“મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે !!”

“મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે !!”

સમાનુભૂતિ તો શ્રી રામકૃષ્ણદેવ અને  મહાવીર સ્વામીની, ધ્યાનની એકાગ્રતા તો ધ મધરની

ભારત વર્ષ માટે સંવત 2081 નો આરંભ થઇ રહ્યો છે ત્યારે પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે, સમગ્ર વિશ્વ શાંતિ માર્ગે વળે અને સર્વે જીવોનું કલ્યાણ થાય.

નવલ વર્ષનો પ્રથમ લેખ આપણને  ભારત વર્ષના બુદ્ધ પુરુષો તરફ ખેંચી જાય છે. પ્રથમ પ્રભાત તો બુદ્ધ પુરુષના સાનિધ્યમાં જ વિતાવીએ ને !!

પ્રથમ તો  શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’ (Empathy).  એક બહુ જ મોટી  ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી  માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે,  “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.”  ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે,  “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે,  આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?”

સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ  પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ  સમાનુભૂતિ એટલે શું? આવો, શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ.  શ્રી રામકૃષ્ણદેવ એક  નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા  અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા  ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,,  ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું  કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે  દેવની  આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે  કે, નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ  દોરડા વીંઝતો હતો  અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel,  i also feel’.  જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ,  દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !!  જ્યાં પોલ સાર્ત્ર  નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે,  ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે,  તમે હિંસા શરુ કરી. 

મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું  કે,  ‘તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે,  અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે??’  મહાવીર સ્વામીએ કહ્યું કે,  ‘તમે યાદ રાખો છો કે, કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે,  હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું.’ આ સમાનુભૂતિ છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય  સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં  બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય ::વિધવાના આંસુ  લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી. સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા  વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”

ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother.  કોણ છે આ મધર? એક  ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી  મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં  તકલીફ પડી. થાકી હારીને શ્રી  મધરે એક માળીને પૂછ્યું કે,  ‘મહર્ષિ ક્યાં રહે છે?’  તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે  પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે,  “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને  એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!”  કોઈકે કહ્યું કે, એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું.શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું  કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે,  હું તો એટલું  યાદ રાખું છું કે,  “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે. શ્રી માતાજીને  કોઈકે પૂછ્યું  કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી  મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના  ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે,  હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં…  આ મારું  ધ્યાન છે.”

આજથી સમાનુભૂતિ અને ધ્યાન સહજતાથી પામીએ તેવી શુભકામના.

ગાંધીનગરના  ‘વિશિષ્ટ આદિ-વાસી’ અરુણભાઈ બુચ !!

ગાંધીનગરના ‘વિશિષ્ટ આદિ-વાસી’ અરુણભાઈ બુચ !!

મૂળ રાજકોટના પણ  ગાંધીનગરનો પહેલો પથ્થર મુકાયો તેના સાક્ષી સેવાકર્મી અરુણભાઈ બુચની વિદાય..

એક નાનકડી ઘટના છે.

એક નાની ટેકરી પર એક શ્રીમંત માણસ રહેતો હતો. એનો બંગલો અતિ સુંદર હતો. બગીચો પણ ખૂબ સરસ હતો. પણ એક વાતની કઠણાઈ હતી. ટેકરી પર પાણીનો કોઈ સ્ત્રોત જ નહોતો. પાણી છેક તળેટીમાં આવેલ કૂવામાંથી લાવવું પડતું. એ કામ એનો નોકર કરતો. ખભે કાવડ નાંખી એ બંને તરફ એક એક ઘડો  રાખતો. તળેટીમાંથી પાણી ભરીને કાવડ દ્વારા એ ઉપર પહોંચાડતો. રોજ કંઈકેટલાયે ફેરા ફરે ત્યારે એનું કામ પૂરું થતું. રોજ વહેલી સવારથી એ કામ શરૂ કરતો ત્યારે છેક બપોર સુધીમાં એ પાણી ભરી લેતો. એનો એક તરફનો ઘડો ફૂટેલો હતો. તળેટીમાંથી પાણી ભરીને એ ઉપર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ ઘડામાં ભરેલું પાણી અર્ધું થઈ જતું. એના કારણે એને થોડાક ફેરા વધારે કરવા પડતા.

બીજા એક નોકરે આ જોઈને એને એક દિવસ કહ્યું કે, ‘ભાઈ! તું આટલા બધા વધારાના ફેરા કરીને હેરાન થાય છે, એના કરતાં ફૂટેલો ઘડો જ બદલી નાંખને ! આવું ફૂટેલું ઠોબરું શું કામનું ? એના લીધે જ તારે વધારે મહેનત કરવી પડે છે. તું આ સમજવા છતાં શું કામ એને ફેંકી નથી દેતો એ જ મને તો સમજાતું નથી.’

કાવડવાળો નોકર કંઈ ન બોલ્યો. એણે પેલા નોકરને આ વખતના ફેરા વખતે પોતાની જોડે આવવાનું કહ્યું. બંને ઢાળ ઊતરતા હતા ત્યારે પેલા બીજા નોકરે જોયું તો રસ્તાની એક તરફ ખૂબ જ સુંદર ફૂલો ઊગી નીકળ્યાં હતાં. એના કારણે દૂરથી પણ રસ્તો ખૂબ જ રળિયામણો લાગતો હતો. કાવડવાળા નોકરે કહ્યું: ‘ભાઈ! મને ખબર જ હતી કે ઘડો ફૂટેલો છે. પણ એમાંથી ઢોળાતા પાણીનો ઉપયોગ કરવા માટે રસ્તાની એક તરફ મેં તળેટીથી છેક ઉપર સુધી ફૂલછોડ વાવી દીધા હતા. ફૂટેલો ઘડો એની મેળે જ પાણી પિવડાવવાનું કામ કરી દેતો હતો. ટેકરી પરના રસ્તા પર ખાસ પાણી પિવડાવવા માટે આવવાની આળસ આવે. એના કરતાં ફૂટેલા ઘડાની ખામીનો ઉપયોગ થઈ શકે તેવો ઉપાય કર્યો. તું જ જો ! કેવાં સરસ ફૂલો ઊગી નીકળ્યાં છે ને? આ ફૂલોથી હું આપણા માલિકનું ટેબલ રોજ સવારમાં શણગારૂ છું. એમને ફૂલો ખૂબ જ ગમે છે. માલિક ખુશ રહે એનાથી વધારે આપણે શું જોઈએ ?

… આટલું કહી એણે પોતાના ફૂટેલા ઘડા તરફ મીઠી નજર નાખી. એ ઘડો ત્યારે પણ ફૂલોને પાણી પાઈ રહ્યો હતો. બીજો નોકર આશ્ચર્ય સાથે આ જોઈ રહ્યો.

અરુણભાઈ બુચ ટેકરી પર સવાર-સાંજ ખભે કાવડ લઈને ચડ ઊત્તર કરનાર આશાવાદી નોકર છે. જેના માલિક શ્રી ભુવનેશ્વરી છે. એમણે જિંદગી કાઢી આ પાણી સીંચવામાં, ભાર ઉલેચવામાં, સેવા અને કરુણાની ખેતી કરવામાં. એમના ખભે એક ઘડો ફૂટેલો હતો અને એની એમને ખબર હતી. અરુણભાઈએ સેવાના એ ઘડાના નાનાં છિદ્રમાંથી કરુણાને ટપકવા દીધી અવિરત, સતત. પરિણામે અરુણભાઈની જીવનયાત્રાના માર્ગ પર સુગંધીદાર અને રૂપકડાં ફૂલો સહજતાથી ઊગી નીકળ્યાં…. એમને તો  ‘માલિક’ને ખુશ કરવાના ઉપક્રમ હતો. ‘માલિક’ની ખુશીમાં ખુશ રહેવા ટેવાયેલા અરૂણભાઈ બુચ ફૂટેલો ઘડો બદલવા તૈયાર ન હતા  અને કાવડ ઊંચકી પાણી ‘માલિક’ સુધી પહોંચાડવા સિવાયનું કોઈ કામ કરવા ઉત્સુક નથી.

ગાંધીનગરના ‘વિશિષ્ટ આદિ-વાસી’ એટલે કે ગાંધીનગરનો પહેલો પથ્થર મુકાયો ત્યારથી એના પૂર્વજ અને અરુણોદય થાય ત્યારથી સતત સમાજ અને સંસ્કૃતિની સેવામાં પોતાનું જીવન વિતાવનાર  સાચા સેવક શ્રી અરુણભાઈ બુચે  90 વર્ષની ઉંમરે પોતાનો દેહ છોડ્યા ના સમાચારથી જુના સેવાદળ વખતના અને ગાંધીનગરના નગરજનોમાં ગ્લાનિ વ્યાપી છે.

અરુણભાઈ બુચ એટલે ગાંધીનગર શહેર વસાહત મંડળના પ્રમુખ. ગાંધીનગરની આ એકમાત્ર એવી સંસ્થા કે જેની સ્થાપના થઈ ત્યારથી પોતાના જીવનના અંત સુધી શ્રી અરૂણભાઇ બુચ તેના પ્રમુખ રહ્યા. તેમણે ગાંધીનગરના નાગરિકોના પ્રશ્નોને અને સમસ્યાઓને પત્રો અને પ્રેસ નોટના માધ્યમથી વાચા આપવાનું કાર્ય કર્યું. ગાંધીનગર વાસીઓની કેટલીય તકલીફોનું ન કેવળ હંગામી નિવારણ પણ  પાછળ પડી જઈને તેનું કાયમી નિરાકરણ લાવવાનું કામ એમણે  કર્યું છે.

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શહેરી બસની ફ્રિકવન્સી વધારવાની વાત હોય કે પછી શાક માર્કેટમાં સ્વચ્છતા ની વાત હોય કે ગાંધીનગરના રેલવે સ્ટેશન ને જીવતું કરવા માટે અને નવી ટ્રેનો ફાળવવા માટેની વાત હોય કે અંતિમધામમાં સુવિધા માટેની વાત હોય ગાંધીનગરનો એક પણ પ્રશ્ન એવો નહોતો કે જેમાં અરુણભાઈનો પત્ર અથવા રજૂઆત પહેલી ન રહી હોય. તેઓએ પોતાના જીવનના બધા જ વર્ષો સચિવાલયમાં જ વિતાવ્યા.  તેઓને લિમ્કા બુક્સ રેકોર્ડ્સમાં  સ્થાન મળ્યું હતું,  કારણ કે તેઓ લગભગ 36 વર્ષ સુધી જુદા જુદા મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા અને તેના ફળ રૂપે ગાંધીનગરને પાયાની સુવિધાઓથી ભરચક કર્યું.

અરૂણભાઇ ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઉઘાડા પગ વાળા લોકોને સ્લીપર અને ચપ્પલ પહેરાવતા પણ મળે અને ગરીબ અથવા તવંગરના સ્વજનોના દેહવિલય પછી તેના અસ્થિઓને હરિદ્વાર મોકલી પાવનવિધિ કરાવીને તેનું વિસર્જન કરતા પણ મળે.  એમ કહેવાય કે શ્રી અરુણભાઈ બુચ એ હાલતી ચાલતી એવી વસાહત હતા કે જેને કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ સોંપી શકે.  એક ઐતિહાસિક બાબત એ છે કે,  એમની પાસેથી ગાંધીનગરના વિકાસ માટે એટલે કે 1965 થી જે કંઈ વિકાસ થયો એ બધા જ તબક્કાઓની ફાઈલો ઉપલબ્ધ રહેતી. પોતે એટલી બધી નોંધ કરે, પોતે સ્ટેનો ટાઈપિસ્ટ તરીકે નોકરીની શરૂઆત કરેલી ત્યારથી  ગાંધીનગર વિશેની ઝીણામાં ઝીણી માહિતી અરુણભાઈના આંગળીના ટેરવા ઉપર હોય. ગાંધીનગર અને પેથાપુર ની વચ્ચે આવેલી જીઈબી કોલોનીના ગેસ્ટ હાઉસની ઈમારત એ ગાંધીનગરની સૌથી પહેલી ઈમારત છે એવું તેમના સાથી હિરેન ભટ્ટ નોંધે છે. તેના પરથી ગાંધીનગરનો  સ્થાપના દિવસ ઉજવવાની વાત ગાંધીનગર સમક્ષ સૌપ્રથમ શ્રી અરુણભાઈએ  મૂકી હતી.

તેઓ વર્ષો સુધી એટલે કે લગભગ લગભગ પોતાના જીવનના ચાલીસેક  વર્ષો સેક્ટર 16 માં રહ્યા,  પરંતુ પોતાના નિવાસ્થાનમાં ખસેડાયા પછી પણ વર્ષો સુધી અરૂણભાઇની રાત્રી બેઠક બરાબર 9:30 વાગે સેક્ટર 16 માં મળે,  મળે અને મળે,  ત્યાં રજૂઆત કરનારા પણ હોય અને હળવાશ કરનારા પણ હાજર હોય. ગાંધીનગરના ઇતિહાસના પાનાઓ પરથી ધૂળ ખંખેરનાર એક ધૂળ ધોયા વ્યક્તિની વિદાયથી ગુજરાતને ભારે  ખોટ પડી છે.  ગાંધીનગર નો ઇતિહાસ ભલે 58 થી 60 વર્ષ જૂનો છે, પણ આજે કંઈ પણ લખવું હોય તોય આવનારી પેઢી માટે અરુણભાઈ પોતાની ફાઇલોમાં લખીને ગયા છે. કોઈપણ રાજ્યપાલશ્રી હોય કે કોઈપણ મુખ્યમંત્રી હોય કે કેબિનેટના જુદા જુદા પ્રધાનો હોય એમની સાથે છેલ્લા લગભગ 60 વર્ષથી એક હૃદયનો નાતો.

આપણે બધા ફૂટેલા ઘડા જ છીએ. જો ભગવાનને આપણી જાતનો એની ઈચ્છા મુજબ ઉપયોગ કરવા દઈએ તો  એ એવો માસ્ટર છે કે, આપણા અસ્તિત્વમાં રહેલી ખામીઓની મદદથી પણ સુંદર ફૂલો ભરેલો બગીચો બનાવી જ દેશે ! અરુણભાઈએ પોતાની જાતનો યથાર્થ ઉપયોગ કરવાની છૂટ  ભગવાનને આપી તેથી તેઓ સહજ આનંદમાં મસ્ત અને વ્યસ્ત એ જીવનભર રહ્યા !! ગાંધીનગરના આ આદિ-વાસી અરુણભાઈ બુચને કર્મ-અંજલિ અર્પણ કરાવી રહે.

 

 

 

ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠ પહોંચી હઝારો ગામડાઓમાં !!

ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠ પહોંચી હઝારો ગામડાઓમાં !!

 ‘ગાંધી ગ્રામજીવન પદયાત્રાએટલે… વિદ્યાપીઠના અધ્યાપકો+સેવકો+છાત્ર છાત્રાઓ:: 1843 પદયાત્રીઓની  151 ટુકડીઓરાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓ !!!

મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થપાયેલ રાષ્ટ્રીય શાળા તે અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ. ખુદ ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદ પર જીવનના અંતિમ દિન સુધી એટલે કે સત્યાવીશ વર્ષ રહ્યા. ત્યારબાદ સરદાર પટેલ પોણા  ત્રણ વર્ષ અને ડો. રાજેન્દ્રપ્રસાદજી પોણા  બાર વર્ષ ચાન્સેલર રહ્યા…એ વિદ્યાપીઠ પોતાની સ્થાપનાના એકસો પાંચમા વર્ષમાં પ્રવેશી છે ત્યારે ફરી એકવાર વિદ્યાપીઠે સર્વાંગ રૂપે નવા અને રચનાત્મક કલેવર ધારણ કરી રહેલ  છે, તેનો આનંદ સૌએ લેવા જેવો છે.

જેમ માણસને ઉમર લાગે તેમ સંસ્થાને પણ વૃદ્ધાવસ્થા આવતી હોય છે અને સંસ્થા પોતાના ભારથી જ બંધ થવાની અણી  પર હોય છે અથવા મરવા વાંકે જીવતી હોય તેવો સમય આવે છે. વિદ્યાપીઠ આ બાબતમાં બાકાત ન રહી શકી. ગાંધી અને ગાંધીના મૂલ્યોની વારંવાર દુહાઈ દેનારા શાસકો જ પઠાર (stagnation)નો ભોગ બન્યા અને પોતાની કુંઠિત સત્તા માટે ચોટડુક બની રહ્યા ત્યારે ઈશ્વરે વિદ્યાપીઠનો કાયાકલપ કરવાનું નક્કી કર્યું. જેઓ ગાંધીથી દૂર સુદૂર છે તેવો જેના પર આક્ષેપ કરવામાં આવતો હતો તે સરકારી શાસકોના હાથમાં વિદ્યાપીઠનું સુકાન સોંપાયું. દલીલ એવી થઈ  કે, વિદ્યાપીઠ આંચકી લેવામાં આવી, પણ હકીકત તો સદંતર ઉલ્ટી હતી. ગાંધીના લૂગડાં પહેરી ગાંધીજન કહેવડાવતા હતા તેઓ જ ચાંદીના થાળમાં મૂકીને વિદ્યાપીઠનું નાળિયેર હાલના રાજ્યપાલશ્રીને અર્પણ કરતા આવ્યા !!

જે થાય તે સારા માટે કે, વ્યક્તિગત રીતે હાલના રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી, ગામડા, ગાય, ગામ પોશાક વ્યવસાય અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના પ્રખર હિમાયતી છે. એટલે ગુજરાત વિદ્યાપીઠના બારમા કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રતજીએ સુકાન સંભાળ્યું . ગાંધીજીને ગમી જાય  તેવા આચાર્યજી ગુરુકુળ સ્થાપના અને સંચાલનમાં માહિર છે. હા, તેઓ ગઈકાલના ગાંધીજનોની જેમ કેવળ ‘ગાંધી ગાંધી’ માળા  જપી પોતાનો રસ્તો સુંવાળો કરનાર નથી, પણ પાયાના કર્યો  કરીને ગાંધીજીના આત્માને શાતા આપનાર છે.

સોનામાં સુગંધ ભળે  તેમ વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ તરીકે  જેનું લોહી કશુંક દોડતું કરવા થનગને છે તેવા  યુવા શિક્ષક ડો. હર્ષદ પટેલની પસંદગી થઈ. ગુજરાત વિદ્યાપીઠ એ રાષ્ટ્રીય સંસ્થા હોવાથી ઉપરના લોકોએ સીધો હસ્તક્ષેપ કર્યો હોવાથી આ બધું ‘ગોઠવી શકાયું’. ‘દોડવું હતું ને ઢાળ મળ્યો’, જેવો સુમેળ સધાયો અને  કેવળ આઠ જ મહિનાના કાર્યકાળમાં ગુજરાત વિદ્યાપીઠે સંપૂર્ણપણે નવાં ને રૂપકડા અને છતાંય પાયાના ગાંધી મૂલ્યોનો માર્ગ પકડ્યો. અગાઉ વિદ્યાપીઠ કાર્યાલયમાંથી વડીલો ચલાવતા  એટલે કોઈના સુઝાવને સ્થાન ન હતું, હવે તો કુલાધીપતિથી લઈને નાનામાં નાનો વિદ્યાર્થી પણ કાર્યરત બનેલ છે અને વિદ્યાપીઠનું કણેકણ ધબકતું બનેલ છે. હૃદય રોગના દર્દીને બાયપાસ કરાવીએ અને પછી જે સ્ફૂર્તિથી એ જીવવાનું શરુ કરે છે, બસ એવું જ વિદ્યાપીઠના કિસ્સામાં બન્યું છે. સંસ્થાની પણ સમય આવે બાયપાસ સર્જરી કરતા રહેવું પડે. ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ બાયપાસ પછી પુર્જીવિત થયાના ઉદાહરણો આજે પણ છે. અને જે અંગત રીતે ‘જીવી જવાશે ને હું એકલો સંસ્થાને જીવાડી શકીશ’ એવા ભ્રમમાં જે રહે છે તેની પાસે  તો ભગવાન પણ લાચાર  !!!

ગુજરાત વિદ્યાપીઠના એકસોને પાંચમાં  સ્થાપના દિવસે વિદ્યાપીઠના પ્રાણ સમાન શ્રી પ્રાણજીવન છાત્રાલયના  ધ્વજદંડ પરથી ધ્વજ લહેરાયો અને વિદ્યાપિઠીય પ્રતિજ્ઞા સૌએ ખુલ્લા અવાજે લીધી ત્યારે પિસ્તાળીશ વર્ષ પછી આ કાર્યક્રમ ફરી થઈ  રહ્યાનો આનંદ સૌના ચહેરા ઉપર છલકતો હતો. વિદ્યાપીઠ પરિસરમાં  હકીકતે  હેરિટેજ વોક કરવા જેવું છું, એવો અછડતો ઉલ્લેખ અગાઉ કુલપતિ પાસે થયેલો અને સ્થાપના દિને એક ઈલેકટ્રીક   ઓપન કારમાં  બેસીને વિદ્યાપીઠના ત્રેવીસ પવિત્ર સ્થળોની વોક ગોઠવાઈ ગયાનું જાણ્યું. હા, આ કાર  અને બીજી બે કાર પણ વિદ્યાપીઠમાં જ એસેમ્બલ થશે.!!

વિદ્યાપીઠ જીવનનો એક ઉમદા અનુભવ તે ગાંધી ગ્રામજીવન પદયાત્રા. 2007માં પૂર્વ કુલાધિપતિ અને ગાંધીના ખોળે  મોટા થનાર શ્રી નારાયણભાઈ દેસાઈ દ્વારા આનો આરંભ થયો. છાત્રોનું પાયાનું ઘડતર આ  એક સપ્તાહમાં  થાય છે. પૂર્વ વિદ્યાર્થીઓ પણ જયારે એકબીજાને મળે ત્યારે પદયાત્રાને વાગોળે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંગત રસ લઈને વિદ્યાપીઠના ધ્યેયો અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગામે  ગામ પ્રાકૃતિક ખેતીની  વાતને પહોંચતી કરવાનું આયોજન કર્યું. તા. 21 થી 26 ઓક્ટોબર દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, સેવકો  અને છાત્રો મળીને 1843 પદયાત્રીઓની 151 ટુકડીઓ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓમાં ગ્રામ સંપર્ક કરી પ્રાકૃતિક ખેતી-તેના ફાયદાઓ-તેની યોગ્ય પદ્ધતિઓ અને તેમાં ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ વિષે નિદર્શન કરી સમજાવે, એવું સુંદર આયોજન થયું. વિજ્ઞાનીઓ અને અધ્યાપકોએ સાથે મળી તૈયાર કરેલ ‘અન્નધેનુ કીટ’ નું વિતરણ પણ કરી રહ્યા છે.

કેન્સરના દર્દી હવે દર ત્રણ ઘરે એક છે, તેવું તબીબી જગત કહે છે ત્યારે, કેમિકલયુક્ત કશું પણ આપણા શરીરમાં ન જાય તેની કાળજી તરફ આપણે સૌએ વળવું પડશે અને વિદ્યાપીઠની પદયાત્રા તે માટેની જાગૃતિ લાવવા માટેનું અભિયાન છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘મારો ભાઈ કશું નથી કરતો, બસ આવું જ કરે છે.’

‘મારો ભાઈ કશું નથી કરતો, બસ આવું જ કરે છે.’

વિશિષ્ટ કલા-સમીક્ષક અને ચિત્રો-ગ્રાફિક્સના ખજાનાને સાચવીને બેસેલ એક વ્યક્તિ વિશેષ કે જેનો અતૂટ નાતો  વિશ્વના ખ્યાતિ પ્રાપ્ત અને ફકીરીમાં જીવેલા ચિત્રકાર શ્રી એમ. એફ. હુસેન સાથે રહ્યો, તો ભારતના ટોચના ગ્રાફિક આર્ટિસ્ટ્સ સાથે તેઓ આજે પણ કાર્ય કરી રહેલ છે. અમદાવાદના એક આધુનિક ખૂણામાં પોતાની સમૃદ્ધ આર્ટ ગેલેરી સાથે નિજાનંદમાં રહેતા એ કલાકાર છે શ્રી અનિલ રેલીયા.

“મારા પાડોશીઓમાં કાપડના હોલસેલ વેપારીઓ હતા, જે લોકોને ત્યાં બહારગામથી પાર્સલ આવે તે  ગાંસડીઓ ઉપર લેબલ હોય. મને એ લેબલ બહુ આકર્ષિત કરતા. એકાદ વખત મેં એ લેબલ કાઢી લીધા તો વઢ પણ પડી હતી કે,  “આમાં કયો માલ છે એના માટે લેબલ હોય છે,  તારે લેબલ કાઢવા હોય તો બધો માલ ખાલી થઈ  જાય પછી કંતાન પડ્યા હોય એના પરથી લઇ લેવાના પણ પહેલાં કાઢવા નહીં.” પછી તો મને મજા પડી ગઈ એ લોકો જ્યારે બધો માલ રાત્રે કાઢી લે પછી  દુકાન આઠ સાડા આઠે બંધ થઇ જાય પછી એ લોકો દુકાનના માણસો હોય એ સ્ટોક બધો રેક માં ગોઠવી દે. પછી હું સવારે ભીના કપડાં લઈને જઉં અને  એના ઉપર મુકું ને ઉખાડું અને પછી સ્કૂલ નોટબુકમાં રાખતો.  એવા લેબલો મેં ભેગા કર્યા.”

“બીજી વાત કે  એ સમયમાં ટિકિટો ભેગા કરવાનો શોખ હતો. એ રીતે મને મેચબોક્સના ઉપરના રેપરો ભેગા કરવાનો શોખ, કારણ કે એમાં જુદી જુદી છાપો આવે ! સામાન્ય રીતે અમુક જ બ્રાન્ડ વેચાતી હોય એ મળે પણ મારું ઘર રેલવે લાઈનની બાજુમાં. તો ફરવા માટે અમે રેલવે લાઈન પર જતા તો જુદી જુદી ન સાંભળેલી એવી પરી છાપ હોય કે રોકેટ છાપ હોય કે એવા જુદા પ્રકારની બધી છાપો મળે અને એ છાપો લઈને સ્કૂલે જતો અને બતાવતો એટલે મારો એમાં વટ પડતો. લોકો ખુશ થતા કે, તું તો જુદું જ લઈને આવ્યો. સામાન્ય સુરતમાં વપરાતી માચિસ બોક્સ કરતા જુદા જ પ્રકારનું હોય. તો એ મારા વખાણ થાય એ મને આનંદ થાય. textile ના લેબલની વાત કરું તો આજે પણ મારા સંગ્રહમાં એ સ્કૂલના દિવસોમાં ભેગા કરેલા લેબલ છે. અને એ સહજતાથી સાચવી શકાયા છે. એ સ્કૂલની બૂકમાં હતા.”

હું બરોડા ફાઈન આર્ટ્સમાં માં ભણવા ગયો.  પણ એ પણ આકસ્મિક જ રીતે જ થયું   હું જયારે દસમા ધોરણમાં હતો ત્યાં સુધી તો મને પણ નહોતી ખબર કે મને એવા શિક્ષક પણ ના મળ્યા કે જે મને ગાઈડ કરે કે આવી ફાઈન આર્ટને લગતી કોઈ કોલેજો હોય કે જેમાં કલા શીખી શકો. મને પણ એવી ખબર ન હતી કે આ જે સરકસના કે ફિલ્મોના ચિત્રો દોરનાર કે જેને હું જોયા કરતો તે  કોઈ ભણેલા નહોતા. એ બધા પોતે પોતાની રીતે પીંછીથી બોર્ડ પર પોસ્ટર દોરતા.…. પણ પિતાજીની એવી ઈચ્છા કે ડિગ્રી તો જોઈએ જ.  પણ મારા માટે એ અશક્ય હતું. મારા માટે ફાઈન આર્ટ્સની વાત કરી હતી પણ હજુ તો હું દસમામાં હતો એટલે કશો નિર્ણય લેવાયો ન હતો. અને એમ હતું કે જેમ આગળ જશું એમ બધું થશે.

પણ દસમાંના વેકેશનમાં પ્રસંગ એવો બન્યો કે મારા ભાઈ જે ડોક્ટર બન્યા હતા એમને મળવા માટે એક મિત્ર કે જે  અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે એ વખતે એ આફ્રિકા રહેતા હતા એમને મળવા એ મિત્ર અને તેમની સાથે વડોદરાના એક ભાઈ આવ્યા, જે વડોદરામાં આર્કીટેક હતો. તો એણે મારા ઘરની દીવાલો ઉપર લાગેલા ચિત્ર અને ફ્રેમમાં મુકેલા  મારા ડ્રોઈંગ હોય એ જોયા. એણે બહુ સહજતાથી ભાઈને પૂછ્યું,  ‘આ બધું કોનું છે ?’ તો કહે, ‘મારો ભાઈ કશું નથી કરતો, બસ આવું જ કરે છે.’ એમણે આવી રીતે મારો પરિચય કરાવ્યો, તો કહે,  ‘એને  ફાઈન આર્ટમાં મુકો ને,’  તો ભાઈ કહે, ‘એ શું છે ?’ તો એ કહે, ‘આવી કોલેજ  વડોદરામાં છે.’  મારા સુધી વાત આવી એટલે મેં કીધું, મારે જાણવું પડશે  એટલે પ્રોસ્પેક્ટ્સ મંગાવ્યું અને એ આવ્યું ને મારા જીવનનો રાહ બદલાઈ ગયો. મેં જયારે જોયું ત્યારે એમાં ક્લે મોડલિંગ, વુડ કાર્ટ, પ્રિન્ટ મેકિંગ, ડ્રોઈંગ ડિઝાઇન આવા જ વિષયો. આપણા સાયન્સ, જિયોગ્રાફી એવા એક પણ વિષય નહીં. મને થયું આવી પણ કોલેજ હોય છે ખરી !!! મારા માટે આશ્ચર્યની વાત હતી.  મેં કહ્યું કે,  મારે  આમાં જ ભણવું છે,  બસ ત્યાંથી મારી વાત શરૂ થઇ. એમાં એમ કહેવાયું હતું કે,  તમારે એમાં ભણવું હોય તો તમારી પાસે SSC માં (અગિયારમા ધોરણમાં)  તમારે ડ્રોઈંગ વિષય તરીકે લેવો પડે. તો મેં એ પણ લીધો.  આનંદની વાત એ હતી કે એમાં એડમિશન લેવા માટે તમારે માર્ક્સથી કોઈ મતલબ નહોતો. કેટલા ટકા છે એનાથી મતલબ નહોતો પણ ત્યાં લેવાતી પાંચ વિષયોની એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવે એમાં ક્લે મોડલિંગ, ડ્રોઈંગ અને ડિઝાઇન એ રીતની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાતી એનાથી તમારી આંગળીઓની, તમારી દ્રષ્ટિની ચપળતા  શું છે, એનો ખ્યાલ આવે. અને એક લેખિત પરીક્ષા કે જેને ડિગ્રી લેવી છે એના માટે. મારે ડિગ્રી જ લેવાની હતી એટલે મેં ડિગ્રીમાં જ ફોર્મ ભર્યું હતું, અને જયારે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હું ગયો તો પેલા ચાર પેપર તો સરસ રીતે મેં આપ્યા પણ જયારે ડિગ્રી માટેનું લેખિત પેપર આપવાની વાત આવી તો મેં સવાલો વાંચ્યા અને સમજ પણ પડી  પણ હું ઇંગલિશ માં લખી શકું એમ ન હતો, કારણ કે ઇંગલિશ મારું બહુ જ કાચું  હતું. તો મેં પહેલાં તો ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું પણ તરત મને કહેવામાં આવ્યું કે, આવું તો નહીં ચાલે.  મેં કહ્યું, મને આવડે છે, પણ હું લખી નથી શકતો. તરત જવાબ  મળ્યો કે, હિન્દી આવડે તો હિન્દીમાં  લખો. એટલે મેં હિન્દીમાં લખ્યું. પછી જયારે ઇન્ટરવ્યૂ લેવાયો  ત્યારે મારી આગળ આ જ પ્રશ્ન આવ્યો કે, તમારે ડિગ્રી લેવી છે તો તમને ઇંગલિશ આવડવું જોઈએ. તો મેં કહ્યું, મને જેટલું આર્ટ માટેનું જરૂરી હશે  એટલું તો હું પીકઅપ કરી લઈશ, પણ મને ચોક્કસ આમાં રહેવું છે અને મને એડમિશન મળી ગયું. જેવું એડમિશન મળ્યું એવી મારી આખી નવી દુનિયા ખુલી ગઈ…”

થિયેટર ઈન એજ્યુકેશનના અધ્યાપક અભિનેતા ડો. વિજય સેવક

થિયેટર ઈન એજ્યુકેશનના અધ્યાપક અભિનેતા ડો. વિજય સેવક

 

શિક્ષક થવું હોય તો બી.એડ્. થવું પડે. એન. એચ. પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, આણંદમાં પ્રવેશ માટે ફૉર્મ ભર્યું. ઍડમિશન માટે પ્રિન્સિપાલ પટિયાલસાહેબે ઇન્ટરવ્યૂ લીધો, પિસ્તાલીશ મિનિટ લાંબો. મિત્રની અદાથી પ્રશ્નો પૂછ્યા. શોખ ગાવાનો છે એવું જાણ્યું તો વિજયને કહ્યું : કશુંક ગાઓ ને! હરિવંશરાય બચ્ચનની રચના ‘દિન જલ્દી જલ્દી ઢલતા હૈ’ સૂરબદ્ધ રીતે રજૂ કરી. પૂછ્યું : સ્વ૨૨ચના કોની છે? વિજ્યે નીચું જોઈ હસતાં હસતાં જવાબ આપ્યો : “ખુદકા કૉમ્પોઝિશન હૈ!’ હિન્દીમાં જવાબ સાંભળીને તેની વાતો શરૂ થઈ. છઠ્ઠા-સાતમા ધોરણમાં વિજયે હિન્દી દૂસરી-તિસરી પરીક્ષા પાસ કરેલી. પ્રેમચંદજીની ગોદાન’ અને ‘ગબન’ તો નાનપણમાં વાંચેલ. સિયારામશરણ ગુપ્તની નવલકથા ‘નારી’, ફણીશ્વરનાથ રેણુની ‘વહ ફિર નહીં આઈ’ અને મોહન રાકેશની ‘આષાઢકા એક દિન’ વાંચીને વિજય નામધારી યુવાન કેટલીયવાર રહ્યો છે. પ્રવેશ આપતા પહેલાં જ પટિયાલસાહેબને સમજાયું કે આ ભાવિ શિક્ષકે બે કામ કર્યાં છે : વાંચવાનું અને ટેબલ ટેનિસ રમવાનું… બી.એ.માં અંગ્રેજીના મૅથડ માસ્ટર મળ્યા પ્રા. હરેન્દ્રભાઈ પટેલ. એમણે વિજયને ઉઘાડ્યો, જબરું તાદાત્મ્ય સર્જ્યું. વિજયે અંગ્રેજી કંઈ બહુ શોખથી નહીં રાખેલું… અને આમ પણ સાયન્સમાં ભણવા બેઠેલા વિજયભાઈ હારીને આર્ટ્સમાં આવેલા. હિન્દી ફેવરીટ સબ્જેક્ટ પણ મોટાભાઈ ૨મેશભાઈ સેવકે અંગ્રેજી રખાવ્યું.

નવનિર્માણ આંદોલનને કારણે વગર પરીક્ષાએ આગળ વધેલા વિજયે એસ.વાય. અને ટી.વાય. આણંદ આર્ટ્સ કૉલેજમાં કર્યું. અહીં મળ્યા સ્કૉલર અને સાહિત્યકાર એસ. વી. નાડકર્ણીસાહેબ. તેમણે વિજયને બોલતો કર્યો. જબરું ટ્યુનિંગ. વિક્ટોરિયન ઍઇજ પરનું સાહિત્ય અસાઇન્મેન્ટમાં સોંપ્યું. તેમાં ખૂબ મહેનત કરીને વિજય સેવકે જ્યારે તેની પ્રસ્તુતિ કરી ત્યારે નાડકર્ણીસાહેબને એ થયું ‘ક્લિક લાઇક ઍનિથિંગ… અહીંથી વિજય ઊંચકાયો. ગિરીશ કર્નાડના શિક્ષક અને હયવદન’ની પ્રસ્તાવના લખનાર પ્રો. કુટંકોટીસાહેબ બે દિવસ અહીં આવ્યા અને એમનામાં વિજ્યને રંગદેવતાનાં દર્શન થયાં… આટલો ઍક્ટિવ વિજય પરીક્ષાના પરિણામમાં પાછળ. ગોખવાનું ગમે જ નહીં. મમ્મીએ નાનપણમાં જાતે મૌલિક જવાબ લખવાનું શીખવેલું. સ્નાતકનાં છેલ્લાં વર્ષમાં માર્ક્સ લાવવા માટે વિજયે જરૂરી બાર પ્રશ્નો ગોખ્યા. પછી પરીક્ષામાં ઑક્યા અને ત્યારે પચાસ ટકા પહોંચાયું. પણ ભણવાથી કંટાળેલ એટલે એમ.એ. ન કર્યું. વાંચવાનો શોખ એટલે વડોદરામાં લાઇબ્રેરી સાયન્સ શરૂ કર્યું. ડાકોરથી અપડાઉન અને શારીરિક તકલીફને લીધે તે કોર્સ પૂરો ના કર્યો. ઘરનાં નારાજ અને વિજ્ય હતાશ. ઘરમાંથી જૂનાં જૂનાં પુસ્તકો કાઢી વાંચ્યાં. એમાં ભાઈએ એસ.ટી.સી. કરેલું તેનાં પુસ્તકો હાથ લાગ્યાં ને તે વાંચતા જ વિજયમાં સૂતેલો શિક્ષક જાગ્યો અને તેમાં મળ્યા પ્રિ. પટિયાલસાહેબ અને પ્રા. હરેન્દ્ર પટેલ. એકદમ અંતર્મુખી, એકલો અને કશું જ ન બોલતો વિજય બહાર નીકળ્યો હરેન્દ્રભાઈને કારણે. પોતાનાં પુસ્તકો અને પોતાનું મટીરિયલ આપીને કહે : આનાં પરથી તારું ખુદનું મટીરિયલ બનાવ…’ અને ગાડી પાટા પર ચડી ગઈ. ઍક્શન રિસર્ચ, લર્નિંગ ટુ બી અને બ્લૂમ્સ ટેક્સૉનોમીનું ટુ પહેલું વૉલ્યુમ તો વિજય સેવકે બી.એડ્. કરતાં કરતાં વાંચી નાખ્યાં. વર્ષના પહેલા જ દિવસે બી.એ.ના ભરચક્ક ક્લાસમાં પોતાની ઓળખ અંગ્રેજીમાં અને ઘેઘુર અવાજમાં આપી સૌનું ધ્યાન ખેંચનાર વિજય સેવક બી.એડ્.માં ગોલ્ડ મૅડાલિસ્ટ થયા! આ સમાચાર ફોઈને ઘરે ગયેલા વિજયને મોટાભાઈએ આપ્યા ત્યારે વિજયને થયેલું કે અત્યારે જ હરેન્દ્રભાઈ પાસે જઉં ને તેમને છાતીએ વળગાડીને રડી પડું. જો કે, આજે પ્રા. હરેન્દ્ર પટેલ નથી તેની વાત કરતાં વિજ્ય સેવક લિટરરી રડી પડે છે! What a great contribution of a teacher in one’s Life!

સુવર્ણચન્દ્રક વિજેતા બી.એ., બી.એડ્. વિજય સેવકને નોકરી ન મળી. ત્રણ જગ્યાએ કોઈક છેલ્લી ઘડીએ વચ્ચે ઘૂસી જાય. પટિયાલસાહેબે કહ્યું : ‘સુરત જા, એમ.એડ્. કર. ગુણવંત શાહ પાસે ભણ.’ ચિઠ્ઠી લખી આપી. મોડું થયું હતું. પોતાના રૂમમાં બેસાડી ગુણવંત શાહે રજિસ્ટ્રારને ફોન કરી પ્રવેશ અપાવ્યો. ટિમલિયાવાડથી પોતાની ફિયાટ કારમાં ગુણવંત શાહ આવે અને રસ્તામાં વિજયને ઊભો ભાળે કે તરત ગાડી થોભાવી બેસાડે. વિજય સેવકની નજર આગળ પડેલ આર. કે. નારાયણની નૉવેલ પર પડી. તેણે એ નૉવેલ વાંચેલી એટલે એની વાત માંડી. બહુ આત્મીયતા થઈ ગુરુ શિષ્ય વચ્ચે. વિજયને ટી-શર્ટ પહેરવાની અને તેનું ઉપરનું બટન ખુલ્લું રાખવાની ટેવ. ગુણવંત શાહે પોતાની ચૅમ્બરમાં બોલાવી કહ્યું : બટન બંધ કર…’ પછી પ્રત્યાયનની ઊંચાઈ ત્યારે પકડાય જ્યારે એક કલાક પછી ગુણવંત શાહ ફરી વિજય સેવકને પોતાની પાસે બોલાવે છે, સમજાવે છે કે તને નહીં ગમે, દોસ્ત, પણ આ બધી મેનર્સ છે, એટિકેટ છે! વિજય સેવક કહે છે કે, ‘અમારા વચ્ચે બંધાયેલો રૅપો જાણે ગુણવંતભાઈ ખોરવવા માંગતા ન હતા. એક ટીચર ઍજ્યુકેટરની આ ઊંચાઈ મારા દિલમાં આજે ય સંગ્રહાયેલી છે.’ જો કે, વિજય સેવકની પહેલી નોકરી પણ ગુણવંતભાઈના બાપ્રેમીબહેનની શાળા લોકમાન્ય વિદ્યાલય, રાંદેરમાં. એ ગૉલ્ડન પિરિયડ. વિજયસરનો દબદબો કારણ ગુણવંતભાઈએ મોકલેલો છોકરો! અહીંથી પ્રયોગશીલ શિક્ષકનો જન્મ થયો. એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભ વિદ્યાનગરના ડૉ. સુભાષ જૈન ટીચ ઇંગ્લિશ, લર્ન ઇંગ્લિશ’ સિરિઝ ચલાવતા. તેમાં વિજ્યની પસંદગી થઈ. વર્ષમાં ચારેક લેસનનું રેકોર્ડિંગ કરાવવા અમદાવાદ સ્ટુડિયોમાં વિદ્યાર્થીઓ સાથે જવાનું થયું. અહીં ડૉ. સુલભા દેશપાંડે અને ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજાનો પરિચય થયો અને બન્ને પાસેથી આજે પણ ‘પામવાનું’ સદ્ભાગ્ય વિજય માણે છે. શિક્ષણ ધૂરંધર ડૉ. દાઉદભાઈ ઘાંચીનું નામ બહુ સાંભળેલું. વિજય સેવકના પ્રિય પ્રા. હરેન્દ્રભાઈ પટેલના એ ગુરુ, બી.એડ્. કરતી વખતે દાઉદભાઈ ઘાંચીનું પુસ્તક વિજયને હરેન્દ્રભાઈએ ભેટ આપેલું, ઘાંચીસાહેબ સુરત આવ્યા ને વિજયે તેની સાથે ગોષ્ઠિ કરી અને તેનો લેખ પોતાની ‘ગુજરાત મિત્ર’ની કટારમાં લખ્યો ત્યારથી બન્ને વચ્ચે ગાઢ નાતો… આમ, ઠેરઠેરથી સારપ અને ઉત્કૃષ્ટતા ગજવે બાંધવાની ટેવ વિજય સેવકને.

લોકમાન્ય વિદ્યાલયની પહેલી નોકરીમાં જ વિજયે નાટકના નાના-મોટા પ્રયોગો કર્યા. એરિયા થિયેટર અને બેર સ્ટેજના પ્રયોગમાં સિંહાસન ખાલી છે’ નાટકનું દિગ્દર્શન કર્યું. શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો. સિમલા નૅશનલ ડ્રામા કૉમ્પીટીશનમાં જ્યોતિ વૈદ્યનું ‘બંધ દરવાજા’ અનુવાદ કરીને રજૂ કર્યું અને નૅશનલ ઍવૉર્ડ જીત્યો. ચિનુ મોદી, નિમેષ દેસાઈ, ઇન્દુ પુવારની શિબિરોમાં અભિનયને લઢવાની તક મળી. આ વાતાવરણથી પ્રેરાયને ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં સહાયક નિયામકની ક્લાસ ટુ ગૅઝેટેડ પોસ્ટ પર જવાનું થયું. GPSC પસાર કરી. ઇન્ટરવ્યૂમાં માર્કન્ડ ભટ્ટ અને વનલતા મહેતાએ વિજયને પસંદ કરી વડોદરા વર્તુળનો હવાલો સોંપ્યો. સાડા ત્રણ વર્ષ ધ્રુવકુમાર શાસ્ત્રીની નિશ્રામાં વિયે કામ કર્યું. ધ્રુવભાઈ શાસ્ત્રીનાં સૂચનથી થીમ એક, એકાંકી અનેક’ની યોજના વિજ્યે અમલમાં મૂકી. જે આજે પણ એકાંકી રાજ્ય સ્પર્ધા તરીકે અમલમાં છે. પણ વહીવટ ઝાઝો ને સર્જનાત્મકતા ઓછી હતી એટલે વિજયનો જીવ રૂંધાયો. સાડા ત્રણ વર્ષમાં બે જ પુસ્તકો વાંચી શકનાર વિજયે રાજીનામું આપ્યું. બહુ સમજાવ્યો સૌએ કે ક્લાસ વનનું પ્રમોશન હમણાં જ મળી જશે. પણ ના, વિજય સેવકની અંદર ઊછળતો નાટકિયો શિક્ષક ન માન્યો ને એ આર. ડી. કોન્ટ્રાક્ટર હાઈસ્કૂલ, સુરતમાં શિક્ષક થયા. અહીં રહીને ખૂબ લેખન કર્યું, ડૉક્ટરેટ કર્યું અને શિક્ષણ પ્રયોગો કર્યાં. ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં ટ્રાન્સલેટર તરીકે કામ કર્યું. બે વર્ષ ‘ન્યૂફાઇન્ડર” નામની કટાર લખી, ‘એક હાદસા’ કૉલમ લખી બાર વર્ષ. પંજાબ કેસરી – પ્રતિનિધિપત્ર – દિવ્યભાસ્કરમાં પણ લખતા રહીને પોતાની આગવી ઓળખ ડૉ. વિજય સેવકે ઊભી કરી. ભગવતીકુમાર શર્માએ દર સોમવા૨ના અને પોતે વિદેશ હોય ત્યારના અગ્રલેખો / તંત્રીલેખો વિજય સેવક પાસે લખાવી કલમની ધાર કાઢી આપી.

રાજા રણછોડરાયના ધામ ડાકોરમાં લક્ષ્મીજીના મંદિર પાસે બોડાણાના ઘરની શેરીનું છેલ્લું મકાન પૂજાલાલ ચુનીલાલ સેવક(પાર્શદ)નું. ત્યાં ૧૯૫૭માં જન્મેલ વિજય કેશવલાલ સેવક ભક્તિભાવનાચગાન-સંગીત નૃત્ય-ભજન કીર્તન વચ્ચે ઉછરેલા દાદા પગથી હારમોનિયમ વગાડતા. પિતા સુંદર અભિનેતા. બુલંદ અવાજ. પિતા અને કાનાં નાટકોનાં હર્સલમાં જઈ વિજ્ય બેસે. ક્યારેક નાનો રોલ પણ કર્યું. ઘઉં સાનો આઠસો ઑપેરા આજે પણ છે. નાટકના આ સંસ્કારો સાથે ડૉ વિજ્ય સેવક ૧૯૯૬થી સુરતની વી ટી. ચોક્સી સાર્વજનિક બી.એડ્. કૉલેજમાં અધ્યાપક તરીકે બરાબર ખીલ્યા છે. વર્ગખંડને રંગમંચમાં ફેરવ્યો છે. અંગ્રેજી અધ્યાપનને એણે અભિનય અને અભિવ્યક્તિના માર્ગે વાળેલ છે. વિવેટર ઇન એજ્યુકેશન’ની અતિ સફળ પ્રયોગ અમલમાં મૂક્યો છે. અનેક નાટ્યગ્રહીઓ સાથે મળી કેટકેટલાં નાટકો લખ્યાં – દિગ્દર્શિત કર્યાં – અભિનિત કર્યાં. રેડી, સ્ટેડી ઍન્ડ ગૉ’ અને ફન વીથ ઇંગ્લિશ’ પુસ્તકો લખ્યાં અને તેને વર્ગખંડમાં ભજવીને ભણાવ્યાં. ઍક્સેરિમેન્ટ તેનો સ્વભાવ છે. રૂઢિગત રિંગ અને ગમતું નથી. સેલ્ફ લર્નિંગની જબરી હિમાયત વિથ કરે છે. ગિજુભાઈ બધેકાની જેમ વિજ્ય સેવકનો વર્ગ મિિમડિયા હોય છે. વિયનું કેનવાસ વિશાળ છે. ટિચીંગ નહીં, એક્સપ્લેનેશન નહીં, પણ ઑરેશન, જૉયલ લર્નિંગ છાપાનાં કટિંગ, ડી, કાર્ટૂન, ચિત્રો ભાવિ શિક્ષકોને આપવાનાં અને તેના પરથી વિચારે ચડાવી તેનાં ઇમ્પ્રોવાઇડ્રેશન રજૂ કરાવવાનાં! સેલ્ફ લર્નિંગ ઇગ્લિશના ડૉ. વિજ્ય સેવકના પ્રથીગી આખા ગુજરાતમાં ફેલાવા, એટલું જ નહીં રાષ્ટ્રીય નાટ્ય સંસ્થા NSD દ્વારા તેની નોંધ લેવામાં આવી અને થિયેટર ઇન ઍજ્યુકેશન’નો પ્રોજેક્ટ વિજ્ય સેવકને નૅશનલ રિસોર્સ પર્સન બનાવી સોંપવામાં આવ્યો હમણાં જ આ પ્રયોગમાં સુરતની ચાલીસેક સ્કૂલ્સના ચાલીસ શિક્ષકો, ચારસો વિદ્યાર્થીઓ અને હજાર જેટલાં માતાપિતા આ થિયેટરમાં તાલીમ પામ્યાં, રમતાં રમતાં ભણી શકાય તેવું સ્વીકારી શક્યા. NSDના રાષ્ટ્રીય તજ્ઞ તરીકેનું બહુમાન ગુજરાતને પ્રથમવાર મળે છે, કારણ ડૉ. વિજ્ય સેવક જેટલો ક્રિએટીવ ટાસ્ક બૅઇઝ લર્નિંગ કે પ્રોસેસ સેન્ટર્સ ડ્રામાનો ટીચર ઍજ્યુકેટર ગુજરાતમાં એક માત્ર છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ડૉ. વિજય સેવકનું પુસ્તક તમસો મા જ્યોર્તિગમય’ પુરસ્કૃત થવું છે, બાળનાટકો પર કામ કરી સિદ્ધાંતો – પ્રક્રિયા સ્થાપિત કરી થેરાપ્યુટિક યુઝ ઑફ ડ્રામા ઇન ઍજ્યુકેશન વિકસાવવાના અને તેનાં દ્વારા જ શિક્ષણ આપવાનાં સ્વપ્નાં વિજય સેવે છે, I dont teach. I make them learn’ કહેનાર ડૉ. વિજ્ય સેવક માને છે કે, “શિક્ષકનું કંદ શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપ જેવું હોવું અનિવાર્ય છે, જે શિષ્યને નિશામાંથી બેઠો કરી શકે!’

ગુજરાતી સાહિત્યની દુનિયામાં પણ કચ્છડો બારે માસ !!

ગુજરાતી સાહિત્યની દુનિયામાં પણ કચ્છડો બારે માસ !!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ધૂમકેતુ નવલિકા પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાતમાંથી ત્રણ સર્જકો કચ્છના !! અરે, પુરસ્કૃત  બે યુવાનો તો સોનીકામ કરે છે ને ઉત્તમ સર્જક છે !!

તાજેતરમાં અમદાવાદ ખાતે એક વિશિષ્ટ સન્માન સમારોહમાં સાક્ષીભાવે જવાનું થયું. પ્રસંગ હતો ધૂમકેતુ નવલિકા-પુરસ્કાર પ્રદાન કરવાનો. જ્ઞાનપીઠ સર્જક શ્રી રઘુવીર ચૌધરીની વરિષ્ટ નિશ્રામાં આ કાર્યક્રમનું આયોજન ધૂમકેતુ  પરિવાર અને ગુર્જર પરિવાર દ્વારા થયું. 2016 થી 2023 સુધીના સાત વર્ષો દરમ્યાન ગુજરાતી સાહિત્યને મળેલ નવલિકાઓમાંથી વર્ષવાર ઉત્તમ નવલિકાઓને પુરસ્કૃત કરવામાં આવી. ધૂમકેતુ જી ના પુત્રી અને પૌત્રીની હાજરી સ્મરણ માર્ગે દોરી ગઈ. પ્રત્યેક સર્જકનો અને તેમની પુરસ્કૃત નવલિકાનો પરિચય પ્રખર વાર્તાકાર શ્રી કિરીટ દુધાતે આપેલ.

નોંધવા જેવી ત્રણ  બાબતો અંગે ખાસ ધ્યાન દોરવું છે :

આ કાર્યક્રમના આયોજક ગુર્જર પરિવાર છે એટલે ખાસ સ્પષ્ટતા કરવામાં આવી કે, આજે સન્માન પ્રાપ્ત નવલિકાઓના પ્રકાશકોમાં એક પણ પુસ્તક ગુર્જર  પ્રકાશનનું નથી, તે સાદર નોંધવું રહે. સાહિત્યના ક્ષેત્રમાં પારદર્શકતા ગુર્જરે આચરી બતાવી, કારણ ગુર્જર સાહિત્ય પ્રકાશન ક્ષેત્રમાં શતાબ્દી વટાવી  ગયેલ છે.

પુરસ્કૃત સાત સર્જકોમાંથી ત્રણ કચ્છના સર્જકો હતા. અંજારના અજય સોની (તેંત્રીસ વર્ષ), અંજારના જ જયંત રાઠોડ ( અઠઠાવન વર્ષ) અને ભુજ કચ્છના રાજેશ અંતાણી (પંચયોતેર વર્ષ). કચ્છમાંથી યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ એમ માનવજીવનની ત્રણેય અવસ્થાઓ ધૂમકેતુ પુરસ્કારથી નવાજવામાં આવી તે દર્શાવે છે કે સાહિત્ય સર્જનને ઉંમરનો કોઈ બાદ નથી.

સાતમાંથી બે સર્જકો વ્યવસાયે સોની કામ કરે છે અને તેઓ ઉત્તમ સર્જક તરીકે પુરસ્કૃત થયા છે. મૂળ અંજારના અજય સોની અર્થશાસ્ત્રના સ્નાતક છે. તેમણે વાર્તા, નિબંધ, કોલમ, નવલકથા અને સંપાદનો પણ કર્યાં  છે. અમદાવાદના વિજય સોની ઇન્સ્ટ્રુમેન્ટશન એન્ડ કંટ્રોલમાં ઇજનેરીનો ડિપ્લો મેળવીને સોનાના  દાગીના બનાવવાનો કૌટુંબિક વ્યવસાય કરે છે. સોનીકામ કરતાં કરતાં વિજયે વાર્તાઓ અને નવલિકાઓમાં અનેક પુરસ્કૃત પ્રદાન કરેલ છે. શ્રી રમણલાલ સોની ગુજરાતી સાહિત્યનું ગુરુવર્ય નામ પણ તેઓ વ્યવસાયે સોની ન હતા. સાહિત્ય સર્જનને વ્યવસાયના બંધનો રોકી શકતા નથી, તે આનું નામ.

સામાન્ય રીતે કચ્છ રણપ્રદેશ તરીકે ઓળખાતો રહ્યો છે. કોઈ સમયે કચ્છના સાહિત્ય રણપ્રદેશનું  સાહિત્ય કહેવામાં આવતું. જેમ કચ્છ પાસે રણ છે એમ દરિયો પણ છે. દરિયા સાથે જીવતી પ્રજાનો લાંબો ઇતિહાસ છે.

ગુજરાતી સાહિત્યમાં કચ્છનું પહેલું પ્રદાન દરિયાઈ સાહિત્ય છે. ગુજરાતી ભાષામાં દરિયાઈ પરિવેશનું સાહિત્ય સૌ પ્રથમ કચ્છમાંથી આવ્યું. ગુણવંતરાય આચાર્ય દરિયાઈ કથાઓને કારણે જાણીતા બન્યા. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટર જેટલો દરિયો હોવા છતાં જે પ્રમાણમાં કચ્છમાંથી દરિયાઈ સાહિત્ય આવ્યું એટલું ગુજરાતના અન્ય સાગરકાંઠેથી નથી આવ્યું. જેમ દરિયાઈ પરિવેશનું સાહિત્ય કચ્છમાંથી આવ્યું એમ રણનું સાહિત્ય પણ કચ્છની જ ભેટ છે. આમ દરિયાઈ અને રણ પરિવેશ ધરાવતું ગુજરાતી સાહિત્ય કચ્છ પ્રદેશની ઓળખ છે. અને આથી ઉપર ઉઠીને, વૈશ્વિક માનવીય સંકુલતાઓ અને મૂલ્યો ધરાવતું સાહિત્ય પણ આ પ્રદેશે આપ્યું છે. ડૉ. ધીરેન્દ્ર મહેતા  અને વીનેશ અંતાણીએ માનવમનના તળિયે પડેલાં પડોને ફંફોસ્યાં છે. તો ડૉ. જયંત ખત્રીએ ટૂંકી વાર્તા દ્વારા કચ્છના રણપ્રદેશને ઉજાગર કર્યો.

આજની પેઢીને કદાચ ખબર ન પણ હોય કે ગુજરાતી ભાષામાં સૌથી વધુ રહસ્યકથાઓ કચ્છમાંથી આવી છે. કચ્છના ગૌતમ શર્માએ ૧૦૦ જેટલી રહસ્યકથાઓ લખી છે. રહસ્યકથા જેવો જ લોકપ્રિય સાહિત્ય પ્રકાર પ્રણય કથાનો છે. પોતાના સમયમાં કચ્છના રસિક મહેતા ગુજરાતના સૌથી લોકપ્રિય નવલકથાકાર હતા. રસિક મહેતાની સંસ્કૃત પ્રચૂર શૃંગારિક ભાષા અને રતિરાગનાં અલંકારિક વર્ણનો એ સમયે ચર્ચાનો વિષય બન્યાં હતાં. કચ્છ દ્વિભાષી વિસ્તાર છે. એક આશ્ચર્ય જગાવે એવી બાબત એ છે કે મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો કચ્છી ભાષી પશ્ચિમ કચ્છમાંથી આવ્યા છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારને ઘડતાં તત્વોમાં કચ્છી ભાષાનોય ફાળો છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારો બહુધા ટૂંકી વાર્તા અને નવલકથા દ્વારા વ્યક્ત થયા છે.

કચ્છના લેખક ડૉ. જયંત ખત્રી ટૂંકી વાર્તાની નવી દિશા ચીંધનાર સર્જક ગણાય છે. ટૂંકી વાર્તામાં ડૉ. જયંત ખત્રીનું એક જુદી જાતનું પ્રદાન પણ છે જેના તરફ હજી કોઈનું ધ્યાન ગયું નથી. ગુજરાતી સાહિત્યને પહેલી પ્રાણીકથા આપવાનું શ્રેય કચ્છને જાય છે. ડૉ. જયંત ખત્રીની ‘હીરોખૂટ’નો નાયક પશુ છે અને સહનાયક પણ પશુ છે. કથાનો નાયક વિકલાંગ હોય એવી પ્રથમ નવલકથા પણ કચ્છમાંથી આવી. ડૉ. ધીરેન્દ્ર મહેતાની ‘ચિહ્ન’ નવલકથાનો નાયક વિકલાંગ છે. આજે આખું વિશ્વ આતંકવાદથી થરથરે છે, પરંતુ આ વિષયની પહેલી નવલકથા કચ્છના લેખકે લખી છે. વીનેશ અંતાણીની ‘ધૂંધભરી ખીણ’ આતંકવાદના વિષયવસ્તુ પર આધારિત ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે.

૨૦૦૧ માં થયેલા ભૂકંપ વિષયક સાહિત્ય પણ કચ્છના સર્જકે પહેલ કરી છે. ભૂકંપનું કથાવસ્તુ ધરાવતી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘છાવણી’ ડૉ. ધીરેન્દ્ર મહેતાએ આપી. અહીંનો એકેય સર્જક એવો નથી જેણે એકાધિક વખત વરસાદની કે પાણીની કે અન્ય સમસ્યાની વાત ન કરી હોય. કચ્છના સર્જકે કથા દ્વારા વ્યક્ત થવાનું પસંદ કર્યું છે. અત્યાર સુધીમાં કચ્છમાં રસિકલાલ જોશી, રસિક મહેતા, ગૌતમ શર્મા, ડૉ. ધીરેન્દ્ર મહેતા, નિરંજન અંતાણી, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી, મૂળરાજ રુપારેલ, વનુ પાંધી, વીનુ કેશવાણી, રજનીકાન્ત સોની, જટુભાઈ પનિયા, નારાણ દામજી ખારવા, નલીન ઉપાધ્યાય, નારાયણ વસનજી ઠક્કુર, પ્રિતમલાલ કવિ, ઉમિયાશંકર અજાણી, પુષ્પદંત ભટ્ટ, હરેશ ધોળકિયા, આનંદ શર્મા, વ્રજલાલ અબોટી, માવજી સાવલા, અરુણા ઠક્કર તથા ઉત્તમ ગડા અને અજય સોનીએ ગુજરાતી નવલકથા લખી છે.

કચ્છમાં ટૂંકી વાર્તાનું સર્જન આઝાદી પૂર્વેનું છે. તત્કાલીન ટૂંકી વાર્તાઓ અને તેના લેખકો લોકપ્રિય રહ્યા છે. એવા લેખકોમાં ચંદ્રશંકર બુચ ‘સુકાની’ અને બકુલેશ પછી  ડૉ. જયંત ખત્રી અને નાનાલાલ જોશી. એ પછીના ગાળામાં ડૉ. મનુભાઈ પાંધીથી અજય સોની સુધી ઘણા લેખકોએ ટૂંકી વાર્તા લખી છે, પરંતુ ગુજરાતી સાહિત્યમાં ડૉ. ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, વનુ પાંધી, ડૉ. મનુભાઈ પાંધી, રાજેશ અંતાણી અને અજય સોનીની વાર્તાઓની વિશેષ નોંધ લેવાઈ છે.  ડૉ. ધીરેન્દ્ર મહેતાથી કચ્છની વાર્તામાં આધુનિકતાનો સ્પર્શ આવ્યો એવું જણાય છે.

બાલવાર્તા લેખનમાં તો મૂળ કચ્છના આજીવન શિક્ષક ઈશ્વર  પરમારનું પ્રદાન દિલ્હી સાહિત્ય  અકાદમી દ્વારા પણ પોંખાયું છે અને હજુ પણ એ દ્વારિકાવાસી ઈશ્વર ઝીણું ઝીણું કાંત્યા જ કરે છે. ૧૯૮૦ પછી સાગરકથાઓનાં વળતાં પાણી થયાં. લખાવાની જ બંધ થઈ ગઈ એમ કહીએ તોય ચાલે. સાગર સાહિત્યને પુનર્જીવિત કરવાનું કામ હસમુખ અબોટી ‘ચંદને’ કર્યું. તેમણે સાગરખેડૂઓની સફરોનું ઊંડાણપૂર્વક સંશોધન કરીને સત્યઘટનાઓ લખી છે.

સાતમાંથી ત્રણ કચ્છી સર્જકો સનમાન પામ્યા તે જાણી ઉમળકો આવ્યો એટલે સાહિત્ય વિહાર કર્યો તો જાણવા મળ્યું કે, સાહિત્યમાં પણ કચ્છડો બારે માસ  છે !!

તમારું પોતાનું ટેરેસવાળું મકાન હોય તો…..

તમારું પોતાનું ટેરેસવાળું મકાન હોય તો…..

રાજકોટમાં બોતેર  કલાકમાં ચાલીશ ઇંચ વરસાદ પડ્યો, તે પાણી ગયું ક્યાં ??… અમેરિકાથી એક રાજકોટીયનનો પત્ર !!

શિકાગો, અમેરિકાથી રાજકોટના એક નિવૃત્ત અધ્યાપક  શ્રી વિનોદ માંગુકિયાનો દીર્ઘ મેસેજ  આવ્યો, તા. 28, ઓગસ્ટ, 2024 ના રોજ..જયારે રાજકોટ ધમધોકાર વરસાદથી પાણી પાણી થઇ ગયું હતું અને તે ટનબંધ પાણી રસ્તા અને ગટરોમાં વેડફાઈ જઈ  રહ્યું હતું !! એક સંનિષ્ટ અધ્યાપક દંપતી તરીકે રાજકોટમાં સાત્વિક જીવન જીવનાર વિનોદભાઈ અને શ્રીમતી સુદર્શન મંગુકિયા પોતાના  હાર્ટ સર્જન તરીકે માતબર ખ્યાતિ પ્રાપ્ત દીકરાના ઘરે હાલ શિકાગો છે.

આવો, તેમના જ શબ્દો વાંચીએ…

“રાજકોટમાં પાંચ દિવસમાં અધધ–32 ઈંચ વરસાદ ! પાણી ક્યાં ગયું ? ગટરમાં ?

આ તો પાંચ દિવસમાં આટલો વરસાદ પડયો પણ આખી સીઝનનો જો 50 ઈંચ ગણીએ તો 120 ચોરસ કિલોમીટરમાં પથરાયેલાં રાજકોટ સીટી ઉપર પડેલા અધધધ વરસાદનું પાણી આખરે ગયું ક્યાં ? ગટરમાં ? રાજકોટની ગંધારી ગોબરી આજી નદીમાં ગયું ?

આકાશેથી વરસેલું અમૃત આખરે ગટરોમાં વહી ગયું ? આજી નદીમાં ભેગી થયેલી રાજકોટની ગંદી ગટરોની તમામ ગંદકી લઈને નદીને સાફ કરીને એ પાણી ક્યાં ગયું ? એ ગયું આજી ડેમ નંબર 2 માં. પણ આજીડેમ 2 નું પાણી તો પીવા લાયક નથી રહ્યું. તો એ પાણીનું શું થાય છે ? જે પાણી પીવાલાયક નથી તે પાછું ખેતીમાં વપરાય છે ?એ ઝેરી કેમિકલ સાથેનું અનેક પ્રકારનું પ્રદૂષિત પાણી પાછું શાકભાજી ઉગાડવામાં વપરાય છે અને એ શાકભાજી પાછા રાજકોટવાસીઓ હોંશે હોંશે ખાય છે ! તે પાણીમાં ઊંધિયું બનાવીને ખાય છે,બોલો !

આટલો બધો વરસાદ થયો પણ પછી ઉનાળામાં પાણીના ટાંકા મગાવવાના ! ઘેર બેઠાં ગંગા જેવું અમૃત સમાન પાણી આપણે ગટરોમાં જવા દીધું અને હવે આજી,ભાદર અને ન્યારી ડેમનાં પાણી ફીલ્ટર કરી કરીને પીવાનાં. આજી,ભાદર અને ન્યારી ડેમમાં ભેગું થતું પાણી શુદ્ધ હોય છે, તેવું જો માનતા હો તો એ એક ભ્રમ છે.ગામેગામના ઉકરડાઓ, ગામેગામની ગટરો, ખેતરોમાં નાખેલાં રાસાયણિક ખાતરો અને પાકમાં છાંટેલી જંતુંનાશક દવાઓ, મરેલાં પ્રાણીઓ, પ્રાણીઓનાં છાણમૂતર અને બીજી અનેક ગંદકીઓ આવાં ડેમોમાં ભેગી થાય છે, તેથી હું આવા ડેમોને એક પ્રકારની કચરો સંગ્રહ કરતી કચરાપેટી કહું છું. કોઈ એમ કહે કે “ડેમનું પાણી એ વરસાદનું પાલર પાણી કહેવાય.તેમાં પ્રદૂષણ ન હોય.” તો તેમની એ માન્યતા ભૂલભરેલી છે. જો પાલિકાઓ ડેમનું પાણી ફીલ્ટર કરીને ન આપતી હોત તો તેવું પાણી આપણે પી શકતા હોત ? તેમ છતાં પાલિકાના નળનું ફીલ્ટર થયેલું પાણી આપણે જે ટાંકામાં ભરીએ છીએ તે ટાંકો છ મહિને એક વાર સાફ કરો ત્યારે તળિયેથી કેવો કદડો નીકળે છે ? કેટલી ધૂળ પાણીમાં મળેલી જોવા મળે છે ? આપણે હવે ઘરેઘરમાં R.O.પ્લાન્ટ  એટલે જ ફીટ કરવા પડે છે. RO ની કેન્ડલ કેટલી ખરાબ થઈ જાય છે ? નહિતર પાલિકા તો ફીલ્ટર કરીને જ આપણને પાણી આપે છે,  છતાં તે 100% શુદ્ધ થતું નથી.

હવે ROની મર્યાદા પણ જાણી લો.પશ્ચિમના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે RO નાં પાણીમાંથી શરીરને ઉપયોગી એવા બે તત્વો મેગ્નેશ્યમ અને કેલ્શયમ બંને નીકળી જાય છે,  જેથી ROનું પાણી પણ 100% પીવા લાયક ન ગણી શકાય.તો હવે પીવાનું શુદ્ધ પાણી મેળવવા શું કરવું જોઈએ ? શુદ્ધ પાણી મેળવવાનો રામબાણ ઈલાજ એક માત્ર વરસાદી પાણીનો સંગ્રહ છે.એ જ અમૃત છે અને એ જ ગંગાજળ છે એમ માનજો.

તમારી પાસે તમારું પોતાનું ટેરેસવાળું મકાન હોય તો તમે  ફળિયામાં ભૂગર્ભ ટાંકો બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી લો.આખું વરસ અમૃત પીઓ અને આર.ઓ.ની  જરૂર જ નહીં રહે ! મારાં જૂનાગઢનાં ઘરે 25000 લીટર અને રાજકોટનાં કરણ પાર્કમાં આવેલાં મકાનમાં 10,000 લીટરના વરસાદી પાણીના ટાંકા અમે બનાવ્યા હતા.

તમારી 10 બાય 10 ની નાની ટેરેસ હોય અને જો તમારા ગામમાં 12 ઈંચ વરસાદ પડે તો તમારી ટેરેસમાં કેટલું પાણી પડે ? તમારી ટેરેસ કુલ 100 ચોરસ ફૂટ થાય છે તો તેમાં એક ચોરસ ફૂટમાં 27 લીટર પાણી મળે અને 100 ચોરસફૂટે 27,00લીટર પાણી મળે જે પાંચ છ વ્યક્તિના એક પરિવારને માટે આખું વરસ પીવા માટે પૂરતું થાય છે. પણ કોઈ પણ મકાન ઉપર ફક્ત 100 ફૂટની ટેરેસ ન હોય. નાનું મકાન હોય તો પણ 500 ફૂટ ટેરેસ હોય તો ફક્ત 12 ઈંચ વરસાદે તમારા ભૂગર્ભ ટાંકામાં 13,500 લીટર પાણી હિલોળા લેતું થઇ જાય. તમે તો આખું વરસ પીવો અને બીજાને પણ પાવ તોય નહીં ખૂટે.

બીમાર માટે અમારા ઘરેથી વરસાદી પાણી  લેવા ઘણા લોકો આવતા ત્યારે અમને પરબ માંડી હોય તેવો આનંદ થતો… હવે જુઓ ! રાજકોટમાં કેટલાં મકાનો હશે ? એ બધાં મકાનો ઉપર 50 ઈંચ લેખે કેટલું પાણી પડયું હશે ? એ પાણી ક્યાં ગયું ? ભારત દેશમાં સેંકડો નાનાં મોટાં નગરો અને લાખો ગામડાઓમાં કુદરત ઘેર બેઠાં  ટેરેસ ઉપર સીધી અમૃતધારા વરસાવે છે,  જેથી એ પાણી પ્રદૂષિત થયા વિના શુદ્ધ સ્વરૂપે જ આપણને મળે, પણ આપણે દેશભરના લોકો વરસાદનું અબજો અબજો લીટર પાણી ગટરોમાં વહેતું જોઈએ છીએ ! અને તાળીઓ પાડીએ છીએ !! મોટાં નગરોમાં ઘરઘરનું પાણી રોડ ઉપર આવી જાય છે અને ગટરો ચોકઅપ થઇ જાય છે. ગાડીઓ અને બાઈક ડૂબી જાય છે અને બસ અંડર બ્રીજમાં સલવાઇ જાય છે !!  જો દેશનાં તમામ મકાનોના ટેરેસનું પાણી ભૂગર્ભ ટાંકાઓમાં ઉતારી દેવામાં આવે તો રોડ ઉપર થતા જળભરાવની અનેક સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ વિનામૂલ્યે થઇ જાય, પણ આવો વિચાર કરવો જ નથી, એટલે  પ્રદૂષિત પાણી પીધાં વિના છૂટકો જ નથી.

આ વખતે તો કચ્છમાં પણ ધોધમાર પડયો છે.ત્યાં પણ વરસાદનું પાણી ઝીલીને ભૂગર્ભ ટાંકીઓમાં ભરી લેવાય તો દૂરદૂર સુધી પાણી ભરવાં બેડાં લઈને જવું ન પડે. બજારમાં 20 રૂપિયાની એક બોટલ મળે છે, જે એક લીટર હોય છે. તમારા ઘરે 10,000 લીટર વરસાદી પાણી ભરી લો  તો તે 2,00,000 (બે લાખ રૂપિયા)નું થાય.એક જ ચોમાસે તમને કુદરત 20 લાખ રૂપિયાનું શુદ્ધ અમૃત જેવું પાણી સાવ મફત આપે છે અને પછી દર વર્ષે તમને 20 લાખનું શુદ્ધ પાણી સાવ મફતમાં મળશે અને તે પણ 50થી લઈને 100 વરસ સુધી ! ત્રણ ત્રણ પેઢી આ અમૃત પીશે,  પણ કમનશીબી કે  આપણે તેવું અમૃત નથી લેવું. વેચાતું લઈને પીવું છે !પૈસા હોય એટલે વેચાતું લઈશું.પણ વેચાતા ટેન્કરનું પાણી ક્યાંથી ભરી લાવે છે તે ક્યારેય તમે જોયું છે?

વરસાદી પાણીને પણ ટાંકા ઉપર કપડું મૂકીને ગાળીને ભરો. ઢાંકણું એરટાઈટ રાખશો તો પાણી બગડશે નહીં.અંદર કોઈ ટીકડીઓ નાખવાની જરૂર નથી,  તેમ છતાં તમને એવું લાગે તો કપડાના એક ટૂકડામાં 50 ગ્રામ ચૂનો બાંધીને પોટલીને ટાંકાના તળિયે મૂકી દો.કોઈ જીવાત નહીં થાય. રાજકોટના મારા વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકાનો એક લેખ લોકલ ન્યુઝ પેપરમાં વાંચીને તત્કાલીન મ્યુ.કમિશનર શ્રી વિજયકુમાર નેહરાએ મારા ઘરે મહાનગર પાલિકાના ત્રણ સીવીલ એન્જીનીયર્સને રૂબરૂ સીસ્ટમ જોવા મોકલ્યા હતા. તેઓએ સીસ્ટમના ફોટા પાડયા અને એક લીટર પાણીની બોટલ ભરી ગયા.એક સપ્તાહ પછી મને એક એન્જીયર રૂબરૂ આવીને લેબોરેટરીનો રીપોર્ટ આપી ગયા, જેમાં લખ્યું હતું કે, “100% શુદ્ધ પીવા લાયક પાણી મારી પાસે હજી એ લેટર છે.

આ તો અહીં અમેરિકામાં બેઠા બેઠા હું જોઉં છું કે રાજકોટ અને બીજા નાનાં મોટાં કેટલાં શહેરોનું અધધધ અબજો અબજો લીટર પાણી ગટરોમાં ચાલ્યું જાય છે, પછી ઉનાળામાં એક એક બેડાં માટે આપણે કેવાં હવાતિયાં મારીએ છીએ? અમે તો ઘણાં વરસ વરસાદનું પાણી પીધું છે,  જેનો અમને ખૂબ સારો અનુભવ છે, પણ મારા  જેવા નાના માણસની આ અતિ ઉપયોગી વાત સમજીને લોકો અપનાવે તો તો દેશની પ્રજા સુખી ન થઇ જાય ?

તેનાં બદલે જેમ સાલે (ચાલે ) એમ જ સાલશે (ચાલશે )! માતાજી સૌને સુખી રાખે !!

મારી  આ લઘુલેખ જેવી વિગતો વાંચીને જો ફક્ત એક વ્યક્તિ પણ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકો બનાવશે, તો મારી મહેનત લેખે લાગશે…”

કહે છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે ત્યારે, આપણી સરકારો અને જળક્રાંતિ માટે જોર પૂર્વક લાગી પડેલા કાર્યકરો વિનોદભાઈની આ વાતને કાને ધરશે તો  ‘મેરા ભારત મહાન’ તે વખતે આપણે કહી શકીને બચી જઈશું.

નાસા   અને “શિવ વિજ્ઞાન”…?

નાસા અને “શિવ વિજ્ઞાન”…?

 

ગોસ્વામી શ્રી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસને વિશ્વ સંસ્થા UNO સુધી લઇ જનાર પ્રિય મોરારીબાપુની ત્યાંની માર્મિક વાતો સાંભળીને  વિશ્વની વિજ્ઞાન સંસ્થા નાસા નું સ્મરણ થયું.

નાસાને વૈજ્ઞાનિક સંસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. જે ખાસ કરીને અવકાશ વિજ્ઞાનમાં અને વિજ્ઞાનની જટિલ પ્રક્રિયાઓમાં સંશોધન સતત કરી રહેલી સંસ્થા છે. નાસાને પોતાનું શિવ વિજ્ઞાન હોઈ શકે એમ કોઈ કહે તો તમને આશ્ચર્ય થાય ને !  પણ નાસાની ઘણી બધી શોધમાં શિવના અસ્તિત્વની ચર્ચા થઈ છે. જો કે આ અંગે નાસા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ થયેલ નથી. પરંતુ નાસાના ન્યુસ્ટાર નામના ન્યુક્લિયર સ્પ્રેક્ટોસ્કોપીક ટેલિસ્કોપે ૨૦૧૪ માં પૃથ્વીથી 17000 પ્રકાશ વર્ષ દૂર આવેલા નેબ્યુલાનો એક ફોટો ઝડપેલો. વિજ્ઞાનની ભાષામાં આ નેબ્યુલા પલસર વિન્ટેજ નેબ્યુલા તરીકે ઓળખાય છે. પણ નાસાએ તેનું નામ the squad રાખ્યું. લોકોએ આ નેબ્યુલાની તસ્વીર નિહાળી તો તેમને આ નેબ્યુલા શિવના હાથના આકાર જેવું દેખાયું.!!

કહે છે કે ૨૦૧૭ માં હબલ ટેલિસ્કોપની મદદથી નાસાએ અલગ અલગ ફોટા પાડયા તેમાં તેમને વાદળોના તરેહતરેહના અસંખ્ય સમૂહો જણાયા. પરંતુ નાસા દ્વારા પ્રકાશિત થયેલી તસ્વીર ભગવાન શંકરના ત્રિશુલ તરીકે લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ. ૨૦૧૭ માં જ નાસાએ હબલ ટેલિસ્કોપની મદદથી પૃથ્વીથી ૭૫૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલો ખુબ બધા ગેસોનો વિશાલ સમૂહ જોયો. નવજાત તારાઓના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થયેલા વિવિધ ગેસોને કારણે બનેલા આ નેબ્યુલાને નાસાએ ખેરીનાં નેબ્યુલા તરીકે ઓળખ્યો. પરંતુ નાસાએ બહાર પાડેલી તસ્વીરોમાં લોકોને  જટાધારી શિવના દર્શન થયા. આજે પણ આ તસ્વીર સોશિયલ મીડિયામાં પ્રચલિત થઈ રહી છે. ખૂબી તો એ છે કે નાસાએ એક પ્રયોગમાં એવું તારવ્યું છે કે, પૃથ્વી પર રહેલું DNA શિવલિંગ સાથે હલાસ્કા ખાતે પ્રાપ્ત થયું. આ શિવલિંગ કોઈ ઉલ્કાપિંડ સાથે પૃથ્વી પર આવ્યું હશે તેવું સંસ્થાનું માનવું છે. આમ,  નાસા જેવી વિજ્ઞાન સંશોધન સંસ્થાના પ્રયોગો સાથે લોકોની ભગવાન શિવ પ્રત્યેની આસ્થા સંકળાયેલી છે. સત્ય તારવવું આવશ્યક છે.

સ્વીટરઝરલેન્ડના જિનીવા શહેર ( જ્યાં UNO નું એક મથક પણ છે.) પાસે CERL એવું ટૂંકાક્ષરી નામનું કુલ છ પાર્ટિકલ એક્સેલરેટર્સનું ગંજાવર સંકુલ છે. લીગ્સ બોઝોન પાર્ટિકલ માટેનો સફળ પ્રયોગ જ્યાં યોજાયો અને બ્રહ્માંડના જન્મ વખતના અન્ય કણો એટલે કે પાર્ટિકલ્સનો તાગ મેળવવાના અમુક પ્રયાસો જ્યાં સફળ થયા તે large hadron collider (LHC ) એક્સલેટર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. સૌ જાણે છે તેમ દસ અબજ ડોલરના ખર્ચે બનેલું LHC કાંઈ  જેવું તેવું પાર્ટિકલ એક્સલરેટર નથી. પુરા ૨૭ કિમી ના પરિઘમાં ફેલાયેલું છે. સંકુલના મુખ્ય  બે મકાનોની વચ્ચે તાંડવમુદ્રા દર્શાવતા નટરાજની બે  મીટર  ઊંચી પ્રતિમા છે. અહીં તેની હાજર સૂચક લાગે છે. ૧૮ જૂન, ૨૦૦૪ માં ભારત સરકારે CERN સંસ્થાને ભારત દેશ સાથેના વર્ષો જુના જોડાણની ખુશીમાં ભગવાન શંકરનું કોસ્મિક નૃત્ય દર્શાવતી નટરાજની આ આકર્ષક મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. ભારતીય સરકાર દ્વારા ભેટ સ્વરુપે આ દેવતાને એક રૂપક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કારણ કે નટરાજનું નૃત્ય એ સબએથોમિક પાર્ટિકલ્સના કોસ્મિક નૃત્યના આધુનિક  અભ્યાસ સાથે સુમેળ સાધે છે.

વિશ્વભરના ૮૫ દેશોના ૮૦૦૦ વૈજ્ઞાનિકો અહીં કાર્યરત છે જેમાં ભારતના ૭૦ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. આ સૌ વૈજ્ઞાનિકો નટરાજના પ્રભાવ નીચે રહેલા બ્રહ્માંડના આદિ તથા અંત વિષે સંશોધન ચલાવી રહ્યા છે.યાદ રહે સંશોધન ૧૯૫૪ થી ચાલતું રહ્યું છે. પ્રસિદ્ધ ભૌતિક શાસ્ત્રી સેબ્રાએ નટરાજ સ્વરૂપના તાંડવ નૃત્યને પરમાણુની ઉત્પત્તિ અને વિનાશ સાથે જોડેલ છે. આને લગતી વિસ્તૃત  ચર્ચા તેમણે  ૧૯૭૨ માં પ્રગટ થયેલા પોતાના પુસ્તક મેઈન કરન્ટ્સ ઓફ મોર્ડન થોટ માં ‘ડાન્સ ઓફ શિવા’  જેવા શીર્ષક હેઠળ લખાયેલા પ્રકરણમાં કરી છે. આ સેબ્રાએ CERN ખાતે સ્થપાયેલ નટરાજની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. CERN ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એ લોકો જે પ્રયોગો કરી રહ્યા છે એ ભગવાન શિવના સંહાર કરવાના સિદ્ધાંત પર આધારિત છે, જેમ કે પહેલા સંહાર કરો, પછી નિર્માણ કરો. તે જ પ્રમાણે નાસા દ્વારા થતા  પ્રયોગનું નામ પણ ભગવાન શિવના નામ ઉપર રાખવામાં આવ્યું છે. “The shiva project – સ્પેસ ફ્લાઈટ, હોલોગ્રાફી ઈન અ વર્ચ્યુઅલ એપેરેટ્સ.’ પ્રાચીન ભારતે પીરસેલી આધ્યાત્મિક જ્ઞાનની આ પ્રસાદી રમ્ય ઘોષા નદીની માફક ખળખળ વહે છે તે આનંદનો વિષય છે.

ભગવાન શિવને વિજ્ઞાન અને વિજ્ઞાનના સંશોઘનો સાથે બેશક જોડી આપવાની વાત એક અભ્યાસપૂર્ણ પુસ્તકમાં થઈ છે. શ્રીમતી હિમા વિપુલ યાજ્ઞિક વડોદરા ખાતેથી ગુજરાતી સાહિત્યમાં છાનુંછપનું પ્રદાન કરી રહ્યા છે. એમનું પ્રદાન સાહિત્યનું ગણવું કે સંશોધનાત્મક ગણવું કે પછી ધર્મ અને અધ્યાત્મને સ્પર્શતું ગણવું એ વિવેચકોનો વિષય છે પણ જ્યાં સુધી હિમા યાજ્ઞિકને સબંધ છે ત્યાં સુધી તેઓ આ સમગ્ર કાર્ય પોતાના હૃદયમાં જે ભાવ ઊગે છે તે ભાવને વાચા આપવા માટે કલમ દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. તેમના દ્વારા ભારતના ઋષિઓ ઉપરનું પણ એક સુંદર પુસ્તક પણ આપણને હમણાં જ મળ્યું છે. શ્રીમતી હિમા યાજ્ઞિક ગૃહિણી છે એમ કહેવાય છે પણ એવું લાગે છે તેઓ જેટલો સમય પોતાના ઘરના રસોડામાં વિતાવતા હશે તેનાથી વધુ સમય  તેઓ પોતાના ઘરના એક અલગ ખૂણામાં રહેલા લેખન-મંદિર પાસે પણ વિતાવતા હોવા જોઈએ.

ચાર દિવસની જિંદગી હોય , તો પછી પાંચમાં  દિવસે ??

ચાર દિવસની જિંદગી હોય , તો પછી પાંચમાં દિવસે ??

જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે.

ઘણા લોકોને ઘણીવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે, આ જીંદગી ચાર દિવસની છે. ‘ચાર દિન કી ચાંદની’ એવું લોકો કહેતા હોય છે. મનમાં ક્યારેક પ્રશ્ન થાય કે, ચાર દિવસની જીંદગી છે એનો ખરેખર વ્યાપક અર્થ શો કરવો? ચાર પછી આવતો પાંચમો દિવસ શું છે ? અને વાસ્તવમાં આ પાંચમો દિવસ ચાર પછી જ આવે  કે ?

મન છે એટલે એને પ્રશ્નો થવાના. અને પ્રશ્ન થશે તો એના ઉત્તર શોધવા માટે ગડમથલ કરવાની. ચાલો,  આજે થોડી ગડમથલ કરીએ.

ખરેખર આ ચાર દિવસમાં જ જિંદગી છે અને પછી શું મૃત્યુ છે? ના, આ ગૂઢ વાત છે. ઊંડાણ વાળી વાત છે. ઝડપથી મનમાં ઉતરી જાય એવી વાત નથી. પાંચમા દિવસનો અર્થ જ એ છે કે, જ્યારે તમારી ચાર દિવસની જિંદગી પૂરી થઈ અને પરમાત્મા સાથે મિલનની ઘડી આવી તે પાંચમો દિવસ છે. ચાર દિવસમાં ઈશ્વર સાથે મિલન થતું નથી. કારણ કે જિંદગી આપણી છે એટલે એમાં અહંકાર છે. અહંકારમાં ક્યારેય  મિલન શક્ય નથી. મિલન તો અહંકાર છૂટી જાય પછીના મૃત્યુમાં છે. જે મટી જાય છે, જે ઓગળી જાય છે, તેનું મિલન શક્ય છે. અને એ મિલન શક્ય બને તે દિવસ એ પાંચમો દિવસ છે. જે જીંદગીની બહાર હોઈ શકે. એનો અર્થ એવો થયો કે,  આપણે જીવતા શીખીએ કે ન શીખીએ પણ આપણે મરતા શીખવું પડે. અને તો જ પાંચમો દિવસ આપણે જોઈ શકીએ.

હકીકતમાં મરવાની કળાનું નામ ધર્મ છે. એવી રીતે મરવાની કળા કે ફરી તમારે જન્મ લેવો પડે. એવી રીતે મરવાની કળા કે જેમાં મર્યા એટલે મર્યા, કાયમ માટે મર્યા. જેમ આપણે ફના થઈ ગયા એમ કહીએ, એટલે કે ભસ્મ થઈ ગયા, એમ શૂન્ય થઈ ગયા. તો અસલી જીંદગી જો મેળવવી હોય તો ફના થઈ જવું પડે. અસ્તિત્વ સાથે મેળાપ કરવો હોઈ, વાસ્તવિક અસ્તિત્વ સાથે ભળી જવું હોય તો આપણે મરણની કળા શીખવી જોઈએ. વાત તો જરા ઉલ્ટી થઈ કે તમારે જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે. આપણે  જીવનભર એની શોધ કરીએ છીએ.  એટલે આપણને એનું રહસ્ય મળતું નથી.પરંતુ રહસ્ય એને મળે છે, જે મૃત્યુમાં તેને શોધે છે.

આપણે  પેલી જૂની પુરાણી વાર્તાઓ યાદ કરીએ. બાળકોની કહાનીઓમાં એવું કહેવામાં આવતું કે,  કોઈ રાજા એવો હતો કે જેને કોઈ મારી ન શકે, એટલે પોતાની જીંદગી એક પોપટમાં, પોપટની ગરદનમાં રાખી દે. રાજા ઉપર ગમે તેટલા ઘા કરો પણ તે મરે નહિ. પણ તમે જેવું જઈને પોપટની ગરદન મરડી દો, તે તરત જ રાજા મરી જાય.!! ત્યારે તો આ વાર્તા ક્ષુલક લાગતી હતી. આજે હવે અર્થપૂર્ણ લાગે છે. આમ જો કે બાળકોની જ વાર્તા છે, વૃદ્ધો સમજી ન શકે. પણ નાનપણમાં આપણને એ રહસ્ય સમજાવવા તરફ ઈશારો કરતી એ કહાની છે. એમ કહેવા માંગે છે કે જ્યાં તમને જીંદગી દેખાય છે,  ત્યાં જીંદગી નથી. જીંદગીનું રહસ્ય કોઈ બીજી જગ્યાએ  પડ્યું છે. તમે જેના વિશે વિચારી પણ નથી શકતા એ જગ્યાએ છુપાયેલું છે. હું અને તમે જેની કલ્પના ન કરી શકીએ એવી જગ્યાએ એ પડ્યું છે. અને તેથી જે  હોશિયાર છે તે લોકો એવી જગ્યાએ વસ્તુને સંતાડી દે છે કે જેના વિશે કોઈને કશો વિચાર ન આવે.

એક ઉદાહરણ લઈએ. મારી પાસે કેટલાક અસલી હીરા છે. હવે એને હું મારા ઘરમાં રહેલી કચરો ભરવાની બાલ્ટીમાં નીચે સંતાડીને રાખી દઉં છું. આમ કરવાથી ઘરમાં ઘૂસીને ચોર કશું પણ મેળવવા માંગે તો એને હીરા સુધી પહોંચવામાં તકલીફ પડવાની. કારણ કે કોઈ ચોર આવીને કચરા ટોપલી નથી જોવાનો. એ તિજોરીમાં શોધશે. જેની ઉપર બહાર તાળું લટક્યું છે, તેની અંદર હશે એમ માનશે. ક્યાંક જમીનમાં ટાઇલ્સ ઉંચી થઈ ગઈ હશે તો એ ખોલીને જોશે. કોઈ એવું વિચારી પણ નથી શકતું કે જે હીરો છે એ બહાર પડેલી કચરા ટોપલીમાં હશે. જે ઘરનો કચરો બહાર ફેંકી દેવાનો હોય એની અંદર હીરા છુપાયેલા પડ્યા છે. બસ આવું જ છે. જીંદગીનું રહસ્ય મૃત્યુમાં છુપાઈને પડ્યું છે, જેના વિશે કોઈ વિચાર નથી કરી શકતું .

મૃત્યુ એ જિંદગીથી ઉલ્ટી પ્રક્રિયા છે. એવી રીતે જીવો કે તમારું સરનામું ખોવાઈ જાય. અને એવી રીતે મરો કે તમારું નિશાન પણ ન રહે. એક જ ઉપાય છે, પાંચમો દિવસ. ચાર દિવસની જિંદગી અને પછી પાંચમો દિવસ. આ ચાર દિવસની જિંદગી તો એવી રીતે વીતી જાય છે,’ દો આરઝૂ મેં બીતે, દો ઇંતઝાર મેં’.  બે દિવસ માંગવામાં ગયા અને બે દિવસ પ્રતીક્ષામાં ગયા. બહુ કંઈ હાથ લાગ્યું નહીં.

હવે પાંચમો દિવસ મહત્વનો છે. જ્યારે મને ને  તમને ખબર પડે કે, મારું હોવું એ મારું હોવામાં જ અડચણ બરાબર છે. કારણ કે મારા હોવાનો મતલબ છે, હું પરમાત્માથી અલગ છું. હું છું એમ માનું છું ત્યારે જ હું પરમેશ્વરને આઘો  મુકું છું. મારું હોવાનો મતલબ જ એ કે હું એક નથી, સંયુક્ત નથી. એ પરિપૂર્ણની સાથે હું એકરસ નથી. આ જ મોટું સ્પીડબ્રેકર છે. આ જ દુઃખ છે અને આ જ નરક છે.

જો દીવાલ હટી જાય, મારા હોવાપણાનો ખ્યાલ જતો રહે, તો જે મળે છે એ મૃત્યુ છે. ફરી એકવાર મૃત્યુનો અંત એ કે જેમાં હું છું ‘આઈ એમ સમથીંગ’ એ અહંકારને આપણે કાપીને ફેંકી દઈએ. હું તારાથી અલગ નથી, હું તારી અંદર છું. મારી અંદર જેવી સાગરની લહેરો ઊઠે છે એવી જ લહેરો તારી અંદર છે. મોજા સમુદ્રથી અલગ નથી હોતા. ગમે તેટલા ઉછળે, ગમે તેટલી ઊંચાઈ ઉપર જાય, જહાજોને ડુબાડી શકે છે, પહાડોને ડુબાડી શકે છે. પરંતુ એ લહેર સાગરની છે, સાગરથી અલગ નથી.

પોતાની જાતને અલગ માનવી એ આપણાં  જીવનની મોટામાં મોટી અડચણ છે. ત્યાંથી જ પરમાત્મા અને આપણી વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે. અને એ જ ક્ષણ જો આપણને ખબર પડે તો ખ્યાલ આવે કે જિંદગીના ચાર દિવસ પછીનો દિવસ વીતવાની શરૂઆત થઈ. એવું નથી પાંચમે દિવસે બધું પૂરું થાય. પાંચમાં  દિવસ પછી પણ આપણે જીવી શકીએ. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી આવ્યો. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ આવ્યો તે પછી તો એ 40 વર્ષ વધુ જીવ્યા. પરંતુ એ જીંદગી પહેલા જેવી ન હતી, અલગ હતી. એ જીંદગીનો રસ કોઈ જુદો હતો, ઉત્સવ કોઈ જુદો હતો. એના પછી તો તેઓ સાચું જીવ્યા. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા, ‘તમે તમારી જિંદગી એ દિવસથી ગણજો, તમારું જીવન એ દિવસથી ગણજો, જે દિવસે તમે સંન્યાસ લો. એના પહેલાની જીંદગીને  ગણતરીમાં લેતા નહીં.

એ સમયનો એક સમ્રાટ હતો ‘પ્રસ્યેનજીત ‘. એ બુદ્ધના દર્શન માટે આવતો. આવીને એક વખત બાજુમાં બેઠો ત્યારે એક ભિક્ષુ  આવ્યા. જેની ઉંમર લગભગ 75 વર્ષ હશે. એ વૃદ્ધ હતાં. એમણે ઝૂકીને બુદ્ધને નમસ્કાર કર્યા. બુદ્ધે પૂછ્યું, ‘ભિક્ષુ તમારી ઉંમર કેટલી?’ એ ભિક્ષુએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે, ‘ચાર વર્ષ પ્રભુ.’  પ્રસ્યેનજીત તો હેરાન થઈ ગયો. એને થયું કે,  હદ થઈ, ચાર જ વર્ષ ! એકાદ-બે વર્ષ આઘા પાછા હોત તો ચલાવી લેત, પણ આ દેખાઈ છે તો 75 વર્ષનો. કદાચ 65 કહ્યા હોત કે 70 કહ્યા હોત તોય વાંધો ન હ્તો. એને આમ થયું કે કદાચ મને બરાબર સંભળાણું નથી.  એ વૃદ્ધને પ્રસ્યેનજીતે  કહ્યું કે,  ‘મહાનુભાવ, હું બરાબર સાંભળી ન શક્યો આપે શું જવાબ આપ્યો. જરા જોરથી કહેશો? કેટલી ઉંમર છે આપની?’ તે વૃદ્ધે કહ્યું, ‘મહારાજ ચાર વર્ષ’. પ્રસ્યેનજીતે બુદ્ધની તરફ જોયું. બુદ્ધ હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘તમને કદાચ ખબર નહિ પડે કે અમે ઉંમર કઈ રીતે ગણીએ છીએ. આ વ્યક્તિ ચાર વર્ષ પહેલા સંન્યાસી થયા છે તો એની ઉંમર પણ ચાર વર્ષની જ ગણાય ને. એના પહેલા તો તે સુતા હતા. ધ્યાનની કોઈ પ્રકારની ઝલક પ્રાપ્ત થઇ ન હતી તો એ નીંદરના વર્ષોને કેમ  ગણાય?? એ તો અંધારું હતું, એ રાત હતી, એની ગણતરી તો નકામી કહેવાય, કચરો કહેવાય. અને તેથી એ દિવસથી ગણતા આ વ્યક્તિને ચાર વર્ષ થયા છે. જે દિવસથી વ્યક્તિ શ્રોતાપન્ન થયો, જે દિવસથી એણે સત્યની ખોજની તલાશનું પહેલું કદમ ઉઠાવ્યું, એ દિવસથી અમારે ત્યાં હંમેશા ઉંમર ગણાય છે.’

બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી શરુ થયો. પછીના ચાલીસ વર્ષ એ જીવ્યા. પરંતુ આ જે ચાલીસ વર્ષ હતાં એ જુદા જ  મહિમાનાં હતાં, જુદી ગરીમાના હતા, જુદા જ પરમાત્મમય અને ભગવત્તા પૂર્ણ  હતાં. એમાં સીમા ન હતી. ચાલીસ વર્ષ સુધી લહેરની તરફ જીવ્યા. પરંતુ પાંચમો દિન આવ્યો અને પછીના  ચાલીસ સાલ સાગરની જેમ  જીવ્યા. આપણી જીંદગી ભલે ચાર દિવસની રહી, આપણે સ્વાગત તો પાંચમા દિવસનું કરવાનું છે.

 

 

 

 

 

 

દાન સમાજના અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે.

દાન સમાજના અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે.

જે દાન આપે તેને આપણેદાનવીરકેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું સાહસ છે ? જવાબ છે હા‘. 

”માણસ તું તારા શુદ્ધાત્માને ઓળખ, પામ, તું તારા કર્મ અંગે જાગૃત થા, તું તારા વિચાર અંગે, તારા ચૈતન્ય સાથે સંવાદ કરી જરૂરી મેલને દૂર કર, તું તારા મૈત્રી ભાવનો વિસ્તાર કર, તું તારી પ્રમોદ ભાવના બળવાન કર, તારી કરુણામાં શંકા ભેળવી એને મલિન ના કર. એ માણસ, તું સર્વ શક્તિમાન છે, તને જગતના નાથે સર્વસ્વ આપ્યું છે, તેનો યોગ્ય દિશામાં ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેને તું સતત ચિંતન કર”.

આપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓ અને સંઘ દ્વારા પ્રકાશિતપ્રબુદ્ધ જીવનના દાન ધર્મ વિશેષાંક વિષે ભૂમિકા ગત લેખમાં બાંધી છે. આજે તે અંકની મદદ લઈને દાન મહિમાનું ગાન કરીએ.

અનુકંપા, દાન, સહકાર, સાથ અને હાથ લંબાવવાની ભાવના આપણામાં ઉઘડે એવી આ વાત આપણને સ્પર્શી જાય છે. એક સરસ મજાના ઉદ્યાનમાં હજારો કમળ ખીલતા હોય ત્યારે એ સુંદર દેખાય એ તો સ્વાભાવિક છે. પણ અમુક કમળ ખીલે અને અમુક ન ખીલે ત્યારે એનું પાલનપોષણ કરનારના મનમાં વિશાદ થાય. વિશાદ છવાઈ જાય અને મનુષ્યને ઘેરી વડે. અને એને સતત એવી ઈચ્છા થાય કે હું પણ કોઈ એવું કામ કરું કે મારી બાજુવાળું કમળ ખીલે. આ અન્યનો વિચાર કરવાની વૃત્તિ સાથે જ્યારે કરુણા ભળે છે ત્યારે દાન નો જન્મ થાય છે.

વીતરાગ જિનેશ્વર માનવના ઉદ્ધાર કરનાર જે ધર્મ કહે છે તેમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકાર છે. દાન અને તપ, શીલ અને ભાવની શ્રેણીમાં પહેલા સ્થાને મુકેલ છે.  दान, शीलो, तपो, भवये. ખરેખર દાન વિશેના આપણા વિચારો વ્યક્તિએ વ્યક્તિએ જુદા છે. અને આ જુદા વિચારોને લઈને દાન કરતી વખતે આપણે થોડા અસમંજસમાં હોઈએ છીએ. સંસ્થાના પરિચય મેળવ્યા પછી કંઈક કરવું એવો નિર્ણય લેતા હોઈએ છીએ. વ્યક્તિને આજે દાન આપીશું અને કાલે એ યોગ્ય નહિ નીકળે તો ? એવો વિચાર કરીને આપણે અટકી જતા હોઈએ છીએ.

કહ્યું છે એવું  કે,  દાન સમાજના અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે. આપણે ત્યાં કહેવતોમાં વર્ષોથી કહેવામાં આવ્યું તે છે કે,  જમણો હાથ આપે તેની ડાબા હાથને ખબર પડે. આપણને મનમાં ચોંટી ગયેલું આ વાક્ય છે. જગતના સર્વ ધર્મોમાં દાનની હુંફ વિશે લખ્યું છે. આપણા ગ્રંથોમાં  દાનનો ઉદેશ્ય છે અને એના લક્ષણો પણ છે. આપણો સ્વાર્થ એટલે ‘મારે શું, અને મારું શું ?’  આ સ્વાર્થમાંથી મુક્તિ મળે એને દાન કહેવાય. આપણે ‘હું’ માટે જીવીએ છીએ. ‘મારું’, ‘મારા’ એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આપણા ‘હું’ ના કેન્દ્રને થોડું વિસ્તૃત કરવું અને વસુધૈવ કુટુંમ્બક્મ ની ભાવનામાં પ્રવૃત થવું એ દાન છે.

દાનનો હેતુ સદગતિનો છે. સદગતિના મૂળ વિચારમાં સદવિચાર, સદવર્તન, અને સદ હેતુ રહેલા છે.  હેતુ પહેલા, પછી વિચાર, અને પછી વર્તન.  ‘મારા થકી કોઈનું સારું કરવું,’  એવું નહીં પણ ‘મારા સુખમાં સૌને સમાવવું,’  એમ જ્યારે કહેવાય ત્યારે દાન દાન બને છે’. સમાજ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, શાસન પ્રત્યે મારી ફરજ છે. અને મને એ ફરજમાંથી ઋણ મુક્તિનો અવસર કોઈ આપતું હોય તો એ વહેંચતા રહેવાની, આપતા રહેવાની આવડત મને બધું આપે છે.

એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે,  દાનમાં મૌન ભાવનું આગવું મહત્વ છે. આપણને સૌને વ્હાલી એવી એક કથા આપણે વારંવાર સાંભળીએ છીએ અને કોઈને કહીએ છીએ. કૃષ્ણ અને સુદામાની મૈત્રીની એ અપ્રતિમ ઘટના છે. સુદામા અકિંચન અવસ્થામાં સાત્વિક જીવન જીવે, પરંતુ તેની ઈશ્વર સાથેની મૈત્રી અતૂટ. એ કોઈ દિવસ  કશું માંગે નહિ. અને મિત્ર પાસે પોતાની જે સ્થિતિ છે એને છતી ન થવા દે. પણ પત્નીનાં આગ્રહથી દ્વારકા જવા માટે નીકળેલા સુદામા પત્નીએ આપેલા તાંદુલ લઈને સંતાડતા-સંતાડતા દ્વારકા પહોંચ્યા. સુદામા માંગી નથી શકતા અને શ્રી કૃષ્ણ એમને ભેટ સોગાદો આપી નથી શકતા !!  સતત ભય રહે છે માંગનારને કે,  માંગવું કે નહિ. અને સતત ભય રહે છે આપનારને કે,  આપું ને મિત્રને ઓછું આવી જાય તો ? પરિણામે કૃષ્ણ એમને મુલાકાત દરમિયાન કશું આપતા નથી. પરંતુ ઘરે પહોંચે છે ત્યારે ઝૂંપડાની જગ્યાએ સમૃદ્ધિ ભરાઈ ગઇ છે. મિત્રપ્રેમ અને ખુમારીનાં સન્માનનું આ કેટલું અદ્ભૂત રૂપ છે !!  પણ આપી દેવાનો તણખલા જેટલો ભાર મિત્રનાં ખભ્ભે ન લાગે તેની કેવી કાળજી છે !!

કહેવાય છે કે જે આપે છે તેને  ચિંતામુક્ત અને રોગનાશક વરદાન પ્રાપ્ત થાય છે. કારણ કે આપવાથી અન્યના ચહેરા ઉપર સુખ, સંતોષ જોઈને જે મળે છે તે અમૂલ્ય છે. જે માણસ પરોપકાર નથી કરી શકતો તેના  હૃદયનું કરુણાનું ઝરણું સુકાઈ જાય છે અને તે જળ બની જાય છે. યાદ રાખવા જેવું છે કે માત્ર ધન એ દાન નથી. પરંતુ વિચાર, જ્ઞાન, સમય, સ્થાવર મિલકત, અન્ન, એમ અનેકાનેક રીતે દાન આપી શકાય.  શાસ્ત્રોમાં આહાર દાન, અભય દાન, ઔષધ દાન, જ્ઞાન દાન એવા ચાર પ્રકાર છે. 

‘પ્રબુદ્ધ જીવન’ ના અંકમાં પોતાના વિચાર વ્યક્ત કરતાં માનદ તંત્રી શ્રી  સેજલ શાહ કહે છે કે,  આ સર્વેમાં ઉત્તમોત્તમ જ્ઞાન દાન છે.કારણ કે એ અજર, અમર અને ક્ષુધાથી મુક્ત અને નિર્ભય બનાવવા સમર્થ છે. જ્ઞાન દાનથી આત્મ વિકાસ થાય છે અને આત્માના ગુણ ખીલવવાનું શક્ય બને છે. જ્ઞાન જીવનનું એક અત્યંત મહત્વનું સત્ય સમજાવે છે કે જે છે તે સદાકાળ નથી. પોતે નષ્ટ થાય પહેલા તું સર્વમાં વહેંચીને સફળ બન. જે નથી તે તારું નથી એટલે તેના મોહમાં વ્યર્થ સમય બગાડવાને બદલે તે નથી તેના અભાવથી તું મુક્ત બન. આ અભય દાનનું ઉદાહરણ છે

લક્ષ્મીની ત્રણ અવસ્થા છે : દાન, ભોગ, અને નાશ. એમાં છેલ્લી બે દુઃખદાયી છે. જયારે દાન એ ઉત્તમ અવસ્થા છે.  એક પ્રશ્ન વિચારવા જેવો છે કે, જે દાન આપે તેને આપણે દાનવીર કેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું એ સાહસ છે ? જવાબ ‘હા’ છે. આપણી પોતાની કમાયેલી સંપત્તિને આપવા માટે હૃદયની ઉદારતા જોઈએ, વૈશ્વિક વિસ્તૃતતા જોઈએ અને મનની તત્પરતા જોઈએ. જે મમત્વ, આસક્તિ, લોભ, લાલચ આદિ છોડીને નિર્લેપ  બનીને પ્રસન્ન રહી જીવી શકે છે, આપ્યાના ભાર વગર આપી શકે છે, તે વીર છે. અને એ દ્રષ્ટિએ દાન આપનારો વીર કહેવાયો છે.

આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ ભગવતગીતામાં દૈવી સંપત્તિ અને આંસુરી સંપત્તિની યાદી ભગવાને ગણાવી છે. અને એમાં દાનને પણ સ્થાન છે. સાત્વિક, રાજસિક, અને તામસિક, એવા દાનના  ત્રણ પ્રકાર પડે છે. (1) ઉપકારનો બદલો વાળવા, અથવા ફળની આશાએ જો દાન આપો તો એને રાજસ  દાન કહેવાય. (2) જ્યારે મનના ભાવ વિના પરાણે અપાતું દાન એને તામસ દાન કહેવાય. પરંતુ (3) કશું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિશે વિચારીને અપાતું દાન એ સાત્વિક દાન ગણાય. આપણે કોઈનો ઉપકારનો બદલો નથી વાળવો, આપણે કોઈ ઉપર અહેસાન નથી કરતા, પરંતુ હકીકતમાં તો આપણી ઉપર લેનારો અહેસાન કરી રહ્યો છે કે ઈશ્વરે એને આપણી પાસે મોકલ્યો છે અને એ મોકલવામાંથી આપણે એને આપવા માટે યોગ્ય બન્યા છીએ.

પ્રબુદ્ધ જીવનનાં દાન વિશેષાંકમાં શ્રીમતી ભારતી દિપક મહેતાએ આપણો પરિચય એક સુપેરા દાનવીર શ્રેષ્ઠી  સાથે કરાવ્યો છે. એ સુપેરા દાનવીર કે જેમણે પિતાની વિદાય પછી નવ જ વર્ષની વયે પેનની નિબ, ચોપડા  વગેરે નાની-નાની વસ્તુ વેંચીને પોતાના ભણવાની ફી ભરી અને વીસમે વર્ષે એ ‘સોનેરૂ સપનું જોનાર યુવાન ઉદ્યોગપતિ’ બની ગયા. 45મે વર્ષે કેમિકલની દુનિયાનાં બેતાજ બાદશાહ બન્યા. પરંતુ ગુરુના પરિચયમાં આવ્યા. અને ગુરુના પરિચયમાં આવ્યા પછી મંગલ કાર્યો કરતા-કરતા એવા સ્થાન ઉપર તેઓ પહોંચ્યા કે એમણે  ‘अहं करोमि’ એવું કહેવાને બદલે ‘मया क्रियते’ એવું હંમેશા કહેવાનું પસંદ કર્યું. ‘હું કરતો નથી, મારા વડે કરાય છે’ એવી વિભાવના મનમાં બેસે ત્યારે આપણને ગુરુદેવ તરફથી આશીર્વાદ મળે ‘करिष्ये वचनं तव’. એમણે એક વખત ગુરુદેવને પ્રશ્ન પૂછેલો. સાહેબજી, મુંબઈમાં સિગ્નલ આવે ત્યાં  ભિક્ષુકોનો હાથ લંબાય. તો નાણું આપીને ભીખની એ ટેવને પોષવી જોઈએ કે નહિ? ગુરુ મહારાજે ઉત્તર આપેલો, ‘સી કે, (સી. કે. મહેતા) કોઈ હાથ લાંબો થાય ત્યારે તે ક્યારેય ખાલી પાછો જવા ન દેવો. એમ વિચાર કરવો કે,  એક તો દાન દેવા મળે છે અને બીજું આપણો  કરુણાભાવ પોષાય છે. વળી દાન દેતી વખતે યાદ રાખવું કે,  આપણો હાથ ઊંધો રાખવો કે જેથી યાદ ન રહે  કે,  કેટલું આપ્યું છે.’  કદાચ એટલા માટે જ કહેવાય છે કે,  દાન દેનારનો ચહેરો ન જોશો, દાન દેનારની સ્થિતિ જોશો.

આપણા શ્રી રામચરિત માનસને વિશ્વભરમાં ખૂણે-ખૂણે લઈ જનાર શ્રી મોરારીબાપુ જયારે સાંધ્ય ગોષ્ઠિમાં બેઠા હોય અને હિંડોળે હિંચકતા હોય ત્યારે કેટલાક આત્મીય લોકો સી.કે. મહેતાની જેમ જ એમને ઉદ્દભવતા પ્રશ્નો બાપુને પૂછી લેતા હોય છે. એક વખત આ સમયે હાજર રહેવાનો મને લ્હાવો મળ્યો ત્યારે,  એક નિમિત્ત માત્ર યજમાને પૂછ્યું કે,  ‘બાપુ અવિવેક ન થાય તો એક વાત આપને કહેવી છે.’  તરત જ સામેથી હકારાત્મક ઈશારો થયો  અને એમણે કહ્યું કે,  ‘બાપુ,  આપ અહીંયા જે આપની પાસે આવે છે,  એવા કેટલાક લોકોને એમની સ્થિતિને જોઈને કંઈકને કંઈક હાથમાં મૂકો છો, કોઈ ને કોઈ રકમ એના હાથમાં આપો છો, કોઈ ને કોઈ વસ્તુ એને પકડાવો છો, પણ બાપુ આપને ખ્યાલ છે કે એવા લોકો બહાર જઈને આપે આપેલા પૈસાથી નશો કરે છે ?  વસ્તુ કે રકમનો સાચો ઉપયોગ નથી કરતા.’  થોડીવાર સુધી આકાશ સામું જોઈ રહેલા મોરારીબાપુએ જે જવાબ આપ્યો એ આજના લેખનું સમાપન કરવા માટે યથાયોગ્ય છે. ‘સાંભળો, તમારી વાત સાચી છે. એવું નથી કે, આની મને ખબર નથી. પણ એવું  હું ધ્યાનમાં રાખીને આપતો  નથી. જુઓ ભાઈ, આપણે તો કુદરત સામું જોવાનું. પ્રકૃતિ નક્કી કરીને હેત વરસાવે છે ?? એક વાદલડી વરસે ત્યારે એ જોવે છે કે નીચે મારું  પાણી ખાબોચીયામાં જાય છે કે સરોવરમાં જાય છે? વાદલડીનું કામ વરસવાનું છે. જેવી જેની પાત્રતા તેવો તેનો ઉપયોગ.’

 

 

 

 

 

 

 

જ્યોતિભટ્ટ નું પહેલું ચિત્ર

જ્યોતિભટ્ટ નું પહેલું ચિત્ર

 

ગિજુભાઈની બાળવાર્તાઓ તમે વાંચી હશે, મેં ગિજુભાઈ પાસેથી સાંભળી છે! બા ભણેલા નહીં. ભરતકામમાં રસ બહુ. ચાકળા ઊંધા કરી જોતાં કે ભરેલા ટાંકા પાછળથી કેવા લાગે છે નીરખતાં? મારા જન્મ પછી દર બે વર્ષે એક સભ્યનો ઉમેરો થતો. એમને ગમતું વાંચી લેતાં. બા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવેલાં અને બાપુજી ક્રાંતિકારી સુધારામાં માને. પણ બન્નેએ એકબીજાની સ્વતંત્રતા જાળવેલી. કુટુંબમાં પોલીસખાતાનું વાતાવરણ. પિતા પોલીસ શિસ્ત શીખ્યા, હું તે ન જ શીખ્યો. બાપુજી લોકોને મારતા-કૂવામાં ઊંધા લટકાવતા. નાનપણમાં ભય મને બાપુજીનો જ વધુ લાગતો. તેથી હું બહુ બીકણ બન્યો!’ જ્યોતિભાઈ ધીમું બોલે છે, આંખ સજળ છે એટલા ભાવથી બોલે છે, બે વાક્યો બોલે એમાં ત્રણ વાર સહજતાથી હસીને બોલે છે. દિલ કોરા કેનવાસ જેટલું ચોખ્ખું છે તે પામી શકાય છે.

બાલમંદિરથી ધો૨ણ-૧૨ સુધી સળંગ ‘ઘરશાળા’માં ભણ્યા. બાળકને ઘર જેવું લાગવું જોઈએ તેથી ઘ૨શાળા. દસ વર્ષના હતા ત્યા૨થી જ્યોતિભાઈને ન. પ્ર. બુચ સાથે સંબંધ. તેની અસર આજે ય ખરી. બાહ્ય વાતાવરણ આશ્રમ જેવું નહીં પણ બાકી બધું એવું. શાળા નાની, પાંત્રીસનો વર્ગ એક જ. જાણીતા ફોટોગ્રાફર કિશોર પારેખ, છેલ્લાં પચાસ વર્ષોથી અમેરિકા વસતા શિલ્પી નરેન્દ્ર પટેલ વર્ગમિત્રો. દક્ષિણામૂર્તિમાં ટાગોરનો પ્રભાવ હતો. માતૃભાષામાં જ ભણવાનું. પરીક્ષા નહીં. માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ઇન્દ્રિયોનો અનુભવ. માપદંડ નહીં પણ વેલ્યુ જજમૅન્ટ. શીખવવું એ જ હેતુ, પરીક્ષાની હુંસાતુંસી નહીં. ઘરશાળા સિવાય ક્યાંય સહશિક્ષણ ન હતું. ટાબરિયાંઓને પણ શિક્ષકો તું કહીને ન બોલાવે. ભાવનગર રાજ્યની ઑલિમ્પિક થતી ત્યારે. ઘરશાળાનું એમાં પર્ફોર્મન્સ સારું, પણ પુરસ્કાર લેવા નહીં જવાનું! પોસ્ટ વર્લ્ડ વૉર પુસ્તક લખાયું તોતોચાન.’ એમાં જે શાળાની વાત લખી છે તે તો બધું જ ઘરશાળામાં હતું જ! હ૨ભાઈ- માધવજીભાઈ પટેલ-જગુભાઈ શાહ. શિન-રિવ અને વરસાદ પડે ત્યારે શાળા બંધ! રવીન્દ્રનાથ ટાગોરની અસર સાથે પ્રહ્લાદ પારેખ ઘરશાળામાં, એટલે વર્ષામંગલ’ ગવાતું ચોમાસામાં. આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. હરભાઈ સહિત બધા એમાં ફરવા નીકળતા. પક્ષીઓમાં રસ લેતા કર્યા નહીં, પણ થયા! નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? એના બદલે ચીતરીને જ્યોતિભાઈ દેખાડે જગુભાઈ શાહને. ‘ગુભાઈ સારા ચિત્રકાર – સારા શિક્ષક – બાળકોમાં રસ લેનાર જીવ. અમે ચિત્રકાર હોઈએ એવો અહેસાસ કરાવનાર શિક્ષક. આજે પીંછી-પેન્સિલ કે કૅમેરો પ્રેમથી રમાડી શકું છું તેનો બધો જશ ચિત્રશિક્ષકોને…. જ્યોતિ ભટ્ટ અહોભાવથી કહે છે. પ્રખર ચિત્રકાર જ્યોતિ ભટ્ટનું પ્રથમ ચિત્ર સર્જાયું ૧૯૪૬માં બાર વર્ષની ઉંમરે! હિરજન માથે મળનો ડબ્બો લઈને જતો હોય તેવું ચિત્ર. જુગુપ્સા.’ વિરોધ થયેલો. આવું ગંદું ચિત્ર? ત્યારે લાગેલું જ્યોતિભાઈને કે : ‘આ ચિત્ર ગંદું અને ચિત્રનો વિષય ગંદો, એમાં ફેર છે. જુગુપ્સા જન્મે એટલી વાસ્તવિકતા સર્જે તે ચિત્ર ગંદું કેવી રીતે હોઈ શકે!’

ધૂરંધર શિક્ષકોની મૂડીથી ભર્યાભર્યા થયા જ્યોતિભાઈ. બુચભાઈ, હરભાઈ, એન. એસ. બેન્દ્રે (પછીથી અમદાવાદના સ્લમમાં જઈ શિક્ષણની ધૂણી ધખાવનાર) રઘુભાઈ નાયક, છેલભાઈ વ્યાસ…! છેલભાઈએ ઇતિહાસ એવો દિલથી શીખવેલ કે

જ્યોતિભાઈના મનમાં અંગ્રેજો પ્રત્યેની નફરત વધી, પરિણામે મૅટ્રિકમાં અંગ્રેજીનું પેપર દેવા ન ગયા! વર્ગની ભીંત ઉપર ચિત્રો દોરાવવાની શરૂઆત જગુભાઈએ કરાવેલી… (આજે જે બાલમિત્ર વર્ગની સંકલ્પના છે તેનો ઉદ્ભવ જગુભાઈએ નીજી ઉત્સાહથી કરેલો વર્ષો પહેલાં!) જ્યોતિ ભટ્ટ અને મિત્રોએ પોતાનાં કદથી ચાર-પાંચ ગણાં મોટાં ચિત્રો ક૨વા મળતાં ભીંત પર. ધ્રાંગધ્રા કોંગેરા ભરાયેલી. તેની રાજાવટ જગુભાઈએ સંભાળેલી, તેમાં જ્યોતિભાઈ હોંશેહોંશે જોડાયાનું યાદ કરે છે. આમ આતિભાસ પાક્કો બંધાવ્યો, વાતાવ૨ણે અને શિક્ષકોએ. જેમનાં નામ પાઠ્યપુસ્તકમાં વાંચતા તે બધા સંસ્થામાં નજર સામે આવતા! સુંદરમ્, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પ્રહ્લાદ પારેખ, શ્રીધરાણી સાથે સંવાદ સાધવાની તક મળેલી. શિશુવિહારે જ્યોતિ ભટ્ટને કેળવ્યા. શિશુવિહારમાં જીવનલક્ષી પ્રવૃત્તિઓ થતી. રમતગમત + વ્યાયામ + બૅન્ડ વગાડતાં શીખવું અને કોઈને ત્યાં વરઘોડામાં જઈ બૅન્ડ વગાડવાં + ફ્યુઝ બાંધતાં શીખવું + સાઇકલ રીપેરિંગ – પંક્ચર સાંધવું – ગ્રીષ્મ તાલીમ વર્ગો દરમ્યાન તો સાથે જમવું, ગાવું, નાચવું, ચોકીદારી કરવી, ચાલતાં ચાલતાં પ્રવાસો કરવા + શેરી નાટકો ક૨વાં અને ‘ચુંદડિયા બ્રાહ્મણ’નું નાટક કરી અંધશ્રદ્ધા દૂર કરવી.. ઘણું બધું કર્યું શિશુવિહારમાં અને દ્વારા… જીવન તરબતર થઈ ગયું જ્યોતિભાઈનું! નાનપણની પેલી બીક નીકળી ગઈ. જીવન એટલે પ્રવૃત્તિ જાણે કે

એસ.એસ.સી.માં ચિત્રમાં સૌથી ઓછા માર્ક હતા, પણ દિલમાં એક જ સ્વપ્ન કે શાંતિનિકેતન જવું છે, બસ.’ શા માટે તે કંઈ સ્પષ્ટ નહીં. વડોદરામાં કલાભવન ચાલતું હતું. વડોદરામાં જ એમ. એસ. યુનિવર્સિટીમાં પહેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હતી. નરેન્દ્ર પટેલ, સોમાભાઈ શાહ, એન. એસ. બેન્દ્રે, માર્કન્ડ ભટ્ટ… અહીં જ્યોતિ ભટ્ટે ડિપ્લોમા અને પોસ્ટ ડિપ્લોમા કર્યું. વડોદરામાં કેમ ભણ્યા તેની તો એક દાસ્તાન છે. પિતાજીની સ્થિતિ સારી નહીં. પક્ષી વિષેનું બારેક રૂપિયાનું એક પુસ્તક ખરીદવું હતું તો તે પિતા માટે મુશ્કેલ હતું. ‘આવતા મહિને લઈશું,’ એવું કહેલું ત્યારે. એટલે બને એટલા પૈસા ઘરેથી ઓછા લઈ વડોદરામાં ભણવું તેવું જ્યોતિભાઈએ નક્કી કરેલું. સાત વર્ષમાં દસ જગ્યા બદલી રહેવાની. હૉસ્ટેલમાં મિત્રના રૂમમાં સામાન પડ્યો રહે, રાત્રે અગાશી પર, સવારે બાથરૂમ વાપરીને કૉલેજમાં આખો દિવસ કાઢવાનો! સિનેમાની ઓરડીમાં રહ્યા, શિક્ષકોને ઘરે રહી ખાધું-પીધું! પણ આ મુશ્કેલીને જ્યોતિભાઈ સંઘર્ષ કહેવા તૈયા૨ નથી. જીવનની આ તો વાસ્તવિકતા છે, જે તમને ઘડે છે. ૧૯૫૪માં નેહરુએ પાર્લામેન્ટ હાઉસમાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યું, જેમાં ભારતનો ઇતિહાસ હોય. તેમાં બેન્દ્રેસાહેબના ચાર વિદ્યાર્થીઓનાં ચિત્રો ગયાં, તેમાં જ્યોતિ ભટ્ટ એક. પિતા માનભાઈ ભટ્ટ હંમેશાં કહેતા કે : ‘જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવાનું.’ ૧૯૫૭થી ૧૯૫૯ ભારત સરકારની ગુરુ-શિષ્ય કલ્ચરલ સ્કૉલરશિપ’ મળી. ગુરુઓ વડોદરા કૉલેજમાં જ હતા એટલે ત્યાં બે વર્ષો ગાળ્યાં. ગુરુવર્ય ટાગોરપ્રિય કે. જી. સુબ્રમણ્યમ જેને પ્રેમથી સૌ અમારા મણિસાહેબ’ કહેતા તે ઇંગ્લૅન્ડ ગયેલા તેના સ્થાને શીખવવાની પણ તક મળી. એ વખતે ફ્રીલાન્સ જીવવાનું અઘરું હતું. ૧૯૫૯થી ૧૯૯૨ સુધી સળંગ તેંત્રીસ વર્ષ જ્યોતિભાઈ એમ. એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. ઍક્સચેન્જ ઑફ સ્ટુડન્ટ ફેલોશિપ મળતાં ઇટાલી એક વર્ષ, અમેરિકા બે વર્ષ રહ્યા અને ત્યાંના મ્યુઝિયમો ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રૉકફેલર સ્કૉલરશિપ / ફેલોશિપ તથા વચ્ચે ટ્રાવેલ ગ્રાન્ટ. ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, ગ્રીસ, ન્યૂયૉર્કમાં બેસી ચિત્ર, ફોટોગ્રાફી અને લેખોનું સર્જન થયું. નૅશનલ એકૅડેમી દ્વારા નૅશનલ પ્રાઇઝ પ્રેસિડેન્ટ ગૉલ્ડ પ્લૅક’ મળ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાના સહિત ચાર પુરસ્કારો મળ્યા.

ફાઇન આર્ટ સ્કૂલમાં ચોવીસ કલાક કામ થઈ શકે તેવું વાતાવરણ મળ્યું. રાત્રે બે-અઢી સુધી કેવી રીતે કરવું’ તેની નહીં પણ ‘શું કરવું’ અને શા માટે કરવું’ની ગડમથલ ચાલતી. યુનિવર્સિટીમાં હડતાલ હોય પણ અમે પાછલા બારણેથી અંદર આવી કામ કરતા હોઈએ. સર્જનમાં એક વાર રસ પડે પછી વિસર્જનમાં કેવી રીતે રસ પડે?’ કહેનાર જ્યોતિ ભટ્ટ ૧૯૬૭થી ત્રીસ વર્ષ છબીકલામાં માહિર બન્યા. કલા સર્જન વિષે ‘કુમા૨’, મનીષા’, ‘ક્ષિતિજમાં નિયમિત લેખો લખ્યા. સુરેશ જોષીના પ્રથમ પુસ્તકનું ક્યુબિક ટાઇટલ પણ રચ્યું, ગુલામ મહોમ્મદ શેખ સાથે રહી (બ્લૉકનો ખર્ચ ન થાય એટલે) જાતે જ લાકડામાં બ્લૉક કોતરી આપ્યો! શેખ, ભૂપેન ખખ્ખર અને જ્યોતિ ભટ્ટે ફૉકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું. ગામના પાદરમાં રહેલા પાળિયાને કોઈ સાચવતું નથી. પાળિયાને સાચવવા તેને ઉપાડીને તો ન લઈ જવાય, લઈ જાવ તો જ્યાં રાખો ત્યાં શોભે નહીં. પણ તેની બિમાં તો તેને આયુષ્ય બક્ષી શકાય ને? આખરે તો વાત ઇમેજ ક્રિએટ કરવાની છે ને! પીંછી-કલમ કે કૅમેરો તો સાધન જ છે. ‘India 24 hours’ નામનું જબરું મોટું પુસ્તક થયું. તેમાં પચ્ચીસ ભારતીય ફોટોગ્રાફરોમાં એક જ્યોતિ ભટ્ટ છે. ૧૯૭૯માં આંત૨૨ાષ્ટ્રીય બાલવર્ષ દરમ્યાન તેમણે પ્રદર્શન કર્યું : શૈશવ. તેમાં પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ડોકું કાઢીને ઊભી છે ને પાછળ બ્લરમાં દોડતાં બાળકો છે, તેવો ફોટોગ્રાફ હતો એ.

જ્યોતિ ભટ્ટને વિચાર આવ્યો કે : “આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના બાપ ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. હોંગકોંગમાં આવેલ એશિયન આર્ટ આર્કાઇઝ દ્વારા જ્યોતિ ભટ્ટનાં સમગ્ર કાર્યને ડિજિટલાઇઝ કરવાનું કામ ચાલે છે. જ્યોતિ ભટ્ટ કહે છે : કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શે૨ ક૨વામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે? કૃષ્ણએ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું તે સાચું પણ જશોદાએ માટીમાં બ્રહ્માંડ જોયું તેનો આદર કેમ નહીં?’·

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

Gramsetu – 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

mc

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ધોરાજીની એ.બૈડ, કમરિયા હાઈસ્કૂલમાં એક નવા શિક્ષક બેડાયા. અંગ્રેજી ભણાવે. બી.એડ.ની ડિગ્ની લઈને આવેલા તાજા શિક્ષક, એવું જ માને કે બી.ઐ.ની તાલિમમાં શીખ્યા તે “બધું જ સાચું. તે પ્રમાણે જ વર્તે. આથાય કાંતિભાઈ સલિયા, ગતિના બહુ સાશ શિક્ષક, એમણે બહુ ફ્રિડમ આપી પેલા નવા શિક્ષકને, બીજા શિક્ષક અંગ્રેજી પહેલાં લખાવે પછી બોલાં શીખવે પણ આ નવા શિક્ષ પહેલાં બોલતાં શીખવે, પોતે બોલે. વિધાથીખીને બીલવા પ્રેર. અંગ્રેજીમાં વાતચીત કરવાની છૂટ આપે,તેમની વચ્ચે જઈ બેસે અને ગ્રુપમાં વાતો કરી. નામથી બોલાવે સૌને, બોર્ડ પાસે વિધાર્થીને બોલાવી હાથમાં ચાક આપી લખવા કહૈ. ક્લાસમાં અવાજ બહુ થાય, ૬૨ દસ મિનિટ શિક્ષક બોલતા બંધ થઈ જવું પડે ત્યારે છોકરાઓ શાંત થાય. બી શિક્ષકો ાઓને મા૨ે – બહુ ભારે મહા આ ભાઈસાહેબ એવું ન જ કરે. વિદ્યાર્થીઓ પણ કહે કે સારૈબ તમે અમને મારી, તી જ અમે શાંત રહીશું. પણ એ કરેઃ મારવાથી થોડું આવડે હું મારીશ નહીં. મે મે વાતો કરતા જઈશું અને તમને મમ્ફા આવવા લાગશે એટલે તમે નાની કરી જ નહી શકો ! ? ખરેખર એવું થયું. છ મહીના પછી સ્થિતિ પલટાઈ ગઈ, વિધાર્થીઓને જાણવાની-પોતાની જાતે શીખવાની મઝા આવવા લાગી. શિક્ષક મિત્ર થઈ ગયા અને મિત્રના ક્લાસમાં અવાજ થોડી કરાય આ જોઈને બીજા શિક્ષકોએ પણ મારવાનું ઘાયું. નવા શિક્ષકે તેઓને સમાવ્યું : તમે વીસ વી માથાં જ કરી ી. તો શું વિધા સંશિયાર થઈ ગયા ખરા જ મારવું એ મદ્ધતિ નથી. બે શિક્ષકો તો સાવ બંધ થયા ! આચાયૅ બહુ છૂટ આપે અને એના ક્લાસની અંગ્રેજીની પરીક્ષા નહી લેવાની ! પ્રેમમ કાઢે તો ચિત્રવાળું કાઢે. મૂલ્યાંકનની પોતાની ઈંટન : ગૈવીસ જેટલી પ્રવૃત્તિઓ કરાવે, તેનું ભિિરયલ બનાવે. છોકશ સાથે વોલાબીલ-ફ્રિક્રેટ મે. સાથી શિક્ષકી સાથે ક્રમ મ ગે.. આ શિક્ષક ભ્રાર્થનાસભા પોણો કલાકનો ગોઠવે. તેમાં મુસ્તક પરિચય કરાવે. નવી નવી ચોમડી છોકરાઓને બતાવી તે વાંચવા પ્રેરે ! જે કોક્ક્સ પુસ્તક વાંચે તેને ઊભો કરી કહે?ચાલ પ્રાર્થનામાં તે વૉયેલા ચોમી વિષે વાતો કર. આચાર્યએ ત્રણસો પુસ્તકીવાળી લાયબ્રેરી એને સાયેલા અને અને સત્તા આપેલા તમને જ્યાં જે સારું પુસ્તક મળે તે ખરીદી લઈ બિલ આ દૈ‰ પાંચ વર્ષે ખા શિક્ષક અધ્યાપક તી? વલ્લભવિધાનગર ગયા ત્યારે ધીજીની કરિયા હાઈસ્કૂલની લાયબ્રેરીમાં ભુસ્તીની સંખ્યા પાંચ હજારની હતી ! બારમા સાયન્સની અંગ્મેની ટેસ્ટ અઘરી હતી તો તેને એમણે ફરી લખી અંગ્રેજીનું મણિામ 3મ ટકામાં પમ રા અને છેલ્લે ૮મ. સુધી પીયાડ્યું એમણે આ શિક્ષકે દસમા-બારમાના વિદ્યાશ્ર્ચીને ગુયૅનાય આચાર્ય,દયા મુન્શો,જે.કૃષ્ણમૂર્તિ નાં અને ભાયાંતરનિધિનો પુસ્તક વાંચતા કર્યા !! લાયબ્રેરીમાં સ્કૂલ મહેલાં – રિસેસમાં સ્કૂલ છૂટ્યા ભછી પુસ્તક ઈસ્યુ કરાવવા માટે બારી માસે લાંબી લાઈન થતી અને ભાગ્યે જ એવા મળવુ અżદ્ભુત દૃશ્ય સર્જાવું . કઈ સમ ઊંધું ઘાલીને વાંચવા ટેવાયેલ આ અભ્યાસુ સંશોધક શિક્ષક ડૉ. મૌન્હેં ચોર્યલયા શિક્ષકત્વના એ પાંચ વધીને લાભાર્યાં ગહી છે. આ ફાયટી મળ્યા કુટુંબને કારણે, મૌન Second Generation Teacher. માતા-પિતા બને શિક્ષક. પિતાજી પટેલો સ્વીયર હતા ! ભણ્યા ગાય-લગ્નનુ ણ તેનું કરી છાણાં વંચી જીવન ચલાવત્તા. ળાંત થયા. પીટીસી થયા. છૂટક સ્વભાવના શિક્ષક થયા.

મહેન્દ્રનો જન્મ જ શાળાની આસપાસની ઘટના, ધૌરાજી પાસેનું ર્રણી ગામ. ગામમાં માન ન હતું. શાળામાં જ રહેવાનું. વિસે ક્લાસરૂમ અને સવા૨ – સાંજ ઘર. મહેન્દ્રે ત્યાં જ જન્મ્યો – ઉદયા – રહ્યા . ક્લાસરૂમ સાથે તેની નાલિનાળનો સંબંધ ! મહેન્દ્ર ચૌલિયા શૈલી અને ઈન્ટ્રોવર્ટ લાગે, સાદી-સીયા- સુઘડ વસ્ત્રોધારી, unassumin personality. પણ મુજ-વ્યંગ-સહજતાથી ભરપૂર.તે કરે છેઃ ‘હું ક્લાસરૂમમાં જ ઉછ્યા એટલે જે નુકશાન થવાનું હતું. તે નાનમ હામાં જ થઈ ગયું! હું શ્રાના હાથમ યો હઈશ એટલે જીવનની શરૂઆતમાં જ અચેતન લર્નિંગ થયું, તેની મેટ્રિક્સ ઊભી થઈ અને પછી તેમાં જીવનલ ભરતકામ થતું ગયું !’ મા-બામનું પહેલું સંતાન, બા કન્યાશાળામાં ત્યાં ચાટ ધોરણ સુધ્ધ અને બાપુજી તાલુકાશાળામાં ત્યાં મોચી.. અઢી વર્ષે કો બારાખડી શીખ્યા વગર વાંચતાં મિતાએ શીખવી દીધું’, બળદનું ચિત્ર બતાવે, નીચે લખ્યું હોય ‘બદ’. પછી બોલાવે. પછી છેલ્લા બે અક્ષર દાબી દે અને ‘બ’ની ઓળખાણ કરાવે કે, સાઈકલ પુ૨ ગામમાં લઈ જાય તો દુનનાં બોર્ડ વંચાવે. દોરેલું ચિત્ર બેઈ ખબર પડે કે આ સાઈકલની Śાન છે કે, બા ઘરે સૈવ-ગાંઠીયા બનાવે,તેમાંથી બગડે ને ચોડી શોધવાનું કહે。。 આમ થયું મહેન્દ્રનું inccidental learning :પહેલા ધોરણમાં દાખલ નહીતો થયો ત્યારે મહેન્દુને મિતાએ જયભિખ્ખુની નાની નાની બન્નીસ પાનની મોટ અક્ષરોવાળી બસ્સો મુસ્તિકાઓનું ખોખું ખોલી આપ્યું. રામાયણ- મહાભારતનાં પાત્રોનાં જીવન એમાં રહેલા પુસ્તિકાઓ બધો વાંચી કાઢેલી..(ત્યારે કોઈત્રણ શિક્ષક કર્તા મહેન્દુની લિટરસી કલામાં રહેવાનું પછી બન્યું. એટલે ચોરનાં માથાની જેમ રચ્યા- રખડ્યા પણ ખરા. પડોશમાં બીડી વાળનારનું ઘર. તો મદદ કરવા બીડી પણ વાળી. તે વખતે નંબ ગેઇમા નહી માર્ક કે ટકાની ટકટક નહીં. પાંચમા ધોરણ સુર્કીમાં તો ગંભીર વાચક બની ગયી. મહેન્દુખે ત્યારે કમામુનશીની લોપામુકા-કૃષ્ણાવતાર, દર્શકની ીયનિયા, હિન્દી નવલ ‘નિર્મલા વાંચી નાખી હતી. બારીમાં બેસીને નિર્મલા વાંચતા વાંચતા રયાનું દૈત્યું આજે યાદ કરે ત્યારે કંઠ, ગળો થાય છે. મêન્ટુના પિતાજી અજાભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી એક્સટર્નલ બાએ કર્યું સંસ્કૃત મુખ્ય વિષય સાથે ત્યારે મહેન્દુ છઠ્ઠા ધાણાં, પિતાને વાંચવાનો કંટાળો આવે એટ્લે લંબાવે ન હન્ટુને કહે શું વાં હું સાંલખું છું. કાલિદાસ- લાસ ત્યારે વાંચી સંભળાવેલાં છે. આ બધાં મહેન્દ્રમાં ચોડી વાંચવાની સ્પીડ આવી. ચાસી કે છી માનાની બુક તો ઝટ ઉપાડે ! બૈંકશન વીતે ખેતરમાં. માસા માડવા, ઓધી વાળવા,પાણી વાળવું, હાલ હોકવું, બાજરી બનાવવી, અને એ કશ્તોં-કરતાં કોળી-વાઘરીના છીકા સાથે રખડવાનું – આંબલી-દૈવી પાડવાના ! પંચમહાભૂત સાથે નાતા બંધાયી તેમાંથી ઘણું બધું ડિપોઝીટ થયું. ઘરમાં સૌ એને મનુ કરે. વેકેશનમાં ઘર સૌ રાહ જોવ મનુનો કારણ મનુને ફ્માઈશ થાય વાર્તા કરે અને એકાદી 3થી મેલ, મનુનાં ધમાં એક નૉટ રાખેલી. ઘરના નઈ ચી સાંભળે તો એમાં લખી લેવાની. આમ, મનુ નાનમ ય્યા સમૃદ્ધ ડોગર મણાજની કથા સાંભળી. બીજીવાર બાપુજીએ કીધું ! સાંભળે છે તે લખ. લખવાને કારણે શિશ્ચંગ થયું, અર્થગ્રહણ થયું. પાંચ લાઈ-જૈની. બે-બે વર્ષ નાનાં, બાપુજી ભૂત પલિતમાં ન માતૈ.ક્યાંય ભૂત થાય છે એવું સાક્ષી તા મનુને લઈને ઉપડે જેવા, એકવાર. કરશનભાઈના ખેતર મામાના ખીજડાની લડી જેવા લઈ ગયેલા. પિતાજી ખં ભૂતનાકા પર લઘુશંકા ાવેલી, પછી ભૂત વિષે કોઈ શંકા રહી ના.

એમ ખડખડાટ હસતાં દૈન્દ્ર કી છે. ભટ્ટનું આઠમા ધોરણમાં ત્યારે બાપુજી મીમબંધની આર.જી.ટી.માં બીફ્ કરવા ગયા એટલે ઘર ચલાવવાની જવાબદારી ખાવી, હિસાબ લખવાની, ઈસ ક્રમવાની, ભાવતાલ કરાવવાના એવું બધું કર્યું. ધશજીની લાયબ્રેરીનાં બધાં પુસ્તી નવમા ધારા મુદ્રામાં વાંચી નાખ્યાં. બાર વર્ષે ળાંત કર્યું. ભગવતસિં∞ હાઈસ્કૂલ, ધોરાજી મૉ મેટ્રિક થયો. સાયન્સમાં જઈ શકાય તેમ હતું મહા પિતાજીષ્મ ગજબ ગણિત ગણાવ્યું. ડૉ થઈશ તો ખાવાની ટાઇ નહી મળે, કૈસા કમાવામાં પડી જઈશ, પોતાની નહીં રહે અને ઈજનેર થઈશ તો સરસમાં જઈ ખોટ શ્રમમાં ભાગીદાર થવું પડરી, એનાં કરતાં સ્માર્ટમાં જા, અંગ્રેજી રાખીને લ, મજા પડી જશે. મહિન્દ્ર માટે સાહિત્ય અધ્યયનનું નવું જ ક્ષેત્રં ખુલ્યું. એક વર્ષ ધોરાજી, એક વર્ષ રાજકીટ કરી અધ્યાપન સારા છે માટે ભાવનગરની શામળદાસ Ăલેજમાં બે વર્ષ ! પી.સી.મહેતા, પ્રભુ દેસાઈ, અશ્ચિન લ? બહુ સારા અય્યામ પ્રભુ દેસાઈએ વિવેચનની, અનંત ભટ્ટ શઋમિયરની, મુકુંદભાઈ દવેએ અમેકિન લિટર ચરની, જગદીશભાઈ દવેએ એલિયટની બારી ઉઘાડી દીર્ધી, પ્રભાકર રાવળ માણસ તીની કોમળતા શીખવી, તે મટેનું ચોર્યલયા મોટી વાત હળવાશ કદ છે ? ત્યારે એમ.એ.માં એક જ વિદ્યાનો સેકન્ડ ક્લાસ હતી. મને પચાસ ટકા નખાવ્યા, એટલે સારું થયું કે હું ખંગ્રેશના અધ્યાપક ન થયાં ? Radio Jouznalism સાથે પન્નારત્વમાં દોઢ વર્ષના પી.જી. ડિપ્લોમા મેળવ્યો ભૂપત વડોરિયા સાથે ક્રમ કર્યું. નોકરીની આ થઈ પણ જર્નાલિઝમમાં ‘લાઈન’નું બર્ધન – વલ્લભવિધાનગર થી બી. એડ્. ક્યું. ત્યાં મળ્યા સંસ્કૃત ભાષા અને શિક્ષણદર્શનના ધૂરંધર પ્રા. શાસ્ત્રો જય ‘ લૉજિયા’ મૈં અને ફ઼િ. આર.એસ. ત્રિવેદી. વર્ગમાં એકલા બેસી સારની નવલકથા વાંચતા મહેન્દુને જૈઈ વેસાહેબ પાસે આવી લૂછ્યું : ‘આ શું વાંચે છે ? સા નું વાંધે છે ? લલ, મહીં મળજે.’ પછી તો વૈસારેલ ટેન્દ્રન માર્ટિન બુબનું T Om Tho4 આપ્યું. બી.એડ્. માં તે અધુરું રહ્યું, તો એમ.એડ્. મો લઈ શ્રી વાંચ્યું અ શાસ્ત્રી વજીનાં માર્ગદર્શનમાં તેનાં પર Py, કર્યું. હા, બી.એડ્. ભણતી વખતે મદનુંને રાજકોટન સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રમાં નોકરીનો ઓર્ડર મળ્યો, મિતજીએ કહ્યું તને ઠીક લાગે તેમ કર. મહેન્દ્રએ બી. એડ્, ભણાવતા બધા જ અધ્યાયીને પૂછ્યું તો બધાએ બી.એડ. તું મુકો બેન્કમાં બેડાય જવા આગ્રહ કર્યો ! મહત્વને મૂંઝારો થયો : ‘આ બધા મીતે ય શિક્ષક છે, છતાં મને કેમ ના પાડે છે ધોરાજીમાં મોંચ વર્ષ શિક્ષક તરીકે નાવીન્યમૂર્ણ કાર્ય કર્યા પછી જ્યાં ભણ્યા ત્યાં જ બીીફ્ના અધ્યાપક થવાની ત મળી. જેની પાસે લક્ષ્યા, તેની સાથે લણાવ્યું. એ જ ધોરાજીવાળી સ્ટાઈલ અને ખુમારીથી બી.એડ,માં પ્રુથીંગશીલતા નળવી રાખી, ભાવિ શિક્ષક સાથે આત્મીયતા કેળવી. જેવાતેવ વ્યક્ત થાવ અને જૈતુવિહિન સંબંધ રાખો ની બુબની ફિલસુફી અમલમાં મુકી. Love and Relations in eduation અને dialoge in educationનો થા પાક્કો અમલ કરી શિક્ષીને જીવનભરના મિત્ર બનાવ્યા. પહેલાં જે જીવાયું, તેનું મર્ધી થિયરાઈઝેશન થયું. એમ, એડ્, માં પ્રાધ્યાયક થવાની તક મળી છેલ્લાં દસ વર્ષ સ્વીકારી. ત્યાં સમજાયું કે: તમાÊ’આઇ’ બદલે શિક્ષણ છે. આપણામાં જીવનનું નિર્માણ થ તો સાચા શિક્ષક, સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ.મહત્વ ચોટલિયાને હમણાં રાજ્ય સરકારની સ્વપ્નિલ ચિલ્ડ્રન યુનિવર્સિટી માં ડાયરેક્ટર તરીકે બોલાવવામાં આવ્યા છે. દસ મિનિટ માં પંદર પુસ્તકોની વાત જેના મોઢે આવ્યા વગર રહે નહીં તે મહેન્દ્ર ચોટલીય સરળ છે ,સહજ છે.પુષ્કળ વાંચનાર છે. ધર્મપુરના આદિવાસી બાળકો વચ્ચે જઇ ભણાવનાર નિજાનંદી શિક્ષક છે. ગહન વિચારોમાં પ્રવૃત રેવા છતાં હળવાફૂલ માણસ છે. ઓછી પિછાણ અને વ્યાપક વિચાર  પછેડીવાળા મહેન્દ્ર ચોટલીયા સાથે ગોઠડી માંડવી તે જીવનનો લ્હાવો છે કારણ કે તે મને છે કે ‘ હું કઈ કરવા નથી આવ્યો, જે કઈ થઈ જાય છે એ મારા આનંદનો વિસ્તાર છે’.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ધોરાજીની એ. ઝેડ. કનેરિયા હાઈસ્કૂલમાં એક નવા શિક્ષક જોડાયા. અંગ્રેજી ભણાવે. બી.એડ્.ની ડિગ્રી લઈને આવેલા તાજા શિક્ષક. એવું જ માને કે બી.એડ્.ની તાલીમમાં શીખ્યા તે બધું જ સાચું. તે પ્રમાણે જ વર્તે. આચાર્ય કાંતિભાઈ હાંસલિયા ગણિતના બહુ સારા શિક્ષક. એમણે બહુ ફ્રીડમ આપી પેલા નવા શિક્ષકને. બીજા શિક્ષકો અંગ્રેજી પહેલાં લખાવે પછી બોલતાં શીખવે. પણ આ નવા શિક્ષક પહેલાં બોલતાં શીખવે. પોતે બોલે. વિદ્યાર્થીઓને બોલવા પ્રેરે. અંગ્રેજીમાં વાતચીત કરવાની છૂટ આપે. તેમની વચ્ચે જઈ બેસે અને ગ્રુપમાં વાતો કરે. નામથી બોલાવે સૌને. બોર્ડ પાસે વિદ્યાર્થીને બોલાવી હાથમાં ચોક આપી લખવા કહે. ક્લાસમાં અવાજ બહુ થાય. દર દસ મિનિટે શિક્ષકે બોલતા બંધ થઈ જવું પડે ત્યારે છોકરાઓ શાંત થાય. બીજા શિક્ષકો છોકરાઓને મારે – બહુ મારે. પણ આ ભાઈસાહેબ એવું ન જ કરે. વિદ્યાર્થીઓ પણ કહે કે સાહેબ તમે અમને મારો તો જ અમે શાંત રહીશું. પણ એ કહે : “મા૨વાથી થોડું આવડે? હું મારીશ નહીં. ધીમે ધીમે વાતો કરતા જઈશું અને તમને મઝા આવવા લાગશે એટલે તમે વાતો કરી જ નહીં શકો!’ ખરેખર એવું થયું. છ મહિના પછી સ્થિતિ પલટાઈ ગઈ. વિદ્યાર્થીઓને જાણવાની – પોતાની જાતે શીખવાની મઝા આવવા લાગી. શિક્ષક મિત્ર થઈ ગયા અને મિત્રના ક્લાસમાં અવાજ થોડો કરાય? આ જોઈને બીજા શિક્ષકોએ પણ મારવાનું ઘટાડ્યું. નવા શિક્ષકે તેઓને સમજાવ્યું : તમે વીસ વર્ષોથી માર્યા જ કરો છો તો શું વિદ્યાર્થીઓ હોંશિયાર થઈ ગયા ખરા? મારવું એ પદ્ધતિ નથી. બે શિક્ષકો તો મારતા સાવ બંધ થયા! આચાર્ય બહુ છૂટ આપે એને. એના ક્લાસની અંગ્રેજીની પરીક્ષા નહીં લેવાની! પેપર કાઢે તો ચિત્રવાળું કાઢે. મૂલ્યાંકનની પોતાની પેટર્ન! ત્રેવીસ જેટલી પ્રવૃત્તિઓ કરાવે, તેનું મટીરિયલ બનાવે. છોકરા સાથે વૉલીબૉલ-ક્રિકેટ રમે. સાથી શિક્ષકો સાથે કેરમ પણ રમે… આ શિક્ષક પ્રાર્થનાસભા પોણો કલાકની ગોઠવે. તેમાં પુસ્તક પરિચય કરાવે. નવી નવી ચોપડીઓ છોકરાઓને બતાવી તે વાંચવા પ્રેરે! જે છોકરો પુસ્તક વાંચે તેને ઊભો કરી કહે

ચાલ પ્રાર્થનામાં તેં વાંચેલી ચોપડી વિષે વાતો કર… આચાર્યએ ત્રણસો પુસ્તકોવાળી લાઇબ્રેરી એને સોંપેલી અને એને સત્તા આપેલી કે તમને જ્યાં જે સારું પુસ્તક મળે તે ખરીદી લઈ બિલ આપી દેજો. પાંચ વર્ષે આ શિક્ષક અધ્યાપક તરીકે વલ્લભવિદ્યાનગર ગયા ત્યારે ધોરાજીની કનેરિયા હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા પાંચ હજારની હતી! બારમા સાયન્સની અંગ્રેજીની ટૅક્સ્ટ અઘરી હતી તો તેને એમણે ફરી લખી. અંગ્રેજીનું પરિણામ ૩૫માંથી ૫૫ ટકા અને છેલ્લે ૮૫% સુધી પહોંચાડ્યું એમણે. આ શિક્ષકે દસમા-બારમાના વિદ્યાર્થીઓને ગુણવંતરાય આચાર્ય, ક. મા. મુનશી, જે. કૃષ્ણમૂર્તિનાં અને ભાષાંતરનિધિનાં પુસ્તકો વાંચતા કર્યા!! લાઇબ્રેરીમાં સ્કૂલ પહેલાં – રિસેસમાં – સ્કૂલ છૂટ્યા પછી પુસ્તક ઇસ્યુ કરાવવા માટે બારી પાસે લાંબી લાઇન થતી અને ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતું અદ્ભુત દૃશ્ય સર્જાતું!

ઊંધું ઘાલીને વાંચવા ટેવાયેલ આ અભ્યાસુ સંશોધક શિક્ષક ડૉ. મહેન્દ્ર ચોટલિયા શિક્ષકત્વનાં એ પાંચ વર્ષોને ભર્યુંભાદર્યાં ગણે છે. આ ફાયદો મળ્યો કુટુંબને કારણે. પોતે Second Generation Teacher. માતા-પિતા બન્ને શિક્ષક. પિતાજી પહેલાં સ્વીપર હતા! ભણ્યા. ગાય-ભેંસનું છાણ ભેગું કરી છાણાં વેંચી જીવન ચલાવતા. શાળાંત થયા. પીટીસી થયા. હટકે સ્વભાવના શિક્ષક થયા.

મહેન્દ્રનો જન્મ જ શાળાની આસપાસની ઘટના. ધોરાજી પાસેનું ફરણી ગામ. ગામમાં મકાન ન હતું. શાળામાં જ રહેવાનું. દિવસે ક્લાસરૂમ અને સવાર-સાંજ ઘર. મહેન્દ્ર ત્યાં જ જન્મ્યો-ઊછર્યો-રહ્યો. ક્લાસરૂમ સાથે તેનો નાભિનાળનો સંબંધ! મહેન્દ્ર ચોટલિયા ગંભી૨ અને ઈન્ટ્રોવર્ટ લાગે. સાદો-સીધો-સુધડ વસ્ત્રોધારી. unassuming personality. પણ રમૂજ-વ્યંગ-સહજતાથી ભરપૂર. તે કહે છે : હું ક્લાસરૂમમાં જ ઊછર્યો એટલે જે નુકસાન થવાનું હતું તે નાનપણમાં જ થઈ ગયું! હું ઘણાના હાથમાં ફર્યો હોઈશ એટલે જીવનની શરૂઆતમાં જ અચેતન લર્નિંગ થયું, તેની મૅટ્રિક્સ ઊભી થઈ અને પછી તેમાં જીવનભર ભરતકામ થતું ગયું!” મા-બાપનું પહેલું સંતાન. બા કન્યાશાળામાં ત્યાં ચાર ધોરણ સુધી અને બાપુજી તાલુકાશાળામાં ત્યાં પાંચથી… અઢી વર્ષે કક્કો બારાખડી શીખ્યા વગર વાંચતાં પિતાએ શીખવી દીધું. બળદનું ચિત્ર બતાવે. નીચે લખ્યું હોય ‘બળદ.’ પછી બોલાવે. પછી છેલ્લા બે અક્ષરો દાબી દે અને ‘બ’ની ઓળખાણ કરાવે! સાઇકલ ૫૨ ગામમાં લઈ જાય તો દુકાનનાં બૉર્ડ વંચાવે. દોરેલું ચિત્ર જોઈ ખબર પડે કે આ સાઇકલની દુકાન છે! બા ઘરે સેવ-ગાંઠિયા બનાવે. તેમાંથી બગડો ને ચોગડો શોધવાનું કહે… આમ થયું મહેન્દ્રનું inceidental learning! પહેલા ધોરણમાં દાખલ નહોતો થયો ત્યારે મહેન્દ્રને પિતાએ જયભિખ્ખુની નાની નાની બત્રીસ પાનની મોટાં અક્ષરોવાળી બસ્સો પુસ્તિકાઓનું ખોખું ખોલી આપ્યું.રામાયણ-મહાભારતનાં પાત્રોનાં જીવન એમાં. પહેલા ધોરણમાં દાખલ થતાં પહેલાં આ બધી પુસ્તિકાઓ વાંચી કાઢેલી… (ત્યારે કોઈપણ શિક્ષક કરતાં મહેન્દ્રની લિટરસી વધુ હતી!) વળી ચૌદ પડોશીવાળા ડેલામાં રહેવાનું પછી બન્યું. એટલે ચો૨ના માથાની જેમ ૨ચ્યા. રખડ્યા પણ ખરા. પડોશમાં બીડી વાળના૨નું ઘર. તો મદદ કરવા બીડી પણ વાળી. તે વખતે નંબર ગેઇમ નહીં. માર્ક કે ટકાની ટકટક નહીં. પાંચમા ધોરણ સુધીમાં તો ગંભી૨ વાચક બની ગયો. મહેન્દ્રએ ત્યારે ક. મા. મુનશીની લોપામુદ્રા – કૃષ્ણાવતાર, દર્શકની દીપનિર્વાણ, હિન્દી નવલ ‘નિર્મલા’ વાંચી નાખી હતી. બારીમાં બેસીને ‘નિર્મલા’ વાંચતા વાંચતા રડ્યાનું મહેન્દ્ર આજે યાદ કરે ત્યારે કંઠ ગળોગળો થાય છે. મહેન્દ્રના પિતાજી અરજણભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઍક્સટર્નલ બી.એ. કર્યું સંસ્કૃત મુખ્ય વિષય સાથે ત્યારે મહેન્દ્ર છઠ્ઠા ધોરણમાં. પિતાને વાંચવાનો કંટાળો આવે એટલે લંબાવે ને મહેન્દ્રને કહે તું વાંચ હું સાંભળું છું. કાલિદાસભાસ ત્યારે વાંચી સંભળાવેલા! આ બધાંથી મહેન્દ્રમાં ચોપડી વાંચવાની સ્પીડ આવી. ચારસો કે છસો પાનાની બુક તો તે ઝટ ઉપાડે!

વૅકેશન વીતે ખેતરમાં. પાસા પાડવા, ઓઘો વાળવો, પાણી વાળવું, હાલનું હાંકવું, બાજરી બનાવવી, અને એ કરતાં-કરતાં કોળી-વાઘરીના છોકરા સાથે રખડવાનું આંબલી-કેરી પાડવાના! પંચમહાભૂત સાથે નાતો બંધાયો તેમાંથી ઘણું બધું ડિપૉઝીટ થયું. ઘરમાં સૌ એને મનુ કહે. વૅકેશનમાં ઘરે સૌ રાહ જોવે મનુની. કારણ મનુને ફરમાઈશ થાય. ‘વાર્તા કહે અને એકાદો ટુચકો મેલ’ મનુના ઘરમાં એક નોટ રાખેલી. ઘ૨ના કોઈ ટુચકો સાંભળે તો એમાં લખી લેવાનો. આમ, મનુ નાનપણથી ટુચકા સમૃદ્ધ. ડોંગરે મહારાજની કથા સાંભળી. બીજીવાર બાપુજીએ કહ્યું : સાંભળે છે તે લખ. લખવાને કા૨ણે શિફ્ટિંગ થયું, અર્થગ્રહણ થયું. પાંચ ભાઈ-બહેનો. બે-બે વર્ષ નાનાં. બાપુજી ભૂત પલિતમાં ન માને. ક્યાંય ભૂત થાય છે એવું સાંભળે તો મનુને લઈને ઊપડે જોવા. એકવાર કરશનભાઈના ખેતરે મામાના ખીજડાનો ભડકો જોવા લઈ ગયેલા. પિતાજીએ ભૂતના ટેકરા પર લઘુશંકા કરાવેલી, પછી ભૂત વિષે કોઈ શંકા રહી નથી’ એમ ખડખડાટ હસતાં મહેન્દ્ર કહે છે. મહેન્દ્ર આઠમા ધો૨ણમાં ત્યારે બાપુજી પોરબંદરની આર.જી.ટી.માં બી.એડ્. કરવા ગયા એટલે ઘ૨ ચલાવવાની જવાબદારી આવી. હિસાબ લખવાનો, કકસ૨ ક૨વાની, ભાવતાલ કરાવવાના એવું બધું કર્યું. ધોરાજીની લાઇબ્રેરીનાં બધાં પુસ્તકો નવમા ધોરણ સુધીમાં વાંચી નાખ્યાં. બાર વર્ષે શાળાંત કર્યું. ભગવતસિંહજી હાઈસ્કૂલ, ધોરાજીમાંથી મૅટ્રિક થયો. સાયન્સમાં જઈ શકાય તેમ હતું પણ પિતાજીએ ગજબ ગણિત ગણાવ્યું. ‘ડૉક્ટર થઈશ તો ખાવાનો ટાઇમ નહીં મળે, પૈસા કમાવામાં પડી જઈશ, પોતાનો નહીં રહે અને ઇજનેર થઈશ તો સરકારમાં જઈ ખોટાં કામમાં ભાગીદાર થવું પડશે; એનાં કરતાં આર્ટ્સમાં જા,

અંગ્રેજી રાખીને ભણ, મજા પડી જશે…’ મહેન્દ્ર માટે સાહિત્ય અધ્યયનનું નવું જ ક્ષેત્ર ખૂલ્યું. એક વર્ષ ધોરાજી, એક વર્ષ રાજકોટ ક૨ી, અધ્યાપકો સાચું છે માટે’ ભાવનગરની શામળદાસ કૉલેજમાં બે વર્ષ! પી. પી. મહેતા, પ્રભુ દેસાઈ, અશ્વિન ભટ્ટ બહુ સારા અધ્યાપકો. પ્રભુ દેસાઈએ વિવેચનની, અનંત ભટ્ટે શેક્સપિયરની, મુકુંદભાઈ વેએ અમેરિકન લિટરેચરની, જગદીશભાઈ દવેએ ઍલિયટની બારીઓ ઉઘાડી દીધી. પ્રભાકર રાવળે માણસ તરીકેની કોમળતા શીખવી. જો કે, મહેન્દ્ર ચોટલિયા મોટી વાત હળવાશથી કહે છે કે : ત્યારે એમ.એ.માં એક જ વિદ્યાર્થીને સેકન્ડ ક્લાસ હતો. મને પચાસ ટકા ન આવ્યા, એટલે સારું થયું કે હું અંગ્રેજીનો અધ્યાપક ન થયો.’ Radio Journalism સાથે પત્રકારત્વમાં દોઢ વર્ષનો પી.જી. ડિપ્લોમા મેળવ્યો. ભૂપત વડોદરિયા સાથે કામ કર્યું. નોકરીની ઑફર થઈ પણ જર્નાલિઝમમાં ડેડલાઇન’નું બંધન! વલ્લભવિદ્યાનગરથી બી.એડ્. કર્યું ત્યાં મળ્યા સંસ્કૃત ભાષા અને શિક્ષણ દર્શનના ધૂરંધર પ્રા. શાસ્ત્રી જ્યેન્દ્ર દવે અને પ્રિ. આર. એસ. ત્રિવેદી. વર્ગમાં એકલા બેસી સાત્રની નવલકથા ‘લોજિયા’ વાંચતા મહેન્દ્રને જોઈ દવેસાહેબે પાસે આવી પૂછ્યું : આ શું વાંચે છે? સાત્રે તું વાંચે છે? ભલે, પછી મળજે.’ પછી તો દવેસાહેબે મહેન્દ્રને માર્ટિન બુબરનું I am Thou આપ્યું. બી.એ.માં તે અધૂરું રહ્યું, તો એમ.એ.માં લઈ ફરી વાંચ્યું અને શાસ્ત્રી દવેજીનાં માર્ગદર્શનમાં તેના ૫૨ જ Ph.D. કર્યું. હા, બી.એડ્. ભણતી વખતે મહેન્દ્રને રાજકોટની સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રમાં નોકરીનો ઑર્ડર મળ્યો. પિતાજીએ કહ્યું : તને ઠીક લાગે તેમ કર. મહેન્દ્રએ બી.એડ્. ભણાવતા બધા જ અધ્યાપકોને પૂછ્યું તો બધાએ બી.એડ્. પડતું મૂકી બૅન્કમાં જોડાય જવા આગ્રહ કર્યો! મહેન્દ્રને મૂંઝારો થયો : “આ બધા વર્ગમાં તો એમ કહે છે શિક્ષક ઉત્તમ વ્યવસાય છે. પોતે ય શિક્ષક છે, છતાં મને કેમ ના પાડે છે? એમને ભણાવવાની મઝા નહીં આવતી હોય?’ ધોરાજીમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નાવીન્યપૂર્ણ કાર્ય કર્યાં પછી જ્યાં ભણ્યા ત્યાં જ બી.એડ્.ના અધ્યાપક થવાની તક મળી. જેની પાસે ભણ્યા, તેની સાથે ભણાવ્યું. એ જ ધોરાજીવાળી સ્ટાઇલથી અને ખુમારીથી બી.એ.માં પ્રયોગશીલતા જાળવી રાખી. ભાવિ શિક્ષકો સાથે આત્મીયતા કેળવી. જેવા છો તેવા વ્યક્ત થાવ અને હેતુવિહીન સંબંધ રાખો’ની બુબરની ફિલસૂફી અમલમાં મૂકી. Love and Relationship in Education Dialogue in Educational ssl 444 કરી શિક્ષકોને જીવનભરના મિત્રો બનાવ્યા. પહેલાં જે જિવાયું, તેનું પછી થિયરાઇઝેશન થયું. એમ.એ.માં પ્રાધ્યાપક થવાની તક મળી તે છેલ્લાં દસ વર્ષથી સ્વીકારી. ત્યાં સમજાયું કે ઃ તમારો ‘આઇ’ બદલે તે શિક્ષણ છે. આપણામાં જીવનનું નિર્માણ થાય તો સાચા શિક્ષક. સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલિયાને હમણાં રાજ્ય સરકારની સ્વપ્નિલ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે આમંત્રણથી બોલાવવામાં આવ્યા છે. દસ મિનિટમાં પંદર પુસ્તકોની વાત જેની જીભે આવ્યા વગ૨ ન રહે તે મહેન્દ્ર ચોટલિયા સ૨ળ છે, સહજ છે, પુષ્કળ વાંચનાર છે, ધરમપુરનાં આદિવાસી બાળકો વચ્ચે જઈ ભણાવનાર નિજાનંદી શિક્ષક છે, ગહન વિચારોમાં પ્રવૃત્ત રહેવા છતાં હળવોફૂલ માણસ છે. ઓછી પિછાણ અને વ્યાપક વિચાર- પછેડીવાળા મહેન્દ્ર ચોટલિયા સાથે ગોઠડી માંડવી તે જીવનનો લ્હાવો છે, કારણ તે માને છે કે : હું કંઈ કરવા નથી આવ્યો. જે કંઈ થઈ જાય છે તે મારા આનંદનો વિસ્તાર છે.’

માનવતાની મિશાલ દાન ધર્મ:: ‘પ્રબુદ્ધ જીવન’નો દાન વિશેષાંક

માનવતાની મિશાલ દાન ધર્મ:: ‘પ્રબુદ્ધ જીવન’નો દાન વિશેષાંક

 

શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આચાર્ય રજનીશ પણ વક્તવ્ય આપી ચુક્યા છે !!

શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જ્ઞાન પ્રદાન કરવામાં અને ધર્મ શાસ્ત્રોના પ્રચાર પ્રસારમાં મોખરે કામ કરતી લગભગ શતાબ્દીના આરે ઉભેલી સંસ્થા છે.

‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ની સ્થાપના 1929માં થઈ. પણ એનું પ્રદાન નોંધવા જેવું રહ્યું છે. આ સંસ્થા દ્વારા પ્રતિમાસ પ્રબુદ્ધ  જીવન નામથી એક અતિ ચીવટ પૂર્વક સંપાદિત થયેલ માસિક કે  જેને  ગ્રંથ કહીએ એટલી ઊંચાઈ ધરાવતું હોય, તેનું પ્રકાશન થાય છે. છેલ્લા 97 વર્ષથી ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’નું માસિક પ્રબુદ્ધ જીવન પ્રગટ થઈ રહ્યું છે.

પ્રબુદ્ધ જીવનની સમૃદ્ધ ધારા સાથે જોડાયેલા વિદ્વાનોમાં પંડિત સુખલાલજી, મણિલાલ મૂકમચંદ શાહ, પરમાનંદ કુંવરજી કાપડિયા, ચીમનભાઈ ચકુભાઇ શાહ, ડો. રમણલાલ શાહ અને ડો. ધનવંત શાહને આપણે યાદ કરવા પડે. આ 97 વર્ષથી પ્રકાશિત થઈ રહેલા પ્રબુદ્ધ જીવનમાં અત્યાર સુધીમાં લગભગ દસ  તંત્રી મહાશયો સેવા આપી ચુક્યા છે.  અને હાલ 2016થી ‘પ્રબુદ્ધ જીવન’ નાં માનદ તંત્રી તરીકે મુંબઈના ગુજરાતીના અધ્યાપિકા, જૈન શાસ્ત્રનાં ઊંડા અભ્યાસી અને અનેક લોકો સાથે સહજતાથી અને મિઠાશથી નાતો બાંધનાર ડો. સેજલ શાહ છે. તેમણે હવે અધ્યાપકની કારકિર્દી માંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી છે. એટલે એવું માની શકાય કે ‘પ્રબુદ્ધ જીવન’ ને એક લાંબા ગાળાના તંત્રી હવે મળી ગયા છે. દીર્ઘ દ્રષ્ટિવાન આ તંત્રીએ અનેક કર્યો કર્યા છે પણ એની વાત કરીએ તો એમને ગમશે નહિ. એટલે આપણે વાત કરીએ જૈન યુવક સંઘનાં પર્યુષણ વ્યાખ્યાન માળાની.

1929 માં સંઘની સ્થાપના થઈ ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે, વૈચારિક પ્રવૃત્તિ થાય એવું આપણે કશું કરવું. અને એ ત્યારનાં સ્થાપક મહાનુભાવોનો વિચાર હતો. પરંતુ ધીમે ધીમે કરતાં આ વિચારને નક્કર આકાર આપવામાં આવ્યો 1931થી. જ્યારથી વાર્ષિક પર્યુષણ વ્યાખ્યાન માળનો પ્રારંભ થયો. એમાં એક પછી એક અનેક ક્ષેત્રના વક્તાઓ, મુનિશ્રીઓ, સંતો, મહંતો, ડિપ્લોમેટ્સ વગેરે આવતા રહ્યા અને પર્યુષણ વ્યાખ્યાન દરમિયાન  જૈન અને જૈન શાસ્ત્રોની તથા  જીવન અને કૌશલ્યને સ્પર્શતા અનેક વિષયો ઉપર પોતાની છણાવટ કરતાં રહ્યાં. આચાર્ય રજનીશ પણ અહીં વ્યાખ્યાન આપી ગયા છે. 1931થી આજે 2024 સુધી આ પર્યુષણ વ્યાખ્યાન માળા અવિરત ચાલે છે. એમાં એક સરસ મજાનું મોરપીંછ ઉમેરાયું.

સંઘને વિચાર આવ્યો અને એમણે અનુકંપા પ્રોજેક્ટ શરુ કર્યો. છેલ્લા 39 વર્ષથી મુંબઈ જૈન યુવક સંઘ ગુજરાત રાજ્યના પછાત વિસ્તારમાં આવેલી કોઈ એક સંસ્થાને દર વર્ષે  દત્તક લઈ તેને આર્થિક સહાય કરે છે. બનતું હોય છે એવું કે, પર્યુષણ દરમિયાન જૈન શ્રેષ્ઠીઓ ઠેર-ઠેર દાન કરતા હોય છે. પણ એનું સારી રીતે વિતરણ ન થાય તો એ દાનનો ઉપયોગ યથાર્થ ન થાય તેની બદલે ‘શ્રી મુંબઈ જૈન યુવક મંડળ’  મધ્યસ્થી બન્યું અને એમણે આ છેલ્લા 39 વર્ષમાં દર વર્ષે એક-એક સંસ્થાની મુલાકાત લઈ, તેની સ્થિતિ જાણી, તેની આવશ્યકતાઓની નોંધ કરી, અને યથાર્થ  વિગત પર્યુષણ વ્યાખ્યાન માળા પહેલા અને દરમ્યાન જૈનો સુધી પહોંચાડી અને તેમને વિનંતી કરી કે, આ વર્ષનું પર્યુષણ પર્વ દરમિયાનનું આપનું દાન આ અનુકંપા પ્રોજેક્ટમાં આપો. એની બહુ ધારી અસર થઈ. ઘણીવાર એવું બને છે કે,  દાન આપવું હોય પણ ક્યાં આપવું, દાન પાત્ર કોણ છે, એ જાણવું મુશ્કેલ હોય છે. સહજતાથી જેણે જાજી પિષ્ટપિંજણમાં પડ્યા વગર દાન આપવું છે તેને કોઈ આંગળી ચીંધે કે આ રહી એ સંસ્થા,  તો એ દાતાનો માર્ગ સરળ બની જાય છે. એમાં અનુકંપા પ્રોજેક્ટ બહુ જ ઉપયોગી નીવડ્યો.  દર વર્ષે સંઘ દ્વારા આશરે 40 લાખ જેટલી માતબર રકમ સંસ્થાઓને પહોંચાડવામાં આવી. આજ સુધીમાં અંદાજ ગણીએ તો લગભગ  37 જેટલી સંસ્થાઓને આ સંઘ દ્વારા સાડા સાત  કરોડની રકમ દાન સ્વરૂપે આપવામાં આવી છે.

પ્રબુદ્ધ જીવન માનવીય જીવનનો સંવાદ છે, એવી એની ટેગ લાઈન કહે છે.  એનો અર્થ એવો  છે કે,  એ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત થતું હોવા છતાં આ માસિકનો ઉદેશ્ય માનવ જીવનને સ્પર્શવાનો છે. માનવ જીવનનનાં ઉત્તમ પાસાઓને ઉજાગર કરવાનો છે. તો માનવ જીવનના તામસિક પાસાઓ તરફ આંગળી ચીંધીને તેને ધીમે-ધીમે ઘટાડવાનો છે. અને તેથી જ એની ટેગલાઈન માનવીય જીવનનો સંવાદ એવું આપવામાં આવ્યું છે. બહુ સહજ છે કે,  તે અંકને કોઈ ને કોઈ જૈન અગ્રણી સૌજન્ય પૂરું પાડે છે અને પરિણામે આ પ્રબુદ્ધ જીવન દ્વારા અનેક વિશેષાંકો પણ  થયા છે. આપણને એ વાતનું આશ્ચર્ય થાય કે, આજે જયારે દૈનિક પત્રો ચલાવવામાં પણ કસોટીનો સમય આવ્યો છે અને  સામયિકો બંધ કરવા પડે અથવા સમાજની મદદ માંગવી પડે એવો સમય આવ્યો છે ત્યારે પ્રબુદ્ધ જીવન છેલ્લા 97 વર્ષથી અણનમ આપણી વચ્ચે આવી રહ્યું છે એ એક બહુ મોટી સિદ્ધિ છે અને સિદ્ધિની સમગ્ર સમાજે નોંધ લેવા જેવું છે.

આપણે ઘણીવાર ફરિયાદ કરતાં હોઈએ છીએ કે સાત્વિકતા ક્યાંય બચી નથી. મને એમ લાગે છે કે પ્રબુદ્ધ જીવન આપણા સૌ માં સાત્વિક્તાનાં ઝીણા-ઝીણા બીજ રોપવાની એક પ્રક્રિયા છે. પ્રબુદ્ધ જીવનનો દાન વિશેષાંક એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો સંયુક્ત અંક છે અને એ પ્રબુદ્ધ જીવનનાં આ અંકનું ટાઇટલ છે, માનવતાની મિશાલ દાનધર્મ‘. દાન એકત્ર કરીને અનુકંપા પ્રોજેક્ટ ચલાવ્યા પછી સેજલ અને તેની ટીમને એવો વિચાર આવ્યો કે,  આ દાન વિશેની ગ્રંથસ્થ અને વ્યવહારસ્થ સ્પષ્ટતા લોકો સુધી પહોંચે તો ઘણું સારું  અને એમાંથી જન્મ થયો આ ‘માનવતાની મિશાલ દાન-ધર્મનો’. આપણી પાસે આ અંક આવ્યો તે શ્રવણ સુદ 11 અને વીર સંવત 2550નો અંક, આપણને દાન ઉપરનાં એકદમ તળથી લઈને શીર્ષ સુધીના વિચારોને પ્રસ્તુત કરી આપે છે. ભગવતગીતા શું કહે છે, ઇસ્લામ ધર્મમાં દાન શું છે, ખ્રિસ્તી ધર્મમાં દાનની ભૂમિકા શું છે, ગૌતમ બુદ્ધનાં દાનના વિચારો ક્યા છે, આટલું જ નહિ પણ એવા કેટલાક માતબર દાનવીર લોકો કે જેણે પોતાનાં જીવનમાં આંખો મીંચીને દાન કર્યું છે એવા શ્રેષ્ઠીઓના જીવન વૃતાંતને નહિ પણ કર્તવ્યવૃતાંતને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. આ એકસો પચાસ  પાનાંનો અંક આપણને દાન વિશેનું તલસ્પર્શી જ્ઞાન આપે છે એમ કહું તો અતિશયોક્તિ નથી.

જૈન મુનિઓ, જૈન સાધ્વીઓ, અને જૈન અભ્યાસના ધુરંધરો પોતાના લેખ દ્વારા અને કેટલાક દાન-ધર્મ સાથે સીધા વર્ષોથી જોડાયેલ વ્યક્તિઓ દ્વારા લગભગ 60 લેખ આ દાન વિશેષાંકમાં આપણને મળે છે. હું માનું છું કે,  આ દાન વિશેષાંક ભલે પર્યુષણ પર્વમાં આપણી સામે આવ્યો પણ આપણા હિન્દુ  શાસ્ત્ર મુજબ આપણા મકર સંક્રાંતિ  કે દિવાળી કે કોઈ તહેવાર ઉપર દાન કરીએ છીએ તે દાનની ભૂમિકા શું છે અને દાન કોને, ક્યારે, કેટલું, કેવી રીતે આપવું જોઈએ તેની ખુબ જ ઊંડાણથી માહિતી જાણવી હોય તો આ અંક બહુ  ઉપયોગી નીવડશે. આપણે દાન વિશેના કેટલાક વિચારો પણ આ અંકમાંથી જાણવા છે પણ અત્યારે ઝડપથી પર્યુષણ પર્વ વીતી રહ્યું  છે ત્યારે અને વરસાદ આપણી ઉપર હેતનું દાન કરી રહ્યો છે ત્યારે આપણા હૃદયની અંદર તેવા કોઈ અંકુરણ ફૂટે અને આપણે પણ દાન આપવામાં કંજુસાઈ ન કરીએ પણ આભ ફાટે એટલું દાન આપણે આપતા થઈએ એવી શુભ ભાવનાથી આ પરિચય અહીં  મુક્યો છે.

ઉદ્ભવ ગુરુ, ઉછેર ગુરુ, ઉદય ગુરુ અને ઉમંગ ગુરુ

ઉદ્ભવ ગુરુ, ઉછેર ગુરુ, ઉદય ગુરુ અને ઉમંગ ગુરુ

આપણે જ આપણા ગુરુ છીએ. ગીતાજી કહે છે કે : મારું  શર, મારું  કુટુમ્બ અને સમગ્ર  અસ્તિત્વ મારા ગુરુઓ છે. 

આપણે આપણી જાતને એક સાદો પ્રશ્ન પૂછીએ કે આપણો જન્મ શા માટે થયો છે ?

શું ખાલી પીલી જીવવા માટે  ઈશ્વરે મોકલ્યા એટલે અહીં આવ્યા અને ઈશ્વર બોલાવશે એટલે પાછા ચાલ્યા જશો એટલું જ શું ? જીવવા માટે, ખાવા માટે, રળવા માટે, કુટુંબ માટે, પરણવા માટે,  whatsapp પર ચેટ કરવા માટે ??  કઈ બાબત માટે આપણો જન્મ થયો છે ?? આ પ્રશ્નાર્થ છે જેનો આપણને સીધો જવાબ મળતો નથી. સીધો જવાબ જોઈતો હોય તો એવું કહી શકાય કે, આપણે સૌ જન્મીએ  છીએ એટલે જીવીશું એટલે રોજબરોજની પ્રક્રિયામાંથી પસાર થઈશું, ઊંઘી જઈશું, સવારે ઉઠી જઈશું,  બ્રશ કરીશું , નાસ્તો કરીશું,  ભણવા જઈશું અથવા વાંચવા બેસીશું અથવા કોમ્પ્યુટર સામે બેસીશું અથવા 24 કલાક મોબાઈલ ઉપર બેઠા રહીશું !! અને બપોર પછીનો સમય ફરી એકવાર આખો દિવસ ઢળતો  હોય ત્યારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈશું. આટલું બધું કરવા માટે જ શું  આપણે જન્મ  લીધો છે ? આપણા જન્મનો ઉદ્દેશ ગણો તો ખરેખર આટલો જ છે કે આપણે આનંદ અને મોજ કરવા માટે જ જન્મ લીધો છે. આપણે ભણ્યા, આપણે નોકરીએ લાગ્યા, આપણે પરણ્યા, આપણે સંતાનો થયા, આપણા સંતાનો મોટા થયા, એ સંતાનોને પરણાવ્યા, આ બધી પ્રક્રિયા એ આપણા જીવનનો એક ભાગ છે અને એ એક ભાગ એટલે જીવનને આનંદપૂર્વક વિતાવવા માટેની આ બધી કસરતો, બીજું કશું જ નહીં ,  આટલું જાણી લઈએ તો ખાતરી થાય કે હકીકતમાં જીવનનો ઉદ્દેશ જીવવું છે. 

વિચારવા જેવો  મુદ્દો એ છે કે, મિત્રો,  આપણે લોકો જન્મ લઈએ છીએ પછી આપણને કોઈકે  ઉછેરવું પડે છે.  ગાયનું વાછરડું  જન્મે તો એ થોડીવારમાં ચાર પગ ઉપર ઉભું થઈ જાય ને ચાલવા લાગે,  પોતાની માતાને ચાટવા લાગે,  થોડોક  સરખો ચારો ખાવા લાગે છે ! પક્ષીનું કોઈ બચ્ચું હોય એ માળામાંથી નીકળે એક ડાળેથી બીજી ડાળે,  બીજી ડાળેથી ત્રીજી ડાળે એમ  ધીમે ધીમે આગળ વધતું જાય અને પછી એક દિવસ અનેક પક્ષીઓની જેમ આકાશમાં ઉડવા લાગે !!  માણસના કિસ્સામાં આવું બનતું નથી.  માણસની આજુબાજુ કશુંક  જોઈએ છીએ.  આપણે જન્મ લઈએ કે તરત જ આપણને ઈશ્વરે ચાલતા નથી કર્યા,  કારણ કે આપણને જન્મ આપવો એ આપણા માતા-પિતાના જીવનનું એક બહુ મોટું સપનું  હતું.  એમાં એમનો ઉત્સાહ  હતો. એમની સાંવેગિકતા  જોડાયેલી હતી. એમની આશા હતી,  અરમાન હતા કે,  અમારા ઘરમાં એક બાળક અવતરશે તેની સાથે અમે એના જેવડા થઈ જઈશું. અને  ફરીવાર અમને અમારું બાળપણ મળશે અને શક્ય છે કે અમારા બાળક દ્વારા  અમારા જેવા જ  એક માતા અથવા એક પિતાનું સર્જન થશે અને સૃષ્ટિનો ક્રમ જાળવવામાં અમારું પણ યોગદાન અમે આપી શકીશું… બસ, આ પ્રકૃતિમાંથી સર્જાયને અમારું સર્જન પણ ફરી એક સર્જન પ્રકૃતિને પરત કરશે અને પ્રકૃતિ ચક્ર ચાલતું  રહેશે.  આ જ તો જીવનનો ઉદેશ્ય છે અને એમાં જ તો આનંદ છે.  

આપણે આજે વાત કરવી છે ગુરુપૂર્ણિમાની. આ ગુરુ શબ્દ આપણે નાના હતા ત્યારે પહેલીવાર આપણા કાનમાં પડ્યો, સાત વારના એક અઠવાડિયામાં ગુરુવારથી, ‘આજે ગુરુવાર છે’, એમ જ્યારે કોઈએ કહ્યું ત્યારે આપણે અઠવાડિયાનો એક દિવસ અને એનું કોઈકે પાડેલું નામ એટલે ગુરુવાર, એવું જાણ્યું પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આપણને સમજાતું ગયું કે ગુરુવાર સપ્તાહનો એક દિવસ ખરો, પણ એમાં વપરાયેલો શબ્દ ગુરુ ઘણો મોટો અર્થ ધરાવે છે અને એનું ઘણું બધું મહત્વ છે.  એ આપણો પથદર્શક બની શકે એટલો શક્તિશાળી શબ્દ છે. આપણે શેરીમાં હતા, રમત રમતા હતા, એકબીજા મિત્રો સાથે ધીંગા મસ્તી કરતા હતા, ત્યાં સુધી આપણને આ ગુરુ એ શબ્દથી કૈંક વધુ છે એવું સમજાયું, પણ જેવા આપણે ભણવા માટે બેઠા અને સ્કૂલમાં ગુરુપૂર્ણિમાના ઉત્સવની વાત આવી અને એમાં સરસ્વતી માતાની છબી મૂકીને એમને આપણા ‘ગુરુ’ કહેવામાં આવ્યા ત્યારે આ ‘ગુરુ’ શબ્દ આપણને જરા વિશિષ્ટ લાગ્યો !

આમ જોઈએ તો જીવનના ચાર તબક્કાઓ છે અથવા તો એમ કહીએ કે, આપણે જીવનમાં ચાર વખત જન્મ લઈએ છીએ. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ ચાર જન્મ ના આપણા ચાર ગુરુઓ હોઈ શકે. આમ તો ગુરુ શબ્દનો શાબ્દિક અર્થ બહુ સીધોને  સાદો છે,  ગુ એટલે અંધારું અને રૂ એટલે દૂર કરે તે.. આપણા જીવનના કોઈપણ તબક્કે જ્યારે આપણે અંધારામાં ફસાઈ જઈએ ત્યારે, આપણને ત્યાંથી આંગળી પકડીને પ્રકાશ તરફ લઈ જાય તે આપણો ગુરુ છે. સીધી સાદી વાત તો આટલી જ, પરંતુ પ્રશ્ન એ થાય કે જે બાળક ધીમે ધીમે વિકાસના અનેક તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યું હોય એમાં વળી એને અંધારું ક્યાં આવે ?? અને અંધારું આવે તો પ્રકાશ તરફ જવાની વાત આવે તેવી તેની સમાજ ક્યાં હોય ? આપણા ચાર જન્મમાંથી સૌથી પહેલો જન્મ એ ભરચક અંધારી કોટડી માંથી આપણે બહાર આવીએ એ પહેલા નો જન્મ છે. આપણે આપણી માતાના ગર્ભાશયની અંદર લગભગ લગભગ નવ  મહિના કાળ કોટડી  જેટલા અંધારામાં પડ્યા હોઈએ છીએ અને આપણી માના પોષણ દ્વારા આપણે ધીમે ધીમે મોટા થઈએ છીએ. એક નાનકડું ફલિત અંડ હતું અને તે વિકસતું વિકસતું  અઢી ત્રણ કિલોનું બાળક થઈ ગયું, જેને અંગ છે,  ઉપાંગો છે,  જેના શરીરની અંદર તંત્રો છે,  કોષો છે પેશીઓ છે,  એવું બાળક જે નવ મહિના માતાના ગર્ભમાં ગાળે છે એ જન્મને આપણે કોષીય જન્મ અથવા તો સેલ્યુલર બર્થ કહીએ છીએ. પરંતુ આ કાળકોટડી  કાયમની નથી રહેતી અને આપણને સમય થાય ત્યારે કોઈ બહારની  આ દુનિયાના  જીવન સાથે પરિચય કરાવે છે.  આ પ્રક્રિયાની અંદર આપણે ગર્ભમાં આવ્યા એ માટે આપણા માતા-પિતા આપણા પહેલા ગુરુ છે.  એમણે  ધાર્યું,  એમણે  મનમાં  એક સુંદર સર્જન માટે વિચાર્યું ત્યારે આપણે ગર્ભમાં જઈને સ્થિત થયા. આમ જીવનના પ્રથમ  ગુરુ ગણીએ તો આપણા માતા-પિતા છે.  ઉદાહરણ તરીકે આપણો કોષીય  જન્મ પૂરો થયો. અંદર થવો જોઈએ તેટલો વિકાસ થયો અને આપણે હવે ભૌતિક જન્મ લેવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને આપણી માતા બહુ મોટી પીડા ભોગવીને  પણ બહાર લઈ આવે છે અને એ સમયે ત્યાં આપણી સામે બે હાથ પહોળા કરીને સ્વાગત કરવા તત્પર બે સ્ત્રીઓ હાજર હોય છે. હકીકતમાં એ બે સ્ત્રીઓ આપણા ધરતી પરના અવતરણના પહેલા સાક્ષીઓ છે. એમણે  આપણને પ્રકાશમાં પહેલો શ્વાસ લેતા કાર્ય છે. આપણને ખબર નથી કે એ કોણ હતાં ? આપણે એને જીવનમાં ક્યારેય યાદ કરતા નથી,  સંભારતા નથી. મારી માતા એકલપંડે   મને જન્મ ના આપી શકી હોત !!  મારી માતાના અરમાનો ફળીભૂત  થયા છે એને પરિણામે મારી માતાની  આંખમાં એક તેજ પુંજ જોવા મળે છે.  મને જોવા માટે તત્પર એવા મારા પિતાશ્રી  બહુ મોટા અરમાનો સાથે મારું સ્વાગત કરે છે અને હવે મારો સાંવેગિક જન્મ  શરૂ થાય છે. અનેક પ્રકારના લોકો દ્વારા ટેકો મળે છે અને ઘોડિયામાં સૂતો હોઉં તો મારી ઘોડિયાની ઝોળીને નાની બેન અથવા તો આજુબાજુની કોઈ દીકરી અથવા તો મારા પપ્પા પણ હિંચોળે છે, આ સૌ મારા ગુરુ છે, કારણ તેઓ મને કશુંક શીખવી રહ્યા છે.   મને ધીમે ધીમે એવા લોકો મળતા જાય છે કે જે મને ઉછેરવામાં મદદ કરે  છે તે લોકો પણ મારા થોડા ઘણા અંશે ગુરુ છે.  હું રીખવા લાગું  છું, ધીમે ધીમે દોડવા લાગું  છું, ઘરમાંથી નીકળીને શેરીમાં જાઉં છું, શેરીમાં મિત્રોની વચ્ચે ભળી જાઉં છું અને  જઈને સૌ સાથે રમું છું,  આ દરેક વખતે કોઈ મારી  બાજુમાં હોય જ છે. કોઈ મને ધક્કો મારી જાય તો મને એ શીખવા મળે છે કે,  આપણને કોઈએ પછાડી દીધા હોય ત્યારે કોઈ બે ત્રણ જણા આપણને  ઊભા કરવા પણ હાજર હોય છે આ સાંકેતિક ભાષા જેણે મને સમજાવી અને એક સંવેગ  મારા મનમાં  ઉમેર્યો ,  એ હકીકતની અંદર મારો ગુરુ છે.

સાંવેગિક  જન્મમાં મારા સંવેગો અને મારી લાગણી ધીમે ધીમે ઘડાતી  જાય છે આ સમય દરમિયાન કેટકેટલા લોકોને  હું મળું છું  અને મારી વાત એમને કહું છું, એમની વાત સાંભળું છું આ બધા લોકો મારામાં કશુંક મને ખ્યાલ ન આવે તેમ ઉમેરતા જાય છે. મારી કેટલીક શંકાઓને દૂર કરતા જાય છે.  મને જગત અને જીવ હવે સમજાવવા લાગે છે. મારાં  આ દરેક પગલાં પર જે જે લોકોએ, ઘટનાએ કે પરિસ્થિતિએ મને સાથ આપ્યો તે  દરેકને મારે ગુરુ ગણવા જોઈએ.

મારો  એક સીધો અને સાદો મુદ્દો  છે કે,  આજે હું તમારી સાથે એક વિષય ઉપર વાત કરી શકવાને સમર્થ બન્યો છું,  એમાં હું એકલો જવાબદાર નથી.  મારા ભૌતિક જન્મથી લઈને આજે આપની સાથે વાત કરી રહ્યો છું તે સામાજિક જન્મ સુધી મને ગણ્યા ગણાય નહીં એટલા મારા કુટુંબીઓએ,  મારા શિક્ષકોએ,  મારા મિત્રોએ, મારા વિરોધીઓએ,  મને ઓળખનાર અને મને ન ઓળખનાર ઘણા બધા લોકોએ ટેકો કર્યો છે ત્યારે હું આજે અહીં ઉભો છું. આ બધા મારા ગુરુઓ છે. અને એ ગુરુઓને પ્રણામ કરવા માટે આજે ગુરુપૂર્ણિમા ઉત્સવ છે.  આપને કદાચ એમ થશે કે આટલા બધા ગુરુ હોઈ શકે ?? ના, હકીકતમાં આપણે એને ગુરુ ગણતા નથી,  પણ ગણવાં  જોઈએ એવું  મનમાં બરાબર બેસે એટલા માટે મેં  આટલી લાંબી વાત કરી છે.   મારે જે જ્યારે કરવું જોઈએ ત્યારે તે કરવા માટે જેણે મને ટચલી આંગળીનો ટેકો દીધો હોય તે મારો ગુરુ છે, આવી મારી માન્યતા છે.  એમ કહેવાય છે કે,  ‘ચપટી ધૂળ જો આપણને મદદમાં આવી હોય તો આપણે તેનો આદર કરવો જોઈએ અને ક્યારેય પણ તેને વિસરવું ન જોઈએ’, કારણ કે એ ધૂળ  આપણને ફરી ક્યારેય ધૂળમાં મેળવી દે અથવા તો શિખર પર ચડાવી દે એ નક્કી નથી.  અસ્તિત્વની આખી યોજના એવી છે કે, આજે જે મળે છે એ કદાચ કાલે  નહીં મળે અને શક્યતા એવી છે કે,  જે નહીં મળે એવું ધારેલ હોય એ વ્યક્તિ સાથે તમારે આખું જીવન વિતાવવાનો વારો આવે. એકપણ વ્યક્તિને ભૂલી જવી એ  ખોટનો ધંધો છે. આપણી સમક્ષ ગુરુ દત્તાત્રેયનું ઉદાહરણ છે, જેણે  ચોવીસ  ગુરુઓ કરેલા! આપણને આજે આશ્ચર્ય થાય કે ચોવીસ ચોવીસ ગુરુ ??  આપણને ગુરુ દતાત્રયજી એ શીખવ્યું છે કે,  શિક્ષાગુરુ અનેક  હોઈ શકે.

હું જરા જુદી રીતે આખા વર્ગીકરણને મૂકવા માગું છું:

આપણને આ પૃથ્વી ઉપર જન્મ આપનાર આપણા માતા-પિતાને અને અજ્ઞાત એવી અનેક વ્યક્તિઓને કે જેમણે આપણને ભૌતિક જન્મ સુધી સાથ આપ્યો છે તે સૌને આપણે   ‘ઉદ્ભવ ગુરુ કહીએ. આપણા  ભૌતિક જન્મ દરમ્યાન જેણે  આપણને અનેક રીતે ટચલી આંગળીનો ટેકો કર્યો છે અને આપણને તારૂણ્ય  સુધી ચાલતા કર્યા છે તેને આપણે ‘ઉછેર ગુરુ કહીએ.  જીવનના પ્રશ્નને સમજી તેમાંથી માર્ગ શોધતા જેમને આપણને કોઈએ શીખવ્યું.  આપણી લાગણી, આપણી ઊર્મિઓ,  આપણા ગમા અને અણગમા  વગેરે ઘડવામાં જેણે આપણને સાચો માર્ગ દેખાડયો  છે તેને આપણે ‘ઉદય  ગુરુ કહીએ. આપણને ભણાવી ગણાવીને સમાજમાં અથવા તો જીવનમાં કુટુંબના એક અગ્રણી તરીકે જેણે  સ્થાન આપ્યું છે એ પ્રત્યેકને આપણે આપણા ‘ઉમંગ ગુરુ ગણી શકીએ.

ઉદ્ભવ ગુરુ મને જન્મ આપે છે, ઉછેર ગુરુ મને પગ પર ઉભો થતા શીખવે છે,

ઉદય ગુરુ મારા જીવનના ઉદય માટે પરિશ્રમ કરે છે અને ઉમંગ ગુરુ મને સદાકાળ માનવ બની રહેવાનો ઉત્સાહ ભરી આપે છે.

શ્રીમદ ભગવત ગીતામાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે, આપણે જન્મ લઈએ ત્યારે આપણી સાથે ત્રણ પ્રકારની સંસ્થાઓ જોડાયેલી હોય છે અને આ ત્રણ પ્રકારની સંસ્થાઓ માટે આપણે જીવીએ તેવી ભગવાન શ્રીકૃષ્ણની અપેક્ષા છે. પહેલી સંસ્થા એ શરીર છે. શરીરમાં વસેલા હાડકાઓ, સ્નાયુઓ, અંગ ઉપાંગો દરેકનું સંવર્ધન કરવું અને સુરક્ષા કરવી એ પહેલી આપણી ફરજ છે. બીજી સંસ્થા તરીકે શ્રીમદ્ ભગવત ગીતા આપણને કુટુંબની વાત કરે છે. અહીં કુટુંબ એટલે માત્ર મારું કુટુંબ નથી,  પણ હું જેની જેની સાથે સંપર્કમાં આવું છું,  મારા પાડોશી,  મારા શેરીના મિત્રો,  હું સ્કૂલે જાઉં ત્યારે મારા સ્કૂલના મિત્રો,  સ્કૂલના શિક્ષકો… આ બધું કુટુંબ છે.  કુટુંબ એટલે વસુધૈવ કુટુમ્બકમ એ સંકલ્પનાનું કુટુંબ છે.  હું જેની સાથે શ્વસી રહ્યો છું તે પ્રત્યેક જીવ મારા કુટુંબનો સભ્ય છે આ કુટુંબના સભ્યોને સાચવી રાખવા,   સંવર્ધિત કરવા  અને તેની સુરક્ષા કરવી એ મારી બીજી ફરજ છે. શ્રીમદ  ગીતા ત્રીજી સંસ્થા તરીકે સમગ્ર અસ્તિત્વને આપણી સાથે જોડી દે છે અને એવું કહે છે કે,  જે અસ્તિત્વએ  તમને ઘડયા  છે,  તમને મોટા કર્યા છે,  એ પંચમહાભૂતમાંથી તમે  ઘડાયા છો,  એ તમારી ત્રીજી સંસ્થા છે,  એને કોઈ પણ સંજોગોમાં નુકસાન ન થાય એ આપણી ફરજ છે. એને સાચવી રાખીને એને સંવર્ધિત  કરવાનું અને એમાંથી  આપણે જેટલું લીધું છે એના કરતાં અનેક ગણું પાછું આપવાનું કામ એ આપણી  ત્રીજી સંસ્થા માટેનો ધર્મ છે.  ભગવાન શ્રીકૃષ્ણના કહ્યા  પ્રમાણે આપણે માનીએ તો,  આપણા ગુરુઓ ત્રણ પ્રકારના બની શકે.   મને ખબર છે કે મારાથી શું ખવાય,  શું ખાવાથી શું થાય, ન ખાવાથી  તો શું થાય,  કેટલું ચાલવું જોઈએ,  કેટલું સૂવું  જોઈએ ??  મારા શરીરની પૂરેપૂરી ઓળખ કેવળ  મને  છે એટલે મારું શરીર મારું ગુરુ છે. મારું કુટુંબના  માતા પિતા કે મારો મિત્રો કે સંબંધીઓ માંથી કોઈ નાદુરસ્ત થશે તો મને અસર થશે  અથવા તો હું નાદુરસ્ત હોઈશ તો આ બધા મળી કાળજી  લેશે એટલે આ કુટુંબ પ્રત્યે મારે મારો સદભાવ જાળવી રાખવો જોઈએ.  સદા એના માટે મારે મિત્રતાના ભાવથી તત્પર થવું જોઈએ.  મારે મારી ફરજ  વડીલો પ્રત્યે અદા કરવી જોઈએ, એ મારું  કુટુંબ મારો  ગુરુ છે.  અને અસ્તિત્વની અંદર જે પંચ મહાભૂત છે એ ના હોય તો આપણે જીવી શકીએ ખરા ?? વિચાર કરો કે કાલ સવારથી ચાર પાંચ છ દિવસ સુધી સૂર્યદેવ દર્શન ના આપે તો આપણી શી હાલત થાય ? ધરતી પર અતિશય પાણી વરસવા લાગે અને અનરાધાર વરસાદ મહિનાઓ સુધી ચાલતો રહે તો આપણી  શી  સ્થિતિ થાય ?  એ જ રીતે પવન થંભી  જાય તો આપણે શ્વાસ કેવી રીતે લઈએ ? વૃક્ષો છે એ ઓક્સિજન બહાર કાઢવાનું ભૂલી જાય તો આપણે જીવતા  કેમ રહી શકીએ ? અસ્તિત્વના આ બધા ઘટકો સુપેરે કામ કરે છે એટલે આપણું  જીવન ટકેલું છે,  આમ અસ્તિત્વ આપણું સર્વોચ્ચ ગુરુ છે એવું આપણે માનવું જ પડે.

અનેક મહાપુરુષો ગુરુના જુદા જુદા પ્રકારો અને ગુરુ મહિમાને પ્રગટ કરવાની અનેક રીતો આપણી સમક્ષ રજુ કરતા હોય છે.  પણ આપણે નાના માણસો  છીએ એટલે બહુ ઊંડાણમાં જઈને આપણે ગહન રીતે વાતો નથી કરવી.  પૂજ્ય શ્રી મોરારીબાપુ કહે છે કે,  ગુરુના બે પ્રકાર છે :  એક  પૂર્ણ ગુરુ છે, અને  એક શૂન્ય ગુરુ છે.  આપણે જે વાત કરી તેમાં જે તબક્કે જેણે આપણને સાથ આપ્યો તે સ્વયં  પૂર્ણ ન હોત તો આપણે સફળ ન થયા હોત. જે કોઈ આપણને મળ્યા અને આપણને માર્ગ ચીંધી ગયા  તે પૂર્ણ હતા.. પણ એવું જરૂરી નથી કે દરેક ગુરુ પૂર્ણતાથી તમારી સાથે રહે.   કેટલાક એવા વ્યક્તિત્વ છે કે,  મારી તમારી નજર સામે નથી, કદાચ  આજે જીવંત પણ નથી છતાં એ આપણને માર્ગદર્શન કરી રહ્યા છે.  લોક ભારતી ની જ વાત કરીએ તો,  નાના દાદા, દર્શક દાદા, બુચ દાદા  અને મૂળશંકર દાદા ને આપણે ક્યાં કોઈએ જોયા છે ?? છતાં આપણને અને આપણી સંસ્થાને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે.  મોરારીબાપુ તો એમ કહે છે કે,  શક્ય બને ત્યાં સુધી વધુને વધુ શૂન્યતા તરફ જાવ,  મૌન તરફ જાવ,  કદાચ એવું બને કે મૌનમાં તમને આજે જ સામે નથી તે બધા જ ગુરુઓ સામે આવીને ઉભા  રહે.  એ સૌ એ સમયનું  કામ કરીને પછી આપણાથી વિમુક્ત થઈ જાય છે અને  આપણને કદાચ આખા જીવનમાં ક્યારેય  ફરી મળતા પણ નથી, એમણે  આપણને જે શીખવવું હતું એ શીખવીને પોતાના માર્ગ ઉપર આગળ ચાલતા  રહ્યા.  એટલે આપણા જીવનમાં એનો કોઈ ભાર નથી.

ગુરુ અને સદગુરુ – આ બે શબ્દો વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. આવા અનેક ઉદાહરણો આપણને શાસ્ત્રોમાંથી, વિશિષ્ટ બુદ્ધ પુરુષોના જીવનમાંથી જોવા મળ્યા છે. એ ઉદાહરણની મદદથી આપણે આ બે શબ્દોને હંમેશા સરખાવવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ. પણ, કહેવાનું તો એટલું જ થાય કે ગુરુ તો ગુરુ છે, અને સદગુરુ તો સદગુરુ જ છે. શ્રી રામકૃષ્ણ દેવ અને સ્વામી શ્રી વિવેકાનંદના જીવનમાં બનેલી એક ઘટના આપણને એ સ્પષ્ટ કરે છે કે, સદગુરુ પોતાના શિષ્ય દ્વારા, પરમ શિષ્ય દ્વારા જો નાની સરખી પણ ભૂલ થાય તો પુરા પ્રયત્નથી તેને એ માર્ગેથી પાછો વાળે છે. એમને એવું લાગે કે આ માર્ગે મારો આ પરમ પ્રિય શિષ્ય હવે આગળ નહીં વધી શકે, તો પૂર્ણ વિરામ મૂકવાનું કામ પણ એ સદગુરુ જ કરે છે. વિવેકાનંદજીના જીવનમાં એક નાનકડો અનુભવ સમાધિ અંગેનો થયેલો તેનો ઉલ્લેખ છે. રામકૃષ્ણદેવના આશ્રમમાં દક્ષિણેશ્વરમાં કાલુ નામનો એક  ગરીબ હતો, ગામડાનો હતો. પરંતુ એની ભક્તિ એવી હતી કે ભક્તિમાં અને ભક્તિમાં આખો દિવસ પસાર કરતો હતો. તેમણે પોતાના રૂમની અંદર લગભગ લગભગ બધા જ દેવ દેવતાઓની મૂર્તિઓ રાખી હતી. જ્યાંથી મૂર્તિ મળે એને સ્થાન આપે, અને દેવતાની મૂર્તિ રાખે. એનું પૂજન કરે.  પોતાના રૂમમાં પોતાને સુવાની જગ્યા નહોતી, એટલી મૂર્તિઓ હતી. પોતે બહાર સૂતો. બધાની  પૂજા કરે, ભાવથી પૂજા કરે. એવું ન હતું કે માત્ર વારો વદાડવા માટે પૂજા કરે, આરતી કરે, થાળ ઘરે અને આઠ દસ મિનિટમાં બધું આટોપી લે. ના, એમનો તો લગભગ આખો આખો દિવસ એમાં જતો. કારણ કે ભાવથી પૂજા કરતો હતો. એકે એક  મુર્તિની પૂજા કરતો હતો. ક્યારેક તો પૂજા કરવામાં સાંજ પડી જાય, તો જ્યારે પૂજા પૂરી થાય ત્યારે એ બિચારો ભોજન કરે. વિવેકાનંદજી આ વસ્તુ જોવે અને તેને હસવું આવે કે, આ માણસ કેવો મૂર્ખ છે. એમણે  ક્યારેક એને સમજાવ્યો પણ ખરો કે તારું આ પાગલપન છોડી દે, તો આ બધા પથ્થરોમાં કાંઈ નથી, પરંતુ કાલુની આંખમાં આ સાંભળીને આસું આવી જાય એટલે  વિવેકાનંદજી પોતાની વાત આટોપી લે.  પરંતુ એ કહે કે આ બધાને ગંગામા પધરાવી દે. તારી જાતને એકલીને બચાવી લે. પરંતુ કાલુને તો પ્રેમ હતો. એના રૂપને એ ગંગામાં ક્યાંથી ફેકે? સ્વામી શ્રી વિવેકાનંદજી ને રામકૃષ્ણ દેવે ધ્યાનની રીતિ આપી હતી કે જેથી કરીને સાક્ષી ભાવમાં તેઓ પોતાના વિચારો ને નિરખી શકે. તેઓ એક વખત આ ધ્યાન કરી રહ્યા હતા ત્યારે એવું બન્યું કે સાક્ષી ભાવમાં એને થોડી ઝલક દેખાણી અને વિચાર સમાપ્ત થઈ ગયો. પરંતુ નાનકડી એ ઝલકે જાણે પર્દાફાશ કર્યો. એક નવો ઝરૂખો ખોલી દીધો. એ કિરણ અંદર પ્રવેશી તત્ક્ષણ એને એવું લાગ્યું કે આ સમયે પોતે કાલુને જઈને વિચાર આપવો જોઈએ કે તારી બધી મૂર્તિઓ છે એને બાંધી પોટલીમાં અને ગંગા માં પધરાવી દે. એમને લાગ્યું કે સમાધિષ્ઠ વ્યક્તિનો વિચાર બહુ બલશાલી હોય છે. એટલે મારે અત્યારના મને જે દેખાયું તેને કહી દેવું જોઈએ. કાલુ તો ભક્ત હતો, પરમ ભક્ત હતો. એના અનુભવની એક દુનિયા હતી. એ ગદગદ હતો, આનંદિત હતો. રામકૃષ્ણદેવે  એ અગાઉ એક બે વખત વિવેકાનંદજીને કહેલું કે આ કાળુ ને તારે છંછેડવાની જરૂર નથી. એ સીધો સાદો આદમી છે, પોતાની મસ્તીમાં મસ્ત છે. એનો પોતાનો એક માર્ગ છે માટે તર્ક-વિતર્ક ન કરવો, એનું નુકશાન ન કરવું. પરંતુ સ્વામીજી ને પણ પહેલો જ અનુભવ થયો. જરાક દ્વાર ખુલ્યું સમાધિનું અને તત્ક્ષણ વિચાર આવ્યો અને એનો ઉપયોગ કર્યો. બહાર નીકળીને કહ્યું કે કાળુ બાંધ પોટલી અને બધા દેવી-દેવતાઓને ગંગામાં પધરાવી દે. શ્રી રામકૃષ્ણદેવ બહાર પંચવટી માં બેઠા હતા. તેમણે જોયું કે,  વિવેકાનંદ પોતાના રૂમમાંથી બહાર આવીને આવો વિચાર આપી રહ્યા છે. સહસા તેઓ ઉભા થયા અને ભાગ્યા. કાળુ પોતાના દેવદેવીઓની પોટલી બાંધીને ગંગા તરફ જતો હતો ત્યાં જઈને રોકી ને કહ્યું ક્યાં જાય છે? તેમણે  કહ્યું, બધું બેકાર છે, કોઈ સાર નથી. આજે મને વાત સમજાણી છે કે વિવેકાનંદજી કહે છે કે ઠીક છે, એટલે હું તેને ફેંકી દઉં છું. શ્રી રામકૃષ્ણદેવે  કહ્યું ઉભો રે, થોડી વાર ઉભો રે. આ તારો વિચાર નથી, આ તું નથી બોલી રહ્યો. તું ઉભો રે, હું તને હમણાં કહું છું. તેઓએ જઈને વિવેકાનંદજીના ખંડની બહાર દરવાજા ઉપર ટકોરા લગાવ્યા. દરવાજો ખુલ્યો અને વિવેકાનંદને કહ્યું કે આ તેં  શું કર્યું? તે શા માટે કાળુ ને આવો  વિચાર આપ્યો? સમાધિમાં આવેલો દરેક વિચાર સંપ્રેક્ષિત કરવાનો નથી. આ તો સમાધિનો ઉપયોગ થયો, દૂર-ઉપયોગ થયો. શ્રી રામકૃષ્ણદેવ નારાજ થયા અને એમણે  એમ પણ કહ્યું કે, તારી સમાધિ આનાથી આગળ નહિ વધે. એની ચાવી હું મારી પાસે રાખી લઉં છું. તરત જ કાળુને સમજમાં આવ્યું. તેમનો વિચાર પોતાનો ન હતો. એ પૂજા કરી રહ્યો હતો, સરળ ચરિત આદમી હતો. એ દેવ દેવતાઓને લઈને ભીતર ઉપડી ગયો હતો. અને એને જોઈને વિવેકાનંદજીને જે વિચાર આવ્યો, એ એમને કહ્યો. વિવેકાનંદ રામકૃષ્ણ દેવના શિષ્ય હતા. સદગુરુ ની વાતથી જ સ્વામીજીએ કહ્યું, “હું કાળુની ક્ષમા માંગી લઉં.” અને તેમને દિલથી ક્ષમા માંગી. વિવેકાનંદને એ શબ્દો મનમાં બરાબર રહ્યા કે, હવે તારું ધ્યાન અહીંયા રહેશે, આગળ નહીં વધે, તેની ચાવી હું મારી પાસે રાખું છું. કહેવાય છે કે વિવેકાનંદનું ધ્યાન ત્યાં અટકી ગયું. પોતાના મરવાના મૃત્યુના ત્રણ દિવસ પહેલાં  એક પત્રમાં તેઓએ લખ્યું છે કે, ‘હે ભક્તો, હું સમાધિમાં અનુભવ નથી કરી શક્યો. આજ સુધી અનુભવ નથી કરી શક્યો. તે દિવસે રામકૃષ્ણ દેવે  ચાવી રાખી લીધી હતી, તે ફરી પાછી નથી મળી. પછી ક્યાં ખોવાઈ ગઈ, એ ચાવી મને ખબર નથી. પરંતુ મેં દુરુપયોગ કર્યો હતો, એટલે તેની સજા સદગુરુ એ મને આપી છે.’ આ ઘટનાથી  ગુરુ અને સદગુરુ વચ્ચેના નિકટમ આત્મીય દિવ્ય સંબંધોની પ્રસાદી આપણને મળે છે.

આપણને એકાદો નાનો  વિવેક જે શીખવી જાય છે તે શિક્ષા ગુરુ છે,  પરંતુ બધાના જીવન સરખી રીતે ચાલતા હોય એમાંથી કોઈ એક નવો માર્ગ પકડીને આપણે આગળ વધવું છે,  પ્રગતિ કરવી છે,  ત્યારે જે ગુરુ આપણને પ્રાપ્ત થાય છે દીક્ષા ગ્રુપ છે.  જે તમને વિશિષ્ટ કૌશલ્ય માટે સતત ઘડે છે અને તમને એ કૌશલ્યના માસ્ટર બનાવે છે તે તમારા દીક્ષા ગુરુ છે. આજે પણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં દીક્ષા ગુરુની પરંપરા બરાબર ચાલે છે.  ખૂબી એ છે કે આરંભે  તમારું નામ  ગુરુ સાથે જોડાઈ જાય અને એક સમય એવો આવે કે જ્યારે તમારું નામ લેવાતું થાય અને ગુરુ નામ મૌન થતું થાય.

અને છેલ્લી વાત, બહુ ટૂંકમાં કે..

જીવનને જીવતાં શીખવે તે ગુરુ.

જીવનને માણતાં શીખવે તે ગુરુ.

જીવનને આંનદ ને મૌજથી છલકાવી દે ગુરુ. 

મને અને તમને કશુંક નવું શીખવે તે શિક્ષા ગુરુ

પણ 

મને અને તમને જીવનના કૌશલ્ય માટે કેળવે તે દીક્ષા ગુરુ.

(લોકભારતી, સણોસરા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે આપેલું વક્તવ્ય તા. 21-07-24)

 

 

 

હાથીની અંબાડી પર ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ !!

હાથીની અંબાડી પર ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ !!

મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ ગ્રંથનું ભવ્યસ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી.

જયસિંહ સિધ્ધરાજ માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. વિદ્વત્તાપ્રેમી રાજા જયસિંહ સિધ્ધરાજ સેંકડો ગાડાંઓ ભરીને એ ગ્રંથો પાટણમાં લાવ્યા. આ જ્ઞાનભંડારને જોઈને એ આશ્ચર્યચકિત થતો હતો ત્યાં જ  એમાં ભોજરાજ વિરચિત ‘સરસ્વતીકંઠાભરણ’ નામના વ્યાકરણગ્રંથ પર નજર પડી. પંડિતોને પૂછ્યું કે આ ગ્રંથનું મહત્તમ કેટલું ? તો જાણવા મળ્યું કે,  પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજરાજનું આ વ્યાકરણ છે અને  તે એના રાજ્યમાં ભણાવાય છે. પંડિતોએ ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસા કરી અને તેથી જયસિંહ  સિધ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતાનું સ્મરણ થયું. એ સમર્થ રાજા હતા એટલે એમને થયું કે, રાજા ભોજ અને માળવા દેશ નથી, કિંતુ વિદવાનોના  હૃદયમંદિરમાં તો એ બંનેની ઉપસ્થિતિને શાશ્વત રાખનારું આ વ્યાકરણ તો છે.!!

રાજા સિધ્ધરાજને મંથનના અંતે  વિચાર આવ્યો કે, તલવારથી મેળવેલા વિજય તો આજે છે અને કાલે ભૂંસાશે. પરંતુ  વિદ્વત્તા તો  વહેંચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. રાજાએ જાણ્યું કે,  જ્ઞાનોપાસના માટે માળવાના વિદ્યાર્થીઓને ક્યાંય જવું ન પડે એ માટે જુદી જુદી વિદ્યાના ગ્રંથો ત્યાં રચાયા, જેમાં ચિકિત્સાશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્ર છે. આ જાણીને તો બાર બાર વર્ષની મહેનત પછી મેળવેલો માળવાના વિજયનો આનંદ જાણે  ઝાંખો પડી ગયો. રાજાએ સંકલ્પ કર્યો કે,  સરસ્વતીના તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનાં વહેણ વહેતાં કરવાં.

વિ. સં. ૧૧૯૩માં સિધ્ધરાજે આ વ્યાકરણ લખવાનું કાર્ય હેમચંદ્રાચાર્યને સોંપ્યું અને સકારણ માનભેર કાર્ય સોંપતાં કહ્યું કે, “હે મુનિનાયક ! મને થશ મળશે અને આપને પ્રસિધ્ધિ અને પુણ્ય — બંને મળશે, તેથી વિશ્વના લોકો ઉપર ઉપકાર થાય તે માટે આપ નવીન વ્યાકરણની રચના કરો.” જયસિંહ સિધ્ધરાજે ઠેર ઠેરથી રાજચિહ્ન સાથે પત્રો પાઠવીને હસ્તપ્રતો મંગાવી. રાજદૂતોને તત્કાળ કાશ્મીર મોકલી  ત્યાંના ભારતીદેવી પુસ્તકાલયમાંથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણ મોકલવા ઉપરાંત ઉત્સાહ નામના પંડિતને પણ હેમચંદ્રાચાર્યને વ્યાકરણ રચનામાં મદદ કરવા માટે મોકલ્યા.

મહારાજ સિધ્ધરાજની માનસસૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું. યુધ્ધનાં દુંદુભિ નાદોનું શ્રવણ કરનારા રાજાના કાનમાં વ્યાકરણનાં સૂત્રો અને મધુર દૃષ્ટાંતો ગુંજવા લાગ્યાં. હવે રાજ્યોનો  વિસ્તાર નહીં પણ વિદ્યાવિસ્તાર અંગેનું  ચિંતન શરુ થયું. સમય મળે કે તરત  મહારાજ સિધ્ધરાજ ઉપાશ્રયમાં આવીને શાંતિથી એક ખૂણે બેસે  અને વિદ્યા- યજ્ઞમાં સામેલ થાય. સિધ્ધરાજની ઉપસ્થિતિએ સાધુઓ અને વિદ્વાનોના ઉત્સાહમાં ઉલ્લાસનો રંગ પૂર્યો.

હેમચંદ્રાચાર્યનો જન્મદિન કાર્તિક પૂર્ણિમા ! એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણસર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ બરાબર એક વર્ષે પૂર્ણ થયું. એક વર્ષમાં તો સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ, પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના કરી, જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું. વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિધ્ધરાજ અને રચનાર હેમચંદ્રાચાર્યનું સંયુક્ત સ્મરણ જાળવવા માટે સિધ્ધહેમશબ્દાનુશાસનરાખવામાં આવ્યું. જયસિંહ સિધ્ધરાજે ત્રણસો લહિયાઓ રોકીને “સિધ્ધહેમ’ વ્યાકરણની પ્રતિલિપિ તૈયાર કરાવવાનું શરુ કર્યું. થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો તૈયાર થઈ. મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ ગ્રંથનું ભવ્યસ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી. ભારતના જુદા જુદા પ્રદેશોમાં કંકોતરીઓ મોકલવામાં આવી. આ વિદ્યાના ઉત્સવમાં કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યાં. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો. છેલ્લે દિવસે ગ્રંથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી-સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી. પાછળ સૂર્યમુખી ફૂલ ને કૂકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એમની પાછળ ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ  ચાલવા લાગ્યા. અને ત્યારબાદ સ્વયં મહારાજ સિધ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્ર ચાલતા નજરે પડ્યા… આ સમગ્ર પ્રસંગોનું નખશીખ વર્ણન જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન અને અભ્યાસુ પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ તેમના લેખમાં સુપેરે કર્યું છે, તેની નોંધ સાદર લેતા ઉપકૃત છું.

અંબાડી પર ગગનભેદી નાદોની વચ્ચે સિધ્ધહેમ વ્યાકરણ મૂકવામાં આવ્યું. બે પટ્ટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી. હજારો સ્ત્રીપુરુષો એ ગ્રંથની સ્વાગત યાત્રામાં જોડાયાં. ભારત વર્ષમાં હાથીની અંબાડી પર આજ સુધી માત્ર રાજા-મહારાજાઓ બિરાજમાન થયા હતા. વિજયી રાજવી અંબાડી પર બેસીને પ્રજાનું અભિવાદન ઝીલતા  હતા. આજે પહેલીવાર હાથીની અંબાડી પર સિધ્ધહેમશબ્દાનુશાસનગ્રંથ બિરાજમાન હતો અને એની સાથે વિદ્વત્તાના ભંડાર સમા આચાર્યશ્રી અને વીરતાના પ્રતીક સમા રાજા સિધ્ધરાજ ચાલતા હતા. આચાર્ય હેમચંદ્રના મુખ પર અચલ શાંતિ અને સાધુસુલભ નમ્રતા વિલસી રહ્યાં હતા. આજુબાજુ પંડિતો અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા  હેમચંદ્ર શોભાયાત્રાની મધ્યમાં તેજરાશિ જેવા શોભતા હતા. ભારતના ઇતિહાસમાં વિદ્યાની ક્યારેય આવી ભવ્ય પ્રતિષ્ઠા થઈ નહોતી.

જુઓ, મહાન ગ્રંથની રચના કરીને સંતોષ ન માનનાર રાજાએ રાજસભામાં પંડિતોની સમક્ષ એનું વાચન કરાવ્યું અને પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવીને પાટણના કાયસ્થ વૈયાકરણ કક્કલને ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. આ વ્યાકરણનું અધ્યાપન કરનારા વિદ્યાર્થીઓની જ્ઞાનપંચમીને દિવસે પરીક્ષાઓ લેવાતી. ત્રણસો લહિયાઓને બેસાડી આ વ્યાકરણની નકલ કરાવી, અંગ, બંગ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઈરાન, લંકા એમ સઘળે ઠેકાણે એની નકલો મોકલી આપવામાં આવી. શ્રી કુમારપાળ લખે છે કે, ગુજરાતમાં સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી.

શબ્દાનુશાસન’ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે

કવિશ્રી નિરંજન ભગતને મળવા આવેલા એક ફ્રેન્ચ અભ્યાસીએ એમને પૂછ્યું કે, ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ઘટના કઈ ? પાટણમાં નીકળેલી ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની શોભાયાત્રા કે ગાંધીજીએ કરેલી દાડીકૂચ.

ત્યારે નિરંજન ભગતે જવાબ આપ્યો કે આજથી આશરે હજાર વર્ષ પહેલાં પાટણમાં થયેલી આ સરસ્વતી યાત્રા એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય.

હિંદુઓ માટે  ‘લલ્લેશ્વરી’ કે  ‘લલ્લા યોગીની’  અને મુસ્લિમો માટે  ‘લાલ આરીફા’ !!!

હિંદુઓ માટે ‘લલ્લેશ્વરી’ કે ‘લલ્લા યોગીની’ અને મુસ્લિમો માટે ‘લાલ આરીફા’ !!!

તમે ઘર વગરના થઈ જાઓ છો એનો અર્થ એવો છે કે, તમે આખા વિશ્વનાં થઈ જાઓ છો.”..જાબાલ  ઉપનિષદ 

હિન્દૂ અને મુસ્લિમ બંને જેને સાદર ભજે છે તે યોગીની લલ્લેશ્વરી કહે છે…

તમે આમ અંધની જેમ બહાર લટાર શું મારો છો? જો તમે શાણા હો તો અંદરની યાત્રા શરૂ કરો. શિવા ત્યાં છે, બીજે ક્યાંય નથી. સીધા સાદા મારા શબ્દો ઉપર વિશ્વાસ રાખો.

આજના સમયમાં જે ખાના-ખરાબી, મુશ્કેલીઓ, માનવજાત માટે વધી રહી છે એના સામે ભૂતકાળમાંથી જો આપણી સમક્ષ શ્રદ્ધા, પ્રેમ, અને સૌહાર્દનો  સંદેશો લઈને કોઈ આવ્યું હોય તો એ યોગીની લલ્લેશ્વરી છે.લોકો એને પ્રેમથી  ‘લલ્લા’ કહેતા.

હકીકતમાં એ લાલ દેવી 14 મી સદીમાં કાશ્મીરમાં થયા. એ સમય હતો સંસ્કૃતિ અને માન્યતાઓના સંમિશ્રણનો. લલ્લાને મહાન મધ્યકાળના સુધારાવાદી સંતો પહેલાની પેઢીના ગણવામાં આવે છે. જેમ કે,  રામાનંદ અને કબીરદાસ એ ભક્તિ પરંપરાના પૂર્વ અને પશ્ચિમ ભારતમાંથી 15મી સદીમાં થયા. લલ્લા એ ભગવાન શિવની આરાધક હતી. પરંતુ એ માત્ર પૂજા-અર્ચના કે આરાધનાનો વિષય નહોતો. એ સમયના ધાર્મિક દર્શનોની તેના ઉપર બહુ મોટી અસર હતી.

લલ્લાનું જે કથન છે અથવા લલ્લાના જે સુવિચારો છે તેમાં ભારતીય હિન્દુ ભક્તિ પરંપરા અને સુફીઝમનો   એક સાથે સુમેળ  જોવા મળે છે. આશ્ચર્યની અને આંનદની વાત એ છે કે, એ હિંદુ અને મુસ્લિમ બંનેની અંદર સમાન માન પ્રાપ્ત દેવી હતાં. હિંદુઓ તેને ‘લલ્લેશ્વરી’ અથવા ‘લલ્લાયોગીની’ કહેતા, અને મુસ્લિમો તેને ‘લાલ આરીફા’ કહેતા. એવું કહેવાય છે કે લલ્લાને કોઈ એક વિચારની શાખા સાથે જોડવી એ તેમના આધ્યાત્મિક સ્વભાવથી વિપરીત ગણાય. લલ્લાનો જન્મ શ્રીનગર પાસેના એક નાનકડા ગામમાં કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં થયો. જો કે તેમની જન્મ તારીખ માટે હજુ એકવાકયતા નથી સધાણી. પરંતુ જે અભ્યાસુઓ છે એ એવું માને છે કે,  તે 1317 થી 1320 ની વચ્ચે જન્મ્યા હતા. બાળક તરીકે જ લલ્લાએ પોતે આધ્યાત્મિક અર્થો, શાસ્ત્રો, વગેરેનો સઘન અભ્યાસ કર્યો હતો. પોતાના પિતાના ઘરમાંથી જ તેણે  કેટલાક ધાર્મિક ગ્રંથોમાંથી અધ્યયન કરેલું. એ સમયના જ્ઞાતિના રિવાજ પ્રમાણે 12 વર્ષની ઉંમરે  લલ્લાનું  લગ્ન  સોનાભાટ એ દ્રંગબાલના એક બ્રાહ્મણ છોકરા સાથે થયું હતું. જોકે, આ લગ્ન પરિણય એટલો સુખદ નહોતો કારણ કે, એમના પતિ અને તેમના સાસુ એમને સારી રીતે સાચવતા નહોતા. એમના સાસુ એમની જમવાની થાળીમાં મોટો પથ્થર મૂકીને તેના ઉપર ભાતનું એક થર ચડાવીને જમવા આપતા હતા. લાગતું તો એવું કે, તેઓ ભાવપૂર્વક ભરચક થાળી લલ્લાને આપી રહ્યા છે.

લલ્લાએ એક વખત બરાબર નોંધ કરી કે,  મને મારા પતિ અને કુટુંબ તરફથી જે કંઈ વાનગી આપવામાં આવે છે તેમાં સતત પથ્થર હોય છે. પરંતુ લલ્લાએ કોઈ દિવસ ફરિયાદ ન કરી. એમને બહુ જ હેરાન કરવામાં આવ્યા અને તેને અર્ધ ભૂખ્ય અવસ્થામાં જીવવું પડ્યું, પણ તો પણ તેમણે પ્રાર્થના, ધ્યાન અને એકાંતમાં પોતાની જાતનો ખોરાક પ્રાપ્ત કર્યો. એમનું આ મુશ્કેલી ભરેલું લગ્નજીવન એમને ભૌતિક જગતમાંથી દૂર કરવામાં કારણભૂત બન્યું. અને પરિણામે લલ્લા બહારની યાત્રા બંધ કરીને અંદર ઉતરવા લાગી. એમને  પોતાના કુટુંબના એક ધર્મ પુરુષ દ્વારા અને એ સમયના બહુ જ મોટા સ્કોલર ‘સિદ્ધા શ્રીકાંતા’ દ્વારા કેટલીક આધ્યાત્મિક સાધના પદ્ધતિઓનો પરિચય મળ્યો અને એમાંથી તેની અંદરની  ખોજ શરૂ થઈ. એમની શિખામણે એમનું જીવન બદલી નાખ્યું.

“મારા ગુરુએ એક વખત કહ્યું, ‘અંદર તરફ પાછી વળ… અંદર તરફ પાછી વળ’ અને આ લલ્લાનું કેવળ શિક્ષણ હતું કે, જેમાં એણે પોતાની નજરને પોતાની જાતની અંદર વાળવાની હતી. લલ્લા કહે છે કે,  મેં જૂઠી માન્યતાઓને ફગવી  દીધી અને મેં  મારી અંદરના અવાજને એકલાને અનુસરવાનું નક્કી કર્યું. અંતે હું મારી જાતને મારી અંદર ઊંડાણથી જોતા અનુભવી રહી હતી. અને મને ખ્યાલ આવ્યો કે,  એ તું છો, જે ઈશ્વર સર્વત્ર છે.”  ત્યાર પછી લલ્લાની આખી યાત્રા આધ્યાત્મિક આત્મ સંશોધન માટે થઈ અને તે એકદમ ઝડપથી થઈ. એ પોતે કુટુંબી કુટુંબ તરીકે ન રહી શકી અનેક આધ્યાત્મિક પુરુષો સાથે તેમણે ઘરેલુ જીવનને આધ્યાત્મિક ક્રાંતિ માટેની  સાધનામાં ફેરવી નાખ્યું. કહેવાય છે કે,  જ્યારે તમારો  નાતો બહારની દુનિયા સાથે  કપાય છે ત્યારે તમે વધુ તેજસ્વી બનો છો. અને તેનામાં બહુ મોટો ફેરફાર થયો.

જેમ જાબાલા ઉપનિષદ કહે છે, કોઈએ એક ક્ષણે પોતાનું ઘર છોડી દેવું જોઈએ, જ્યારથી તેની અંદરના ભાગમાં નવો દિવસ ઉગવા લાગે. તમે ઘર વગરના થઈ જાઓ છો એનો અર્થ એવો છે કે,  તમે આખા વિશ્વનાં થઈ જાઓ છો. કોઈ એક નિશ્ચિત તમારું સ્થાનક હોતું  નથી. લલ્લાએ ઘર છોડી દીધું એ ઉંમરે, લગભગ વીસેક વર્ષની હશે. તે એક સૂફી બિંદાસ્તની જેમ પોતાના વસ્ત્રો ત્યાગી દઈને નાચતી-કુદતી ફરવા લાગી, આ એના માટે સ્વાતંત્ર્ય  હતું અને આશીર્વાદ સમાન સાચી ક્રાંતિ હતી. યોગિનીએ બરાબર જાણ્યું, પામ્યું કે,  ભગવાન શિવ અને બીજા કોઈને સામાજિક માન્યતાના કોઈ  રીતિરિવાજમાં પડવાની જરૂર નથી. આવી રીતે તે ભટકવા લાગી. પોતાના શરીરથી પૂર્ણત: અજાણ અને માત્ર ને માત્ર પોતાની અંદર રહેલા આત્મા સાથે જોડાણ સાધીને એણે ઘૂમવાનું શરૂ કર્યું. એમના રખડપટ્ટીના એ દિવસોમાં કવિતાઓ, સૂત્રો ને શ્લોકો એનામાંથી નીકળવા માંડ્યા, જેને લલ્લાના વાખ કહેવામાં આવ્યા. એ બહુ જ ઊંડાણ ભર્યા, વ્યક્તિગત, લગભગ પહેલા પુરુષમાં લખાયેલા અને પરંપરાની રીતે ચાર લીટીઓમાં હોય. આ સ્તોત્રોએ એમનો અનુભવ એકદમ આનંદપ્રદ ને  એકદમ શાંતિપ્રદ બનાવી દીધો.

લલ્લાની જન્મ તારીખની જેમ જ તેમની વિદાયની તારીખ પણ સ્પષ્ટ જાણી શકાયેલ નથી. પરંતુ એમ કહેવાય છે કે, 1387 થી 1390 ની વચ્ચે દક્ષિણ કાશ્મીરમાં આવેલ બિજબેહરા ગામ તે ગયેલ અને ત્યાં લલાએ સમાધિ લીધી. કહાની એવું કહે છે કે, હિંદુઓ તેના શરીરને અગ્નિદાહ આપવા માટે માંગણી કરી અને મુસ્લિમોએ તેના શરીરને દફનાવવા  માંગણી કરી, પરંતુ  લલ્લાનાં શરીરમાંથી એક જ્યોત પ્રગટી અને કોઈ કશું સમજે તે પહેલા તો એ જ્યોતિ અસ્તિત્વમાં વિલીન થઇ ગઈ !!

લલ્લાએ બહુ જ સઘન સાધના કરીને કાશ્મીરી સૈવીઝમ, તંત્ર, યોગ વગેરેનો  બરાબર સ્વાધ્યાય કર્યો, અને પોતાના વાખની અંદર એને ઉતાર્યા. કહેવાય છે કે, આ વાખ કબીર અને રહીમના દોહાને મળતા આવે છે. તેમના વાખ વાંચીએ ત્યારે લાગે છે કે,  એમને કોઈએ સીધું કંઈ શીખવ્યું હોય અને બહાર આવ્યું હોય એવું કશું નથી. પરંતુ એમની અંદર જાણે દિવ્ય આત્માએ કશુંક પ્રગટાવ્યું છે. “હું જે વાંચું છું તેને અમલમાં મુકું છું, અને શીખું છું જે શીખવાયું નથી. આ આખા જંગલમાંથી હું એક સિંહને નીચે લઈ આવું છું અને એક જંગલના  એક શિયાળ તરીકે મારા મનને નીચે લઈ આવું છું. હું જે અનુભવ છું અને જે સાધું  છું તે જ કહું છું અને એ ઉદ્દેશને પહોંચવા મથું છું.’ લલ્લા છે એ ‘ત્રિકા સ્કૂલ ઓફ કાશ્મીરી સૈવીઝમ’ ની માનવામાં આવતી હતી. આ સ્કૂલની માન્યતા એવું કહે છે કે,  બધા જ સર્જનો એ હકીકતમાં આપણી સભાનતામાંથી એટલે કે શિવમાંથી થયા છે. માણસ માત્ર જો કે, એ સમજી નથી શકતો કે એક ભગવાન જે સ્વરૂપ, નામ, કે ઓળખથી પર છે તેના જુદા-જુદા સ્વરૂપમાં આપણે અટવાણા હોઈએ છીએ.

લલ્લેશ્વરી દેવીના એક વાખથી વિસ્તૃત લેખનું સમાપન કરીએ :

“Let them abuse me with a thousand mouths

In my heart there is no hurt nor pain

If a true devotee of Sankara I am 

My mirror will not be stained by ashes.” 

ભગવાનના જન્મ અને તેના કર્મ દિવ્ય જ કેમ હોય છે?

ભગવાનના જન્મ અને તેના કર્મ દિવ્ય જ કેમ હોય છે?

 

સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકારની વાતો વિગતે જાણવાકર્મનો સિદ્ધાંતઆપણને સમજાવનાર શ્રી હીરાભાઈ ઠક્કરના પુસ્તક વેદાંત વિચારમાં નિરાંતે ડોકિયું કરવા જેવું છે.

પરમાત્મા વિશે સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર, દ્વૈત-અદ્વૈત એવા અનેક વિશેષણો વાપરવામાં આવે છે અને દરેક વિશેષણને પોતાની એક નિજી સમજ છે.

વિનોબાજી એમ કહે છે કે, સગુણે  નિર્ગુણ થવું પડે છે અને નિર્ગુણે  સગુણ થવું પડે છે. તો સાકાર પણ નિરાકાર થયા વગર રહેતો નથી અને નિરાકાર પણ સાકાર થઈને જંપે છે.

છે શું ખરેખર? ઈશ્વરના મામલામાં વાત કરવા માટે આપણે નાના પડીએ પણ કેટલીક વાતો આપણને મૂંઝવ્યા કરતી હોય છે. એટલે વિચાર આવ્યા કરે અને એમાંથી પ્રશ્ન જન્મે. પ્રતિ વર્ષ ઈશ્વરનો જન્મ થાય અને જન્મનો ઉત્સવ આપણે મનાવીએ. એમાંથી એક વિચાર આવ્યો કે ભગવાનના જન્મ હમેશા દિવ્ય કેમ હોય? ઈશ્વર જે કર્મ કરે તે પણ દિવ્ય કર્મ કહેવાય એવું કેમ? આના કારણો શું છે ?

આમ જુઓ તો ભગવાન ગીતામાં કહે છે કે, હું અજન્મા, અવિનાશી, પરમાત્મા તથા તમામ દૂત માત્ર નો ઈશ્વર હોવા છતાં મારી પોતાની પ્રકૃતિને સ્વાઘીન રાખીને, મારી શક્તિથી, સ્વેચ્છાથી સગુણ સાકાર સ્વરૂપે વિવિધ શરીરોમાં પ્રગટ થાઉં છું. ગૌસ્વામી તુલસીદાસજી આ વાતને માનસ રામાયણમાં જુદી રીતે સમજાવે છે. बिप्र धेनु सुर संत हित लीन्ह मनुज अवतार। निज इच्छा निर्मित तनु माया गुन गो पार॥ એટલે કે માયા, માયાના ગુણો અને ગૌ એટલે કે ઇન્દ્રિયોથી પર એવા પરાત્પર બ્રહ્મ પોતે જ નિજ ઈચ્છાથી, પોતાને જરૂરિયાત હોય તેવા શરીરનું પોતે નિર્માણ કરીને તેમાં પ્રગટ થાય છે. હવે આપણે એ જાણવું છે કે ઈશ્વરનું બધું દિવ્ય કેમ? એના ત્રણ કારણો સ્પષ્ટ રીતે મળે છે શાસ્ત્રોમાંથી. ભગવદ  ગીતામાં કહે છે, जन्म कर्म मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः એમ કહે છે કે ત્રણ કારણો છે.

એક પહેલું તો એ કે હું તમારી માફક માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઉંધે મસ્તકે લટકીને પછી જન્મ લેતો નથી. પરંતુ હું કૌશલ્યાના સૂતિકા ગૃહમાં કે દેવકીજી સમક્ષ કારાગૃહમાં, દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો અને પછી તેમની વિનંતીથી હું નાનો બાળક થઈ ગયો.

બીજું – શુભ અશુભ કર્મોનું મને બંધન નથી. તમારી માફક હું મારા આગળના જન્મના સંચિત કર્મો જે પાકીને પ્રારબ્ધ થાય તે ભોગવવા તેને અનુરૂપ શરીર પરવશ થઈને પ્રાપ્ત કરતો નથી. પરંતુ મારી સ્વેચ્છાએ, મને યોગ્ય લાગે તેવું શરીર ધારણ કરું છું. મારા ગત જન્મના કોઈપણ સંચિત કર્મો મારી પાછળ પડેલા નથી. જે મને તમારી માફક પરવશ બનાવીને પ્રારબ્ધવસાત ગમે તેવું શરીર પકડાવે.

અને ત્રીજું કારણ મારા જીવનકાળ દરમિયાન હું જે કાંઈ કર્મો કરું છું તે નિષ્કામ ભાવે કોઈ પણ પ્રકારની સ્પૃહા, આસક્તિ કે રાગ-દ્વેષ રહિત માત્ર સમષ્ટિના કલ્યાણ માટે કરું છું તેથી મારા કર્મો ખરા અર્થમાં લીલા માત્ર છે. અને તે કર્મનું શુભ અગર અશુભ ફળ ભોગવવા તમારી માફક મારો કોઈ પણ પુનર્જન્મ થતો નથી. હું મારા કોઈ કર્મોમાં તમારી માફક ફસાતો નથી.

मां कर्माणि लिम्पन्ति मे कर्मफले स्पृहा |

इति मां योऽभिजानाति कर्मभिर्न बध्यते || ગૌસ્વામી તુલસીદાસજી પોતાનો ભાવ પ્રગટ કરતા કહે છે चिदानंदमय देह तुम्हारी। बिगत बिकार जान अधिकारी॥ नर तनु धरेहु संत सुर काजा। कहहु करहु जस प्राकृत राजा॥ શુદ્ધ ચૈતન્ય, પરાત્પર બ્રહ્મ જે નિર્ગુણ-નિરાકાર છે. તે માયાના ગુણોનો સ્વીકાર કરીને અથવા તેમાં માયાના ગુણો પ્રગટ થાય ત્યારે સગુણ નિરાકાર ઈશ્વર હોય છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે, ભગવાનના અવતારની વાત આપણે સાચી માનવી કે ન માનવી? પરંતુ શાસ્ત્રો નોંધે છે કે ભગવાનના અવતારની વાત ખરી માનવાની છે. ઘણા ને પ્રશ્નો છે કે, પરમાત્મા ગોકુળમાં આવ્યા તો પછી વૈકુંઠનું શું? શ્રીરામ અયોધ્યામાં અવતર્યા તો પછી ગોલોકનો ચાર્જ કોને  આપ્યો હશે? ભગવાનને હાથ-પગને માથું ખરા? જેને જેનું જ્ઞાન ન હોય એવો બખવાસે ચડેલો માણસ ગમે તે બકે. પણ ભગવાનના અવતારની વાત ખરી છે.

દરેક વસ્તુને બે રૂપ હોય છે. એક સામાન્ય રૂપ અને બીજું વિશેષ રૂપ. એક નિર્વિશેષ રૂપ અથવા બીજું વિશેષ રૂપ. જે સર્વ જગ્યાએ વ્યાપક હોય તે સામાન્ય રૂપ અને અમુક જગ્યાએ પ્રગટ થાય તે વિશેષ રૂપ. દાખલા તરીકે અગ્નિ, વીજળી વગેરે… અગ્નિ દરેક સ્થાનમાં વ્યાપક છે. એટલે તે વાયુમાં, સમુદ્રમાં, પૃથ્વીમાં, પૃથ્વીના ગર્ભમાં અને આપણા ઉદરમાં પણ છે. ગીતામાં ગોવિંદ કહે છે કે, વૈશ્વાનરૂપે હું તમામ પ્રાણીઓના ઉદરમાં છું. અરણીના બે લાકડા ઘસાય તો તેમાંથી અગ્નિ પ્રગટે. ચકમકના પથ્થર અથડાય તો તેમાંથી અગ્નિ પ્રગટે. જે અગ્નિ પ્રગટે, નજરે દેખાય તે સવિશેષ અગ્નિ. અને સર્વત્ર વ્યાપીને રહ્યો છે તે નિર્વિશેષ અગ્નિ. અગ્નિ એક ઠેકાણે પ્રગટ થયો માટે બીજે ઠેકાણે નથી એમ કહેવાય નહિ. વળી દઝાડવાનું, દાહનું કામ સવિશેષ અગ્નિ કરે છે. તેવી રીતે સગુણ-સાકાર સ્વરૂપે પ્રગટેલા શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે જેઓનું કલ્યાણ કરે, દયા કરે, અનુગ્રહ કરે, વરદાન આપે, આશીર્વાદ આપે અને યોગ્ય લાગે તો સજા પણ કરે.

ઉદ્ધવજીએ ગોપીઓને પૂછ્યું કે, પરમાત્મા તો સર્વ વ્યાપક છે તો પછી, તે ગોકુળમાંથી મથુરા ચાલ્યા ગયા, તેમાં તમે આટલું બધું રડો છો કેમ? ત્યારે ગોપીઓએ સુંદર જવાબ આપ્યો: શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ત્યારે અમારા માટે કૃપાસાધ્ય હતા અને હવે તે ક્રિયાસાધ્ય બન્યા, તેથી અમે રડીએ છીએ. શબરીને શ્રી રામ કૃપાસાધ્ય બન્યા અને રૂબરૂમાં તાત્કાલિક સદગતિ પ્રાપ્ત કરી. જે સદ્દગતિ પ્રાપ્ત કરવા માટે ઋષિમુનિઓ, યોગીઓને અનેક વર્ષ તપશ્ચર્યા કરવી પડે, ઉપાસના વગેરે ક્રિયા સાધનો કરવા પડે. ત્યારે તે ક્રિયાસાધ્ય બને છે. અને એટલા માટે પરમાત્માના નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ કરતાં તેમના સગુણ સાકાર સ્વરૂપની ગોપીઓ અને શબરી જેવા પ્રેમી ભક્તો ઝંખના કરે છે. ભગવાન કહે છે કે,  હું ખાસ કરીને તો મારા પ્રિય ભક્તો માટે જ સગુણ સાકાર દેહ ધારણ કરું છું. કંઈ રાવણ કંસ જેવા મચ્છર મગતરાને મારવા માટે નહીં. આ વિગતે થતી વાત બહુ જ વિસ્તારથી જાણવા માટે કર્મનો સિદ્ધાંત આપણને આપનાર શ્રી હીરાભાઈ ઠક્કરના પુસ્તક ‘વેદાંત વિચાર’માં નિરાંતે ડોકિયું કરવા જેવું છે.

અદ્વૈતનું ખરું રહસ્ય દારાશિકોહને  ઉપનિષદોમાંથી સાંપડ્યું છે.

અદ્વૈતનું ખરું રહસ્ય દારાશિકોહને ઉપનિષદોમાંથી સાંપડ્યું છે.

સત્ય કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ  માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું  નથી.

મુગલ સમ્રાટ શાહજહાં નો મોટો દીકરો એટલે દારાશિકોહ. દારાશિકોહને સનાતન હિંદુ ધર્મના ઉપનિષદો કેવી પ્રેરણા આપી ગયા છે, તે આપણે જાણ્યું છે. એમને જે ફકીરો મળ્યા, જે ગુરુઓ મળ્યા, એમાં અનેક ગુરુઓ પાસેથી એણે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી છે. પરંતુ મિયા જીવ અને મુલ્લા શાહ આ બે મહાનુભાવોએ અથવા પ્રબુદ્ધ વ્યક્તિઓએ દારાશિકોહને એવું કહેતા ટાંક્યો છે કે, ઉપનિષદો ‘એસીર -ઇ-અકબર’ નામે ફારસી માં ભાષાંતર છે. અને એવું પણ કહેવામાં આવ્યું અને સમજાવ્યું કે, અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું છે

દારાશિકોહ પોતે જ લખે છે કે, એમનું હૃદય ઉપનિષદોમાં શમી ગયું છે. મુલ્લા શાહ ઉપરાંત હિન્દુ તત્વજ્ઞાનનું કેટલું રહસ્ય દારા એક બાબાલાલ નામના સાધુ પાસેથી પામેલો. બાબાલાલ પંજાબના હતા અને તેમને લાલ દયાળ પણ કહેતા હતા. આ લાલ દયાલ મિયા જીવના મિત્ર હતા. દારા એમને મળવા ઇચ્છતો હતો, એવામાં દયાલ પોતે લાહોર આવ્યા અને દારા અને તેમનો ભેટો થયો. દારાએ ‘હસરત-ઉલ-આરિફિન’ એ નામના પોતાના એક પુસ્તકમાં લાલ દયાળ વિશે સરસ ઉલ્લેખ કર્યો છે. બાબાલાલ એક આરૂઢ  યોગી છે. એમના જેવો પ્રભાવશાળી અને ઉંચી કોટી નો બીજો કોઈ મહાત્મા મેં હિન્દુઓમાં જોયો નથી. બાબાનું કહેવું છે કે, દરેક ધર્મમાં ઊંચી કોટીના મહાત્માઓ છે, જેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર હોય છે. લોક સમૂહના ઉપર ઉપકાર કરવા પ્રભુ સર્જે છે, એવું દારા માને છે. બાબાલાલ કયા પંથના હતા તે સ્પષ્ટ નથી. પરંતુ દારા પોતાના પુસ્તકમાં એમને કબીર પંથી  માને છે. આ સમર્થ હિંદુ તપસ્વી માટે અંગ્રેજ લેખક બિનીયલ આ પ્રકારે શબ્દો ઉચચ્ચારે છે:: લાલ સ્વામી ક્ષત્રિય હતા. જહાંગીરના રાજ્ય સમયમાં તેઓ માળવામાં જન્મ્યા હતા. નાનપણમાં યોગ દીક્ષા પામી તેઓ પંજાબ ચાલ્યા ગયા અને સરહિંદ આગળ આશ્રમ સ્થાપી ગયા. તેમની પાસે મનુષ્યની ધારા ચાલી આવતી. તેમના અનેક શિષ્યો હતા. શાહજાદા  દારાશિકોહ પણ તેમની પ્રતિભા અને યોગ શક્તિથી ખેંચાઈ તેમના શિષ્ય થયા હતા.

ઉપનિષદો ઉપરાંત દારાએ ઘણા પુસ્તકો રચ્યા અને રચાવ્યા. શ્રીમદ્ ભગવત ગીતાનું તથા યોગ વાશિષ્ટનું એમ બે ભાષાંતરો તેણે પોતે ફારસીમાં કરાવ્યા. કેટલાકના મતે ગીતાનું ભાષાંતર દારાએ પોતે જ કર્યું છે. ગીતાનું ભાષાંતર ઉપનિષદોના ભાષાંતરના સમયનું  છે એટલે કે હિજરી સંવત 1067 ની આસપાસનું હોઈ શકે છે. દારાના ધાર્મિક વિચારોના સંબંધમાં ઘણો ઉહાપો થયો છે. એનું વલણ સૂફી મત તરફ હતું. અને મીયાં જીવ તથા મુલ્લા શાહના સંપર્ક પછી તે પાક્કો સૂફી બન્યો હતો. આ સમય હિજરી સંવત 1043 થી 1050 ની આસપાસ ગણી શકાય. એને બચપણમાં જે ધાર્મિક સંસ્કારો ચુસ્ત ઇસ્લામના મળેલાં તે વિશાળ  વાંચન અને અનુભવના પરિણામે મોળા  પડ્યા. અને તેની દૃષ્ટિ સંકુચિત અને સાંપ્રદાયિક મટી જઈને ઉદાર અને વ્યાપક બની ગઈ. આ ફેરફારનું માન મીયાં જીવ, મુલ્લા શાહ અને લાલ સ્વામીને ફાળે જાય છે. દારા પોતે જ આ વાતનો સ્વીકાર કરે છે અને બીજા ધર્મોના અભ્યાસ તરફ વાળનાર મુલ્લા શાહની ‘ઉપનિખત’ નામના પુસ્તકની પ્રસ્તાવનામાં મુક્ત કંઠે  સ્તુતિ કરે છે.

બાબા લાલના તત્વજ્ઞાન વિશેના એ  પુસ્તકમાં તે ઉચ્ચારે છે કે, સત્ય કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ  માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું  નથી. આ એક જ વાક્યથી દારા પોતાના જમાનાથી ઘણો આગળ ગયો સિદ્ધ થઇ શક્યો છે. એનું છેલ્લું અને પ્રસન્ન ગંભીર શૈલીનું પુસ્તક ‘મજંમ્બૂમબહરે’ એનો અર્થ બે સાગરોનું મિલન થાય છે. આ પુસ્તક હિજરી સંવત 1065 નું છે. દારાના અભ્યાસના પરિપાકનું એક ફળ છે. વિચારો એટલાં તો ગહન, વ્યાપક અને ઉન્નત છે કે દારાને આપણે ભારતના એક મહાન વિચારકની કક્ષામાં મૂકી શકીએ. દારા કહે છે કે, ‘ચેતનાની ઉન્નત અનુભૂતિના વિષયમાં સત્યના નિતાંત શુદ્ધ દર્શન પણ હિન્દુ ધર્મ અને ઇસ્લામ એક જ છે.’  જે યુગમાં તેણે આ સત્ય ઘોષણા કરી તે યુગનો કોઈ પણ હિન્દુ કે મુસલમાન વિચારક આ અવાજને સાખી શકે તેમ હતો નહિ. જમાનો ધર્મથી નહીં પણ ધર્મજનુનોથી ભરેલો હતો. દારાના અવાજથી પંડિત વર્ગ અને મુલ્લા વર્ગ બંને ખળભળ્યા. હિન્દુઓને તેના વિચારો વસમા  લાગ્યા. મુસ્લિમોને પણ કારમાં લાગ્યા. કોઈની દ્રષ્ટિમાં સમન્વય તરફ એ સમયે સદ્ભાવ ન હતો. આ ભય  તેની દ્રષ્ટિની બહાર ન હતો. દારા પુસ્તકમાં લખે છે કે, આ કિતાબ નથી હિન્દુ માટે કે નથી મુસ્લિમ માટે. આ કિતાબ મારા મિત્રો અને કુટુંબીજનો માટે છે. જનસમૂહની માન્યતાઓ સાથે મારે કશી  લેવા દેવા નથી.

દારા આખર સુધી મુસલમાન હતો. તેણે ઇસ્લામમાં જ શાંતિ જોઈ હતી. અલ્લાહનું સ્મરણ શ્વાસેશ્વાસે કર્યા કરતો. પોતાના દરેક પુસ્તકમાં ઈશ્વર મહાન છે એ વાક્ય ને એ અગ્રે રાખતો. પયગંબર સાહેબને એ સૌથી આગળ મુકતો. ઇસ્લામમાં એણે  કદી અશ્રદ્ધા ધરાવી ન હતી. એના કોઈપણ પુસ્તકમાં ઇસ્લામ છોડ્યાનો એક શબ્દ પણ લખાયેલો નથી. એટલું જ નહીં પરંતુ પોતે એ શુદ્ધ મુસલમાન છે એવા તેના એકરાર છે. તેણે  ફક્ત એટલું જ કહ્યું કે, વેદો પણ પરમાત્માની વાણી છે. પોતાની શ્રદ્ધા કુરાનમાં જ હતી. તેણે  તો ફક્ત એટલું જ કહ્યું કે, ‘વેદો કુરાનના વિરોધી નથી, સહાયક છે. કુરાન ઉપરના જાણે  વિવરણો છે.’  આટલું કહેવાથી જ દારાની ગણના  મુલ્લાઓએ જો કાફરમાં  કરી હોય તો તેમાં ધર્મજનુન  સિવાય બીજું કશું નહોતું. બ્રાહ્મણોએ માન્યું કે, દારા મ્લેચ્છ છે, માટે વેદો અભડાઈ  ગયા. આ સંત પુરુષ લખે છે,  પરમાત્માએ અત્યંત કરુણાથી વિશ્વનો ઉપકાર કરવા વેદોની વાણી ઉચ્ચારી છે. વેદને અનુસરનારો હિન્દુ ધર્મ એક અનંત અને સર્વ શક્તિમાન ઈશ્વરને માનનારો છે. દારાશિકોહ જેવા મહાનુભાવને એ જમાના ના રાંક દેશોએ ગરદનથી માર્યો. એમ પણ કહી શકાય કે દારા શિકોહ પછી જમાનો લગભગ એક સૈકો આગળ વધી ગયો. રાગ-દ્વેષો ઘટ્યા. હિન્દૂ મુસલમાનોની આંતરિક એકતા મજબુત બનવા લાગી.

જો કે, ધર્મજનુન  વિચિત્ર વસ્તુ છે. સૂફી સંત મન્સૂરનો વધ થયો. શાહબુદ્દીન સુરાવર્દી પણ વધ ને માંચડે ચડ્યો. એવી રીતે દરશિકોહ પણ દેહાંત પામ્યો. સાચી હકીકત એ છે કે દારાસિકોહનો કુનેહ ધર્માંધતાનો એટલો જ ઔરંગઝેબની ઈર્ષાનો ભોગ બન્યો. ઇસ્લામને નામે પોતાનો અર્થ સારવા ઔરંગઝેબે જે કર્યું તેવું આપણે નહિ કરીએ એવી કોઈ પણ વિચારકને પાક્કી ખાતરી નથી. અહિંસા, સત્યને એ બધા મહાન સિદ્ધાંતોના પાલનમાં જો જનુન ઉમેરાશે, સ્વતંત્ર વિચારને ગરદન મારવાની તામસી વૃત્તિ પ્રગટશે તો આપણા યુગની પણ આ દશા થશે. ઔરંગઝેબના જમાના કરતા આપણે બહુ આગળ છીએ તેવી આપણી માન્યતા સાચી પડે એવી આપણે પ્રાર્થના કરીએ.

વહીવટ શિક્ષણ અને શાસ્ત્રોનો ત્રિવેણીઘાટ : કુલીનચંદ્ર યાજ્ઞિક

વહીવટ શિક્ષણ અને શાસ્ત્રોનો ત્રિવેણીઘાટ : કુલીનચંદ્ર યાજ્ઞિક

સૌરાષ્ટ્રની ધારાસભાની એ છેલ્લી બેઠક. પ્રેક્ષક ગૅલરીમાં એક યાજ્ઞિક ઉપસ્થિત… બે પ્રસંગો આજે પણ એ યાજ્ઞિક આંખ બંધ કરે છે ત્યારે નજર સમક્ષ તાદૃશ્ય થાય છે. (૧) ગિરાસદારી ઍબૉલિશન ઍક્ટ અંગે કશ્મકશ ટોચ પર હતી. બે કલાકની જબરી માથાકૂટ પછી ગરાસિયાઓ સાથે સમાધાન થયું ને શ્રી ઢેબરભાઈ હસતા હસતા ધારાસભામાં દાખલ થયા! (૨) સૌરાષ્ટ્રની ધારાસભાની છેલ્લી બેઠકમાં શ્રી બાબુભાઈ વૈદ્ય ઊભા થયા અને શાકુન્તલમાંથી શ્લોક બોલ્યા : શ્રેયમ્ યાતિ શકુંતલા.. આપણે જેને પાળી પોષીને મોટી કરી તે શકુંતલા જેવી આપણી સૌરાષ્ટ્ર ધારાસભા’ નામધારી કન્યાને આજે આપણે મુંબઈ રાજ્યને સોંપવાની છે. આ કન્યાવિદાયનો પ્રસંગ છે.’ સભાગૃહમાં સન્નાટો હતો અને પ્રેક્ષકગૃહમાં ઉપસ્થિત યાજ્ઞિકની આંખમાં પાણી… સ્વયં સ્પષ્ટ, મૃદુ પણ મક્કમ શ્રી કુલીનચંદ્ર યાશિક આજે ૮૭ વર્ષની ઉંમરે પણ આ વાતો વાગોળતાં લાગણીવશ થઈ જાય છે. લગાવ છે અકબંધ તેઓનો જિવાયેલી વિરલ યાદગાર પળ સાથેનો…
ગુજરાત જેમનું સદૈવ ઋણી છે અને રહેશે તે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકના ચર્ચરાભાઈ શ્રી કુલીનચંદ્ર યાશિક, વતન નડિયાદ. જન્મ મોસાળ પેટલાદમાં. પિતાશ્રી અંગ્રેજી અને સંસ્કૃતના આદર્શ શિક્ષક, સરકારી મૉડલ હાઈસ્કૂલ ગોધરામાં. જિલ્લા દીઠ એક હાઈસ્કૂલ ત્યારે એટલે કલેક્ટરશ્રી પણ માન આપતા હાઈસ્કૂલના શિક્ષકને! પ્રાથમિકનાં છ વર્ષ ગોધરાની મિશનરીઓની સ્કૂલમાં કુલીનચંદ્ર ભણ્યા. માતૃભાષા અને સંસ્કૃત ત્યાં ઉત્તમ ભણાવે. વર્ગમાં બે જ સવર્ણ બાકી ખ્રિસ્તી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ છતાં ભેદભાવ લગીરે ભાસતો નહીં. રોજ સાંજે છેલ્લો પિરિયડ વાડીકામનો. દરેક વિદ્યાર્થીને ૪૪૪ની ક્યારી આપેલી તેમાં ઉગાડવાનું, લણવાનું! બળદગાડીમાં નિશાળે જવાનું ને ૧૯૩૩-૩૪માં રૂ. ૪૫માં ખરીદેલી હરક્યુલસ નાની સાઇકલ પર આંટા માર્યા કરવાના! હાઈસ્કૂલ નડિયાદમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ભણેલા તે સ્કૂલમાં. પિતાજી વલ્લભભાઈના વર્ગસાથી. પોતે મિડલ સ્કૂલથી પહેલો નંબર તે છેલ્લે સુધી… તેથી સ્કૉલરશિપ સળંગ મળતી રહી. રોજ છેલ્લો પિરિયડ ગેમ્સનો. અઠવાડિયે એક પિરિયડ એસ. આર. (સ્પેશિયલ રીડિંગ)નો અને અઠવાડિયે બે પિરિયડ ચિત્રકામના! (આજે આ બધા પિરિયડ ક્યાં ખોવાય ગયા છે? તેની શ્રી યાશિકને મૂંઝવણ છે.)
શાસ્ત્રોનો બહુ ઊંડો અભ્યાસ નથી, પણ આજે જીવન શાસ્ત્રરત છે, કારણ કુટુંબ અને ઉછેર અવૈધિક રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્ણ! રોજની દિનચર્યા જ શાસ્ત્રમય. માતા જાગે ત્યારથી બુલંદ અવાજે અસ્ખલિત શ્લોકો બોલ્યા જ કરે અને રાત્રે જમ્યા પછી નવાં નવાં આખ્યાનો રોજ ગાય. પિતાજી સવારે પાઠશાળામાં સંસ્કૃત અધ્યયન કરે, બપોરે શાળામાં સંસ્કૃત ભણાવે અને જમતાં પહેલાં સંધ્યાટાણે છોકરાંઓ સાથે શ્લોકોનું પઠન કરે. અંધારાં પહેલાં ઘરમાં ઘૂસી જવાનું. મા રાંધે ત્યાં સુધીમાં ત્રણ ભાઈબહેન હીંચકા પર હીંચકે, પિતા પરસાળમાં આંટા મારે, એક શ્લોક હીંચકા પરથી તો સામે એક શ્લોક પરસાળમાંથી! આમ, અજાણતાં જ કેટલાય સુભાષિતો-શ્લોકો- આખ્યાનો કુલીનચંદ્ર યાજ્ઞિકને કંઠસ્થ છે. કુટુંબ ભાવના પ્રબળ. કાકાના દીકરાને ટાઇફૉઇડ થયો. કાકા ન્યાયાધીશ. શિક્ષક પિતાશ્રીએ કહ્યું, દર્દી દીકરાની સંભાળ લેવા હું રજા લઈશ કા૨ણ મારો પગાર ઓછો છે એટલે (ઓછો) પગાર કપાય તો કુટુંબને આર્થિક સંકટ ઓછું આવે. દીકરા માટે ‘ન્યાયાધીશ’ પિતાએ રજા ન લીધી, ‘શિક્ષક’ કાકાએ રજા લીધી. કાકીએ કહ્યું : ઘરમાં એક દીકરો કેરી નથી ખાય શકવાનો એટલે હું ય કેરી નહીં ખાઉં… જો કે, એ સિઝનમાં ઘરમાં કેરી આવી જ નહીં!! મોટાભાઈ લૉનું ભણ્યા ને નડિયાદમાં પ્રેક્ટિસ શરૂ કરી. પ્રેક્ટિસ જામતાં વાર લાગે એટલે કુલીનચંદ્ર યાજ્ઞિકના પિતાશ્રીએ શિક્ષકની નોકરી લઈ લીધી. શૉ મસ્ટ ગૉ ઑન’ તો કુટુંબની ભાવનાએ શીખવ્યું.
એક વર્ષ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછી M.A. સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ભણવાનું થયું. ઑગસ્ટ ક્રાંતિની ચળવળ વખતે ગુજરાત કૉલેજમાં (સાક્ષરવર્ય) શ્રી ધીરુભાઈ ઠાકરના માથામાં લાઠી ફટકારેલી તે દૃશ્ય કૉલેજની અગાશીમાંથી યાજ્ઞિકજીએ જોયેલું. શહીદ કિનારીવાલાના ક્લાસમાં જ કુલીનચંદ્ર ભણતા. સરદાર પટેલનાં બે યાદગાર ભાષણો સાંભળ્યાનું પાક્કું સ્મરણ છે. જો કે, ગુજરાત કૉલેજમાં ત્યારે અશિસ્ત અને ટીખળ બહુ. કોઈને વર્ગમાં કોઈ સાંભળતું નહીં. એક શ્રી દાવ૨સાહેબના વ્યાખ્યાનમાં પિન ડ્રૉપ સાઇલન્સ. ગુજરાતીના પ્રખર પ્રાધ્યાપક અનંતરાય રાવળના વ્યાખ્યાનમાં પણ ઘોંઘાટ, વાતો, ઘાંટો પાડવા, ગોકીરો!! વિલ્સન કૉલેજ, મુંબઈમાં આનાથી સાવ જ ઊલટું. ત્યાં ગુજરાત કૉલેજના વિદ્યાર્થીને પ્રવેશ ન મળતો કારણ ચળવળિયાની છાપ! કુલીનભાઈને માંડ માંડ પ્રવેશ મળ્યો. ત્યાં પૂર્ણ શિસ્ત-શાંતિ-અભ્યાસનું વાતાવરણ… તે વખતે વૉકેશનલ ગાઇડન્સ જેવું કંઈ નહીં, અને પોતે સૅલ્ફ મોટિવેટેડ નહીં એટલે અવલંબનનો આધાર જરૂરી બને. સંસ્કૃતની સ્કૉલરશિપ જતી કરીને ઇકૉનૉમિક્સમાં આવ્યા. બસ, ઇકૉનૉમિક્સ હોય તો નોકરી જલ્દી મળે તેવો ભ્રમ! M.A. સાથે LL.B. કર્યું. બન્નેમાં ધ્યાન અપાયું નહીં. અધ્યાપકો ધૂરંધર સી. એન. વકીલ, જે. જે. અંજારીઆ, દાંતાવાલા. જુનિયરમાંથી સિનિયરમાં આવ્યા ત્યારે કુલીનચંદ્ર યાજ્ઞિકજીએ ડ્રામેટિક્સમાં ઝંપલાવ્યું. ‘કાકાની શશ’ નાટક કર્યું. કાકાનો રોલ કર્યો અને દિગ્દર્શન પણ. વિનોદ અધ્વર્યુ સાથે મળીને આ નાટકનો બીજો શૉ પણ કર્યો ને ફંડફાળો ઉઘરાવી વિલ્સન કૉલેજમાં લાઇબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ઉમેરી ત્યાં ગુજરાતી વિષય પણ દાખલ કરાવ્યો! ૧૯૫૦માં IASમાં બેઠા, પાસ પણ થયા પરંતુ M.A.ની પરીક્ષાના કારણે ઇન્ટરવ્યૂમાં નાપસંદ થયા. IASમાં ત્રણ વાર બેઠા. મેઇન્સમાં પાસ પણ થતા રહ્યા. બે વાર ઇન્ટરવ્યૂમાં સફળ ન થયા અને ત્રીજીવાર વધુ ઉંમરને કારણે બોલાવ્યા જ નહીં !
આમ છતાં કુલીનચંદ્ર યાજ્ઞિક IAS થયા. ૧૯૫૧માં મામલતદાર તરીકે જોડાયને કોઈ IAS થાય અને સેક્રેટરી કક્ષા સુધી પહોંચે એવું ભાગ્યે જ બને! જો કે પોતે તો આ બાબતને બહુ ગૌણ ગણે છે, સનદી સેવામાં આ કાંઈ બહુ મોટું પરાક્રમ નથી. સરકારમાં કાંઈ ભૂલ ન કરો તો પ્રમોશન મળ્યા જ કરે. ૧૯૫૧માં પ્રોબેશનરી મામલતદારનો બીજો જ બેચ હતો. ઉપર જગ્યા પડવા લાગી અને ૧૯૫૮માં ડેપ્યુટી કલેક્ટર થયો. નાની ઉંમર, પ્રમોશન, જગ્યાઓ વધુ પડવા લાગી તેથી ૧૯૬૮માં IASમાં બઢતી મળી. ૧૯૬૮માં ભરૂચમાં કલેક્ટર થયો. બે વર્ષ રહ્યો. ૧૯૭૦માં ૬.૫નો ધરતીકંપ થયો. મારી ડાંગ બદલી થઈ ગયેલી. ગવર્નરશ્રીએ ચાર્જ ન છોડવા કહ્યું અને ભરૂચમાં પુનઃસ્થાપનનું કામ કરી શક્યો. બે વર્ષ ડાંગ અને પછી ચાર વર્ષ વડોદરા. વડોદરાનો કાર્યકાળ સ્મરણીય. બે રાષ્ટ્રપતિશાસન, ત્રણ સરકાર, કટોકટીની ઘોષણા અને નવનિર્માણનું આંદોલન! જીવનની ક્રાઇસિસમાં અદ્ભુત શીખવાનું મળ્યું. વિદ્યાર્થીઓ બધી કોમના આગેવાનો-પદાધિકારીઓ સાથેના મારા માનવીય સંબંધોએ મને મદદ કરી. નવનિર્માણ આંદોલનમાં વડોદરા ઘણું મોડું જોડાયું, પ્રમાણમાં ઓછી ખાનાખરાબી થઈ. ગયા વર્ષે નવનિર્માણ સમયના પ્રોફેસરોનું સન્માન એ સમયના વિદ્યાર્થીઓએ કર્યું ત્યારે તે સમારંભના અધ્યક્ષસ્થાને શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકને ખાસ આમંત્રણ હતું. કારણ એવું અપાયેલું કે એ વખતે વડોદરાના કલેક્ટર તરીકે શ્રી યાજ્ઞિકસાહેબ હતા એટલે બહુ ઓછી જાનહાનિ થઈ! અમદાવાદ પોળ સામેની દરગાહ કોમી રમખાણોમાં તૂટેલી તે ફરી બાંધવાનો આદેશ હતો. યાજ્ઞિકસાહેબે મેમણ અગ્રણી ગુલામ મહંમદને બોલાવી પૂછ્યું : દરગાહ ફરી બંધાશે તો તમે સાચવી શકશો ખરા? તેના બદલે ત્યાં ટ્રાફિક આઇલૅન્ડ કરી ફૅશનેબલ થોર વાવીએ તો? શ્રી યાજ્ઞિકસાહેબ કહે છે કે, મુસ્લિમો વતી ગુલામ મહંમદે અને હિન્દુઓ વતી મેયર ડૉ. ઠાકોરભાઈએ લીલી ઝંડી આપી અને અમે રાત્રે ૧૨થી સવારે ચારની વચ્ચે તે જગ્યા પર ટ્રાફિક આઇલૅન્ડ બનાવ્યો! વડોદરામાં પછી રમખાણો થયાં છે, પણ આ જગ્યાને લઈને નહીં.
ગવર્નરશ્રીના સેક્રેટરી અને મુખ્યમંત્રીશ્રીના સેક્રેટરી બન્ને પદે એક જ વ્યક્તિ રહી હોય તેવું ભાગ્યે જ બને. યાજ્ઞિકસાહેબે સુપેરે એ નિભાવ્યું. નિવૃત્તિ પછી બે વખત એક્સટેન્શન મળ્યું. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઍક્ટનું ડ્રાફ્ટિંગનું પાયાનું કામ સંભાળ્યું. જિંદગીની મોટામાં મોટી ચૅલેન્જ તે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું (પ્રથમ) કુલપતિપદ. જે બધું શીખેલા તે યાજ્ઞિકસાહેબે પાટણમાં ખર્યું. ગામડા જેવું શહેર અને ત્યારે લોકલ ખટપટ નહીં. અભણને પણ વિદ્યા માટે પ્રેમ! જમીન સરકારે આપવાની હતી, પણ પંચાયત પ્રમુખ કબજો ન આપે. યાજ્ઞિકસાહેબે માનવીય સંબંધોનો સેતુ જબરો રચેલો. તેમણે એલાન કર્યું લોકો સમક્ષ : યુનિવર્સિટીને જમીન નહીં મળે ત્યાં સુધી પાટણમાં રાંધેલી રસોઈ નહીં જમું!’ પાટણે હડતાલ પાડી. સજ્જડ બંધ. યુનિવર્સિટીના કર્મચારીઓને ચા પણ ન મળી, કારણ એક પણ રેંકડી ચાલુ નહીં. અસ૨ થઈ. જમીન મળી અને કલિકાલ સર્વજ્ઞની ચિર સ્મૃતિ બની. યાજ્ઞિકસાહેબે વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ માટે બુધવારિયું’ શરૂ કર્યું. એમાં ચૌદ મહિના સુધી દર ગુરુવારે ગીતા વાચન કર્યું; વિદ્યાર્થીઓને સમજાવ્યું કે પરીક્ષામાં જનરલ ઑપ્શન તમારું ભાવિ બગાડશે; ગુજરાતમાં બંધ થઈ ગયેલ યુવક મહોત્સવ શરૂ કરાવ્યા. કુલપતિ તરીકે વર્ષમાં એકવાર દરેક કૉલેજમાં ગયા, સમારંભ રાખીને નહીં. વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને માત્ર મળવા, વાતો કરવા. યાજ્ઞિકસાહેબે એક જ કારકુનને સાથે રાખી યુનિવર્સિટીનું મુખપત્ર ઉદ્દીચ્ચ’ શરૂ કર્યું. પહેલા જ વર્ષે ઉદ્દીચ્ચ’ના બાવીસ અંકો તો સહકારી મંડળીઓએ સ્પોન્સર કર્યા. વહીવટ, શિક્ષણ અને શાસ્ત્રની ત્રિવેણીમાં આનંદથી જીવતા કુલીનચંદ્ર યાજ્ઞિક પાસેથી વિલ્સન કૉલેજ, મુંબઈના ગૃહપતિ ડૉ. ટેલરની સ્મૃતિઓ પેટભરીને સાંભળવી એક લહાવો છે!

કુરાનને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે.

કુરાનને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે.

શાહજહાંનો મોટો દીકરો દારા શિકોહ લખે છે કે, “અદ્વૈતનું ખરું રહસ્ય મને ઉપનિષદોમાંથી સાંપડ્યું. મારું  હૃદય ઉપનિષદોમાં સમી ગયું.”

શાહજહાંના મોટા દીકરાનું નામ દારા શીકોહ. એ બહુ મશહૂર હતો, પોતાના ઉદાર અને સ્વતંત્ર ધાર્મિક વિચારો માટે. કમનસીબે તેનું શિરચ્છેદ કરી એનું મૃત્યુ ઔરંગઝેબે કર્યું. પરંતુ આ દારાને વિશેષ વ્યક્તિત્વ તરીકે ઓળખવા જેવો છે.

દારાનો જન્મ અજમેરમાં થયો. બચપણથી જ તેનામાં તત્ત્વદ્રષ્ટિ હતી. લગભગ 17-18 વર્ષની ઉંમરે તે બહુ બીમાર પડ્યો હતો. અજમેરમાં તે વખતે એક મિયાં જીવ નામના મશહૂર ઓલિયા  રહેતા હતા. શાહજહાં ખુદ પોતે પોતાના દીકરાને લઈ ઓલિયાની પાસે ગયા. કહે છે કે આ મુલાકાતના પરિણામે તેની બીમારી દૂર થઈ. આ વાત  દારાએ પણ નોંધી છે. થોડા દિવસ પછી બાદશાહ પોતાના પુત્રને લઈને ઓલિયાની પાસે બીજી વાર ગયા. એ વખતે પિતા-પુત્ર બંને ખુલ્લા પગે ગયેલા અને અત્યંત વિનમ્ર ભાવે ગયેલા. ઓલીયા પોતાની મેડી ઉપર ખુદાની આરાધના કરતા મગ્ન થઈને બેઠા હતા. એ સંતના મોઢા ઉપર આધ્યાત્મિકતાની આભા પ્રકાશતી હતી. બાદશાહે અને શાહજાદાએ ઓલિયાની કદમબોસી કરી.  ઓલિયાએ પોતે ચાવેલું એક લવિંગ જમીન ઉપર થૂંક્યું. દારાએ એ લવિંગ પોતાના મોઢામાં મૂકી દીધું. શાહજાદના હૃદયમાં આનંદનું એક અદ્ભૂત ઝરણું આ લવિંગ ખાધા પછી વહેવા લાગ્યું. એના અંગે અંગમાં અપૂર્વ ચેતના દોડવા લાગી. અને આ વિચિત્ર અનુભૂતિથી તે સદંતર પલટાઈ ગયો. તેનું હૃદય ઓલિયામય બની ગયું.એમના દર્શનની તૃષ્ણા એને રાત અને દિવસ રહેવા લાગી.

ત્રીજી વખત પોતે એકલો ગયો. આ મુલાકાતમાં મિયાં જીવે દારાના હૃદય ઉપર હાથ ફેરવ્યો. જોતજોતામાં શાહજાદો ચેતનાનાં  મનોનિત પ્રદેશમાં જાણે કે ઉડવા લાગ્યો. એમને ઇન્દ્રિયાતીત વસ્તુની ઝાંખી થઈ. જયારે તેણે આંખો ખોલી ત્યારે પેલા  સંત પુરુષ તેના તરફ કોમળ દૃષ્ટિથી જોઈ રહ્યા હતા.

‘બેટા, મારું દિલ અને મારી નજર તેં  કબજે કરી દીધા છે.’ ઓલિયાનાં શબ્દો સાંભળી દારાએ પોતાનું માથું એના ચરણમાં મૂકી દીધું અને આનંદના અશ્રુ ઓલિયાનાં ચરણે ઢાળ્યાં. આ બનાવ પછી શાહજાદો અભેદ માર્ગનો જાણે કે પ્રવાસી બની ગયો. ‘બાદશાહનામા’, અને ‘સકીનત ઉલ ઓલિયા’ એવા બે પુસ્તકોમાં હમણાં કહી તે વિગતો છે. ‘સકીનત ઉલ ઓલિયા’માં  દારાના ગુરુ તથા પોતાના ગુરુબંધુ અને શિક્ષક મુલ્યાશાહનું  વૃતાંત દારાએ આપ્યું છે. દારાને સુફી માર્ગનું, અને ઉપનિષદનું ગુઢ  જ્ઞાન આપનાર આ મુલ્લાશાહ એક અદભુત વ્યક્તિ હતા. દારાની આધ્યાત્મિક દૃષ્ટિ માટે મુલ્લા શાહ પોતે ઘણો ઊંચો અભિપ્રાય ધરાવતા હતા, તેનો ખ્યાલ મુલ્લાશાહે દારા માટે રચેલી ગઝલો ઉપરથી આવી શકે છે. દારા પોતે ગુરુ થઇ શકે એટલો આગળ વધ્યો હતો છતાં પોતાનો જરા પણ અધિકાર નથી એવું તે વિનમ્રતાપૂર્વક જણાવી કોઈને પણ સુફી મત નું શિક્ષણ આપવા તૈયાર થતો ન હતો.

એક સરસ પ્રસંગ છે. કોઈ એક પ્રસંગે દારા કાશ્મીર જતો હતો. ત્યારે મુલ્લાશાહે વિનંતી કરી કે, ‘યારોમાં જો કોઈ જ્ઞાની હોય તો તે તમે છો. તો યારો ને બોધ આપવો એ તમારી ફરજ છે.’ જવાબમાં દારા હસ્યો અને મુલ્લાશાહને એટલું કહ્યું, ‘મારી મુક્તિ માટે ખુદાતાલા ને વીનવજો’. યોગ માર્ગમાં દારા કેટલો આગળ વધ્યો હતો તેની જાણ દારાના સ્વમુખેથી એક હકીકત ઉપરથી થાય છે. આ હકીકત પ્રાણનિરોધની છે.

‘એકવાર મુલ્લાશાહે મને કહ્યું કે, આપણા કાદરી સંપ્રદાયમાં પ્રાણનિરોહ મુખ્ય વસ્તુ છે, ઇસ્લામનાં બીજા સંપ્રદાયોમાં આ વસ્તુ નથી. હું તમને પ્રાણનિરોધનું રહસ્ય સમજાવીશ’. અને દારા કહે છે કે, મુલ્લાશાહે મને પ્રાણનિરોધ શીખવ્યું. હું  પ્રાણનિરોધ કરવા માંડ્યો, અને આરંભમાં ઘણી મુશ્કેલીઓ પડી. લાંબા સમયના અભ્યાસ પછી મને યાદ છે કે હું આખી રાત ફક્ત બે શ્વાસથી પુરી કરી શકતો. કેટલીક વાર મને એવી તો મુશ્કેલી પડતી કે જાણે મારી જિંદગીનો ચિરાગ બુજાઈ જશે. દારા એ પણ કહે છે કે, મુલ્લાશાહે પોતાને સ્વપ્નની અંદર દીક્ષા આપેલી, અને સ્વપ્ન પછી પોતાને જ્ઞાનનો પ્રકાશ થયેલો.

દારાને ઉપનિષદો પ્રત્યે કેવી રીતે આકર્ષણ થયું એ વાત પણ રસિક છે. એમણે ઉપનિષદોનું ‘ સિર-ઈ-અકબર’ એ નામે ફારસી માં ભાષાંતર કર્યું છે. આ ભાષાંતર એવું તો સરળ અને રસથી છલકાતું છે કે ફારસી ગદ્યમાં તેનું સ્થાન બહું ઉંચુ છે. દારા એક તત્વ શોધક હતો. જીવનનું અંતિમ તત્વ, અંતિમ આધાર શું છે તેની શોધમાં તે રચ્યો પચ્યો રહેતો. તે લખે છે કે, બીજા અનેક ધર્મ પુસ્તકો પોતે વાંચી ગયો,પરંતુ આખરી તત્વ પામી શક્યો નહિ. અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું. તેનું હૃદય ઉપનિષદોમાં સમી ગયું. એ કાશ્મીરમાં પોતે હતો ત્યારથી મુલ્લાશાહની અસર હેઠળ આવેલો. કુરાને શરીફના ગુઢ રહસ્યો તેને મુલ્લાશાહે સમજાવેલા, અને સાથે સાથે ઉપનિષદના રહસ્યો પણ ઠસાવેલા. બાઈબલનાં બંને કરારોનો પોતે અભ્યાસ કરેલો. પરંતુ અદ્વૈત સિદ્ધાંતનું ઊંડું જ્ઞાન ઉપનિષદોમાંથી પામ્યો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન તેણે હિન્દુ તત્વદર્શનનો અથ થી ઈતિ  અભ્યાસ શરૂ કર્યો. વેદોની અંદરની ગુપ્ત વાતો તેણે ઉપનિષદ દ્વારા સમજી, જાણી અને આખરે પોતે  ઉપનિષદોનું ફારસી ભાષાંતર કરવા લાગ્યો. ભાષાંતર કરવામાં તેણે ફારસીના પંડિતોની તથા સંન્યાસીઓની મદદ લિધી. દારા નોંધે છે, ‘આધ્યાત્મિક વસ્તુનાં અગમ્ય અંકોડાઓ મને ઉપનિષદોમાંથી જડ્યાં છે. એ અગમ્ય બાબતો મને કોઈ પણ બીજા ધર્મ પુસ્તકોમાંથી મળી નહિ. કુરાને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે. ઉપનિષદો કુરાનનું સમર્થન કરે છે. કુરાનનાં 56 માં પ્રકરણમાં 77, 78, 79 સૂત્રો જે ગુઢ  પુસ્તકનો આડકતરો નિર્દેશ છે તે મારી સમજ પ્રમાણે ઉપનિષદને લગતો છે. ઉપનિષદો એ ગુઢ  વિદ્યાઓ છે. અને કુરાનનો એકેશ્વરવાદ એમાં આદિથી અંત સુધી ભર્યો  પડ્યો છે. તેથી હું માનું છું કે જે ગુઢ  પુસ્તક ‘કિતાબે મકનુન’ બાબત કુરાનમાં ઉલ્લેખ છે, એ ગુઢ  પુસ્તક એટલે ઉપનિષદ છે. આનું ભાષાંતર કરવામાં ખ્યાતિનો લોભ નથી પરંતુ જ્ઞાનના પ્રચારની તમન્ના છે. જેઓના હૃદયમાં મતમતાંતરની ધૂન નથી, જેઓને સાંપ્રદાયિક રાગ-દ્વેષો નથી, જેઓ માત્ર ઈશ્વરના દર્શનનાં  જ ભૂખ્યા છે, તેવા મુમુક્ષોઓ અર્થે ઈશ્વરની વાણી સમાન આ પુસ્તકનો  હું અનુવાદ કરું છું. તે જેના હૃદયમાં ઉતારશે તેના રાગ, ભય અને ક્રોધ એ તમામ દુશ્મનો તારાજ થઈ જશે. (ક્રમશ:)

આપણી માતૃભાષા અને આપણી મમ્મીઓ !!

આપણી માતૃભાષા અને આપણી મમ્મીઓ !!

 

બધાના છોકરા ઈંગ્રેજીમાં ભણે અને મારો દકુ  ગુજરાતીમાં ભણે તો મારું કેવું નીચાજોણું થાય, ખબર છે  ?”

એક તાજુ દંપતી.  મજાનો એક દીકરો.  વ્હાલથી  તેનો ઉછેર.  હવે બાળક જનમ્યા  પહેલાં  મા-બાપને થતી ચિંતા તે  બાળકને ભણેશ્રી  બનાવવાની,  આ દંપતીને પણ થઈ.  દીકરો અવતર્યો ત્યારથી શોધ ચાલી કે કઈ સ્કૂલમાં ભણાવીશું ? મમ્મી બોલી: સ્કૂલ  ગમે તે હોઈ શકે,  પણ આપણે એને ભણાવીશું તો અંગ્રેજી માધ્યમમાં જ .. મમ્મીનું મમત  પપ્પાને પરેશાન કરી રહ્યું હતું.  પપ્પા નો વિચાર દીકરાને માતૃભાષાના માધ્યમથી ભણાવવાનો  હતો.  પપ્પાની સ્પષ્ટ તૈયારી હતી કે દીકરાને અંગ્રેજી એક ભાષા તરીકે સુંદર રીતે શીખવીશું પણ માધ્યમ તો માતૃભાષા જ રાખીશું.  મમ્મીની મમત  માથાકૂટમાં ફંટાવા લાગી. બંનેએ  ઘણા લોકોની સલાહ લીધી.  માતૃભાષા અભિયાનના નિષ્ણાતો અને તેની વિડીયો સંવાદની કેસેટ પણ બંનેએ  સાથે બેસીને જોઈ કે, જેમાં સમજાવવામાં આવ્યું છે કે માતૃભાષા બાળકને ગર્ભાધાનના  પહેલાં  જ ડગલાથી વારસામાં મળેલી છે.  તેના આધારે તો બાળકની ન્યુરો લિન્ગ્વીસ્ટીક સિસ્ટમ ઘડાયેલ છે.

શિક્ષણના માર્ગદર્શક  તરીકે આ દ્વિધા  અંગે મને મળવા આવતાં  પહેલા બાળકના પપ્પાએ મને અંગત રીતે ફોન કર્યો:  “સર,  કુટુંબમાં બધાને વાત ગળે ઉતરી ગઈ છે કે માતૃભાષામાં જ ભણાવીશું,  પણ મારી વાઇફ માનવા તૈયાર જ નથી.  તમે પ્લીઝ એને સમજાવી દો ને !”

બંને સાથે બે કલાક સુધી દુનિયાભરની દલીલોથી સ્પષ્ટ કર્યું કે, જો માતૃભાષા સબળ શીખાશે તો વિશ્વની કોઇપણ ભાષા તમારો દીકરો ફટાફટ શીખી જશે. ગાંધીજી-ટાગોર-વિનોબાજી-અમર્ત્ય સેન  અને વિદેશના કેટલાય મહાન ચિંતકોને મેં મદદે  બોલાવ્યા,  પણ નારી શક્તિ આગળ હું હાર્યો અને તેના પતિ દેવ થાકયા !  મમ્મીની એક જ દલીલ : “બધાના છોકરા ઈંગ્રેજીમાં ભણે અને મારો દકુ  ગુજરાતીમાં ભણે તો કેવું નીચાજોણું થાય ?  મારો દકુ  બધા વચ્ચે સારું ઈંગ્રેજી ન બોલી શકે તો મને કેટલી નાનપ  લાગે?”.. મને એટલું સમજાયું કે મમ્મીઓ નહીં સમજે તો માતૃભાષા ટકશે નહીં એ નક્કી. સ્વીકારવામાં આકરું લાગે એવું કમનસીબ સત્ય એ છે કે આપણી નવી-સવી માતાઓ જ માતૃભાષાને ડૂબાડવા માટે નીકળી પડેલ છે.  આ વાક્ય લખતાં  કાંઈ  રાજીપો નથી થતો પણ દર્દ થાય છે.  જો કે આ કડવું છતાં ભારોભાર  સત્ય છે અને આજે એ ન સ્વીકારવું એ આપણા સૌનો દંભ છે.

“ અમે તો ઈંગ્રેજીમાં  નો ભણ્યા પણ બાળકને તો ભણાવીએ,” આ દલીલ આગળ હથિયાર હેઠા પડે છે.  મારો  અનુભવ એવું કહે છે કે, અંગ્રેજી માધ્યમમાં ધકેલાતા બાળકોમાંથી 90 ટકાથી વધુ તેની મમ્મીઓના હઠાગ્રહ કે હુંસાતુસીના કારણે અંગ્રેજી ડબ્બામાં પુરાય છે. પતિદેવ એટલે હાર સ્વીકારી લે છે કે એને કાયમી કચક્ચ ટાળવી છે એટલે એ સ્વીકારી લે છે કારણ કે  બાળકને વધુ સમય તો મમ્મી સાથે જ કાઢવો છે ને,  આપણે ક્યાં રોજેરોજ દીકરા દીકરીને ભણાવવા છે ?  લાગશે કે  આ દલીલ  છે પણ આ હકીકત છે. પાછી આ જ માતાઓ ઘરમાં સદંતર ખોટ્ટું અંગ્રેજી બોલશે એટલે સંતાન નહીં રહે માતૃભાષાનું કે નહિ રહે અંગ્રેજીનું !!! હઠ મમ્મીની અને ખુવારી બાળકની ..

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે તો પ્રાથમિક શિક્ષણને માતૃભાષામાં આપવાનું કહી દઈને રાજી થઇ ગયા છીએ, પણ અહીં વર્ણવી તેવી સ્થિતિમાં માતૃભાષામાં શિક્ષણ કેટલું છેટું પડશે તે વિચારવા જેવું છે.

અંગ્રેજી માધ્યમના અભરખાવાળી એક મમ્મી સવારના પહોર થી એની બેબીને “સ્પેરો” શબ્દનો સ્પેલિંગ પાકો કરાવવા મહેનત કરતી હતી.  બેબલી ઠાગાઠૈયા કરતી હતી,  ત્યાં જ અચાનક રૂમની બારીમાંથી એક ચકલી  ઘરમાં ઘુસી ને ચીં ચીં  કરવા લાગી. પેલી  બેબી તેની પાછળ દોડીને બોલી : મમ્મી,  જો જો ચકલી, ચકલી !  મમ્મી કહે : “અરે બેટા, હું તને સવારથી સ્પેરો શીખવું  છું ને તે આ .. બેબીએ  જવાબ આપ્યો: “અરે મમ્મી, તે ચકલી કહે ને તું શું સ્પેરો સ્પેરો કરે છે ? આ ચકલી તો મારી દોસ્ત છે !!”

નથી લાગતું કે આ જ મમ્મીઓ માતૃભાષાને જીવાડશે કે મારશે ??

અગમ દેશનો પથિક

અગમ દેશનો પથિક

નાથ પરંપરાના શિષ્ય નાથાલાલ ગોહિલનાં માતાપિતાએ જીવતા સમાધિ લીધી !!

ઈ.સ. ૧૯૪૮માં તા.૧૫ ડિસેમ્બર સંવત ૨૦૦૫ માગશર સુદ પાંચમને રવિવાર સવારના આઠ કલાકે સિલોદર (તા.કેશોદ, જિ.જૂનાગઢ) ગામે મેઘવાળ-વણકર સમાજમાં પ્રજ્ઞાચક્ષુ પિતાશ્રી ઉકાભગત અને માતાશ્રી વીરબાઈમાને કૂખે નાથાલાલનો જન્મ થયો. ખોટનો દીકરો હોવાથી જન્મતાંની સાથે નાક વીંધી ખંડિત કરવામાં આવ્યું ને નામ ‘નાથો’ રાખવામાં આવ્યું.

ઈ.સ. ૧૯૫૧માં માત-પિતાના મુખેથી સાંભળેલું કે, ભાઈ ! તું વરસ સવા વરસનો થયો હતો, ત્યારે તાવ અને ઝાડાથી શરીર સાવ નંખાઈ ગયેલું, લગભગ બચવાની આશા જ નહોતી રહી, દેશી ઓસડિયાંથી જાણે કે થાકી-હારી ગ્યાં’તાં. ત્યારે અમારી આસ્થાનું થાનક હતું એના શરણે ગયાં’તાં. અમે બંને જૂનાગઢ-ગિરનાર સવરામંડપની જગ્યામાં નાથજોગી સેવાનાથ મહારાજ અને તેમના શિષ્ય વેજનાથ મહારાજ પાસે ગયાં. નાથજોગીને ચરણે ધૂણા પાસે તને મૂકીને કહ્યું : ‘જોગી આને જીવતો રાખો; ભલે એ નાથજોગી થતો હોય.” સેવાનાથ મહારાજ ઉભા થયા, ધૂણાની ભભૂતિ નાથાને લલાટે લગાડી દીધી. બોલ્યાં : “માઈ! આ નાથાનું રક્ષણ કાલભૈરવ કરશે.” ને આ બાળક એવા કોઈ અલખની આસ્થાના આશિષથી જીવી જાય છે.

ઈ.સ. ૧૯૫૪માં સિલોદર પ્રાથમિક શાળામાં પ્રવેશ, જ્યાં એમણે છ ધોરણ સુધી અભ્યાસ કર્યો. તે સમયે રતિભાઈ માસ્તર અને શ્રી બાલુભાઈ જોશી (જે હાલમાં ઈતિહાસવિદ, પુરાતત્ત્વવિદ તરીકે ખ્યાત છે અને સોમનાથ-પાટણમાં રહે છે.) જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી પ્રાથમિક શિક્ષણનો પાયો બંધાયો. ઈ.સ. ૧૯૫૬માં સંવત ૨૦૧૨ વૈશાખ સુદ અગિયારસને દિવસે નાથાભાઈના પિતા ઉકાભગતે સિલોદર મુકામે “સવરોમંડપ’ કર્યો. આ ધ લોકોત્સવ કે જે, તપ, શ્રદ્ધા અને ભારે જહેમત માગી લે છે. સવરામંડપ વિશે લેખકે તેમના “જ્યોતે ને પાટે પ્રગટયા અલખધણી’ પુસ્તકમાં વિગતે નોંધ મૂકી છે. તે સમયે મંડપની સ્થાપના એક મહિના અગાઉ કરવામાં આવતી હતી. તે સમયે મંડપમાં ગિરનાર જૂનાગઢ સવરામંડપના નાથજોગી વેજનાથ મહારાજ ધૂણો ચેતાવીને સિલોદર બેઠા હતાં.

જ્યોતપાટની ઉપાસના સમયે મોટેભાગે રાત્રિના બાર વાગ્યા પછી નાથજોગી ગાદીએ પધારતા હતા. આ તકનો લાભ લઈને ઉકાભગતે અને વિરબાઈમાએ આઠ વર્ષના દીકરાને નવડાવી, નવાં કપડાં પહેરાવી, હાથમાં નાળિયેર સાથે નાથજોગી વેજનાથ બાપુના ચરણમાં બેસી જવાનું કહ્યું. પઢાવ્યા પ્રમાણે નાથાએ તેમ કર્યું. આ સમયે, જ્યોતનું અજવાળે આવનારને શિષ્ય તરીકે સ્વીકારે આવી પરંપરા હતી. વેજનાથ મહારાજ નાથનાં માતા- પિતા સામે જોઈને હસ્યા ઃ ભલે.. વિધિવત્ નાળિયેર સ્વીકાર્યું. ને સવરામંડમાં પછીથી નાથપરંપરા પ્રમાણે નાથાનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. પરંતુ, અહીં તેનો અર્થ એમ થતો નથી કે, તેમણે ભવિષ્યમાં નાથજોગી થાવું.

ઈ. સ. ૧૯૮૦માં માતાશ્રી વીરબાઈમાને ગર્ભાશયનું કેન્સર થયું. સિવિલ હોસ્પિટલ અને વી.એસ.-અમદાવાદમાં સારવાર લીધી, પતિ- પત્નીએ વીરબાઈમાની ખૂબ સેવા કરી, પણ નિષ્ફળતા જ હાથ લાગી.

દરમ્યાન વીરબાઈની હાલત દિવસે ને દિવસે બગડતી ચાલી. પિતા ઉકાભગતે સમાધિ લેવાની તૈયારી કરી. મરણપથારીએ સૂતેલી વિરબાઈમાએ આ જોયું. કોલેજથી દીકરો આવ્યો, એટલે તેને બોલાવી માએ પૂછ્યું : ‘દીકરા ! આ તારો બાપ શું કરે છે? દીકરાએ કહ્યું : “મા! મારા બાપનો અહીંનો સમય પૂરો થયો છે એટલે સમાધિની તૈયારી કરે છે ને આવતી કાલે સવારે એ સમાધિ લેવાના છે.” મા બોલી: ‘દીકરા ! તારા બાપને ના પાડી દે. એનાથી સમાધિ-બમાધિ કાંઈ લેવાશે નહીં, કારણ કે હું હજી જીવું છું.’ વીરબાઈમા પથારીમાંથી ઊઠ્યાં, આકાશ ભણી આંખ માંડી… અલખધણીનો આછેરો પણ મૂંગો સહજ આરાધ થઈ ગયો, ‘હે અલખના ધણી ! બારબીજના ધણી ! મેં સાચે દિલે તારા બારબીજના ઉપવાસ કર્યા હોય, મજૂરી કરીને સાધુ-સંતોને જમાડ્યા હોય, આંધળા ધણીને દેવ માનીને એને સેવ્યા હોય, તારા ધૂપ, દીવો, અગરબત્તી કર્યાં હોય, તો મારી માથે સૌભાગ્યની ચૂંદડી હોય, હું વિધવા બનીશ નહીં.” આ જાણી ઉકાભગતને થયું કે મારાથી સમાધિ લેવાશે નહીં… તેમની વિધિ અટકાવી દીધી.

નાથાભાઈએ ગીતાજીના પાઠ કર્યા. ઈ. સ. ૧૯૮૦માં તા.૧૨ જાન્યુઆરીના દિવસે શનિવારે માતાશ્રી વીરબાઈમાએ સાંજે દીકરાને હાથે પાણી પીને જીવતા સમાધિ સાથે દેહ છોડયો. ઈ. સ. ૧૯૮૦માં વીરબાઈમાના નિર્વાણ બાદ, બરોબર બે મહિને ઉકાભગતે કુટુંબ-પરિવારનાં સૌને બોલાવીને તા.૧૨ માર્ચના રોજ વહેલી સવારે જીવતા સમાધિ લઈ દેહ છોડયો.

આ અગમ દેશનો પથિક તે ગુજરાતીના ગહન અભ્યાસુ પ્રાધ્યાપક શ્રી નાથાલાલ ગોહિલ . ભજન સાહિત્ય  અને સંત સાહિત્યમાં  અનેક પરંપરાઓ વિષે  ઊંડાણથી સંશોધન કરીને ગુજરાતી સાહિત્યમાં અગમનો એક ખજાનો ઉમેરનાર શ્રી નાથાલાલ ગોહિલ વર્ષોથી જૂનાગઢ પાસેના એક નાનકડા ગામ કેશોદમાં પલાંઠી મારીને બેઠા છે.

બાપુએ મોંઘીદાટ કારનાં નાણાં દાનમાં આપી દીધાં!!

બાપુએ મોંઘીદાટ કારનાં નાણાં દાનમાં આપી દીધાં!!

 

 

 

 

 

 

લોકભારતી ,સણોસરાને રૂપિયા એક કરોડ બાપુએ અર્પણ કર્યા!

ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની બહુ જ પૂણ્ય તિથિ છે. વર્ષોથી ગુરુ મહિમા આ દિવસે ગણાતો આવ્યો છે.   હકીકતમાં જેમના તરફથી એક નવો વિચાર, નવું ડગલું ભરવાં માટે મળે તે આપણો ગુરુ હોઈ શકે. જ્યાં સુધી જગતને સંબંધ છે ત્યાં સુધી વિશ્વના લોકો કોઈ બુદ્ધ પુરુષને, કોઈ સંતને, કોઈ સાધુને પોતાના ગુરુ માનતા હોય છે. પ્રિય શ્રી મોરારીબાપુ ના કિસ્સામાં એવું માનવામાં આવે છે કે અનેક શિષ્યોના ગુરુ છે. આ જો કે સાચું નથી. કારણ કે “બાપુ પોતે કહે છે કે હું ગુરુ નથી, સદગુરુ નથી, બુદ્ધ પુરુષ નથી, હું એક સાદો સીધો તમારા જેવો માણસ છું.” આ વાત તેઓ ખાનગીમાં કહે છે એવું નથી, વ્યાસપીઠ ઉપરથી વારંવાર ઉચ્ચારીને સાવચેત કરે છે કે, ના મને ગુરુ પદ આપશો નહીં. નોર્વેમાં ત્રોમસોમાં થઈ રહેલી કથા દરમિયાન ફરી એકવાર ગુરુપૂર્ણિમાનો ઉલ્લેખ થયો ત્યારે પોતાના ભૂતકાળને સ્પષ્ટ રીતે શ્રાવકો સામે રાખીને બાપુએ ફરી એકવાર ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટતા કરી કે, ગુરુપૂર્ણિમા ઉત્સવ હવે હું ઉજવતો નથી, હું મારા ગુરુની પાદુકાનું પૂજન કરું છું, પણ મારા પૂરતું જ. ચિત્રકૂટ ધામ તલગાજરડા, કે કૈલાશ ગુરુકુળ, મહુવા ખાતે કોઈ વિશેષ કાર્યક્રમ થતો નથી. એટલે તેમણે વિશ્વભરના અપાર ચાહકોને વિનંતી કરી કે, આ કારણ માટે તમે તલગાજરડાનો ધક્કો ન ખાશો.

મોરારી બાપુ માટે ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હોય છે. એમ કહીએ કે હવે એવી વાતો કરવી એ ફેશનનો વિષય થઈ ગયો છે. અને મોરારીબાપુ શું કરે છે અને શું નથી કરતા અથવા કેમ કરે છે, અને કેમ નથી કરતા, એના વિશે ચર્ચા સત્રો પણ ક્યાંક-ક્યાંક ખાનગીમાં યોજાતા હોય છે. કોઈ એવી વાતો પણ ચલાવે છે કે બાપુ પોતાના શિષ્યો પાસેથી પોતાને જોઈએ તે બધું જ મેળવી લેતા હોય છે. પરંતુ આ બાબતને સ્પષ્ટ કરતા  બે પ્રસંગો બાપુએ સૌની સમક્ષ અભિવ્યક્ત કર્યા તે વાતને અહીં નોંધતા હું આનંદ અનુભવું છું.

નોર્વેમાં સાતમા દિવસની કથા શુક્રવારે થઈ રહી હતી ત્યારે ગુરુપૂર્ણિમાના ઉલ્લેખ કરીને બાપુએ બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે, શરૂઆતના વર્ષોમાં મારી આવશ્યકતા હતી એટલે હું ગુરુપૂર્ણિમાના એક દિવસે ગુરુદક્ષિણા સ્વીકારતો હતો, અને એ વખતે જો એક લાખ રૂપિયા મળતા દિવસને અંતે તો એમાંથી પણ હું 10 ટકા જુદા મૂકતો કારણ કે હું સૌને કહેતો હું કે દશાંશ જુદો કાઢો તો મારે પણ કાઢવો જોઈએ. જ્યારે આ રકમ વધવા માંડી અને ચાર, પાંચ, છ લાખ થવા લાગી ત્યારે પછી મેં 90 ટકા જુદા મુકવાનું શરૂ કર્યું. કારણ કે 10 ટકા પૈસામાંથી મારો જીવન વ્યવહાર ચાલતો હતો. પણ આ આંકડો જેમ-જેમ મોટો થવા લાગ્યો તેમ-તેમ મને થોડું અસુખ થવા લાગ્યું અને મેં એક દિવસ અચાનક જ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાની મનાઈ કરી દીધી. આની પાછળનું બીજું કોઈ કારણ નથી. મારો આદર ગુરુ પ્રત્યેનો એમનેમ છે, અકબંધ છે. અને જીવું ત્યાં સુધી રહેવાનો છે. પરંતુ ઉદ્દેશ એક જ છે કે, હું કોઈનો ગુરુ થવા તૈયાર નથી, મારે કોઈને શિષ્યો બનાવવા નથી, જે જે લોકો જે ઈશ્વરમાં માનતા હોય, કે જે વ્યક્તિત્વને પૂજતા હોય એ એના ગુરુ એમને મુબારક.

બાપુએ બે ઉદાહરણો  વ્યાસપીઠ ઉપરથી જ્યારે રજૂ કર્યાં ત્યારે એ ઉદાહરણોના ભાવકો એ સભાખંડની અંદર હાજર હતા. થોડા સમય પહેલા ધરમપુર પાસેના ખાંડા ગામે  આદિવાસી વિસ્તાર માટેની પહેલી રામકથા નું આયોજન થયું અને એના મનોરથી પરિવાર તરીકે જગુમામા, મામી અને પુત્ર મહેશનો  સમગ્ર પરિવાર હતો. તેઓ અમેરિકા વસે છે અને આ કથાનો મનોરથ એમણે બહુ સુપેરે પાર પાડ્યો. જગુમામાના દીકરાએ બાપુ પહેલી વખત ગાડીમાં બિરાજે એવી રીતે બાપુ ધરમપુર પધાર્યા ત્યારે એક નવી નકોર ગાડી લીધી, અને એ ગાડીમાં બાપુને લઈ આવવાનું કામ બારડોલીના સેવક નરેન્દ્રભાઈ પટેલ કરતા હતા. એ ગાડીની કિંમત લગભગ 1 કરોડ 46 લાખ રૂપિયા જેવી થતી હતી. એ કથાના દિવસો દરમિયાન બાપુએ એ રથ જેવી ગાડીમાં આવવા-જવાનું રાખ્યું. કથા પૂર્ણ થઈ પછી જગુમામા ના દીકરાએ મહેશભાઈએ સારથી નરેન્દ્રભાઈ ને કહ્યું કે, આ ગાડી તલગાજરડા મુકી આવો કારણ  બાપુને એ ગાડી અમે એમણે અર્પણ કરીએ છીએ. બાપુએ તરત ના પાડી, પણ મનોરથી પરિવારનો  અતિ આગ્રહ હતો  તેથી બાપુએ કહ્યું કે, હું એક મહિનો વાપરું. પણ બાપુ પોતે એક મહિના દરમિયાન પણ અસુખ અનુભવતા હતા કે આ બોજો ખોટો છે. એટલે એમણે જગુમામા અને મહેશને પૂછીને કહ્યું કે મારે આ ગાડી નથી જોઈતી. તો એમણે કહ્યું, બાપુ આપને જે ઈચ્છા થાય તે ગાડીનું કરો. અને તરત જ બાપુએ એ ગાડી વેચવા કાઢી નાખી. બાપુએ પોતે બે-ત્રણ લોકોને કહ્યું કે, ભાઈ ગાડી આપણે ઝડપથી વેચી નાખીએ એટલે મારી ઉપરથી એક ભાર ઉતરી જાય. ખાંડાની કથાના આયોજનમાં રહેલ પરેશભાઈ ને જવાબદારી બાપુએ સોંપી કે આ મોંઘીદાટ ગાડી જેને જોઈએ તેને વહેંચી દો. પાંચ-પંદર લાખ ઓછા આવે તો ચિંતા ન કરશો. અને બાપુએ વ્યાસપીઠ ઉપરથી પૂછીને પરેશભાઈના ખુદના મોઢેથી બોલાવ્યું કે, 1 કરોડને 26 લાખમાં એ ગાડી વેચી દેવામાં આવી. તાત્કાલિક પ્રશ્ન થાય કે આટલા બધા પૈસા નું શું કર્યું હશે? પણ બીજી જ મિનિટે બાપુએ કહ્યું, 1 કરોડને 46 લાખમાંથી એક કરોડ રૂપિયા લોકભારતી સણોસરાની સંસ્થાને કે જેની સાથે મારો આત્માનો સંબંધ બંધાયેલો છે એને અર્પણ કર્યા, અને બાકીના પૈસા જરૂરિયાતમંદને વહેંચી દીધા.

એક બીજી ઘટના પણ બાપુએ સાથે જોડી. નોર્વેની કથા જે હોટેલમાં હતી તેના યુરોપિયન મેનેજર બાપુની હાજરીથી બહુ અભિભૂત છે. બાપુના આગમન પહેલાથી એ લોકો ‘જય સીયારામ’ બોલતા શીખી ગયા છે. એ લોકોના કાઉન્ટર ઉપર ‘સત્ય-પ્રેમ-કરુણા’ નોર્વેજયન ભાષામાં લખાઈ ગયેલું છે. એવા કેટલાક યુરોપિયન ભાઈઓ ને બહેનો  બાપુને વંદન કરવા વ્યાસપીઠ સુધી આવ્યા અને બાપુને વંદન કરીને એમણે એક નાનકડી ડબ્બી ભેટ આપી. બાપુએ રામનામી આપીને એ સૌનું સન્માન અને આદર કર્યો. બાપુએ તરત જ પેલી નાનકડી ડબ્બી જે સવારના પ્રાર્થના સમયે એક બાજુ નિલેશભાઈએ મૂકી હતી તેને મંગાવી. એ ડબ્બી બધાની હાજરીમાં ખોલી, એની અંદરથી એક નાનકડી કોથળી, અને કોથળીની અંદર એક સૂર્યનું ચિન્હ સાથેનો બેઝ, જેને આપણે ટાઇ ઉપર લગાડી શકીએ એવું સુંદર મજાનું બેઝ નીકળ્યો. બાપુએ બે ક્ષણ માટે એને પોતાની રામનામી સાલ ઉપર બરાબર લગાડ્યો અને સૌને આનંદ થયો બાપુએ કંઈક તો સ્વીકાર કર્યું. પણ ત્યાં જ બાપુએ હાકલ પાડી, કે લાલો ક્યાં છે? લાલો એ સંગીતની દુનિયાનો સીધો સાદો કેમેરામેન છે. પણ બાપુ સૌને નામથી ઓળખે છે. દિલથી પ્રેમ કરે છે એટલે એણે લાલાને બોલાવ્યો, જે  દૂર-દૂર કેમેરા ઉપર વ્યસ્ત હતો. એ દોડમદોડ વ્યાસપીઠ ઉપર આવ્યો ત્યારે બાપુએ એના હાથમાં એ ડબ્બી મૂકીને કહ્યું, લે લાલા તારે ઘરે જઈને તારા દીકરાને આપી દેજે.,

આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે બધું બધા લોકો ગ્રહણ કરીને જ જીવતા  હોય છે. પણ બાપુના કિસ્સામાં આ વાત સાચી નથી. આ બે ઉદાહરણો આપણને એવું કહી જાય છે કે બાપુ માટેની ઘણી બધી માન્યતાઓ આપણા મનમાં ભરાયેલી છે એ સાચી છે કે ખોટી એનો જરાક અભ્યાસ કરવા જેવો છે. આ વાત એટલા માટે નોંધવાનું થયું છે કે  બાપુ કથા કરવાનાં, પધરામણી કરવાનાં, કે ભિક્ષા લેવા આવવાનાં કોઈ પ્રકારમાં કોઈ પણ રીતે કશું જ લેતા નથી. કોઈ કવર બાપુને આપવાનું થતું હોતું નથી, એટલે એ બાબતની વાત ફેલાવનાર લોકો માટે આ બે ઉદાહરણો પર્યાપ્ત ખજાનો પૂરો પાડે એમ છે એટલે મેં અહીં રજૂ કર્યા છે.

નોર્વેમાં ત્રોમસોમાં સમગ્ર કથા દરમિયાન હું સદેહે ઉપસ્થિત હતો અને આ ઘટના સંગીતની દુનિયાની ચેનલ ઉપર પણ ઝડપવામાં આવી છે. મને એ બાબતનો આનંદ છે કે જે વ્યક્તિ સંગીત, સાહિત્ય, શિલ્પ, નૃત્ય, કલા, ગાયન અરે બોલો એટલી કલાનાં ઉપાસક રહ્યાં છે અને આ કલાઓ માટે યુનિવર્સિટીઓ ન કરી શકે એટલું પ્રદાન જેમણે કર્યું છે તે શ્રી મોરારી બાપુ પોતાના શ્રાવકો પાસેથી, પોતાનાં યજમાનો પાસેથી, પોતાનાં મનોરથીઓ પાસેથી ખરેખર કશું લેતા નથી. મળે તો પણ તે અર્પણ કરી દેતા હોય છે. એ વાત ભારત દેશ માટે નહિ, વિશ્વભરે નોંધવા જેવી  છે. જય સિયારામ…

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જીભે છે નામ “માંકડભાઈ” !!

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જીભે છે નામ “માંકડભાઈ” !!

અંદરથી કોઈએ કહ્યું: ‘તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે થાય એવી સેવાએ તું  લાગી જા.’  અને તેઓ લાગી ગયા !!! 

ખુદને થયેલી દિલની વ્યથા સેવા તરફ માર્ગ ચીંધે છે. રાજકોટમાં એક સાત્વિક સમારંભ થયો. અને આ સમારંભના સાક્ષી બનવાનો  લાભ મળ્યો ત્યારે ગદગદ થઈ જવાયું  અને સમગ્ર સમારંભ દરમિયાન એવું લાગ્યું કે, જાણે કોઈ સત્કર્મના મસીહાની સામે આપણે બેઠા છીએ.

માણસ તો એ સાદો સીધો છે. ઓડિટર જનરલ ની ઓફિસમાં એ નિયમિત નોકરી કરે. પરંતુ તેમના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો કે, જે પ્રસંગે એને માત્ર નોકરી પૂરતો ન રાખ્યો. આનું નિમિત્ત બની પોતાની દીકરી વ્હાલનો દરીયો. એવું નિદાન થાય છે કે, એના હૃદયમાં કાણું છે. નાની ઉંમર, બાલ્યાવસ્થા અને આવું મોટી વ્યાધિ !! , આ વાત  40-50 વર્ષ પહેલાની. એટલે એ વખતે તો તબીબી જગત એટલું આગળ વધેલું નોહ્તું એટલે વધુ ચિંતાનો વિષય હતો. પણ એ હોસ્પિટલ સુધી પહોંચે છે અને એક માંથી બીજી હોસ્પિટલ, એક ડોક્ટર થી બીજા ડોક્ટર, એમ એનાં ચક્કરો શરુ થાય છે. વ્યથા છે દિલની અંદર, કરુણા છે દીકરી પ્રત્યે, પણ ઈલાજ તો ઈશ્વર કરશે એવી એની શ્રદ્ધા પાકી છે. મુંબઈ સુધી જાય છે, પૈસાનો  મેળ કરીને, મુંબઈમાંથી પણ જોઈએ એવું કોઈ નિદાન મળતું નથી. કોઈ સધિયારો  મળતો નથી. અને ત્યારે એના મનમાં એવો વિચાર આવે છે કે, ઈશ્વર સહાય કરે તો હવે આમાં કશુંક ફળશે.

મુંબઈથી પાછા આવીને નિરાશ થઈને બેઠેલા એ નોકરિયાત સજ્જનને કોઈએ સમાચાર આપ્યા કે આપણા શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પ થવાનો છે અને એમાં મુંબઈના મોટા-મોટા ડોકટરો નિઃશુલ્ક નિદાન કરવાના છે. જેમ ડૂબતો માણસ તરણું  શોધે, એમ એમણે પણ એ નિદાન યજ્ઞની અંદર પોતાની દીકરીનું નામ લખાવી નાખ્યું. ત્રણ-ચાર વર્ષ સુધી પોતાના દીકરીનાં  દર્દનું નિદાન અને તેના ઉપચાર માટે ભટકનારા એ સાદા, સીધા, સજ્જન નોકરીયાતને એવો ખ્યાલ આવ્યો કે, દીકરીના હૃદયમાં કાણું નથી.!! જે કંઈ  થોડી અસર છે તેના માટે કોઈ સર્જરીની જરૂર પણ નથી. હાશકારો તો થયો, પણ પોતે જે  રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાયા, વિચિત્ર હોસ્પિટલોના ચિત્ર વિચિત્ર જવાબો સાંભળ્યા, કેટલાએ તબીબો દ્વારા એક નાના માણસને અવગણવાની જે દશાઓ અનુભવી તેણે  તેમના અંતર આત્માને જગાડી મૂક્યો.  અને એણે ઈશ્વરનો આભાર કઈ રીતે માનવો એ વિચાર્યું અને એમાંથી જવાબ મળ્યો કે, તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે ન થાય એવી સેવાએ તું  લાગી જા. અને એ લાગી ગયા !!!

બે, પાંચ, દસ વર્ષ નહીં, પરંતુ લગભગ છેલ્લા  છ દશકાથી સમગ્ર દર્દીઓની દુનિયામાં, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા ગામે ગામના લોકોની જીભ ઉપર એનું નામ ચડી ગયું. માત્ર દર્દીઓ નહિ, પણ આ હોસ્પિટલના અનેક કાર્યકરો, તબીબો, લેબોરેટરી વગેરેના સૌ નોકરીયાતો, એ બધાના નામે એક જ નામ. કોઈ ડોક્ટર પાસે પેલાં ન જાય, પણ માંકડ સાહેબ પાસે પહેલા જાય. આ માંકડ સાહેબ એ હોસ્પિટલના કોઈ સાહેબ નહોતા, પણ આપણે જેનો પહેલેથી ઉલ્લેખ કર્યો છે તે માંકડ સાહેબ નોકરિયાત હતા સરકારનાં. પણ રોજ સવાર પડે અને નોકરી સિવાયનાં બધા કલાકો એ સિવિલ હોસ્પિટલમાં હોય. કામ તો પાયાથી શરુ કર્યું એમણે. દર્દીને સામાન્ય માહિતી આપવાથી અને ડોક્ટર સુધી ઝડપથી પહોંચાડવાનું શરુ કર્યું. કોઈ કેસ ઇમર્જન્સી છે અને એને જો હોસ્પિટલનું તંત્ર ઇમર્જન્સી  ગણતું નથી તો એને ઇમર્જન્સી ગણાવીને ઝડપથી સારવાર તરફ પહોંચાડવું ત્યાંથી સેવાયજ્ઞ શરુ થયો. અને પછી તો ઘણી સેવાઓ  સામે આવતી ગઈ. તબીબો દ્વારા જે દવા લખી આપવામાં આવે એ દવા લેવાના દર્દી  પાસે પૈસા ન હોય, પણ એ માંકડ સાહેબ પાસે જાય ત્યારે માંકડ સાહેબ દવા મંગાવી આપે !!  ક્યાંથી આવી છે એનો દર્દીને તેના સગાઓને ખ્યાલ ન હોય.

કેટલાક દર્દીઓ એવા હોય કે જેને સારવાર શરૂ થઈ ગઈ હોય પણ એને રોજ ખાવાના ફળ કે નાળિયેર પાણી એવું કશું ન મળતું હોય તો  મૂંગે મોઢે માંકડભાઈ હોસ્પિટલના ખાટલે-ખાટલે માત્ર ઝીણી નજર કરીને ફરતા રહે અને નોંધતા રહે અને એકાદ કલાકની અંદર જે તે  દર્દીના ખાટલા પાસે તેની  જરૂરિયાત પહોંચતી થઈ ગઈ હોય. પણ હા, અનેકોના દર્દને શાંત્વના આપતા આ માંકડભાઈ એવા સોગિયા માણસ નથી. એક હસમુખા માણસ છે. તમે એની સાથે ઉભા હો તો દસ મિનિટમાં તમારું વાતાવરણ એકદમ જીવંત કરી શકે એવા માણસ છે. એમના લગભગ આઠમા દાયકાના આયુષ્યમા પણ તેઓ આવું સ્વાસ્થ્ય જાળવી શક્યા છે, એનું કારણ એ છે કે, તેઓએ અનેકના સ્વાસ્થ્યને ડૂબી જતું ઉગારી લીધું છે. એમને છેલ્લા પાંચેક વર્ષમાં રાજકોટે બહુ ઓળખ્યા છે. એમને કેટલાય સન્માનો મળ્યા છે. અને એ સન્માનો પણ એમણે એકદમ નિસ્પૃહી થઈને પરાણે સ્વીકાર્યા છે. ક્યારેય સ્ટેજ ઉપર આવીને બોલવું એને ફાવ્યું નથી. એટલે માંકડભાઈ દ્વારા લખાયેલી સુંદર મજાનું  પુસ્તક હરિને હાથ તાળી જ્યારે લોકાર્પિત થયું, ત્યારે પણ માંકડભાઈ માત્ર બેઠા રહ્યા અને વચ્ચે વચ્ચે પોતાની વાત ટાપસી પુરાવતા રહ્યાં. એમણે ભાષણ ન કર્યું. એમને ભાષણ આવડતું નથી. કારણ કે જે ભાષણ કરે છે એ દર્દીના ખાટલા સુધી પહોંચી શકતા નથી. માંકડભાઈને તો એક-એક હમદર્દ સાથે પોતાની લાગણીઓ વહેંચવી હતી. કારણ કે નાનપણમાં તેમણે આવા જ દર્દી બનીને ખાટલે ખાટલે ભટકવાનો પ્રસંગ બન્યો હતો.

માંકડભાઈના  દીકરી અને  દીકરાએ આ સુંદર મજાનો પ્રસંગ યોજ્યો હતો. નાનો નમણો એવો સમૂહ એમની સાથે ભાવકોનો બેઠો હતો, અને એમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટથી લઈને બ્લડ બેન્કના વ્યવસ્થાપક થી લઈને, નાનામાં નાના ફળની રેકડીવાળાથી લઈને, બધા લોકો આતુરતાપૂર્વક આ હિમાંશુ માંકડ દ્વારા લખાયેલું પુસ્તક હરિને હાથ તાળીનું  લોકાર્પણ નિહાળવા અને એમાં પોતાની તાળીના ગડગડાટ ઉમેરવા હાજર હતા.

પુસ્તક લખવું જોઈએ એવો એમને બહુ ખ્યાલ નોહ્તો. પણ પોતના બે સંતાનોએ બરાબર હામ ભીડી અને વિનંતી કરી કે, આપણે એવા પ્રસંગોથી પુસ્તક લખીએ કે જે પ્રસંગો તમે જીવનમાં અનુભવ્યા હોય, તમે કોઈને મદદ કરી હોય એ ન લખજો, પણ દર્દીઓને કેવી જરૂરિયાત પડે છે, માંદગી કેટલી બધી ખરાબ ચીજ છે, જ્યારે સ્વાસ્થ્યની સેવા ન મળે ત્યારે ગરીબ માણસ કેટલો વામણો બની જાય છે, આ બધું દર્શાવતા જે પ્રસંગો છે એ પ્રસંગોને તમે વર્ણવો, અને નાના નાના પ્રસંગોમાંથી એક સરસ પુસ્તક બનાવીએ, એને નામ આપીએ ‘હરિને હાથ તાળી. હિમાંશુભાઈ માંકડ નાગર ગૃહસ્થ છે. એ જ્ઞાતિમાં ‘ચ’ ભાઈના નામથી ઓળખાય છે. ‘ચ’ ભાઈ શા માટે કહેવાયું  એની બહુ ભાળ  ઝડપથી મળતી નથી. પણ એ નામ વહાલનો ટહુકો છે.  હિમાંશુ માંકડને ‘ચ’ ભાઈ કહેવું  લોકોને હૃદયથી ગમે છે. દુબળું પાતળું એક કાંઠીનું આ શરીર ‘ચ’ ભાઈ નામનાં પોતાના ઉપનામને હસતાં-હસતાં આવકારે છે. એમણે પોતાની પ્રસ્તાવના, પોતાની વાત, આ પુસ્તકમાં લખી છે. એમાં એમણે ખરેખર પોતાની વાત નથી લખી. પણ એમણે આ કાર્યોમાં જેનો સહકાર મળ્યો છે તે નાના-નાના લોકોની ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી છે. તેમણે પોતાના ઇષ્ટદેવ અને પોતાના ઇષ્ટ દેવીનો આભાર વ્યક્ત કર્યો છે, કારણ કે દરિદ્ર નારાયણ સુધી પહોંચવામાં ઈશ્વરનો સાથ તો પહેલો જોઈએ ને !! એ.જી. ઓફિસના મિત્રો  અને એ.જી. ઓફિસના  સૌને તેઓએ યાદ કર્યા છે. આ પુસ્તકનું સંપાદન કરવાનું થયું ત્યારે સંપાદક શ્રી ને તેઓએ સ્પષ્ટ સૂચના આપી કે, આખા પુસ્તકમાં ક્યાંય હું, મેં, અથવા મારા દ્વારા, એવા કોઈ શબ્દો ન આવે એમ તમે જોજો. અને ખરેખર પુસ્તકની અંદર ‘અમારા’ દ્વારા, ‘અમને’ સમાચાર મળ્યા, ‘અમારી’ સંસ્થાને સંદેશો મળ્યો, આવા વાક્યો થી એમણે પોતાની જાતને અહમથી દૂર રાખી છે.

એમ કહેવાય છે કે આપણા બધા જ પ્રકારના જ્ઞાન, બધા જ પ્રકારના કૌશલ્યો, કે બધા જ પ્રકારની આપણી ક્ષમતાઓનો બરાબર નાશ કરનાર કોઈ શબ્દ હોય તો હું, મેં, મારું, છે. ‘ચ’ ભાઈએ કાળજી રાખીને આ વાત યાદ રાખીને ક્યાંય પણ મેં કર્યું છે, મારા દ્વારા થયું છે, એમ કહેવાને બદલે અમારા દ્વારા થયું, અમને મેસેજ મળ્યો, એ ઉપર આધાર રાખ્યો છે. નાના-નાના કેટલાય  પ્રસંગો બહુ જ પ્રવાહી ભાષામાં, વાતચીતની ભાષામાં, તેઓએ અહીં રજૂ કર્યા છે. આવા 36 પ્રસંગોમાં કેટલીય વાત આવે છે. કોઈને લોહી જોઈએ તો શું, કોઈને પૈસા જોઈએ તો શું, તે બધું જ કામ તેઓ પોતે કેવી રીતે કરતા હતા, કોના સાથીદાર બનીને કરતા હતા, એ તેમણે વર્ણવ્યું છે. ક્યાંય આત્મશ્લાઘા કે  ક્યાંય  પોતાના કામને મોટું દેખાડવાનો પ્રયાસ નથી. સારું છે કે તેઓ સાહિત્યના માણસ નથી. સાહિત્યનો માણસ હોત તો કદાચ એણે વિશેષણોની ભરમાળ સર્જી નથી. આ પુસ્તક જે વાંચશે  તે પોતાની  જિંદગીમાં  દાસ પંદર  સારા સેવાકાર્યોમાં પોતે પ્રવૃત થવાનું નક્કી કરશે  તેની હું ખાતરી આપી શકું.

પુસ્તકનાં છેલ્લાં ટાઇટલ પાન પર લખ્યું છે ::

આશ ધબકે એમના હો  શ્વાસ બાકી, હરિને હાથતાળી

દ્રોણાગિરીથી જીવંત પ્રાણ લાવી, હરિને હાથતાળી

ચિત્રગુપ્તના ચોપડેથી નામ ફાડી, હરિને હાથતાળી

જલારામ નરસૈયાને રણછોડદાસજી, હરિને હાથતાળી

સેવા કરુણાથી સમર્પિત જાત થાતી, હરિને હાથતાળી

હું ભૂલીને જનસેવામાં સૌની વારી, હરિને હાથતાળી

મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું !!

મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું !!

અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી, ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”

આજે અષાઢી બીજ. આજે કચ્છી નવું વર્ષ.

કચ્છના નગર કુટુંબની વહુઓ આજે માથે ઓઢીને પોતાની સાસુજીના ચરણ વંદન કરે એવો પવિત્ર દિવસ. જ્યોતિષીને પૂછ્યા વગર શુભ કાર્યો  આજે કરીએ તો મંગલ થાય તેવી પવિત્ર તિથિ તે અષાઢી બીજ.

આજે બે ‘ક’ યાદ આવ્યા વગર ન રહે..

‘ક’ કાલિદાસનો ‘ક’ અને ‘ક’ કચ્છનો ‘ક’….

મહાકવિ કાલિદાસનું સ્મરણ કરાવતી તિથિ. મેઘ રાજા હાર્યે વાત્યું માંડનાર સમર્થ કવિ !! તો કુદરતનો કોપ અને કુદરતની કૃપા બન્ને સાથે કચ્છડો બારે માસ !! આપણી દેવ ભાષા સંસ્કૃતની રુડી પેશકશ કરનાર કાલિદાસ, તો એવી જ મીઠડી બોલી તે ‘કચ્છી’…

સંસ્કૃત ઉચ્ચારીએ તો મોં ભર્યું ભર્યું લાગે, તો કચ્છી બોલી કાને પડે તો કાનમાં સળવળાટ  થવા લાગે..

મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું

મીઠી અસાન્જી ગાલીયું, અને મીઠી અસાન્જી પ્રીત

અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું !

લોક જીભે ચડેલી આ ઉક્તિ ગાગરમાં સાગર સમાવીને કચ્છની લાક્ષણિકતાઓ કહી જાય છે. અમારો કચ્છ મીઠડો, કારણ એના માણસો મીઠા,,અરે એની ગાળ્યું ય મીઠી અને એની પ્રીત પણ મીઠી !!

બારેમાસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં કચ્છીઓની ઓળખ અનેરી છે. ‘મેઠા માડું ને મેઠી ભાષા’ વિવિધતામાં એકતા એટલે કચ્છી. દેરાવાસી, સ્થાનકવાસી, દશા ઓસવાલ, વીસા ઓસવાલ, વાગડ, પાટીદાર સમાજ, લેવા પટેલ, રાજગોર સમાજ, ક્ષત્રિય, બ્રાહ્મણ, લોહાણા, ભાનુશાલી, સુમરા, લંઘા વગેરે અનેક જુદો-જુદો લહેજો ધરાવનાર અનેક જ્ઞાતિઓની એકમાત્ર ભાષા એટલે કચ્છી, જેણે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.

કચ્છમાં ય પાછું જિબો અમારું ભુજ્જજજ્જ.. ‘ભુજ’ બોલે ત્યાં તો કચ્છી માડું હરખઘેલા અને એટલે ‘ભુજ’ શબ્દ નહીં પણ સંગીત બનીને જજ્જજજ્જ  ગળચટું લંબાણ ઉચ્ચારે .

અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું..

અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,

ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”

આ પંક્તિઓ ભુજનો સુપેરે પરિચય કરાવે છે.

ભુજનો ક્રમશ: નાકાં બહાર વિસ્તાર થતો ગયો.આજે આ શહેર ૫૬ કિમી.ના રસ્તા ધરાવે છે. ભુજ હકીકતમાં ૫૬ની છાતી ધરાવે છે એમ હવે  ગૌરવપૂર્વક છાતી ઠોકીને કહી શકે  તેમ છે. ૩૦૦ વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. (ટંકશાળ એટલે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા) ત્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશો.ની ઓફિસ આવેલી છે.

કચ્છી-કાઠીયાવાડી બીસ્કીટ એટલે બાજરાનો રોટલો. પરદેશમાંથી બાજરો લાવનાર ગિરાસદાર યદુવંશી રાજપુત રાજા લાખા ફુલાણી..

સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશેની લોકવાર્તા પ્રસિદ્ધ છે.

ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા તે સાથીઓ સાથે ભુલા પડતા અંધારીયા ખંડમાં પહોંચી ગયા  હતા . ઘણા દિવસોથી શિકાર પાછળ રઝળપાટ કરતા લાખા ફુલાણીના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયા હતા , ત્યારે સતત ભાગદોડથી થાકેલા ઘોડાઓ નદી કિનારે ઉગેલા અજાણ્યા ઉંચા છોડના ડૂંડાઓનો ચારો ચરી રહ્યા હતા.અજાણ્યા છોડનો ઉત્સાહથી ચારો ચરતા ઘોડાઓને જોઈ ભૂખની પીડાથી હેરાન લાખા ફુલાણીને નવાઈ લાગી હતી. લાખા ફુલાણીએ ઘોડાઓની નજીક જઈ છોડ ઉપર આવેલા ડુંડાને દબાવી તેના લીલાછમ દાણા પોતાના મોઢામાં મુકતા તેના અનેરા સ્વાદ સાથે શરીરમાં તાજગી અનુભવતા બોલી ઉઠ્યો હતો.

લોકસાહિત્યમાં એવું બોલાય છે કે,

બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખુ આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

બાજરો ખાતા જ થાકેલા ઘોડા તરોતાજા દેખાવા લાગ્યા હતા, એ  સાથીઓ સાથે લાખા ફુલાણીએ અજાણ્યું જંગલી ધાન ખાતા તેમનામાં પણ નવી તાજગી સાથે શક્તિનો સંચાર થયો હતો. લાખા ફુલાણીને આ જંગલી ધાન ગમી જતા આશરે એક હજાર વર્ષ પહેલા કચ્છમાં બાજરાનું આગમન થયું હતું. ઓછા વરસાદ, ઉંચા તાપમાન સાથે ઓછી ફળદ્રુપ, રેતાળ કે સામાન્ય ક્ષારવાળી જમીન ધરાવતો પ્રદેશ બાજરાના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે.

કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. કહેવાય છે કે,  કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.

કચ્છની મુખ્ય બોલી એવી ભાષા છે કે જેની જુદી લિપિ નથી.. એટલે ભાષા જ કચ્છી છે, એકદમ અંતરિયાળ ગામડાઓને બાદ કરતા મોટાભાગના લોકો ગુજરાતી પણ બોલી અને સમજી જાણે છે. આ ઉપરાંત અહીં ઘણા લોકો સિંધી, હિંદી અને અંગ્રેજીની પણ જાણકારી ધરાવે છે.

દેશ વિદેશમાં વસતા કચ્છીઓ આજે હરખભેર અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અષાઢી બીજ દીવાળીના ઉત્સવની જેમ ઉજવાય છે અને ઘરે ઘેર લાપસીના આંઘણ મૂકાતા હોય છે. ગુજરાતમાં વસતા કચ્છીઓ વર્ષોથી તેમના ખમીર અને આગવી કળાને લીધે દેશ વિદેશમાં જાણીતા બન્યા છે તે પછી સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણજી વર્મા હોય કે જામ લાખો ફુલાણી અને આજના સમયમાં લોકગાયિકા ગીતાબેન રબારી હોય કે પછી ગાયક ઓસમાણ મીર, કચ્છી પ્રજા તેના ખમીર અને ભાતીગળ પ્રદેશની આગવી ઓળખને લીધે દેશવિદેશમાં પ્રસિદ્ધ છે. મરૂ,મેરુ અને મહેરામણની ભુમિ તરીકે ઓળખાતા કચ્છમાં નવા વર્ષ પણ બે ઉજવાય છે.  

સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી ત્યારથી અષાઢી બીજે નવું વર્ષ મનાવાય છે. કચ્છમાં પહેલો વરસાદ એ ઉત્સવ છે. લોકો જેઠ મહિનામાં વરસાદની વાટ ભલે ન જુએ, પરંતુ અષાઢી બીજ કોરી ન જાય તેવું દરેક કચ્છી ઇચ્છે છે.

એક કથા એવી છે કે,  કેરાકોટને પોતાની રાજધાની બનાવનાર જામ લાખા ફુલાણી તેજસ્વી, ચતુર અને શૂરવીર રાજવી હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે, આ ધરતીનો છેડો ક્યાં હશે ? મનમાં આવેલા વિચારને અમલમાં મૂકીને તેઓ ધરતીનો છેડો શોધવા માટે નીકળી પડયા. મહિનાઓની રઝળપાટ પછી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા. તે પાછા આવ્યા ત્યારે ચોમાસું બેસી ગયું હતું, વરસાદ પડી ગયો હતો. વન ફૂલ્યુંફાલ્યું હતું, જળાશયો પાણીથી ભરેલાં હતાં. પોતાની માભોમને લીલીછમ્મ જોઈને લાખા ફુલાણીને ખૂબ જ આનંદ થયો. તે કેરાકોટ પહોંચ્યા દિવસ અષાઢી બીજનો હતો. તેથી જામ લાખા ફુલાણીએ દિવસને નવા વર્ષ તરીકે ઊજવવાનું ફરમાન બહાર પાડયું. ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઊજવવાનું શરૂ થયું. આ દિવસે સવારથી સૌ એકબીજાને  અષાઢી બીજના રામ- રામ કહીને શુભેચ્છા પાઠવે છે.

કચ્છના દરિયાખેડુઓ આજે દિવસે દરિયાદેવની પૂજા કરે છે. વેપારી પેઢીઓ વહાણોની પૂજા કરાવે છે. તેમ જ જો અષાઢી બીજ ગાજે, આભમાંથી અમી છાંટણાઓ વરસે અને રાત્રે વીજ ચમકારા થાય તો અષાઢ માસ મેઘરાજાની કૃપાથી તરબતર રહે છે, તેવી માન્યતા પણ છે. દાયકા પહેલા આ દિવસને અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા. જો કે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશિષ લઇ ઘરે લાપસીનું આંધણ મુકી નવા વર્ષેને ખાસ બનાવે છે. તેમાંય અષાઢી બીજના દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે.

વીસમી સદીના શરૂઆતના દાયકામાં જ્યારે કચ્છ જિલ્લાના માધાપર ગામથી પાટીદાર સમુદાયના લોકોએ મહેનત મજૂરી અને રોજીરોટી માટે વહાણવટાથી આફ્રિકાની વાટ પકડી હશે ત્યારે તેમની આગામી પેઢીઓ તેમના ગામને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે તેનો કોઈને ભાગ્યે જ અંદાજ હશે. આજે ભારતના સૌથી અમીર ગામડાંમાંથી એક ગણાતું માધાપર લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની બૅન્ક ડિપૉઝિટ ધરાવે છે.

ગુજરાતના લગભગ 18 હજાર ગામડાંમાં સૌથી અલગ ઓળખ ધરાવતા માધાપરની બીબીસીએ મુલાકાત લઈને વિશેષ ડોક્યુમેન્ટરી બનાવેલી છે, જે વિશ્વભરને કચ્છની ભાતીગળ ઓળખ આપી રહેલ છે. .માધાપર ગામનો ઇતિહાસ લગભગ 550 વર્ષ જૂનો છે. એક સમયે કચ્છના રાજવીઓનાં સંતાનોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી દરબારી શાળા માધાપરમાં છે. જે લગભગ 128 વર્ષ જૂની છે અને હવે ત્યાં પોલીસ સ્ટેશન છે.

આ  60 હજારની વસ્તીના આ ગામમાં 16 બૅન્ક કાર્યરત છે, અને કદાચ એટલા માટે અનેક સમાચારપત્રો આ ગામને દેશના સૌથી ધનાઢય ગામમાંના એક તરીકે ઓળખાવે છે. માધાપર દેશનું અને કદાચ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ બની શક્યું તેની પાછળ અહીં શિક્ષણને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાય છે. કામ માટે આફ્રિકા ગયેલા માધાપરના વતનીઓએ એ સમજી લીધું હતું કે વિદેશમાં કામ કરવા માટે ત્યાંના લોકો સાથે વાત કરતા આવડવું જરૂરી છે અને એટલે લગભગ 1946ના વર્ષમાં જ નવા વાસમાં સ્કૂલ બનાવવા માટે આફ્રિકામાં એ સમય છ હજાર શિલિંગનો ફાળો કરીને સ્કૂલ બનાવી. એટલું જ નહીં, 1952માં વાંચનાલય બની ગયાં હતાં અને પરિવાર સાથે વિદેશ જનારી મહિલાઓ ઘરે રહીને પણ કામ કરી શકે તે માટે ત્યાં સીવણકામ શીખવાના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા.

આ તો એક માધાપર ગામની સાવ થોડીક વાત થઈ , અરે એવાં અનેક ક્ષેત્રો છે કે, જેમાં કચ્છ પાવરધું પુરવાર થયું છે. કેસર કેરી તો તલાલ ગીરની ખવાય એવી અમારી કાઠીયાવાડીઓની માન્યતા હતી, આ માન્યાતાને કચ્છે  તોડી નાખેલ છે અને હવે કચ્છી કેસર કેરીએ વિદેશો સુધી પોતાનો રસ પીવડાવાનું શરુ કર્યું છે. પીળી અને લાલ ખારેક તો લગભગ આખા ગુજરાતને કચ્છ જ ખવડાવે છે. અહીંનું સંગીત, કળા , સાહિત્ય, સ્થાપત્ય, સંસ્કૃતિ અને અહીંના માડુઓ વિષે તો દસ દસ પાનાના એક એક લેખ કરવા પડે ત્યારે આખું કચ્છ વર્ણવી શકાય.

‘આપણા મલકના માયાળુ માનવી’ એ પંક્તિ આજે સમગ્ર ગુજરાતમાં કેવળ કચ્છને સર્વાંગ રીતે લાગુ પડે છે.  માયાળુ માડુઓને આપણા સૌની જાજેરી વધાઈઉ.. 

સમર્પણનું જીવંત પ્રતીક બંસી !

સમર્પણનું જીવંત પ્રતીક બંસી !

પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા  હૃદયમાં મધુર પડઘો પાડે છે!

બંસી આજે પણ બજે છેગ્રંથની અનુભૂતિઓની વાત આપણે કરી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે આ ચૈતસિક બંસી ની સહજ ઓળખ શી ? બંસીની કોઈ એક ઓળખ તો હોય ન શકે, કારણ આપણે સ્થૂળ બંસીની વાત નથી કરતા પરંતુ અનુભૂતિની બંસીને પિછાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણને એમ તો આ બંસીની ઓળખ નહીં મળે, પણ ઓગસ્ટ, 1963 ના એક પત્ર દ્વારા  મહાનામવ્રત બહ્મચારીજીએ દિશા નિર્દેશ કર્યો છે અને તેને નામ આપ્યું છે : સમર્પણનું જીવંત પ્રતીક બંસી !!  આવો, આપણે એમાંથી માર્ગ પામવાની પામર કોશિશ કરીએ.

અશેષ સમર્પણનું જીવંત પ્રતીક તે બંસી. શ્રી રૂપ ગોસ્વામીએ કૃપાની જાદુઈ બંસીને સંબોધીને સુંદર કાવ્ય લખ્યું છે:

સખિ મુરલિ ! વિશાલછિદ્રજાલેન પૂર્ણા,

લઘુરતિકહિના ત્વમ્ નીરસા ગ્રંથિલાશિ !

તદપિ ભજતિ શાશ્વચુંબનાનંદ સન્દ્રમ

હરિકર-પરિરમ્ભમ્ કેન પુણ્યોદયેન?

હે સખી મુરલી ! તું મોટાં મોટાં છિદ્રોનાં જાળાંથી ભરેલી છે, નાનકડી છે, અતિ કઠોર છે, નીરસ છે, ગાંઠાવાળી છે, છતાં એવાં તારાં ક્યાં પુણ્યના પ્રતાપે તું હરિના હાથમાં રમે છે અને એમના શાશ્વત ચુંબનનો  આનંદ માણે છે?

બંસી કાયમ બજ્યા કરે છે ! બંસી સાદ દઈ દઈ આ૫ણને બેલાવે છે ! બંસી પ્રભુના સુધામય શ્વાસને પોતાના અંતરમાં ભરે છે અને પછી આનંદનાં મોજાં ઉછાળી એને દશે દિશાએ પ્રસારે છે.

જેને સાંભળવાના કાન છે તે બંસીરવ સાંભળે છે. જેનાં હૃદય પ્રફુલ્લ છે તેઓ અંદર રોમાંચ અનુભવે છે. માત્ર જેઓ દુનિયાના ઘોંઘાટમાં ડૂબેલા છે તેઓ જ એ બંસીનું નિમંત્રણ સાંભળતા નથી. પણ જેમણે એકવાર પણ બંસીનાદ સાંભળ્યો છે તેમને માટે દુનિયા મરી ગઈ છે!

આજ્ઞા માત્ર તમારા ગુરુની માંગો, બીજા કોઈની નહિ !

ધ્યાન માત્ર ગુરુચરણે કરો-મનમાંથી તમામ વિચારોને વાળી- ઝૂડીને સાફ કરી નાંખો, કોઈ વાતે શંકા ન રાખો ! न कंचिदपि चिन्तयेत् ।

બંસી બધી કલા જાણે છે- પ્રભુના પ્રકાશને કેવી રીતે વરવું તે !

બંસી તો અનાથ વાંસ-કન્યા, એ કદી ગોપાલની પ્રિયતમા બની શકે ખરી ?

હા, બની શકે, અને તેથી તો એેવો કોઈ પ્રેમનો સ્વપ્નદૃષ્ટા નથી જે એના હાથની બંસી થવાનું સ્વપ્ન ન જોતો હોય ! પરંતુ જેમણે પોતાની તમામ ઇચ્છાઓનું એના ચરણમાં સમર્પણ ન કર્યું હોય એવું કોઈ એની બંસી બની શકતું નથી. બધું ખોઈને, એના સુધારસથી પરિપૂર્ણ બની તેઓ બધું મેળવે છે.

સંત જયદેવ આવી બંસી બન્યા હતા, જેમણે પ્રભુનું મધુ પી “ગીતગોવિંદ’ ગાયું હતું.

અને પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા  હૃદયમાં મધુર પડઘો પાડે છે!

૫ણ આજે આવું બની શકે ખરું ? – આપણાં જમાનામાં ?

હા, જરૂર બને ! ચમત્કારો આજે પણ બને છે, અને સર્વકાળ બનતા રહેશે. પૂનામાં એક મંદિર છે. હરિકૃષ્ણ મંદિર ! ત્યાં ઈંદિરા- દેવી એના ગુરુચરણે બેસી ગાય છે- ગીતનો અવિરત પ્રવાહ છૂટે છે ! એ બંસી છે ઈંદિરાદેવી. સૌને એ સાદ દઈ બોલાવે છે!

મેં હજી આ જીવતી બંસીને જોઈ નથી, પણ દૂરથી મેં એના સૂર સાંભળ્યા છે એની ના નહિ. મને એ મધુર લાગ્યા છે, મારા બાહ્ય કર્ણને અને મારા અંદરના આત્માને પણ !

તમે પણ એ સૂર સાંભળો ! જય જગદબંધુ હરિ ! (ઓગસ્ટ,1963 મહાનામવ્રત બ્રહ્મચારીજી)

આપણે સ્વૈરવિહાર કરતા કરતા ગૂઢ અનુભૂતિઓના દેશમાં લટાર મારી છે. ત્રણ સળંગ લેખ દ્વારા આપણે કશુંક જાણવાનો પ્રયત્ન કરેલ છે. અલબત્ત, એ પ્રયાસ  લેશ માત્ર પર્યાપ્ત નથી. એકદમ સ્થૂળ માંથી આપણે અનુભવી શકીએ, અનુભૂતિ તો જોજનો દૂરની યાત્રા છે. છતાં આપણે કિનારો દેખાય એટલા દુરથી કશુંક જાણ્યું, આ ત્રણેય લેખોને સળંગ વાંચતા રહેવાથી કદાચ હજુ વધુ નવું જાણી શકીએ, એ નિશ્ચિત.  ગૂઢ શાસ્ત્રો સુધી પહોચવામાં તો ભવના ભવ નીકળે પરંતુ એના બિંદુઓને સ્પર્શવાનો પ્રયાસ તો કરતા જ રહેવો જોઈએ.

હું પુના ખાતે દિલીપકુમાર રોય અને ઈન્દિરા દેવીની પાસપાસે રહેલી સમાધિઓના દર્શન કરી આવ્યો છું. એ હરિકૃષ્ણ મંદિરમાં રવિવારે ભજન અને ધ્યાન સત્રમાં હાજર રહી થોડું અનુભવી આવેલ છું, તેથી આ વિગતને આટલી વિસ્તારથી ત્રણ લેખમાં અહીં પ્રસ્તુત કરેલ છે. રસ ધરાવનાર મિત્રો તો બંસી આજે પણ બજે છે’, પુસ્તક મેળવવા પ્રયત્ન કરશે તો જીવન ભાથું બાંધી શકાશે. આપણે એ યાદ રાખીએ કે, ધાર્મિકતાના રિચ્યુઅલ એક બાજુ મુકીએ પછી જ આ માર્ગે વળી શકાય. કારણ આ અનુભૂતિઓની  દુનિયા દિવ્ય  છે, પાવક છે, સાત્વિક છે અને આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જનાર છે. પ્રયાણ કરીએ અને સ્વયંને કહીએ : શિવાસ્તે પંથાન: સંતુ.. 

“ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.”

“ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.”

સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી આખુંયે ગીત મને લખાવે !! આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે.”

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

અવસર: દોલપૂર્ણિમા  એટલે કે ઈન્દિરાનો જન્મ દિવસ અને તા. સત્તાવીશ ફેબ્રુઆરી, 1964.

પ્રસ્તુતિ: દિલીપકુમાર રાય, હરિકૃષ્ણમંદિર, ઈંદિરાનિલય, પૂના-૧

શીર્ષક : ગુરુની કેફિયત

સંદર્ભ : બંસરી આજે પણ બજે છે.

આ ગ્રંથનું મુખ્ય પાત્ર ઈન્દિરા દેવી છે, ઈન્દિરાને કૃષ્ણનો  બંસીનાદ કેવી રીતે સંભળાયો, અને એ સાદ સાંભળી એ કેવી રીતે દોડી આવી અને મહાત્મા શ્રી મહાનામવ્રતજી કહે છે તેમ, એ પોતેજ પ્રભુના હાથની બંસી કેવી રીતે બની ગઈ એ કહેવાનો મેં અહીં નમ્ર પ્રયત્ન કર્યો છે. હું એનો ગુરુ છું ખરો, પણ પ્રભુની સાક્ષીએ કહું છું કે, એણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેના યશનો મેં કદી દાવો કર્યો નથી. ઊલટું, એના આવ્યા પછી, ઘણી વાર મને લાગ્યું છે કે, એ શીખવા માટે  આવી છે એ કરતાં શીખવવા માટે વધારે આવી છે. એણે હંમેશા  મારી આવી સમજનો વિરોધ કર્યો છે ને એક જ વાત કહી છે કે, ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.એની દ્રષ્ટિએ એનું કથન સાચું છે,તો  મારી દૃષ્ટિએ મારું કથન પણ એટલું જ સાચું છે. હું એટલું સ્વીકારું છું કે ઇન્દિરાની  યોગશક્તિઓને જાગૃત કરવા એને જેની જરૂર હતી એવું કંઈક એને ગમે તે પ્રકાશ કહો, બળ કહો, કે પ્રેરણા કહો- મારામાં થઈને ઊતર્યું છે. જાણકારોને જેને ‘ગુરુશક્તિ’ કહે છે. હું આ સ્વીકારું છું કારણ કે,  મેં એક વાર નહિ, પણ અનેક વાર એ નજરે જોયું છે. પણ મારા દ્વારા એ શકિતએ કેવી રીતે કામ કર્યું, અથવા તો  અજાણ્યા મહાસાગરમાં પ્રકાશે કેવી રીતે એને ઘરને રસ્તો ચીંધ્યો એ હું કદી સમજી શક્યો નથી, હમેશાં મને ખાતરી માત્ર એક વાતની રહી છે કે ઈશ્વરની કૃપાએ દેવી હેતુ માટે અમારા બન્નેનો ફરીફરીને ઉપયોગ કર્યો છે, અને અમે બન્ને પ્રભુના હાથમાં માનવ-ઓજાર બની સંવાદથી સાથે કામ કરીએ એવો એ દૈવીકૃપાનો જ આદેશ  હતો. બાકી ઈન્દિરાને એની સિદ્ધિમાં કંઈકે મદદ કર્યાના જશનો હું ઇન્કાર કરું છું. એનું એક બીજું પણ મજબૂત કારણ છે.ઈન્દિરાનો વીજળીવેગે થતો આત્મિક  વિકાસ જોઈ કઠોપનિષદનો આ મંત્ર મને ઘણી વાર યાદ આવ્યો છે :

यमेवैष वृणुते तेन लम्यः

तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ।।

( આ આત્મા જેનું વરણ કરે છે એટલે કે જેના પર કૃપા કરે છે, એને જ એની પ્રાપ્તિ થાય છે—આત્મા એને જ પોતાનું સ્વરૂપ દેખાડે છે.)

૧૯૪૯માં ઈન્દિરાદેવી પહેલી વાર પોન્ડિચેરી આવી અને મને એણે એના ગુરુ થવાનું કહ્યું. મેં ઘસીને ના પાડી. પણ એણે એની હઠ છોડી નહિ, ત્યારે મેં મારા ગુરુદેવને મારી મદદે ધાવા અરજ કરી. પણ સામેથી ગુરુદેવે તો મને ઈન્દિરાને શિષ્યા તરીકે સ્વીકારવાની આજ્ઞા કરી ! મેં ગુરુ-આજ્ઞા માથે ચડાવી અને ઈન્દિરાને મેં મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનો નામમંત્ર આપ્યો. પછી એક પછી એક અદભુત અનુભવો થતા ગયા. એ વિશે મેં મારા ગ્રંથ “શ્રી અરવિંદ પધાર્યા’ (Shri Aurobindo Came to Me)માં કેટલુંક લખ્યું છે. આમાંનો એક અનુભવ ‘એ મીરાં–ભજનો’ છે. દીક્ષા લીધા પછી ઈંદિરા જ્યારે હું કૃષ્ણનું ભજન કીર્તન કરું ત્યારે સમાધિમાં પડી જતી, અને કેટલીકવાર તો  કલાકો સુધી એ સમાધિ ચાલતી. પાષાણની પ્રતિમાની પેઠે એ સ્થિર થઈ જતી ! ન હાલે, ન ચાલે, પણ હોઠ પર મધુર સ્મિત અને ગાલ પર થઈને વહેતો અશ્રુનો પ્રવાહ ! એક વખત તો એ પૂરા આઠ કલાક સુધી આમ સમાધિમાં રહેલી. શ્રી અરવિંદે એની સમાધિનેસવિકલ્પ સમાધિકહી છે.

એ પછી ઈન્દિરાને મીરાંબાઈ દેખાવા માંડ્યાં. સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી એ આખુંયે ગીત મને લખાવે. આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે, જેમાંનાં છસો ગ્રંથાકારે પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. કેટલાકને નવાઈ લાગે છે કે ઇન્દિરા  આ ગીતો યાદ રાખીને કેવી રીતે લખાવી શકતી હશે ! કેટલાંક ગીતો તો ખાસ્સા લાંબાં પણ છે. આપણા વેદને શ્રુતિ કહે છે. શ્રુતિ એટલે સાંભળેલું. ઋષિમુનિઓએ દિવ્ય લોકમાંથી આવતા સંદેશાઓ  જે સાંભળ્યા તે આ શ્રુતિ, તેથી તો વેદો અપૌરુષેય કહેવાય છે. એવી રીતે ગુરુ-ગ્રંથ સાહેબમાં સામેલ કરેલાં કેટલાંક ભજનો ગુરુ નાનકે  ધ્યાનમાં સાંભળીને શિષ્યો પાસે લખાવેલાં છે. શ્રી ગુરુદયાલ મલ્લિકે સૂફી સંતો વિષે એક ગ્રંથ (Divine Dwellers in the Desert) લખ્યો છે. તેમાં સુફી સંત શાહ લતીફ વિશે લખ્યું છે કે, તેઓ જ્યારે મસ્ત અવસ્થામાં હોય ત્યારે  કંઠમાંથી ગાન પ્રગટ થતું. તેઓ ગાવા માંડતા અને તેમના સાથીદારો એ ગીતો લખી લેતા. શાહ લતિફ આ ગીતોને પોતાનો  નુસખો કહેતા. નુસખો એટલે દવા-જિંદગીના રોગની જ તો !

છેલ્લે આ વિષે શ્રી અરવિંદના પત્રોમાંથી થોડુંક ઉતારું છું. પ્રાચીન કે અર્વાચીન રહસ્યવાદ વિષે બોલવા શ્રી અરવિંદ સૌથી મોટા અધિકારી છે એનો ઈનકાર થઈ શકે તેમ નથી. તેઓ કહે છેઃ

“ઈન્દિરાની ધ્યાનાવસ્થામાં મીરાંબાઈ આ રીતે પ્રગટ થાય એમાં કંઈ અસંભવિત નથી. કારણ, મીરાંબાઈ હજી પણ આ દુનિયાની સાથે પૂરતા સંપર્કમાં હોઈ શકે છે, જેથી કરીને તે કૃષ્ણ જ્યાં પ્રગટ થાય ત્યાં કૃષ્ણની સાથે ને સાથે રહી શકે ! એટલે ઇન્દિરા સમક્ષ એ પ્રગટ થાય અને  ભજન ગાય એમાં કંઈ અસંભવિત નથી. ઈન્દિરા સામાન્ય રીતે હિંદીથી પરિચિત નથી અને હિંદીમાં લખવાની એને ટેવ નથી. એ જેતાં ઈન્દિરાએ હિંદીમાં લખ્યું  એ મીરાંબાઈની અસર હેઠળ જ લખ્યું છે. અને મીરાંબાઈની હાજરીનો તથા ઇન્દિરા પર તેમણે પાડેલા પ્રભાવનો એ ઠીકઠીક મજબૂત પુરાવો છે એ વિશે શંકા નથી.”

“ઇન્દિરા સમક્ષ મીરાબાઈ પ્રગટ થાય છે, અને ઇન્દિરાને હિંદી ભજનોની પ્રેરણા મીરાંબાઈ પાસેથી જ મળે છે એ સ્પષ્ટ છે. ઇન્દિરાની ચેતના અને મીરાંબાઈની ચેતના, સાધારણ માનવીનું મન ન પહોંચી શકે એવી કોઈક ભૂમિકા પર સહકાર સાધી રહેલ છે. વળી આ ભ્રમણા નથી, પણ સત્ય છે. જો ભ્રમણા હોત તો જે રીતે બને છે તે રીતે કશું બની શકયું ન હોત. યોગ- ભૂમિકા પર આવા બનાવો બને જ છે, એમાં કંઈ નવું નથી કે અપૂર્વ નથી.”

“ઇન્દિરા દ્વારા મીરાંબાઈએ જ આ ભજનો લખ્યાં છે. એટલું તો ચોખ્ખું દેખાય છે. ગમે તેમ, પણ ભજનો સુંદર છે. અને પોતાને જે ભાષા બરાબર આવડતી નથી તે ભાષામાં ઇન્દિરા લખે એ આખોયે ચમત્કાર ખરેખર નેંધપાત્ર છે, અને આખીય વાત પર વિશ્વાસ બેસે એેવો છે.”

હવે તો ઈન્દિરા  સમાધિમાં સાંભળેલાં મીરાં-ભજનો મને લખાવે છે તેની સાથે મીરાંબાઈના કંઠે સાંભળેલો તેને અસલ રાગ પણ તે ગાઈ બતાવી શકે છે. કેટલાક રાગ તો એવા નવીન હોય છે કે હું તે બરાબર ગાઈ શકું તે માટે મારે તેને સ્વરલિપિમાં ઉતારવા પડે છે. ઇન્દિરા પોંડીચેરી આવી ત્યારે એને ગાતાં બિલકુલ આવડતું જ નહોતું, અને હવે તેનામાં આ સિધ્ધિ આવી છે, એ પણું એક નવો ચમત્કાર જ છે !

જય રાધા  ગોવિંદ જય ગુરુ જય ! (ક્રમશ:)

 

બંસી આજે પણ બજે છે…

બંસી આજે પણ બજે છે…

તમે એના થાઓ, પછી તમારો થશે ! તનમનથી ગિરધરના બની જવાનું છે, તો તમારો  થઈને જવાબ  દેશે.’

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com

ચાલો, થોડી વિરલ અનુભૂતિઓના સાક્ષી બનીએ. હા, ચમત્કારો આજે પણ બને છે , એવો સધિયારો એક પુસ્તકથી આપનાર અદ્ભુત સંગીતજ્ઞ શ્રીદિલીપકુમાર રાય નું એક વધુ અનુભૂત પુસ્તક આપણને મળ્યું તે :બંસી આજે પણ બજે છે

દિલીપકુમાર રાય અને ઇન્દિરા દેવી તેનાં મૂળ લેખક છે અને તેને સંક્ષેપ કરી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આપણા  ચહિતા મુરબ્બી રમણલાલ સોનીએ. આજે જયારે આપણે વિડંબણાઓથી ઘેરાયેલ છીએ ત્યારે પ્રકૃતિની કોઈ ગૂઢ વાતને જણાવી આપણને શાતા આપી શકે તેવું આ પુસ્તક છે. આજથી પીસ્તાલીશ વર્ષ પહેલાં મુંબઈથી તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી શ્રીપ્રવીણ  અઢિયા સ્મૃતિ પ્રકાશને.

પુસ્તકનું પહેલું જ પૃષ્ઠ ખુલે ત્યાં લખ્યું છે :ભગવાનની બંસી આજે પણ બજે છે અને હું સાંભળું  છું.’ આપણે આ અનુભૂતિઓના દેશમાં લટાર લગાવવી છે. ચાલો, ડગ માંડીએ.

સોળ, નવેમ્બર, ૧૯૬૭ ના રોજ દાદા (દિલીપકુમાર રાય) પોતાની લાગણીને “ઈશ્વરની કૃપાના પ્રતીક રૂપ સંતના આશીર્વાદ” એવું શીર્ષક આપીને લખે છે કે,,,

“તા- 18-2-1967 ના રોજ સાંજે અચાનક એક અજાણ્યા સાધુ આવી ચડયા. તેમણે ભગવાં વસ્ત્ર ૫હેર્યા હતાં. હાથમાં દંડ હતો અને સાથે થોડા શિષ્યો હતા. એમની પ્રતિભા એવી હતી કે એમને જોઈ માન આપવા અમે બધા એકદમ ઊભા થઇ ગયા. પણ સાધુજીએ તો અમારી સામે જોયું સુદ્ધાં નહિ. તેમણે સીધો  મંદિરમાં પ્રવેશ કર્યો.

મંદિરમાં પ્રવેશી કૃષ્ણ અને રાધારાણીની મૂર્તિઓ સામે આવી ઉભા રહેતા તેઓ આનંદથી પુલકિત થઈ ગયા, થોડીવાર પ્રતિમાઓ સામે સ્થિર નજરે જોઈ રહ્યા — પછી એકદમ લાંબા થઈને તેમણે પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા થતાં મનમનથી તેઓ ગણગણ્યા કે આવું મંદિર  ભગવાનની કૃપા વિના ઊભું થાય જ નહિ ! બસ આટલું જ !  ન એમણે અમારી સામે નજર કરી કે ન વિવેકમાં અમને માથું હલાવ્યું ! અમે જાણે મીણનાં પૂતળાં ન હોઈએ ! મેં દોડીને એમનો રસ્તો રોક્યો અને ઇંદિરાને આગળ કરીને કહ્યું : “સંતજી, અમારા મંદિરની આ પુજારણને આશીર્વાદ આપો !  થોડીવાર ઈંદિરાની સામે જોઈ રહી સાધુ હિંદીમાં બેલ્યા: ‘ઈશ્ક(પ્રેમ) ઔર મુશ્ક (સુગંધ) છીપા નહીં જાતા હૈ!’

પછી મેં એમને વિનંતિ કરી કે અમારા આશ્રમની ગાડી આપને જ્યાં જવું હશે ત્યાં લઈ જશે ! આટલી વારે તેઓ હસ્યા, કહે : “ના, આ દંડના ટેકાથી ચાલવાની મજા પડે છે ! ઘડ૫ણનો એ વફાદાર દોસ્ત છે !” ત્યાં એમનો એક શિષ્ય અમારા પર છાપ પાડવા બોલી ઊઠ્યો કે ગુરુજી સો વર્ષના છે ! તરત સંતે એને બોલતો અટકાવી કહ્યું: “ઉં હ ! હું હજી તો પંચાણું વરસનો છું.” બધા એક સાથે હસી પડ્યા!

હસવું શમ્યા પછી, મેં હિંમત કરી કહ્યું: ‘સંતજી, એક પ્રશ્ન પૂછવો છે. આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય ?’

એક પળ તેઓ મારી સામે તાકી રહ્યા, પછી એકદમ મધુર હાસ્ય કરી કહે :   ‘મગર આનંદ તો આપકા સ્વરૂપ હૈ જી ! લાલાની કૃપાએ તો તમારા માટે આ મંદિર ઊભું કર્યું છે !’

પછી મેં એમને કહ્યું કે ‘દર રવિવારે સવારે અમે મંદિરમાં ભજન કરીએ છીએ. કાલે રવિવાર છે. આપ પધારવા કૃપા કરશો ?” તેમણે મારી વિનંતિને સ્વીકાર કર્યો.

એ સાંજ મને કાયમ યાદ રહી જશે. સાધુના ગયા પછી મારાં અંગેઅંગમાં ગાઢ શાંતિનો મને અનુભવ થયો. વર્ષો પહેલાં શ્રી રમણ મહર્ષિનાં ચરણમાં હું ધ્યાન કરવા બેઠો ત્યારે મેં આવો સુખદ અનુભવ કર્યો હતો !

બીજે દિવસે તેઓ સમયસર આવી પહોંચ્યા. મેં એક મીરાં ભજન ગાયું. ભજન સાંભળતાં તેઓ ડોલતા હતા, તેમની આંખોમાંથી આંસુ વહી જતાં હતાં.

ભજન પછી ઇંદિરાએ એમને પ્રાર્થના કરી કે અમને કંઈક કહો ! આંખો બંધ કરી તેઓ થોડી વાર બેસી રહ્યા, પછી એકદમ ગાવા લાગ્યા: મૈ ગિરધર કી !’ પછી તેમણે અમને કહ્યું કે, હવે તમે બધા બોલો  :ગિરધર મેરે !’ આમ એક બાજુ સંત અને બીજી બાજુ અમે વારાફરતી ગાવા માંડયું. એ એકલા બોલે, અને અમે બધા સાથે બોલીએ ! આમ કેટલોક વખત ચાલ્યું. પછી એમણે ગાવાનું બંધ કર્યું અને અમારી સામે જોઈ કહ્યું : ‘આ મારે કહેવાનું છે, તમે એના થાઓ, પછી તમારો થશે ! પણ જુઓ, તમારે પહેલું પગલું ભરવાનું છે, તનમનથી ગિરધરના બની જવાનું છે, તો જ એ તમારો  થઈને જવાબ  દેશે. સમજ્યા ?’ (ક્રમશ:)

લગ્ન પહેલાં સંતાન હોય તે અહીં બહુ સહજ છે.

લગ્ન પહેલાં સંતાન હોય તે અહીં બહુ સહજ છે.

 

તેઓના મનમાં ખટકો રહે છે કે, આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા

એક એવું કુટુંબ પોતાનાં લગ્નની કંકોતરી આપવા આવ્યું  કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો એમ ત્રણ વ્યક્તિઓ હતી હતા!!!. આપણને તો ગજબનું આશ્ચર્ય થાય કારણ કે, આ ત્રણેય જણા સાથે પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. સ્વરાજ આશ્રમ, બારડોલીમાં સરદાર પટેલ કન્યા વિદ્યાધામના સંસ્થાપક શ્રી નિરંજનાબેન કલાર્થી બહુ આશ્ચર્ય ન થયું પણ હું તો ભારે વિસ્મય સાથે આ મા -બાપ-દીકરાની ત્રિપુટીને  જોઈએ જ રહ્યો. મારુ મન પૂછતું રહ્યું કે આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે મૌન  થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના  દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, નિરંજન બા ના  આશીર્વાદ મેળવે તો  તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.

એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમની  સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને  અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક  જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’  નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે મેં કહ્યું કે આ તો  દિલની બહુ મોટાઈ માંગે એવો મુદ્દો છે.

આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.

હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા આપવા આવ્યા હતા. ખુબ આનંદની વાત હતી કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર  માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર પણ કર્યો છે. આમ છાનું છપનું કશું જ નથી.

એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે પરણવા આવ્યા.!!

આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે વિધિવત પરણે છે અવશ્ય.

આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ  સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે અને પોતાના જીવનમાં આનંદ માણે છે.

આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

 

 

“મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ.”

“મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ.”

જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવા માટેનું નક્કર કામ કરીશ.” 

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

જાણવા મળ્યું કે કોઈ એક યુવાન એવો છે કે જે પાણીનીનું સંસ્કૃત ઊંડાણપૂર્વક શીખ્યો છે. આશ્રમ પરંપરા માટે બરાબર પોતાની જાતનું એણે બલિદાન કર્યું છે અને એમાંથી બહાર આવ્યા પછી એમણે વ્યક્તિગત ધોરણે પોતાના માતા-પિતાના વારસાને સાચવી રાખવા માટે ‘વૈદિક તપોવન’ નામની એક સંસ્થા ભરૂચની આજુબાજુ શરૂ કરી છે. આ વાત બે વર્ષથી છૂટી છવાઈ સાંભળવા મળતી હતી એટલે એક પાયાના શિક્ષણજીવ તરીકે ખૂબ શોધખોળ કરી.

આ એક એવો પ્રકલ્પ છે કે, જેમાં એક કુટુંબ જ બધું અર્પણ કરી રહ્યું છે. આ વાત જ્યારે વાંચશો ત્યારે આપને એવો પ્રશ્ન પણ થશે કે, આવું શક્ય ન હોઈ શકે. પણ શક્ય છે. મારા મનમાં પણ એ જગ્યા ઉપર જઈને, એક દિવસ રોકાઈને મેં બધું જાણ્યું, સમજ્યું, જોયું, પછી આ વાત બેઠી છે. ત્યાં સુધી હું પણ અંગત રીતે એવું માનતો હતો કે, આવું કોઈ કરી ન શકે.

મારે વાત કરવી છેવૈદિક તપોવન વચ્છનાદજે ભરૂચ થી લગભગ 30 થી 40 કિલોમીટર દૂર. જે યોજના વર્ષો પહેલા એક યુવાનનાં મા-બાપના મનમાં સ્વપ્ન તરીકે આવી અને એમણે સંકલ્પો કર્યા. ફતેહસિંહભાઈ ગોહિલ,એક એવા વ્યક્તિ છે કે જેમણે પરણતી વખતે એવું નક્કી કર્યું કે, જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવાં માટેનું નક્કર કામ કરીશ. બીજો સંકલ્પ એમણે એવો કર્યો કે, મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ. તેઓને બે દીકરાઓ છે.  મોટો દીકરો પાર્થ વૈદિક તપોવનનો આધારસ્તંભ આજે બન્યો છે. તેઓએ ખરેખર 50 વર્ષ થયા પછી વચ્છનાદ નામની જગ્યામાં ખેતીની અને સંસ્થાની જમીન પોતાના ખર્ચે લીધી, મનમાં આયોજન વિચાર્યું, અને પોતે દંપતી ત્યાં જઈને બેસી ગયા.

વૈદિક તપોવનનો મુખ્ય આધારસ્તંભએવા પાર્થે શરૂઆતમાં ગોવા પાસે જઈને એક આશ્રમમાં અભ્યાસ કર્યો અને સાતેક વર્ષ પાંડુરંગ શાસ્ત્રીજીના મુંબઈનાં તપોવનમાં એમણે સઁસ્કૃત અને વૈદિક પરંપરાનો બરાબર અભ્યાસ કર્યો. પાર્થ  મા-બાપે લઈ રાખેલી જમીન અને વાવી રાખેલા લગભગ 5000થી વધુ  વૃક્ષોની વચ્ચે જઈને પોતાનાં માતા-પિતાનાં સ્વપ્નને સાકાર કરવાનું વિચારવા લાગ્યો. તમે એમને મળો પછી તમને ખબર પડે કે બ્રાહ્મણ ન હોય તેને આ બધી વૈદિક પરંપરાઓ શીખવા -સમજવામાં આજે પણ કેટલી તકલીફ પડે છે!! આપણે હજી એટલા ખુલ્લા મનના નથી થયા  કે બ્રાહ્મણ સિવાયના લોકો આ કશું જાણી જાય એને આપણે સહન કરી શકીએ. આ વાતનું બહુ લંબાણ  નથી કરવું. આ પરિવાર તો કોઈ પણ જ્ઞાતિ માટે ખુલ્લો છે. વ્યાપક રીતે વિચારી શકે એવો છે. પરંતુ દીકરાને જ્યારે ભણવાનો વારો આવ્યો ત્યારે એ બ્રાહ્મણ પુત્ર ન હોવાથી એમને પોતાનું અધ્યયન કરવામાં બહુ તકલીફો વેઠવી પડેલી !!.

પાર્થ નામનો આ જુવાન અહીંયા બેઠો ત્યાર પછી એમણે પિતાના માર્ગદર્શન હેઠળ અને પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને સંગોપીને નક્કી કર્યું કે, આપણે એવું વિશિષ્ટ તપોવન બનાવીએ કે જ્યાં નિયમિત શિક્ષણ તો મળે, પણ જીવનમાં કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવે, જ્યાં ગૌશાળા હોય, જ્યાં ખેતી હોય, જ્યાં શસ્ત્ર વિદ્યા હોય, જ્યાં અસ્ત્ર વિદ્યા હોય, જ્યાં ઘોડેસવારી હોય, જ્યાં સંસ્કારનું બરાબર વાવેતર થઈ શકે તેવી પ્રત્યેક પ્રવૃત્તિ હોય અને અહીંયા આવતો છાત્ર 24 કલાક એકાગ્રતાથી એમાં જોડાઈ શકે એવું આપણે આયોજન કરીએ. 3 વર્ષ પહેલા લગભગ-લગભગ 1000 દિવસો પહેલા, આ સ્વપ્નને સાકાર કરવામાં આવ્યું. આપ વડોદરાથી નડિયાદ તરફથી આવો અને ભરૂચ જાઓ, તો જે નવો હાઇવે  જે દિલ્હી તરફ લઈ જાય છે, એમાં આમોદ નામની જગ્યા આવે ત્યાંથી આપણે ઉતરી જઈને જમણી બાજુ જઈએ તો ‘વચ્છનાદ’ એવું લખેલું ગામ આવે છે. એમાં આગળ જતાં આ ‘વૈદિક તપોવન’ નામની સુંદર, રમણીય જગ્યા આજે વિકાસ પામી રહી છે.

ટૂંકમાં વાત કરું તો નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 11 વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપવો, પ્રવેશ કોઈ પ્રવેશ કસોટી લઈને ના આપવો, પણ ખૂબ બધા પાંચ સાત જેટલા જુદા-જુદા સેશન્સ કરીને આખી પદ્ધતિ સમજાવીને, મા-બાપને ગળે  ઉતરે તો, અને જે આવવા આતુર છે એવું દેખાય એ વિદ્યાર્થીને આપણે તપોવનમાં દાખલ કરીશું. મા-બાપને પહેલેથી શું કરવાના છીએ બધી જ વિગત આપી દેવામાં આવી અને એવી રીતે તેઓએ 11 વિદ્યાર્થીઓથી શરૂઆત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ 11 વિદ્યાર્થીઓ સંપૂર્ણ નિઃશુલ્ક અહીં રહે છે, ભણે છે, વિવિધ વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. શરત એવી છે કે, નવ વર્ષનું  બાળક થાય ત્યારે એને આમાં પ્રવેશ મળે અને પછી સાત વર્ષ અહીંયા રહે, એટલે સોળમે  વર્ષે જ્યારે તે ધોરણ 10 ની પરીક્ષા આપે ત્યારે આ વૈદિક તપોવન માંથી એને બહાર જવાની છૂટ મળે. સાત વર્ષમાં અહીંનો વિદ્યાર્થી ક્યારેય પોતાને ઘરે પાછો જવાનો નથી. એના માતાપિતા પણ વારંવાર અહીંયા આવીને એને મળ્યા કરે એવું પણ અહીંયા શક્ય નથી. આ વૈદિક તપોવનમાં સરસ કુટિર બનાવી છે અને કુટીરમાં  એક વાલી એટલે કે કોઈ એક વિદ્યાર્થીના માતા-પિતા એક અઠવાડિયું રહી શકે. એ અઠવાડિયા પછી બીજા વિદ્યાર્થીના માતા-પિતા બીજું અઠવાડિયું આવે, એમ કરતાં કરતાં માતા-પિતા બદલાતા રહે અને એમ  પુરા વર્ષ દરમ્યાન કોઈને કોઈ પેરન્ટ તરીકે આ તપોવનમાં હાજર હોય, પણ એક જ વિદ્યાર્થીના માતા-પિતાને આવો વારો મળે જ એવું જરૂરી નથી.

આ આખી વાતને હજુ વધુ સરળ કરવા માટે ફતેસિંહભાઈ અને તેમના દીકરા પાર્થે  ત્રણ પ્રકારના વાર્ષિક વન-ડે કાર્ય શિબિર યોજ્યા છે, જેમાં માતા-પિતા માટે તમારું સંતાન નવ વર્ષનું ન થયું હોય તો થાય ત્યાં સુધીમાં તમે એને કેટલું-કેટલું આપી શકો, શું કરાવી શકો, એના માટેનો એક કાર્યશિબિર થાય છે. બીજું, કુટુંબ વ્યવસ્થા કેમ જળવાય, જેથી કરીને અહીંથી બહાર આવેલો યુવાન કુટુંબમાં ફરી એકવાર એવું જ વાતાવરણ પ્રાપ્ત કરે એના માટેના કાર્યશિબિર થાય છે. અને ત્રીજો કાર્ય શિબિર, એક કુટુંબે રાષ્ટ્રને શું અર્પણ કરવાનું છે, નાગરિક તરીકે આપણી શું ફરજો છે, એના માટેનો એક દિવસનો કાર્ય શિબિર થાય છે. વર્ષમાં જુદા-જુદા સમયે આ ત્રણ કાર્ય શિબિર દ્વારા વર્તમાન માતા-પિતાને ઘડવાનું, અને ભવિષ્યના માતા-પિતાને પોતાના સંતાનને તપોવન યોગ્ય કરવાનો  સરસ મજાનો લહાવો મળે છે. આ આખું આયોજન અંગે જયારે પિતાશ્રી અને યુવાન ચર્ચા સાથે કરી ત્યારે એમણે કહ્યું કે, પહેલાં સાત વર્ષમાં જેટલું ખર્ચ થાય તેની જવાબદારી અમે અત્યારથી નક્કી કરી લીધી છે. ‘સાત વર્ષ પછી શું કરશો, નિ:શુલ્ક જ રહેશો?’ એવા પ્રશ્નનો સુંદર જવાબ મળ્યો કે, અત્યારના અમે લગભગ સાડા પાંચ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે. જેમાં ફળના વૃક્ષો છે, આંબાઓ છે, અને અત્યારથી એ ફળ આપવા લાગ્યા છે. અમે એમ માનીએ છીએ કે સાત વર્ષ પછી આ પાંચ હજાર વૃક્ષો એ અમારા ભગવાન બનશે અને એમાંથી જે પ્રાપ્ત થશે એમાંથી આ વૈદિક તપોવન ચાલતું રહેશે.’ જુવાન કસાયેલ પાર્થ સાથે ચર્ચા કરતા એ જાણીને આનંદ થયો કે, કોઈપણ બાબતનો ઉલ્લેખ પાણીની સંસ્કૃતમાં ન હોય એવું નથી, એમણે મને સહજતાથી સામે પ્રશ્ન પૂછયો કે, તમારું નામ ‘ભદ્રાયુ’ છે એના કેટલા અર્થ તમને ખબર છે? મેં મને જાણમાં હતા એવા ત્રણ-ચાર અર્થ કહ્યા. અને પછી એમણે મને કહ્યું કે, તમે સવારથી સાંજ સુધી બેસો તો હું ‘ભદ્રાયુ’ શબ્દના પાણીની સંસ્કૃત પ્રમાણે કેટલા અર્થ-ભાવાર્થ થાય એ વર્ણવી શકું એવું શક્ય છે.!!

મેં ત્યાંના લગભગ 19 કે 21 જેટલા વિદ્યાર્થીઓને તલવારબાજી કરતા જોયા, મલખમ કરતા જોયા, સુંદર મજાની અસ્ત્ર વિદ્યા અમલમાં મુકતા જોયા અને સરસ મજાની ચોટી રાખીને ટકો કરેલી હાલતમાં એકદમ પ્રફુલિત મનથી તેઓને મેં નજરે નિહાળ્યાં છે. તેમને મળ્યા પછી મેં ઘણા વખત સુધી આ બાબત અંગે કશું ન લખવાનનો નિર્ણય કર્યો, પણ હમણાં મને જાણવા મળ્યું કે, નવમી જૂનના રોજ તેઓ 1000 દિવસ પૂરા કરે છે અને એ અવસરે તેઓ  તૃતીય વાર્ષિક ઉત્સવ યોજી રહ્યા છે. તૃતીય વાર્ષિક ઉત્સવમાં ગયા પછી ફરી એક એપિસોડ આ વૈદિક તપોવન માટે હું લખીશ, પણ અત્યારના હું એવું કહેવા માગું છું કે, જે કામ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020’ તક હોવા છતાં વિચારી પણ ન શકી તે એક નાનું કુટુંબ, સંસ્કારી કુટુંબ, પોતાના દ્વારા સમાજને અર્પણ કરવાનું વિચારી ચૂક્યો છે એટલું જ નહીં પણ  તેને અમલમાં મૂકી ચૂક્યો છે. આપણે નજરે તેના ફળ જોઈ શકીએ એટલો આપણને સંતોષ થાય એવું સ્થાન એમણે  વૈદિક તપોવનને આપ્યું છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણે ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, વગેરેના જે આશ્રમ સમયના કિસ્સાઓને આજે પણ મન ભરીને યાદ કરીએ છીએ, તેમ આ વૈદિક તપોવન પણ સમાજની અંદર એક ઘડેલી સંસ્કૃત અને પૂર્ણત: નાગરિકત્વ પ્રાપ્ત કરે એવી પેઢીનું નિર્માણ  કરે.

‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે

**********************************************************************************

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં  વર્ષો જૂનાં  એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ અગમનિગમ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ  કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!

જીવ, જગત, અને ઈશ્વર અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ  સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથીએનો અર્થ શું?

એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ  જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે,  આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ  પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા  પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી.

આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’  ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી.

ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો  વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ  નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી.

આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે  કરાવેલું. તેઓ કહેતા કે,  “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી  માટે વધુ બહેતર છે.”  જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને  મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ.

યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી  સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ  પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે.  શ્રી યશોધર  મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને  યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે.  મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.

આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ”

આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ”

આદિવાસી નહીં પણ "આદિ તીર્થવાસીઓ"

અખંડ આનંદ: મે 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું !!

આપણી સાથે પણ આપણાથી ઘણા બધા દૂર દૂર એવા લોકો જીવે છે કે જેને જોઈએ તો એ લોકો આપણને વિચિત્ર લાગે, ઠીક ઠીક જુદા લાગે, બહારના દેખાવ પરથી અબુધ હોવાનો ભાસ પણ પડે. જો કે, તેઓ અબુધ હોતા નથી, ભોળા ભટ્ટ હોય છે. ઓછામાં ઓછું બોલવું અને ટગર ટગર તમને નિહાળ્યા કરવું એ તેની વિશેષતા છે. તેઓની સમજ કેટલીક બાબતોમાં આપણાથી પણ અદકેરી છે. મનુષ્યની જાતિ ઉતપન્ન થઇ હશે ત્યારે આ લોકો પહેલાં આવ્યા હશે તેવું પણ લાગે, કારણ આપણી દ્રષ્ટિમાં તેઓ ખુબ જુનવાણી છે, અંધારામાં રહેવાનું પસંદ કરે છે, અભણ તો છે પણ ખરા, અલ્પ વિકસિત છે તેઓ આપણી સરખામણીએ.. હા, આપણે તેઓને આદિ જીવો માનીએ છીએ,  જે દૂર જંગલની વચ્ચે કે ડુંગરોમાં વસે છે ને સાવ સાદું સીધું જીવન જીવે છે. શરુ શરૂમાં તો તેઓ પશુ ને પક્ષીઓને મારીને ખાતા હતા અને એકદમ નહીંવત જરૂરિયાત વચ્ચે જીવતા હતા. આવા આદિવાસીઓ વિશ્વભરમાં છે, અરે, વિકસિત દેશોમાં પણ ખૂણે ખાંચરે તેઓની મોજુદગી છે. આપણે તેને આદિવાસીઓ કહીએ છીએ. હવે જો કે આ આદિવાસીઓ પણ પોતાના વિષે અને પોતાના માનવ હોવા વિષે અને પોતાના માણસ તરીકેના કેટલાક અધિકારો વિષે સજાગ થયા છે અને તેના જૂથો હવે પક્ષીય રાજકારણનો પણ ભાગ બન્યા છે.

આ આદિવાસીઓની અલ્પસમજનો લાભ ઉઠાવી તેને ગેરમાર્ગે દોરવાની  પ્રવૃત્તિ પણ અન્ય લોકો દ્વારા થતી રહી છે અને ભારતના સ્વતંત્ર થયાના છોંતેર વર્ષો પછી પણ આ લોકોનો લાભ લઇ તેમને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલે છે. ગુજરાતના એક આવા આદિવાસીઓ વસતા હોય તેવાં નાના ગામમાં રહેવાનું થયું. જો કે, આ ધરમપુર તાલુકાનું ગામ ખાંડા  તો પ્રમાણમાં ઘણું જાગૃત ગામ છે અને કેટલાંય પ્રવાસન સ્થળોની  પ્રાકૃતિક સંપદાથી ઘેરાયેલ છે. અહીં કથા ગાન નવ દિવસ સુધી ચાલ્યું. ઉદ્દેશ્ય ગામમાં ખૂટતી સુવિધાઓ ઉભી કરીને આ લોકોમાં આત્મવિશ્વાસ જગાવાનો હતો.  કટાહ આરંભે જ  લોકોને “આદિ તીર્થ વાસીઓ” એવું ઉપનામ આપી તેઓને નવાજવામાં આવ્યા.

કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે. કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધાં  કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને ગામવાસીઓ આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસી  રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય. છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. અન્નનું એક પણ કણ નીચે ન પડે તેની તેઓએ કાળજી રાખે છે.

કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા,  કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી  આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની ઉપર  ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત મિત્રો તો આશ્ચર્યમાં  પડી ગયા કે, અંદાજે પાંત્રીસેક હઝાર લોકો બેસે તેવી આવડી  મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ??  પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો. અને સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગારથી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને શુભ કરવા માટે છાણથી લીપવો તો જ પડે.’  આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..પણ ત્યાંના સરપંચે સમજાવ્યું કે, ‘અમારે મન આ જમીન નથી, ભૂમિ છે. ભૂમિ અમારી માતા છે. આજુબાજુના ખડકો અમારા પિતાઓ છે. અમારે મન તો સૂર્ય, પવન અને પાણી પણ દેવતાઓ જ છે એટલે તેમનો જયારે લગીર પણ ઉપયોગ કરીએ ને ત્યારે તેનું પૂજન તો કરીએ જ.’.. સરપંચના તર્કમાં  ભારોભાર સત્યનો રણકો હતો,  તેથી માથું ઝૂકી ગયું.

આપણે આ લોકોને આદિવાસી કહીને અલગ ગણીએ તેમાં આપણી ભૂલ છે કે નહીં ?? કથાના આરંભે તેઓને કહેવાયું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો, એ કેટલું યથાર્થ હતું !?!

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં  વર્ષો જૂનાં  એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ અગમનિગમ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ  કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!

જીવ, જગત, અને ઈશ્વર અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ  સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથીએનો અર્થ શું? 

એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ  જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે,  આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ  પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા  પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી. 

આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’  ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી. 

ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો  વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ  નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી. 

આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે  કરાવેલું. તેઓ કહેતા કે,  “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી  માટે વધુ બહેતર છે.”  જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને  મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ. 

યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી  સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ  પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે.  શ્રી યશોધર  મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને  યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે.  મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.

શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

ગ્રામસેતુ: મે 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

309 ભવન બાંધવાનો સંકલ્પ તેઓ લઇ ચુક્યા છે અને હજી તેઓનો જુસ્સો અપ્રતિમ છે.

આપણા ફકીર સંત શ્રી વિનોબાજીએ ભૂદાન યાત્રા માટે યાદગાર રહેશે…લગભગ લગભગ તેમ જ સુરતના એક ભગત સમ ઉદ્યોગપતિ શ્રી કેશુભાઈ ગોટી ભવનદાન યજ્ઞ માટે ખ્યાતનામ બની રહેશે, એ નક્કી.

આવો, આપણે શ્રી કેશુભાઈ ગોટી પાસેથી જ જાણીએ તેમની આ ભવનદાન યાત્રા વિશે….

પહેલો વિચાર ક્યારે આવ્યો કે આપણે શિક્ષણના ભવનો બાંધવા ?

કેશુભાઈ : પહેલા તો હું રહ્યો મૂળ સ્વામિનારાયણ, પછી હું પાર્ષદ થવા ગયો ત્યારે મારા મેરેજ ની તૈયારીઓ ચાલતી હતી, મેરેજ ને બે-ત્રણ વરસ ની વાર હતી ત્યારે હું બે-ત્રણ હીરાની ઘંટી ચલાવતો. મેરેજ ને બે મહિનાની વાર હતી અને મને વૈરાગ આવ્યો. આમ તો વૈરાગ્ય મનમાં ઘૂસ્યો હતો લાંબા ટાઈમથી જ.

એક વડતાલવાળા સ્વામી હતા એમની સાથે બધો પત્ર-વ્યવહાર ચાલતો હતો.બધું નક્કી કર્યું. એટલે હું સવારે કારખાનું ચાલુ કરાવી સૂરતથી ભરુચ ની બસ પકડી, ભરુચથી એક ભક્તાણી નામની ગાડી વડતાલ જતી હતી, તે પકડી ને હું વડતાલ ગયો. ત્યાં ગયો પછી અઠવાડિયા પછી મને એવું થયું કે અહીંયા હું નહીં રહી શકું. પછી મને થયું કે આવી રીતે ગયા હોઈએ એટલે અહમ પણ હોય અને સ્વમાન પણ હોય એટલે કીધું હવે જીવન પસાર કરી નાખીએ. હું મારા અંતઃશત્રુ ની પીડા સહન ના કરી શકયો. ખાસ કરીને તો કામવાસનાની, એટલે હું બે વર્ષે પાછો આવ્યો.

પાછા આવ્યા પછી  સર્વોદય વિચારના મારા ગામના મોહનભાઈ વાણીયાની સાથે મારી મિત્રતા થઈ. કારણ કે  મને કોઈ બુદ્ધિશાળી કે વિચારશીલ માણસ સાથે  બેસવાની પહેલેથી નાનપણથી આદત હતી. તો એની સાથે રાત્રે ૧૨-૧૨ વાગ્યા સુધી વિનોબાભાવે ની વાતુ સાંભળતો. મેગેઝિન “ભુમિપુત્ર”ના વધીને છ થી દશ અંક વાંચ્યા હશે.બીજું કાંઈ મેં વિનોબા ભાવેનું વિશેષ કોઈ સાહિત્ય વાંચ્યુ નથી. ખાસ મોહનભાઈ પાસેથી વાતો સાંભળેલી. આ વાત છે ૧૯૮૨ ની.

હવે ૧૯૮૨ ની સાલ માં દિવાળીએ સુરત થી સૌરાષ્ટ્રમાં બહુ બધાં લોકો આવતા હોય એટલે સરકારી બસ માં જગ્યા ના મળતી એટલે બધા ગામ-ગામની પોતાની બસ ભાડે બાંધતા. એમાં અમારી બસ ભાડે બાંધી હતી , સરકારી બસ પણ સ્પેશિયલ અમારા ગામની જ, એને અકસ્માત થયો, અકસ્માત થયો એમાં બે-ત્રણ છોકરાં ને વાગ્યું, એમાં બે ને સામાન્ય હતું. પછી એમને હોસ્પિટલમાં લઈ ગયા, એમાં હું, મોહનભાઈ વાણીયા અને એક બાબુ રાબડીયા, ત્રણ જણા રોકાણા હતા. એમાં બે ને જે પાટાપિંડી સામાન્ય હતી એ કરાવીને મોહનભાઈ વાણીયા બે છોકરા ને લઈને ગયા.અને એક ને એડમિટ કર્યા  “ચરોતરી આરોગ્ય મંડળ હોસ્પિટલ” માં… અને પ્રેમજી રાબડીયા નામનો છોકરો હતો એને વધુ વાગ્યું હતું, પણ મારા તાજેતાજા જ વિનોબા ભાવેના વિચારો મારા મગજ ઉપર અસર કરી ગયેલા હતા, તે સેવામાં હું એટલે રોકાયો હતો. પછી એ પ્રેમજી રાબડીયાને ટાંકા લીધાં અને ત્રણ દિવસ રાખ્યો ને પછી રજા આપી. મારી સાથે બાબુ રાબડીયા હતો, એ શરીરમાં થોડો હલકો હતો ને એ તેડે તો ઓલા છોકરાને દુઃખે, એટલે ઑલો પ્રેમજી મને એમ કહે કે, કેશુભાઈ, તમે તેડો એટલે ખંભે બેસાડીને છેક સુધી ચડાવવા-ઉતારવા બધું મેં કર્યું તો મને આનંદ બહુ આવ્યો.. જ્યારે હું પાર્ષદ હતો ને મંદિરે જતો કે પાર્ષદ હતો ત્યારે રોજ સાંજે સૂતાં પહેલાં ઘનશ્યામ મહારાજની પચાસ માળા ફેરવતો, તો મારું મન મને પરાણે જોડી રાખતું, મને કંઈ સુખ મળતું નહીં અને મારા મન સાથે માથાકૂટ જ કરવાની રહેતી. કંટાળો આવે ત્યારે પચાસ પુરી થાય…!! પણ આ છોકરાની સેવામાં  મને મજા બહુ આવી. એટલે ત્યાંથી પછી વિચારમાં પરિવર્તન આવ્યું.

આપનો પહેલેથી સ્વભાવ આવું વિચારતા રહેવાનો ખરો કે ??

કેશુભાઈ: આમ હું સ્વભાવે તાર્કિક માણસ છું. કોઈ કહે ને માની લીધું એવો મારો સ્વભાવ નથી. કોઈનો અનાદર કરવાનો નહીં પણ ઊંડું જાણવાનો સ્વભાવ છે. એટલે જ મારા બહુ બધા માર્ગદર્શક છે, બહુ બધા પ્રેરક છે અને બહુ બધા ગુરુઓ છે. તો એ યાત્રા આગળ વધતા-વધતા એક બાજુ બીઝનેસ, એક બાજુ આ યાત્રા, થોડું વાંચન સાઇડમાં ચાલુ હતું, થોડી ચર્ચાઓ જ્ઞાની માણસો સાથે ચાલુ હતી, એમ કરતાં કરતાં થોડા આપણે વધારે સક્ષમ થયા એટલે આદિવાસી વિસ્તારમાં જવાનું નક્કી કર્યું, કારણ કે વિનોબા ભાવેના હિસાબે પેલો છેવાડાના માણસનો વિચાર તો  ઘર કરી જ ગયો હતો. આદિવાસી વિસ્તારમાં જવાનું ચાલુ કર્યું એટલે ત્યાંની અસુવિધા, ત્યાંની ગરીબાઈ બહુ બધું અસર કરી ગયું.

એમાં એક કમળાપુર ગામ છે ત્યાં ગયા ત્યાં વસોકાકા કરીને સરપંચ ગામ ચલાવતા હતા. ત્યાં જઈને બાળક જેવો થઈ ને મારી કાલીઘેલી ભાષા ને મારી જે કાંઈ આવડત હોય એ પ્રમાણે બાળકોને ઉત્સાહ માં લાવવાનું કામ કરતો. અને કપડાં આપ્યા ને નાસ્તા-પાણી કરાવીને ત્યાંથી આવતા રહ્યા. એમાં  ઘણી ઘટના ઘટી, એમાંની એક ઘટના તમને કહું. એ કમળાપુરમાં અમે લોકો બેઠા હતા ને સામે બાળકો બેઠા હતા. એમાં એક દીકરી ને મેં ઉભી કરી, ઉભી થઇ ને એ રડવા માંડી, એટલે મેં બાજુમાં બેઠેલા ટીચર ને પૂછ્યું કે આ રડે છે કેમ ? તો ટીચર એ કહ્યું કે એના મા-બાપ કોઈ નથી ને પહેર્યે એક જોડી કપડાં જ છે, એનો ભાઈ પણ અહીંયા છે ને કોઈ એમનું છે નહીં!!!. આવી ઘટનાઓ તો ઘણી ઘટી પણ આ ઘટના મારા હૃદયમાં ઊંડી અસર છોડી ગઈ, કેમ કે મેં મારા બાળપણમાં એટલી ગરીબી જોઈ છે. કોઈ દિવસ નવા કપડાં નોહતા પહેર્યા કે દિવાળીમાં કોઈ દિવસ નવા ફટાકડા નોહતા ભાળ્યા, કોઈ દિવસ પેટ ભરીને કે મિષ્ટાન નોહતું ભાળ્યું. બહુ ગરીબાઈ જોયેલી એટલે અપમાન પણ એ ઉંમરમાં બહુ સહન કર્યા હતા મેં, આ બધું તાજું થયું ત્યાં.

અને પછી બે’ક ગાઉ દૂર ગયા ત્યાં ધોરણ ૯ થી ૧૨ ચાલતું હતું, જે ઝીણાભાઈ દરજીએ સ્થાપેલી સંસ્થા.. અને ત્યાંથી ડિમાન્ડ આવી કે કન્યા છાત્રાલય બનાવી દયો તો સારું. તો મેં  ઘનશ્યામ ભોજાણીને  વાત કરી કે તું પાર્ટનર થા. એટલે એમણે કહ્યું કંઈ વાંધો નહીં કેશુભાઈ, એટલે છાત્રાલય બનાવવાનું નક્કી કર્યું. એ માટે અમારા એક  કર્મયોગી મિત્ર એક કોન્ટ્રાકટરને લઇને આવ્યા ઓફિસે. એને પૂછ્યું તો કોન્ટ્રાક્ટર કહે, આમાં મારો ૨૦% નફો હોય છે, એ ૨૦% કહે એટલે અમારી વેપારી ભાષા માં ૩૦% તો સામાન્ય હોય. મેં એવું વિચાર્યું કે, આ કામમાં નફાવાળું ના ચાલે. મારું મિત્ર વર્તુળ સારું ને જોડે કામ કરે તેવા. એટલે  કર્મયોગી પંદર કપલને મેં ઘરે જમવા બોલાવ્યાં. અને વિચાર સમજાવ્યો. આપણને આ કઈ રીતે સસ્તું પડે ? આપણે કોના માટે આ મટિરિયલ લઈએ છીએ, એ  જો આપણે વેપારીને સમજાવવામાં સફળ રહીએ તો નફો તો આમ નીકળી જશે. પણ જો આપણે કરુણાથી વાત સમજાવીશું અને ભાવિ પેઢી માટે શિક્ષણ ભવન બાંધવું છે તે ગળે ઉતરાવી શકીશું તો એ ૧૦ ટકા માઇનસમાં કામ કરશે. હવે એમાં અમે લેબર કોન્ટ્રાકટરથી માંડી ને બધા મટીરીયલમાં સફળ ગયાં. તો અમારું જે ભવન બન્યું  એ બન્યું ઘણું સસ્તું અને જે જોવે એને એમ થાય આટલા રૂપિયા માં આવડું ભવન ?

# ..એટલે એનો અર્થ એવો થયો ને કેઆપે યજ્ઞની જેમ   કામ ઉપાડ્યું ? 

કેશુભાઈ : ના, એની મને કાશી જ ખબર નથી પણ જુસ્સો બરાબર ચડ્યો હતો કે દૂર દરાજના બાળકોને શિક્ષણથી વંચિત નથી રાખવા. હવે  લોકાર્પણનું કોઈ આગવું આયોજન ન હતું. હું પ્રવચન કરવા ઉભો થયો. સ્વાભાવિક રીતે જુ  હું  નામ આપવાથી થાકેલો માણસ હતો, એનું કારણ એ હતું કે મારા ગ્રાન્ડ-ફાધરે  આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં હડિયાદમાં ત્રણ વડીલોએ થઈને મંદિર બનાવ્યું હતું, એમાં ત્રીજા વડીલ મારા ગ્રાન્ડ-ફાધર. અને હું નાનો હતો ત્યારે અમારા જેના-જેના નામ હતા એની  જેના નોહતા એને ઈર્ષા થતી અને હતાં એને અહમ થતો.આ મારી નાની ઉમરમાં આ બધી ચર્ચાઓ મેં વારંવાર-વારંવાર સાંભળેલી, એમાં જેઓના નામ હતા તેઓને અહમ હતા મારા પરિવાર સહિત, અને જેઓના નોહતા તેઓને ઈર્ષા હતી. બીજું, સામાજીક કામમાં મને મારો આત્મા કોરી ખાતો હતો કે વેપાર તો ગણિત થી કરીએ પણ દાન પણ ગણિત થી જ કરવાનું ??! આપણો  લાભ હોય એની પાછળ જ કરવાનું ?! એટલે મારો આત્મા કોરી ખાતો હતો. એમાં  આત્મા માંથી સુર નીકળ્યો કે આપણે  ૧૧ ભવન બનાવીશું. પચાસ ટકા આર્થિક યોગદાન અમે આપીશું અને પચાસ ટકામાં સહયોગી દાતાઓ જે જોડાય તે. ક્યાંય પણ ભવન ઉપર સિમેન્ટથી મોટું નામ લખાય એ પણ એમનું, દાતા પરિવારની તકતી એમની, લોકાર્પણકર્તાની તકતી એમની, અમે ક્યાંય નામ નહીં રાખીએ. કેમ કે હું થાકેલો હતો. મારો આત્મા મને પીડતો હતો. એ તે દિવસે એને વાચા આપી એટલે ત્યાં ને ત્યાં ચાર પાર્ટનર મળી ગયા. ચોથા નું લોકાર્પણ હતું,  જુગતરામ કાકા ના કોઈ મિત્ર બ્રાહ્મણ જ હતા એમની દીકરીઓ સંભાળે  છે. તો ત્યાં અગિયાર ભવન માટેના દાન જાહેર થઇ ગયા, ચાલુ ફંક્શને !! એટલે મેં બે-પાંચ મિનિટ વિચાર્યું ને છેલ્લે પૂછ્યું કે મારો અંદર નો અવાજ શું છે ? તો અંદરનો અવાજ પોઝિટીવ હતો કે આમાં આગળ વધવું જોઈએ, એટલે જીતુ મકવાણા અમારા સુરતનો એન્કર હતો એટલે હું સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને એને કહી  આવ્યો કે આપણી કોઈ બાઉન્ડરી  નથી. જો આપણને વધુ દાતાઓ મળશે તો આપણે વધુ ભવન બનાવીશું. એટલે પછી પચીસ નો સંકલ્પ કર્યો. એમાં પચીસ દાતા થઈ ગયેલા.

એમાં ગોકુલ આઠમ આવી, તો ગોવિંદ કાકા ધોળકિયાનો આઠમના દિવસે ફોન આવેલો. ‘કેશુભાઈ , કાલે મળવા આવોને થોડું કામ છે’,  તો હું તેમને મળવા ગયો બીજા દિવસે. એટલે મેં એમની સલાહ લીધી અને કીધું કે કાકા આવું છે. દાતા તો મળી જાય એવું છે. તો એણે મને પ્રોત્સાહિત કર્યો કે, કેશુભાઈ આપણા જ પૈસા, કોઈ મિડલ મેન નહીં, કોઈ વહિવટી ચાર્જ નહીં, સીધા જ ગરીબોના કામ માટે વપરાતા હોય ને  તમે એક રૂપિયો વાપરો તો સામે વાળો એક વાપરવાનો અને તમે નહીં વાપરો તો સામે વાળો વાપરવાનો જ નથી. એટલે મેં એકાવન નો સંકલ્પ કર્યો. હવે એકાવન નો સંકલ્પ કર્યો એમાં એક પ્રદિપસિંહજી છે. ચાર્ટર્ડ- એકાઉન્ટન્ટ છે, એમની મુંબઇ, સુરત ઓફિસ છે. પચાસ ચાર્ટર્ડ-એકાઉન્ટન્ટ એમને ત્યાં સર્વિસ કરે છે. અને મારા મિત્ર હતા તો એમને મેં આમંત્રણ આપ્યું. એક ભવનમાં તો તરત ભાગીદાર થઈ ગયા અને આવ્યા લોકાર્પણમાં… લોકાર્પણમાંથી આવ્યા પછી અઠવાડિયા પછી મને ફોન આવ્યો, “આપ ચાઇ પીને કે લિયે ઓફિસ આઈએ”. હું ગયો તો એમણે કહ્યું:  “મને આ તમારું કામ બહુ ગમ્યું , આનાથી સારું કોઈ કામ ન હોય” એટલે મારી તમને એક રિકવેસ્ટ છે બે હાથ જોડીને, તમે ૧૦૮ નો પ્રણ લ્યો. અને અત્યારે જ કોઈ ને કહી દો કે, મેં ૧૦૮નો સંકલ્પ લીધો છે. અને યદિ “આપકો પાર્ટનર ના મિલે તો પ્રદીપ સિંહ બેઠા હૈ.”

એ વાત પછી તો અમે અમારું મોડલ સુધાર્યું અને ભાવ પણ વધી ગયા હતા, પણ એમણે વાત કરી પછી મારે ૫૭ વધારવાના હોય તો મારા ભાગમાં નવ કરોડ રૂપિયા આવતા હતા. એટલે એ વિચાર્યું. ઈશ્વર અને તમારા બધાનાં માર્ગદર્શન અને સલાહથી જે કંઈ શીખ્યો છું કે, સલાહ દેવાવાળા ય ભાવમાં નથી, લાગણીમાં નથી, ક્યાંય કોઈ વડામાં બંધાયેલો નથી એ બધું પાંચ મિનિટ માં મેં એમને માપ્યા. પછી મેં અંદરવાળા ને પૂછ્યું, તો અંદરથી એક અવાજ આવ્યો કે તને સલાહ દેનારમાં માં ઈશ્વર આવીને બોલે છે. એટલે મેં તરત જ મથુરભાઈ ને ફોન કર્યો કે આપણે આજથી ૧૦૮નો સંકલ્પ લઈએ છીએ. પછી તો  ૧૦૮ સહયોગી દાતાઓ ક્રોસ કરી ગયા,  એટલે ૧૫૧ ભવનનો સંકલ્પ કર્યો.

હવે ૮૨-૮૩મું લોકાર્પણ હતું,  ત્યાં ૧૫૩ દાતાઓ થઈ ગયા. તેથી  ૧૭૫ નો સંકલ્પ કર્યો. પછીનાં  ભવન માં પાર્ટનર હતા અનુભાઈ તેજાણી. ચોમાસું હતું ને એના બે ય  લોકાર્પણ એક જ દિવસે હતાં. તો સવારે કશું  ના બોલ્યા પણ બપોર પછી સ્ટેજ ઉપર અમે બન્ને બાજુમાં બેઠા હતા તો મને કહે  કેશુભાઈ ૧૭૫નો આંકડો શું લેવો ?  મારી બીજી પાંચ લખો. એટલે મેં ૨૦૮નો સંકલ્પ કર્યો, ત્યારે તો ૨૦૮ પાર્ટનર નોહતા પણ ૨૦૮નો આંકડો પર કરી નાખ્યો. એમાં ગયા ઉનાળે હું અમેરિકા ગયો. “વિવેકાનંદ નેત્ર-મંદિર” માં  ભાવિન પટેલ છે.  એમણે  મને ચાર પુસ્તકો “સ્વામી વિવેકાનંદના” આપ્યા. હું સાથે બેગમાં લઇ ગયો. હવે લાલજીભાઈના ઘરે ન્યુયોર્ક રોકાણા હતાં, ત્યાં બધા રોજ શોપીંગ માં જાય ને  મને શોપીંગનો ટકોય શોખ નથી. એટલે મેં બેસીને એ પુસ્તકો વાંચ્યા. એ પુસ્તકો વાંચ્યા અને “સ્વામી વિવેકાનંદ” ના જે હું તમને અત્યારે વાત કરું ને , એનાં જે દર્દો ભારતની ગરીબી, ભારતની પરાધીનતા , એની માનસિક , આર્થિક ને શારીરિક બધી રીતની કંગાલીયત વાંચીને  એટલે હું દ્રવી ગયો. મારુ હૈયું વલોવાઈ ગયું ને મેં ત્યાં ન્યુયોર્ક બેઠા-બેઠા જ ૩૦૯ નોં સંકલ્પ કર્યો. બોલો લ્યો, આ મારી કહાની છે, ભદ્રાયુભાઈ…

*************************************

કેશુભાઈ નવા યુગના વિનોબાજી હોય તેવું લાગે છે ને ?? તેમની સાથેની ગોષ્ઠી તો ઘણી લાંબી છે પણ આપ સૌની જાણ માટે કે 309 માંથી 181 શિક્ષકન ભાવનોના લોકાર્પણ થઇ ચુક્યા છે. અરે, 309 માંથી 267 ભવન માટેના દાતાઓ પણ નક્કી થઇ ચુક્યા છે. અને હા, હવે કેશુભાઈની આ શિક્ષણ ભવન અર્પણની યાત્રા કેવળ ગુજરાત સુધી સીમિત નથી રહી, પરંતુ ભારતના પંદર રાજ્યો સુધી વિસ્તરી ચુકી છે. તેઓએ જબરી ટિમ બનાવી છે અને મોંઢામાં આંગળા નાખી જઈએ એવું સઘન આયોજનનું નેટવર્ક ગોઠવી લીધું છે.

શ્રી કેશુભાઈ ગોટી  કેવળ એક નહીં એમનું આખું કુટુંબ, મિત્રો, સંબંધીઓ એમને વ્હાલથી ‘કેશુ ભગત’ કહે છે, કારણ તેઓ ખરા અર્થમાં શિક્ષણ અને માનવની ભક્તિમાં લિન બની ગયા છે એટલે હોંશભેર અને જોશભેર એક મોજીલો કાફલો સાથે લઈને સાચા અર્થમાં શિક્ષણની યાત્રા કરી રહ્યા છે. કદાચ આ લેખ આપ વાંચશો ત્યાં સુધીમાં કેશુભાઈનો સંકલ્પ આગળને આગળ વધી ચુક્યો હશે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


નૃત્ય પારંગત બનતા પહેલાં

નૃત્ય પારંગત બનતા પહેલાં

નૃત્ય પારંગત બનતા પહેલાં

જનકલ્યાણ : મે: 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

JKMay24 01
JK May02
JK May03

નૃત્યાંગના કુમુદિની લાખિયાના જીવનની યાદગાર વાતો 

મેડમ,પણ હું ડાન્સનો ટીચર ક્યાંથી લાવું ??” ..તો મમ્મીએ કીધું,  “હું લાવી છું ને સાથે.!!”

કોઈ કૌશલ્યની ટોચ પર પહોંચી ગયું હોય તો એમ ન સમજવું કે તેમને શીર્ષસ્થ સ્થાન એમ ને એમ મળી ગયું છે. સફળતા ક્યારેય પ્રારંભિક સંઘર્ષ વગર મળતી નથી. એ સંઘર્ષ સમજપૂર્વકનો હોય કે પછી અણસમજમાં થયેલ હોય.

નૃત્યની દુનિયાનું  રાષ્ટ્રીય નામ તે કુમુદિની લાખિયા. કથ્થક નૃત્યમાં અનેક કલાકારોને પાયાનું શિક્ષણ આપી વિશ્વસ્તરે પહોંચાડનાર કુમુદિની  લાખિયા કે જેઓ આજે ચોરાણું વર્ષે પણ કદંબ ડાન્સ એન્ડ મ્યુઝિક એકેડમી સાથે પ્રવૃત્ત છે, તેઓ નૃત્ય માર્ગે કેટલી મથામણ  પછી પહોંચ્યા તે તેમના  જ શબ્દોમાં જાણવા જેવું છે.

“….. એક દિવસ  મારા પેરેન્ટ્સ સાથે હું  ફિલ્મ જોવા ગઈ. એ ટાઈમના બહુ મોટા અભિનેતા અશોક કુમાર અને દૈવીકા રાની. અને એ ફિલ્મમાં એક ડાન્સ હતો. અને ડાન્સર હતા મહેમુદના પિતા.  એ બહુ જ સરસ ડાન્સર હતા.  હજી પણ મને યાદ છે એ  ડાન્સ. ‘લે લો ચુડીયા લે લો… ગોરે ગોરે હાથો પે કાલી કાલી ચુડીયા..’ .એ ડાન્સ કરતા  હતો. એમની સાથે ગ્રુપ હતું. હું છ વર્ષની હતી અને અમે ઘરે આવ્યા, ત્યારથી રોજ હું આ ડાન્સ કરું. હા, એક વખત જોઈને રોજ કરું. એટલે મારા મમ્મીને લાગે કે આને ડાન્સમાં ઈન્ટરેસ્ટ  છે અને એ સારું કરે છે. એમને એવું લાગ્યું  કે ડાન્સ તો  ગ્રેસફુલ છે એટલે  એને ડાન્સ શીખવાડીએ. પણ એમને ડાન્સ વિષે કશી ખબર ન હતી. શું ભરતનાટ્યમ? શું કથ્થક? કોઈ પણ ડાન્સ સ્કૂલનું  બોર્ડ જુએ  ને એટલે મને ત્યાં મોકલી દે.

હા, ગમે તે ડાન્સ હોય પછી,,,, પછી હું કહું કે મને અહીં નથી ગમતું. તો વળી સારું બીજું બોર્ડ જોવે એટલે ત્યાં મોકલી દે. ખાલી ડાન્સ સ્કૂલનું બોર્ડ જોવાનું,બસ…. એટલે હું ભરતનાટ્યમ શીખી, કથ્થક શીખી… ત્રણ ત્રણ મહિના, બે બે મહિના… પછી જરાક મોટી થઈ  ત્યારે કથ્થકનાં  ટીચર હતા એમણે કહ્યું કે,  આ કથ્થક સારું કરશે. એનો જે ડાન્સ અને બોડી છે એ કથ્થક માટે છે અને સમજણ પણ છે એને કથ્થક માં… તાલ ને બધું સારું શીખે છે. એટલે પછી કથ્થક નૃત્ય નક્કી થયું મારા માટે.

…એ વખતે મારા મમ્મી નરેન્દ્ર વ્યાસ પાસે શીખતાં હતાં. મને પણ લઇ ગયા ત્યાં. પછી હું ત્યાં બેસી રહું. પછી બહાર જાઉં રૂમની, અને રમુ ત્યાં કૈંક… એટલે એમના નીચે એમના એક ભાઈ રહેતા હતા શંકરલાલ વ્યાસ. તો એક દિવસ એ મને પકડીને ઉપર લઇ ગયા. કે આ બાળક એકલું એકલું રમે છે,  તો મારા મમ્મી એ કીધું, માફ કરજો તમને ડિસ્ટર્બ કર્યાં. એટલે કહે ના, ના, ડિસ્ટર્બ નથી  કર્યા, પણ આ થોડો ડાન્સ કરે છે ને થોડું રમે છે. તો એમના માટે ડાન્સ ટીચર રાખોને તમે… બસ, શંકરલાલ વ્યાસ મારા માટે ડાન્સ ટીચર લાવ્યા. એ બિકાનેરના હતા. અને એમણે  મને શીખવાડ્યું  થોડુંક… પછી મારા મમ્મીએ નૃત્ય છોડી દીધું એટલે મારું નૃત્ય  પણ છૂટી ગયું !! હવે શું? હવે ક્યાંથી ટીચર લાવવાના?

મારા ફાધર એન્જીનીયર હતા. તો એક વખત એ કોઈનું બિલ્ડીંગ બાંધતા હતા. તો કૈંક  વાતચીત એમની થઇ હશે તો મારા ફાધર કહે, મારી દીકરીને સંગીતમાં બહુ શોખ છે . બધા પ્રોગ્રામમાં પણ જાય છે,, તો એ ભાઈએ કીધું કે, ‘મારા એક ભાઈ છે એ સંગીત પણ કરે છે અને ડાન્સ પણ કરે છે.’ તરત મારા ફાધરે કહ્યું:  ઓહ, ડાન્સ પણ કરે છે. અમારી  દીકરીને શીખડાવશે?’  ‘હા, હા જરૂર.’ એટલે પછી એ અમારા ઘરે આવે. મોટી ગાડીમાં. એ ફિલ્મસ્ટાર હતા. મોટી ગાડી લઈને ચોકલેટ લઈને બપોરે અમારે ઘરે આવે. એટલે આજુબાજુમાં જે સ્ત્રીઓ હતી  એ વાત કરવા લાગી  કે એમને ત્યાં બપોરે ‘કોઈ’ આવે છે. ફૂલ લઈને, ચોકલેટ લઈને… તો મારા મમ્મી કહે કે, ‘આ ના ચાલે. આ કરો બંધ. એમને પણ બંધ કરી દીધા !.’

આજુબાજુના બૈરાઓની આ બધી પ્રવૃત્તિ હોય છે. એમને ટાઈમ બહુ હોય છે ને… એટલે એવી રીતે બે-બે, ત્રણ-ત્રણ મહિના કેટલા બધા ટીચર પાસે શીખી હું. પછી એવું થયું કે મારા ફાધરને દિલ્લી જવાનું થયું war was declared and India joined the war and my father was an engineer. એટલે એમને આ  વોર ટાઈમનું કામ મળ્યું …અમે દિલ્લી ગયા તે પહેલા તો મારા મમ્મીને ડાન્સનું જ ગાણું ચાલતું  હતું, તે ચાલુ જ રહ્યું.  એક  ગુરુ પાસે ગયા અને એમને કીધું કે, મને ડાન્સ ટીચર જોઈએ પણ મારી સાથે જે દિલ્લી આવે એવા ગુરુ  જોઈએ છે. તો  કહે,  મારા ભાઈનો એક દીકરો  છે, એને લઇ જાઓ. એટલે અમે જયારે દિલ્લી ગયા ત્યારે અમારી સાથે કેટલા બધા લોકો એક સર્વન્ટ, એક આયા, એક ડાન્સ ટીચર, એક તબલા ટીચર…

હવે ત્યાં ડાન્સ તો શરુ થયો પણ ભણવાનું શું ? સ્કૂલનું શું?  મારા ફાધરએ આખી ઇન્ડિયાની ટુર કરી અને એક સ્કૂલ શોઘી લાહોરમાં… કવીન  મેરીયેટ સ્કૂલ… જો કે, ત્યારે લાહોર ભારતમાં જ હતું. એમને સ્કૂલ બહુ ગમી. It was run by britishers actually and  50% teachers were britishers. બોર્ડિંગ સ્કૂલ. નવ વર્ષની હતી હું, અને મને ત્યાં બોર્ડિંગમાં મોકલી દીધી. પહેલા તો નહિ ગમ્યું, પણ પછી જરા ગમ્યું.

હવે એક-બે વર્ષ થયા પછી મને યાદ છે હિસ્ટ્રીનો ક્લાસ હતો. એક યુરોપિયન ટીચર હતા મિસિસ સીંગ્સ, એ હિસ્ટ્રી લેતા હતા. એટલામાં પ્યુન આવ્યો. મારી તરફ આંગળી ચીંધી ને કહે,  प्रिंसिपल साहब उस लड़कीको बुला रहे हे. મને થયું, અરે ! પ્રિન્સિપાલ બોલાવે એટલે પનિશમેન્ટ. હું જતાં-જતાં  વિચાર કરતી હતી કે,  પ્રિન્સિપાલ કેમ મને બોલાવે છે? હું પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ તો ત્યાં સામે જ મારા મધર બેઠા હતા.પછી મને પ્રિન્સિપાલ એ કહ્યું કે, Your Mother is here   and she wants you to learn Dance. પ્રિન્સિપાલે  કીધું કે, મેડમ, પણ હું ડાન્સનો ટીચર ક્યાંથી લાવું ?? ..તો મમ્મીએ કીધું,  હું લાવી છું ને સાથે. ‘ઓકે, પરફેક્ટ તમે તો કામ કરીને આવ્યાં છો.’

મારા મમ્મીએ મારા ડાન્સ ટીચર માટે એક રૂમ, એક કિચન એવું એક ઘર લીધું. ત્યાં એ રહેતા હતાં. અઠવાડિયામાં ત્રણ દિવસ મારી સાથે રહે. એમ કરતા કરતા લાહોર કથક કેન્દ્ર શરુ થઈ  ગયું અને મારી નૃત્ય યાત્રા વ્યવસ્થિત શરુ થઈ.”

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ”

આદિવાસી નહીં , પણ “આદિ તીર્થ વાસીઓ”

અખંડાનંદ્દ :: મે 2024 :: શ્રી ભદ્રાયુ વછરાજાનીનો લેખ ::

આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ ” 


સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું !!
ભદ્રાયુ વછરાજાની           bhadrayu2@gmail.com 
આપણી સાથે પણ આપણાથી ઘણા બધા દૂર દૂર એવા લોકો જીવે છે કે જેને જોઈએ તો એ લોકો આપણને વિચિત્ર લાગે, ઠીક ઠીક જુદા લાગે, બહારના દેખાવ પરથી અબુધ હોવાનો ભાસ પણ પડે. જો કે, તેઓ અબુધ હોતા નથી, ભોળા ભટ્ટ હોય છે. ઓછામાં ઓછું બોલવું અને ટગર ટગર તમને નિહાળ્યા કરવું એ તેની વિશેષતા છે. તેઓની સમજ કેટલીક બાબતોમાં આપણાથી પણ અદકેરી છે. મનુષ્યની જાતિ ઉતપન્ન થઇ હશે ત્યારે આ લોકો પહેલાં આવ્યા હશે તેવું પણ લાગે, કારણ આપણી દ્રષ્ટિમાં તેઓ ખુબ જુનવાણી છે, અંધારામાં રહેવાનું પસંદ કરે છે, અભણ તો છે પણ ખરા, અલ્પ વિકસિત છે તેઓ આપણી સરખામણીએ.. હા, આપણે તેઓને આદિ જીવો માનીએ છીએ,  જે દૂર જંગલની વચ્ચે કે ડુંગરોમાં વસે છે ને સાવ સાદું સીધું જીવન જીવે છે. શરુ શરૂમાં તો તેઓ પશુ ને પક્ષીઓને મારીને ખાતા હતા અને એકદમ નહીંવત જરૂરિયાત વચ્ચે જીવતા હતા. આવા આદિવાસીઓ વિશ્વભરમાં છે, અરે, વિકસિત દેશોમાં પણ ખૂણે ખાંચરે તેઓની મોજુદગી છે. આપણે તેને આદિવાસીઓ કહીએ છીએ. હવે જો કે આ આદિવાસીઓ પણ પોતાના વિષે અને પોતાના માનવ હોવા વિષે અને પોતાના માણસ તરીકેના કેટલાક અધિકારો વિષે સજાગ થયા છે અને તેના જૂથો હવે પક્ષીય રાજકારણનો પણ ભાગ બન્યા છે.
આ આદિવાસીઓની અલ્પસમજનો લાભ ઉઠાવી તેને ગેરમાર્ગે દોરવાની  પ્રવૃત્તિ પણ અન્ય લોકો દ્વારા થતી રહી છે અને ભારતના સ્વતંત્ર થયાના છોંતેર વર્ષો પછી પણ આ લોકોનો લાભ લઇ તેમને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલે છે. ગુજરાતના એક આવા આદિવાસીઓ વસતા હોય તેવાં નાના ગામમાં રહેવાનું થયું. જો કે, આ ધરમપુર તાલુકાનું ગામ ખાંડા  તો પ્રમાણમાં ઘણું જાગૃત ગામ છે અને કેટલાંય પ્રવાસન સ્થળોની  પ્રાકૃતિક સંપદાથી ઘેરાયેલ છે. અહીં કથા ગાન નવ દિવસ સુધી ચાલ્યું. ઉદ્દેશ્ય ગામમાં ખૂટતી સુવિધાઓ ઉભી કરીને આ લોકોમાં આત્મવિશ્વાસ જગાવાનો હતો.  કટાહ આરંભે જ  લોકોને “આદિ તીર્થ વાસીઓ” એવું ઉપનામ આપી તેઓને નવાજવામાં આવ્યા.
કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે. કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધાં  કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને ગામવાસીઓ આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસી  રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય. છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. અન્નનું એક પણ કણ નીચે ન પડે તેની તેઓએ કાળજી રાખે છે.
કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા,  કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી  આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની ઉપર  ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત મિત્રો તો આશ્ચર્યમાં  પડી ગયા કે, અંદાજે પાંત્રીસેક હઝાર લોકો બેસે તેવી આવડી  મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ??  પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો. અને સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગારથી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને શુભ કરવા માટે છાણથી લીપવો તો જ પડે.’  આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..પણ ત્યાંના સરપંચે સમજાવ્યું કે, ‘અમારે મન આ જમીન નથી, ભૂમિ છે. ભૂમિ અમારી માતા છે. આજુબાજુના ખડકો અમારા પિતાઓ છે. અમારે મન તો સૂર્ય, પવન અને પાણી પણ દેવતાઓ જ છે એટલે તેમનો જયારે લગીર પણ ઉપયોગ કરીએ ને ત્યારે તેનું પૂજન તો કરીએ જ.’.. સરપંચના તર્કમાં  ભારોભાર સત્યનો રણકો હતો,  તેથી માથું ઝૂકી ગયું.
આપણે આ લોકોને આદિવાસી કહીને અલગ ગણીએ તેમાં આપણી ભૂલ છે કે નહીં ?? કથાના આરંભે તેઓને કહેવાયું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો, એ કેટલું યથાર્થ હતું !?!

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com


Facebook


Youtube


WordPress


Instagram

Share your feedback


‘કભી કભી ન લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા’

‘કભી કભી ન લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા’

જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે”  ત્યારે ભારતના એકોએક નાગરિકની છાતી ગર્વથી ફુલતી હતી

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com

કભી કભી લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા , આ સૂત્ર છે એક ફિલ્મના અંતમાં સ્ક્રીન ઉપર હિન્દી અને ઇંગ્લીશમાં લખાયેલા એક વાક્યનું. એ ફિલ્મ છે ‘Pippa‘. 

આજની પેઢીએ 1971ની સાલ જોઈ નથી. કારણ કે, મેં પણ જ્યારે 1971ની સાલ જોઈ ત્યારે હું માત્ર ૧૬ વર્ષનો હતો. અને મારા સ્મરણમાં પાકે પાકું છે કે ત્યારે પાકિસ્તાનના બે ટુકડાઓ, વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન ભારત દેશની બે બાજુએ બરાબર નાકા દબાવીને બેઠા હતા. ત્યારે  જેને સૌ ‘ઈસ્ટ પાકિસ્તાન’ કહેતા હતા ત્યાંનું  પાકિસ્તાનનું  આખું લશ્કર ભારત દેશના  લશ્કરને શરણે આવ્યું હતું !! આ વિરલ ઘટના બહુ જ શાંતિથી નિર્માણ પામી હતી.  એ સમયની ઘટનાઓને બહુ ઊંડાણથી વાગોળીએ તો  અત્યારનો માહોલ ખિન્ન થઈ જાય એવું પણ બને અને કદાચ એના અર્થઘટનો પણ બદલાઈ જાય.!! કલ્પના તો કરો કે, એક દેશનું આખું ને આખું લશ્કર વિધિવત તમારા દેશના  સૈન્યને શરણે થતું હોય તે ઘટના  કેટલી રોમાંચક હશે, એ પળ રાષ્ટ્ર માટે કેટલી એક્સાઈટેડ હશે !!  

પણ જેણે 1971ની પળોને શ્વસી જ નથી તેને તો ઘરમાં ઘૂસીને મારવાના હાકલા પડકારા જ અભિભૂત કરે તેમાં ખાસ નવું નથી. 1971માં એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એ સમયનાં સૈન્યનાં વડાઓએ જે રીતે સ્ટ્રેટેજીક પ્લાનિંગ કરીને ઇસ્ટ પાકિસ્તાનમાં પાકિસ્તાનનાં લશ્કરને શરણે આવવા માટે મજબૂર કર્યું હતું એ અદ્વિતીય ક્ષણો હતી. ઓછું બોલીને, નક્કર કામ કરીને, પાકિસ્તાની લશ્કરનો ખાત્મો કરવાનું કામ એ સમયનાં ભારતીય લશ્કરે કર્યું હતું. 

બહુ જ આદર સાથે કહેવું પડે કે જેને અટલ બિહારી વાજપાઈએ ‘મા દુર્ગા’નું સ્વરૂપ કહ્યા હતા એ ઇન્દિરા ગાંધી એ વખતે ખરેખર રણચંડી બનીને સૈન્યનાં સૌ વડાઓને અને પોતાના સુરક્ષા સલાહકારોને કહી રહ્યા હતા કે, હવે લડાઈ કરવી આપણા માટેનો કોઈ વિકલ્પ નથી. જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે” ત્યારે ભારતના એકો-એક નાગરિકની છાતી ગર્વથી ફુલાતી હતી. યાદ એ રાખવા જેવું છે કે, આજે જે બાંગ્લાદેશના શરણાર્થીઓનો પ્રશ્ન આપણે ઢોલ વગાડીને કહી રહ્યા છીએ તે જેમાંથી ઉભો થયો એ ક્ષણના સાક્ષી બનવાની જરૂર છે. કેવી હાલત ઢાકા યુનિવર્સીટીના યુવા વિદ્યાર્થીઓની  કરવામાં આવી અને  કત્લેઆમ પાકિસ્તાનના યાહ્યાખાને કરાવી, તે દર્શાવતી ફિલ્મ ‘Pippa’ આપણા રુંવાડા ખડા કરી શકે એમ છે.

આજના યુવાનો, આજના તરુણો, આજના વયસ્કોએ  પણ આ ફિલ્મ જોઈને રાષ્ટ્રને સલામ ઠોકવાનું મન થાય એમાં કોઈ બે મત નથી. અત્યારના આ વાત કરવી બહુ જ કસમયનું ગણાશે, પણ એટલું તો ચોક્કસ છે કે ભારતીય સૈન્ય અને એનું શાસન કરનાર રાજનેતાઓમાં કેટલી વિચક્ષણ બુદ્ધિ અને કેટલો શાર્પ ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ, તે જો જાણવું હોય તો 1971ના યુદ્ધમાં જવું જોઈએ. 

મને યાદ છે, કે ત્યારે હું એસ.એસ.સી.માં ભણતો હતો  ત્યારે અગિયારમું ધોરણ એટલે SSC ગણાતું હતું. પણ દસમાં-અગિયારમાંનાં વર્ષોમાં અમે લડાઈ થતી જોઈ છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ જે રાજકોટના કાશીવિશ્વનાથ પ્લોટના એક ખૂણામાં આવેલી હતી, ત્યાં અંદર બૉમ્બ પડે તો કેવી રીતે ખાઈમાં ઊંડા ઉતરી જવું એની ખાઈઓ અમે ખોદી હતી અને એની અંદર ઉતરી જવાની કવાયત  પણ અમે કરી હતી. બરાબર યાદ છે કે ત્યારે જામનગર ઉપર અને આપણી હવાઈ પટ્ટીઓ ઉપર પાકિસ્તાનના વિમાનોનો બોમ્બમારો થતો હોય એટલે રાતનું અંધારું થાય ત્યારથી ઘરમાંથી કોઈ પણ પ્રકાશનો લીસોટો પણ બહાર ન પડે એની વ્યવસ્થા માટે નાગરિકો ચોકી-પહેરામાં લાગ્યા હતા. સ્વંભૂ જુવાળ હતો. એ પણ યાદ છે કે એ વખતે જાન્યુઆરી,1971માં, તાસ્કંદ ખાતે આપણા વામન છતાં વિરાટ વડાપ્રધાન ‘શ્રી લાલબહાદુર શાસ્ત્રી’એ જ્યારે પ્રાણ  આપી દીધા તે  લાલબહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન અને જય કિસાન’નું સૂત્ર આપ્યું. એ વખતે નાનકડો એક રેડિયો જ પ્રચાર પ્રસારનું માધ્યમ હતો, જે ઘર-ઘર સુધી પહોંચતો હતો. શાસ્ત્રીજીએ એલાન કર્યું કે, “ભારતને, ભારતના સૈન્યને, અત્યારના ખૂબ મદદની જરૂર છે.  હું અઠવાડિયામાં એકવાર સોમવારે  ભાત ન ખાવાની  પ્રતિજ્ઞા લઉં છું.” મને યાદ છે ત્યારે ઘર-ઘરની અંદર સોમવારે ભાત રંધાતા ન હતા. અમે સૌ શાળાના વિદ્યાર્થીઓ જ્યારે ટ્રકમાં ઊભા રહીને બધા પાસે ફાળો માંગવા જતાં ત્યારે કેટલાક ઘરમાંથી ગૃહિણીઓ આવે અને પોતાના હાથમાંની સોનાની વીંટી, પોતાના ગળામાંથી સોનાની ચેઈન કે બુટ્ટી કાઢીને એ ફાળામાં આપી દે એવું પણ બનતું હતું. આ બધાનું  આજે ‘Pippa’ નામની ફિલ્મ એમેઝોન પ્રાઈમ ઉપર જોઈને મને યાદ આવ્યું એટલે મને ઈચ્છા થઈ કે આપ સૌની સાથે વહેંચુ. રોની સક્ર્યુવાલા અને સિદ્ધાર્થ બાસુ દ્વારા નિર્માણ પામેલ આ ફિલ્મ 1971 પછી જન્મેલ પ્રત્યેક ભારતવાસીએ જોવી જ રહી.

હકીકતમાં ન લડવું એ જ્યારે વિકલ્પ ન રહ્યો હોય ત્યારે લડવું હોય તો કેવી ખુલ્લી છાતીએ લડવું જોઈએ, ઓછું બોલીને જાજુ કરવું જોઈએ, તે ફિલ્મમાં તાદૃશ્ય કરવામાં આવેલ છે.  ભારત દેશ જેના ઉપર વર્ષો સુધી ગૌરવ કરશે કે, એક એક સૈનિક કરીને એક  સૈન્ય આખેઆખું  ભારતના સૈન્યની સામે શરણાગતિ સ્વીકારી હતી અને લશ્કરી વડાએ સરેન્ડરના ડ્રાફ્ટ ઉપર સહી કરી હતી.   આપણી બે બાજુએ આપણું બરાબર નાક દબાવીને બે પાકિસ્તાન બેઠા હતા, એમાંથી પશ્ચિમ બંગાળની ઉપરના પાકિસ્તાનને એક જુદો દેશ બનાવીને આપણી સાથે દોસ્તી કરવાનું કામ આ લડાઈથી થઈ શક્યું હતું, એ સંતોષપ્રદ પળોને આજે સ્મરણ કરતા મને ખૂબ ગૌરવ થાય છે.

પાકિસ્તાનથી અલગ થઈને બાંગલાદેશ બનાવવા માટે લડી રહેલા બંગલાભાષીઓને ભારતે તન, મન , ધનથી ટેકો આપ્યો અને પાકિસ્તાનને તેર દિવસમાં ઢીલુઢફ કરી નાખ્યું.  ભારતીય લશ્કરે 16, ડિસેમ્બર, 1971ના રોજ ઢાકા પર કબજો કરીને પાકિસ્તાની લશ્કરને માથે કદી ના ભુંસાયેલ એવી હારની કાળી ટીલી લગાવી દીધી. પાકિસ્તાની લશ્કરના કમાન્ડર જનરલ નિયાઝીએ ભારતના જનરલ જગજીતસિંગ અરોરા સામે 93 હઝાર સૈનિકો સાથે નાકલીટી તાણીને શરણાગતિ સ્વીકારી હતી.

પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ યાહ્યાખાનની ધીરજ ખૂંટતા તેમને 1971ના ડિસેમ્બરમાં ભારત પર હુમલો કરવાની મોટી ભૂલ કરી પછી ભારતીય લશકરે પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા. ભારતે જડબેસલાક જવાબ આપીને પાકિસ્તાનના આક્રમણને છિન્નભિન્ન કરી નાખ્યું પછી પાકિસ્તાન પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ ન હતો. 93 હઝાર સૈનિકોને ભારતે બંદી બનાવ્યા. Pippa ફિલ્મ આપણી બહાદુરીનો દસ્તાવેજ છે. જેમના પરથી બનેલી ફિલ્મ સેમ બહાદુર બની છે એ સેમ માણેકશા 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધના હીરો હતા. ભારતના ઇતિહાસમાં કેવળ બે જ લશ્કરી વડાને ફિલ્ડ  માર્શલ રેન્ક મળેલ છે. ભારતના પહેલા લશ્કરી વડા  જનરલ કરીઅપ્પા અને જનરલ માણેકશા.

 

 

‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા કવિ મુખેથી…

‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા કવિ મુખેથી…

'સૈરન્ધ્રી'ની સર્જનયાત્રા કવિ મુખેથી

કવિતા : માર્ચ -એપ્રિલ 2024 : વિશેષાંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

SaiRandhri.3
SaiRandhri.5
SaiRandhri.7

કવિશ્રી વિનોદ જોશી સાથે ભદ્રાયુ વછરાજાનીએ કરેલો દીર્ઘ-અંતરંગ-સંવાદ

ભદ્રાયુ : સૈરન્ધ્રીનું સર્જન થઈ ચૂકયું છે, ત્યારે વિનોદભાઈ, એક પ્રશ્ન એ થાય છે કે સૈરન્ધ્રી નામ શાસ્ત્રોમાં હતું, પણ જનસામાન્યમાં એટલું પરિચિત ન હતું, જે હવે તમારાં પ્રબંધ કાવ્ય પછી સૌનાં કાનમાં ગૂંજવા લાગ્યું છે ને દિલમાં વસવા લાગ્યું છે, ત્યારે તમને પહેલાં તો એ પૂછવાનું કે આ વિચાર કયાંથી આવ્યો કે આ બીજ તમારા મનમાં કયાંથી રોપાયું? કયારથી આવ્યું? અને કેમ તે વિકસ્યું?

વિનોદ જોશીઃ ભદ્રાયુભાઈ, સૈરન્ધ્રી કાવ્ય તો હજુ રચાયું હમણાં, એટલે કે ફેબ્રુઆરી-૨૦૧૮માં એ

સંપન્ન થયું પણ છેલ્લા દોઢ દાયકાથી એનું અનુસંધાન મારાં ચિત્તમાં સધાયું હતું. સૈરન્ધ્રી તો એક વળાંક છે, વાસ્તવમાં તો મેં લખવા ધારેલું ‘બૃહન્નલા’…મારાં નવાં કોઈ પુસ્તકમાં પણ ‘હવે પ્રકાશિત થનારાં મારાં પુસ્તકો’ની યાદીમાં પણ મેં ક્યાંક ‘બૃહન્નલા’નો ઉલ્લેખ કર્યો છે. એટલે મારું લક્ષ્ય ‘સૈરન્ધ્રી’ નહીં પણ ‘બૃહન્નલા’ હતું, તેમ તમે કહી શકો. મને એમ થયું કે મેં ‘શિખંડી’ લખ્યું છે તો વળી બીજા એક પાત્ર વિષે લખું કે જે મેઈનસ્ટ્રીમ કેરેકટર નથી. શિખંડી એ જેમ દ્વૈતમાં રાચે છે, એ સ્ત્રી-પુરુષ બંનેના વ્યક્તિત્વનો અનુભવ કરે છે, એના પૂર્વકાળમાં અને પછીના કાળમાં; એ રીતે બૃહન્નલાનું કોઈ સૂચન મને અંદરથી મળ્યું હશે ને મેં વિચાર કરેલો કે હું ‘બૃહન્નલા’ પર લખીશ. મેં લખવાનો પ્રયત્ન કર્યોને એ કાવ્ય પણ સર્ગબદ્ધ કરવું એવી મારી ઈચ્છા હતી. મેં એનો પહેલો સર્ગ શરૂ કર્યો ત્યારે વિચાર્યું કે જો હું આ પ્રકારનાં પાત્રોને લઈને જ લખવાનો છું તો પછી બધાં કાવ્યો એક સરખી ઢબનાં જ લખવાં જોઈએ કે જે ઢાંચામાં શિખંડી લખાયું –ચાર ચાર શ્લોકોમાં જે લખાયું-તો હું એવી રીતે જ આ પણ લખું..એમાં આરંભે મારે એવું પ્રસ્થાપિત કરવું હતું કે અર્જુન મૃદંગ વગાડે છે, ‘બૃહન્નલા’ બનીને અને એને મૃદંગ વગાડતો સૈરન્ધ્રી જોઈ જાય છે. હવે આનો ખ્યાલ અર્જુનને આવી ગયો કે પોતાને મૃદંગ વગાડતો સૈરન્ધ્રી જોઈ ગઈ છે, તો એ જાણ્યા પછી અર્જુન પોતાનાં વિષે શું વિચારતો હશે તે મારે આલેખવું હતું! મેં એ રીતે શરૂ કર્યું, અને એમ માનો ને કે ચાર-ચાર પંકિતના ત્રીસ-ચાલીસ શ્લોકો તો મેં લખ્યા. પણ જેમ જેમ હું લખતો ગયો તેમ તેમ હું અનુભવતો ગયો કે આ ખરી કટોકટી તો અર્જુનની નથી, પણ એ તો સૈરન્ધ્રીની છે. એટલે મેં લખવાનું પડતું મુક્યું! હું જેને વિષય બનાવવા માંગતો હતો તે તો ગૌણ બની ગયોને જે ગૌણ લાગતું હતુંતે મુખ્ય થઈ ગયું! અને એક વાત એ પણ હતી કે ‘બૃહન્નલા’ બનતા અર્જુનની સમાંતરે જ કંક બનતા યુધિષ્ઠિર કે બલ્લવ બનતા ભીમની પણ એકસરખી વેદના પણ હોય શકે ને! તો આ બધા પુરુષો છે જે યુદ્ધવીરો છે ને બાણાવળીઓ છે ને કોઈ વળી ગદાધારી છે તો કોઈ બુદ્ધિનિષ્ઠ છે એટલે એમની પાસે એમના રસ્તાઓ છે, પણ સૈરન્ધ્રી એવું પાત્ર છે કે જે નથી કોઈને કંઈ કહી શકે તેમ કે નથી એમની પાસે એવું વ્યકિતગત સામથ્ર્ય કે જે અર્જુન પાસે છે કે ભીમ પાસે છે! તો આ એક એવું પાત્ર છે કે જે પણ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તો Why not to move upon them? મને સમજાયું કે ખરેખર તો સૈરન્ધ્રી મારું લક્ષ્ય છે. હું જે કહેવા માગું છું તેની વિગત તો મારે સૈરન્ધ્રીનાં સંદર્ભમાં કહેવી વધુ ઉચિત છે એટલે હું જે લખતો હતો તે મેં પડતું મુક્યું, જેની સ્ક્રીપ્ટ મારી પાસે છે, પણ હું એમાં આગળ ન વધ્યો.

સૈરન્ધ્રી તો હવે દાસી છે સુદેષણાની, એટલે મારી વાતમાં જો એક દાસી અને એક રાણીના વિરોધાભાસી સંકેતોથી શરૂ થાય તો તરત અપીલ કરે, એટલે મારે મારી વાતની શરૂઆત સુદેષણાથી કરવી જોઈએ… તો એવું કરવું કેવી રીતે? મેં નક્કી કર્યું કે હવે મારે સૈરન્ધ્રી પર કાવ્ય નથી લખવું પણ મારે તો સૈરન્ધ્રી પર નાટક લખવું છે, એટલે નાટક લખવાનો મેં પ્રારંભ કર્યો ને મેં કલ્પિત પાત્રો પણ એમાં ઉમેર્યા. સૈરન્ધ્રી અને સુદેષણા વચ્ચે થતા સંવાદો મેં લખ્યા. લગભગ ત્રણ ચાર દશ્યો મેં લખ્યાં, પણ પછી મને થયું કે જે વાત મારાં મનમાં રમી રહી છે એ તો ‘અજ્ઞાત હોવાની ને પોતાનું જે જ્ઞાત વ્યક્તિત્વ છે તેને છૂપાવવાની’ વાત હું નાટકમાં બરાબર મુકી નથી શકતો, કારણ સંવાદમાં મારે જે કહેવું છે તે વાત આવતી નથી એટલે પોત જે બંધાયું છે એ તો કવિતાનું જ છે, નાટકનું નથી. મેં નાટક પણ છોડી દીધું. એની સ્ક્રીપ્ટ પણ મારી પાસે હજુ પડી છે. તો બૃહન્નલામાંથી સૈરન્ધ્રી બની, વૃત્તબદ્ધ કાવ્ય છૂટી ગયું ને નાટક જે અંકબદ્ધ લખાતું ગયું હતું એ પણ મુકાય ગયું! પછી મને થયું કે આ વાત બંધાતી નથી. મારે જે કહેવું છે તેનો પિંડ બંધાતો નથી. તો મારે શું કરવું?

ભદ્રાયુ: ઓહો, આ ક્ષણ તો કપરી ગણાય. સર્જક ખળભળી ઊઠે તેવી !

વિનોદ જોશીઃ હા, ખરું મનમાં જે ઉથલપાથલ થતી હતી તે એ હતી કે મને બધું આવડે છે ને તે છતાં હું તે કરી શકતો નથી. કવિતા લખી શકું તેમ છું છતાં કવિતા લખી શકતો નથી, તો મારી જે ઉર્જા છે એને રોકે છે કોણ? કોઈક નિયંત્રિત પરિબળ એવું છે કે જે મારા શબ્દોને પ્રગટવા દેતું નથી તો એ છે શું? મારી સર્જકતાને દાબ આપતું હોય એવું કંઈક મારી આસપાસ મને અનુભવાયું. પછી મેં એની શોધ કરી કે એવું છે શું? તો મને લાગ્યું કે મારી મૂંઝવણ કંઈક અલગ છે. મારું મનોમંથન ચાલ્યું. આપણી આસપાસ રચાતા વ્યવહાર જીવનના રોજબરોજના બનતા બનાવો-ઘટનાઓ કે દૈનંદિની એ બધામાં આપણે જેમ ઈચ્છીએ છીએ એમ તો આપણે કંઈ કરી જ નથી શકતા. બીજા જેમ ઈચ્છે છે એમ જ આપણે તો બધું કરવું પડે છે! તમે યુનિવર્સિટીમાં હો તો પણ તમારે બીજાની ઈચ્છા પ્રમાણે કરવાનું કે તમે ઘરમાં હો તો પણ અન્યને શું ગમશે તે યાદ રાખીને વર્તવાનું કે તમે બહાર રસ્તા ઉપર કોઈને મળો તો પણ તમારે તમારું વર્તનવિજ્ઞાન અંદરથી અલગ વિકસાવવાનું અને એ રીતે વ્યવહારના આટાપાટા રચી લેવાના ! જો હું બીજાને ગમે તેમ આ બધું કરી લેતો હોઉં તો પછી હું બીજાના વતી જીવું છું, તો મારું જીવન કયારે જીવીશ? એને ગમે છે કે મારે આ રીતે જીવવું જોઈએ ને હું એમ જ જીવી રહ્યો છું તો તો હું બીજા વતી જીવી રહ્યો છું! તો મારે એ ખોજ કરવી જોઈએ કે ‘મારું જે છે તે’ કે ‘મારું નિજત્વ છે’ તે શું છે? આ કોયડો કાંઈ એટલો મોટો નહોતો એવું મને ત્યારે લાગ્યું. મન કહેતું હતું કે, ‘આતો ઠીક છે, વ્યવહાર જીવનમાં તો એકબીજાને અનુકૂળ થઈને જ જીવવાનું હોય ને આવું જ બધું હોય ને કાળયાત્રા તો આમ જ ચાલે ને ?’ એટલે કયારેક આ વાત સાવ ફુગ્ગા જેવી થઈ જાય – સાવ ચપટ થઈ જાય તો વળી કયારેક એવો ધક્કકો વાગે કે ના-ના, આ તો યોગ્ય ન કહેવાય! વિચાર આવે કે આયુષ્યનાં આટલાં વર્ષો ગયાં તે આપણે ઈન્વેસ્ટ કયાં કર્યાં? ધારો કે હું મારો એક કલાક કોઈ જગ્યાએ આપું છું તો તે મારું ઈન્વેસ્ટમેન્ટ છે, એટલે કે મેં મારા આયુષ્યમાંથી એક કલાક ઓછો કર્યો ને કોઈક જગ્યાએ રોકયો તો એ મારાં માટે વળતરરૂપ છે ખરો કે એનાથી મને કંઈ ફાયદો થયો કે મારી કોઈ ઉત્ક્રાંતિ થઈ ખરી? જ હું આવું ન કરી શકતો હોઉં તો મારો જે સમય વપરાયો તે તો એની ઈચ્છા પ્રમાણે ખર્ચાયો. એનો અર્થ એ થયો કે જીવન મને મળ્યું છે ને હું એને મારા માટે તો વાપરતો નથી! જીવનની જે ખરી ખુબી છે મારું ન્યુકિલયસ જાણવાની, તે તો હું કદિ જાણવાનો જ નથી. કારણ હું બીજાનાં ન્યુકિલયસને જાણ્યા વગર તેનાં માટે બધું કર્યા કરું છું! હું મને બધાની વચ્ચે, મને જ ઈત્તરજન કે આઉટ સાઈડર લાગવા માંડયો! મનમાં દાંતાવાળા બે ફરતાં ચક્રોનું રૂપક પણ આવ્યું કે જે એકબીજામાં ભેરવાયેલાં અને એકબીજાની ગતિને લઈને હારોહાર ગતિ કરતાં એ બન્ને ચક્રો જેવું મારું જીવન છે. બન્ને ચક્રો સ્વતંત્ર છે અને નથી પણ…આવી મારી સ્થિતિ છે એટલે હું ઓગળી નથી શકતો; મારે તો ઓગળવું હતું. હું જે સમષ્ટિનો અંશ હોઉં, હું જે વ્યકિતમત્તાનો ધબકાર હોઉં અથવા હું જે વાતાવરણમાં વિસ્તરવા માંગતો હોઉં તેને બદલે હું આમ દાંતામાં દાંતા ભરાવી માત્ર ફર્યા કરું તો એ અર્થહીન છે! મને થયું કે મારે ભળવું છે અને જો મારે ભળવું હોય તો મારે ઘણામાં ઉતરવું પડે, ઘણાને જાણવા પડે! આસપાસ જે હોય તેને જાણવામાં તો મને રસ હતો નહીં. બસ આ પળે આ બધાં પાત્રો મને વળી પાછા અંદરથી મજબુર કરવા લાગ્યાં! એમણે કહ્યું જાણે કે, ‘જુઓ અમે જુદા છીએ. અમે વ્યવહારજીવન કરતાં અલગ છીએ.’ એટલે મને સમજાયું કે આ પાત્રો મારાં કામનાં છે. મારા માટે તો કામનો હું પણ હતો, કૃષ્ણ પણ હતા, કિચક પણ હતો, દ્રૌપદી પણ હતી! ઘણાં બધાં પાત્રો મને એવાં મળ્યાં કે જે વ્યવહાર જીવનમાં જુદી રીતે જીવનારા ને છતાં પોતાનું નિજી વ્યક્તિત્વ બનાવી રાખનારાં હતાં.. તેમાં સૈરન્ધ્રીએ મને બરાબર પકડયો. મને થયું કે સૈરન્ધ્રી સ્ત્રી તો છે જ, પણ સાથોસાથ એ મહારાણી છે, એ દાસી પણ છે, એ વળી પાંચ પતિની પત્ની પણ છે અને એવી એ સ્ત્રી કે જેને પાંચ પતિ હોવા છતાં અજ્ઞાતવાસમાં એમણે પાંચેયથી દૂર રહેવું પડે તેવી નિયતિને વશ થયેલી છે. આ વ્યવહાર જીવનમાં શકય નથી. નારીત્વનો જો સૌથી તીવ્ર અનુભવ કોઈ કરે તો તે સૈરન્ધ્રી જ કરે અને આ બિંદુ મારી અંદર ચોંટી ગયું… પણ આ લખવું કેવી રીતે ? મારા આ વિચારને સુદ્રઢકો સાંપડે એટલે બધાને કહેતો રહ્યો કે, ‘હું આવું કંઈક લખી રહ્યો છું’, ‘હું સૈરન્ધ્રીને કેન્દ્રમાં રાખીને કશુંક લખવા માંગું છું’ કે ‘હું પ્રબંધ કાવ્ય રચી રહ્યો છું!’ એટલે તમારાથી માંડીને મેં મોરારિબાપુ સુધીના બધાને કહ્યું કે ‘હું આવું એક મોટું કામ કરી રહ્યો છું, હકીકતે મેં એક શબ્દ પાડયો ન હોય ! તો બધાંને એમ હતું કે હું બીજું કાંઈ લખતો નથી. હું ઘણા વર્ષોથી જે ગીતો-સોનેટ-કાવ્યો લખતો હતો તેમાં કશું ઉમેર્યું નથી. છેલ્લા દસ વર્ષોમાં કંઈ ઉમેર્યું નહીં, માત્ર બે-ચાર રચનાઓ થઈ હશે ત્યારે! બધાને એમ હતું કે હું બહુ મોટું કામ કરી રહ્યો છું એટલે બીજું લખતો નથી. પણ એ સૌની ભ્રમણા હતી. કારણ હું કાંઈ લખતો જ ન હતો! લખવાનું મન કરું-બેસું-કોરા કાગળનો સામનો કરું ને મને બહુજ નિરાશા થઈ જાય ને લખી જ ન શકું..! એમાં એક ઘટના બની. અમે દક્ષિણ ભારતનાં એક સ્થળે ફરવા ગયેલા ને એક મંદિરમાં મેં સરસ્વતીની એક મૂર્તિ જોઈ. એટલી પ્રભાવક મૂર્તિ હતી કે તેને જોઈને મને એમ થયું કે આ મારી સગી મા છે, હું એનાં ખોળામાં મારું માથું મૂકી દઉં ને મારી આંખોમાંથી વગર કહ્યું આંસુ દદડવા લાગ્યાં, એટલી તીવ્ર અનુભૂતિ થઈ મને સરસ્વતીની એ પ્રતિમા પાસે! મેં આશીર્વાદ માંગ્યા કે, ‘હું અહીંથી જતો રહેવાનો છું પણ મા,તું મારી પાસે એવું કંઈક લખાવ કે જે હું ઝંખી રહ્યો છું, આવું મેં ત્યાં અનુભવ્યું, તીવ્રતાથી અનુભવ્યું અને ‘સૈરન્ધ્રી પ્રબંધ-કાવ્ય’નાં પ્રારંભે જે મેં સરસ્વતીને પ્રાર્થના લખી છે તે એ માતાને માટે લખી…! કાવ્યશાસ્ત્રવિદ્યાથી સાવ અલગ થઈ જઈને કે ભાષાનાં ઓજારો કે ભાષાની શકિતઓથી સાવ તટસ્થ થઈ જઈને કે કવિતાની કોઈ પળોજણને વચ્ચે લાવ્યા વગર એક અબુધ બાળકની જેમ સરસ્વતીને પ્રાર્થી લીધાં ને કહ્યું કે: ‘માતા, મારી પ્રથમ પૂજાની તું લાજ રાખ’… આ એવી ભાવાત્મક સ્થિતિ હતી કે એની તીવ્રતા મારાં મન પર બહુ રહીને સાતત્યપૂર્વક રહી.

ભદ્રાયુ: હા, કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના.…

વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા,

કાગળનો ખાલી ખૂણો આપજો…

પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા,

વૈખરિયે વળગ્યો લૂણો કાપજો…

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંયાં સરસવતી માતા,

અમરતમાં બોળી અંજળ ચાખજો….

પડતર ઓછાયે અમને લૂંટયા સરસવતી માતા,

પરથમ પૂજયાની લાજું રાખજો…

વિનોદ જોશી : હા પણ એ પછી લખવા બેસું તો કાવ્ય લખાય નહીં… એમાં બન્યું એવું કે અસ્મિતાપર્વના અંતે છેલ્લો દિવસ હોય તે હનુમાન જયંતિએ સવારે એક કલાક ચિત્રકુટધામમાં સુંદરકાંડનો પાઠ થાય. વાલ્મીકિનો સુંદરકાંડ તો મેં વાંચેલો પણ તુલસીદાસજીના સુંદરકાંડથી હું પરિચિત ન હતો. હું જોઉં કે બધા તાલબદ્ધ ગાય છે ને એનાં આંદોલનો હવામાં પ્રસરે છે. મન થયું કે હું પણ સાથે ગાઉં. મને મોઢે ન આવડે પણ બધાની સાથે વાંચીને હું ગાવા લાગ્યો. ચોપાઈ અને એમાં આવતા દોહરાનું અનુરણન એ વખતે થાય. આવું એક વર્ષ નહીં પણ વારંવાર વર્ષોવર્ષ હનુમાન જયંતિએ હું સૌ સાથે આ સમુહ પાઠ કરું. એ સમુહ ગાન કરતાં કરતાં મને અંદર કંઈક ગૂંજનનો અનુભવ થાય, शुंड युगींग अंध्र थतुं होय से जागे. Not the perfect music, but musing, ગુંજારવ, કંઈક અનુરણન! મને એનાથી મઝા આવતી. વારેવારે પ્રયત્ન કરું કે હું આવી મોટી રેન્જનું કે મોટા સ્કેલનું કાવ્ય કરું પણ થાય નહીં. એક વખત એવું બન્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક સ્ટાફ કોલેજમાં મધ્યકાલિન કૃતિઓને કેન્દ્રમાં રાખીને મધ્યકાલિન કૃતિઓ વિષે વાત કરવા માટે જુદા જુદા વકતાઓને આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં મને પણ નિમંત્રણ મળ્યું. ‘માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્ય’ કે જે ચૌદમી સદીમાં ગણપતિ નામના કવિએ લખેલું તેનાં વિષે વાત કરવાનું મને સોંપાયું મારી પાસે તો કૃતિ હતી નહીં, પણ ઝેરોક્ષ કરાવીને મને મોકલવામાં આવી. મેં એ ઊંડાણથી વાંચી ને હું એટલો બધો પ્રભાવિત થયો કે મને ઝબકારો થયો કે આ કૃતિ જેમ સરળતાથી માત્રામેળ પદછંદમાં લખાયેલ છે ને જે મોટા સ્કેલ પર લખાયેલ છે તેવું મારે પણ લખવું છે. જે મોડેલ હું શોધતો હતો તેનો સૌથી પહેલો અણસાર મને ‘માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્ય’ માં મળ્યો. માધવ અને કામકંડલા એવાં બે પાત્રો છે. માધવ બહુ સુંદર પુરુષ છે અને કામકંડલા નર્તકી છે. આમ તો ઉદયન કથાઓ કે જે વિક્રમ રાજા સાથે જોડાયેલી છે, તેની આખી વાત એમાં છે. આ કાવ્યએ મને ધક્કો માર્યો અને મારા મનમાં આવ્યું કે મારે આવું કંઈક લખવું… જો કે, આ તો બહુ લાંબું કાવ્ય હતું અને એટલું બધું લાંબું હું લખી શકું એવું મારું ગજું છે એવો આત્મવિશ્વાસ મારો હતો નહીં, પણ મને થયું કે શરૂ તો કરું. એટલે મેં એક ખંડ લખ્યો. એ લખતી વખતે હિન્દીના મોટા કવિ જયશંકર પ્રસાદનું ‘કામાયની’ મારાં વાંચવામાં આવ્યું. એનો પ્રારંભ એમ થતો હતો કે ‘હિમગિરિ કી ઉત્તુંગ શિલા પર બૈઠ…’ હિમગિરિની ઉચ્ચ શિલા પર બેઠેલો એક પુરુષ તેની ભીની આંખોથી આખા જગતને અવલોકી રહ્યો છે ! તો એક દ્રશ્ય આવ્યું મારાં મગજમાં અને એકાએક મારાથી લખાય ગયું :

વિવશ સાંજ નભ નિરાલંબ, નિસ્પંદ સમીર નિગૂઢ, એક યૌવના નતમુખ ઊભી, વ્યગ્રચિત્ત સંમૂઢ!

એમાં એક પુરુષની કલ્પના હતી તે અહીં સ્ત્રી થઈને અવતરી. જયશંકર પ્રસાદ તો બહુ મોટા કવિ ને ‘કામાયની’ તો મહાકાવ્ય કહેવાય..! બસ, તો શરૂઆત થઈ ગઈ આ રીતે ને સળંગ ચાલ્યું ને લગભગ છ શ્લોક થયા પણ પછી અટકી જવાયું. મને થયું કે મારે માધવાનલ કામકંડલા જેવું લખવું હોય ને હું અહીં જ અટકી જઉં તો કેમ સર્જન થશે? વચ્ચે વચ્ચે થોડું લખાય પણ પછી હું કાગળ બદલું-પેન બદલું-મને બધા મિત્રો-સ્નેહીઓ જન્મદિવસે આઠ-દસ પેન ભેટ આપે ને ડાયરી ભેટ આપે ને કહે કે આમાં તમે લખજો. પણ લખાય જ નહીં તેનું શું કરવું? આમ કરતાં કરતાં આખો દાયકો પસાર થઈ ગયો. અંદર બધું ઉપરતળે થયા કરે પણ કશું નક્કર નિપજે નહીં. એટલી બધી વિવશતા થયા કરે! એક તબક્કો તો એવો આવ્યો કે મને થયું કે મારી સર્જકતા ક્ષીણ થઈ ગઈ. હવે હું લખી શકું, એવી સ્થિતિમાં જ નથી. અંદર-અંદર પેલી નિજતાની શોધ અને તેનાં પર બાહ્ય આવરણોના સકંજાની ભીંસ વધવા લાગી. કોઈવાર તો એવું થાય કે હું લખી ન શકું, તો મને રડવું આવે! (આ વાતની તો કદાચ વિમલને પણ ખબર નથી) હું એકાંતમાં એકાદ ખૂણે બેસી આંસુ સારી લઉં ને કંઈ નથી લખાતું તેનો મને અત્યંત વસવસો થવા લાગે અને મને એમ થાય કે મારાં આટલાં ગીતો ગવાતાં હોય, મારી આટલી પ્રશંસા થતી હોય ને બધા મારા ફેન મારી પાસે ઓટોગ્રાફ માંગે ત્યારે મને અંદર પડઘાય કે ‘શું તું કાંઈ લખી તો શકતો નથી ને અત્યારે આ ઓટોગ્રાફ આપી રહ્યો છે?’ – આવી મારી અંદર વિડંબણાની પળ વીતવા લાગી. મને એ ભાર અસહ્ય થાય તેવી હદે અનુભવવા લાગ્યો! પછી મને થયું કે હું જો ભાષાથી સાવ છૂટી જ જઈશ તો હું કંઈ લખી જ નહીં શકું એટલે હું પછી વિવેચનો લખવા મંડયો, કાવ્યોના આસ્વાદો લખવા મંડયો ને કોલમ શરૂ કરી દીધી કે જેથી સળંગ લખવાનું ચાલુ રહે! પણ એ એકેયથી મને સંતોષ ના મળ્યો. મારી અંદર જે ક્રિએટીવીટી હતી અને એને જે કાટ ચડયો હતો તેને ઉતારવા માટે મારે કોઈ કાનસની જરૂર હતી. અને એમાં આ સુંદરકાંડનો પાઠ મારી મદદે આવ્યો હોય એવું હું માનું છું. સીધી તો મદદ મળી છે એમ નહીં કહી શકાય કારણ આ બધું સંચિત હોય છે પણ નહીં તો હું ચોપાઈમાં કશું લખત જ નહીં! પણ એ ચોપાઈમાં આવ્યું તે નક્કી..વળી થયું કે પહેલો ખંડ મેં લખ્યો હતો તેને જો હું ચોપાઈમાં બદલી નાખીશ તો મેં બાંધેલો આધાર વીંખાશે એટલે હું એને એમને એમ રહેવા દઉં ને પછીનું ચોપાઈમાં આગળ ધપાવું. એટલે આ સાત સર્ગનું કાવ્ય છે, સાતેય સર્ગમાં સાત ખંડ છે પણ પહેલા સર્ગના પહેલા ખંડને મેં જે રીતે લખાયો હતો એમ જ રહેવા દીધો! કારણ એમાંથી જો દુહો નીકળી જાય તો હું લટકી જઉં! એ પંક્તિઓ પૂરેપૂરી ચોપાઈની નથી કારણ તેમાં પાંચ માત્રાઓ ઓછી છે. છેલ્લી પાંચ માત્રા ‘લગાગા’ ઓછી છે, પણ એને મેં એમ જ રહેવા દીધી પણ પછીનો જે ખંડ આવ્યો તે ચોપાઈ સ્વરૂપે લખાવા લાગ્યો!

ભદ્રાયુ : વિનોદભાઈ, આ સમગ્ર સર્જન અહીં ગુજરાતમાં કે ભારતમાં જ થયું?

વિનોદ જોશી: નવાઈની વાત એ છે કે અટકી ગયા પછીનું કાવ્ય અહીં ભારતમાં નહીં પણ ઓસ્ટ્રેલિયામાં આગળ ચાલ્યું.

ભદ્રાયુ : વિનોદભાઈ, એનો અર્થ એ થયો કે આ પ્રબંધ કાવ્યનો વિચાર બૃહન્નલામાંથી ઉતર્યો, એનો ધ્વનિ વળી સુંદરકાંડમાંથી મળ્યો, એનું બંધારણ માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્યમાંથી પકડાયું, એનો પ્રારંભ ‘કામાયની’ માંથી સૂઝી આવ્યો ને બધાંનું સંમિલન થયું ને તમારી પેલી આઈડેન્ટીટીની ખોજ કે નિજતાની શોધ માટેની મથામણ તો વળી ખુદ સૈરન્ધ્રીમાંથી મળી આવ્યાં એવું બન્યું ને? અને એટલે જ તમારું મન કદાચ ‘સૈરન્ધ્રી’ માં ઠર્યું હોય એવું કહેવાય?

વિનોદ જોશી : હા, એ ખરું, એવું કહેવાય પણ એવું તો તમે અર્જુનમાં પણ રોપી શકો, યુધિષ્ઠિરમાં પણ રોપી શકો પણ સૈરન્ધ્રીની વ્યક્તિમત્તા પેલાઓ કરતાં જુદી છે. દ્રૌપદીનું પોતાનું અર્જુન કે ભીમ પ્રકારનું વ્યક્તિત્વ નથી. દ્રૌપદી તમને હંમેશા લાચાર સ્થિતિમાં જોવા મળશે. એને કૃષ્ણ મદદ કરવા આવે ને એને ભીમ મદદ કરવા આવે કે બીજા કોઈ મદદ કરવા આવે, એટલે કે દ્રૌપદીને મદદ કરનારો એક આખો વર્ગ છે. જયારે પેલા મદદ લેનારા નથી, મદદ કરનારા છે, તો એ રીતે સૈરન્ધ્રી વધુ ધારદાર પાત્ર છે. અને એથી સૈરન્ધ્રી પર સર્જન થયું એમ માની શકાય.

ભદ્રાયુ : એટલે વિનોદભાઈ, આપણો જે એક અજ્ઞાત ખૂણો જે સતત યાદ અપાવ્યા કરે છે કે હું અજ્ઞાત છું ને આપણે જે એક શોધ કરી રહ્યા હતા તે દ્રૌપદીનો અજ્ઞાતવાસ એ સૈરન્ધી છે, એટલે એ આપણને પોતીકો લાગ્યો હોય ને આપણું મન તેમાં ઠર્યું હોય. કદાચ એટલે જ અહીં ભારતમાં સર્જકના મનમાં જે ઠર્યું તે ઓસ્ટ્રેલિયા જઈને અવતર્યું…!

વિનોદ જોશી : મને એમાં એક યોગાનુયોગ પણ લાગે છે કે ભારતીય પરિવેશમાં દ્રૌપદીએ સૈરન્ધ્રી બનીને જ રહેવું પડે તેવી સ્થિતિ હતી, જયારે ઓસ્ટ્રેલિયામાં દ્રૌપદી ‘દ્રોપદી’ બની શકી. પોતાને સૈરન્ધ્રી રૂપે જોનારી દ્રૌપદી ત્યાં પોતાને દ્રૌપદી રૂપે પામી શકી. એટલે એ સ્થાનવિશેષનાં જે લક્ષણો છે એ હું આ સર્જનમાં જોઈ શકું. અહીં ખંડમાં હતું તે ત્યાં અખંડ થયું. નવાઈની વાત એમ છે કે માર્ચ-એપ્રિલ ૨૦૧૭માં હું ત્યાં ગયો ત્યારે મેં ત્યાં ત્રણેક સર્ગ લખ્યા પછી ભારત આવવાનું થયું. મને હતું કે હવે સારી રીતે શરૂ થયું જ છે તો ભારત જઈ સરસ રીતે આગળ ચાલશે પણ આશ્ચર્ય વચ્ચે ભારત આવ્યા પછી કશું જ આગળ ન વધ્યું અને ફરી પાછો મૂંઝારો વધ્યો. કારણ શરૂઆત થઈને ફરી પાછું અટકયું! પણ ફરી પાછું સમયપત્રકમાં ન્હોતું તો પણ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયા જવાનું થયું ને ત્યાં અધુરું કાર્ય પૂરું થયું! એટલે, આ ચમત્કાર તો શું કહીએ પણ દોઢ દાયકાની અહીંની મથામણ કુલ ત્રણેક મહિનામાં ‘સૈરન્ધ્રી’ થઈને ઓસ્ટ્રેલિયામાં અવતરી!

ભદ્રાયુ : વિનોદભાઈ, સૈરન્ધ્રી પ્રબંધ કાવ્ય પૂર્ણ થયા પછી પૂછું કે તમારી આ સર્જનયાત્રા વિશિષ્ટ પડાવો સાથે આગળ ધપી. શરૂઆતમાં અટકયા, પછી શરૂ થયું. નહોતું આવતું તો મૂંઝારો થયો, ફરી અટકયા ને ફરી આગળ ધપી પૂર્ણ થયું. જયારે ન્હોતું લખાતું ત્યારનો મૂંઝારો તમે વર્ણવ્યો પણ જયારે સર્જન થવા લાગ્યું ત્યારની તમારી મન:સ્થિતિ કેવી રહી?

વિનોદ જોશી: બહુજ સુંદર પ્રશ્ન છે. મને થયું કે હવે આ અટકશે નહીં. મને ખાત્રી થઈ ગઈ કે હવે આ પ્રવાહ ચાલશે એટલે જો હું એને નિયંત્રિત નહીં કરું તો એ મને એની રીતે ફંગોળ્યા કરશે અને બનશે એવું કે હું એને વશ થઈ જઈશ. કદાચ રચના પોતે જ ઈચ્છશે તેવું મારી પાસે લખાવડાવશે, એવું મને સમજાવા લાગ્યું. એટલે મેં પછી મારો સકંજો એના પર લગાવ્યો કે મારે આ કાવ્ય એની રીતે ચાલ્યા જ કરે એટલું લાંબું નથી કરવું. મારે એટલું ટૂંકું પણ નથી કરવું કે જેથી કરીને મારે જે કહેવું છે એ અધુરું રહી જાય. એટલે મેં એનું ગણિત માંડી દીધું મારે સાત સર્ગથી વધારે આગળ નથી વધવું.

            સાત સર્ગ તો ખરા પણ દરેક સર્ગ નાના-મોટા તો હોય શકે ને? પહેલો સર્ગ નાનો હોય ને બીજો સર્ગ તેનાથી ચાર ગણો થાય તો ? તો એવું અનિયમિત પણ નથી થવું એની એક સરસ ડિઝાઈન હોવી જોઈએ. અહીં આર્ટીસ્ટની સાથે એક ક્રાફટમેન આવે છે એ આ નક્કી કરે છે કે સાત સર્ગ, સાતેય સર્ગમાં સાત ખંડ, અને સાતેય ખંડમાં નવ શ્લોક…. હવે, મારી પાસે ફ્રેમ તૈયાર થઈ ગઈ. હવે જે નવ શ્લોક છે તેમાંના પહેલા આઠ ચોપાઈના ને નવમો શ્લોક આવે તેમાં બે દોહરા…! ચાર પંકિત એટલે બે દોહરા. આવું એક મોડેલ મેં મારા મનમાં નક્કી કરી લીધું. એ પ્રમાણે મારે આગળ ચાલવાનું હતું ને આખું કાવ્ય તો મારી અંદર આવી જ ગયું હતું.. એટલે મારે એ જ નક્કી કરવાનું રહ્યું કે કયા પ્રસંગને કેટલા ખંડમાં – કેટલી ચોપાઈમાં સમાવવો, તેનું નિબંધન મેં બરાબર વિચારી લીધું. આમ એની ડિઝાઈન તૈયાર થઈ જેને મેં લખતી વખતે એક શિસ્ત તરીકે સ્વીકારી લીધી.

તમે જોશો કે આ કાવ્યમાં મત્સ્યવેધનો જે પ્રસંગ છે એમાં કર્ણ જે મત્સ્યવેધ કરે છે એ વાતને મેં એન્લાર્જ કરી છે, જયારે અર્જુન મત્સ્યવેધ કરે છે એ વાત મેં બે પંકિતમાં પૂરી કરી દીધી છે. મેં નક્કી રાખ્યું હતું કે અર્જુન નહીં, મારું લક્ષ્ય કર્ણ છે. એટલે અર્જુનની વાત મારે સંક્ષિપ્તમાં કરી દેવી છે કે તેણે મત્સયવેધ કર્યો, પણ કર્ણ મત્સ્યવેધ કરવાનો છે, એ શક્તિશાળી છે, એ માત્ર રમત હોય એવી રીતે એ કરી શકવાનો છે અને કોઈ પરાક્રમ કરવાનું બહાનું લઈને એ આવ્યો છે એવું નથી, એ સ્વયંવર માટે આવ્યો છે એવું પણ નથી એમ બતાવવા માટે મેં કર્ણને ઉપસાવ્યો. અહીં આમ કરવાનું કારણ સ્પષ્ટ છે કે મારા મનમાં અર્જુન હતો જ નહીં, પણ કર્ણ હતો. અર્જુન હોત તો તો હું ‘બૃહનલ્લા’માં જ આગળ વધી શકયો હોત. દ્રૌપદીને પોતાની શક્તિનો પરિચય આપવાનો કોઈ અવકાશ મળ્યો ન હતો કારણ આ પાંચમાંથી કોઈ બાજુમાં દોડી જ આવે ને મારે તો દ્રૌપદીની નિજતાને બહાર લાવવી હતી. હા, દ્રૌપદીને અવકાશ મળેલો પણ એ તો કોઈની ઉપેક્ષા કરવાનો, કોઈની વિડંબના કરવાનો પણ ના, એ માત્ર એમાં જ સીમિત ન હતી, એ તો અગ્નિ જન્ય સ્ત્રી છે ને યૌવનારૂપે જન્મી છે, દૌપદીને શૈશવ છે જ નહીં, તો પછી એ વખતે એમની જે અંગાંગ તરંગિત મુદ્રા હોય એ સામાન્ય સ્ત્રી જેવી ન હોય. અગ્નિકન્યાની પોતાની ઓજસભરી આભા છે. તો મને એવી દ્વૌપદી પસંદ ન હતી. મને ખબર હતી કે સૈરન્ધ્રી તરીકે રહેલી દાસી એ દ્વૌપદી પણ એ ‘દ્રૌપદી’ જ છે, એ દાસી નથી! નામ સૈરન્ધ્રી છે, પણ છે તો એ દ્વૌપદી જ. ક્ષણે ક્ષણે અનુભવે છે કે હું કોણ છું? હું દ્રુપદદુલારી છું, હું યાજ્ઞસૈની છું, હું અવતારી છું, આવું બધું જે એનાં મનમાં આવ્યા કરે ત્યારે એ મૂંઝાય છે કે અહીંયા બધા મને દાસી-દાસી કહ્યા કરે છે એ દાસત્વ શું છે ? જો દાસત્વ એક વર્ષ પુરતું જ હોય તો પછી પણ હું તો દાસ જ છું ! અને આ આખી વાત સમગ્ર માનવજાતને લાગુ પડે છે. આ રીલેવન્ટ છે આજના મનુષ્યના વીતક સાથે! આ એવું છે જે શાશ્વત છે. કવિતામાં જે સનાતન નહીં હોય એ નહીં ટકે. મારે, આજના કવિને, મહાભારતમાંથી શું કામ આ લાવવું પડે છે? હું સ્પષ્ટ છું કે મહાભારતના કવિની કટોકટી પણ આજના જેવી જ હતી એટલે એ પાત્ર અહીં મદદ કરે છે.

ભદ્રાયુ : વિનોદભાઈ, તમે સાત સર્ગ ને સાત ખંડ એવી એક ફ્રેમ બાંધી તો મને કહેશો કે તમે પ્રસંગોને પણ બાંધ્યા કે ના, એ સહજ રીતે આવ્યા?

વિનોદ જોશી: તમે સરસ વાત પૂછી. એમાં મને થોડું કહેવું ગમશે. આપણી જે અવઢવ છે This OR That અથવા Here OR There આવું જે આપણી અંદર ચાલતું હોય છે, આપણું કોઈ પ્લેસમેન્ટ નથી. આપણે એ જ વિચારીએ છીએ કે આમ જવું કે તેમ જવું? તમે કયાં છો એ તો તમે વિચારતા જ નથી! મનુષ્યની આ બહુ મોટી વિડંબના છે. તમે ક્યાં છો એ વિચાર્યા વગર કયાંથી આવ્યા ને કયાં જવાના એ જ અવઢવમાં આપણે જીવીએ છીએ. એટલે મેં ઉંબરને મારું પ્રતીક બનાવ્યું છે ત્યાંથી અંદર પણ આવી શકાય છે ને ત્યાંથી બહાર પણ જઈ શકાય છે. સવાલ એ છે કે તમારી પીઠ કઈ દિશાએ છે?……. સૈરન્ધ્રી ઘડીક અંદર જતી હોય તો ઘડીક બહાર જતી હોય!

ભદ્રાયુ: વિનોદભાઈ, તમે એક સ્થળે ટાંકયું છે તે સૂચક છે કેઃ ‘દ્વાર અંદરથી ખુલ્યાં!

વિનોદ જોશી: હા, તમે સારી રીતે નોંધ્યું છે. એ સિમ્બોલ છે ઉંબર..…. જો કે, મેં બહુ બધું એનાલિસીસ કરીને નથી લખ્યું. પ્રસંગો – ઘટનાઓ – બનાવો તો એની મેળે આવતા ગયા. પણ હા, કોઈ સર્ગ પૂરો થવામાં હોય તો હું સજાગ થઈ જઉં કે એ સર્ગમાં અંતે મારી કોઈ વાત કહી દેવી છે કે કોઈ સ્થિતિનું સર્જન કરી દેવું છે. તો હું તે મુજબ સર્ગને સમાપન માટે રચું એ જુદી વાત છે. અને એવી રીતે એને એક છેડો બહાર કાઢું ને પેલો છેડો હોય તેને વાઈન્ડ અપ કરી લઉં… રચનાકળાનો આ કીમિયો છે કે તમારો સર્ગ કે તમારો ખંડ પૂરો થતો હોય ત્યારે કોઈક એવો પંચ આપવો જોઈએ કે એમાં આગલા ખંડનો કોઈ સંકેત હોય કે હવે પછી જે થવાનું હોય તેની પણ તેમાં કોઈ વાત હોય. આપણે ત્યાં આખ્યાનોમાં જે વલણો આવે છે એ રીતે જ મેં કાળજી લીધી છે. બીજું કે દોહરા છે તે અહીં કડી રૂપે છે. દોહરાથી મોનોટોની તૂટે, કારણ એક જ છંદમાં વાત ચાલતી હોય તો જે મોનોટોની આવતી જાય તેને દોહરાથી હું બદલતો રહ્યો, આવી મેં ચીવટ રાખી.

ભદ્રાયુ: વિનોદભાઈ, સૈરન્ધ્રી કાવ્ય એ પ્રબંધ કાવ્ય શા માટે ગણાય ?

વિનોદ જોશીઃ મધ્યકાળમાં પ્રબંધ કાવ્યો રચાયાં છે, ખાસ કરીને જૈન સર્જકો દ્વારા ઘણાં પ્રબંધો આપણને મળ્યા છે. પદ્યનાભ નામનો જે કવિ થયો એમણે ‘કાન્હડદે પ્રબંધ’ નામની કૃતિ લખી છે. પ્રબંધમાં કથાનક હોય અને વિસ્તૃત રીતે તેનું આલેખન થયું હોય, વ્યાપક પટ પર એની વાત મૂકાઈ હોય એને પ્રબંધ કાવ્ય કહે છે એવી એક સમજ છે. પ્રબંધ મૂળભૂત તો કથાઓમાં રહેલા છે. આખ્યાન પ્રકાર છે એમાં જે કહેવાયું હોય એ સામગ્રી હોય જયારે કથા હોય એ કલ્પનાથી પ્રબંધાયેલી હોય એટલે કે એમાં રચવાનો ભાવ હોય..… આખ્યાયિકા ઉપલબ્ધાર્થા પ્રબંધઃ કલ્પના કથા R એટલે કે તમારે કંઈક નવું રચવું છે જે ઉપલબ્ધ થયેલું નથી પણ તમે કંઈક રચી રહ્યા છો તે કરો તેનું નામ પ્રબંધ…. મેનેજડ કે ફ્રેમ્ડ… મેં પહેલેથી આને પ્રબંધ કાવ્ય તરીકે જ રચવા ધારેલું અને મેં એમ જ તેમાં આગળ વધવાનું આયોજન કરેલું.

ભદ્રાયુ : આ અગાઉ કોઈ પ્રબંધ કાવ્યો રચાયાં છે ? નજીકનાં ભૂતકાળનાં પ્રબંધ કાવ્યો કયાં?

વિનોદ જોશી : જૈન સર્જકો દ્વારા જરૂર રચાયાં છે. બારમી-તેરમી-ચૌદમી સદીમાં જે જૈનગ્રંથો આપણને મળ્યા એમાં કામ થયું છે. અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ જયાંથી થયો, દલપતરામ નર્મદથી થયો એમ ગણીએ તો એમાં આટલી સફાઈદાર સંરચનાવાળી કોઈ કૃતિ લખાય નથી, પણ ન્હાનાલાલે મહાકાવ્ય લખવાનો પ્રયાસ કરેલો, ‘હરિસંહિતા’ નામનું મહાકાવ્ય ન્હાનાલાલે લખ્યું, જે તેમનાં અવસાનથી અધૂરું રહ્યું. પણ એ સૈરથી માં જે એક આયોજિત રચના છે, સ્કીલ છે, મેનેજડ આઉટલાઈન છે તે નથી. અહીં સર્જક તરી રહેલ છે પણ એક સ્વીમીંગ પુલમાં એ તરી રહેલ છે, જે પોતે બનાવેલો છે, જે કયાંક ઊંડો, કયાંક છીછરો, કયાંક એનું પાણી બદલ્યા કરે છે પણ એ મેનેજડ છે, કારણ એનાં માપમાં ફેરફાર નથી થતો, પણ તમારું તરણ જાતભાતનું હોઈ શકે. એમાં તમે આ છેડેથી કે પેલે છેડેથી કે વચ્ચેથી કે ઉપરથી કે તળથી તમે તરો છો, પણ એની આજુબાજુ બંધન તો છે જ, નિશ્ચિત બંધન છે.

ભદ્રાયુ: વિનોદભાઈ, આ કાર્ય ઓસ્ટ્રેલિયામાં પૂરું થયું પછી તમે તેને રીવાઈવ કરવાનો કે રીવિઝિટ કરવાનો પ્રયાસ કર્યો? તેમાં કંઈ ફળ મળ્યાં?

વિનોદ જોશી : હા, જરૂર કર્યો, અને તેનાં ઘણાં સારા ફળ મળ્યાં. જુઓ, મેં મારું ધૈર્ય તો જાળવી રાખ્યું હતું. મારો બહુ ઉમળકો છલકયો કે ‘ચાલો એક કામ પાર પાડયું’ એવો કંઈ ભાવ ન હતો. કાવ્ય તો આવી ગયું હતું ને મારે તો ક્રાફટમેનશિપની અદાથી બાકીનું કામ કરવાનું હતું. કારણ નિંભાડો તો અંદર પાકી જ ગયો હતો, એ ખુલે એની જ રાહ હતી. અને એ ઓસ્ટ્રેલિયામાં ખુલ્યો, અહીં ખુલવાના બદલે..! એટલે હું ભાવવિભોર ન હતો. પરંતુ મને થયું કે જે ચોપાઈ અને દોહરામાં હું લખી રહ્યો છું, જે ગુજરાતીમાં હું લખી રહ્યો છું એ સંસ્કૃતથી પુરસ્કૃત છે અને ગુજરાતી ભાષામાં ચોપાઈ કે દોહરા તો છે જ નહીં; તો મારે ટેસ્ટ કરવો જોઈએ કે જે લખાયું છે તે યોગ્ય થયું છે કે કેમ અથવા મારી વાત બરાબર પહોંચે છે કે કેમ ? એવો ટેસ્ટ હું ત્યાં ઓસ્ટ્રેલિયા બેઠાં તો કેમ કરી શકું? એટલે એવું વિચાર્યુ કે જે કોઈ સામયિકમાં આ કાવ્ય છપાય અને તેના પ્રતિભાવો મને મળે તો મને ખાતરી થાય કે મેં જે લખ્યું તે બરાબર છે કે નહીં. એટલે ઓસ્ટ્રેલિયાથી મેં સંપર્ક કર્યો ‘નવનીત-સમર્પણ’ના સંપાદક દીપક દોશીનો. ઈમેઈલ કર્યો ને મોકલ્યું આખું કાવ્ય. લખ્યું કે ઘણાં વખતથી મારી અભિલાષા હતી તે કાવ્ય થયું છે તે જો યોગ્ય લાગે તો ‘નવનીત-સમર્પણ’ છાપે તેવી મારી વિનંતી છે. એનો તરત જ બીજે જ દિવસે ઈમેઈલ આવ્યો કે: હું કાવ્ય વાંચી ગયો છું ને અમારે એ છાપવું જ છે, પણ ‘નવનીત-સમર્પણ’ની પૃષ્ઠ મર્યાદા નડે છે. આટલું લાંબું કાવ્ય હું એક અંકમાં તો છાપી શકું તેમ નથી, એટલે તમે જો એનો વ્યવહારૂ રસ્તો સૂચવતા હો તો આપણે એમાં આગળ વધીએ. હું નહીં છાપું તો બીજા કોઈ તો છાપવાના જ છે, પણ મારે મારા હાથમાંથી એ જવા નથી દેવું…. એવું એમણે લખ્યું! મેં વિચાર્યું કે જો મારે આ કાવ્ય પરની પ્રતિક્રયાઓ જ જોઈએ છે તો પછી મારે આ કાવ્ય કોઈ એવાં સામયિકને નહીં આપવું જોઈએ કે જે આ કાવ્યનો વિશેષાંક કરી એક સાથે છાપે, અને તેના બસો જ વાચકો હોય. મારે એ સામયિકને જ આ કાવ્ય સોંપવું જોઈએ કે જેના સર્વસામાન્ય વાચકો હોય અને જેમાંથી મને પ્રતિક્રિયા પણ મળી શકે. તો એવું તો ‘નવનીત-સમર્પણ’ જ છે, જે પૂરેપુરું આ ઉદ્દેશ માટે બિફીટીંગ છે. પછી મેં એવો વ્યવહારુ રસ્તો કાઢ્યો કે ‘નવતીત-સમર્પણ’ની સાઈઝને અનુકૂળ લે-આઉટ કર્યો ને સર્ગ બધા છૂટા કરી દીધા, મેં એટલું કોમ્પ્રોમાઈઝ કર્યું જેથી કરીને ધારાવાહિક રીતે સાત સર્ગ સાત મહીના સુધી દરેક અંકમાં છપાય! એવું આયોજન કર્યું કે જે દીપક દોશીને અનુકૂળ આવ્યું. મેં એમ પણ કહ્યું કે જો માર્ચ-૨૦૧૮ના અંકથી તમે શરૂ કરી શકો તેમ હો તો છાપો અને એમણે એ પણ સ્વીકાર્યું. માર્ચ થી શરૂ થયું પછીતો હું બંધાય ગયો કારણ માર્ચમાં પહેલો સર્ગ છપાય એટલે મારે બીજા સર્ગ ફાઈનલ કરીને એમને મોકલવાના જ થયા..! પહેલા સર્ગના પ્રકાશિત થયા પછી મને જે પ્રતિભાવો મળવા લાગ્યા એ પરથી મને થયું કે કાવ્ય પહોંચ્યું તો છે. પછી જેમના જેમના અભિપ્રાયો મળ્યા એમાં કોઈ વિદગ્ધ હોય કે કોઈ સરેરાશ ભાવક હોય કે વયભેદવાળી વ્યકિત પણ હોય એ બધા જે કહેતા રહ્યા એ બધાં જ સૂચનો હું બહુ વિનમ્રતાથી સ્વીકારતો ગયો અને એ રીતે મને લાગ્યું કે મારે હજુ આમાં કેટલાક ફેરફારો કરવાની જરૂરત લાગે છે. કવિતાની કમનશીબી ગણો તો એ છે કે પહેલો સર્ગ પ્રસિદ્ધ થયો માર્ચ મહીનામાં એ મેં જે મૂળ લખેલો તે જ છપાયો પણ બીજો સર્ગ છપાય તે પહેલાં મને ઘણાં સૂચનો મળી ગયાં હતાં એટલે મેં શરૂઆતથી આખું કાવ્ય મોકલ્યું હોવા છતાં, મેં દીપક દોશીને કહ્યું કે હું તમને ફરી એક-એક સર્ગ આખરી સ્વરૂપ આપી મોકલતો જઉં તે તમે છાપતા જજો, મેં શરૂઆતમાં મોકલેલું આખું કાવ્ય નહીં! ભાવકના પ્રતિભાવોના આધારે ફેરફાર કરી હું પુનર્વાચન કરતો ગયો ને ચકાસતો ગયો કે આ યોગ્ય લાગે છે? કેટલીકવાર એવું લાગ્યું કે આનું પુનરાવર્તન ટાળવું જોઈએ તો ક્યારેક એવું ય લાગ્યું કે ના, આવું પુનરાવર્તન થવું જોઈએ, તો મેં એ મુજબ કર્યું, અને બીજા સર્ગથી મેં ફેરફારો કરતા રહેવાનું કાર્ય હાથ ધર્યું. ત્રીજા સર્ગનાં પ્રકાશન પછી તો મને ઘણા બધા પ્રોત્સાહક પ્રતિભાવો મળવા લાગ્યા. ‘આ તો ઘણું નવું કામ થયું છે’, ‘ચોપાઈ ને દોહરામાં તો પ્રથમવાર આમ કાવ્ય લખાયું છે’, ‘ચોપાઈ અને દોહરાનું નવું રૂપ તમે લાવ્યા છો’, ‘આવું તો અગાઉ કયારેય જોયું નથી’, વગેરે વગેરે પ્રતિક્રિયા મળવા લાગી. પરંતુ હું અહીં મૂંઝાયો. મને થયું કે આ બધા વખાણે તો છે પણ મારે આ કાવ્ય કોઈ એવી વ્યકિતને પણ મોકલવું જોઈએ કે જે મને મોઢામોઢ એમ કહે કે ના, આ બરાબર નથી. તો એવા જે દુરારાધ્ય ગણાતા હોય તેવાને હું મોકલું. એટલે મેં લાભશંકર પુરોહિત, ચંદ્રકાંત ટોપીવાળા, સુમન શાહને મોકલ્યું ને કહ્યું કે તમે આ વાંચો અને તમારો ક્રિટીકલ રીવ્યુ મને આપો.

પછી તો હું ભારત આવી ગયો એટલે હું બધાનો રૂબરૂ સંપર્ક કરી શકું એમ હતો. સુમન શાહના ઘરે થોડા મિત્રો વચ્ચે વાચન કર્યું, તો મને જ કેટલાક ફેરફારો સૂઝયા ! એક મહત્વનું સૂચન આવ્યું કે આમાં ફારસી ભાષાના શબ્દો આવે છે! ‘સૂર્યોદયની નોબત વાગી’ એવી એક પંકિત આવે છે. ‘નોબત’ તો મોગલકાલિન વાદ્ય છે અને એ મહાભારતકાલિન પૌરાણિક સંદર્ભમાં કેવી રીતે મેચ થાય ? તો આ ક્રોનોલોજિકલ કોયડો હતો કે જે ટકી ન શકે. મેં પછી ‘સૂર્યોદયની ઝાલર વાગી’ એવો ફેરફાર કર્યો. આવા મેં ઘણા શબ્દો બદલ્યા. મને સમજાયું કે મેં લખતી વખતે તો વિચાર્યું જ ન હતું કે આટલા બધા ફારસી શબ્દો આમાં આવી ગયા છે! પછી મેં ફારસી શબ્દો શોધી આપવાનું કામ કેટલાક મિત્રોને સોંપ્યું, ને વોટસએપથી એ મેળવ્યા. અને પછી તેના વૈકલ્પિક શબ્દો શોધ્યા ને પાછા એ છંદમાં બેસે એવી રીતે તેને ગોઠવ્યા.. ક્યાંક પંકિતઓ પણ બદલી, કેટલાકે મને એમ કહ્યું કે આમાં ‘મુજ-તુજ-કેરું આવું બધું જે આવે છે તે આપણી જૂની ઘરેડને લગતું લાગે છે અને એ સારું નથી લાગતું. મને લખતી વખતે આ વિચાર તો આવેલો પણ ત્યારે મેં વિચારેલું કે હું જે કવિતાનાં ટેકે આજે ઊભો છું એને પણ હું આદર આપું એટલે મેં ‘કેરું-તણું-મુજ-તુજ’ લખેલું, પણ પછી એક નહીં આવા બે-ચાર સૂચનો આવ્યાં એટલે મેં તેને નિવારવાનું નક્કી કર્યું ને તે મુજબ થઈ ગયું. આ રીતે મેં મારો બધો મેદ ઓગાળી નાખ્યો. પછી મેં છાનબિન શરૂ કરી શબ્દોની. ઉદા. તરીકે ‘મઝધાર’ શબ્દ છે એ ફારસી છે એમ કોઈએ કહ્યું તો હું એના ગોત્ર શોધવા લાગ્યો, તો મને જાણવા મળ્યું કે ‘મધ્યધારા’ પરથી ‘મઝધાર’ શબ્દ આવ્યો છે એટલે એનું મૂળ તો સંસ્કૃત છે. આવું શબ્દ સાથેનું કન્ફ્રાન્ટેશન હજુ ચાલે છે, આજે પંદર ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ આ વાત કરીએ છીએ તો હજુ ત્રણ દિવસ પહેલાં મને હરિશ્વન્દ્રભાઈએ કહ્યું કે આમાં ‘અંદર’ શબ્દ કેટલી બધી વાર આવે છે અને એ તો ફારસી શબ્દ છે. મેં કીધું : ‘અરે, અંદર ક્યાં ફારસી છે?’ તો એ કહેઃ ‘આપણે ‘અંદરની’ એમ નથી બોલતા?’ તો ત્યાં ને ત્યાં સાથે જોડણીકોષ જોયો ને એ શબ્દ ફારસી નીકળ્યો! આતો બદલવો પડે, જો આપણે એક શિસ્ત સ્વીકારતા હોઈએ તો એ બધે જ લાગું કરવી રહે. હવે જુઓ, આ આખું કાવ્ય મેં કોમ્પ્યુટર પર લખ્યું છે, કાગળ પર નથી લખ્યું લેપટોપમાં ‘ફાઈન્ડ-રિપ્લેસ’ની જે સગવડ છે તેના આધારે જાણ્યું કે ‘અંદર’ શબ્દ કુલ અગિયાર જગ્યાએ મેં વાપર્યો છે. આ દરેક જગ્યા મેં ચકાસી લીધી ને ત્યાં ‘ભીતર’ શબ્દ બેસે છે કે નહીં તે તપાસીને મેં ‘ભીતર’ શબ્દ મૂકયો ને ‘અંદર’ શબ્દ દૂર કર્યો. કેટલીક જગ્યાએ તો ‘ભીતરમાં ભેદી ભણકારા’ આવી સરસ પંકિત પણ થઈ ગઈ! આમ એનું અનુરણન જળવાયું! આ આખાં કાવ્યની મજા જે છે એ એનું આંતરસંગીત છે, એના વિષે તો બહુ નિરાંતે વિગતે વાત થઈ શકે કારણ કે એના વર્ણનું જે સૌંદર્ય છે તે આમાંની એંશી ટકા પંકિતઓમાં છે, એ સમૃદ્ધ છે ને સહજ પણ છે, કયાંય કશાં દબાણ વગરનું છે. હા, એક-બે જગ્યાએ મેં તોડ-મરોડ કરેલ છે એ મને ખબર છે અને એટલી સ્વતંત્રતા તો સર્જકને હોય જ પણ એનું વર્ણન-સૌંદર્ય સચવાય એની મથામણ તો મેં બહુ કરી છે. આમ પોઝીટીવ પોસ્ટમોર્ટમનો તબક્કો પણ ઘણો કાળજીપૂર્વક આગળ ધપ્યો છે.

ભદ્રાયુ : એટલે સૈરન્ધ્રીમાં જે ફલેશબેક આવે છે ને સસ્મૃતિસંદૂક ખુલે છે તે આ પ્રબંધ કાવ્યની રચનામાં પણ થયું છે.

વિનોદ જોશીઃ  બહુ સાચું. એનું જાહેર પઠન પ્રથમવાર વિશ્વકોષ, અમદાવદમાં મેં કર્યું અને બધાએ બહુ જ પ્રભાવથી તેને આવકાર્યું. તેને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું ને જયારે એ પૂર્ણ થઈને સૌ વિખેરાયા ત્યારે જાણે એક પ્રકારનો સન્નાટો છવાયો! કોઈ બોલે તો પણ એક પ્રકારના ભાર નીચે હોય એવું લાગ્યા કરતું હતું. એટલી કવિતા પહોંચી ગઈ હતી, પણ એ વખતે મને એમ થયું કે સૈરન્ધ્રીનો મેં જે અંત કર્યો છે તેમાં મેં મારી કવિ તરીકેની સત્તા વાપરી છે. આવી રીતે મારા ભાવકને મારે વશ કરવાનો મને કોઈ હક્ક નથી, ભાવક સ્વયં જો મારી સાથે આવતો હોય તો વાત જુદી છે પણ હું એમ કહી દઉં કે ‘સૈરન્ધ્રીનું પછી આમ થયું’ તો એ બરાબર ન કહેવાય. એટલે મને વિચાર આવ્યો કે ઓપન એન્ડેડ અંત થઈ શકે કે નહીં ? આ વાત મારે કરવી તો કોની સાથે કરવી? ચંદ્રકાંત ટોપીવાળાને મેં અગાઉ સ્ક્રીપ્ટ મોકલેલી. એટલે એમને વિનંતી કરી એમનાં ઘરે જઈ એમની સાથે બેસી લગભગ અઢી કલાક ચર્ચા-સંવાદ ઊમળકાથી કર્યા. એમણે પોતે કરેલા સુધારા વાંચ્યા ને કહ્યું કે, ‘આ સુધારા તમને યોગ્ય લાગે તો કરો, નહીં તો તમારી મરજી પણ મને તો આમ લાગ્યું છે !’ ટોપીવાળા સાહેબ જે સુધારો વાંચે તે પછી હું કહું: ઉભા રહો, એ પંકિત મેં કેમ સુધારી છે તે સાંભળો અને બનતું હતું એવું કે અમારી બન્નેની નવી પંક્તિ લગભગ લગભગ સરખી હોય! એક-બે જગ્યાએ મેં વધારે સારું કર્યું હોય ત્યાં તેમણે કહ્યું કે, ના તમે જે સુધાર્યું છે તે જ બરાબર છે. આવી રીતે ફ્રેન્ક ઈન્ટરેકશન પણ થયું. ટોપીવાળા જેવા આમ દુરારાજય કહેવાય એમના વિવેચનમાં તો કોઈ શંકા હોય જ શકે નહીં. એમની સાથે મેં કાવ્યના અંત વિષે ચર્ચા કરી. એમનું તો સ્પષ્ટ માનવું હતું કે સમાપન તો ઓપન એન્ડેડ જ હોવું જોઈએ. જગતની કોઈપણ મહાન કૃતિઓ જોશો તો તેનો અંત ઓપન એન્ડેડ જ હશે! એટલે મને ખ્યાલ આવ્યો કે હા, એવું જ છે. મહાભારત પોતે જ એમ છે. પાંડવો જીત્યા ને હિમાલયગમન કરે છે ને પાછળ જે રહ્યું તેનું શું થયું? હસ્તિનાપુરનું શું થયું? બધા પ્રશ્નો તો આપણે જ ઉકેલવાના, ઓપન એન્ડેડ જ રહે છે. એટલે મેં પણ સૈરન્ધ્રીના અંતમાં ફેરફાર કર્યો. પહેલાં અંત એવો હતો કે વિરાટ રાજા  દ્રૌપદીને ચિતા પર ચડાવી, સળગાવી દેવાની સજા કરે અને ચિતાને અગ્નિ આપવામાં આવે પણ અગ્નિ કાષ્ટને સ્પર્શે નહીં, પણ પછી સૈરન્ધ્રી પોતે જ એમ વિચારે કે હું પોતે જ અગ્નિપુત્રી છું અને આ બધા હત્યારી ગણે છે. હકિકતમાં તો હું સ્ત્રીનું વ્યક્તિત્વ પામી છું એટલે પોતે જ અગ્નિ ચાંપીને બળી જાય છે ને જે રાખ થઈ તેને બધા લોકો ભસ્મ ગણી તિલક ગણી માથે ચડાવી વિખેરાય જાય છે! આવું મેં કરેલું, પણ પછી મને જ એ એટલું બધું વિચિત્ર લાગ્યું કે આવું શા માટે કરવાનું? આ બધું ગોઠવાયેલું હોય એવું મને પછી લાગ્યું. દ્વૌપદીનું વ્યકિતત્વ જો ખરેખર આટલું પ્રભાવી હોય તો એનું મૃત્યુ જ ન થાય, એ બળી પણ ન મરે, કારણ એમાં એની શરણાગતિ છે. મેં નક્કી કર્યું કે ના, મારે તો કાવ્યને ઓપન એન્ડેડ જ છોડી દેવું છે. ચિતા સળગે નહીં ત્યાં સુધીની વાત બરાબર છે, પણ પછીની વાત ભાવક પોતે જ વિચારે કે પછી શું થયું હશે? શું કોઈ બીજો અગ્નિ લાવીને તેને સળગાવી હશે કે સૈરન્દ્રી પોતે જ ચિતા પરથી ઊતરી ગઈ હશે કે પછી રાજાને જ ખુદને પસ્તાવો થયો હશે કે પાંડવોએ ઉગ્ર બની કંઈક કર્યું હશે કે પછી કિચકનું મૃત્યુ થયાથી લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હોય અને એ બધા સૈરન્ધ્રી પર તૂટી પડયા હોય, એમ કેટલું બધું ભાવક વિચારી શકે! એટલે મેં કાવ્ય ત્યાં છોડી દીધું ને લખ્યું: ‘દિશા વિસ્તરી એટલી, સૂર્ય ન પામે અસ્ત’. અહીં સૂર્ય એટલે કર્ણ પણ છે એટલે કે સૈરન્ધ્રીનાં મનમાંથી સૂર્ય/કર્ણ ગયો નથી અને તેણે પોતાનાં ચિત્તનું ફલક એટલું વિસ્તારી દીધું કે હવે એ આથમી ન શકે કારણ એ સૂર્ય જ હવે એનો છે! એની અપીલ પણ બહુ જોવા મળી.

ભદ્રાયુ : વાહ, વિનોદભાઈ, એમ લાગે છે કે તમે સર્જન પહેલાં જે મૂંઝારો અનુભવ્યો તે સર્જન પછી તમને મોકળાશ આપી ગયો. કાવ્ય રચાય ગયું પછી તમે તેને ત્રીજા પુરુષ એકવચન તરીકે એ સર્જનને ફરી નિહાળ્યું ! લખ્યું ત્યારે તમે ‘કવિ વિનોદ જોશી’ ને સર્જન પછી તમે એક ‘ભાવક વિનોદ જોશી’ તરીકે સૈરન્ધ્રીનું આકલન કર્યું. અત્યારે અમે જે અનુભવી રહ્યા છીએ એ તબક્કામાંથી પણ તમે પસાર થઈ ગયા છો, ખરું ને ?

વિનોદ જોશીઃ હા, એ સાચું. પછી હું ઓબબ્ઝર્વર બની ગયો ને મેં સાક્ષી ભાવે મારાં જ કાવ્યને અવલોકયું. ભદ્રાયુભાઈ, મને હજુ એવી મૂંઝવણ છે કે એક વખત આ પ્રબંધ કાવ્ય બુક ફોર્મમાં પ્રકાશિત થઈ જશે પછી મને કશું સૂઝશે તો હું શું કરીશ ? કારણ એકવાર બુક બની ગઈ પછી તો તમે બંધાય જાઓ છો અને તમારી નૈતિક જવાબદારી એને વળગી રહેવાની બને છે. હા, એ બંધાયેલી કૃતિ પણ કદાચ મને કોઈ ઉર્જા આપે કે આમાં જે રહી ગયેલું તને લાગે છે તે હવે તું લખ, એમ પણ બને ! ૧૮૦૦ પંક્તિઓમાં અર્ધાથી થોડા ઓછા પ્રાસની સમૃદ્ધિ આખા કાવ્યમાં છે એ રીતે સંરચનાની દ્રષ્ટિએ મારી ક્રાફટસમેનશીપનો લાભ આ કાવ્યને મળ્યો છે તેનો મને સંતોષ છે.

ભદ્રાયુ :એક ભાવક રીતે કહું તો સૈરન્ધ્રી ભલે એક નાટક છે, ને સૈરન્ધ્રી એનું મુખ્ય પાત્ર છે એ વાત ઉપરાંત એક સ્ત્રી વિશેની ફીલોસોફીકલ વાત કેટલી બધી જગ્યાએ મળે છે, આપણે જો મોટીવેશનલ પોઈન્ટની વાત કરીએ તો આમાં કેટકેટલી પંક્તિઓ મોટીવેશન પૂરું પાડતી લખાઈ છે. ત્રીજો મુદ્દો એ પણ છે કે સૈરન્ધ્રીમાં એકદમ રીચ વોકેબ્યુલરી ભરકક્ક છે. છતાં એવો કોઈ ગંભીર શબ્દ નથી કે જેની અર્થછાયા સ્પષ્ટ કરવા માટે માથું ખંજળાવવું પડે કે શબ્દકોષ ખોલવો પડે. ભલે તમારાથી તો એ સહજતાથી આવતું ગયું હશે.

વિનોદ જોશી :જો કે આ બધું સાવ સહજ રીતે થયું છે એવું નહીં કહું, મેં શિખંડી લખ્યું સંસ્કૃત વૃત્તોમાં. લગભગ સત્તર જેટલાં સંસ્કૃત વૃત્તો છે એમાં મંદાક્રાંતા, શાર્દૂલ વિક્રીડીત, શિખરિણી, અનુષ્ટુપ, ચૈતાલી, શાલિની, માલિની, સ્ત્રગ્ધરા છંદો અને કેટલાય શબ્દો કે જે વાચકને વિચારમાં મુકે તેવા છે, એટલે મારી એક એવી સમજ હતી કે મારે એટલું અઘરું સૈરન્ધ્રી નથી કરવું, કે જે ભાવકોને દૂર રાખે એટલે મેં એમાં એક શ્લોક એવો કર્યો છે જેમાં સમ્યકભાવ ધરીને સૈરન્ધ્રી ઊભી હોય એ ખરેખર સમ્યક્ભાવ મેં અમલમાં મૂક્યો છે. એટલું અઘરું નહીં કે જે સમજાય નહીં ને એટલું સહેલું નહીં કે જે કાવ્યની ગરિમાને જોખમમાં મુકી દે. આમાં તમને તળપદા શબ્દ પણ મળશે તો અત્યંત દુરાકૃષ્ટ શબ્દ પણ મળશે અને છતાં તમને ખીચડી નહીં લાગે. પણ તમે કહો છો તે મોહિની તો એ ભાષાની પણ છે, મૂળ કથાનકમાંથી થોડો બદલાવ કરીને રજૂ થયેલ છે એની પણ છે, આ બધાં પાત્રો આપણાંમાંથી પસાર થઈ રહ્યાં છે તેની પણ છે, આપણું જીવન પણ આમ જ જીવાય રહ્યું છે એ પ્રકારની સમાંતર પ્રતીતિ પણ છે અને એ બધું કાવ્ય સાથે ભાવકને જોડી રાખે છે.      

ભદ્રાયુ :વિનોદભાઈ, છેલ્લો પ્રશ્ન. ‘સૈરન્ધ્રી પ્રબંધ કાવ્ય’ની બુનિયાદી ફિલસૂફી તમારી દ્રષ્ટિએ..? એ જાણવી બહુ આવશ્યક છે, કારણ સર્જકનાં ચિત્તમાં કયું દર્શન પડયું છે કે જેણે આ સર્જન આપણને આપ્યું છે?

વિનોદ જોશી : ભદ્રાયુભાઈ, એકદમ પાયાની વાત તમે છેલ્લે સ્પર્શી કે જે મારા દષ્ટિકોણને ભાવકના મન સુધી પહોંચાડશે. આપણે આપણાં અસ્તિત્વના ત્રણ લોક ટૂંકમાં સમજી લઈએ. આ ત્રણ લોકની બહાર હું-તમે કે આપણે ક્યારેય નથી. ૧) સ્મૃતિલોક ૨) સ્વપ્નલોક ૩) કલ્પનાલોક… જે વીતી ગયું તે સ્મૃતિલોકમાં પહોંચ્યું. જે વીતે તેવી શકયતા છે અથવા નથી પણ તે સ્વપ્નલોકમાં સંચરે અને જે વીતે તેવી ઈચ્છા છે કે કલ્પના છે કે અપેક્ષા છે તે કલ્પનાલોક સર્જે! સ્મૃતિલોક અને સ્વપ્નલોક વ્યકિતના હાથમાં ન હતા, ન છે કે ન હશે. એક માત્ર કલ્પનાલોકના આધારે વ્યકિત જીવે છે. બન્યું કે બનશે નહીં, પણ ‘બનવું જોઈએ’ની કલ્પના જ આપણા જીવનને જીવંત રાખવાનો બહુ મોટો સધિયારો છે. કહો ને, એ આપણી નોળવેલ છે. સૈરન્ધી પાસે કે દ્રૌપદી પાસે તેનો કલ્પનાલોક હાથવગો છે એટલે એ કલ્પનાલોકના સહારે પોતાનો વર્તમાન જીવવાની જે મથામણ કરે છે તે મારી સૈરન્ધ્રીની ફિલસૂફી છે.. જે આ ક્ષણે છે તે પછીની ક્ષણે નહીં હોય એવું જો સ્વીકારી શકાય તો, જે આ ક્ષણે નથી તે પછીની ક્ષણે હશે એવું કેમ ન સ્વીકારી શકાય? આ મારો પાયાનો પ્રશ્ન છે. મારી નિજતાને કલ્પનાલોકમાં ચેતનવંતી રાખી શકું તો જ મારો વાસ્તવલોક સાર્થક નીવડી શકે ! વાત અઘરી છે પણ સમજાય પછી જીવનમાર્ગ બની શકે તેવી છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


…દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો..

…દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો..

લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને ભીંસ વરસો સુધી ઢીલી પડી.

ભદ્રાયુ વછરાજાની                                         bhadrayu2@gmail.com 

મકબૂલ ફિદા હુસૈન,,, ‘એમ. એફ. હુસૈન’,,, તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર હતા. હુસૈન આધુનિક ચિત્રશૈલી અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિત્વ હતા. તેઓ સાથે ગાઢ નાતો હતો તેવા રંગકર્મી ગુજરાતના શ્રી અનિલ રેલીયાના સંપાદનમાં હુસૈનની જીવની આપણને મળી. હુસેને પોતે લખેલ પોતાની આત્મકથાનું ગુજરાતી થયું  શ્રી જગદીશ સ્માર્ત દ્વારા. આપણને આકર્ષે તેવું તેનું શીર્ષક છે: દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો.. એમ.એફ.હુસેન વર્લ્ડ લેવલ સુધી પ્રખ્યાત થયા તેની સાથે જ ગુજરાતને તેમણે  બહુ પ્રેમ કર્યો, અહીં ઘણું પ્રદાન પણ કર્યું અને અહીંથી તેઓની સામે વિવાદો પણ ઉભા થયા…એ હુસેનના જીવનની એક સ્મરણીય ઘટના તેઓના જ શબ્દોમાં આજે માણવી છે અને જાણવું છે કે એક જન્મજાત કલાકારના દિલમાં લાગણીઓનું પૂર કેવી રીતે વહેતું  હોય છે ?? 

‘……ઓક્ટોબર મહિનો છે, માલવી ઘઉં ખેતરમાં ઊભાં છે, તડકો ગમવા લાગ્યો છે. સાંજ પડતાં દાદા છોકરાના ગળા પર ભૂરું મફલર લપેટી દેતા અને તે દોડતો ફળિયાની રામલીલા જોવા પહોંચી જતો. આ કોઈ નાટક કંપની નથી, જયાં ટિકિટ લેવી પડે.

એક પ્રાથમિક શાળાનું આંગણ. આમલીના ઝાડ નીચે માગી આણેલાં કેટલાંક ફાનસ અને ધોબણ પાસેથી લાવેલી સાડીઓનો ‘બેક ડ્રોપ’. થાળી-વેલણ વાગતાં જ ખેલ શરૂ થયો. પેલા પાનવાળા શંકરનો ભાઈ સ્કૂલના ડ્રીલ માસ્ટરની ચડ્ડી પહેરીને હનુમાન બની જતો, માત્ર મોઢા પર થોડી ધૂળ ચોળીને. હા, રાવણજી તો તે જાડો મીઠુ લાગે, જે ઘઉં દળવાની ઘંટી પર બેસે છે. કૈકેયી ક્યો છોકરો બન્યો તે ઓળખી ન શક્યો. એક તો સ્ત્રી બને ને ઉપરથી કાળા મોઢા પર રાખ ચોપડીને નખરાં કરે. કાસીમમિયાં, ઈન્દોર છાવણીના લગન-વિવાહના બેંડ માસ્ટર, પરંતુ રામલીલા માટે ઢોલ અને વાંસળીના સૂર બજવે છે.

આ રામલીલામાંથી પાછી ફરતી ભીડમાં ઘેરાયેલો છોકરો ચાલતાં ચાલતાં આ નાટકના કોઈ પણ એક પાત્રમાં પોતાની જાતને શોધે છે. ઘેર પહોંચવામાં જાણી જોઈને મોડું કરે છે, જેથી જેટલાં પાત્રો છે એની સાથે કાલ્પનિક મંચ પર થોડો થોડો અભિનય કરી લેવાય. પરંતુ આજે જયારે એ જ રામલીલા દિલ્હીના ઝગમગતા સ્ટેજ પર જુએ છે ત્યારે ઘેર પાછા ફરતી વેળાએ એને શંકર પાનવાળાનો ભાઈ, ઘંટીવાળો જાડો મીઠુ અને કાસિમ બેંડમાસ્ટર યાદ આવે છે.

ઈન્દોરની રામલીલાને જોઈ, ડોક્ટર રામમનોહર લોહિયાને મળી, આ છોકરો કેવી રીતે વાલ્મીકિ અને તુલસીદાસ સુધી પહોંચે છે! આ સમય છે, પાંચમા દસકાના અંત ભાગનો. હૈદરાબાદના ધનવાન પન્નાલાલ પિત્તીનું રાજભવનની બાજુમાં મોતીભવન. એમનો દીકરો બદરીવિશાલ, ભવનના ઉપરના માળે ગોળ તકિયા વચ્ચે વિરાજમાન. બપોરના ભોજન વખતે ડૉક્ટર રામમનોહર લોહિયાજીનું આગમન. ગોળ તકિયાની ચારે તરફ ખાદીધારીઓ બંડીઓ પર સમાજવાદી બિલ્લા લગાડી, અદબથી ઊભા છે. એ છોકરો બદરીવિશાલના કલમદાનમાંથી એક કલમ કાઢી આ દૃશ્યને રેખાંકિત કરે છે. ડોક્ટર લોહિયાનો સ્કેચ એમના અસ્તવ્યસ્ત ઊભા વાળથી શરૂ થઈને પટપટાવતી તોફાની આંખો શોધતો નસકોરાંથી બહુ જ નીચે હોઠો પર આવીને અટકે છે. લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને એ ભીંસ વરસો સુધી ઢીલી ન પડી.

એક સાંજે એ છોકરો લોહિયાજીને જામા મસ્જિદ પાસેની કરીમ હોટલમાં લઈ ગયો કારણકે એમને મુગલાઈ ખાણું, શીરમાલ વગેરે ખૂબ જ ભાવતું હતું. લોહિયાજીને જવાહરલાલ નહેરુનો એક પોર્ટ્રેટ યાદ આવી ગયો જે છોકરાએ નહેરુજીને ઘેર જઈને ચીતર્યો હતો. લોહિયાજીએ કુરમાની પ્લેટમાં ચમચાને હળવે હાથે રણકાવતાં છોકરા તરફ જોયું અને કહ્યું: ‘આ તને શું સૂઝયું કે નહેરુનું પોર્ટ્રેટ બનાવવા બેસી ગયો? હા, એક પોર્ટ્રેટ જે ‘ઈલસ્ટ્રેટેડ વિક્લી’માં છપાયું છે એ થોડુંક સારું લાગે છે કારણકે એમાં નહેરુ ડૂબતા દેખાય છે, જાણે પાણી ગળા સુધી ચડી ગયું છે.

‘લોહિયાજી’, છોકરાએ સ્મિત કરતાં જવાબ દીધો ‘મોડર્ન આર્ટનું મજાનું પેચીદું પાસું એ છે કે જોવાવાળાને પોતાની મરજી અને સ્વભાવ મુજબ ચિત્રને ઢાળવાનો હક્ક આપે છે, જયારે ફોટોગ્રાફીની સ્થિરતામાં કલ્પનાની વધારે ગુંજાઈશ નથી. એક રીતે મૉડર્ન આર્ટનો મિજાજ શાહી નહીં પરંતુ ડેમોક્રેટિક છે. જેવી રીતે જોવામાં વ્યક્તિત્વ શાહી હોય પરંતુ રેખાઓનો તનાવ સ્વાભિમાનને પ્રગટ કરતો હોય. રંગોનો ઉજાસ સ્વાભિમાનથી સંપૂર્ણ હોય.

લોહિયાજીએ છોકરાની પીઠ થાબડી જાણે કે શાબાશી આપી અને વિષય બદલતાં એને પૂછ્યું: ‘આ તું બિરલા અને ટાટાના ડ્રોઈંગરૂમમાં લટક્નારાં ચિત્રોમાં ઘેરાયેલો છે એમાંથી જરા બહાર નીકળ. રામાયણને ચીતર, જે આ દેશની સદીઓ જૂની રસપ્રદ કથા છે, ગામેગામ ગુંજતું ગીત છે, સંગીત છે. અને પછી એ ચિત્રોને ગામેગામ લઈ જા. શહેરના બંધ ઓરડાઓ, જેને આર્ટ ગેલેરી કહેવામાં આવે છે, જ્યાં લોકો માત્ર પાટલૂનના ખીસામાં હાથ નાંખીને ઊભા રહે છે. ગામવાળાઓની જેમ ચિત્રોના રંગમાં મળીભળીને નાચવા ગાવા નથી લાગતા.’

લોહિયાજીની આ વાત છોકરાને તીરની જેમ વાગી ગઈ અને વરસો સુધી એનો સણકો રહ્યો. છેલ્લે, લોહિયાજીના મૃત્યુ પછી તરત એમની યાદમાં રંગો અને કલમ લઈ બદરીવિશાલના મોતીભવનને ‘રામાયણ’નાં લગભગ દોઢસો ચિત્રોથી ભરી દીધું. દસ વરસ લાગ્યાં એ ચિત્રો કરતાં. એનો એક પણ પૈસો ન લીધો, ફક્ત લોહિયાજીના શબ્દોનું માન રાખ્યું….’ હાય રે કિસ્મત, કમનશીબી એ છે કે લોહિયાજીના શબ્દોનું માન  રાખનાર આ શખ્સિયત સામે વિરોધનો વંટોળ અહીંથી શરુ થયો ત્યારે કોઈએ અહીં રજુ કરી તે વાત કદાચ વાંચવાની કે જાણવાની કોશિશ નહોતી કરી !!!!

 

“આ કળિયુગ નથી, પણ કથાયુગ છે.”

“આ કળિયુગ નથી, પણ કથાયુગ છે.”

બાપુની કોઈપણ વાતને કોઈ  જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.

ભદ્રાયુ વછરાજાની                                        bhadrayu2@gmail.com 

ધરમપુર તાલુકાનું અંતરિયાળ આદિવાસીઓનું ગામ તે ખાંડા. ત્યાં યોજાઈ ગઈ  પ્રિય મોરારિબાપુ દ્વારા ગવાયેલ 934મી શ્રી રામ કથા. આપણે તે કથાને સંદર્ભ લઈને કથાના આયોજન અને વ્યવસ્થા અંગે વાત કરી રહ્યા છીએ. આવો, આગળ વધીએ. 

ભોજન પ્રસાદની રોજની વ્યવસ્થામાં  કેટલીક કાયમી વાનગીઓ હોય અથવા વસ્તુઓ હોય, દાખલા તરીકે પાણી,  છાસ, રસોઈ માટે વપરાતું દહીં, વગેરે દૂર દૂરથી મંગાવ્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. અને એ એવા ઈન્સ્યુલેટેડ વાહનની અંદર આવે કે જેમાં એ યોગ્ય રીતે  જળવાઈ રહે તેવું આયોજન થયું. ખાંડાની કથામાં જમવામાં સવારે અને સાંજે કથા શ્રાવકોને ઠંડી ભરપેટ છાશ પીવાનો લ્હાવો મળ્યો. આ છાશ અમરેલી પાસેના ‘શીતલ’ દ્વારા એવા વાહનની અંદર આવતી હતી કે જે ઠંડી રહી શકે. લગભગ-લગભગ દરેક વ્યક્તિએ નોંધ્યું કે, કથામાં આટલી ગરમી વચ્ચે આપણું અમૃત પીણું છાશ સૌને મળી રહે તે અતિ આનંદનો વિષય હતો. કથાના પુરા આયોજન દરમિયાન કેરીનો રસ વાનગી તરીકે પીરસવામાં આવ્યો, ઉપરાંત લાડુ, મોહનથાળ, બુંદી, વગેરે જેવી વાનગીઓ પણ પીરસવામાં આવી. અને એ પણ દૂર દરાજથી સરસ રીતે બનીને અહીંયા આવે એવું આયોજન કરવામાં આવ્યું. 

કથા સ્થળે બાપુનો ઉતારો એ ટ્રિકી  વાત હતી. કારણ કે આ વિસ્તાર એ બહુ જ દૂરનો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર સરીસૃપ વર્ગના પ્રાણીઓ બહુ નીકળે છે. કેટલાક ઝેરી સાપો પણ અહીંયા નીકળે છે. અહીંયા ક્યારેક જંગલી ભૂંડ પણ દોડી આવતા હોય છે અને હાની પહોંચાડતા હોય છે. એટલે એવો એક સલામત નાનકડો ભાગ શોધાયો અને ત્યાં બાપુ માટે સુંદર મજાની કુટીયા બનાવવામાં આવી. આ કુટીયા પણ સાદા નાનકડા સ્ટ્રક્ચર ઉપર એક પ્રીફ્રેબ સ્ટ્રક્ચર મૂકીને બનાવવામાં આવે. બાપુની કુટિયાની સાવ જ નજદીકમાં તેઓનું રસોઈ ઘર અને તેના સેવકોના નિવાસનું પણ નિર્માણ કરવામાં આવ્યું. ખાંડા ની કથાના મનોરથી પરિવાર તો યુ.એસ. રહે છે અને તેઓ કથા અર્થે અહીં વસેલા એટલે તેઓના નિવાસની વ્યવસ્થા પણ ખંડમાં જ કરવાનું યથાર્થ હતું. ત્યાંના એક શિક્ષકનું  કે  ખંડમાં  તેનું ઘર રિનોવેટ થઇ રહ્યું હતું. તેમને વિનંતી કરવામાં આવી અને મનોરથી પરિવાર માટે ઉપર અને નીચે સુંદર બધી જ સગવડતા સાથેનું મકાન ચણીને તૈયાર કરવામાં આવ્યું. કથા દરમ્યાન મનોરથી પરિવાર માટે અને કથા પછી શિક્ષક પરિવાર માટે સુંદર સગવડતા ઉભી થઇ, કથા પ્રતાપે..!! વળી,   બાપુ રોજ યજ્ઞ કરે છે, બાપુને હિંડોળો પ્રિય છે, બાપુને ઉતારે પણ એને મળવા બહુ મોટો ધસારો હોય છે, બાપૂ જ્યારે મળવાનું નક્કી કરે ત્યારે જે કોઈ મળવા આવે એના માટે ચા-નાસ્તાની બાપુની ઈચ્છા હોય છે, આ બધી જ નાનામાં નાની વાતોને કથાના આયોજકો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે. એવું કહેવું પડે કે ખાંડા જેવા ખૂબ દૂરના વિસ્તારની અંદર આ બધી વ્યવસ્થા એટલી સુપેરે રહી અને ગામવાસીઓ દ્વારા એટલો સંતોષપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો કે બાપુએ વ્યાસપીઠ પરથી એવું કહેવું પડ્યું કે,  જેને પીનડ્રોપ સાઈલેન્સ કહીએ એવા સાઈલેન્સથી કથાનું શ્રવણ સૌએ કર્યું. કોઈએ વચ્ચે કોઈ જ પ્રકારની અવ્યવસ્થા  અથવા તો કોઈના માટે પ્રશ્ન ઉભો ન કર્યો. સૌ સહજ રીતે જોડાયા. 

ભોજન ની લાઇનમાં ઊભા રહેવામાં આ આદિવાસી વિસ્તારના લોકોને કોઈ જ શરમ નહિ કે કોઈ ધક્કામુક્કી નહીં. એ ભોજન કરે ત્યારે જોઈએ તેટલું લે અને નહીંવત બગાડ કરે એ તેમની લાક્ષણિકતા હતી. પોતાની થાળીને એવી રીતે સાફ કરીને તે મૂકે કે જેને જુઓ તો એમ લાગે કે આ થાળીમાં જાણે કોઈ જમ્યું  જ નથી. આ વિસ્તારના લોકોએ બાપુને પુષ્કળ પ્રેમ આપ્યો. બાપુ સવાર અને સાંજ જ્યારે કથામાં આવે અને જાય એ દરમિયાન રસ્તે પોતાને ત્યાં  ઉગેલ  ફળ, ફૂલ, કેટલી બધી વાનગી, મીઠાઈઓ લઈને બાપુને ધરવા માટે  કતાર બંધ આદિતીર્થવાસીઓ ઊભા હોય. બાપુ પણ બહુ આદરપૂર્વક તેમને ન્યાય પણ આપતા જતા હોય. બાપુએ રોજ એક કરુણામય ઉપક્રમ રાખેલો. રોજ સાંજે એક- એક ફળિયામાં જવાનું, ત્યાં જઈને એમની વાતો સાંભળવાની અને એમણે પોતે બનાવેલી રસોઈમાંથી  ભિક્ષા ગ્રહણ કરવાની. આ ઉપક્રમ તો એટલો બધો હૃદય સુધી પહોંચ્યો છે કે, ખાંડાના ગ્રામવાસીઓ હજુ પણ આ વાત કરતા-કરતા પોતે રડવા લાગે છે. એક નાનકડો માણસ હોય જેને એમ જ છે કે હું સાવ  તુચ્છ વ્યક્તિ છું, એને જઈને બાપુ મળે છે  અને પૂછે  છે  કે, બધું બરાબર છે ને ?? એ એટલું શાતાદાયક હોય છે કે, એના ભરોસે કે તેઓ  ઘણું લાંબુ જીવન જીવી જાય  છે. આ બહુ જ ઉમદા અને નાનામાં નાના માણસ સુધી પહોંચવાનું કામ ખાંડાની કથાએ કર્યું છે. 

કથાનો કેન્દ્રસ્થ વિચાર ‘માનસ સંવત્સર’ હતો. એટલે એક વર્ષ એટલે એક સંવત્સર. પણ આ કથા એ એક વર્ષ સુધી તો પોતાની ઊંડી છાપ છોડી જશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી. અને એક વર્ષે પણ પૂર્ણ નહીં થાય કારણ કે, પ્રિય બાપુએ પ્રતિ વર્ષ આવા વિસ્તારોની અંદર દૂરદરાજમાં આવીને એક રામકથા ગાવાનો પોતાનો મનોરથ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ આવતા વર્ષની કથા સોનગઢના અંતરિયાળ વિસ્તારમાં ગાવાની જાહેરાત પણ કરી દીધી છે. એટલે કે આદિતીર્થક્ષેત્રના વાસીઓ માટે વર્ષો-વર્ષ ઈશ્વરનો ભરોષો ઊભો થઈ ગયો છે. 

એક કથાના બહાને અહીંયા બહારથી કેટલા લોકો આવ્યા, પત્રકારો આવ્યા, મીડિયાની બધી ટીમ આવી, કેટલીય બાબતોની નોંધ લેવાણી, અને એ નોંધ એટલી સુંદર રીતે લેવામાં આવી છે, કે આપણને એવું લાગે કે ઠેર-ઠેર સુધી ભારતના નકશામાં અને વિશ્વના લગભગ પોણા બસ્સો દેશના નકશામાં ખાંડા નામ આજે ગુંજતું થયું છે. ખરેખર કથા કરવી એ ખાંડાના ખેલ બરાબર છે, એ આ કથા પુરવાર કરી આપે છે. ત્યાંના લોકો સ્વયંસેવક તરીકે, કેટલાય કામની અંદર પીરસનાર તરીકે, માંગ્યો તેટલો સહયોગ નહીં પણ દિલમાં ઉગ્યો તેટલો સહયોગ આપતા રહ્યા છે. અને એમણે કથાને ચાર ચાંદ લગાવ્યા છે. શરૂઆતમાં જ એક કથા પાછળ થતા ખર્ચની વાત કરી છે, તે તો અંદાજ આપવા માટે કરી છે. એટલે બાપુ પોતે ઘણીવાર કહે છે કે, ‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’  કેટલું બધું કરવું પડતું હોય છે એવું બાપુ  વારંવાર કહે છે. એ કહે  ત્યારે આપણને વિચાર ન આવે કે,  આ બાપુ શું કહે છે, એટલે અંદાજ પ્રાપ્ત થાય તે માટે થઈને આ સાંખ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાના મનોરથી અને તેનો પરિવાર  અમેરિકા વસે છે, એમણે દૂર બેઠા-બેઠા બધી જ સત્તા, બધી જ જવાબદારી લોકલ ડો. પ્રજ્ઞાબેન કલાર્થી ને અને સુરત વસતા મૂળ મહુવાના યુવાન પરેશ ફાફડાવાળા ને સોંપી દીધી.  બંનેની ટીમે રાત-દિવસ જોયા વગર લગભગ સળંગ સાઠ  દિવસના સતત ત્યાંના નિવાસ પછી આ કથાનું આયોજન શક્ય બન્યું. 

કથાના આયોજનની આટલી વિગતે કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે,  આયોજન કરનાર કે મનોરથ વ્યક્ત કરનાર એ સૌને એક વાતનો ભરોસો હોય છે કે, બાપુની કોઈપણ વાતને આપણે જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે. 

ખાંડા ની  કથા વખતે ગુજરાતભરમાં  હીટવેવ ની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા બે-ત્રણ દિવસ તો ગરમી મંડપમાં પણ લાગતી હતી. પણ જ્યાં જનસામાન્ય બેસીને કથા સાંભળે એ કથામાં પંડાલની અંદર ઉપર નાનકડા નાનકડા પાઇપમાંથી ઠંડા પાણીનો છંટકાવ સતત થતો રહેતો હતો એ આપણે ટીવીના સ્ક્રીન ઉપર પણ જોઈ શકતા હતા. ગ્રામવાસીઓ માટે આ નવાઈ હતી કે, આપણને ઠંડક મળે એવી  વ્યવસ્થા કોઈ કરી રહ્યું છે. કારણ કે તેઓ કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે જંગલમાં ફરીને પોતાની  આજીવિકા રળતા  હોય છે. એ ગ્રામવાસીઓને શીતળતા મળે, ઠંડક પ્રાપ્ત થાય અને તેના જીવનમાં આપણી સંસ્કૃતિના બીજ રોપાય, એની પરિકલ્પના માટે યોજાયેલી આ ખાંડાની રામકથા આ વિસ્તારના લોકો માટે  અને ગુજરાતભર માટે માઈલસ્ટોન સાબિત થઇ છે. અ-હેતુ હેતથી થતી કથાને માણતાં  બાપુએ અહીં કહ્યું કે, કળિયુગ નથી, પણ કથાયુગ છે.”

આપણે પ્રાર્થના કરીએ કે  આદીતીર્થવાસીઓ માટેની પ્રત્યેક કથાને આટલી જ સુંદર મજાની સફળતા અને સાર્થકતા પ્રાપ્ત થાય.  

“કથા એ પ્રેમયજ્ઞ છે.”… શ્રી મોરારિબાપુ

“કથા એ પ્રેમયજ્ઞ છે.”… શ્રી મોરારિબાપુ

બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

ધરમપુર પાસેના ખાંડા ગામમાં નવ દિવસ માટેની ‘માનસ સંવત્સર  શ્રી રામકથા’ વિરામ પામી. વિશ્વમાં શ્રીરામના નામને અત્ર,તત્ર, સર્વત્ર પહોંચાડનાર સર્વપ્રિય સંત શ્રી મોરારીબાપુ દ્વારા એક મનોરથ થયો કે દૂર દરાજના વિસ્તારમાં રહેતા છેવાડાના માણસની વચ્ચે જઈને કથાનું ગાન કરવું. 

પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય  અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં  તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે. 

જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં  ગણિકા માટેની  કથા,  કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની  કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા,  લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો  યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો ચાલીસેક હાજર લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત  એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ  દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. આ અંદાજ છે. 

પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે 35 થી 40 હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ  બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં  આવે છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેય નામને યથાર્થ સાબિત કરે એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે. 

ખાંડા જેવા ગામની અંદર પણ સામાન્ય રીતે ઉતરવાનું કથા શ્રાવકો ઉપર હોવા છતાં લગભગ 1200 થી 1500 લોકો માટે પાંચ થી છ કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરેક સ્થળ ઉપર પાણી અને જીવન જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા કરવા માટે જે ખર્ચ થાય તે પણ યજમાન મનોરથી ભોગવતા હોય છે. બાપુનું આવવું જવું અને બાપુનું કથા દરમિયાન નિવાસ એ પણ યજમાન દ્વારા  બાપુને પસંદ પડે એવી રીતે સાદાઈ થી પણ થાય  છે. એક વાત નક્કી કે બાપુ જે સ્થળેથી આવતા હોય, ત્યાંથી કથા સ્થળ સુધી મોટરકાર દ્વારા, હેલિકોપ્ટર દ્વારા કે ચાર્ટર પ્લેન દ્વારા એ બધું જ કોઈ બાપુના પરમ ભક્તો ઉપાડે છે અને આ પરિવહન સેવા માટે પણ યજમાનો સેવાની સતત પ્રતીક્ષામાં હોય છે.  

આ આખી વ્યવસ્થા દરમિયાન જો ખૂબ મહેનત માંગી લે તેવી વાત હોય તો… આપણે ઉદાહરણ તરીકે ખાંડામાં થયેલી કથાને ઉદાહરણ લઈને વાત કરીએ. આ સ્થળ એવું હતું કે જ્યાં ગામની અંદર પાકા રસ્તાઓ ન હતા. ત્યાંના પ્રત્યેક  નિવાસી પાસે દોઢથી બે વીઘાથી વધુ જમીન ન હતી. એટલે કથા નો પંડાલ જ્યાં બનાવી  શકાય એવી જમીન અથવા એટલો ભૂભાગ નક્કી કરવા માટે લગભગ 57 લોકો, એટલે કે ખાંડાવાસીઓએ પોતાની જમીન તેમાં અર્પણ કરી ત્યારે એનો સરવાળો થયો અને એ જમીન ઉપર કથાનો ડોમ બનાવામાં  આવ્યો. આ 57 લોકોની જમીન જે અવસ્થામાં મળી હોય એ અવસ્થામાં એને કથા પૂર્ણ થયા પછી પરત કરવાની જવાબદારી પણ આયોજક મનોરથીઓની હોય છે. એટલે કે, એમાં ખેતરના સેઢા હોય કે કોઈ જગ્યાએ પાળી  હોય કે કોઈ જગ્યાએ કશીક નાની ઝૂંપડી કે બોરની કોટડી કે  એ બધુ જ કરીને પરત આપવાની વ્યવસ્થા થતી હોય છે. અને એ પ્રિય બાપુનો પણ સમજણનો ઈશારો હોય છે કે કોઈને કશું નુકસાન જાય એવું નહીં થવું  જોઈએ, અગવડતા ઊભી થાય એવું નહીં કરવું જોઈએ. ખાંડા ગામની અંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા. રસ્તાઓ બનાવ્યા એ ઉપર ટ્રાફિકજામ ન થાય અને આવન-જાવનમાં બે કાર સામ-સામે નીકળી શકે એવા કેટલાક રોડ નિર્માણ પામ્યા  અને છેલ્લા લગભગ છએક મહિનાથી  આ નિર્માણ કાર્ય ત્યાંના સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા, આયોજક ટીમ દ્વારા, અને યજમાન મનોરથી પરિવાર દ્વારા સતત ફોલોઅપ  લઈને પૂર્ણ કરવામાં આવ્યું. અહીં પાણીની તંગી અને એમાં પણ એપ્રિલ મહિનો કે જેમાં જોરદાર ગરમી પડે, એ પાણીની તંગીને ખ્યાલમાં લઈને પહેલેથી ફોરેસ્ટ વિભાગને વિનંતી કરીને અને આજુબાજુના કેટલાક સોર્સને વિનંતી કરીને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરવામાં આવ્યું હતું. કૂવામાં પાણી ખૂટવા લાગ્યું  ત્યારે કુવામાં રોજના 25 થી 30 ટેન્કર પાણી ઠલવાતું રહ્યું. 

આ વિસ્તાર એવો હતો કે ત્યાં દસ-પંદર નાનકડા ઘર હોય અને 10-15 ઘરનું એક ફળિયું હોય, એ ફળિયું  એટલે એક વિસ્તાર એવું આપણે કહી શકીએ. એનાથી પછી પાછું દૂર આવું એક બીજું ફળિયું હોય, એનાથી દૂર આવું ત્રીજું ફળિયું હોય, તો આવા કથા મંડપની આજુબાજુ રહેલા લગભગ 10 કે 15 ફળિયામાં જે લોકો હતા એ બધા લોકોને જીવન જરૂરી જે વાતોની જરૂરિયાત હતી એ પણ કથાના મનોરથી દ્વારા સેવાભાવથી પૂર્ણ કરવામાં આવી. ઉદાહરણ તરીકે, એક જૂનું અપુજ જેવું મંદિર અધુરું હતું, તો એ મંદિર પૂર્ણ કરવામાં આવ્યું અને એમાં ગ્રામ વાસીઓની  ઈચ્છા હતી તેવા ભગવાનને એમાં સ્થાન આપવામાં આવ્યું. નજીકમાં એક બીજું હનુમાનજીનું મંદિર હતું,  એને બહુ સુંદર કરી આપવામાં આવ્યુ. 

આ કથામાં ચાલીસેક હજાર લોકો આવે એના દિવસ દરમિયાન વોશરૂમ અને ટોયલેટની વ્યવસ્થા એ બહુ મોટો પડકારનું કામ હોય  છે. એ કામ સુપેરે પાર પાડવામાં આવ્યું. આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પાયાનું કામ કરનાર ‘મુકુલ ટ્રસ્ટ, બારડોલી’ના ડોક્ટર પ્રજ્ઞા કલાર્થી  અને તેની ટીમે આ કામ બહુ  જહેમત ઉઠાવીને પૂરું કર્યું. એમાં તેઓની સુઝ  પણ કામ લાગી. કથા મંડપની ફરતે આવેલા આવા ફળિયાઓ હોય, એક-એક ફળિયા ઉપર તેઓએ પાક્કા સિમેન્ટના ટોયલેટ બનાવ્યા અને એ ટોયલેટમાં પાણી પૂરું થાય એટલે પાઇપલાઇન બિછાવવામાં આવી અને પાણી ઉપરથી મળી રહે તે પ્રમાણેની ટેન્ક બનાવવામાં આવી. આવા લગભગ ત્રીસેક ટોયલેટનું નિર્માણ થયું, જેથી કરીને કથા મંડપમાંથી  નીકળીને જેને પ્રાકૃતિક હાજત જવું હોય તેના માટે વોશરૂમ-ટોયલેટ ત્યાં જ નજદીકમાં મળી રહે. બીજો ફાયદો એ થયો કે કથા પૂર્ણ થયા પછી એ એક-એક ફળિયા માટે આવા વ્યવસ્થિત ટોયલેટ ની કાયમી સગવડતા ઊભી થઈ ગઈ. આનંદ સાથે એ પણ જોયું કે કથા પહેલા ત્યાં કથાનો પંડાલ પડે તે પહેલાં ગામવાસીઓએ કથાના પૂરા પંડાલને છાણ અને ગારથી લીપવાનું પસંદ કર્યું, અને એની ઉપર પછી ડોમ બનાવવામાં આવ્યો. (ક્રમશ:½)

 

લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…

લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…

લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…

જનકલ્યાણ : એપ્રિલ : 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

April JK 01
April JK 02
April JK 03

દસ ધોરણ પછી ભણી ન શક્યો તેનો કોઈ દિવસ કોઈ જાતનો અફસોસ નહિ, કારણ કે આવડતું જ નોહ્તું, પછી રંજ કરવાની ક્યાં વાત રહી ??”

લોકસાહિત્યનું કોઈપણ સ્વરૂપ હોય લોકગીત કે લોકવાર્તા કે દુહા છંદ કે લોકઢાળની માર્મિક વાતો ગુજરાતમાંથી એક નામ જ સાંભળવા મળે  અને તે પદ્મશ્રી સન્માનિત શ્રી ભીખુદાન ગઢવી. 

ચારણ જ્ઞાતિમાંથી એટલે કે  ગઢવી સમાજમાંથી ભીખુદાનભાઈ આવે છે  એટલે એમણે તો  જીન્સમાં થોડું ગાવું-બોલવું એ બધું સહજ  મળેલું છે.  ભીખુદાનભાઈ ખુદ જ આ અંગે વાત કરતા ઉમેરે છે કે,  “ માનો કે અમે પાંચ-પચીસ માણસો જયારે ઘરનો પ્રસંગ હોય, સગાઇ હોય,  કોઈ લગ્ન હોય, ક્યાંક  ડાયરો બેઠો હોય એમાં કોઈ દુહા-છંદ ગાય, કોઈ ભજન ગાય, કોઈ લોકગીત ગાય, એવી અમારી પ્રાચીન એક પરંપરા ચાલી આવે છે, એમાંથી હું આવું છું. એટલે હું તો પહેલા મિત્રોની પાસે ગીત ગાતો, કોઈ દુહા ગાતો એવું મારું  બાળપણ જયારે હતું ત્યારે, પછી હું સ્કૂલમાં ગયો, તો સ્કૂલમાં બાળસભા હોય તો બાળસભામાં એમ કહે કે, ભાઈ, આ ગઢવી છે, એની પાસે આપણે  એકાદું ગીત ગવડાવીએ, તો હું એવી રીતે ગીત ગાતો.  વાત કરવાની ત્યારે મારી એવી શૈલી નોહતી. પણ હું ગીત ગાતો, ભજન ગાતો, લોકગીત ગાતો, એવું બધું કરતો મારી શરૂઆતમાં. અને પછી ધીરે-ધીરે પાંચ-પચીસ માણસોમાંથી પચાસ માણસો થયા, અને એવું મંડ્યું લાગવા કે, ભાઈ,  આ તો સારું ગાય છે, સારું બોલે છે, ધીરે-ધીરે બધા માણસોની વચ્ચે એમ થતા-થતા હું આગળ આવ્યો. જયારે હું  SSC  પાસ થયો પણ  H.S.C નાપાસ થયો ત્યારે પછી હું અમારે રામજીભાઈ કરકર એડવોકેટ હતાં એમને  ત્યાં હું કલાર્કની નોકરી કરતો અને મનોજભાઈ ખંઢેરીયા બહુ જ જાણીતા ગઝલકાર એ  ત્યાં એ વકીલાત શીખતાં, એટલે અમે બન્ને સંવાદ કરતા, એ ગઝલની વાતો કરતા ને  હું લોકસાહિત્યની વાતો કરતો.”

પણ આજે લોકસાહિત્યના ડાયરાઓમાં આવશ્યક ગણાતા ભીખુદાનભાઈ ક્ખારેખર ડાયરાસુધી ક્યારે પહોંચ્યા હશે ?? “ મારી વીસ  વર્ષની ઉંમર થઈ ત્યારે સ્વામિનારાયણ ચોકમાં, અમારે જૂનાગઢમાં એક લોકડાયરો હતો, એમાં પ્રાણલાલભાઈ વ્યાસ હતાં, દિવાળીબેન ભીલ હતાં, અને ત્રીજો હું હતો. એટલે મને વીસ  વર્ષની ઉંમરે મને સ્ટેજ મળ્યું અને મને થયું કે હું માઈકમાં બોલું છું અને પ્રોગ્રામ આપું છું… પણ એની પહેલા અમારે પ્રાણલાલભાઈ અને દિવાળીબેન ભીલ સાથે ગાયેલું ત્યારે   માઈકની વ્યવસ્થા નોહતી, ગામડામાં ચોરે ગાદલા પાથરી દે અને આખું ગામ ગોઠવાઈ જાય, ભાઈઓ, બહેનો, વડીલો બધા, પ્રાણભાઈ ભજન ગાય, હું વાતો કરું અને દિવાળીબેન લોકગીત ગાય, એવી પરિસ્થિતિમાંથી ધીરે-ધીરે-ધીરે આ માઈકની વ્યવસ્થા થઈ, અને માઈકની વ્યવસ્થા પછી અમે આમ પ્રોગ્રામ દેવા જઈએ તો અમને પ્રોગ્રામમાં બોલાવે એ જ અમારો પુરસ્કાર હતો, કારણ કે અમારે તે દિ તો કોઈ પુરસ્કાર હતો જ નહિ, માણસો પાસે પૈસા હતાં નહિ કે અમને આપે, પણ અમને બોલાવે એ અમારો પુરસ્કાર અને અમને સાંભળે એ બીજો મોટો પુરસ્કાર.”     

શ્રી ભીખુદાનભાઈને શાળા પ્રવેશ માટે પણ એનો કંઠ મદદે આવેલો તેની મઝાની વાત તેઓ કરે છે : 10માં ધોરણમાં મને એડમિશન મળ્યું એ પણ ગાયકીને લીધી. એલ.કે. હાઈસ્કૂલમાં હું ગયો તો મને ના પડી કે, અહીંયા જગ્યા નથી અમારે કેશોદમાં. શ્રી મહેન્દ્રભાઈ ધોળકિયા અમારા પ્રિન્સિપાલ સાહેબ. પછી મને કહે, જગ્યા તો છે નહિ એટલે અમારા  ગામનાં સરપંચે કીધું કે, ‘તો પછી શું કરવું આપણે?, કોને કહેવું?’ મને કીધું કાલે પાછો આવજે એટલે હું ગયો. પછી મને પૂછ્યું કે, ‘તમે ક્યાંથી આવો છો?’, એટલે મેં કીધું, માણેકવાડાથી. ‘કેવા જ્ઞાતિએ ?’ તો મેં કહ્યું, ગઢવી, અમે ચારણ ગઢવી છીએ. એટલે તરત કહે, ‘ઓહો! તો તો તમને ગાતાં આવડે?’ મેં કહ્યું, હા સાહેબ, ગાતાં આવડે, તો કહે, ‘કાલ બાલસભા છે હાઇસ્કૂલની, તો તમે આવોને કાલે,’  એટલે હું ગયો, મેં એ વખતે ચીન-ભારત યુધ્ધનો એક છંદ હતો, એ છંદ મેં ગાયો ને  તરત જ કીધું કે, ‘આમ તો જગ્યા નથી પણ તમારા માટે  પરાણે કરી દેશું,’ એમ  એક ધોરણ હું ત્યાં ભણ્યો કેશોદમાં.

પછી તેઓ જુનાગઢ આવ્યા અને  વ્યવસાયમાં ધ્યાન દીધું,  ગાવવામાં,બોલવામાં. કોઈપણ વ્યક્તિ વાર્તા કહે એટલે તેમને  આખી વાર્તા યાદ રહી જાય. એક કલાકમાં ફરી એ વાર્તા તેઓ કરી દે. “તમે કર્યું હોય એ જ વાર્તા હું કરી દઉં. એટલી મારી યાદદાસ્ત હતી. ભણવામાં યાદ ના રહેતું પણ લોકસાહિત્યમાં રુચિ હતી ને એટલે મને છંદ, દુહા, બીજું-ત્રીજું બહુ યાદ રહેતું. શિક્ષણનાં બધા જ મહાનુભાવો એમ કે છે કે,  જો રસ પડશે, તો શીખાશે. એ વાત બહુ સાચી છે એ વાત મારા જીવનમાં તો ચરિતાર્થ થઈ. નહી  તો યાદ રહેતું હોત  તો બધા વિષયો યાદ રહ્યાં હોય ને ! પણ એ યાદ ન રહ્યા. અને મને જેમાં રુચિ હતી એ યાદ રહ્યું. આપણને જેમાં રુચિ હોય ને  એ ઘટના  આપણમાં  કોતરાઈ જાય. જો કે, હું દસ ધોરણ પછી ભણી ન શક્યો તેનો કોઈ દિવસ કોઈ જાતનો અફસોસ નહિ, કારણ કે આવડતું જ નોહ્તું પછી રંજ કરવાની ક્યાં વાત રહી ?? આવડતું હોયને આપણે ફેલ થયા હોઈએ, અથવા તો આપણને કોઈએ નાપાસ કર્યા હોય તો એનો રંજ હોય, આ તો આવડતું જ નથી એનો શું રંજ હોય.?!!

 …આમ જુઓ તો  જૂનાગઢ સાથેનો નાતો પાક્કો. જૂનાગઢ માં આપણી  જમીન છે, ત્યાં મકાન છે. પણ હું અમદાવાદ આવતો જતો રહું છે,  પણ જૂનાગઢની યાત્રા મારી ઘણી, અને એમાં અમે સંઘર્ષ બહુ કર્યો. પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, હું, લાખાભાઈ ગઢવી, અમે બધાય.. લાખાભાઈ તો બહુ શ્રીમંત કુટુંબમાંથી આવતા હતા,પણ  પ્રાણલાલભાઈ, દિવાળીબેન, હું, તો બહુ સંઘર્ષ કરીને આવેલા. અમારે શું હતું કે, અમારા પ્રોગ્રામની મજા ઓર હોય, હું સમજાવું.  પ્રોગ્રામ નક્કી કરવાવાળા પાંચ જણા આવ્યા હોય ને.. એ નક્કી કરી જાય અને આપણે જે ગામમાં  પ્રોગ્રામ હોય  ત્યાં લેવા પાછા બીજા પાંચ જણા આવે અને પ્રોગ્રામ પૂરો થાય પછી ત્રીજા પાંચ જણા હોય એટલે આપણે કોની પાસેથી જે નક્કી કર્યું હોય એ લેવું ?? આપણે  કહીએ તો કહે, ‘ભાઈ અમે તો તમારી પાસે આવ્યા નોહતાં’ , ઓલો કહે, ‘અમે નોહતા આવ્યા’, એટલે પછી અમે અમારી મેળે-મેળે અમારા ઘરનાં ખર્ચે પ્રોગ્રામ આપીને ઘરે આવેલા છીએ.. પણ એમ છતાં  એનો અમને આનંદ એટલા માટે હતો કે,  પૈસો નથી મળ્યો પણ આપણને લોકોએ સાંભળ્યા, લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…આમ જ પાછું બીજે ગામે ય જવાનું..આવું થાય તો કોઈના કાંઠલા તો પકડાતા નથી, આ તો લોકસાહિત્યની વાતું છે, સંસ્કારની વાતું છે, તો એમાં ધીંગાણા તો થતા નથી.”

જીવનના સંઘર્ષથી જે થાકી કે હારી જતા નથી, તેઓ જ તો જીવનની સાર્થકતા પામે છે, તેનું જ્વલંત ઉદાહરણ શ્રીભીખુદાનભાઈ ગઢવી છે. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ….

દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ….

દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ…

પ્રબુદ્ધ જીવન, મુંબઈ : એપ્રિલ : 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

દક્ષિણામૂર્તિ સંસ્થા શરુ  થઇ ત્યારે કેવળ વિદ્યાર્થી ભવન એટલે કે છાત્રાલય હતું..!!

નાનાભાઈ ભટ્ટની ઉંમર અઠ્યાવીસ વર્ષની, દક્ષિણામૂર્તિ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે…!!! આદર્શોના અનલથી ધગધગતો યુવાન, ધાર્મિક સંસ્કારથી ઓતપ્રોત અને  ઊગતી પેઢીને સંસ્કારી બનાવી દેવાની ધગશવાળો તેજીલો તોખાર. દક્ષિણામૂર્તિ શરૂ કરી તેની આગલી રાત સુધી,  ‘હું આમ કરી નાખીશ અને હું તેમ કરી નાખીશ’ ના ભાવનાપૂરમાં તણાતા રહેલા, તેને પરિણામે વિદ્યાર્થીઓની સાથે રહી તેમને તાબડતોબ સંસ્કારી બનાવી દેવાની મહેચ્છાથી તેમનું હૈયું ઊછળતું રહેલું. નાનાભાઈની આ ભાવના અને કર્તવ્યપરાયણતાથી પ્રેરાઈને જ તેમના કામમાં સરળતા કરી આપવાના હેતુસર એમના ગુરુબંધુઓએ પોતાના સંતાનોને પહેલે જ દિવસ બોર્ડિંગ હાઉસમાં દાખલ કરી દીધેલા ! દક્ષિણામૂર્તિ સંસ્થા શરુ  થઇ ત્યારે એ શાળા ન હતી, કેવળ વિદ્યાર્થી ભવન હતું એટલે કે છાત્રાલય જ હતું..!! 

સંસ્થા ખોલવી અને ચલાવવી એ ખરેખર બહુ કપરું કાર્ય હોય છે,  પરંતુ જ્યારે સંસ્થાના ખોલનાર અને ચલાવનાર તદ્દન બિનઅનુભવી અને નવા નિશાળિયા જેવા હોય ત્યારે તે સંસ્થા ખોલવી, ચલાવવી ને વિકસાવવી એ ભગીરથ ઉપક્રમ બની જતો હોય છે. પરંતુ એ તથ્યની પ્રતીતિ ખુદ નાનાભાઈને પણ હતી જ, તેમનું  મનોમંથન હતું કે, “મને તે દિવસે કલ્પના પણ ન હતી કે સંસ્થામાં એકલા વિદ્યાર્થીઓ જ નથી હોતા. મને કલ્પના પણ ન હતી કે સંસ્થામાં મારા પ્રયત્નોને ધૂળ મેળવનારા એવા કોઠારી પણ હોઈ શકે. એવા રસોઈયા  પણ હોઈ શકે. વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના ભાવિક પિતાઓથી સ્વતંત્ર એવું પોતાનું મન લઈને આવવાના છે… મારા જેવા નવાસવા ગૃહપતિને મનમાં ગમે તેટલી ઉત્કટ ભાવનાઓ હોય પણ એ ભાવનાઓને મૂર્તિમંત કરવાને માટે જે વ્યવહારદક્ષતા અને હથોટીની જરૂર હોય છે તે મારામાં ક્યાં હતાં ? મને ખબર ન હતી કે વિદ્યાર્થીઓને જ  બરાબર ઘડવાના નથી પણ  રસોઈયાને ઘડવો પડશે, કોઠારીને અને કામ કરનારી બાઈઓને ઘડવી પડશે. અને   એ પહેલાં તો  મારે મારી જાતને ઘડવી પડશે..!”…બસ આ વાત નાનાભાઈ કળી  ગયેલા તેથી જ સોક્રેટિસની જેમ સ્વને ઘડવા તત્પર હતા. 

સંસ્થા હજુ તો ચાર-છ દિવસની જ થઈ હશે. એક વિદ્યાર્થીએ રાત્રે ઓરડાની  ચોકડીમાં ઝાડો-પેશાબ કર્યાં. નાનાભાઈ સવારે આવ્યા ત્યારે દુર્ગંધ તથા માખીઓના બણબણાટે તેમનું ધ્યાન ખેંચી જાણે પડકાર ફેંક્યો. “ચોકડી મારે સાફ કરી નાખવી કે તે બગાડનારને શોધી તેની પાસે સાફ કરાવવી?”  નાનાભાઈના મનમાં પ્રશ્નો ઘુમરાયા. ‘હું સાફ કરીશ તો કૉલેજમાં બોર્ડ પર છોકરાઓ તે લખવાના;’ મન અચકાયું. ‘હું ગૃહપતિ ! તેમની માતા સમાન. શું મેં મારાં સંતાનોનું મેલું નથી ઉપાડ્યું ?? હું પણ આ જ ચાલ્યો.’ તત્કાળ તેમણે ચોકડી સાફ કરી નાખી. સાથે જ મન સાફ થયું ને દૃષ્ટિ પણ. મન-દષ્ટિની શુદ્ધિનો આ પડકાર- પ્રસંગ નાનાભાઈનાં ‘ત્રિતીર્થ’ના વાત્સલ્ય તથા કુટુંબભાવરૂપી મહાનંદની ગંગોત્રી સમો બની રહ્યો.

નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાની તાલાવેલી અને ઊછરતી પેઢીને ધાર્મિકતાને રંગે રંગી નાખવાની અદમ્ય ઝંખનાને પરિણામે દક્ષિણામૂર્તિની શરૂઆતના દિવસોમાં જે દિનચર્યા હતી તે કંઈક આવી હતી ::

સવારે પાંચ વાગે ઉત્થાન – ઊઠવાનું, ત્યાર પછી હાથ મોઢું ધોઈ, કોગળા કરી દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ કરતા કરતા પ્રાર્થના કરવાનો નિયમ હતો. પ્રાર્થનાના અંતે વિદ્યાર્થીઓએ મોટાભાઈ તથા નાનાભાઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના રહેતા. શરૂઆતનાં વર્ષોમાં દક્ષિણામૂર્તિના સંચાલનમાં બીલખાના આનંદાશ્રમની ઘણી જબરી અસર હતી. સંસ્થાના સંચાલકો બિનઅનુભવી તેથી દિનચર્યાની ગોઠવણી વિદ્યાર્થીઓની દૃષ્ટિથી નહોતી ગોઠવાઈ, બલકે સંચાલકોના દૃષ્ટિકોણથી ગોઠવાઈ હતી. એ તો સદ્દનસીબ કે સંચાલકોનું આત્મનિરીક્ષણ, આત્મમંથન તથા પરિસ્થિતિનું  વિવેચનાત્મક કરતા રહેવાની દ્રષ્ટિ ,, તેથી તેમને તરત જ ખ્યાલ આવી ગયેલો કે જે માર્ગે આપણે વિદ્યાર્થીઓને સંસ્કારી કે ધાર્મિક વૃત્તિવાળા બનાવવા ચાહીએ છીએ તે માર્ગે સફળતા મૃગજળ સમાન છે. નાનાભાઈએ પોતે નોંધ્યું છે કે,  ‘દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ કરવાથી વિદ્યાર્થીઓમાં ભક્તિભાવનાં મોજાં ઊછળશે ને તેમને સારા સંસ્કારો મળશે એમ હું માનતો હતો, પણ ખરેખરી રીતે બનતું એવું હતું કે વિદ્યાર્થીઓને સવારના પહોરમાં જેટલી ઊંઘની પડી હતી તેટલી નહોતી પડી દક્ષિણામૂર્તિદેવની કે નહોતી પડી મોટાભાઈની કે નહોતી પડી મારી… પરંતુ આ નિયમની નિરર્થકતા મને જતે દિવસે સમજાયા વિના ન રહી.’ નાનાભાઈની આ પોતાની ભૂલ સ્વીકારવાની તત્પરતાએ તેમને અને સંસ્થાને ઘડ્યા. 

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં જવા સિવાયનો જે વખત રહેતો તેમાં નાનાભાઈ તેમને પાઠો તૈયાર કરવામાં મદદ કરતા. રાત્રે વિદ્યાર્થીઓની તકરારો પતાવતા અને પછી જે સમય બચતો તેમાં તેમને વાર્તાઓ કહેતા. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં શરૂ થયેલી આ રાત્રિ પ્રવૃત્તિ ધીરે ધીરે વિકસીને રાત્રિ સમ્મેલન રૂપમાં ઢળી ગઈ છે. ગૃહપતિ નાનાભાઈની આ વાર્તાકથન પ્રવૃત્તિથી તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા પ્રિય થઈ શકેલા. પરિણામે સમૂહકાર્યો માટે તેઓ વિદ્યાર્થીઓને સરળતાથી એકઠા કરી શકતા હતા.

દક્ષિણામૂર્તિ બૉર્ડિંગ હાઉસમાં અમુક અમુક કાર્યો જાતે જ કરવાનાં રહેતાં તેની અસર થતાં  જતે દિવસે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીમંડળના સ્વરાજની આખી કલ્પના ઊભી થઈ !!  જેનાં બીજ અહીં હતાં તે સંસ્થા  છાત્રાલય સ્વાવલંબનના પાઠ ભણાવતી  શાળા બની શકેલ.

દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓ માટેની રસોઈ સાદી પણ સ્વાદિષ્ટ થવી જોઈએ, ખીચડી, ભાત વગેરે માત્ર ચડેલાં જ નહીં પણ સીઝેલાં થવાં જોઈએ; રોટલી માત્ર ફૂલકા જ નહીં પણ બરાબર ચૂંદડી પડેલી હોવી જોઈએ, શાક બહુ તેલવાળું ન હોવા છતાં મસાલાના પ્રમાણસરના ઉપયોગથી સ્વાદિષ્ટ થવું જોઈએ. આ ઉપરાંત રાંધવાનું વાસણ—પાણી સ્વચ્છ, ખાદ્ય પદાર્થો લોટ વગેરે સ્વચ્છ, રસોઈયાના કપડાંની સ્વચ્છતા, ખુદ રસોઈયાના સાહારીરની  અને હાથપગની સ્વચ્છતા વગેરેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત રસોઇયાના આચારમાં પણ સ્વચ્છતાનો આગ્રહ, તમાકું ન ખાવું, ચોખ્ખા હાથથી જ પીરસવું, નાકની લીટ જ્યાં ત્યાં ન કાઢવી, થૂંકવું હોય તો ચૂલામાં જ ન થૂકતા ખાળે જઈને થૂંકવું, રસોઈના પદાર્થો બરાબર ઢાંકીને રાખવા વગેરે વગેરે. એક તરફ આવા ઉદાત્ત આગ્રહો હતા તો બીજી તરફ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં કેટલાક પરંપરાગત વ્યવહારો પણ થતા. જેમકે ઈ. સ. ૧૯૧૦-૧૨ના એ દિવસોમાં શાળામાં અને છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને સજા ફટકારવાનો રિવાજ હતો. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન પણ આ રિવાજમાંથી બાકાત ન હતું. નાનાભાઈ આ અંગે કબૂલે છે, ‘ઈ. સ. ૧૯૧૦- ૧૧ની સાલમાં તો હું દક્ષિણામૂર્તિમાં સજાનો ઉપયોગ કરતો અને તે પણ સજાના ભારે કઢંગા સ્વરૂપમાં. શરૂઆતના આઠ-પંદર દિવસો તો હું વિદ્યાર્થીઓને તેમના અપરાધ બદલ દૂધ અને શાકનો દંડ કરવા માંડયો તો ક્યારેક દક્ષિણામૂર્તિ દેવને પચીશ પચાસ નમસ્કાર કરવાનો દંડ.’

આ બધાં વર્ણનોથી એટલું તારણ અવશ્ય નીકળે છે કે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનનો વ્યવહાર નાનાભાઈની સમજણ, નાનાભાઈના આગ્રહો મુજબ ચાલતો હતો. અલબત્ત નાનાભાઈ સ્વીકારે છે કે, ‘એ કાળે મારી સમજણ ઘણી કાચી હતી, અનુભવ બહુ પાતળો હતો તેથી જ છેક ૧૯૨૦માં તેમને સમજાયું કે સજા કે ઇનામો, હરિફાઈ, લાલચ, ભય એ બધાંય કેળવણીની દૃષ્ટિથી તાજ્ય છે એમ નહિ પણ જીવનની સર્વતોમુખી દૃષ્ટિથી તાજ્ય છે. અલબત્ત ગૃહપતિ નાનાભાઈની એક વિશેષતા એ હતી કે તેઓ વારંવાર આત્મનિરીક્ષણ, આત્મ વિવેચના અને આત્મવિશ્લેષણ કર્યા કરતા. તેમાંથી ઊભરી આવતા નિષ્કર્ષોને તે સંકલ્પના રૂપમાં ફેરવી લેતા. આવી લાક્ષણિકતાઓને પરિણામે તેમણે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનની કામગીરીનું મૂલ્યાંકન કરાવવા એક વાર્ષિક સંમેલન ભર્યું. સર પ્રભાશંકર પટ્ટણી તેના પ્રમુખ થયા. સમ્મેલનમાં સર પટ્ટણીસાહેબે પોતાની દૃષ્ટિની વિશાળતા અને દક્ષિણામૂર્તિ તરફ સદ્ભાવના વ્યક્ત કરી.

શામળદાસ કોલેજનું પ્રોફેસર પદ છોડ્યા પછી નાનાભાઈ દક્ષિણામૂર્તિના કર્મચારી બન્યા. ને તેમના વિઝનને, મિશનને એકશનની પાંખો ફૂટી. દક્ષિણામૂર્તિ એક સાધારણ બૉર્ડિંગહાઉસ બની રહે તે એમને મંજૂર ન હતું. તેમનું સ્વપ્ન તો એક મોટી આશ્રમ શાળા કાઢવાનું હતું.  તેના સંદર્ભે બીજા જ વર્ષે પ્રયોગાત્મક વર્ગ શરૂ કર્યા. સંસ્થામાં રહેતા અંગ્રેજી ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ગામની શાળામા મોકલવાનુ બંધ કર્યું ને આ વિદ્યાર્થીઓ પ્રયોગાત્મક વર્ગમાં  ભણે એવી ગોઠવણ કરી ત્યારે સરકારી શાળાના આ ધોરણમા જે જે ભણાવાતું  હતું તેમાં નાનાભાઈ વગેરે સંસ્થાના કાર્યકરોને યોગ્ય જણાયું તે મુજબના ફેરફારો કર્યા. તેમણે ઈતિહાસ શિક્ષણમાં સમાજશાસ્ત્રને સ્થાન આપ્યું (આજના યુગમાં ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેનું સંમિશ્રણ કરીને સામાજિક વિજ્ઞાન, સમાજવિદ્યા નામાભિધાન થયું છે. પરંતુ તેની શરૂઆત ઈ. સ.૧૯૪૩-૧૪માં દક્ષિણામૂર્તિમાં થયેલી) તથા સંસ્કૃત શિક્ષણ જે વ્યાકરણ અનુવાદ પદ્ધતિએ શીખવાતું હતું તેને સ્થાને પરિચય પદ્ધતિનો વિનિયોગ શરૂ કર્યો. આ રીતે ઈ. સ. ૧૯૧૨માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન કેવળ છાત્રાલય ન રહેતા શિક્ષણ સંસ્થા બની. હવે સંસ્થામાં તરવરાટ આવી ગયો. નિયમિત વર્ગો લેવાવા લાગ્યા. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓનો સંપર્ક વધ્યો તેમના મનમાં વધારે ઉલ્લાસ પૂરાવા લાગ્યો. એ દિવસોમાં સંસ્થા નાની હતી, તંત્ર પણ છેક સાદું હતું એટલે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં પારિવારિકતા વધુ હતી. એની જીવંત રનિંગ કોમેન્ટ્રી નાનાભાઈ આ રીતે આપે છે, ‘અમારું આખુંય કુટુંબ સાવ ઠાવકું કુટુંબ હતું એમ માનવાની પણ કોઈએ ભૂલ કરવાની જરૂર નથી. કોઈ વાર રસોઈમાં દૂધપાક કર્યો હોય તો એકાદ મુખ્ય વિદ્યાર્થી કળશામાં દૂધપાક તફડંચી કરીને પેટીમાં સંતાડે અને બીજો જ વિદ્યાર્થી પેટીમાંથી દૂધપાક બઠાવી જઈને ઘટઘટાવી જાય. કોઈ વિદ્યાર્થી સૂવાની ઓરડીની ખાળમાં જ દિશાએ જાય ને પાછા પોતે જ ગુનેગારની શોધમાં નીકળે, એકાદ વિદ્યાર્થી માત્ર બે ડઝન પુરણ પોળી ખાય અને પછી બીજે જ દિવસે પોતાને વિદ્યાર્થીઓએ અન્યાય કર્યો છે એ કારણ બતાવીને ઉપવાસ પર ઊતરે… રસોઇયો બાઈઓ સાથે મળીને ભોજનમાં ગોટાળા કરે… આવા આવા કેટલાય અનુભવો થયા……. આ બધાય નાનાંમોટાં છમકલાં પાછળ અમારો કુટુંબભાવ જેવો ને તેવો જ રહ્યો. મારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે કોઈ પણ જાતના સંકોચ વિના સદગત મોટાભાઈ અને હું વિદ્યાર્થીઓનું મેલું ઉઠાવતા, તેમની પથારી પાસે ઉજાગરા કરતા, તેમના પર ગુસ્સે થતા, તેમની પાસે ઘોડિયાની દોરી ખેંચાવતા, તેમની પાસે  પગ ચંપાવતા ને તેમને ગોદમાં લેતા. તેમના ઘડતરમાં જ અમારું જીવનકાર્ય છે એમ અમે માન્યું હતું.?’

દક્ષિણામૂર્તિની શિક્ષણ પ્રક્રિયા દ્વિમુખી હતી. અર્થાત્ તેમાં વિદ્યાર્થીઓનું જીવન કેળવાતું હતું તો સાથોસાથ તેના કર્મચારીગણને પણ કેળવણી મળતી હતી. દક્ષિણામૂર્તિની શિક્ષણ પ્રક્રિયાને આનું સ્વરૂપ પ્રદાન કરવામાં સિંહફાળો નાનાભાઈનો હતો. 

એક પ્રસંગ કે જેનું આલેખન મનુભાઈ પંચોળીએ આ રીતે કર્યું છે :

“ધરમશી ક્યાં છે?” છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી એક ગૃહપતિ બૂમ મારે છે. એની જગ્યાએ,’ જવાબ મળે છે. “કહો કે મહાદેવ બોલાવે છે.”

ગૃહપતિ છાત્રાલયમાં હમણાં જોડાયેલ છે. એ ધરમશીને ધમકાવતા હોય छे. “ક્યાં હતા અત્યાર સુધી? તમારો વાળવાનો વારો હતો. હજુ કેમ વાળ્યું નથી ? હું એ બિલકુલ નહિ ચલાવું.”

વિદ્યાર્થી બબડતો ફફડતો ચાલ્યો જાય છે. ઉપરની મેડી પરથી એક સ્થિર અને શાંત અવાજ આવે છે, “મહાદેવ…”

ગૃહપતિ ઉપર જુએ છે. ઓફિસની બારીમાં નાનાભાઈ ઊભા છે. “આવ્યો, નાનાભાઈ.”

ઉપર પહોંચતા જ સંભળાયછે—’તમે ગૃહપતિ છો, હવાલદાર નથી. હાકોટા

તો હવાલદાર નાખે, તમે હવાલદાર નથી.”

“પણ નાનાભાઈ, એણે છાત્રાલય વાળ્યું નથી.” ‘એ બરાબર છે. મેં તમને છાત્રાલય વાળવા નથી રાખ્યા. એ તો પંદર રૂપિયાનો હવાલદાર પણ કરી શકે. તો હવાલદારને ગૃહપતિ વચ્ચે ફેર શો ? તમે વ્યવસ્થા, સ્વચ્છતા બધું  રખાવો પણ હવાલદાર થઈને નહિ.’

ગૃહપતિને તે દિવસે એક પાઠ મળી ગયો.

ગિજુભાઈ એ સમયે તે વઢવાણમાં વકીલાત કરે. સગપણે તે મોટાભાઈના ભાણેજ થાય. મોટાભાઈએ તેમને દક્ષિણામૂર્તિ બૉર્ડિંગ માટે બંધારણ ઘડવાની કામગીરી તો અગાઉ સોંપેલી જ. એટલે તેઓ દક્ષિણામૂર્તિ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા. આમેય તે વકીલાતના ધંધાથી કંટાળેલા. નાનાભાઈ લખે છે, “એક સવારે ગિજુભાઈનો લખેલો કાગળ મારા હાથમાં આવી પડ્યો. આ કાગળમાં એમણે દક્ષિણામૂર્તિમાં જોડાવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મારે મન તો આ કાગળ બગાસામાં સાકરના પતાસા જેવો થઈ પડ્યો. તેથી દક્ષિણામૂર્તિનો સાદ પડ્યો, આવી જાવ…” એટલે તરત જ વધાવી ૧૩-૧૧-૧૯૧૬ના દિવસે હાજર થઈ ગયા. ગિજુભાઈ ૧૯૧૬થી ૧૯૩૬ સુધી આમ ૨૦ વર્ષ દક્ષિણામૂર્તિમાં રહ્યા. આ ગાળો જ એમના જીવનનો સુવર્ણકાળ હતો.

નાનાભાઈ શિક્ષણની જવાબદારી ધીરે ધીરે ગિજુભાઈના હાથમાં મૂકતા ગયા ને છાત્રાલય તથા સંસ્થાનો બહારનો કારભાર તેમણે પોતાને હસ્તક રાખ્યો. ગિજુભાઈને સંસ્થાએ સ્વીકાર્યા. ગિજુભાઈ આવ્યા પછી સંસ્થાનો વિકાસ ઝડપી બન્યો. સ્વયં નાનાભાઈ લખે છે,” ગિજુભાઈ આવ્યા પછી સંસ્થાનો વિસ્તાર આટલો વધશે એની કલ્પના તે દિવસે ન હતી મને કે ન હતી ગિજુભાઈને. ગિજુભાઈ આવ્યા તે પહેલું પગથિયું હતું. ગિજુભાઈ પાછળ હરભાઈ આવ્યા. હરભાઈની પાછળ ગિરીશભાઈ આવ્યા, ગિરીશભાઈની પાછળ ગોપાળરાવ આવ્યા અને ત્યાર પછી અમારો વડલો વધતો ગયો, વધતો ગયો.’

તા. ૧-૬-૧૯૧૮ના રોજ અંગ્રેજી ત્રણ ચોપડી સુધીની શાળા શરૂ કરી. વિનય મંદિરના આચાર્ય તરીકે ગિજુભાઈ રહ્યા ને નાનાભાઈ ગૃહપતિ. આ રીતે બન્નેએ મળીને વિદ્યાર્થીઓની સમગ્ર કેળવણીનો ભાર ઉઠાવ્યો. ત્યાં અધિકારીઓ ન હતા પણ સેવકો હતા, કામદારો ન હતા પણ કર્મવીરો હતા.

ગિજુભાઈના નેતૃત્વમાં અને નાનાભાઈના માર્ગદર્શન હેઠળ વિનય મંદિર ધમધોકાર માંડ્યું ચાલવા. વરસ દહાડે એક ચોપડી વધે. એમ કરતા કરતા  વિનયમંદિર વિકસવા લાગ્યું. ને વિનીતના વર્ગ સુધી વિકસ્યું. છાત્રાલય અને વિનયમંદિર એક સ્થળે તથા ભણનારા અને ભણાવનારાનો ચોવીસે કલાકનો સહવાસ ધાર્યા પરિણામ દેખાડવા માંડ્યો. ગિજુભાઈએ શિક્ષણશાસ્ત્રનો વધારે ઊડો અભ્યાસ શરૂ કર્યો ને બીજી તરફ પોતાની શિક્ષકની જન્મસિદ્ધ કુનેહથી શાળા તંત્રને વ્યવસ્થિત ગોઠવી દીધું. શાળા વ્યવસ્થાની બાબતમાં ગિજુભાઈ આકરા આગ્રહી. શિક્ષકોએ કેમ શીખવવું, શાળામાં કેવી રીતે બેસવું વગેરે અંગે ગિજુભાઈના ચોક્કસ ખ્યાલો.

 નાનાભાઈએ અને દક્ષિણામૂર્તિના સંચાલકોએ નર્યા પુસ્તકિયા શિક્ષણ માટે આ શાળા કાઢી જ ન હતી. આ શાળા કાઢવા પાછળ નાનાભાઈનું ચોક્કસ દર્શન હતું. તે વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરવા માંગતા હતા. જ્ઞાન સાથે ભાવના, સમજણ સાથે વિવેક અને શ્રમ સાથે સ્વાવલંબન, શિક્ષણ સાથે સહકાર, સંપ, સહિષ્ણુતા, સંસ્કાર વગેરેનું સામંજસ્ય કરી વિદ્યાર્થીનું ચારિત્ર ઘડતર કરવા માંગતા હતા તેથી જ તેમણે વિનય મંદિર શરૂ કર્યું પણ ચાલુ શિક્ષણ પ્રથાને માટે નો એડમિશન જાહેર કર્યું. તેમણે પોતાની આગવી રીતે શિક્ષણ પ્રણાલી વિકસાવી. રાજ્યાશ્રય લેવાથી દક્ષિણામૂર્તિના સ્વાતંત્ર્ય પર કે પ્રયોગધર્મિતાને આંચ આવે તે એક સંચાલક તરીકે તેમને હરગિજ પોસાયું નહીં તેથી વિનય મંદિરને કેળવણીના તંત્ર સાથે જોડયું નહિ. એક સ્વાયત્ત સંસ્થા તરીકે વિકસાવી તેમણે દક્ષિણામૂર્તિના ધ્યેયો, સાદર્શો અને અભિપ્સાઓ અનુસાર અભ્યાસક્રમો રચ્યા, તદ્દઅનુસાર દક્ષિણામૂર્તિ નામ ગુંજવા લાગ્યું હતું ત્યારે પણ દક્ષિણામૂર્તિના સંચાલકો એટલા નિખાલસ અને ઇમાનદાર હતા કે તેમણે દક્ષિણામૂર્તિ સંસ્થાની સર્વતોમુખી તપાસ માટે એક કમિશન (તપાસપંચ) નીમ્યું. નાનાભાઈ તો દૃઢપણે માનતા હતા કે, દર પાંચ વર્ષે સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ. તો જ દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ પ્રાણવાન અને વધારે નિર્મળ રહી શકે. આવું તપાસપંચ નીમીને દક્ષિણામૂર્તિ સંસ્થાએ છેક સન ૧૯૧૮માં વ્યવસ્થાપનનો એક ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરેલો. એ પંચના અધ્યક્ષ હતા ગુલાબરાય ગોવિંદરાય દેસાઈ, બી. એ. એલએલ.બી. ગુલાબભાઈ ભાવનગરના અગ્રગણ્ય નાગરિક અને અનેક નાનીમોટી જાહેર પ્રવૃત્તિઓના સુકાની. તપાસપંચનો અહેવાલ રજૂ થયો, પછી સંસ્થાએ તે છપાવીને જાહેર કર્યો. નાનાભાઈ લખે છે, ‘આ અહેવાલથી અમને એક તરફ પ્રતિષ્ઠા મળી ત્યારે બીજી બાજુથી અમારી ઊણપોનું પણ સ્પષ્ટ ભાન થયું. કમિશને ગિજુભાઈના શિક્ષક તરીકે ભારોભાર વખાણ કર્યા. સંસ્થા ઉપર અમારા શ્રીમાન નથ્થુરામ શર્માની છાયાને લીધે જૂના ક્રિયાકાંડને જે વધારે પડતું સ્થાન મળે છે તે તરફ પણ વિવેકભર્યો અંગુલિનિર્દેશ કર્યો અને કમિશનના અહેવાલ ઉપરાંત મારા તેમજ ગિજુભાઈના અંગત વાચન માટેની એક નોંધમાં હરિજનોને સંસ્થામાં નથી દાખલ કર્યા તે સંબંધમાં મિત્રભાવે પણ સખ્ત ટીકા કરી.” જોકે આ તપાસ પંચને પરિણામ એક લાભ એ થયો કે દક્ષિણામૂર્તિ સંસ્થા અને આશ્રમની રાષ્ટ્રીય શાળાનો સંબંધ ગાઢ બન્યો તથા નાનાભાઈ અને કાકાસાહેબનો પરિચય પ્રગાઢ મૈત્રીમાં પરિણમ્યો. જો કે દક્ષિણામૂર્તિ સંસ્થા પછીનાં વર્ષોમાં આવું તપાસપંચ નીમી શકી ન હતી. નાનાભાઈને તેનો ભારોભાર વસવસો હતો. એ વસવસો તેમણે કિંચિત વ્યંગ્યવાણીમાં આ રીતે વ્યક્ત કર્યો છે, “પહેલું કમિશન નીમ્યું ત્યારે અમે સૌ નાના હતા, અમને કોઈએ મોટા ગણ્યા ન હતા. પણ બીજું કમિશન નીમવાનો વખત આવ્યો ત્યારે અમે શિક્ષણના ક્ષેત્રમાં મોટા થઈ ગયા હતા. અમારા મિત્રો અમને એ ક્ષેત્રના ધુરંધર માનતા હતા, એટલું જ નહિ પણ અમે પોતે પણ અમને ધુરંધર માનતા હતા એટલે કમિશન નીમવા માટે કોઈ સભ્ય જ અમારા ધ્યાનમાં આવી ન શક્યા..નિષ્ણાતોના કામને પણ સાધારણ સમજની સરાણ પર ચડાવવું જરૂરી છે,  એ વાત અમને ગળે ન ઊતરી તે ઠેઠ સુધી ન ઊતરી. આ અમારી  મોટી ભૂલ હતી એમ કહેતા મને જરાયે સંકોચ નથી થતો. હું તો તે દિવસે માનતો  ય  હતો અને આજે પણ માનું છું કે આમ કેળવણીની સંસ્થાઓની તટસ્થ, પ્રાણવાન અને નવી દૃષ્ટિવાળા માણસો દ્વારા ચોક્કસ સમયે સર્વતોમુખી તપાસ થવી જ.”

 શિક્ષકગણનો સંકલ્પ કે કોઈપણ સંજોગોમાં શારીરિક સજા ન કરવી, વિદ્યાર્થીને કે આપણને ન શોભે એવા શબ્દો સંભળાવવા નહિ, કોઈને ઠોઠ કે મૂર્ખ કહેવો નહિ. કોઈને નંબર ઉતારવો નહિ, ઊભો રાખવો નહિ. આ રીતે ભયનું વાતાવરણ દૂર કરેલું. આમ વિદ્યાર્થીના વ્યક્તિત્વને આદર આપ્યો એ એક જ વસ્તુથી વિદ્યાર્થીઓમાં નવો પ્રાણ ચમકવા લાગેલો. તેમનામાં આત્મભાન જાગૃત થયું. ચિત્રકામ અને સંગીત માટે ખાસ શિક્ષકો રોક્યા. પરિણામે સંસ્થાના વિવિધ પ્રસંગોએ સંગીત અને ચિત્રકલાએ નવી ભાત પાડી. કાંતણ અને પીંજણને પણ વિષય તરીકે લીધા. એ માટે પણ એક ખાસ શિક્ષક રોક્યા. રૂપિયા સાડા સાત હજારના ખર્ચે ખાદીશાળાનું મકાન ચણ્યું. રેંટિયા ઉત્સવો ઊજવ્યા. વિનય મંદિરમાં સહશિક્ષણ દાખલ કર્યું. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની હવા વહેતી હતી ત્યારે દક્ષિણામૂર્તિએ નવીન સિદ્ધાંતોને લક્ષમાં રાખીને પોતાના જ બળે કેળવણીની રાષ્ટ્રીય સંસ્થા ઊભી કરી.

છાત્રાલયની માફક જ વિનયમંદિરમાં પણ વિદ્યાર્થીમંડળ ચાલતું. આમ વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના ખીલવવાનો પ્રયત્ન થતો.

  • ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ફિલ્મ જોવા પર પાબન્દી જ્યારે દક્ષિણામૂર્તિમાં ફિલ્મ જોવાની છૂટ હતી. દક્ષિણામૂર્તિએ નવી વસ્તુ, વિચાર કે ચેતનાને આવકારવા હંમેશાં પોતાના દરવાજા ખુલ્લા રાખેલા.
  • ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વાળ વધારી ન શકતા. ફરજિયાતપણે તેમણે વાળ કપરાવવા જ પડતા. દક્ષિણામૂર્તિમાં આવી કોઈ પાબન્દી ન હતી તેથી લાંબા વાળવાળા વિદ્યાર્થીઓ પણ હતા.
  • દક્ષિણામૂર્તિમાં પ્રાર્થનામાં વિદ્યાર્થીએ જવું જ એવું ફરજિયાત ન હતું. તો પણ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ પ્રાર્થનામાં જતા જ. પ્રાર્થનામાં તાલવાદ્યો સાથે ભજન-ધૂન થતાં ને પ્રાર્થનાને અંતે મજેદાર વાર્તા સાંભળવા મળતી.
  • વિનયમંદિરમાં સંગીતથી પિરીયડ બદલાય. ઘંટ વગાડવામાં ન આવતો. રવિવારને બદલે દર સોમવારે રજા રહે. દર રવિવારે સોંપાયેલા સ્વાધ્યાયો શિક્ષકને પરત કરવાના રહેતા. દરરોજ સાંજે ૫.૦૦ વાગ્યા પછી રમતગમત.

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને ચિત્રકળા ગુજરાતના જ નહિ ભારતના ખ્યાતનામ ચિત્રકાર સોમાલાલ શાહ શીખવતા. ઈ. સ. ૧૯૩૫માં દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને નૃત્ય શીખવવા વિશ્વવિખ્યાત નૃત્યકાર ઉદયશંકરજી પણ પધારેલા.

નાનાભાઈની પૂર્વ સંમતિથી હરભાઈએ વિનયમંદિરમાં જાતીય શિક્ષણનો પ્રયોગ કરેલો. આ માટે તેમણે કુમારી મંડળની રચના કરેલી એટલે કે ધો.૧૧ની મોટી બહેનો ધો.૮ની બહેનાના જાતીય જીવનને લગતા પ્રશ્નોની સમજણ આપતા. કેટલીક વખત માતાઓ પણ જાતીય શિક્ષણ આપવા આવતી. ને ક્યારેક ડૉક્ટરોની પણ હરભાઈ આ બાબતે મદદ લેતા. જાતીય શિક્ષણ આપવા માટેનો ‘કુમારી મંડળ’નો પ્રયોગ ખૂબ સફળ રહેલો. આ કાર્યક્રમ જોઈને વિદ્યાર્થીઓએ પણ હરભાઈ સમક્ષ કુમારમંડળ રચવાની દરખાસ્ત કરેલી. હરભાઈ સ્વયં જરૂર પડ્યે જાતીય શિક્ષણ આપતા, તેથી વિદ્યાર્થીઓ તેમને “મુંડાળી મા” કહેતા.

નાનાભાઈ નોંધે છે, “દક્ષિણામૂર્તિએ જ્યારે બાલમંદિરની શરૂઆત કરી ત્યારે અમે કેમ જાણે કેળવણીના ક્ષેત્રમાં હનુમાન કૂદકો માર્યો. આજ સુધી અમે અંગ્રેજી પહેલા ધોરણના અને તેથી ઉપરનાં ધોરણના વિદ્યાર્થીઓને તાલીમ આપતા હતા, પણ આ તાલીમ કાચા પાયા ઉપર ચણેલા ચણતર જેવી અમને લાગી એટલે ઠેઠ અઢી વરસની ઉંમરના બાળકથી કેળવણી શરૂ થવી જોઈએ એમ અમે વિચાર્યું અને બાળમંદિરની શરૂઆત કરી. આ જોઈને આદિવાસીઓના શિક્ષણ માટે ભેખધારી કવિહૃદયી શ્રી જુગતરામ દવેનું હૈયું ગાઈ ઉઠ્યું : 

બાલમંદિરિયું, બાલમંદિરિયું, અમારું સુંદર સોહાય

                                  વહાલું મારું બાલમંદિરિયું

ટેકરીને શિખરે મંદિર અમારું, દેરાની જાણે ધજાય

                                 વહાલું મારું બાલમંદિરિયું

સવારે સૂરજ સોનલાં રે વેરતા; સાંજે ગુલાલ ઢોળી જાય

                                   વહાલું મારું બાલમંદિરિયું

આ રીતે દક્ષિણામૂર્તિએ તબેલા જેવી ધૂળી નિશાળોમાં સબડતાં લાખો બાળકોની આહ સાંભળી અને ટેકરીના શિખરે બાલમંદિરની આલીશાન ઇમારત બાંધી સમસ્ત ગુજરાત માટે ભાવી બાલમંદિરોનાં મકાનનો આદર્શ પૂરો પાડ્યો.

દક્ષિણામૂર્તિએ આદર્શ પૂરો પાડયો. આ બધાના કેન્દ્રમાં હતા દક્ષિણામૂર્તિના આજીવન સભ્ય શ્રી ગિજભાઈ અને સહકાર તથા તેમને હંફ હતી નાનાભાઈની એમના ગુજરાત વ્યાપી કામ ને કીર્તિનાં જ્યારે કોઈ વખાણ કરતું ત્યારે એ કહેતા: .”આ બધું દક્ષિણામૂર્તિ દેવની પ્રેરણાનું જ ફળ છે. હું તો નિમિત્તરૂપે મને સૂઝ છે તેમ કર્યો જાઉં છું. બાકી જશ આપવો હોય તો નાનાભાઈને જઈને આપો: એ જો સંસ્થાનાં દોરડાં ન ખેંચે તો આ મારો બાદશાહી ઠાઠ ક્યાંથી ચાલે.??” 

તો ગિજુભાઈના આ મૌલિક પ્રદાનને બિરદાવતા ગુજરાત નયી તાલીમ સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા કેળવણીકાર શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ પોતાના એક પ્રવચનમાં કહે છે, “ગિજુભાઈના આ પ્રદાનનું મૂલ્ય નાનું સરખું કે જેવું તેવું નથી. શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના બાલમંદિરમાં વર્ષો સુધી કામ કરીને પ્રયોગો કરીને ગિજુભાઈએ આ સ્પષ્ટ, વિગતપૂર્ણ પદ્ધતિ ઊભી કરી હતી. ગુજરાતનાં સેંકડો બાલમંદિરો આજે એ પદ્ધતિને સહારે પોતાના ગજા પ્રમાણે બાલશિક્ષણ કરી રહ્યાં છે.”

(सन् 1922) દક્ષિણામૂર્તિ વિધાર્થીભવનનો મેગ્નાકાર્ટા (ખરડો)

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવને કેળવણી વિષયક સિદ્ધાંતો બહાર પાડેલા અને :

નવા ટ્રસ્ટીમંડળે સ્વીકાર કરેલા તે અત્રે રજૂ કરેલ છે

1) સ્વાતંત્ર્ય, સ્વયંસ્ફૂર્તિ અને પરિણામે વિદ્યાર્થીઓની જવાબદારી.

(2) વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ.

(3) માતૃભાષા દ્વારા જ શિક્ષણ.

(4) કેળવણીમાં ઔદ્યોગિક તાલીમને સ્થાન.

(5) શિક્ષા, ઈનામ, વગેરેનો સદંતર અભાવ.

(6) પરીક્ષાના ત્રાસમાંથી મુક્તિ.

(7) કલાના શિક્ષણને મહત્ત્વનું સ્થાન આપવું

(8) રમતો, પ્રવાસો, ચર્ચાસંઘો, નાટકો અને ઈતર વાચનને અભ્યાસ જેટલું જ મહત્ત્વ.

(9) હિન્દીનું શિક્ષણ ફરજિયાત.

(10) સંસ્થાને રાષ્ટ્રીય રાખવી એટલે કે સરકારી સંસ્થાઓથી સ્વતંત્ર રાખવી.

(11) સહશિક્ષણપ્રથા સ્વીકારવી.

(12) શિક્ષણશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય એવા દ્વારા શિક્ષણ આપવું.

(13) શિક્ષકો અને ગૃહપતિઓ વિદ્યાર્થીઓના નિકટ પરિચયમાં રહે તેવી યોજના કરવી.

(14) સંસ્થાએ પોતે રચેલાં પાઠ્યપુસ્તકો વાપરવાનો આગ્રહ રાખવો.

(15) માનસશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર શિક્ષણની યોજના કરવી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


ઈશ્વર અથવા અસ્તિત્વ પ્રત્યેક ઘટનાનો હંમેશા સંકેત આપે જ છે.

ઈશ્વર અથવા અસ્તિત્વ પ્રત્યેક ઘટનાનો હંમેશા સંકેત આપે જ છે.

ઈમોશનલ બર્થને જાળવી લે તેમનું પેરેન્ટીંગ પરમાત્માનું પેરેન્ટીંગછે.

ભદ્રાયુ વછરાજાની                                         bhadrayu2@gmail.com 

આપણે આપણા સંતાનોને ઘરના નાના નાના કામોમાં જોડતા શીખવાની જરૂર છે. આથી ઉલટું આપણે તો તેઓને કશું જાતે કરવા દેતા જ નથી. બીજા દેશની અંદર તમારાં  કામો તમારે તમારી રીતે કરવા પડે, તમારે ત્યાં પ્લમ્બર ન આવે, તમારે ત્યાં માળી ન આવે, પ્લમ્બર ને બોલાવો તો મહિનાનો પગાર તેને દેવો પડે, એટલો કોસ્ટલી હોય. તો શું કરવાનું? Do it yourself. D.I.Y. આવું લખેલો  મોટો-મોટો મોલ, મોલમાં જાઓ ત્યાં બધી જ વસ્તુ, લેતા જાઓ, કેમ કરવું તે વીડિયોમાં શીખતાં જાઓ, ઘરે જઈને ફિટિંગ કરી લેજો. પરિણામે,ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જેવા દેશની અંદર હાયર એજ્યુકેશનમાં કોઈ ભણવા જતું જ નથી સાહેબ, અને આપણે  બિનજરૂરી બધાને હાયર એજ્યુકેશનમાં ધબેડયા જ કરીએ છીએ. 

પણ ત્યાં કેમ નથી જતું? Skill is developed. કૌશલ્ય એવા વિકાસ પામે છે કે છોકરો દસમું, અગિયારમું પાસ કરે ત્યાં એને જોબ માટે કોઈ  હાયર કરી જ લે. નવી શિક્ષણનીતિ 2020 માં આ જોગવાઈ છે. કૌશલ્ય આધારિત શિક્ષણની, પણ એ કૌશલ્ય  સ્કૂલ કરાવશે તો નહિ થાય.  આપણે ઘરમાં કરાવવું પડશે. ઘરમાં કરાવવામાં આટલું જ કરવાનું છે, જ્યાં તમે જે કામ કરો, ત્યાં બાળકને  ભેગું થોડુંક કામ આપવાનું.  તમે ભજીયા બનાવવાનું  જેવું શરુ કરશે, એટલે સંતાન  આવીને કહેશે, મને ખાવા આપ. તો તરત જ તમે કહો કે, એક કામ કર, આ બટેટા છે ને એ તારા હાથમાં  જરાય ઇજા ન થાય એમ નાના-નાના સુધારી દે. ત્રણ સુધારી દે એટલે એક તને ખાવા આપું. તમને એમ થાય કે આતો મુશ્કેલ પડે, ભલે મુશ્કેલ પડે.  એને છરી વાગી જાય તો  વાગી જવા દો. એની મેળે વાગી જાય એવું થવા દો. એ પણ એક અનુભવ છે. એમાં તમારે રડવા જેવા થવાની  જરૂર નથી, ‘હાય, બિચારાને વાગ્યું…’  તમે પોપલાં બનશો તો સંતાન પણ પોપડું જ થશે. 

ઘણા મા-બાપ એવું કહે  કે,  સાહેબ આજની તારીખ સુધી અમે એને રડવા દીધું નથી. એ રડે ને તો કાં હું કે એના પપ્પા, દોડીએ  સાહેબ. છોકરાને તે રડવા દેવાય? હવે આવા માતા પિતાને  કેમ સમજાવાય? રડવું એ જન્મેલા બાળક માટે જરૂરી છે, તો જ એના ફેફસાં ડેવલપ થાય છે. નહીંતર ભવિષ્યમાં કોરોના આવશે ત્યારે પહેલો દા  એનો લેશે.  આપણી  એવી કેટલીક માન્યતાઓ છે, જે માન્યતાએ આપણને ખોટા માર્ગે વાળ્યાં છે. મારું  અને  તમારું બાળક હકીકતમાં ચાર વખત જન્મ લે છે. આ થિયરી જરા સમજવા જેવી છે. હું પણ ચાર વખત જન્મ્યો છું,  અને તમે પણ ચાર વખત જન્મ્યા છો. પહેલો જન્મ છે એ ‘સેલ’ માં થાય છે, ‘કોષ’ માં થાય છે, જેની મને ને તમને ખબર નથી હોતી, એવું આપણે કહીએ છીએ. પણ  જરાક  ઊંડા ઉતરીને, સ્વસ્થતાથી, પવિત્રતાથી તમારા જાતીય આવેગોને અમલમાં મુકતા તમે ઓબઝર્વ કરશો, તો તમને ખ્યાલ આવશે કે હવે મારે ત્યાં જન્મનારા બાળકનો સેલ્યુલર બર્થ થઇ રહ્યો છે.

ઈશ્વર અથવા અસ્તિત્વ દરેક વસ્તુનો હંમેશા સંકેત આપે છે. દરેક બાબતનો સંકેત આપે છે. ઓશો તો એવું કહે છે કે, જેમ જન્મતા પહેલા 9 મહિનાનો ગાળો છે. અને 9 મહિના પછી તમે જન્મો છો એમ મરતાં પહેલા પણ 9 મહિનાનો ગાળો હોય છે. જો તમે ઝીણવટથી નોંધ લો  તો તમને ખબર પડી જાય કે, હવે મારે વિથડ્રો થવાનો સમય આવી રહ્યો છે. અને બરાબર નવ – સવાનવ મહિને તમારું ડેથ થાય. ઓશોએ  પોતાના ઉપર આ પ્રયોગ કર્યો, અન્ય કેટલાયની વાતમાં સાચું પડ્યું. બસ, એમ જ તમને ખબર પડે કે my wife is going to conceive now. she is conceiving. એને ખબર પડે. ખબર પડે ત્યારથી તમારું વાતાવરણ બદલાવું જોઈએ. યાદ એ રાખવાનું છે કે એ સેલ્યુલર બર્થ છે. કોષ તરીકે બાળક જનમ્યું. પછી એનો વિકાસ થયો. પછી એ ફર્ટિલાઇઝડ એગ થયું. પછી પછી પછી  સેકન્ડ એ તમારો  ફિઝિકલ બર્થ. જયારે પ્રેગનન્સીનો પૂરો સમય થયો. અને ગાયનેકોલોજિસ્ટના હાથમાં બાળક જનમ્યું એને ફિઝિકલ બર્થ કહેવાય. ત્રીજો જન્મ તે છે ઈમોશનલ બર્થ. શેરીમાં તમારું બાળક આંટા મારતું હોય, સ્કૂલે જતું હોય, મિત્રોને મળતું હોય, સમ-વયસ્કો સાથે, પિયર્સ સાથે જયારે ટ્રાન્ઝેક્શન કરતું  હોય ત્યારે એના ઈમોશન ઘડાય છે. જરા વિચારીએ  કે આપણને ગાળો કોણ શીખવાડે છે? ગાળો બધાને થોડી વધુ આવડે તો છે જ. આ  ક્યા સિલેબસ માં આવી? તો શીખવી કોણે? ઘરમાં કોઈએ લેશન આપ્યું? – નથી આપ્યું. સ્કૂલમાં તો આપે જ નહિ. તો પછી કોણ શીખવે છે? જવાબ છે,  “ઈમોશનલ બર્થ”..  પણ એ જ ઈમોશનલ બર્થમાં આપણું બાળક શેરીમાં આવતા કુતરીના ગલુડિયાઓને સાચવવા માટે પણ પ્રવૃત થાય છે. મમ્મી સાથે ઝગડે છે, મમ્મી થોડોક લોટ આપ, શિરો બનાવ, ગલૂડિયાને આપવો  છે. ઘરમાંથી એક શણીયું લઇ જાય છે, એને ટાઢ લાગે છે, ઓઢાડી દે છે. – આ પણ ઈમોશનલ બર્થ છે . એ વખતે આપણે જો  કહીયે કે,  શું કુતરા પાછળ પડ્યો છે? ઘરભેગો થા. તો આપણે  એ ટાણે ટ્રેન ચુકી જઈએ છીએ.  છે.  એ ઈમોશનલ બર્થ આગળ વધે ત્યારે તમે કોઈના માટે ઉપયોગી  બની શકો. રાજકોટમાં એક અનુપમ  દોશી નામના માણસ છે. કોઈપણ ને કાંઈ તકલીફ હોય, વૃદ્ધાશ્રમ હોય, ગરીબ લોકો હોય, અનાથ હોય, અનાજ પહોંચાડવું હોય  તો અનુપમ દોશી  ને ફોન કરો એટલે તમારું કામ થઇ જાય. એમનો ઈમોશનલ બર્થ એટલો જોરદાર છે કે એને કોઈ પદ નથી જોઈતું, છતાં ઉપયોગી થવું જ છે, આ સોશિયલ બર્થ છે. 

આપણા  બાળક નો સેલ્યુલર બર્થ આપણ  હાથમાં છે. ફિઝિકલ બર્થ તો ઓલરેડી આપણા હાથમાં જ છે.  જો ઈશ્વરે  કેવું કર્યું કે મહેનત પતિ અને પત્નીની. અને  જન્મે બાળક કોઈના સહારે. કોઈનો હાથ આવે, ગાયનૅકોલૉજિસ્ટનો હાથ આવે, નર્સનો સપોર્ટ આવે. પહેલા જ પગલે થી ઈશ્વર કહેવા માંગે છે કે દોસ્ત, તારે આ દુનિયામાં જીવવું હોય ને તો અન્યના સહયોગથી જીવાશે. એકલા- એકલા નહિ જીવાય. ઈશ્વર સંકેત આપે છે, એ સંકેત ને ઉકેલવા કે સમજવા એ આપણી જવાબદારી. તો આ ચાર બર્થમાંથી આપણે જેને ન જાળવી શકીએ તેવો હોય તો એ છે  ઈમોશનલ બર્થ છે. સંતાન સ્કૂલમાં જાય, જે શીખવા જેવું ના હોય તે પણ સહજતાથી ભલે શીખે. એ હું અને તમે નહિ શીખવી શકીએ. જરૂર પડે ત્યારે કોઈ નો કાંઠલો પકડવો પડે, – એ પણ સ્કૂલ જ શીખવશે. ચિંતા ન કરવી. પણ જો રોજ કોઈક ના કાંઠલા પકડીને આવે તો આપણે ચિંતા શરુ કરવી કે ભવિષ્યના ટેરેરિસ્ટના લિસ્ટ માં આવે એવી શરૂઆત થઇ છે આની. આ સમજી જવું. પછી આપણે એનું બહુ અભિમાન ન કરવું. ઘણાં મા-બાપ અભિમાન કરે છે અને કહે છે કે,  “કોઈ સામે મળ્યો નથી કે બે જીકી દે, રાહ જ ન જોવે.”  ઘણા બધા કાઉન્સેલિંગમાં આવે ત્યારે પોતાના સંતાનનું વર્ણન આવું કરે છે :  સાહેબ, બહુ જ જોરદાર છોકરો છે. એક વખત એણે  ટીચરને કહી દીધું કે, “ટીચર, તમને શું ભાન પડે?” બહુ જોરદાર છોકરો છે….. હવે આપણે એને  કહેવાય કે થોડોક સમય જાવા દે દોસ્ત, એ  તને ય કહી દેશે કે,  તમને શું ભાન પડે… બસ,આ ઈમોશનલ બર્થને આપણે  જાળવી લઇ શકીએ  તો આપણા  બાળકનું પેરેન્ટીંગ એ પરમાત્માનું પેરેન્ટીંગ છે. (સંપૂર્ણ)

સ્વામી સમર્થ રચિત ” શ્રી મનાંચે શ્લોક”

ગાગરમાં સાગર ભરીને અપાયેલ  સાર્થક જીવન બોધ !

ભદ્રાયુ વછરાજાની                          bhadrayu2@gmail.com 

મહા પ્રતાપી શ્રી શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રી મનાંચે શ્લોક’નું  મરાઠીમાંથી ગુજરાતીમાં સરળ સમશ્ર્લોકી કર્યું વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે એ.

બાર વર્ષોનું તપ હતું એમનું, કારણ કુલ ૨૦૫ શ્લોકોમાંથી શરૂઆતના દસ-પંદર સરળ શ્લોકોનો ભાવાનુવાદ ગણતરીના દિવસોમાં થઈ ગયો, પણ પછી તો આગળ જતાં શ્લોકોના અર્થો અને તેના ભાવવિશ્વો ગહન થતા ચાલ્યાં. કેટલાક તજજ્ઞો – સંદર્ભ ગ્રંથો અને પુસ્તકોની મદદ લઈને જે શ્લોકો ગુજરાતીમાં ઊતર્યા તેનું પુસ્તક થયું ‘શ્રી મનના શ્ર્લોક.’ 

બીજા જ શ્લોકમાં ‘ચતુર્વાણી’ નાં માતાનું નમન થયું. વાણીના ચાર પ્રકાર : પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી…માત્ર નમન જ નહીં, પરંતુ મા શારદાને પ્રણામની સાથે વિનંતી કે : મારું ગમન સદા રામપંથે થાય !’

ચતુર્વાણી મા શારદાને નમન હો 

સદા રામપંથે મારું ગમન હો

મનને સૂચના આપી કે શું છોડી દેવું ને શું સ્વીકારવું ?

જગે નિંદ્ય હો સર્વ તે છોડી દેવું,

અને વંદ્ય તે સર્વ સ્વીકારવાનું.’

મન જાણે વિદ્યાર્થી છે અને સમર્થ સ્વામી તેના ગુરુ..બસ, એ જ અદાથી મન ને ઉદ્દેશીને કહે છે :

કદી સારી નીતિને ત્યાગો મનવા, હજો અંતરે સદ્દવિચારો મનવા.

હવે પાપસંકલ્પ  ત્યાગો રે મનવા, અને સત્યસંકલ્પ ધારો રે મનવા.

વિષય વાસનાથી રહો દૂર મનવા, વિકારોથી મુક્તિ મળી જાય પળમાં.

‘મનુષ્ય ‘ શબ્દમાં મન છે તો ‘માનવ’ શબ્દમાં પણ મન તો છે જ. ‘માણસ’ તે જે ‘મનધારી’ છે. એટલે કામ-ક્રોધ-લોભ-મત્સર અંતે તો મનના જ તરંગો છે અને એ તરંગો જ માનવજીવનના અવરોધો છે. મન સાથેના સંવાદમાં સમર્થ સ્વામી મનને સકારણ સમજાવે છે કે આ દોષોથી કેમ અને શા થી દૂર રહેવું. એટલું જ નહીં પણ મન જ સૌને શાંતિ સંદેશ આપે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરે છે.

કર ક્રોધ મન ક્રોધ છે શોકકારી, અરે કામની વાસના છે વિકારી.

મના બધાંને તો અંગિકારો, તો દંભ મત્સરને મોટો થવા દો.

સદા ધૈર્યથી મન તમે કામ લેજો, મના કોઈ અપશબ્દ બોલે તો સહેજો.

મુખે સર્વદા નમ્ર વાણી રેજો, મના સર્વને શાંતિ સંદેશ દેજો.

નાના શ્લોકોમાં કેટલું ઊંડાણથી કહી શકાય છે, તેની અદભુત પ્રતીતિ આ ‘શ્રી મનના શ્લોકો’ કરાવે છે. સાહિત્યમાં શબ્દ છે ‘લાઘવ’. આ ‘લાઘવ’ શબ્દને પળે પળે કે પ્રતિ શ્લોક ચરિતાર્થ થતો માણવો હોય તો શ્રી મનના શ્લોકો વિરલ ઉદાહરણ છે. અખાના છપ્પા કે ભોજાભગતના ચાબખામાં જે કંઈ ધક્કા સાથે ટકોરાયું છે તે અહીં સમર્થ સ્વામી રામદાસ દ્વારા ધૈર્ય સાથે બોધાયું છે.

પારકાનું ધન ન ખપે એટલું જ નહીં પરંતુ અતિલોભ કરશો તો પાપ લાગશે પણ ભોગને ત્યાગી દેશો તો જીવને સુખ જ સુખ મળશે, આવી ગદ્યમાં સરળતમ લાગતી વાતોને સહજતમ રીતે પદ્યમાં કહી દેવાનું એટલું સરળ નથી !

ખપે દ્રવ્ય ના મન કદી પારકાનું, અતિલોભ હો પાપ ત્યાં લાગવાનું.

સદા સર્વદા રામને પ્રેમ કરવો, મના ભોગ ત્યાગી સુખે જીવ કરવો.

પડે કષ્ટ તેને સુખ માનવાનું, વિવેકી બની અંતરે ઝીલવાનું !

મનોવિજ્ઞાન એને ‘સેલ્ફ ટૉક’ કે ‘ઑટો સજેશન’ કહે છે. સ્વામી સમર્થે વર્ષો પહેલાં આપણાં વતી આ મન – સંવાદ કરી આપ્યો છે.

આપણી સંસ્કૃતિના એક એક શાસ્ત્ર કે સર્જન કેવાં ગહન અને બોધદાયક છે તેની આ તો ઝલક છે. સુરદાસ, કબીર, મીરાં, નરસિંહ, ભોજા ભગત, અખાની યાદી કેટલી લાંબી થઈ શકે. આપણાં રાષ્ટ્ર તરફ પશ્ચિમી લોકો ઠાલાં જ નહીં આકર્ષાયાં હોય ને !. આપણે આપણામાં ડોકિયું કરવું હોય તો આ સહજ-બોધ ગ્રંથોમાં દિલથી વિહાર કરવો પડશે.

 

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ગ્રામસેતુ એપ્રિલ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

R Mankad all.3

આયકરની નોકરી છોડી શિક્ષણનો કર ઝાલનાર સમાંતર શિક્ષણ વ્યવસ્થાના શિક્ષક શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ન ચોર હાર્યું ન ચ રાહાર્ય  ન ભાતૃભાજ્યમ્ ન ચ ભારકરિ વ્યયે કૃતે વર્ધત એવ નિત્ય, વિદ્યા ધર્મ સર્વ ધનમ્ પ્રધાનમ્।

એ માતાશ્રીની રોજની પ્રાર્થનાના શિડ્યુલનો પહેલો શ્લોક! દિવસનું ફૉર્મલ ઍજ્યુકેશન પૂરું થાય પછી ઘરે ઇન્ફૉર્મલ ઍજ્યુકેશન શરૂ થાય. શ્લોકથી શરૂઆત અને એમાં પણ વિદ્યાનું જ પ્રાધાન્ય અને મહત્ત્વ! તેથી જ તો શિક્ષણ સાથે જાણે નાળસંબંધ બંધાયો. સૉર્સ ઑફ ઇન્સ્પિરેશન ઍન્ડ ઍન્કરેજમૅન્ટ એટલે માતા અને પિતા. એમનું આખું જગત સમાય ગયું એ વિભૂતિઓમાં. શ્રી હરખલાલ વસંતરાય માંકડ અને સૌ. બાળાબહેન માંકડ. સૌથી મોટા પુત્ર રમેશભાઈ માંકડ. સંસ્કાર પિંડ ઘડાયો ભારતીય સંસ્કૃતિના ભાતીગળ માહેલમાં. માતા તેર વર્ષે પરણેલા. માત્ર ત્રણ ગુજરાતી ભણેલાં. જીવન કથા-કીર્તન-ધાર્મિક ગ્રંથોનું વાચન કરવામાં વીત્યું. માંડ માંડ ઉકલે તેવા અક્ષરોમાં બાળાબહેને ગ્રંથોનો નિચોડ પણ લખેલો. સંતાનોને વહાલથી કહેતા જાય : જ્યારે સમય મળે ત્યારે આ પુસ્તકો વાંચી જજો.’ પિતાશ્રી નૉનમૅટ્રિક. પણ એ સમયમાં નૉનમૅટ્રિક એક લાયકાત ગણાતી, કારણ કે તે સમયના નૉન-મૅટ્રિક આજના અનુસ્નાતકને પરસેવો પડાવે તેવા હોંશિયાર. પિતાશ્રીએ ગુજરાતી માધ્યમમાં ફોર્મ (આજનું આઠમું ધોરણ) શરૂ કરનારા દીકરા રમેશને આદેશ કર્યો : “From today onward you will speak with me in English for half an hour daily.’ ધીમે ધીમે સમય વધતો ગયો. સ્પેલિંગ-ઉચ્ચાર-રજૂઆત અંગે પિતાશ્રી સાથે રીતસર શાસ્ત્રાર્થ થતો ગયો.

બન્યું એવું કે રમૂજી પ્રકૃતિવાળા કાકા અમારા ઘરે આવેલા, રોકાયેલા. એમના ગયા બાદ પિતાજીને મેં કહ્યું : હીઝ કમ્પની ગેવ મી ગ્રેટ જૉય… પિતાજીએ મુદ્દો પકડ્યો. જોય’ શબ્દનો ઉપયોગ તો યોગ્ય કર્યું… પણ આપણે ક્યાંક બહાર ઘૂમતા હોઈએ ત્યારે ઊડતાં પંખીઓ (ફ્લાઇંગ બર્ડ્સ), વહેતી સરિતાઓ (ફ્લોઇંગ રિવર્સ), ડોલન કરતાં પુષ્પો (ડાન્સિંગ ફ્લાવર્સ) કે કોઈ અદ્ભુત શિલ્પ નિહાળવા મળે તો જોય’ શબ્દના સ્થાને કર્યો શબ્દ વાપરશો? એમણે જ જવાબ આપ્યો : “ડિલાઇટ” કે પ્લેઝર’ કે ‘જોય’ તો છે જ પણ તમે કુદરતી સૌંદર્યના મૂક ભાવે પ્રેક્ષક થાવ છો ત્યારે હૃદયના આનંદનું ઝરણું બહાર આવ્યું છે તે દર્શાવતો શબ્દ છે ‘રેપ્ચર’ (Rapture)… અને આનંદની માત્રા વધતી જાય તેમ શબ્દો બદલાતા જાય : રેપ્ચર’ પછી ‘એક્સટસી’ અને બ્લીસ’ મારી ઉંમર ન હતી આ બધું સમજી શકવાની, પણ ઉમેરાતું હતું બધું. પિતા વર્ણન કરી સમજાવતા. વિશાળ લલાટ હોય – લગભગ કાન સુધી અડે એવી લીંબુની ફાડ જેવી આંખો હોય – મુખારવિંદ પર તેજ હોય, નૂર હોય, આભા હોય

સમથિંગ લાઇક ઑરા હોય ત્યારે એવી પર્સનાલિટીને કહેવાય August Personality! બહુ મોટો થયો ત્યારે ઍપ્રોપ્રિએટ યુસેઝવાળી વાત શીખવી ન પડી કારણ પિતાજીએ નાની વયે બધું ઘોળી ઘોળીને પાયું હતું.’ રમેશભાઈ માંકડ પોતાનાં વનઆદર્શ એવાં મા-બાપ વિષે ભાવવિભોર થઈને બોલતા જ રહે છે.

જન્મ જામનગરમાં પણ શૈશવ ગાંધીભૂમિ પોરબંદરમાં. ત્યાં પ્રાથમિક શિક્ષણ, પછી ત્રણ વર્ષ રાજકોટ જેમાં એક વર્ષ દેવકુંવરબા સ્કૂલમાં અને મૅટ્રિક સુધી આલ્ફ્રેડ હાઈસ્કૂલ – આજની મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં. શિક્ષકો ઇનોવેટિવ અને સ્ટુડિયસ. એ શિક્ષકો એમ માનતા કે વિદ્યાર્થીઓને હોમવર્ક આપવાની વાત તો પછી આવે, પહેલાં શિક્ષકોએ હૉમવર્ક કરવાનું હોય! પોતે બરાબર તમારું સજ્જ ન હોય તો તેઓ રજા પર રહેતા. અંગ્રેજના શિક્ષકે સમજાવેલું કે : કોઈપણ ટેન્સ (કાળ) પ૨ તમારે પ્રભુત્વ તો જ આવી શકે જો તમે તેના ઉપર અનેકાનેક વાક્યો લખેલ હોય, શિક્ષક પોતે બોર્ડ પર એટલું લખતા તે સાંજે ઘરે પહોંચે ત્યારે ઘરના સભ્યો તેમનાં મસ્તક ૫૨ જમા થયેલી ચૉકસ્ટીકની ભુક્કી જોઈને કહે કે, “તું કડિયાનો દીકરો છો કે શિક્ષક ?” બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી બી.એ., રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી એમ.એ. અને એ.એમ.પી. લૉ કૉલેજમાંથી કાયદા સ્નાતકની ઉપાધિઓ પ્રાપ્ત કરનાર રમેશભાઈ માંકડના જીવનમાં જબ્બર વળાંક લાવનાર ઘટના બની. ૧૯૫૭નો સમય. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કૉલેજમાં જુનિયર બી.એ.માં ભણે. સંસ્કારી-સરળ- મહેનત-શાંત-સૌમ્ય યુવાન ઉછેરમાં પરગજુપણું મળેલું. અચાનક જાણવા મળ્યું કે એક બ્રાહ્મણ બહેનના પતિનું અકાળે અવસાન થયું. પતિ હતા પોસ્ટઑફિસમાં… નાની ઉંમરે વૈધવ્યનો ભોગ બનેલ બહેનને એક દીકરો. ભણે પણ ઠીક ઠીક સૌએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. જૂનાગઢના પોસ્ટમાસ્ટરે કહ્યું કે, બહેનનો દીકરો જો અંગ્રેજીમાં સરનામાં વાંચતાં શીખી જાય તો તેને મૅસેન્જર’ની જ્ગ્યા પર નોકરીએ રાખી દઈએ. બહેનનો આધાર ઊભો થાય. પણ આ ટૂંકા ગાળામાં સિદ્ધ કરવો પડે તેવો પડકાર ઉપાડે કોણ? રમેશ માંકડના કાને આ વાત આવી. તેણે બીડું ઝડપ્યું. કૉલેજ પહેલાં અને પછી, પેલા વિધવા માતાના દીકરા પાસે એમણે પલાંઠી વાળી. મા દીકરીના માથામાં તેલ નાખતી વખતે જેમ વહાલથી પાંથીએ પાંથીએ તેલ પૂરે, એટલા સ્નેહથી યુવાન રમેશ વિધવા માતાના આધારને અંગ્રેજી શીખવવા લાગ્યો. નિષ્કામ કર્મનો ગીતા ઉપદેશ ચિરિતાર્થ થયો. જુનિયર બી.એ.માં ભણતા છોકરાએ એક કુટુંબનો કાયમી આધાર બની રહેવામાં એક દીકરાને સફ્ળતા બક્ષી અને પોતાની જિંદગીના અધ્યાપન માર્ગનો અજાણતાં પાયો નાંખ્યો! આજે પંચોતેર વર્ષ તરફ સરકતા રમેશભાઈ માંકડ આ પ્રસંગ વર્ણવત ગળગળા થઈ જાય છે અને શાળા-કૉલેજની ઔપચારિકતામાં જે ન થઈ શકે તે કરી બતાવ્યાની ચમક આંખમાં છલકાય છે!

બસ, આ ઘટનાથી મનનો કોઈ અર્દશ્ય પ્રદેશમાં એક વાત ઘર કરી ગઈ કે, શાળા-કૉલેજમાં અપાતા ઔપચારિક શિક્ષણમાં જે કચાશ રહી જાય તેને દૂર કરવાનું કામ કરવા જેવું છે. પોતાના બન્ને ભાઈઓને વાત કરી. સારું એ હતું કે સૌથી નાના ભાઈ બિપીન માંકડનો ગણિત પર કાબૂ અને વચલા ભાઈ મધુભાઈ માંકડ સમાજવિજ્ઞાન ભણાવવામાં પ્રભાવક. જૂન ૧૯૫૮માં રાજકોટમાં સૌ પ્રથમ માંકડ ક્લાસીસનો જન્મ થયો. Alternative કે Parallel System of Educationનો પાયો નખાયો ગુજરાતમાં! ક્લાસીસ શરૂ કરતી વખતે માતાપિતાની નિશ્રામાં બેસી ત્રણેય માંકડ બંધુઓએ ક્લાસીસની આચારસંહિતા ઘડી. આજના કહેવાતા ટ્યૂશન ક્લાસીસવાળા માટે તો એ આચારસંહિતા દીવાદાંડી સમાન છે. (૧) ફીનું ધોરણ એટલું વધુ ન હોવું જોઈએ કે આ કાર્ય પાછળનો ઉમદા હેતુ માર્યો જાય. (૨) શિક્ષકનાં સંતાન પાસેથી ફી ન લેવી. (જેણે ભવ પાર ઉતાર્યાં અને ગંગા પાર ઉતારવાના નાણાં લેવાય ?’) (૩) એક શેરી તો એક કુટુંબ ગણાય, એટલે માંકડ કુટુંબની શેરીમાં રહેતાં કોઈ બાળકની ફી નહીં લેવાની. (૪) એક કુટુંબમાંથી એક વિદ્યાર્થી વર્ગમાં અભ્યાસ કરતો હોય તો તેના ભાઈ-બહેનની ફી નહીં લેવાની. (૫) થોડી ફીમાં બધા જ વિષયો ભણાવવાના (૬) લેખિત નોટ નહીં આપવાની પણ વિદ્યાર્થીને લખતા કરવાના. (૭) ટ્રાફિકની ગીચતા નિવારવા ક્લાસમાં આવનાર વિદ્યાર્થીએ વાહન લઈને નહીં આવવાનું! ૧૯૫૮થી ૧૯૭૦ સુધી માસિક રૂપિયા છમાં સાત વિષયો માંકડ ક્લાસીસમાં શીખવાયા. ગરીબ-નબળાંને મદદ મળે અને આપણને પેટ પૂરતી રોજગારી મળે તેટલા જ ઉદ્દેશથી ૧૬, પંચનાથ પ્લૉટ, રાજકોટ ખાતે ૧૯૫૮થી ૨૦૦૦ સુધી માંકડ ક્લાસીસ ચાલ્યા! ૨૦૦૦ની સાલ પછી નૈતિક મૂલ્યો બદલાયાં, શિક્ષકનું કતૃત્વ બદલાયું, અસ્વસ્થ અને બિનતંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ શિક્ષણમાં, એટલે રમેશભાઈ માંકડે ગીતાવચન મુજબ ‘કાચબો જેમ અંગોને સંકોરે સા’ પોતાની જાતને withdraw કરી લીધી!

સળંગ બેતાલીસ વર્ષો નિજાનંદ માટે સમાંતર શિક્ષણ વ્યવસ્થાના ધૂરંધર શિક્ષક બની રહેના૨ ૨મેશભાઈ માંકડ પાસે જે અંગ્રેજી શીખ્યા તે આજે અંગ્રેજી માધ્યમમાં ભણેલા ખેરખાં સામે ટક્કર લે છે. તેઓ પાઠમાળા શીખવે ત્યારે વર્ગમાં શાંત ઝરણું વહેતું હોય એવું લાગે. To beનાં રૂપ શીખવવાની અને તેમાંય ત્રીજા પુરુષ એકવચનમાં થતા બદલાવની રમેશભાઈની લઢણ આજે ય ઘણા હૃદય ધબકારે અકબંધ છે. એસ.એસ.સી.ની બોર્ડની પરીક્ષા પહેલાં અને દરમિયાન માંકડ બંધુઓ નબળાં અને ઓછાં આત્મવિશ્વાસવાળાં ગભરુ વિદ્યાર્થીઓનાં ઘરે જઈ બેસે ને જબરો માનસિક ટેકો કરે. રમેશભાઈ માંકડ કહે છે : બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં પ્રિ. ભરૂચાસાહેબ અને પ્રો. પ્રભુ દેસાઈએ જે શૈક્ષણિક પર્યાવરણ ઊભું કરેલું તેની મારા પર પ્રગાઢ અસર છે. બહાઉદ્દીન કૉલેજનાં Particles of Airમાં જે ભારોભાર વિદ્યા” હતી. તેને મેં મારી કર્મસ્થળે સર્જવા પ્રયત્ન કર્યો છે.’ જો કે, રમેશભાઈ માંકડની વિશિષ્ટ શિક્ષન્નયાત્રામાં એક સમયે ધર્મસંકટ પણ ઊભું થયું હતું. હોંશિયારી તો ગળથૂથીમાં. રમેશભાઈ UDCમાં સફળ થયા, જોડાયા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં. ૧૯૫૯થી ૧૯૬૫ કેન્દ્ર સરકારની નોકરી દરમ્યાન ખાતાકીય પરીક્ષામાં પાસ થયા. ડાયરેક્ટ રિફ્રૂટ એક્ઝામમાં પણ સફ્ળ થયા અને પ્રમોશન મળવાના હુકમો થયા. પોતે કુટુંબના મોટા દીકરા, પરિણીત અને એક દીકરાના પિતા. પ્રમોશનથી ઘરમાં ખુશીનો માહોલ. રમેશભાઈનું મન બીજા જ વિચારે ચડ્યું. માંકડ ક્લાસીસમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીના શિક્ષણનું નક્કર કામ થતું હતું, ત્યાં ધસારો વધી રહ્યો હતો. આઇ.ટી. ઇન્સ્પેક્ટરનું પ્રમોશન સ્વીકાર્યા પછી ક્લાસનું કામ કરવું નૈતિક રીતે ખૂંચશે તેની ખાતરી હતી. ધર્મસંકટ વખતે અધ્યાપન-લગાવ જીત્યો. જૂનાગઢની બ્રાહ્મણ વિધવા બહેનનો દીકરો નજર સમક્ષ આવ્યો. પ્રમોશન તો ન સ્વીકાર્યું પણ નોકરી જ છોડી દીધી! રમેશભાઈ મૃદુતાથી સાચા શિક્ષકના હૃદયની વાત કરે છે : નોકરી છોડી તે જીવનનું મોટામાં મોટું જોખમ હતું, પણ મને કોઈ Invisible Divine Force જીવનને યુ-ટર્ન આપવા પ્રેરણા આપતો હતો. બેંતાલીસ વર્ષોની પળેપળ વિદ્યાર્થી વચ્ચે જ રહ્યો, અંગ્રેજીમય બન્યો અને બનાવ્યો, હજારો વિદ્યાર્થીઓ સાથે પ્રેમનો નાતો બંધાયો તે મારી અખૂટ મૂડી.’ એક શિક્ષકને બીજું જોઈએ ય શું?

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.

સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.

સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.

આસપાસ ચોપાસ : (૦૪) | અખંડ આનંદ એપ્રિલ – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

           एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…

ઉત્તમ વિચાર ક્યાંથી ક્યાં સુધી ગતિ કરે છે તેનો એક સ્વાનુભવ અહીં વહેંચવો છે. 

એક નાની પુસ્તિકા છે, તલગાજરડી આંખ. તેમાં સુવિચારોનો સંગ્રહ છે. વિશ્વમાં શ્રી રામચરિત માનસ ને ખૂણે ખૂણે પહોંચાડનાર શ્રી મોરારિબાપુએ અનેક કથાઓમાં સહજતાથી ઉચ્ચારેલા સુ વિચારો આ પુસ્તિકામાં છે. પોતાની અંત:યાત્રા માટે ‘નોકરી’ કરનાર શ્રી દિનુભાઈ ચુડાસમાએ તેનું સંપાદન કરેલ છે. તેમાં શુદ્ધ અને સાત્ત્વિક વિચારો છે. બાપુની નીજી શૈલીમાં સાવ સાદા સીધા શબ્દો અને સીધી ગળે ઉતરે તેવી જ વાતો… મોટી મોટી કોઈ ફિલસુફી નહીં. 

આ પુસ્તિકા બહુ બધી  શાળાઓ ચલાવનાર યુવાન સંચાલકના હાથમાં આવી અને તેમણે દિલથી વાંચી. સાહિત્ય પ્રીતિ ખરી એટલે તે યુવાન વાંચવાના અને વિચારવાના શોખીન. તેમને વિચાર આવ્યો કે, ચાલોને એક રસઐક્ય ધરાવતા મિત્રોનું વોટ્સએપ ગ્રુપ બનાવું ને તેમાં રોજ રાત્રે એક વિચાર આ પુસ્તિકામાંથી મુકું. સૌને અવગત કર્યા  કે આ કેવળ એડમીન દ્વારા જ ચાલનારું ગ્રુપ છે અને તેનો ઉદેશ્ય કેવળ આ પુસ્તિકામાંથી સાત્વિક વિચારનો પ્રચાર પ્રસાર કરવાનો છે. વિચાર શુભ હતો એટલે આ સત્ત્વશીલ કાર્ય સરસ રીતે ચાલવા લાગ્યું .

થોડા દિવસો પછી મને વિચાર આવ્યો કે, અહીં ગ્રુપમાં જે મુકાય છે તેમાંથી  મને જે વિચાર સ્પર્શી જાય તે વિચાર લઈને હું મારા વોટ્સએપના સ્ટેટસ્ માં  મુકું. આમ મારું  સ્ટેટસ જોનાર ઘણા મિત્રો છે, એટલે સરસ વિચાર વ્યાપક રીતે ફેલાય. એ પણ સરસ રીતે ચાલી રહ્યું છે ત્યાં એક સદ્દસ્ફોટ થયો. (જેમ વિસ્ફોટ થાય તેમ આ સદ્દસ્ફોટ એટલે સત નો ફેલાવો થાય તેવો ચમત્કાર) મેં મારા સ્ટેટસમાં એક દિવસ પ્રિય મોરારીબાપુએ કહેલ  જે  સુ વિચાર મુક્યો તે આ પ્રમાણે હતો : 

હું તમને એક સારામાં સારું શુકન કહું ? નવી ગાડી લો અને લઈને આવતા હો અને રસ્તામાં કોઈ ગરીબ ડોશીમા એનું પોટલું માથા પર મૂકીને તાપમાં નીકળી હોય તો એને એના ઘરે પહોંચાડી દો એના જેવું શુકન એકેય નહીં ….ધર્મના રહસ્યને આપણે આ રીતે સમજીએ.” 

હવે આ ઉત્તમ વિચાર યાત્રા કેવી આગળ ધપે છે તે જુઓ. પેલા ગ્રુપના એડમીન મિત્ર રોજ એક વિચાર મૂકીને છૂટી જાય. હું એમાંથી એક વિચાર મારાં સ્ટેટસમાં મૂકીને છૂટી જઉં. પણ  એમાંથી એક વિચાર કોઈકને સ્પર્શી ગયો. આ વિચારને  વાંચનાર હાલ સુરતના એક યુવાનને કેવી અસર થઈ તે જાણીશું તો વિચારનું અમૂલ્ય મૂલ્ય સ્વીકારવું પડશે. સુરતમાં સ્પાર્ક નામથી શિક્ષણ અને સાહિત્ય સેવા કરનાર શ્રી આદિત્ય ઝાલાએ મને (એ વિચારને ટેગ કરી) જે લખી મોકલ્યું તે વાંચીએ :   

શુકન તો ખરાં, એમાંથી તો ઋણાનુબંધ નીકળી આવવાનો મારો જાતઅનુભવ છે ! ભાવનગરમાં ધો. ૧૨માં અભ્યાસ વખતે નવું નવું બજાજ સ્પિરિટ લઈને હું બપોરે ટ્યૂશનથી પાછો ફરતો હતો. કાળુભા રોડ ઉપર એક વડીલ રિક્ષાની રાહ જોતા ઊભા હતા. નજીક જતાં એટલો ખ્યાલ આવ્યો કે આ વડીલ તો નવમા ધોરણની મારી એક વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક હતા. મેં એમને લિફ્ટ આપી અને એમને ઘરે મૂકી આવ્યો. એમણે મને અંદર આવવા કહ્યું પણ ‘ઘરે પહોંચતાં મોડું થવાથી સૌ ચિંતા કરશે’ એમ કહી એમના  દરવાજેથી જ હું પાછો ફર્યો અને એમનું નામ જાણી લીધું.

ઘરે જઈને સૌની ઉપસ્થિતિમાં આ વાત કરી. એ વડીલનું નામ સાંભળીને પપ્પા ખુશ થઈ ગયા ! પપ્પા તો રાજીપાસભર બોલ્યા: ‘ઓહો,  તખ્તસિંહજી પરમાર?! એ તો અમારા તખુભા સાહેબ..જૂનાગઢમાં અમે એમની પાસે ગુજરાતી ભણ્યા છીએ.’ અને પછી તો પપ્પાએ એમની NSS અને NCCની યાદો પણ વાગોળી. સાંજે ડિરેક્ટરીમાંથી નંબર શોધીને પપ્પાએ સાહેબ સાથે વાત કરી અને તે પછીના રવિવારે અમે એમની મુલાકાત પણ લીધી. એમને ત્યાં ફળિયામાં જ મારો  ભાઈબંધ કમ સહાધ્યાયી રાજદીપસિંહ મળી ગયો અને ત્યારે મને ખબર પડી કે, એ તો પરમાર સાહેબનો પૌત્ર થાય !  આ મારી શુકન-ઋણાનુબંધની કથા.. તમારી આ પોસ્ટે પણ તે દિવસ જેવું જ કર્યું- एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…”

છે હવે કશું બોલવાની જરૂર ?? છે હવે કાંઈ લખવાની આવશ્યકતા ?? ઉત્તમ વિચાર ક્યાંથી સ્ફુરે ને ક્યાં  ઝીલાય અને ક્યાં એ અનુભવમાં મુકાય અને તેની કેવી અનુભૂતિ હોય…તેની યાત્રા અલૌકિક બની રહે ત્યારે સુંદર વિચાર આવી જાય કે,  સારપને ફેલાય જવાની ટેવ હોય છે.” 

આપણે ઘણીવાર સોશિયલ મીડિયાને વખોડતા હોઈએ છીએ પણ મને તો એવા અનેક અનુભવો થયા છે કે સોશિયલ મીડીયાએ ઘણી સકારાત્મક અસરો કરી હોય. સોશિયલ મીડીયાએ ક્યારેક તો તબીબ ક્ષેત્રોમાં એવી  મદદ પણ કરી છે કે જેથી કોઈનો જીવ બચ્યો હોય!!. અહીં આપણે જે નાના વિચારની વ્યાપક અસરની  નાની અનુભૂતિ અંગે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, હા, એક વિચાર ગજબનાક અસર કરવાની ક્ષમતા ધરાવે છે.   

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


બાળકો જે જીવે છે તે શીખે છે

બાળકો જે જીવે છે તે શીખે છે

બાળકને તમે જે શીખવો છો તે નહિ, પણ બાળક તમે જે જીવો છો તે શીખે છે.

ભદ્રાયુ વછરાજાની                                                        bhadrayu2@gmail.com

બાળ ઉછેર વખતે વારંવાર સંભળાતો એક  શબ્દ છે,,,મૂલ્ય. સૌ કહેશે કે બાળકોમાં સારા મૂલ્યો ઉચ્છેરવાના રહેશે. પ્રશ્ન સૌને થાય કે આ મૂલ્યો એટલે શું ?? એ ક્યાંથી આવે અને કેમ કરીને બાળકમાં દાખલ થાય ?? થોડીવાર આ શબ્દને ભૂલી જઈએ કારણ ઘણી વાર આપણે શબ્દોમાં અટવાઈ જઈએ છીએ અને પછી એ શબ્દ આપણે આચરણમાં મુક્યા  વગર કેવળ ઉચ્ચારીને સંતોષ માનીએ છીએ. યાદ એ રાખીએ કે, મૂલ્યોનું પોટલું માથે ઉચકીને  બાળક જન્મ લેતું નથી કે મૂલ્યનું પોટલું માતા પિતાની કાંખમાં ય હોતું નથી.

આપણે બાળકના ઉછેરની સાથોસાથ તેને મૂલ્યો દર્શાવીએ છીએ અને તેને બાળક ઝીલે તેવી શક્યતા ઉભી થાય છે. એ ભૂલવા જેવું નથી કે માતા પિતાની વાણી-વર્તન, આસપાસનું પર્યાવરણ અને રોજ્બરોજના વ્યવહારમાંથી મૂલ્યો બાળક સુધી પહોચે છે. હવે એ હકારાત્મક હોય તો તેની છાપ બાળકમાં હકારાત્મક પડે છે અને અન્યથા તેથી ઉલટું પણ બને છે. ભાવાર્થ એટલો કે માતા પિતા એ બાળ ઉછેર દરમ્યાન બહુ જ સજગ રહીને ડગલા ભરવા જોઈએ. આપણે જે જીવીશું તેને અનુસરવાની બાળકની વૃત્તિ રહે છે, એવું તો આપણે સૌએ પણ નોંધ્યું છે.

૧૯૭૪ માં દસ + દસ નાનાં નાનાં વાક્યો ડોરોથી લૉ નોલ્ટે દ્વારા લખાયાં.

‘જો અને તો’ થી શરૂ થતાં એ વાક્યો ‘બાળક કેમ શીખે છે’ તેની બારાક્ષરી સરીખાં છે.જો બાળક…. જીવશે તો બાળકશીખશે,’ બસ આવાં આખાં દસ વિધાનો માત્ર છે. પણ એમ કહો ને કે બાળઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાય ગયું છે ! આપણે એ દસ વિધાનોને વાંચી જઈએ…

જો બાળક ‘નિંદાભર્યા વાતાવરણમાં જીવશે તો તે’ ‘વખોડવાનું’ શીખશે.

જો બાળક ‘વેર કે વિરોધ’ વચ્ચે ઉછરશે તો તે ‘લડતાં’ શીખશે.

જો બાળક ‘મશ્કરી કે મજાક’ બનીને મોટું થશે તો તે ‘તાકીને પ્રહાર’ કરતાં શીખશે.

જો બાળક ‘શરમ’ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને ‘દોષો કે દુષ્ટ’ ગણતાં શીખશે.

જો બાળક ‘સહનશક્તિ કે સહિષ્ણુતા’ વચ્ચે મોટું થશે તો તે ‘ધીરજ’ કે ‘ધૈર્ય’ નો ગુણ ગાંઠે બાંધશે.

જો બાળક ‘પ્રેરણા અને ઉત્તેજન’ મેળવતાં મેળવતાં વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે ‘દ્રઢ વિશ્વાસ’ ઉમેરાશે.

જો બાળક ‘પ્રશંસા’ ના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઉંચુ મૂલ્ય કરતાં શીખી જશે.

જો બાળક ‘ઔચિત્ય’ જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ‘ન્યાય અને પ્રામાણિક વ્યવહાર’ થી જીવી જવું જોઈએ તેવું આત્મસાત કરશે.

જો બાળક ‘પ્રમાણસરની સલામતી’ વચ્ચે ઉછરશે તો તેનામાં ‘જીવન પ્રત્યેની શ્રદ્ધા’ ઊભી થશે.

જો બાળક ‘સંમતિ’ ના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાનાં વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે.

હકીકતમાં આ દસ પગથિયાંવાળી બાળઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાનાં હૈયામાં વસાવી લેવા જેવી છે. પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ ‘જો અને તો’ ની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર  રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ પર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જયારે જયારે બાળક સાથે બોલે કે બાળક સાથે કશો પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસપગલાં સામે જુએ ને પછી આગળ વધે. ઉછેર જેવો થશે, બાળક  તેવું થશે.. યાદ રાખીએ : ‘બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે…’ તમે ‘કહેશો’ તે  નહીં, પણ તમે જેમ ‘કરશો’ તેમ બાળક અનુસરશે. મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે. સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો પ્રશ્ન છે. ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાનાં મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી : ‘મા, મારાં મમ્મી પપ્પા અત્યારે સવારના પહોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે…’ હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો ‘નિષ્ઠુર’ શબ્દ રામને કોણે શીખવ્યો હશે તે જરા વિચારીએ. આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતાં હોઈએ તે બાળક ક્યાંથી કરતો થયો હશે, કહો જોઈએ !!

મહાત્મા ગાંધીએ  પુત્રો અને પુત્રવધૂઓને લખાયેલા પત્રોમાં એક સરસ તથ્ય કહેવાયું છે કે, અપૂર્ણ બાપની સોડમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હૂંફ શોધ એટલે તું બળવાન થશે. આ જ મારું તને શિક્ષણ છે.’ કેટલી બધી ઊંચી વાત મહાત્મા કહે છે, પ આપણે તેને કેમ ચરિતાર્થ કરવી ?? બસ, એ જ પેરેન્ટીંગ છે. (ક્રમશઃ)

એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya  Morari Bapu Ram Katha

એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya Morari Bapu Ram Katha

એ દંપત્તિ પરણ્યું નથી પણ...

મમ્મી પપ્પાએ પોતાનાં લગ્નની કંકોતરી પોતાના દીકરાની સાથે આવીને બાપુ ચરણમાં અર્પણ કરી !!

– ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને માણસ જાત કરતા ઓછા સમજુ માનીને આપણે એમને આદિવાસી કહીને દૂર હડસેલી મેલ્યા છે. એમના પ્રશ્નો સામે જોવાનું આપણે પસંદ કર્યું નથી.

ધરમપુર પાસેના ખાંડા ગામમાં ચાલી રહેલી શ્રી મોરારીબાપુની શ્રી રામકથા દરમિયાન બે-ત્રણ વિચિત્ર અને વિશિષ્ટ વાતો જાણવા મળી. એમાંની એક વાત આજે આપની સાથે કરવી છે.

એક એવું કુટુંબ બાપુને કંકોત્રી આપવા આવ્યું કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો હતા!!!. આ ત્રણેય જણા સાથે પ્રિય મોરારીબાપુને પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. બાપુના ચરણમાં કંકોત્રી મૂકી અને તેઓ પગે લાગ્યા. સૌને આશ્ચર્ય હતું કે, આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે જરા અચંબિત થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા પૂજ્ય બાપુને મળવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, બાપુના આશીર્વાદ મેળવે અને તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.

એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમનું સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’ નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. બાપુને મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે બાપુએ કહ્યું કે આ તો બહુ મોટી દિલની મોટાઈ માંગે એવો મુદ્દો છે. આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.

હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા બાપુને આપવા આવ્યા હતા. બાપુનાં મનમાં ખુબ આનંદ હતો કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર કર્યો છે.

આ વાતની ચર્ચા થતી હતી એ દરમિયાન એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે, પરણવા આવ્યા.!!

આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે પરણે છે અવશ્ય.

આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે. અને પોતાના જીવનમાં આનંદ માણે છે.

આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. પ્રિય બાપૂની રામકથા દરમિયાન આવા કેટલાય પ્રસંગો જોઈ જાણીને આશ્ચર્યમાં ગરકાવ થયો પરંતુ આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

આપણે પ્રાર્થના કરીએ કે, ‘ હે ઈશ્વર, સદા એમની સાથે રહે.’

જય સીયારામ…

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback