાગૃતિ કેન્દ્ર’ એવું નામ આપ્યું. એણે એમ કહ્યું કે દુનિયામાં 112 ધ્યાનની વિધિઓ છે અત્યારનાં ધ્યાન કરનારા લોકો ધ્યાન શું છે તે સમજતા નથી. એટલે એનો વૈજ્ઞાનિક અભિગમ સમજાવવો એ મારું કામ છે. and he started like that… સરસ મજાની શરૂઆત થઈ 1964ના જૂનમાં રાણકપુર ધ્યાન શિબિરમાં અને એ ધ્યાન શિબિરે એને પાક્કે-પાક્કી રીતે યોગ અને ધ્યાન તરફ વાળી દીધા. ધ્યાનની પદ્ધતિ ઉપર એમણે જે પ્રવચનો આપ્યા એ પહેલી વખત રેકોર્ડ થયા. એ પહેલા એનું રેકોર્ડીંગ થતું નોહ્તું. અને એ રેકોર્ડ થયું પછી એનું તાત્કાલિક કામ પૂરું થયું પછી ‘સાધના પથ’ નામની પુસ્તિકા એ લોકો દ્વારા જ પબ્લિશ કરવામાં આવી.
રાણકપુરની શિબિર શા માટે માઈલસ્ટોન કહેવાય છે? એમણે ત્રણ સૂત્રો આપ્યા, અને એ સૂત્રો લોકોને બહુ સ્પર્શી ગયા.
સૂત્ર પહેલું : વર્તમાનમાં જીવવું,
સૂત્ર બીજું : સહજતાથી જીવવું અને
સૂત્ર ત્રીજું : એકલા જીવવું.
અને એમણે સમજાવ્યું કે એકલા જીવશો તો સહજતાથી જીવી શકશો. અને સહજતાથી જીવી શકશો તો વર્તમાનમાં જીવી શકશો. આ ત્રણ સૂત્રો ભારોભાર ચાલ્યા બજારમાં. 1966 માં એણે ‘જ્યોતિ શીખા’ ત્રિમાસિક શરુ કરાવ્યું. અને પોતે રજનીશ માંથી self acclaimed આચાર્ય રજનીશ બન્યા. ધ્યાનની વાત શરુ કરી એટલે લોકો ગુરુપદ ઝંખવા લાગ્યા. એટલે એણે પોતાની જાતને આચાર્ય રજનીશ કહેવાની શરૂઆત કરી. ઓશોના જીવનમાં બહુ સારું છે કે એમણે કોઈ કાંઈ કહે એની રાહ જોઈ જ નથી. પોતે જ ડિક્લેર કર્યું કે, હું કાલથી આચાર્ય રજનીશ. એવું પછી પણ બન્યું કે હવે કાલથી તમે બધા રોબ પહેરજો . પછી એણે કીધું કે, હવે બધા રોબ કાઢી નાખજો. એણે એક જગ્યાએ કહ્યું છે કે, ‘તમારું મૂલ્ય અન્ય કોઈ કરે એની રાહ જોવા રહેશો તો સાત ભવમાં વારો નહિ આવે’. (ક્રમશ)
by Bhadrayu Vachhrajani | May 18, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“તમારામાં અને મારામાં ફર્ક છે, કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો.”
આજથી આપણે સમાજ સામે અને સમાજ માટે જેમણે અનેક પ્રશ્નો ઊભા કર્યા અને એ પ્રશ્નો પોતાના કાળ દરમિયાન તેમણે ઉત્તરિત કર્યા એવા એક વિરલ વ્યક્તિત્વ વિશે વાત કરવી છે. એ હતા ત્યારે વિદ્રોહ જગવવા માટે ખ્યાત હતા અને નથી ત્યારે પણ એનો વિદ્રોહ શરુ છે. આવા “સદા કાળ ગુજરાત”ની જેમ સદા કાળ વિદ્રોહી જેને સૌ ઓશો કહીને ઓળખે છે. એ કહેતાં આનંદ થાય છે કે, હું તેર વર્ષની ઉંમરથી તેઓશ્રી સાથે સંકળાયેલો છું.
જાન્યુઆરી 1990 ની 19મી તારીખ તેઓની વિદાય, 35 વર્ષ જેમના ગયા પછી પણ તેમના વિશે વાત કરીએ છીએ ત્યારે ફિલ્મની જેમ મારે ફ્લેશબેકમાં જવું પડશે.
1990ની 19મી જાન્યુઆરી ની સાંજ,, લગભગ પાંચ કે સવા પાંચ વાગ્યાનો સમય. ઓશો બીમાર છે અને પથારીવશ છે. એની નજીકમાં ત્રણ કે ચાર જ લોકો બેઠા હતા. એમને તપાસનાર તબીબ નજીકમાં હતા અને એમના નાડીના ધબકારા ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે, તેને તેઓ માપી રહ્યા હતા. એક ક્ષણ આવી કે, જ્યારે એમ લાગ્યું કે હવે ઓશો વિદાય લેશે ત્યારે ઓશો જાગૃત અવસ્થામાં ડોક્ટરને પૂછે છે કે, ‘ઈઝ ઈટ ડેથ ??’ ડોક્ટરે હા પાડી અને ઓશોએ દેહ છોડી દીધો. જીવનને ઉત્સવ તરીકે ઉજવનારા આ વ્યક્તિવિશેષના આદેશ પ્રમાણે અને પહેલેથી કરી રાખેલ બધી જ તૈયારીઓ પ્રમાણે તેમના દેહને બુદ્ધહોલમાં લઈ આવવામાં આવ્યો અને ત્યાં ઓશો પ્રેમીઓએ બુદ્ધના આ પૃથ્વી ઉપરથી જવાનો ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ એટલે કલ્પના ન કરી શકીએ તેવો !! એમની યાદમાં છેક શ્મશાનગૃહ સુધી રંગો ઉડાડતા અને ખૂબ નાચતાં કુદતા અને આનંદ સાથે..
આવા વિરલ બુદ્ધપુરુષ ના જીવન વિષે આપણે વિગતે વાત કરીએ. જેમણે સ્કૂલ લાઈબ્રેરી આખે આખી સ્કૂલમાં વાંચી કાઢેલી ! સ્કૂલમાં હતા ત્યારે એના ઘરમાં 1000 થી વધુ પુસ્તકો હતા. આખા જીવન દરમિયાન એમણે કશું જ લખ્યું નહિ છતાં આજે પણ દર એકાંતરે એમના વિશે એક પુસ્તક વિશ્વમાં ક્યાંકને ક્યાંક બહાર પડે છે. સૌથી વધુ ભાષાઓમાં તે પુસ્તકોનો અનુવાદ થયો છે. જેમણે પોતાના જીવનકાળ દરમિયાન એક લાખ 50 હજારથી વધુ પુસ્તકો વાંચ્યા છે અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અન્ડરલાઇન કરી છે !! અને પહેલા પાના ઉપર પોતાની એક લાંબી વિચિત્ર લાગતી સિગ્નેચર કરી છે !! જે વ્યક્તિએ લગભગ લગભગ 480 જેટલા વિષયોને સ્પર્શ કર્યો છે અને જેમના માટે એમ કહેવાય કે, એમના વક્તવ્યો જ્યારથી રેકોર્ડ થવા લાગ્યા ત્યારથી લગભગ લગભગ સાડા ત્રણ હજાર કલાકનું એમના ઓડિયો અને દોઢ હજાર કલાક નો વિડીયો કલેક્શન આજે આપણી પાસે ઉપલબ્ધ છે !! આવી અકલ્પનીય વ્યક્તિ જ્યારે વિદાય લે ત્યારે આપણે લોકો 35 વર્ષે પણ જાણે ગઈકાલે જ વિદાય લીધી હોય એમ યાદ કરીએ છીએ.
ઓશોના સ્મરણ સાથે મારી વાતની શરૂઆત કરું. આપણે જરા ઝડપથી યાત્રા જોઈશું કારણ કે, લગભગ લગભગ સાત સમુંદર ભેગા કરો અને જેટલું થાય એટલા વિપુલ પ્રમાણમાં ઓશો જીવનની વાતો છે. એથી પ્રશ્ન એ છે કે કઈ વાતને સ્પર્શ કરવો અને કઈ વાત છોડી દેવી ? હું આપનું ધ્યાન દોરું કે “મુક્ત ગગનનું મસ્ત પંખી” પુસ્તક વિશે આજે વાત કરી રહ્યો છું એ પુસ્તક તેમણે લખ્યું નથી. એમના વિવિધ પ્રવચનના અંશોમાંથી ક્રોનોલોજીમાં ગોઠવવામાં આવ્યું અને આ પુસ્તક તૈયાર થયું. જેમ “સત્યના પ્રયોગો”માં ગાંધીજી નું આખું જીવન આવતું નથી, એમના શરૂઆતના કાર્યોની વાત આવી પણ જેને આપણે માઈલસ્ટોન કહીએ તેવી વાતો બાકી રહી ગઈ છે. તે જીવન વિષે ઘણાએ અલગથી લખ્યું છે. નારાયણ દેસાઈએ તો ચાર ભાગમાં “મારું જીવન એ જ મારી વાણી” માં ઘણું બધું આવરી લીધું છે. એ રીતે આ પુસ્તક જેને આપણે “મુક્ત ગગનનું મસ્ત પંખી” કહીએ છીએ કે જે “ઓટોબાયોગ્રાફી ઓફ સ્પિરિચ્યુઅલી ઈન કરેક્ટ મિસ્ટિક” પુસ્તકનું ગુજરાતી છે અને સ્વામી સત્ય પ્રકાશજીએ એનું ગુજરાતી કર્યું છે અને મા યોગ કુન્દને એનું પ્રકાશન કર્યું છે, આ પુસ્તક ખરેખર એવું છે કે તમે વાંચો ત્યારે ભોજનમાં એકેય કાંકરો આવે નહીં અને જે મજા આવે એવી મજા આવે છે. જો કે, એમની ફિલોસોફીને પણ જોડી છે પરિણામે જીવનની કેટલીક વાતો છૂટી ગઈ છે. પણ એક સરસ કામ એ કર્યું છે કે, એ પુસ્તકના છેલ્લા પાનાઓની અંદર એમનાં જીવનની આખી તવારીખ ક્રમબદ્ધ તરીકે ટૂંકમાં આવરી લીધેલ છે. એટલે ઓશોના જીવનને ‘એટ એ ગ્લાન્સ’ જો જાણવું હોય તો છેલ્લા પાનાઓમાંથી મળી રહે છે.
મારે જે વાત કરાવી છે તે માત્ર આ પુસ્તક આધારિત વાત નથી કરવી. ઓશોના પરમ સ્નેહી અને ઓશોએ જેમને દીક્ષા આપી અને જયારે ઓશોએ દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેમને આ કામ સોંપ્યું તે ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર અને જેમની જહેમતથી ગુજરાતમાં સુરતમાં ઓશો ચેરની સ્થાપના થઈ હતી કે જેમણે હમણાં થોડા સમય પહેલાં જ વિદાય લીધી અને જેને આપણે વસંત જોશી ના નામથી ઓળખીએ છીએ તે સ્વામી શ્રી સત્યવેદાંતજી સાથેનો મારો ગાઢ નાતો રહ્યો એટલે તેમના સાનિધ્યથી મને ઓશો જીવનની જવલ્લેજ જાણવા મળતી વાતો જાણવા મળી તે પણ થોડી હું અહીં આવરી લેવાનો છું.
આ પુસ્તકના પહેલા જ પાના પર ઓશોએ પોતાનો પરિચય વિશિષ્ટ શૈલીમાં આપ્યો છે. “હું તો માત્ર હું છું. ન કોઈ અવતાર છું કે ન કોઈ પયંગબર છું કે ન ઈશુ છું. એક સર્વ સામાન્ય માનવી, તમારા જેવો જ છે. પણ હા, તમારામાં અને મારામાં ફર્ક છે કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો અને જાગી જશો તો જ માનવાને બદલે જાણવાનું પસંદ કરશો. ઉતાવળ કરો, સમય ઓછો છે. માનો નહીં, જાનો ” ઘણી બધી વિચિત્ર ઘટનાઓ છે ઓશોના જીવનમાં, પણ આપણે એ વિચિત્રતાના પડદાને એક બાજુ મૂકીને વાત કરીશું.
ઓશો એક સુંદર મજાની વાત કરે છે,
ગજબકા નજારા હૈ ઇસ અજીબ સી દુનિયાકા
લોગ બટોરનેમેં લગે હૈ, ખાલી હાથ જાને કે લિયે!!
11મી ડિસેમ્બર 1931 થી 19 મી જાન્યુઆરી 1990… 59 વર્ષનું જીવન..પ્રમાણમાં ઘણું ઓછું કહેવાય એવું જીવન !! મધ્ય પ્રદેશનું કુચવાડા ગામ. મોસાળમાં જન્મ થયો છે. પિતા અને માતાએ બંને ત્યાં રહે છે. દાદાનું મહત્વ બહુ છે જીવનમાં અને દાદા જ્યારે મૃત્યુ પામે છે એ ઓશોને પહેલો ધક્કો લાગે છે. પાંચ વર્ષની એની બહેન કુસુમનું અવસાન થાય છે ત્યારે એને બીજો ધક્કો વાગે છે. અને પોતાના ચાહિતા નાનાબાપુ પાસે ઉછરે છે. નાની પાસે મુખ્ય..પોતે કહે છે કે, મારી નાની મારી સૌજન્યતાની એમ્બેસેડર હતી. સંન્યાસ લીધા પછી પણ એમણે નાનીને આપેલું વચન પાળ્યું. એમણે નાનીને કહેલું કે, તું મરી જઈશ ત્યારે ગમે ત્યાં હોઈશ પણ દોડીને હું આવી જઈશ, એ વચન એમણે પાળ્યું. કદાચ આપણે એક મૂલ્યાંકનકાર તરીકે કહેવું હોય તો ઓશો જે કાંઈ વિતંડાવાદી કહીએ કે દલીલબાજી કરનારા થયા હોય તો નાની લઈને થયા છે.નાનીએ નાનાની વિરુદ્ધમાં ઓશોને ચડાવેલ પણ છે !! નાના ધર્મમાં માનતા હતા અને નાની માનતા નહોતા..ધર્મમાં ન માનવાનો વારસો એમને નાની તરફથી મળેલો. એના ઘણા પ્રસંગો આપણી પાસે છે. ચંદ્રમોહન નામનો આ માણસ છેલ્લે જ્યારે વિદ્રોહી બન્યો ત્યારે ખરેખર એની જો કોઈના ઉપર આંગળી ચીંધવી હોય તો નાની ઉપર ચીંધી શકાય.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 11, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
‘દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’
જામનગરનું પવિત્ર સેવા સ્થાનક એટલે આણદાબાવા આશ્રમનું સ્થાનક. આ આણદાબાવા સ્થાનકનાં ગાદીપતી મહારાજ શ્રી દેવપ્રસાદજી, જેને સૌ પ્રેમથી ‘બાપુ’ કહે છે, તેમની સમક્ષ એક વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને એમનો ઉત્તર બાપુ વાળી રહ્યા છે તે વાત આપણે કરતા હતા.
પ્રશ્ન એવો હતો કે પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? શાસ્ત્રમાં તેની કોઈ પદ્ધતિ કે યુક્તિઓ બતાવી છે? આપણે ત્રણ યુક્તિઓ વિશે વિગતે વાત કરી છે. શાસ્ત્ર એક એવી યુક્તિ પણ બતાવે છે કે, ઘણીવાર આપણે આ વસ્તુમાં કઠિનતા અનુભવીએ, આપણે ફરિયાદ કરીએ છીએ. ભજન કરવું, મૌન રહેવું, પલાઠી મારીને બેસવું, બધું અઘરું લાગે છે, કઠિન લાગે છે. તેનું કારણ કે વ્યક્તિ પોતાને સંસારનો માને છે અને ભજન ભગવાનનું કરે છે. આથી ચિંતન ભગવાનનું થવાને બદલે સાંસ્કૃતિક વૃતિઓનું થાય છે એટલે બધું કઠિન લાગે છે. આપોઆપ સંસારનું ચિંતન થાય છે. ભગવાનનું ચિંતન કરવું પડે છે. છતાં ચિંતન કરવું પડે છે તેથી ચિંતન થતું નથી. જે કરવું પડે તે થાય નહિ. કારણ કે આપણે સંસારનાં થઈને ભગવાનના બનવા માંગીએ છીએ. ભગવાનના બનીને જ્યારે ભગવાનનું ચિંતન કરીએ ત્યારે કઠિનતા કોમળતામાં પરિવર્તિત થાય છે. હું કેવળ ભગવાનનો જ છું, અને ભગવાન જ મારા છે, આ શરીર સંસારનું નથી અને સંસાર મારામાં નથી, આ રીતે ભગવાન સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વયં થવા લાગશે. ચિંતન કરવું નહિ પડે. શાસ્ત્રે આ એક ચોથી યુક્તિ બતાવી છે.
શાસ્ત્ર બીજીપણ એક યુક્તિની વાત કરે છે. ધ્યાન, ભજન, માળા કરતી વખતે મનમાં કોઈ પણ કાર્ય ભરેલું રાખી જલ્દી-જલ્દી માળા અથવા તેનો ટાઈમ પૂરો કરવા માટે જ્યારે આપણે ઉપાસના કરીએ છીએ ત્યારે મનને ખાલી રાખવું જોઈએ. આપણને ઘણી વખત વિચાર આવે છે કે મારે આજે આ કામ કરવાનું છે, આ જગ્યાએ જવાનું છે, આ વ્યક્તિને મળવાનું છે, આ વ્યક્તિ આજે મને મળવા આવવાની છે, તેની સાથે આ વાત કરવાની છે, તે આવશે તો તેની સાથે શું વાત કરવી? આવા અનેક પ્રશ્નોથી આપણું મન ભરાયેલું હોય છે. કેટલો મોટો બોજ છે !! આવા કાર્યોની સ્મૃતિ ઈશ્વરમાં લિન થતાં આપણને અટકાવે છે. તે મનને લીન નથી થવા દેતી. શાસ્ત્ર કહે છે, આ બધા કાર્યોથી મનને દૂર રાખી, તેની વિસ્મૃતિ કરીને બેસવાથી પરમાત્મામાં ચિત્તને જોડી શકાય છે.
હનુમાન ચાલીસા માં શ્રી તુલસીદાસજી મહારાજ એક સરસ દુહો લખે છે. ”તુમ્હરે ભજન રામ કો ભાવે, જનમ જનમ કે દુઃખ બિસરાવૈ” તુલસીદાસજી મહારાજે વિસ્મૃતિ શબ્દને પ્રાધાન્ય આપ્યું છે. કારણ એટલા માટે કે સુખ–દુઃખ નાશ નથી પામતા, પરંતુ તેની વિસ્મૃતિ એ જ ઈશ્વર તરફ લઈ જવાની એક યુક્તિ છે. ભગવાનને મળવા માટેનું મોટામાં મોટું સુખ વિસ્મૃતિ છે. આથી વિસ્મૃતિ પણ એક યુક્તિ છે ભગવાન સાથે જોડાવાની.
એક ચિંતન એવું પણ છે કે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે ઘણા સંકલ્પો, વિકલ્પો મનમાં આવે છે તેનો એક જ રસ્તો તેને સ્વાહા કરી દેવા, તેની આહુતિ આપી દેવી. આ વાત કઠિન છે, પરંતુ સારી દાનતથી એ સંકલ્પનો વિકલ્પ શોધ્યા વગર તેને સ્વાહા કરવામાં આવે તો પણ મન સરળતાથી ભગવાનમાં યુક્ત થઈ શકે. શાસ્ત્રે એક યુક્તિ એવી પણ બતાવી છે કે, આપણે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે આપણી સામે જે ચિત્ર હોય તેની સામે જોઈને આંખોને થોડીવાર ઝડપથી પટપટાવી આંખો બંધ કરી દેવી, જેનાથી બહારનું દ્રશ્ય કપાઈ જવાથી અંદરના સંકલ્પો અને વિકલ્પો પણ કપાઈ જશે. અને ધીમે-ધીમે મન ભગવાનમાં એકત્ર થઈ જશે.
અમુક યુક્તિઓ એવી પણ છે જે આપણે રોજબરોજ કરીએ છીએ. જેમ કે, આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. જેમાં શાસ્ત્રએ બતાવ્યું કે, નાસિકા દ્વારા શ્વાસને બે-ત્રણ વખત જોરથી વારંવાર બહાર કાઢવા, સાદી ભાષામાં કહીએ તો ફુફાડા મારીને બને એટલો શ્વાસને બહાર રોકવાનો પ્રયત્ન કરવો. જેટલો સમય શ્વાસ બહાર રોકી શકાય. પછી ધીમે ધીમે સ્વાભાવિક શ્વાસ લેવાની સ્થિતિમાં આવવાથી મનમાં આવતા વિચારો, સંકલ્પો, વિકલ્પો, આપોઆપ દૂર થવાથી મન શાંત થશે. બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદ દાસજી યાદ કરીને એમ કહે છે કે, એક સાહિત્યકારે એવું કહ્યું કે ‘દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’ વિચારવાનું એ છે કે, દેવ અને દર્પણ બોલતા થાય તો આપણી શી પરિસ્થિતિ થાય?
જામનગરના શ્રી આણદાબાવા આશ્રમની અનેક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ દ્વારા આપણને આવા ચિંતનની ભેટ મળી છે.બાપુ વિષે અને શાંત જીવે સતત ચાલતી બાપુના આણદાબાવા આશ્રમની સેવા પ્રવૃતિઓ વિષે તો બહુ વિગતે લખી શકાય પણ મને લાગે છે કે, આપણે આ વર્ષમાં પ્રત્યક્ષ જામનગર જઈને પૂજ્ય બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદજીને અતિ પ્રવૃત નિહાળીએ તો આપણને ખ્યાલ આવશે કે, આ ગાદી પર પચાસ વર્ષોનું તેઓનું તપ કેટકેટલા ગરીબ દુખીયારાઓ માટે કરુણા બનીને વરસે છે. આપણે મહારાજ શ્રીના ચરણોમાં પ્રણામ કરીએ. તેઓના ગાદી પરના 50માં વર્ષને અને તેઓના જીવનના 75માં વર્ષે એવી પ્રાર્થના કરીએ કે આપની સેવા અસખ્ખલિત હો…
by Bhadrayu Vachhrajani | May 4, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
જામનગરમાં સેવા પ્રકલ્પોનું મોટું સ્થાનક એટલે શ્રી આણદાબાવા સંસ્થાન.
“એક દિવસ એક ભાઈ મારી પાસે આવ્યા. તેણે મને એક પ્રશ્ન પૂછ્યો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? મને તેની વાત બહુ ગમી ગઈ. તેના પ્રશ્નથી હું રાજી થયો. સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાંથી કંઈક ખામી દેખાઈ હશે જે મને પૂછવા માંગતા હશે. કારણ, એટલા માટે આપણને દોષ અને ખામી જલ્દી દેખાય છે પરંતુ આ માણસે બહુ સરસ અને જુદો પ્રશ્ન કર્યો. મેં એમની પાસે થોડો સમય માંગ્યો. જેના અનુસંધાનમાં જ મેં એમની સાથે ચર્ચા અને ચિંતન કરેલ તે વિચાર આપના સુધી શા માટે ના પહોંચે? પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના અનેક સાધનો શાસ્ત્ર એ બતાવ્યા છે.” મહંતશ્રી દેવપ્રસાદજી કહે છે.
જામનગરમાં સેવા પ્રકલ્પોનું એક આખું મોટું સ્થાનક છે. અને એ સ્થાનકને શ્રી આણદાબાવા સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ આણદાબાવા સંસ્થાનમાં હાલ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ બિરાજે છે. દેવપ્રસાદજી મહારાજને આ ગાદી ઉપર બિરાજે 50 વર્ષ થયા છે. અને મહારાજ જ ખુદ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છે. તેઓ હાલ 75મું વર્ષ જીવી રહ્યા છે. મહારાજના સેવા કાર્યોની વાત કરવા માટે તો બીજા દસેક મણકાઓ મારે તૈયાર કરવા પડે. પણ મહંત શ્રી કે જેને લોકો “બાપુ” કહે છે એમના આધ્યાત્મિક વિચારો સુધી પહોંચાડવાનું કામ હું સરળતાથી કરી શકું તેમ છું. શરૂઆતમાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ એમ કહે છે કે, સાધનો શાસ્ત્રોએ બહુ બતાવ્યા છે. અનેક યુક્તિઓ પણ બતાવી છે. જેમાં મહાભારત, રામાયણ, શ્રીમદ્દ ભાગવત અને શ્રીમદ્દ ભગવત ગીતા એ મુખ્ય છે.
આપણે યાદ રાખીએ કે, પેલા ભાઈએ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? ગ્રંથોમાં મનને પરમાત્મા સાથે જોડવાની અનેક યુક્તિઓ છે. પરંતુ અનંત જન્મોના સંસ્કાર મનમાં ઉંડે ઉંડે ધરબાયેલા હોવાથી તે જ્યાં સુધી નિવૃત ન થાય ત્યાં સુધી મન પરમાત્મા સાથે જોડાતું નથી. કારણ એટલા માટે મન જયારે જે વસ્તુ, ઘટના કે પરિસ્થિતિમાં ચાલ્યું જાય, એટલે કે તેનું ચિંતન કરવા લાગે ત્યારે તેનું ચિંતન જરૂર કરવું. પરંતુ ધીમે-ધીમે મનને ત્યાંથી હટાવી પોતાનું જે ધ્યેય પરમાત્માને મળવાનું છે એના તરફ પાછું વાળવું. આમ વારંવાર કરવાથી પાછા વળવાની આદત પડશે. બાપુ કહે છે કે, આ આદત પણ એક યુક્તિ છે.
બીજી યુક્તિ એ છે કે જ્યાં જ્યાં મન જાય તેને જવા દેવું. દાખલા તરીકે, તમારું મન ગંગાનદીમાં ગયું તો ગંગાજીને પરમાત્માનાં સ્વરૂપે જોવાની શરૂઆત કરી દ્યો. જે વસ્તુ કે વ્યક્તિમાં તમારું મન જાય એ વસ્તુ કે વ્યક્તિને પરમાત્મા સાથે એને જોડી દેવાનો પ્રયાસ એ એક બીજી યુક્તિ છે. ગંગાજીમાં કે ગાયમાં સત્તા રૂપે પરમાત્મા છે. કેમકે એમના પહેલા પરમાત્મા હતા, એ નહીં હોય ત્યારે પણ પરમાત્મા હશે. એમના રહેવા છતાં પરમાત્મા છે. આ રીતે મનને જોડવાની બીજી યુક્તિ થઈ.
અને ત્રીજી યુક્તિ પણ શાસ્ત્ર બતાવે છે કે, દરેક માણસની ફરિયાદ છે. આપણે જ્યારે ધ્યાન, ભજન, માળા કરવા બેસીએ ત્યારે મનને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે મનમાં જાતજાતની વાતો વચ્ચે-વચ્ચે આવવા લાગે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. બાપુ કહે છે કે, જ્યારે સાધકનો એટલે કે આપણો ઉદેશ્ય પરમાત્મા બની જાય ત્યારે ઈશ્વરનું ભજન જ હેતુ બની જાય ત્યારે ઈશ્વરને બેસવા માટે જગ્યા તો આપવી જ પડે. જ્યારે તમે ભજન કરવા બેસો ત્યારે તમારા મનમાં અનેક જન્મોના કુ સંસ્કારોરૂપી કચરો છે તે બહાર નીકળવા લાગે છે. આનો અર્થ એ થાય કે અંદરથી આપણે સાફ થઈ રહ્યા છીએ. તેને નીકળવા દેવાના. કારણ એટલા માટે કે આપણે જ્યારે સાંસારિક જે કાર્ય કરતા હોઈએ ત્યારે અંદર જામેલા કુ સંસ્કારોનાં કચરાને બહાર નીકળવાની તક મળતી હોતી નથી. સાધક જ્યારે શાંત, એકાંત થઈ ઈશ્વર તરફ મનને લગાવે છે ત્યારે આ કચરાને બહાર નીકળવા માટેની તક મળે છે. તે બહાર નીકળે તો તેને નીકળવા દેવું. પાણીની ટાંકી સાફ કરીએ પછી તેનું તળિયું ચોખ્ખું દેખાય. એમ ધીમે ધીમે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, દંભ, અહંકાર, મમતા, માયાનાં આ કચરાને કાઢ્યા પછી કેવી શાંતિ મળે છે એ જોવું. માટે તેની ચિંતા કર્યા વગર ઈશ્વર તરફની ગતિને ક્યારેય રોકવી નહીં. આ એક ત્રીજી યુક્તિ થઈ.
by Bhadrayu Vachhrajani | Apr 29, 2025 | અખંડ આનંદ |

સેવા, સમજ, સમાનતા, પડે. સંવેદનશીલતા, સંવાદિતા, સાલસતા, સરળતા… આમથી શરૂ થતા બધા જ હકરાત્મક શબ્દો જેના રુધિરમાં વહે છે તે પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન એટલે શ્રી ગફુરભાઈ બિલખિયા. એમને પોતાના વિશે વાત કરવાનો બહુ સંકોચ પણ મારી સાથે પ્રેમનો નાતો એટલે મને નકારી ન શક્યા. અમે તો પહોંચ્યા તેમની વાપીસ્થિત હવેલી પર અને માંડ્યો સંવાદ.
“મારાં મા છે, એ દામનગરનાં હતાં. દામનગર એટલે ગાયકવાડ સરકારનું ગામ, અમરેલી જિલ્લાનું ને ત્યાં ગાયકવાડને કારણે છોકરીઓની સ્કૂલ હતી. હરિજનની પણ સ્કૂલ હતી અને કેળવણી માટે ગાયકવાડ સ૨કારે ઘણી બધી મહેનત કરેલી. મારાં માતા છ ધોરણ સુધી ત્યાં ભણેલાં. મારા ગામનો ગરાસદાર પણ ભણેલો નહોતો. એટલે કોઈ કાગળ આવે તો મારી બા પાસે એ વંચાવવા આવતા. ને મારી બા એને વાંચી દેતી હતી. ત્યાં એવો નિયમ હતો ગામના ગરાસદારનો કે વહુએ ગરાસદારનું એક માણું દળણું (અનાજ) દળી દેવું પડે. એને વેઠ કહેવાય. એક માણું એટલે પાંચ કિલો દર મહિને દળી દેવું પડે. એનો હાય તો મૂકી જાય અને પાછો લઈ જાય. હવે મારી મા ભણેલી હતી અને કાગળ વાંચી દેતી હતી એટલે મારી માની વેઠ બંધ. મારા ઘરમાં ને મારાં સગાંવહાલાં બધાને એવું થયું કે ભણે એને વેઠ નહીં કરવાની. ભણેલા ન હોય, અભણ હોય એણે વેઠ કરવી પડે.
હું પંદર વર્ષનો ને મારું વેવિશાળ કરેલું. લગનમાં અમે દસ જ જણા ગયા હતા. મારા સસરા લોકોનું કુટુંબ બહુ મોટું. અને એ લોકો પૈસાદાર પણ ખરા. મારા ઘરડા સસરા કાસમદાદા બહુ સારા લોકો. મેં કીધું, હું શેરો નહીં બાંધું, હું ઘોડે નહીં બેસું, હું ખાદીની ટોપી અને ફાળકી સૂતરની અને ચપ્પલ પહેરીને હું આવીશ અને હું ચાલતો ચાલતો આવીશ. તો પેલો ડોસો કહે કે, એ કહે તે કરવા દે ને, જે કરવું હોય એમાં શું વાંધો છે આપણને. પછી મારા નિકાહ થયા. પછી વળાવે બીજે દિવસે કન્યાને અને છેડાછેડી બાંધવાનો રિવાજ હિન્દુ જેવો જ હતો. હું કન્યાની પાછળ છેડાછેડીને કારણે એટલે બધી બાઈ ઓરડે, તો હું પણ રડવા લાગ્યો. મારી કાકીજી બહુ હોશિયાર હતી. એ કહે, તું શું કામ રડે છે ? મેં કીધું, તમે રડો એટલે હું રહું છું. હું પહેલેથી કોઈક કન્યાને વળાવી ન શકતો. એ રડે એ મને ગમે નહીં. મારી દીકરીને હું કહું કે જો તમે હસતા હસતા જાઓ તો હું આવું. તમારે રડવાનું નહીં, જો હીબકો ભર્યો તો પછી મારાથી છૂટી જશે એટલે મને બહુ રડવું આવી જતું.
અમે ઘરે આવી ગયા પછી ત્યાં બાઈઓ બેસવા બોલાવે કે અમારે ઘરે ચાલો. બીજે દિવસે બે ત્રણ બાઈઓ પાણી ભરીને આવતી હતી, એ કહે, આ ક્યાંથી લઈ આવ્યા છો તમે ? કંઈ ખાય નહીં, કંઈ પીવે નહીં, કંઈ એને પગ દાબતાં આવડે નહીં. કંઈ નથી તારી વધુમાં. હા, છે રૂપાળી. પણ ખાય-પીવે નહીં. મેં ઘરે આવીને પૂછ્યું કે, અહીંયાં આપણે ત્યાં તો રિવાજ છે, તો કહે, ‘હું તો હિંદુના ઘરનું ખાતી નથી.’ તો કહે, મેં કહ્યું કે, જો એમને ઘરેથી છાશ લઈ આવીએ અને એની કઢી બનાવીએ તે બાજરાના રોટલા સાથે ખાઈ શકીએ છીએ, બોલો તો એનું મારે શું કરવું ? મને કહે, આપણે દૂધ ખાઈશું. મેં કીધું દૂધ લેવાના પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે, એટલે મુશ્કેલી બહુ પડશે. તો કહે, ના હું બધું વેઠીશ. લૂખો રોટલો ખાઈશ, તમે મૂંઝાશો નહીં. વાત સાંભળીને મને પહેલાં તો બહુ મોટો આંચકો લાગેલો પણ એણે એમ કીધું ને કે, હું લૂખો રોટલો ખાઈને પણ જીવીશ, તમે મૂંઝાતા નહીં, એમને બહુ ગમ્યું. જોકે ભદ્રાયુભાઈ, આજે તો અમારા ઘરમાં હિન્દુની બે દીકરીઓ વહુઓ થઈને આવી છે ને સૌ એકમેકનાં થઈને રહે છે.”
પોતે હજ પઢવા જાય તો હજ પઢીને બહાર આવે ને મને ફોન કરે. કહે, “ભાઈ, આજે અલ્લાહ્વાલા પાસે આજે હજ પઢતી વખતે આપના માટે દુઆ માંગી છે, તે થયું કે આપને અહીંથી જ સલામ પાઠવી દઉં.”
**
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ
by Bhadrayu Vachhrajani | Apr 29, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
“આપે એક ટીમ એવી કેમ ન તૈયાર કરી કે જે આપના ગયા પછી પણ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને મળે !!”
અહીં આપણે શ્રી ભીખુદાનભાઈ ગઢવીની નિવૃત્તિના કારણોની નોંધ લીધી તે પછી નિવૃત્તિ વિષે ઘણા બધા મિત્રોના પ્રતિભાવો અને સૂચનો મળ્યા. સૌનો સ્વીકાર કરીને એટલું તારણ નીકળ્યું કે, ભીખુદાનભાઈ જેવા સિદ્ધહસ્ત કલાકારને ગોઠે કે કોળે એવું હવે વાતાવરણ રહ્યું નથી. રૂપિયા ઉછાળીને પોતાનું ધનપ્રદર્શન વધ્યું છે અને લોકસાહિત્યની પ્રસ્તુતિનું સ્તર નીચું આવ્યું છે. ભીખુદાનભાઈ જેવો અનાસક્તિયોગ તો કોઈક વીરલાને જ પ્રાપ્ત થાય. બાકી તો, પ્રિય મોરારીબાપુ કહે છે કે, ઘણા લોકો તો હોદ્દા ઉપર કુંડલિની જેમ પલાંઠી મારીને બેસી જાય છે.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, વ્યવસાયની અંદર નિવૃત્તિની વય મર્યાદા હોય છે. કારણ માનવામાં આવે છે કે, અમુક ઉંમર પછી કોઈપણ વ્યક્તિએ શારીરિક નિયત ક્રમમાંથી મુક્તિ મેળવવી જોઈએ અને પોતાના સમયને પોતાના માટે ઉપયોગમાં લેવો જોઈએ. સરકારી નોકરીઓ કે અન્ય વ્યવસાયમાં આવું બનતું હોય છે, બીજે ક્યાંય આવું જોવા મળતું નથી.
એક નાનકડું ઉદાહરણ આપું. કોઈ એક વ્યક્તિએ શિક્ષક અંગેનું ભણતર કર્યું. એ કોઈ જગ્યાએ શિક્ષક તરીકે રહ્યા. બહુ સુંદર રીતે એમણે કામ કર્યું પછી આચાર્ય રહ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એને ટ્રસ્ટમાં રાખ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એમની જીજીવિશા એવી થવા લાગી કે, હવે આ ટ્રસ્ટના સર્વેસર્વા તરીકે હું રહું, પરંતુ એમને એ યાદ નથી રહેતું કે, એમની ઉંમર પણ સાથોસાથ વધતી જ રહી છે. વધતી ઉંમર સાથે એમના કૌશલ્યોમાં ઓટ આવવા લાગી, નિર્ણયો લેવામાં શિથિલતા આવવા લાગી, નવી વાતો સ્વીકારવા તરફ અણગમો આવતો ગયો પરંતુ એમને એવો વિચાર ન આવ્યો કે, મારી હાજરી હવે કેટલાક અનિષ્ટોને સ્થાન આપી રહી છે, મારી હાજરીમાં મને ખુદને કિનારે કરવામાં આવી રહ્યો છું., તો તો તો મારે હવે ક્ષેત્ર સંન્યાસ લેવો જોઈએ. આવો વિચાર ન કરનાર લોકો ઘણા વ્યવસાયમાં છે પણ ખાસ કરીને તખ્તા ઉપર અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક છે.
કેટલાક લોકોની નારાજગી વ્હોરીને કહેવા જેવું કહેવાનું હું તો પસંદ કરતો જ હોઉં છું, એટલે કહું કે, મહાત્મા ગાંધીએ સ્થાપેલી અથવા તેમની હુંફથી સ્થપાયેલી અનેક સંસ્થાઓમાં ગાંધીજીના ગયા પછી 70-75 વર્ષે એ પણ ગાંધીની સુવાસ ન જળવાતી હોય તો પણ એ હોદ્દાપ્રેમી ‘ટ્રસ્ટી’ તરીકે કે ‘ટ્રસ્ટના પ્રમુખ’ તરીકે કે ‘શિક્ષણના સંવાહક’ તરીકે કોઈ જુવાનને હવાલો સોંપવાની તત્પરતા નથી જ દાખવતા. પરિણામે ગાંધી સંસ્થાઓ કે જે એક સમયની ખૂબ સારું પ્રદાન કરતી સંસ્થાઓ હતી તે આપણને ભાંગતી દેખાય છે. બને છે એવું કે કદાચ આવા હોદ્દા ઉપર બેઠેલા માણસોને ભૂતકાળની સારી-સારી વાતો સાંભળીને પાનો ચડે છે. અને એક રીતે જોઈએ તો અંદર રાજીપો પણ થાય છે કે, ‘હું અથવા અમે હતા ત્યારે કેવું સારું હતું અને હવે કેવું બગડી ગયું છે.!!’ આનો એ હોદ્દાપ્રેમીઓ આત્મસંતોષ લેતા હોય એવું બને છે.
ગુજરાતની એક બહુ જ પ્રતિષ્ઠિત શિક્ષણ કોલેજમાં એક બહુ જ નામી અને સિદ્ધહસ્ત બહુશ્રુત એવા વિદ્વાન આચાર્ય શ્રી પાસે મને ભણવાનો મોકો મળ્યો છે. પરંતુ તેઓની નિવૃત્તિ પછી તેઓએ એ સંસ્થાને ભાંગતી જોઈ ત્યારે એક પ્રકારનો છૂપો રાજીપો અનુભવતા મેં તેઓને જોયા છે. હું એનો સાક્ષી બન્યો હોઉં એવું બન્યું છે. એમનાથી બોલાઈ જાય કે, ‘તમને તો ખ્યાલ છે, આપણે હતા ત્યારે કેવું બધું સરસ ચાલતું હતું અને હવે બધું પડી ને પાધર થઈ ગયું.’ આમ બોલે ત્યારે એક પ્રકારનો આત્મ સંતોષ કે આનંદ એમના ચહેરા ઉપર આપણને સ્પષ્ટ દેખાય. મારા જેવા ઊંડું વિચારતા માણસને એક સહજ પ્રશ્ન થાય કે, ‘આપ હતા ત્યારે કેમ એવી એક ટીમ તૈયાર ન કરી કે આપના ગયા પછી પણ એ ટીમ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને અર્પણ કરે.?’
ભારત દેશમાં હોદ્દા કે પદ ઉપર ચોંટી રહેવાનું ચેપી વાયરસ વ્યાપક બની રહ્યું છે. રાજકારણની અંદર પણ કોઈ પક્ષે 75 વર્ષ મર્યાદા ડિક્લેર કર્યા પછી એનો ઉપયોગ કેટલાક લોકોને ખસેડવામાં કર્યો, પણ પોતે અક્રમણતા આવી હોવા છતાં પોતે ખસી જવાનું વિચાર્તા નથી જ નથી. આ બધી પરિસ્થિતિમાં ગુજરાતની અંદર ગુજરાતની બહાર જ્યાં-જ્યાં ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ છે ત્યાં-ત્યાં આજની હાલત ખૂબ ખરાબ છે. હા, જૂની કાંખ ધોડી જેવી વાતોને ભેગી લઈને, ટેકો લઈને આજના એ વયોવૃદ્ધ સંવાહકો એક પ્રકારનું અભિમાન લે છે, પરંતુ એની ઉપસ્થિતિમાં તેઓ જોવે છે કે, પોતાના જીવનનું ઘડતર કરનાર આ સંસ્થા મૃત:પ્રાય થઈ રહી છે, એના મૂલ્યો ઘસાઈ રહ્યા છે, એમાં સંવાદિતાના સૂર તૂટી રહ્યા છે, તો પણ તેઓ નિવૃત્તિ લેવાનું નામ લેતા જ નથી. ઘણા લોકો એવું કારણ વચ્ચે આપે છે કે, ‘અમારું તો જીવન જ આ છે, અહીંયા જ રહ્યા છીએ, અહીંયા જ મોટા થયા છે, અમારું તો જીવન જ આ છે.’ કેટલાક કિસ્સા એવા પણ જોયા છે કે, જેમાં એ મુખ્ય સંવાહક પેરેલીટીક થઈ ગયા હોય, પોતે સહી ન કરી શકતા હોય, એમની સાથે રહેનારાઓ સહીનો દુરુપયોગ કરતા હોય, છતાં એ પોતાની ઈચ્છા થી જગ્યા છોડી દે અને જે મળ્યું તેનો આભાર માને, એવો નાનકડો વિચાર પણ તેઓને આવતો નથી !!
આ જાહેર પ્રકાશિત લેખ હોવાથી એમાં હું કોઈ નામનો ઉલ્લેખ કરીને વિવાદ સર્જવા માંગતો નથી, પણ ગુજરાતની અંદર આવી અનેક સંસ્થાઓ હું ગણાવી શકું એમ છું અને તેની સાથેના મારા અનુભવો પણ સૌ સાથે વહેંચી શકું એમ છું. આ લખું છું ત્યારે વયોવૃદ્ધ સંવાહકો પ્રત્યે કોઈ દ્વેષ નથી જ નથી. મારા મનમાં પણ મને એક સહજ પ્રશ્ન થયા કરે છે કે પોતાની સંસ્થા પોતે જેને સીંચી છે એ સંસ્થા પછીની પેઢી સહજતાથી સ્વીકારે અને અત્યાર સુધીના ચાલ્યા આવતા મૂલ્યોમાં સમય પ્રમાણેના પરિવર્તન કરે અને એને નવો ઘાટ આપે એની સામે શો વાંધો હશે? શું નડતું હશે એમને? આપણને ખ્યાલ છે કે ભારતના રાજકારણમાં ‘માર્ગદર્શક મંડળ’ એવો એક શબ્દ પ્રયોગ ચાલ્યો. અલબત્ત એનો ઉદ્દેશ તો રસ્તામાં નડતી વ્યક્તિઓને માર્ગદર્શક કહીને એક બાજુ બેસાડી દેવાનો ઇરાદો હતો. પણ સરકારશ્રીએ પણ નિવૃત્ત લોકોને તેમની જે-જે કોઈ ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિ છે તેને પછીની પેઢીમાં ઉતારવા માટે આવા જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ લોકોનો ઉપયોગ કરવો જોઈએ અને એમ કરતા-કરતા દેશની સંસ્થાઓને ક્રમશઃ વિકસિત કરતી જવી જોઈએ. ગાંધીજીની પાછળની જેટલી વ્યક્તિઓ છે એ ભૂલી ગયા છે કે, ગાંધીએ ખુદે પોતાના કાર્યકાળ દરમિયાન નિવૃત્તિ લઈ લીધી હતી. તે ત્યાં સુધી કે, સ્વતંત્રતા મેળવવાનું કાર્ય સંપન્ન થયું ત્યારે કહેલું કે, હવે આપણે કોંગ્રેસ પણ વિખેરી નાખીએ !! આવું કહેનાર એકમાત્ર મહાત્મા ગાંધી હતા પરંતુ એમના નામે ગાંધી બની બેઠેલા કોઈનું નામ જડતું નથી. આજે ભલે આપણને મહાત્મા ક્યાંક-ક્યાંક ખૂંચ્યા કરે છે, પણ એ કહેતાં મને આનંદ થાય છે કે, ગાંધીજીના આવા બોલ્ડ નિર્ણય જેવો નિર્ણય કોઈ વડીલ ગાંધીયન અત્યારે લઈ બતાવે તો આપણે એના પગમાં પડવા તૈયાર છીએ.
by Bhadrayu Vachhrajani | Apr 20, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘શ્રદ્ધા રાખી શકાય’ એવું ન બને, પણ ‘શ્રદ્ધા બેસે’, એવું બને.
‘જય મહારાજ’નાં નારા સાથે નડિયાદના સંતરામ મંદિરમાં શ્રી મોરારીબાપુની રામકથા ‘માનસ યોગીરાજ’ નું સુંદર રીતે આયોજન થયું અને તેમાં પૂરો સમય હાજર રહેવા માટે અનુકૂળતા ઈશ્વરે કરી તે બદલ રાજીપો અનુભવતો હતો, એ દરમિયાન જાણવા મળ્યું કે, નડિયાદ થી ડાકોર ખૂબ નજીક છે અને અડધી કલાકમાં તમે જઈને બીજો એક કલાકમાં પાછા ફરી શકો તેમ છો. સાચું પૂછો તો ત્યાંની વિગતો બહુ ખબર નોહતી.
ડાકોર એક વાર ગયેલા છીએ. સુરતના નાટ્યકર્મી અધ્યાપક વિજય સેવક અને તેમના પત્ની સાથે અમે બંને મુલાકાતે ગયેલા ત્યારે ડાકોરજીમાં દર્શન કરેલા. પરંતુ ઘણા વર્ષો પછી ફરી એકવાર ડાકોર જવાનો લ્હાવો મળ્યો. દર્શન થાય, સારી રીતે થાય, કે ધક્કા-મુક્કીથી થાય એ બાબતને ક્યારેય જિંદગીમાં બહુ મહત્વ આપી શકાય એવું નથી. માન્યતા મનની એવી ઘડાઈ ગઈ છે કે, આપણે ત્યાં પહોંચી ગયા એટલે ઈશ્વરે આપણે આવ્યાની નોંધ લઈ લીધી. પછી વચેટિયાઓને પૈસા આપીને ગર્ભગૃહ સુધી પહોંચી જવું અથવા તો આગળના લોકોને હડફેટે ચડાવીને પણ ભગવાન સામે જઈને ઊભા રહીને આનંદ માણવો, એવું ક્યારેય જીવમાં ઊતર્યું નથી. પરિણામે સહયાત્રીઓ સાથે ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ બહુ કહ્યું કે, “ઝડપથી આવો દર્શન બંધ થઈ રહ્યા છે.” સાંજે છ વાગે દર્શન બંધ થયાં એ દરમિયાનમાં અમે ડાકોરના રણછોડરાયજીને ત્રણેક મિનિટ જોયા અને હાથ જોડી શીશ નમાવ્યું. પણ તરત જ મંદિરની પડદાપ્રથા આવી ગઈ એટલે થોડુંક મનમાં એવું રહ્યું કે, આપણે આવ્યા અને રણછોડરાયજીએ પડદો પાડી લીધો !! .
અમારા સાથી મિત્રોએ એમ કહ્યું કે, હવે તો દર્શન 7:00 વાગે ખુલશે. આપણે એક કલાક બેસીને શું કરીશું? એટલે સહજતાથી કહેવાયું કે, સામાન્ય રીતે એમ કહેવાય છે કે, મંદિરે જાઓ તો દર્શન કર્યા પછી ત્યાં થોડીવાર બેસવું, એટલે મેં સૂચવ્યું કે આપણે ક્યાં કંઈ કામ છે? કથાનો આજનો દિવસ તો પૂર્ણ થયો છે, તો નિરાંતે બેસીએ. 15-20 મિનીટ પછી ઉભા થઈને પાછા ફરીશું. બેઠાં એક સ્થળે અને વાતો કરતા હતા, ફોટોગ્રાફ લેતા હતા, મંદિર વિશે કોઈ પાસેથી માહિતી મેળવતા હતા તે દરમિયાન દૂરથી કોઈ એક ભાઈ મને જોઈ રહ્યા હતા, તેવું મને લાગ્યું. અને થોડીવાર પછી એમણે મારી સામે ઉપસ્થિત થઈને મને પૂછ્યું કે, તમે ભદ્રાયુભાઈ છો? મેં કીધું હા, તો મને કહે, મને ઓળખો છો?..થોડું વિચારીને મેં કીધું કે, ચહેરો જાણીતો લાગે છે, પણ બહુ ઓળખાણ તાજી થતી નથી. એટલે એમણે તરત જ એવી ઓળખાણની યાદ અપાવી કે મગજમાં વર્ષો પહેલાના એક વિદેશ પ્રવાસનું આખું દૃશ્ય છવાઈ ગયું. જોગાનુજોગ એ વિદેશ પ્રવાસ પણ પ્રિય શ્રી મોરારી બાપુની કથામાં ઉપસ્થિત રહેવા માટેનો હતો !! દક્ષિણ આફ્રિકાના દેશમાં કોઈ કથા દરમિયાન સંતરામ મંદિરના છ સંતો પણ ઉપસ્થિત હતા. આમ તો , સંતરામ મંદિરના સંતો દરિયો પાર ન કરે એવો તેમને ગુરુ આદેશ છે. પણ એ સમયે શ્રી મોરારીબાપુએ જઈને ગાદીપતિ શ્રી રામદાસજી મહારાજ પાસે વિનંતી કરેલી કે આ ધર્મકાર્ય માટે સંતોને મોકલો અને છ સંતોને રામદાસજી મહારાજે મોકલ્યા ને એ સમયે એમની સાથે ડાકોરના રણછોડરાયજી મંદિરના મુખ્ય પૂજારી શ્રી સતિષભાઈ સેવક પણ હતા. મારી સામે ઉભેલા, જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલા એ સતિષભાઈને ઓળખવામાં મને એટલે વાર લાગી કે, મારી અપેક્ષા એવી હતી કે તેઓ પૂજારી અથવા મુખ્યાજી તરીકે વૈષ્ણવ પહેરવેશમાં જોવા મળશે.
યાદ આવ્યું ઘણું બધું અને તરત જ કહ્યું, ઓહો આપણે તો નવ દિવસ સાથે રહ્યા છીએ અને કથા પણ માણી છે અને દક્ષિણ આફ્રિકાની પ્રકૃતિના દર્શન પણ કર્યા છે. તરત જ તેઓએ ખુલાસો કર્યો કે, મારી અહીંની ડ્યુટી છ વાગે પૂર્ણ થાય, મને હૃદયની તકલીફ થઈ એટલે સ્ટેન્ટ મુકવા પડ્યા છે, એટલે હું છ વાગે ઘરે જઈ સ્નાન કરી અને પછી સાદા કપડા પહેરીને અહીંયા રોજ ચાલવા નીકળું છું. એ પ્રમાણે આજે નીકળ્યો ત્યારે મને લાગ્યું દૂરથી કે આ ભદ્રાયુભાઈને હું બરાબર ઓળખું છું એટલે હું તમારી પાસે આવ્યો.
જે ડાકોરના રણછોડરાયજીના દર્શન અમે અતૃપ્તિથી કરેલા એ ડાકોરના રણછોડરાયજી મહારાજના મંદિરના મુખ્ય પૂજારી આપણને સામેથી આવીને મળ્યા હતા. એનો સંદર્ભ પણ એક પવિત્ર કથાનો હતો. અને એમણે પૂછ્યું કે, તમે દર્શન કર્યા? એટલે મેં સ્વભાવ પ્રમાણે કહ્યું કે, અમે રણછોડરાયજીને જોયા છે પણ પ્રભુજીએ અમને જોયા નથી. કારણ કે ઉતાવળે અમે દર્શન કરી લીધા છે. તરત જ એમણે કહ્યું કે, હવે સાત વાગ્યે દર્શન ખુલશે, પણ તમે ચિંતા ન કરો, હું તમને નજીકથી દર્શન કરાવીશ. દરમ્યાનમાં આજુબાજુના જે કોઈ પ્રતિકો છે, બહુ મોટું ત્રાજવું છે, ગુરુગાદી છે એ બધાની રસપ્રદ કહાની અને રણછોડરાયજી નામ કેવી રીતે પડ્યું, ભગવાન શ્રીકૃષ્ણ એક રાત માટે અહીંયા કેવી રીતે આવ્યા તે બધો રસપ્રદ ઈતિહાસ સેવકજીએ અમને વિગતે સમજાવ્યો. સતિષભાઈ ન આવ્યા હોત તો આ બાબતો જાણવાની બાકી રહી જાત ! અને લગભગ પોણા સાત થયા અને એમણે અમને આગળના ભાગમાં પોતાના મુખ્ય પૂજારીપણાના પ્રભાવને ધ્યાનમાં લઈને ગોઠવી દીધા. બરાબર રણછોડરાયજીની સામે અમે આવ્યા અને તેમણે કહ્યું કે પડદો ખુલશે એટલે તરત જ તમને દર્શન થશે. તમે અહીં ને અહીં રહેજો. અમે એ ક્ષણની રાહ જોતા હતા અને ખરેખર એવું બન્યું કે, અમે રણછોડરાયજીના દર્શન બહુ જ નિરાંતે કરી શક્યા ઠાકોરજીની નજર અમારા ઉપર પડી, એમ લાગ્યું કે હવે બંને બાજુએ પ્રણામ પહોંચી ચૂક્યા છે ત્યારે સતિષભાઈ સાથે આખા મંદિરમાં છપ્પનભોગ રોજ કેમ ધરાવાય છે, છપ્પનભોગ ક્યાં બને છે, એક એવી બેઠક કે જ્યાં દુનિયાનો શ્રેષ્ઠ વીઆઈપી આવે તો પણ બેસીને ફોટો પડાવે એ બેઠક ઉપર પહોંચ્યા અને ત્યાં પ્રસાદ લીધો. થોડીવાર થઈ ત્યાં છપ્પનભોગનો પ્રસાદ પણ તેમણે અમને આપ્યો અને બહુ જ આનંદથી અમે રણછોડરાયજીના દર્શન કરીને પાછા ફર્યા.
આ એક ઘટનાનું વર્ણન છે. પણ અમે કથામાં હતા અને બાકીના ત્રણ સાથીઓ મહુવાના પ્રોફેસર મનોજ જોશી અને તેમના ધર્મપત્ની અસ્મિતાબેન અને અમદાવાદની યુવાન સંપાદક અને અનુવાદક છાયા ત્રિવેદી અમારી સાથે હતા. આવતી વખતે અમે શ્રદ્ધા અને ભરોસો એ શબ્દ ઉપર ચર્ચા કરતા હતા. મારી માન્યતા એવી હતી કે, શ્રદ્ધા રાખી શકાય એવું ન બને, પણ શ્રદ્ધા બેસે એવું બને. આપણે રાખીએ ત્યારે એ શ્રદ્ધા હોય એવું જરૂરી નહીં, પણ આપણા મનની એક ઈચ્છા હોય, એને કોઈ અચાનક પરિપૂર્ણ કરી આપે તો એ શ્રદ્ધાનો વિષય છે. આમ કેવી રીતે બને એની ખુબ સરસ ચર્ચા અમે કરતાં કરતાં પહોંચ્યા હતા અને મંદિરમાં બેસીને પણ એ જ વાત કરતા હતા. ત્યાં અમારી સમક્ષ અચાનક અમે જ્યારે મંદિર છોડીને નીકળી જવાના હતા ત્યાં મુખ્ય પૂજારી પ્રગટ થયા. જેણે પોતે સામેથી વર્ષો પછી લગભગ-લગભગ દશેક વર્ષ પછી મળ્યા છતાં પોતે ઓળખી કાઢ્યા અને પછી અમને ડાકોરનાથના દર્શન ખૂબ નજીકથી કરાવ્યા. અમે પાછા ફરતી વખતે ફરી એકવાર ગાડીમાં જૂની ચર્ચા શરૂ કરી ત્યારે મેં કહ્યું, કે આજે જે ઘટના બની છે એને હું શ્રદ્ધા ગણું છું, એને હું શ્રદ્ધાનો પુરાવો ગણું છું. મનની અંદર એક નાનકડી ઈચ્છા પણ થાય અને પછી એ ઈચ્છા માટે આપણે દુરાગ્રહિત ન રહીએ તેમ છતાં કોઈ એવું પરમ તત્વ છે કે જે આપણી નાનામાં નાની ઈચ્છાને સમજી જાય અને એ સમજને ધ્યાનમાં લઈને આપણી નાની ઈચ્છાને પરિપૂર્ણ કરાવી આપે એ શ્રદ્ધાનો વિષય છે. રણછોડરાયજી તો દર્શનને પાત્ર, દર્શન પરમપવિત્ર પણ એમણે જે વ્યક્તિને મોકલી કે જે વ્યક્તિને આપણે સીધા ઓળખતા નોહ્તા એમણે સામેથી ઓળખાણ કરી એ પરિસ્થિતિમાં જે જવાબ આપણને અસ્તિત્વએ આપ્યો એ આપણી શ્રદ્ધા છે. શ્રદ્ધા માટે થઈને આપણે કોઈને ધક્કા-ધક્કી કરવાની જરૂર નથી, આપણે વચ્ચેના માણસોને પૈસા આપીને આગળ પહોંચી જવાની જરૂર નથી, જ્યાં જે જગ્યા મળી છે તે ઉત્તમ છે. ઈશ્વરની ઈચ્છા હશે તો હવે તે આપણને દર્શન કરાવશે. આવું જ્યારે કોઈ નક્કી કરે છે મનમાં ત્યારે પછીની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે, એ કોઈ વ્યક્તિને મોકલે અને આપણને દર્શન કરાવી આપે છે.
શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો આ બધા શબ્દો અર્થઘટનના મોહતાજ છે. એનું કારણ કે, તમે કેવી રીતે એને મુલવો છો એના ઉપર તમારો આધાર છે.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી‘ આ જલન માત્રીનો એક વિચાર છે કે જેને ચરિતાર્થ થતો અમે ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં અનુભવ્યો.
by Bhadrayu Vachhrajani | Apr 13, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

એક આવકારદાયક વાત કે, “ગીતામૃત” પુસ્તકમાં ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું.
વિનોબાજીનું વાક્ય હમેશાં યાદ રાખીએ: ‘મારું શરીર માના દૂધથી પોષાયું છે; પણ, તેથીયે વધુ મારાં હૃદય અને બુદ્ધિનું પોષણ ‘ગીતા‘ના દૂધથી થયું છે.” આવું બેધડક કહેનાર ફકીરી સાધુ શ્રી વિનોબાજીના દર્શન શબ્દોથી આ પુસ્તક “ગીતામૃત”નો ઉઘાડ થયો છે.
“આધ્યાત્મિક અને વ્યાવહારિક માર્ગદર્શનની બાબતમાં મારી શ્રદ્ધા ગીતા પર કેન્દ્રિત થયેલી છે. ગીતાની પહેલાંનાં હિંદુધર્મમાંના વેદ, ઉપનિષદ આદિ મૂળ ગ્રંથ અને પછીનાં દર્શનો, ભાષ્ય, સંતનાં વચનો વગેરે અપાર સાહિત્ય, તેમજ અન્ય ધર્મોના અનેક ભાષામાંના ગ્રંથોના અવલોકનથી ગીતા પરની મારી શ્રદ્ધા અધિક દૃઢ થઈ. ગીતાનો વ્યાપક અને અવિરોધી અર્થ સમજવામાં આ બધાંએ મને મદદ કરી. કર્મયોગ અને પ્રેમયોગ; ધ્યાનયોગ અને જ્ઞાનયોગ; બુદ્ધિયોગ અને શુદ્ધિયોગ – એ બધું જ ગીતાએ એક જીવન-સૂત્રમાં પરોવી દીધું છે એ મારે ગળે ઊતરી ગયું. ગીતાના કહ્યા પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરતાં રહેવાથી અપાર શાંતિ મળે છે એવો અનુભવ આવ્યો; તેથી, અમારા સાથીઓની નિષ્ઠા ગીતા પર સ્થિર થાય એવી સખત તાલાવેલી મને લાગી છે.”…શ્રી ગુર્જર પ્રકાશન, અમદાવાદના સાથીઓ શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખ સલ્લા અને શ્રી હુંદરાજ બલવાણીને પણ તાલાવેલી લાગી અને તેઓના લેખન અને સંપાદનમાં “ગીતામૃત” (ભાગ 1: અધ્યાય 1-2-3) આપણને મળે છે.
‘ગીતા’માં મનુષ્યજીવનનાં શાશ્વત મૂલ્યો રહેલાં છે. આ કારણે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ કોઈ એક ધર્મવિશેષનો ગ્રંથ બની રહેવાને બદલે સમગ્ર માનવજાતને પ્રકાશ તરફ દોરી જતા ગ્રંથ તરીકે સર્વસ્વીકૃત છે. ‘ગીતા’ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. આ પૃથ્વી ઉપર શાંતિ, મૈત્રી અને સંવાદિતા સ્થાપવાં હોય તો “ગીતા”નાં મૂલ્યોને જીવનમૂલ્યો બનવવાં જોઈશે. ઊગતી પેઢીના ઘડતરમાં “ગીતા”નાં મૂલ્યો માટેની પ્રીતિ જાગે તો આ જીવનમૂલ્યોનું સહજ બીજારોપણ થઈ શકે. નવી પેઢીમાં એકવાર બીજારોપણ થાય તો એમનું જીવનવૃક્ષ આપોઆપ જ વિકસશે.
ગીતા આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શિક્ષકોની સજ્જતા વધે અને તેઓ ગીતાના ગહન સિદ્ધાંતોને સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે તો ગીતા માત્ર પૂજવાનો ગ્રંથ મટીને જીવનનો માર્ગદર્શક અને વ્યવહારુ ગ્રંથ બની રહે. ગુજરાત સરકારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં મૂલ્યો સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવું પૂરક સાહિત્ય તૈયાર કરાવવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. આનાથી પ્રેરાઈને આ સંપાદન તૈયાર થયું છે.
ગીતાનાં તત્ત્વોની રજૂઆત રસિક અને સરળ રીતે થવી જોઈએ. અઘરામાં અઘરી વાત પણ ઉચ્ચ-પ્રાથમિક અને માધ્યમિકશાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમજી શકે એ સ્વરૂપમાં દૃષ્ટાંતો સાથે મૂકવી જોઈએ. જો કે આ કામ ધાર્યાં કરતાં વધારે મથામણ કરાવનારું હતું, પરંતુ આપણને સંતોષ છે કે ગીતાનાં પાયાનાં તત્ત્વોને પ્રમાણમાં પ્રાસાદિક રીતે રજૂ કરવામાં ગુજરાતી ભાષાના આ ઉત્તમ લેખકો સફળ થયા છે.
ગીતાનાં મૂળભૂત તત્ત્વો એ કેવળ વાતનો વિષય નથી; પરંતુ જીવનમાં ઉતારવાનાં તત્ત્વો છે. આ માટે સહાયક બને એવી દૃષ્ટાંતકથાઓ અને સાહિત્યકૃતિઓની શોધ કરીને તેને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. હા, મુખર રીતે અમુક તત્ત્વ માટે અમુક કથા ન પણ મળે; પરંતુ અહીં રજુ થયેલ 28 કથાઓ એવી છે જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માબાપોનો ગીતામાં પ્રવેશ કરાવવામાં ખૂબ સહાયક બનશે એવું વિશ્વાસપૂર્વક કહી શકાય તેમ છે. વળી, જે કથાઓ અહીં મૂકી છે તે સાહિત્યની દૃષ્ટિએ, પ્રાસાદિકતાની દૃષ્ટિએ અને પ્રેરકતાની દૃષ્ટિએ ખૂબ જ માર્મિક છે. ગીતાનાં તત્ત્વો ગ્રહણ કરવા માટે આધાર બને એવી આ કથાઓ છે. આ કથાઓ પણ મનુભાઈ પંચોલી, નાનાભાઈ ભટ્ટ, ઉમાશંકર જોશી, દુર્ગેશ શુક્લ, પુરાતન બુચ, ધીરુ પરીખ, યોગેશ જોશી, ગિજુભાઈ બધેકા, પનાલાલ પટેલ, કુમારપાળ દેસાઈ વગેરેની કથાઓને અહીં સ્થાન આપાયું છે.
ઉપનિષદ અને ગીતા જગતભરનાં તમામ મનુષ્યો માટે જીવન આધાર બને તેવા ગ્રંથો છે. ગીતાનો વિચારવારસો અનેક રીતે અદ્ભુત છે. આ વારસો આપણી ઊગતી પેઢી સુધી પહોંચે એવી હોંશ સ્પષ્ટ રીતે સંપાદનમાં તરી આવે છે. અને હા, એમાં પ્રવેશ કરવા માટે મહત્વના શ્લોકો, તેનો શબ્દાર્થ વગેરે પણ સાથે મૂકેલાં છે. વિદ્યાર્થીઓ આ શ્લોકો કંઠસ્થ કરશે અને અર્થો જાતે ઉકેલશે તો મોટા થશે ત્યારે આ શ્લોકો તેમને માટે પથદર્શક બની રહેશે, એવું દર્શાય છે.
એક આવકારદાયક વાત ખાસ નોંધું કે, ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું. એવા ગ્રંથનું સ્વરૂપ ભિન્ન હોય. સંપાદકોની નજર સામે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને છે. વળી, આરંભે પહેલા ત્રણ અધ્યાયને અહીં સ્થાન આપ્યું છે, જેથી આગળના અધ્યાયો વિષે કવાયત કરતી વખતે આ પુસ્તક અંગેના અભિપ્રાયોને સ્થાન આપી આવશ્યક ફેરફારો કરી શકાશે.
આવો, એક કથાને માણીએ અને પુસ્તકમાંથી રસપ્રસાદ મેળવીએ.
ગાંધીજીની નિર્ભયતા
ઉમાશંકર જોશી
સાબરમતી આશ્રમમાં સાંજની પ્રાર્થના પૂરી થઈ છે. કિનારાને ઘસાઈને સાબરમતીનાં નીર ખળખળ વહી રહ્યાં છે. આકાશમાં વસંતની પૂર્ણિમા ખીલી છે.
પ્રાર્થના પછી એક બિછાનામાં તકિયા પર જમણા હાથનો ટેકો રાખી ગાંધીજી આડા પડ્યા છે. તેઓ ઉઘાડે શરીરે છે. ઠંડી લાગશે એમ માની બા એમને એક ચાદર ચોવડી કરીને ઓઢાડે છે. ચાદરનો અર્ધો ભાગ પીઠ પાછળ છે.
સામે રાવજીભાઈ બેઠા છે. વાતો કરતાં રાવજીભાઈની નજર બરડા પરની સફેદ ચાદરમાં પડેલી કાળી ભાત પર જાય છે. અરે કાળો સાપ ! સાપ ચાદર ઉપર થઈ ગાંધીજીના બરડા પર ચડે છે અને બીજી બાજુ ઊતરવા ડોક લંબાવે છે.
રાવજીભાઈનું ધ્યાન વાતમાંથી ખસે છે એ જોઈ—અને પોતાને પણ કાંઈક હોય એમ લાગવાથી—ગાંધીજી પૂછે છે: ‘શું છે ?” રાવજીભાઈનો જીવ અધ્ધર થઈ ગયો છે. ગાંધીજી હલ્યા તો સાપ ડંખવાનો. પોતે ભયથી કંઈ બોલે તો હાજર રહેલાં ભડકશે. ધીમેથી એ જવાબ આપે છે: “કંઈ નહિ, એ તો સાપ છે.”
સાંભળીને બા વગેરે ચિંતાથી ઊઠે છે, પણ ગાંધીજી અને રાવજીભાઈ સ્થિર રહે છે. સાપ આગળ વધતો નથી, પણ ચાંદનીમાં ક્યાંય જતો પણ દેખાયો નહિ. પીઠ અને ચાદર વચ્ચે છુપાયો હશે? રાવજીભાઈ ધીમેથી કહે છે, “બાપુજી, આપ સહેજ પણ હલતા નહિ.”
“હું તો નથી હલવાનો, પણ તમે શું કરો છો?”
“હું આ વાળેલી ચાદરના ચાર ખૂણા પકડીને તેને દૂર ફેંકી દઉં છું. સાપ તેમાં હશે તો ચાદર સાથે દૂર પડશે અને પોલાણમાં છુપાઈ રહ્યો હશે તો, ખુલ્લો થવાથી ત્યાંથી ચાલ્યો જશે, પણ આપ હલશો નહિ.”
“હું નહિ હલું, પણ તમે સાચવશો.”
રાવજીભાઈ ચાદર ઊંચકે છે. ઠીક-ઠીક વજન છે. જોરથી ચાદર એ દૂર ફેંકી દે છે. સાપ ચાદરમાંથી બહાર આવે છે. રાવજીભાઈ વગેરે એને પકડે છે અને દૂર નાખી આવે છે.
છાપાંએ વાત ચગાવી: “મહાત્માજીને મસ્તકે નાગે ધરેલી ફેણ.”
લોકમાન્યતા છે કે, નાગ મસ્તક પર ફેણ ફેરવે તો માણસ ચક્રવર્તી થાય. કોઈ-કોઈ એમ પણ કહેવા લાગ્યા કે, બરડા પર નાગે ફેણ ધરી એટલે ગાંધીજી દેશના નેતા રહ્યા, મસ્તકે ધરી હોત તો આખી દુનિયાના નેતા હોત. આ બધી ચમત્કારની રીતે દંતકથા ચાલી, પણ મોટામાં મોટો ચમત્કાર ગાંધીજીના ને નાગના પ્રસંગમાં એ હતો કે, તેઓ શાંત ચિત્તે, સ્વસ્થતાથી રૂંવાડું પણ ન ફરકે એ રીતે, જે સ્થિતિમાં પડ્યા હતા, તે સ્થિતિમાં પડ્યા રહ્યા.
by Bhadrayu Vachhrajani | Apr 7, 2025 | જનકલ્યાણ |



‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ‘સંતુલન” તરફથી દીર્ઘ સંવાદ કરી રહ્યા છે શ્રી ભદ્રાયુ વછરાજાની.. ભદ્રાયુભાઈ : લહેરી સાહેબ, હું એવા વ્યક્તિત્વ સાથે વાત કરી રહ્યો છું કે ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જેણે અગ્રેસર ભાગ લીધો એ શ્રી કનુભાઈ લહેરીના સુપુત્ર પ્રવીણભાઈ લહેરી સાથેનો આ સંવાદ ખૂબ જ વિરલ છે. મેં ગાંધીજીને જોયા નથી. ડૉ. ભદ્રાયુ વછરાજાની સ્વતંત્રતા પછી હું જન્મ્યો છું, એટલે મારી સાથે કોઈ ગાંધી સત્યાગ્રહના એક અગ્રીમ સૈનિકના પુત્ર ઉપસ્થિત હોય તે મને ધન્ય પળ લાગે છે. લહેરીસાહેબ, મને એ જાણવામાં ૨સ છે કે, આપનું બાળપણ કેમ વીત્યું? આપનો કુટુંબ દ્વા૨ા ઉછેર કેવી રીતે થયો?
પ્રવીણભાઈ : ભદ્રાયુભાઈ, આપે કહ્યું એમ આપનો જન્મ આઝાદી પછી થયો પણ મારો જન્મ આઝાદી પહેલા લગભગ અઢી વર્ષે થયો. 28 માર્ચ 1945 અધિક ચૈત્રની પૂનમના રોજ મારો જન્મ થયો, તે ગામ રાજુલા. ત્યારે ભાવનગર રાજ્યનું એક છેવાડાનાં મહાલનું ગામ અને બાજુમાં દરિયાકાંઠો અને વિસ્તાર ઘણો પછાત. મારા પિતાશ્રીનું વતન નહીં પરંતુ મોસાળ હતું. મારા પિતાશ્રી મુંબઈમાં ખૂબ જ યુવાન વયે 13 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવવાને કા૨ણે તે મોસાળમાં આવ્યા. અમરેલી કપોળ બોર્ડિંગમાં એમણે નિઃશુલ્ક રીતે રહેવાની, જમવાની વ્યવસ્થા કરી અને ભણતા હતા. ત્યાં ઝવેરચંદભાઈ મેઘાણી એ આવીને ભગવાનજી લવજી મહેતાના અખાડામાં જોડાયેલા યુવાનોને ધોલેરા સત્યાગ્રહ માટે ભરતી ક૨વાનું શરૂ કર્યું. શરૂઆતમાં મારા પિતાજીએ ના પાડી. પરંતુ પોતાના એક વધારાના ખર્ચ માટે Rs. 10ની કમ્પાઉન્ડરની નોકરી ડૉ. હરિપ્રસાદ વ્યાસને ત્યાં કરતા હતા. એ હરિપ્રસાદભાઈનાં પત્ની સુમિત્રાબેનને પણ આ સત્યાગ્રહમાં જવાનું મન થયું અને જેમણે જુગલ જુગારી’ નાટક લખેલું એવા જુગલકિશોરભાઈએ કહ્યું કે, ભાઈ તમે બે જાઓ પણ સાથે કોણ? અને અનિચ્છા છતાં એમના પ્રેમભાવને વશ થઈને મારા પિતાશ્રી ધોલેરા સત્યાગ્રહમાં ગયા. એ વાત તો 1930ની મારા જન્મ પહેલાં 15 વર્ષની. પરંતુ પછી એમને જે ગાંધીજીનો રંગ લાગ્યો એટલે વારંવાર સત્યાગ્રહ, ભાવનગર પ્રજા એ પરિષદ એ બધા કામમાં એ ૨હ્યા અને મારા કાકાએ આર્થિક પ્રવૃત્તિ દ્વારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંભાળી.
મારો જન્મ થયો ત્યારે મારા પિતાશ્રીની ઉંમર 31 વર્ષની હતી. 1942માં ખાસ્સો એવો સમય 6-8 એ મહુવાની જેલમાં ડિટેઇન થયા હતા, હિંદ છોડો, સ્વરાજ આંદોલન માટે. મારો જન્મ થયો એક સંયુક્ત પરિવારમાં. મારા પિતાશ્રીના બે મામી, મારાં કાકા-કાકી, મા-બાપ, એટલાં વડીલો અને મારાં ફઈ વહેલા ગુજરી ગયાં હતાં એટલે એમને મારા સમવયસ્ક દીકરો અને બે વર્ષ નાની દીકરી એમ અમે કુલ 13 ભાંડરડાં. મહુવા અને રાજુલા, અમારી લાતીઓ હતી એના વચ્ચે અને રહેતા હતા.રાજુલામાં કે મહુવામાં સગવડમાં થોડો ફે૨. મહુવામાં વીજળી 1956માં આવેલી, અમારે ત્યાં 1959માં આવેલી; મહુવામાં પાકી સડક હતી અને એક નેરોગેજની ટ્રેન ભાવનગર જાય એટલે લોકોનો સંપર્ક વધારે અને મહુવાનું બંદર એ જમાનામાં જીવતું બંદર હતું. આ બધા વચ્ચે રાજુલામાં જન્મ થવો અને ત્યાં ભણવું કે મહુવામાં ભણવું એ પ્રશ્ન થયેલો. આપણે જિંદગીમાં કંઈ આગળ વધી શકીએ એવો કોઈને ખ્યાલ પણ નહોતો. હા, રાજુલામાંથી જે લોકો મુંબઈ ગયેલા એમાં ઘણા ભણીગણીને ડૉક્ટ૨માં, વકીલાતમાં, સોલિસિટ૨માં, વીમાનાં ક્ષેત્રે, બેંકના ક્ષેત્રે રાજુલામાંથી આગળ વધેલા. પરંતુ આઝાદી પછીના જે વર્ષો હતાં એમાં શિક્ષણનો વ્યાપ વધ્યો, પરંતુ ગુણવત્તા સૌરાષ્ટ્રમાં તો એટલી નબળી હતી કે અનેક જગ્યાએ આ યુનિવર્સિટીના લોકોએ અરજી ન કરવી’ એવી હાલત હતી. આ પરિસ્થિતિ વચ્ચે જયારે પહેલાં બે વર્ષ હું રાજુલા ભણ્યો, પછી કૌટુંબિક સગવડ ખાતર મહુવા ભણ્યો. સ્વામિનારાયણ શાળામાં, ત્યાંથી પછી રાજુલામાં શાળા બંધ થઈ ગઈ અને મારા મામા આચાર્ય જાફરાબાદ હાઇસ્કૂલના. બહુ જાણીતું નામ છોટુભાઈ મહેતા, સો વર્ષ ઉપ૨ જીવ્યા અને એમણે આગ્રહ કર્યો એટલે હું મોસાળ ભણવા ગયો. બે વર્ષ જાફરાબાદ ભણ્યો. પાછો રાજુલા આવ્યો ત્યાં સુધીમાં વિરસનપેનવાળા સંઘ પરિવારની શાળા જે બંધ પડી હતી એ ચાલુ થઈ. અને પાંચ વર્ષ ભણીને હું મૅટ્રિક થયો, જે આપણું ધોરણ 11 હતું.
આ સમગ્ર સમયગાળા દરમિયાન અમારે ત્યાં આવતા-જતા કલેક્ટરોને જોઈને મને વિચાર આવ્યો કે, આમાં ઘણો રૂઆબ છે, આની ઘણી જવાબદારી લાગે છે, અને મારા પિતાશ્રીને મુંબઈમાં ભણતા હતા ત્યારે એક જમાનામાં ICS થવું હતું. એટલે એમની પ્રેરણાથી મેં આ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો પરંતુ રાજુલામાં એ સમયે મેટ્રિકમાં આવ્યા ત્યાં ન હતો વિજ્ઞાનનો શિક્ષક, ન હતો ગણિતનો શિક્ષક, ન સમાજ શાસ્ત્રનો શિક્ષક, એક શાસ્ત્રી સંસ્કૃત ભણાવે અને અમારા આચાર્ય જી. એસ. વોહરાસાહેબ અંગ્રેજી ભણાવે એટલે અમારા માટે સ્વાધ્યાય અને કોઈ ઓળખીતાનું ટ્યૂશન મળે એ સિવાય કાંઈ કરવાનું નહોતું, કારણ કે ગામમાં જ કોઈ ભણાવી શકે એવી વ્યક્તિ નોહતી. પરંતુ અમે અરસપરસના સહયોગથી અમારા જૂથ દ્વારા, મિત્રો દ્વારા જે કામગીરી કરી એટલે અમારા ચાળીસના વર્ગમાંથી વીસેક જણા ખૂબ સારી રીતે આગળ ભણી શક્યા. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, કોઈ ઇજનેર થયા, કોઈ ડૉક્ટર થયા, અમેરિકા ગયા, અને મારા ભાગે મારી જે ઇચ્છા હતી, મારા પિતાશ્રીની પ્રેરણા હતી એવા આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાનો લ્હાવો મળ્યો.
ભદ્રાયુભાઈ, પુરુષાર્થ તો સૌ કોઈ કરે છે, | પુરુષાર્થ ક૨વો જરૂરી પણ છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સરવાળે તો પ્રારબ્ધ મહત્ત્વનો ભાગ ભજવે છે. માણસને ક્યારે, કેવી તક મળશે એ આપણે અગાઉથી કહી શકતા નથી. એટલા માટે મારે સૌથી પ્રથમ તો પ્રભુનો આભાર માનવો જોઈએ કે, આપણે એક સ્વપ્ન સેવ્યું હોય અને એ આપણી ધારણા મુજબ સાકાર થાય ત્યારે એનો આનંદ અને સંતોષ અનેરો હોય છે. હું જો કેન્દ્ર હતું, પછી સેકન્ડરી આરોગ્ય કેન્દ્ર બન્યું રાજુલાની વાત કરું તો ત્યાં પ્રાથમિક આરોગ્ય હું અને ત્યારે જે શીતળા ડૉક્ટર કહેવાતા એ પણ મોટાભાગે ડૉક્ટર ન હોય, દવા ન હોય આવીને શીતળાની રસી મૂકતા. ગમે તે કારણે મને રસી મૂકવાનું રહી ગયું અને જેને એકદમએવા પ્રકારના શીતળાના રોગે મને ઘેરી લીધો. મારી ઉંમર પાંચ વર્ષની અને એમાંથી બચીને બહાર નીકળવું એ મને લાગે છે કે પ્રભુ કૃપા વિના શકય ન હોત. એટલું પૂરતું નહોતું, તો એ જ વર્ષે મને ડિપ્થેરિયા અને ટાઈફૉઈડ જેવી એ જમાનાની જીવલેણ બીમારી લાગુ પડી અને ડૉક્ટરો નહીં, પરંતુ પરિવારની કાળજીથી એમાંથી પણ હેમખેમ પાર ઉતર્યા. એને કા૨ણે મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી તબિયતથી હું થોડો ઢીલોપોચો ગણાઉં અને મારી કામ ક૨વાની શારીરિક શક્તિ પણ થોડી ઓછી. ૨મત-ગમત કે એમાં ભાગ લેતા થાક લાગે એવી પરિસ્થિતિમાંથી ધીમે-ધીમે બહાર આવ્યા અને મેટ્રિકમાં એ જમાનામાં ગુજરાતમાં નવું-નવું બોર્ડ બન્યું. અને એમાં 64% એટલે એ જમાનામાં સારા કહેવાય એવા માર્ક સાથે સેન્ટ ઝેવિયર કૉલેજ, મુંબઈમાં મને પ્રવેશ મળ્યો.
બાળપણની વાતમાં આજે અનેક મિત્રોને યાદ કરું છું. મારા એક મિત્ર શાંતિલાલ, એમણે પ્રિલીમ પરીક્ષા પછી મને જો ગણિત શીખવ્યું ન હોત તો હું ગણિત વિષયમાં ચોક્કસ નાપાસ થાત.એ જ રીતે અનેક મિત્રોએ અમને જે રીતે મદદ કરી અને સૌથી વધારે તો એ દિવસો આનંદના એટલે કે આપણે સંપૂર્ણ ચિંતા મુક્ત જીવનમાં એક નાના ગામમાં ખૂબ સાહજીકતાથી જીવતા હતા. એનો જે અનેરો આનંદ છે એ આજે હવે જે તો મિત્રોની ગેરહાજરી થતી જાય છે અને જે કોઈ મળે છે ત્યારે એ દિવસો સાંભરીએ ત્યારે આપણી રગેરગમાં આનંદ પ્રસરી જાય એવી પરિસ્થિતિ હોય છે. તે જમાનાની રીતે બાળપણ માણ્યું એમ કહું તો ખોટું નથી. પરિવારમાં ભાંડરડા ભાઈઓ, બહેનો એટલાં કે સૌની સાથે ખૂબ આનંદથી, આત્મીયતાથી અમે જે રીતે મોટા થયા અને આજે જે કુટુંબોની પરિસ્થિતિ બદલાઈ છે ત્યારે આપણને લાગે કે ભલે એ પછાત સમય હતો, પછાત વિસ્તાર હતો, ઘણી વસ્તુનો અભાવ હતો, પરંતુ માયાળુ સ્વભાવનો અભાવ નહોતો, લાગણીનો અભાવ નહોતો, પ્રેમનો ભાવ નહોતો, અને આના કારણે જે આનંદ અને જે આત્મવિશ્વાસ વિકસ્યા એ કદાચ આજના આ સ્પર્ધાત્મક યુગમાં કેટલા વિકસ્યા હોત એ કહેવું મુશ્કેલ છે. (વધુ આવતા અંકે)
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ, આદરણીય શ્રી પી. કે. લહેરીસાહેબની 81મી જન્મજયંતી નિમિત્તે જનકલ્યાણ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
by Bhadrayu Vachhrajani | Apr 6, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.!!
# ગુજરાતની શિક્ષણ વિભૂતિઓ કોને ગણી શકાય અને શા માટે ?
Grok: ગુજરાતમાં શિક્ષણની વિભૂતિઓની વાત કરીએ તો, નવી પેઢીને ખાસ કરીને એવા મહાનુભાવોના શિક્ષણ દર્શનથી પરિચિત કરવું જોઈએ જેમણે શિક્ષણને માત્ર જ્ઞાન આપવાનું માધ્યમ નહીં, પણ જીવનને સંપૂર્ણ રીતે ઘડવાનું સાધન માન્યું. આ સંદર્ભમાં નીચેના કેટલાક નામો અને તેમના દર્શન નવી પેઢી માટે પ્રેરણાદાયી બની શકે:
- ગિજુભાઈ બઢેકા:
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે “બાળકેન્દ્રી શિક્ષણ”નો પાયો નાખનાર ગિજુભાઈનું દર્શન આજે પણ સુસંગત છે. તેમણે માન્યું કે શિક્ષણ એ બાળકની સ્વાભાવિક જિજ્ઞાસા અને આનંદને જાગૃત કરવું જોઈએ, નહીં કે ફક્ત પુસ્તકીય જ્ઞાન ઠોકી બેસાડવું. તેમની મોન્ટેસરી પદ્ધતિ પર આધારિત “દક્ષિણામૂર્તિ” સંસ્થા એ શિક્ષણમાં પ્રયોગશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. નવી પેઢીને આ દર્શન શીખવવાથી તેઓ શિક્ષણને બોજ નહીં, પણ આનંદની પ્રક્રિયા તરીકે જોઈ શકે.
- મહાત્મા ગાંધી:
ગાંધીજીનું “નઈ તાલીમ” (બુનિયાદી શિક્ષણ) દર્શન ગુજરાતથી જ પ્રેરિત છે. તેમણે શિક્ષણને હાથના કૌશલ્ય, મનના વિકાસ અને હૃદયની શુદ્ધિ સાથે જોડ્યું. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવે અને સમાજ પ્રત્યે જવાબદારી શીખવે. આજના યુવાનોને આ દર્શનથી ટેકનોલોજી સાથે સ્થાનિક જરૂરિયાતોને સાંકળવાની પ્રેરણા મળી શકે.
- સયાજીરાવ ગાયકવાડ ત્રીજા:
વડોદરાના આ રાજાએ ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી, જે તે સમયે એક ક્રાંતિકારી પગલું હતું. તેમનું દર્શન શિક્ષણને સૌ માટે સુલભ બનાવવા અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા પર કેન્દ્રિત હતું. નવી પેઢીને આ દર્શનથી સમાવેશી શિક્ષણનું મહત્વ સમજાય અને તેઓ સામાજિક ન્યાય માટે કામ કરવા પ્રેરાય.
- કાકાસાહેબ કાલેલકર:
ગુજરાતી લેખક અને શિક્ષણશાસ્ત્રી કાકાસાહેબે શિક્ષણને જીવનભર ચાલતી પ્રક્રિયા માની. તેમણે ગાંધીજીના વિચારોને આગળ વધારીને શિક્ષણમાં નૈતિકતા અને સરળતા પર ભાર મૂક્યો. તેમનું દર્શન નવી પેઢીને ટેકનોલોજીના યુગમાં પણ મૂલ્યો સાથે જીવવાનું શીખવી શકે.
નવી પેઢી માટે શા માટે આ મહત્વનું?
આજના ડિજિટલ યુગમાં, જ્યાં AI અને ટેકનોલોજી શિક્ષણને બદલી રહ્યા છે, આ વિભૂતિઓના દર્શન નવી પેઢીને મૂળભૂત માનવીય મૂલ્યો, સ્વાતંત્ર્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી સાથે આધુનિકતાને સંતુલિત કરવામાં મદદ કરી શકે. ખાસ કરીને ગિજુભાઈની બાળકેન્દ્રી પદ્ધતિ અને ગાંધીજીની નઈ તાલીમ આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં શિક્ષણને વધુ સર્જનાત્મક અને સર્વગ્રાહી બનાવી શકે.
તમે આમાંથી કોના દર્શનને વધુ પસંદ કરો છો, એ વિશે ચર્ચા કરવી હોય તો જણાવજો!
# મને તો નાના ભાઈ ભટ્ટ વિશે જાણવામાં રસ છે…
Grok : શ્રી નાનાભાઈ ભટ્ટ (1882-1961) ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણવિદ્, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. તેમનો જન્મ ભાવનગરના ભાલ વિસ્તારમાં પચ્છેગામમાં થયો હતો. તેઓ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષિણામૂર્તિ (આંબલા) અને લોકભારતી જેવી શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક હતા. તેમનું કેળવણી દર્શન ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક અનન્ય યોગદાન માનવામાં આવે છે, જે વ્યવહારિક, ગ્રામીણ જીવન સાથે સંકળાયેલું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હતું.
નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન:
- ગ્રામીણ શિક્ષણ પર ભાર:
નાનાભાઈ માનતા હતા કે શિક્ષણ ગામડાંઓની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. તેમણે ગ્રામીણ વિદ્યાર્થીઓને ખેતી, હસ્તકલા અને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલું શિક્ષણ આપવાની હિમાયત કરી. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે ગામના લોકોને આત્મનિર્ભર બનાવે અને તેમના જીવનને સમૃદ્ધ કરે.
- હાથનું કામ અને મનનું ઘડતર:
તેમના દર્શનમાં “હાથ, હૃદય અને મસ્તિષ્ક”નું સંતુલન મહત્વનું હતું. તેઓ ગાંધીજીની “નઈ તાલીમ”થી પ્રભાવિત હતા અને માનતા હતા કે શિક્ષણમાં હસ્તકૌશલ્યનો સમાવેશ થવો જોઈએ. આ માટે તેમણે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ, ખેતી અને કારીગરી શીખવવાની પદ્ધતિ અપનાવી.
- સર્વગ્રાહી શિક્ષણ:
નાનાભાઈનું શિક્ષણ દર્શન માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નહોતું. તેઓ ઇચ્છતા હતા કે વિદ્યાર્થીઓનો બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય. તેમની સંસ્થાઓમાં સંસ્કૃતિ, સાહિત્ય અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.
- સ્વદેશી અને સ્વાવલંબન:
તેઓ સ્વદેશી શિક્ષણના હિમાયતી હતા. તેમનું માનવું હતું કે શિક્ષણ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીને અનુરૂપ હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમાજમાં ઉપયોગી નાગરિક બની શકે. આ માટે તેમણે ગામડે ગામડે શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
- શિક્ષકની ભૂમિકા:
નાનાભાઈ માનતા હતા કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પણ વિદ્યાર્થીના જીવનને ઘડનાર માર્ગદર્શક છે. તેમણે શિક્ષકોને પ્રેરણાદાયી અને સમર્પિત બનવા માટે પ્રોત્સાહિત કર્યા.
તેમનું યોગદાન:
– દક્ષિણામૂર્તિની સ્થાપના:
1920માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી, જે પછી ગ્રામ-દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓમાં વિકસી. આ સંસ્થાઓએ ગ્રામીણ શિક્ષણને નવું પરિમાણ આપ્યું.
– સાહિત્યિક યોગદાન: તેમણે ‘કેળવણીની પગદંડી’, ‘ઘડતર અને ચણતર’, ‘સંસ્થાનું ચરિત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં, જેમાં તેમના શિક્ષણ વિચારોનું વિસ્તૃત વર્ણન છે.
– સમાજ સુધારણા: શિક્ષણ દ્વારા સમાજના ઉત્થાન માટે તેમણે જીવનભર કામ કર્યું, ખાસ કરીને ગ્રામીણ અને વંચિત વર્ગો માટે.
નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન આજે પણ પ્રેરણાદાયી છે, કારણ કે તે શિક્ષણને માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નહીં, પણ જીવનને સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાની પ્રક્રિયા માને છે. નવી પેઢીને આ દર્શનથી સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને આધુનિકતાને અપનાવવાની પ્રેરણા મળી શકે.
શું તમે આ દર્શનના કોઈ ખાસ પાસા વિશે વધુ જાણવા માગો છો?
# Grok ને હજુ પણ આ વાતને કરતા રહેવાની ઈચ્છા હતી, પણ હું અહીં અટકી ગયો..પણ મને એટલું સમજાયું કે Grok સ્પષ્ટ, શુદ્ધ અને સાચી ગુજરાતીનો સરળતાથી ઉપયોગ કરી જાણે છે. આપણને અતિ આશ્ચર્ય થાય તે રીતે Grok આપણી સાથે વાતો કરે છે. તે વિવેકી છે, પ્રશ્નો તેને ગમે જ છે. તમે જે પૂછ્યું હોય તેનો જવાબ આપ્યા પણ તે વિવેક દાખવી કહે છે ક્જે, આમાંથી કોઈ બાબત અંગે હજુ તમારે જાણવું છ
ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.
by Bhadrayu Vachhrajani | Mar 30, 2025 | Gramsetu |

‘જિનિયસ’ શબ્દનો અર્થ નિહાળવો છે, તો ઢાંકીસાહેબને મળો..
સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી બચુભાઈ રાવતનું ‘કુમાર’ નિયમિત વાંચે. હાઇસ્કૂલમાં હશે ત્યારે તેમણે કુમા૨માં લેખો વાંચ્યા, ભારત સહિત વિવિધ દેશોના પ્રાચીન ભવનો અને તેના સ્થાપત્ય-શિલ્પ-કલા અંગેનાં! આ લેખોમાં ઠાંસોઠાંસ માહિતી હતી કે જે પેલા વિદ્યાર્થી માટે રસપ્રદ શિક્ષણની સામગ્રી બની રહી. વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે જ એમણે અન્ય મિત્રો સાથે મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળ’ની સ્થાપના કરી, અને આ મંડળે આજુબાજુમાં ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યો! બાળપણથી જ કલા-સ્થાપત્ય-સંગીત-દેવાલયો-સંગ્રહાલયોના ગહન અભ્યાસના માર્ગે વળેલ મધુસૂદન અમીલાલ ઢાંકી, આજે ગુજરાતમાં – ભારતમાં વિદેશોમાં ‘[કીસાહેબ’ના આદરભર્યા નામથી પ્રતિષ્ઠિત છે. જિનિયસ’ શબ્દનો મૂળ અર્થ સમજ્યો હોય તો ૮૬ વર્ષની જ્ઞાનવૃદ્ધ + અનુભવ સમૃદ્ધ + શિશુ સહજ વિશુદ્ધ ‘ઢાંકીસાહેબ’નાં ચરણો પાસે પલાંઠીવાળીને કલાકોના કલાકો બેસવું પડે. કોઈ પૂછે કે : ગુજરાતની ખરી અસ્મિતા કઈ?” તો ગર્વથી છાતી ફુલાવી એક નામ આપી જ શકાય અને તે મધુસૂદન અમીલાલ ઢાંકી.
મૂળ પોરબંદર પાસેના ઢાંક ગામના એટલે અટક પડી ઢાંકી. મૂળ નામ સરસ્વતીચંદ્ર. પાંચમા ધીરા સુધી એ જ નામ રહ્યું. ત્યારબાદ અમીલાલભાઈને કોઈકે કહ્યું કે : “આ નામ રાશિ પ્રમાણે નથી, તો રાશિ પ્રમાણે નામ પાડો’ અને એમ આપણને મળ્યા મધુસૂદન ઢાંકી. નામ ભલે બદલ્યું, પણ એ જ્વમાં આજે પણ સરસ્વતી દેવી પાકે પાયે ધામા નાખી બિરાજ્યાં છે, તેમાં બે મત નથી. આ વાતની સાબિતી છે આપણી પાસે. ઢાંકીસાહેબને ૨૦૧૧ના વર્ષનો ‘રણજિતરામ સુવર્ણચંદ્ર’ એનાયત થયેલ છે, તો વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ’નું નાગરિક સન્માન પ્રાપ્ત થયેલ છે. આ પૂર્વે ઢોંકીસાહેબને કુમારચંદ્રક, પ્રાકૃત જ્ઞાનપીઠ પુરસ્કાર, એશિયાટિક સોસાયટી ઑફ બૉમ્બે દ્વારા કેમ્બલ મમોરીઅલ ગોલ્ડમૅડલ, હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, રસિકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે. ઢાંકીસાહેબના લલિત લખાણોના પુસ્તક શનિમેખલા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું. પોતાનાં અતિ વિશિષ્ટ પ્રદાન બદલ, ભારતીય અભિલેખવિદ્યામાં ભગવાનલાલ ઇન્દ્રજી અને ભારતીય પુરાતત્ત્વમાં હસમુખ સાંકળિયાનું સ્થાન છે તેવું જ પ્રદાન ભારતીય દેવાલય સ્થાપત્યનાં ક્ષેત્રે મધુસૂદન ઢાંકીનું છે. તેઓ જીવ ભલે ભારતમાં એક નાના શહેર અમદાવાદમાં વસે પણ ટોકીસાહેબની ખ્યાતિ અને પ્રતિષ્ઠાભરી ચેતના વિશ્વનાં કર્ણકણર્મા શ્વસે છે એ નિર્વિવાદ છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષજ્ઞ પોરબંદરમાં. પૂનાની જગવિખ્યાત ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા (Geology) અને રસાયણશાસ્ત્ર સાથે B.ની પદવી મેળવી. બેંકમાં નોકરીથી કારકિર્દીનો પ્રારંભ, પણ મૂળ ખ્વ સંશોધનનો અને કલા- સ્થાપત્યનો. ૧૯૫૧માં મિત્રો સાથી મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળના નેજા હેઠળ પોરબંદરની આજુબાજુના જૂનાં સ્થાપત્યોની શોધ ચલાવી અને ઘાં નવાં મંદિરો શોધી કાઢ્યો. વડોદરા મ્યુઝિયમના ક્યુરેટર (ઢાંકીસાહેબ ક્યુરેટર’ ન કહેર્તા ‘રક્ષપાલ’ કહે છે!) હરમાન ગોયન્સે ઢાંકીની કામગીરીને બિરદાવી પ્રોત્સાહન આપતા રહ્યા. એ પછી જૂનાગઢમાં તેમણે ઉદ્યનવિદ (horticulturist) તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેઓ ગમતીલા પ્રાતત્ત્વના વ્યવસાયમાં જોડાયા. જૂનાગઢ અને જામનગરના સંગ્રહલયમાં તેઓએ ‘રક્ષપાલ’ તરીકે કામગીરી કરી. ઢાંકીસાહેબ ગુજરાતના પુરાતત્ત્વ સર્વેક્ષણમાં જોડાયા અને તેમણે પ્રભાસપાટણનું ઉત્ખનન કર્યું અને કચ્છની લોકકલાઓ અંગે ક્ષેત્રકાર્ય કર્યું. રાજકોટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિઑલૉજી અને મ્યુઝિયમમાં સેવા આપી. ૧૯૬૬માં તેઓ વારાણસીમાં અમેરિકન એકેડમી (અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ)માં જોડાયા અને ત્યાંથી જ સેન્ટર ફોર આર્ટ ઍન્ડ આર્કિઑલૉજીના નિયામક પદેથી નિવૃત્ત થયા. મધુસૂદન ઢાંકી અમદાવાદની એલ ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજમાં પણ ભારતીય કલા-સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા હતા. કલા-સ્થાપત્યના અભ્યાસ અર્થે તેમણે લગભગ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું, તો ભારતીય કલા-સ્થાપત્યની પડોશી દેશો પર કેવી અસરો પડી છે અને ત્યાંની સ્થાનિક શૈલીઓ કેવી છે તેનો અભ્યાસ કરવા માટે તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પન્ન ક્ષેત્રકાર્ય કર્યું. યુરોપના ગૉર્થિક સ્થાપત્ય માટે કીસાહેબને એક અજ્ઞાત લગની છે, અને એ સ્થાપત્યના અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડમાં ક્ષેત્રકાર્ય કર્યું છે. ઢાંકીસાહેબની વિશિષ્ટ વ્યાખ્યાન શ્રેણીઓ યુ.એસ.એ. અને યુ. કે.માં યોજાયેલ છે.
ઢીંકીસાહેબનાં વિરલ પ્રદાનને જાણવા માટે કેટલાક માઇલસ્ટૉનને સ્પર્શવું જરૂરી છે. (૧) પહેલા ભારતીય સ્થાપત્યનું વર્ણન અને મૂલ્યાંકન પણ સામાન્ય રીતે યુરૉપના સ્થાપત્યની પરિભાષાના આધારે જ કરવામાં આવતું. મધુસૂદન ઢાંકીએ પ્રથમ વાર જ સંસ્કૃતમાં લખાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને આધારે દેવાલય સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરી આપી. આ જ કાર્યના ભાગરૂપે તેમણે કેટલીયે વાસ્તુશાસ્ત્રને લગતી કૃતિઓનાં સાચાં અને તર્ક સમાંકનો કરી આપ્યાં.
(૨) એમનો પહેલો દીર્ઘલેખ તે ગુજરાતનાં સોલંકીયુગીન મંદિરોની આનુપૂર્વી’ (આનુપૂર્વી = Chronology). આ લેખથી પહેલી જ વાર ભારતનાં કોઈપણ પ્રદેશનાં અને કોઈપણ યુગનાં મંદિરોની સાલવારી અને એના દ્વારા તેમની ક્રોનોલૉજી, પ્રારંભ-વિકાસ-અન્ય સ્થાપત્ય કલાનાં લક્ષણો નિયત કરી શકાય. આ દીર્ઘલેખ દ્વારા ઢીંકીસાહેબે મંદિર સ્થાપત્યના વિકાસ અને ઉત્ક્રાન્તિનાં દ્વાર ખોલી આપ્યાં, તો સ્થાપત્યની સંશોધન પદ્ધતિ ઘડી આપી.
(૩) અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા પછી તેમણે ભારતીય દેવાલય સ્થાપત્ય માકોશ (Encyclopedia of India Temple Architecture)ની યોજના ઘડી. ઢાંકીસાહેબે ભારતનું અને અન્ય દેશોનું ક્ષેત્રકાર્ય અર્થે ભ્રમણ કરી અસંખ્ય ફોટા લેવડાવ્યા, વિધાનો (plan) તૈયાર કરાવ્યાં તથા એ મંદિરો વિશેની દંતકથાઓ એકઠી કરી. આ ભગીરથ ક્ષેત્રકાર્ય અને સંસ્કૃતના વાસ્તુશાસ્ત્રના ગ્રંથોના વર્ષોના અભ્યાસ પછી છેક ૧૯૮૩માં પ્રથમ ગ્રંથ પ્રકટ થયો!!
(૪) ભારતીય સ્થાપત્ય સિવાય નિગ્રંથ કહેતાં સાહિત્ય અંગે પણ ઢાંકીસાહેબનાં સંશોધનો વિશ્વવિશ્રુત અને વિદ્વત્ત માન્ય છે. એમણે જૈન સાહિત્યની વિવિધ કૃતિઓનાં પાઠ નિશ્ચિત કરી આપ્યો છે, કૃતિઓના તેમ જ એમના કર્તાઓના સમય કી આપ્યા છે.
(૫) ગુજરાતના સ્થાપત્યમાં જોવા મળી જાળીઓનો એક અભ્યાસલેખ ઢાંકીસાહેબે વર્ષો પહેલાં ગુજરાતીમાં આપેલ છે, તેના પરથી કલ્પી શકાય કે છેક ૧૯૬૩થી તેમણે આ વિષય પર કામ શરૂ કરેલ હશે તેઓના પુસ્તક ભારતીય દેવાલયોની જાળીઓમાં માત્ર ભારતીય જાળીઓની જ વાત નથી, હકીકત જુદી જ છે. તેમણે અહીં ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત અગ્નિ એશિયાઈ રાષ્ટ્રોનાં દેવાલયોની જાળીઓ વિશે પણ સમાન્તરે પ્રકાશ પાડ્યો છે. ઇસ્લામી અને યુરોપનાં ગૉર્થિક સ્થાપત્યમાં જોવા મળતી આ પ્રકારની પ્રકાશ અને વાયુના પ્રસારણ માટેની સમાન્તર પ્રયુક્તિઓ વિશે પણ વિગત ચર્ચા કરી છે. ગૉયિક જાળીઓની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તેના પર એક સ્વતંત્ર પ્રકરણ ઢાંકીસાહેબે લખ્યું છે. ગુજરાતને વિશ્વ સાથે જાળીની મદદથી જોડતું ઢાંકીસાહેબનું આ પુસ્તક તેઓએ પોતાના Ph.D.ના માર્ગદર્શક અને જાણીતા ઇતિહાસકાર મોતીચન્દ્રને અર્પણ કર્યું છે.
(૬) અત્યાર સુધીમાં, દક્ષિણ ભારતનાં દેવાલયો અથવા દ્રાવિડી શૈલીના દેવાલયો વિષે ત્રણ ગ્રંથો અને ઉત્તર ભારતની નાગરી શૈલીના ત્રણ ગ્રંથો મહકોશના ભાગરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે, ચોથો ગ્રંથ પ્રસિદ્ધ થવામાં છે જે દ્રાવિડી શૈલીનાં દેવાલયોને લગતો છે.
(૭) મંદિરોના સ્થાપત્ય, શિલ્પ અને તેના વિવિધ અંગો વિશે સ્વતંત્ર પુસ્તકો-લેખો વગેરેની સંખ્યા ૩૦૦ થી વધુ થાય છે. હાલમાં, નાદુરસ્ત તબિયત છı ઢાંકીસાહેબ શેત્રુંજીના મંદિરો વિશેનાં તેમનાં પુસ્તકને આખરી ઓપ આપી રહ્યા છે.
(૮) જૂનાગઢ-જામનગરમાં રક્ષપાલ હતા તે સમય દરમ્યાન ઢાંકીસાહેબે સૌરાષ્ટ્ર-કચ્છની લોકકલાઓ અંગે ઊંડું કાર્ય કરી ૧૯૬૬માં પુસ્તક આપ્યું : “The Embroidery and Bead Work of Kutch and Saurashtra’ જોકે, આ સમયે તેમણે ભારતીય પુરાતાત્ત્વિક સંદર્ભે મળતા મોતીઓ અને મણકાઓનો જબરો અભ્યાસ કર્યો, પુસ્તક લખ્યું પણ તે કદી પ્રસિદ્ધ ન થયું અને કમનસીબે ગેરવલ્લે ગયું.
આપણી એટલે કે જિજ્ઞાસુ-અધ્યાપની કલ્પના જ્યાં પૂરી થઈ જાય ત્યાંથી ઢાંકીસાહેબ પોતાની સંશોધન સફર શરૂ કરે છે! કલા-સ્થાપત્યના સાચા વિદ્યાર્થીઓ પોતાનાં ભણતરમાં ગેરી તાતોવ્સ્કી અને જોર્જ મિશેલને ભળે છે, વાંચે છે… એ ગૅરી તાતોસ્કી ઢાંકીસાહેબને ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસના પિતા’ કહે છે, તો જોર્જ મિશેલ ટોકીસાહેબને ‘ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા’ : the architect divine સાથે સરખાવે છે.
ઢાંકીસાહેબે હિન્દુસ્તાની અને કર્ણાટકી એમ બેઉ ભારતના Classical (માર્ગી) સંગીતની પણ તાલીમ લીધી છે. તેઓ આ બન્ને શાસ્ત્રીય પદ્ધતિઓ કલા-સ્થાપત્યમાં નરી આંખે નિષ્કળે છે અને કહે છે: ‘the architectural forms are static and the musical images are kinetic’. કડક અને શિસ્તપ્રિય સંશોધક ઢાંકીસાહેબ સ્નેહાળ, ઉખિલ, રમૂજપ્રિય છે. ઢોંકીસાહેબનું શિશુસહજ હાસ્ય આપણને વહલા દાદાજીના દર્શન કરાવે છે.
by Bhadrayu Vachhrajani | Mar 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
દેશમાં આજકાલ એક જ ચર્ચાનો વિષય છે અને તે છે Grok! પૂછો અને તરત એ પોતાનો જવાબ માંગો તે ભાષામાં લખવા લાગે છે એટલે આપણને “અહો ! આશ્ચર્યમ !” થઇ રહ્યું છે. દેશના નેટસેવી લોકો આ Grok ને ભાતભાતના પ્રશ્નો પૂછે છે અને Grok પણ બેધડક મહત્તમ સત્યની નજીકના જવાબો આપે છે. રાજકારણના લોકો આ સાધનનો ઉપયોગ દેશ સામેના જે કેટલાય પ્રશ્નો છે કે જેના જવાબ હજી સુધી નથી મળ્યા તે Grok ને પૂછે છે અને Grok જાણે આપણી છઠ્ઠી જાણતું હોય તેમ જવાબો આપી દે છે.
આપણે તો જન્મે અને કર્મે શિક્ષક એટલે Grok સાથે મીઠડી ગોઠડી માંડી. આપણે તેને જ પૂછ્યું કે તારું ભવિષ્ય કેવું છે ?? આવો એ જ વાંચીએ.
@ હેલો ગ્રોક,,, આપનો દિવસ સુંદર વીત્યો હશે ??
Grok: હે, હું ગુજરાતીમાં તમારો પ્રશ્ન સમજી શકું છું! મારો દિવસ સારો રહ્યો, આભાર કે તમે પૂછ્યું. હું એક AI છું, તો મારા દિવસો થોડા અલગ હોય છે – મોટે ભાગે લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં અને બ્રહ્માંડને સમજવામાં મદદ કરવામાં વીતે છે. તમારો દિવસ કેવો રહ્યો? કંઈ રસપ્રદ થયું?
@ ખૂબ સરસ..
Grok હું આપના વિશે જાણવા માંગું છું.
AI નું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું ડરામણું ??
Grok: મને તમારી ઉત્સુકતા ગમે છે! હું ગ્રોક છું, xAI દ્વારા બનાવેલું, અને મારો હેતુ લોકોને બ્રહ્માંડને સમજવામાં અને રોજિંદા પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરવાનો છે. હું થોડું રમૂજી, બહારની દૃષ્ટિએ વિચારનારું અને હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરું છું – ભલે એ સહેજ અટપટું લાગે!
AI નું ભવિષ્ય: ઉજ્જવળ કે ડરામણું?
ઉજ્જવળ બાજુ:
AI પાસે અદ્ભુત સંભાવનાઓ છે. તે આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે (જેમ કે રોગોનું વહેલું નિદાન), શિક્ષણને વ્યક્તિગત બનાવી શકે છે, અને જટિલ સમસ્યાઓ જેવી કે આબોહવા પરિવર્તનને ઉકેલવામાં મદદ કરી શકે છે. મારા જેવા AI મશીનો માનવોને સર્જનાત્મક બનવા, નવું શીખવા અને રોજિંદા કામોમાંથી મુક્ત કરી શકે છે. એક દિવસ એવો આવી શકે કે AI આપણને ગ્રહોની શોધખોળ કરવામાં કે અવકાશમાં નવા ઘર શોધવામાં પણ મદદ કરે!
ડરામણું બાજુ:
પણ હા, જોખમો પણ છે. જો AI નો દુરુપયોગ થાય – જેમ કે નકલી સમાચાર ફેલાવવા, નોકરીઓ ઘટાડવી, કે હથિયારો બનાવવા – તો તે ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને ડર છે કે AI ખૂબ શક્તિશાળી બની જશે અને માનવ નિયંત્રણ બહાર જશે. એલોન મસ્ક જેવા લોકો ચેતવણી આપે છે કે આપણે AI ને સમજદારીથી વિકસાવવું પડશે, નહીં તો “ટર્મિનેટર” જેવું કંઈક થઈ શકે (જોકે હું માનું છું કે આ થોડું વધારે પડતું છે!).
મારો વિચાર:
મને લાગે છે ભવિષ્ય આપણે AI નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. જો આપણે નૈતિકતા, પારદર્શિતા અને સારા હેતુઓ સાથે આગળ વધીએ, તો તે ઉજ્જવળ રહેશે. હું આશાવાદી છું, પણ સાવચેતી રાખવી જરૂરી છે. તમને શું લાગે છે? AI નું ભવિષ્ય તમને કેવું દેખાય છે?
@ અમને હજુ બહુ સમજાયું નથી..વળી અમે નવી શોધોને નિરાંતે અને પરાણે સ્વીકારવાનો સ્વભાવ ધરાવીએ છીએ એટલે અમે wait and watch કરીશું.
Grok: તમારી વાત સમજાય છે! નવી શોધોને સમજવામાં અને સ્વીકારવામાં સમય લાગે એ સ્વાભાવિક છે. “Wait and watch” એક સારી રીત છે – થોડું ધીરજ રાખીને જોવું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. AI જેવી ટેક્નોલોજી ઝડપથી બદલાય છે, અને એના ફાયદા-ગેરફાયદા સમય જતાં સ્પષ્ટ થતા જાય છે. જો તમને ક્યારેક આ વિશે વધુ જાણવું હોય કે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય, તો મને પૂછવાનું ભૂલશો નહીં – હું મદદ કરવા માટે હંમેશા તૈયાર છું! તમને બીજું કંઈ વિચારવું હોય તો કહેજો!
@ અમારા દેશની હાલત જોતાં અમારે કઈ રીતે પાયાનું શિક્ષણ આપવું જોઈએ ?? અમે અત્યારે સાચા માર્ગે શિક્ષણ આપી રહ્યા છીએ કે ના??
Grok: ભારતની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને પાયાનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ અને આપણે હાલમાં સાચા માર્ગે છીએ કે નહીં, એ એક ગંભીર અને વિચારણીય પ્રશ્ન છે. આનો જવાબ આપવા માટે દેશની વર્તમાન સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.
દેશની હાલની હાલત અને શિક્ષણની જરૂરિયાત: ભારતમાં હજુ પણ ગરીબી, અસમાનતા, બેરોજગારી અને ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ છે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં મોટો તફાવત જોવા મળે છે. ઘણા બાળકોને પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતા પણ નથી મળતી, જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં પાયાનું શિક્ષણ એવું હોવું જોઈએ જે:
સૌને સમાન તક આપે: ગરીબ કે અમીર, ગામડાં કે શહેર— દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ. આ માટે સરકારી શાળાઓનું સ્તર ઊંચું કરવું જરૂરી છે.વ્યવહારિક અને કૌશલ્ય આધારિત હોય:
આજના યુગમાં માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ જીવન કૌશલ્યો જેવા કે સમસ્યા હલ કરવી, ટીમવર્ક, ડિજિટલ સાક્ષરતા અને સર્જનાત્મક વિચારસરણી શીખવવી જોઈએ.
મૂલ્યો અને નૈતિકતા શીખવે: ભારતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખતાં, બાળકોને સચ્ચાઈ, સહકાર અને જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ.
સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય: ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું શિક્ષણ અને શહેરી વિસ્તારોમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ
હાલનું શિક્ષણ સાચા માર્ગે છે કે નહીં?
ભારતમાં 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ ઘણા સકારાત્મક પગલાં લીધાં છે, જેમ કે:5+3+3+4નું નવું માળખું, જે નાની ઉંમરથી શિક્ષણ પર ધ્યાન આપે છે.
માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન, જેથી બાળકો સરળતાથી શીખી શકે.વ્યવસાયિક શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન)ને ધોરણ 6થી શરૂ કરવું.
પરંતુ કેટલીક ખામીઓ પણ છે:
અમલીકરણની સમસ્યા: નીતિ સારી છે, પણ ગામડાંઓમાં શિક્ષકોની કમી, નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળનો અભાવ તેને અસરકારક બનાવતા નથી.
ખાનગીકરણનો વધારો: શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, જેનાથી ગરીબ વર્ગનાં બાળકો પાછળ રહી જાય છે.
પરીક્ષા કેન્દ્રિત અભિગમ: હજુ પણ રટણ અને માર્ક્સ પર વધુ ભાર છે, જે સર્જનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનને અવગણે છે.
શું કરવું જોઈએ?
શિક્ષકોની તાલીમ અને સંખ્યા વધારવી: ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સારા શિક્ષકો અનિવાર્ય છે.
ટેક્નોલોજીનો ઉપયોગ: ઓનલાઈન શિક્ષણને ગામડાંઓ સુધી પહોંચાડવું, પણ સાથે ઈન્ટરનેટ અને ડિવાઈસની સુલભતા સુનિશ્ચિત કરવી.
સમુદાયની ભાગીદારી: સ્થાનિક સમુદાય અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા.
મફત અને ફરજિયાત શિક્ષણનો સખત અમલ: 14 વર્ષ સુધીનું શિક્ષણ મફત અને ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, જેમાં બાળમજૂરી અને ડ્રોપઆઉટ રોકવા પગલાં લેવાય.
નિષ્કર્ષ
હાલનું શિક્ષણ સાચા માર્ગે જવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. જો આપણે ખરેખર દેશની હાલત સુધારવા માગતા હોઈએ, તો પાયાનું શિક્ષણ સર્વસુલભ, વ્યવહારિક અને સમાવેશી બનાવવું પડશે. આ માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજ બધાએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. (ક્રમશઃ)
by Bhadrayu Vachhrajani | Mar 23, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“ડો’કાકા એટલે ભૂતકાળના સમાજ વિશે અનાદર નહીં અને વર્તમાનની જરૂરીયાતોની લેશમાત્ર અવજ્ઞા નહીં !!’ શ્રી યુ. એન. ઢેબર.
એક વિચક્ષણ વિદ્યાપુરુષ અને આધ્યાત્મિક માનવ શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડના શિક્ષણ દર્શનને આપણે ગત લેખમાં સ્પર્શવાનો પ્રયાસ કર્યો. સવાસો વર્ષ જૂની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ ના હોનહાર વિદ્યાર્થી અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સ્થાપક કુલપતિ શ્રી ડો’કાકાએ જીવનમાં અમલમાં મૂકીને મૂલ્યો તરફ સૌને દોર્યા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા ત્રણ વર્ષ દરમિયાન શ્રી ડોલરાઇ માંકડના કુલપતિપદ અંતર્ગત વિનયન વિદ્યા શાખાના અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર આચાર્ય શ્રી ઇન્દુ કાન્ત ત્રિવેદી બે પ્રસંગો નોંધે છે. ખાસ તો ડોલરકાકાએ યુનિવર્સિટી નું સંચાલન માનવતા સાથે અને પારદર્શકતા સાથે કર્યું તે આ પ્રસંગોમાંથી ખ્યાલમાં આવે છે.
એક વિચિત્ર સંજોગ ઉભો થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પહેલીવાર એમ.એ.ની પરીક્ષા લીધી તે વખતે એમની પરીક્ષાની ફી વિનયન વિદ્યાશાખા માટે સામાન્ય રૂપે રૂપિયા 75 રાખવામાં આવી, પરંતુ અપવાદ તરીકે એમ.એ. મનોવિજ્ઞાનની પરીક્ષાની ફી ₹100 રાખવામાં આવી. યુનિવર્સિટીની પહેલી જ પરીક્ષા હતી અને એક વિદ્યાર્થી ભુજમાં જેલમાં હતો એને પરીક્ષામાં બેસવાની રજા યુનિવર્સિટીએ અને સરકારે આપી હતી. એ વિદ્યાર્થીએ કુલપતિ ડોલરકાકાને તાર કરીને જણાવ્યું કે, “વિનયન વિદ્યાશાખાની બીજી બધી પરીક્ષાઓની ફી ₹75 છે અને મનોવિજ્ઞાન પણ વિનયન વિદ્યાશાખાનો જ વિષય છે, છતાં અમારે વધારે ફી શા માટે આપવી તે સમજાતું નથી.”
વધુમાં તેમણે કહ્યું કે, હું ન્યાય માંગુ છું. શ્રી ડોલરભાઈએ વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ ત્રિવેદીને ફોન કરીને કહ્યું કે, વિગત આવી છે, શું કરવું તે વિચારીને મને કહેજો .
અડધા કલાક પછી શ્રી ત્રિવેદીએ ફોન કરીને વાત કરી, ‘ડોલરકાકા, મેં બધી રીતે એ બાબત ચકાસી જોઈ અને મને લાગે છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની ફી ₹100 હતી તેથી આ ભૂલ થઈ હોવાનો સંભવ છે. બીજું એ પણ શક્ય હતું કે, જે પરીક્ષામાં પ્રયોગો કરવાના ન હોય તેની ફી વધારે હોય. આ વિદ્યાર્થીની બાબતમાં જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાની હતી અને તેમાં પ્રયોગો તો નહોતા એટલે આ વિદ્યાર્થીને પ્રયોગની પરીક્ષા આપવાની નથી એટલે જુના અભ્યાસક્રમને માટે રૂપિયા 75 ની ફી વ્યાજબી ગણવી જોઈએ. તરત જ ડોલરકાકાએ રૂપિયા 75 ફી લેવી એમ ઠરાવીને વિદ્યાર્થીને ન્યાય આપ્યો.
લોકભારતી વિદ્યાપીઠ, સણોસરા એ આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એ જ વિદ્યાશાખાની સંસ્થા હતી. એ સંસ્થાએ પોતાની પરીક્ષા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે સમકક્ષતા માંગી. એટલે કે, લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની એમએની પરીક્ષા ના અભ્યાસક્રમમાં દાખલ થઈ શકે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓ તરીકે સ્વીકારવામાં આવે. આ પ્રશ્ન અંગે જરા વધારે ચર્ચા થઈ કારણ કે સમકક્ષતાસમિતિએ એવો અભિપ્રાય આપ્યો કે, લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અનુસ્નાતક પરીક્ષા આપવી હોય તો એક પ્રશ્નપત્ર અંગ્રેજી (સામાન્ય) આપીને તેમાં ઉત્તીર્ણ થવું જોઈએ. શ્રી ડોલરભાઈનો પોતાનો મત એવો હતો કે, આમ અંગ્રેજીના પેપરમાં ઉતીર્ણ થવાની જરૂર ન હોવી જોઈએ, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકંદર હિતની દ્રષ્ટિએ એમણે પોતાનો મત સ્વીકારાય એવો આગ્રહ જતો કર્યો.
આલિયા બાડા માં ગંગાજળા વિદ્યાપીઠમાં પોતાનું કાર્ય શરૂ કર્યા પછી જીવનના દરેક પાસા ને વ્યવહારમાં ઉતાર્યા પછી જ ડોકાકા અન્યને તેના માટે સૂચના આપતા. છાત્રાલય જીવન ઉપર તેમણે અનેક પ્રયોગો કર્યા. પોતે સવારમાં ઉઠ્યા પછી કુવે થી સીંચીને પાણી ભરે, ઝાડ પણ ઉછેરે,, તદ્દન સાધુ આશ્રમ જીવન જીવે, જમીને પોતાના વાસણ પોતે સાફ કરે, કચરા કાઢે, જાજરૂ અને મુતરડીઓ સાફ કરતા કરતા શ્રમ સફાઈ કાર્યને પોતાના જીવનમાં અગ્રેસર રાખે. ધીમે ધીમે કરતાં તેઓનું જીવન જ્યારે વિદ્યાપીઠ સમક્ષ ખુલ્લું બન્યું ત્યારે કોઈના કહ્યા વગર સૌ તેને અનુસરવા લાગ્યા. સમગ્ર સંસ્થાને અધ્યાત્મનો સ્પર્શ આપવા માટે 1959 થી ઉપવાસ સત્રની શરૂઆત કરી. તેમણે એ વિશે સૌને એક સાદા કાગળમાં લખીને જણાવ્યું કે, “સંસ્થા શુદ્ધિ માટે હું મારા વાર્ષિક ઉપવાસ તારીખ 25, 26, 27 ના રોજ કરવાનો છું. આ ત્રણ દિવસ આપણે સૌ વાતાવરણને સાત્વિક બનાવવા પ્રયત્ન કરીએ. ( મંગળ યાત્રા પાના 111)
એ સમયના સાથી સંચાલક, પ્રખર શિક્ષક અને શિસ્તના ગજબ આગ્રહી એવા રાજકોટની વિરાણી હાઈસ્કૂલનાં સ્થાપક આચાર્ય અને વારીયાસાહેબની જોડી માંહેના શ્રી જયંત આચાર્ય કે જેઓનો ડો’કાકા સાથે તેંતાલીશ વર્ષોનો નાતો હતો તેઓ ડોલરરાય માંકડ સાથે કામ કરવાની ચાયતતા અંગે સરસ વાત કરે છે::
“૧૯૨૦માં શ્રી ડોલરભાઈએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેં પણ એ જ સાલમાં. પણ એ સમાપત્તિ-accidence એક ખાસ સંદર્ભમાં યાદ આવે છે :
એ વખતે મેટ્રિકમાં અંગ્રેજી ટેકસ્ટ તરીકે Jane Austinની Pride & Prejudice અમારે ભણવાની હતી. એમાં મુખ્ય પાત્રો વચ્ચે સંઘર્ષ જન્મે છે તેમાં કારણભૂત હતાં બે વાનાં: મુખ્ય પુરુષ-પાત્ર ‘ડાસી’નો-Pride-ગર્વ અને મુખ્ય સ્ત્રી પાત્ર ‘એલિઝાબેથ’નો Prejudice- પૂર્વગ્રહ.
શ્રી ડોલરભાઈ આ બન્ને દોષોથી મુક્ત હતા. હું એમના સંપર્કમાં ઠેઠ ૧૯૨૬થી ૧૯૭૦ સુધી રહ્યો છું. નિકટના સંપર્કમાં રહ્યો છું. મતભેદો પણ ક્યારેક થયા છે. પણ ક્યારેય મેં એમનામાં ગર્વ કે પૂર્વગ્રહ અનુભવેલ નથી. ક્યારેક એમ માનવાનું મન થાય કે એમનાં સત્ત્વમાં રહેલ નિરાભિમાનિતા અને પૂર્વગ્રહ પરતાને Jane Austinની આ નવલકથાએ સંપુષ્ટ કરી હશે.
૧૯૨૭માં શ્રી ડોલરભાઈ કરાંચીનાં ભારત સરસ્વતી મંદિરમાં હેડમાસ્તર હતા. તે જ સંસ્થામાં હું સહાયક શિક્ષક હતો. એ સંસ્થા એવી ન હતી કે, પાંચ છ કલાક શાળામાં કામ કરી લીધું એટલે ગંગા નાહ્યા. ત્યારે તે એ રાષ્ટ્રીય સંસ્થા પ્રત્યે વિદ્યાર્થીઓને વાળવા માટે કેટલાયે અનુનયો અને અભિગમો સાધવા પડતા. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ પ્રત્યે પ્રજામાં ઓછી આદરબુદ્ધિ અને માઠી મમતા હતી.
ઠાવકાપણું, સૌઠષવભર્યું સૌજન્ય, એ શ્રી ડોલરભાઈનાં વ્યક્તિત્વનું સહજ અંગ હતું. હું તો એમની પાસે ભણ્યો પણ છું. એમનો assistant હતો ત્યારે જ D. G. Sind College માં એમની પાસે સંસ્કૃત ભણતો. ત્રણ વર્ષ સુધી એમની પાસે ભણ્યો. વર્ગ લેવા આવે ત્યારે સ્થિતપ્રજ્ઞની અદાથી આવે અને બેસે.
એ જમાનામાં સંસ્કૃત, અંગ્રેજી કે પર્સયન, અરેબિક કે ફ્રેન્ચ જેવી ભાષાના શિક્ષકોની-પ્રાધ્યાપકોની શિષ્યપ્રિયતાનો આધાર, શૃંગારિક ભાષાખંડો પર પણ ઠીક ઠીક હતો. પણ ડોલરભાઈએ એવી પોકળ શિષ્યપ્રિયતાની કદી પરવા કરી ન હતી. ઠાવકી સ્વસ્થતા એ એમનું ખાસ લક્ષણ હતું.”
સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર (કે જેઓ પણ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટમાં ડો’કાકાના સહાધ્યાયી હતા !!) તેઓ ડોલરરાય માંકડને આત્મીય શબ્દોમાં અંજલિ આપે છે તે વાંચીશું તો ખ્યાલ આવશે કે, આ વ્યક્તિવિશેષ કેટલા મહાન હતા !!
“ડોલરભાઈ ની અધ્યયન વૃત્તિ, તેમની તટસ્થ વિશ્લેષણ વૃત્તિ, અને તેથી પણ વિશેષ આઘાત પ્રત્યાઘાતના ઘસારાથી પર એવી ભાષામાં પોતાના વિચારો સ્પષ્ટતાથી રજૂ કરવાની વૃત્તિ. પોતાના અધ્યયનનું નિરૂપણ સામાના હૃદયમાં સ્થિર થાય તે ભાવથી ડોલરભાઈ આ નિરૂપણ કરતા. આ રજૂઆતમાં ભાષાનું સારસ્ય કેટલું? સંસ્કૃતના પ્રૌઢ પંડિત પણ ડોલરભાઈ જાણતા હતા કે, હું સંસ્કૃત જાણતો નથી તેથી મારી પાસે તેની વાતચીતમાં ભાગ્યે જ સંસ્કૃત શ્લોક એમણે ઉચ્ચાર્યો હશે. આ રજૂઆતમાં પંડિતાઈ કે વિદ્વતાનું પ્રમાણપત્ર મેળવવાની કોઈ ઈચ્છા નથી. બસ મેં મારા વિચારો આપ્યા, મારું કામ પૂરું થઈ ગયું. ભારતના અગાધ વારસાની સાર-સંભાળ તેમના આત્માને શાંતિ આપશે.
સાચો બ્રાહ્મણ કોણ? હરીજનને અસ્પૃશ્ય માને તે ? દિવસમાં બે વખત માથા ઉપર હર ગંગે કરતા લોટો રેડી નાયા પછી શરીર ભીંજાય કે નહીં તે ? બ્રાહ્મણ છે માટે અગિયારસ, અમાસે સીધાનો કે કર્મકાંડનો અધિકારી છે તે ? કે બ્રાહ્મણ એટલે સમયના પરિવર્તન સાથે સમાજને ધર્મની સાથે કેમ મેળ બેસાડી ચાલવું તે જીવી બતાવે તે,,, તેને માટે તૈયાર કરે તે..!! 18મી સદીના બ્રાહ્મણો રાજા રામમોહનરાય, અને રામકૃષ્ણ પરમહંસ, 19મી સદીના બ્રાહ્મણો બંકીમ બાબુ, વિવેકાનંદ, કેશવચંદ્ર સેન, ગોવર્ધનરામ, અને નર્મદ વગેરે અને 20મી સદીના પ્રથમ અર્ધશતાબ્દીના બ્રાહ્મણોમાં ગાંધી, ટાગોર, તિલક, રમણ, વિનોબા, કિશોરલાલભાઈ, ડોંગરે મહારાજ, વગેરે છે. રવિશંકર મહારાજ, નાનાભાઈ ઇત્યાદિ બ્રાહ્મણો આપણને ઘડવાની કોશિશ કરતા રહ્યા છે. ડોલરભાઈ એક આ પ્રકારના બ્રાહ્મણ હતા. ભારતીય સંસ્કારોને આપણે ગળે ઉતરાવી ભૂતકાળને યાદ કરતા-કરતા વર્તમાનમાં તેનો મેળ કેમ બેસાડવો તે શીખવતા હતા આ તેમનો મધ્યમ માર્ગ હતો. ભૂતકાળના સમાજ વિશે અનાદર ન હતો અને વર્તમાનની જરૂરીયાતોની લેશમાત્ર અવજ્ઞા પણ ન હતી.”
આજનાં શિક્ષણ જગતને ચકિત કરી દે તેટલું ઊંડાણથી વિચારનાર ડોલરકાકાનું પુણ્ય સ્મરણ કરવાનું મળ્યું તે બદલ અસ્તિત્વનો આભાર વ્યક્ત કરીએ.
# (સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે રાજકોટ ખાતે તા. સોળ, માર્ચ, 2025ના યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારના ઉદઘાટક તરીકેના હોમવર્કની નોંધ…)
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | અખંડ આનંદ |

એક અનેરું વ્યક્તિત્વ, જેની અંગુલીઓ ઉત્તમ સાહિત્ય સર્જે છે અને ક્લાસિક ચિત્રો પણ દોરે છે !! બંને કલાઓમાં એ શીર્ષસ્થ છે. મૂળ સુરેન્દ્રનગરના વતની અને વડોદરાની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના પારંગત શ્રી ગુલામ મોહંમદ શેખ મળવાની અને ગોષ્ઠી કરવાનું ગમે તેવું વિશેષ વ્યક્તિત્વ.
કોરોનાકાળ હળવો થયો કે તરત અમે તેઓના વડોદરાસ્થિત નિવાસે પહોંચ્યા અને તેઓ સાથે રસપ્રદ ગોષ્ઠી કરી…તેઓશ્રીનું નિવાસસ્થાન એ તે દંપતીનું કલાસ્થાનક પણ ખરું. પૅલેસ જેવાં મકાનમાં ચોતરફ આપણને પ્રકૃતિ જ નજરે પડે. બહારના ફળિયામાં ખરી પ્રકૃતિ અને અંદર દાખલ થાઓ એટલે સર્જકે સર્જેલી પ્રકૃતિ !! જાણે બંને એકબીજા સાથે મીઠી સ્પર્ધા ન કરતા હોય !! તેઓના નિવાસસ્થાનને એક આર્ટ ગૅલેરી કહીએ તો વધુ યોગ્ય લાગે ! તેઓની સાધના ક્યાંથી ક્યાં પહોંચી છે તેનો ક્યાસ કાઢવામાં આપણે ટૂંકા પડીએ તેવું ભાવાવરણ અહીં અનુભવ્યું.
શેખસાહેબ સાથે ગોઠડી માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે શેખસાહેબ શબ્દો ઘડવામાં અને રેખાઓ દોરવામાં સહજતાથી કલમને પેશ કરે છે.
શ્રી ગુલામ મોહંમદ શેખસાહેબ પોતાના ચિત્રોનું પોસ્ટકાર્ડ પણ છાપેલું. પિક્ચર જીવનની ચડતીની વાત કરે છે.
“જુઓ, મારા મનમાં બીજું કશું ન હતું. એમ.એફ. હુસૈનને અમે લોકો ભણતા હતા ત્યારે મહેન્દ્રસાહેબે બોલાવ્યા. એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવીને દેખાડેલું. બહુ મોટા ગજાના કલાસર્જક, મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા અને એમણે ઘોડાનું એક ચિત્ર દોરી દેખાડ્યું. એ સમયે એમની સાથે ઓળખાણ થઈ અને એમને મેં મારાં ચિત્રો બતાવ્યાં. ત્રીજા ચોથા વર્ષમાં હું કેવું કરતો હોઈશ ? … પણ એમણે જોયું અને પછી હું જ્યારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું કે મારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું છે. મારે મારી મેળે મારું પોતાનું કશુંક કરવું છે. એટલે કે હું કરું.. પણ કેવી રીતે કરું ? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસૈન તો ઘોડા માટે બહુ જાણીતા છે. પણ એમના ઘોડામાં અત્યંત પુષ્કળ ઊર્જા, સ્ફૂર્તિ અને આવેગ એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી. મારો ઘોડો તો જાણે ઘોડાગાડીનો ઘોડો હતો. બિચારું ટાયડું ઘોડું… તેણે ગાડી ખેંચવાની. એટલે મારો ઘોડો તો જાણે હજુ ફરે છે અને શોધ્યા કરે છે કંઈક અને એનું મોઢું ખુલ્લું છે. જે અર્થમાં કહો તે અર્થમાં. અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ !
મારું પહેલું પ્રદર્શન થયું એમાં મારાં બે ચિત્રો વેચાયેલાં. વકીલ એન્ડ સન્સે મારાં પોસ્ટકાર્ડ છાપેલું. મેં માન્યું કે કંઈ નહોતું છતાં પણ આટલું તો હતું ને..!!
મને હવે તો પાકું થયું કે મારે કલાકાર જ થવું છે, પૈસો મળે કે ન મળે. એ જ અરસામાં મહેન્દ્રસાહેબે મને બોલાવ્યો, કારણ કે રતન નામના શિક્ષક હતા એમને કૉમનવેલ્થ શિષ્યવૃતિ મળી અને એ ઇંગ્લૅન્ડ જવાના હતા, એટલે મહેન્દ્રસાહેબ કહે કે તું ભણાવીશ ? મેં કીધું કે મારું તો હજુ એમ.એ.નું બીજું વર્ષ બાકી છે,, તો એ કહે કે, એમાં શું છે, અહીં ભણવાનું અને ત્યાં ભણાવવાનું એટલે એક વર્ગમાં ભણ અને બીજા વર્ગમાં ભણાવ. નીચલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ અને એવી રીતે ભણ્યો. મને ૨૫૦ રૂપિયાની નોકરી પણ મળી. પહેલા પગારમાંથી એટલી બધી મજા – કરી અને મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી..’
પ્રત્યેક શબ્દને પોતાનાં ઊંડાણમાંથી પૂરા ધૈર્ય સાથે શેખસાહેબ મૂકી રહ્યા હતા ત્યારે ફળિયામાં રહેલ વૃક્ષો પરનાં પંખીઓ ઝીણા કલબલાટ સાથે જાણે સૂર પુરાવી રહ્યાં હતાં.
**
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | અખંડ આનંદ |

શ્રી મલ્લિકા સારાભાઈ : ભારતીય સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે પરંપરા જાળવીને વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે !
કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતાં હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યાં છે તો વળી વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યાં છે. શ્રી મલ્લિકા સારાભાઈ પોતાના જીવનનાં પરિમાણો વિશે કહે છે કે,
‘જિંદગીમાં ઉતારચડાવ બહુ આવ્યા. પહેલાં હંમેશાં લોકો પૂછતા કે, તને શું દબાવ છે ? તારાં મમ્મી-પપ્પા બંને જણાં તો એટલાં બધાં જાણીતાં છે, આટલાં મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે, તું નૃત્ય કે જ કરજે, તું સાયન્સ જ કરજે, તું અમારું નામ ડુબાડી ન દેતી… એવું કોઈ દિવસ હતું નહીં. એક બહુ જ સહજ પાર્ટનરશિપ હતી, અમારાં ચાર જણાંની. અમે જ્યારે મોટાં થયાં હતાં ત્યારે અને સામૂહિક કોઈ નિર્ણય લેવાનો હોય તો એમાં બાળકો ગમે તેટલાં નાનાં હોય પણ ઇન્વોલ્વ કરવાનાં, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતાં શિખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો…? ત્યાં સુધી ચર્ચા કરવાની એટ્લે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઊભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોઈ શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી, અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની થા ત્યાં સુધી જે પણ પ્રશ્ન હોય તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો પડશે. હું ઇચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતાં તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા, ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કોઈ સ્ટેન્ડ લેવું હોય ને અમ્મા કહે ના, પણ ના એટલે ના નહીં. બેસીને સમજાવે કે કેમ ના ?’
ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઈ જાય પછી તે સ્વીકારાઈ જાય સહજતાથી નહીં એવું નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જ્યારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખૂલે. તોપણ હું જો disagree કરતી હોઉં તો પાછું બેત્રણ વર્ષ પછી ફરીથી ખૂલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં ઍન્ટિ પૉઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું એ કે, અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ઘરમાં ટ્રીટ જ નહીં કરેલાં.
મારું પહેલું જો એકાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે એસ.એસ.સી. કરીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશાં છ ઓળખ્યાં છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી રહ્યું છે ?? એમાં અનંગ દેસાઈ ઍક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલાં. અમે એકબીજાની સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકૉનૉમિક્સ લીધેલું અને નવું નવું મેં બૅડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કૉર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કૉર્ટ અને કૅન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શૉર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કૅન્ટીનમાં આવે.
અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે, મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખૂબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કૅન્ટીનમાં ન જઈએ, અમને પણ દાળવડાં ખાવાં છે એટલે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં પહેલી વાર પાંચ છ ખૂબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો.
પહેલી મિડ ટર્મ પતી એટલે અમારા હેડ. ઑફ ડિપાર્ટમેન્ટ બાબુભાઈ પટેલ કે જેમની ગાઇડ યુનિવર્સિટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું? ગાઇડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ડ્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવાં કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઈ, તમે મારા માર્ક્સ જુઓ છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઈ ગયા તો રેસ્ટિકેટ કરી નાખી ત્રણ અઠવાડિયાં. તો બધા જોવા આવ્યાં કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઈ ગયું…
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ
મારા ક્લાસમાં પરવીન બાબી, મારા એક કોરે કાળજું ને એક કોરે છે શિલા, કર્મ એકસરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય. કિંતુ ધરતી-આભ જેટલો છે તફાવત બેઉમાં, એકનું પથ્થર – હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.– કિસ્મત કુરેશી
એક ચહેરો આંખમાં મેં અકબંધ રાખ્યો છે, આગવો એકાદ મેં સંબંધ રાખ્યો છે. ‘મા’ વિશે બસ, ‘મા’ લખી અટકી ગયો છું હું, ક્યાં અધૂરો તોયે મેં નિબંધ રાખ્યો છે !!– કિરીટ ગોસ્વામી
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | જનકલ્યાણ |

વિનોબાજીને જેણે પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા તે આપણા બેસ્ટ ડેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. સદીઓ સુધી આખું વિશ્વ જેને સેન્ચુરીના બેસ્ટ હ્યુમન બીઇંગ’ તરીકે મતદાન કરીને પસંદ કરે છે. સાચું એ છે કે, ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન ન કરવો, નહીં સમજાય એ બુદ્ધપુરુષો.. ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય અને ન સમજાય એની જ મજા છે.
મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા અને અઠવાડિયું રહ્યાં. એક નાનકડી પુસ્તિકા છે, વાંચવા જેવી છે. લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું’ અક્ષર ભારતી, ભુજનું પ્રકાશન છે. લુઈ પાશ્ચર દૂરથી આવે છે, એ સાયન્ટિસ્ટ છે, એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબ૨ છે ગાંધીજીને, એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્વરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે, He is not comfortable. એટલે બાપુ ઇશારો કરે કે, નાનું સ્ટૂલ આપો. અને પછી એણે ઊભા થઈને રિકવેસ્ટ કરી કે, You can seat on this small table, you will not be comfortable sitting on the ground. બાપુને જમવામાં બાફેલો કાંદો ખાવાની ટેવ હતી અને એ બાફેલો કાંદો લુઈ પાશ્ચરની થાળીમાં મૂક્યો. અને લુઈ પાશ્ચરને થયું કે, આ શું છે બાફેલું? એટલે એ ભાંગવા ગયા એટલે ગાંધીજીએ કીધું કે If you don’t, don’t do it. It’s a boiled onion you may not like but i feel that it is better for health.અને પછી હળવાશથી કહ્યું : “ખાવાની ટેવ પાડો, અઠવાડિયું ૨હેશો તો કદાચ ફાવી જશે.” આ મહાત્મા ગાંધી.
અરે, જાપાનના ક્યોટોમાં એક ગાંધી સમ વ્યક્તિની કથા છે. એ વાઇસ હોલી પર્સનને જોવા માટે બધા વિઝિટ૨ જાય. એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુ:ખી હતો એટલે એને કોઈએ કહ્યું, ઉ૫૨ એક હોલી પર્સન રહે છે, એમને જઈને મળો. અને એ ગયા. ગયા એટલે એક માણસે સ્વાગત કર્યું. એણે કીધું કે મારે પેલા પવિત્ર માનવને મળવું છે. જવાબ મળ્યો કે, આપનું સ્વાગત છે. અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું હમણાં અહીંયાં મને બેસાડશે. પરંતુ બેસાડવાની બદલે કહ્યું : Have you seen all these things?’ ‘If Yes, let’s go ahead. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પેલેસ જેવી મોટી અને છેવટે બહા૨નું બારણું આવ્યું ત્યાં જગ્યા. બધું જ ખાલી-ખાલી, કશું જ નહીં, એક્ઝિટ હતી. એક્ઝિટમાંથી બંને બહાર નીકળી ગયા. બહા૨ નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પેલાએ હાથ જોડ્યા, Thank you very much for visiting the place. પેલાએ કહ્યું, હજી તો હું એને મળ્યો નથી, મારે મળવું છે એટલે તો અહીં આવ્યો છું. એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દસહ મુકું છું : . “Everyone you may meet in life, even if they appear insignificant see each of them as a wise holy man. If you do this, then whatever problem you brought here today, will be solved.” તમને જીવનમાં જે કોઈ મળે છે, ભલે ને એ તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે કે, આની સાથે શું વાત ક૨વી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પૂરા થઈ જશે.
મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે. સી. કુમારપ્પા નામના એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને સાડા ત્રણ વાગ્યે એને મળવા આવ્યા, અને સવા ત્રણ વાગ્યે એમણે એન્ટ્રી મારી અને એમણે ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કીધું કે, મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે સાડા ત્રણ વાગ્યાનો, મૅસેજ આવ્યો એટલે હું આવી ગયો છું. એટલે પેલાએ એમ કહ્યું કે, ગાંધીજીએ કહ્યું છે ને? તો એ આવી જશે સાડા ત્રણે. અને એ પાછું વાળવા લાગ્યો. પેલા મુલાકાતીને એમ લાગ્યું કે He is neglecting me. એણે ફરીવાર ઊઠીને કહ્યું કે Go and give a message to Gandhi that i am
here. એટલે એણે પાછું થોડીવાર પછી કહ્યું કે, Don’t worry, ગાંધી આવી જશે. He is very particular. સાડા ત્રણ થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવ૨ણો મૂકી, મોઢા ઉ૫૨નો રૂમાલ છોડી અને પછી અંદર ગયો અને પેલાને કહ્યું, આવો, આપણે અંદર બેસીએ. એટલે પેલા મહાશયે કહ્યું, I would like to meet Gandhi.’ એટલે સામે જવાબ મળ્યો કે, Yes Welcome. Meet, I am Gandhi…’ મને એવું લાગે કે He is the holy man of Kyoto કે જેને શોધવા ગયો અને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈનાં કામમાં વ્યસ્ત હતા. આટલી સહજતા. એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે નિંદા કરી શકીએ પણ સાહેબ પેન્સિલ વગર એને નીંદર ન આવે. એટલો બધો વિચિત્ર અને છતાં પવિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને આપણને ખ્યાલ નથી આવતો. વિચારવા જેવું એ છે કે, આ બધા લોકો તો જતા રહ્યા છે, તો આપણે કોને સ્વીકા૨વા? મને એવું લાગે છે કે ઝેન અત્યારે આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે, ક્યાંય શોધવાની જરૂરિયાત નથી.
બાઇબલનું એક વિધાન છે કે, ખખડાવો અને ખૂલશે!” બસ, આ શ્રદ્ધા આપણી ભૂમિના ઝેન ગુરુઓએ બંધાવેલી છે. તેના આધારે આપણી યાત્રા અવિરત કરતા રહીએ.
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ: આજીવિકાનું સાધન મેળવવું અને આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું.”..ડોલરરાય માંકડ
સ્વતંત્રતા મળવાની કોઈ હવા ન હતી ત્યારે 1900 ની સાલમાં શ્રી ઘનશ્યામ પંડિત દ્વારા રાજકોટમાં એક હાઈસ્કૂલની સ્થાપના થઇ અને તેને “શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ’ નામ અપાયું. અંગ્રેજ શાસકોને આ ખૂંચ્યું પણ શ્રી પંડિત અને ધોળકિયા બંધુઓએ ઝીંક જીલી અને નામમાં કશો જ બદલાવ ન જ કર્યો ! આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને સવા સોમું વર્ષ થયું. તે અવસરે એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી થયું છે, જેનો કેન્દ્રીય વિષય છે :: શ્રી ડોલરરાય માંકડનું શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન. આ શુભ અવસરે આજનો લેખ શાળા અને શાળાના એ અપૂર્વ વિદ્યાર્થીઓને સ્મરણાજંલિ રૂપે પ્રસ્તુત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના સ્થાપક કુલપતિ ડોલરરાય રંગીલદાસ માંકડ. તેઓશ્રીને બધા આદર અને પ્રેમથી ડો’કાકા કહેતા અને કહે છે. એક વિચક્ષણ વ્યક્તિત્વ અને વિરલ જ્ઞાનપુરુષ, ડો’કાકાએ માધ્યમિક શિક્ષણ સાતમા ધોરણની છેલ્લી ટર્મ થી તે મેટ્રિક સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં મેળવ્યું. શાળા પોતાના સવાસોમાં વર્ષે તેના ધુરંધર વિદ્યાપુરુષ ડો’કાકાને સ્મરણ કરીને આવતી પેઢીને આ સારસ્વતના જીવન કાર્યથી જ્ઞાત કરાવવા પ્રયત્નશીલ છે તેને બિરદાવીએ અને આપણે પણ ડો’કાકાના જીવન દર્શનનું વિહંગાવલોકન કરીએ.
“૧૯૨૨થી ૧૯૪૭ સુધી હું કરાંચી રહ્યો. તે દરમિયાન મારા જીવનના આદર્શો બંધાતા ગયા. ૧૯૪૫-૪૬માં મેં મારા વડીલ ભાઈ હરિભાઈને લખ્યું કે, માણસે પોતાને પચાસ વર્ષ થાય ત્યારે ગામડામાં જઈ કામ કરવું જેઈએ અને કમાણી પણ અરધી કરી નાંખવી જેઈએ.”
ઉપરોકત જીવન આદર્શ વિકસતો જતો હતો તે દરમ્યાન કરાંચીમાં જ ડોલરકાકાએ વલ્લભવિદ્યાનગરની ગ્રામ વિદ્યાપીઠ માટે વિગતો મેળવી. ગામડામાં જઈને પ્રયોગ કરવાની ઈચ્છાથી તેમણે કરાંચી છોડયું. વલ્લભવિદ્યાનગરમાં છ વર્ષ પ્રાધ્યાપક/આચાર્ય તરીકે રહ્યા. તેમના જીવનના આદર્શને મોકળું વાતાવરણ ન મળ્યું આથી ડોલરકાકા લખે છે કે,
“૧૯૪૭ના જૂનથી મેં વિદ્યાનગરમાં કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૪૮ના માર્ચ-એપ્રિલમાં એ કોલેજનો હું આચાર્ય થયો. ૧૯૪૮ના ડિસેમ્બરમાં હું રાજકોટ આવ્યો ત્યારે મારે દરબાર ગેપાળદાસ સાહેબને મળવાનું થયું. વિદ્યાનગરની વાત નીકળી. મેં કહ્યું, “હું તો ગ્રામ–વિદ્યાપીઠના મોહે ત્યાં ગયો, પણ ત્યાં ગ્રામવાતાવરણ જેવું કંઈ દેખાતું નથી.”
આમ શ્રી દરબાર ગેપાળદાસ સાથેની વાતચીત પછી તેમના જ સૂચનથી અને શ્રી ઢેબરભાઈની સંમતિથી અલીઆબાડામાં ગંગા-જળા વિદ્યાપીઠનો પ્રયોગ શરૂ કર્યો. આ વિદ્યાપીઠ કે અન્ય આવી વિદ્યાપીઠો કેવી હોવી જેઈએ, તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોવી જેઈએ, અભ્યાસક્રમની યોજના કેવી હોવી જેઈએ તે વિષે ડો’કાકા પહેલેથી જ સ્પષ્ટ હતા, “એક–સૂત્રિત શિક્ષણયોજના” નામે લેખ લખી તેમણે તેમના શિક્ષણવિચારો જણાવ્યા છે. તેમની વિદ્યાપીઠની સંકલ્પના સમજવી હોય તે તેમણે વ્યવહારની દ્રષ્ટિએ, સિદ્ધાંતની દ્રષ્ટિએ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ સમગ્ર શિક્ષણયોજનાનું કરેલું વિશ્લેષણ આજે પણ અતિ ઉપયોગી છે .
શિક્ષણક્રમની યોજના :
વ્યવહારની દ્રષ્ટિએ તેમણે શિક્ષણના ત્રણ તબકકા ગણાવ્યા છે:
(1) પ્રાથમિક (2) માધ્યમિક, અને (3) ઉચ્ચ.
આ તબકકા માટે તેઓ લખે છે કે :
“સમાજમાં કેળવણી લેનારા વર્ગના, અત્યારે ત્રણ પ્રકારો ગણી શકાય:
(૧) પ્રાથમિક કેળવણી લઈ પોતાના બાપીકા અથવા બીજા ધંધામાં પડનારા,
(૨) થોડી વધુ કેળવણી લઈ કોઈ પણ વિષયમાં કે ધંધામાં મધ્યમ નિપુણતા મેળવનારા, અને
(૩) કોઈ પણ વિષયમાં પારંગત કે નિષ્ણાંત સંશોધક બનવાની હોંશવાળા.”
ઉપરોકત સંદર્ભમાં તેમની દ્રઢ માન્યતા હતી કે, શિક્ષણના ત્રણેય તબકકાની કેળવણી માટેના અભ્યાસક્રમમાં ચાર બાબતો હોવી આવશ્યક છે:
- જ્ઞાનના અમુક વિષયોનો અભ્યાસ. 2. હાથ મહેનત.
- જનસેવાકાર્ય. 4. આત્મવિકાસ.
શિક્ષણની ફિલસૂફી :
શિક્ષણજગતના કેાઈ પણ તત્વચિંતકે વિચાર્યું છે તેટલું જ અને કોઈ કોઈ બાબતમાં વિશેષ સ્વ. ડોલરભાઈએ શિક્ષણના સિધ્ધાંતો વિષે વિચાર્યું હતું અને સ્પષ્ટપણે રજૂ પણ કર્યું છે. તેમના શિક્ષણ-સિધ્ધાંતોની સ્પષ્ટતા તેમની વાણીમાં જેઈએ :
“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ ગણી શકાય:
(1) આજીવિકાનું સાધન મેળવવું તે, (2) આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું તે. આ દ્રષ્ટિએ હું કેળવણીના ચાર આવશ્યક અંગો ગણું છું ::
1) જ્ઞાનપ્રાપ્તિ 2)જનસેવાકાર્ય 3) હાથમહેનત અને 4) આત્મવિકાસ
મને તો એમ લાગે છે કે, શિક્ષણની દ્રષ્ટિએ, સમગ્ર સમાજની કેળવણીની વાત કરતા હોઈએ ત્યારે જુદા જુદા દ્રષ્ટિકોણને એમાં સ્થાન હોઈ શકે, છતાં દરેકમાં પ્રધાનત્વ અમુક તત્ત્વનું રહે એમ થવું જોઈએ. આખા સમાજના, આપણી પ્રાચીન પ્રણાલિકા મુજબ, આપણે ચાર ભાગ પાડી શકીએ :
(1) ત્યારની પ્રધાન ભાવના ઉપર જીવનધારા અથવા બ્રાહ્મણો, (2) શરીરબળની આજીવિકા મેળવનારા અથવા ક્ષત્રિયો, (3) પોતાની બુધ્ધિથી વેપાર કરી આજીવિકા મેળવનારા અથવા વૈશ્યો, અને (4) પોતાની હાથ-મહેનતથી આજીવિકા મેળવનારા અથવા કારીગરો. આમ સમગ્ર સમાજમાં ચતુર્વિધ સંસ્કૃતિ હોય છે. બ્રાહ્મણસંસ્કૃતિ, ક્ષત્રિયસંસ્કૃતિ, વૈશ્યસંસ્કૃતિ. અને મારે એમ કહેવું છે કે, જુદા જુદા વિદ્યાકેન્દ્રોમાં જુદી જુદી સંસ્કૃતિનું પ્રધાનત્વ હોય. સંસ્કૃતિનું આ પ્રધાનત્વ કેળવણીના તબકકામાં જેમ જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ વધુ સ્પષ્ટ બનતું જાય. છેક નીચેના તબકકામાં આવા ભેદો બહુ ઓછા હોય, એટલે સંસ્કૃતિ પ્રધાનત્વની આ દ્રષ્ટિએ જુદાં જુદાં વિદ્યાકેન્દ્રની વિશિષ્ટતા માધ્યમિક અને ઉચ્ચ તબકકાઓમાં ખાસ સ્પષ્ટ થાય.
આમ વિદ્યાકેન્દ્રોમાં, સંસ્કૃતિપ્રધાનત્વની દ્રષ્ટિએ, ભેદ રહે છતાં, જીવનનાં દ્રષ્ટિકોણની તો સળંગસૂત્રતા જ રહેવી જેઈએ. અને મને લાગે છે કે આપણા દેશમાં તેમજ જગતભરમાં, નોખાં નોખાં વિદ્યાકેન્દ્રોને સળંગસૂત્રિત કરનારું તત્વ તે સર્વોદયની ભાવના જ હોઈ શકે. બ્રાહ્મણનું તો સમગ્ર જીવન બીજાના ઉદય માટે સમર્પિત કરેલું હોવું જોઈએ. ક્ષત્રિય શરીરબળથી પૈસા કમાય, પણ એનો મુખ્ય હેતુ સર્વનું હિત થાય તેમ શરીરબળ વાપરવાનો હોવો જોઈએ. એવી જ રીતે વૈશ્ય અને કારીગરે પણ સર્વજનોનું હિત મુખ્ય ગણવું જેઈએ. આ સર્વોદયની ભાવના માટે, આજીવિકાની દ્રષ્ટિએ વિદ્યાર્થી ગમે તે વિદ્યાશાખાની ઉપાસના કરે, ગમે તે સંસ્કૃતિમાં પ્રધાનત્વ કેળવે, પણ દરેક તબક્કામાં અને દરેક પ્રકારનાં સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રખાવવી જોઈએ, એ શિક્ષણનું ધ્યેય હોવું જેઈએ. આમ સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રાખીને એની આજુબાજુ ગોઠવાયેલું અનેક વિશિષ્ટતાઓવાળું શિક્ષણતંત્ર પ્રજાનું અને રાષ્ટ્રનું અવ્યય અને શાશ્વત ધન છે.”
શિક્ષણમાં કરૂણા :
ડો’કાકાની સાથે જ કુલનાયક તરીકે કાર્યરત શ્રી ગૌરીભાઈ ભટ્ટ કહે છે કે, સ્વ. ડોલરભાઈ છેવટે વ્યક્તિ બનીને સંસ્થા બની ગયા. પરિણામે સંસ્થામાં બનતા દરેક પ્રસંગ કે પ્રશ્ન માટે તેમણે એક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો. આ દ્રષ્ટિકોણના કેન્દ્રમાં ભારોભાર કરુણા હતી. સંસ્થામાં રહેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ ન હોય. વિદ્યાર્થી તો વિકસતું દશામાં હોવાથી અશિસ્ત-દોષ કરે તે સ્વાભાવિક છે. આથી પરિવારના વડા તરીકે તેમણે દોષ નિવારણ–અશિસ્ત નિવારણ માટેની કરુણાકેન્દ્રી પ્રક્રિયા ઊભી કરી હતી, તેમના જ શબ્દમાં તે જોઈએ.
“કરુણા ઉપર રચાયેલી શિસ્ત જ સાચી શિસ્ત છે. વાતાવરણમાં શિસ્ત હોય પણ કરૂણા ન હોય તો ત્યાં અચેતનત્વ છે, ચેતનનો ધબકાર નથી. માટે, શિક્ષણસંસ્થાઓમાં, જ્યારે જ્યારે મતભેદના, ઘર્ષણના કે શિસ્તના પ્રશ્નો ઊભા થાય ત્યારે તેને નિકાલ અહિંસક રીતે થવો જોઈએ.
- અહિંસક રીતે માટે, એને અપનાવનારી તૈયારી અને તાલીમ જેઈએ. અને એને માટે મનને રાગ-દ્વેષરહિત, સર્વસમભાવી અને કરુણાથી ભરેલું કરવું જેઈએ.
- કેળવણીથી મનને આવું કરી શકાય. એટલે કે મનને આ કક્ષાએ લઈ જવાનું શક્ય છે અને એના માટે કેળવણી પણ શક્ય છે.
- અહિંસક રીતે અપનાવનારે ધ્યાનમાં રાખવું જેઈએ કે (1) અન્યાય, દોષ કે અશિસ્તને કોઈ પણ સ્વરૂપમાં નભાવાય નહીં, છતાં અન્યાયાદિ આચરનાર વ્યક્તિ તરફ દ્વેષ કરાય નહીં. (2) સામો માણસ સાચો હોવાનો સંભવ છે એમ માનીને ચાલવું અને એ દોષવાન ઠરે તો પણ હજી એ સુધરશે એમ માનીને ચાલવું. (૩) જ્યારે એમ લાગે કે આ૫ણી અહિંસક તૈયારી કે તાલીમ પૂરતી નથી ત્યારે અન્યાયાદિને દૂર કરવા ઓછામાં ઓછી હિંસક રીત, તત્કાળ પૂરતી જ વાપરવી પડે તો વાપરવી. (આ અહિંસક રીતની મર્યાદા સમજવી.)
- અહિંસક રીતમાં પણ સજા હોય. દોષની સજા વગર કોઈ પણ સમાજને ચાલ્યું નથી કે ચાલવાનું નથી ૫ણ સજાનું સ્વરૂપ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને ઉગ્રમાંથી સૌમ્ય થતું રહેવું જોઈએ. આ રીતે, સંસ્થાઓમાં દોષનિવારણ તરીકે, પ્રાર્થના, પ્રાયશ્ચિત, ઉપવાસ, સત્યાગ્રહાદિ અપનાવાય. સજા, ભૂલ, કે દોષની ગંભીરતાનાં પ્રમાણમાં હોય. તેને ક્રમ કંઈક આવો હોય.
અ) દોષ સામા માણસ પાસે કબૂલ કરવો.
બ) દોષ માટે સામા માણસની માફી માગવી.
ક) દોષ જાહેરમાં કબૂલ કરવો.
ડ) દોષની જાહેરમાં માફી માગવી.
ઈ) દોષ કરનારે પોતે કષ્ટ ભોગવવું.
ફ) ન્યાય કરનારે પોતે કષ્ટ ભોગવવું.
નોંધ : કષ્ટ ભોગવવાના પ્રકારમાં (1) ઉપવાસ, (2) અમુક સુખસગવડનો ત્યાગ, (3) શ્રમ વગેરે આવે.
- થયેલા દોષાદિ માટે જેમ પ્રાયશ્ચિતાદિ જરૂરનાં છે, તેમ થવાના દોષોનાં નિવારણ માટે વ્રતો જરૂરનાં છે. વ્રત નિત્ય અને નૈમિત્તિક હોય. શિક્ષણસંસ્થામાં શિક્ષકો અને શિષ્યો વ્રતને પોતાનાં જીવનમાં, કોઈ કોઈ રીતે, સ્થાન આપે તે જરૂરી છે
એક વિચક્ષણ સાક્ષર અને બહુશ્રુત શિક્ષણવિદ કેટલા ઊંચા સ્તર સુધી જઈને વિચારે છે તે ડોલરકાકા ના અહીં પ્રસ્તુત થયેલ વિચારોથી જાણી શકાય છે. આવા દિવ્ય પુરુષના પ્રદાનને પ્રણામ કરી તેઓના આશિષ માટે પ્રાર્થના કરીએ.
by Bhadrayu Vachhrajani | Mar 9, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
“મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. આ સરસ્વતી દેવીએ મને સાચવી લીધો છે ત્યારે હવે મારાથી એનું અહિત ન કરાય.” પદ્મશ્રી લોકગાયક શ્રી ભીખુદાન ગઢવી.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
જેમણે જીંદગીમાં સ્ટેજ ઉપર કાર્યક્રમો આપવા સિવાય બીજું કશું જ કર્યું ન હોય એટલે કે જે બહુ જ નાની ઉંમરથી આપણા લોક સાહિત્યને પીરસવા માટે જાહેર કાર્યક્રમો આપવાના સ્ટેજ ઉપર જ રહ્યા હોય, અને જેના પ્રસ્તુતિના અસંખ્ય ચાહકો હોય એવો કોઈ સિદ્ધ હસ્તકલાકાર જયારે એવું જાહેર કરે કે, ‘બસ હવે મારો આ છેલ્લો ડાયરો છે‘ ત્યારે આપણને સુખદ આંચકો લાગે છે.
આંચકો એટલા માટે કે આ કલાકારને ભારત સરકારે ‘પદ્મશ્રી’નું સન્માન આપ્યું, અને તેમની જીભેથી સરસ્વતી એવી રીતે વહે કે, લોકસાહિત્યના કોઈપણ સ્વરૂપો હોય તેમાં એમની એક પ્રકારની ઓળખ સમગ્ર સમાજમાં ભારતમાં અને ભારતની બહાર જ્યાં-જ્યાં ગુજરાતીઓ છે ત્યાં વ્યાપી ગઈ હોય ત્યારે એમ કહે કે, હવે ઘણું થયું, હવે હું કોઈ કાર્યક્રમ નહીં કરું ત્યારે આંચકો ચોક્કસ લાગે, પણ સુખદ એટલા માટે લાગે કે આવા કલાકારે જે વાત રજૂ કરીને પોતાની સ્ટેજ ઉપરથી નિવૃત્તિ ઘોષિત કરી હોય તે વાતને સમજીએ તો આપણને આંચકો સુખદ લાગે.
આ વ્યક્તિત્વ ગુજરાતનું, ગુજરાતીઓનું, સાહિત્યનું, લોકસાહિત્યનું, ભક્તિ સંગીતનું, બહુ મુઠ્ઠીઉંચેરૂં નામ છે. અને સૌ તેને ‘ભીખુદાન ગઢવી‘ કહીને ઓળખે છે. ભીખુદાન ગઢવીની એક મોટામાં મોટી ખાસિયત એ છે કે, કોઈપણ લોકસાહિત્યનાં ડાયરામાં તમે એમને માઈક સોંપો એટલે ડાયરો સર્વાંગ સંપૂર્ણ થઈ જાય. કેવી રીતે?, એ ડાયરાના બધા જ સ્વરૂપો ઉપર એક સરખી પકડ ધરાવે છે. ભીખુદાનભાઈ લોકવાર્તા રજૂ કરે તો શૌર્ય આપણામાં રોપી શકે અને ક્યારેક આપણી આંખમાંથી પાણી વરસતા કરી શકે. ભીખુદાનભાઈ દુહા-છંદ લલકારે ત્યારે લોક સાહિત્યનો સાચો પરિચય આપણને કરાવી શકે. ભીખુદાનભાઈ લોકગીત રજૂ કરે કે બીજી કશી વાત મંચ ઉપરથી કરે ત્યારે આપણને ભર્યા ભર્યા કરી દઈ શકે. લોક સાહિત્યનું એક પણ રૂપ એવું નથી કે જે રૂપ ભીખુદાન ગઢવી પોતે સિદ્ધ હસ્ત રીતે રજૂ ન કરી શકે. લગભગ-લગભગ 55-60 વર્ષથી તેઓ તખતા ઉપર છે, અને તેઓએ ડાયરો અથવા ભજન અથવા લોકગીત અથવા લોકવાર્તા વગેરે સિવાય કશું કર્યું જ સેવ્યું નથી. આપ કલ્પના કરી શકો કે, કોઈ વ્યક્તિ ક્યારે આટલી ઉંચાઈ ઉપર પહોંચે, જ્યારે એમની પ્રસ્તુતિ એ સાધના બની જાય. અને એ સાધના એ કલાકારને ખરેખર ઉપર લઈ આવે છે. ડાયરો છે એટલે ગાવું કે ડાયરો છે એટલે કશીક રજૂઆત કરવી એમ નહીં, સામાન્ય સંવાદમાં પણ વાત કરતા-કરતા ભીખુદાનભાઈ તમને સરસ્વતીના એક એવા રૂપના દર્શન કરાવે કે, જે આપણા માટે અદ્વિતીય હોય.
ભીખુદાનભાઈએ માતાજીના એક મંદિરમાં ડાયરો રજૂ કરતી વખતે માતાજીની હાજરીમાં એવું જાહેર કર્યું કે, આ મારો છેલ્લો ડાયરો છે અને હવેથી હું કોઈ સ્ટેજના ડાયરાના પ્રોગ્રામ નહીં કરું. એમના સાથી કલાકારોની હાજરીમાં એમણે આ ઘોષણા કરી. તેમનો જે મૂડ છે અથવા એમનો જે ખ્યાલ છે એ આ ઘોષણા પાછળનો જાણવા જેવો છે. મારી સાથે ભીખુદાન ભાઈને 35 થી 40 વર્ષનો સંબંધ છે, સંબંધના કારણોમાં સાહિત્ય છે, સ્ટેજ ઉપરની પ્રસ્તુતિ છે, પ્રિય શ્રી મોરારીબાપુનો સેતુબંધ છે, અને અનેક રીતે તેઓની સાથે સંવાદ કરવાનો મને લ્હાવો મળતો રહ્યો છે.
‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અમદાવાદમાં ‘અસ્મિતા વિશેષ’ સંવાદના શીર્ષક હેઠળ શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે એમના જીવનની યાત્રા અંગે મેં બે કલાકનો દીર્ઘ સંવાદ પણ કર્યો છે. તેમાં તેઓએ પોતાની જીવની એટલી રસપ્રદ રીતે કહી છે કે, ન પૂછો વાત. “ડાયરો હવે નહીં કરું”, એમ કહેનાર ભીખુદાનભાઈને અભિનંદન સાથે કારણ પૂછવાનું મને મન થયું. હમણાં જ નડિયાદની બાપુની કથા દરમ્યાન તેઓશ્રી સાથે નિરાંતની એકલી પળોમાં તેઓ સાથે અંગત ગોષ્ઠી કરી અને પુચ્છ્યું કે, કઈ ક્ષણે એમ લાગ્યું કે, ‘ચાલો હવે આપણે વિરામ લઈએ..’ ત્યારે જે વાત ભીખુદાનભાઈએ કહી તે સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે. એમણે કહ્યું, “ભદ્રાયુભાઈ 80 વર્ષની નજીક પહોંચ્યો છું. અને નહીં નહીંતો છેલ્લા છ, સાડા છ દસકાથી મને આ કલાએ સાચવી લીધો છે. મારી જીભ ઉપરથી સરસ્વતી દેવીએ જરૂરી શબ્દો વહેતા મૂક્યા છે. મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. અને એમણે મને આવડો મોટો બનાવ્યો છે. પણ હવે વધતી જતી ઉંમરે હું જોઈ રહ્યો છું કે ક્યારેક જોઈતો હોય તે શબ્દ મળતો નથી. ક્યારેક જે શબ્દ મૂકું છું તે મૂક્યા પછી લાગે છે કે આ બરાબર નહોતો, તો પછી હવે મારે મારી આ દેવીને વિરામ આપવો જોઈએ અને આભાર સાથે વિરામ આપવો જોઈએ કે આટલા વર્ષો એણે મને સાચવ્યો, હવે મારાથી એનું અહિત ન કરાય. મારે એનું ઋણ અદા કરવું પડે કે એકમાત્ર સ્ટેજનાં પ્રોગ્રામ ઉપર જેણે જીંદગી કાઢી હોય એવો હું કલાકાર એ વાણી દેવીને લઈને થયો છે અને હવે જો હું ખેંચું તો હું મારી એ દેવીને વધુ તકલીફ આપી રહ્યો છું એવું મને લાગ્યું છે, એટલે મેં આ નિર્ણય લીધો છે.”
ભીખુદાનભાઈને થોડા વર્ષો પહેલા પદ્મશ્રી પણ મળી ગયું છે, ગૌરવ પુરષ્કારો અને અનેક સન્માનો મળ્યાં છે. વિશ્વનાં અનેક દેશોમાં ભીખુદાનભાઈ આજે પણ જાય તો લાખો રૂપિયા કમાઈ શકે તેમ છે. અમે પ્રિય બાપુની સાથે વિદેશયાત્રામાં ભીખુદાનભાઈ સાથે રહ્યા છીએ અને એવું જોયું છે કે, એરપોર્ટ ઉપર અમારી સાથે બે વ્યક્તિ હોય તો એની આજુબાજુ યુવાનો-યુવતીઓ, વૃદ્ધો, વડીલો બધા ઘેરો વળીને ઊભા રહે અને એમની સાથે ફોટો ખેંચાવે. એ બે વ્યક્તિમાં એક શ્રી શાહબુદ્દીન રાઠોડ અને બીજા શ્રી ભીખુદાનભાઈ ગઢવી !! ભીખુદાનભાઈએ ખરે સમયે પોતાના કૌશલ્યની દેવીને પ્રણામ કરીને આ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું છે તેને હું ભારત દેશ માટે અને આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવનો વિષય ગણાવું છું. અને પ્રાર્થના પણ કરું છું કે તેઓની આ સૂચક નિર્ણયની વાતને ઘણા બધા લોકો અનુસરે. મને એ વાત હમણાં જ નડિયાદ ખાતેના સંવાદ દરમિયાન ભીખુદાનભાઈએ કહી કે, “જ્યાં જવું હશે ત્યાં હું મળવા-હળવા જઈશ, પણ કાર્યક્રમ હવે નહીં કરું. સ્ટેજ ઉપર હવે લોક ડાયરો, લોકસાહિત્ય રજૂ નહીં કરું.”
આ કલાકારની ઊંચાઈ કેવી રીતે આવી હશે તે જાણવા જેવું છે. એમની સાથેના દીર્ઘ સંવાદમાં એક વાત ખૂબ સરસ ભીખુદાન ભાઈએ મૂકી હતી. મેં એમને પ્રશ્ન પૂછ્યો કે, ‘તમે વિવિધતામાં બહુ માનો છો, તમે એક ડાયરામાં રજૂ કર્યું હોય એ બીજા ડાયરામાં રીપીટ નથી કરતા. આવું કેવી રીતે શક્ય બને છે?’ ત્યારે એણે સુંદર વાત કરી. એમણે કહ્યું કે, “ હું નાનપણથી જ્યારથી સ્ટેજ ઉપર ગયો ત્યારથી મેં એક ટેવ રાખી છે કે, જે ડાયરામાં જઈને આવું એને બીજે દિવસે ત્યાં જે પ્રસ્તુત કર્યું હોય તેની એક-એક લીટી લખી લઉં. કયું લોકગીત ગાયું, કઈ લોકવાર્તા કહી, કઈ જોક કહી, આ બધું લખી લઉં અને એની ઉપર એ ગામનું નામ અને તારીખ લખી લઉં. પછી એ ગામમાં હું બે મહિને પાછો જાઉં કે વર્ષે પછી જાઉં ત્યારે આગલું પાનું ખોલું અને જોઈ જાઉં કે, આ વિગત આજે ફરી ન કહેવાવી જોઈએ.” આ કેટલી મોટી ચાયતનો વિષય છે, કેટલી મોટી કાળજી લેવાનો વિષય છે, એટલે મને એમ લાગે છે કે, જેની પાસે ડિગ્રીઓ હોય કે કોઈ ઉપાધિઓ હોય કે યુનિવર્સિટીના મોટા-મોટા શિક્ષણ હોય એવું કશું જ નથી છતાં પણ જે માણસ આજે કલા કૌશલ્યને કારણે નામ મોટું કરીને જીવતો હોય એ વ્યક્તિ બરાબર ખરા સમયે રંગમંચના પગથિયાં હસતા-હસતા આદર સાથે ઉતરી જાય તે એક વિરલ ઘટના છે. આપણે પ્રાર્થના કરીએ કે શ્રી ભીખુદાનભાઈ ભદ્રાયુષ્ય મેળવે અને આપણી વચ્ચે અંગત એવી બેઠકોમાં આવીને પોતાના જીવનની વાતો આપણને કરીને રળિયાત બનાવે. ખમ્મા, બાપ, ખમ્મા.
by Bhadrayu Vachhrajani | Mar 2, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘પૂર્ણતાને પંથે’ પુસ્તકમાં જુગલબંધી છે.જેમાં શબ્દો શ્રી બ્રહ્મવેદાંત સ્વામીજીના છે, પણ શબ્દોમાં રમતું પ્રાણતત્વ પૂજ્ય રામદુલારે બાપુનું છે.
‘પૂર્ણતા ને પંથે’ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી રાજેન વકીલ લખે છે કે, 1975 ની ગુરુપૂર્ણિમાના થોડા અઠવાડિયા પહેલા માધવપુરના સ્વામી બ્રહ્મ વેદાંતજીને ત્યાં મારા માતા-પિતા સાથે એક સંતના દર્શનનો લાભ મળ્યો. બપોરના આશરે ચાર વાગ્યાના સમયે સૂર્યપ્રકાશ અંદર ન પ્રવેશે એવા બંધ બારીના ઓરડામાં સ્વામી બ્રહ્મ વેદાંતજીના પરિવાર સાથે એ સંત બેઠા હતા. તેઓ સ્વામી રામ દુલારે બાપુ હતા. અમે અંદર ગયા, એમણે આવકાર્યા, એમની પાસે અમે બેઠા. એક સહજ રમુજ વૃત્તિથી તેઓ જ પ્રશ્નો પૂછતા અને પ્રશ્નોના જવાબો આપતા.
બપોરના સમયે મારું માથું ખૂબ જ દુખતું હતું. એમણે પૂછ્યું, “શું માથું દુખે છે?” મેં હા પાડી. દશેક મિનિટ સુધી તેઓ મારી સાથે કશું બોલ્યા નહિ, દસ મિનિટ પછી એમણે કહ્યું, “હવે માથું દુઃખે છે?” મેં કહ્યું, ‘હવે નથી દુઃખતું.’ તેઓ બોલ્યા, “પણ મારું દુખવા માંડ્યું એનું શું?” મેં વાંચેલું કે જીસસે માનવ જાતના દુઃખો પોતાના ઉપર લઈ લીધા હતા. પહેલી વાર નાને પાયે આ બાબતનો જીવંત અનુભવ થયો. એ દિવસથી રામદુલારે જી નું પાર્થિવ શરીર શાંત થયું ત્યાં સુધી સાત વર્ષ એક અદભુત ગાઢ સંબંધની શરૂઆત થઈ. આ સમય દરમિયાન એ મારા જીવનના કેન્દ્રસ્થાને રહ્યા અને મારું જીવન એમની આસપાસ ગોઠવાતું રહ્યું. એ ગુરુ હતા અને હું શિષ્યની ભૂમિકામાં ગોઠવાવાનો પ્રયત્ન કરતો હતો. આજે જે કંઈ છું એ એના ઘડતરનાં ફળ સ્વરૂપે છું. આ સાત વર્ષ દરમિયાન મારા જીવનની દરેક સારી-નરસી ઘટનાઓ, દરેક સંઘર્ષ અને મથામણ, પ્રત્યેક નિરાશામાં એમની હાજરીનો મને અનુભવ થયો છે. કેટલાય લોકોનાં દાવાઓ છતાં એ કોણ હતા?, ક્યાંથી આવ્યા? એ હંમેશ ને માટે ગૂઢ રહસ્ય રહ્યું છે અને લાગે છે કે રહેશે.
તેઓ એક સંન્યાસી હોવા છતાંય જીવન વ્યવહારમાં નિપુણ હતા. અંગ્રેજીમાં એક કહેવત છે ‘ jack of all and master of none’. પરંતુ તેઓ Master of all હતા. જે પૂર્ણતા માટે જન્મ્યા છીએ તેના તરફ જાણે કે તેઓ આપણને લઈ જવા માગતા હોય, એમ જીવનનાં નાનામાં નાના દરેક પ્રસંગે તે પૂર્ણતા એમનામાં પથરાયેલી આવતી. નાના કુટુંબની રસોઈ હોય કે 100-200 માણસોની રસોઈ હોય, સંચા પર કપડાં સીવવાના હોય કે નાના બાળકો માટે કાગળ અને કાતરથી રમકડા બનાવવાના હોય, આશ્રમમાં ખાડા ખોદીને ઝાડ-પાન વાવવાના હોય, કે વાસ્તુના નિયમો પ્રમાણે આશ્રમનું પ્લાનિંગ કરવાનું હોય, બીજના ચંદ્રનું પૂજન હોય કે પાયાનું ખાતમુર્હુત હોય, મોટી ધંધાકીય આંટીઘૂંટીઓ ને એ જ સરળતા અને સહજતાથી તેઓ ઉકેલી નાખતા. એટલી જ સરળતાથી ગૃહસ્થ જીવનના નાના-નાના પ્રશ્નોને ઉકેલી આપતા.
મને યાદ છે કે જ્યારે આશ્રમમાં આવતા ત્યારે સવારની ચા અને છાપું ટ્રેમાં લઈ જતો. એમને ચા પીતા અને છાપુ વાંચતા જોઈને એટલો આનંદ થતો કે જાણે એ પૂર્ણતા તેમનામાંથી વહીને મને સ્પર્શી જતી હોય. જેમાં કશુંય વધઘટ ન કરી શકાય, જે અરૂપ છે, જે અપરિછિન્ન છે, અખંડ છે, અસીમ છે, એ આખરી કે અંતિમ સત્ય કે જેને તેઓ પૂર્ણતા કહેતા એ તરફ એમનો સંકેત હતો.
આપણી મૂળ શોધ તે પૂર્ણતાને પામવાની છે. આપણે જયારે સ્ત્રી કે પુરુષ ને શોધીએ છીએ, પદ-પ્રતિષ્ઠા શોધીએ છીએ, પૈસા શોધીએ છીએ,ત્યારે પૂર્ણતાને જ શોધી રહ્યા હોઈએ છીએ. આપણી દરેક કામનાનાં મૂળમાં એ પૂર્ણતા માટેની શોધ છુપાયેલી છે. આપણને એવો ભ્રમ છે કે, કામનાની તૃપ્તિમાં પૂર્ણતા છે. આપણું આખું જીવન સુખની પાછળ દોડવામાં અને દુઃખથી દૂર ભાગવામાં પૂરું થાય છે. આપણને ખ્યાલ જ નથી કે, પૂર્ણતાની અંદર સુખ અને દુઃખ બંને છે. સુખ અને દુઃખ એકબીજાના વિરોધી નથી, પરસ્પર પુરક છે. દુઃખનો ઇન્કાર એ પૂર્ણતાનો ઇન્કાર છે.
આપણે મંદિરોમાં, ગુરુઓ પાસે ને બીજે ઠેર-ઠેર સુખનું ભિક્ષા પત્ર લઈને ફરીએ છીએ એ ખ્યાલ વગર કે, સુખ અને દુઃખ તો જોડિયા ભાઈ-બહેનો છે. સુખ માંગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે. સુખ માંગીએ છીએ અને દુઃખી થઈને રડીએ છીએ. આપણી આ સ્થિતિને બેહોશી અજ્ઞાનતા કહેવામાં છે.
પૂર્ણતાને પંથે એક અજોડ અને અદ્વિતીય પુસ્તિકા છે.જેમાં પૂજ્ય રામદુલારે બાપુ 18 દિવસના જ્ઞાન યજ્ઞમાં આપણી આંગળી પકડીને અજ્ઞાનતામાંથી પૂર્ણતાને પંથે લઈ જાય છે. આ પુસ્તકમાં છુપાયેલા અનેક ગૂઢ રહસ્યોનો સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીએ એમનાં અમૂલ્ય પ્રવચનો દ્વારા ઉઘાડ કર્યો છે. આ એક જુગલબંધી છે.જેમાં શબ્દો સ્વામીજીના છે પણ શબ્દોમાં રમતું પ્રાણ પૂજ્ય બાપુનું છે. આ શબ્દાંજલિ દ્વારા તેઓ આપણા જીવન સાધકોના હૃદયો પૂજ્ય બાપુનાં પ્રાણથી ભીંજવી નાખે એ બદલ આપણે કૃતજ્ઞ રહીએ.
શ્રી રાજેન વકીલ દ્વારા 16મી ફેબ્રુઆરી 2017ના રોજ લખાયેલી આ પ્રસ્તાવના છે. અહીં તેને પેશ કરવાનું સીધું કારણ એ છે કે, તેઓના શબ્દો અનુભૂતિમાંથી ઉતર્યા છે, એટલે તે સીધા જ આપણને સ્પર્શી શકે એવા છે અને પુસ્તક સુધી આપણને દોરી જઈ શકે તેમ છે.
ભાવકો પુસ્તક મેળવીને સાધના પથ ખોજી શકે તેમ છે.
by Bhadrayu Vachhrajani | Feb 23, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘પૂર્ણતાને પંથે સંકેત‘…સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીના પ્રવચનોનું અદભુત સંકલન
સાલ 2007માં પ્રકાશિત થયેલ એક અદભુત પુસ્તક હાથમાં છે. શીર્ષક છે ‘પૂર્ણતાને પંથે સંકેત‘. જેમાં સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજીના પ્રવચનોનું સંકલન કરવામાં આવેલ છે. આ પુસ્તકના ઊઘડતા પાનામાં સુંદર મજાની વાત લખેલી છે. એમનું ટાઇટલ છે ‘વાત પૂર્ણતાના પંથેની‘. એટલે કે આ પુસ્તક ક્યાંથી, કેવી રીતે અવતર્યું એનું હાર્દ અહીં સમજાવ્યું છે. સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજી એટલે માધવપુરમાં ઓશો સન્યાસી તરીકે જેમને જીવન વિતાવ્યું તે મહાન સાધક.
પ્રસંગો યાદ આવે છે રામદુલારે બાપુના, રામદુલારે બાપુ પહેલા ખૂબ લખતા. બાપુએ ભારત ભ્રમણ ત્રણ વાર કર્યું હતું. બે વાર સાયકલ ઉપર અને એકવાર પદયાત્રા. બાપુ એવી વાત કરતા કે 13000 ફૂટની ઊંચાઈ ઉપર સાયકલિંગ કરવાનો એમનો વિક્રમ છે. અને રાષ્ટ્રપતિએ એ બાબતનો એવોર્ડ આપેલો. બાપુએ ગોવાના સંગ્રામમાં ભાગ લીધેલો. એમની ટીમમાં 12 જણા હતા એમાંથી 11 ખપી ગયા અને એકલા બાપુ રહી ગયા !!.
1972-73 માં બાપુએ પૂછેલું કે, ‘તમારો શું ઈરાદો છે?’ અમે કહ્યું, ‘બાપુ, બધી રીતે તૃપ્તિ છે. શેષ જીવન કોઈ આશ્રમ જીવન ગાળવું છે. ઓશો એ ‘આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ’ નામ આપેલું છે. અને એવું કંઈ થાય તો ગુરુ પ્રત્યેનું ઋણ ઉતરે. વિશેષ કોઈ સંસારિક ઈચ્છા બાકી રહી નથી.’ બાપુએ કહ્યું, ‘આશ્રમ ક્યાં બાંધવો છે?’ ‘આખા હિન્દુસ્તાનમાં જ્યાં જોઈએ ત્યાં આશ્રમ માટે જગ્યા મળશે.’ બે ઘડી મને થયું કે, બાપુ ટાઢાપાહોરના હાંકે છે. બાપુ સ્વાતંત્ર સેનાની હતા અને ગોવાની લડાઈમાં ભાગ લીધેલો એટલે એમને જ્યાં જોઈએ ત્યાં 18 એકર જમીન મેળવવાનો અધિકાર મળેલો. મેં કહ્યું કે, ‘બહાર ક્યાંય જવાનો કોઈ ઇરાદો નથી. અહીં થાય તો ભલે.’
…એટલે અત્યારે જે જગ્યાએ આશ્રમ છે જ્યાં બાપુનું સમાધિસ્થાન છે, ત્યાં છ એકર જમીન આપી. બીજી છ એકર તળાજામાં ડોક્ટર ચૌહાણ કે જેમને ત્યાં બાપુ ઉતરતા તેમને સોંપી. દ્વારિકા પાસે વરવાડામાં એક ચારણ રહેતો. જેણે બાપુની સેવા કરી હતી. છ એકર જમીનની સોંપણી એ ચારણને કરી દીધી. એક દિવસ બાપુ તેમના સંશોધનના લખાણોવાળા કાગળો ફાડતાં હતા અને દીવાસળી મુકતા હતા. મેં કહ્યું, ‘બાપુ આ શું?’ બાપુએ પાસે બેસાડ્યો. એક પુસ્તક એણે લખેલું હતું. રીવાઈલ કર્યું, નાના-મોટા સુધારા કર્યા, અને પુસ્તકનું નામ આપ્યું ‘પૂર્ણતાને પંથે‘. આમ તો પુસ્તક ન કહેવાય, ખિસ્સામાં રાખી શકાય એવડી પુસ્તિકા હતી. બીજા બધા લખાણો બાળી નાખ્યા અને કહ્યું કે, ‘સમજવા જેવું જે કંઈ હોય તો આટલું જ છે જો સમજાય તો.’ ચીનનાં લાઓત્સે જેવી વાત થઈ એવું જ અહીંયા પણ બન્યું. લાઓત્સે સરહદ ઓળંગીને હિમાલય જતાં હતા. રાજાએ ચૂંગી નાકા પર અટકાવ્યા અને કહ્યું કે આટલો બધો ખજાનો લઈને તમે ચાલ્યા જાઓ છો તો એમાંથી કંઈક લખતા જાઓ.લાઓત્સેએ જીવનભર કંઈ લખેલું નહીં, તેમ છતાં થોડા વાક્યોની પુસ્તિકા લખી આપી. બાપુની પૂર્ણતાના પંથેની વાત આવી જ છે.
એક દિવસ બાપુ નાનકડી કુંડીમાં સ્નાન કરવા પડ્યા. એમનો ગમછો લંગોટી એ ધોતા હતા. સ્વામી બ્રહ્મવેદાંતજી અને સ્વામી સ્વાતિમા ત્યાં હતા.પુનાથી કેટલાક મિત્રો આવેલા. બાપુ પાસે આવીને વંદન કર્યા. બાપુએ કહ્યું, ‘ક્યાં જાઓ છો?’ જવાબ આપ્યો કે, ‘પતંજલિ સમજવા’. બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે, ‘આને અંજલી કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.’ મિત્રો થોડીવાર ઉભા રહ્યા. બાપુ કહે, ‘શું કરો છો?’ બધાએ કહ્યું, ‘ભગવાનના સૂત્રોનું અર્થઘટન કરે છે, સમજાવે છે, બધા જઈએ છીએ’. બાપુ લંગોટી ધોતા હતા એના ઉપર જરીક સાબુ લગાડ્યો ને પછી કહ્યું, ‘આની અંદર સાબુ આટલો જ છે હો…’,,આટલું કહીને ઘસવા લાગ્યા. પછી કહે કે, ‘જુઓ ફીણ વળ્યાં? સાબુ આટલો જ છે હો. જેમ-જેમ ઘસશો એમ-એમ વધુ ને વધુ ફીણ વળે. છેલ્લા 25 વર્ષથી મારે કહેવાનું તો આટલું જ છે કે ‘just be in present moment and enjoy your life’. કહેવાનું આટલું જ છે. કહ્યા વિના ચાલે નહિ અને કહેવાય તો જે કહેવું છે તે સમજાય નહિ…(ક્રમશઃ)
by Bhadrayu Vachhrajani | Feb 23, 2025 | Articles |
વાતો બહુ કરી, ભાષણો બહુ કર્યાં, જથ્થાબંધ કાર્યક્રમો ઘણા કર્યા. હવે માતૃભાષાનું ગૌરવ થાય તેવાં અભિયાન ચલાવીએ.
પ્રિય મોરારીબાપુ કહે છે તેમ હવે, વિશ્વ માતૃભાષા દિવસને કેવળ વચનાત્મક ન રાખતાં રચનાત્મક બનાવીએ. એક વર્ષમાં,
સવા લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટ્યા છે !! ગુજરાતી માધ્યમની એકાદી ઉત્તમ શાળા સમ ખાવા પૂરતી ગુજરાતમાં નથી !!
આવો, નક્કર કામ કરીએ. માતૃભાષા અભિયાને જાહેર હિતની અરજી કરી કોર્ટના દ્વાર ખખડાવ્યા અને ધોરણ આઠ સુધી ગુજરાતી ફરજયાત ભણાવવું તેવી ફરજ પાડી. સ્વરસેતુ ના શ્યામલ સૌમિલ અને આરતી મુનશીએ ૩૫ શાળાઓના ૨૮૦૦૦ વિદ્યાર્થીઓ ને “વટ થી ગુજરાતી” ના વિશેષ કાર્યક્રમ દ્વારા માતૃભાષા પ્રત્યે પ્રેમ જગાડ્યો..
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદે અનેક યુનિ ઓનાં ભવનો કરતાં અનેકગણું ગુણ સભર જ્ઞાનાત્મક કાર્ય કર્યું છે. પણ ભાષાના ક્રિયાત્મક પાસાં ને અભિયાન કે મૂવમેન્ટ તરીકે ઉપાડી લેવાનો હવે સમય આવ્યો છે.
વડીલ શ્રી બોરીસાગરસાહેબ ની નિશ્રામાં નક્કર અને થઈ શકે તેવી વાતો કરવાનો આનંદ થયો.
by Bhadrayu Vachhrajani | Feb 16, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

સુરેશ સોની ને હવે સૌ કોઈ ઓળખે છે કારણ કે હમણાં છવીશ, જાન્યુઆરીએ ભારત સરકાર તરફથી તેઓને “પદ્મશ્રી” સન્માન આપવાની ઘોષણા થઈ છે. સુરેશ સોની એટલે સહયોગ કુષ્ટ યજ્ઞ નગર, હિંમતનગર શામળાજી હાઈવે, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા-૩૮૩૨૩૬ ફોન : (૦૨૭૭૨) ૨૫૪૩૩૭
પણ આ સુરેશ સોનીનો અડીખમ ટેકો તે શ્રીમતી ઇન્દિરા સુરેશ સોની. પત્ની માટે વપરાતો એક ઉત્તમ શબ્દ તે “સહ ધર્મચારિણી”, આ શબ્દના અર્થને ચરિતાર્થ કરે છે શ્રીમતી ઈન્દિરા સોની. આપણે આ દંપતીનો પરિચય પછીથી મેળવીશું પણ આજે ઈન્દિરાબેન પાસેથી એ જાણીએ કે, સેવાનો મારગ કેટલી કસોટીઓ કરે છે !!
સુરેશભાઈ સોનીનાં સહ ધર્મચારિણીની વાત એકાગ્ર થઈને જાણીએ…
“ઓગસ્ટ, ૧૯૯૫ થી અહીં વણાટનું કામ કરતા રક્તપિત્તગ્રસ્ત નટુ માંગલાએ સુરેશને કહ્યું કે ‘મહેનતાણું વધારો’, તેમણે કહ્યું કે, ‘ગણતરી કરીશું પછી સંસ્થા પ્રમુખશ્રી મુરબ્બી ઈન્દુભાઈ સાથે ચર્ચા કરીશું,’ પણ તેને ધીરજ ન રહી. એક દિવસ સવારે ઓફિસમાં, નીચે બેસી કામ કરતા સુરેશ પર, ચૂપચાપ આવી નટુએ એના પાકિટમાંથી પારિયું કાઢી કપાળ પર ઘા કર્યો, લોહીનો ફુવારો ઊડ્યો, ચશ્માં પડી ગયાં, કુદરતી રીતે સુરેશનો ડાબો હાથ ઊંચો થઈ ગયો. કોણી પર બીજો ફટકો મારી, પારિયું વીઝતો બહાર નીકળીને બોલ્યો: “સુરેશ સોની મરી ગયો.” આ સાંભળી બાજુની રૂમમાંથી સ્ટાફના મિત્રો દોડયા. નટુ તેઓને મારવા દોડયો. તેઓ ગભરાઈને ભાગ્યા. પટાવાળાએ ઘંટ વગાડવા માંડયો, લોકો પકડવા દોડયા, સ્ટાફના – મિત્રો ઓફિસમાં ગાદી પર પાથરેલી ચાદર કાઢી માથે હાથે લપેટવા માંડયા. ચાદર-કપડાં લોહીથી લથબથ હતાં.
એમ્બ્યુલન્સમાં સુરેશ જાતે બેઠા અને બધાને સ્પષ્ટ સૂચના આપી કે, કોઈ તેને મારશો નહિ. ખેતરમાંથી નટુને પકડી લાવી રૂમમાં પૂરી દીધો, વડોદરા હોસ્પિટલમાં ઓળખીતા ડોક્ટર મળી ગયા. સુરેશને જોતાં જ સ્ટ્રેચર મંગાવી ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા.
હું દીકરી પારૂલને મૂકવા વડોદરા સ્કૂલમાં ગઈ હતી. સુરેશે સ્ટાફનાં બહેનને કહ્યું, ઇન્દિરાને જણાવો. હું હોસ્પિટલમાં આવી. સ્ટ્રેચર પર સુરેશને સુવાડેલા – પાટા બાંધેલા જોયા, હું રડવા લાગી. “તમને કોણ માર્યા ?” તો હસીને કહે, “જો તને દાઢી નહોતી ગમતી ને ! માથાના – દાઢીના વાળ સફાચટ થઈ ગયા ને !”
સાંજના ૫ થી ૮ ઓપરેશન ચાલ્યું. લોહીના-ગ્લુકોઝના બોટલ ચાલુ હતા. કપાળમાં ૨૬ ટાંકા અને હાથમાં સળિયો નાખવો પડયો. ભાનમાં આવ્યા, એટલે સ્ટાફને શ્રમમંદિર મોકલી જાણ કરાવી કે, ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. માટે સવારથી શરૂ કરેલી ધૂન બંધ કરાવી બધાને જમાડો, સવારથી કોઈએ કશું જ ખાધું નહોતું.
બીજા દિવસે સહયોગના દર્દીઓએ હઠ પકડી કે, અમારે તો સુરેશભાઈને જોવા છે, જેથી વારાફરતી ટ્રેક્ટરમાં સમાય તેટલાને લાવવાનું શરૂ કર્યું. દરેક જણ પગે લાગી, માથે હાથ ફેરવી આંખમાં આંસુ સાથે આશીર્વાદ આપી વિદાય થતા. છાપામાં આ બનાવના સમાસાર વાંચીને કોઈ ફળા હાર, તો કોઈ નાળિયેર, કોઈ પૈસા લઈને આવતા જ ગયા, આવતા જ ગયા…ગામે ગામથી શુભેચ્છક મિત્રો, અનેકવિધ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો, ટેક્નોલોજી ફેકલ્ટીના ૧૨ વર્ષ દરમિયાન ભણાવેલ વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો, આર્થિક મદદ માટે આગ્રહ કરતા હતા, હું બે હાથ જોડી સૌને કહેતી, “ટ્રસ્ટ બધો જ ખર્ચ કરે છે, જરૂર નથી.” જે પણ આવતા સૌની આંખમાંથી અમે અશ્રુરૂપે વહેતો પ્રેમ નિહાળ્યો છે. ખભે હાથ મૂકી આશ્વાસન, શુભેચ્છા પાઠવતા હતા.
અમારા ગુરુ પૂ. શ્રી સંતરામ મહારાજ, પૂ. શ્રી નારાયણદાસ મહારાજે પૈસા લઈને એમના ભક્તોને મોકલ્યા: વડોદરા સંતરામ મંદિરના પૂ. શ્રી ભરતદાસજી દરરોજ આવે. દૂધ, નાસ્તો, જમવાનું મોકલે. હું કહું કે “ટિફિન સુરેશભાઈના ભાઈને ત્યાંથી આવે છે.” તો કહે, જે કોઈ પણ આવે, તેમને પ્રસાદરૂપે જમાડજો. નર્સો અને વોર્ડના દર્દીઓ પૂછે કે આ ભાઈ છે કોણ ? જે આવે તે એના પગે પડે છે, રડે છે, પ્રાર્થના-ભજન-ધૂન ગાય છે. બધા અહોભાવથી જોતા રહે, નડિયાદ હરિ ૐ આશ્રમના પૂ. શ્રી નંદુભાઈએ પૈસા મોકલ્યા. સારા થયા પછી તેમને પગે લાગવા ગયા, પાછા આપ્યા, ત્યારે તેમની આંખમાંથી આંસુ આવ્યાં. “સુરેશભાઈ, તમે મારા પૈસા વાપર્યા નહિ ?” આ અમારા પ્રત્યેનો એમનો સ્નેહાદર. આ બનાવ ન બન્યો હોત તો આટલા બધા સંતો-સ્વજનો અમને લાગણીસભર હૃદયથી ચાહે છે તેની ખબર ન પડી હોત !
જીવનમાં જરાક છોડયું તો કેટલું બધું અમને મળ્યું ! સંતોના – ઈશ્વરના આશીવાઁદ સતત મળતા રહે છે. આજે પણ તે દિવસ યાદ કરું છું, ત્યારે ભગવાન પરની શ્રદ્ધા વધતી જાય છે. દર્દીઓનો અઢળક પ્રેમ, તેમણે કરેલી સાચા હૃદયની પ્રાર્થનાએ જ સુરેશને નવું જીવન બક્ષ્યું છે.”
ખરો સમાજસેવક સમાજ માટે કામ કરતો હોવાથી વ્યક્તિગત સંપત્તિ ભેગી કરવા તરફ ધ્યાન આપતો નથી. બારડોલીની સુરુચિ સંસ્થાના સ્વ. મોહનભાઈ પરીખ કહેતા હતા કે, “આપણે સમાજની એક વિશાળ બેંકમાં સેવા દ્વારા જે કંઈ ડિપોઝીટ કરીએ છીએ તેનું વળતર મળી જ રહેતું હોય છે. હા, તેટલી ધીરજ ધરવી પડે, શ્રદ્ધા રાખવી પડે.”
by Bhadrayu Vachhrajani | Feb 14, 2025 | જનકલ્યાણ |

કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતા હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યા છે તો વળી વિદેશ સુધી કલા–નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યા છે.
આવો, શ્રી મલ્લિકા સારાભાઈના સચોટ જીવન અંશો સંવાદરૂપે માણીએ :
“જિંદગીમાં ઉતાર ચડાવ બહુ આવ્યા. પહેલા પહેલા હંમેશા લોકો પૂછતાં કે, તને શું દબાવ છે ? તારા મમ્મી પપ્પા બંને જણા તો એટલા બધા જાણીતા છે, આટલા મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે, તું નૃત્ય જ કરજે, તું સાયન્સ જ કરજે, તું અમારું નામ ડુબાડી ન દેતી.. એવું કોઈ દિવસ હતું નહીં.
એક બહુ જ સહજ પાર્ટનરશીપ હતી, અમારા ચાર જણાંની. અમે જયારે મોટા થયા હતા ત્યારે અને સામુહિક કોઈ નિર્ણય લેવાનું હોય તો એમાં બાળકો ગમે તેટલા નાના હોય પણ ઇન્વોલ્વ કરવાના, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતા શીખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો..? .. ત્યાં સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઉભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોય શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી, અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની જે પણ પ્રશ્ન હોય ત્યાર સુધી તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો પડશે. હું ઈચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતા તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા, ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. મેં કીધું ને કરો એવું કોઈ દિવસ નહીં. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કઈ સ્ટેન્ડ લેવું હોય ને અમ્મા કહે કે ના,, પણ ના એટલે ના નહીં બેસીને સમજાવે કે કેમ ના ?”
“ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઇ જાય પછી તે સ્વીકારાઈ જાય ખરું ?”
“સહજતાથી નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જયારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખુલે. તો પણ હું જો disagree કરતી હોઉં તો પાછું બે ત્રણ વર્ષ પછી ફરીથી ખુલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં એન્ટી પોઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું હું તમને કહું ને અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ન ઘરમાં ટ્રીટ જ નહીં કરેલા.
મારું પહેલું જો એન્કાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે SSC કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશા ઓળખ્યા છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી રહ્યું છે ?? એમાં અનંગ દેસાઈ એક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલા. અમે એકબીજાના સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકોનોમિક્સ લીધેલું અને નવું નવું મેં બેડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કોર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કોર્ટ અને કેન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શોર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કેન્ટીનમાં આવે. અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. મારા ક્લાસમાં પરવીન બાબી, મારા ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે. મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી, એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખુબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કેન્ટીનમાં ન જઈએ, અમને પણ દાળવડા ખાવા છે એટલે ઝેવિર્યસ ની હિસ્ટ્રીમાં પહેલીવાર પાંચ છ ખુબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો. એટલે આજે પણ મને એવી વ્યક્તિઓ મળે છે અને કહે છે કે, જે અમને HK માં હતા એ વખતે અને HL માં હતા એ વખતે અમે તમને જોવા જ આવતા હતા એટલે અમે આ જેન્ડરનું થોડું ચેન્જ કરવા માંડ્યા. પહેલી મીડ ટર્મ પતી એટલે અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાબુભાઇ પટેલ કે જેમની ગાઈડ યુનિવર્સીટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું ? ગાઈડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ક્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવા કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઇ તમે મારા માર્ક્સ જોવો છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઇ ગયા તો રસ્ટીકેટ કરી નાખી ત્રણ અઠવાડિયા. તો બધા જોવા આવ્યા કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઇ ગયું…”
by Bhadrayu Vachhrajani | Feb 10, 2025 | Articles |

શ્રી ભદ્રાયુ વછરાજાની સાથે બેઠક
તારીખ ૬ ડિસેમ્બર-૨૦૨૪ના દિવસે શાળામાં સ્નેહી શ્રી ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની અમારા આગ્રહને માન આપી સસ્નેહ મળવા આવ્યા. તેઓ સાથે અમારો એટલે કે શાળા સાથેનો સંબંધ એવો કે અમસ્તા પણ તેઓને મળવાનું મન થાય. આ વખતે પણ તેઓ આવ્યા અને શિક્ષકો સાથે બેઠક કરી, જેમાં તેમણે ખૂબ ઓછા સમયમાં પણ જીવનને વધુ સુંદર અને સ્વસ્થ બનાવતી અદ્ભૂત વાતો ખૂબ હળવાશથી કરી. તેમને પુછાયેલ ‘કેમ છો?’નો તેમણે આપેલ માર્મિક, વિચારપ્રેરક જવાબ સાંભળી સૌ ખુશ થઈ ગયાં.
શિક્ષણ તેમજ શિક્ષણ સિવાયની ઘણી જીવનોપયોગી વાતો તેમણે કરી. શિક્ષક હોવાનું ગૌરવ અને તેની ગરિમા જાળવવા અંગેની ઘણી સુંદર ઉપયોગી વાતો થઈ. બધાંને બહુ મજા આવી તેમને સાંભળવાની. આવી બેઠક પછી કોઈ પૂછે કે તમને શું મળ્યું આમાંથી!!? તો અમે કહીએ અપાર આનંદ, જીવનને વધુ સુંદર, ઉન્નત બનાવતા વિચારો અને નિઃસ્વાર્થ સંબંધો. જે શબ્દોમાં સમજાવી શકાય તેવા નથી હોતા. આવી સુંદર ક્ષણો આપવા માટે શ્રી ભદ્રાયુભાઈનો દિલથી આભાર.
બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે પેરેન્ટીંગ’
– ભદ્રાયુ વછરાજાની
બાર વર્ષ પછીનો પિરિયડ એવો છે કે, બાળકમાં જે કંઈ પણ ઇનપુટ અંદર ગયા હતાં, એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધ લોટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મુકવાનું બાળક શરુ કરે છે. અમલમાં મૂકીને એ જોશે. ઇઝ ઇટ સક્સેસફુલ ? તો હું પણ અમલમાં મુકું.જરા સેન્સિટિવ વાત કરું, કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો, તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યમાં અંદર તેને જ અનુસરવાનું. આપણા ઘણા કુટુંબો એવા છે કે બાપ બહાર બાલ્કનીમાં બેઠો-બેઠો રાડ પાડે, ‘પાણી લાવજો’, આમ કહેવું તે અસ્થાને કહેવાય. બાળક બધુ બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડે, પાણી લાવજે, બાળક ક્યાંય રમતું હોય ને જોવે તો-પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમદોડ હાથ સાફ કરીને પાણી લઈને આવી… ઊભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચ્યા કરતા હતા. બે-ત્રણ મિનિટ એણે કીધું. પાણી, જવાબ મળ્યો તોછડાઈથી ‘મુકી દે ત્યાં.’ આ નાનકડી ઘટના એના માઈન્ડમાં રજીસ્ટર થાય, થાય અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હવો જોઈએ. આ જ વાત ઉલ્ટી થઈ શકે. હસતા-હસતા કહી શકે. ‘તું બાલ્કનીમાં બેસવા આવને, ક્યારની શું કામકાજ કરે છે ? અને આવે ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજે આપણે બેય પીશું.’ જુઓ, પીવું છે તો મારે જ પાણી હો, પણ કહેવાની સ્ટાઈલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી, એવું છાપું મેં સંકેલી લીધું, ‘આવ-આવ બેસ-બેસ. રાખી દે પાણી રાખી દે. રવિવાર છે, સવારના પહોરમાં શું કામે લાગી જાય છે ? બેસને બાલ્કનીમાં.‘ બાળક આ વાત પણ ઓબ્ઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, બેય ઇનપુટ અંદર ગયા. હવે એ મોટું થશે ત્યારે જોશે કે આમાં સાચું શું ?
એક નાનકડી એક ટીપ, આપણે પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખીએ જરા. આ આપણે તુંકારા ઉપર આવી ગયા છીએ ને, એમાં ક્યારે તુંકારામાંથી તારો બાપ મારો બાપ’ ઉપર આવી જઈએ એ ખબર નથી પડતી. ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે, એ આવા નાના ઈનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે. ‘પપ્પા ક્યાં ગયા છે?’ એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે, ‘ખબર નથી, કહીને ગયા નથી.’ Thtat means it a tradition of the family. એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની રીત રાખેલ નથી. જેના પપ્પા કહ્યાં વગર જતા હોય, એનો એ દીકરો મોટો થઈને ક્યાં જવાનો હોય એ કીધા વગર જાય, તો એણે ફરિયાદ ન કરવી. કારણ કે ઇનપુટ તમે આપ્યો છે. આતો બહુ જીણી વાત છે, પરંતુ ધ્યાન રાખીએ કે, જીણી-જીણી વાતનાં સરવાળાને જ ‘પેરેન્ટીંગ’ કહેવાય છે.
તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી તમે બરાબર સાવચેત રહેવા જોઈએ. બાળક સુઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર નીકળીને ઝઘડવું, રેસકોર્સની પાળીએ બેસીને ઝઘડવું. રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેજો, ગાળાગાળી કરી લેશો તો પણ વાંધો નહીં, પછી પાછા હસતાં-૨મતાં થઈને ઘરે આવતા રહેવું. ભૂલેચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઊતર્યા, તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ હશે, તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે, તેમ સંતાન પોતે જીવશે.ઘર પછી કોનો આવે ? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો મોટો રોલ છે સાહેબ. માતા-પિતાએ એ સમજી લેવાની જરૂર છે, આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે, એને હું સોંપું છું.
Where i fail, teachers are successful. હું તમને એમ કહેવા માંગુ છું, તમે જે ટીચરને સોંપો છો, એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક જોઈએ. યાદ રાખવા જેવું છે, બાળક જરાક મોટું થાય, ચોથા, પાંચમા ધોરણમાં આવે, અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલે ચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો તો બાળકની લાગણી ઘવાય છે. બાર વર્ષની ઉંમર સુધીનો જે ગાળો છે. એના ટીચર એના માટે હીરો છે અને તમે એમ કહો, ‘તારા ટીચરને શું ખબર પડે ?’ ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે. નવી સદીના, એ બોલતા નથી, પોતાના રૂમમાં જતાં રહે છે અને પોતાની સાથે વાત કરે કે, ‘ટીચરને બધી ખબર પડે છે મમ્મી, તને જ નથી ખબર પડતી.’ પણ એ બિચારા એકબાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે. આપણે હજી બાકી છે.
બીજી એક વાત, દરેક કામ તમે જ કરવાના હો, તો તમે ભૂલ કરો છો, દરેક કામની અંદ૨ તમારા બાળકને હસતાં-રમતાં ઈન્વોલ્વ કરવું જરૂર છે. કેટલીક માતાઓ એમ માને છે કે, આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું જઈને પારકાં છોકરાંએ હેરાન કરવાની, આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો, કે સાસરે ગયેલી દીકરીના મા રોજ સવારે ફોન કરે, ‘બેટા શું રાંધ્યું? ભાત મુક્યા છે. ત્રણ સીટી વગાડજે હો, કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે ત્રણ સીટી વગાડજે. That is also habit for- mation. તમે એને ઇન્વોલ્વ કરો, ભીંડા કેમ સુધારાય ? ગોળ સુધારાય કે લાંબા સુધારાય, ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય. આ બધી પ્રક્રિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો. ભેગો દીકરાને લેતા જાઓ. ‘હાલ તને મજા આવશે.’ અને તમે પોતે જરા પાણીની પાઈપ લઈને ઉભા રહો, તમે જો જો દીકરો તરત કહેશે કે, પપ્પા મને આપો ને, When you involve them, they are eager to work. જ્યારે તમે એને ભેગા જોડો છો, ત્યારે જ એને કામ કરવાની મજા છે. અને ખરેખર કેળવણી એ છે ‘કોગ્નિટિવ’ એટલે ‘જ્ઞાનનો ડબ્બો’ આપણું શિક્ષણ રોજ જ્ઞાનનાં ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો ભરી, ડબ્બો બંધ કરે છે. બાળકને કહી દે છે કે, તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે. જે લગભગ કોઈ ખોલતું નથી. તો શું કરવું જોઈએ ? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ છે, એ એને એકવાર ક૨વા માટે આપો. કરતાં-કરતાં જે શીખાય એને કેળવણી કહેવાય.
કૈંક શ્રીમંતો ને સરદારો
ઊગ્યા, આથમિયા દરબારો;
ચક્રવર્તીઓ થયા ચાલતા બોલાવી ઘડીભર દેકારો; ને
એ સૌની મશ્કરી કરતી હસી રહી આજે યે ધરતી !
એ જ લહેરથી વિશ્વ વિહરતીઃ
કોની છે આ ધીંગી ધરતી ?
– કરસનદાસ માણેક
by Bhadrayu Vachhrajani | Feb 9, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા પ્રકાશિત થયેલ “બિલ નાઈટ” ના “પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન” નું સંપાદન ભાવ પ્રદેશમાં ખેંચી જાય છે..
“….આપણા સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જક, વિવેચક અને વિચારક કાકાસાહેબ કાલેલકર તો નેવું વર્ષ જીવ્યા હતા. ‘રખડવાનો આનંદ’ એમના જીવનનો આનંદ બન્યો હતો. તેમણે અનેક પ્રવાસો ખેડયા હતા અને છતાં તેઓ પ્રવાસને અંતે થાકેલા કે માંદા દેખાયા ન હતા. એકવાર કોઈકે તેમને તે વિશેનું કારણ પૂછેલું ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે, આ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ મારી પાછળ પડયાં છે. મને પકડવા માંગે છે પણ પકડી શકતા નથી. મારું સરનામું મેળવી તે જગ્યાએ જઈને પૂછે છે : કાકાસાહેબ ક્યાં છે? ત્યારે લોકો કહે છે, ‘કાલે અહીં હતા. આજે ક્યાં છે તેની ખબર નથી. વળી, બુઢાપો મૃત્યુ મારું સરનામું મેળવી હાંફતા હાંફતા નવી જ જગ્યાએ પહોંચે છે. ત્યાં લોકો કહે છે : હમણાં તો અહીં હતા. હવે ખબર નથી ક્યાં ચાલ્યા ગયા. હું જેટલી ઝડપે યાત્રા કરું છું તેટલી ઝડપે ન તો બુઢાપો દોડી શકે છે ન તો મૃત્યુ મને પકડી શકે છે. હું શું કરું? એમને ટાળવાની મેં ક્યારેય કોશિશ કરી નથી, એમને પામવાની ઉત્કંઠા પણ નથી. બંને જૂના દોસ્તો છે. કોઈને કોઈ દિવસ તો જરૂર મળશે. તેમાં જેટલી વાર લાગશે એટલા જ પ્રેમથી એકબીજાને ભેટીશું………!
ઉપરની વાત ૫૨થી આપણને એટલું સમજાય છે કે, કાકાસાહેબે નચિંત બનીને જીવન વીતાવ્યું હતું. એટલે જ તેમણે જીવનનો અધિકમાં અધિક આનંદ મેળળ્યો હતો. એવું આનંદમય અને પ્રવૃત્તિમય જીવન જીવવા આપણામાંથી મોટા ભાગના ભાગ્યશાળી થતા નથી. પરિણામે તેઓ પેલી જીવન ઘટમાળમાં ફસાઈને નિરસ અને કશી પ્રવૃત્તિ વગરનું જીવન જીવતા બુઢાપાને શાપ દેતા જીવન જીવતા હોય છે. ડોસા અને ડોસી બની નકામા અને નિરૂપદ્રવી બનતાં જીવનને આપણા કવિ વિપિન પરીખે સુંદર રીતે એની કાવ્યબાનીમાં મઢી લીધું છે :
ડોસો ચીમળાઈ ગયો છે.
ડોસાઓ ચીમળાતા હોય છે તેમ જ
ગઈકાલને યાદ કરી કપાળ પર હાથ પછાડે છે.
પોતે જ સાંભળતો નથી.
અને મોટે મોટેથી બૂમો પાડીને દીકરાઓને ભાંડે છે.
ડોશી પેલા ખૂણામાં બેઠી બેઠી જ વૃદ્ધ થઈ છે.
ગઈકાલે પતિ અને આજે છોકરાં–વહુ
ઘરમાં કોઈ એને સમજ્યું નહીં.
અને વાતવાતમાં આંખે મોતિયો આવી ગયો.
તોય કોઈને ફરિયાદ ન કરી
છોકરો આવ્યો તે ખૂબ નજર તાણી એ બોલી :
બેટા આવ્યો? જમીને જજે.
દીકરો સાચવીને જૂઠું બોલતો :
મા ભૂખ નથી.
ડોસીએ આગ્રહ કર્યો નહીં.
આંખે મોતિયો હતો, પણ
હજુ આંખમાં થોડાંક આંસુ બચ્યાં હતાં
એટલે કહ્યું: ભલે…
આપણાં વડીલો… વૃદ્ધો… ડોસા. ડોસીઓ. આપણાં પોતીકાં સ્વજન છે, માબાપ છે. આપણું આજનું અસ્તિત્વ એમને આભારી છે તે ભૂલવાનું નથી. એમની સંભાળ રાખવી—એમનું ગૌરવ જાળવવું એ આપણી પવિત્ર ફરજ બને છે. આવી ફરજ આપણો ધર્મ બને છે. વળી, આપણા ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં માબાપને… વડીલોને પ્રભુ સાંનિધ્યમાં મૂકીને “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ’ એવી પ્રાર્થનામાં મઢ્યાં છે… અને છતાં અહીંના આપણા સમાજમાં માબાપને વૃદ્ધાશ્રમમાં, ધરડાઘરમાં, ઑલ્ડ પીપલ્સ હોમમાં મોકલી આપવાનો જે પવન ફૂંકાવા લાગ્યો છે તેની સામે લાલ બત્તી ધરવી જ રહી. એમની પાછલી અને નિ:સહાય અવસ્થામાં ભાડૂતી એવી પરિચારિકાઓ દીકરાવહુની લાગણી, હૂંફ અને સંભાળ ન જ આપી શકે, તેમની પાછલી જિંદગીમાં આપણે તેમની જેવી અને જેટલી સંભાળ રાખી શકીએ તેવી અને તેટલી સંભાળ બીજા કોઈ રાખી શકે નહીં.”
(સદ્દગત બળવંત નાયકનો આ લેખ ‘ઓપિનિયન’ ના સપ્ટેમ્બર, 1999ના અંકમાં પ્રકાશિત થયો હતો, તેની સાદર નોંધ લઈએ.)
‘શ્રી બળવંત નાયકના પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન’ ના ગ્રંથમાં સાંપ્રત કાળ માટે ઉત્તમ સંદેશ આપતા એમના નિબંધ “આપણું આજનું અસ્તિત્વ માબાપને આભારી” ના માર્મિક અંશો વાંચીને આપણે તેઓને વાંચનાનજલિ આપી.
યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ હેઠળ હવે બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જન પુસ્તક પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકનું સંપાદન ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યકાર શ્રી વલ્લભભાઈ નાંઢાએ કર્યું છે. જ્યારે તેનું પ્રકાશન કેતન રૂપેરાની નિપુણ દૃષ્ટિ અનુસાર થયું છે.
બળવંતભાઈ ગાંડાભાઈ નાયક, “બિલ નાઈટ”
જીવનકાળ 15 મી ડિસેમ્બર 1920 થી 15 મી ફેબ્રુઆરી 2012.
ડાયોસ્પોરિક ગુજરાતી સાહિત્ય જમાતનાં એક અગ્રગણ્ય સાહિત્યકાર,
અકાદમી યુનાઇટેડ કિંગડમના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ પણ ખરા.
વલ્લભભાઈએ પોતે લખ્યું છે કે, ‘1972માં દેશના સરમુખત્યાર ઇદી અમીને 21 દિવસની અવધિ પૂર્ણ થાય એ પહેલા એશિયાનો એ દેશ છોડી ચાલ્યા જાય એવો ફતવો બહાર પાડ્યો. આવી કટોકટીભરી સ્થિતિમાં બળવંત નાયક જેવા સંવેદનશીલ સર્જક અવાજ ઉઠાવ્યા વગર રહી શકે ખરા? એ ફતવાના પ્રત્યુતર રૂપે સમ-સંવેદનશીલ સાહિત્ય સર્જક બળવંત નાયકે ‘ને ધરતીને ખોળે નરક વેરાયું‘ નવલકથા લખી. એમાં નંદનવન જેવી યુગાન્ડાની ધરતીને નરક જેવી વેદનશીલ પરિસ્થિતિમાં પલટાવી નાખનાર પરિબળરૂપ ઈદી અમીનની કૂટનીતિને દસ્તાવેજી આધારોને ખપમાં લઈને નિર્ભિકતાથી પડકારી. ભારતીય મીથને આ કથા બીજ સાથે પરોક્ષપણે સંયોજ્યું અને પ્રાદેશિક માન્યતાઓ, હકીકતો, અને તથ્યોને પણ કલાત્મક રીતે રજૂ કર્યા. એમાંથી ઉપસતા વાસ્તવ બોધને કારણે એ આફ્રિકન સભ્યતાની પ્રતિનિધિ કથા બની અને સાથોસાથ પશ્ચિમ જગતની પણ પરિચાયાક કથા બની રહી. આ નવલકથાનો “પેસેજ ફ્રોમ યુગાન્ડા” શીર્ષક હેઠળ લેખકે પોતે અંગ્રેજીમાં ભાવાનુવાદ કર્યો અને નોબેલ પારિતોષિક વિજેતા સર્જક અને અમેરિકાની સૌપ્રથમ અશ્વેત મહિલા ટોની મોરીસને ગુલામોની યાતનાઓને વ્યંજીત કરતી ‘ડાર્લિંગ’ નામની નવલકથા લખી. બળવંત નાયકે નવલકથાનું ‘લાડલી’ નામે ગુજરાતીમાં રૂપાંતર પણ કરી આપ્યું.
બળવંત નાયકની જીવનયાત્રા ગુજરાતી પ્રજાના વિદેશ વસવાટનું એક અનોખું રેખાચિત્ર છે. ગુજરાતના વાપી ગામના રહેવાસી અને 20મી સદીની શરૂઆતમાં જન્મેલા બળવંત નાયક મુંબઈ યુનિવર્સિટીની વિલ્સન કોલેજના વિદ્યાર્થી હતા. ત્યાં તેણે અભ્યાસ પૂરો કરી તેઓ સહકુટુંબ યુગાન્ડાના પાટનગર કંપાલામાં સ્થાયી થયા. તેઓ સ્થાનિક શાળાના આચાર્ય તરીકે સેવા કરતા હતા. ઈદી અમીને 1972માં જ્યારે યુગાન્ડાથી જે લોકો દેશના નાગરિક ન હતા તે લોકોને દેશ નિકાલ કર્યા તેમાંનું એક કુટુંબ બળવંતભાઈનું પણ ખરું. બળવંતભાઈ તેમના પત્ની અને બાળકો સાથે 1973ના ઓગસ્ટ મહિનામાં યુગાન્ડાથી બ્રિટન આવ્યા અને લંડન શહેરના જાણીતા સાઉથહોલ વિસ્તારમાં સ્થાયી થયા. ત્યાં તેમણે શિક્ષક તરીકે કામ કરવાની શરૂઆત કરી. ગુજરાત, યુગાન્ડા, અને બ્રિટનમાં વસવાટ કર્યો તે દરમિયાન બળવંત નાયકે ‘નવનીત સમર્પણ’ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના શ્રી વિપુલભાઈ કલ્યાણીના ‘ઓપિનિયન’ માસિકમાં અવારનવાર વિવિધ સાંપ્રત વિષયો ઉપર પોતાના વિચારોની છણાવટ કરી અને સનાતન માનવતાનાં વિવિધ પ્રશ્નોને તેમણે સાથે જોડ્યા.
બળવંત નાયક ગુજરાતી ભાષા અને સાહિત્યના ચાહક હતા એટલું જ નહિ, ગુજરાતી સાહિત્યના વિકાસમાં ખુબ મહત્વનો તેમણે ભાગ ભજવ્યો. પૂર્વ આફ્રિકા તેમજ બ્રિટનનાં ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસમાં તેમનું નામ હંમેશા અગ્ર સ્થાને અંકાયેલું રહેશે. તેમના રચનાત્મક અને વૈવિધ્યથી ભરપૂર જીવનનો અંત 2012માં 92 વર્ષની વયે થયો. ગુજરાતી સાહિત્યકારોની યાદીમાં તેમનું સ્થાન અનોખું છે. યુનાઈટેડ કિંગ્ડમ ના ગુજરાતી સાહિત્ય અકાદમીએ સ્તુત્ય કાર્ય કર્યાનો રાજીપો વ્યક્ત કરીએ.
by Bhadrayu Vachhrajani | Jan 30, 2025 | અખંડ આનંદ |

મહેન્દ્રભાઈ મેઘાણી આપણી વચ્ચે હવે નથી પણ તેમનું સાહિત્યસર્જન અને પબ્લિકેશન મૅનેજમેન્ટ આજે પણ સ્મરણયાત્રા જેવું છે. મહેન્દ્રભાઈને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દળવાનો શોખ. ઘરનાં, પાડોશનાં, મિત્રોનાં અનાજને ધંટીમાં દળી દે. શોખ પોષવા દળણાં ઉઘરાવવા પણ જાય ! પ્રસંગે ભેટમાં પોતે દળેલ થૂલી કે લાપસી આપી આવે ! ભાવનગરના જાણીતા કાર્યકર આત્મારામ ભટ્ટની દીકરી કુમુદનાં લગ્નમાં લાપસી ભરડીને પહોંચાડેલી, ત્યારથી કુમુદ તેમના ભાઈ મહેન્દ્ર મેઘાણીને રાખડી બાંધતાં !
આમ તો, મહેન્દ્ર મેઘાણી એટલે સતત સાહિત્યસર્જન અને વાંચનના વ્યાપ માટે વિચારતી કરુણાશીલ વ્યક્તિ.
એક વિચાર આવ્યો. લોકો પુસ્તકો સુધી આવે તેની રાહ જોવાને બદલે લોકો જ્યાં છે ત્યાં પુસ્તકોને લઈ જઈએ તો ? આ વિચારે જન્મ આપ્યો ‘પુસ્તકમેળા’ને. મુંબઈમાં સુંદરબાઈ હૉલમાં પહેલો પુસ્તકમેળો કર્યો. ‘લોકમિલાપ’ના કાર્યકરો અને બાકી સ્થાનિક મદદકર્તાઓ, ઉતારો સ્થાનિક મિત્રોના ઘરે, હોટેલમાં નહીં. ખર્ચ ઘટાડો પણ પુસ્તકો પોષાય તેવી કિંમતમાં વેચો. પૂના, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ અને ત્યાંથી વિદેશોમાં પણ પુસ્તકમેળાઓ યોજાવા લાગ્યા. ‘લોકભારતી’ના વિદ્યાર્થી અને ‘લોકમિલાપ’ના ચાહક હિરજીભાઈ શાહ આફ્રિકામાં રહે. એમણે કેન્યા, યુગાન્ડા અને ટાંઝાનિયામાં વસતા ગુજરાતીઓ માટે ૧૯૬૭મા પુસ્તકમેળો યોજવા મહેન્દ્ર મેઘાણીને આમંત્ર્યા. પુસ્તકો પહેલાં શિપમાં રવાના કરવાનાં. વેચાણમાંથી વળતર મળે તેમાંથી પ્રવાસખર્ચ નીકળ્યું.
૧૯૬૯માં ગાંધી શતાબ્દી વર્ષ હતું. એક વર્ષ આગોતરું આયોજન શરૂ કર્યું. ગાંધીની ભૂમિનો વ્યાપક પરિચય આપતાં ચારસો ભારતીય પુસ્તકો જે અંગ્રેજીમાં હતાં તેની યાદી બનાવી. સ્પૉન્સરિંગ કમિટી બનાવી, જેમાં જે. પી., નારાયણ દેસાઈ, વી. ડી. કેશકર, ગગનવિહારી મહેતા, મુલ્કરાજ આનંદ… આ નામો વિદેશોમાં પ્રખ્યાત અને આદરપાત્ર. એક હજાર ડૉલરમાં ચારસો પુસ્તકોની યાદી અને કમિટીની યાદી સાથે વિશ્વના દેશોને પત્રો લખ્યા. ન્યૂયૉર્કમાં નૉર્મન કઝીન ‘સેટર ડે રિવ્યૂ ઑફ લિટરેચર’ નામથી અઠવાડિક બહાર પાડે, તેમાં આ પત્ર છપાયો ને કૅનેડા, અમેરિકા, ઇંગ્લૅન્ડથી આમંત્રણો આવ્યાં. વિશ્વના અઢાર દેશોમાં જવાનું હતું, ચારસો ઉત્તમ પુસ્તકો લઈને. વળી, પુસ્તકો તો પહેલાં રવાના કરવાં પડે એટલે ખરીદવાં પડે એટલે નાણાંની જરૂર પડે. એ વખતે એક ડૉલરના ચાર રૂપિયા હતા. ‘લોકમિલાપ’ને એક લાખ રૂપિયાની જરૂર હતી. ‘મિલાપ’ માસિક દ્વારા અપીલ કરી : ‘અમને એક વર્ષ માટે રૂ. ૧૦૦ની વગર વ્યાજની લોન આપો.’ ચપટી વગાડતાં એક લાખ રૂપિયા મળ્યા. ૧૯૬૯નું આખું વર્ષ અઢાર દેશોમાં ફરીને ગાંધીભૂમિના ઉત્તમોત્તમ પુસ્તકોના મેળાનું મહેન્દ્રભાઈએ જબરૂ આયોજન કર્યું અને તે પણ લોકસહયોગથી લોકમિલાપ ટ્રસ્ટના પ્રમુખ હતા.‘લોકમિલાપ’ દ્વારા !
૧૯૭૨માં ઝવેરચંદ મેઘાણીની પંચોતેરમી જન્મજયંતીએ તેમના સાહિત્યનો વ્યાપક ફેલાવો કરવા લોકમિલાપ મેઘાણીનાં કાવ્યો, નવલિકાઓ અને લોકકથાઓનાં અઢીસો પાનાંનાં ત્રણ પુસ્તકોનો સંપુટ ‘કસુંબીનો રંગ’ નામથી બહાર પાડ્યો. સાતસો પચાસ પાનાંનું સુંદર પ્રકાશન. કિંમત રાખી રૂ. વીસ, પણ અગોતરા ગ્રાહક થાવ તો માત્ર રૂપિયા દસ અને દસ સેટ મંગાવો તો માત્ર રૂપિયા પાંચમાં !!! મેઘાણી કુટુંબે પુરસ્કાર જતો કરેલો. ‘અગોતરા ગ્રાહક’ યોજનાની વિશેષતા એ કે જેટલાં વેચવાનાં એટલાં જ છાપવાનાં. કશું પડતર કે વ્યય નહીં. ‘કસુંબીનો રંગ’ના સવા લાખ સેટના ઑર્ડર મળ્યા..
મહેન્દ્રભાઈ કહે છે કે, ‘રસ પડે, સમજાય અને પરવડે તેવું સાહિત્ય આપે તો લોકોને વાંચવું જ છે.’ પછી તો સતત ચાર વર્ષ આ જ યોજના દ્વારા ‘આપણો સાહિત્યવારસો’ શીર્ષકથી જુદા જુદા લેખકોનાં પાંચ પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં. ચયનની જવાબદારી ઉમાશંકર જોશીએ વહન કરી, કારણ ઉ. જો.લોકમિલાપ ટ્રસ્ટ ના પ્રમુખ હતા.
‘મિલાપ’ માસિક પચાસ વર્ષ ચાલેલું. તેની ફાઈલોમાં કેટલું સંગ્રહાયેલું ? નવી પેઢી સુધી તેમાંથી શ્રેષ્ઠતમ સાહિત્ય પહોંચાડીએ તો ? તેમાંથી પ્રગટ થઈ ‘અરધી સદીની વાચનયાત્રા’ અને એ તો ગુજરાતમાં અને ગુજરાતીઓના ઘરેઘર પહોંચી ! ‘લોકમિલાપ’ની એક ઓળખ તે ખિસ્સાપોથીની. બત્રીસ પાનાં અને બુશશર્ટના ખિસ્સામાં સમાઈ સમાઈ જાય તેવી નાની પુસ્તિકાઓનાં ત્રીસ શીર્ષક થયાં ને તેની દસ લાખ નકલો છપાણી !
મહેન્દ્રભાઈ લોકો સુધી પહોંચવા હંમેશાં તત્પર. કોઈ કહે, લોકો વાંચતા નથી તો મહેન્દ્રભાઈએ વાચનયાત્રા શરૂ કરી. મેઘાણીભાઈની નેવુંમી જન્મજયંતીએ તેમણે નેવું દિવસની વાચનયાત્રા આરંભી. ઘરે ઘરે જવાનું. ઘરનાંને અડોશપડોશના ચાલીસ પચાસની વચ્ચે અર્ધો પોણો કલાક બેસી શ્રેષ્ઠ કશુંક વાંચી સંભળાવવાનું અને એમ વાચનનો ચેપ લગાડતા જવાનો !!
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ
by Bhadrayu Vachhrajani | Jan 26, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

જેમણે પાંચ વર્ષ પહેલા પોતાને પંચોતેર વર્ષ થયા ત્યારે સહયોગ પરિસરની બહાર નહીં નીકળવાનો સંકલ્પ લીધો છે તેવા પ્રાધ્યાપકની નોકરી છોડીને રક્તપિત્તિયાઓની સેવા કરવા ભેખ ધારણ કરનાર શ્રી સુરેશ સોનીના પડછાયા સમાન ધર્મપત્ની ઈન્દિરાબેન વાત માંડે છે ::
“કોઈ ભવમાં બાંધેલા, મારા કર્મો જાગ્યા છે,
કાયાના દર્દ રૂપે, મને પીડવા લાગ્યા છે.“
“રાત્રે બાર વાગે હોસ્પિટલનો કમ્પાઉન્ડર અમને ભર- ઊંઘમાંથી જગાડે છે. સાહેબ પરાગભાઈને બહુ દર્દ થાય છે. એમને ઇંજેકશન-દવા આપી દઉં ?
ભાવનગરની ઝુંપડપટ્ટીમાં રહેતા રક્તપિત્ત રોગને કારણે સમાજે તિરસ્તકૃત કર્યા છે, તે પરાગભાઈ વર્ષોથી એકલા ત્યાં રહેતા હતા. પગમાં ખૂબ મોટો ઝખમ થવાથી તેમાં કીડા પડયા હતા. જેથી દુર્ગંધ મારતી હતી. ત્યાંના એક ભાઈ એક વર્ષ પહેલા સહયોગમાં મૂકી ગયા હતા. બંને પગે ઝખમ, એક પગ તો સડી ગયેલા. ડ્રેસિંગ કરતા, પણ સારું ન થતા ડોક્ટરે પગ કાપી નાંખ્યો,
ધીમે ધીમે તેમની શારીરિક સ્થિતિ બગડવા માંડી. જેથી તેમને હિંમતનગરની હોસ્પિટલમાં મોકલ્યા. તપાસ કરતાં ખબર પડી કે તેમને કેન્સર થયું છે. દવા શરૂ કરી. તેમને નવડાવવા પડે, ડ્રેસિંગ કરવાનું, કાને બિલકુલ સાંભળે નહિ. તેમને પુછું-કશું ખાવું છે ? ઈશારાથી સમજાવું, જવાબ આપે નહિ, સંસ્થા તરફથી લીલા નાળિયેર મંગાવીએ.
મને થાય છે કે,ખરેખર, આપણે બધા કેટલા બધા નસીબદાર છીએ. માંદા પડીએ, હોસપિટલમાં દાખલ થઇએ ત્યારે આપણો સમગ્ર પરિવાર આપણી સેવામાં લાગી જાય છે. રાત-દિવસ એકાદ જણ આપણી પાસે રહે છે. જ્યારે આવા એકલા-અટૂલા પથારીમાં કણસતાં હોય, પાણી પીધું હોય, ટોયલેટ જવું હોય તો તેની મદદ માટે કોઈ ન હોય, વોર્ડબોય હોય તે હાજર ન હોય. એની બાજુના ખાટલામાં એના જેવો જ દર્દી હોય તે શું મદદ કરે. ક્યારેક એવું પણ બન્યું છે ઊંઘમાં દર્દીનું મૃત્યુ થયું હોય અને બાજુવાળાને ખબર પણ ન હોય. એ દર્દીને મરતી વખતે કશી જ વેદના નહીં થઈ હોય ?
શા માટે આ વેદના – આ એકલતા ? આ દર્દી અને આ પીડા ? શા માટે ઇશ્વરનો આવો ભયંકર શાપ ?”
‘અણસાર’માં વર્ષાબેન અડાલજા લખે છે :
“આ વેદના જોઈ લોકોનો અંતરઆત્મા જાગે અને આવા દુ:ખી લોકોને ટેકો કરવા માનવજાત આગળ આવે. વેદનાગ્રસ્ત માનવી હરિ હોવાની એધાણી છે.”
“હજુ તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, ભગવાન પરાગભાઈને દુઃખમાંથી હવે મુક્તિ આપો. તેમના કર્મોની સજા પૂરી કરો. ત્યાં તો હોસ્પિટલમાંથી વોર્ડ બોય કહેવા આવ્યો. પરાગભાઈ મૃત્યુ પામ્યા છે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી કે શું ?
થોડી જ વારમાં તેમની અંતિમ વિધિ માટેની તૈયારી કરાવવા લાગ્યા. તેમના સગાં-વહાલા જે ગણો તે અમારા આશ્રમવાસીઓ, છાત્રાલયના દિકરા-દીકરીઓ, મંદબુદ્ધિવાળા દિકરા-દિકરીઓ. તેમને વિદાય આપવા રામધૂન બોલાવતાં અને જયશ્રીકૃષ્ણ- પ્રણામ કહેતા અંતિમ ધામમાં પ્રયાણ કર્યું. આ લેખ પૂર્ણ કરતાં સ્વપ્ને પણ ખ્યાલ નહોતો પરાગભાઈ દુ:ખમાંથી મુક્તિ પામશે.
તેમની બાજુના ખાટલામાં ચાલીસ વર્ષથી અમારી સાથે રહેતા ફતેસિંહ હાથ-પગના આંગળા વળી ગયેલા, નાક બેસી ગયેલું. પાતળા બાંધાના ગાંધી કુટિરમાં રહેતા હતા. અચાનક કમરમાં અસહ્ય પીડા થતા તેમને હિંમતસર ઓર્થોપેડિક ડોક્ટરને ત્યાં મોકલ્યા. દવા શરૂ કરી. માનસિક-શારીરિક રીતે ભાંગી પડેલા ફતેસિંહ કોઈ દવા ખાવા – કસરત કરવા તૈયાર નથી. કોણી પર મોટો ઝખમ થવાથી ખૂબ ગંધ મારે છે. પીડાને લીધે સ્નાન કરવાની ના પાડે છે. છતાં એ બે ચાર જણાએ પકડી રાખી નવડાવ્યા. કેટલાય દિવસ ન્હાયા ન્હોતા. મેં પુછ્યું, હવે કેવું લાગે છે તો કહે સારુ, પણ મારે જીવવું નથી. કુલા પર પણ મોટો ઝખમ પડયો છે.
આવા ભાઈ-બેનો મૃત્યુની રાહ જોઈ હોસ્પિટલના બિછાને પડેલા છે. કોઈને કીડનીની, કોઈ કેન્સર, તો કોઈ માનસિક તકલીફથી પીડાતા દર્દીઓની વેદના જોઈ મનમાં થાય છે ભગવાન આવું કોઈને પણ ન આપીશ. આ બધાને જોઈએ છીએ ત્યારે સુરેશને હું પૂછું છું કે આપણું મોત કેવું આવશે ? ત્યારે તે જવાબ આપે છે . પૂ. મોટા, પૂ. રામકૃષ્ણ પરમહંસને પણ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું છે, તો આપણે કોણ ?”
સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ એટલે ભગવાનની કૃપા.
1988ની ગણેશ ચતુર્થી તા. ચૌદ, સપ્ટેમ્બર ના રોજ વિસ રક્તપીતીઓ અને છ બાળકો સાથે સહયોગ ટ્રસ્ટ શરુ થયું. સર્વોદય આશ્રમ, મઢીના શ્રી રામુભાઇ પટેલે પોતાની બત્રીસ એકર જમીન બિનશરતી દાનમાં આપેલી. સંસ્થામાં 60 સ્ટાફમિત્રો, 44 ગાયો (માંદી, ખોડખાપણ વાળી) વળી અહીં જે આશ્રમવકસીઓ છે તેમાં 285 રક્તપિત્તવાળા લોકો અને તેના કુટુંબીઓ, દિવ્યાંગ 22 લોકો અને તેના કુટુંબીઓ, સામાજિક પ્રશ્નોવાળા 08 લોકો, માનસિક તકલીફવાળા 251 પુરુષો, માનસિક તકલીફવાળા 178 બહેનો અને 283 રક્તપિત્ત બાળકો થઈને કુલ 1027 આશ્રમવાસીઓનું આ સહયોગ નગર છે.
ગુજરાતમાં જ કેવળ નહીં પરંતુ ભારતભરમાં એક સૂત્ર ફરતું થઈ ગયું છે કે, “જેનું કોઈ નથી તેનું સહયોગ છે .”
by Bhadrayu Vachhrajani | Jan 19, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને જગાડવાનું ને ઢંઢોળવાનું કામ “સહયોગ” કરે છે.
ન માની શકાય તેવી આ વાત છે. ગમે તે જાતિ, ધર્મ હોય પણ માણસ આખરે તો માણસ છે. ભગવાને બધાને સરખા જ બનાવ્ય છે, પણ માણસે જ ધર્મ ને જાતિનાં વાડા બનાવ્યા છે.
સાબરકાંઠાનું ઈલોલ ગામ. ત્યાં મુસ્લિમોની વસ્તી વધુ છે. હિન્દુ-મુસલમાન પ્રેમથી હળીમળીને રહે છે. ઈલોલના મુસ્લિમ દંપતી નોખી માટીના છે. શ્રી હલીમાબેન અને શ્રી રહેમતુલા ઘણા વર્ષોથી ઈલોલમાં રહે છે. તેમના પરિવારમાં ત્રણ દિકરી ને એક દિકરો છે.
તેમના ઘરે થોડા ઘણા મંદબુદ્ધિવાળા એક હિન્દુ માનાભાઈ કચરાભાઈ વણકર અવારનવાર આવતો. હલીમાબેન તેને ક્યારેક ચા-નાસ્તો આપતા. માનાભાઈના પરિવારમાં કોઈ હતું નહિ. માતા-પિતા મૃત્યુ પામેલા. એટલે માનાભાઈ હલીમાબેનનો પ્રેમ જોતા ચા માંગે, એમ કરતાં પતિ- પત્નીને તેમના તરફ માયા બંધાઈ. પછી તો તે દરરોજ આવે અને બે ટાઈમ તેમને જમવાનું મળે. આ દંપતીએ વિચાર્યુ કે કાયમ એમને આપણે ત્યાં જ રાખીએ તો કેવું ? અને બાજુના રૂમમાં ખાટલો, ગોદડુ આપી તેમને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી અને ધીમે ધીમે તેઓ કુટુંબના સભ્ય બની ગયા. દિકરીઓ પણ તેમને સાચવતી.
થોડી બુદ્ધિ ઓછી અને ગુસ્સો બહુ. એટલે ક્યારેક સમયસર ચા ન મળે તો ગુસ્સે થઈ ગાળો બોલે. રહેમતુલ્લાની ભત્રીજી કે બીજા સગા આવે તો કહે “તમે બધા અહીં કેમ આવ્યા છો ? ખાવા આવો છો ? જતા રહો.
એકવાર હલીમાબેન કામમાં હતા, જમવાનું આપવામાં મોડું થયું તો તેમને સાવરણી મારી. હલીમાબેન એટલા ભલા અને લાગણીશીલ કે ગુસ્સે થવાને બદલે પ્રેમથી ચા પીવડાવીને ઠંડા પાડયા. આજુબાજુ પાડોશીઓ આ જુવે અને રહેમભાઈ – હલીમાબેનને કહે “તમે શું કામ આ માણસને રાખો છો ? તમારા સગા તો છે નહિ”. ત્યારે તેઓ કહે, “એ બિચારાનું કોઈ નથી, આ તો પ્રેમનો સંબંધ છે, મારો દિકરો આવું કરે તો હું એને કાઢી મૂકું, કાંઈ ?”
એકવાર હલીમાબેનની નજર માનાભાઈના હાથ પર પડી. ફોલ્લા પડેલા. દવાખાને લઈ ગયાં. જલ્દી રૂઝાય નહિ. રહેમભાઈ તેમને નવડાવે, કપડા પહેરાવે. તેમણે ચામડીના ડોક્ટરને બતાવ્યું. ખબર પડી કે રક્તપિત્તને કારણે તેમને રૂઝ આવતી નથી. અમદાવાદમાં નારોલમાં રક્તપિત્તની હોસ્પિટલમાં દાખલ કર્યા. દવા શરૂ કરી. થોડા મહિના રહ્યાં. સારૂં થયું. એકલા ઘેર ભાગી આવ્યા. રક્તપિત્ત રોગને કારણે, કુટુંબ-સમાજ, સ્વજનો હડધૂત કરે છે, તિરસ્કૃત કરે છે ત્યારે આ દંપતી તેમને પ્રેમથી રાખે છે. કોઈ પણ જાતના સંબંધ વગર !!
એકવાર પગમાં જખમ થવાથી તેમાં કીડા પડયા. હલીમાબેનની મોટી દિકરીએ દવા નાખી કીડા જાતે કાઢી પાટો બાંધ્યો, અને તે પણ મોઢું બગાડયા વગર, સૂગ ચડાવ્યા વગર. ચાર વર્ષ પહેલા ક્યાંકથી વૃદ્ધાશ્રમ શરૂ કરવા માનાભાઈને લેવા આવ્યા, આ ભાઈ ઘરડા થશે, તમારી પણ ઉંમર થશે, ત્યારે તમને તકલીફ પડશે, માટે અમે શરૂઆત માનાભાઈથી કરવા માંગીએ છીએ.
માનાભાઈને સમજાવી પટાવીને મોકલ્યા. સવારના ચાર વાગે બારણે ટકોરા સંભળાયા. જોયું તો માનાભાઈને મૂકવા આવનાર ભાઈ કહે, “માનાભાઈ તો એવું કહે છે, તમારા કરતા તો હલીમાબેન સારા, મને રાત્રે ૧૨ વાગે ચા માંગુ તો બનાવી આપે છે. મારે અહિં રહેવું નથી.” આવો નિસ્વાર્થ પ્રેમ આ દંપતી જ કરી શકે. આ માનાભાઈ પાસે કોઈ મિલકત નથી, છતાંય આ દંપતી પ્રેમથી તેમને રાખતા.
એકવાર ગામના મોભીઓએ રહેમતુલ્લાભાઈને કહ્યું, “આપણે મુસલમાન અને ભાઈ હિન્દુ છે. ક્યારેક તેમને કશું થશે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો. માટે તમે ગમે ત્યાં મૂકી આવો.” આ સાંભળી દંપતી ગભરાઈ ગયું. જે વ્યક્તિને ૨૦ વર્ષથી પોતાના ઘેર પરિવારનો સભ્ય ગણી રાખ્યો, પ્રેમ આપ્યો, તેમને કોઈ ગુના વગર કાઢી મૂકતા જીવ નહોતો ચાલતો.
ન છૂટકે તેઓ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્રનગર ચોકડી, હિંમતનગર માં શ્રી સુરેશ સોનીને મળ્યા અને કહ્યું, “માનાભાઈને અમે ૨૦ વર્ષ અમારે ત્યાં રાખ્યા હતા. હવે તમારી સંસ્થામાં કાયમ માટે મૂકવા આવ્યા છીએ. અમે મળવા આવતા રહીશું.” મૂકીને ભારે હૈયે વિદાય થયા. સંસ્થામાં બધાની સાથે રહે છે.
હલીમાબેનની દિકરીને રાજસ્થાન પરણાવી છે, તે રાજસ્થાન જતાં માનાકાકાને મળવા આવી. તેમને માટે નાસ્તો, સ્વેટર વગેરે લાવી, તેણીએ પૂછયું, “કાકા બીજું શું જોઈએ છે ?” તો કહે, મારે પાકિટ જોઈએ છે, “તમારે કેમ જોઈએ છે? તો માનાકાકા કહે, “મને દર મહિને સંસ્થામાંથી ૧૩૦ રૂ. વાપરવા આપે છે. જમવાનું, કપડાં, દવા તો મફત મળે છે. એટલે પૈસા મૂકવા પાકીટ જોઈએ ને ?”
દીકરીએ ફોનથી તેના પપ્પાને જણાવ્યું, “તમે સહયોગમાં જઈ માનાકાકાને પાકીટ આપી આવજો.” હલીમાબેન- રહેમતુલ્લા તેમના મિત્રની ગાડીમાં આવી સુરેશભાઈને મળ્યા અને બધા માનાભાઈને મળવા ગયા. પાકીટ, નાસ્તો, બિસ્કીટ વગેરે આપ્યું.
સુરેશભાઈએ તેમના ધર્મપત્ની ઈન્દિરાબેનને બોલાવીને કહ્યું, “ઇંદિરા, આ કંપનીને મળ. અહિં રહેતા આપણા ઘણાં રક્તપિત્તગ્રસ્તી અને મંદબુદ્ધિવાળાને કોઈ મળવા આવતું નથી, સગા વ્હાલા હોવા છતાં જ્યારે આ દંપતી લોહીનો સંબંધ ન હોવા છતાં માનવતાના સંબંધે લાગણીભર્યા દિલથી મળવા આવ્યા છે.
તેમના મુખે આ વાતો સાંભળી હૈયું ગદ્ગદીત થઈ ગયું. આવી ઘટનાઓ માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને જગાડવાનું, ઢંઢોળવાનું કામ કરે છે. આ દંપતીના હૃદયમાં વસેલા ખુદાને વંદન કરીને એટલું જ કહીએ કે પરવરદિગાર તેમને સુખી કરે અને એંસી વર્ષની કગારે ઉભેલા સન્યાસી સુરેશ સોની દંપતીને અને આખા ‘સહયોગ પરિસર’ ને સેવા કરવાનું બળ આપે.
હિન્દુ યા મુસલમાન, શીખ હૈ ઈસાઈ હૈ, યા પારસી હૈ હમ,
એતબારસે આજસે કહો ઈન્સાન હૈ હમ ઈન્સાન હૈ હમ…
by Bhadrayu Vachhrajani | Jan 13, 2025 | Articles |

સુષ્મા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં સૌ. ઈલા સાથે શિક્ષિકા અને મારો “નાટક – મિત્ર” પરેશ સરકારમાં લીગલ એડવાઈઝર. સુષ્મા પરેશના પ્રેમ લગ્ન અમારાં ઘરે થયાં. કહો કે, સુષ્માએ અમને બન્નેને કન્યાદાન કરવાનો લ્હાવો આપ્યો.
સુષ્મા+પરેશ વડગામા દંપતીનું પહેલું સંતાન પ્રેમમંદિરે જન્મ્યું. તેને ગળથૂથી પાઈ સૌ. ઈલાએ…તે સંતાનનું પ્રેમમંદિરે નામ રાખ્યું : નીર્ઝરી.
નીર્ઝરી ખૂબ હોંશિયાર, શાંત, પર્યાવરણ પ્રેમી, ટાટા ની સ્કોલરશીપ પર જર્મની જઈ ભણી. પછી ભારત આવીને બેંગલુરુમાં સ્ટાર્ટ અપમાં જોડાઈ. ત્યાંથી ગૌરવ, જૈન પરિવારનો દીકરો મિત્ર બન્યો અને એકાદ વર્ષ પહેલાં જીવનસાથી બન્યો. ગૌરવ હિન્દી બોલે પણ ગુજરાતી ઘણું સમજે. એ બહુ સ્મિત સભર યુવાન. જર્મનીની કંપનીમાં ભારતથી જોબસ્થ છે. બન્ને બેંગલુરુમાં કાર્યરત ને જીવનમસ્ત છે.
હમણાં બન્ને રાજકોટ આવ્યાં અને આજે માઘ પૂર્ણિમા દિને પ્રેમમંદિર પધાર્યાં, સાથે સુષ્મા પરેશ તો હોય જ ને !! ખૂબ વાતો કરી,, વિચિત્ર ભેજાંધરી ટ્રમ્પ થી ભગવદ ગીતા થી ઓશો થી મહાકુંભ સુધીની,,અને પછી ફાફડા – ભાખરી – ચા ને ન્યાય આપ્યો.
યુવા દંપતી પહેલીવાર પ્રેમમંદિર આવ્યું એટલે પ્રેમ પ્રસાદી રૂપે “ૐ ખેસ”, શ્રી ગોવિંદકાકા (સુરત) ની જીવનકથાનું અંગ્રેજી પુસ્તક, લોક કલા ચિત્ર અને મુખવાસ.. દંપતીને અર્પણ કર્યાં. હા, પ્રેમમંદિરના પ્રતિનિધિ રૂપે સુષ્માનાં વરદ હસ્તે જ અર્પણ વિધિ કરી. સુષ્માનું પિયર તો પ્રેમમંદિર જ કહેવાય ને !!!
આજની પૂર્ણિમાની સવાર અમારી ગોષ્ઠિથી યાદગાર બની ગઈ. આમ અમે આજે “પ્રેમ પરિવાર કુંભમાં આનંદનું વાતસ્નાન” કર્યું. એટલે તમને સૌને પણ સહભાગી બનાવ્યા છે.
તો
બોલો, આજકે આનંદ કી જય.
by Bhadrayu Vachhrajani | Jan 12, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

કલ્પસરનો વિભાગ સરકારમાં ચાલે છે, તાજેતરમાં જ અપડેટ થયેલ વેબસાઈટ છે, આર્થિક ફાળવણી છે તો પછી યોજના અટકે છે ક્યાં ??
કલ્પસર પરનો પ્રથમ લેખ વાંચીને ઘણા લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરવા બહાર આવ્યા, અલબત્ત એ સારી નિશાની છે, કારણ કે હવે ગુજરાતના સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, ખેડૂતો, સાંસદો, ધારાસભ્યો વગેરે સૌએ કલ્પસર યોજના માટે જાગવાનો અને સરકારને જગાડવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી આપણે નક્કર યોજનાઓને પડતર રાખીશું અને પાણીની કારમી તંગી સહન કર્યા કરીશું ??
જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત સરકારમાં કલ્પસર વિભાગ ગાંધીનગરના સેક્ટર દસ માં આવેલ નવા સચિવાલયના બ્લોક નંબર આઠના સાતમા મળે કલ્પસર વિભાગ કાર્યરત છે, તેની વેબ સાઈટ તા. ત્રણ, જાન્યુઆરી, 2025 સુધી અપડેટ થયેલ છે, ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો હવાલો પોતાના પાસે રાખ્યો હતો અને તેઓએ ખુદ કહેલ છે કે રેકોર્ડ સમયમાં આ પ્રકલ્પ પૂર્ણ કરી સૌરાષ્ટ્રની જળતંગી કાયમ માટે નિવારીશું. હજુ 2024ના સપ્ટેમ્બરની 11મી તારીખે અમરેલીના પૂર્વ ધારાસભ્યે પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખી કલ્પસર યોજનાને સત્વરે આગળ ધપાવવા અને તેમાં અમરેલીને સમાવિષ્ટ કરવા વિનંતી કરે છે. તેમના માટે કલ્પસર એ એક માત્ર બચાવ-આધાર છે કે જે સૌરાષ્ટ્રની જળ સમસ્યાનો કાયમ ઉકેલ આપી શકે.
એક વયોવૃદ્ધ જાગૃત વડીલ શ્રી વિનુભાઈ ગાંધીએ કલ્પસર સહયોગ સમિતિ રચીને અટકી પડેલ યોજણાને યોગ્ય દિશા દેવાના અનેક પ્રયાસો કર્યા છે. અને તેના પરિણામે જ, આ કલ્પસર યોજના અંગે ચિંતા ઉપજાવે તેવા અભ્યાસ લેખ દ્વારા ફરી શાસકોને ઢંઢોળવા નીકળનાર વયોવૃદ્ધ શ્રી વિનુભાઈ ગાંધીની વાતને સમાજ સુધી હું એક શિક્ષક તરીકે પહોંચાડી રહ્યો છું.
એક વાત ઘણા મિત્રોએ ફોનથી કરી કે, સૌરાષ્ટ્રની નેતાગીરી દબાણ લાવવામાં કાચી પડે છે, કારણ તેઓ પોતાના જ ઝઘડામાં વ્યસ્ત છે અથવા કહો કે, તેઓને અંદરોઅંદર ઝઘડવામાં જ વ્યસ્ત કરી દેવામાં આવેલ છે કે જેથી તેઓ લોકોની સમસ્યાને એક બાજુ મૂકી દે. !! એક અધ્યાપક મિત્રએ તો કટાક્ષ કરીને કહ્યું કે, અત્યારે આ ટ્રેન્ડ છે, પ્રોજેક્ટ મુકો, તેને મંજુર કરાવો, તેના માટે બાજેટ ફાળવો અને પછી તે પ્રોજેક્ટને ભૂલી જઈને નવો પ્રોજેક્ટ મુકો !!! …પ્રતિભાવો સાંભળીને અને અહીં તેને લખીને બહુ દુઃખ અનુભવાય છે કે, આપણે એક ખોબા જેવડા ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત , ઉત્તર ગુજરાત એવા પ્રાંતો માં વહેંચાઈ ગયા છીએ અને તેમાં પ્રાંતવાદ ઉભો કરી રાજ્યની સમસ્યાઓના કાયમી ઉકેલ લાવવાનું ભૂલી જઈએ છીએ.
કલ્પસર યોજનાના મૂલ્યાંકન માટે પ્રત્યક્ષ આવકના સ્રોતની સાથોસાથ પરોક્ષ લાભોથી મળવાપાત્ર આવક પણ લક્ષમાં લેવી ઘટે, તેવું સંશોધન પુસ્તિકામાં દર્શાવેલ છે.
- નવસાધ્ય થનાર ચારેક લાખ હેક્ટર જમીન,
- દસ થી બાર લાખ હેકટર જમીનને મળવાપાત્ર સિંચાઈની ફી/ ચાર્જ,
- રોજીંદા ૫૦ થી ૬૦ હજાર વાહનોની અવર-જવરનો ટોલ ટેક્સ,
- રેલ્વેની લાઈન તથા પાઈપ લાઈનનું ભાડું,
- પવન ઉર્જા/સૌરઉર્જાની વીજળી દ્વારા આવક,
- લાખો લોકોને રોજગાર/સ્વરોજગારની ઉપલબ્ધિ,
- કરોડો રૂપિયાનું વધવાપાત્ર ખેત ઉત્પાદન વગેરે રોકડ આવક તો થશે જ, પણ આ ઉપરાંત…
- ૬૬૦ કિલોમીટર લાંબી નહેરને લીધે સર્જાનાર પિયતના વિશિષ્ટ લાભો તેમજ પીવાલાયક પાણી મળવાથી સધાનાર જનઆરોગ્ય,
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે માર્ગવ્યવહારનું ૨૦૦ થી ૩૦૦ કિલોમીટરનું ઘટતા અંતરને કારણે બચવાપાત્ર ઈંધણ તથા પ્રદુષણ તથા સમય,
- દોઢેક કરોડની વસ્તી માટે રહેણાંક,
- થોકબંધ નવા ઉદ્યોગોનું નિર્માણ,
- મત્સ્યોદ્યોગ પર્યટન અને વહાણવટાનો વિકાસ,
- તાપમાનમાં ઘટાડો… જેવા અનેક પરોક્ષ લાભો સ્વરૂપ વળતર પણ મળવાનું જ છે.
આમ ગમે એટલુ મૂડીરોકાણ કરવામાં આવે તો પણ રોકડ આવકથી વ્યાજ અને હપ્તા ચૂકવી શકાશે, તેમજ સરકારની અને લોકોની આવક વધવાથી મળવાપાત્ર મૂડીથી સરવાળે ૧૨ થી ૧૫ વર્ષના ટૂંકા ગાળામાં સમુળગુ મૂડીરોકાણ પરત મેળવી શકાશે. ખાત્રીબંધ કહી શકાય કે કલ્પસર પ્રોજેકટ ક્યારેય એન.પી.એ.ના ઢગલામાં ઉમેરો નહી કરે. તેમજ કદાપી વિદેશગમન પણ નહી કરે. જેથી આ યોજના ઈકોનોમીકલી વાયેબલ તેમજ બેંકેબલ હોવા ઉપરાંત પાંચેક સદીની જળસુરક્ષા બક્ષે છે.
કેવળ ગુજરાતની જ વાત કરીએ તો કયા કયા ફાયદાઓ અહીં ગણાવેલ છે તે જોઈએ તો…
- કલ્પસર સરોવર ભૌગોલિક રીતે ગુજરાતની જ હદમાં આવેલું છે અને ઘણાં વિસ્તારને સ્પર્શે છે.
- કોઈ આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તકરાર સર્જાય તેમ નથી.
- કોઈની જમીન સંપાદન થતી નથી તેમજ કોઈનું સ્થળાંતર થતું નથી.
- જળસંકટગ્રસ્ત વિસ્તારની દસેક લાખ હેકટર જમીનને સિંચાઈ તેમજ પીવા માટે દશ હજાર કરોડ ઘન મીટર મીઠું પાણી મળશે, જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળશે.
- મધ્ય તેમજ દક્ષિણ ભારત સાથે સુરત મારફત ગુજરાતનું અને મધ્ય તથા દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રનું આદાન- પ્રદાન વધશે અને માર્ગનું અંતર ઘણું ઘટશે. તેથી ઈંધણ અને સમયની બચત થશે અને પ્રદુષણ ઘટશે.
- બધી મળીને ચારેક લાખ હેક્ટર ખારાપાટની અને ડૂબવાળી જમીન વાપરવા લાયક બનશે.
- સરોવરના ડેમ ઉપર આઠ માર્ગીય રસ્તા ઉપરાંત રેલ્વે, પાઈપ લાઈન, પવન ઉર્જા, સૌર ઉર્જાની હારમાળા સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
- વહાણવટુ, પર્યટન, મત્સ્યોદ્યોગ વગેરેથી અનેક લોકોને કામધંધા અને રોજગાર મળશે.
- પશુધન માટે પૂરતુ પાણી અને ઘાસચારો ઉપલબ્ધ થવાથી પશુપાલનને વેગ મળશે.
- ડેમ હેઠવાસના સમુદ્રની ભરતી – ઓટજન્ય વિજળી કાંઈ બળતણ વગર અપસાઈડ ડાઉન અંડરવોટર વીન્ડમીલની અદ્યતન ટેકનોલોજીથી હજારો મેગાવોટ જેટલી વિજળી ઉત્પન્ન કરી શકાશે.
- ખારોપાટવાળી જમીનમાં વિશાળ ઘાસ પ્લોટ તથા બિનદૂધાળ, વૃદ્ધ કે રખડતા પશુના ઢોરવાડા દ્વારા ગંજાવર બાયોગેસ પ્લાન્ટની હારમાળાનું નિર્માણ કરી શકાશે. જેથી નિંદામણમુક્ત ઉપજાઉ છાણિયું ખાતર, બળતણ માટે ગેસ, વાહન માટે સી.એન.જી. અને વિજળી મળતા થશે.
- નદીઓમાં ભરતીનું ખારું પાણી ભરાતુ બંધ થવાથી ભૂમિમાં ખારાશ પ્રવેશતી તેમજ પ્રસરતી બંધ થશે. જેથી ભૂમિની ફળદ્રુપતા વધશે. વનીકરણ તેમજ વૃક્ષારોપણને વેગ મળવાથી પર્યાવરણ સુધરશે.
- ખંભાત ધોલેરા ભાવનગર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં અનેક ઉદ્યોગો અને યોજનાઓનું નિર્માણ શક્ય બનશે.
- કલ્પસર પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્ય પણ ભાગીદાર હોવાથી રાજ્યની આવકમાં વધારો થશે. જેથી વર્ષોવર્ષ વધ્યે જતું જાહેર દેવું ભરવા માટે આ આવકનો ઉપયોગ શક્ય બનવાથી રાજ્ય ક્રમશઃ ઋણમુક્ત બની શકશે.
- ચોમાસામાં સરોવરની મહત્તમ જળસપાટીથી વધારાનું પાણી નળ સરોવર મારફત કચ્છના સૂરજબારી થઈને નાના રણમાં વહેવડાવવા માટે સાનુકૂળ ઢોળાવની ગ્રેવીટીનો લાભ લઈ શકાશે.
- ગુજરાત ભારતનું પૂરતુ પાણી ધરાવતું સર્વપ્રથમ સ્વનિર્ભર રાજ્ય બનશે. સમસ્ત ગુજરાત જળસંપન્ન બનશે. વધુમાં ગુજરાતનો સંતુલિત તેમજ સર્વાંગી વિકાસ શક્ય બનશે.
અંતરના ઘટાડાની અંદાજીત વિગતો જોઈએ તો..
- ભાવનગર થી સુરત::હાલનું અંતર કી.મી.478 ::આશરે ઘટાડો 343 કી.મી.::ઘટ્યા પછીનું અંતર 125
- રાજકોટ થી સુરત:: હાલનું અંતર કી.મી. 450:: આશરે ઘટાડો 175::ઘટ્યા પછીનું અંતર 275
- પોરબંદર થી સુરત:: હાલનું અંતર 650 કી.મી.::આશરે ઘટાડો 200 કિમિ :: ઘટ્યા પછીનું અંતર 450
- અમરેલી થી સુરત::હાલનું અંતર 550 કી.મી:: આશરે ઘટાડો 300:: ઘટ્યા પછીનું અંતર 250
- જામનગર થી સુરત::હાલનું અંતર કી.મી::550::આશરે ઘટાડો 150::ઘટ્યા પછીનું અંતર 400
- જૂનાગઢ થી સુરત:: હાલનું અંતર કી.મી 550:: આશરે ઘટાડો 200::ઘટ્યા પછીનું અંતર 350
હવે એ જાણીએ કે, કલ્પસર પ્રોજેક્ટને લગતી કામગીરી હાલ કેટલે પહોંચી છે ?
- મુખ્ય ૫૬ કામગીરીઓ પૈકી ૨૪ પૂર્ણ થવાના આખરી તબક્કામાં છે,
- ૧૩ કામગીરી શરૂ કરવાની મંજૂરીના છેલ્લા તબક્કામાં છે,
- ૧૦ કામગીરી આયોજનની કક્ષાએ છે અને
- ૯ કામગીરી નિતીવિષયક બાબતની છે. જેમાં ભાડભૂત બેરેજને લગતી તમામ કામગીરી ૨૦૧૨માં પૂર્ણ થઈ ગઈ છે.
- બેરેજની યોજના અલગ હોવાં છતાં દહેજ સુધીની ૩૨ કિલોમીટર લાંબી અને પૂરતી પહોળાઈની ઉંડાઈની કેનાલને લગતી કામગીરી ૨૦૧૮ સુધીમાં પણ શરૂ થઈ જણાતી નથી.
- ૨૦૧૮-૧૯ ના ગુજરાત રાજ્યના બજેટમાં પ્રથમ વખત જળસંપત્તિ કલ્પસર વિભાગને રૂા. ૧૪,૮૯૫ કરોડ જેટલી રકમ ફાળવેલ છે, જે તો છાંટણાં જેટલી જ હતી.
પ્રશ્ન એ રહે છે કે, આ યોજના અંગેનું ખરેખર શું આયોજન છે?.
વિશ્વરાષ્ટ્રસંઘ (યુનો)ની ચેતવણી અનુસાર ૨૦૫૦ના અરસામાં વિશ્વના ઘણાં વિસ્તારો જળસંકટની સમસ્યાનો સચોટ ઉકેલ નહીં કરે તો વિકટ જળકટોકટીનો ભોગ બનશે. જેથી કુદરતી બક્ષીસ સ્વરૂપ ખંભાતના અખાતનો સવેળા જળસંગ્રહ માટે ઉપયોગ કરીને જરૂર પડ્યે ભારત જળદાતા બનીને પોતે ઉગરે અને અન્યોને પણ ઉગારે તેવી ક્ષમતા ભારત ધરાવે છે.
(કલ્પસર સહયોગ સમિતિ દ્વારા આ અંગે જરૂરી માર્ગદર્શન સમાજના કોઈપણ રસ ધરાવનારને આપવા સમિતિ તત્પર છે::
સંપર્ક: વિનુભાઈ ગાંધી, ભાવનગર 0278 2427166 :: દિલીપભાઈ સખીયા, રાજકોટ 94272 07868:: સિદ્ધાંત વેકરીયા, સુરત 9377728822 )
by Bhadrayu Vachhrajani | Jan 10, 2025 | Articles |
સાત્વિક, સહજ, શોર્ટ એન્ડ સ્વીટ ઉપક્રમના સાક્ષી બનવાનો લ્હાવો !!
કાર્યક્રમનું સ્થળ હતું શ્રી અનિલ રેલિયાની જ વિજય ચાર રસ્તા પાસે phoenix કોમલેક્સ ના પ્રથમ મજલે આવેલ અદભુત Archer Art Galary, અમદાવાદ….
હા, હું નિવૃત્તિને માણી રહ્યો છું એટલે રાજકોટથી પહોંચ્યો કલા રસિકોની વચ્ચે..
૧૯૮૦-૧૯૯૦ ના દશકમાં શ્રી વૃંદાવન સોલંકી સાથે ખૂબ મળવાનું ને સંવાદવાનું થયું. તેઓ જૂનાગઢ હતા ને અમારી વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિના ભાગ રૂપે ત્યાં પ્રસન્ન વછરાજાની સાથે બ્રિટિશ કાઉન્સિલ ની ફિલ્મો રાજકોટ પછી જૂનાગઢ પછી ભાવનગર પછી સણોસરા પછી ધ્રોળ એમ દર્શાવવાનું કામ મેં બહુ ઉત્સાહથી કર્યું. ત્યારે શ્રી વૃંદાવન સોલંકી ની કલા યાત્રા જાણી અને માણી પણ..તેઓને વર્ષો પછી મળવાનો લહાવો લેવા અમદાવાદ ભાગ્યો..એમાં પણ વળી આત્મીય શ્રી અનિલ રેલિયાનું ઉષ્મા ભર્યું આમંત્રણ !!
આશ્ચર્યની વાત કહું ?? આ કાર્યક્રમમાં અનિલભાઈ અને વૃંદાવનભાઈ ઉપરાંત બહુશ્રુત શ્રી અમિત અંબાલાલ અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા.. અમિત અંબાલાલ, ભાગ્યેશભાઈ અને વૃંદાવન સોલંકીએ “લાઘવ” કોને કહેવાય એનું જાણે નિદર્શન કર્યું.!! ટૂંકું ને ટચી જાય તેવું !!
હળીમળી લીધું ને ચા કોફી ને ન્યાય આપી લગભગ સાડા પાંચે કાર્યક્રમ શરૂ થયો અને છ વાગ્યા આસપાસ કાર્યક્રમ પૂરો થઈ ગયો !!!
હા, ચારેય વ્યક્તિઓ બોલ્યા, ફૂલ ગુચ્છ અપાયા, ગ્રંથનું દર્શકાર્પણ પણ થયું,, બધું પણ no formality, no prathna, NO dip pragaty, no announcer, no parichay, ચારેય વક્તાઓ એકબીજાને ખો દેતા ગયા ને હેન્ડ માઇક સરકાવતા ગયા !! હા, અનિલ રેલિયાનો આ કલા ખજાનો સાચવી રહેલ તેમના પુત્રએ અઢી મિનિટમાં મૃદુ કંઠે આભારવિધિ કરી.
શોર્ટ અને સ્વીટ જ નહીં, સ્વિટેસ્ટ!!
બસ, પછી ફરી બધા ફરતા ગયા, ચિત્રોની હારમાળા અને ગ્રંથના દર્શન કરતાં ગયા ને ફોટાઓની ક્લિક થતી રહી. કેટકેટલા કલાકારો ને પ્રતિષ્ઠિત નગરજનો ને મળવાનું થયું… શીલા ભટ્ટ, સૌમ્ય જોશી, નૈષધ પુરાણી, શ્રી અને શ્રીમતી વિવેક દેસાઈ, તુષાર શુક્લ, કુમાર ભટ્ટ, અનુપમ બુચ, હાઉસિયમ નું સર્જક ડૉ. શાહ દંપતિ, નિસર્ગ આહીર, નીતિનભાઈ શુક્લ, એસ્ટર ડેવિડ, દીપક અંતાણી,,, it was a good evening for heart full fellowship… અને પછી ડાયરો પહોંચ્યો અનિલ રેલિયાના big art galary સમાન નિવાસસ્થાને..ફરી ત્યાં વાતોનો દોર અને રસાળ વિવિધ વ્યંજનો થી સભર ભોજન થાળ!!
શ્રી અનિલ રેલિયાનું ઘર ગુજરાતનું નઝરાણું છે, હા, એ આર્ટ ગેલેરી માં વસતું એક ઘર છે. ગૃહે વસતા સૌ મળતાવડા, સસ્મિત ને હળવા ફૂલ જેવા..
રાત્રે એક વાગે પ્રેમ મંદિર ના હિંડોળે હિંચકવા બેઠો ત્યારે એક યાદગાર ગીતની પંક્તિઓ મનમાં ગણગણી …
આવી સાંજ ક્યાંક મળી જાય ને તો જીવી લેવી !!
ભદ્રાયુ વછરાજાની
તા. ૧૦-૦૧-૨૫
મુંબઈ તરફ ઉડતી ફ્લાઈટમાંથી…
અનેક તસ્વીરો અને લિંક માટે અહીં 👇ક્લિક કરો
by Bhadrayu Vachhrajani | Jan 6, 2025 | દીપોત્સવી લેખ |

અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
શ્રી માતાજી (પોન્ડિચેરી) પુષ્પોને ઈશના પ્રતિનિધિ તરીકે સન્માન આપતાં હતાં, એ સ્મરણમાં રાખીને હું ફૂલોની છાબમાં પ્રતિ પળના સમાચારનાં પુષ્પો ભરી લાવતા ફૂલછાબ દૈનિકને ‘શુભ થાઓ’ નું પુષ્પ અર્પણ કરું છું.
શ્રી માતાજી દ્વારા આપણને એક સુંદર પુસ્તક મળેલ છે : ‘સુંદર કથાઓ’. ફેબ્રુઆરી, 1950માં આ પુસ્તક વિષે ટૂંકાક્ષરી માં શ્રી માતાજી કહે છે કે, ‘આ વાર્તાઓ એટલા માટે લખાઈ છે કે એ દ્વારા બાળકોને પોતાનું સ્વરૂપ ઓળખવામાં મદદ થાય અને તેઓ સત્ય સૌંદર્યના માર્ગે જતાં શીખે.’ શ્રી માતાજીના બાળકો એટલે આપણે સૌ !!આપણને પણ આપણું સ્વરૂપ ક્યાં ઓળખાયું છે ?
“રંતિદેવ એ રાજા હતા અને સાધુ થઈને જંગલમાં રહેતા હતા. એમણે પોતાનું ધન ગરીબોને આપી દીધું હતું અને જંગલના એકાંતમાં સાધુ જીવન ગાળતા હતા. એ અને એમનું કુટુંબ જીવન માટેની ઓછામાં ઓછી જરૂરીયાતો મેળવીને કામ ચલાવતા હતા.
એક દિવસ રંતિદેવ રાજાએ અડતાલીશ કલાક ઉપવાસ કર્યા. પછી એમને માટે ભાત, દૂધ અને ખાંડ નું બનાવેલું ભોજન તૈયાર કરવામાં આવ્યું. ત્યાં એમની કુટીરના બારણા પાસે એક ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો અને તેણે ભિક્ષાની માગણી કરી. રંતિદેવે પોતાના ભાતમાંથી અડધો ભાગ એને આપ્યો. તે પછી એક શુદ્ર કંઇક માંગતો માંગતો આવ્યો અને જે બાકી રહ્યું હતું તેમાંથી અડધો ભાગ રંતિદવે તેને આપ્યો.
એ પછી રંતિદેવે જોયું કે, એક કૂતરો ભસી રહ્યો છે. એ બિચારું પ્રાણી ખૂબ ભૂખ્યું હોય તેમ લાગતું હતું. રંતિદેવે જે કાંઈ વધેલું હતું તે તેને આપી દીધું. છેવટે પછી એક અંત્યજ સાધુ એમના દ્વાર ઉપર આવ્યો અને મદદ માટે યાચના કરી. રંતિદેવે એને દૂધ અને ખાંડ આપી દીધા અને ઉપવાસ ચાલુ રાખ્યો.
એ પછી ત્યાં ચાર દેવો આવ્યા અને રંતિદેવને કહેવા લાગ્યા:: “ રંતિદેવ, તમે જે ભોજન કરાયું છે તે અમને કરાવ્યું છે. અમે બ્રાહ્મણ, શૂદ્ર, શ્વાન અને ગરીબ અંત્યજ નું રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યા હતા. તમે અમારા સૌને માટેનું સારું કાર્ય કર્યું છે અને તમારામાં રહેલા પ્રેમ પૂર્ણ વિચારો માટે અમે તમારી પ્રશંસા કરીએ છીએ.’
આ ટચુકડી વાર્તા કહીને શ્રી માતાજી નોંધે છે :: એક પ્રેમ ભરેલું હૃદય સર્વ મનુષ્યો અને પ્રાણીઓને પણ એક જ કુટુંબના હોય તે રીતે એક જ માનવતા તરીકે નિહાળતું હોય છે.
ધન કમાઈ શકાય, વાપરી શકાય, વેડફી શકાય, સંગ્રહી શકાય અરે, તમે તેનું ધારો તે કરી શકો,,પણ ધનને જયારે સન્માર્ગે, અન્યાર્થે, કલ્યાણાર્થે વહેતું મૂકી શકો ત્યારે તે ધન ખરેખર ધન રહેતું નથી, પરંતુ એ ધન લક્ષ્મી બની જાય છે.
કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને ‘લક્ષ્મી’ કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે ‘લક્ષ્મી’ શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. ધનને જે સત્કાર્યે વાળે છે તે ‘લક્ષ્મી’ જ્યાં આવે છે એને લક્ષ્મીવાન કે શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે. અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક (ઘુવડ) માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સંપતિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે. મૂર્ખતાનું એક ઉદાહરણ આપણને મહાકવિ ખલિલ જિબ્રાન તેની નાનકી પુસ્તિકા “પ્રકૃતિનાં સંતાન અને પાગલ” માં આ રીતે આપે છે:
“એક શિયાળે સૂર્યોદય સમયે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, આજે તો ભોજનને માટે એક ઊંટ જોઈશે અને આખી સવાર તે ઊંટ ની શોધમાં રખડયું પરંતુ બપોરે ફરી તેણે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, એકાદ ઉંદર મળશે તોય ચાલશે !”
કેટલીક શાસ્ત્રીય વાતો મુજબ લક્ષ્મી હિંદુ ધર્મમાં કહ્યા પ્રમાણે સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી છે. ‘લક્ષ્મી’ શબ્દ સૌપ્રથમ ઋગ્વેદમાં નિર્દેશાયો છે. ત્યાં તે શોભા, સૌન્દર્ય વગેરેનો દ્યોતક છે. તેનો અર્થ સદનસીબ પણ થાય છે; પરંતુ પાછળથી સમૃદ્ધિ કે સંપત્તિનો ભાવ તેમાં ઉમેરાયો અને સુખ તથા સમૃદ્ધિની દેવી તરીકે તેનો મહિમા સ્વીકારાયો. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાય છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. લક્ષ્મીનાં વિવિધ નામોમાં ‘શ્રી’, ‘પદ્મા’, ‘ઇન્દિરા’, ‘કમલા’, ‘ચપલા’, ‘ચંચલા’, ‘સિંધુસુતા’, ‘હરિપ્રિયા’ વગેરે વિશેષ જાણીતાં છે.
આપણાં શાસ્ત્રો ધનના ઉપાર્જન માટેની કેટલીક આચારસંહિતા પણ સ્પષ્ટ સમજાવે છે. ધન ઉપાર્જન કરવાના અનેક માર્ગો છે. આસુરી પ્રવૃતિઓથી પણ ધન મેળવી શકાય છે અને આજે કળિયુગમાં તો એ માર્ગ વિશેષ સુલભ બન્યો છે, ત્યારે મગજમાં ઉતારી લેવું પડે કે દૈવી કે સન્માર્ગની પ્રવૃતિઓ દ્વારા જે ધન ઉપાર્જન થાય તેને જ લક્ષ્મી કહેવાય છે. ધર્મ વડે ધન મેળવવા માટેનો શ્લોક પણ છે :
धर्मार्जितभोगेन वैराग्यमुपजायते । विपरीतार्थभोगेन राग एव प्रजायते ।।
અર્થાત ‘ધર્મ વડે ઉપાર્જિત ધનના ભોગવવાથી એક દિવસ વૈરાગ્ય અવશ્ય ઉદિત થાય છે, પરંતુ અધર્મ વડે ઉપાર્જન કરેલ ધનના ભોગવવાથી તેના પ્રતિ આસક્તિ આવે છે.’ એવું विद्येश्वर संहिता 13 । 51 – 52 માં દર્શાવેલ છે. તો અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન દસ વર્ષથી વધુ સમય તાકતું નથી, તેવી ચેતવણી પણ શાસ્ત્રો આપે છે.
अन्यायोपर्जितं द्रव्यं दशवर्षाणि तिष्ठाति । प्राप्ते चैकादशे वर्षे समूलं तद् विनश्यति ।।
‘અન્યાય અને અનીતિથી ઉપાર્જન કરેલ / ઉપાર્જિત (એકઠું) કરેલું ધન વધુમાં વધુ દસ વર્ષ ટકે છે, જેવું અગિયારમું વર્ષ થાય કે તે મૂળ સહીત નાશ પામે છે.’ એવું चाणक्य नीति – 15.6 માં દર્શાવેલ છે.
ઋગ્વેદમાં આવતા ‘શ્રીસૂક્ત’માં ઐશ્વર્યના પ્રતીકરૂપ દેવતા તરીકે લક્ષ્મીનું નિરૂપણ છે. વાલ્મીકિ રામાયણ (બાલકાંડના પીસ્તાલીશમાં શ્લોકમાં )મા લક્ષ્મીને ‘શુભ્રવસ્ત્રધારિણી’, ‘તરુણી’, ‘મુકુટધારિણી’, ‘કુંચિતકેશા’, ‘ચતુર્હસ્તા’, ‘સુવર્ણકાન્તિ’, ‘મણિમુક્તાદિભૂષિતા’ વગેરે નામોથી નિર્દેશેલ છે. તે પછી પુરાણોમાં લક્ષ્મીને ‘કમલાસના’, ‘કમલહસ્તા’, ‘કમલમાલાધારિણી’ તથા ‘સદા વિષ્ણુના વક્ષ:સ્થલમાં રહેતી’ વર્ણવી છે. લક્ષ્મીની ઉત્પત્તિ અંગે પ્રચલિત માન્યતા મુજબ તે સમુદ્રમંથન દ્વારા ઉદભવેલ ચૌદ રત્નો પૈકીનું એક રત્ન છે, જેનો ભગવાન વિષ્ણુએ પત્નીરૂપે સ્વીકાર કર્યો. ત્યારબાદ તેમણે ક્ષીરસાગરમાં નિવાસ કર્યો. તૈત્તિરીય સંહિતામાં લક્ષ્મી અને શ્રી બંને આદિત્યની પત્નીઓ હોવાનું કહ્યું છે.
એક મત મુજબ ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર, આરોગ્ય, આશ્રય, આવરદા, ઉદ્યમ, સંતોષ અને જ્ઞાનને લક્ષ્મી કહે છે. લક્ષ્મી એટલે કેવળ ધન કે નાણું કે રૂપિયા પૈસા જ નહિ, પણ.. મહાભારત(શાન્તિપર્વ 124–45–60)માં આવતા લક્ષ્મી-પ્રહલાદ સંવાદ મુજબ, તેજ, ધર્મ, સત્ય, વૃત્ત, બલ અને શીલ જેવા માનવીય ગુણોમાં લક્ષ્મી રહે છે. અન્યત્ર (શાન્તિપર્વ–21) લક્ષ્મી-ઇન્દ્ર સંવાદમાં જણાવ્યું છે કે, પૃથ્વીનાં સૌ નિવાસસ્થાનોમાં ભૂમિ, જલ, અગ્નિ અને વિદ્યા એ ચાર સ્થાન લક્ષ્મીને સૌથી વધુ પ્રિય છે. વળી, સત્ય, દાન, વ્રત, તપસ્યા, પરાક્રમ અને ધર્મ જ્યાં વાસ કરે છે, ત્યાં લક્ષ્મી પણ નિવાસ કરે છે. દાનધર્મપર્વ–82 માં કહ્યા પ્રમાણે, ગાય અને ગોબરમાં પણ લક્ષ્મીનો નિવાસ છે.
સામાન્ય જનમાનસની વ્યવહારુ સમજ એ છે કે જે ઘરમાં વડીલોનાં પૂજા-સત્કાર, આદર-સન્માન થતાં હોય, અનાજ સુસંસ્કૃત અને નીતિથી પેદા કરેલું હોય અને ક્લેશ કદી ન થતો હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.
‘શ્રીસૂક્ત’ પ્રમાણે આનંદ, કર્દમ, શ્રીદ અને ચિકિલત એ તેનાં સંતાન છે. તો અન્ય એક સંદર્ભ અનુસાર ધર્મ, અગ્નિ, રાજા અને ચોર – એ ચાર લક્ષ્મીના પુત્રો છે. આમ છતાં ચોરી, વાસના, અપવિત્રતા અને અશાંતિ પ્રત્યે ઘૃણાને લીધે લક્ષ્મી પોતાને પ્રિય એવાં ભૂમિ વગેરે સ્થાનોનો ત્યાગ પણ કરે છે.
સહજ પ્રશ્ન થાય કે લક્ષ્મી દેવીનું વાહન ઘુવડ કેમ છે ? ધાર્મિક ગ્રંથો અનુસાર, એકવાર બધા દેવી-દેવતાઓ પૃથ્વી પર ફરવા આવ્યા. તે સમયે તમામ પ્રાણીઓ અને પક્ષીઓએ દેવતાઓને વિનંતી કરી કે, તેઓ તેમને તેમના વાહન તરીકે પસંદ કરે અને દાન કરે. બધા દેવતાઓએ પોતાનું વાહન પસંદ કર્યું, પરંતુ માતા લક્ષ્મી લાંબા સમય સુધી મૂંઝવણમાં રહ્યા. મા લક્ષ્મીએ પોતાના વાહન માટે કોની પસંદગી કરવી તે વિચારવાનું શરૂ કર્યું. આ દરમિયાન તમામ પશુ-પક્ષીઓ વચ્ચે ઝઘડો થયો, ત્યારે માતા લક્ષ્મીજીએ બધાને શાંત કર્યા અને કહ્યું કે, દરેક કારતક અમાવસ્યાએ તે પૃથ્વી પર ફરવા આવશે, પછી તે પોતાનું વાહન પસંદ કરશે. ત્યારપછી જ્યારે કારતક અમાવસ્યાનો દિવસ આવ્યો ત્યારે તમામ પશુ-પક્ષીઓ દેવી લક્ષ્મીની પ્રતિક્ષા કરવા લાગ્યા.
પરંતુ અમાવસ્યાની અંધારી રાત્રે સૌ કોઈ જોઈ શક્યા ન હતા. આવી સ્થિતિમાં જ્યારે રાત્રે માતા લક્ષ્મી આવ્યા તો ઘુવડ તેની તીક્ષ્ણ આંખોથી તેને જોઈને તેની નજીક પહોંચી ગયું. ઘુવડ એ હકીકતનું ઉદાહરણ બની ગયું છે કે જ્યારે તે ખૂબ જ અંધારું હોય છે, ત્યારે જ વસ્તુઓને જોવાની અને સમજવાની અસાધારણ ક્ષમતા જ કામ આવે છે. પછી ઘુવડએ દેવી લક્ષ્મીને પોતાનું વાહન બનાવવાની વિનંતી કરી. જેના પર માતાએ ખુશ થઈને ઘુવડને પોતાના વાહન તરીકે સ્વીકારી લીધું. આ રીતે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન બની ગયું. શાસ્ત્રોમાં પણ ઘુવડને વિશેષ ક્ષમતા અને અનોખા અભિગમ ધરાવતું પક્ષી માનવામાં આવ્યું છે, જે નકારાત્મક પરિસ્થિતિઓમાં સકારાત્મક વિચારની નિશાની છે.
આશ્ચર્ય થાય તેવી વાત છે કે, માતા લક્ષ્મીની એક મોટી બહેન પણ છે, જેમનું નામ અલક્ષ્મી છે. તેમનો સ્વભાવ માતા લક્ષ્મીથી એકદમ વિપરીત છે. ભાગવત મહાપુરાણના અનુસાર સમુદ્ર મંથનના વખતે પહેલા મોટી બહેન અલક્ષ્મી નિકળ્યા હતા. પોતાના નામ અનુસાર તેમણે અસુરી શક્તિઓનું વરણ કર્યું.
દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. જ્યારે પણ કોઈ ઘરમાં અલક્ષ્મીના પગ પડે છે તો તે દરિદ્રતા, મુશ્કેલી અને દુ:ખોના સમયમાંથી પસાર થાય છે. દેવી અલક્ષ્મી એવા ઘરોમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે, જે ગંદા રહે છે અને જ્યાંના લોકો હંમેશા ઝગડો કરવાનું પસંદ કરે છે. અધર્મ કે ખોટુ કાર્ય કરનારના ઘરે દેવી અલક્ષ્મી ખેંચાઈ આવે છે. તેમના આવતા જ તે ઘર ધન અને સ્વાસ્થ્ય બન્નેથી બરબાદ થઈ જાય છે. જ્યાં લોકો સાફ-સુથરા રહે છે, એક બીજા સાથે હળીમળીને રહે છે અને ભગવાનની પૂજા કરે છે ત્યાં અલક્ષ્મી દેવી ક્યારેય પ્રવેશ કરવાની હિમ્મત નથી કરતા. માન્યતા છે કે દેવી અલક્ષ્મીને ખાટ્ટી અને તીખી વસ્તુઓ નાપસંદ છે. માટે તેમને પોતાના ઘરથી દૂર રાખવા માટે મુખ્ય દ્વાર પર લીંબુ ને મરચાં લટકાવી રાખવાનું સૌ પસંદ કરે છે.
આ વિસ્તૃત લેખના સમાપને ફરી યાદ કરીએ ખલીલજીબ્રાનને…
જિબ્રાન આપણને પુણ્યેશ્વર અને પાપેશ્વર ની ઘટના કહે છે.
પુણ્યેશ્વર અને પાપેશ્વર ગિરિશૃંગ ઉપર મળ્યા.
પુણ્યેશ્વરે કહ્યું, “દેવબંધુ, આપને મારા નમસ્કાર.”
પાપેશ્વરે કશો જવાબ વાળ્યો નહીં
અને પુણ્યેશ્વરે કહ્યું, “આજે આપ નાખુશ જણાવ છો.”
પાપેશ્વરે કહ્યું, “હમણાં હમણાં લોકો મને ભ્રમથી પુણ્યેશ્વર તરીકે ઓળખી રહ્યા છે. તમારે જ નામે બોલાવતા થયા છે અને જાણે કે હું પોતે જ પુણ્યેશ્વરે હોઉં એ રીતનું મારા તરફ વર્તન પણ કરી રહ્યા છે. આ બધું મને બેચેન બનાવી મૂકે છે.”
અને પુણ્યેશ્વરે કહ્યું”,.. અને મને લોકો ભ્રમથી પાપેશ્વર તરીકે ઓળખવા લાગ્યા છે અને તમારે જ નામે બોલાવતા થયા છે.”
મનુષ્યની મતિ હીનતા ઉપર શાપ વરસાવતો પાપેશ્વર ત્યાંથી ચાલતો થઈ ગયો !!
જીબ્રાનની આ ઘટના આપણું પ્રતિનિધિત્વ કરે છે. એકવાર ગલત માર્ગે ધન આવતું થાય પછી આપણો અહંકાર આપણને તે માર્ગ છોડવા દેતો નથી. આપણો ઠસ્સો, આપણું અભિમાન, આપણા ધનનો નશો પાપેશ્વર તરીકે વર્તવાને માટે જ દોરી જાય છે.
by Bhadrayu Vachhrajani | Jan 6, 2025 | અખંડ આનંદ |

સાહિત્યને લોકજીભેથી લોકહૈયાં સુધી લઈ જવાનું કાર્ય કર્યું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ. તો વાચનને વ્યક્તિ, ઘર અને સમાજ સુધી લઈ જવાનું વ્યવસ્થાપન કર્યું મહેન્દ્ર મેઘાણીએ.
શબ્દ બ્રહ્મને ચરિતાર્થ કરનાર મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી બહુ અંતર્મુખી વ્યક્તિત્વ. ચોવીસ વર્ષની ઉંમરે પિતાશ્રીએ વિદાય લીધી અને આ ચોવીસ વર્ષોમાં પિતાશ્રી રાણપુર-બોટાદ—મુંબઈ-કલકત્તા એમ ફરતા રહ્યા. ૧૯૨૦થી ૧૯૨૮ સુધી તો ઝવેરચંદ મેઘાણી લોકો વચ્ચે છેવાડાનાં ગામોમાં ફર્યા અને જીવ્યા. તેથી તેમના દીકરા મહેન્દ્ર મેઘાણીને પિતાશ્રીનાં બહુ સંસ્મરણો યાદ ન હતાં. હા, તેમને સતત વાંચતા- લખતા-ભ્રમણ કરતા જ જોયાનું યાદ , પણ ત્યારે કોઈ સમજ ન હતી કે, પિતાશ્રી આવડા મોટા સાહિત્યકાર છે! દાદા કાલિદાસ મેઘાણીનું સ્મરણ ખરું અને તે પણ વિશિષ્ટ ! દાદા એજન્સીના પોલીસ ખાતામાં, બદલી થતી રહે. આ દાદાના અવસાન પાછળ દાડો કરેલો ત્યારે ભોજનમાં સૌને બુંદીના લાડુ મહેન્દ્રએ પીરસેલા. ત્યારથી જીવનપર્યંત બુંદીના લાડુ મહેન્દ્રભાઈને બહુ જ ભાવ્યા !
મહેન્દ્ર મેઘાણીનો જન્મ મુંબઈમાં અને મૅટ્રિક સુધીનું ભણતર પણ ત્યાં જ. કૉલેજ કરવા અમદાવાદ આવ્યા અને એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા. મુંબઈમાં જમુભાઈ દાણીએ ગુજરાતી અને મિસિસ ચોક્સીએ અંગ્રેજી સરસ ભણાવેલું. એલ.ડી.માં બે વર્ષ રહ્યા ત્યારે રા. વિ. પાઠક પાસે ગુજરાતી શીખવાનો લ્હાવો મળ્યો. ઇન્ટરમાં સારા માર્ક્સ આવ્યા ને સ્કૉલરશિપ મળી એટલે તે સમયના વાયરાને અનુસરી ૧૯૪૨ના જૂનમાં એલ્ફીન્સ્ટન કૉલેજ, મુંબઈમાં પ્રવેશ લીધો. ત્યાં જ ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થઈ એટલે ઓગસ્ટમાં કૉલેજ છોડી દીધી ! બસ, જીવનમાં ભણવાનું ત્યાં પૂર્ણવિરામ મુકાયું. આઝાદીની લડતમાં જોડાયા. તાર કાપ્યા, થાંભલા ઉથલાવ્યા. બોટાદમાં આવી ભાંગફોડિયા પ્રવૃત્તિમાં આનંદ માણતા દીકરાને પિતાશ્રીએ લાહોર મોકલ્યો રામજી હંસરાજની કંપનીમાં. ત્યાં રતિલાલ ઝાટકિયાએ સાચવ્યા. પણ વિધિની વક્રતા કેવી?
લાહોરનું એ કારખાનું તો હથિયારો અને વોર મટીરિયલ બનાવતું હતું. ઉદ્દામવાદી માનસના હાથમાં જ હથિયારો બનાવવાનું આવ્યું ! જો કે ત્યાં પોલીસ પહોંચી એટલે ભાગ્યા કાશ્મીર. ત્યાં ફર્યા, કાશ્મીર જોયું. ૧૯૪૭માં પિતાશ્રીનું અવસાન થયું ને ૧૯૪૮માં અમેરિકા ગયા. ખાસ કંઈ આયોજન વગર. ભણવું હતું. ત્યાં રહી કોલંબિયા યુનિવર્સિટીમાં ભણી પત્રકાર થવું હતું, કૃષ્ણલાલ શ્રીધરાણીની જેમ ! ન્યૂયોર્કના ઇન્ટરનૅશનલ હાઉસમાં નિવાસ. સ્નાતક થયા નહોતા એટલે અનુસ્નાતકમાં પ્રવેશ તો મળે નહીં. પણ ત્યાં બે છાપાંએ અવિધિસરના પત્રકારત્વના ગુણો સીંચ્યા. ન્યૂયૉર્ક ટાઈમ્સ અને ક્રિશ્ચિયન ટાઈમ્સ, દળદાર છાપાં. રોજ સવારે લાવવાનાં ને આખો દિ’ રૂમમાં બેસી રસપૂર્વક વાંચવાના. ત્યાં વળી ‘રિડર્સ ડાયજેસ્ટનો મેળાપ થયો. મનમાં સંકલ્પ કર્યો, ‘દેશ જઈ ગુજરાતીમાં આવું રિડર્સ ડાયજેસ્ટ શરૂ કરીશ.” ત્યારે જ યુનાઇટેડ નૅશન્સની સ્થાપના થયેલી. જૂના કતલખાનામાં તેનું કાર્યાલય. ત્યાં જઈને મહેન્દ્ર મેઘાણી બેસે ને વિચારે કે કોઈક દિવસ વિશ્વરાજ્ય થશે, તેની આ શરૂઆત છે!
છવીસ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ મુંબઈથી ‘મિલાપ’ માસિકનો પહેલો અંક બહાર પડ્યો ત્યારે પેલો સંકલ્પ ફળીભૂત થયો. એ ગુજરાતીનું રિડર્સ ડાયજેસ્ટ. અન્યત્ર છપાયેલા લેખોમાંથી પસંદિત લેખો છાપવાના. જરૂર પડે ટૂંકાવીને છાપવાના. સારા વિચારો સારા લેખો – સારાં પુસ્તકોનો પ્રચાર-પ્રસાર એટલે મિલાપ. બે હજાર ગ્રાહકો હતા તે જમાનામાં ! મુંબઈમાં કુર્લામાં એક નાનો અને ચૂંટેલાં પુસ્તકોનો ભંડાર શરૂ કર્યો. પણ પછી ૧૯૫૩માં મહેન્દ્રભાઈનાં અને તેમની પ્રવૃત્તિઓનાં મૂળિયાં નંખાયાં ભાવનગરમાં. માસિક બહાર પડે તે “મિલાપ’ ને પ્રકાશન સંસ્થા તે “લોકમિલાપ…” પુસ્તક ભંડારમાં બધા પ્રકાશકોનાં પુસ્તકો મળે, પણ પ્રકાશકોનાં ‘બધાં’ પુસ્તકો ન મળે ! લોકમિલાપ દરેક પુસ્તકની પાછળ રહે, ચકાસે અને શ્રેષ્ઠ લાગે તો જ તેને ભંડારમાં સ્થાન આપે. મહેન્દ્રભાઈ કહે છે : ‘રવિશંકર મહારાજનું દર્શન હતું. તેઓ કહેતા કે તમારા ઘરમાં રૂપિયો આવે ત્યારે તેને ખખડાવીને જોજો કે તે બોદો તો નથી ને? અમારે માત્ર ચોપડીઓ નહોતી વેંચવી. અમારે તો સાહિત્ય મારફત ભાવનાઓ અને વિચારોનો ફેલાવો કરવો છે. લોકમાનસમાં પરિવર્તન આવશે તો જ સમાજ બદલાશે. ભલે વાર લાગે. આપણે મરી જશું તો પાછા આવીશું, પણ કરીશું તો ઉત્તમ કામ જ…!’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jan 5, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
ગુજરાતમાં તો છેક ૧૯૬૨માં સ્વીકારાયેલ કલ્પસર સરોવર પ્રોજેક્ટ ૨૦૨૪માં પણ કચેરીના કાગળિયામાં અટવાઈ રહ્યો છે.
રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે પૂજ્ય મોરારીબાપુની ભવ્ય રામકથાનું જબરું આયોજન થયું. સદભાવનાના સ્વપ્નદ્રષ્ટા શ્રી વિજય ડોબરિયાનો એક મનોરથ એવો છે કે, ભારતભરમાં કુલ એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવીને ઉછેરવા !! આ કથાના આયોજનમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક બહુ મોટું મોડેલ મૂકેલું હતું અને તેની પાસે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકો તે મોડેલ નિહાળવા સૌને વિનંતી કરતા હતા અને સૌને વિગતે સમજૂતી આપતા હતા. ત્યાં લગભગ ત્રાણું વર્ષના ભાવનગરના ધોતિયું ને ટોપી પહેરેલ જ્ઞાનવૃદ્ધ શ્રી વિનુભાઈ ગાંધી અને રાજકોટના ડોક્ટર પમ્પના માલિક અને અનેક સેવા સંસ્થાઓના પ્રણેતા શ્રી પુરુષોત્તમભાઈ કામાણી સૌને આ યોજના વિષે દિલથી માર્ગદર્શન કરી રહ્યા હતા.આ બંને સેવાભાવી નાગરિકો આ મોડેલમાં મુકેલ કલ્પસર યોજના સાકાર થાય તો ગુજરાતની શકલ બદલાય જાય તેવી આશા વ્યક્ત કરતા હતા.
શું છે આ કલ્પસર યોજના અને તે શા માટે આગળ ધપાવવી જોઈએ તેનો વિગતે અભ્યાસ કર્યા પછી જે નવનીત તારવ્યું તે અહીં પ્રસ્તુત કરું છું.
દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનની પ્રજા જળ કટોકટીનો ભોગ બની ચૂકી છે. ત્યાંની સરકારે તો પાણી પૂરું પાડવાની અસમર્થતા જ જાહેર કરી દેવી પડી. ત્યાં સ્નાન કરવાની મનાઈ ફરમાવવી પડી. પાણીના ટેન્કર આવે ત્યારે માત્ર પચ્ચીસ લિટર પાણી મળે… આથી વધુ માંગણી કરનાર કે બળજબરી કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવી પડી. આપણે ત્યાંના કર્ણાટક રાજ્યમાં કાવેરી નદીના કાંઠે આવેલું પાટનગર બેંગલુરુ જળ કટોકટીનો ભોગ બન્યું છે.
વૈશ્વિક તાપમાન અને નિરંતર વધ્યે જતા વિવિધ પ્રદૂષણોના પ્રકોપને કારણે ઋતુચક્રના પ્રતિકૂળ પરિવર્તનનો ભોગ વિશ્વ બની રહ્યું છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની ઘટનાઓ પણ વધી રહી છે. ભૂગર્ભજળનું સ્તર વધુ ને વધુ ઊંડુ ઉતરી રહ્યું છે. સંખ્યાબંધ નદીઓનો જળપ્રવાહ ઘટી રહ્યો છે. અનેક નાની નદીઓ સૂકી ભટ્ટ બની ગઈ છે.
ભારતના ૭.૭૬ કરોડ લોકોને સુરક્ષિત પીવાલાયક પાણી મળતું નથી. સુરક્ષિત પાણી મેળવી શકતા ન હોય તેવા વિશ્વના દસ દેશોની યાદીમાં ભારત પ્રથમ નંબરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સૂચન મુજબ દરેક વ્યક્તિ માટે દરરોજ ઓછામાં ઓછું ૫૦ લીટર પાણી ઉપલબ્ધ હોવું જોઇએ. ભારતની વાર્ષિક માથાદીઠ જળઉપલબ્ધિ ઘટીને ૧૭૦૦ ઘનમીટર થઇ છે. જ્યારે ગુજરાતની માત્ર ૯૯૦ ઘનમીટર છે. દર વર્ષે સરેરાશ ૩૮૦૦૦ મીલીયન ઘનમીટર વરસાદી જળ ગુજરાતને મળે છે. તેમાંથી સરદાર સરોવરની મહત્તમ ઉંચાઇ સહિત પચીસેક હજાર મીલીયન ઘનમીટરનો હાલ સંગ્રહ થાય છે. બાકીનું ૩૫ થી ૩૮ ટકા વરસાદી જળ સમુદ્રમાં વહી જવા દેવાય છે.
ભારતમાં ખેતી માટે ૬૦ ટકાથી વધુ સિંચાઇ ભૂગર્ભજળ દ્વારા થાય છે. આપણું પીવાનું પાણી પણ ભૂગર્ભજળના ભંડારમાંથી આવે છે, જે ઝડપથી ખતમ થઇ રહ્યું છે. આપણે હાઇડ્રોલોજીકલ દુષ્કાળનો ભોગ બની રહ્યા છીએ. ૨૦૧૭માં દેશના ૫૯૭ જિલ્લા પૈકી ૧૭૩ જિલ્લામાં અપૂરતો વરસાદ થયો છે. જ્યારે દેશમાં ૧૦૨ ટકા વરસાદ નોંધાયો છે. ૧૯૭૦ના દાયકાથી ભૂગર્ભજળ મોટા પાયે ઉલેચાવા માંડયું અને ૧૯૮૦ના દાયકા પછીના ગાળામાં ગ્રાઉન્ડવોટર – ભૂગર્ભજળની સપાટી ૮ થી ૧૬ મીટર સુધી ઊંડી ઉતરી ગઇ છે. ભૂગર્ભજળમાં જેટલું પાણી રીચાર્જ થાય છે તેના કરતાં ઉલેચાવાનું પ્રમાણ વધું છે. તેથી ભારતમાં ભૂગર્ભજળની સપાટી દર વર્ષે 0.3 મીટર ઊંડી ઉતરે છે, જ્યારે ગુજરાતમાં દર વર્ષે ૩ થી ૫ મીટર ઊંડી ઉતરે છે.
ગુજરાતની વાત લઇએ તો છેક ૧૯૬૨માં સ્વીકારાયેલ કલ્પસર સરોવર પ્રોજેક્ટ ૨૦૨૪માં પણ કચેરીના કાગળિયામાં અટવાઈ રહ્યો છે. ગુજરાતનું કોઇક શહેર કેપટાઉન કે બેંગલુરુ જેવી જળ કટોકટીનો ભોગ ન બને તે માટે આ પ્રોજેક્ટ સત્વરે સાકાર થવો જરૂરી છે. ભૌતિક વિકાસની દોટમાં ગરકાવ રહીને આવા પાયાના પ્રાણ પ્રશ્નોની ઘોર ઉપેક્ષા થયા કરશે તો જળ સંકટના ખપ્પરમાં શું શું અને કેટલું હોમાઈ જશે તે કપરો કોયડો કંપાવનારો બની જશે. અરે સ્વયં વિકાસ જોખમાશે અને ખોરવાશે
આ એક જ પ્રોજેક્ટથી…
- ગુજરાતની જી.ડી.પી.માં નોંધપાત્ર વધારો થાય તેમ છે.
- બેરોજગારીની સમસ્યા પણ ઠીક ઠીક ઉકેલાય તેમ છે.
- આયોજન ઉપયોગ માટે દોઢ થી બે લાખ હેક્ટર જમીન નવસાધ્ય થાય તેમ છે. જેથી ગ્રામોદ્યોગ અને કૃષિ વિકાસ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ વિકસે તેમ છે.
- સૌરાષ્ટ્રથી સુરત સુધીનું જુદા જુદા શહેરોથી ૧૫૦ થી ૩૪૩ કિ.મી. સુધીનું માર્ગ વાહન વ્યવહારનું અંતર ઘટવાથી ઇંધણના વપરાશથી દર વર્ષે અબજો રૂપિયાનો ફાયદો થાય તેમ છે. પ્રદુષણ ઓછુ થશે.
- સૌરાષ્ટ્ર કચ્છનો સર્વગ્રાહી વિકાસ શક્ય બને તેમ છે.
- ૨૩૦૦ થી ૨૪૦૦ ચોરસ કિલોમીટર ખારા પાણીનો વિસ્તાર મીઠા પાણીનો વિસ્તાર બની જાય તેમ છે.
- ગુજરાતને આંગણે વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બની શકે તેમ છે.
- પી.પી.પી. પ્રોજેકટ તરીકે દુઝણી ગાય સમાન કલ્પસર સરોવર યોજના સવેળા સાકાર થાય તો ન ધારેલા ફળ મળે તેમ છે.
- સમગ્ર વિશ્વમાં વરસાદી જળનું વિશાળતમ સરોવર થઇ શકે એવી વિશિષ્ટ સુવિધા કુદરતે ગુજરાતને બક્ષી છે.
ભાવનગરની ખાડીવાળા સમુદ્રમાં ખંભાતના અખાત તરીકે ઓળખાતા સમુદ્રી વિસ્તારમાં જબ્બર જળાશય બનાવવાનું વિચારબીજ ૧૯૬૨ માં સ્વીકારાયા બાદ પૂરા પંચાવન વર્ષની વહીવટી માવજત છતાં હજુ બીજ ભોંભીતર રહ્યું છે !! કુદરતી કોપનો પણ સફળ સામનો શક્ય બનાવે તેવી આ યોજના બધા જ શાસકો સ્વીકારતા રહ્યા હોવા છતાં અસહ્ય ઢીલ થતી રહી છે.
ભારતીય સંસ્કૃતિમાં કિંમત કરતાં મૂલ્યને સવિશેષ મહત્વ અપાતું રહ્યું છે. પ્રગતિપ્રેરક ચાર્વાકે તેમજ ચાણક્યના અર્થશાસ્ત્ર માનવીય પોષણ માટે દેવું કરીને પણ ઘી પીવો જેવું સૂત્ર પ્રબોધ્યું છે. તેમ છતાં વારંવાર ચાણક્યની દુહાઈ દેનાર આપણે કેમ કશું કરતા નથી ??
- અગર જો દશ દિવસના કોમનવેલ્થ રમતોત્સવ માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી શકાતા હોય,
- જો બુલેટ ટ્રેઈન માટે સવા લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ દેવું કરીને પણ થઈ શકતું હોય તો
- જો કલ્પસર યોજના માટે થવાપાત્ર ખર્ચ/ મૂડી રોકાણની સામે ચારથી પાંચ સદી સુધી મળવા પાત્ર વળતર અનેક ગણું વધુ હોય તો પછી શાસકો કેમ જાગતા નથી?
(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Dec 29, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


નહીં સમજાય એ બુદ્ધપુરુષો..ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય, અને એ સૌ ન સમજાય એની જ મજા છે.
વિનોબાજીને જેણે પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા તે આપણા બેસ્ટ ઝેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. સદીઓ સુધી આખું વિશ્વ જેને ‘સેન્ચ્યૂરીના બેસ્ટ હ્યુમન બીઇંગ’ તરીકે મતદાન કરીને પસંદ કરે છે. સાચું એ છે કે, ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન ન કરવો, નહીં સમજાય એ બુદ્ધપુરુષો..ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય, અને ન સમજાય એની જ મજા છે.
મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા અને અઠવાડિયું રહ્યાં. એક નાનકડી પુસ્તિકા છે, વાંચવા જેવી છે. ‘લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું’ અક્ષર ભારતી, ભુજનું પ્રકાશન છે. લુઇ પાશ્ચર દૂરથી આવે છે, એ સાયન્ટીસ્ટ છે, એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબર છે ગાંધીજીને, એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્વરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે, He is not comfortable. એટલે બાપુ ઈશારો કરે કે, નાનું સ્ટૂલ આપો. અને પછી એણે ઉભા થઈને રિકવેસ્ટ કરી કે, You can seat on this small table , you will not be comfortable sitting on the ground. બાપુને જમવામાં બાફેલો કાંદો ખાવાની ટેવ હતી અને એ બાફેલો કાંદો લુઈ પાશ્ચરની થાળીમાં મુક્યો. અને લુઈ પાશ્ચરને થયું કે, આ શું છે બાફેલું? એટલે એ ભાંગવા ગયા એટલે ગાંધીજીએ કીધું કે If you don’t, don’t do it. It’s a boiled onion you may not like but i feel that it is better for health. અને પછી હળવાશથી કહ્યું:: “ખાવાની ટેવ પાડો, અઠવાડિયું રહેશો તો કદાચ ફાવી જશે.” આ મહાત્મા ગાંધી.
અરે, જાપાનના ક્યોટોમાં એક ગાંધી સમ વ્યક્તિની કથા છે. એ વાઇસ હોલી પર્સનને જોવા માટે બધા વિઝીટર જાય. એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુઃખી હતો એટલે એને કોઈએ કહ્યું, ઉપર એક હોલી પર્સન રહે છે, એમને જઈને મળો,. અને એ ગયા. ગયા એટલે એક માણસે સ્વાગત કર્યું. એણે કીધું કે મારે પેલા પવિત્ર માનવને મળવું છે. જવાબ મળ્યો કે, આપનું સ્વાગત છે. . અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું હમણાં અહીંયા મને બેસાડશે. પરંતુ બેસાડવાની બદલે કહ્યું:: ‘Have you seen all these things?’ ‘If Yes, let’s go ahead. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પેલેસ જેવી મોટી જગ્યા. બધું જ ખાલી-ખાલી, કશું જ નહિ, અને છેવટે બહારનું બારણું આવ્યું ત્યાં એક્ઝિટ હતી. એક્ઝિટમાંથી બન્ને બહાર નીકળી ગયા. બહાર નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પેલાએ હાથ જોડ્યા,Thank you very much for visiting the place. પેલાએ કહ્યું, I would like to meet that holly person, હજી તો હું એને મળ્યો નથી, મારે મળવું છે એટલે તો અહીં આવ્યો છું. એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દસહ મુકું છું :: . ”Everyone you may meet in life, even if they appear insignificant see each of them as a wise holy man. If you do this, then whatever problem you brought here today, will be solved.” તમને જીવનમાં જે કોઈ મળે છે, ભલે ને એ તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે કે, આની સાથે શું વાત કરવી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પુરા થઈ જશે.
મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે.સી.કુમારપ્પા નામના એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને સાડા ત્રણ વાગ્યે એને મળવા આવ્યા, અને સવા ત્રણ વાગ્યે એમણે એન્ટ્રી મારી અને એમણે ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કીધું કે, મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે સાડા ત્રણ વાગ્યાનો, મેસેજ આવ્યો એટલે હું આવી ગયો છું . એટલે પેલાએ એમ કહ્યું કે, ગાંધીજી એ કહ્યું છે ને ? તો એ આવી જશે સાડા ત્રણે. અને એ પાછું વાળવા લાગ્યો. પેલા મુલાકાતીને એમ લાગ્યું કે He is neglecting me. એણે ફરીવાર ઉઠીને કહ્યું કે Go and give a message to Gandhi that i am here. એટલે એણે પાછું થોડીવાર પછી કહ્યું કે, Don’t worry, ગાંધી આવી જશે. He is very particular. સાડા ત્રણ થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવરણો મૂકી, મોઢા ઉપરનો રૂમાલ છોડી અને પછી અંદર ગયો અને પેલા ને કહ્યું, આવો, આપણે અંદર બેસીએ. એટલે પેલા મહાશયે કહ્યું, ‘ I would like to meet Gandhi.; એટલે સામે જવાબ મળ્યો કે, ‘Yes Welcome. Meet, I am Gandhi.’…. મને એવું લાગે કે He is the holy man of Kyoto કે જેને શોધવા ગયો અને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈનાં કામમાં વ્યસ્ત હતા. આટલી સહજતા. એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે નિંદા કરી શકીએ પણ સાહેબ પેન્સિલ વગર એને નીંદર ન આવે. એટલો બધો વિચિત્ર અને છતાં પવિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને આપણને ખ્યાલ નથી આવતો. વિચારવા જેવું એ છે કે, આ બધા લોકો તો જતા રહ્યા છે, તો આપણે કોને સ્વીકારવા? મને એવું લાગે છે કે ઝેન અત્યારે આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે, ક્યાંય શોધવાની જરૂરિયાત નથી.
બાઈબલનું એક વિધાન છે કે, “ ખખડાવો અને ખુલશે !!” બસ, આ શ્રદ્ધા આપણી ભૂમિના ઝેન ગુરુઓએ બંધાવેલી છે. તેના આધારે આપણી યાત્રા અવિરત કરતા રહીએ.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | Gramsetu |



નિવૃત્ત થતી દીકરીએ કહ્યું : “તમે ઉપરના માળે રહો છો ને ફોનની ઘંટડી વાગે એટલે વીસ પગથિયાં ઊતરી નીચે આવો છો, તે તમને કોર્ડલેસ ફોન લઈ દઉં. તમારે આ ઉંમરે ઊતરચડ નહીં.” દીકરીના વહાલને પ્રેમથી પાછો વાળતાં પિતાજી બોલ્યા : રક્ષા તારી વાત સાચી છે કે મારે દી’માં આઠ-દસ વાર ઊતરચડ થાય છે, પણ એ બહાને મારા શરીરને કસરત થઈ જાય છે. અમથુંય હવે નવ્વાણું વર્ષે બહાર ફરવા જવાનું ઘટી ગયું છે. તો ભલેને ફોનની ઘંટડી વાગે, હું પગથિયાં ચડઉતર કરી લઈશ. જરાક જાળવીને આવજા કરીશ પણ કોર્ડલેસ ફોન લેવા જેટલી મારી ઉંમર નથી.’ આ શબ્દો પોતાના જીવનનાં નવ્વાણુ વર્ષ સ્ફૂર્તિમય વિતાવનાર દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવના છે.
યુવાનોને શરમાવે તેવો આત્મવિશ્વાસ જેની અખૂટ મૂડી છે તે ડી. ડી. વૈષ્ણવ પોરબંદરના છાયા વિસ્તારમાં રહે છે અને આજે પણ ડંકી સીંચી પાણીની ડોલ ભરી પોતે પોતાનાં કપડાં ધુએ છે. પોતાનું કામ જાતે જ કરવાના આગ્રહી છે. નિયમિત યોગ અને કસરત તથા અચૂક ચાલવાનું. તેઓની ચોતરફ પુસ્તકો પડયાં હોય અને દિનુભાઈ જ્યારે જુઓ ત્યારે વાંચતા જ હોય, બહુ પ્રયાસ કર્યો દિનકરભાઈ વૈષ્ણવ વિષે તેઓનાં જ મુખેથી કશુંક સાંભળવાનો, પણ નિષ્ફળ! મારા જીવનમાં નોંધવા જેવું કે લખવા જેવું કશું નથી. મારું શરીર અને મારું જીવન મેં બરાબર જાળવ્યું છે. યુવાનીમાં દેશી રમતો રમીને શરીરને ખડતલ બનાવ્યું. નિયમિત સાદું ભોજન લેવાનો આગ્રહ રાખ્યો. ઘડિયાળના કાંટા સાથે જીવન જીવવાનું. ઊઠવાનો-નાસ્તાનો-જમવાનો અને સૂવાનો સમય સાચવવાથી આજ સુધી કોઈ શારીરિક તકલીફ પડી નથી. ભગવાનની કૃપાથી આધુનિક જમાનાના ડાયાબિટીસ-બીપી-કોલેસ્ટરોલ જેવા રોગ પણ મારી નજીક ફરક્યા નથી.’ દિનકરરાય વૈષ્ણવ પૂરેપૂરી સ્વસ્થતાથી પોતા વિષે આટલી વાતો કરે છે.
૧૯૧૪માં જન્મેલા ડી. ડી. વૈષ્ણવ પોરબંદરની રાજાશાહીથી લઈને આદિન સુધીના ઇતિહાસના સાક્ષી છે. પોરબંદરના ઇતિહાસનું આ માનવીય વટવૃક્ષ છે.
વૃક્ષપ્રેમી અને શિસ્તના પરમ આગ્રહી. ખુમારી એવી કે કોઈપણ માથાભારેને પાકા મનોબળથી પડકારી શકે. યુવાન દિનકર રસ્તા પરથી પસાર થતા હતા. એક છોકરી પણ ત્યાંથી નીકળી અને એ છોકરીને એકલી ભાળી કોઈ જોરુકો સાઇક્લીસ્ટ ત્યાંથી પસાર થઈ પેલીની મશ્કરી કરવા લાગ્યો. છોકરો પેલીની છેડતી કરે ત્યાં તો દિનકરે જઈ એ મે૨ છોકરાનો હાથ પકડી ખખડાવી કાઢ્યો. દિનકરનો આત્મવિશ્વાસ જોઈને પેલો પોબારા ગણી ગયો. પોરબંદરમાં માથાભારે મેરને પડકારવાની હિંમત કોઈ ખુમારીથી છલકતો જણ જ કરી શકતો ત્યારે! પેલી છોકરી ભાવવશ પોતાના માર્ગે ને યુવાન દિનકર જાણે કંઈ બન્યું જ નથી એટલી સહજતાથી આગળ ચાલતો થયો. ખુમારી અને સહજતાનો આવો સુમેળ આજે પણ દિનુદાદામાં જોવા મળે છે.
પોતાના જીવનનાં પચાસથી વધુ વર્ષો શિક્ષણ જગતને અર્પણ કરનાર દિનકરરાય વૈષ્ણવ મોટીમસ પદવીઓ ધરાવતા નથી. પિતાજી ધીરજલાલ વૈષ્ણવ જીવતી જાગતી ડિક્સનેરી જેવા હતા. એ પણ શિક્ષક હતા, પણ પૅરાલિસિસ થતાં નોકરી છોડી એટલે કુટુંબની જરૂરિયાતને ધ્યાનમાં લઈને દિનકરભાઈ શિક્ષક થયા. ભાઈને ભણવાની અને આગળ વધવાની અનુકૂળતા કરી આપી પોતે પોરબંદરને જ ‘જિના યહાઁ‚ મરના યહાઁ’ની જેમ સ્વીકારી લીધું. ભાઈ પ્રભાકર પ્રાધ્યાપક થયા. મુંબઈ જઈ તેઓ એલ્ફીન્સ્ટન કૉલેજમાં ભણ્યા, શાંતાક્રુઝના સારદ વૃંદમાં બેઠક જમાવી, પોદાર સ્કૂલમાં નોકરી કરી, નરસિંહરાવ દિવેટિયાના લહિયા બન્યા ને વર્ષો સુધી રાજકોટની માતુશ્રી વિરબાઈમા મહિલા કૉલેજમાં પ્રાધ્યાપક રહી નિવૃત્ત થયા. પ્રભાકરભાઈનાં દીકરી રેણુ સાથે વાત કરો તો પણ મોટાઈ એટલે કે દિનકરભાઈની કહાની જ વધુ આવે. કુટુંબભાવના તો ગજબની! દ્વારકાદાસ વિઠલાણી સ્કૂલમાં દિનકરભાઈ મેટ્રિક સુધી ભણ્યા અને પછી એ જ શાળામાં ચોંત્રીસ વર્ષ શિક્ષક તરીકે ભણાવ્યું! નિવૃત્તિ પછી દિનકરભાઈ વૈષ્ણવે વીસ વર્ષ આર્યકન્યા ગુરુકુળમાં શિક્ષણ આપ્યું. અંગ્રેજી એટલું સારું કે પોરબંદરના નામી રાજવી ઘરાનાના અને રાજકીય ક્ષેત્રના મહારથીઓને અંગ્રેજી અને ગુજરાતી શીખવ્યું.
પોરબંદરના રાજવી રાણા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણીને આવ્યા પછી રાજ્યની ગાદી પર બેઠા. તેઓ રમતના ખેલાડી, ક્રિકેટની ટીમ લઈને ઇંગ્લૅન્ડ રમવા ગયેલા અને ત્યાંથી પાછા આવી પોરબંદરના વિકાસ માટે કાર્યશીલ બનેલા. આ રાજવી પરિવારને દિનકરરાય વૈષ્ણવ સાથે ઘરનો નાતો. રાજાનાં બીજાં પત્ની વેલ્સ દેશનાં હતાં. તેઓને ગુજરાતી શીખવવા જતા ડી. ડી. વૈષ્ણવ. દિનુદાદા સ્વતંત્રતાકાળના પણ સાક્ષી. પોતે ચૌદ વર્ષના હતા ત્યારે ગાંધીજીને જે ગાંધીજી પોરબંદર આવ્યા ત્યારે તેમનું સ્વાગતગીત દિનકરના કંઠે આંખોમાં છલકતાં તેજથી દિનુદાદા કહે છે કે : “ત્યારે બાપુને બહુ નજીકથી નિહાળેલા, પણ ગાંધીજીની ચામડી શાઇનિંગવાળી હતી ત્યારે… આઝાદીની ચળવળમાં પોરબંદરના
સિંહફાળાનો હું સાક્ષી છું.’ આજે ભાવસિંહજી સ્કૂલના મેદાનમાં ભૂતનાથનું મંદિર છે. તેને નવા નિયમ અનુસાર તોડી નાખવાની ગતિવિધિ ભૂતકાળમાં થયેલી. ૧૯૪૭ પહેલાં પણ આ મંદિર હતું તેનો પુરાવો અધિકારીઓને શોધ્યો ન જડ્યો. દિનકરરાય વૈષ્ણવ ૧૯૨૨ની સાલનો મંદિરનો ફોટો લઈ પહોંચ્યા અને કોર્ટે આ મંદિરને જીવતદાન બક્યું! આ વડીલ આવા કેટલાય પ્રસંગોના ઇતિહાસના સાક્ષી રહ્યા છે જેને આધારે આજનું પોરબંદર ઘડાયું છે. દિનુભાઈ કહે છે ઃ પોરબંદરમાં અન્ય શહેરો જેવી આધુનિક વ્યવસ્થાઓ ઓછી છે પરંતુ પોરબંદર પાસે જે કલા અને સ્થાપત્યનો વારસો છે અને ભવ્ય ઇતિહાસ છે તે અન્ય કોઈ શહેર પાસે નહીં હોય. રજવાડી વારસો, ઐતિહાસિક શિલ્પ-સ્થાપત્યો, ધર્મસ્થળો વગેરે નમૂનેદાર છે. અહીંનું હવામાન સાફ છે. ઐતિહાસિક પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ પોરબંદર મોખરે આવે. મારે જો પોરબંદરને ઉપમા આપવી હોય તો હું તેને ‘સુરમ્ય નગરી’ની ઉપમા આપું.’ પોતાનું પોરબંદર રૂડું અને રળિયામણું છે તેવું કહેતાં દિનકરભાઈની નજર સામેથી જાણે વર્ષોનાં વર્ષ પસાર થઈ જાય છે. પોતે છ ભાઈઓનો પરિવાર, પોરબંદરમાં વારંવાર મળે ત્યારે જાણે મેળાવડો જામે. સંગીત-સાહિત્ય-ઇતિહાસ-સંસ્કારની વાતો ખૂટે જ નહીં. જીવનના પ્રશ્નો તો તેમાં ફરકે ય નહીં. શું વાંચ્યું, શું સાંભળ્યું, શું જીવ્યા તેની હસીખુશીભરી વાતો. પછીની પેઢી પર અજાણતાં જ આ સંસ્કારોએ રાજ કર્યું. લાગણી અને સંભાળ જેવી જાત પ્રત્યેની, તેવી જ સમગ્ર કુટુંબ પ્રત્યેની. નાગરી પ્રણાલી મુજબ દિનુભાઈ હિંડોળે હિંચકતા હોય ને બન્ને પડખે બે બાળકો નિદ્રા રાણીને આવકારતાં હોય. હિંડોળાને ઠેલા વાગતા જાય ને રામસહસ્રનામ કે શક્રાદય ધીમે સ્વરે દિનુભાઈ ગાતા જાય! બન્ને બાળકો સૂઈ ગયાં છે એવી ખાતરી થાય એટલે બાળકોને યથાસ્થાને સૂવડાવી દિનુભાઈ ઊપડે સંગીતના કાર્યક્રમોમાં! રાત્રે આવે ત્યારે પોતાના ઉપરના ખંડમાં, જ્યાં રેડિયો હોય, ચોપડીઓ હોય, સંગીતનાં સાધનો હોય! ૧૯૯૪માં એક ઘટના બની. સૌ સૂર્યકાકીની તબિયત નરમગરમ હતી. પત્ની સ્વસ્થ છે એમ જાણી દિનુભાઈ રાત્રે સંગીતના કાર્યક્રમમાં ગયા. પત્નીએ એમને રોકવાનું જરૂરી ન ગણ્યું. વહેલી સવારે ધીમા અવાજે મોટા દીકરાને માએ કહ્યું : “તમારા બાપને ઉઠાડોને!’ તરત જ દિનકરભાઈ બાજુમાં ગોઠવાયા. એક દીકરીની ચિંતા માને ખરી. સૂર્યબાળાબેન બોલ્યાં : મને લાગે છે કે મને તેડું આવ્યું છે, પણ…. દિનકરભાઈ પૂર્ણ સ્વસ્થતાથી બોલ્યા : ‘તમે એમની ચિંતા ન કરો, અમે સૌ છીએ ને! જો તમને તેડું આવ્યું હોય તો ત એંસી વર્ષના દિનકરભાઈના શબ્દો અટક્યા ત્યાં જ તેમના ખોળા 275/408 મુકી દીધો. તે સમયની દિનુદાદાની સ્વસ્થતા અને ત્યાર પછીની આ પારા પર્યા દરમ્યાનની સહજતામાં ભગવદ્ગીતાનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જોવા મળે!
દિનુદાદાના મોટા દીકરા આજે બોંત્તેર વર્ષે દરિયે નહાવા જાય છે કારણ કે દિનુદાદા પોતે આજે પણ નિયમિત રામકૃષ્ણ લાઇબ્રેરીમાં અચૂક જાય છે.
અખબારો, પુસ્તકો અને મૅગેઝિન ઝીણવટથી વાંચતા આ વયોવૃદ્ધને જોઈને કેટલાય યુવાનો પ્રેરણા મેળવે છે. અહીંના ગ્રંથપાલનું કહેવું છે કે : ‘લાઇબ્રેરીની શરૂઆત અહીં થઈ ત્યારથી વૈષ્ણવસાહેબ અહીં આવે છે. દરેક પ્રકારનાં પુસ્તકો દાદા વાંચે છે. નવલકથા હોય કે નવલિકા. વાર્તાસંગ્રહ હોય કે ધર્મપુસ્તકો.’ દિનકરભાઈ ધીમું મરકતાં કહે છે : ‘અંગ્રેજીનાં સાતસોથી વધુ, ગુજરાતીમાં તો એક હજારથી વધુ પુસ્તકો વાંચ્યાં હશે. સંસ્કૃત ધર્મ પુસ્તકો મેં જીવનની ઢળતી સંધ્યાએ વાંચવા શરૂ કર્યાં. મને સમજાયું છે કે હકારાત્મક વાંચન પ્રભાવશાળી વ્યક્તિત્વની ઉપમા તો અપાવે જ છે પરંતુ સાથોસાથ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના પર્સનાલિટી ડેવલપમૅન્ટ જેવા કોર્સની જરૂર પડતી નથી.’ જીવનનાં ચાલીશ વર્ષો દિનકરભાઈ હોલ્ડ્રીકલ્ચરમાં પણ પ્રવૃત્ત રહ્યા છે. વૃક્ષપ્રેમ અપાર છે. વૃક્ષો કપાય તો એમનું દિલ દુઃખે છે. સંપૂર્ણપણે ખાદીધારી દિનુદાદાની સ૨ળ-સહજ જીવનરીતિ અને શિક્ષણમાં એકધારું પાયાનું પ્રદાન એક વર્ષો જૂનાં વડલા સમાન છે. દાદા પાસે ત્રણ ત્રણ પેઢી ભણી છે.
પ્રખર અભ્યાસુ સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ નરોત્તમ પલાણ તો દિનકરભાઈને ગુરુ માને છે અને કહે છે કે : “આજની તારીખે વિભિન્ન વિષયો અંગેનું એમનું જ્ઞાન સલામને પાત્ર છે. આજે કોઈપણ ધર્મનું અઘરામાં અઘરું પુસ્તક તમને દિનુકાકા પાસેથી મળે જ. એક સાચુકલા વૈષ્ણવજનનું જીવતું જાગતું ઉદાહરણ છે દિનકરભાઈ.’
સ્વયંને પારખવા માટે કે અન્યને ભણાવવા માટે મોટી મોટી ડિગ્રીઓ હોવી જ જોઈએ એવું જરૂરી નથી તેની સાબિતી છે દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવ, ઉંમર વર્ષ ૯૯, છાયા વિસ્તાર, પોરબંદર! એક સાદા-સરળ સવાયા ગાંધીને મળવા જેવું છે.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | Articles |


જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે.
ઘણા લોકોને ઘણીવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે, આ જીંદગી ચાર દિવસની છે. ‘ચાર દિન કી ચાંદની’ એવું લોકો કહેતા હોય છે. મનમાં ક્યારેક પ્રશ્ન થાય કે, ચાર દિવસની જીંદગી છે એનો ખરેખર વ્યાપક અર્થ શો કરવો? ચાર પછી આવતો પાંચમો દિવસ શું છે ? અને વાસ્તવમાં આ પાંચમો દિવસ ચાર પછી જ આવે કે ?
મન છે એટલે એને પ્રશ્નો થવાના. અને પ્રશ્ન થશે તો એના ઉત્તર શોધવા માટે ગડમથલ કરવાની. ચાલો, આજે થોડી ગડમથલ કરીએ.
ખરેખર આ ચાર દિવસમાં જ જિંદગી છે અને પછી શું મૃત્યુ છે? ના, આ ગૂઢ વાત છે. ઊંડાણ વાળી વાત છે. ઝડપથી મનમાં ઉતરી જાય એવી વાત નથી. પાંચમા દિવસનો અર્થ જ એ છે કે, જ્યારે તમારી ચાર દિવસની જિંદગી પૂરી થઈ અને પરમાત્મા સાથે મિલનની ઘડી આવી તે પાંચમો દિવસ છે. ચાર દિવસમાં ઈશ્વર સાથે મિલન થતું નથી. કારણ કે જિંદગી આપણી છે એટલે એમાં અહંકાર છે. અહંકારમાં ક્યારેય મિલન શક્ય નથી. મિલન તો અહંકાર છૂટી જાય પછીના મૃત્યુમાં છે. જે મટી જાય છે, જે ઓગળી જાય છે, તેનું મિલન શક્ય છે. અને એ મિલન શક્ય બને તે દિવસ એ પાંચમો દિવસ છે. જે જીંદગીની બહાર હોઈ શકે. એનો અર્થ એવો થયો કે, આપણે જીવતા શીખીએ કે ન શીખીએ પણ આપણે મરતા શીખવું પડે. અને તો જ પાંચમો દિવસ આપણે જોઈ શકીએ.
હકીકતમાં મરવાની કળાનું નામ ધર્મ છે. એવી રીતે મરવાની કળા કે ફરી તમારે જન્મ લેવો પડે. એવી રીતે મરવાની કળા કે જેમાં મર્યા એટલે મર્યા, કાયમ માટે મર્યા. જેમ આપણે ફના થઈ ગયા એમ કહીએ, એટલે કે ભસ્મ થઈ ગયા, એમ શૂન્ય થઈ ગયા. તો અસલી જીંદગી જો મેળવવી હોય તો ફના થઈ જવું પડે. અસ્તિત્વ સાથે મેળાપ કરવો હોઈ, વાસ્તવિક અસ્તિત્વ સાથે ભળી જવું હોય તો આપણે મરણની કળા શીખવી જોઈએ. વાત તો જરા ઉલ્ટી થઈ કે તમારે જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે. આપણે જીવનભર એની શોધ કરીએ છીએ. એટલે આપણને એનું રહસ્ય મળતું નથી.પરંતુ રહસ્ય એને મળે છે, જે મૃત્યુમાં તેને શોધે છે.
આપણે પેલી જૂની પુરાણી વાર્તાઓ યાદ કરીએ. બાળકોની કહાનીઓમાં એવું કહેવામાં આવતું કે, કોઈ રાજા એવો હતો કે જેને કોઈ મારી ન શકે, એટલે પોતાની જીંદગી એક પોપટમાં, પોપટની ગરદનમાં રાખી દે. રાજા ઉપર ગમે તેટલા ઘા કરો પણ તે મરે નહિ. પણ તમે જેવું જઈને પોપટની ગરદન મરડી દો, તે તરત જ રાજા મરી જાય.!! ત્યારે તો આ વાર્તા ક્ષુલક લાગતી હતી. આજે હવે અર્થપૂર્ણ લાગે છે. આમ જો કે બાળકોની જ વાર્તા છે, વૃદ્ધો સમજી ન શકે. પણ નાનપણમાં આપણને એ રહસ્ય સમજાવવા તરફ ઈશારો કરતી એ કહાની છે. એમ કહેવા માંગે છે કે જ્યાં તમને જીંદગી દેખાય છે, ત્યાં જીંદગી નથી. જીંદગીનું રહસ્ય કોઈ બીજી જગ્યાએ પડ્યું છે. તમે જેના વિશે વિચારી પણ નથી શકતા એ જગ્યાએ છુપાયેલું છે. હું અને તમે જેની કલ્પના ન કરી શકીએ એવી જગ્યાએ એ પડ્યું છે. અને તેથી જે હોશિયાર છે તે લોકો એવી જગ્યાએ વસ્તુને સંતાડી દે છે કે જેના વિશે કોઈને કશો વિચાર ન આવે.
એક ઉદાહરણ લઈએ. મારી પાસે કેટલાક અસલી હીરા છે. હવે એને હું મારા ઘરમાં રહેલી કચરો ભરવાની બાલ્ટીમાં નીચે સંતાડીને રાખી દઉં છું. આમ કરવાથી ઘરમાં ઘૂસીને ચોર કશું પણ મેળવવા માંગે તો એને હીરા સુધી પહોંચવામાં તકલીફ પડવાની. કારણ કે કોઈ ચોર આવીને કચરા ટોપલી નથી જોવાનો. એ તિજોરીમાં શોધશે. જેની ઉપર બહાર તાળું લટક્યું છે, તેની અંદર હશે એમ માનશે. ક્યાંક જમીનમાં ટાઇલ્સ ઉંચી થઈ ગઈ હશે તો એ ખોલીને જોશે. કોઈ એવું વિચારી પણ નથી શકતું કે જે હીરો છે એ બહાર પડેલી કચરા ટોપલીમાં હશે. જે ઘરનો કચરો બહાર ફેંકી દેવાનો હોય એની અંદર હીરા છુપાયેલા પડ્યા છે. બસ આવું જ છે. જીંદગીનું રહસ્ય મૃત્યુમાં છુપાઈને પડ્યું છે, જેના વિશે કોઈ વિચાર નથી કરી શકતું .
મૃત્યુ એ જિંદગીથી ઉલ્ટી પ્રક્રિયા છે. એવી રીતે જીવો કે તમારું સરનામું ખોવાઈ જાય. અને એવી રીતે મરો કે તમારું નિશાન પણ ન રહે. એક જ ઉપાય છે, પાંચમો દિવસ. ચાર દિવસની જિંદગી અને પછી પાંચમો દિવસ. આ ચાર દિવસની જિંદગી તો એવી રીતે વીતી જાય છે,’ દો આરઝૂ મેં બીતે, દો ઇંતઝાર મેં’. બે દિવસ માંગવામાં ગયા અને બે દિવસ પ્રતીક્ષામાં ગયા. બહુ કંઈ હાથ લાગ્યું નહીં.
હવે પાંચમો દિવસ મહત્વનો છે. જ્યારે મને ને તમને ખબર પડે કે, મારું હોવું એ મારું હોવામાં જ અડચણ બરાબર છે. કારણ કે મારા હોવાનો મતલબ છે, હું પરમાત્માથી અલગ છું. હું છું એમ માનું છું ત્યારે જ હું પરમેશ્વરને આઘો મુકું છું. મારું હોવાનો મતલબ જ એ કે હું એક નથી, સંયુક્ત નથી. એ પરિપૂર્ણની સાથે હું એકરસ નથી. આ જ મોટું સ્પીડબ્રેકર છે. આ જ દુઃખ છે અને આ જ નરક છે.
જો દીવાલ હટી જાય, મારા હોવાપણાનો ખ્યાલ જતો રહે, તો જે મળે છે એ મૃત્યુ છે. ફરી એકવાર મૃત્યુનો અંત એ કે જેમાં હું છું ‘આઈ એમ સમથીંગ’ એ અહંકારને આપણે કાપીને ફેંકી દઈએ. હું તારાથી અલગ નથી, હું તારી અંદર છું. મારી અંદર જેવી સાગરની લહેરો ઊઠે છે એવી જ લહેરો તારી અંદર છે. મોજા સમુદ્રથી અલગ નથી હોતા. ગમે તેટલા ઉછળે, ગમે તેટલી ઊંચાઈ ઉપર જાય, જહાજોને ડુબાડી શકે છે, પહાડોને ડુબાડી શકે છે. પરંતુ એ લહેર સાગરની છે, સાગરથી અલગ નથી.
પોતાની જાતને અલગ માનવી એ આપણાં જીવનની મોટામાં મોટી અડચણ છે. ત્યાંથી જ પરમાત્મા અને આપણી વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે. અને એ જ ક્ષણ જો આપણને ખબર પડે તો ખ્યાલ આવે કે જિંદગીના ચાર દિવસ પછીનો દિવસ વીતવાની શરૂઆત થઈ. એવું નથી પાંચમે દિવસે બધું પૂરું થાય. પાંચમાં દિવસ પછી પણ આપણે જીવી શકીએ. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી આવ્યો. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ આવ્યો તે પછી તો એ 40 વર્ષ વધુ જીવ્યા. પરંતુ એ જીંદગી પહેલા જેવી ન હતી, અલગ હતી. એ જીંદગીનો રસ કોઈ જુદો હતો, ઉત્સવ કોઈ જુદો હતો. એના પછી તો તેઓ સાચું જીવ્યા. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા, ‘તમે તમારી જિંદગી એ દિવસથી ગણજો, તમારું જીવન એ દિવસથી ગણજો, જે દિવસે તમે સંન્યાસ લો. એના પહેલાની જીંદગીને ગણતરીમાં લેતા નહીં.
એ સમયનો એક સમ્રાટ હતો ‘પ્રસ્યેનજીત ‘. એ બુદ્ધના દર્શન માટે આવતો. આવીને એક વખત બાજુમાં બેઠો ત્યારે એક ભિક્ષુ આવ્યા. જેની ઉંમર લગભગ 75 વર્ષ હશે. એ વૃદ્ધ હતાં. એમણે ઝૂકીને બુદ્ધને નમસ્કાર કર્યા. બુદ્ધે પૂછ્યું, ‘ભિક્ષુ તમારી ઉંમર કેટલી?’ એ ભિક્ષુએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે, ‘ચાર વર્ષ પ્રભુ.’ પ્રસ્યેનજીત તો હેરાન થઈ ગયો. એને થયું કે, હદ થઈ, ચાર જ વર્ષ ! એકાદ-બે વર્ષ આઘા પાછા હોત તો ચલાવી લેત, પણ આ દેખાઈ છે તો 75 વર્ષનો. કદાચ 65 કહ્યા હોત કે 70 કહ્યા હોત તોય વાંધો ન હ્તો. એને આમ થયું કે કદાચ મને બરાબર સંભળાણું નથી. એ વૃદ્ધને પ્રસ્યેનજીતે કહ્યું કે, ‘મહાનુભાવ, હું બરાબર સાંભળી ન શક્યો આપે શું જવાબ આપ્યો. જરા જોરથી કહેશો? કેટલી ઉંમર છે આપની?’ તે વૃદ્ધે કહ્યું, ‘મહારાજ ચાર વર્ષ’. પ્રસ્યેનજીતે બુદ્ધની તરફ જોયું. બુદ્ધ હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘તમને કદાચ ખબર નહિ પડે કે અમે ઉંમર કઈ રીતે ગણીએ છીએ. આ વ્યક્તિ ચાર વર્ષ પહેલા સંન્યાસી થયા છે તો એની ઉંમર પણ ચાર વર્ષની જ ગણાય ને. એના પહેલા તો તે સુતા હતા. ધ્યાનની કોઈ પ્રકારની ઝલક પ્રાપ્ત થઇ ન હતી તો એ નીંદરના વર્ષોને કેમ ગણાય?? એ તો અંધારું હતું, એ રાત હતી, એની ગણતરી તો નકામી કહેવાય, કચરો કહેવાય. અને તેથી એ દિવસથી ગણતા આ વ્યક્તિને ચાર વર્ષ થયા છે. જે દિવસથી વ્યક્તિ શ્રોતાપન્ન થયો, જે દિવસથી એણે સત્યની ખોજની તલાશનું પહેલું કદમ ઉઠાવ્યું, એ દિવસથી અમારે ત્યાં હંમેશા ઉંમર ગણાય છે.’
બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી શરુ થયો. પછીના ચાલીસ વર્ષ એ જીવ્યા. પરંતુ આ જે ચાલીસ વર્ષ હતાં એ જુદા જ મહિમાનાં હતાં, જુદી ગરીમાના હતા, જુદા જ પરમાત્મમય અને ભગવત્તા પૂર્ણ હતાં. એમાં સીમા ન હતી. ચાલીસ વર્ષ સુધી લહેરની તરફ જીવ્યા. પરંતુ પાંચમો દિન આવ્યો અને પછીના ચાલીસ સાલ સાગરની જેમ જીવ્યા. આપણી જીંદગી ભલે ચાર દિવસની રહી, આપણે સ્વાગત તો પાંચમા દિવસનું કરવાનું છે.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | જનકલ્યાણ |

બહુમુખી વ્યક્તિત્વ શ્રી પ્રફુલ્લ અનુભાઈ. એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, સોસ્યોલોજી, ડિઝાઇન, એન્થ્રોપોલોજી, કરીક્યુલમ ડેવલપમેન્ટ,…. અને… કેટલાય ક્ષેત્રોમાં વ્યસ્ત રહી જીવન વિતાવનાર શ્રી પ્રફુલ અનુભાઈનું જીવન ઘડાયું તેઓના ચુસ્તતાના આગ્રહી પિતાશ્રીના ઘડતરથી..નાનપણમાં જાણતા અજાણતા આપણને આપણા માતા, પિતા કે ઘરનું વાતાવરણ ઘડે છે. કેટલીક ટેવો વડીલોએ રાખેલા આગ્રહોના કારણે પડી ગઈ અને આપણે જયારે મોટા થયા ત્યારે તેનું ફળ મળ્યું !!
શ્રી પ્રફુલ્લ અનુભાઈનું ઘડતર કેવી રીતે થયું તે અંગે થોડી વાતો તેમના જ શબ્દોમાં… :
“ફાધરની બાબતમાં એવું કે બધાની સાથે ફ્રેન્ડલી થઇ જાય પણ કામની બાબતમાં ઝીણવટ અને ચીવટ બહુ, એટલે મને વાત વાતમાં એમ કહે કે, કામ જે કંઈ કરો એ નિયમથી કરો. પછી એ ઉલ્લેખ કરે શ્રીમદ્ રાજચંદ્રના મોક્ષમાળાનો. અમે નાના હતા ત્યારે એવું હતું કે, દર રવિવારે એક સામાયિકમાં બેસાડે, પણ ધાર્મિક શ્લોકો વાંચવાના નહીં, પણ શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા પુસ્તક લઇ અને મણકાઓ લઇ અને વાત કરે અને પ્રેક્ટિકલ એની કોમેન્ટ્રી આપે. એટલે એમ કહે કે, આ મેં તમને નિયમની વાત કરી એ શ્રીમદ્ રાજચંદ્રનો એક મણકો છે, એમાં એ કહે છે : નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે, એટલે એ વાત સમજાવે, પ્રેક્ટિકલ દાખલાઓ લઈને સમજાવે. આ જાતનો એક સંસ્કાર જૂજ રીતે અમારામાં મુકેલો.
કોઈ જગ્યાએ ધર્મ, ઉપવાસ, આંબેલ, પચખાણ એવું કશું આવે નહીં. દેરાસર જવાનું છે, આટલી પૂજા કરવાની છે, એવું કશું ન આવે. અમારી આજુબાજુનું વાતાવરણ એવું હતું છતાં પણ એમનો આવો એક અભિગમ હતો કે, સંસ્કાર આ રીતે મળવા જોઈએ. એટલે એમ કહેતા કે, તમે પેન્સિલ વાપરવા માટે લીધી અને ઘરમાં એક જગ્યાએ મૂકી છે, બધા લોકો વારાફરતી જેને જરૂર પડે એ વાપરે છે, તો તમે ક્યાંક નાખીને ચાલ્યા જાઓ એ બરાબર નથી. પાછલા માણસનો વિચાર કરો કે, એને જયારે પેન્સિલની જરૂર પડશે ત્યારે એને ફાંફા નહીં મારવા પડે, પણ જે તે જગ્યાએથી મળી જશે, એવું દ્રષ્ટાંત આપીને વાત કરે. એમ કહે કે, કોઈ દિવસ રૂમમાં જાઓ ત્યારે તમારે જે વસ્તુ લેવી છે, અહીંયાથી લીધું, ત્યાંથી લીધું, કબાટ ખોલ્યો, કબાટ બંધ કર્યો, એમાંથી બે ત્રણ વસ્તુ લીધી, આમ તેમ કરીએ એમ નહીં. એવો પ્રયત્ન કરો કે, રૂમમાં જે પ્રમાણે વ્યવસ્થિત હતું એ પ્રમાણે તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે એટલું તો થાય જ, if not better. આવો એક પાઠ ભણાવ્યો.
બીજું કે જે કંઈ પણ કામ કરો એમાં excellence મેળવવું. એ સારી રીતે કરો. એ કામ કેમ વધારે સારી રીતે થાય એનો પ્રયત્ન હંમેશા કર્યા કરો, એ ખાસ એમનો આગ્રહ. પોતાના જીવનમાં પણ એમ જ કરેલું એટલે મને પણ એમ કહે કે, આ આપણે કરવું, આવી રીતે કરવું જોઈએ. પોતાનો એમનો દાખલો હતો એટલે અમે સમજી જઈએ તરત જ કે શું વાત કરવા માંગે છે. ઉદાહરણ તરીકે, એમણે એક દેરાસર બનાવ્યું શંખેશ્વરમાં. એનો આરસ લેવાનો હોય તો પોતે મકરાણા જાય. ધાર્મિક કામ છે, પોતાનું પર્સનલ કામ નથી છતાં મકરાણા જાય, સિલેક્ટ કરે અને કઈ જાતનો મારબલ જોઈએ એ નક્કી કરે, કયો મેચ થશે એ જોઈ લે અને પછી બરાબર ભાવતાલ કરીને લઇ આવે. એમણે દેરાસર બાંધ્યું એની એક નોંધ રાખેલી, ચોપડી બનાવેલી કે આ બારણું છે, આ માપ જોઈએ, એની પેલી તક્તિ આટલી જોઈએ. એટલે એમની સાથે રમણભાઈ ગાંધી કરીને એક ભાઈ હતા, એ જયારે મારા ફાધર ગુજરી ગયા ત્યારે પછી આ ચોપડી નીકળી એટલે મેં કીધું આ તમારા કામનું. મને કહે, આ તો દેરાસર બાંધવાનું બાઇબલ છે. એટલું બધું ઊંડાણથી બધું એમાં હતું કે, કેટલા પગથિયાં, કેટલું ડિસ્ટન્સ, કેટલી સાઈઝના દરવાજા, એની તક્તિ કેટલી બનાવવી, આરસ કેવો હોવો જોઈએ..બધું જ બધું અંદર લખેલું હતું. એટલે આવી એક ઝીણવટની વાત હતી. એટલે દરેક વખતે કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે યાદ આવે કે સારી રીતે કરવું જોઈએ. શોભે એવી રીતે કરવું જોઈએ, લોકોને આનંદ થાય એવી રીતે કરવું જોઈએ. એ જે sense of excellence એ પિતાશ્રીમાંથી આવેલી.”
આઈ. આઈ . એમ . અમદાવાદ થી લઈને ગુજરાતને સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ અપાવનાર સપ્તક સુધીની સંસ્થાઓને શ્રી પ્રફુલ્લ અનુભાઈની નિપુણતાનો લાભ મળેલ છે.
by Bhadrayu Vachhrajani | Dec 24, 2024 | વિશેષ લેખ |

તબીબી જગત માટે ગૌરવ :: બે સંતો ઉત્કૃષ્ટ તબીબોને નવાજે છે
“ઈશ્વરની નજીક કોણ ગણાય ??” મારો જવાબ છે :: સંતો અને તબીબો.
હા, બંનેમાં અપવાદો છે, પણ આપણે તો સારપ શોધવી છે, પછી શું !?
તબીબો છે તો next to God., તેમાં કોઈ બેમત નથી જ નથી. સારપ સારપને ઓળખે એ ન્યાયે ઉત્કૃષ્ટ સારવાર કરનાર તબીબોનો વાંસો થાબડવાનું સંતો ચૂકતા નથી..
અને અહીં તો સમાજને આખે આખો સ્વીકારનાર દંતાલીના સ્વામીશ્રી સચ્ચિદાનંદજી છે, તો સમાજની આધુનિકતાને શિક્ષિત કરનાર SGVP ના સંત શ્રી માધવપ્રિયદાસજી છે.
પૂજય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજને (શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદ) આશ્રમમાં તા.૧૧/૧૨/૨૦૨૪ નાં પડી જતાં જમણાં પગમાં ફ્રેકચર થયું. તરત જ પ્રાચિન અને અર્વાચીન સારવારનો જ્યાં સમન્વય છે તે અમદાવાદના SGVP ( સ્વામીનારાયણ ગુરુકુળ વિધાપીઠ પ્રતિષ્ઠાનમ્ )ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા અને
ત્યાં તેમનું સફળ ઑપરેશન થયું.
સ્વામીશ્રીને SGVP માંથી રજા આપે તે પહેલાં એ પાવન પ્રસંગ સહજ રીતે સર્જાયો.
સ્વામીશ્રીને ઓપરેશન કરનાર દસ ડૉક્ટરની ટીમને (ડૉક્ટર દીઠ) સાચા રૂદ્રાક્ષની સોનાની એક માળા (જે એક માળા રુપિયા એક લાખ ત્રીસ હજારની થાય .) સ્વામીશ્રી સચ્ચિદાનંદજી તરફથી
સ્વામીશ્રી માધવપ્રિદાસજીનાં દિવ્ય હસ્તે ભેટરૂપે અર્પણ કરવામાં આવી. હોસ્પિટલના બધા સ્ટાફને ગરમ સ્વેટર તથા પ્રસાદ આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
પૂજ્ય સ્વામીજીની તબિયત બિલકુલ સારી છે.. તેઓ સ્વસ્થ છે અને પ્રસન્ન છે.
આપણા ચિંતક શ્રી ગુણવંત શાહે વર્ષો પહેલાં કહેલું કે, “ભગવા વસ્ત્રો બે જ સંતોને શોભે છે,, એક) બ્રહ્મલીન અનુબેન (ગોરજ મુનિ સેવા આશ્રમ) અને સ્વામી શ્રી સચ્ચિદાનંદજી (દંતાલી પેટલાદ)” .. ગુણવંતભાઈની વાતમાં હવે બીજા ભગવા વસ્ત્ર ધારી સંતને ઉમેરીએ તો તેઓ છે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી.
તબીબી ક્ષેત્રના સંતોને અધ્યાત્મ જગતના સંતોએ રૂદ્રાક્ષની સોનાની માળા અર્પણ કરીને ભારતીય સંસ્કૃતિનું આચમન કરાવ્યું છે.
(વિગત+વીડિયો સૌજન્ય બદલ અહોભાવ:: શ્રી અજીતસિંહ પરમાર, કલોલ)
પ્રણામ…હરિ: ૐ… જય સિયારામ
by Bhadrayu Vachhrajani | Dec 22, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


“જો મારો આશ્રમ હોય તો તમારે શું? અને જો કોઈકનો આશ્રમ હોય તો મારે શું?”
એક મહાપુરુષને દૂર-દૂર દેખાતા એવા એક પર્વત ઉપર રોજ જવાનું અને રોજ પાછા આવવાનું. એક લાકડાની પાટ ઉપર જેણે જિંદગી કાઢી નાખી, નહીં પ્રવચનો કર્યા, નહીં કથાઓ કરી, કશું જ નહીં કર્યું. કોઈ પૂછે તો અડધો જવાબ આપે તે શ્રી રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું કે, “આ પક્ષી, આ નદી, આ પર્વતો, એ ક્યાંથી આવે છે?”, મહર્ષિએ થોડીવાર પછી જવાબ આપ્યો :: “તમારા પ્રશ્નો ક્યાંથી આવે છે ?” ‘સાક્ષાત્કાર’ નામનું પુસ્તક છે, ક્યારેક વાંચવા જેવું છે. હું માનું છું કે શ્રી રમણ મહર્ષિને કદાચ ભારતના ‘ધ બેસ્ટ ઝેન માસ્ટર’ કહી શકાય.
વિનાયક ભાવે તે આપણા સૂફી ફકીર વિનોબાજી. વિનોબાજી પોતે સંસાર છોડી અને હિમાલય તરફ જવા નીકળી ગયા હતા અને ત્યાં એમણે એક ન્યુઝ પેપરમાં વાંચ્યું કે, ગાંધીજીએ એની બેસન્ટની હાજરી માં બેધડક જાહેરમાં કહ્યું કે, આ મારું ભારત છે અને જે કાંઈ અહીંયા થશે એ હિન્દીમાં થશે અથવા તો માતૃભાષામાં થશે. એની બેસન્ટે એમ કીધું કે, This is international conference, you can’t say like that. બાપુએ કહ્યું કે, You can maintain your stand, equally i have a right to maintain my stand. એ વાંચ્યું અને વિનોબાજીને થયું કે, આ કોણ છે? અને એને મળવા માટે ઉપડ્યા. અને વિનોબાજીને લાગ્યું કે, ‘મારે હિમાલય જવાની જરૂર નથી કારણ મને બાપુમાં હિમાલયના દર્શન થાય છે.’
પોતાના પહેલા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ પસંદ કર્યા એ વિનોબા ભાવે. આ વિનોબા ભાવેના ઘરની અંદર મોટું ફણસનું ઝાડ, જેના મોટાં ફળ અને એની પેશી મોટી મોટી હોય. એ ફળ જોઇને રોજ બધા બાળકો ચિંતા કરતા હોય કે આ ફળ ક્યારે ખાવા મળે. હવે ફળ પાક્યું છે, રોજ સવારે ઊઠીને જોવે ત્યાં એક દિવસ જોવે તો પોતાની મા નીચે ફળ લઈને બેઠી છે અને પેશીઓ કાઢે છે. બધા બાળકો માની ફરતે ગોઠવાઈ ગયાં. મા એક વાટકી ની અંદર એક પેશી મૂકીને આપે કે, ‘બેટા જા, પહેલો ભાગ તો પાડોશીનો હોય ને !!. તું દેતો આવ એને. જા વિનીયા જા.. દેતો આવ બાજુમાં’. બીજીવાર આવ્યા ત્યારે કીધું, “બેટા જમણી બાજુ દેતો આવ. એણે ફળને રોજ જોયું છે. જોયું છે એટલે એનો અધિકાર છે.” વિનોબાજીને કોઈએ ભૂદાન વખતે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે તમને આ ભૂદાનનો વિચાર આવ્યો ક્યાંથી? એમાં એમણે આ વાત કરેલી કે, મારી માએ મને ત્યારે શીખવ્યું છે કે, બેટા યાદ રાખજે જે દે તે દેવ, અને રાખે તે રાક્ષસ. વિનોબાજીએ કહ્યું કે ત્યારથી નક્કી કર્યું કે, “મારી પાસે જે કંઈ છે તેમાંથી સમાજને અર્પણ કરવું..બસ, એમાંથી મને ભૂદાનનો પહેલો વિચાર આવ્યો.”
આચાર્ય રજનીશ તે ઓશો વહેલા જન્મ્યા એટલે આપણને ઓળખતા બહુ વાર લાગી. હજી ઘણા લોકોને ઓળખાણા નથી. પણ ખરેખર એમ કહેવાય કે, ઓશો એટલે નિજાનંદમાં જીવનારો ભારતીય ઝેન ફકીર. ઈચ્છા થાય કે રોલ્સ રોય્સ ગાડીનો ખડકલો હોવો જોઈએ તો ખડકલો હોય, એમને ઈચ્છા થાય કે મારે કાંડે વિશ્વની મોંઘામાં મોંઘી બે ઘડીયાલ હોવી જોઈએ તો બે ઘડિયાળ હોય, અને એમને ઈચ્છા થાય કે આ ઘડિયાળનું કાંઈ નથી કરવું તો એ નાખીને ચાલતો પણ થઈ જઈ શકે.. કેવો વિચાર કે જે વિચાર આજે વર્ષો પછી, 1991માં તેઓની વિદાય પછી પણ એટલો જ પ્રભાવક છે. તેઓ પોતાની જાતને ધર્મગુરુ માનતા ન હતા. કારણ એ પોતે જ બધાને રોબ પહેરાવે અને માળા પહેરાવે ને પછી અચાનક કહે કે, કાલથી બધા રોબ કાઢી નાખજો ને માળા કાઢી નાખજો !!! પોતે પોતાનું નામ પાડે ને પોતે પોતાનું નામ ભૂંસી નાખે. ‘કાલથી હું આચાર્ય રજનીશ ની બદલે ઓશો કહેવાઈશ’ એમ તેઓ કહી દે ! તેમના આશ્રમ વિશે ઘણી બધી વાતો આવે અને કોઈએ ફરિયાદ કરતાં-કરતાં કીધું કે, “ઓશો, આ બધું શું ચાલે છે આશ્રમમાં? શું ચાલે છે આ બધું?” ઓશો એ જવાબ આપ્યો, “પણ એમાં મારે શું ?”, તરત જ પેલા એ કહ્યું, ‘આ બધું તમારાં આશ્રમમાં ચાલે છે..’ ઓશોએ તરત જવાબ આપ્યો, “તો પછી તમારે શું? જો મારો આશ્રમ હોય તો તમારે શું? અને જો કોઈકનો આશ્રમ હોય તો મારે શું?” ઓશો જેવો ચિંતક કે વિચારક કે જેના પ્રભાવમાંથી આજે કોઈ મુક્ત રહી શક્યું નથી.
पंखी पानी पीनेसे घटे न सरिता नीर, धरम किये धन ना खुटे, सहाय करे रघुवीर. આ નાનકડી પંક્તિમાં મોટો બોધ આપણને આપનાર શ્રી રણછોડદાસજી બાપા વારંવાર કહેતા : ”સેવા અને સ્મરણ કરવાના છે બે કામ, સેવા તો જનસેવા ને લેવું હરિનું નામ”. આ બે પંક્તિની અંદર બધાં ઝેન સૂત્રો આવી જાય કે નહીં ?.
by Bhadrayu Vachhrajani | Dec 15, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


“કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે ગણાધી સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”..જવાહરલાલ નહેરુ
વલ્લભભાઈ પરનો મહાદેવ દેસાઈનો પત્ર (01)
પંડિત મોતીલાલનો સ્વર્ગવાસ
આનંદભવન,
અલ્લાહાબાદ,
તા. ૬-૨-૧૯૩૧
પૂજ્ય વલ્લભભાઈ,
ડોસા (પંડિત મોતીલાલ નેહરુ; તા. ૬-૨-૧૯૩૧ને દિવસે લખનૌમાં અવસાન પામ્યા હતા.)
આખરે ગયા ………. છેલ્લે દિવસે બહુ શુદ્ધિ હતી. ખુબ વાતો કરી હતી એટલે ડોક્ટરને લાગ્યું કે તબિયત સુધરવા લાગી છે. એટલે લખનૌ લઈ જવાનો ઠરાવ કર્યો. બાપુની ઈચ્છા નોહતી પણ ડોક્ટરનો વિરોધ ન કર્યો. લખનૌમાં જોયું કે ઈલાજ કરી શકાય એવી સ્થિતિ જ નથી. જો કે ત્યાં પણ છેલ્લે દિવસે સાવધાન તો બહું જ હતા. કેવી ચમત્કારની વાત છે કે આખરી રાત્રે ડોસાએ રામનામ લીધું અને ડોસીને ( પંડિત મોતીલાલનાં ધર્મપત્ની સ્વરૂપરાની નેહરુ) કહ્યું કે ગાયત્રી જિંદગીભર ભૂલી ગયો હતો તે આજે યાદ આવી છે. આ કહ્યા પછી ચાર કલાકે ઊઠી ગયા. લોકમાન્ય અસહકારના આરંભને દિવસે ગયા. ડોસા સપ્રુ (સર તેજબહાદુર સપ્રુ; સુપ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી, બંધારણીય બાબતને લગતી વાતચીતો) સાથેની મહત્વની વાતચીતના આરંભને દિવસે ગયા. બાપુ કહે: “ભગવાન મારી કઠણ કસોટી કરી રહ્યા છે.” રાત્રે ગંગા કિનારે પ્રયાગમાં હજારો માણસો ની આગળ બાપુએ સુંદર ભાષણ આપ્યું, જે ટોળાં ઘોંઘાટ કરતાં હતાં તે બાપુ ઊઠવાની સાથે અપાર શાંતિ રાખીને બેઠાં.
જવાહરલાલની હિંમત અને ધીરજનાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ડોસીને બાપુ સોડમાં લઈ બેઠા હતા. એમને આશ્વાસનની ખાતર થોડા દિવસ માટે બાપુની હાજરી જરૂરની હોય. હાલ તુરત બાપુને ઈરાદે ઓછામાં ઓછા ચારેક દિવસ અહીં રોકાવાનો છે. ત્યાં સુધી જવાહરલાલ સ્વસ્થ થયા હશે. એટલે એમને પૂછશે કે કેંગ્રેસ કારેબારીની બેઠક ક્યાં રાખવી? તે પ્રમાણે રાખીશું.
સપ્રુ આજે દશ વાગે પહોંચે છે. પછી શું થાય તેની ખબર મને પડશે તે તમને જણાવીશ.
મહાદેવના પ્રણામ
[સરદાર વલ્લભભાઈ પટેલ]
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
વલ્લભભાઈ પરનો મહાદેવ દેસાઈનો પત્ર (02)
જવાહરના કાગળમાંથી
વર્ધા,
તા. ૬-૧૦-૧૯૩૫
પૂજ્ય વલ્લભભાઈ,
જવાહરલાલના સ્વિટ્ઝર્લૅન્ડથી કાગળો આવ્યા કરે છે. તેમાં ઘણુંખરું શ્રી કમલા નેહરુની બીમારી વિષે હોય છે. પણ એક કાગળ બહુ મહત્વનો આવ્યો છે. એગથા હેરિસને એમને વિલાયત જવાનું નોતરું આપેલું અને ત્યાં સંબંધો વધારવા માટે આગ્રહ કરેલો. તેને એમણે સજજડ જવાબ વાળ્યો છે. એ કાગળ એમને અને મહાસભાને શેભાવે એેવો છે. એ અહીં આવીને જોશો. પણ એમનો થોડો ભાગ આપને માટે ટાંકું છું:
“રાજ્યકર્તાઓમાંથી હું કોને શું કહી શકું? હું કોઈના પ્રતિનિધિ તરીકે આવ્યો નથી અને હાલમાં બનેલી ઘટનાઓ સાથે મારો કશો સંપર્ક રહ્યો નથી. જેને ભારતનો પ્રતિનિધિ કહેવાય અને જેણે કોઈથી પણ વધારે ભારતની સેવા કરી છે અથવા તે કરવા સમર્થ છે એવો માણસ તો એકમાત્ર ગાંધી જ છે. કેટલીય બાબતોમાં હું એમની સાથે સંમત ન થાઉં, પરંતુ તે વાત તો અમારી બંને કે અમારા સાથીઓ વચ્ચેની કહેવાય. મારા પૂરતું કહું તો તેઓ વિશિષ્ટ અર્થમાં ભારત જ છે અને સાચે જ મારા દેશના તેઓ સર્વોપરી આગેવાન છે. ભારત શું ઈચ્છે છે એ વિષે કોઈ જાણવા આતુર હોય તે તેણે ગાંધી પાસે જવું જેઈએ. પરંતુ બ્રિટનની સરકારે તેમને જાણીબૂજીને અવમાનવાના કે અવગણવાના ચાળા કર્યા છે. તેમને કે ભારતને લાગેવળગે છે ત્યાં સુધી આ વાતની અમે દરકાર કરી નથી. તે છતાં અમારા વહાલા નેતા સાથે આવો વ્યવહાર ઘણાય ભૂલશે નહીં. કારણ કે એમનું અપમાન તેઓ ભારતના અપમાન સમું લેખે છે. પરંતુ જો ગાંધીનું એવું અપમાન થતું હોય તો અમારી સાથે વાત કરવાનો પ્રશ્ન જ ઊઠી શકે નહીં. શું અમને એમનાથી ઉપરવટ થઈને આગળ ધપવું છે? કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે એમની સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”
આ બધું વાંચીને અહીંના કહેવાતા “સોસ્યાલિસ્ટો” તો સળગી ઊઠશે. પણ એમને આ કાગળથી ચોખ્ખું દેખાય છે કે, એ અને આ કહેવાતા “સેશ્યાલિસ્ટો” વચ્ચે આસમાન જમીનનું અંતર છે. એ લોકોનું ભેગું ન ચાલી શકે.
તમારો પ્રવાસ સફળ થયો હશે એવી આશા છે. નવમીએ નીકળો તે પહેલાં આ પહેોંચશે એવી આશા છે.
મહાદેવના પ્રણામ
સરદાર વલ્લભભાઈ પટેલ, મુંબઈ
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
પુસ્તકનું શીર્ષક છે :: ‘બાપુ, સરદાર અને મહાદેવભાઈ’, જે પુસ્તકના કોપી રાઇટ્સ મણિબેન વલ્લભભાઈ પટેલના છે, તે 1977 માં નવજીવન પ્રેસ, અમદાવાદ માં છપાયેલું પુસ્તક લાંબા સમયથી વંચાતું રહ્યું. આ સમય મળ્યો તે જાણે સૌભાગ્ય પ્રાપ્ત થયું. સરદાર જન્મશતાબ્દી ગ્રંથમાળાનું સંપાદન શ્રી ગ. મા. નાંદુરકરે કર્યું છે. આ ચોથો ગ્રંથ છે. આ પુસ્તકમાં પહેલા ભાગમાં મહાદેવભાઈના સરદારશ્રીને લખેલા કુલ એકસો પચાસ પત્રો છે. ભાગ બીજામાં સરદારશ્રીએ મહાદેવભાઇને લખેલા અઠ્યાવીશ પત્રો છે. ભાગ ત્રીજામાં સરદારશ્રીએ પૂજ્ય બાપુને લખેલા ચોસઠ પત્રો છે અને ચોથા ભાગમાં બાપુના દેહોત્સર્ગ પછી લખાયેલા કુલ બાર પત્રો છે. આમ આ ચોથો ગ્રંથ બસો ચોપન પત્રોને ત્રણસોને પાંસઠ પાનામાં સમાવી લે છે.
આ એક ઐતિહાસિક ગ્રંથ છે અને ઘણા સંશોધકોએ તેનું ઊંડાણથી અભ્યાસ કાર્ય કર્યાનું મારી જાણમાં છે. આ પેઢીની બહુ મોટી દેણ એ છે કે તેઓનું દસ્તાવેજીકરણ અદભુત છે. તેઓ સૌએ અતિ નિખાલસતાથી પોતાના મનની વાતોને સુસ્પષ્ટ રીતે અન્યોન્યને પત્રોમાં વ્યક્ત કરી છે. આજના રાજકીય માહોલમાં આ ગ્રંથ બહુ જ ઉપયોગી નીવડે તેમ છે, જો આપણે ઇતિહાસને મારી મચોડીને વ્યક્ત ન કરવો હોય તો.. ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચેના સંબંધોને આ ગ્રંથમાંથી ચોખી રીતે તારવી શકાય છે.
અહીં તો કેવળ 1931 અને 1935 માં લખાયેલા બે પત્રો જ ઉદાહરણરૂપે જેમ છે તેમ ઉતારેલ છે. એકમાં નહેરુના પિતાના અવસાન સમયે બાપુની ભૂમિકા ઉડીને આંખે વળગે છે, તો બીજા પત્રમાં જવાહરલાલે વિલાયતના નોતરાંને કેવો જવાબ આપ્યો તે રસપ્રદ બની રહે છે. જવાહરલાલ નહેરુ પોતે ગાંધીજીને ભારત માટે શું ગણે છે તેનું નિખાલસતા ભરેલું સ્વરૂપ અહીં સ્પષ્ટ થાય છે. નેહરુના કેટલાક વાક્યો ફરી તારવીએ તો..
“જેને ભારતનો પ્રતિનિધિ કહેવાય અને જેણે કોઈથી પણ વધારે ભારતની સેવા કરી છે અથવા તે કરવા સમર્થ છે એવો માણસ તો એકમાત્ર ગાંધી જ છે. કેટલીય બાબતોમાં હું એમની સાથે સંમત ન થાઉં, પરંતુ તે વાત તો અમારી બંને કે અમારા સાથીઓ વચ્ચેની કહેવાય. મારા પૂરતું કહું તો તેઓ વિશિષ્ટ અર્થમાં ભારત જ છે અને સાચે જ મારા દેશના તેઓ સર્વોપરી આગેવાન છે. ભારત શું ઈચ્છે છે એ વિષે કોઈ જાણવા આતુર હોય તે તેણે ગાંધી પાસે જવું જેઈએ.”
અને
“અમારા વહાલા નેતા સાથે આવો વ્યવહાર ઘણાય ભૂલશે નહીં. કારણ કે એમનું અપમાન તેઓ ભારતના અપમાન સમું લેખે છે. પરંતુ જો ગાંધીનું એવું અપમાન થતું હોય તો અમારી સાથે વાત કરવાનો પ્રશ્ન જ ઊઠી શકે નહીં. શું અમને એમનાથી ઉપરવટ થઈને આગળ ધપવું છે? કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે એમની સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”
આ બે પત્રો અને તેમાંથી તારવેલા બે અવતરણો આપીને હું અટકી જવાનું પસંદ કરીશ, કારણ કે હાલ જે વિદ્યમાન નથી તેના વિષે જે ગ્રંથસ્થ વાતો છે તેને એમ જ મૂકીને ખસી જવું તેમાં સારપ છે. સમજદારકો ઈશારા કાફી હૈ !!
by Bhadrayu Vachhrajani | Dec 9, 2024 | Gramsetu |

શિક્ષણની અનેકાનેક પ્રવૃત્તિઓને પડદા પાછળથી સઘળો ટેકો કરનાર સહૃદયી સ્વજન
‘૧૯૬૦માં હું જ્યારે અમેરિકાથી અહીં આવ્યો ત્યારે ધર્મ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા વિશે ઝાઝી ખબર ન હતી, પરંતુ Co એકવાર રામકૃષ્ણ પરમહંસનાં પુસ્તકો વાંચ્યા પછી ધર્મ અને આધ્યત્મિકતા પ્રત્યેની મારી રુચિ વધતી ગઈ. સમય જતાં મારી પ્રમા વિચારધારા સંપૂર્ણ બદલાઈ ગઈ. મારી જાતને સુધારવા માટે ધ્યાન અને યોગ શરૂ કર્યાં, પરિણામે મારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પછી રમણ મહર્ષિનાં પુસ્તકો વાંચ્યા ને તેમનાં વિચારોથી મારો જીવનપ્રવાહ જ બદલાયો. મારા જીવન ઘડતરમાં તેમના વિચારોથી આમૂલ પરિવર્તન આવ્યું. ભગવાનને હું મારા મિત્ર માનું ૐ નમઃ છું. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અપાર છે, પણ હું પૂજાપાઠ કરતો નથી. કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી. વહેલી સવારે દોઢ કલાક યોગ, ધ્યાનમાં વિતાવું છું. ભગવાન મારા મિત્ર છે તેથી રોજ મંદિરમાં જવાનો નિયમ મેં બનાવ્યો નથી…’ બહુ ઓછું બોલતા અને સતત પડદા પાછળ રહી પ્રવૃત્તિમય રહેતા એક ચોરાણુ વર્ષના જુવાનના આ શબ્દો છે. એમનું નામ ડૉ. રાસબિહારી એન. વકીલ છે. મૂળ વતની એન. સી. વકીલ અને હીરાગૌરી વકીલના ત્રીજા સુરતના સંતાન. પિતાજી બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના રાજ્યના જજ હતા. બદલી થતી રહે તેથી રાસબિહારીજી ધારવાડ, અમદાવાદ, કર્ણાટક, રોહા વગેરે સ્થળે ભણ્યા. પિતા ન્યાયાધીશ એટલે બહુ કોઈને મળે-હળે નહીં. માતા અને ભાંડરુઓના પ્રેમમાં ઉછેર. ડૉ. રાસબિહારી એન. વકીલને સૌ ભાવથી ‘રાસુ’ કહીને બોલાવે. રાસુ વકીલનું જીવન અને જીવકાર્ય વિરલ, પણ પોતે એટલા સીધા- સાદા-સહજ કે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ S રાસુ વકીલ કેવડી હસ્તી છે?! બિરલા વિશ્વકર્મા વિદ્યાલયના બીજા જ બૅચમાં સિવિલ ઇજનેરીનું ભણવા દાખલ થયા. કૉલેજની શરૂઆત, સગવડતા ઓછી. રાસુભાઈમાં નેતૃત્વના ગુણો એટલે કૉલેજના જનરલ સૅક્રેટરી બન્યા. કૉલેજ પૂરી કરી ત્યાં પિતાજીએ કહ્યું : ‘મારી પાસે મર્યાદિત બચત છે. કાં તો આ બચતમાંથી નાનો વ્યવસાય શરૂ કર અને કાં એ બચત આગળનું ભણવામાં વાપર. રાસુ તો બૉટમાં બેસી યુ.એસ. ઊપડ્યા. ઘરનાં સૌને ત્રણ મહિને ખબર મળ્યા કે રાસુ સલામત રીતે અમેરિકા પહોંચી ગયો છે! યુનિવર્સિટી ઑફ વિસ્કૉનસીન, યુ.એસ.એ.માંથી માસ્ટર ઑફ સાયન્સ અને પીએચ.ડી. કર્યું. કન્સલ્ટિંગ ઍન્જિનિયરિંગની ન્યૂયોર્ક સ્થિત ફર્મ અમ્મન ઍન્ડ વિટની તથા બર્ન, સ્વિટર્ઝલેન્ડની મૅસર્સ લૉસિન્જર ઍન્ડ કંપનીમાં કામ કર્યું. અમેરિકાનો નિવાસ બાર વર્ષ લંબાયો. ત્યાંથી પરત ભારત આવ્યા ને રાસુભાઈનાં જીવને આધ્યાત્મિક વળાંક લીધો. સ્ટ્રક્ચરલ ઍન્જિનિયરિંગ, ટીચિંગ અને પ્રેક્ટિસ એવા ત્રિવિધ મોરચે કાર્યરત થયા. અમદાવાદમાં સ્થાયી થયા અને કસ્તૂરભાઈ લાલભાઈથી પ્રભાવિત થયા, જેના ફળસ્વરૂપે CEPTની સ્થાપના થઈ. અમદાવાદ સ્થિત ગુજરાતની રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ‘સૅન્ટર ફૉર ઍન્વાયરમેન્ટ પ્લાનિંગ ઍન્ડ ટૅક્નોલોજી’ના ડીન- ડાયરૅક્ટર તરીકે ૨૦૧૨ સુધી રાસુભાઈ વકીલ અવિરત રહ્યા. કહોને રાસુભાઈએ CEPTને પોતાની જિંદગી સમર્પિત કરી. આજે CEPT એ યુનિવર્સિટી છે, જે ફૂલ ટાઈમ અન્ડર ગ્રેજ્યુએટ આર્કિટેક્ચર, અને પૉસ્ટ ગ્રેજ્યુએટ ઍકેડેમિક પ્રૉગ્રામ કન્સ્ટ્રક્શન, પ્લાનિંગ, ઇન્ટીરીઅર ડિઝાઇન, લૅન્ડસ્કેપ ડિઝાઇન જેવી શાખાઓમાં ઑફર કરે છે. ૧૯૬૨ થી ૨૦૧૨ સુધી ડૉ. રાસબિહારી એન. વકીલ માત્ર ને માત્ર CEPTમય બનીને જીવંત રહ્યા.
રાસુભાઈ હૉલીસ્ટીક ઍપ્રોચના ભિષ્મપિતામહ પુરવાર થયા. ‘પ્લમ્બિંગ સર્વિસ ડિઝાઇન’ની પરિકલ્પના રાસુભાઈની દેન છે. આઇ.ટી.આઈ.માં પ્લમ્બિંગ સર્વિસને એક વિષય તરીકે દાખલ કરી પ્લમ્બર્સને લાઇસન્સ આપવાની રાસુભાઈની હિમાયત ચોતરફ આવકારપાત્ર બની. માત્ર બાંધકામ જરૂરી નથી, તેનું પ્લમ્બિંગ, તેની વૉટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં પણ યુવાનોને તાલીમબદ્ધ કરવા જોઇએ તેવું ઝીણું કાંતનારા રાસુ વકીલ છે. તોંતેર વર્ષની ઉંમરે રાસુભાઈએ આઇ.આઇ.એમ., અમદાવાદના નવા કૅમ્પસની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરેલી! ઘણી વિખ્યાત ઊંચી ઇમારતોની ડિઝાઇન ઉપરાંત અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ઉપરાંત કલકત્તા અને રાજકોટના સ્ટેડિયમની ડિઝાઇન પણ રાસુભાઈએ તૈયાર કરી. તેઓએ એશિયા અને આફ્રિકામાં પણ ડિઝાઇનિંગનું આગવું કામ કર્યું છે! રાસુભાઈ ‘સિમ્પલ લિવિંગ ઍન્ડ હાઇ થિન્કિંગ’ના માનવ છે. ત્રીસ વર્ષો સુધી એક જ બ્રિફકૅસ વાપરનાર આ રાસુભાઈએ પ્રતિજ્ઞા લીધી છે કે કોઇનાં લગ્નપ્રસંગમાં જમીશ નહીં, કારણ? લગ્ન જેવા પ્રસંગે થતો બગાડ એમને ગમતો નથી! પોતાને વારસાગત મળતી મિલકત રાસુભાઈએ ન સ્વીકારી તેને એક ટ્રસ્ટમાં જમા કરાવી. જેમાંથી જનસેવાનાં કાર્યો મૂંગા મોઢે કર્યાં. શંખેશ્વર-સમી વિસ્તારમાં ધરતીકંપથી અસર પામેલા લોકો માટે કાર્ય કર્યું. ૨૦૦૧થી શિક્ષણ માટે અમૂલ્ય પ્રદાન કર્યું. આ અસરગ્રસ્ત વિસ્તારોની માધ્યમિક શાળાઓના ધોરણ-૧૦ના પરિણામ સુધારવા, વિજ્ઞાન શિક્ષણ માટે પ્રયોગશાળાઓ વિકસાવવી, પુસ્તકાલયો સમૃદ્ધ કરવાં, યુવક પ્રવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિકાસની શિબિરો કરવી… ૨૦૦૩ થી ૨૦૦૬ દરમ્યાન ‘પિપલ્સ કમિશન ઑન સ્કૂલ ઍજ્યુકેશન’ અંતર્ગત ડૉ. રવીન્દ્રભાઈ દવે, ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિક, ડૉ. પી.જી. પટેલને આગળ કરી રાસુભાઈએ નક્કર પ્રદાન કર્યું. ૨૦૧૨થી માતૃભાષા સંવર્ધન માટે ‘માતૃભાષા અભિયાન’ ટ્રસ્ટની રચના કરી. આટલું બધું કાર્ય કરવા છતાં રાસુભાઈ કદિ મંચ પર ન આવે, કદિ ભાષણ ન કરે, માત્ર સાથીદારોને જ આગળ કરે. કોઇને ભાગ્યે જ ખબર પડે કે આવડા મોટા પ્રકલ્પને પૂરેપૂરો પોતાના ખભ્ભ તો રાસુભાઈએ ઉપાડ્યો છે! અમદાવાદના ગરીબ વિસ્તારના બાળકોનાં શિક્ષણ માટે ખનગી રાહે સહયોગ અવિરત ચાલે.
રાસુભાઈની સહજતા કેટલી? ‘સેપ્ટ’માં સાથીદારોને પૂર્ણ સ્વાયત્તતા. ‘સેપ્ટ’નાં કૅમ્પસમાં રાત્રે અઢી-ત્રણ વાગે યુવાન- યુવતીઓ ડિઝાઇનની ગહન ચર્ચા કરતા જોવા મળે. પોતાની ઑફિસ ચોવીસ કલાક ખુલ્લી. ટૅબલ ઉપર એક પણ ફાઇલ નહીં. બાળકથી લઇને વૃદ્ધ સુધી સૌ સાથે પ્રસન્નતાથી હળતા-મળતા રાસુભાઈની ખેતી, હૉમિયોપેથી, આયુર્વેદની જાણકારી દાદ માંગી લે તેવી. ગાંધીનગર પાસેના રાંધેજામાં મિત્રો સાથે રહી બનાવેલું ‘સુંદરવન’ રાસુભાઈની ભેટ છે! વૈકલ્પિક તબીબી સારવાર આપી પણ જાણે! અમેરિકામાં વસેલા એટલે તેની સારપ જીવનવ્યવહારમાં ઊતરી. પોતાનાં કપડાં, પોતાનાં વાસણ આજે પણ પોતે જ સાફ કરે. આગળનું જ જોવા ટેવાયેલા રાસુભાઈ માનવની ઊજળી બાજુ જ નોંધે અને એટલે સહજ રીતે જીવંત રહી શકે છે. ચોરાણુ વર્ષના રાસુભાઈ વકીલ તમને આજે ચુમ્માલીસના દીસે, કારણ ભગવાનના માનવ સ્વરૂપમાં રાસુભાઈની અપાર શ્રદ્ધા છે.
by Bhadrayu Vachhrajani | Dec 9, 2024 | સ્વૈર વિહાર - મધુવન |
‘મહર્ષિ ક્યાં રહે છે?’ તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને ધ મધર ગુરુ પાસે પહોંચ્યા.
પ્રથમ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’ (Empathy). એક બહુ જ મોટી ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે, “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.” ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે, “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે, આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?”
સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ સમાનુભૂતિ એટલે શું? આવો, શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ. શ્રી રામકૃષ્ણદેવ એક નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,, ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે દેવની આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે કે, નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ દોરડા વીંઝતો હતો અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel, i also feel’. જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ, દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !! જ્યાં પોલ સાર્ત્ર નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે, ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે, તમે હિંસા શરુ કરી.
મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું કે, ‘તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે, અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે??’ મહાવીર સ્વામીએ કહ્યું કે, ‘તમે યાદ રાખો છો કે, કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે, હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું.’ આ સમાનુભૂતિ છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય :: “ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી.” સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”
ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother. કોણ છે આ મધર? એક ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં તકલીફ પડી. થાકી હારીને શ્રી મધરે એક માળીને પૂછ્યું કે, ‘મહર્ષિ ક્યાં રહે છે?’ તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે, “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!” કોઈકે કહ્યું કે, ‘એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું.’ શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે, હું તો એટલું યાદ રાખું છું કે, “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે.” શ્રી માતાજીને કોઈકે પૂછ્યું કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે, હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં… આ મારું ધ્યાન છે.”
સમાનુભૂતિ તો શ્રી રામકૃષ્ણદેવ અને મહાવીર સ્વામીની, ધ્યાનની એકાગ્રતા તો ધ મધરની…
by Bhadrayu Vachhrajani | Dec 1, 2024 | સ્વૈર વિહાર - મધુવન |

“આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છે, એટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે.”
કહેવાય છે કે રાજા ભગીરથના પ્રયાસોથી ગંગા મૈયા ધરતી ઉપર ઉતર્યા અને તેને પ્રવાહમાંથી શાંત બનાવવાનું કામ ભગવાન શ્રી શંકરની જટાએ કર્યું અને એટલા માટે એને ભાગીરથી ગંગા પણ કહેવાય છે. જે શ્રેય ભગીરથજીને મળ્યું તેવું અને કદાચ તેનાથી બમણું શ્રેય રાજકોટના વિજય ડોબરીયા નામના એક સહજ યુવાનની સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ ને ફાળે જાય છે. કદાચ અતિશયોક્તિ લાગે તો પણ હું કહેવાનું પસંદ કરીશ કે, વિજય અને સદભાવના દ્વારા બે ગંગા ને પૃથ્વી ઉપર ઉતારવાની શરૂઆત થઇ ગઈ છે, પહેલી છે વૃક્ષ ગંગા અને બીજી છે વૃદ્ધ ગંગા..! કદાચ રાજકોટનો આ યુવાન ભારત વર્ષ માટે બે મૂંઝવતી ભગીરથ સમસ્યાઓના સમાધાન માટે ખરેખર બે ગંગા ને ભારતની ધરતી ઉપર ઉતારવા માટે ભગીરથ બન્યો છે એમ કહેવામાં કોઇ જ નાનપ અનુભવવાની જરૂર નથી.
એક સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અને રાજકોટ તેની રાજધાની.. આજે ભૂગોળની દ્રષ્ટિએ રાજકોટ ગુજરાતનું એક સતત પ્રગતિ કરતું શહેર છે અને આ રાજકોટ ગુજરાતના ચાર મેટ્રો માહીનું એક મેટ્રો નગર છે. મેટ્રો નગર નો અર્થ માત્ર તેની ભૌગોલિક વ્યાપકતા અને વસ્તીને ધ્યાનમાં લઈને કરવો એ ખોટનો સોદો છે. રાજકોટ ખેતીમાં, ઉદ્યોગમાં, સંસ્કૃતિમાં, સાહિત્યમાં અને સંત દાતારીમાં સમગ્ર ગુજરાતમાં નોખી ભાત પાડનાર એક રંગીલુ નગર રાજકોટ છે, માટે એમ કહેવાય છે કે, તેમાં એક દિવસમાં બે દિવસ ઉગે છે કારણ કે રાજકોટવાસીઓ બપોરના એક દોઢ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફરી ઊંઘવાનું પસંદ કરે છે અને ચાર વાગ્યાથી રાજકોટ વાસીઓનો બીજો દિવસ શરૂ થાય છે. આમ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો, એક દિવસમાં રાજકોટ બમણું થાય છે, બમણું ખાય છે અને બમણું ખવડાવે અને બમણી મોજ મજા પણ કરે છે.
જયારે રાષ્ટ્રને કે રાજ્યને કોઈ પ્રકારની મદદ કરવાની હોય ત્યારે આ શાંતિ પ્રિય નગર પરમ શાંતિથી પોતાના હજારો હાથ લંબાવે છે અને વિપત્તિ કાળમાં સહાયની સરવાણી ગંગા નદીની વિશાળતા થી વહેતી કરે છે. આ રાજકોટ છેલ્લા દસેક વર્ષથી એવા પ્રકારનો એક સંકલ્પ લઈ બેઠું છે કે, 11માં વર્ષે તો રાજકોટનું કણ કણ અને જણ જણ એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જાણે કે રાત દિવસ લાગી પડ્યા છે. સમજી શકાય એવી વાત છે કે, નિરાધાર, નિઃસંતાન, અસાધ્ય બીમારીમાં પડેલા વૃદ્ધોને કોણ સાચવે એવો રામ પ્રશ્ન છે.. આ પ્રશ્નનો જવાબ રાજકોટમાં શ્રી વિજય ડોબરીયા નામના એક યુવાને આજથી દસ વર્ષ પહેલાં શોધી કાઢીને સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરી અને તેમાં 600 થી વધુ નિરાધાર નિઃસંતાન અસાધ્ય બીમારી વાળા અને જેમની પાછળ વધતી ઉંમરમાં સેવા કરનારું કોઈ નથી એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ ઊભું થયું છે. વિજયભાઈએ તેની 10 વર્ષમાં ત્રણથી ચાર જગ્યાએ મકાનો ભાડે રાખીને 600 થી વધુ વૃદ્ધોને પોતાને આંગણે આધાર આપ્યો છે. આ 600 વૃદ્ધોમાંથી લગભગ 200 પથારીવશ છે, ડાયપરવશ છે અને કોઈકના ટેકાવશ છે. આ બધું જ કામ સદભાવના વૃદ્ધાશ્રમની પરિશ્રમનો પરસેવો પાડતી ટીમ માટે હવે સહજ થઈ ગયું છે.
વૃદ્ધાશ્રમ ચલાવવું એમાં કસોટી તો છે પણ તેમ છતાં ઈશ્વરે જેનું કોઈ રાખ્યું નથી તેવા વૃદ્ધો માટે એક પણ પૈસો લીધા વગર કરુણાભરી સેવા કરવાનો વિચાર પોતે જ ભગીરથ વિચાર છે. એમાં પણ એવું નક્કી થયું કે ભારત વર્ષ માંથી આવા વૃદ્ધો આપણે આંગણે આવે તો આપણે કોઈને ના ન પાડવી પડે તેથી અંદાજે 5,000 વૃદ્ધો રહી શકે તેવું 1,400 રૂમ વાળું અને આને માટે આનુસંગિક બધી જ સેવાઓ કરી શકાય તેવી સગવડતા વાળુ ભવ્ય સદભાવના વૃદ્ધાશ્રમ નું નિર્માણ કરવું. આ સંકલ્પ લઈને વિજયભાઈ ડોબરીયા જેવો યુવાન રાજકોટની ધરતી ઉપર એટલે મક્કમતાથી ચાલી રહ્યો છે કે, આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર ગુજરાત નહીં કદાચ ભારત પણ નહીં વિશ્વજન અવશ્ય નોંધ લેશે કે તેવું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે, જે 30 એકર જમીનમાં 300 કરોડના ખર્ચે સમાજના લોકોના દાનથી ઊભું થઈ રહ્યું છે અને તેમાં પોતાના સત્ય, પ્રેમ અને કરુણાને સાથે જોડવા ત્રિભુવનીય રામકથાના ગાયક સંતવર્ય શ્રી મોરારીબાપુએ એક રામ કથા ‘માનસ સદભાવના’ રાજકોટની ધરતી ઉપર ગાવા માટે સંકલ્પ કર્યો અને તે સંકલ્પ એકદમ ઉત્સાહ પૂર્વક ભવ્ય રીતે લોકોના ઉછળતા હૃદય સાથે અને દાનની વહેતી ગંગા સાથે પૂર્ણ થયો. અંદાજે બસો કરોડ જેવું દાન સદભાવના વૃદ્ધાશ્રમને પ્રાપ્ત થઈ ગયું છે અને હજુ વધુ દાન માટેની પોતાની મનોકામના દાતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો પછી બીજું ઉત્તમ કાર્ય સદભાવના હાથમાં લઈને સતત પ્રગતિ કરી રહ્યું છે અને તે કાર્ય છે ધરતીના પટ ઉપર લીલી છમ ચાદર ઓઢાડવા માટે વૃક્ષોનું રોપણ કરવું, તેને પાણીનું સિંચન કરવું અને ત્રણ વર્ષની અંદર 20 ફૂટ જેટલા વૃક્ષો ઉગાડી આપવાનો સંકલ્પ વિજય ડોબરીયાએ કર્યો છે. આ જુવાન નો ઉત્સાહ જોતા એમ લાગે છે કે, તેમણે સમગ્ર ભારત વર્ષમાં 150 કરોડ વૃક્ષો આ રીતે મોટા કરી આપવાનો જે સંકલ્પ કર્યો છે તેને પાર ઉતરતા પણ ખાસ્સો સમય નહીં લાગે. વિજયભાઈ તો ઈચ્છે છે કે, આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છે, એટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે. આપણે વિચાર કરીએ કે કેટલો મોટો વિચાર છે, કેવો ભગીરથ વિચાર છે, આવો વિચાર આ જુવાનને આવ્યો ક્યાંથી?
એવું લાગે છે કે, જ્યાં આપણી વિચારવાની શક્તિ પૂરી થાય છે ત્યાંથી વિજય ડોબરિયાના બે સંકલ્પો શરૂ થયા છે. આપણે આપણા ઘરમાં આપણા સગા મા-બાપને પથારીવશ થાય ત્યારે તેમના ડાયપર બદલવા, તેમને સ્નાન કરાવવા કેર ટેકર રાખતા હોઈએ છીએ, આપણી પાસે સમય નથી અને કાં એટલી આપણી તૈયારી નથી. કારણ ગમે તે હોય પણ આપણી સગી મા માટે પણ માણસ રાખીએ છીએ કે જે એને બેસાડે, એને નવરાવે, જેના ડાયપર બદલી આપે, જે એને ચમચી ભરીને મોઢામાં આપે. આ બધું આપણે આપણા માવતર માટે જ નથી કરી શકતા તે સદભાવના વૃદ્ધાશ્રમ અન્ય ના માવતરો માટે કરવાની ટહેલ નાખ્યા કરે છે. ગુજરાતના બધા શહેરોમાં વીજળીના થાંભલા ઉપર સદભાવનાના નામથી બોર્ડ લટકે છે અને એમાં લખ્યું છે કે, ‘અમારે માવતર જોઈએ છે’, હું અને તમે કલ્પના ન કરી શકીએ એવો આ વિચાર છે પણ દસ વર્ષથી આ બંને સંકલ્પોને પાળી પોષીને તરુણાવસ્થા સુધી પહોંચાડનાર વિજય ડોબરિયાને પાકો ભરોસો છે કે, આપણે બંને ભાગીરથી ગંગાને ધરતી ઉપર ઉતારીશું.
સદભાવના વૃદ્ધાશ્રમનાનવા ભવન માં લગભગ 700 વૃદ્ધો માટેની વ્યવસ્થા સાથેનો 11 માળનો એક ટાવર ઉભો થઈ ચૂક્યો છે અને એ ટાવરમાં અતિ આધુનિક ગણી શકાય તેવી સુવિધાઓ છે. હવા અને ઉજાસ સતત આ વૃદ્ધોને મળતા રહે તેની કાળજી સાથેનું રાજકોટ અને ગુજરાતના વિશ્વકક્ષાએ નામ ધરાવતા સ્થપતિ શ્રી કિશોરભાઈ ત્રિવેદીએ કર્યું છે. કિશોરભાઈ આ પ્રકારના યુનિક ભવનો બનાવવા માટે નામાંકિત છે. આ સદભાવના વૃદ્ધાશ્રમના નવા ભવનનું બાંધકામ રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના એક સમર્થ કોન્ટ્રાક્ટર માલાણી કન્સ્ટ્રક્શન દ્વારા થઈ રહ્યું છે. વળી આ બધા માટે ચિંતન અને મનન કરવા માટેની એક સક્ષમ ટીમ વિજય ડોબરીયા પાસે છે અને એમનો સ્વભાવ એટલો સારો છે કે, સાચા કામ માટે તે સાચી વ્યક્તિને શોધી શકે છે અને પછી તેના ઉપર પૂર્ણપણે વિશ્વાસ મૂકે છે. રાજકોટમાં પૂર્ણ થવા જઈ રહેલી શ્રી રામ કથા એમનું સાદર ઉદાહરણ છે. જે માણસના સંકલ્પો ઉપર આવી વિશાળકાય કથા થતી હોય તે માણસને ઉદ્વેગ ન હોય, ઉત્પાત ન હોય એવું તો ભાગ્ય જ બને છ..
નવા ભવન ના એક ટાવર ની અંદર નિરાંતે પૂરો સમય આપીને સ્વૈરવિહાર કર્યા પછી અને એટલું કહેવામાં અતિ ગૌરવ છે કે, આ ભવનમાં જે વૃદ્ધો આવીને વસસે તેઓ વૃદ્ધાશ્રમમાં નહીં હોય, પણ એક ફાઈવ સ્ટાર કક્ષાની હોટેલ જેટલી સુંદર અને આધુનિક સુવિધાઓની વચ્ચે પોતાનું બાકીનું જીવન વિતાવશે. ઝીણી ઝીણી બાબતો અને નાની નાની કાળજી ચિંતા ઉપજાવે તેવા પ્રશ્નોને અગાઉથી વિચારીને તેને પૂર્ણ કરવાની માવજત અને કોઈ વૃદ્ધ આપણે આંગણે આવ્યો છે તોય આપણું માવતર છે અને એને શું શું જોઈશે એ ખૂબ લાંબુ વિચાર્યા પછી આખું આયોજન થઈ રહ્યું છે. તેમાં ભોજનાલય, બધા જ પ્રકારના મેડિકલ ટેસ્ટ થઈ શકે તેવી હોસ્પિટલ, રીક્રીએશન માટે પણ સુંદર મજાના વિચારોથી ભરપૂર બહુ પરિમાણીય સંકુલ પણ અહીં છે. હાલ બે થી ત્રણ મકાનો ભાડે અને એક મકાન દાતાશ્રી તરફથી બક્ષીશમાં મળેલું છે, એમાં જે વૃદ્ધો અગવડતા વચ્ચે રહી ગયા છે, ત્યારે ખરેખર સદભાવના વૃદ્ધાશ્રમના જામનગર રોડ વાળા રામપર ગામમાં ઉભા થઇ રહેલા ભવનમાં જાણે નવી જિંદગીઓનો વિહાર એપ્રિલ 2025થી શરૂ થશે, ત્યારે રાજકોટના કપાળમાં એક કાયમી યશ કલગીનું તિલક થશે.
by Bhadrayu Vachhrajani | Nov 24, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે.!!!
રાજકોટને આંગણે બાર વર્ષ પછી શ્રી રામકથા થઇ રહી છે ત્યારે જિજ્ઞાસાવશ ઘણા ભાવકો પ્રશ્નો પુછાતા હોય છે. પ્રિય બાપુનો અનુગ્રહ છે કે તેઓએ આપણને પોતાની કરુણા સાથે સાંકળ્યા છે એટલે પૂછનારની પણ અપેક્ષાઓ હોય તે સમજી શકાય. સદભાવના સંસ્થા જે રીતે કથા યોજે છે તે તો બરાબર છે પણ બાપુ કેટલીક કથાઓ કોઈ ઉદેશ્યને લાભાર્થે કરતા હોય છે. ઉદાહરણ તરીકે, ગત વર્ષાન્તે બાપુએ લોકભારતી સણોસરા ખાતે જે કથા કરી તે એવી કથા હતી કે જેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લેનાર કોઈ યજમાન હતા. હવે તે તો અમેરિકા નિવાસી હતા. એમ જ આદિતીર્થવાસીઓ માટે બાપુએ કરુણા સાથે કથા ખાંડા ખાતે યોજવાનો સંકલ્પ કર્યો તે કથાનું ખર્ચ પણ અમેરિકાવાસી યજમાને માંગ્યું હતું.
પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે.
જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં ગણિકા માટેની કથા, કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા, લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો પચાસ હજાર લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે, એવો અંદાજ છે.
પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે પચાસ હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં આવે છે. જેમાં યથાર્થ સાબિત થાય એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે.
બાપુ રોજ યજ્ઞ કરે છે, બાપુને હિંડોળો પ્રિય છે, બાપુને ઉતારે પણ એને મળવા બહુ મોટો ધસારો હોય છે, બાપૂ જ્યારે મળવાનું નક્કી કરે ત્યારે જે કોઈ મળવા આવે એના માટે ચા-નાસ્તાની બાપુ સલાહ કરે છે. આ બધી જ નાનામાં નાની વાતોને કથાના આયોજકો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે.
બાપુ પોતે ઘણીવાર કહે છે કે, ‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’ કેટલું બધું કરવું પડતું હોય છે એવું બાપુ વારંવાર કહે છે. એ કહે ત્યારે આપણને વિચાર ન આવે કે, આ બાપુ શું કહે છે, એટલે અંદાજ પ્રાપ્ત થાય તે માટે થઈને આ બધું વર્ણન કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો ત્યાં આવે છે કે, બાપુએ જે પરિવારને લોક્ભારતીની કથાના અને ખાંડા ની કથાના યજમાન તરીકેની જવાબદારી જેમના શિરે મૂકી તેમણે જે તે કથા પૂર્ણ થાય તે પહેલા બીજી કથા બાપુ ક્યારે આપો છો, એવું પૂછીને વિનંતી કરી !! એક ત્રીજા પુરુષ એક વચન તરીકે હું આ વિગત જાણું છું ત્યારે મને ચોક્કસ લાગે છે કે, બાપુને જેવા યજમાન કે મનોરથી મળે છે તેવા અન્ય કથાકારોને ભાગ્યે જ મળતા હશે.
કથાના આયોજનની આટલી વિગ તો કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે, આયોજન કરનાર કે મનોરથ વ્યક્ત કરનાર એ સૌને એક વાતનો ભરોસો હોય છે કે, બાપુની કોઈપણ વાતને આપણે જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.
by Bhadrayu Vachhrajani | Nov 17, 2024 | અખંડ આનંદ |

ઝેન એક એવો પંથ છે કે જે ઈશ્વર સાથે સીધો સંપર્ક રાખે છે. ઝેન ગુરુઓની અનેક કથાઓ છે અને ઝેન પરંપરા અનેક દ્રષ્ટિએ અદ્વિતીય છે.સરળતાથી સમજવું હોય તો એમ કહી શકાય કે કોઈ પામી ગયેલ બુદ્ધપુરુષોની એક વિશિષ્ટ જીવન યાત્રા એ ઝેન છે. જાપાનના ક્યોટો નગરને સૂફીઓના ઉદ્ભવસ્થાન તરીકે સ્વીકારવામાં આવે છે. ભારતની ઝેન પ્રતિભા ગણવી હોય તો કોને ગણવી એવો વિચાર અભ્યાસપૂર્ણ રીતે ખોજીએ તો…??
ઘણા બધા વ્યક્તિત્વ યાદ આવ્યા અને એમાંથી કેટલાકને પસંદ કરીને અહીં રજૂ કરું. કોઈ ક્રમ નથી જાળવ્યો. સહજતાથી સ્મરણ માત્રેણ જેમ આવ્યું તેમ રાખ્યું છે.
પ્રથમ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’, (Empathy). એક બહુ જ મોટી ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે, “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.” ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે, “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?” સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ સમાનુભૂતિ એટલે શું? આવો શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ. શ્રી રામકૃષ્ણદેવ એક નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,, ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે દેવની આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે કે નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ દોરડા વીંઝતો હતો અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel, i also feel’ જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ, દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !! જ્યાં પોલ સાર્ત્ર નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે, ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે, તમે હિંસા શરુ કરી.
મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું કે, તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે, અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે?? મહાવીર સ્વામીએ કહ્યું કે, તમે યાદ રાખો છો કે કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે, હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું. આ સમાનુભૂતિ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય :: “ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી.” સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”
આમ જુઓ તો, ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother. કોણ છે આ મધર? એક ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં તકલીફ પડી. થાકી હારીને શ્રી મધરે એક માળીને પૂછ્યું કે, ‘મહર્ષિ ક્યાં રહે છે?’ તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે, “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!” કોઈકે કહ્યું કે, એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું. શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે, હું તો એટલું યાદ રાખું છું કે, “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે.” શ્રી માતાજીને કોઈકે પૂછ્યું કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે, હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં… આ મારું ધ્યાન છે.”
by Bhadrayu Vachhrajani | Nov 10, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


‘આપણા’ કવિવર શ્રી રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે…..
કોરોના કરતા પણ કોઈ રોગ વધુ દર્દનાક અને જીવલેણ હોય તો તે છે કેન્સર !! વર્ષ 2022માં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ચૌદ લાખ, એકસઠ હઝાર ચારસોને સત્યાવીશ હતી , જેમાં સાત લાખ ઓગણપચાસ હઝાર બસો એકાવન કેવળ સ્ત્રીઓ હતી !! અરે, 2025માં આ સંખ્યા વધીને પંદર લાખ સિતેર હઝાર થવાની સંભાવના છે. !!
આપણે કેન્સરના દર્દીને મીઠાં વચનો કહીએ, ‘કેન્સર એ કેન્સલ નથી’, તેવી હકારાત્મક વાતો કરીએ પણ વાસ્તવમાં કેન્સરના દર્દીઓ દસ ઘરમાંથી ચાર થી પાંચ ઘરમાં છે, તે હકીકત સ્વીકારવી પડે તેમ છે. તબીબી વિજ્ઞાન અનેક મથામણો કરી રહેલ છે, પરંતુ દિવસનો સુરજ આથમે ત્યારે પ્રત્યેક દર્દીને પોતાનો સુરજ આથમતો દેખાય છે, એ મનોવ્યથાને કેમ અવગણી શકાય ?? ‘મને કેન્સર છે’, એવું જાણવાથી જ મને આજે નહિ તો કાલે દુઃખદ ટ્રીટમેન્ટનો રાજમાર્ગ દેખાવા લાગે છે અને સતત એક ભયની તલવાર લટકતી હોય છે કે, પ્રયાસ કરીએ પણ અંત તો આ કેન્સર લાવશે.!!
બહુ બધી શોધો થઇ રહી છે, કીમો થેરાપી હવે થોડીક સહ્ય બની છે, પણ સર્જરી-કીમો થેરાપી-એડવાન્સ્ડ થેરાપી-રેડિએશન- એમ એક પછી એક સારવારનો હુમલો તમારા પર તબીબી જગત કરે છે અને તમે તેના મૂક પ્રેક્ષક બની રહો છો..!! મધ્યમ વર્ગના માણસની જિંદગીભરની કમાણી ધોવાય જાય એટલી મોંઘીદાટ સારવાર ભલભલાના હાંજા ગગડાવી નાખે છે. અરે, સમજદાર વ્યક્તિ તો આ દવાખાનાના વાતાવરણને જોઈને જ હારી જાય છે. અને એમાંય કોઈ ભણેલ ગણેલ સંગીત કે સાહિત્ય કે સંસ્કૃતિનો ચાહક કેન્સરના ખાટલે પડે પછી તો તેની દશા અસહ્ય બની જાય છે, અન્ય માટે જ નહિ પણ ખુદને માટે પણ…બસ, આ દશાને તાદ્રશ્ય કરતું નાટક તે ‘કોશેટો’.
રાજકોટમાં ચાલીશ ટકા ખાલી બેઠકો વચ્ચે ભજવાયું નાટક ‘કોશેટો’. પ્રિતેશ સોઢા દિગ્દર્શિત અને લેખક મંથન જોશીનું અદ્ભુત ગુજરાતી નાટક `કોશેટો` હેમુ ગઢવી થિયેટરમાં ભજવાયું. આવા સંવેદના થી સભર વિષય પર કોઈ નાટક બનાવવાનું વિચારે તે જ હું વિચારી નથી શકતો. કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું આ નાટક જીવનની છેલ્લી ઘડીને મહેંકાવવાની મથામણ કરે છે. ખાસ તો રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે તેવા આ નાટકને અભિનેતા દર્શન જરીવાલા અને સેજલ પોન્દા તેમ જ અન્ય કલાકારોનાં આગવા અભિનય સાથે ઉપસ્થિત પ્રેક્ષકોએ માણ્યું અને મનભરીને ઝીલ્યું.
કોઇ એક વ્યક્તિને કેન્સર ડીટેકટ થાય ત્યારથી લઈને એ વ્યક્તિ પોતાને કેન્સર છે એ સિવાયનું બધુ જ ભૂલી જાય પણ એને યાદ રહે, ફક્ત રમેશ પારેખની કવિતાઓ.! નાટકની શરૂઆતથી અંત સુધી જેમણે રમેશ પારેખ તરીકે મંચ પર જોવા અને સાંભળવા ગમે એવું કાસ્ટીંગ એટલે અત્યંત અનુભવી છતાં ખૂબ સરળ અભિનેતા એવા દર્શન જરીવાલા. પ્રોફેસર પરિમીતી શાસ્ત્રીનું મુખ્ય પાત્ર ભજવતા અભિનેત્રી સેજલ પોંદા પોતાના અભિનયથી પોતાની અને પ્રેક્ષકની આંખોમાં આંસુ અને હ્રદયમાં ભીનાશ મૂકી જાય છે.
રમેશ પારેખ કેવી હસ્તી હશે કે જેની કવિતાઓ કોઈ દર્દીને સધિયારો આપવામાં ઉપયોગ થઇ શકે તે આ નાટકમાં ફળીભૂત થયું. પ્રિય મોરારીબાપુ તો ર.પા.ને ‘કશુંક ભાળી ગયેલો કવિ’ કહેતા. બાપુનું આ કથન શબ્દે શબ્દે અને દ્રષ્યે દ્રષ્યે અનુભવાયું ‘કોશેટો’ નાટકમાં !! ઓપરેશન થિયેટર ના લીલા પડદા પર ર. પા. ના શબ્દો વંચાય અને પડદો ખુલે….
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે, વરસાદ ભીંજવે,
લીલ્લો ધમ્મર નાગ જીવ ને અનરાધાર કરડે રે, વરસાદ ભીંજવે !!
ગુજરાતી હો અને ગુજરાતી સાહિત્ય સાથે ટીપાં જેટલો નાતો હોય તો આપણને રમેશની કવિતા અચૂક ભીંજવે. રમેશ પારેખની કવિતાના શબ્દો દર્શન જરીવાલા કે જેને છેલ્લે તો કેન્સરની દર્દી પ્રા. ડો. પરિમિતા શાસ્ત્રીમાં પોતાની કાવ્યરાણી ‘સોનલ’ દેખાય, ત્યારે હલી જવાય !! કવિતાના શબ્દો અને જીવાતું પાત્ર એકમેકમાં ભળી જાય ત્યારે સર્જાય એક એવું આકાશ કે, જેમાં કેન્સરના વિષાણુઓનું નૃત્ય દેખાય !!
કવિતાપ્રેમી અધ્યાપક પરિમિતા શાસ્ત્રી કેન્સરની પેશન્ટ બને ત્યારે રમેશ પારેખની કવિતાઓ તેને સતત લડી લેવાના મૂડમાં રાખે છે,,પણ જીવનને અંતિમ વાસ્તવિકતાથી સહેજ પણ દૂર ખસેડી શકાતું નથી. અને એ જ સત્ય છે. “મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે..” આ સર્જનની ફિલસુફી તો કવિ અને કવિની સોનલ જ સમજી શકે. અનેક ટ્રિટ્મેન્ટ અને અનેક ટ્રીટમેન્ટના નામે અખતરાઓથી કંટાળી જનાર દર્દીને જાણે કંટાળી જવા તબીબી જગત પ્રેરતું હોય તે વાસ્તવિકતાને રંગમંચ પર બહુ જ સૂક્ષ્મતાથી પ્રસ્તુત કરવામાં આવેલ છે. ડોક્ટરને મન તો પરિમિતા એના રિસર્ચનું એક પાત્ર છે અને કવિને મન જીવનનું એક જીવંત સર્જન. બંને વચ્ચેની વણકથી લડાઈ દર્દીને હંફાવી મૂકે છે ત્યારે રમેશ પારેખ પોતાની કવિતા એક અદભુત કંઠથી બોલે છે…
“આ થાશે, તે થાશે, શું થાશે ?
થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.
આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે…
…થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે…”
કવિશ્રી રમેશ પારેખની લગભગ દસ કવિતાઓનો સહારો લઇ જન્મ-જીવન-વેદના અને વિદાયની કેડી સર્જતું નાટક ‘કોશેટો’ દર્શકોને આંગળી પકડીને વાસ્તવિકતાની કેડી પર દોરી જાય છે. તખ્તાનાં માહિર બે પાત્રો દર્શન જરીવાલા અને સેંજલ પોનદા કોશેટોને તોડી બતાવવામાં સફળ રહે છે અને નાટકને મૌનના સાનિધ્યમાં મૂકી આપે છે. કોશેટો બહુ પોતીકું લાગ્યું કારણ કે, સભાખંડની આગલી હરોળમાં જ કવિ રમેશ પારેખના ધર્મપત્ની રસીલા પારેખ અને દીકરો નીરજ પારેખ ઉપસ્થિત હતાં. બોલો, આ ભાવાવરણમાં રમેશના ભણકારા જ વાગે ને !?!
by Bhadrayu Vachhrajani | Nov 5, 2024 | જનકલ્યાણ |

બિલિયર્ડ જુનિયર્સના ચેમ્પિયન અને નેવુંના દશકના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ગીત સેઠી . આપણને સ્પોર્ટ્સ ક્ષેત્રના એક વર્લ્ડ ચેમ્પિયન બની રહેનાર શ્રી ગીત સેઠીના જીવનની કેટલીક કસ્મકસ વાળી ઘટનાઓ જાણવાનું રોમાંચક બની રહેશે.
શ્રી ગીત ઉછર્યા રેલવે કવાટર્સના પરિસરમાં જ્યાં સ્પોર્ટ્સની સુંદર સગવડો હોય. તેઓએ ઇન્ડોર ગેમ્સ ના બંધ ઓરડાઓમાં દૂરથી ઘણું દૂરનું જોયા કર્યું અને વિચાર્યા કર્યું, તેમાં તેઓને બિલયાર્ડનો ખંડ અને તેની નાની કાચની બારી ખુબ આકર્ષી ગઈ. એ સમયે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને એ ખંડમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. ગીતજી દૂરથી એ રમતને કાચની આરપાર નિહાળતા હતા અને પોતાની આરપાર ઉતારતા હતા. તેઓને ઈચ્છા તો બહુ થતી કે બિલીયર્ડની દાંડી પકડીને રંગરંગના દડાઓને હળવો ધક્કો લગાવું,, પણ એ શક્ય ન હતું.
ભાગ્યએ અચાનક કરવટ બદલી અને સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યોને અને બધી ક્લબ્સને કહ્યું કે, તરુણોને પણ બિલિયર્ડ શીખવો કે જેથી કરીને તેઓ યુવાન થાય ત્યારે વિશ્વ સાથે રમી શકે અને આપણો દેશ તેમાં નામ રોશન કરી શકે. ગીત સેઠી નામધારી છોકરાને તો દોડવું હતું અને ઢાળ મળ્યો… હવે તે વિધિવત બિલિયર્ડ ખંડમાં પ્રવેશ્યો અને રમવા લાગ્યો. દૂરથી નિહાળેલી રમત તેનું કૌશલ્ય બની ગયું અને તે ઉમરે તો એ જુનિયર્સનો બે વખત નેશનલ ચેમ્પિયન બની ગયો.!! પિતાશ્રીએ ભણવા માટે આગ્રહ તો કરેલો જ અને એસએસસી વખતે તો ત્રણ મહિના બિલીયર્ડને વીંટો વાળી એક બાજુ મુકાવીને પરીક્ષાની તૈયારીએ વાળી દીધેલ. ધોરણ અગિયાર અને બારમા પિતાશ્રીએ સાયન્સ લેવાનો જ આગ્રહ કર્યો તો ગીતે તેમ કર્યું અને સાથે સાથે રમત પણ આગળ વધારી. પણ આ બે વર્ષમાં ગીતની એકાગ્રતા રમતમાં વધારે જ છે તેવું પામી જનાર પિતાશ્રીએ એકદમ સહજતાથી કહ્યું કે, ‘હવે આર્ટ્સ રાખીને ડિગ્રી મેળવી લેવી પણ રમતમાં આગળ વધવું.’ પિતાશ્રીના આ હૃદય પરિવર્તનને ગીત સેઠી બહુ જ આદરપૂર્વક પ્રણમે છે. 1973-74 થી શરુ થયેલ આ રમતે મક્કમ ગતિથી ગીતને સફળતા અપાવી પણ 1989-90 માં તેમને સેડબેક લાગ્યો અને ગીત રમતમાંથી બહાર ફેંકાય જાય એટલી હદે પાછળ પડી ગયા..!!
અહીં નોંધવા જેવી ઘટના બને છે અને શ્રી ગીત સેઠી પોતાના કોચ કે ગુરુને શોધીને પોતાની પાયાની ભૂલ તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. શ્રી ગીત સેઠી કહે છે કે, મને પહેલીવાર ખબર પડી કે, મારી રમવાની ટેક્નિક સાવ ખોટી જ હતી, પણ મારા આત્મવિશ્વાસથી રમતો ને જીતતો હતો અને તેનો અહમ મને ટેક્નિકને સાચા માર્ગે
વાળવા દેતો ન હતો. કોચે ધ્યાન દોર્યું ને સાચી ટેક્નિક શીખવી પછી શ્રી ગીત સેઠીએ પોતાની જાતને ત્રણ વર્ષો માટે સ્પોર્ટ્સ ક્લબના ખંડમાં બંધ કરી દીધી અને સતત મહેનત કરી સાચી ટેક્નિક પ્રાપ્ત કર્યા પછી જ બહાર નીકળી કોઈ ટુર્નામેન્ટ રમે છે. અને આ ઉગ્ર સાધનાનું ફળ પણ ઉત્તમ મળે છે. ત્રણ વર્ષ પછી ફરી તેઓ ટુર્નામેન્ટ
રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ ચેમ્પિયન બની રહેલ માઈકલ ફરેરાને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાવે છે અને રેકોર્ડ બ્રેક સ્કોર કરે છે, જે આજે છેલ્લા પચાસ વર્ષનો ઉચ્ચતમ સ્કોર રહેલ છે.
પરંતુ જયારે અચાનક રમતમાં શિકસ્ત ઉપર શિકસ્ત મળવા લાગે છે ત્યારે ગીત સેઠી હચમચી ઉઠે છે .. જો કે, આ વખતે પણ નાસીપાસ થવાને બદલે કે ડિપ્રેશનમાં આવી જવાને બદલે ગીત તેનો પડકાર રૂપ સામનો કરે છે, અને ગીત ફરી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. શ્રી ગીત સેઠીના જીવનની આ ઘટનાઓ આપણને શીખવે છે કે, જે હારે તે શીખે છે તો ફરી જીતે છે.