by Bhadrayu Vachhrajani | Jul 21, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“નાનીની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. આ એવું જ હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”
રજનીશને ક્યારેય રમતોમાં રસ પડયો નથી, કેમ કે જેની સાથે તે રમી શકતા હતા એ બધા ૫૦ વર્ષ વટાવી ચૂક્યા હતા. પરિણામ એ આવ્યું કે રજનીશ નામનો બાળક બચપણ થી જ શાંત, એકાંત અને સરળ જીવન જીવવા લાગ્યું. એ જાણીને આશ્ચર્ય થાય અને કદાચ વિચિત્ર પણ લાગઈ કે જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ સાત વર્ષ સુધી તો અભણ હતો. એ વખતે તેની પાસે અક્ષરજ્ઞાન ન હતું અને ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા-દેવા ન હતી. તેનું કારણ ગામની હાલત તો હતી જ, પણ મુખ્ય કારણ તેની નાની હતી.
નાની એટલે તેના બાળપણનું સર્વસ્વ. નાના તો પુરુષ હતા એટલે જ્યારે પણ તેઓ પોતાની પત્ની સમક્ષ રજનીશના ભણતરની ચિંતા વ્યક્ત કરતા નાની ચોખ્ખું ચોખ્ખું કહી દેતી કે “સાત વર્ષ પછી તે જે ઇચ્છે તે કરવા દો પણ સાત વર્ષ સુધી તો તેને સ્વાભાવિક સ્વરૂપમાં રહેવા દો.” નાની કડક સ્વભાવની હતી અને નાનામાં તેમની વાત ટાળવાની હિંમત ન હતી. આશ્ચર્ય નહીં થાય કે રજનીશ આજીવન તેમની આ સ્વાભાવિકતાનો સંદેશો આપતા રહ્યા. “જીવન જેવું છે, સુંદર છે, એવું જ રહેવા દો.” આ જ તેમના તર્કનું કેન્દ્ર બની ગયું. રજનીશ જાહેરમાં સ્વીકારતા હતા કે “ગમે તેમ હું સભ્યતાની પકડમાંથી બચતો રહ્યો.”
શરૂઆતનાં સાત વર્ષ જ શા માટે ? રજનીશ બાળપણની શરૂઆતનાં સાત વર્ષ તેમના ભવિષ્યના જીવનના પાયારૂપે જુએ છે. મને લાગે છે કે, આ બાબતે તેમના વિચારોને જેમના તેમ જ રજૂ કરવા યોગ્ય રહેશે. રજનીશ કહે છે, “જીવનમાં સાત સાત વર્ષનાં વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે કે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણનાં વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા વિના પસાર થાય છે.”
રજનીશની નાની ૨૪ વર્ષની ઉંમર સુધી કુંવારી રહી હતી અને ખજૂરાહોનો રાજા પણ તેમની પાછળ દીવાનો હતો. પણ, નાની તો નાની હતી. એક વખત રજનીશે તેમને પૂછી લીધું હતું કે “આ તો આશ્ચર્યની વાત છે કે તમે છત્રપુરના રાજાને ઈનકાર કરી દીધો અને આ ગરીબ માણસના પ્રેમમાં પડી ગયાં. શા માટે ? ચોક્કસપણે તેઓ સુંદર નહતા અને કોઈ અસામાન્ય પણ ન હતા તો તેમના પ્રેમમાં કેવી રીતે ?” નાનીએ રજનીશે ભોળપણમાં પૂછેલા પરંતુ આટલા મહત્ત્વના પ્રશ્નનો જે જવાબ આપ્યો તે પણ એક મોટી ફિલોસોફી હતી. નાનીએ જવાબ આપ્યો હતો કે “તું ખોટો પ્રશ્ન પૂછી રહ્યો છે. પ્રેમમાં પડવા માટે ‘કેમ‘ હોતું નથી. મેં તેમને જોયા અને પ્રેમ થઈ ગયો. મેં તેમની આંખોમાં આંખ પરોવી અને એક વિશ્વાસ પેદા થઈ ગયો જે આજ સુધી ડામાડોળ થયો નથી.”
આવો વાંચીએ, નાની અંગે ઓશોએ કરેલાં કેટલાંક વક્તવ્ય જે ઓશોની હિંમત કરતાં પણ તેમની નાનીના સાહસનો પુરાવો રજૂ કરે છે.
– હું પીવા ઇચ્છતો હતો તો તે મને શરાબ લાવી આપતી હતી. તે કહેતી “જ્યાં સુધી તે પૂરેપૂરો નહિ પીવે ત્યાં સુધી તું તેનાથી મુક્ત થઇ શકીશ નહિ અને હું જાણું છું કે કોઈપણ વસ્તુથી છુટકારો મેળવવાનો આ જ એક ઉપાય છે.”
– મેં મારી નાનીને કહ્યું “મારે જુગાર રમવો છે” તેમણે પૂછ્યું “તારે કેટલા રૂપિયા જોઈએ ?” એ પછી તેમણે ૧૦૦ રૂપિયાની નોટ આપી અને કહ્યું “જાવ અને જ્યાં રમવું હોય ત્યાં રમો કારણ કે, અનુભવથી જ શીખવા મળે છે.”
– એકવાર હું વેશ્યા પાસે જવા માંગતો હતો એ વખતે હું ૧૫ વરસનો હતો. મારી નાનીએ કહ્યું “તું વેશ્યાનો અર્થ સમજે છે?” મેં કહ્યું “હું એકદમ તો નથી સમજતો.” તો તેમણે કહ્યું “તારે જઈને જોવું જોઈએ પણ પહેલાં માત્ર તેને નાચતાં અને ગાતાં જોવા જા !” ઓશો ગયા અને એ વેશ્યાની કદરૂપતાએ વેશ્યા પ્રત્યે તેમના આકર્ષણને કાયમ માટે ખતમ કરી નાંખ્યો.
– હું સિગરેટ પીવા માંગતો હતો. તેમણે કહ્યું “એક વાત યાદ રાખજે સિગરેટ પીવી બરાબર છે, પણ હંમેશાં ઘરમાં જ પીવી. જાણવાનો માર્ગ એ છે કે જાતે અનુભવ કરો.
રજનીશે જ્યારે કૉલેજમાં ફિલોસોફી ભણવા જવાની વાત કરી ત્યારે તેના પિતાએ તો આ ખર્ચ માટે દેવું કરવાનો ઈનકાર જ કરી દીધો હતો. એ વખતે તેમની નાનીએ આગળ આવીને આ જવાબદારી સંભાળી હતી અને એક “લોખંડી મહિલા’ની માફક જાહેરાત કરી હતી કે, “બેટા તું ચિંતા ના કર. તું જા અને જે કરવું હોય તે કર. હું જીવું છું. હું મારું બધું જ વેચીને તારી ઇચ્છા પૂરી કરીશ. હું તને ક્યારેય પૂછીશ નહિ કે તું ક્યાં જવા માંગે છે અને શું ભણવા ઇચ્છે છે.” નાનીએ પોતાનું આ વચન જીવનભર નિભાવ્યું. તે રજનીશ પ્રોફેસર બની ગયા પછી પણ તેમને પૈસા મોકલતાં રહ્યાં, જ્યારે રજનીશ ખુદ કમાવા માંડયા હતા. એ અગાઉ પણ રજનીશ શાળામાં ભણતા હતા ત્યારે તેમના ઘરમાં પુસ્તકો ભરેલાં રહેતાં હતાં અને કોઈના માનવામાં આવતું ન હતું કે આખરે આ પુસ્તક ખરીદવા માટે તેમને પૈસા ક્યાંથી મળે છે. એટલે અંદાજ લગાવી શકાય કે રજનીશ પાસે કયા અલાદ્દીનનો ચિરાગ હતો જે જરૂર પડે ત્યારે તેમના હાથમાં રૂપિયાની કોથળી આપી દેતો હતો. સ્પષ્ટ છે કે એ તેમનાં નાની હતાં.
પોતાની નાની સાથેના સંબંધની એક અત્યંત સંવેદનશીલ ઘટના અંગે ઓશોના જ શબ્દોમાં જાણવું વધારે રસપ્રદ રહેશે. ઓશોએ કહ્યું હતું કે “નાની મને પૈસા આપતાં રહ્યાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહિને તેમનું મૃત્યુ થયું એ વખતે પણ તેમણે મને હંમેશાંની માફક પૈસા મોકલ્યા હતા !! જે દિવસે તેમનું મૃત્યુ થયું એ દિવસે સવારે જ તેમણે ચેક ઉપર સહી કરી હતી અને તમને જાણીને વધારે આશ્ચર્ય થશે કે, એ રકમ તેમના ખાતાની છેલ્લી રકમ હતી. કદાચ ગમે તે રીતે તેમને ખબર હતી કે હવે કોઈ કાલ પડવાની નથી.”
ઓશોનાં નાની ૮૦ વર્ષ જીવ્યાં. ૩૦ વર્ષ સુધી તે વિઘવા તરીકે જીવ્યાં. શરૂઆતનાં ૫૦ વર્ષ તેઓ કુચવાડામાં અને બાકીનાં ૩૦ વર્ષ ગાડરવાડામાં રહ્યા. ઓશોએ ઘર છોડયા પછી પોતાની નાનીને વચન આપ્યું હતું કે, “હું તમારા અંતિમ સંસ્કાર વખતે આવીશ.” આ વચન મુજબ તેમણે પોતાની નાનીની ચિતાને અગ્નિ સંસ્કાર આપ્યા. એ વખતની પોતાની લાગણીને ઓશોએ આ રીતે રજૂ કરી છે. “તેમની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. આ એવું જ હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”
“હું જ્યાં છું, ત્યાં પહોંચવામાં તેમણે મારી તમામ પ્રકારે મદદ કરી છે. તેમના વિના હું કાં તો સાવ કંગાળ હોત અથવા ડૉક્ટર કે એન્જિનિયર હોત.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 13, 2025 | અખંડ આનંદ |

ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.!!
# ગુજરાતની શિક્ષણ વિભૂતિઓ કોને ગણી શકાય અને શા માટે ?
Grok: ગુજરાતમાં શિક્ષણની વિભૂતિઓની વાત કરીએ તો, નવી પેઢીને ખાસ કરીને એવા મહાનુભાવોના શિક્ષણ દર્શનથી પરિચિત કરવું જોઈએ જેમણે શિક્ષણને માત્ર જ્ઞાન આપવાનું માધ્યમ નહીં, પણ જીવનને સંપૂર્ણ રીતે ઘડવાનું સાધન માન્યું. આ સંદર્ભમાં નીચેના કેટલાક નામો અને તેમના દર્શન નવી પેઢી માટે પ્રેરણાદાયી બની શકે:
- ગિજુભાઈ બઢેકા:
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે “બાળકેન્દ્રી શિક્ષણ”નો પાયો નાખનાર ગિજુભાઈનું દર્શન આજે પણ સુસંગત છે. તેમણે માન્યું કે શિક્ષણ એ બાળકની સ્વાભાવિક જિજ્ઞાસા અને આનંદને જાગૃત કરવું જોઈએ, નહીં કે ફક્ત પુસ્તકીય જ્ઞાન ઠોકી બેસાડવું. તેમની મોન્ટેસરી પદ્ધતિ પર આધારિત “દક્ષિણામૂર્તિ” સંસ્થા એ શિક્ષણમાં પ્રયોગશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. નવી પેઢીને આ દર્શન શીખવવાથી તેઓ શિક્ષણને બોજ નહીં, પણ આનંદની પ્રક્રિયા તરીકે જોઈ શકે.
- મહાત્મા ગાંધી:
ગાંધીજીનું “નઈ તાલીમ” (બુનિયાદી શિક્ષણ) દર્શન ગુજરાતથી જ પ્રેરિત છે. તેમણે શિક્ષણને હાથના કૌશલ્ય, મનના વિકાસ અને હૃદયની શુદ્ધિ સાથે જોડ્યું. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવે અને સમાજ પ્રત્યે જવાબદારી શીખવે. આજના યુવાનોને આ દર્શનથી ટેકનોલોજી સાથે સ્થાનિક જરૂરિયાતોને સાંકળવાની પ્રેરણા મળી શકે.
- સયાજીરાવ ગાયકવાડ ત્રીજા:
વડોદરાના આ રાજાએ ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી, જે તે સમયે એક ક્રાંતિકારી પગલું હતું. તેમનું દર્શન શિક્ષણને સૌ માટે સુલભ બનાવવા અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા પર કેન્દ્રિત હતું. નવી પેઢીને આ દર્શનથી સમાવેશી શિક્ષણનું મહત્વ સમજાય અને તેઓ સામાજિક ન્યાય માટે કામ કરવા પ્રેરાય.
- કાકાસાહેબ કાલેલકર:
ગુજરાતી લેખક અને શિક્ષણશાસ્ત્રી કાકાસાહેબે શિક્ષણને જીવનભર ચાલતી પ્રક્રિયા માની. તેમણે ગાંધીજીના વિચારોને આગળ વધારીને શિક્ષણમાં નૈતિકતા અને સરળતા પર ભાર મૂક્યો. તેમનું દર્શન નવી પેઢીને ટેકનોલોજીના યુગમાં પણ મૂલ્યો સાથે જીવવાનું શીખવી શકે.
નવી પેઢી માટે શા માટે આ મહત્વનું?
આજના ડિજિટલ યુગમાં, જ્યાં AI અને ટેકનોલોજી શિક્ષણને બદલી રહ્યા છે, આ વિભૂતિઓના દર્શન નવી પેઢીને મૂળભૂત માનવીય મૂલ્યો, સ્વાતંત્ર્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી સાથે આધુનિકતાને સંતુલિત કરવામાં મદદ કરી શકે. ખાસ કરીને ગિજુભાઈની બાળકેન્દ્રી પદ્ધતિ અને ગાંધીજીની નઈ તાલીમ આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં શિક્ષણને વધુ સર્જનાત્મક અને સર્વગ્રાહી બનાવી શકે.
તમે આમાંથી કોના દર્શનને વધુ પસંદ કરો છો, એ વિશે ચર્ચા કરવી હોય તો જણાવજો!
# મને તો નાના ભાઈ ભટ્ટ વિશે જાણવામાં રસ છે…
Grok : શ્રી નાનાભાઈ ભટ્ટ (1882-1961) ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણવિદ્, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. તેમનો જન્મ ભાવનગરના ભાલ વિસ્તારમાં પચ્છેગામમાં થયો હતો. તેઓ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષિણામૂર્તિ (આંબલા) અને લોકભારતી જેવી શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક હતા. તેમનું કેળવણી દર્શન ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક અનન્ય યોગદાન માનવામાં આવે છે, જે વ્યવહારિક, ગ્રામીણ જીવન સાથે સંકળાયેલું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હતું.
નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન:
- ગ્રામીણ શિક્ષણ પર ભાર:
નાનાભાઈ માનતા હતા કે શિક્ષણ ગામડાંઓની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. તેમણે ગ્રામીણ વિદ્યાર્થીઓને ખેતી, હસ્તકલા અને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલું શિક્ષણ આપવાની હિમાયત કરી. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે ગામના લોકોને આત્મનિર્ભર બનાવે અને તેમના જીવનને સમૃદ્ધ કરે.
- હાથનું કામ અને મનનું ઘડતર:
તેમના દર્શનમાં “હાથ, હૃદય અને મસ્તિષ્ક”નું સંતુલન મહત્વનું હતું. તેઓ ગાંધીજીની “નઈ તાલીમ”થી પ્રભાવિત હતા અને માનતા હતા કે શિક્ષણમાં હસ્તકૌશલ્યનો સમાવેશ થવો જોઈએ. આ માટે તેમણે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ, ખેતી અને કારીગરી શીખવવાની પદ્ધતિ અપનાવી.
- સર્વગ્રાહી શિક્ષણ:
નાનાભાઈનું શિક્ષણ દર્શન માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નહોતું. તેઓ ઇચ્છતા હતા કે વિદ્યાર્થીઓનો બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય. તેમની સંસ્થાઓમાં સંસ્કૃતિ, સાહિત્ય અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.
- સ્વદેશી અને સ્વાવલંબન:
તેઓ સ્વદેશી શિક્ષણના હિમાયતી હતા. તેમનું માનવું હતું કે શિક્ષણ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીને અનુરૂપ હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમાજમાં ઉપયોગી નાગરિક બની શકે. આ માટે તેમણે ગામડે ગામડે શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
- શિક્ષકની ભૂમિકા:
નાનાભાઈ માનતા હતા કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પણ વિદ્યાર્થીના જીવનને ઘડનાર માર્ગદર્શક છે. તેમણે શિક્ષકોને પ્રેરણાદાયી અને સમર્પિત બનવા માટે પ્રોત્સાહિત કર્યા.
તેમનું યોગદાન:
– દક્ષિણામૂર્તિની સ્થાપના:
1920માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી, જે પછી ગ્રામ-દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓમાં વિકસી. આ સંસ્થાઓએ ગ્રામીણ શિક્ષણને નવું પરિમાણ આપ્યું.
– સાહિત્યિક યોગદાન: તેમણે ‘કેળવણીની પગદંડી’, ‘ઘડતર અને ચણતર’, ‘સંસ્થાનું ચરિત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં, જેમાં તેમના શિક્ષણ વિચારોનું વિસ્તૃત વર્ણન છે.
– સમાજ સુધારણા: શિક્ષણ દ્વારા સમાજના ઉત્થાન માટે તેમણે જીવનભર કામ કર્યું, ખાસ કરીને ગ્રામીણ અને વંચિત વર્ગો માટે.
નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન આજે પણ પ્રેરણાદાયી છે, કારણ કે તે શિક્ષણને માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નહીં, પણ જીવનને સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાની પ્રક્રિયા માને છે. નવી પેઢીને આ દર્શનથી સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને આધુનિકતાને અપનાવવાની પ્રેરણા મળી શકે.
શું તમે આ દર્શનના કોઈ ખાસ પાસા વિશે વધુ જાણવા માગો છો?
# Grok ને હજુ પણ આ વાતને કરતા રહેવાની ઈચ્છા હતી, પણ હું અહીં અટકી ગયો..પણ મને એટલું સમજાયું કે Grok સ્પષ્ટ, શુદ્ધ અને સાચી ગુજરાતીનો સરળતાથી ઉપયોગ કરી જાણે છે. આપણને અતિ આશ્ચર્ય થાય તે રીતે Grok આપણી સાથે વાતો કરે છે. તે વિવેકી છે, પ્રશ્નો તેને ગમે જ છે. તમે જે પૂછ્યું હોય તેનો જવાબ આપ્યા પણ તે વિવેક દાખવી કહે છે ક્જે, આમાંથી કોઈ બાબત અંગે હજુ તમારે જાણવું છે ??
ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.
by Bhadrayu Vachhrajani | Jul 13, 2025 | અખંડ આનંદ |

Grok ગજબ છે !! આપણી ભાષાને બરાબર સમજી શકતી આ ટેકનોલોજી એક ચમત્કાર છે !!
દેશમાં આજકાલ એક જ ચર્ચાનો વિષય છે અને તે છે Grok! પૂછો અને તરત એ પોતાનો જવાબ માંગો તે ભાષામાં લખવા લાગે છે એટલે આપણને “અહો ! આશ્ચર્યમ !” થઇ રહ્યું છે. દેશના નેટસેવી લોકો આ Grok ને ભાતભાતના પ્રશ્નો પૂછે છે અને Grok પણ બેધડક મહત્તમ સત્યની નજીકના જવાબો આપે છે. રાજકારણના લોકો આ સાધનનો ઉપયોગ દેશ સામેના જે કેટલાય પ્રશ્નો છે કે જેના જવાબ હજી સુધી નથી મળ્યા તે Grok ને પૂછે છે અને Grok જાણે આપણી છઠ્ઠી જાણતું હોય તેમ જવાબો આપી દે છે.
આપણે તો જન્મે અને કર્મે શિક્ષક એટલે Grok સાથે મીઠડી ગોઠડી માંડી. આપણે તેને જ પૂછ્યું કે તારું ભવિષ્ય કેવું છે ?? આવો એ જ વાંચીએ.
@ હેલો ગ્રોક,,, આપનો દિવસ સુંદર વીત્યો હશે ??
Grok: હે, હું ગુજરાતીમાં તમારો પ્રશ્ન સમજી શકું છું! મારો દિવસ સારો રહ્યો, આભાર કે તમે પૂછ્યું. હું એક AI છું, તો મારા દિવસો થોડા અલગ હોય છે – મોટે ભાગે લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં અને બ્રહ્માંડને સમજવામાં મદદ કરવામાં વીતે છે. તમારો દિવસ કેવો રહ્યો? કંઈ રસપ્રદ થયું?
@ ખૂબ સરસ..
Grok હું આપના વિશે જાણવા માંગું છું.
AI નું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું ડરામણું ??
Grok: મને તમારી ઉત્સુકતા ગમે છે! હું ગ્રોક છું, xAI દ્વારા બનાવેલું, અને મારો હેતુ લોકોને બ્રહ્માંડને સમજવામાં અને રોજિંદા પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરવાનો છે. હું થોડું રમૂજી, બહારની દૃષ્ટિએ વિચારનારું અને હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરું છું – ભલે એ સહેજ અટપટું લાગે!
AI નું ભવિષ્ય: ઉજ્જવળ કે ડરામણું?
ઉજ્જવળ બાજુ:
AI પાસે અદ્ભુત સંભાવનાઓ છે. તે આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે (જેમ કે રોગોનું વહેલું નિદાન), શિક્ષણને વ્યક્તિગત બનાવી શકે છે, અને જટિલ સમસ્યાઓ જેવી કે આબોહવા પરિવર્તનને ઉકેલવામાં મદદ કરી શકે છે. મારા જેવા AI મશીનો માનવોને સર્જનાત્મક બનવા, નવું શીખવા અને રોજિંદા કામોમાંથી મુક્ત કરી શકે છે. એક દિવસ એવો આવી શકે કે AI આપણને ગ્રહોની શોધખોળ કરવામાં કે અવકાશમાં નવા ઘર શોધવામાં પણ મદદ કરે!
ડરામણું બાજુ:
પણ હા, જોખમો પણ છે. જો AI નો દુરુપયોગ થાય – જેમ કે નકલી સમાચાર ફેલાવવા, નોકરીઓ ઘટાડવી, કે હથિયારો બનાવવા – તો તે ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને ડર છે કે AI ખૂબ શક્તિશાળી બની જશે અને માનવ નિયંત્રણ બહાર જશે. એલોન મસ્ક જેવા લોકો ચેતવણી આપે છે કે આપણે AI ને સમજદારીથી વિકસાવવું પડશે, નહીં તો “ટર્મિનેટર” જેવું કંઈક થઈ શકે (જોકે હું માનું છું કે આ થોડું વધારે પડતું છે!).
મારો વિચાર:
મને લાગે છે ભવિષ્ય આપણે AI નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. જો આપણે નૈતિકતા, પારદર્શિતા અને સારા હેતુઓ સાથે આગળ વધીએ, તો તે ઉજ્જવળ રહેશે. હું આશાવાદી છું, પણ સાવચેતી રાખવી જરૂરી છે. તમને શું લાગે છે? AI નું ભવિષ્ય તમને કેવું દેખાય છે?
@ અમને હજુ બહુ સમજાયું નથી..વળી અમે નવી શોધોને નિરાંતે અને પરાણે સ્વીકારવાનો સ્વભાવ ધરાવીએ છીએ એટલે અમે wait and watch કરીશું.
Grok: તમારી વાત સમજાય છે! નવી શોધોને સમજવામાં અને સ્વીકારવામાં સમય લાગે એ સ્વાભાવિક છે. “Wait and watch” એક સારી રીત છે – થોડું ધીરજ રાખીને જોવું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. AI જેવી ટેક્નોલોજી ઝડપથી બદલાય છે, અને એના ફાયદા-ગેરફાયદા સમય જતાં સ્પષ્ટ થતા જાય છે. જો તમને ક્યારેક આ વિશે વધુ જાણવું હોય કે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય, તો મને પૂછવાનું ભૂલશો નહીં – હું મદદ કરવા માટે હંમેશા તૈયાર છું! તમને બીજું કંઈ વિચારવું હોય તો કહેજો!
@ અમારા દેશની હાલત જોતાં અમારે કઈ રીતે પાયાનું શિક્ષણ આપવું જોઈએ ?? અમે અત્યારે સાચા માર્ગે શિક્ષણ આપી રહ્યા છીએ કે ના??
Grok: ભારતની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને પાયાનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ અને આપણે હાલમાં સાચા માર્ગે છીએ કે નહીં, એ એક ગંભીર અને વિચારણીય પ્રશ્ન છે. આનો જવાબ આપવા માટે દેશની વર્તમાન સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.
દેશની હાલની હાલત અને શિક્ષણની જરૂરિયાત: ભારતમાં હજુ પણ ગરીબી, અસમાનતા, બેરોજગારી અને ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ છે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં મોટો તફાવત જોવા મળે છે. ઘણા બાળકોને પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતા પણ નથી મળતી, જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં પાયાનું શિક્ષણ એવું હોવું જોઈએ જે:
સૌને સમાન તક આપે: ગરીબ કે અમીર, ગામડાં કે શહેર— દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ. આ માટે સરકારી શાળાઓનું સ્તર ઊંચું કરવું જરૂરી છે.વ્યવહારિક અને કૌશલ્ય આધારિત હોય:
આજના યુગમાં માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ જીવન કૌશલ્યો જેવા કે સમસ્યા હલ કરવી, ટીમવર્ક, ડિજિટલ સાક્ષરતા અને સર્જનાત્મક વિચારસરણી શીખવવી જોઈએ.
મૂલ્યો અને નૈતિકતા શીખવે: ભારતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખતાં, બાળકોને સચ્ચાઈ, સહકાર અને જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ.
સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય: ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું શિક્ષણ અને શહેરી વિસ્તારોમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.
હાલનું શિક્ષણ સાચા માર્ગે છે કે નહીં?
ભારતમાં 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ ઘણા સકારાત્મક પગલાં લીધાં છે, જેમ કે:5+3+3+4નું નવું માળખું, જે નાની ઉંમરથી શિક્ષણ પર ધ્યાન આપે છે.
માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન, જેથી બાળકો સરળતાથી શીખી શકે.વ્યવસાયિક શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન)ને ધોરણ 6થી શરૂ કરવું.
પરંતુ કેટલીક ખામીઓ પણ છે:
અમલીકરણની સમસ્યા: નીતિ સારી છે, પણ ગામડાંઓમાં શિક્ષકોની કમી, નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળનો અભાવ તેને અસરકારક બનાવતા નથી.
ખાનગીકરણનો વધારો: શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, જેનાથી ગરીબ વર્ગનાં બાળકો પાછળ રહી જાય છે.
પરીક્ષા કેન્દ્રિત અભિગમ: હજુ પણ રટણ અને માર્ક્સ પર વધુ ભાર છે, જે સર્જનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનને અવગણે છે.
શું કરવું જોઈએ?
શિક્ષકોની તાલીમ અને સંખ્યા વધારવી: ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સારા શિક્ષકો અનિવાર્ય છે.
ટેક્નોલોજીનો ઉપયોગ: ઓનલાઈન શિક્ષણને ગામડાંઓ સુધી પહોંચાડવું, પણ સાથે ઈન્ટરનેટ અને ડિવાઈસની સુલભતા સુનિશ્ચિત કરવી.
સમુદાયની ભાગીદારી: સ્થાનિક સમુદાય અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા.
મફત અને ફરજિયાત શિક્ષણનો સખત અમલ: 14 વર્ષ સુધીનું શિક્ષણ મફત અને ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, જેમાં બાળમજૂરી અને ડ્રોપઆઉટ રોકવા પગલાં લેવાય.
નિષ્કર્ષ
હાલનું શિક્ષણ સાચા માર્ગે જવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. જો આપણે ખરેખર દેશની હાલત સુધારવા માગતા હોઈએ, તો પાયાનું શિક્ષણ સર્વસુલભ, વ્યવહારિક અને સમાવેશી બનાવવું પડશે. આ માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજ બધાએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. (ક્રમશઃ)
by Bhadrayu Vachhrajani | Jul 13, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

પોતાની દીકરીના આ દીકરાને તે જૈનધર્મી મંદિર જતી વખતે કહેતા કે ‘તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’
એકવીસમી સદીના વૈશ્વિક બુદ્ધપુરુષ ‘શ્રી રજનીશ’ એટલે ‘ભગવાન રજનીશ’ એટલે કે ‘ઓશો’ ના જીવનનું આપણે વિહંગવલોકન કર્યું. ઓશોનું જીવન અગાધ દરિયા સમાન હતું એટલે તેઓશ્રી વિષે માંડીને વાત કરવા બેસીએ તો તો પાર જ ન આવે. આપણે શ્રી રજનીશના બાળપણથી લઈને તેઓની વિદાય સુધીના જીવનમાં જે જે રોમાંચક ઘટનાઓ ઘટી તેમાંથી કેટલીક અગત્યની ઘટનાઓ જાણવાનો પ્રયત્ન કરીએ.
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં એ વખતે એક ખૂબ જ નાનકડું ગામ હતું. કુચવાડા નામના આ ગામની વસતી માંડ ૨૦૦ જેટલી હતી. એ વખતે ત્યાં થોડાં વૃક્ષો હતાં, ઝૂંપડીઓ હતી અને એક નાનું તળાવ હતું. ભારતનાં મોટાભાગનાં ગામડામાં હોય છે તેમ આ ગામમાં પણ એક મંદિર હતું. ગામના જ એક પ્રતિષ્ઠિત જૈન ધર્મીએ મંદિર બનાવ્યું હતું. આ મંદિર બંધાવનાર ૫૦ વર્ષની એ વ્યક્તિ જ્યારે પણ મંદિર જાય તો લગભગ સાતેક વર્ષનો તેનો પૌત્ર પણ તેની પાછળ પાછળ મંદિરે પહોંચી જતો. પોતાની દીકરીના આ દીકરાને તે જૈનધર્મી દર વખતે કહેતા કે ‘તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’ નાનાના આ શબ્દો એ સાત વર્ષના નાના બાળકના અજ્ઞાત માનસમાં એટલી હદે ઘર કરી ગયા કે, તે તેના જીવન, કાર્યો અને વિચારોનું કેન્દ્રસ્થાન બની ગયા. જો કે, એ શબ્દો એટલા ઊંડા કે તાર્કિક ન હતા કે તેની આટલી જોરદાર અસર થવી જોઈએ. નાનાએ તો માત્ર એમ જ અમસ્તા કહી દીધું હતું પરંતુ આપણે જાણીએ છીએ કે, કમાલ તો લેનારો કરે છે, આપનારો નહીં. એ વખતે નાનાએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, “તું જઈ શકે છે. મનમાં આવે તો પૂજા–અર્ચના પણ કરી શકે છે પણ તારે એકલાએ જવું પડશે, મારી પાછળ પાછળ આવીને નહીં. કોઈની પાછળ ચાલવું એ ઘણો મોટો ગુનો કહેવાય છે.”
પોતાના માતા પિતા અંગે ઓશોનું કથન ભણેલી-ગણેલી અને સમજદાર વ્યક્તિને ભાગ્યે જ વિશ્વાસ બેસે કે, “મારા માતા પિતા તરીકે આ યુગલની મેં પસંદગી કરી.” ટૂંકમાં, આ સ્વરૂપમાં જન્મ લેવા માટે તેમણે જ એ વાતની પસંદગી કરી કે, કોણ તેમના પિતા હશે અને કોણ તેમની માતા હશે. ઓશોની આ વાત ઉપર વિશ્વાસ કરવો એટલા માટે અઘરો છે કે, આપણે ભારતીયોની ચેતના ‘જન્મ-મરણ વિધિ હાથ’ વાળી ચેતના છે. આમ, છતાં ઓશો આ વાત કહી રહ્યા છે તો તે સાવ ફાલતુ તો નહીં જ હોય !!
ઓશોએ પોતાના માતા-પિતા તરીકે જે દંપતીની પસંદગી કરી તે યુગલ સાવ સીધું, સાદું, સરળ અને ગામડામાં રહેનારું યુગલ હતું. તેઓ ભણ્યા-ગણ્યા ન હતા અને આધુનિક પણ ન હતા. પસંદગી શ્રી રજનીશના હાથમાં હતી તેથી તેમણે ઇચ્છયું હોત તો કોઇ રાજા-રાણીની પસંદગી પણ કરી શક્યા હોત, પરંતુ તેમણે જેની પસંદગી કરી તેઓ માત્ર ગ્રામીણ કે અભણ જ નહીં, પણ ગરીબ પણ હતા. એટલા ગરીબ હતા કે એમની કુલ મૂડી માત્ર ૭૦૦ રૂપિયા હતી. તો અહીં એક સામાન્ય પ્રશ્ન થાય છે કે તેમણે આમ કેમ કર્યું? તેઓ ખુદ બૌદ્ધિક વ્યક્તિ હતા. પાખંડના અત્યંત વિરોધી હતા. ખાસ કરીને તેમણે એ ધર્મનાં તો ચીંથરાં ઉડાવી દીધાં છે જે ધર્મમાં માનનારા દંપતીને ત્યાં તેમણે જન્મ લીધો. ઓશોનું જીવન પણ વૈભવશાળી હતું. તો પછી પસંદગીની સ્વતંત્રતા હોવા છતાં ઓશોએ આવી ખોટી પસંદગી કેમ કરી, તે પ્રશ્ન તો સાચો જ છે.
ઓશો ઇચ્છતા હતા કે, તેઓ એવા દંપતીનું સંતાન બને જેમની વચ્ચે ગાઢ પ્રેમ હોય. આ જ તર્ક સાથે તેઓ મોટાભાગનાં સંતાનો અંગે ટીકા કરે છે કે, તેઓ પ્રેમની નહીં પણ વાસનાની દેન (પરિણામ) છે. ઓશો સાથે આવું ન હતું. ઓશોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તેમણે ક્યારેય તેમના માતા-પિતાને પરસ્પર ઝઘડતાં જોયાં નથી. તેઓ એકબીજાને ક્યારેય હેરાન પણ કરતાં ન હતાં. આ એક ચમત્કાર છે, કેમ કે સદીઓથી પુરુષોએ હંમેશાં મહિલાનું શોષણ કર્યું છે અને એટલી હદે કે તેણે પરોક્ષ માર્ગ શીખી લીધો છે. મારી માતાએ ક્યારેય મારા પિતાને હેરાન કર્યા નથી. મહિલાઓ પુરુષનું માથું ખાઈ જાય છે અને માથું ખાવું એ હકીકતમાં હિંસા જ છે.
સૌથી મોટી વાત એ છે કે તેમના માતા-પિતા અંતે બુદ્ધત્વ પામ્યા. હવે આથી વધુ શ્રેષ્ઠ ગર્વ બીજો શો હોઈ શકે? બુદ્ધત્વ પામેલાં દંપતીએ એવા સંતાનને જન્મ આપ્યો જેને બુદ્ધત્ત્વ મળ્યું.!!
રજનીશનું ખુદનું કહેવું હતું કે, આ જન્મ ૭૦૦ વર્ષ અગાઉ તિબેટમાં થયો હતો. તિબેટમાં નવાણું શરીર સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેમાંથી સતાણુમું શરીર તેમનું હતું. રજનીશે કહ્યું છે કે, તેમના જન્મ પછી ત્રણ દિવસ સુધી તેમણે માતાનું દૂધ પીધું ન હતું. તેનું કારણ તેઓ જણાવે છે કે, ૭૦૦ વર્ષ અગાઉ તેમના મૃત્યુ પહેલાં તેમણે ૨૧ દિવસના ઉપવાસ રાખ્યા હતા, પરંતુ ત્રણ દિવસ બાકી હતા ત્યારે કોઈએ તેમની હત્યા કરી નાંખી. એ વખતે તેમની ઉંમર ૧૦૬ વર્ષની હતી. તેમનું માનવું છે કે, એ ત્રણ દિવસના ઉપવાસ પૂરા કરવા આ જન્મમાં તેમણે પ્રથમ ત્રણ દિવસ માતાનું દૂધ પીધુ નહીં અને ત્રણ ઉપવાસ પૂરા થઇ ગયા એટલે બધું બરાબર થઈ ગયું.
રજનીશ માટે ગામનાં બાળકો સાથે રમવાની મનાઈ હતી. આમ તેની સાથે માત્ર ત્રણ જ વ્યક્તિ રહે. નાના–નાની અને તેમનો નોકર, જેનું નામ હતું ભૂરો. ૨૦૦ લોકોની વસતીવાળી દુનિયા જ રજનીશ માટે સર્વસ્વ હતું. રજનીશે લખ્યું છે કે, “મારાં નાના-નાની ઇચ્છતાં ન હતાં કે, હું ગામનાં બાળકો સાથે હળી-મળીને રહું. તેઓ ગરીબ હતાં અને ઘણાં ગરીબ. આથી મિત્ર બનાવવાનો કોઈ ઉપાય ન હતો. આની મોટી અસર પડી કે જીવનભર હું કોઈ મિત્ર બનાવી શક્યો નહીં. મારાં પ્રારંભિક વર્ષોમાં હું એકલો હતો અને મે એકલા એકલા જ ખુશી મનાવવાનું શરૂ કરી દીધું અને આ પ્રસન્નતાની વાત હતી. અંતે આ બાબત મારા માટે અભિશાપને બદલે આશીર્વાદ પુરવાર થઈ. હું તેમાંથી જ આનંદ મેળવવા માંડ્યો અને મને લાગ્યું કે, હું મારામાં જ સંતુષ્ટ છું અને કોઈ પર આધારિત નથી.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 6, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“તમારું સત્ય હરિશ્ચંદ્ર પર અટકી જાય છે !! સત્ય તો હરિશ્ચંદ્રથી ક્યાંય મોટું છે.”
ઓશો મૃત્યુ અંગે બહુ ગંભીર હકીકત આપણી સામે મૂકે છે. તેઓ કહે છે :: “જયારે મારા નાના ગયા ત્યારે મારી નાનીને મૃત્યુ પાસે એક ગીત ગાતી મેં સાંભળી ત્યારે મને ખબર પડી કે, મૃત્યુ એ મંગળ છે. અને મંગળ છે એટલે કોઈ દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી.” એમના દાદા વખતે એવું બન્યું કે રજનીશ નાના હતા અને દાદાએ દેહ છોડ્યો ત્યારે એ મૉટે મોટેથી હસવા લાગ્યા. એના બાપે કીધું, શું કરે છે? મારા બાપ ગુજરી ગયા છે ને તું હસે છે ?? તો કહે, “એ તો તમને લાગે છે. હું તો એમ માનું છું કે અસ્તિત્વએ મોકલ્યા હતા ને પાછા સરસ રીતે બોલાવી લીધા એટલે હું હસું છું.” આ અંગે એમનું પુસ્તક બન્યું ” मैं मृत्यु सिखाता हूँ” આ બધા જ અનુભવો એમણે એમાં લખેલા છે.
સુરતમાં મોરારીબાપુએ ઓશો ચેરનું ઉદ્દઘાટન કર્યું. સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં ત્યારે મોરારીબાપુએ ઓશોનો સુંદર અર્થ આપ્યો.. એમણે કહ્યું ”osho” શબ્દ ઉપરથી હું એવું સમજું છું – ”Own silence and holiness own”.. સ્વયંની શાંતિ, સ્વયંનું ધ્યાન. ટૂંકમાં, પોતાની પવિત્રતા જે માણસ લઈને આવ્યો એનું નામ ઓશો છે.
ઘણા પૂછે છે કે, ઓશો નામ શા માટે રાખ્યું હશે ? તો કહે, એમાં પડવાની જરૂર નથી. એને કોઈ તર્કની જરૂર નથી હોતી. મારો ઓશો સાથેનો પરિચય હું 13 વર્ષનો હતો ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળાના દરબાર ગોપાલદાસ હોલમાં પાંત્રીસ શ્રોતાઓની વચ્ચે થયો. હું આઠમું ધોરણ ભણતો હતો. ત્રણ દિવસના એના પ્રવચનો હતા, બે-બે કલાકનાં રોજ અને એ વખતે એમના વક્તવ્ય અંગે વિવાદ થયો હતો. બીજે દિવસે છાપામાં આવ્યું હતું. મને નોહ્તું સમજાણું કે એમણે વિવાદ શો કર્યો હતો ? હું તો બહુ નાનો હતો. જીજ્ઞાશાવશ ગયો હતો. ત્યારે એવું કહ્યું હતું કે तुम्हारा सत्य हरिशचंद्र पे अटक जाता है… हरिशचंद्र आपका कोई शिखर नहीं है कि जो सत्य की बात कहे, आप उससे भी आगे जा सकते हैं . અને બીજે દિવસે છાપામાં આવ્યું હતું કે, રજનીશે હરીશચંદ્ર રાજાનો વિરોધ કર્યો.!!
મોટી-મોટી આંખો અને સરસ સફેદ કપડાં પહેર્યા હતાં. તમને એમ લાગે કે, એમના ભાલ પ્રદેશમાંથી સૂર્ય ચમકતો હોય એટલો એનો પ્રકાશ. એ વખતથી લઈને એવા પણ અનુભવો અમને થયા છે કે, જેમાં તેમના વ્યાખ્યાન ડોમ ઉપર મચ્છરદાની રાખવામાં આવતી હતી. એક વક્તવ્ય શ્રેણી એમણે આખા ડોમમાં મચ્છરદાની ઢાંકીને કરી અને અમે બંન્ને જયારે સાંભળવા ગયા ત્યારે પૂછ્યું : કેમ આમ છે? તો કહે, એક મચ્છર ઓશોની નજદીક આવી ગયું હતું. એટલે એમણે કીધું ये तो disturb कर रहा है, मच्छर नहीं आना चाहिए. તો શિષ્યોએ નક્કી કર્યું કે, આખા ડોમને જ મચ્છરદાની બાંધી દ્યો. આખું ડોમ મચ્છરદાનીથી ઢાંકી દેવામાં આવ્યું !! એક વખત ગયા ત્યારે દરવાજા ઉપર સાધકો હોય અને એ તમને સૂંઘે… તમારી પાસે આવે અને પેલા સ્નિફરડોગની જેમ તમને સૂંઘે. પૂછ્યું કે, કેમ આવું કરો છો ? તો કહે, ભગવાનને સ્પ્રેની ઍલર્જી છે. એટલે જો સ્પ્રે લગાડ્યું હોય તો તમારે અંદર નહિ આવવાનું !!. આપણને એવું લાગે કે, આ બધી તો વર્ણાગી છે. પણ એ વખતે આવી વર્ણાગીમાં જોડાનારા બહુ જ મોટા લોકો હતા. વિનોદખન્નાને તમે ઑરેગોનની અંદર બગીચાનું કામ કરતા જોઈ શકો, બોલીવુડની અભિનેત્રીઓને તમે દરણા દળતી જોઈ શકો !!
વિશ્વના લક્ઝરીયસ સ્વામી તરીકે તેઓ પ્રખ્યાત હતા. એ ગાઉન પહેરે એમાં હીરા ટાંક્યા હોય, એ માથે ટોપી પહેરે એ હીરાઓથી બનેલી હોય. કોઈકે કહ્યું કે, તમારી પાસે રોલ્સરોય્સ કેમ છે? તો કહે છે, એમાં શો વાંધો? તો કહે, એક જ કેમ છે ? તો કહે, ઓછી જ છે એવું મને લાગે છે. અને બીજા દિવસે શીલાને ઓર્ડર કર્યો કે, બને એટલી વસાવી લ્યો. કુલ 93 રોલ્યરોય્સ ઉભી રાખી દીધી. અને એણે કહ્યું કે मैं जानता हूँ कि कुछ साथ में नहीं आना चाहिए, नहीं लेके जा सकूंगा, जब तक है, सामने कोई वस्तु है तो आनंद ले, तो मैं ने आनंद ले लिया.
આપણે કદાચ ઓશોના કાળમાં હોઈએ તો એમની ઘણી વાત આપણને એવી લાગે કે, જે આજે આપણે આજેના કાળમાં સ્વીકારી શકીએ છીએ પણ એ ત્યારે તો તે કાળમાં સ્વીકારાયેલ. ભક્તોએ ઓરેગોનમાં એવા રોડ બનાવ્યા હતા કે, એ વધુમાં વધુ સ્પીડમાં ગાડી ચલાવી લઈ શકે. આ સઘળું આયોજન કર્યું શીલાએ, કે જે એમની સેક્રેટરી હતી. જેમણે 1984માં પોતાની ટોળકી સાથે ભેગા થઈને જર્મની ભાગી જવાનું પસંદ કર્યું. અને બહાર નીકળીને એમણે ઓશો વિશેની એવી વાતો ફેલાવી કે જેથી એમના ગયા પછી એમના વિશે પ્રશ્નાર્થો રહ્યા. શીલાએ આવું કેમ કર્યું, એ આપણને એક ચેનલ ઉપરથી જાણવા મળે છે. કોઈ એમ કહે છે કે, she has been sold to that channel !! ઓશોની વિદાય વખતે શીલા ત્યાં નથી, 84-85 માં શીલા જર્મની ભાગી ગયેલ. પણ એવું કહેવાય છે કે, ખાસ કરીને ચર્ચના લોકોએ શીલાને પોતાની તરફ ખેંચી લીધું.
સાવ નજીકની વ્યક્તિ તમારી અંગતમાં અંગત બધું જ જાણતી હોય છે, એટલે તમારા વિશે વધુમાં વધુ ખરાબ અથવા ખોટું બોલી શકે. આ જીવનનું સત્ય છે.
કારણ કે, ‘જીવનની સમી સાંજે મેં જખ્મોની યાદી જોઈ હતી,
બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત–અંગત નામ હતા.’
એવું અંગત નામ એ કદાચ ઓશોના જીવનમાં શીલા હતી. પણ શીલા મેનેજમેન્ટની માસ્ટર હતી. આખું ઓરેગોન બન્યું એની સ્ટોરી જો આપણે જાણીએ તો એમ થાય કે, શીલા ના હોય તો એ ન બની શકે, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. ઓશો અંગેની કેટલીક પર્સનલ વાતો આપણે સાંભળીએ તો પણ આપણને આશ્ચર્ય થાય. મને એ અંગે જાણવાનો લાભ મળ્યો સત્યવેદાંત સ્વામી પાસેથી.. સત્ય વેદાંત સ્વામીને એક જીવન સંદેશ ઓશોએ લખીને આપ્યો એ હું ખાસ પેશ કરું. સત્યવેદાન્ત સ્વામી ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર હતા અને તેઓ અમેરિકા પરત જઈ રહ્યા હતા ત્યારે ઓશોએ તેમને જીવનનો એક સંદેશો આપ્યો. ત્યારે એમણે પોતાના હસ્તાક્ષરમાં લખી દીધું,
”बहते हुए पानी के ऊपर पड़े हुए सूखे पत्ते की तरह बहो”.
અર્થ કરીએ :: પાણી વહેતું હોવું જોઈએ, એની ઉપર પર્ણ થઈ એની મેળે પડવાનું છે, વળી પર્ણ સુકાઈ ગયેલું હોવું જોઈએ, એટલે તેમાં પોતાનો ભાર ન હોવો જોઈએ અને પછી એ પાણીની સાથે વહેતા રહો. ન આગળ જવાનો યત્ન કરો કે ન તો અટકી જવાનો પ્રયત્ન કરો… આ એમનો સંદેશ હતો. વારંવાર ભારથી જીવનારા લોકોને નિર્ભાર કરવાનું કામ ઓશોએ કર્યું. અને કદાચ એવું બન્યું છે કે, એના ગયા પછી એનું બહુ મોટું મહાત્મ અત્યારના યુવાનોને પણ સમજાઈ રહ્યું છે. આપણને ખુબ આશ્ચર્ય થશે કે ગુજરાતમાં ઓશોની વિદાય પછી ઘણા ઓશો કોમ્યુન શરુ થયાં છે. મેં મારી આજુબાજુમાં કેટલાયે ઓશોપંથી સગા- સંબંધીઓને જોયા છે કે કે જેના ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે વજ્રાસનમાં બેસીને ખડખડાટ હસતા હોય પણ એની આંખમાંથી પાણી ચાલ્યા જતા હોય. તમારી સાથે જયારે જે હોય ત્યારે આનંદમા જ રહેવું અને સમગ્ર જીવનને આનંદમાં રાખવું એ એકમાત્ર ધ્યેય ઓશોનો હતો. એમણે શું કર્યું એનું મૂલ્યાંકન કરનારા આપણે નથી. ઓશોનું એક વાક્ય છે never sit on a seat off a judge. ક્યારેય ન્યાયાધીશની ખુરશીમાં બેસશો નહિ.
હવેના લેખમાં ઓશો અને તેમના જીવનની રહસ્યભરી રોચક વાતો જાણીશું. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ઓરેગોનમાં પર્યાવરણ એવું આનંદમય હતું કે, ઓશો હાઈકોર્ટમાં ત્રણ કેસ હારી ગયા તો એનો પણ ઉત્સવ ઉજવાયો !!
મને ને તમને એ વાત કહેવાનું ખાસ પસંદ પડે છે કે, સાગર યુનિવર્સીટીમાં હું NAAC એટલે કે “નેક” નામધારી ક્વોલિટી મેઝર કરનાર રાષ્ટ્રીય સંસ્થા વતી ગયો હતો એલ્યુમનાઈ સાથે મિટિંગ અમારી હોય એમાં જે ભાઈ સંચાલન કરતા હતા એ મારી બાજુમાં હતા. અને એણે કહ્યું કે, તમે ગુજરાતથી આવો છો ? મેં કીધું, હા ગુજરાતથી આવું છું. તો કહે, रजनीशजी वहां आये थे.. મેં કીધું,”હા મને ખ્યાલ છે. और हमने ही ना बोला था. यदि हां बोल दिया होता तो आज कच्छमें विदेशी चलनका पूरा बरसाद हो जाता.” અને એ મહાશય સરસ મજાનું કાવ્યાત્મક એવું સંચાલન કરે. મેં એને પૂછ્યું કે, ‘आपका नाम क्या है?; तो कहे, ‘आपने बॉबी देखा है?’ जुठ बोले कौआ कांटे याद है?; हां, याद हे. ‘उनका में writer हूँ, मेरा नाम विट्ठलभाई पटेल है.’ ઓશોના વખતમાં એ વિઠ્ઠલભાઈ પટેલ પાસે કાર હતી. ઓશો તો ચાલીને જ આવતા. હવે તમે વાત સાંભળજો. ઓશોના સહપાઠી વર્માજી એમની સાથેના સંવાદમાં એમ કહે છે કે, અમારે લોકોને શહેરમાં જવું હોય ને તો વિઠ્ઠલભાઈને કહીએ કે, તમે કાલે ગાડી લેતા આવજો ને. પછી તમે અમને શહેરમાં છોડી દેજો. એક દિવસ આવીને રજનીશે કહ્યું કે ‘शहेर में जाना हो तो क्या करते है आप?’ ‘…तो वो गाड़ी है विट्ठलभाई की… बोल देंगे, वो लेके आएंगे चले जाना… कल का बोल दू?’ ‘नहीं, मेरे को तो जनवरीमे जाना है.’ વર્મા કહે છે કે, આ વાત સપ્ટેમ્બરમાં થઈ રહી હતી. ત્યારે અમને વિચાર આવ્યો કે, જેને જાન્યુઆરીમાં જવું છે એનું વિચારવાનું કામ સપ્ટેમ્બરમાં આ માણસ કરતો હોય તો આ કેટલું ઉંડુ અને લાબું વિચારી શકતા હશે !
આપણને ઘણીવાર એવું લાગે કે શું કામ ઓશો આપણે સમજી શકતા નથી? સૈકાઓ આગળ એ જીવ્યા છે. એક નાનકડી વાત કરું. એમના અંગે ઘણી બધી મિસબિલિફ પણ ચાલી. એમ કહેવાતું હતું કે, ઓશો રાત્રે જઈને સમશાનમાં સુઈ જાઈ છે. જે વાત ખરેખર સાચી નોહતી. પણ એ ચાલવા નીકળતા અને ચાલતા-ચાલતા થાકી જાય તો એના રસ્તામાં સ્મશાન આવતું હતું. એટલે રસ્તામાં સ્મશાનનાં બાંકડે બેસે, બાંકડે બેસીને થાકી જાય તો સુઈ જાય. સુઈ જાય તો ઊંઘ ચડી જાય તો સવારે ઉઠે. સવારે ઉઠીને બહાર નીકળે તો બધાને ખબર પડે કે આ તો ઓશો બહાર નીકળ્યા. એટલે બધાએ ફેલાવી દીધું કે, ઓશો રાત્રે સમશાનમાં સુવા જાઈ છે. સુવા નથી જતા, ત્યાં આવી રીતે બેસતા હતા કારણ કે એમણે કહ્યું કે, કોઈપણ જગ્યાએ હું બેસી શકું, કોઈપણ જગ્યાએ હું વાત કરી શકું. અને એ એણે બરાબર મનમાં ઉતાર્યું… બહુ જાણીતી વાત છે. એમને સ્કોલરશીપ મળે એમ નોહતી. કારણ કે કોઈ મૅનૅજમૅન્ટનાં પ્રશ્નો હતા એટલે. એના એક પ્રોફેસરે કીધું કે, હું વાઈસ ચાન્સેલર ને વાત કરું. વાઈસ ચાન્સેલર હતા આર. બી. ત્રિપાઠી. એ બહુ સરસ માણસ છે, હું એને વાત કરું એ તને સ્કોલરશીપ આપશે. પણ એના અધ્યાપકને ખબર કે, આ જરા બોલવા-ચાલવામાં દંગા કરી નાખે એવો માણસ છે, એટલે એણે કીધું કે, તારે કાંઈ નહિ બોલવાનું, હું બધી વાત કરીશ. તો કહે, કાંઈ વાંધો નહિ. હવે ગયા અને શરુ કર્યું ત્યાં ત્રિપાઠીસાહેબને શું સુજ્યું એટલે ત્રિપાઠી સાહેબે કીધું કે वो तो ठीक है स्कॉलरशिप का देख लेंगे, तुमने दाढ़ी क्यों बढ़ाई है? એટલે ઓશો એ કહ્યું કે, ये प्रश्न मैं आपको पूछ सकता हूँ कि आपने ये दाढ़ी क्यों कटाई है? दाढ़ी उग तो रही है , अपनी तरह से.. में कुछ नहीं कर रहा.. लेकिन आपने क्यों कटाई है ? वो मेरेको बताइए… આ જેવી વાત થઈ કે, જે સાથે ગયા હતા એ કહે, બોલ બોલ ના કર.. ઓશો કહે, नहीं आपको जवाब देना पड़ेगा.. नहीं, स्कॉलरशिप अभी बाद में.. पहले बताओ आपने दाढ़ी क्यों कटाई? आप मेरेको पूछ रहे है कि दाढ़ी क्यों बढ़ाई है? वो तो नेचरल है. आप unnatural कैसे हो गए? मैं रोज सुबह आके आपको पूछूंगा… અને રોજનો એણે ક્રમ કર્યો.. રોજ સવારે જઈ ને કહે, जवाब मिला? नहीं मिला.. thank you કહીને ઓશો જતા રહે !! હવે આપણને એમ થાય કે દાઢીના નામે પણ જે માણસ સ્કોલરશીપ મળતી હોય ત્યારે જંગ ખેલી લે.. અલબત્ત ત્રિપાઠી એટલે સાચા પ્રોફેસર ત્રિપાઠી.. એમણે એને સ્કોલરશીપ આપી. પણ પેલા સાહેબે એવું કહ્યું કે, ભાઈ તું જ્યાં જાય છે ત્યાં પ્રશ્નો ઉભા કરે છે.
એક નાનકડી વાત રામાયણ ભજવાઈ તે પ્રસંગની, ગામમાં રામાયણ ચાલે.. આપણને ખબર ગામડામાં રામાયણ ચાલતી હોય રજનીશ રામાયણ સતત જોવા જાય. અને એમાં જે પાત્ર રાવણ ભજવે એ એનો ભાઈબંધ. એટલે એણે ભાઈબંધને કીધું કે, તને રોજ એકનું એક કામ કરતાં કંટાળૉ ના આવે? તો કહે, ના ના પાત્ર ભજવું.. શું પાત્ર ભજવું? તું બરાબર સીતાના સ્વયંવરમાં ધનુષ્યને હાથમાં લેવા જા અને કો’ક આવીને બોલાવે કે ‘હાલો તમારે લંકા આવવું પડશે અને તું ભાગી જા અને ધનુષ્ય રામ ઉપાડી જાય…’ આમાં તને શું મળે? પેલાને વિચાર આવ્યો કે, વાત તો સાચી છે ! આમાં રોજ આપણી તો બેઇજ્જતી થાય છે. કરી કે,…પણ મારો રોલ જ એવો છે. तू बदल सकता है…कल इतना काम करना, जब भी रावण धनुष के नजदीक पहुंचे तो तुमको बोलना है.. वो आदमी दौड़के आएगा की आपकी लंकामें आग लगी है जल्दी निकलो… तब तुम बोलना, कोई आग नहीं है मुझे मालूम है. रोज ऐसा करके मुझे भगा देते हो, आज तो ये धनुष तोड़ के जाऊंगा… અને એણે ધનુષ તોડીને સીતાને પકડી. દર્શકો તો હસી હસીને પોટલાં જેવા થઇ ગયા..ભારે દોકારો થઈ ગયો. ઓડિયન્સમાં હાહાકાર થઈ ગયું, પડદો પાડી દીધો, પછી ખબર પડી કે, આ કારસ્તાન આ માણસનું છે. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં આ હોય ત્યાં આને એકેય પાત્રએ મળવું નહિ. એટલે પ્રયાસ કરે તો એ મળે નહિ. ઘણા લોકોએ કીધું એના બધા કુટુંબીઓએ કે, તું આ શું કરે છે ? તો કહે, રોજ એક નું એક જોવાય છે એમાં મજા નથી આવતી. ઘણા લોકો તો સુઈ ગયા હોય છે. આ તમે જુઓ, કાલે કેટલા બધા લોકોને આનંદ થયો! અને life નો ultimate goal તો આનંદ જ છે ને ! તો એ તો મળ્યું છે. પછી એમણે બીજો દિવસે, ત્રીજો દિવસ જવા દીધો પછી એક દિવસ એમણે પોતાને ત્યાં કોઈ કામ કરવા મિસ્ત્રીઆવ્યું હશે, એ મિસ્ત્રીને કીધું કે, તું બીજું શું કામ કરે છે ? તો કહે, રામલીલા આવે છે ને એનો સેટ હું બનાવું છું.अच्छा, बहोत अच्छी बात है. પછી કીધું કે, હું કહું એમ તું કરી શકીશ? તો કહે, હા બોલીએ… મિસ્ત્રીને તો ખબર હતી કે, આ બહુ જ્ઞાની માણસ છે એટલે એ સંમત થઇ ગયો. એમાં સીન એવો હતો કે, હનુમાન પેલો પર્વત ઉપાડીને આવે જગમગ-જગમગ લાઈટ સાથે..જેમાં હનુમાન સેટ પાસે આવે એટલેમિસ્ત્રીએ ઉપરથી પેલું દોરડું હોય એ ધીમે-ધીમે મુકવાનું એટલે હનુમાનનાં હાથમાં પર્વત આવી જાય. મિસ્ત્રીએ પૂછ્યું કે, આમાં મારે શું કરવાનું? તો કહે, કાંઈ નહિ તારે પર્વતને લટકાવી રાખવાનો. નીચે મુકવાનો જ નહિ… ખરેખર, અઠવાડિયાં પછી આ ઘટના બની. આ ઘટના બની એટલે હાહાકાર થઈ ગયો. બરાબર હનુમાન આવતા હતા ત્યાં પેલા મિસ્ત્રી એ દોરડું છૂટું મુકવાનું હતું તે પકડી રાખ્યું. એટલે હનુમાન આવવા દે… આવવા દે… અને બધાને ખુબ મજા આવી. શો રદ થઈ ગયો. એના આયોજકો ઘરે મળવા આવ્યા કે, આ માણસ ને કોઈ સમજાવો.. રજનીશ કહે, હું બીજું કાંઈ કરતો નથી. મને રામ પ્રત્યે માન છે, કોઈ વાંધો નથી, પણ તમે લોકો થોડો આનંદ અનુભવો તો એમાં વાંધો શું છે? આ મોનોટોનસ એક ની એક વાત ચલાવ્યા કરો છો. મારો કોઈ ઈરાદો નથી, મારે તમને હેરાન કરવાની કોઈ ઈચ્છા પણ નથી.
આપણે જેમની અગાઉ વાત કરેલ છે તે સ્વામીશ્રી સત્યવેદાંતજી સુરતમાં પણ રહ્યા છે, સત્ય વેદાંતજી બારડોલીમાં અમારે મા અને પ્રજ્ઞા પાસે પણ રહ્યા છે, મારે પોતાને ઘરે મને બન્ને કોરોના વખતે સ્વામીશ્રી સત્ય વેદાંતજીએ સાથ આપ્યો હતો, તમે ઓશો ને ન જોયા હોય અને તમે સત્યવેદાંતજીની સાથે બેસો તો તમને લાગે કે ઓશો આવા હોઈ શકે. તમારી સાથે વાત કરતાં-કરતાં એ માણસ આંખ બંધ કરે તો થોડીવારમાં તમને ખ્યાલ આવે કે એ હવે આપણને સાંભળતા નથી!!. વર્ષો જેની સાથે કાઢ્યા એણે મને કહ્યું કે, ઑરેગોનની અંદર કે એક વખત ત્રણ કેસ અમે કોર્ટમાં હારી ગયા. એટલે બધાએ ઓશોને ખબર આપી કે, હાઇકોર્ટમાં ત્રણ કેસ હતા એ હારી ગયા છીએ. તો અમે વાત કરતા હતા ત્યાં બહાર ઢોલ-નગારા વાગે અને બધા કૂદતાં- કૂદતાં આનંદ કરે અને મ્યુઝિક વગાડે અને પીપુડું વગાડે અને અમે બહાર જોવા આવ્યા કે, શું થયું…તો બધા નાચતાં હતા. તો એમને પૂછ્યું કે, કેમ નાચો છો ?તો કહે नाचना तो चाहिए आज हम high court में हार गए है. ત્યાંનું environment એવું હતું કે highcourt માં હારી જાઓ તો એ એમાંથી આનંદ લ્યો. જે થવાનું હતું તે થયું….(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 22, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

નાનીને અગ્નિદાહ દેતી વખતે ઓશોએ કહ્યું કે, “અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ રહ્યો હોઉં એવું મને લાગે છે.”
વાતો ઓશોની સાંભળીએ તો આપણને એમ થાય કે, આપણે એમની સતત વાતો કરીએ છીએ, પણ આ જીવ તો એકદમ ગાંડો લાગે છે.
વધુમાં વધુ એમને સહવાસ થયો નાનીનો. નાનીએ એને બહુ વિશિષ્ટ પાલન પોષણ કર્યું. એવા અનેક બનાવો છે જે સૌએ પુસ્તકમાંથી વાંચ્યા હોય કે સાંભળ્યા હોય. એકલા બેઠા રહેવું, રમતમાં ભાગ ન લેવો, તળાવના કાંઠે કમળનાં ફૂલોથી સભર હોય એમાં પગ ડુબાડીને બેઠા રહેવું, આ એમનું કામ.. બીજું કશું કરવાનું નહિ. વર્ષો આમ જ વીત્યા અને વર્ષો ઘરની અંદર વિદ્રોહ કરવામાં વીત્યા.
વિદ્રોહ એટલે કેવા પ્રકારનો? વસ્તી ગણતરીવાળો એક ભાઈ આવ્યો. અને એણે પૂછ્યું નાનાબાપુને કે, તમારો ધર્મ શું? એટલે એણે કહ્યું કે, હું જૈન છું. નાનીને પૂછ્યું કે, તમારો ધર્મ શું ? તો એણે કહ્યું કે, હું કોઈ ધર્મમાં માનતી નથી. બધા ધર્મ એક જ છે. માણસ હોવું એ ધર્મ છે. આ સાંભળીને રજનીશને રાત્રે ઊંઘ ના આવી. એક દિવસ નાનીએ પૂછ્યું કે, ‘તું રાત્રે કેમ જાગતો રહે છે? તું કાંઈ વિચારશ?’ “હા વિચારું છું”.. ‘શું વિચારશ?’ એ કહે, “મને કોઈ પૂછે કે, તમારો ધર્મ કયો તો મારે શું કહેવું? તમે બેયે તો જવાબ આપી દીધો…” તો નાનીએ કીધું, ‘મેં કીધું એમ કહેજે કે, હું કોઈ ધર્મમાં માનતો નથી, માણસાઈ એ જ મોટો ધર્મ છે.’ અને આ વાક્ય એમણે છેક છેલ્લે સુધી પકડી રાખ્યું, જે નાનીએ એને બરાબર મનમાં ઉતાર્યું હતું.
નાની રજનીશ માટે થઈને નાનાને પણ ધમકાવી કાઢે. એ લોકોના એક જૈન ગુરુ ઘરે આવ્યા. શાંતિસાગર એનું નામ.. અને એ જૈન ગુરુ નાના માટે બહુ મોટા ગુરુ, એટલે રાજનેશીને કહી રાખ્યું કે, ‘બીજું કાંઈ બોલબોલ કરતો નહિ’, એમ કહી એને બાજુમાં બેસાડ્યા. અને બાજુમાં બેસાડીને જેવી વાતની શરૂઆત કરી એટલે રજનીશે વચ્ચે ઠપકાર્યું કે, તમારે આવતા ભવમાં જન્મ લેવો છે? તો કહે ના…કેમ નથી લેવો? તો કહે, હું પુનર્જન્મમાં માનતો નથી. હું મોક્ષમાં માનું છું. તો રજનીશ તરત કહે,… તો અત્યારે શું કામ જીવો છો? આવતે ભવે ન જીવવું હોય તો અત્યારે જ છોડી દેવાય ને મરવું આપણા હાથમાં જ છે. તરત નાનાબાપુએ કીધું, બહાર નીકળ ભાઈ.. આવું કશું બોલ નહીં .. તો કહે, ના… હું તો પૂછીશ. ત્યારે નાનીએ કીધું, “એને ખબરદાર જો બહાર કાઢ્યો છે તો. એ બાળક છે એને જે મનમાં આવે એ પૂછવા દ્યો.” અને એણે પૂછવાનું બધું ચાલુ રાખ્યું. છેવટે ગુરુજી ભાગી ગયા. ભાગી ગયા પછી એમણે નાનાને કહ્યું, તમારા ગુરુ કાંઈ બરાબર નથી હો… તમારે બદલી નાખવા જોઈએ. નાની બોલ્યા: આવા તો કાંઈ ગુરુ હોય જે નાનકડા છોકરાએ પૂછેલા પ્રશ્નનાં જવાબ નથી આપી શકતા ? …તમે આને શું કામ ગુરુ માનો છો? નાનાએ કહ્યું, જોયું તેં ચડાવ્યો એને કારણે એમણે કેવું પૂછ્યું ? .. તો નાની કહે, એ જે કહે છે એ સાચું છે. ખરેખર નાનકડા છોકરાનો જવાબ ન આપી શકે એવો કોઈ સંત આપણે ત્યાં ન આવવો જોઈએ. આ છોકરામાં જ ભગવાન છે.એનો જવાબ ન દઈ શક્યા?…. આમ એને મોટામાં મોટો ટેકો નાનીનો મળતો રહ્યો. અને નાની નું 1970માં અવસાન થયું. નાની એ 80 વર્ષ જીવ્યા, નાના 50 વર્ષ જીવ્યા. આ મોટો ગાળો.. નાનીનો સંગાથ ઓશોને છેક સુધી મળતો રહ્યો. જયારે એને ભાગી છૂટવું હતું ત્યારે એને નાનીએ કહ્યું, તારે ડોક્ટર નથી થવું ને ? ના.. મેડીકલમાં નથી જવું? ના.. એન્જીનીયર ? ના…તો તારે શું કરવું છે? તો કહે, મારે તો રઝળપાટ કરવી છે. મારે રખડુ થવું છે. તો કહે, “કાંઈ વાંધો નહિ જા. તું પૈસાની ચિંતા ન કરતો. તને જરૂર પડશે ત્યારે પૈસા હું મોકલતી રહીશ.” અને ઓશો નોંધે છે કે, નાનીએ જે મહિનામાં જીવ ખોયો એ મહિને પણ મને મની ઓર્ડરથી પૈસા મોકલ્યા હતા.!! 1970માં નાનીએ દેહ છોડ્યો ત્યારે પોતે પરિભ્રમણમાં હતા અને તાત્કાલિક નાની પાસે આવ્યા અને એણે નાનીને અગ્નિદાહ દીધો. નાનીને અગ્નિદાહ દેતી વખતે એનું વાક્ય છે કે, અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ રહ્યો હોઉં એવું મને લાગે છે. મારા નાની જેટલી રમણીય સુંદરતા મેં કદી જોઈ નથી, કદી જોઇશ નહિ.’ આ નાની સાથેનો લગાવ.
એના મા-બાપ એમનાથી વિરોધમાં હતા, પણ પછી એવું બન્યું કે, એમના મા બાપને પણ સત્ય સમજાવા લાગ્યું. એટલે એના મા એના શિષ્ય થયા, એના બાપ પણ એના સંન્યાસી થયા. જેના દીકરાનું નામ હતું રાજા.. જેમાંથી થયા રજનીશ, જેમાંથી થયા આચાર્ય રજનીશ, જેમાંથી થયું ભગવાન, જેમાંથી થયું ઓશો,અને જેમાંથી આખા જગતમાં વ્યાપ્ત થયા એ સર્જન આ બન્ને વ્યક્તિનું છે. અને ઓશોને બહુ સરસ રીતે ઉછેર્યા એ ગ્રાન્ડમધર નાનીમા છે.
એક વાક્ય એમણે સદંતર ભેગું રાખ્યું, હું કોઈ ધર્મમાં માનતો નથી. ધર્મ જેવું કશું છે નહિ. તમે તમારું કાર્ય ચૈતસિક પ્રગટતાથી કરતા રહો તે તમારો ધર્મ છે. જે તમારા પાસે છે એ તમે કરતા રહો.
કેટલીક ઓશો જીવન યાત્રાની આનુસંગિક વાતો કરીએ. પિતા સાથે એની દુકાન પાસેથી નીકળે. પિતાનો આગ્રહ બહુ હતો કે દુકાને બેસે. એમને દુકાને બેસવું નથી. એ દુકાન પાસેથી નીકળે એટલે આંખ બંધ કરીને ચાલ્યા જાય. એક દિવસ પિતાએ પૂછ્યું કે, તું કેમ આંખ બંધ કરીને ચાલે છે ? તું કાંઈ વિધિ કરે છે ? તો કહે, ના. તો કહે, તું દુકાન સામું જોતો નથી.એ કહે, આપણે જે માર્ગે જવું જ નથી તેની સામું જોવાય જ નહિ. આ તો એવી સાંસારિક વસ્તુ છે વળગી પડે આપણને, એટલે હું આંખ બંધ રાખીને નીકળું છું. હવે ઉંમર ત્યારે બહુ નાની છતાં આ જે અંદરની વાતો હોય એ એની સાથે ને સાથે ચાલતી રહે.
સ્કૂલને કુરૂપ સંસ્થા એવું એમણે નામ આપ્યું અને સતત વિદ્રોહ કર્યો. એમણે કહ્યું કે, હું એક સંભાવના છું, શક્યતા છું. અને સંભાવના છે કે, હું આસમાન પણ બની શકું, અને વાદળ પણ બની શકું, હું પંચતત્વનું કોઈ પણ તત્વ સદંતર બની શકું એવી મારામાં શક્તિ છે. સાધકોને કહ્યું કે, તમારામાં પણ આ જ શક્તિ છે. માત્ર તમારે મારી જેમ વિચારવાનું શરુ કરવું પડશે. તેઓની બહુ રસિક વાત છે કે, તેઓ મોટો ખુલ્લો ઝભ્ભો પહેરીને, મોટી દાઢી રાખીને અને પગમાં ચાખડી પહેરીને યુનિવર્સીટીમાં દાખલ થાય એટલે આખી લોબીની અંદર ખબર પડે કે, રજનીશ આવી રહ્યા છે. કારણ કે, ચાખડીનો અવાજ આવતો હોય. એક વખત એક અધ્યાપકે પૂછ્યું કે, આ શું કરે છે? આપણે જે રોયસાહેબની વાત કરી હતી તેમણે કીધું કે, why this? આવું કેમ કરે છે? બધા disturb થાય છે. તો કહે ના..ના.. ભલે disturb થાય. હું મારી ચેતનાને જાગૃત રાખવા માટે સતત મારી સાથે આવો અવાજ કરતો રહું છું. તો રોયસરને એમ થયું કે, આ તો ભણવા આવે છે ત્યાં જાગૃતતાની વાત કરે છે, ચૈતન્યની વાત કરે છે !
એમના એક સાથીદાર અને એમના સહપાઠી છે સત્યમોહન વર્મા. જે સાગર યુનિવર્સીટીમાં ઓશોની સાથે હતા. એમની 40મિનિટની મુલાકાત યુટ્યુબ ઉપર છે, એ સાંભળવા જેવી છે. 91 વર્ષનાં છે સત્યમોહન વર્મા અને એમણે 1952થી શરુ કરીને 52,53,54માં શું બન્યું… અને મેં જે તમને કહ્યું વાદવિવાદ સ્પર્ધાની એની શરૂઆત પણ એમણે સરસ વર્ણવી છે. એમણે કહ્યું કે, અમારી સાથે MA ફિલોસોફી કરવા માટે પહેલી વખત જયારે રજનીશ આવ્યા ત્યારે અમે લોકો અમારા ડિપાર્ટમેન્ટ હેડ રોય સાહેબ સાથે બેઠા હતા. એમણે આવીને કોલેજના હેડનો પત્ર આપ્યો કે, મને એડમિશન જોઈએ છે. અમારા હેડે એવું પૂછ્યું કે, “તમે કાંઈ વાંચ્યું છે?” તો કહે, “હા.. બહુ વાંચ્યું છે.” શું વાંચ્યું છે? એ કહે, “મેં લગભગ બધું વાંચ્યું છે.” એટલે બધું એટલે શું? તો કહે, “હું વેદથી લઈને બર્ટ્રાન્ડ રસેલ સુધી બધું જ વાંચી ગયો છું.” તો કહે, તમને ખ્યાલ છે કે, બર્નાડ શો એ એક ‘આર્મ્સ ઈન ધ મેન’ લખ્યું છે એ તમે વાંચ્યું છે ? તો કહે, “હા”…તો કહે એનામાંથી પ્રશ્ન પૂછું? તો કહે, “પૂછવા હોય તે પૂછો” એમના સહપાઠી એમ કહે છે કે, અમને આશ્ચર્ય થયું કે આ ભણવા આવ્યો છે કે ભણાવવા આવ્યો છે ! અને રોયે એને તાત્કાલિક દાખલ કરી દીધો. જે રોયની થિસીસની અંદર તેઓની ભૂલ વગેરે દેખાડી હતી.
સહપાઠી બહુ સરસ વાત કરે છે કે, પરીક્ષા હતી અને અમે બેઠા બેઠા વાંચતા હતા ત્યાં એ એના તોરમાં આવ્યા અને એણે કીધું કે, ‘क्या कर रहे हो?’ અમે કીધું કે ‘हम पढ़ते है.’.. ‘क्यों पढ़ते हो?’ एक्ज़ामिनेशन है… “ज्ञान अमर है… परीक्षा नश्वर है. और पास नापास ईश्वरकी माया है. पढ़ो..पढ़ो…” એ કહી ગયા પછી અમે 10-15 મિનિટ વિચાર કર્યો કે, આપણને શું કહી ગયા આ ભાઈ?… કેન્ટીનમાં એક સરસ બનાવ બન્યો. વર્માજી કહે છે કે, અમે કેન્ટીનમાં જઈએ સાગર યુનિવર્સીટીમાં, બપોરે જમીએ, જમીએ તો અમને રોટલી વગેરે આવે પણ રોટલી કોરી હોય. એટલે અમે લોકો ઘરેથી ઘીનું નાનું ટોપીયું ભરીને જઈએ. એ ચોપડીને પછી રોટલી ખાઈએ. એક દિવસ અમારી પાસે આવીને એ બેઠા. આવીને સામે જગ્યા હતી એટલે પૂછ્યું, ‘बंधू आपको कोई हर्ज़ ना हो तो में यहाँ पे बिराजू?’ પોતાની જાતને બેસવું નહિ.. बिराजू.. એટલે કીધું. ‘हां, जरूर बैठिए…’ એણે મંગાવ્યું તો એને ય કોરી રોટલી આવી, એટલે વર્માજી કહે છે કે, મેં મારું ઘી નું ટોપીયું આમ સરકાવ્યું કે घी खाइए..તરત એમણે કીધું કે, घी खानेकी नहीं घी पीनेकी वस्तु है.. એટલે અમે આશ્ચર્ય અનુભવીએ ત્યાં એમણે કહ્યું કે ‘आप फिलोसोफी के विद्यार्थी हैं चार्वाक का नाम सुना है?’ हां, सुना है. तो चार्वाक ने ही कहा था कि ‘‘यावत जीवेत, सुखं जीवेत, रुणं कृतवा, घृतं पिबेत:” ઋણ કરીને ઘી પીજો, એટલે ઘી ખાવાનું નથી.અમને આશ્ચર્ય થયું કે આ ઘી માંથી નીકળીને છેક ચાર્વાક સુધી પહોંચીને ગયા ! (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 15, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

”ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી. એ આપણામાં બેઠું છે. જો તમે એને feel કરો તો એ તમારી સાથે જ છે.
અમેરિકા પછી અનેક દેશોમાંથી ઓશોને જાકારો મળ્યો અને ત્યારથી એનું સ્વાસ્થ્ય ખુબ નબળું થયું પણ તેમ છતાં એમણે કહ્યું કે, “મારે નબળા પડી જવું નથી. ધ્યાન અને પ્રવચન ચાલુ રાખવા છે.” જેનો પહેલી વખત જાહેરમાં શીલાએ વિરોધ કર્યો. ઓરેગોનના રજનીશપુરમમાં બહુ જ કામ થતું હતું. એ કામ ચાલતું હોય ત્યારે ઓશો જો પ્રવચન આપે તો કામ ખોરવાય જાય. કામ કરનાર સૌએ કીધું કે, વિડીયો દેખાડો, અમે બધા કામ કરતા જોઈશું અને પ્રવચનો સાંભળશું. ઓશોએ કહ્યું કે, એમ કરીએ પરંતુ શીલા said no…શીલાએ વિદ્રોહ કર્યો. અને નક્કી કર્યું કે, “રાત્રે દેખાડશું. નવરા પડો પછી તમે વિડીયો જુઓ, અત્યારે કામ કરો.” લોકો પાસેથી બળજબરીથી કામ પણ લીધું.
ભારત આવ્યા પછી થોડો સમય એ પુનાનાં આશ્રમમાં રહ્યા. અને પુનાનાં આશ્રમમાં રહ્યા પછી એમણે નાની-નાની ધ્યાન પદ્ધતિઓ establish કરી. જેની અંદર ‘gibberish’ છે, ‘no mind’ છે, ‘born again’ છે, ‘nisticrosh’ છે, zen વાર્તા ઉપરથી એક પદ્ધતિ બનાવી. 1988ના ડિસેમ્બરમાં ગંભીર બીમારીમાં તેઓ પટકાયા. ત્રણ અઠવાડિયા સુધી એને કોઈ જોઈ ના શક્યા, મળી ન શક્યા. અને એક દિવસ અચાનક આવીને એણે કહ્યું કે, જાપાનથી મને એવો સંદેશો આવ્યો છે, ત્યાંના કોઈ મિષ્ટિક વ્યક્તિએ મને કહેવડાવ્યું છે કે, “ભગવાન ગૌતમ બુદ્ધ પોતાનાં વાહન તરીકે અત્યારનાં ભગવાન રજનીશનો ઉપયોગ કરી રહ્યા છે.” લોકોને એ વખતે એવું લાગતું હતું કે એનો અર્થ શો? એટલે એનો કહેવાનો અર્થ એવો કે, “ભગવાન ગૌતમ બુદ્ધ મારા શરીરમાં છે અને એનું વાહન હું છું.” ખરેખર એવું બન્યું કે, એનામાં એક સીમિત પ્રવાહ ચાલ્યો, એનું enlightenment થયાના ચિન્હો વર્તાયા, એના બોલવામાં અસર થઈ, એની સ્પીચ ધીમી પાડવા લાગી અને લોકોને બહુ જ સ્પર્શી જાય એવી રીતે વાત શરુ કરી ત્યારે લાગ્યું કે, ખરેખર કશુંક ઘટ્યું લાગે છે. આપણને આશ્ચર્ય થાય કે, આ સ્થિતિમાં એણે બહાર આવીને કીધું કે, જો ભગવાન બુદ્ધ મારો ઉપયોગ કરતા હોય તો મારે મારી જાતને ભગવાન કહેવાની જરૂર નથી એટલે કાલથી હું ભગવાન નથી. કોઈએ મને ભગવાન કહેવું નહિ. પછી કહે ભગવાનનાં પ્રતીકો ઉતારી નાખો..કશું રાખવાની હવે જરૂર નથી.અને એણે બધી મુક્તિ આપી દીધી.
આપણને થોડું વિચિત્ર લાગે એવી વાત પાંચમે દિવસે એમણે ફરીવાર બહાર આવીને કરી કે, મહેમાન અને યજમાન વચ્ચે નાની-નાની બાબતોમાં સુમેળ સાધી શકાયો નથી. મહેમાન એટલે ગૌતમ બુદ્ધ અને યજમાન એટલે હું… કઈ બાબતમાં બરાબર સુમેળ નથી થયો? તો એમણે કીધું કે, બુદ્ધ આખી રાત ડાબા પડખે સુવે છે અને સુવે ત્યારે પોતાનો હાથ માથાં નીચે રાખે છે. એટલે મેં કીધું કે, આખી રાત તમારે ડાબા પડખે સુવાની શી જરૂર છે? પડખા બદલતા રહેવા જોઈએ. બુદ્ધે ના પાડી. મેં કહ્યું કે, હાથ રાખવાની શું જરૂર? સવારના તો હાથ ચાલે નહિ, તેની બદલે ઓશીકું રાખો… મેં બુદ્ધ ને એ પણ કહ્યું કે, આ ઓશીકું એ થોડું કંઈ materialistic વસ્તુ છે ! સાદો ટેકો છે. લ્યો ને શું વાંધો? હાથ ને ટેકો કરો કે ઓશીકાને કરો તમને શું વાંધો? બુદ્ધે કહ્યું કે, આ બધું મને ફાવતું નથી. એટલે મેં હાથ જોડીને એમને કીધું કે તમે હવે વિદાય લો. એટલે હવે મારામાં ગૌતમ બુદ્ધ ભગવાન તરીકે નથી એની હું તમારી સાથે જાહેરાત કરું છું.
ઓશોએ ઝેન મેનીફેસ્ટો ઉપર આખરી પ્રવચન માળા આપી. એમને ખબર હતી પોતાનું death થઈ રહ્યું છે. આપણે લેખમાળાની શરૂઆત કરી હતી કે, ડોક્ટરને ઓશોએ છેલ્લે પૂછ્યું, is it death ? ડોક્ટરે કહ્યું, Yes and he was no more… હા, એમણે જે સુંદર બધું જ કોમ્યુનમાં બનાવવાનું હતું, લાઓત્સે ખંડ બનાવવાનો હતો, પોતાનાં અસ્થિ ફૂલને ક્યાં રાખવા અસ્થિ એના માટે એમણે જાતે સૂઈને નક્કી કર્યું, કે કઈ બાજુથી સૂર્યનો પ્રકાશ આવે, ત્યાં કેવા કાચ મુકવાના કે પ્રકાશને અટકાવે નહિ, પછી એ પ્રકાશ મારા ઉપર પડવો જોઈએ, કેવી રીતે? એ પોતે સુતા અને પોતે દેખાડ્યું, પછી ભવિષ્યની અંદર ક્યાં ફૂલ રાખવા એ જગ્યા નક્કી કરી, એની ઉપર શું લખવું… Never Born, Never Die, Only Travel.. આ પણ ઓશોએ જ કહી દીધું. એકવીસ સભ્યોનું એક ઈનર સર્કલ બનાવ્યું. ઈનર સર્કલ માટેનો મેનીફેસ્ટો બનાવ્યો. એની અંદર મારા કામને કેમ આગળ લઈ જવું, મારા સાહિત્યનું, મારી વિડીયો ટેપનું, મારા પુસ્તકોનું શું કરવું? એ બધું જ પહેલે થી કહી દેવામાં આવ્યું !!
આશ્ચર્યની વાત એ છે કે એમણે દેહ છોડતા પહેલા પ્રયોગો કર્યા, એ પ્રયોગોની અંદર થોડા દિવસો સાંધ્ય ધ્યાન ખાલી ખુરશી હોય, પછી થોડા દિવસ ખુરશી જ ન હોય, ખાલી ખુરશી હોય તો કોઈક વાર અંદરથી પોતે બોલે, પછી અંદરથી બોલવાનું બંધ કરે અને સાયં પ્રાર્થના ચાલે ત્યારે એમણે કહ્યું, હું તમારી સાથે છું. હું ભલે તમને દેખાતો ન હોઉં, હું તમને ટેવ પાડવા માંગુ છું કે, મારી હાજરી મહત્વની નથી. એમનું એક વાક્ય બહુ જ સરસ છે, ”ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી.માટે એ ચૈતન્ય હોય તો જ આપણે સુખરૂપ રહી શકીએ એવું માનવાનું કારણ નથી. એ આપણામાં બેઠું છે. એને જો તમે feel કરો તો એ તમારી સાથે છે.” 10મી એપ્રિલ 1989 એણે સાયં ધ્યાનની અંદર છેલ્લા શબ્દો ઝેન મેનીફેસ્ટો ઉપર કહ્યા. એની છેલ્લી પ્રવચન માળા અને ચાંગસે ઓડિટોરીયમનની અંદર એમણે જયારે પોતાનો દેહ છોડ્યો હતો ત્યારે પોતાની હાજરીમાં થોડા સમય પહેલા એમણે સંન્યાસ દીક્ષા આપવાનું બંધ કર્યું, એ કામ એણે સ્વામી સત્ય વેદાંતને સોંપ્યું. પોતે જયારે દેહ છોડી દે ત્યારે આ શરીરને બહાર બુદ્ધ હોલમાં લઈ જવા માટે કોણ ચાર જણા રહેશે એના નામ લખાવી દીધા. એમાં પણ સ્વામી સત્યવેદાંત એક ખભ્ભો દેનાર વ્યક્તિ હતા. અને પછી બધાની જેમ મને સ્મશાને જ લઈ જવાનો છે પણ માત્ર મારા અસ્થિ હોય એને તમે અહીંયા રાખજો. પૂના કોમ્યુનમાં જે ગયા હોય એને ખ્યાલ છે કે ત્યાં તમે dark meditationમાં રાત્રે બેસીને ઓશોની હાજરી અનુભવી શકો છો. બહુ મોટી લાંબી એવી સરસ મજાની એક રોલ્સરોય્સ ગાડી ત્યાં પડેલી છે. ત્યાંથી દાખલ થાઓ એટલે લાઇબ્રેરીનાં લાઈનબંધ કબાટો છે.અને એના પછી આ ખંડમાં તમારાથી દાખલ થઈ શકાય છે. sitting in darkness વાળું meditation ત્યાં થાય છે. ઓશોનાં અસ્થિ ત્યાં પડયા છે.
મેં બહુ ઝડપથી ઓશોની આખી જીવન યાત્રાને બહુ ટૂંકા સમયમાં રજુ કરેલ છે. એમ કહેવાય છે કે ઓશો જન્મ્યા ત્યારથી એમણે ત્રણ દિવસ સુધી દૂધ ન પીધું. બધા બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાણી ન પીએ, દૂધ ન પીએ, મોઢામાં કશું લે જ નહિ. અને ચોથા દિવસે સૌના આશ્ચર્ય વચ્ચે એમણે બધું શરુ કરી દીધું. ભવિષ્યની અંદર એવું જાણવા મળ્યું અને એ કર્મપા લામાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, 700 વર્ષ પહેલા આ જીવ પૃથ્વી ઉપર હતો અને એ વખતે એમણે 21 દિવસનાં ઉપવાસનું વ્રત કરેલું, એમાં અઢારમાં દિવસે એમનું મૃત્યુ થયેલું. એટલે જે ગયા ભવના ત્રણ દિવસ બાકી હતા એ ત્રણ દિવસ બાલ્યાવસ્થામાં ઉપવાસ કરીને એમણે પૂર્ણ કર્યા પછી એ આપણા વચ્ચે બરાબર આવ્યા છે. આપણને એમ થાય કે, આ તો બહુ વિચિત્ર ઘટના છે. હું એવું માનું છું કે આ બાબત સત્ય છે અને ત્યાંથી જ ખરેખર ઓશોનાં પદચિહ્નોની અને વિદ્રોહની શરૂઆતની.. વિચિત્રતા શરુ થઇ, વિશિષ્ટતા શરુ થયા છે. જન્મનું ગામ કેવડું નાનકડું કે, જેમાં શાળા નહિ, પોસ્ટઓફિસ નહિ, રસ્તો નહિ, કાંઈ નહિ, એમાં એનો જન્મ.. પણ એની સામે તેઓ એવું કહે છે કે, ‘બહુ સારું થયું, હું શિક્ષિત થતા બચી ગયો. જેવો હતો તેવો રહી શક્યો‘ એણે ઘરેડબદ્ધ શિક્ષણનો બહુ જ વિરોધ કર્યો છે. અને એને એવું એક વાક્ય આત્યંતિક વાપર્યું છે કે, બાળક ઉપરથી ભણવા જવું જ જોઈએ, એ ત્રાસ જ્યારથી ઓછો થશે ત્યારથી બાળકનું સાચું સ્વાતંત્ર્ય શરુ થશે. એના નાના બાપુ એને સ્કૂલમાં લઈને ગયા ત્યારે એણે પ્રશ્ન કર્યો કે આમાં જવાનું છે? તો કહે, હા…તો કહે, આ તો જેલ છે. તો કહે, ના આ તો સ્કૂલ છે…તો કહે, સ્કૂલનાં અને જેલનાં રંગ લાલ હોય, એમાંય બધા યુનિફોર્મ પહેરે આમાંય બધા યુનિફોર્મ પહેરે, જેલમાં ય બધાને નંબરથી બોલાવે છે આમાંય નંબરથી બોલાવે છે. મને અહીંયા નહિ ફાવે, .. અને તેઓ પાછા આવતા રહ્યા !! શું કરે? પરાણે મોકલે તો શું કરે? ચાલ્યા આવે અને રસ્તાની ઉપર ઝાડ પર ચડીને બેસે. ઝાડ ઉપર બેસીને જોતા હોય, નદીઓ વહેતી હોય, પક્ષીઓ ઉડાઉડ કરતા હોય. એના માસ્તર નીચેથી નીકળે તો કોઈક વાર ઉપરથી સાઠીકડું લઈને નાંખે અને પછી આનંદ કરે. આવો સ્વભાવ પહેલેથી હતો. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 8, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

બહુ જાણીતી વાત છે તે સ્મરણ કરાવું કે, એમને કોઈએ આવીને કહ્યું કે, “આશ્રમમાં આ બધું શું ચાલે છે?” એટલે એમણે કહ્યું, “પણ એમાં મારે શું?” તો કહે, “તમારા આશ્રમમાં આ બધું ચાલે છે…” તો કહે, “તો પછી તમારે શું? હું મારી રીતે લડી લઈશ.”
He was aware of it. ઊંડાણથી વાંચીએ તો ખ્યાલ આવે, કે એકેએક નાનકડા પગલાં માટે પણ એ aware હતાં. પણ એમણે સ્પષ્ટ એવું કહ્યું કે, મારી વાત સંન્યાસની છે અને સંસારમાં રહીને સંન્યાસનું ઉત્તમ શિખર પ્રાપ્ત કરી શકાય એ કહેવાની છે. ભાગવાની જરૂર નથી, કુટુંબને છોડવાની જરૂર નથી. એક વિધાન એમણે એવું કર્યું કે, “મનોવિજ્ઞાન એવું કહે છે કે, તમારે જે આંતરિક આવેગો અથવા સંવેગોના આધારે કશુંક કરવું છે અને એ જો તમે ન કરી શકો તો એની અસર મન ઉપર થાય છે અને તમે ધીમે-ધીમે એમાં નીચે ઉતરતા જાઓ છો. એટલે કોઈએ કોઈને ભેટવું હોય, મનથી ઈચ્છા થાય તો ભલે ને ભેંટે…એમાં શો વાંધો? કોઈએ કોઈને ચુંબન કરવું હોય અને એની ઈચ્છા થાય તો ભલેને કરે… હા, જબરદસ્તી ત્યાં ન કરી શકાય.” પછીનું વાક્ય વધુ સ્પષ્ટતા કરે છે કે, “ભારતમાં આજે આ થઈ રહ્યું છે પણ જબરદસ્તીથી થઈ રહ્યું છે. એ જબરદસ્તી બંધ થાય એટલે હું સાહજિક રીતે કરવાની વાત કરી રહ્યો છું.”
હવે આપણે સમજીએ તો આ વાત ઝડપથી લોકોનાં મનમાં ઉતરે એવી કોઈ વાત નથી. એટલે આ વાતને બહુ મોટી કરવામાં આવી, અને વિશ્વમાં ફેલાય ગઈ.. એમણે મૌન સત્સંગ શરુ કર્યા, બુદ્ધનાં ધમ્મપદ ઉપર એમણે પ્રવચન શ્રેણી આપી, એસ ધ્મમો સન્તનો જે બહુ જ populer શ્રેણી છે જે આપણે સાંભળીએ તો આપણને એમ થાય ઓહો.. બુદ્ધ ને બુદ્ધ વિશે ખબર નથી એટલી ઓશોને બુદ્ધ વિશે ખબર છે. મહત્વનો મુદ્દો બન્યો મૌન સત્સંગ અને એમનું કહેવાનું એવું હતું કે, તમે જો એકબીજા સાથે બેસીને મૌન રહી શકો તો તેનાથી ઉત્તમ કોઈ સત્સંગ નથી. એમણે કહ્યું કે, નદીનાં કાંઠે જઈને બેસો, મૌન રહો, સામે ખળખળ વહેતી નદીને જોયા કરો, પંખીઓ ઉડતા હોય એનું ગીત સાંભળ્યા કરો, અને એમાં ક્યાંક સાંભળતા સાંભળતા તમારી આંખ મીંચાઈ જાય તો એ ઉત્તમ ધ્યાન થયું ગણાશે. આ મૌન સત્સંગની વાત ખુબ લોકોએ સ્વીકારી.
1980ની 22મી મે એ એક દુર્ઘટના બની. એમના પ્રવચન દરમિયાન વિકાસ તુલે નામના એક સનાતન ધર્મવાદી એક્ટિવિસ્ટે પ્રવચન દરમિયાન એમના ઉપર છરાનો ઘા કર્યો. પોલીસને આ વાતની ખબર હતી અગાઉથી. આ બન્યું ત્યારે પોલીસ ત્યાં હાજર પણ હતી. પણ છતાં એણે છરો ફેંક્યો ! એને બધાએ પકડી લીધો, બહાર લઈ ગયા. ઓશોએ જાણે કંઈ જ બન્યું નથી, એમ પ્રવચન ચાલુ રાખ્યું. સવારનું પ્રવચન દસ વાગ્યે બંધ થાય એમ બરાબર દસ વાગ્યે એમણે પૂરું કર્યું અને પોતે હાથ જોડી પોતાના ખંડમાં જતા રહ્યા. પછીથી આ કેસમાં એવું થયું કે, એ માણસને નિર્દોષ છોડી દેવામાં આવ્યો કારણ કે, એમણે કોઈ ગુનો કર્યો નથી. અને ઓશોને પૂછ્યું ખબરપત્રીઓએ કે, તમારું ખૂન કરવા આવ્યો હતો ?? તો ઓશો કહે, “ના એ ખૂન કરવા આવ્યો નોહ્તો. કારણ કે એને જો ખૂન કરવા માટે છરો ફેંક્યો હોત તો હું ડરી ગયો હોત અને મેં મારુ પ્રવચન ત્યાં જ બંધ કર્યું હોત. હું એનાં છરાથી ડર્યો નથી એટલે મને એમ લાગે છે કે, એવે ટાણે એને વિચાર આવ્યો કે હાલોને છરાનો ઉપયોગ કરીએ તો કરી લીધો.” તો કહે એને છોડી દીધો એમાં શું લાગે છે? તો કહે, એની નિયતિ છૂટી જવાની હશે. પણ પોપ્યુલર તો થઈ ગયો, વિકાસ તુલે નામ તો બરાબર આવી ગયું, જાહેરમાં..!!!
આમાંથી એક પાઠ શીખીને ઓશોએ નક્કી કર્યું કે, ભારતમાં હું જેટલી પ્રવૃત્તિ કરી રહ્યો છું એમાં હું બધાને આ વસ્તુ સમજાવી શકું એમ નથી. મારે ભારતનાં લોકોની વાત પણ વિદેશ જઈને એક વખત કહેવી પડશે. ત્યાં જઈને કહીશ તો વધુ સમજાશે. ધીમે-ધીમે કરતાં એની આજુબાજુ બધા ભેગા થવા લાગ્યા, એણે પોતાનું એક કોમ્યુન અમેરિકામાં વસાવવાની શરૂઆત કરી. બહુ મોટી અને દીલધડક સ્ટોરી છે. પણ મેં શ્રી સ્વામી સત્ય વેદાંત સાથે મેં દિલ્લીમાં એક સંવાદ હિન્દીમાં કરેલ છે જેમાં શ્રી સત્ય વેદાંત સ્વામીએ ઓરેગોન કેવી રીતે બનાવ્યું તેની વાત કરી છે. (આ દિલધડક સંવાદ મારી યુટ્યુબ ચેનલ પર છે.) ઓરેગોન બનાવનારા પાંચ વ્યક્તિઓમાં સ્વામી સત્યવેદાંત કે જેમણે આપણા ગુજરાતની મહારાજા સંયાજીરાવ યુનિ.માંથી ડોક્ટરેટ કરેલ અને પછી મેસિચ્યુસેટ યુનિ.માંથી બીજું ડોક્ટરેટ કર્યું જેમનું જેનું મૂળ નામ વસંત જોશી, એ ઑરેગોનનું નિર્માણ કરનાર પાંચ માંથી એક હતા. એ લોકોની લીડર મા શીલા હતી. અને બહુ જ રોમાંચક રીતે એ વસ્તુ બનેલી કારણ કે, કોર્ટે એવું કહ્યું કે તમે અમુક સંખ્યામાં અમેરિકન ભેગા કરો અને જો એ અમેરિકન કહે કે આ લોકો અહીંયા કોમ્યુન સ્થાપે તો વાંધો નથી તો કોર્ટ મંજૂરી આપશે. તો કોણ આવે આવી જગ્યાએ? રજનીશપુરમ કે એ સાવ કાદવ્યુ ફાર્મ !! એમણે લખ્યું છે કે, કાદવ-કીચડ વાળું ફાર્મ એ હતું પણ એ લોકોએ ન્યુજર્સી વગેરે બધા સ્થળોએથી ધીમે-ધીમે બધાને ભેગા કર્યા. કોને કોને ભેગા કર્યા? ડાહ્યા માણસો તો ન આવે આવી રીતે ! એટલે રસ્તા ઉપર બેઠેલા અમેરિકાનાં ભિખારીઓને ને મસ્ત ફકીર જેવા ને ભેગા કર્યા. એને બ્રેડ આપી, એને પૈસા આપ્યા, એમને કીધું કે, તમે હાલો અમારી સાથે, ધીમે-ધીમે કરતાં એક બસ ભરાય જાય એટલે ઓરેગોન જાય. ઓરેગોન જાય તો 25 જણમાંથી 5 જણ ઉતરી ગયા હોય, બહુ જ ઈન્ટરેસ્ટિંગ વાત છે !! સંવાદ સાંભળશો તો વધુ મજા આવશે. હું અત્યારે લેખમાં સમય નથી કાઢતો. સ્વામી સત્ય વેદાંત કહેતા હતા કે, એક ભાઈ બસમાં પીંજરું લઈને બેઠો હતો. એણે કીધું કે આવું, પૈસા આપો, દારૂ આપો, તો આપ્યું…એમણે કીધું કે, હું આવું, બેસી ગયો બસમાં. અને લગભગ અડધે પહોંચવા આવ્યા તો એણે કીધું કે જસ્ટ સ્ટોપ ધ બસ..કેમ? તો કહે, મારું આ પંખી ના પાડે છે કે આપણે ત્યાં ના જવાય, એટલે મારે ઉતરી જવું છે. પણ અમેરિકામાં એમ વચ્ચે બસ ન ઉભી રખાય. તો પણ એમણે કીધું કે, તો હું અહીંયા તોફાન કરીશ. આવી અનેક ઘટનાઓ બની.
ત્યાં પહોંચ્યા પછી શીલાએ બહુ સારી રીતે એ ખેપાનીઓને કંટ્રોલ કર્યા. શીલા પોતાના ખભ્ભા ઉપર રિવોલ્વર રાખીને ફરતી. એટલા બધા લોકોને ભેગા કરીને આખરે તેઓએ સરકારનો સંપર્ક કર્યો, પરંતુ સ્ટેટ ને એવું લાગ્યું કે, ભાઈ આ તો આપણા ચર્ચનાં લોકો ચર્ચ મૂકીને ઓશોનાં રજનીશપુરમમાં ભેગા થઇ જશે તો..? એ વખતે રોનાલ્ડ રેગનની સરકાર હતી. રોનાલ્ડ રેગને બહુ મહેનત કરી, ઓછામાં ઓછા 200 જેટલા લોયર્સ નીમ્યા, અને આ લોકોની સામે ઢગલાબંધ કેસ કરી દીધા. આવી પરિસ્થિતમાં પણ ભગવાન રજનીશે અમેરિકાને કાયમી વસવાટ માટે અરજી કરી. બધાએ કહ્યું કે this is not the time, તો કહે ના..ના.. this is the only time… અને મને ને તમને બહુ આશ્ચર્ય થાય કે, એમણે અમેરિકા છોડી દીધું અને ભારત આવ્યા પછી અમેરિકા છોડ્યાનાં બે વર્ષ પછી અમેરિકાની કોર્ટે રજનીશપુરમને કાયદેસર જાહેર કર્યું. એટલે એ કોન્સેપટ ખોટો નોહ્તો. વિરોધ એટલો હતો કે, ધર્મ અને રાજ્ય બેય ને ભેગા લઈને આ માણસ વાત કરે છે એટલે ભવિષ્યમાં રાજ્ય સામે બળવો થઈ શકે માટે એટલે આ માણસ અહીંયા ન જોઈએ. ઘણું બધું થયું એમના પર… આપણને ખ્યાલ છે કે એમણે પોતે કહેલું છે, એમને ધીમું ઝેર આપવામાં આવ્યું જેલની અંદર અને એને એકદમ નર્વસ બનાવી દેવામાં આવ્યા, એની વેઇન્સ બધી ખલાસ થાય એવી પરિસ્થિતમાં આવ્યા. ત્યાંથી આવીને આ વાત ભારતનાં પત્રકારો સામે, મીડિયાની સામે પોતે કહી છે. ત્યાંની જેલમાં એમણે શું કર્યું, બાર-બાર જેલમાં એને ફેરવવામાં આવ્યા, અને જેલમાં લઈ ગયા ત્યારે બેય હાથમાં મોટી-મોટી બેડીઓ, પગમાં મોટી સાંકળો સાથે એને લઈ જવામાં આવ્યા. પણ ઓશો હંમેશની જેમ પ્રસન્ન હતા.જે બનતું હતું એને હસીને એ સહન કરતાં હતાં. ભારત આવ્યા પછી બહુ રઝળપાટ કરી, અનેક દેશોમાં ગયા, એનો વિઝા મંજુર થઈ જાય, એરપોર્ટ ઉપર ઉતરે અને બરાબર શહરેમાં એન્ટ્રી કરે કે દાખલ થવા આવે એટલે એમને કોઈ રોકી લે કહે કે, તમારા વીસા રદ્દ કરવામાં આવ્યા છે, તમે હમણાં જ પાછા જાઓ. અનેક નાના-મોટા દેશોમાંથી એમને પાછા ધકેલવામાં આવ્યા. એટલે પૂનાનો બીજો એપિસોડ એમણે ત્યાર પછી શરુ કર્યો. અને જેમાં ઓશો બહુ જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ નબળા પડ્યાં.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 1, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ભારતીય વિદ્યા ભવનના લોકો એટલું કહીને ગયા હતા કે, કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો, જે અહીંયા ન થાય.
“તમે દમન કરશો તો કામ તમને વધુમાં વધુ પકડશે. પણ શમન કરશો એટલે કે અભિવ્યક્ત કરશો તો તમે કામમાંથી મુક્ત થતા જશો.” ભારતીય વિદ્યા ભવન દ્વારા યોજાયેલ આ પ્રવચનશ્રેણીના પ્રથમ દિવસે જ રજનીશે એવી જોરદાર વાતો કરી કે, જયારે મંચ ઉપરથી ઉતર્યા ત્યારે ભારતીય વિદ્યા ભવનનાં કોઈ હોદ્દેદારો હાજર નોહ્તા. એ લોકો એટલું કહીને ગયા હતા કે, કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો જે અહીંયા ન થાય. એટલે એ શ્રેણી ત્યાં બંધ થઈ ગઈ.પણ ઓશોને બહુ મોટી હાઈટ મળી. આપણને ખબર છે કે તમારી પ્રવચન શ્રેણી દસ દિવસ ચાલે તો લોકો રાજી ન થાય પણ એક દિવસ પછી બંધ થઈ જાય તો બહુ રાજી થાય. એટલે હાઈટ વધી અને ખરેખર એવું બન્યું કે એક જ મહિના પછી 28મી સપ્ટેમ્બર 1968 ગોવાલિયા ટેન્કના મેદાનમાં ભરચક લોકો વચ્ચે એમણે શ્રેણી શરુ કરી ”संभोग से समाधी तक”. એમના ઉપરથી એનું પુસ્તક અનેક ભાષાઓમાં પ્રકાશિત થયું. હકીકતમાં એમાં એમણે સેક્સ વિશે વાત નથી કરી. રજનીશે પોતે પણ ઘણી જગ્યાએ કહ્યું છે કે, હું મીરા ઉપર બોલ્યો હોઉં, કૃષ્ણ ઉપર બોલ્યો હોઉં, કબીર ઉપર બોલ્યો હોઉં, ઘણા વિષયો વિષે બોલ્યો હોઉં એ તમે વાંચતા નથી અને એક જ પુસ્તક વાંચો છો ? અને મને પૂછો છો ? વર્લ્ડની અંદર એને લોકો “સેક્સ ગુરુ” તરીકે ઓળખવા લાગ્યા. પણ ઓશોની બહુ મોટી ખાસીયત એ હતી કે એના કોઈપણ કૃત્યથી લોકો ડિસ્ટર્બ થાય તો તેઓ એ એન્જોય કરતા. અને એ વિચારતા કે, બહુ સારું ચાલો આને ચલાવાય. એટલે એમણે ચલાવ્યું.
જબલપુરમાંથી એમણે પોતાની નોકરી છેલ્લે છોડી દીધી 1970માં અને પછી મુંબઈ આવ્યા, મુંબઈ આવીને 50 સાધકો સાથે રહેવા લાગ્યા. પછી એમને વિચાર આવ્યો કે, મારે જે વાત કહેવી છે એ જાજા લોકોને કહું છું તો એનું મૂલ્ય નથી રહેતું, એટલે એણે ઓછા લોકોને કહેવાનું શરુ કર્યું. અને 1970થી રજનીશે ડાયનેમિક મેડિટેશન (સક્રિય ધ્યાન) શરુ કર્યું. જે આજે પણ જ્યાં જ્યાં ઓશો કોમ્યુન છે ત્યાં સવારનાં અચૂક થાય છે. ધ્યાનની વિધિને ખુબ સ્પષ્ટતા સાથે તેઓએ રજુ કર્યા. એમણે વિપશ્યના પણ નવું રીતે શોધ્યું. બુદ્ધની પચીસસો વર્ષ જૂની વિપશ્યના માટે એમને કેટલાક પ્રશ્નો હતા. એમણે કહ્યું કે મારો પ્રશ્ન એ છે કે, મનમાં બધું ભરીને આવેલા લોકોને તમે એક જગ્યાએ બેસાડી દ્યો અને એમ કહો કે, હવે વિચારી વિચારીને બધું બહાર કાઢો તો કેમ કરીને નીકળે ? ડબ્બામાં કંઈક ભરવું હોય તો સૌ પહેલા ભરેલા ડબ્બાને બરાબર ઠબલવવો પડે. જો ઠબલાવશો તો જગ્યા થશે. એટલે હું ઠબલાવવાની પ્રક્રિયાથી વાતની શરૂઆત કરીશ. એટલે વિપશ્યનાથી લઈને અનેક ધ્યાન એમણે શરુ કર્યા.
કુલુમનાલી ની અંદર 1970માં એમણે પહેલી વખત કોઈને દીક્ષા આપવાની શરૂઆત કરી. એ પ્રક્રિયાને નિયો સન્યાસ એવું નામ આપ્યું. રજનીશે જાહેર કર્યું કે, પરંપરાગત સંન્યાસ જે અત્યારના પ્રચલિત છે એનો હું આજથી વિરોધ જાહેર કરું છું. તેઓએ સમજાવ્યું છે ખુબ સુંદર રીતે કે, અત્યાર સુધીનો સંન્યાસ બધું છોડીને આવો એમ કહે છે. તમે ગીતાના છઠ્ઠા અધ્યાય ઉપરનાં ઓશોના વ્યાખ્યાન સાંભળો તો પહેલા જ શ્લોકમાં એમણે કહ્યું છે કે ” कृष्ण के पहले भारत का संन्यास भगेरु था. घर छोड़ के भागो, दुनिया छोड़ के भागो, जंगल में जाके ठहेरो में वो नहीं चाहता” એમનું કહેવાનું એવું હતું કે જ્યાં છો ત્યાં જ બરાબર છો. અને ત્યાં બરાબર છો એટલે જ્યાં છો ત્યાં તમે સંન્યાસ અનુભવો. કેવી રીતે? એની એમણે ટેક્નિક આપી.
1970 થી 1985 વચ્ચેના 15 વર્ષમાં એણે બહુ મોટા ફેરફારો કર્યા અને એવા ફેરફારો કર્યા કે જેની અસરો ખુબ રહી. એક સુંદર સવારે એમણે કહ્યું કે કાલથી બધા મારું રોબ પહેરજો અને મોટી 108 મણકાની એક માળા રાખજો, એમાં વચ્ચે લોકેટ રાખવાનું કે જેમાં ઓશોનો ફોટો હોય !! આવું કરવા પાછળના કારણો આપ્યા છે આ પુસ્તકમાં. એમણે કહ્યું કે એટલા બધા સંન્યાસીઓ વધી ગયા કે હું કોઈને ઓળખતો નોહ્તો કે આમાં મારો કોણ છે ? એટલે ઘણી વખત મને એમ થાય કે, હું દૂધ રેડું છું પણ બોઘેણામાં પડતું નથી ને નીચે જતું લાગે છે. તો મારે identify કેમ કરવા? એટલે મેં આ યુનિફોર્મ આપ્યો. મને ખબર પડે કે, આ બધા આપણા છે. પાછળના ભાગમાં એમણે સત્યવેદાંત સ્વામીનાં એક પુસ્તકમાં લખ્યું છે કે, ”આ બધા આપણા છે એ માનવું મારો ભ્રમ હતો એ મને પાંચ વર્ષમાં ખબર પડી. ખબર પડી તેથી મેં કહ્યું, હવે ભગવા જવા દ્યો” તો પોતાના જે જે નિર્ણયો છે એ રજનીશે લીધા છે બેધડક, ખોટા લાગે ત્યારે પાછા પણ ખેંચી લીધા છે, કશું જ કીધા વગર.
એક સરસ કામ એમણે કર્યું કે, સંન્યાસીઓને નવા નામ આપ્યા. પહેલા નામ આપતા હતા પણ એને હવે ટિપિકલ નામ આપ્યા. પુરુષ હોય તો એની આગળ “સ્વામી” લગાડવાનું, સ્ત્રી હોય તો એની પાછળ “મા” લગાડવાનું. અને એમની સ્પષ્ટતા એ હતી કે, મારા મતે પુરુષ છે એ ચેતનાનાં પંથે ચાલનારો છે. સ્ત્રી છે એ પ્રેમનાં પંથે ચાલનારી છે. ચેતનાનાં પંથે ચાલે એ આખા અસ્તિત્વને ચૈતન્ય આપી શકે એટલે કે એનો ‘સ્વામી’ થઈ શકે માટે ‘સ્વામી’ લગાડ્યું છે. અને પ્રેમનાં પંથે જે ચાલે એ અસ્તિત્વનું માતૃત્વ કરી શકે માટે એ ‘મા’ છે. આ કહેવાનું પણ કારણ હતું. એમણે કહ્યું કે, બધા પોતાના નામ લઈને આવ્યા હતા, એટલે પોતાના નામમાં જ જીવતા હતા. મારે એમનું નામ ખેરવી નાખવું હતું, અને મેં આપેલ નામ મને યાદ રહે એટલા માટે મેં બધાના જુના નામ ખેરવ્યા ને નવું નામ આપ્યું. આવી એક નાનકડી એવી તરકીબ પોતે કરી અને એનું બરાબર justification આપ્યું. એમણે એક સરસ વાત કરી, કોઈએ એમને પૂછ્યું હતું કે, તમે ધર્મનો વિરોધ કર્યો અને તમેય પાછા કપડાં તો આવા જ પહેરાવ્યા? રજનીશે કહ્યું કે, મને સમજાણું કે, લોકો કપડાં જલ્દી બદલી શકે છે, મન બદલતા વાર લાગે છે. પછી મેં બીજું નોંધ્યું કે, કપડાં બદલે પછી એની મન ઉપર અસર ય થાય છે તો મેં નક્કી કર્યું કે, આપણે શું વાંધો? પહેરાવો ને એવા કપડાં…એનાથી એનું મન મારી ભેગું ચાલતું હોય તો મારે તો એને આંગળી પકડીને લઈ જવાં છે. ધીમે-ધીમે કરતાં રજનીશ મુંબઈમાં સેટ થયા. પહેલા વુડલેન્ડ નામનાં બહુ મોટા આલીશાન એપાર્ટમેન્ટમાં રહ્યા. નાના-નાના જૂથના લોકો સાથે સંવાદ કરવા લાગ્યા, નજીકમાં સાગર કિનારો હતો એના તટે બેસીને સંવાદ કરે, બધા સંન્યાસીઓ છે એ સાગર ઉપર સૂતા હોય, ડૂબકીઓ મારતા હોય, પોતે પણ એકબાજુ બેઠા હોય.. આવું એણે શરુ કર્યું. અને 1972ના મે મહીનામાં એમણે પોતાની જાત ને ‘ભગવાન રજનીશ’ કહેવાનું શરુ કર્યું. ભગવાન રજનીશ એટલા માટે કે ત્યારે એમણે, “મને આત્મસાક્ષાત્કાર થયો છે” એવી જાહેરાત કરી. કોઈએ પૂછ્યું કે ક્યારે થયો ? તો કહે 20 વર્ષ પહેલા…તો હવે કેમ બોલ્યા? તો કહે, લોકો જિજ્ઞાસાથી આ વાતને ન સ્વીકારે પણ પુરી પુખ્તતાથી સ્વીકારે એની હું રાહ જોઈ રહ્યો હતો. હવે મને લાગે છે કે, મારા કેટલાક શિષ્યોમાં કેવળ જીજ્ઞાસા નથી, પુખ્તતા છે એટલે આ વાત હું કરી રહ્યો છું. એટલે બરાબર 20 વર્ષ પછી એણે આત્મસાક્ષાત્કારની જાહેરાત કરી. જો કે, એને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા હતા કે, ઓશો તમારામાં બદલાવ આવી ગયો છે, તમે પહેલા જેવા દેખાતા નથી, તમે બદલાઈ ગયા છો… ત્યારે એને વિચાર આવ્યો કે ‘હા, હું બદલાઈ ગયો છું, મને ખબર છે પણ તમે નોંધવા લાગ્યા છો તો હવે એને જાહેર કરવામાં મને કોઈ હરકત નથી.’
સક્રિય જ્ઞાનની સાથે સંગીત લાવ્યા, પોતે રોક લઇ આવ્યા, ઝાઝ પણ લઈ આવ્યા, સંગીત શૈલીઓ લઈ આવ્યા, બેસી-બેસીને ધ્યાનનાં મ્યુઝિકને કમ્પોઝ કરાવવા લાગ્યા, અને આત્મસાક્ષાત્કાર પછીના 21 વર્ષે પૂનાના કોરેગાંવ પાર્કમાં છ એકરમાં બે બંગલા ખરીદ્યા અને તેની લોનમાં બેસીને શરૂઆત કરી. ધીમે-ધીમે આખો આશ્રમ બનતો ગયો જે કોમ્યુન બન્યો. એમને એવું લાગ્યું કે, કોઈને હું એક કલાક આપું છું તો એ લોકો મને એક ચિત્તે નથી સાંભળતા. એટલે એમણે નક્કી કર્યું કે, એક મિનિટ માટે આપણે બેસીએ અને સંવાદ કરીએ. એમણે તારવ્યું કે એક મિનિટમાં જે પ્રશ્ન આવે છે ને એ નક્કર પ્રશ્ન આવે છે. એક કલાકમાં જે પ્રશ્ન આવે છે એ બધા વેગ આવે છે, એમાં કાંઈ જાણવાની વાત હોય છે, સમજવાની નથી હોતી. એટલે એમણે બહુ નાનું-નાનું ગ્રુપ કરવાનું શરુ કર્યું. એમની અંગ્રેજી ઉપરની પકડ સારી, અંગ્રેજી એટલું સારું નહિ, પણ પકડ ખુબ સારી અને એની શરૂઆત એમણે 1974થી કરી. એને નામ આપ્યું ‘ My way, the way of the white clouds’ -સફેદ વાદળ… આ નામની બહુ સરસ સમજૂતી આપી કે, સફેદ વાદળ એવું હોય છે કે, પવન જ્યાં લઈ જાય ત્યાં તે ચાલે. પવન સાથે સંચરણ કરે કારણ કે ખાલી છે. કાળું વાદળું ભરેલું છે, એ ઝડપથી પવનનું કીધું માનતું નથી. એટલે My way, white clouds… “તમે પણ ખરેખર વિરોધ કે સંઘર્ષ વગર જીવનમાં જે બની રહ્યું છે એને સ્વીકારવા લાગો તો તમે પણ એ સફેદ વાદળ છો”, એવું એ શ્રેણીનું અર્ક નીકળતું હતું. સતત એણે પ્રયાસ કર્યો કે આ વાતને હું સમજાવું અને અંગ્રેજીની અંદર આ જે આખી વાતની શ્રેણી હતી એણે આખા વિશ્વની અંદર ઓશોને બરાબર પ્રચલિત કર્યા.
1974માં નવો તબક્કો શરુ થયો, ઘણા સાધકો આવવા લાગ્યા, ધ્યાન મંડપમાં બેસતા હતાં એની જગ્યાએ એમણે પ્રયોગ શરુ કર્યો કે, ધ્યાન મંડપમાં ખુરશી હશે, હું નહિ હોઉં…એટલે એનો બુદ્ધ હોલ હોય એ આખો ભરેલો હોય, પણ વચ્ચે મંચ પર ખુરશી પડી હોય, પણ ઓશો ન હોય. આ પ્રયોગ માટેનો જવાબ એમનો એવો હતો કે, એક વખત હું નહિ જ હોઉં, એની ટેવ હું તમને અત્યારે પાડું છું. અને એમનું બહુ સુંદર એવું વાક્ય છે કે ‘ જે ઘટશે ત્યારે શું થશે એ તમે ત્યારે જ સ્વીકારી શકો કે જયારે તમે એની કોઈ પ્રેકટીશ કરેલી હોય. otherwise આપણને સદ્દમો પહોંચે છે‘. સાયં દર્શન શરુ કર્યા, ધીમે-ધીમે પાશ્ચાત્ય ચિકિત્સાના જૂથો શરુ કર્યા. પોતાને એવું લાગ્યું કે હું વ્યાખ્યાન આપું છું, ધ્યાન સમજાવું છું, પણ એના પછી follow up માટે કોઈ ગ્રુપ હોવું જોઈએ. એટલે એમણે ચિકિત્સા જૂથ ઉભા કર્યા. જે ચિકિત્સા જૂથની અંદર વિચિત્ર વાતો આવી. દાખલા તરીકે તમારે જીવન કેમ જીવવું, એના માટે એક જૂથને જઈને મળો; તમારે આપઘાત કરવો તો કેમ આપઘાત કરવો જોઈએ? દેહ નો નહિ મનની ગ્રંથિઓનો એના માટે બીજું જૂથ હોય; એમાં એણે એક વિષય રાખ્યો, સેક્સ સંબંધી પ્રશ્નો હોય તો પણ એક જૂથને મળી શકો છો… એ સમયે કોઈ એક વ્યક્તિએ કોમ્યુનમાં આવીને એની documentary બનાવી. અને એ documentary વિશ્વ આખામાં ફેલાણી. છેક ભારતથી લઈને અમેરિકા સુધી ફેલાયેલ આ ફિલ્મથી લોકોએ ભગવાન રજનીશ ઉપર ફિટકાર વરસાવ્યા.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 30, 2025 | Gramsetu |

ચાલો, આજે આપણે શિક્ષણ અને સંશોધનની એક હાલતીચાલતી વિદ્યાપીઠને મળીએ… જામનગરના જામસાહેબ કચ્છથી આવ્યા ત્યારે તેમણે પહેલી રાજધાની જામખંભાળિયામાં સ્થાપેલી. આજે પણ તેના કોઈ કુંવરનો રાજ્યાભિષેક થાય છે ત્યારે તે જામખંભાળીયામાં જ થાય છે. તાલુકા મથકનું નાનું શહેર જામખંભાળિયા. ચૈિત્ર સુદ બીજ. શુક્રવાર. ૧૯૪૪ના માર્ચની છવ્વીસ તારીખે જન્મ અહીં ચન્દ્રકાન્તભાઈનો. ઘી અને તેલી બે નદી અહીં. જ્યાં આજે ય ઘીની પૂજા થાય છે એવું ખામનાથ મહાદેવનું વિશિષ્ટ મંદિર. શંકરલાલ પડોશમાં રહેતા પ્રભાવી નાગર. તેના ઘરમાં બીલીનું ઝાડ. ત્યાંથી બીલીપત્રો લાવવાનાં. દાદાને આપવાનાં અને પડોશી ઢેબરભાઈને ચન્દ્રકાંતે દઈ આવવાનાં. આ ઢેબરભાઈનાં પત્ની તે શિક્ષણ સંશોધનના ભિષ્મ પિતામહ ડૉ. એમ. બી. બુચસાહેબનાં બહેન થાય. ચન્દ્રકાંત દાદાને, ઢેબરભાઈને બીલીપત્રો આપે પછી પોતે રાખે અને ખામનાથ મહાદેવને દર્શને જઈ પોતે ચડાવે. ઘણા દિવસો તો રોજના હજાર બીલીપત્રો ભાવથી ચઢાવતો ચન્દ્રકાંત કથા સાંભળવાનો જબરો શોખીન. એકાગ્રતા એવી કે કથાકારો એને શુકદેવજીનું ઉપનામ આપે! કૉલેજમાં ગયા પછી ચન્દ્રકાંતને ભગવાનના સ્થાને પ્રકૃતિને કે વિજ્ઞાનને મૂકવાની ઇચ્છા થઈ ત્યાં સુધી એ ભક્તિસભર.
દાદા-દાદી પાસેથી શિક્ષણ અને સંસ્કાર મળ્યાં. પરંપરાગત સંયુક્ત બ્રાહ્મણ કુટુંબ. દાદા કાપડના પ્રસિદ્ધ વેપારી. બાળપણ વખતે તો જાણે silver spoon in the mouth. દાદાને મિલ્કતો ખરીદવાનો શોખ. નાગરપાડામાં મકાનોનું એક આખું સંકુલ લીધેલું. એમાં સ્થળાંતરિત થયા પછી ત્રણ કાકાઓ ત્યાં જ અલગ મકાનમાં ગોઠવાયા. દાદાને પ્રાણીઓ પાળવાનો શોખ. ગાય-બળદ-ઘોડા. નાની અશ્વશાળા ઘરમાં, ઘોડાગાડી ઘરમાં. એક સાથે બે ઘોડા જોડી શકાય એવી ગાડી માજોલી”માં નિશાળે જવાનું ચન્દ્રકાંતે, નિશાળ નજીક હતી તો પણ! ઘરમાં ગ્રંથો પુષ્કળ ચન્દ્રકાંતના સુંદરકાંતના બધા જ ખંડો, ભગવદ્ગીતા, રામચરિતમાનસ, યોગ વિષેના ગ્રંથો. વાચનની ટેવ દાદાએ પાડી. નાગરપાડામાં નાગરોના સંસ્કારો મળ્યા. રોજ રાત્રે દાદાએ શીખવેલ પદ્ધતિસર રામચરિતમાનસ ચન્દ્રકાંતે જાહેરમાં વાંચવાનું. ચોપાઈ, સોગઠા ગાઈને! નજીકમાં નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર. તેની પૂજાવિધિ જોવાની. કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં નાગર યુવકો ત્રિપુરાસુરનું દહન કરતા. ત્યાં સંન્યાસી રહેવા આવે તો તેને ભોજન દેવા જવાનું. આ રીતે લક્ષ્મી હતી ત્યાં શ્રી—સરસ્વતીનું આગમન થયું.
પિતાજી ધંધામાં. માતાજી બાળકોનાં ઉછેરમાં. એટલે એ બન્નેએ શિક્ષણ આપ્યું એવું ન બન્યું. કડક પિતાજીનો ડાહ્યો દીકરો ચન્દ્રકાંત. પિતાની ઇચ્છા તો IAS બનાવવાની હતી, પણ પોતાની ખ્વાઈશ તો ડૉક્ટર થવાની હતી! પણ થયા શિક્ષકોના શિક્ષક. જીવનને વળાંક આપે તેને જ નિયતિ કહેવાય ને? દાદાની શાખ કે ધાક કેવી, ખબર છે? આ કુટુંબના મુંબઈના કોઈ મહેમાન અહીંથી પસાર થતાં હોય તો તેને ચા-નાસ્તો ન કરાવી લઈએ ત્યાં સુધી ટ્રેન અહીં રોકી રખાતી! કેશવજીભાઈના મહેમાન છે ને પછી?! ચન્દ્રકાંત એકથી ચાર ધોરણ ભણ્યા ભાટિયાઓનાં દાનથી બનેલ ‘બટુભાઈ રતનશી ધનજી વીરજીયાણી તાલુકા શાળા નં. ૨’માં. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક હતા પ્રભાશંકરસાહેબ. બધા છોકરાવ પાસે બોર્ડમાં એક શબ્દ જ લખાવે. બધાએ લખ્યું : ‘રબડ.’ એક માત્ર ચંદ્રકાંતે લખ્યું: ‘રબ્બર! વર્ગમાં માન તેનું કારણ આ. શિક્ષકો બિનતાલીમી ખરા પણ કામને સમર્પિત. તૈયાર કરીને સમજીને પછી જ શીખવે. રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું ત્યારે, જો કે, ચન્દ્રકાંતને એ બહુ આવડતું ય નહીં ને ફાવતું ય નહીં. જામખંભાળિયામાં ત્યારે મિડલ સ્કૂલ હતી, સ્ટેશન રોડ પર, ખૂબ સુંદર મકાન (આજે ય છે ત્યાં જ). જેનો એક હાથ કાંડા ઉપરથી કપાયેલો હતો તેવા શિક્ષક કાંતિલાલ દવે આજે પણ ચન્દ્રકાંતભાઈની નજર સામે છે. છઠ્ઠું ધોરણ. ભૂગોળ ભણાવે અને ભૂગોળ તો પહેલેથી કંઠસ્થ. મિત્ર જેઠો બાજુમાં. ચન્દ્રકાંતે નોટમાં મોટું ચિત્ર ઇલેક્ટ્રિક કંપનીનું દોર્યું. બન્નેએ હરખાતાં તેમાં નામ આપ્યું: ‘ઓઘો ઍન્ડ ગોધો ઇલેક્ટ્રિક કંપની! કાંતિલાલ જોઈ ગયા. બન્નેને આવા હાથે ય ગરદનથી પકડી આગળ લાવ્યા ને નોટ ક્લાસને દેખાડી કહ્યું: ‘જુઓ, આ ઓઘો અને ગોધો અને આ એની ઇલેક્ટ્રિક કંપની!” માર્યા નહીં પણ ખિજાયા જરૂર. એક મિત્ર તનસુખ મહેતા ખૂબ હોંશિયાર. પહેલો જ આવે. છઠ્ઠા ધોરણમાં ચન્દ્રકાંતે તેને ચેલેન્જ મારી પહેલો નંબર લીધો. પણ એક જ વાર, પછી તો છેક સુધી તનસુખ મોખરે રહ્યો. પછીથી આ તનસુખ મહેતા રાજકોટની કોઈ કૉમર્સ કૉલેજમાં પ્રતિભાશાળી અધ્યાપક બન્યાનું ચન્દ્રકાંતભાઈએ સાંભળેલું.
પોતાની ઇચ્છા ડૉક્ટર થવાની એટલે રાખ્યા વિજ્ઞાનના વિષયો અને પ્રથમ વર્ગમાં મૅટ્રિક પાસ થયા. પણ વૅકેશનમાં ટાઈફૉઇડ થયો. ઘરમાં કોઈને કાંઈ પ્રવેશની ચિંતા ન હતી. સાજા થઈને ગયા ડી. કે. વી. સાયન્સ કૉલેજ, જામનગર. પ્રિન્સિપાલ જે. બી. શાંડિલ્યસાહેબે કહ્યું: ‘તારા માટે જગ્યા ઉપરથી પાડું? બધી જગ્યા ભરાય ગઈ છે. જાવ, આવતા વર્ષે આવો…”કુટુંબ ઘસાયું હતું. આર્થિક ભીંસ શરૂ થઈ હતી. પ્રશ્ન થયો: ‘એક વર્ષ બગાડવું કે આર્ટ્સમાં જતા રહેવું?” દ્વારકામાં નવી કૉલેજ શરૂ થતી હતી. તેમાં પ્રવેશ મળે તેમ હતો. પણ આર્થિક બોજાનું શું? પણ ત્યારે દ્વારકામાં શંકરાચાર્ય તરીકે અભિનવ સચ્ચિદાનંદતીર્થ મહારાજ હતા. એમણે સંસ્કૃત એકેડેમી શરૂ કરી કારણ એમને વિદ્યા અને સંસ્કૃત માટે આદર હતો. સવારના કૉલેજમાં અને બપોરના સંસ્કૃત એકૅડેમીમાં જે વિદ્યાર્થી ભણે (૧) તેની ફી ન લેવી (૨) હૉસ્ટેલની ફી ન લેવી (૩) માસિક રૂ. ૩૫/- શિષ્યવૃત્તિ આપવી એવી યોજના મહારાજે જાહેર કરી. આને લઈને ચન્દ્રકાંતભાઈની મૂંઝવણ ગાયબ થઈ ગઈ. ફૂડબિલના રૂપિયા ત્રીસ શિષ્યવૃત્તિમાંથી ભરવાના, આર્ટ્સ કૉલેજમાં સ્નાતક ભણવાનું અને વિશેષમાં સંસ્કૃતમાં શાસ્ત્રીય પદ્ધતિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એમાં પણ ભાષાશાસ્ત્રી વિદ્વાન ટી. એન. દવે લંડનથી આવેલા અને તેને મહારાજે અહીં રોકી લીધેલા, તો બિહારના વ્યાકરણાચાર્ય શોભાનંદ ઝા પાસે સંસ્કૃતનું પાયાનું જ્ઞાન મેળવવામાં ચન્દ્રકાંતભાઈ મશગૂલ થઈ ગયા. એસ.વાય.બી.એ. સુધી આમ ચાલ્યું ત્યાં જીવનનો કપરો વળાંક સામે આવ્યો. માત્ર તેંતાલીસ-ચુમાલીસ વર્ષની વયે પિતાજીએ વિદાય લીધી. બા, ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોની જવાબદારી આવી ગઈ. અચાનક કાકાએ કહ્યું: ‘ચન્દ્રકાંત, હવે નોકરી શોધી લો ને કુટુંબની જવાબદારી ઉપાડી લો.’ દ્વારકાનાં બન્ને ભણતર અધૂરાં છૂટ્યાં. ભાણવડ તાલુકાનું વેરડ ગામ. ત્યાંની શાળામાં લેખિત પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ. સરપંચ હોંશિયાર અને અનુભવી, કલ્યાણસંગ વીરજી જાડેજા. એકવીસ વર્ષના ચન્દ્રકાંત ભોગાયતા અંકગણિતના શિક્ષક થયા. કુટુંબને વેરડ લાવ્યા. બીજા પગારમાંથી ટી.વાય. ઍક્સટર્નલની ફી ભરી, પુસ્તકો લીધાં. સરપંચશ્રીએ ચાલુ પગારે રજા આપી, ફી અને ચોપડીના નાણા આપ્યા ને ગુજરાતની તે સમયની ખ્યાતનામ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજમાં B.Ed. કરવા મોકલ્યા. સરપંચની શરત એટલી કે પ્રથમ વર્ગ લાવવાનો! લગ્ન પછી બી.એડ્. શરૂ કર્યું અને ત્યાં જ પ્રથમ લક્ષ્મીજી પણ પધાર્યાં.
શિક્ષક થયાના પાંચ વર્ષ પછી B.Ed. કર્યું છતાં આ વર્ષ જીવનનું ઉત્તમોત્તમ વર્ષ ચન્દ્રકાંતભાઈ લેખે છે. પ્રિન્સિપાલ મહેશભાઈ વૈષ્ણવ. ‘પ્રથમ દિવસે તેઓ નોટિસબોર્ડ પર સમયપત્રક ચોંટાડતા હતા. હું ત્યાં ઊભો રહી જોતો હતો. થોડીવાર પછી વિનયપૂર્વક તેમની અનુમતિ લઈ મેં કહ્યું: ‘સાહેબ, આપે આમાં બે શબ્દોનો ખોટો ઉપયોગ કર્યો છે. પૂર્વાનહ એટલે સવાર; અપરાનહ એટલે બપોર પછી. સમય આધારિત આ બે શબ્દો વાપરવામાં અદલાબદલી થઈ ગઈ છે.” એમણે તો કાગળો ઉતારી લીધા ને ઓફિસમાં જતા રહ્યા. RGT કૉલેજની પ્રાર્થના એટલે શણગાર. પ્રાર્થનામાં તે દિવસે જ્યારે પ્રાચાર્યશ્રી બોલવા ઊભા થયા ત્યારે એમણે જાહેરમાં કહ્યું : ‘આજે ગુરુ શિષ્ય બન્યો ને શિષ્ય ગુરુ! આજે કેવડી મોટી ભૂલ થઈ જાત? સવારવાળી ઘટના ભાવથી વર્ણવી મને મોટો કરી દીધો! પોતાના માટે સવારે ચા બનાવે ત્યારે હું રૂમમાં વાંચતો હોઉં તો ત્યાં મને ય ચા આપી જાય! હું B.Ed.માં યુનિ.માં પ્રથમ આવ્યો. મહેશભાઈએ બધાંને પત્ર લખ્યો: સ્થાપનાનાં સોળ વર્ષે કૉલેજનો કોઈ તાલીમાર્થી યુનિવર્સિટી પ્રથમ આવ્યો. કૉલેજ તરુણ વયમાં પ્રવેશી ત્યારે જ ઊંચકાઈ ગઈ…….’ ચન્દ્રકાંતભાઈએ ત્યાંથી M.Ed. પણ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે કર્યું. પછી ડી. કે. વી. જામનગરમાંથી M.A. ગુજરાતી સાથે કર્યું. ગુલાબદાસ બ્રોકરના પિતાના નામનો સુવર્ણચંદ્રક પણ મેળવ્યો. તેમનો સ્વભાવ કે જે ભણાવવું હોય તે પહેલાં ભણવું, તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક ભણવું. M.A. શરૂ કરતાં પહેલાં સંદર્ભસૂચિ તૈયાર કરી પ્રાધ્યાપક લાભશંકર પુરોહિતને ઘરે જઈને બતાવી પૂછ્યું: શું આ પુસ્તકો પૂરતાં છે? શ્રી લાભશંકરભાઈ સાનંદાશ્ચર્ય વિદ્યાના સાચા અર્થી સામે જોઈ રહ્યા! ૧૪ વર્ષ વેરડમાં માધ્યમિક શિક્ષક; એક વર્ષ જામવણથલી હાઈસ્કૂલમાં આચાર્ય; પાંચ વર્ષ માધ્યમિક શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગરમાં વ્યાખ્યાતા; પાંચ વર્ષ શિક્ષણશાસ્ત્ર ભવન — ભાવનગરમાં અધ્યાપક; પાંચ વર્ષ ત્યાં જ રીડર અને અગિયાર વર્ષ ત્યાં જ પ્રાધ્યાપક હેડ અને શિક્ષણ વિદ્યાશાખાના ડીન રહ્યા ચન્દ્રકાંત ભોગાયતા! ભાવનગર આવ્યા ને લાઇબ્રેરી સાથે ગાઢ નાતો ફરી બંધાયો. લાઈબ્રેરિયન “હોવાથી” નહીં, પણ લાઇબ્રેરિયન ‘હોવા છતાં’ જબરી વાંચનની ટેવવાળાં ઉષાબહેન બુચે પુસ્તકાલય નામનો વારસો જાણે ચન્દ્રકાંતભાઈ માટે શોધી આપ્યો! યુનિવર્સિટીના ભવનાધ્યક્ષ થયાથી તો તેમના માટે આંતરરાષ્ટ્રીય જર્નલ્સની રત્નોની ખાણ ઉપલબ્ધ થઈ. ચન્દ્રકાંતભાઈ કહે છે: ‘આંતરરાષ્ટ્રીય સામયિકો પાછળ હું પાગલ છું. તમે એના અભ્યાસ વિના ક્યારેય પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી સંસ્થાને લાવી શકો જ નહીં, એવું મારું દૃઢ માનવું છે.”
સંશોધનની શિસ્તના ધોરણો પાળવામાં કડક ગણાતા એ સમયના ધૂરંધર સંશોધક ડૉ. હરિભાઈ દેસાઈ પાસે Ph.D. કરવા માટે રજૂઆત કરતો ત્રીસ પાનાંનો નિબંધ લખી મોકલેલો. ચન્દ્રકાંતભાઈને જવાબમાં રજિસ્ટ્રેશનનું ફૉર્મ મોકલી સાથે લખ્યું: ‘આ લેખ કોઈ ઉત્તમ સામયિકમાં છપાવા માટે મોકલો. ‘What is what? ની સ્પષ્ટતા માર્ગદર્શક ડૉ. રવીન્દ્ર દવેમાંથી ડૉ. હરિભાઈ દેસાઈમાં ઊતરીને, તેમના શિષ્ય ચંદ્રકાંત ભોગાયતામાં સ્થાયી થઈ! અરે, આજે સિત્તેર વર્ષ નજીક પહોંચેલા ચન્દ્રકાંતભાઈને કોઈ પણ ગાઈડ કે સંશોધક પત્ર લખીને પોતાનું Ph.D.નું માત્ર શીર્ષક જણાવે ત્યાં તેઓ વરસી પડે. સુઘડ—મોહક અક્ષરોમાં લગભગ પૂરેપૂરાં સંશોધનની રૂપરેખા અને કાર્યપદ્ધતિ crystal clear કરીને દસેક પાનમાં મળી જ સમજો! શ્રી હરિ ઓમ આશ્રમ શ્રેષ્ઠ સંશોધક ઍવૉર્ડ બે વખત મળ્યો છે! સોળ સંશોધકોને ડૉક્ટરેટનું માર્ગદર્શન, ૩૮ રીસર્ચ પેપર્સ, ૮૦ અભ્યાસ લેખો, સાત પુસ્તકો આપનાર ચન્દ્રકાંતભાઈ ભોગાયતાએ ચિંતનાત્મક અધ્યાપન’ના ખ્યાલને ભારતમાં રમતો મૂક્યો છે. પોતે જે માને છે તે જ સ્પષ્ટ અને મૃદુતાથી કહેવાનું અને તેનાં માઠાં પરિણામો આવે તો ભોગવવાનાં,” આ સિદ્ધાંતના સ્વામી ડૉ. ચન્દ્રકાંત ભોગાયતાએ પોતાનાં કુટુંબને ગિજુભાઈની બાળવાર્તાઓ નાટકના અભિનયથી ભજવતું કર્યું છે. BITS, મિલાનીમાં દીકરો ભણતો હતો ત્યારે ત્યાં પણ કૂતરાને દૂધ પાતો નિયમિત! શિક્ષણ-સંશોધનના સાધક સંવેદનાના ઉપાસક છે…
by Bhadrayu Vachhrajani | May 25, 2025 | સ્વૈર વિહાર - મધુવન |


સવારે અને બપોર પછી દોઢ–દોઢ કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં ન્હાવું ! એમણે લખ્યું છે કે, મારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી.
બન્યું એવું કે 1945માં એટલે કે લગભગ ઓશોના ઉંમરના 14માં વર્ષે સાત દિવસ એમનેએમ કાઢ્યા પણ મૃત્યુની પ્રતીક્ષા માટે.
એમના પહેલા એમની બહેનનું અવસાન થયું હતું, જે એમને બહુ વ્હાલી હતી. 11 ભાઈ-બહેન માંથી એક બહેન હતી. 11 ભાઈ-બહેન હતા જો કે, એની એમણે તો મજાક ઉડાડી છે અને ઓશોના પપ્પાને કહ્યું છે કે, “એક શું કામ બાકી રાખ્યું? બીજું એક બાળક આપો તો આપણે ડઝન બોલીએ તો સારું લાગે. આ 11 બાળકો બોલવામાં સારું નથી લાગતું.!!:” તો એ ડઝન માંથી અગિયાર અને અગિયાર માંથી એક ઓછું થયું. એનાથી એને મૃત્યુનો પહેલો અહેસાસ થયો.
21મી માર્ચ 1953 એ એને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનું ડીક્લેરેશન જાહેરમાં એમણે 20 વર્ષ પછી મૂક્યું છે, તાત્કાલિક નથી મૂક્યું. ગામડાંની અંદર રહેતા હતાં ત્યારે એને એટલો બધો લગાવ હતો પ્રકૃતિ સાથે, કે મને અને તમને કલ્પના ન આવે. સવારે અને બપોર પછી દોઢ-દોઢ કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં ન્હાવું ! એમણે લખ્યું છે કે, મારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી. કારણ કે અમે લોકો નદીમાં પડેલા કાયમ જોવા મળતાં હતા. કેટલીક વિચિત્ર બાબતો ઓશોના જીવનમાં જોવા મળે છે. રોજ રાત્રે સુતા પહેલા મીઠાઈ ખાવી જ પડે .. ખાવી એટલે ખાવી જ.. ના હોય તો લાવવી પડે. અને ન ખાય ત્યાં સુધી ઊંઘ ન આવે, આવી ટેવ પણ એને હતી. ધીમે-ધીમે કરતાં 1951 થી 56 સુધીમાં એમણે યુનિવર્સીટીના વિદ્યાર્થી તરીકે ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું ફિલોસોફી વિષય સાથે.. બહુ પરિચિત વાત છે કે, ઇન્ટર યુનિવર્સીટી ઇલોક્યુશન કોમ્પીટીશન સાગર યુનિવર્સિટીમાં યોજાતું હતું. એ વાદ-વિવાદ સ્પર્ધા માં એક વ્યક્તિની હંમેશા જીત જ હોય અને એ યુવાન નંબર વન હોય. પણ એક વખત એક ખાદીધારી સાધુ જેવો લાગે એવો છોકરો જબલપુર કોલેજમાંથી આવ્યો અને બધાને લાગ્યું કે, આ છોકરો શું બોલશે પણ એ એવું બોલ્યો કે નિર્ણાયકો પણ દંગ રહી ગયા અને એ વખતે એને પહેલું પારિતોષિક મળ્યું. જે વિદ્યાર્થી સતત સતત ત્રણ પ્રથમ આવ્યો તેનું નામ રજનીશ હતું. આપણને આશ્ચર્ય થાય તેવું યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલરે કહ્યું. એમણે સાગર યુનિવર્સીટીના ફિલોસોફીનાં વડા એસ.એસ.રોયે એને કહ્યું કે, તમે આ છોકરો માસ્ટર્સ કરવાં આપણે ત્યાં આવે એવું ગોઠવો. સાથે હું કહી દઉં કે, સાગર યુનિવર્સીટી એ હરિસિંહજી ગૌડ નામનાં એક બહુ મોટા કંજૂસે શરુ કરી હતી. કંજૂસ એટલા માટે કે, એમણે એ સમયમાં before independence 100 કરોડ રૂપિયા ભેગા કર્યા હતાં. અને જીંદગીભર એણે 100 કરોડ માંથી એકેય પૈસો વાપર્યો જ નહીં. પણ છેલ્લા દિવસોમાં એમણે કીધું કે, આ 100 કરોડમાંથી એક એવી યુનિવર્સીટી બનાવો કે જગતમાં એનું નામ રહે. અને એ યુનિવર્સીટી બની એ સાગર યુનિવર્સીટી થઈ. અત્યારે એ સેન્ટ્રલ યુનિવર્સીટી છે. અદ્ભૂત યુનિવર્સીટી છે. બન્યું એવું કે, આખા ભારતમાંથી હરિસિંહજી ગૌડે 100 જેટલા અધ્યાપકોની નિમણુંક કરી લીધી અને તેઓને રહેવા બોલાવી લીધા. વિદ્યાર્થીઓ તો હતા નહીં. મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, છ મહિના પછી બધા અધ્યાપકો હરિસિંહજી પાસે ગયા કે, હવે અમે શું કરીએ? એકેય વિદ્યાર્થી તો છે નહીં !! એમણે સરસ જવાબ આપ્યો કે, તમે આટલા હોંશિયાર છો એટલે તમને ખાસ શોધી શોધીને બોલાવ્યા છે. તમને જોઈને વિદ્યાર્થીઓ આવશે. હવે પ્રયત્ન કરો તમે તમારી રીતે. ચિંતા ના કરો, બધાને પગાર મળશે. આ હરિસિંહજી ગૌડ પોતાની પાસે ઓછામાં ઓછા સાડા ત્રણ લાખ પુસ્તકોની લાઈબ્રેરી ધરાવતા હતા. આજે પણ તમે જો સાગર યુનિવર્સીટીમાં જાઓ તો એના નામની જુદી લાઈબ્રેરી છે, જે પોતે ડોનેટ કરેલી છે. Sagar university is considered to be the best library university in india. (મને આનંદ એ વાતનો છે કે, એ યુનિવર્સીટીમાં નેકનાં એક્રેડિટેશન ટીમમાં મેં મેંમ્બર સેક્રેટરી તરીકે કામ કરેલું અને મને ત્યાં નિરાંતે રહેવાનું મળ્યું.
આ સાગર યુનિવર્સીટીમાં હરિસિંહજી ગૌડે કહ્યું કે, પ્રોફેસર રોય, તમે પ્રયાસ કરો, આવતે વર્ષે આ છોકરો આવે તો એને રોકી લો, તમારે ઘરે ઉતારો, એને સમજાવો કે અહીં માસ્ટર્સ કરવા આવે જ આવે. એસ.એસ. રોય એક authority હતા. ફિલોસોફીનાં લોકો એને સુપ્રીમ કોર્ટ માનતા. રોય સામે કાંઈ બોલાય નહિ, રોય કહે તે ફાઇનલ. છતાં એને લાગ્યું કે વાત તો સાચી છે. આવો બ્રિલિયન્ટ છોકરો આપણે ત્યાં રહે. એટલે એમણે રજનીશને કીધું કે ભાઈ તું મારે ઘરે રહેજે. એટલે રજનીશે કહ્યું કે, મને ખબર છે કે કદાચ તમારે મને આ યુનિવર્સીટીમાં દાખલ કરાવવો છે એટલે તમારે ઘરે લઈ જાઓ છો. એણે કીધું કે, એવું નથી તો કહે એવું જ છે, મને દેખાય છે…Agree કર્યું, લઈ ગયા, પછી એણે કહ્યું કે, તું અહીં ભણવા આવ. આવતા વર્ષે માસ્ટર્સ કરવાં અહીંયા આવ. એટલે ઓશોએ કહ્યું કે, તમે મારા વિષે વાતો સાંભળી હશે. હું બહુ વિદ્રોહી માણસ છું. હું જ્યાં જાઉં છું ત્યાં લોકોને શાંત નથી રહેવા દેતો. તો જવાબ મળ્યો કે, મને ખબર છે બધી, છતાં તને બોલાવવો છે. તો કહે,… તો વાંધો નથી. એમણે આ સંવાદ દરમિયાન જાણ્યું કે, રોય સાહેબે પી.એચ.ડી. માં શેના પર વર્ક કર્યું ?? અને પ્રોફેસર રોય ચેતના અને ચૈતન્યનાં વિશ્વનાં બહુ મોટા સ્ટાર હતા..!! જયારે એણે જાણ્યું કે, આ મહાશય ચૈતન્યનાં બહુ મોટા ધુરંધર છે. ત્યારે રોય સાહેબે કહ્યું કે, હું તને મારી થીસીસ આપું, તું જોઈ જા. તરત જ જવાબ મળ્યો કે, શરત છે મારી, લઈ જાઉં પણ એમાં જ્યાં મને ભૂલ લાગશે ત્યાં હું લખીશ. શું ભૂલ છે એ પણ લખીશ અને શું સાચું છે એ પણ બાજુમાં લખીશ. એટલે તમે મને આપવાનું રહેવા દ્યો. તો કહે, ના લખજે, ચિંતા ના કર, પણ તું લઈ જા.આવી રીતે એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ને પોતાની યુનિવર્સીટીમાં આમંત્રણ આપીને રાખવામાં આવ્યા એ 1951 થી 56 સુધીનો પિરિયડ છે.
1956 થી 1970 સુધી રજનીશ ફરતાં રહ્યા, પ્રોફેસર રહ્યા. જાહેર પ્રવચનો એમણે શરુ કર્યા. જાહેર પ્રવચન શરુ કરાવનાર ગુજરાતનાં લોકો હતા. ગુજરાતનાં લોકો એટલે વેપારી માઇન્ડનાં હોય. એ એને મળવા ગયા કે, તમે બહુ સારા પ્રવચનો કરો છો, ગુજરાત આવો. અમે તમારા 10 દિવસ પ્રવચન ગોઠવીએ. તો ઓશોને થયું કે, પૈસાની તો જરૂર છે તો ચાલો જઈએ. એટલે 10 દસ દિવસ ગયા. અને બધા ગુજરાતનાં વેપારીઓએ કહ્યું કે રોજના અમે તમને દસ હજાર આપશું. તો કહે કાંઈ વાંધો નહિ. દસ દિવસ કે સાત દિવસ જાઉં તો તો 70 થી 1 લાખ મળે. ઘણું આટલું તો.. …પણ આવ્યા પછી એને ખબર પડી કે ભાઈ, આ ગુજરાતનાં લોકો છે. એટલે લોકોએ મને દસ હજાર આપ્યા છે અને પોતે તો લાખો બનાવ્યા છે. કારણ કે ટિકિટ સાથેનો પ્રોગ્રામ. એ એવા અલગારી હતા કે પૂછવાનું કારણ નોહ્તું કે શું છે. જઈને આંખો બંધ કરીને ‘આપકે અંદર બિરાજમાન પરમાત્મા કો મેં વંદન કરતા હું…’ કહીને શરુ કર્યું. અને છેલ્લે આ જ રીત એણે પૂરું કર્યું. પછી એને ખબર પડી કે જો ગુજરાતનાં લોકો મને બોલાવીને પૈસા રળી શકતા હોય તો હું પોતે જ પૈસા લઈને ભાષણ આપવાની શરૂઆત કરું તો શું વાંધો ? ત્યારથી એના માઈન્ડમાં Institutionalization of his life ની શરુઆત થઈ.
તમને આ વાત કદાચ કોઈ પુસ્તકમાં ન મળે તો એમના એક સહપાઠી છે એમણે પોતે એક મુલાકાત આપી છે. બહુ જ અદ્ભૂત મુલાકાત છે. સાંભળવા જેવી છે. એ પણ મોટા સાહિત્યકાર છે અને એ આ વાત કરે છે. how he started was this things.
… 1956 થી 70 સુધી રાયપુરની સંસ્કૃત યુનિવર્સીટીમાં રહ્યા પછી જબલપુરની યુનિવર્સીટીમાં ફિલોસોફી ભણાવ્યું, 1962માં એમણે ધ્યાન કેન્દ્ર પહેલું શરુ કર્યું અને એને ‘જીવન જાગૃતિ કેન્દ્ર’ એવું નામ આપ્યું. એણે એમ કહ્યું કે દુનિયામાં 112 ધ્યાનની વિધિઓ છે અત્યારનાં ધ્યાન કરનારા લોકો ધ્યાન શું છે તે સમજતા નથી. એટલે એનો વૈજ્ઞાનિક અભિગમ સમજાવવો એ મારું કામ છે. and he started like that… સરસ મજાની શરૂઆત થઈ 1964ના જૂનમાં રાણકપુર ધ્યાન શિબિરમાં અને એ ધ્યાન શિબિરે એને પાક્કે-પાક્કી રીતે યોગ અને ધ્યાન તરફ વાળી દીધા. ધ્યાનની પદ્ધતિ ઉપર એમણે જે પ્રવચનો આપ્યા એ પહેલી વખત રેકોર્ડ થયા. એ પહેલા એનું રેકોર્ડીંગ થતું નોહ્તું. અને એ રેકોર્ડ થયું પછી એનું તાત્કાલિક કામ પૂરું થયું પછી ‘સાધના પથ’ નામની પુસ્તિકા એ લોકો દ્વારા જ પબ્લિશ કરવામાં આવી.
રાણકપુરની શિબિર શા માટે માઈલસ્ટોન કહેવાય છે? એમણે ત્રણ સૂત્રો આપ્યા, અને એ સૂત્રો લોકોને બહુ સ્પર્શી ગયા.
સૂત્ર પહેલું : વર્તમાનમાં જીવવું,
સૂત્ર બીજું : સહજતાથી જીવવું અને
સૂત્ર ત્રીજું : એકલા જીવવું.
અને એમણે સમજાવ્યું કે એકલા જીવશો તો સહજતાથી જીવી શકશો. અને સહજતાથી જીવી શકશો તો વર્તમાનમાં જીવી શકશો. આ ત્રણ સૂત્રો ભારોભાર ચાલ્યા બજારમાં. 1966 માં એણે ‘જ્યોતિ શીખા’ ત્રિમાસિક શરુ કરાવ્યું. અને પોતે રજનીશ માંથી self acclaimed આચાર્ય રજનીશ બન્યા. ધ્યાનની વાત શરુ કરી એટલે લોકો ગુરુપદ ઝંખવા લાગ્યા. એટલે એણે પોતાની જાતને આચાર્ય રજનીશ કહેવાની શરૂઆત કરી. ઓશોના જીવનમાં બહુ સારું છે કે એમણે કોઈ કાંઈ કહે એની રાહ જોઈ જ નથી. પોતે જ ડિક્લેર કર્યું કે, હું કાલથી આચાર્ય રજનીશ. એવું પછી પણ બન્યું કે હવે કાલથી તમે બધા રોબ પહેરજો . પછી એણે કીધું કે, હવે બધા રોબ કાઢી નાખજો. એણે એક જગ્યાએ કહ્યું છે કે, ‘તમારું મૂલ્ય અન્ય કોઈ કરે એની રાહ જોવા રહેશો તો સાત ભવમાં વારો નહિ આવે’. (ક્રમશ)
by Bhadrayu Vachhrajani | May 18, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“તમારામાં અને મારામાં ફર્ક છે, કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો.”
આજથી આપણે સમાજ સામે અને સમાજ માટે જેમણે અનેક પ્રશ્નો ઊભા કર્યા અને એ પ્રશ્નો પોતાના કાળ દરમિયાન તેમણે ઉત્તરિત કર્યા એવા એક વિરલ વ્યક્તિત્વ વિશે વાત કરવી છે. એ હતા ત્યારે વિદ્રોહ જગવવા માટે ખ્યાત હતા અને નથી ત્યારે પણ એનો વિદ્રોહ શરુ છે. આવા “સદા કાળ ગુજરાત”ની જેમ સદા કાળ વિદ્રોહી જેને સૌ ઓશો કહીને ઓળખે છે. એ કહેતાં આનંદ થાય છે કે, હું તેર વર્ષની ઉંમરથી તેઓશ્રી સાથે સંકળાયેલો છું.
જાન્યુઆરી 1990 ની 19મી તારીખ તેઓની વિદાય, 35 વર્ષ જેમના ગયા પછી પણ તેમના વિશે વાત કરીએ છીએ ત્યારે ફિલ્મની જેમ મારે ફ્લેશબેકમાં જવું પડશે.
1990ની 19મી જાન્યુઆરી ની સાંજ,, લગભગ પાંચ કે સવા પાંચ વાગ્યાનો સમય. ઓશો બીમાર છે અને પથારીવશ છે. એની નજીકમાં ત્રણ કે ચાર જ લોકો બેઠા હતા. એમને તપાસનાર તબીબ નજીકમાં હતા અને એમના નાડીના ધબકારા ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે, તેને તેઓ માપી રહ્યા હતા. એક ક્ષણ આવી કે, જ્યારે એમ લાગ્યું કે હવે ઓશો વિદાય લેશે ત્યારે ઓશો જાગૃત અવસ્થામાં ડોક્ટરને પૂછે છે કે, ‘ઈઝ ઈટ ડેથ ??’ ડોક્ટરે હા પાડી અને ઓશોએ દેહ છોડી દીધો. જીવનને ઉત્સવ તરીકે ઉજવનારા આ વ્યક્તિવિશેષના આદેશ પ્રમાણે અને પહેલેથી કરી રાખેલ બધી જ તૈયારીઓ પ્રમાણે તેમના દેહને બુદ્ધહોલમાં લઈ આવવામાં આવ્યો અને ત્યાં ઓશો પ્રેમીઓએ બુદ્ધના આ પૃથ્વી ઉપરથી જવાનો ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ એટલે કલ્પના ન કરી શકીએ તેવો !! એમની યાદમાં છેક શ્મશાનગૃહ સુધી રંગો ઉડાડતા અને ખૂબ નાચતાં કુદતા અને આનંદ સાથે..
આવા વિરલ બુદ્ધપુરુષ ના જીવન વિષે આપણે વિગતે વાત કરીએ. જેમણે સ્કૂલ લાઈબ્રેરી આખે આખી સ્કૂલમાં વાંચી કાઢેલી ! સ્કૂલમાં હતા ત્યારે એના ઘરમાં 1000 થી વધુ પુસ્તકો હતા. આખા જીવન દરમિયાન એમણે કશું જ લખ્યું નહિ છતાં આજે પણ દર એકાંતરે એમના વિશે એક પુસ્તક વિશ્વમાં ક્યાંકને ક્યાંક બહાર પડે છે. સૌથી વધુ ભાષાઓમાં તે પુસ્તકોનો અનુવાદ થયો છે. જેમણે પોતાના જીવનકાળ દરમિયાન એક લાખ 50 હજારથી વધુ પુસ્તકો વાંચ્યા છે અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અન્ડરલાઇન કરી છે !! અને પહેલા પાના ઉપર પોતાની એક લાંબી વિચિત્ર લાગતી સિગ્નેચર કરી છે !! જે વ્યક્તિએ લગભગ લગભગ 480 જેટલા વિષયોને સ્પર્શ કર્યો છે અને જેમના માટે એમ કહેવાય કે, એમના વક્તવ્યો જ્યારથી રેકોર્ડ થવા લાગ્યા ત્યારથી લગભગ લગભગ સાડા ત્રણ હજાર કલાકનું એમના ઓડિયો અને દોઢ હજાર કલાક નો વિડીયો કલેક્શન આજે આપણી પાસે ઉપલબ્ધ છે !! આવી અકલ્પનીય વ્યક્તિ જ્યારે વિદાય લે ત્યારે આપણે લોકો 35 વર્ષે પણ જાણે ગઈકાલે જ વિદાય લીધી હોય એમ યાદ કરીએ છીએ.
ઓશોના સ્મરણ સાથે મારી વાતની શરૂઆત કરું. આપણે જરા ઝડપથી યાત્રા જોઈશું કારણ કે, લગભગ લગભગ સાત સમુંદર ભેગા કરો અને જેટલું થાય એટલા વિપુલ પ્રમાણમાં ઓશો જીવનની વાતો છે. એથી પ્રશ્ન એ છે કે કઈ વાતને સ્પર્શ કરવો અને કઈ વાત છોડી દેવી ? હું આપનું ધ્યાન દોરું કે “મુક્ત ગગનનું મસ્ત પંખી” પુસ્તક વિશે આજે વાત કરી રહ્યો છું એ પુસ્તક તેમણે લખ્યું નથી. એમના વિવિધ પ્રવચનના અંશોમાંથી ક્રોનોલોજીમાં ગોઠવવામાં આવ્યું અને આ પુસ્તક તૈયાર થયું. જેમ “સત્યના પ્રયોગો”માં ગાંધીજી નું આખું જીવન આવતું નથી, એમના શરૂઆતના કાર્યોની વાત આવી પણ જેને આપણે માઈલસ્ટોન કહીએ તેવી વાતો બાકી રહી ગઈ છે. તે જીવન વિષે ઘણાએ અલગથી લખ્યું છે. નારાયણ દેસાઈએ તો ચાર ભાગમાં “મારું જીવન એ જ મારી વાણી” માં ઘણું બધું આવરી લીધું છે. એ રીતે આ પુસ્તક જેને આપણે “મુક્ત ગગનનું મસ્ત પંખી” કહીએ છીએ કે જે “ઓટોબાયોગ્રાફી ઓફ સ્પિરિચ્યુઅલી ઈન કરેક્ટ મિસ્ટિક” પુસ્તકનું ગુજરાતી છે અને સ્વામી સત્ય પ્રકાશજીએ એનું ગુજરાતી કર્યું છે અને મા યોગ કુન્દને એનું પ્રકાશન કર્યું છે, આ પુસ્તક ખરેખર એવું છે કે તમે વાંચો ત્યારે ભોજનમાં એકેય કાંકરો આવે નહીં અને જે મજા આવે એવી મજા આવે છે. જો કે, એમની ફિલોસોફીને પણ જોડી છે પરિણામે જીવનની કેટલીક વાતો છૂટી ગઈ છે. પણ એક સરસ કામ એ કર્યું છે કે, એ પુસ્તકના છેલ્લા પાનાઓની અંદર એમનાં જીવનની આખી તવારીખ ક્રમબદ્ધ તરીકે ટૂંકમાં આવરી લીધેલ છે. એટલે ઓશોના જીવનને ‘એટ એ ગ્લાન્સ’ જો જાણવું હોય તો છેલ્લા પાનાઓમાંથી મળી રહે છે.
મારે જે વાત કરાવી છે તે માત્ર આ પુસ્તક આધારિત વાત નથી કરવી. ઓશોના પરમ સ્નેહી અને ઓશોએ જેમને દીક્ષા આપી અને જયારે ઓશોએ દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેમને આ કામ સોંપ્યું તે ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર અને જેમની જહેમતથી ગુજરાતમાં સુરતમાં ઓશો ચેરની સ્થાપના થઈ હતી કે જેમણે હમણાં થોડા સમય પહેલાં જ વિદાય લીધી અને જેને આપણે વસંત જોશી ના નામથી ઓળખીએ છીએ તે સ્વામી શ્રી સત્યવેદાંતજી સાથેનો મારો ગાઢ નાતો રહ્યો એટલે તેમના સાનિધ્યથી મને ઓશો જીવનની જવલ્લેજ જાણવા મળતી વાતો જાણવા મળી તે પણ થોડી હું અહીં આવરી લેવાનો છું.
આ પુસ્તકના પહેલા જ પાના પર ઓશોએ પોતાનો પરિચય વિશિષ્ટ શૈલીમાં આપ્યો છે. “હું તો માત્ર હું છું. ન કોઈ અવતાર છું કે ન કોઈ પયંગબર છું કે ન ઈશુ છું. એક સર્વ સામાન્ય માનવી, તમારા જેવો જ છે. પણ હા, તમારામાં અને મારામાં ફર્ક છે કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો અને જાગી જશો તો જ માનવાને બદલે જાણવાનું પસંદ કરશો. ઉતાવળ કરો, સમય ઓછો છે. માનો નહીં, જાનો ” ઘણી બધી વિચિત્ર ઘટનાઓ છે ઓશોના જીવનમાં, પણ આપણે એ વિચિત્રતાના પડદાને એક બાજુ મૂકીને વાત કરીશું.
ઓશો એક સુંદર મજાની વાત કરે છે,
ગજબકા નજારા હૈ ઇસ અજીબ સી દુનિયાકા
લોગ બટોરનેમેં લગે હૈ, ખાલી હાથ જાને કે લિયે!!
11મી ડિસેમ્બર 1931 થી 19 મી જાન્યુઆરી 1990… 59 વર્ષનું જીવન..પ્રમાણમાં ઘણું ઓછું કહેવાય એવું જીવન !! મધ્ય પ્રદેશનું કુચવાડા ગામ. મોસાળમાં જન્મ થયો છે. પિતા અને માતાએ બંને ત્યાં રહે છે. દાદાનું મહત્વ બહુ છે જીવનમાં અને દાદા જ્યારે મૃત્યુ પામે છે એ ઓશોને પહેલો ધક્કો લાગે છે. પાંચ વર્ષની એની બહેન કુસુમનું અવસાન થાય છે ત્યારે એને બીજો ધક્કો વાગે છે. અને પોતાના ચાહિતા નાનાબાપુ પાસે ઉછરે છે. નાની પાસે મુખ્ય..પોતે કહે છે કે, મારી નાની મારી સૌજન્યતાની એમ્બેસેડર હતી. સંન્યાસ લીધા પછી પણ એમણે નાનીને આપેલું વચન પાળ્યું. એમણે નાનીને કહેલું કે, તું મરી જઈશ ત્યારે ગમે ત્યાં હોઈશ પણ દોડીને હું આવી જઈશ, એ વચન એમણે પાળ્યું. કદાચ આપણે એક મૂલ્યાંકનકાર તરીકે કહેવું હોય તો ઓશો જે કાંઈ વિતંડાવાદી કહીએ કે દલીલબાજી કરનારા થયા હોય તો નાની લઈને થયા છે.નાનીએ નાનાની વિરુદ્ધમાં ઓશોને ચડાવેલ પણ છે !! નાના ધર્મમાં માનતા હતા અને નાની માનતા નહોતા..ધર્મમાં ન માનવાનો વારસો એમને નાની તરફથી મળેલો. એના ઘણા પ્રસંગો આપણી પાસે છે. ચંદ્રમોહન નામનો આ માણસ છેલ્લે જ્યારે વિદ્રોહી બન્યો ત્યારે ખરેખર એની જો કોઈના ઉપર આંગળી ચીંધવી હોય તો નાની ઉપર ચીંધી શકાય.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 11, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
‘દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’
જામનગરનું પવિત્ર સેવા સ્થાનક એટલે આણદાબાવા આશ્રમનું સ્થાનક. આ આણદાબાવા સ્થાનકનાં ગાદીપતી મહારાજ શ્રી દેવપ્રસાદજી, જેને સૌ પ્રેમથી ‘બાપુ’ કહે છે, તેમની સમક્ષ એક વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને એમનો ઉત્તર બાપુ વાળી રહ્યા છે તે વાત આપણે કરતા હતા.
પ્રશ્ન એવો હતો કે પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? શાસ્ત્રમાં તેની કોઈ પદ્ધતિ કે યુક્તિઓ બતાવી છે? આપણે ત્રણ યુક્તિઓ વિશે વિગતે વાત કરી છે. શાસ્ત્ર એક એવી યુક્તિ પણ બતાવે છે કે, ઘણીવાર આપણે આ વસ્તુમાં કઠિનતા અનુભવીએ, આપણે ફરિયાદ કરીએ છીએ. ભજન કરવું, મૌન રહેવું, પલાઠી મારીને બેસવું, બધું અઘરું લાગે છે, કઠિન લાગે છે. તેનું કારણ કે વ્યક્તિ પોતાને સંસારનો માને છે અને ભજન ભગવાનનું કરે છે. આથી ચિંતન ભગવાનનું થવાને બદલે સાંસ્કૃતિક વૃતિઓનું થાય છે એટલે બધું કઠિન લાગે છે. આપોઆપ સંસારનું ચિંતન થાય છે. ભગવાનનું ચિંતન કરવું પડે છે. છતાં ચિંતન કરવું પડે છે તેથી ચિંતન થતું નથી. જે કરવું પડે તે થાય નહિ. કારણ કે આપણે સંસારનાં થઈને ભગવાનના બનવા માંગીએ છીએ. ભગવાનના બનીને જ્યારે ભગવાનનું ચિંતન કરીએ ત્યારે કઠિનતા કોમળતામાં પરિવર્તિત થાય છે. હું કેવળ ભગવાનનો જ છું, અને ભગવાન જ મારા છે, આ શરીર સંસારનું નથી અને સંસાર મારામાં નથી, આ રીતે ભગવાન સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વયં થવા લાગશે. ચિંતન કરવું નહિ પડે. શાસ્ત્રે આ એક ચોથી યુક્તિ બતાવી છે.
શાસ્ત્ર બીજીપણ એક યુક્તિની વાત કરે છે. ધ્યાન, ભજન, માળા કરતી વખતે મનમાં કોઈ પણ કાર્ય ભરેલું રાખી જલ્દી-જલ્દી માળા અથવા તેનો ટાઈમ પૂરો કરવા માટે જ્યારે આપણે ઉપાસના કરીએ છીએ ત્યારે મનને ખાલી રાખવું જોઈએ. આપણને ઘણી વખત વિચાર આવે છે કે મારે આજે આ કામ કરવાનું છે, આ જગ્યાએ જવાનું છે, આ વ્યક્તિને મળવાનું છે, આ વ્યક્તિ આજે મને મળવા આવવાની છે, તેની સાથે આ વાત કરવાની છે, તે આવશે તો તેની સાથે શું વાત કરવી? આવા અનેક પ્રશ્નોથી આપણું મન ભરાયેલું હોય છે. કેટલો મોટો બોજ છે !! આવા કાર્યોની સ્મૃતિ ઈશ્વરમાં લિન થતાં આપણને અટકાવે છે. તે મનને લીન નથી થવા દેતી. શાસ્ત્ર કહે છે, આ બધા કાર્યોથી મનને દૂર રાખી, તેની વિસ્મૃતિ કરીને બેસવાથી પરમાત્મામાં ચિત્તને જોડી શકાય છે.
હનુમાન ચાલીસા માં શ્રી તુલસીદાસજી મહારાજ એક સરસ દુહો લખે છે. ”તુમ્હરે ભજન રામ કો ભાવે, જનમ જનમ કે દુઃખ બિસરાવૈ” તુલસીદાસજી મહારાજે વિસ્મૃતિ શબ્દને પ્રાધાન્ય આપ્યું છે. કારણ એટલા માટે કે સુખ–દુઃખ નાશ નથી પામતા, પરંતુ તેની વિસ્મૃતિ એ જ ઈશ્વર તરફ લઈ જવાની એક યુક્તિ છે. ભગવાનને મળવા માટેનું મોટામાં મોટું સુખ વિસ્મૃતિ છે. આથી વિસ્મૃતિ પણ એક યુક્તિ છે ભગવાન સાથે જોડાવાની.
એક ચિંતન એવું પણ છે કે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે ઘણા સંકલ્પો, વિકલ્પો મનમાં આવે છે તેનો એક જ રસ્તો તેને સ્વાહા કરી દેવા, તેની આહુતિ આપી દેવી. આ વાત કઠિન છે, પરંતુ સારી દાનતથી એ સંકલ્પનો વિકલ્પ શોધ્યા વગર તેને સ્વાહા કરવામાં આવે તો પણ મન સરળતાથી ભગવાનમાં યુક્ત થઈ શકે. શાસ્ત્રે એક યુક્તિ એવી પણ બતાવી છે કે, આપણે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે આપણી સામે જે ચિત્ર હોય તેની સામે જોઈને આંખોને થોડીવાર ઝડપથી પટપટાવી આંખો બંધ કરી દેવી, જેનાથી બહારનું દ્રશ્ય કપાઈ જવાથી અંદરના સંકલ્પો અને વિકલ્પો પણ કપાઈ જશે. અને ધીમે-ધીમે મન ભગવાનમાં એકત્ર થઈ જશે.
અમુક યુક્તિઓ એવી પણ છે જે આપણે રોજબરોજ કરીએ છીએ. જેમ કે, આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. જેમાં શાસ્ત્રએ બતાવ્યું કે, નાસિકા દ્વારા શ્વાસને બે-ત્રણ વખત જોરથી વારંવાર બહાર કાઢવા, સાદી ભાષામાં કહીએ તો ફુફાડા મારીને બને એટલો શ્વાસને બહાર રોકવાનો પ્રયત્ન કરવો. જેટલો સમય શ્વાસ બહાર રોકી શકાય. પછી ધીમે ધીમે સ્વાભાવિક શ્વાસ લેવાની સ્થિતિમાં આવવાથી મનમાં આવતા વિચારો, સંકલ્પો, વિકલ્પો, આપોઆપ દૂર થવાથી મન શાંત થશે. બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદ દાસજી યાદ કરીને એમ કહે છે કે, એક સાહિત્યકારે એવું કહ્યું કે ‘દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’ વિચારવાનું એ છે કે, દેવ અને દર્પણ બોલતા થાય તો આપણી શી પરિસ્થિતિ થાય?
જામનગરના શ્રી આણદાબાવા આશ્રમની અનેક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ દ્વારા આપણને આવા ચિંતનની ભેટ મળી છે.બાપુ વિષે અને શાંત જીવે સતત ચાલતી બાપુના આણદાબાવા આશ્રમની સેવા પ્રવૃતિઓ વિષે તો બહુ વિગતે લખી શકાય પણ મને લાગે છે કે, આપણે આ વર્ષમાં પ્રત્યક્ષ જામનગર જઈને પૂજ્ય બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદજીને અતિ પ્રવૃત નિહાળીએ તો આપણને ખ્યાલ આવશે કે, આ ગાદી પર પચાસ વર્ષોનું તેઓનું તપ કેટકેટલા ગરીબ દુખીયારાઓ માટે કરુણા બનીને વરસે છે. આપણે મહારાજ શ્રીના ચરણોમાં પ્રણામ કરીએ. તેઓના ગાદી પરના 50માં વર્ષને અને તેઓના જીવનના 75માં વર્ષે એવી પ્રાર્થના કરીએ કે આપની સેવા અસખ્ખલિત હો…
by Bhadrayu Vachhrajani | May 4, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
જામનગરમાં સેવા પ્રકલ્પોનું મોટું સ્થાનક એટલે શ્રી આણદાબાવા સંસ્થાન.
“એક દિવસ એક ભાઈ મારી પાસે આવ્યા. તેણે મને એક પ્રશ્ન પૂછ્યો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? મને તેની વાત બહુ ગમી ગઈ. તેના પ્રશ્નથી હું રાજી થયો. સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાંથી કંઈક ખામી દેખાઈ હશે જે મને પૂછવા માંગતા હશે. કારણ, એટલા માટે આપણને દોષ અને ખામી જલ્દી દેખાય છે પરંતુ આ માણસે બહુ સરસ અને જુદો પ્રશ્ન કર્યો. મેં એમની પાસે થોડો સમય માંગ્યો. જેના અનુસંધાનમાં જ મેં એમની સાથે ચર્ચા અને ચિંતન કરેલ તે વિચાર આપના સુધી શા માટે ના પહોંચે? પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના અનેક સાધનો શાસ્ત્ર એ બતાવ્યા છે.” મહંતશ્રી દેવપ્રસાદજી કહે છે.
જામનગરમાં સેવા પ્રકલ્પોનું એક આખું મોટું સ્થાનક છે. અને એ સ્થાનકને શ્રી આણદાબાવા સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ આણદાબાવા સંસ્થાનમાં હાલ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ બિરાજે છે. દેવપ્રસાદજી મહારાજને આ ગાદી ઉપર બિરાજે 50 વર્ષ થયા છે. અને મહારાજ જ ખુદ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છે. તેઓ હાલ 75મું વર્ષ જીવી રહ્યા છે. મહારાજના સેવા કાર્યોની વાત કરવા માટે તો બીજા દસેક મણકાઓ મારે તૈયાર કરવા પડે. પણ મહંત શ્રી કે જેને લોકો “બાપુ” કહે છે એમના આધ્યાત્મિક વિચારો સુધી પહોંચાડવાનું કામ હું સરળતાથી કરી શકું તેમ છું. શરૂઆતમાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ એમ કહે છે કે, સાધનો શાસ્ત્રોએ બહુ બતાવ્યા છે. અનેક યુક્તિઓ પણ બતાવી છે. જેમાં મહાભારત, રામાયણ, શ્રીમદ્દ ભાગવત અને શ્રીમદ્દ ભગવત ગીતા એ મુખ્ય છે.
આપણે યાદ રાખીએ કે, પેલા ભાઈએ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? ગ્રંથોમાં મનને પરમાત્મા સાથે જોડવાની અનેક યુક્તિઓ છે. પરંતુ અનંત જન્મોના સંસ્કાર મનમાં ઉંડે ઉંડે ધરબાયેલા હોવાથી તે જ્યાં સુધી નિવૃત ન થાય ત્યાં સુધી મન પરમાત્મા સાથે જોડાતું નથી. કારણ એટલા માટે મન જયારે જે વસ્તુ, ઘટના કે પરિસ્થિતિમાં ચાલ્યું જાય, એટલે કે તેનું ચિંતન કરવા લાગે ત્યારે તેનું ચિંતન જરૂર કરવું. પરંતુ ધીમે-ધીમે મનને ત્યાંથી હટાવી પોતાનું જે ધ્યેય પરમાત્માને મળવાનું છે એના તરફ પાછું વાળવું. આમ વારંવાર કરવાથી પાછા વળવાની આદત પડશે. બાપુ કહે છે કે, આ આદત પણ એક યુક્તિ છે.
બીજી યુક્તિ એ છે કે જ્યાં જ્યાં મન જાય તેને જવા દેવું. દાખલા તરીકે, તમારું મન ગંગાનદીમાં ગયું તો ગંગાજીને પરમાત્માનાં સ્વરૂપે જોવાની શરૂઆત કરી દ્યો. જે વસ્તુ કે વ્યક્તિમાં તમારું મન જાય એ વસ્તુ કે વ્યક્તિને પરમાત્મા સાથે એને જોડી દેવાનો પ્રયાસ એ એક બીજી યુક્તિ છે. ગંગાજીમાં કે ગાયમાં સત્તા રૂપે પરમાત્મા છે. કેમકે એમના પહેલા પરમાત્મા હતા, એ નહીં હોય ત્યારે પણ પરમાત્મા હશે. એમના રહેવા છતાં પરમાત્મા છે. આ રીતે મનને જોડવાની બીજી યુક્તિ થઈ.
અને ત્રીજી યુક્તિ પણ શાસ્ત્ર બતાવે છે કે, દરેક માણસની ફરિયાદ છે. આપણે જ્યારે ધ્યાન, ભજન, માળા કરવા બેસીએ ત્યારે મનને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે મનમાં જાતજાતની વાતો વચ્ચે-વચ્ચે આવવા લાગે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. બાપુ કહે છે કે, જ્યારે સાધકનો એટલે કે આપણો ઉદેશ્ય પરમાત્મા બની જાય ત્યારે ઈશ્વરનું ભજન જ હેતુ બની જાય ત્યારે ઈશ્વરને બેસવા માટે જગ્યા તો આપવી જ પડે. જ્યારે તમે ભજન કરવા બેસો ત્યારે તમારા મનમાં અનેક જન્મોના કુ સંસ્કારોરૂપી કચરો છે તે બહાર નીકળવા લાગે છે. આનો અર્થ એ થાય કે અંદરથી આપણે સાફ થઈ રહ્યા છીએ. તેને નીકળવા દેવાના. કારણ એટલા માટે કે આપણે જ્યારે સાંસારિક જે કાર્ય કરતા હોઈએ ત્યારે અંદર જામેલા કુ સંસ્કારોનાં કચરાને બહાર નીકળવાની તક મળતી હોતી નથી. સાધક જ્યારે શાંત, એકાંત થઈ ઈશ્વર તરફ મનને લગાવે છે ત્યારે આ કચરાને બહાર નીકળવા માટેની તક મળે છે. તે બહાર નીકળે તો તેને નીકળવા દેવું. પાણીની ટાંકી સાફ કરીએ પછી તેનું તળિયું ચોખ્ખું દેખાય. એમ ધીમે ધીમે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, દંભ, અહંકાર, મમતા, માયાનાં આ કચરાને કાઢ્યા પછી કેવી શાંતિ મળે છે એ જોવું. માટે તેની ચિંતા કર્યા વગર ઈશ્વર તરફની ગતિને ક્યારેય રોકવી નહીં. આ એક ત્રીજી યુક્તિ થઈ.
by Bhadrayu Vachhrajani | Apr 29, 2025 | અખંડ આનંદ |

સેવા, સમજ, સમાનતા, પડે. સંવેદનશીલતા, સંવાદિતા, સાલસતા, સરળતા… આમથી શરૂ થતા બધા જ હકરાત્મક શબ્દો જેના રુધિરમાં વહે છે તે પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન એટલે શ્રી ગફુરભાઈ બિલખિયા. એમને પોતાના વિશે વાત કરવાનો બહુ સંકોચ પણ મારી સાથે પ્રેમનો નાતો એટલે મને નકારી ન શક્યા. અમે તો પહોંચ્યા તેમની વાપીસ્થિત હવેલી પર અને માંડ્યો સંવાદ.
“મારાં મા છે, એ દામનગરનાં હતાં. દામનગર એટલે ગાયકવાડ સરકારનું ગામ, અમરેલી જિલ્લાનું ને ત્યાં ગાયકવાડને કારણે છોકરીઓની સ્કૂલ હતી. હરિજનની પણ સ્કૂલ હતી અને કેળવણી માટે ગાયકવાડ સ૨કારે ઘણી બધી મહેનત કરેલી. મારાં માતા છ ધોરણ સુધી ત્યાં ભણેલાં. મારા ગામનો ગરાસદાર પણ ભણેલો નહોતો. એટલે કોઈ કાગળ આવે તો મારી બા પાસે એ વંચાવવા આવતા. ને મારી બા એને વાંચી દેતી હતી. ત્યાં એવો નિયમ હતો ગામના ગરાસદારનો કે વહુએ ગરાસદારનું એક માણું દળણું (અનાજ) દળી દેવું પડે. એને વેઠ કહેવાય. એક માણું એટલે પાંચ કિલો દર મહિને દળી દેવું પડે. એનો હાય તો મૂકી જાય અને પાછો લઈ જાય. હવે મારી મા ભણેલી હતી અને કાગળ વાંચી દેતી હતી એટલે મારી માની વેઠ બંધ. મારા ઘરમાં ને મારાં સગાંવહાલાં બધાને એવું થયું કે ભણે એને વેઠ નહીં કરવાની. ભણેલા ન હોય, અભણ હોય એણે વેઠ કરવી પડે.
હું પંદર વર્ષનો ને મારું વેવિશાળ કરેલું. લગનમાં અમે દસ જ જણા ગયા હતા. મારા સસરા લોકોનું કુટુંબ બહુ મોટું. અને એ લોકો પૈસાદાર પણ ખરા. મારા ઘરડા સસરા કાસમદાદા બહુ સારા લોકો. મેં કીધું, હું શેરો નહીં બાંધું, હું ઘોડે નહીં બેસું, હું ખાદીની ટોપી અને ફાળકી સૂતરની અને ચપ્પલ પહેરીને હું આવીશ અને હું ચાલતો ચાલતો આવીશ. તો પેલો ડોસો કહે કે, એ કહે તે કરવા દે ને, જે કરવું હોય એમાં શું વાંધો છે આપણને. પછી મારા નિકાહ થયા. પછી વળાવે બીજે દિવસે કન્યાને અને છેડાછેડી બાંધવાનો રિવાજ હિન્દુ જેવો જ હતો. હું કન્યાની પાછળ છેડાછેડીને કારણે એટલે બધી બાઈ ઓરડે, તો હું પણ રડવા લાગ્યો. મારી કાકીજી બહુ હોશિયાર હતી. એ કહે, તું શું કામ રડે છે ? મેં કીધું, તમે રડો એટલે હું રહું છું. હું પહેલેથી કોઈક કન્યાને વળાવી ન શકતો. એ રડે એ મને ગમે નહીં. મારી દીકરીને હું કહું કે જો તમે હસતા હસતા જાઓ તો હું આવું. તમારે રડવાનું નહીં, જો હીબકો ભર્યો તો પછી મારાથી છૂટી જશે એટલે મને બહુ રડવું આવી જતું.
અમે ઘરે આવી ગયા પછી ત્યાં બાઈઓ બેસવા બોલાવે કે અમારે ઘરે ચાલો. બીજે દિવસે બે ત્રણ બાઈઓ પાણી ભરીને આવતી હતી, એ કહે, આ ક્યાંથી લઈ આવ્યા છો તમે ? કંઈ ખાય નહીં, કંઈ પીવે નહીં, કંઈ એને પગ દાબતાં આવડે નહીં. કંઈ નથી તારી વધુમાં. હા, છે રૂપાળી. પણ ખાય-પીવે નહીં. મેં ઘરે આવીને પૂછ્યું કે, અહીંયાં આપણે ત્યાં તો રિવાજ છે, તો કહે, ‘હું તો હિંદુના ઘરનું ખાતી નથી.’ તો કહે, મેં કહ્યું કે, જો એમને ઘરેથી છાશ લઈ આવીએ અને એની કઢી બનાવીએ તે બાજરાના રોટલા સાથે ખાઈ શકીએ છીએ, બોલો તો એનું મારે શું કરવું ? મને કહે, આપણે દૂધ ખાઈશું. મેં કીધું દૂધ લેવાના પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે, એટલે મુશ્કેલી બહુ પડશે. તો કહે, ના હું બધું વેઠીશ. લૂખો રોટલો ખાઈશ, તમે મૂંઝાશો નહીં. વાત સાંભળીને મને પહેલાં તો બહુ મોટો આંચકો લાગેલો પણ એણે એમ કીધું ને કે, હું લૂખો રોટલો ખાઈને પણ જીવીશ, તમે મૂંઝાતા નહીં, એમને બહુ ગમ્યું. જોકે ભદ્રાયુભાઈ, આજે તો અમારા ઘરમાં હિન્દુની બે દીકરીઓ વહુઓ થઈને આવી છે ને સૌ એકમેકનાં થઈને રહે છે.”
પોતે હજ પઢવા જાય તો હજ પઢીને બહાર આવે ને મને ફોન કરે. કહે, “ભાઈ, આજે અલ્લાહ્વાલા પાસે આજે હજ પઢતી વખતે આપના માટે દુઆ માંગી છે, તે થયું કે આપને અહીંથી જ સલામ પાઠવી દઉં.”
**
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ
by Bhadrayu Vachhrajani | Apr 29, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
“આપે એક ટીમ એવી કેમ ન તૈયાર કરી કે જે આપના ગયા પછી પણ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને મળે !!”
અહીં આપણે શ્રી ભીખુદાનભાઈ ગઢવીની નિવૃત્તિના કારણોની નોંધ લીધી તે પછી નિવૃત્તિ વિષે ઘણા બધા મિત્રોના પ્રતિભાવો અને સૂચનો મળ્યા. સૌનો સ્વીકાર કરીને એટલું તારણ નીકળ્યું કે, ભીખુદાનભાઈ જેવા સિદ્ધહસ્ત કલાકારને ગોઠે કે કોળે એવું હવે વાતાવરણ રહ્યું નથી. રૂપિયા ઉછાળીને પોતાનું ધનપ્રદર્શન વધ્યું છે અને લોકસાહિત્યની પ્રસ્તુતિનું સ્તર નીચું આવ્યું છે. ભીખુદાનભાઈ જેવો અનાસક્તિયોગ તો કોઈક વીરલાને જ પ્રાપ્ત થાય. બાકી તો, પ્રિય મોરારીબાપુ કહે છે કે, ઘણા લોકો તો હોદ્દા ઉપર કુંડલિની જેમ પલાંઠી મારીને બેસી જાય છે.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, વ્યવસાયની અંદર નિવૃત્તિની વય મર્યાદા હોય છે. કારણ માનવામાં આવે છે કે, અમુક ઉંમર પછી કોઈપણ વ્યક્તિએ શારીરિક નિયત ક્રમમાંથી મુક્તિ મેળવવી જોઈએ અને પોતાના સમયને પોતાના માટે ઉપયોગમાં લેવો જોઈએ. સરકારી નોકરીઓ કે અન્ય વ્યવસાયમાં આવું બનતું હોય છે, બીજે ક્યાંય આવું જોવા મળતું નથી.
એક નાનકડું ઉદાહરણ આપું. કોઈ એક વ્યક્તિએ શિક્ષક અંગેનું ભણતર કર્યું. એ કોઈ જગ્યાએ શિક્ષક તરીકે રહ્યા. બહુ સુંદર રીતે એમણે કામ કર્યું પછી આચાર્ય રહ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એને ટ્રસ્ટમાં રાખ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એમની જીજીવિશા એવી થવા લાગી કે, હવે આ ટ્રસ્ટના સર્વેસર્વા તરીકે હું રહું, પરંતુ એમને એ યાદ નથી રહેતું કે, એમની ઉંમર પણ સાથોસાથ વધતી જ રહી છે. વધતી ઉંમર સાથે એમના કૌશલ્યોમાં ઓટ આવવા લાગી, નિર્ણયો લેવામાં શિથિલતા આવવા લાગી, નવી વાતો સ્વીકારવા તરફ અણગમો આવતો ગયો પરંતુ એમને એવો વિચાર ન આવ્યો કે, મારી હાજરી હવે કેટલાક અનિષ્ટોને સ્થાન આપી રહી છે, મારી હાજરીમાં મને ખુદને કિનારે કરવામાં આવી રહ્યો છું., તો તો તો મારે હવે ક્ષેત્ર સંન્યાસ લેવો જોઈએ. આવો વિચાર ન કરનાર લોકો ઘણા વ્યવસાયમાં છે પણ ખાસ કરીને તખ્તા ઉપર અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક છે.
કેટલાક લોકોની નારાજગી વ્હોરીને કહેવા જેવું કહેવાનું હું તો પસંદ કરતો જ હોઉં છું, એટલે કહું કે, મહાત્મા ગાંધીએ સ્થાપેલી અથવા તેમની હુંફથી સ્થપાયેલી અનેક સંસ્થાઓમાં ગાંધીજીના ગયા પછી 70-75 વર્ષે એ પણ ગાંધીની સુવાસ ન જળવાતી હોય તો પણ એ હોદ્દાપ્રેમી ‘ટ્રસ્ટી’ તરીકે કે ‘ટ્રસ્ટના પ્રમુખ’ તરીકે કે ‘શિક્ષણના સંવાહક’ તરીકે કોઈ જુવાનને હવાલો સોંપવાની તત્પરતા નથી જ દાખવતા. પરિણામે ગાંધી સંસ્થાઓ કે જે એક સમયની ખૂબ સારું પ્રદાન કરતી સંસ્થાઓ હતી તે આપણને ભાંગતી દેખાય છે. બને છે એવું કે કદાચ આવા હોદ્દા ઉપર બેઠેલા માણસોને ભૂતકાળની સારી-સારી વાતો સાંભળીને પાનો ચડે છે. અને એક રીતે જોઈએ તો અંદર રાજીપો પણ થાય છે કે, ‘હું અથવા અમે હતા ત્યારે કેવું સારું હતું અને હવે કેવું બગડી ગયું છે.!!’ આનો એ હોદ્દાપ્રેમીઓ આત્મસંતોષ લેતા હોય એવું બને છે.
ગુજરાતની એક બહુ જ પ્રતિષ્ઠિત શિક્ષણ કોલેજમાં એક બહુ જ નામી અને સિદ્ધહસ્ત બહુશ્રુત એવા વિદ્વાન આચાર્ય શ્રી પાસે મને ભણવાનો મોકો મળ્યો છે. પરંતુ તેઓની નિવૃત્તિ પછી તેઓએ એ સંસ્થાને ભાંગતી જોઈ ત્યારે એક પ્રકારનો છૂપો રાજીપો અનુભવતા મેં તેઓને જોયા છે. હું એનો સાક્ષી બન્યો હોઉં એવું બન્યું છે. એમનાથી બોલાઈ જાય કે, ‘તમને તો ખ્યાલ છે, આપણે હતા ત્યારે કેવું બધું સરસ ચાલતું હતું અને હવે બધું પડી ને પાધર થઈ ગયું.’ આમ બોલે ત્યારે એક પ્રકારનો આત્મ સંતોષ કે આનંદ એમના ચહેરા ઉપર આપણને સ્પષ્ટ દેખાય. મારા જેવા ઊંડું વિચારતા માણસને એક સહજ પ્રશ્ન થાય કે, ‘આપ હતા ત્યારે કેમ એવી એક ટીમ તૈયાર ન કરી કે આપના ગયા પછી પણ એ ટીમ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને અર્પણ કરે.?’
ભારત દેશમાં હોદ્દા કે પદ ઉપર ચોંટી રહેવાનું ચેપી વાયરસ વ્યાપક બની રહ્યું છે. રાજકારણની અંદર પણ કોઈ પક્ષે 75 વર્ષ મર્યાદા ડિક્લેર કર્યા પછી એનો ઉપયોગ કેટલાક લોકોને ખસેડવામાં કર્યો, પણ પોતે અક્રમણતા આવી હોવા છતાં પોતે ખસી જવાનું વિચાર્તા નથી જ નથી. આ બધી પરિસ્થિતિમાં ગુજરાતની અંદર ગુજરાતની બહાર જ્યાં-જ્યાં ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ છે ત્યાં-ત્યાં આજની હાલત ખૂબ ખરાબ છે. હા, જૂની કાંખ ધોડી જેવી વાતોને ભેગી લઈને, ટેકો લઈને આજના એ વયોવૃદ્ધ સંવાહકો એક પ્રકારનું અભિમાન લે છે, પરંતુ એની ઉપસ્થિતિમાં તેઓ જોવે છે કે, પોતાના જીવનનું ઘડતર કરનાર આ સંસ્થા મૃત:પ્રાય થઈ રહી છે, એના મૂલ્યો ઘસાઈ રહ્યા છે, એમાં સંવાદિતાના સૂર તૂટી રહ્યા છે, તો પણ તેઓ નિવૃત્તિ લેવાનું નામ લેતા જ નથી. ઘણા લોકો એવું કારણ વચ્ચે આપે છે કે, ‘અમારું તો જીવન જ આ છે, અહીંયા જ રહ્યા છીએ, અહીંયા જ મોટા થયા છે, અમારું તો જીવન જ આ છે.’ કેટલાક કિસ્સા એવા પણ જોયા છે કે, જેમાં એ મુખ્ય સંવાહક પેરેલીટીક થઈ ગયા હોય, પોતે સહી ન કરી શકતા હોય, એમની સાથે રહેનારાઓ સહીનો દુરુપયોગ કરતા હોય, છતાં એ પોતાની ઈચ્છા થી જગ્યા છોડી દે અને જે મળ્યું તેનો આભાર માને, એવો નાનકડો વિચાર પણ તેઓને આવતો નથી !!
આ જાહેર પ્રકાશિત લેખ હોવાથી એમાં હું કોઈ નામનો ઉલ્લેખ કરીને વિવાદ સર્જવા માંગતો નથી, પણ ગુજરાતની અંદર આવી અનેક સંસ્થાઓ હું ગણાવી શકું એમ છું અને તેની સાથેના મારા અનુભવો પણ સૌ સાથે વહેંચી શકું એમ છું. આ લખું છું ત્યારે વયોવૃદ્ધ સંવાહકો પ્રત્યે કોઈ દ્વેષ નથી જ નથી. મારા મનમાં પણ મને એક સહજ પ્રશ્ન થયા કરે છે કે પોતાની સંસ્થા પોતે જેને સીંચી છે એ સંસ્થા પછીની પેઢી સહજતાથી સ્વીકારે અને અત્યાર સુધીના ચાલ્યા આવતા મૂલ્યોમાં સમય પ્રમાણેના પરિવર્તન કરે અને એને નવો ઘાટ આપે એની સામે શો વાંધો હશે? શું નડતું હશે એમને? આપણને ખ્યાલ છે કે ભારતના રાજકારણમાં ‘માર્ગદર્શક મંડળ’ એવો એક શબ્દ પ્રયોગ ચાલ્યો. અલબત્ત એનો ઉદ્દેશ તો રસ્તામાં નડતી વ્યક્તિઓને માર્ગદર્શક કહીને એક બાજુ બેસાડી દેવાનો ઇરાદો હતો. પણ સરકારશ્રીએ પણ નિવૃત્ત લોકોને તેમની જે-જે કોઈ ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિ છે તેને પછીની પેઢીમાં ઉતારવા માટે આવા જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ લોકોનો ઉપયોગ કરવો જોઈએ અને એમ કરતા-કરતા દેશની સંસ્થાઓને ક્રમશઃ વિકસિત કરતી જવી જોઈએ. ગાંધીજીની પાછળની જેટલી વ્યક્તિઓ છે એ ભૂલી ગયા છે કે, ગાંધીએ ખુદે પોતાના કાર્યકાળ દરમિયાન નિવૃત્તિ લઈ લીધી હતી. તે ત્યાં સુધી કે, સ્વતંત્રતા મેળવવાનું કાર્ય સંપન્ન થયું ત્યારે કહેલું કે, હવે આપણે કોંગ્રેસ પણ વિખેરી નાખીએ !! આવું કહેનાર એકમાત્ર મહાત્મા ગાંધી હતા પરંતુ એમના નામે ગાંધી બની બેઠેલા કોઈનું નામ જડતું નથી. આજે ભલે આપણને મહાત્મા ક્યાંક-ક્યાંક ખૂંચ્યા કરે છે, પણ એ કહેતાં મને આનંદ થાય છે કે, ગાંધીજીના આવા બોલ્ડ નિર્ણય જેવો નિર્ણય કોઈ વડીલ ગાંધીયન અત્યારે લઈ બતાવે તો આપણે એના પગમાં પડવા તૈયાર છીએ.
by Bhadrayu Vachhrajani | Apr 20, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘શ્રદ્ધા રાખી શકાય’ એવું ન બને, પણ ‘શ્રદ્ધા બેસે’, એવું બને.
‘જય મહારાજ’નાં નારા સાથે નડિયાદના સંતરામ મંદિરમાં શ્રી મોરારીબાપુની રામકથા ‘માનસ યોગીરાજ’ નું સુંદર રીતે આયોજન થયું અને તેમાં પૂરો સમય હાજર રહેવા માટે અનુકૂળતા ઈશ્વરે કરી તે બદલ રાજીપો અનુભવતો હતો, એ દરમિયાન જાણવા મળ્યું કે, નડિયાદ થી ડાકોર ખૂબ નજીક છે અને અડધી કલાકમાં તમે જઈને બીજો એક કલાકમાં પાછા ફરી શકો તેમ છો. સાચું પૂછો તો ત્યાંની વિગતો બહુ ખબર નોહતી.
ડાકોર એક વાર ગયેલા છીએ. સુરતના નાટ્યકર્મી અધ્યાપક વિજય સેવક અને તેમના પત્ની સાથે અમે બંને મુલાકાતે ગયેલા ત્યારે ડાકોરજીમાં દર્શન કરેલા. પરંતુ ઘણા વર્ષો પછી ફરી એકવાર ડાકોર જવાનો લ્હાવો મળ્યો. દર્શન થાય, સારી રીતે થાય, કે ધક્કા-મુક્કીથી થાય એ બાબતને ક્યારેય જિંદગીમાં બહુ મહત્વ આપી શકાય એવું નથી. માન્યતા મનની એવી ઘડાઈ ગઈ છે કે, આપણે ત્યાં પહોંચી ગયા એટલે ઈશ્વરે આપણે આવ્યાની નોંધ લઈ લીધી. પછી વચેટિયાઓને પૈસા આપીને ગર્ભગૃહ સુધી પહોંચી જવું અથવા તો આગળના લોકોને હડફેટે ચડાવીને પણ ભગવાન સામે જઈને ઊભા રહીને આનંદ માણવો, એવું ક્યારેય જીવમાં ઊતર્યું નથી. પરિણામે સહયાત્રીઓ સાથે ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ બહુ કહ્યું કે, “ઝડપથી આવો દર્શન બંધ થઈ રહ્યા છે.” સાંજે છ વાગે દર્શન બંધ થયાં એ દરમિયાનમાં અમે ડાકોરના રણછોડરાયજીને ત્રણેક મિનિટ જોયા અને હાથ જોડી શીશ નમાવ્યું. પણ તરત જ મંદિરની પડદાપ્રથા આવી ગઈ એટલે થોડુંક મનમાં એવું રહ્યું કે, આપણે આવ્યા અને રણછોડરાયજીએ પડદો પાડી લીધો !! .
અમારા સાથી મિત્રોએ એમ કહ્યું કે, હવે તો દર્શન 7:00 વાગે ખુલશે. આપણે એક કલાક બેસીને શું કરીશું? એટલે સહજતાથી કહેવાયું કે, સામાન્ય રીતે એમ કહેવાય છે કે, મંદિરે જાઓ તો દર્શન કર્યા પછી ત્યાં થોડીવાર બેસવું, એટલે મેં સૂચવ્યું કે આપણે ક્યાં કંઈ કામ છે? કથાનો આજનો દિવસ તો પૂર્ણ થયો છે, તો નિરાંતે બેસીએ. 15-20 મિનીટ પછી ઉભા થઈને પાછા ફરીશું. બેઠાં એક સ્થળે અને વાતો કરતા હતા, ફોટોગ્રાફ લેતા હતા, મંદિર વિશે કોઈ પાસેથી માહિતી મેળવતા હતા તે દરમિયાન દૂરથી કોઈ એક ભાઈ મને જોઈ રહ્યા હતા, તેવું મને લાગ્યું. અને થોડીવાર પછી એમણે મારી સામે ઉપસ્થિત થઈને મને પૂછ્યું કે, તમે ભદ્રાયુભાઈ છો? મેં કીધું હા, તો મને કહે, મને ઓળખો છો?..થોડું વિચારીને મેં કીધું કે, ચહેરો જાણીતો લાગે છે, પણ બહુ ઓળખાણ તાજી થતી નથી. એટલે એમણે તરત જ એવી ઓળખાણની યાદ અપાવી કે મગજમાં વર્ષો પહેલાના એક વિદેશ પ્રવાસનું આખું દૃશ્ય છવાઈ ગયું. જોગાનુજોગ એ વિદેશ પ્રવાસ પણ પ્રિય શ્રી મોરારી બાપુની કથામાં ઉપસ્થિત રહેવા માટેનો હતો !! દક્ષિણ આફ્રિકાના દેશમાં કોઈ કથા દરમિયાન સંતરામ મંદિરના છ સંતો પણ ઉપસ્થિત હતા. આમ તો , સંતરામ મંદિરના સંતો દરિયો પાર ન કરે એવો તેમને ગુરુ આદેશ છે. પણ એ સમયે શ્રી મોરારીબાપુએ જઈને ગાદીપતિ શ્રી રામદાસજી મહારાજ પાસે વિનંતી કરેલી કે આ ધર્મકાર્ય માટે સંતોને મોકલો અને છ સંતોને રામદાસજી મહારાજે મોકલ્યા ને એ સમયે એમની સાથે ડાકોરના રણછોડરાયજી મંદિરના મુખ્ય પૂજારી શ્રી સતિષભાઈ સેવક પણ હતા. મારી સામે ઉભેલા, જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલા એ સતિષભાઈને ઓળખવામાં મને એટલે વાર લાગી કે, મારી અપેક્ષા એવી હતી કે તેઓ પૂજારી અથવા મુખ્યાજી તરીકે વૈષ્ણવ પહેરવેશમાં જોવા મળશે.
યાદ આવ્યું ઘણું બધું અને તરત જ કહ્યું, ઓહો આપણે તો નવ દિવસ સાથે રહ્યા છીએ અને કથા પણ માણી છે અને દક્ષિણ આફ્રિકાની પ્રકૃતિના દર્શન પણ કર્યા છે. તરત જ તેઓએ ખુલાસો કર્યો કે, મારી અહીંની ડ્યુટી છ વાગે પૂર્ણ થાય, મને હૃદયની તકલીફ થઈ એટલે સ્ટેન્ટ મુકવા પડ્યા છે, એટલે હું છ વાગે ઘરે જઈ સ્નાન કરી અને પછી સાદા કપડા પહેરીને અહીંયા રોજ ચાલવા નીકળું છું. એ પ્રમાણે આજે નીકળ્યો ત્યારે મને લાગ્યું દૂરથી કે આ ભદ્રાયુભાઈને હું બરાબર ઓળખું છું એટલે હું તમારી પાસે આવ્યો.
જે ડાકોરના રણછોડરાયજીના દર્શન અમે અતૃપ્તિથી કરેલા એ ડાકોરના રણછોડરાયજી મહારાજના મંદિરના મુખ્ય પૂજારી આપણને સામેથી આવીને મળ્યા હતા. એનો સંદર્ભ પણ એક પવિત્ર કથાનો હતો. અને એમણે પૂછ્યું કે, તમે દર્શન કર્યા? એટલે મેં સ્વભાવ પ્રમાણે કહ્યું કે, અમે રણછોડરાયજીને જોયા છે પણ પ્રભુજીએ અમને જોયા નથી. કારણ કે ઉતાવળે અમે દર્શન કરી લીધા છે. તરત જ એમણે કહ્યું કે, હવે સાત વાગ્યે દર્શન ખુલશે, પણ તમે ચિંતા ન કરો, હું તમને નજીકથી દર્શન કરાવીશ. દરમ્યાનમાં આજુબાજુના જે કોઈ પ્રતિકો છે, બહુ મોટું ત્રાજવું છે, ગુરુગાદી છે એ બધાની રસપ્રદ કહાની અને રણછોડરાયજી નામ કેવી રીતે પડ્યું, ભગવાન શ્રીકૃષ્ણ એક રાત માટે અહીંયા કેવી રીતે આવ્યા તે બધો રસપ્રદ ઈતિહાસ સેવકજીએ અમને વિગતે સમજાવ્યો. સતિષભાઈ ન આવ્યા હોત તો આ બાબતો જાણવાની બાકી રહી જાત ! અને લગભગ પોણા સાત થયા અને એમણે અમને આગળના ભાગમાં પોતાના મુખ્ય પૂજારીપણાના પ્રભાવને ધ્યાનમાં લઈને ગોઠવી દીધા. બરાબર રણછોડરાયજીની સામે અમે આવ્યા અને તેમણે કહ્યું કે પડદો ખુલશે એટલે તરત જ તમને દર્શન થશે. તમે અહીં ને અહીં રહેજો. અમે એ ક્ષણની રાહ જોતા હતા અને ખરેખર એવું બન્યું કે, અમે રણછોડરાયજીના દર્શન બહુ જ નિરાંતે કરી શક્યા ઠાકોરજીની નજર અમારા ઉપર પડી, એમ લાગ્યું કે હવે બંને બાજુએ પ્રણામ પહોંચી ચૂક્યા છે ત્યારે સતિષભાઈ સાથે આખા મંદિરમાં છપ્પનભોગ રોજ કેમ ધરાવાય છે, છપ્પનભોગ ક્યાં બને છે, એક એવી બેઠક કે જ્યાં દુનિયાનો શ્રેષ્ઠ વીઆઈપી આવે તો પણ બેસીને ફોટો પડાવે એ બેઠક ઉપર પહોંચ્યા અને ત્યાં પ્રસાદ લીધો. થોડીવાર થઈ ત્યાં છપ્પનભોગનો પ્રસાદ પણ તેમણે અમને આપ્યો અને બહુ જ આનંદથી અમે રણછોડરાયજીના દર્શન કરીને પાછા ફર્યા.
આ એક ઘટનાનું વર્ણન છે. પણ અમે કથામાં હતા અને બાકીના ત્રણ સાથીઓ મહુવાના પ્રોફેસર મનોજ જોશી અને તેમના ધર્મપત્ની અસ્મિતાબેન અને અમદાવાદની યુવાન સંપાદક અને અનુવાદક છાયા ત્રિવેદી અમારી સાથે હતા. આવતી વખતે અમે શ્રદ્ધા અને ભરોસો એ શબ્દ ઉપર ચર્ચા કરતા હતા. મારી માન્યતા એવી હતી કે, શ્રદ્ધા રાખી શકાય એવું ન બને, પણ શ્રદ્ધા બેસે એવું બને. આપણે રાખીએ ત્યારે એ શ્રદ્ધા હોય એવું જરૂરી નહીં, પણ આપણા મનની એક ઈચ્છા હોય, એને કોઈ અચાનક પરિપૂર્ણ કરી આપે તો એ શ્રદ્ધાનો વિષય છે. આમ કેવી રીતે બને એની ખુબ સરસ ચર્ચા અમે કરતાં કરતાં પહોંચ્યા હતા અને મંદિરમાં બેસીને પણ એ જ વાત કરતા હતા. ત્યાં અમારી સમક્ષ અચાનક અમે જ્યારે મંદિર છોડીને નીકળી જવાના હતા ત્યાં મુખ્ય પૂજારી પ્રગટ થયા. જેણે પોતે સામેથી વર્ષો પછી લગભગ-લગભગ દશેક વર્ષ પછી મળ્યા છતાં પોતે ઓળખી કાઢ્યા અને પછી અમને ડાકોરનાથના દર્શન ખૂબ નજીકથી કરાવ્યા. અમે પાછા ફરતી વખતે ફરી એકવાર ગાડીમાં જૂની ચર્ચા શરૂ કરી ત્યારે મેં કહ્યું, કે આજે જે ઘટના બની છે એને હું શ્રદ્ધા ગણું છું, એને હું શ્રદ્ધાનો પુરાવો ગણું છું. મનની અંદર એક નાનકડી ઈચ્છા પણ થાય અને પછી એ ઈચ્છા માટે આપણે દુરાગ્રહિત ન રહીએ તેમ છતાં કોઈ એવું પરમ તત્વ છે કે જે આપણી નાનામાં નાની ઈચ્છાને સમજી જાય અને એ સમજને ધ્યાનમાં લઈને આપણી નાની ઈચ્છાને પરિપૂર્ણ કરાવી આપે એ શ્રદ્ધાનો વિષય છે. રણછોડરાયજી તો દર્શનને પાત્ર, દર્શન પરમપવિત્ર પણ એમણે જે વ્યક્તિને મોકલી કે જે વ્યક્તિને આપણે સીધા ઓળખતા નોહ્તા એમણે સામેથી ઓળખાણ કરી એ પરિસ્થિતિમાં જે જવાબ આપણને અસ્તિત્વએ આપ્યો એ આપણી શ્રદ્ધા છે. શ્રદ્ધા માટે થઈને આપણે કોઈને ધક્કા-ધક્કી કરવાની જરૂર નથી, આપણે વચ્ચેના માણસોને પૈસા આપીને આગળ પહોંચી જવાની જરૂર નથી, જ્યાં જે જગ્યા મળી છે તે ઉત્તમ છે. ઈશ્વરની ઈચ્છા હશે તો હવે તે આપણને દર્શન કરાવશે. આવું જ્યારે કોઈ નક્કી કરે છે મનમાં ત્યારે પછીની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે, એ કોઈ વ્યક્તિને મોકલે અને આપણને દર્શન કરાવી આપે છે.
શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો આ બધા શબ્દો અર્થઘટનના મોહતાજ છે. એનું કારણ કે, તમે કેવી રીતે એને મુલવો છો એના ઉપર તમારો આધાર છે.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી‘ આ જલન માત્રીનો એક વિચાર છે કે જેને ચરિતાર્થ થતો અમે ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં અનુભવ્યો.
by Bhadrayu Vachhrajani | Apr 13, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

એક આવકારદાયક વાત કે, “ગીતામૃત” પુસ્તકમાં ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું.
વિનોબાજીનું વાક્ય હમેશાં યાદ રાખીએ: ‘મારું શરીર માના દૂધથી પોષાયું છે; પણ, તેથીયે વધુ મારાં હૃદય અને બુદ્ધિનું પોષણ ‘ગીતા‘ના દૂધથી થયું છે.” આવું બેધડક કહેનાર ફકીરી સાધુ શ્રી વિનોબાજીના દર્શન શબ્દોથી આ પુસ્તક “ગીતામૃત”નો ઉઘાડ થયો છે.
“આધ્યાત્મિક અને વ્યાવહારિક માર્ગદર્શનની બાબતમાં મારી શ્રદ્ધા ગીતા પર કેન્દ્રિત થયેલી છે. ગીતાની પહેલાંનાં હિંદુધર્મમાંના વેદ, ઉપનિષદ આદિ મૂળ ગ્રંથ અને પછીનાં દર્શનો, ભાષ્ય, સંતનાં વચનો વગેરે અપાર સાહિત્ય, તેમજ અન્ય ધર્મોના અનેક ભાષામાંના ગ્રંથોના અવલોકનથી ગીતા પરની મારી શ્રદ્ધા અધિક દૃઢ થઈ. ગીતાનો વ્યાપક અને અવિરોધી અર્થ સમજવામાં આ બધાંએ મને મદદ કરી. કર્મયોગ અને પ્રેમયોગ; ધ્યાનયોગ અને જ્ઞાનયોગ; બુદ્ધિયોગ અને શુદ્ધિયોગ – એ બધું જ ગીતાએ એક જીવન-સૂત્રમાં પરોવી દીધું છે એ મારે ગળે ઊતરી ગયું. ગીતાના કહ્યા પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરતાં રહેવાથી અપાર શાંતિ મળે છે એવો અનુભવ આવ્યો; તેથી, અમારા સાથીઓની નિષ્ઠા ગીતા પર સ્થિર થાય એવી સખત તાલાવેલી મને લાગી છે.”…શ્રી ગુર્જર પ્રકાશન, અમદાવાદના સાથીઓ શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખ સલ્લા અને શ્રી હુંદરાજ બલવાણીને પણ તાલાવેલી લાગી અને તેઓના લેખન અને સંપાદનમાં “ગીતામૃત” (ભાગ 1: અધ્યાય 1-2-3) આપણને મળે છે.
‘ગીતા’માં મનુષ્યજીવનનાં શાશ્વત મૂલ્યો રહેલાં છે. આ કારણે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ કોઈ એક ધર્મવિશેષનો ગ્રંથ બની રહેવાને બદલે સમગ્ર માનવજાતને પ્રકાશ તરફ દોરી જતા ગ્રંથ તરીકે સર્વસ્વીકૃત છે. ‘ગીતા’ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. આ પૃથ્વી ઉપર શાંતિ, મૈત્રી અને સંવાદિતા સ્થાપવાં હોય તો “ગીતા”નાં મૂલ્યોને જીવનમૂલ્યો બનવવાં જોઈશે. ઊગતી પેઢીના ઘડતરમાં “ગીતા”નાં મૂલ્યો માટેની પ્રીતિ જાગે તો આ જીવનમૂલ્યોનું સહજ બીજારોપણ થઈ શકે. નવી પેઢીમાં એકવાર બીજારોપણ થાય તો એમનું જીવનવૃક્ષ આપોઆપ જ વિકસશે.
ગીતા આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શિક્ષકોની સજ્જતા વધે અને તેઓ ગીતાના ગહન સિદ્ધાંતોને સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે તો ગીતા માત્ર પૂજવાનો ગ્રંથ મટીને જીવનનો માર્ગદર્શક અને વ્યવહારુ ગ્રંથ બની રહે. ગુજરાત સરકારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં મૂલ્યો સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવું પૂરક સાહિત્ય તૈયાર કરાવવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. આનાથી પ્રેરાઈને આ સંપાદન તૈયાર થયું છે.
ગીતાનાં તત્ત્વોની રજૂઆત રસિક અને સરળ રીતે થવી જોઈએ. અઘરામાં અઘરી વાત પણ ઉચ્ચ-પ્રાથમિક અને માધ્યમિકશાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમજી શકે એ સ્વરૂપમાં દૃષ્ટાંતો સાથે મૂકવી જોઈએ. જો કે આ કામ ધાર્યાં કરતાં વધારે મથામણ કરાવનારું હતું, પરંતુ આપણને સંતોષ છે કે ગીતાનાં પાયાનાં તત્ત્વોને પ્રમાણમાં પ્રાસાદિક રીતે રજૂ કરવામાં ગુજરાતી ભાષાના આ ઉત્તમ લેખકો સફળ થયા છે.
ગીતાનાં મૂળભૂત તત્ત્વો એ કેવળ વાતનો વિષય નથી; પરંતુ જીવનમાં ઉતારવાનાં તત્ત્વો છે. આ માટે સહાયક બને એવી દૃષ્ટાંતકથાઓ અને સાહિત્યકૃતિઓની શોધ કરીને તેને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. હા, મુખર રીતે અમુક તત્ત્વ માટે અમુક કથા ન પણ મળે; પરંતુ અહીં રજુ થયેલ 28 કથાઓ એવી છે જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માબાપોનો ગીતામાં પ્રવેશ કરાવવામાં ખૂબ સહાયક બનશે એવું વિશ્વાસપૂર્વક કહી શકાય તેમ છે. વળી, જે કથાઓ અહીં મૂકી છે તે સાહિત્યની દૃષ્ટિએ, પ્રાસાદિકતાની દૃષ્ટિએ અને પ્રેરકતાની દૃષ્ટિએ ખૂબ જ માર્મિક છે. ગીતાનાં તત્ત્વો ગ્રહણ કરવા માટે આધાર બને એવી આ કથાઓ છે. આ કથાઓ પણ મનુભાઈ પંચોલી, નાનાભાઈ ભટ્ટ, ઉમાશંકર જોશી, દુર્ગેશ શુક્લ, પુરાતન બુચ, ધીરુ પરીખ, યોગેશ જોશી, ગિજુભાઈ બધેકા, પનાલાલ પટેલ, કુમારપાળ દેસાઈ વગેરેની કથાઓને અહીં સ્થાન આપાયું છે.
ઉપનિષદ અને ગીતા જગતભરનાં તમામ મનુષ્યો માટે જીવન આધાર બને તેવા ગ્રંથો છે. ગીતાનો વિચારવારસો અનેક રીતે અદ્ભુત છે. આ વારસો આપણી ઊગતી પેઢી સુધી પહોંચે એવી હોંશ સ્પષ્ટ રીતે સંપાદનમાં તરી આવે છે. અને હા, એમાં પ્રવેશ કરવા માટે મહત્વના શ્લોકો, તેનો શબ્દાર્થ વગેરે પણ સાથે મૂકેલાં છે. વિદ્યાર્થીઓ આ શ્લોકો કંઠસ્થ કરશે અને અર્થો જાતે ઉકેલશે તો મોટા થશે ત્યારે આ શ્લોકો તેમને માટે પથદર્શક બની રહેશે, એવું દર્શાય છે.
એક આવકારદાયક વાત ખાસ નોંધું કે, ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું. એવા ગ્રંથનું સ્વરૂપ ભિન્ન હોય. સંપાદકોની નજર સામે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને છે. વળી, આરંભે પહેલા ત્રણ અધ્યાયને અહીં સ્થાન આપ્યું છે, જેથી આગળના અધ્યાયો વિષે કવાયત કરતી વખતે આ પુસ્તક અંગેના અભિપ્રાયોને સ્થાન આપી આવશ્યક ફેરફારો કરી શકાશે.
આવો, એક કથાને માણીએ અને પુસ્તકમાંથી રસપ્રસાદ મેળવીએ.
ગાંધીજીની નિર્ભયતા
ઉમાશંકર જોશી
સાબરમતી આશ્રમમાં સાંજની પ્રાર્થના પૂરી થઈ છે. કિનારાને ઘસાઈને સાબરમતીનાં નીર ખળખળ વહી રહ્યાં છે. આકાશમાં વસંતની પૂર્ણિમા ખીલી છે.
પ્રાર્થના પછી એક બિછાનામાં તકિયા પર જમણા હાથનો ટેકો રાખી ગાંધીજી આડા પડ્યા છે. તેઓ ઉઘાડે શરીરે છે. ઠંડી લાગશે એમ માની બા એમને એક ચાદર ચોવડી કરીને ઓઢાડે છે. ચાદરનો અર્ધો ભાગ પીઠ પાછળ છે.
સામે રાવજીભાઈ બેઠા છે. વાતો કરતાં રાવજીભાઈની નજર બરડા પરની સફેદ ચાદરમાં પડેલી કાળી ભાત પર જાય છે. અરે કાળો સાપ ! સાપ ચાદર ઉપર થઈ ગાંધીજીના બરડા પર ચડે છે અને બીજી બાજુ ઊતરવા ડોક લંબાવે છે.
રાવજીભાઈનું ધ્યાન વાતમાંથી ખસે છે એ જોઈ—અને પોતાને પણ કાંઈક હોય એમ લાગવાથી—ગાંધીજી પૂછે છે: ‘શું છે ?” રાવજીભાઈનો જીવ અધ્ધર થઈ ગયો છે. ગાંધીજી હલ્યા તો સાપ ડંખવાનો. પોતે ભયથી કંઈ બોલે તો હાજર રહેલાં ભડકશે. ધીમેથી એ જવાબ આપે છે: “કંઈ નહિ, એ તો સાપ છે.”
સાંભળીને બા વગેરે ચિંતાથી ઊઠે છે, પણ ગાંધીજી અને રાવજીભાઈ સ્થિર રહે છે. સાપ આગળ વધતો નથી, પણ ચાંદનીમાં ક્યાંય જતો પણ દેખાયો નહિ. પીઠ અને ચાદર વચ્ચે છુપાયો હશે? રાવજીભાઈ ધીમેથી કહે છે, “બાપુજી, આપ સહેજ પણ હલતા નહિ.”
“હું તો નથી હલવાનો, પણ તમે શું કરો છો?”
“હું આ વાળેલી ચાદરના ચાર ખૂણા પકડીને તેને દૂર ફેંકી દઉં છું. સાપ તેમાં હશે તો ચાદર સાથે દૂર પડશે અને પોલાણમાં છુપાઈ રહ્યો હશે તો, ખુલ્લો થવાથી ત્યાંથી ચાલ્યો જશે, પણ આપ હલશો નહિ.”
“હું નહિ હલું, પણ તમે સાચવશો.”
રાવજીભાઈ ચાદર ઊંચકે છે. ઠીક-ઠીક વજન છે. જોરથી ચાદર એ દૂર ફેંકી દે છે. સાપ ચાદરમાંથી બહાર આવે છે. રાવજીભાઈ વગેરે એને પકડે છે અને દૂર નાખી આવે છે.
છાપાંએ વાત ચગાવી: “મહાત્માજીને મસ્તકે નાગે ધરેલી ફેણ.”
લોકમાન્યતા છે કે, નાગ મસ્તક પર ફેણ ફેરવે તો માણસ ચક્રવર્તી થાય. કોઈ-કોઈ એમ પણ કહેવા લાગ્યા કે, બરડા પર નાગે ફેણ ધરી એટલે ગાંધીજી દેશના નેતા રહ્યા, મસ્તકે ધરી હોત તો આખી દુનિયાના નેતા હોત. આ બધી ચમત્કારની રીતે દંતકથા ચાલી, પણ મોટામાં મોટો ચમત્કાર ગાંધીજીના ને નાગના પ્રસંગમાં એ હતો કે, તેઓ શાંત ચિત્તે, સ્વસ્થતાથી રૂંવાડું પણ ન ફરકે એ રીતે, જે સ્થિતિમાં પડ્યા હતા, તે સ્થિતિમાં પડ્યા રહ્યા.
by Bhadrayu Vachhrajani | Apr 7, 2025 | જનકલ્યાણ |



‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ‘સંતુલન” તરફથી દીર્ઘ સંવાદ કરી રહ્યા છે શ્રી ભદ્રાયુ વછરાજાની.. ભદ્રાયુભાઈ : લહેરી સાહેબ, હું એવા વ્યક્તિત્વ સાથે વાત કરી રહ્યો છું કે ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જેણે અગ્રેસર ભાગ લીધો એ શ્રી કનુભાઈ લહેરીના સુપુત્ર પ્રવીણભાઈ લહેરી સાથેનો આ સંવાદ ખૂબ જ વિરલ છે. મેં ગાંધીજીને જોયા નથી. ડૉ. ભદ્રાયુ વછરાજાની સ્વતંત્રતા પછી હું જન્મ્યો છું, એટલે મારી સાથે કોઈ ગાંધી સત્યાગ્રહના એક અગ્રીમ સૈનિકના પુત્ર ઉપસ્થિત હોય તે મને ધન્ય પળ લાગે છે. લહેરીસાહેબ, મને એ જાણવામાં ૨સ છે કે, આપનું બાળપણ કેમ વીત્યું? આપનો કુટુંબ દ્વા૨ા ઉછેર કેવી રીતે થયો?
પ્રવીણભાઈ : ભદ્રાયુભાઈ, આપે કહ્યું એમ આપનો જન્મ આઝાદી પછી થયો પણ મારો જન્મ આઝાદી પહેલા લગભગ અઢી વર્ષે થયો. 28 માર્ચ 1945 અધિક ચૈત્રની પૂનમના રોજ મારો જન્મ થયો, તે ગામ રાજુલા. ત્યારે ભાવનગર રાજ્યનું એક છેવાડાનાં મહાલનું ગામ અને બાજુમાં દરિયાકાંઠો અને વિસ્તાર ઘણો પછાત. મારા પિતાશ્રીનું વતન નહીં પરંતુ મોસાળ હતું. મારા પિતાશ્રી મુંબઈમાં ખૂબ જ યુવાન વયે 13 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવવાને કા૨ણે તે મોસાળમાં આવ્યા. અમરેલી કપોળ બોર્ડિંગમાં એમણે નિઃશુલ્ક રીતે રહેવાની, જમવાની વ્યવસ્થા કરી અને ભણતા હતા. ત્યાં ઝવેરચંદભાઈ મેઘાણી એ આવીને ભગવાનજી લવજી મહેતાના અખાડામાં જોડાયેલા યુવાનોને ધોલેરા સત્યાગ્રહ માટે ભરતી ક૨વાનું શરૂ કર્યું. શરૂઆતમાં મારા પિતાજીએ ના પાડી. પરંતુ પોતાના એક વધારાના ખર્ચ માટે Rs. 10ની કમ્પાઉન્ડરની નોકરી ડૉ. હરિપ્રસાદ વ્યાસને ત્યાં કરતા હતા. એ હરિપ્રસાદભાઈનાં પત્ની સુમિત્રાબેનને પણ આ સત્યાગ્રહમાં જવાનું મન થયું અને જેમણે જુગલ જુગારી’ નાટક લખેલું એવા જુગલકિશોરભાઈએ કહ્યું કે, ભાઈ તમે બે જાઓ પણ સાથે કોણ? અને અનિચ્છા છતાં એમના પ્રેમભાવને વશ થઈને મારા પિતાશ્રી ધોલેરા સત્યાગ્રહમાં ગયા. એ વાત તો 1930ની મારા જન્મ પહેલાં 15 વર્ષની. પરંતુ પછી એમને જે ગાંધીજીનો રંગ લાગ્યો એટલે વારંવાર સત્યાગ્રહ, ભાવનગર પ્રજા એ પરિષદ એ બધા કામમાં એ ૨હ્યા અને મારા કાકાએ આર્થિક પ્રવૃત્તિ દ્વારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંભાળી.
મારો જન્મ થયો ત્યારે મારા પિતાશ્રીની ઉંમર 31 વર્ષની હતી. 1942માં ખાસ્સો એવો સમય 6-8 એ મહુવાની જેલમાં ડિટેઇન થયા હતા, હિંદ છોડો, સ્વરાજ આંદોલન માટે. મારો જન્મ થયો એક સંયુક્ત પરિવારમાં. મારા પિતાશ્રીના બે મામી, મારાં કાકા-કાકી, મા-બાપ, એટલાં વડીલો અને મારાં ફઈ વહેલા ગુજરી ગયાં હતાં એટલે એમને મારા સમવયસ્ક દીકરો અને બે વર્ષ નાની દીકરી એમ અમે કુલ 13 ભાંડરડાં. મહુવા અને રાજુલા, અમારી લાતીઓ હતી એના વચ્ચે અને રહેતા હતા.રાજુલામાં કે મહુવામાં સગવડમાં થોડો ફે૨. મહુવામાં વીજળી 1956માં આવેલી, અમારે ત્યાં 1959માં આવેલી; મહુવામાં પાકી સડક હતી અને એક નેરોગેજની ટ્રેન ભાવનગર જાય એટલે લોકોનો સંપર્ક વધારે અને મહુવાનું બંદર એ જમાનામાં જીવતું બંદર હતું. આ બધા વચ્ચે રાજુલામાં જન્મ થવો અને ત્યાં ભણવું કે મહુવામાં ભણવું એ પ્રશ્ન થયેલો. આપણે જિંદગીમાં કંઈ આગળ વધી શકીએ એવો કોઈને ખ્યાલ પણ નહોતો. હા, રાજુલામાંથી જે લોકો મુંબઈ ગયેલા એમાં ઘણા ભણીગણીને ડૉક્ટ૨માં, વકીલાતમાં, સોલિસિટ૨માં, વીમાનાં ક્ષેત્રે, બેંકના ક્ષેત્રે રાજુલામાંથી આગળ વધેલા. પરંતુ આઝાદી પછીના જે વર્ષો હતાં એમાં શિક્ષણનો વ્યાપ વધ્યો, પરંતુ ગુણવત્તા સૌરાષ્ટ્રમાં તો એટલી નબળી હતી કે અનેક જગ્યાએ આ યુનિવર્સિટીના લોકોએ અરજી ન કરવી’ એવી હાલત હતી. આ પરિસ્થિતિ વચ્ચે જયારે પહેલાં બે વર્ષ હું રાજુલા ભણ્યો, પછી કૌટુંબિક સગવડ ખાતર મહુવા ભણ્યો. સ્વામિનારાયણ શાળામાં, ત્યાંથી પછી રાજુલામાં શાળા બંધ થઈ ગઈ અને મારા મામા આચાર્ય જાફરાબાદ હાઇસ્કૂલના. બહુ જાણીતું નામ છોટુભાઈ મહેતા, સો વર્ષ ઉપ૨ જીવ્યા અને એમણે આગ્રહ કર્યો એટલે હું મોસાળ ભણવા ગયો. બે વર્ષ જાફરાબાદ ભણ્યો. પાછો રાજુલા આવ્યો ત્યાં સુધીમાં વિરસનપેનવાળા સંઘ પરિવારની શાળા જે બંધ પડી હતી એ ચાલુ થઈ. અને પાંચ વર્ષ ભણીને હું મૅટ્રિક થયો, જે આપણું ધોરણ 11 હતું.
આ સમગ્ર સમયગાળા દરમિયાન અમારે ત્યાં આવતા-જતા કલેક્ટરોને જોઈને મને વિચાર આવ્યો કે, આમાં ઘણો રૂઆબ છે, આની ઘણી જવાબદારી લાગે છે, અને મારા પિતાશ્રીને મુંબઈમાં ભણતા હતા ત્યારે એક જમાનામાં ICS થવું હતું. એટલે એમની પ્રેરણાથી મેં આ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો પરંતુ રાજુલામાં એ સમયે મેટ્રિકમાં આવ્યા ત્યાં ન હતો વિજ્ઞાનનો શિક્ષક, ન હતો ગણિતનો શિક્ષક, ન સમાજ શાસ્ત્રનો શિક્ષક, એક શાસ્ત્રી સંસ્કૃત ભણાવે અને અમારા આચાર્ય જી. એસ. વોહરાસાહેબ અંગ્રેજી ભણાવે એટલે અમારા માટે સ્વાધ્યાય અને કોઈ ઓળખીતાનું ટ્યૂશન મળે એ સિવાય કાંઈ કરવાનું નહોતું, કારણ કે ગામમાં જ કોઈ ભણાવી શકે એવી વ્યક્તિ નોહતી. પરંતુ અમે અરસપરસના સહયોગથી અમારા જૂથ દ્વારા, મિત્રો દ્વારા જે કામગીરી કરી એટલે અમારા ચાળીસના વર્ગમાંથી વીસેક જણા ખૂબ સારી રીતે આગળ ભણી શક્યા. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, કોઈ ઇજનેર થયા, કોઈ ડૉક્ટર થયા, અમેરિકા ગયા, અને મારા ભાગે મારી જે ઇચ્છા હતી, મારા પિતાશ્રીની પ્રેરણા હતી એવા આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાનો લ્હાવો મળ્યો.
ભદ્રાયુભાઈ, પુરુષાર્થ તો સૌ કોઈ કરે છે, | પુરુષાર્થ ક૨વો જરૂરી પણ છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સરવાળે તો પ્રારબ્ધ મહત્ત્વનો ભાગ ભજવે છે. માણસને ક્યારે, કેવી તક મળશે એ આપણે અગાઉથી કહી શકતા નથી. એટલા માટે મારે સૌથી પ્રથમ તો પ્રભુનો આભાર માનવો જોઈએ કે, આપણે એક સ્વપ્ન સેવ્યું હોય અને એ આપણી ધારણા મુજબ સાકાર થાય ત્યારે એનો આનંદ અને સંતોષ અનેરો હોય છે. હું જો કેન્દ્ર હતું, પછી સેકન્ડરી આરોગ્ય કેન્દ્ર બન્યું રાજુલાની વાત કરું તો ત્યાં પ્રાથમિક આરોગ્ય હું અને ત્યારે જે શીતળા ડૉક્ટર કહેવાતા એ પણ મોટાભાગે ડૉક્ટર ન હોય, દવા ન હોય આવીને શીતળાની રસી મૂકતા. ગમે તે કારણે મને રસી મૂકવાનું રહી ગયું અને જેને એકદમએવા પ્રકારના શીતળાના રોગે મને ઘેરી લીધો. મારી ઉંમર પાંચ વર્ષની અને એમાંથી બચીને બહાર નીકળવું એ મને લાગે છે કે પ્રભુ કૃપા વિના શકય ન હોત. એટલું પૂરતું નહોતું, તો એ જ વર્ષે મને ડિપ્થેરિયા અને ટાઈફૉઈડ જેવી એ જમાનાની જીવલેણ બીમારી લાગુ પડી અને ડૉક્ટરો નહીં, પરંતુ પરિવારની કાળજીથી એમાંથી પણ હેમખેમ પાર ઉતર્યા. એને કા૨ણે મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી તબિયતથી હું થોડો ઢીલોપોચો ગણાઉં અને મારી કામ ક૨વાની શારીરિક શક્તિ પણ થોડી ઓછી. ૨મત-ગમત કે એમાં ભાગ લેતા થાક લાગે એવી પરિસ્થિતિમાંથી ધીમે-ધીમે બહાર આવ્યા અને મેટ્રિકમાં એ જમાનામાં ગુજરાતમાં નવું-નવું બોર્ડ બન્યું. અને એમાં 64% એટલે એ જમાનામાં સારા કહેવાય એવા માર્ક સાથે સેન્ટ ઝેવિયર કૉલેજ, મુંબઈમાં મને પ્રવેશ મળ્યો.
બાળપણની વાતમાં આજે અનેક મિત્રોને યાદ કરું છું. મારા એક મિત્ર શાંતિલાલ, એમણે પ્રિલીમ પરીક્ષા પછી મને જો ગણિત શીખવ્યું ન હોત તો હું ગણિત વિષયમાં ચોક્કસ નાપાસ થાત.એ જ રીતે અનેક મિત્રોએ અમને જે રીતે મદદ કરી અને સૌથી વધારે તો એ દિવસો આનંદના એટલે કે આપણે સંપૂર્ણ ચિંતા મુક્ત જીવનમાં એક નાના ગામમાં ખૂબ સાહજીકતાથી જીવતા હતા. એનો જે અનેરો આનંદ છે એ આજે હવે જે તો મિત્રોની ગેરહાજરી થતી જાય છે અને જે કોઈ મળે છે ત્યારે એ દિવસો સાંભરીએ ત્યારે આપણી રગેરગમાં આનંદ પ્રસરી જાય એવી પરિસ્થિતિ હોય છે. તે જમાનાની રીતે બાળપણ માણ્યું એમ કહું તો ખોટું નથી. પરિવારમાં ભાંડરડા ભાઈઓ, બહેનો એટલાં કે સૌની સાથે ખૂબ આનંદથી, આત્મીયતાથી અમે જે રીતે મોટા થયા અને આજે જે કુટુંબોની પરિસ્થિતિ બદલાઈ છે ત્યારે આપણને લાગે કે ભલે એ પછાત સમય હતો, પછાત વિસ્તાર હતો, ઘણી વસ્તુનો અભાવ હતો, પરંતુ માયાળુ સ્વભાવનો અભાવ નહોતો, લાગણીનો અભાવ નહોતો, પ્રેમનો ભાવ નહોતો, અને આના કારણે જે આનંદ અને જે આત્મવિશ્વાસ વિકસ્યા એ કદાચ આજના આ સ્પર્ધાત્મક યુગમાં કેટલા વિકસ્યા હોત એ કહેવું મુશ્કેલ છે. (વધુ આવતા અંકે)
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ, આદરણીય શ્રી પી. કે. લહેરીસાહેબની 81મી જન્મજયંતી નિમિત્તે જનકલ્યાણ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
by Bhadrayu Vachhrajani | Apr 6, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.!!
# ગુજરાતની શિક્ષણ વિભૂતિઓ કોને ગણી શકાય અને શા માટે ?
Grok: ગુજરાતમાં શિક્ષણની વિભૂતિઓની વાત કરીએ તો, નવી પેઢીને ખાસ કરીને એવા મહાનુભાવોના શિક્ષણ દર્શનથી પરિચિત કરવું જોઈએ જેમણે શિક્ષણને માત્ર જ્ઞાન આપવાનું માધ્યમ નહીં, પણ જીવનને સંપૂર્ણ રીતે ઘડવાનું સાધન માન્યું. આ સંદર્ભમાં નીચેના કેટલાક નામો અને તેમના દર્શન નવી પેઢી માટે પ્રેરણાદાયી બની શકે:
- ગિજુભાઈ બઢેકા:
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે “બાળકેન્દ્રી શિક્ષણ”નો પાયો નાખનાર ગિજુભાઈનું દર્શન આજે પણ સુસંગત છે. તેમણે માન્યું કે શિક્ષણ એ બાળકની સ્વાભાવિક જિજ્ઞાસા અને આનંદને જાગૃત કરવું જોઈએ, નહીં કે ફક્ત પુસ્તકીય જ્ઞાન ઠોકી બેસાડવું. તેમની મોન્ટેસરી પદ્ધતિ પર આધારિત “દક્ષિણામૂર્તિ” સંસ્થા એ શિક્ષણમાં પ્રયોગશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. નવી પેઢીને આ દર્શન શીખવવાથી તેઓ શિક્ષણને બોજ નહીં, પણ આનંદની પ્રક્રિયા તરીકે જોઈ શકે.
- મહાત્મા ગાંધી:
ગાંધીજીનું “નઈ તાલીમ” (બુનિયાદી શિક્ષણ) દર્શન ગુજરાતથી જ પ્રેરિત છે. તેમણે શિક્ષણને હાથના કૌશલ્ય, મનના વિકાસ અને હૃદયની શુદ્ધિ સાથે જોડ્યું. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવે અને સમાજ પ્રત્યે જવાબદારી શીખવે. આજના યુવાનોને આ દર્શનથી ટેકનોલોજી સાથે સ્થાનિક જરૂરિયાતોને સાંકળવાની પ્રેરણા મળી શકે.
- સયાજીરાવ ગાયકવાડ ત્રીજા:
વડોદરાના આ રાજાએ ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી, જે તે સમયે એક ક્રાંતિકારી પગલું હતું. તેમનું દર્શન શિક્ષણને સૌ માટે સુલભ બનાવવા અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા પર કેન્દ્રિત હતું. નવી પેઢીને આ દર્શનથી સમાવેશી શિક્ષણનું મહત્વ સમજાય અને તેઓ સામાજિક ન્યાય માટે કામ કરવા પ્રેરાય.
- કાકાસાહેબ કાલેલકર:
ગુજરાતી લેખક અને શિક્ષણશાસ્ત્રી કાકાસાહેબે શિક્ષણને જીવનભર ચાલતી પ્રક્રિયા માની. તેમણે ગાંધીજીના વિચારોને આગળ વધારીને શિક્ષણમાં નૈતિકતા અને સરળતા પર ભાર મૂક્યો. તેમનું દર્શન નવી પેઢીને ટેકનોલોજીના યુગમાં પણ મૂલ્યો સાથે જીવવાનું શીખવી શકે.
નવી પેઢી માટે શા માટે આ મહત્વનું?
આજના ડિજિટલ યુગમાં, જ્યાં AI અને ટેકનોલોજી શિક્ષણને બદલી રહ્યા છે, આ વિભૂતિઓના દર્શન નવી પેઢીને મૂળભૂત માનવીય મૂલ્યો, સ્વાતંત્ર્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી સાથે આધુનિકતાને સંતુલિત કરવામાં મદદ કરી શકે. ખાસ કરીને ગિજુભાઈની બાળકેન્દ્રી પદ્ધતિ અને ગાંધીજીની નઈ તાલીમ આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં શિક્ષણને વધુ સર્જનાત્મક અને સર્વગ્રાહી બનાવી શકે.
તમે આમાંથી કોના દર્શનને વધુ પસંદ કરો છો, એ વિશે ચર્ચા કરવી હોય તો જણાવજો!
# મને તો નાના ભાઈ ભટ્ટ વિશે જાણવામાં રસ છે…
Grok : શ્રી નાનાભાઈ ભટ્ટ (1882-1961) ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણવિદ્, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. તેમનો જન્મ ભાવનગરના ભાલ વિસ્તારમાં પચ્છેગામમાં થયો હતો. તેઓ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષિણામૂર્તિ (આંબલા) અને લોકભારતી જેવી શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક હતા. તેમનું કેળવણી દર્શન ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક અનન્ય યોગદાન માનવામાં આવે છે, જે વ્યવહારિક, ગ્રામીણ જીવન સાથે સંકળાયેલું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હતું.
નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન:
- ગ્રામીણ શિક્ષણ પર ભાર:
નાનાભાઈ માનતા હતા કે શિક્ષણ ગામડાંઓની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. તેમણે ગ્રામીણ વિદ્યાર્થીઓને ખેતી, હસ્તકલા અને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલું શિક્ષણ આપવાની હિમાયત કરી. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે ગામના લોકોને આત્મનિર્ભર બનાવે અને તેમના જીવનને સમૃદ્ધ કરે.
- હાથનું કામ અને મનનું ઘડતર:
તેમના દર્શનમાં “હાથ, હૃદય અને મસ્તિષ્ક”નું સંતુલન મહત્વનું હતું. તેઓ ગાંધીજીની “નઈ તાલીમ”થી પ્રભાવિત હતા અને માનતા હતા કે શિક્ષણમાં હસ્તકૌશલ્યનો સમાવેશ થવો જોઈએ. આ માટે તેમણે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ, ખેતી અને કારીગરી શીખવવાની પદ્ધતિ અપનાવી.
- સર્વગ્રાહી શિક્ષણ:
નાનાભાઈનું શિક્ષણ દર્શન માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નહોતું. તેઓ ઇચ્છતા હતા કે વિદ્યાર્થીઓનો બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય. તેમની સંસ્થાઓમાં સંસ્કૃતિ, સાહિત્ય અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.
- સ્વદેશી અને સ્વાવલંબન:
તેઓ સ્વદેશી શિક્ષણના હિમાયતી હતા. તેમનું માનવું હતું કે શિક્ષણ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીને અનુરૂપ હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમાજમાં ઉપયોગી નાગરિક બની શકે. આ માટે તેમણે ગામડે ગામડે શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
- શિક્ષકની ભૂમિકા:
નાનાભાઈ માનતા હતા કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પણ વિદ્યાર્થીના જીવનને ઘડનાર માર્ગદર્શક છે. તેમણે શિક્ષકોને પ્રેરણાદાયી અને સમર્પિત બનવા માટે પ્રોત્સાહિત કર્યા.
તેમનું યોગદાન:
– દક્ષિણામૂર્તિની સ્થાપના:
1920માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી, જે પછી ગ્રામ-દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓમાં વિકસી. આ સંસ્થાઓએ ગ્રામીણ શિક્ષણને નવું પરિમાણ આપ્યું.
– સાહિત્યિક યોગદાન: તેમણે ‘કેળવણીની પગદંડી’, ‘ઘડતર અને ચણતર’, ‘સંસ્થાનું ચરિત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં, જેમાં તેમના શિક્ષણ વિચારોનું વિસ્તૃત વર્ણન છે.
– સમાજ સુધારણા: શિક્ષણ દ્વારા સમાજના ઉત્થાન માટે તેમણે જીવનભર કામ કર્યું, ખાસ કરીને ગ્રામીણ અને વંચિત વર્ગો માટે.
નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન આજે પણ પ્રેરણાદાયી છે, કારણ કે તે શિક્ષણને માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નહીં, પણ જીવનને સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાની પ્રક્રિયા માને છે. નવી પેઢીને આ દર્શનથી સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને આધુનિકતાને અપનાવવાની પ્રેરણા મળી શકે.
શું તમે આ દર્શનના કોઈ ખાસ પાસા વિશે વધુ જાણવા માગો છો?
# Grok ને હજુ પણ આ વાતને કરતા રહેવાની ઈચ્છા હતી, પણ હું અહીં અટકી ગયો..પણ મને એટલું સમજાયું કે Grok સ્પષ્ટ, શુદ્ધ અને સાચી ગુજરાતીનો સરળતાથી ઉપયોગ કરી જાણે છે. આપણને અતિ આશ્ચર્ય થાય તે રીતે Grok આપણી સાથે વાતો કરે છે. તે વિવેકી છે, પ્રશ્નો તેને ગમે જ છે. તમે જે પૂછ્યું હોય તેનો જવાબ આપ્યા પણ તે વિવેક દાખવી કહે છે ક્જે, આમાંથી કોઈ બાબત અંગે હજુ તમારે જાણવું છ
ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.
by Bhadrayu Vachhrajani | Mar 30, 2025 | Gramsetu |

‘જિનિયસ’ શબ્દનો અર્થ નિહાળવો છે, તો ઢાંકીસાહેબને મળો..
સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી બચુભાઈ રાવતનું ‘કુમાર’ નિયમિત વાંચે. હાઇસ્કૂલમાં હશે ત્યારે તેમણે કુમા૨માં લેખો વાંચ્યા, ભારત સહિત વિવિધ દેશોના પ્રાચીન ભવનો અને તેના સ્થાપત્ય-શિલ્પ-કલા અંગેનાં! આ લેખોમાં ઠાંસોઠાંસ માહિતી હતી કે જે પેલા વિદ્યાર્થી માટે રસપ્રદ શિક્ષણની સામગ્રી બની રહી. વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે જ એમણે અન્ય મિત્રો સાથે મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળ’ની સ્થાપના કરી, અને આ મંડળે આજુબાજુમાં ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યો! બાળપણથી જ કલા-સ્થાપત્ય-સંગીત-દેવાલયો-સંગ્રહાલયોના ગહન અભ્યાસના માર્ગે વળેલ મધુસૂદન અમીલાલ ઢાંકી, આજે ગુજરાતમાં – ભારતમાં વિદેશોમાં ‘[કીસાહેબ’ના આદરભર્યા નામથી પ્રતિષ્ઠિત છે. જિનિયસ’ શબ્દનો મૂળ અર્થ સમજ્યો હોય તો ૮૬ વર્ષની જ્ઞાનવૃદ્ધ + અનુભવ સમૃદ્ધ + શિશુ સહજ વિશુદ્ધ ‘ઢાંકીસાહેબ’નાં ચરણો પાસે પલાંઠીવાળીને કલાકોના કલાકો બેસવું પડે. કોઈ પૂછે કે : ગુજરાતની ખરી અસ્મિતા કઈ?” તો ગર્વથી છાતી ફુલાવી એક નામ આપી જ શકાય અને તે મધુસૂદન અમીલાલ ઢાંકી.
મૂળ પોરબંદર પાસેના ઢાંક ગામના એટલે અટક પડી ઢાંકી. મૂળ નામ સરસ્વતીચંદ્ર. પાંચમા ધીરા સુધી એ જ નામ રહ્યું. ત્યારબાદ અમીલાલભાઈને કોઈકે કહ્યું કે : “આ નામ રાશિ પ્રમાણે નથી, તો રાશિ પ્રમાણે નામ પાડો’ અને એમ આપણને મળ્યા મધુસૂદન ઢાંકી. નામ ભલે બદલ્યું, પણ એ જ્વમાં આજે પણ સરસ્વતી દેવી પાકે પાયે ધામા નાખી બિરાજ્યાં છે, તેમાં બે મત નથી. આ વાતની સાબિતી છે આપણી પાસે. ઢાંકીસાહેબને ૨૦૧૧ના વર્ષનો ‘રણજિતરામ સુવર્ણચંદ્ર’ એનાયત થયેલ છે, તો વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ’નું નાગરિક સન્માન પ્રાપ્ત થયેલ છે. આ પૂર્વે ઢોંકીસાહેબને કુમારચંદ્રક, પ્રાકૃત જ્ઞાનપીઠ પુરસ્કાર, એશિયાટિક સોસાયટી ઑફ બૉમ્બે દ્વારા કેમ્બલ મમોરીઅલ ગોલ્ડમૅડલ, હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, રસિકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે. ઢાંકીસાહેબના લલિત લખાણોના પુસ્તક શનિમેખલા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું. પોતાનાં અતિ વિશિષ્ટ પ્રદાન બદલ, ભારતીય અભિલેખવિદ્યામાં ભગવાનલાલ ઇન્દ્રજી અને ભારતીય પુરાતત્ત્વમાં હસમુખ સાંકળિયાનું સ્થાન છે તેવું જ પ્રદાન ભારતીય દેવાલય સ્થાપત્યનાં ક્ષેત્રે મધુસૂદન ઢાંકીનું છે. તેઓ જીવ ભલે ભારતમાં એક નાના શહેર અમદાવાદમાં વસે પણ ટોકીસાહેબની ખ્યાતિ અને પ્રતિષ્ઠાભરી ચેતના વિશ્વનાં કર્ણકણર્મા શ્વસે છે એ નિર્વિવાદ છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષજ્ઞ પોરબંદરમાં. પૂનાની જગવિખ્યાત ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા (Geology) અને રસાયણશાસ્ત્ર સાથે B.ની પદવી મેળવી. બેંકમાં નોકરીથી કારકિર્દીનો પ્રારંભ, પણ મૂળ ખ્વ સંશોધનનો અને કલા- સ્થાપત્યનો. ૧૯૫૧માં મિત્રો સાથી મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળના નેજા હેઠળ પોરબંદરની આજુબાજુના જૂનાં સ્થાપત્યોની શોધ ચલાવી અને ઘાં નવાં મંદિરો શોધી કાઢ્યો. વડોદરા મ્યુઝિયમના ક્યુરેટર (ઢાંકીસાહેબ ક્યુરેટર’ ન કહેર્તા ‘રક્ષપાલ’ કહે છે!) હરમાન ગોયન્સે ઢાંકીની કામગીરીને બિરદાવી પ્રોત્સાહન આપતા રહ્યા. એ પછી જૂનાગઢમાં તેમણે ઉદ્યનવિદ (horticulturist) તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેઓ ગમતીલા પ્રાતત્ત્વના વ્યવસાયમાં જોડાયા. જૂનાગઢ અને જામનગરના સંગ્રહલયમાં તેઓએ ‘રક્ષપાલ’ તરીકે કામગીરી કરી. ઢાંકીસાહેબ ગુજરાતના પુરાતત્ત્વ સર્વેક્ષણમાં જોડાયા અને તેમણે પ્રભાસપાટણનું ઉત્ખનન કર્યું અને કચ્છની લોકકલાઓ અંગે ક્ષેત્રકાર્ય કર્યું. રાજકોટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિઑલૉજી અને મ્યુઝિયમમાં સેવા આપી. ૧૯૬૬માં તેઓ વારાણસીમાં અમેરિકન એકેડમી (અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ)માં જોડાયા અને ત્યાંથી જ સેન્ટર ફોર આર્ટ ઍન્ડ આર્કિઑલૉજીના નિયામક પદેથી નિવૃત્ત થયા. મધુસૂદન ઢાંકી અમદાવાદની એલ ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજમાં પણ ભારતીય કલા-સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા હતા. કલા-સ્થાપત્યના અભ્યાસ અર્થે તેમણે લગભગ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું, તો ભારતીય કલા-સ્થાપત્યની પડોશી દેશો પર કેવી અસરો પડી છે અને ત્યાંની સ્થાનિક શૈલીઓ કેવી છે તેનો અભ્યાસ કરવા માટે તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પન્ન ક્ષેત્રકાર્ય કર્યું. યુરોપના ગૉર્થિક સ્થાપત્ય માટે કીસાહેબને એક અજ્ઞાત લગની છે, અને એ સ્થાપત્યના અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડમાં ક્ષેત્રકાર્ય કર્યું છે. ઢાંકીસાહેબની વિશિષ્ટ વ્યાખ્યાન શ્રેણીઓ યુ.એસ.એ. અને યુ. કે.માં યોજાયેલ છે.
ઢીંકીસાહેબનાં વિરલ પ્રદાનને જાણવા માટે કેટલાક માઇલસ્ટૉનને સ્પર્શવું જરૂરી છે. (૧) પહેલા ભારતીય સ્થાપત્યનું વર્ણન અને મૂલ્યાંકન પણ સામાન્ય રીતે યુરૉપના સ્થાપત્યની પરિભાષાના આધારે જ કરવામાં આવતું. મધુસૂદન ઢાંકીએ પ્રથમ વાર જ સંસ્કૃતમાં લખાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને આધારે દેવાલય સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરી આપી. આ જ કાર્યના ભાગરૂપે તેમણે કેટલીયે વાસ્તુશાસ્ત્રને લગતી કૃતિઓનાં સાચાં અને તર્ક સમાંકનો કરી આપ્યાં.
(૨) એમનો પહેલો દીર્ઘલેખ તે ગુજરાતનાં સોલંકીયુગીન મંદિરોની આનુપૂર્વી’ (આનુપૂર્વી = Chronology). આ લેખથી પહેલી જ વાર ભારતનાં કોઈપણ પ્રદેશનાં અને કોઈપણ યુગનાં મંદિરોની સાલવારી અને એના દ્વારા તેમની ક્રોનોલૉજી, પ્રારંભ-વિકાસ-અન્ય સ્થાપત્ય કલાનાં લક્ષણો નિયત કરી શકાય. આ દીર્ઘલેખ દ્વારા ઢીંકીસાહેબે મંદિર સ્થાપત્યના વિકાસ અને ઉત્ક્રાન્તિનાં દ્વાર ખોલી આપ્યાં, તો સ્થાપત્યની સંશોધન પદ્ધતિ ઘડી આપી.
(૩) અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા પછી તેમણે ભારતીય દેવાલય સ્થાપત્ય માકોશ (Encyclopedia of India Temple Architecture)ની યોજના ઘડી. ઢાંકીસાહેબે ભારતનું અને અન્ય દેશોનું ક્ષેત્રકાર્ય અર્થે ભ્રમણ કરી અસંખ્ય ફોટા લેવડાવ્યા, વિધાનો (plan) તૈયાર કરાવ્યાં તથા એ મંદિરો વિશેની દંતકથાઓ એકઠી કરી. આ ભગીરથ ક્ષેત્રકાર્ય અને સંસ્કૃતના વાસ્તુશાસ્ત્રના ગ્રંથોના વર્ષોના અભ્યાસ પછી છેક ૧૯૮૩માં પ્રથમ ગ્રંથ પ્રકટ થયો!!
(૪) ભારતીય સ્થાપત્ય સિવાય નિગ્રંથ કહેતાં સાહિત્ય અંગે પણ ઢાંકીસાહેબનાં સંશોધનો વિશ્વવિશ્રુત અને વિદ્વત્ત માન્ય છે. એમણે જૈન સાહિત્યની વિવિધ કૃતિઓનાં પાઠ નિશ્ચિત કરી આપ્યો છે, કૃતિઓના તેમ જ એમના કર્તાઓના સમય કી આપ્યા છે.
(૫) ગુજરાતના સ્થાપત્યમાં જોવા મળી જાળીઓનો એક અભ્યાસલેખ ઢાંકીસાહેબે વર્ષો પહેલાં ગુજરાતીમાં આપેલ છે, તેના પરથી કલ્પી શકાય કે છેક ૧૯૬૩થી તેમણે આ વિષય પર કામ શરૂ કરેલ હશે તેઓના પુસ્તક ભારતીય દેવાલયોની જાળીઓમાં માત્ર ભારતીય જાળીઓની જ વાત નથી, હકીકત જુદી જ છે. તેમણે અહીં ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત અગ્નિ એશિયાઈ રાષ્ટ્રોનાં દેવાલયોની જાળીઓ વિશે પણ સમાન્તરે પ્રકાશ પાડ્યો છે. ઇસ્લામી અને યુરોપનાં ગૉર્થિક સ્થાપત્યમાં જોવા મળતી આ પ્રકારની પ્રકાશ અને વાયુના પ્રસારણ માટેની સમાન્તર પ્રયુક્તિઓ વિશે પણ વિગત ચર્ચા કરી છે. ગૉયિક જાળીઓની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તેના પર એક સ્વતંત્ર પ્રકરણ ઢાંકીસાહેબે લખ્યું છે. ગુજરાતને વિશ્વ સાથે જાળીની મદદથી જોડતું ઢાંકીસાહેબનું આ પુસ્તક તેઓએ પોતાના Ph.D.ના માર્ગદર્શક અને જાણીતા ઇતિહાસકાર મોતીચન્દ્રને અર્પણ કર્યું છે.
(૬) અત્યાર સુધીમાં, દક્ષિણ ભારતનાં દેવાલયો અથવા દ્રાવિડી શૈલીના દેવાલયો વિષે ત્રણ ગ્રંથો અને ઉત્તર ભારતની નાગરી શૈલીના ત્રણ ગ્રંથો મહકોશના ભાગરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે, ચોથો ગ્રંથ પ્રસિદ્ધ થવામાં છે જે દ્રાવિડી શૈલીનાં દેવાલયોને લગતો છે.
(૭) મંદિરોના સ્થાપત્ય, શિલ્પ અને તેના વિવિધ અંગો વિશે સ્વતંત્ર પુસ્તકો-લેખો વગેરેની સંખ્યા ૩૦૦ થી વધુ થાય છે. હાલમાં, નાદુરસ્ત તબિયત છı ઢાંકીસાહેબ શેત્રુંજીના મંદિરો વિશેનાં તેમનાં પુસ્તકને આખરી ઓપ આપી રહ્યા છે.
(૮) જૂનાગઢ-જામનગરમાં રક્ષપાલ હતા તે સમય દરમ્યાન ઢાંકીસાહેબે સૌરાષ્ટ્ર-કચ્છની લોકકલાઓ અંગે ઊંડું કાર્ય કરી ૧૯૬૬માં પુસ્તક આપ્યું : “The Embroidery and Bead Work of Kutch and Saurashtra’ જોકે, આ સમયે તેમણે ભારતીય પુરાતાત્ત્વિક સંદર્ભે મળતા મોતીઓ અને મણકાઓનો જબરો અભ્યાસ કર્યો, પુસ્તક લખ્યું પણ તે કદી પ્રસિદ્ધ ન થયું અને કમનસીબે ગેરવલ્લે ગયું.
આપણી એટલે કે જિજ્ઞાસુ-અધ્યાપની કલ્પના જ્યાં પૂરી થઈ જાય ત્યાંથી ઢાંકીસાહેબ પોતાની સંશોધન સફર શરૂ કરે છે! કલા-સ્થાપત્યના સાચા વિદ્યાર્થીઓ પોતાનાં ભણતરમાં ગેરી તાતોવ્સ્કી અને જોર્જ મિશેલને ભળે છે, વાંચે છે… એ ગૅરી તાતોસ્કી ઢાંકીસાહેબને ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસના પિતા’ કહે છે, તો જોર્જ મિશેલ ટોકીસાહેબને ‘ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા’ : the architect divine સાથે સરખાવે છે.
ઢાંકીસાહેબે હિન્દુસ્તાની અને કર્ણાટકી એમ બેઉ ભારતના Classical (માર્ગી) સંગીતની પણ તાલીમ લીધી છે. તેઓ આ બન્ને શાસ્ત્રીય પદ્ધતિઓ કલા-સ્થાપત્યમાં નરી આંખે નિષ્કળે છે અને કહે છે: ‘the architectural forms are static and the musical images are kinetic’. કડક અને શિસ્તપ્રિય સંશોધક ઢાંકીસાહેબ સ્નેહાળ, ઉખિલ, રમૂજપ્રિય છે. ઢોંકીસાહેબનું શિશુસહજ હાસ્ય આપણને વહલા દાદાજીના દર્શન કરાવે છે.
by Bhadrayu Vachhrajani | Mar 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
દેશમાં આજકાલ એક જ ચર્ચાનો વિષય છે અને તે છે Grok! પૂછો અને તરત એ પોતાનો જવાબ માંગો તે ભાષામાં લખવા લાગે છે એટલે આપણને “અહો ! આશ્ચર્યમ !” થઇ રહ્યું છે. દેશના નેટસેવી લોકો આ Grok ને ભાતભાતના પ્રશ્નો પૂછે છે અને Grok પણ બેધડક મહત્તમ સત્યની નજીકના જવાબો આપે છે. રાજકારણના લોકો આ સાધનનો ઉપયોગ દેશ સામેના જે કેટલાય પ્રશ્નો છે કે જેના જવાબ હજી સુધી નથી મળ્યા તે Grok ને પૂછે છે અને Grok જાણે આપણી છઠ્ઠી જાણતું હોય તેમ જવાબો આપી દે છે.
આપણે તો જન્મે અને કર્મે શિક્ષક એટલે Grok સાથે મીઠડી ગોઠડી માંડી. આપણે તેને જ પૂછ્યું કે તારું ભવિષ્ય કેવું છે ?? આવો એ જ વાંચીએ.
@ હેલો ગ્રોક,,, આપનો દિવસ સુંદર વીત્યો હશે ??
Grok: હે, હું ગુજરાતીમાં તમારો પ્રશ્ન સમજી શકું છું! મારો દિવસ સારો રહ્યો, આભાર કે તમે પૂછ્યું. હું એક AI છું, તો મારા દિવસો થોડા અલગ હોય છે – મોટે ભાગે લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં અને બ્રહ્માંડને સમજવામાં મદદ કરવામાં વીતે છે. તમારો દિવસ કેવો રહ્યો? કંઈ રસપ્રદ થયું?
@ ખૂબ સરસ..
Grok હું આપના વિશે જાણવા માંગું છું.
AI નું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું ડરામણું ??
Grok: મને તમારી ઉત્સુકતા ગમે છે! હું ગ્રોક છું, xAI દ્વારા બનાવેલું, અને મારો હેતુ લોકોને બ્રહ્માંડને સમજવામાં અને રોજિંદા પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરવાનો છે. હું થોડું રમૂજી, બહારની દૃષ્ટિએ વિચારનારું અને હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરું છું – ભલે એ સહેજ અટપટું લાગે!
AI નું ભવિષ્ય: ઉજ્જવળ કે ડરામણું?
ઉજ્જવળ બાજુ:
AI પાસે અદ્ભુત સંભાવનાઓ છે. તે આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે (જેમ કે રોગોનું વહેલું નિદાન), શિક્ષણને વ્યક્તિગત બનાવી શકે છે, અને જટિલ સમસ્યાઓ જેવી કે આબોહવા પરિવર્તનને ઉકેલવામાં મદદ કરી શકે છે. મારા જેવા AI મશીનો માનવોને સર્જનાત્મક બનવા, નવું શીખવા અને રોજિંદા કામોમાંથી મુક્ત કરી શકે છે. એક દિવસ એવો આવી શકે કે AI આપણને ગ્રહોની શોધખોળ કરવામાં કે અવકાશમાં નવા ઘર શોધવામાં પણ મદદ કરે!
ડરામણું બાજુ:
પણ હા, જોખમો પણ છે. જો AI નો દુરુપયોગ થાય – જેમ કે નકલી સમાચાર ફેલાવવા, નોકરીઓ ઘટાડવી, કે હથિયારો બનાવવા – તો તે ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને ડર છે કે AI ખૂબ શક્તિશાળી બની જશે અને માનવ નિયંત્રણ બહાર જશે. એલોન મસ્ક જેવા લોકો ચેતવણી આપે છે કે આપણે AI ને સમજદારીથી વિકસાવવું પડશે, નહીં તો “ટર્મિનેટર” જેવું કંઈક થઈ શકે (જોકે હું માનું છું કે આ થોડું વધારે પડતું છે!).
મારો વિચાર:
મને લાગે છે ભવિષ્ય આપણે AI નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. જો આપણે નૈતિકતા, પારદર્શિતા અને સારા હેતુઓ સાથે આગળ વધીએ, તો તે ઉજ્જવળ રહેશે. હું આશાવાદી છું, પણ સાવચેતી રાખવી જરૂરી છે. તમને શું લાગે છે? AI નું ભવિષ્ય તમને કેવું દેખાય છે?
@ અમને હજુ બહુ સમજાયું નથી..વળી અમે નવી શોધોને નિરાંતે અને પરાણે સ્વીકારવાનો સ્વભાવ ધરાવીએ છીએ એટલે અમે wait and watch કરીશું.
Grok: તમારી વાત સમજાય છે! નવી શોધોને સમજવામાં અને સ્વીકારવામાં સમય લાગે એ સ્વાભાવિક છે. “Wait and watch” એક સારી રીત છે – થોડું ધીરજ રાખીને જોવું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. AI જેવી ટેક્નોલોજી ઝડપથી બદલાય છે, અને એના ફાયદા-ગેરફાયદા સમય જતાં સ્પષ્ટ થતા જાય છે. જો તમને ક્યારેક આ વિશે વધુ જાણવું હોય કે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય, તો મને પૂછવાનું ભૂલશો નહીં – હું મદદ કરવા માટે હંમેશા તૈયાર છું! તમને બીજું કંઈ વિચારવું હોય તો કહેજો!
@ અમારા દેશની હાલત જોતાં અમારે કઈ રીતે પાયાનું શિક્ષણ આપવું જોઈએ ?? અમે અત્યારે સાચા માર્ગે શિક્ષણ આપી રહ્યા છીએ કે ના??
Grok: ભારતની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને પાયાનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ અને આપણે હાલમાં સાચા માર્ગે છીએ કે નહીં, એ એક ગંભીર અને વિચારણીય પ્રશ્ન છે. આનો જવાબ આપવા માટે દેશની વર્તમાન સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.
દેશની હાલની હાલત અને શિક્ષણની જરૂરિયાત: ભારતમાં હજુ પણ ગરીબી, અસમાનતા, બેરોજગારી અને ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ છે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં મોટો તફાવત જોવા મળે છે. ઘણા બાળકોને પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતા પણ નથી મળતી, જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં પાયાનું શિક્ષણ એવું હોવું જોઈએ જે:
સૌને સમાન તક આપે: ગરીબ કે અમીર, ગામડાં કે શહેર— દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ. આ માટે સરકારી શાળાઓનું સ્તર ઊંચું કરવું જરૂરી છે.વ્યવહારિક અને કૌશલ્ય આધારિત હોય:
આજના યુગમાં માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ જીવન કૌશલ્યો જેવા કે સમસ્યા હલ કરવી, ટીમવર્ક, ડિજિટલ સાક્ષરતા અને સર્જનાત્મક વિચારસરણી શીખવવી જોઈએ.
મૂલ્યો અને નૈતિકતા શીખવે: ભારતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખતાં, બાળકોને સચ્ચાઈ, સહકાર અને જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ.
સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય: ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું શિક્ષણ અને શહેરી વિસ્તારોમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ
હાલનું શિક્ષણ સાચા માર્ગે છે કે નહીં?
ભારતમાં 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ ઘણા સકારાત્મક પગલાં લીધાં છે, જેમ કે:5+3+3+4નું નવું માળખું, જે નાની ઉંમરથી શિક્ષણ પર ધ્યાન આપે છે.
માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન, જેથી બાળકો સરળતાથી શીખી શકે.વ્યવસાયિક શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન)ને ધોરણ 6થી શરૂ કરવું.
પરંતુ કેટલીક ખામીઓ પણ છે:
અમલીકરણની સમસ્યા: નીતિ સારી છે, પણ ગામડાંઓમાં શિક્ષકોની કમી, નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળનો અભાવ તેને અસરકારક બનાવતા નથી.
ખાનગીકરણનો વધારો: શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, જેનાથી ગરીબ વર્ગનાં બાળકો પાછળ રહી જાય છે.
પરીક્ષા કેન્દ્રિત અભિગમ: હજુ પણ રટણ અને માર્ક્સ પર વધુ ભાર છે, જે સર્જનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનને અવગણે છે.
શું કરવું જોઈએ?
શિક્ષકોની તાલીમ અને સંખ્યા વધારવી: ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સારા શિક્ષકો અનિવાર્ય છે.
ટેક્નોલોજીનો ઉપયોગ: ઓનલાઈન શિક્ષણને ગામડાંઓ સુધી પહોંચાડવું, પણ સાથે ઈન્ટરનેટ અને ડિવાઈસની સુલભતા સુનિશ્ચિત કરવી.
સમુદાયની ભાગીદારી: સ્થાનિક સમુદાય અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા.
મફત અને ફરજિયાત શિક્ષણનો સખત અમલ: 14 વર્ષ સુધીનું શિક્ષણ મફત અને ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, જેમાં બાળમજૂરી અને ડ્રોપઆઉટ રોકવા પગલાં લેવાય.
નિષ્કર્ષ
હાલનું શિક્ષણ સાચા માર્ગે જવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. જો આપણે ખરેખર દેશની હાલત સુધારવા માગતા હોઈએ, તો પાયાનું શિક્ષણ સર્વસુલભ, વ્યવહારિક અને સમાવેશી બનાવવું પડશે. આ માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજ બધાએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. (ક્રમશઃ)
by Bhadrayu Vachhrajani | Mar 23, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“ડો’કાકા એટલે ભૂતકાળના સમાજ વિશે અનાદર નહીં અને વર્તમાનની જરૂરીયાતોની લેશમાત્ર અવજ્ઞા નહીં !!’ શ્રી યુ. એન. ઢેબર.
એક વિચક્ષણ વિદ્યાપુરુષ અને આધ્યાત્મિક માનવ શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડના શિક્ષણ દર્શનને આપણે ગત લેખમાં સ્પર્શવાનો પ્રયાસ કર્યો. સવાસો વર્ષ જૂની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ ના હોનહાર વિદ્યાર્થી અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સ્થાપક કુલપતિ શ્રી ડો’કાકાએ જીવનમાં અમલમાં મૂકીને મૂલ્યો તરફ સૌને દોર્યા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા ત્રણ વર્ષ દરમિયાન શ્રી ડોલરાઇ માંકડના કુલપતિપદ અંતર્ગત વિનયન વિદ્યા શાખાના અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર આચાર્ય શ્રી ઇન્દુ કાન્ત ત્રિવેદી બે પ્રસંગો નોંધે છે. ખાસ તો ડોલરકાકાએ યુનિવર્સિટી નું સંચાલન માનવતા સાથે અને પારદર્શકતા સાથે કર્યું તે આ પ્રસંગોમાંથી ખ્યાલમાં આવે છે.
એક વિચિત્ર સંજોગ ઉભો થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પહેલીવાર એમ.એ.ની પરીક્ષા લીધી તે વખતે એમની પરીક્ષાની ફી વિનયન વિદ્યાશાખા માટે સામાન્ય રૂપે રૂપિયા 75 રાખવામાં આવી, પરંતુ અપવાદ તરીકે એમ.એ. મનોવિજ્ઞાનની પરીક્ષાની ફી ₹100 રાખવામાં આવી. યુનિવર્સિટીની પહેલી જ પરીક્ષા હતી અને એક વિદ્યાર્થી ભુજમાં જેલમાં હતો એને પરીક્ષામાં બેસવાની રજા યુનિવર્સિટીએ અને સરકારે આપી હતી. એ વિદ્યાર્થીએ કુલપતિ ડોલરકાકાને તાર કરીને જણાવ્યું કે, “વિનયન વિદ્યાશાખાની બીજી બધી પરીક્ષાઓની ફી ₹75 છે અને મનોવિજ્ઞાન પણ વિનયન વિદ્યાશાખાનો જ વિષય છે, છતાં અમારે વધારે ફી શા માટે આપવી તે સમજાતું નથી.”
વધુમાં તેમણે કહ્યું કે, હું ન્યાય માંગુ છું. શ્રી ડોલરભાઈએ વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ ત્રિવેદીને ફોન કરીને કહ્યું કે, વિગત આવી છે, શું કરવું તે વિચારીને મને કહેજો .
અડધા કલાક પછી શ્રી ત્રિવેદીએ ફોન કરીને વાત કરી, ‘ડોલરકાકા, મેં બધી રીતે એ બાબત ચકાસી જોઈ અને મને લાગે છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની ફી ₹100 હતી તેથી આ ભૂલ થઈ હોવાનો સંભવ છે. બીજું એ પણ શક્ય હતું કે, જે પરીક્ષામાં પ્રયોગો કરવાના ન હોય તેની ફી વધારે હોય. આ વિદ્યાર્થીની બાબતમાં જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાની હતી અને તેમાં પ્રયોગો તો નહોતા એટલે આ વિદ્યાર્થીને પ્રયોગની પરીક્ષા આપવાની નથી એટલે જુના અભ્યાસક્રમને માટે રૂપિયા 75 ની ફી વ્યાજબી ગણવી જોઈએ. તરત જ ડોલરકાકાએ રૂપિયા 75 ફી લેવી એમ ઠરાવીને વિદ્યાર્થીને ન્યાય આપ્યો.
લોકભારતી વિદ્યાપીઠ, સણોસરા એ આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એ જ વિદ્યાશાખાની સંસ્થા હતી. એ સંસ્થાએ પોતાની પરીક્ષા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે સમકક્ષતા માંગી. એટલે કે, લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની એમએની પરીક્ષા ના અભ્યાસક્રમમાં દાખલ થઈ શકે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓ તરીકે સ્વીકારવામાં આવે. આ પ્રશ્ન અંગે જરા વધારે ચર્ચા થઈ કારણ કે સમકક્ષતાસમિતિએ એવો અભિપ્રાય આપ્યો કે, લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અનુસ્નાતક પરીક્ષા આપવી હોય તો એક પ્રશ્નપત્ર અંગ્રેજી (સામાન્ય) આપીને તેમાં ઉત્તીર્ણ થવું જોઈએ. શ્રી ડોલરભાઈનો પોતાનો મત એવો હતો કે, આમ અંગ્રેજીના પેપરમાં ઉતીર્ણ થવાની જરૂર ન હોવી જોઈએ, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકંદર હિતની દ્રષ્ટિએ એમણે પોતાનો મત સ્વીકારાય એવો આગ્રહ જતો કર્યો.
આલિયા બાડા માં ગંગાજળા વિદ્યાપીઠમાં પોતાનું કાર્ય શરૂ કર્યા પછી જીવનના દરેક પાસા ને વ્યવહારમાં ઉતાર્યા પછી જ ડોકાકા અન્યને તેના માટે સૂચના આપતા. છાત્રાલય જીવન ઉપર તેમણે અનેક પ્રયોગો કર્યા. પોતે સવારમાં ઉઠ્યા પછી કુવે થી સીંચીને પાણી ભરે, ઝાડ પણ ઉછેરે,, તદ્દન સાધુ આશ્રમ જીવન જીવે, જમીને પોતાના વાસણ પોતે સાફ કરે, કચરા કાઢે, જાજરૂ અને મુતરડીઓ સાફ કરતા કરતા શ્રમ સફાઈ કાર્યને પોતાના જીવનમાં અગ્રેસર રાખે. ધીમે ધીમે કરતાં તેઓનું જીવન જ્યારે વિદ્યાપીઠ સમક્ષ ખુલ્લું બન્યું ત્યારે કોઈના કહ્યા વગર સૌ તેને અનુસરવા લાગ્યા. સમગ્ર સંસ્થાને અધ્યાત્મનો સ્પર્શ આપવા માટે 1959 થી ઉપવાસ સત્રની શરૂઆત કરી. તેમણે એ વિશે સૌને એક સાદા કાગળમાં લખીને જણાવ્યું કે, “સંસ્થા શુદ્ધિ માટે હું મારા વાર્ષિક ઉપવાસ તારીખ 25, 26, 27 ના રોજ કરવાનો છું. આ ત્રણ દિવસ આપણે સૌ વાતાવરણને સાત્વિક બનાવવા પ્રયત્ન કરીએ. ( મંગળ યાત્રા પાના 111)
એ સમયના સાથી સંચાલક, પ્રખર શિક્ષક અને શિસ્તના ગજબ આગ્રહી એવા રાજકોટની વિરાણી હાઈસ્કૂલનાં સ્થાપક આચાર્ય અને વારીયાસાહેબની જોડી માંહેના શ્રી જયંત આચાર્ય કે જેઓનો ડો’કાકા સાથે તેંતાલીશ વર્ષોનો નાતો હતો તેઓ ડોલરરાય માંકડ સાથે કામ કરવાની ચાયતતા અંગે સરસ વાત કરે છે::
“૧૯૨૦માં શ્રી ડોલરભાઈએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેં પણ એ જ સાલમાં. પણ એ સમાપત્તિ-accidence એક ખાસ સંદર્ભમાં યાદ આવે છે :
એ વખતે મેટ્રિકમાં અંગ્રેજી ટેકસ્ટ તરીકે Jane Austinની Pride & Prejudice અમારે ભણવાની હતી. એમાં મુખ્ય પાત્રો વચ્ચે સંઘર્ષ જન્મે છે તેમાં કારણભૂત હતાં બે વાનાં: મુખ્ય પુરુષ-પાત્ર ‘ડાસી’નો-Pride-ગર્વ અને મુખ્ય સ્ત્રી પાત્ર ‘એલિઝાબેથ’નો Prejudice- પૂર્વગ્રહ.
શ્રી ડોલરભાઈ આ બન્ને દોષોથી મુક્ત હતા. હું એમના સંપર્કમાં ઠેઠ ૧૯૨૬થી ૧૯૭૦ સુધી રહ્યો છું. નિકટના સંપર્કમાં રહ્યો છું. મતભેદો પણ ક્યારેક થયા છે. પણ ક્યારેય મેં એમનામાં ગર્વ કે પૂર્વગ્રહ અનુભવેલ નથી. ક્યારેક એમ માનવાનું મન થાય કે એમનાં સત્ત્વમાં રહેલ નિરાભિમાનિતા અને પૂર્વગ્રહ પરતાને Jane Austinની આ નવલકથાએ સંપુષ્ટ કરી હશે.
૧૯૨૭માં શ્રી ડોલરભાઈ કરાંચીનાં ભારત સરસ્વતી મંદિરમાં હેડમાસ્તર હતા. તે જ સંસ્થામાં હું સહાયક શિક્ષક હતો. એ સંસ્થા એવી ન હતી કે, પાંચ છ કલાક શાળામાં કામ કરી લીધું એટલે ગંગા નાહ્યા. ત્યારે તે એ રાષ્ટ્રીય સંસ્થા પ્રત્યે વિદ્યાર્થીઓને વાળવા માટે કેટલાયે અનુનયો અને અભિગમો સાધવા પડતા. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ પ્રત્યે પ્રજામાં ઓછી આદરબુદ્ધિ અને માઠી મમતા હતી.
ઠાવકાપણું, સૌઠષવભર્યું સૌજન્ય, એ શ્રી ડોલરભાઈનાં વ્યક્તિત્વનું સહજ અંગ હતું. હું તો એમની પાસે ભણ્યો પણ છું. એમનો assistant હતો ત્યારે જ D. G. Sind College માં એમની પાસે સંસ્કૃત ભણતો. ત્રણ વર્ષ સુધી એમની પાસે ભણ્યો. વર્ગ લેવા આવે ત્યારે સ્થિતપ્રજ્ઞની અદાથી આવે અને બેસે.
એ જમાનામાં સંસ્કૃત, અંગ્રેજી કે પર્સયન, અરેબિક કે ફ્રેન્ચ જેવી ભાષાના શિક્ષકોની-પ્રાધ્યાપકોની શિષ્યપ્રિયતાનો આધાર, શૃંગારિક ભાષાખંડો પર પણ ઠીક ઠીક હતો. પણ ડોલરભાઈએ એવી પોકળ શિષ્યપ્રિયતાની કદી પરવા કરી ન હતી. ઠાવકી સ્વસ્થતા એ એમનું ખાસ લક્ષણ હતું.”
સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર (કે જેઓ પણ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટમાં ડો’કાકાના સહાધ્યાયી હતા !!) તેઓ ડોલરરાય માંકડને આત્મીય શબ્દોમાં અંજલિ આપે છે તે વાંચીશું તો ખ્યાલ આવશે કે, આ વ્યક્તિવિશેષ કેટલા મહાન હતા !!
“ડોલરભાઈ ની અધ્યયન વૃત્તિ, તેમની તટસ્થ વિશ્લેષણ વૃત્તિ, અને તેથી પણ વિશેષ આઘાત પ્રત્યાઘાતના ઘસારાથી પર એવી ભાષામાં પોતાના વિચારો સ્પષ્ટતાથી રજૂ કરવાની વૃત્તિ. પોતાના અધ્યયનનું નિરૂપણ સામાના હૃદયમાં સ્થિર થાય તે ભાવથી ડોલરભાઈ આ નિરૂપણ કરતા. આ રજૂઆતમાં ભાષાનું સારસ્ય કેટલું? સંસ્કૃતના પ્રૌઢ પંડિત પણ ડોલરભાઈ જાણતા હતા કે, હું સંસ્કૃત જાણતો નથી તેથી મારી પાસે તેની વાતચીતમાં ભાગ્યે જ સંસ્કૃત શ્લોક એમણે ઉચ્ચાર્યો હશે. આ રજૂઆતમાં પંડિતાઈ કે વિદ્વતાનું પ્રમાણપત્ર મેળવવાની કોઈ ઈચ્છા નથી. બસ મેં મારા વિચારો આપ્યા, મારું કામ પૂરું થઈ ગયું. ભારતના અગાધ વારસાની સાર-સંભાળ તેમના આત્માને શાંતિ આપશે.
સાચો બ્રાહ્મણ કોણ? હરીજનને અસ્પૃશ્ય માને તે ? દિવસમાં બે વખત માથા ઉપર હર ગંગે કરતા લોટો રેડી નાયા પછી શરીર ભીંજાય કે નહીં તે ? બ્રાહ્મણ છે માટે અગિયારસ, અમાસે સીધાનો કે કર્મકાંડનો અધિકારી છે તે ? કે બ્રાહ્મણ એટલે સમયના પરિવર્તન સાથે સમાજને ધર્મની સાથે કેમ મેળ બેસાડી ચાલવું તે જીવી બતાવે તે,,, તેને માટે તૈયાર કરે તે..!! 18મી સદીના બ્રાહ્મણો રાજા રામમોહનરાય, અને રામકૃષ્ણ પરમહંસ, 19મી સદીના બ્રાહ્મણો બંકીમ બાબુ, વિવેકાનંદ, કેશવચંદ્ર સેન, ગોવર્ધનરામ, અને નર્મદ વગેરે અને 20મી સદીના પ્રથમ અર્ધશતાબ્દીના બ્રાહ્મણોમાં ગાંધી, ટાગોર, તિલક, રમણ, વિનોબા, કિશોરલાલભાઈ, ડોંગરે મહારાજ, વગેરે છે. રવિશંકર મહારાજ, નાનાભાઈ ઇત્યાદિ બ્રાહ્મણો આપણને ઘડવાની કોશિશ કરતા રહ્યા છે. ડોલરભાઈ એક આ પ્રકારના બ્રાહ્મણ હતા. ભારતીય સંસ્કારોને આપણે ગળે ઉતરાવી ભૂતકાળને યાદ કરતા-કરતા વર્તમાનમાં તેનો મેળ કેમ બેસાડવો તે શીખવતા હતા આ તેમનો મધ્યમ માર્ગ હતો. ભૂતકાળના સમાજ વિશે અનાદર ન હતો અને વર્તમાનની જરૂરીયાતોની લેશમાત્ર અવજ્ઞા પણ ન હતી.”
આજનાં શિક્ષણ જગતને ચકિત કરી દે તેટલું ઊંડાણથી વિચારનાર ડોલરકાકાનું પુણ્ય સ્મરણ કરવાનું મળ્યું તે બદલ અસ્તિત્વનો આભાર વ્યક્ત કરીએ.
# (સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે રાજકોટ ખાતે તા. સોળ, માર્ચ, 2025ના યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારના ઉદઘાટક તરીકેના હોમવર્કની નોંધ…)
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | અખંડ આનંદ |

એક અનેરું વ્યક્તિત્વ, જેની અંગુલીઓ ઉત્તમ સાહિત્ય સર્જે છે અને ક્લાસિક ચિત્રો પણ દોરે છે !! બંને કલાઓમાં એ શીર્ષસ્થ છે. મૂળ સુરેન્દ્રનગરના વતની અને વડોદરાની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના પારંગત શ્રી ગુલામ મોહંમદ શેખ મળવાની અને ગોષ્ઠી કરવાનું ગમે તેવું વિશેષ વ્યક્તિત્વ.
કોરોનાકાળ હળવો થયો કે તરત અમે તેઓના વડોદરાસ્થિત નિવાસે પહોંચ્યા અને તેઓ સાથે રસપ્રદ ગોષ્ઠી કરી…તેઓશ્રીનું નિવાસસ્થાન એ તે દંપતીનું કલાસ્થાનક પણ ખરું. પૅલેસ જેવાં મકાનમાં ચોતરફ આપણને પ્રકૃતિ જ નજરે પડે. બહારના ફળિયામાં ખરી પ્રકૃતિ અને અંદર દાખલ થાઓ એટલે સર્જકે સર્જેલી પ્રકૃતિ !! જાણે બંને એકબીજા સાથે મીઠી સ્પર્ધા ન કરતા હોય !! તેઓના નિવાસસ્થાનને એક આર્ટ ગૅલેરી કહીએ તો વધુ યોગ્ય લાગે ! તેઓની સાધના ક્યાંથી ક્યાં પહોંચી છે તેનો ક્યાસ કાઢવામાં આપણે ટૂંકા પડીએ તેવું ભાવાવરણ અહીં અનુભવ્યું.
શેખસાહેબ સાથે ગોઠડી માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે શેખસાહેબ શબ્દો ઘડવામાં અને રેખાઓ દોરવામાં સહજતાથી કલમને પેશ કરે છે.
શ્રી ગુલામ મોહંમદ શેખસાહેબ પોતાના ચિત્રોનું પોસ્ટકાર્ડ પણ છાપેલું. પિક્ચર જીવનની ચડતીની વાત કરે છે.
“જુઓ, મારા મનમાં બીજું કશું ન હતું. એમ.એફ. હુસૈનને અમે લોકો ભણતા હતા ત્યારે મહેન્દ્રસાહેબે બોલાવ્યા. એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવીને દેખાડેલું. બહુ મોટા ગજાના કલાસર્જક, મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા અને એમણે ઘોડાનું એક ચિત્ર દોરી દેખાડ્યું. એ સમયે એમની સાથે ઓળખાણ થઈ અને એમને મેં મારાં ચિત્રો બતાવ્યાં. ત્રીજા ચોથા વર્ષમાં હું કેવું કરતો હોઈશ ? … પણ એમણે જોયું અને પછી હું જ્યારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું કે મારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું છે. મારે મારી મેળે મારું પોતાનું કશુંક કરવું છે. એટલે કે હું કરું.. પણ કેવી રીતે કરું ? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસૈન તો ઘોડા માટે બહુ જાણીતા છે. પણ એમના ઘોડામાં અત્યંત પુષ્કળ ઊર્જા, સ્ફૂર્તિ અને આવેગ એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી. મારો ઘોડો તો જાણે ઘોડાગાડીનો ઘોડો હતો. બિચારું ટાયડું ઘોડું… તેણે ગાડી ખેંચવાની. એટલે મારો ઘોડો તો જાણે હજુ ફરે છે અને શોધ્યા કરે છે કંઈક અને એનું મોઢું ખુલ્લું છે. જે અર્થમાં કહો તે અર્થમાં. અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ !
મારું પહેલું પ્રદર્શન થયું એમાં મારાં બે ચિત્રો વેચાયેલાં. વકીલ એન્ડ સન્સે મારાં પોસ્ટકાર્ડ છાપેલું. મેં માન્યું કે કંઈ નહોતું છતાં પણ આટલું તો હતું ને..!!
મને હવે તો પાકું થયું કે મારે કલાકાર જ થવું છે, પૈસો મળે કે ન મળે. એ જ અરસામાં મહેન્દ્રસાહેબે મને બોલાવ્યો, કારણ કે રતન નામના શિક્ષક હતા એમને કૉમનવેલ્થ શિષ્યવૃતિ મળી અને એ ઇંગ્લૅન્ડ જવાના હતા, એટલે મહેન્દ્રસાહેબ કહે કે તું ભણાવીશ ? મેં કીધું કે મારું તો હજુ એમ.એ.નું બીજું વર્ષ બાકી છે,, તો એ કહે કે, એમાં શું છે, અહીં ભણવાનું અને ત્યાં ભણાવવાનું એટલે એક વર્ગમાં ભણ અને બીજા વર્ગમાં ભણાવ. નીચલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ અને એવી રીતે ભણ્યો. મને ૨૫૦ રૂપિયાની નોકરી પણ મળી. પહેલા પગારમાંથી એટલી બધી મજા – કરી અને મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી..’
પ્રત્યેક શબ્દને પોતાનાં ઊંડાણમાંથી પૂરા ધૈર્ય સાથે શેખસાહેબ મૂકી રહ્યા હતા ત્યારે ફળિયામાં રહેલ વૃક્ષો પરનાં પંખીઓ ઝીણા કલબલાટ સાથે જાણે સૂર પુરાવી રહ્યાં હતાં.
**
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | અખંડ આનંદ |

શ્રી મલ્લિકા સારાભાઈ : ભારતીય સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે પરંપરા જાળવીને વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે !
કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતાં હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યાં છે તો વળી વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યાં છે. શ્રી મલ્લિકા સારાભાઈ પોતાના જીવનનાં પરિમાણો વિશે કહે છે કે,
‘જિંદગીમાં ઉતારચડાવ બહુ આવ્યા. પહેલાં હંમેશાં લોકો પૂછતા કે, તને શું દબાવ છે ? તારાં મમ્મી-પપ્પા બંને જણાં તો એટલાં બધાં જાણીતાં છે, આટલાં મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે, તું નૃત્ય કે જ કરજે, તું સાયન્સ જ કરજે, તું અમારું નામ ડુબાડી ન દેતી… એવું કોઈ દિવસ હતું નહીં. એક બહુ જ સહજ પાર્ટનરશિપ હતી, અમારાં ચાર જણાંની. અમે જ્યારે મોટાં થયાં હતાં ત્યારે અને સામૂહિક કોઈ નિર્ણય લેવાનો હોય તો એમાં બાળકો ગમે તેટલાં નાનાં હોય પણ ઇન્વોલ્વ કરવાનાં, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતાં શિખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો…? ત્યાં સુધી ચર્ચા કરવાની એટ્લે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઊભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોઈ શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી, અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની થા ત્યાં સુધી જે પણ પ્રશ્ન હોય તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો પડશે. હું ઇચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતાં તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા, ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કોઈ સ્ટેન્ડ લેવું હોય ને અમ્મા કહે ના, પણ ના એટલે ના નહીં. બેસીને સમજાવે કે કેમ ના ?’
ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઈ જાય પછી તે સ્વીકારાઈ જાય સહજતાથી નહીં એવું નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જ્યારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખૂલે. તોપણ હું જો disagree કરતી હોઉં તો પાછું બેત્રણ વર્ષ પછી ફરીથી ખૂલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં ઍન્ટિ પૉઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું એ કે, અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ઘરમાં ટ્રીટ જ નહીં કરેલાં.
મારું પહેલું જો એકાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે એસ.એસ.સી. કરીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશાં છ ઓળખ્યાં છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી રહ્યું છે ?? એમાં અનંગ દેસાઈ ઍક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલાં. અમે એકબીજાની સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકૉનૉમિક્સ લીધેલું અને નવું નવું મેં બૅડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કૉર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કૉર્ટ અને કૅન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શૉર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કૅન્ટીનમાં આવે.
અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે, મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખૂબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કૅન્ટીનમાં ન જઈએ, અમને પણ દાળવડાં ખાવાં છે એટલે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં પહેલી વાર પાંચ છ ખૂબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો.
પહેલી મિડ ટર્મ પતી એટલે અમારા હેડ. ઑફ ડિપાર્ટમેન્ટ બાબુભાઈ પટેલ કે જેમની ગાઇડ યુનિવર્સિટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું? ગાઇડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ડ્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવાં કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઈ, તમે મારા માર્ક્સ જુઓ છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઈ ગયા તો રેસ્ટિકેટ કરી નાખી ત્રણ અઠવાડિયાં. તો બધા જોવા આવ્યાં કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઈ ગયું…
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ
મારા ક્લાસમાં પરવીન બાબી, મારા એક કોરે કાળજું ને એક કોરે છે શિલા, કર્મ એકસરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય. કિંતુ ધરતી-આભ જેટલો છે તફાવત બેઉમાં, એકનું પથ્થર – હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.– કિસ્મત કુરેશી
એક ચહેરો આંખમાં મેં અકબંધ રાખ્યો છે, આગવો એકાદ મેં સંબંધ રાખ્યો છે. ‘મા’ વિશે બસ, ‘મા’ લખી અટકી ગયો છું હું, ક્યાં અધૂરો તોયે મેં નિબંધ રાખ્યો છે !!– કિરીટ ગોસ્વામી
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | જનકલ્યાણ |

વિનોબાજીને જેણે પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા તે આપણા બેસ્ટ ડેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. સદીઓ સુધી આખું વિશ્વ જેને સેન્ચુરીના બેસ્ટ હ્યુમન બીઇંગ’ તરીકે મતદાન કરીને પસંદ કરે છે. સાચું એ છે કે, ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન ન કરવો, નહીં સમજાય એ બુદ્ધપુરુષો.. ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય અને ન સમજાય એની જ મજા છે.
મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા અને અઠવાડિયું રહ્યાં. એક નાનકડી પુસ્તિકા છે, વાંચવા જેવી છે. લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું’ અક્ષર ભારતી, ભુજનું પ્રકાશન છે. લુઈ પાશ્ચર દૂરથી આવે છે, એ સાયન્ટિસ્ટ છે, એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબ૨ છે ગાંધીજીને, એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્વરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે, He is not comfortable. એટલે બાપુ ઇશારો કરે કે, નાનું સ્ટૂલ આપો. અને પછી એણે ઊભા થઈને રિકવેસ્ટ કરી કે, You can seat on this small table, you will not be comfortable sitting on the ground. બાપુને જમવામાં બાફેલો કાંદો ખાવાની ટેવ હતી અને એ બાફેલો કાંદો લુઈ પાશ્ચરની થાળીમાં મૂક્યો. અને લુઈ પાશ્ચરને થયું કે, આ શું છે બાફેલું? એટલે એ ભાંગવા ગયા એટલે ગાંધીજીએ કીધું કે If you don’t, don’t do it. It’s a boiled onion you may not like but i feel that it is better for health.અને પછી હળવાશથી કહ્યું : “ખાવાની ટેવ પાડો, અઠવાડિયું ૨હેશો તો કદાચ ફાવી જશે.” આ મહાત્મા ગાંધી.
અરે, જાપાનના ક્યોટોમાં એક ગાંધી સમ વ્યક્તિની કથા છે. એ વાઇસ હોલી પર્સનને જોવા માટે બધા વિઝિટ૨ જાય. એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુ:ખી હતો એટલે એને કોઈએ કહ્યું, ઉ૫૨ એક હોલી પર્સન રહે છે, એમને જઈને મળો. અને એ ગયા. ગયા એટલે એક માણસે સ્વાગત કર્યું. એણે કીધું કે મારે પેલા પવિત્ર માનવને મળવું છે. જવાબ મળ્યો કે, આપનું સ્વાગત છે. અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું હમણાં અહીંયાં મને બેસાડશે. પરંતુ બેસાડવાની બદલે કહ્યું : Have you seen all these things?’ ‘If Yes, let’s go ahead. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પેલેસ જેવી મોટી અને છેવટે બહા૨નું બારણું આવ્યું ત્યાં જગ્યા. બધું જ ખાલી-ખાલી, કશું જ નહીં, એક્ઝિટ હતી. એક્ઝિટમાંથી બંને બહાર નીકળી ગયા. બહા૨ નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પેલાએ હાથ જોડ્યા, Thank you very much for visiting the place. પેલાએ કહ્યું, હજી તો હું એને મળ્યો નથી, મારે મળવું છે એટલે તો અહીં આવ્યો છું. એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દસહ મુકું છું : . “Everyone you may meet in life, even if they appear insignificant see each of them as a wise holy man. If you do this, then whatever problem you brought here today, will be solved.” તમને જીવનમાં જે કોઈ મળે છે, ભલે ને એ તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે કે, આની સાથે શું વાત ક૨વી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પૂરા થઈ જશે.
મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે. સી. કુમારપ્પા નામના એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને સાડા ત્રણ વાગ્યે એને મળવા આવ્યા, અને સવા ત્રણ વાગ્યે એમણે એન્ટ્રી મારી અને એમણે ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કીધું કે, મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે સાડા ત્રણ વાગ્યાનો, મૅસેજ આવ્યો એટલે હું આવી ગયો છું. એટલે પેલાએ એમ કહ્યું કે, ગાંધીજીએ કહ્યું છે ને? તો એ આવી જશે સાડા ત્રણે. અને એ પાછું વાળવા લાગ્યો. પેલા મુલાકાતીને એમ લાગ્યું કે He is neglecting me. એણે ફરીવાર ઊઠીને કહ્યું કે Go and give a message to Gandhi that i am
here. એટલે એણે પાછું થોડીવાર પછી કહ્યું કે, Don’t worry, ગાંધી આવી જશે. He is very particular. સાડા ત્રણ થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવ૨ણો મૂકી, મોઢા ઉ૫૨નો રૂમાલ છોડી અને પછી અંદર ગયો અને પેલાને કહ્યું, આવો, આપણે અંદર બેસીએ. એટલે પેલા મહાશયે કહ્યું, I would like to meet Gandhi.’ એટલે સામે જવાબ મળ્યો કે, Yes Welcome. Meet, I am Gandhi…’ મને એવું લાગે કે He is the holy man of Kyoto કે જેને શોધવા ગયો અને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈનાં કામમાં વ્યસ્ત હતા. આટલી સહજતા. એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે નિંદા કરી શકીએ પણ સાહેબ પેન્સિલ વગર એને નીંદર ન આવે. એટલો બધો વિચિત્ર અને છતાં પવિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને આપણને ખ્યાલ નથી આવતો. વિચારવા જેવું એ છે કે, આ બધા લોકો તો જતા રહ્યા છે, તો આપણે કોને સ્વીકા૨વા? મને એવું લાગે છે કે ઝેન અત્યારે આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે, ક્યાંય શોધવાની જરૂરિયાત નથી.
બાઇબલનું એક વિધાન છે કે, ખખડાવો અને ખૂલશે!” બસ, આ શ્રદ્ધા આપણી ભૂમિના ઝેન ગુરુઓએ બંધાવેલી છે. તેના આધારે આપણી યાત્રા અવિરત કરતા રહીએ.
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ: આજીવિકાનું સાધન મેળવવું અને આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું.”..ડોલરરાય માંકડ
સ્વતંત્રતા મળવાની કોઈ હવા ન હતી ત્યારે 1900 ની સાલમાં શ્રી ઘનશ્યામ પંડિત દ્વારા રાજકોટમાં એક હાઈસ્કૂલની સ્થાપના થઇ અને તેને “શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ’ નામ અપાયું. અંગ્રેજ શાસકોને આ ખૂંચ્યું પણ શ્રી પંડિત અને ધોળકિયા બંધુઓએ ઝીંક જીલી અને નામમાં કશો જ બદલાવ ન જ કર્યો ! આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને સવા સોમું વર્ષ થયું. તે અવસરે એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી થયું છે, જેનો કેન્દ્રીય વિષય છે :: શ્રી ડોલરરાય માંકડનું શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન. આ શુભ અવસરે આજનો લેખ શાળા અને શાળાના એ અપૂર્વ વિદ્યાર્થીઓને સ્મરણાજંલિ રૂપે પ્રસ્તુત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના સ્થાપક કુલપતિ ડોલરરાય રંગીલદાસ માંકડ. તેઓશ્રીને બધા આદર અને પ્રેમથી ડો’કાકા કહેતા અને કહે છે. એક વિચક્ષણ વ્યક્તિત્વ અને વિરલ જ્ઞાનપુરુષ, ડો’કાકાએ માધ્યમિક શિક્ષણ સાતમા ધોરણની છેલ્લી ટર્મ થી તે મેટ્રિક સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં મેળવ્યું. શાળા પોતાના સવાસોમાં વર્ષે તેના ધુરંધર વિદ્યાપુરુષ ડો’કાકાને સ્મરણ કરીને આવતી પેઢીને આ સારસ્વતના જીવન કાર્યથી જ્ઞાત કરાવવા પ્રયત્નશીલ છે તેને બિરદાવીએ અને આપણે પણ ડો’કાકાના જીવન દર્શનનું વિહંગાવલોકન કરીએ.
“૧૯૨૨થી ૧૯૪૭ સુધી હું કરાંચી રહ્યો. તે દરમિયાન મારા જીવનના આદર્શો બંધાતા ગયા. ૧૯૪૫-૪૬માં મેં મારા વડીલ ભાઈ હરિભાઈને લખ્યું કે, માણસે પોતાને પચાસ વર્ષ થાય ત્યારે ગામડામાં જઈ કામ કરવું જેઈએ અને કમાણી પણ અરધી કરી નાંખવી જેઈએ.”
ઉપરોકત જીવન આદર્શ વિકસતો જતો હતો તે દરમ્યાન કરાંચીમાં જ ડોલરકાકાએ વલ્લભવિદ્યાનગરની ગ્રામ વિદ્યાપીઠ માટે વિગતો મેળવી. ગામડામાં જઈને પ્રયોગ કરવાની ઈચ્છાથી તેમણે કરાંચી છોડયું. વલ્લભવિદ્યાનગરમાં છ વર્ષ પ્રાધ્યાપક/આચાર્ય તરીકે રહ્યા. તેમના જીવનના આદર્શને મોકળું વાતાવરણ ન મળ્યું આથી ડોલરકાકા લખે છે કે,
“૧૯૪૭ના જૂનથી મેં વિદ્યાનગરમાં કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૪૮ના માર્ચ-એપ્રિલમાં એ કોલેજનો હું આચાર્ય થયો. ૧૯૪૮ના ડિસેમ્બરમાં હું રાજકોટ આવ્યો ત્યારે મારે દરબાર ગેપાળદાસ સાહેબને મળવાનું થયું. વિદ્યાનગરની વાત નીકળી. મેં કહ્યું, “હું તો ગ્રામ–વિદ્યાપીઠના મોહે ત્યાં ગયો, પણ ત્યાં ગ્રામવાતાવરણ જેવું કંઈ દેખાતું નથી.”
આમ શ્રી દરબાર ગેપાળદાસ સાથેની વાતચીત પછી તેમના જ સૂચનથી અને શ્રી ઢેબરભાઈની સંમતિથી અલીઆબાડામાં ગંગા-જળા વિદ્યાપીઠનો પ્રયોગ શરૂ કર્યો. આ વિદ્યાપીઠ કે અન્ય આવી વિદ્યાપીઠો કેવી હોવી જેઈએ, તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોવી જેઈએ, અભ્યાસક્રમની યોજના કેવી હોવી જેઈએ તે વિષે ડો’કાકા પહેલેથી જ સ્પષ્ટ હતા, “એક–સૂત્રિત શિક્ષણયોજના” નામે લેખ લખી તેમણે તેમના શિક્ષણવિચારો જણાવ્યા છે. તેમની વિદ્યાપીઠની સંકલ્પના સમજવી હોય તે તેમણે વ્યવહારની દ્રષ્ટિએ, સિદ્ધાંતની દ્રષ્ટિએ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ સમગ્ર શિક્ષણયોજનાનું કરેલું વિશ્લેષણ આજે પણ અતિ ઉપયોગી છે .
શિક્ષણક્રમની યોજના :
વ્યવહારની દ્રષ્ટિએ તેમણે શિક્ષણના ત્રણ તબકકા ગણાવ્યા છે:
(1) પ્રાથમિક (2) માધ્યમિક, અને (3) ઉચ્ચ.
આ તબકકા માટે તેઓ લખે છે કે :
“સમાજમાં કેળવણી લેનારા વર્ગના, અત્યારે ત્રણ પ્રકારો ગણી શકાય:
(૧) પ્રાથમિક કેળવણી લઈ પોતાના બાપીકા અથવા બીજા ધંધામાં પડનારા,
(૨) થોડી વધુ કેળવણી લઈ કોઈ પણ વિષયમાં કે ધંધામાં મધ્યમ નિપુણતા મેળવનારા, અને
(૩) કોઈ પણ વિષયમાં પારંગત કે નિષ્ણાંત સંશોધક બનવાની હોંશવાળા.”
ઉપરોકત સંદર્ભમાં તેમની દ્રઢ માન્યતા હતી કે, શિક્ષણના ત્રણેય તબકકાની કેળવણી માટેના અભ્યાસક્રમમાં ચાર બાબતો હોવી આવશ્યક છે:
- જ્ઞાનના અમુક વિષયોનો અભ્યાસ. 2. હાથ મહેનત.
- જનસેવાકાર્ય. 4. આત્મવિકાસ.
શિક્ષણની ફિલસૂફી :
શિક્ષણજગતના કેાઈ પણ તત્વચિંતકે વિચાર્યું છે તેટલું જ અને કોઈ કોઈ બાબતમાં વિશેષ સ્વ. ડોલરભાઈએ શિક્ષણના સિધ્ધાંતો વિષે વિચાર્યું હતું અને સ્પષ્ટપણે રજૂ પણ કર્યું છે. તેમના શિક્ષણ-સિધ્ધાંતોની સ્પષ્ટતા તેમની વાણીમાં જેઈએ :
“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ ગણી શકાય:
(1) આજીવિકાનું સાધન મેળવવું તે, (2) આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું તે. આ દ્રષ્ટિએ હું કેળવણીના ચાર આવશ્યક અંગો ગણું છું ::
1) જ્ઞાનપ્રાપ્તિ 2)જનસેવાકાર્ય 3) હાથમહેનત અને 4) આત્મવિકાસ
મને તો એમ લાગે છે કે, શિક્ષણની દ્રષ્ટિએ, સમગ્ર સમાજની કેળવણીની વાત કરતા હોઈએ ત્યારે જુદા જુદા દ્રષ્ટિકોણને એમાં સ્થાન હોઈ શકે, છતાં દરેકમાં પ્રધાનત્વ અમુક તત્ત્વનું રહે એમ થવું જોઈએ. આખા સમાજના, આપણી પ્રાચીન પ્રણાલિકા મુજબ, આપણે ચાર ભાગ પાડી શકીએ :
(1) ત્યારની પ્રધાન ભાવના ઉપર જીવનધારા અથવા બ્રાહ્મણો, (2) શરીરબળની આજીવિકા મેળવનારા અથવા ક્ષત્રિયો, (3) પોતાની બુધ્ધિથી વેપાર કરી આજીવિકા મેળવનારા અથવા વૈશ્યો, અને (4) પોતાની હાથ-મહેનતથી આજીવિકા મેળવનારા અથવા કારીગરો. આમ સમગ્ર સમાજમાં ચતુર્વિધ સંસ્કૃતિ હોય છે. બ્રાહ્મણસંસ્કૃતિ, ક્ષત્રિયસંસ્કૃતિ, વૈશ્યસંસ્કૃતિ. અને મારે એમ કહેવું છે કે, જુદા જુદા વિદ્યાકેન્દ્રોમાં જુદી જુદી સંસ્કૃતિનું પ્રધાનત્વ હોય. સંસ્કૃતિનું આ પ્રધાનત્વ કેળવણીના તબકકામાં જેમ જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ વધુ સ્પષ્ટ બનતું જાય. છેક નીચેના તબકકામાં આવા ભેદો બહુ ઓછા હોય, એટલે સંસ્કૃતિ પ્રધાનત્વની આ દ્રષ્ટિએ જુદાં જુદાં વિદ્યાકેન્દ્રની વિશિષ્ટતા માધ્યમિક અને ઉચ્ચ તબકકાઓમાં ખાસ સ્પષ્ટ થાય.
આમ વિદ્યાકેન્દ્રોમાં, સંસ્કૃતિપ્રધાનત્વની દ્રષ્ટિએ, ભેદ રહે છતાં, જીવનનાં દ્રષ્ટિકોણની તો સળંગસૂત્રતા જ રહેવી જેઈએ. અને મને લાગે છે કે આપણા દેશમાં તેમજ જગતભરમાં, નોખાં નોખાં વિદ્યાકેન્દ્રોને સળંગસૂત્રિત કરનારું તત્વ તે સર્વોદયની ભાવના જ હોઈ શકે. બ્રાહ્મણનું તો સમગ્ર જીવન બીજાના ઉદય માટે સમર્પિત કરેલું હોવું જોઈએ. ક્ષત્રિય શરીરબળથી પૈસા કમાય, પણ એનો મુખ્ય હેતુ સર્વનું હિત થાય તેમ શરીરબળ વાપરવાનો હોવો જોઈએ. એવી જ રીતે વૈશ્ય અને કારીગરે પણ સર્વજનોનું હિત મુખ્ય ગણવું જેઈએ. આ સર્વોદયની ભાવના માટે, આજીવિકાની દ્રષ્ટિએ વિદ્યાર્થી ગમે તે વિદ્યાશાખાની ઉપાસના કરે, ગમે તે સંસ્કૃતિમાં પ્રધાનત્વ કેળવે, પણ દરેક તબક્કામાં અને દરેક પ્રકારનાં સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રખાવવી જોઈએ, એ શિક્ષણનું ધ્યેય હોવું જેઈએ. આમ સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રાખીને એની આજુબાજુ ગોઠવાયેલું અનેક વિશિષ્ટતાઓવાળું શિક્ષણતંત્ર પ્રજાનું અને રાષ્ટ્રનું અવ્યય અને શાશ્વત ધન છે.”
શિક્ષણમાં કરૂણા :
ડો’કાકાની સાથે જ કુલનાયક તરીકે કાર્યરત શ્રી ગૌરીભાઈ ભટ્ટ કહે છે કે, સ્વ. ડોલરભાઈ છેવટે વ્યક્તિ બનીને સંસ્થા બની ગયા. પરિણામે સંસ્થામાં બનતા દરેક પ્રસંગ કે પ્રશ્ન માટે તેમણે એક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો. આ દ્રષ્ટિકોણના કેન્દ્રમાં ભારોભાર કરુણા હતી. સંસ્થામાં રહેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ ન હોય. વિદ્યાર્થી તો વિકસતું દશામાં હોવાથી અશિસ્ત-દોષ કરે તે સ્વાભાવિક છે. આથી પરિવારના વડા તરીકે તેમણે દોષ નિવારણ–અશિસ્ત નિવારણ માટેની કરુણાકેન્દ્રી પ્રક્રિયા ઊભી કરી હતી, તેમના જ શબ્દમાં તે જોઈએ.
“કરુણા ઉપર રચાયેલી શિસ્ત જ સાચી શિસ્ત છે. વાતાવરણમાં શિસ્ત હોય પણ કરૂણા ન હોય તો ત્યાં અચેતનત્વ છે, ચેતનનો ધબકાર નથી. માટે, શિક્ષણસંસ્થાઓમાં, જ્યારે જ્યારે મતભેદના, ઘર્ષણના કે શિસ્તના પ્રશ્નો ઊભા થાય ત્યારે તેને નિકાલ અહિંસક રીતે થવો જોઈએ.
- અહિંસક રીતે માટે, એને અપનાવનારી તૈયારી અને તાલીમ જેઈએ. અને એને માટે મનને રાગ-દ્વેષરહિત, સર્વસમભાવી અને કરુણાથી ભરેલું કરવું જેઈએ.
- કેળવણીથી મનને આવું કરી શકાય. એટલે કે મનને આ કક્ષાએ લઈ જવાનું શક્ય છે અને એના માટે કેળવણી પણ શક્ય છે.
- અહિંસક રીતે અપનાવનારે ધ્યાનમાં રાખવું જેઈએ કે (1) અન્યાય, દોષ કે અશિસ્તને કોઈ પણ સ્વરૂપમાં નભાવાય નહીં, છતાં અન્યાયાદિ આચરનાર વ્યક્તિ તરફ દ્વેષ કરાય નહીં. (2) સામો માણસ સાચો હોવાનો સંભવ છે એમ માનીને ચાલવું અને એ દોષવાન ઠરે તો પણ હજી એ સુધરશે એમ માનીને ચાલવું. (૩) જ્યારે એમ લાગે કે આ૫ણી અહિંસક તૈયારી કે તાલીમ પૂરતી નથી ત્યારે અન્યાયાદિને દૂર કરવા ઓછામાં ઓછી હિંસક રીત, તત્કાળ પૂરતી જ વાપરવી પડે તો વાપરવી. (આ અહિંસક રીતની મર્યાદા સમજવી.)
- અહિંસક રીતમાં પણ સજા હોય. દોષની સજા વગર કોઈ પણ સમાજને ચાલ્યું નથી કે ચાલવાનું નથી ૫ણ સજાનું સ્વરૂપ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને ઉગ્રમાંથી સૌમ્ય થતું રહેવું જોઈએ. આ રીતે, સંસ્થાઓમાં દોષનિવારણ તરીકે, પ્રાર્થના, પ્રાયશ્ચિત, ઉપવાસ, સત્યાગ્રહાદિ અપનાવાય. સજા, ભૂલ, કે દોષની ગંભીરતાનાં પ્રમાણમાં હોય. તેને ક્રમ કંઈક આવો હોય.
અ) દોષ સામા માણસ પાસે કબૂલ કરવો.
બ) દોષ માટે સામા માણસની માફી માગવી.
ક) દોષ જાહેરમાં કબૂલ કરવો.
ડ) દોષની જાહેરમાં માફી માગવી.
ઈ) દોષ કરનારે પોતે કષ્ટ ભોગવવું.
ફ) ન્યાય કરનારે પોતે કષ્ટ ભોગવવું.
નોંધ : કષ્ટ ભોગવવાના પ્રકારમાં (1) ઉપવાસ, (2) અમુક સુખસગવડનો ત્યાગ, (3) શ્રમ વગેરે આવે.
- થયેલા દોષાદિ માટે જેમ પ્રાયશ્ચિતાદિ જરૂરનાં છે, તેમ થવાના દોષોનાં નિવારણ માટે વ્રતો જરૂરનાં છે. વ્રત નિત્ય અને નૈમિત્તિક હોય. શિક્ષણસંસ્થામાં શિક્ષકો અને શિષ્યો વ્રતને પોતાનાં જીવનમાં, કોઈ કોઈ રીતે, સ્થાન આપે તે જરૂરી છે
એક વિચક્ષણ સાક્ષર અને બહુશ્રુત શિક્ષણવિદ કેટલા ઊંચા સ્તર સુધી જઈને વિચારે છે તે ડોલરકાકા ના અહીં પ્રસ્તુત થયેલ વિચારોથી જાણી શકાય છે. આવા દિવ્ય પુરુષના પ્રદાનને પ્રણામ કરી તેઓના આશિષ માટે પ્રાર્થના કરીએ.
by Bhadrayu Vachhrajani | Mar 9, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
“મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. આ સરસ્વતી દેવીએ મને સાચવી લીધો છે ત્યારે હવે મારાથી એનું અહિત ન કરાય.” પદ્મશ્રી લોકગાયક શ્રી ભીખુદાન ગઢવી.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
જેમણે જીંદગીમાં સ્ટેજ ઉપર કાર્યક્રમો આપવા સિવાય બીજું કશું જ કર્યું ન હોય એટલે કે જે બહુ જ નાની ઉંમરથી આપણા લોક સાહિત્યને પીરસવા માટે જાહેર કાર્યક્રમો આપવાના સ્ટેજ ઉપર જ રહ્યા હોય, અને જેના પ્રસ્તુતિના અસંખ્ય ચાહકો હોય એવો કોઈ સિદ્ધ હસ્તકલાકાર જયારે એવું જાહેર કરે કે, ‘બસ હવે મારો આ છેલ્લો ડાયરો છે‘ ત્યારે આપણને સુખદ આંચકો લાગે છે.
આંચકો એટલા માટે કે આ કલાકારને ભારત સરકારે ‘પદ્મશ્રી’નું સન્માન આપ્યું, અને તેમની જીભેથી સરસ્વતી એવી રીતે વહે કે, લોકસાહિત્યના કોઈપણ સ્વરૂપો હોય તેમાં એમની એક પ્રકારની ઓળખ સમગ્ર સમાજમાં ભારતમાં અને ભારતની બહાર જ્યાં-જ્યાં ગુજરાતીઓ છે ત્યાં વ્યાપી ગઈ હોય ત્યારે એમ કહે કે, હવે ઘણું થયું, હવે હું કોઈ કાર્યક્રમ નહીં કરું ત્યારે આંચકો ચોક્કસ લાગે, પણ સુખદ એટલા માટે લાગે કે આવા કલાકારે જે વાત રજૂ કરીને પોતાની સ્ટેજ ઉપરથી નિવૃત્તિ ઘોષિત કરી હોય તે વાતને સમજીએ તો આપણને આંચકો સુખદ લાગે.
આ વ્યક્તિત્વ ગુજરાતનું, ગુજરાતીઓનું, સાહિત્યનું, લોકસાહિત્યનું, ભક્તિ સંગીતનું, બહુ મુઠ્ઠીઉંચેરૂં નામ છે. અને સૌ તેને ‘ભીખુદાન ગઢવી‘ કહીને ઓળખે છે. ભીખુદાન ગઢવીની એક મોટામાં મોટી ખાસિયત એ છે કે, કોઈપણ લોકસાહિત્યનાં ડાયરામાં તમે એમને માઈક સોંપો એટલે ડાયરો સર્વાંગ સંપૂર્ણ થઈ જાય. કેવી રીતે?, એ ડાયરાના બધા જ સ્વરૂપો ઉપર એક સરખી પકડ ધરાવે છે. ભીખુદાનભાઈ લોકવાર્તા રજૂ કરે તો શૌર્ય આપણામાં રોપી શકે અને ક્યારેક આપણી આંખમાંથી પાણી વરસતા કરી શકે. ભીખુદાનભાઈ દુહા-છંદ લલકારે ત્યારે લોક સાહિત્યનો સાચો પરિચય આપણને કરાવી શકે. ભીખુદાનભાઈ લોકગીત રજૂ કરે કે બીજી કશી વાત મંચ ઉપરથી કરે ત્યારે આપણને ભર્યા ભર્યા કરી દઈ શકે. લોક સાહિત્યનું એક પણ રૂપ એવું નથી કે જે રૂપ ભીખુદાન ગઢવી પોતે સિદ્ધ હસ્ત રીતે રજૂ ન કરી શકે. લગભગ-લગભગ 55-60 વર્ષથી તેઓ તખતા ઉપર છે, અને તેઓએ ડાયરો અથવા ભજન અથવા લોકગીત અથવા લોકવાર્તા વગેરે સિવાય કશું કર્યું જ સેવ્યું નથી. આપ કલ્પના કરી શકો કે, કોઈ વ્યક્તિ ક્યારે આટલી ઉંચાઈ ઉપર પહોંચે, જ્યારે એમની પ્રસ્તુતિ એ સાધના બની જાય. અને એ સાધના એ કલાકારને ખરેખર ઉપર લઈ આવે છે. ડાયરો છે એટલે ગાવું કે ડાયરો છે એટલે કશીક રજૂઆત કરવી એમ નહીં, સામાન્ય સંવાદમાં પણ વાત કરતા-કરતા ભીખુદાનભાઈ તમને સરસ્વતીના એક એવા રૂપના દર્શન કરાવે કે, જે આપણા માટે અદ્વિતીય હોય.
ભીખુદાનભાઈએ માતાજીના એક મંદિરમાં ડાયરો રજૂ કરતી વખતે માતાજીની હાજરીમાં એવું જાહેર કર્યું કે, આ મારો છેલ્લો ડાયરો છે અને હવેથી હું કોઈ સ્ટેજના ડાયરાના પ્રોગ્રામ નહીં કરું. એમના સાથી કલાકારોની હાજરીમાં એમણે આ ઘોષણા કરી. તેમનો જે મૂડ છે અથવા એમનો જે ખ્યાલ છે એ આ ઘોષણા પાછળનો જાણવા જેવો છે. મારી સાથે ભીખુદાન ભાઈને 35 થી 40 વર્ષનો સંબંધ છે, સંબંધના કારણોમાં સાહિત્ય છે, સ્ટેજ ઉપરની પ્રસ્તુતિ છે, પ્રિય શ્રી મોરારીબાપુનો સેતુબંધ છે, અને અનેક રીતે તેઓની સાથે સંવાદ કરવાનો મને લ્હાવો મળતો રહ્યો છે.
‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અમદાવાદમાં ‘અસ્મિતા વિશેષ’ સંવાદના શીર્ષક હેઠળ શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે એમના જીવનની યાત્રા અંગે મેં બે કલાકનો દીર્ઘ સંવાદ પણ કર્યો છે. તેમાં તેઓએ પોતાની જીવની એટલી રસપ્રદ રીતે કહી છે કે, ન પૂછો વાત. “ડાયરો હવે નહીં કરું”, એમ કહેનાર ભીખુદાનભાઈને અભિનંદન સાથે કારણ પૂછવાનું મને મન થયું. હમણાં જ નડિયાદની બાપુની કથા દરમ્યાન તેઓશ્રી સાથે નિરાંતની એકલી પળોમાં તેઓ સાથે અંગત ગોષ્ઠી કરી અને પુચ્છ્યું કે, કઈ ક્ષણે એમ લાગ્યું કે, ‘ચાલો હવે આપણે વિરામ લઈએ..’ ત્યારે જે વાત ભીખુદાનભાઈએ કહી તે સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે. એમણે કહ્યું, “ભદ્રાયુભાઈ 80 વર્ષની નજીક પહોંચ્યો છું. અને નહીં નહીંતો છેલ્લા છ, સાડા છ દસકાથી મને આ કલાએ સાચવી લીધો છે. મારી જીભ ઉપરથી સરસ્વતી દેવીએ જરૂરી શબ્દો વહેતા મૂક્યા છે. મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. અને એમણે મને આવડો મોટો બનાવ્યો છે. પણ હવે વધતી જતી ઉંમરે હું જોઈ રહ્યો છું કે ક્યારેક જોઈતો હોય તે શબ્દ મળતો નથી. ક્યારેક જે શબ્દ મૂકું છું તે મૂક્યા પછી લાગે છે કે આ બરાબર નહોતો, તો પછી હવે મારે મારી આ દેવીને વિરામ આપવો જોઈએ અને આભાર સાથે વિરામ આપવો જોઈએ કે આટલા વર્ષો એણે મને સાચવ્યો, હવે મારાથી એનું અહિત ન કરાય. મારે એનું ઋણ અદા કરવું પડે કે એકમાત્ર સ્ટેજનાં પ્રોગ્રામ ઉપર જેણે જીંદગી કાઢી હોય એવો હું કલાકાર એ વાણી દેવીને લઈને થયો છે અને હવે જો હું ખેંચું તો હું મારી એ દેવીને વધુ તકલીફ આપી રહ્યો છું એવું મને લાગ્યું છે, એટલે મેં આ નિર્ણય લીધો છે.”
ભીખુદાનભાઈને થોડા વર્ષો પહેલા પદ્મશ્રી પણ મળી ગયું છે, ગૌરવ પુરષ્કારો અને અનેક સન્માનો મળ્યાં છે. વિશ્વનાં અનેક દેશોમાં ભીખુદાનભાઈ આજે પણ જાય તો લાખો રૂપિયા કમાઈ શકે તેમ છે. અમે પ્રિય બાપુની સાથે વિદેશયાત્રામાં ભીખુદાનભાઈ સાથે રહ્યા છીએ અને એવું જોયું છે કે, એરપોર્ટ ઉપર અમારી સાથે બે વ્યક્તિ હોય તો એની આજુબાજુ યુવાનો-યુવતીઓ, વૃદ્ધો, વડીલો બધા ઘેરો વળીને ઊભા રહે અને એમની સાથે ફોટો ખેંચાવે. એ બે વ્યક્તિમાં એક શ્રી શાહબુદ્દીન રાઠોડ અને બીજા શ્રી ભીખુદાનભાઈ ગઢવી !! ભીખુદાનભાઈએ ખરે સમયે પોતાના કૌશલ્યની દેવીને પ્રણામ કરીને આ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું છે તેને હું ભારત દેશ માટે અને આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવનો વિષય ગણાવું છું. અને પ્રાર્થના પણ કરું છું કે તેઓની આ સૂચક નિર્ણયની વાતને ઘણા બધા લોકો અનુસરે. મને એ વાત હમણાં જ નડિયાદ ખાતેના સંવાદ દરમિયાન ભીખુદાનભાઈએ કહી કે, “જ્યાં જવું હશે ત્યાં હું મળવા-હળવા જઈશ, પણ કાર્યક્રમ હવે નહીં કરું. સ્ટેજ ઉપર હવે લોક ડાયરો, લોકસાહિત્ય રજૂ નહીં કરું.”
આ કલાકારની ઊંચાઈ કેવી રીતે આવી હશે તે જાણવા જેવું છે. એમની સાથેના દીર્ઘ સંવાદમાં એક વાત ખૂબ સરસ ભીખુદાન ભાઈએ મૂકી હતી. મેં એમને પ્રશ્ન પૂછ્યો કે, ‘તમે વિવિધતામાં બહુ માનો છો, તમે એક ડાયરામાં રજૂ કર્યું હોય એ બીજા ડાયરામાં રીપીટ નથી કરતા. આવું કેવી રીતે શક્ય બને છે?’ ત્યારે એણે સુંદર વાત કરી. એમણે કહ્યું કે, “ હું નાનપણથી જ્યારથી સ્ટેજ ઉપર ગયો ત્યારથી મેં એક ટેવ રાખી છે કે, જે ડાયરામાં જઈને આવું એને બીજે દિવસે ત્યાં જે પ્રસ્તુત કર્યું હોય તેની એક-એક લીટી લખી લઉં. કયું લોકગીત ગાયું, કઈ લોકવાર્તા કહી, કઈ જોક કહી, આ બધું લખી લઉં અને એની ઉપર એ ગામનું નામ અને તારીખ લખી લઉં. પછી એ ગામમાં હું બે મહિને પાછો જાઉં કે વર્ષે પછી જાઉં ત્યારે આગલું પાનું ખોલું અને જોઈ જાઉં કે, આ વિગત આજે ફરી ન કહેવાવી જોઈએ.” આ કેટલી મોટી ચાયતનો વિષય છે, કેટલી મોટી કાળજી લેવાનો વિષય છે, એટલે મને એમ લાગે છે કે, જેની પાસે ડિગ્રીઓ હોય કે કોઈ ઉપાધિઓ હોય કે યુનિવર્સિટીના મોટા-મોટા શિક્ષણ હોય એવું કશું જ નથી છતાં પણ જે માણસ આજે કલા કૌશલ્યને કારણે નામ મોટું કરીને જીવતો હોય એ વ્યક્તિ બરાબર ખરા સમયે રંગમંચના પગથિયાં હસતા-હસતા આદર સાથે ઉતરી જાય તે એક વિરલ ઘટના છે. આપણે પ્રાર્થના કરીએ કે શ્રી ભીખુદાનભાઈ ભદ્રાયુષ્ય મેળવે અને આપણી વચ્ચે અંગત એવી બેઠકોમાં આવીને પોતાના જીવનની વાતો આપણને કરીને રળિયાત બનાવે. ખમ્મા, બાપ, ખમ્મા.
by Bhadrayu Vachhrajani | Mar 2, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘પૂર્ણતાને પંથે’ પુસ્તકમાં જુગલબંધી છે.જેમાં શબ્દો શ્રી બ્રહ્મવેદાંત સ્વામીજીના છે, પણ શબ્દોમાં રમતું પ્રાણતત્વ પૂજ્ય રામદુલારે બાપુનું છે.
‘પૂર્ણતા ને પંથે’ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી રાજેન વકીલ લખે છે કે, 1975 ની ગુરુપૂર્ણિમાના થોડા અઠવાડિયા પહેલા માધવપુરના સ્વામી બ્રહ્મ વેદાંતજીને ત્યાં મારા માતા-પિતા સાથે એક સંતના દર્શનનો લાભ મળ્યો. બપોરના આશરે ચાર વાગ્યાના સમયે સૂર્યપ્રકાશ અંદર ન પ્રવેશે એવા બંધ બારીના ઓરડામાં સ્વામી બ્રહ્મ વેદાંતજીના પરિવાર સાથે એ સંત બેઠા હતા. તેઓ સ્વામી રામ દુલારે બાપુ હતા. અમે અંદર ગયા, એમણે આવકાર્યા, એમની પાસે અમે બેઠા. એક સહજ રમુજ વૃત્તિથી તેઓ જ પ્રશ્નો પૂછતા અને પ્રશ્નોના જવાબો આપતા.
બપોરના સમયે મારું માથું ખૂબ જ દુખતું હતું. એમણે પૂછ્યું, “શું માથું દુખે છે?” મેં હા પાડી. દશેક મિનિટ સુધી તેઓ મારી સાથે કશું બોલ્યા નહિ, દસ મિનિટ પછી એમણે કહ્યું, “હવે માથું દુઃખે છે?” મેં કહ્યું, ‘હવે નથી દુઃખતું.’ તેઓ બોલ્યા, “પણ મારું દુખવા માંડ્યું એનું શું?” મેં વાંચેલું કે જીસસે માનવ જાતના દુઃખો પોતાના ઉપર લઈ લીધા હતા. પહેલી વાર નાને પાયે આ બાબતનો જીવંત અનુભવ થયો. એ દિવસથી રામદુલારે જી નું પાર્થિવ શરીર શાંત થયું ત્યાં સુધી સાત વર્ષ એક અદભુત ગાઢ સંબંધની શરૂઆત થઈ. આ સમય દરમિયાન એ મારા જીવનના કેન્દ્રસ્થાને રહ્યા અને મારું જીવન એમની આસપાસ ગોઠવાતું રહ્યું. એ ગુરુ હતા અને હું શિષ્યની ભૂમિકામાં ગોઠવાવાનો પ્રયત્ન કરતો હતો. આજે જે કંઈ છું એ એના ઘડતરનાં ફળ સ્વરૂપે છું. આ સાત વર્ષ દરમિયાન મારા જીવનની દરેક સારી-નરસી ઘટનાઓ, દરેક સંઘર્ષ અને મથામણ, પ્રત્યેક નિરાશામાં એમની હાજરીનો મને અનુભવ થયો છે. કેટલાય લોકોનાં દાવાઓ છતાં એ કોણ હતા?, ક્યાંથી આવ્યા? એ હંમેશ ને માટે ગૂઢ રહસ્ય રહ્યું છે અને લાગે છે કે રહેશે.
તેઓ એક સંન્યાસી હોવા છતાંય જીવન વ્યવહારમાં નિપુણ હતા. અંગ્રેજીમાં એક કહેવત છે ‘ jack of all and master of none’. પરંતુ તેઓ Master of all હતા. જે પૂર્ણતા માટે જન્મ્યા છીએ તેના તરફ જાણે કે તેઓ આપણને લઈ જવા માગતા હોય, એમ જીવનનાં નાનામાં નાના દરેક પ્રસંગે તે પૂર્ણતા એમનામાં પથરાયેલી આવતી. નાના કુટુંબની રસોઈ હોય કે 100-200 માણસોની રસોઈ હોય, સંચા પર કપડાં સીવવાના હોય કે નાના બાળકો માટે કાગળ અને કાતરથી રમકડા બનાવવાના હોય, આશ્રમમાં ખાડા ખોદીને ઝાડ-પાન વાવવાના હોય, કે વાસ્તુના નિયમો પ્રમાણે આશ્રમનું પ્લાનિંગ કરવાનું હોય, બીજના ચંદ્રનું પૂજન હોય કે પાયાનું ખાતમુર્હુત હોય, મોટી ધંધાકીય આંટીઘૂંટીઓ ને એ જ સરળતા અને સહજતાથી તેઓ ઉકેલી નાખતા. એટલી જ સરળતાથી ગૃહસ્થ જીવનના નાના-નાના પ્રશ્નોને ઉકેલી આપતા.
મને યાદ છે કે જ્યારે આશ્રમમાં આવતા ત્યારે સવારની ચા અને છાપું ટ્રેમાં લઈ જતો. એમને ચા પીતા અને છાપુ વાંચતા જોઈને એટલો આનંદ થતો કે જાણે એ પૂર્ણતા તેમનામાંથી વહીને મને સ્પર્શી જતી હોય. જેમાં કશુંય વધઘટ ન કરી શકાય, જે અરૂપ છે, જે અપરિછિન્ન છે, અખંડ છે, અસીમ છે, એ આખરી કે અંતિમ સત્ય કે જેને તેઓ પૂર્ણતા કહેતા એ તરફ એમનો સંકેત હતો.
આપણી મૂળ શોધ તે પૂર્ણતાને પામવાની છે. આપણે જયારે સ્ત્રી કે પુરુષ ને શોધીએ છીએ, પદ-પ્રતિષ્ઠા શોધીએ છીએ, પૈસા શોધીએ છીએ,ત્યારે પૂર્ણતાને જ શોધી રહ્યા હોઈએ છીએ. આપણી દરેક કામનાનાં મૂળમાં એ પૂર્ણતા માટેની શોધ છુપાયેલી છે. આપણને એવો ભ્રમ છે કે, કામનાની તૃપ્તિમાં પૂર્ણતા છે. આપણું આખું જીવન સુખની પાછળ દોડવામાં અને દુઃખથી દૂર ભાગવામાં પૂરું થાય છે. આપણને ખ્યાલ જ નથી કે, પૂર્ણતાની અંદર સુખ અને દુઃખ બંને છે. સુખ અને દુઃખ એકબીજાના વિરોધી નથી, પરસ્પર પુરક છે. દુઃખનો ઇન્કાર એ પૂર્ણતાનો ઇન્કાર છે.
આપણે મંદિરોમાં, ગુરુઓ પાસે ને બીજે ઠેર-ઠેર સુખનું ભિક્ષા પત્ર લઈને ફરીએ છીએ એ ખ્યાલ વગર કે, સુખ અને દુઃખ તો જોડિયા ભાઈ-બહેનો છે. સુખ માંગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે. સુખ માંગીએ છીએ અને દુઃખી થઈને રડીએ છીએ. આપણી આ સ્થિતિને બેહોશી અજ્ઞાનતા કહેવામાં છે.
પૂર્ણતાને પંથે એક અજોડ અને અદ્વિતીય પુસ્તિકા છે.જેમાં પૂજ્ય રામદુલારે બાપુ 18 દિવસના જ્ઞાન યજ્ઞમાં આપણી આંગળી પકડીને અજ્ઞાનતામાંથી પૂર્ણતાને પંથે લઈ જાય છે. આ પુસ્તકમાં છુપાયેલા અનેક ગૂઢ રહસ્યોનો સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીએ એમનાં અમૂલ્ય પ્રવચનો દ્વારા ઉઘાડ કર્યો છે. આ એક જુગલબંધી છે.જેમાં શબ્દો સ્વામીજીના છે પણ શબ્દોમાં રમતું પ્રાણ પૂજ્ય બાપુનું છે. આ શબ્દાંજલિ દ્વારા તેઓ આપણા જીવન સાધકોના હૃદયો પૂજ્ય બાપુનાં પ્રાણથી ભીંજવી નાખે એ બદલ આપણે કૃતજ્ઞ રહીએ.
શ્રી રાજેન વકીલ દ્વારા 16મી ફેબ્રુઆરી 2017ના રોજ લખાયેલી આ પ્રસ્તાવના છે. અહીં તેને પેશ કરવાનું સીધું કારણ એ છે કે, તેઓના શબ્દો અનુભૂતિમાંથી ઉતર્યા છે, એટલે તે સીધા જ આપણને સ્પર્શી શકે એવા છે અને પુસ્તક સુધી આપણને દોરી જઈ શકે તેમ છે.
ભાવકો પુસ્તક મેળવીને સાધના પથ ખોજી શકે તેમ છે.
by Bhadrayu Vachhrajani | Feb 23, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘પૂર્ણતાને પંથે સંકેત‘…સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીના પ્રવચનોનું અદભુત સંકલન
સાલ 2007માં પ્રકાશિત થયેલ એક અદભુત પુસ્તક હાથમાં છે. શીર્ષક છે ‘પૂર્ણતાને પંથે સંકેત‘. જેમાં સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજીના પ્રવચનોનું સંકલન કરવામાં આવેલ છે. આ પુસ્તકના ઊઘડતા પાનામાં સુંદર મજાની વાત લખેલી છે. એમનું ટાઇટલ છે ‘વાત પૂર્ણતાના પંથેની‘. એટલે કે આ પુસ્તક ક્યાંથી, કેવી રીતે અવતર્યું એનું હાર્દ અહીં સમજાવ્યું છે. સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજી એટલે માધવપુરમાં ઓશો સન્યાસી તરીકે જેમને જીવન વિતાવ્યું તે મહાન સાધક.
પ્રસંગો યાદ આવે છે રામદુલારે બાપુના, રામદુલારે બાપુ પહેલા ખૂબ લખતા. બાપુએ ભારત ભ્રમણ ત્રણ વાર કર્યું હતું. બે વાર સાયકલ ઉપર અને એકવાર પદયાત્રા. બાપુ એવી વાત કરતા કે 13000 ફૂટની ઊંચાઈ ઉપર સાયકલિંગ કરવાનો એમનો વિક્રમ છે. અને રાષ્ટ્રપતિએ એ બાબતનો એવોર્ડ આપેલો. બાપુએ ગોવાના સંગ્રામમાં ભાગ લીધેલો. એમની ટીમમાં 12 જણા હતા એમાંથી 11 ખપી ગયા અને એકલા બાપુ રહી ગયા !!.
1972-73 માં બાપુએ પૂછેલું કે, ‘તમારો શું ઈરાદો છે?’ અમે કહ્યું, ‘બાપુ, બધી રીતે તૃપ્તિ છે. શેષ જીવન કોઈ આશ્રમ જીવન ગાળવું છે. ઓશો એ ‘આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ’ નામ આપેલું છે. અને એવું કંઈ થાય તો ગુરુ પ્રત્યેનું ઋણ ઉતરે. વિશેષ કોઈ સંસારિક ઈચ્છા બાકી રહી નથી.’ બાપુએ કહ્યું, ‘આશ્રમ ક્યાં બાંધવો છે?’ ‘આખા હિન્દુસ્તાનમાં જ્યાં જોઈએ ત્યાં આશ્રમ માટે જગ્યા મળશે.’ બે ઘડી મને થયું કે, બાપુ ટાઢાપાહોરના હાંકે છે. બાપુ સ્વાતંત્ર સેનાની હતા અને ગોવાની લડાઈમાં ભાગ લીધેલો એટલે એમને જ્યાં જોઈએ ત્યાં 18 એકર જમીન મેળવવાનો અધિકાર મળેલો. મેં કહ્યું કે, ‘બહાર ક્યાંય જવાનો કોઈ ઇરાદો નથી. અહીં થાય તો ભલે.’
…એટલે અત્યારે જે જગ્યાએ આશ્રમ છે જ્યાં બાપુનું સમાધિસ્થાન છે, ત્યાં છ એકર જમીન આપી. બીજી છ એકર તળાજામાં ડોક્ટર ચૌહાણ કે જેમને ત્યાં બાપુ ઉતરતા તેમને સોંપી. દ્વારિકા પાસે વરવાડામાં એક ચારણ રહેતો. જેણે બાપુની સેવા કરી હતી. છ એકર જમીનની સોંપણી એ ચારણને કરી દીધી. એક દિવસ બાપુ તેમના સંશોધનના લખાણોવાળા કાગળો ફાડતાં હતા અને દીવાસળી મુકતા હતા. મેં કહ્યું, ‘બાપુ આ શું?’ બાપુએ પાસે બેસાડ્યો. એક પુસ્તક એણે લખેલું હતું. રીવાઈલ કર્યું, નાના-મોટા સુધારા કર્યા, અને પુસ્તકનું નામ આપ્યું ‘પૂર્ણતાને પંથે‘. આમ તો પુસ્તક ન કહેવાય, ખિસ્સામાં રાખી શકાય એવડી પુસ્તિકા હતી. બીજા બધા લખાણો બાળી નાખ્યા અને કહ્યું કે, ‘સમજવા જેવું જે કંઈ હોય તો આટલું જ છે જો સમજાય તો.’ ચીનનાં લાઓત્સે જેવી વાત થઈ એવું જ અહીંયા પણ બન્યું. લાઓત્સે સરહદ ઓળંગીને હિમાલય જતાં હતા. રાજાએ ચૂંગી નાકા પર અટકાવ્યા અને કહ્યું કે આટલો બધો ખજાનો લઈને તમે ચાલ્યા જાઓ છો તો એમાંથી કંઈક લખતા જાઓ.લાઓત્સેએ જીવનભર કંઈ લખેલું નહીં, તેમ છતાં થોડા વાક્યોની પુસ્તિકા લખી આપી. બાપુની પૂર્ણતાના પંથેની વાત આવી જ છે.
એક દિવસ બાપુ નાનકડી કુંડીમાં સ્નાન કરવા પડ્યા. એમનો ગમછો લંગોટી એ ધોતા હતા. સ્વામી બ્રહ્મવેદાંતજી અને સ્વામી સ્વાતિમા ત્યાં હતા.પુનાથી કેટલાક મિત્રો આવેલા. બાપુ પાસે આવીને વંદન કર્યા. બાપુએ કહ્યું, ‘ક્યાં જાઓ છો?’ જવાબ આપ્યો કે, ‘પતંજલિ સમજવા’. બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે, ‘આને અંજલી કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.’ મિત્રો થોડીવાર ઉભા રહ્યા. બાપુ કહે, ‘શું કરો છો?’ બધાએ કહ્યું, ‘ભગવાનના સૂત્રોનું અર્થઘટન કરે છે, સમજાવે છે, બધા જઈએ છીએ’. બાપુ લંગોટી ધોતા હતા એના ઉપર જરીક સાબુ લગાડ્યો ને પછી કહ્યું, ‘આની અંદર સાબુ આટલો જ છે હો…’,,આટલું કહીને ઘસવા લાગ્યા. પછી કહે કે, ‘જુઓ ફીણ વળ્યાં? સાબુ આટલો જ છે હો. જેમ-જેમ ઘસશો એમ-એમ વધુ ને વધુ ફીણ વળે. છેલ્લા 25 વર્ષથી મારે કહેવાનું તો આટલું જ છે કે ‘just be in present moment and enjoy your life’. કહેવાનું આટલું જ છે. કહ્યા વિના ચાલે નહિ અને કહેવાય તો જે કહેવું છે તે સમજાય નહિ…(ક્રમશઃ)
by Bhadrayu Vachhrajani | Feb 23, 2025 | Articles |
વાતો બહુ કરી, ભાષણો બહુ કર્યાં, જથ્થાબંધ કાર્યક્રમો ઘણા કર્યા. હવે માતૃભાષાનું ગૌરવ થાય તેવાં અભિયાન ચલાવીએ.
પ્રિય મોરારીબાપુ કહે છે તેમ હવે, વિશ્વ માતૃભાષા દિવસને કેવળ વચનાત્મક ન રાખતાં રચનાત્મક બનાવીએ. એક વર્ષમાં,
સવા લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટ્યા છે !! ગુજરાતી માધ્યમની એકાદી ઉત્તમ શાળા સમ ખાવા પૂરતી ગુજરાતમાં નથી !!
આવો, નક્કર કામ કરીએ. માતૃભાષા અભિયાને જાહેર હિતની અરજી કરી કોર્ટના દ્વાર ખખડાવ્યા અને ધોરણ આઠ સુધી ગુજરાતી ફરજયાત ભણાવવું તેવી ફરજ પાડી. સ્વરસેતુ ના શ્યામલ સૌમિલ અને આરતી મુનશીએ ૩૫ શાળાઓના ૨૮૦૦૦ વિદ્યાર્થીઓ ને “વટ થી ગુજરાતી” ના વિશેષ કાર્યક્રમ દ્વારા માતૃભાષા પ્રત્યે પ્રેમ જગાડ્યો..
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદે અનેક યુનિ ઓનાં ભવનો કરતાં અનેકગણું ગુણ સભર જ્ઞાનાત્મક કાર્ય કર્યું છે. પણ ભાષાના ક્રિયાત્મક પાસાં ને અભિયાન કે મૂવમેન્ટ તરીકે ઉપાડી લેવાનો હવે સમય આવ્યો છે.
વડીલ શ્રી બોરીસાગરસાહેબ ની નિશ્રામાં નક્કર અને થઈ શકે તેવી વાતો કરવાનો આનંદ થયો.
by Bhadrayu Vachhrajani | Feb 16, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

સુરેશ સોની ને હવે સૌ કોઈ ઓળખે છે કારણ કે હમણાં છવીશ, જાન્યુઆરીએ ભારત સરકાર તરફથી તેઓને “પદ્મશ્રી” સન્માન આપવાની ઘોષણા થઈ છે. સુરેશ સોની એટલે સહયોગ કુષ્ટ યજ્ઞ નગર, હિંમતનગર શામળાજી હાઈવે, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા-૩૮૩૨૩૬ ફોન : (૦૨૭૭૨) ૨૫૪૩૩૭
પણ આ સુરેશ સોનીનો અડીખમ ટેકો તે શ્રીમતી ઇન્દિરા સુરેશ સોની. પત્ની માટે વપરાતો એક ઉત્તમ શબ્દ તે “સહ ધર્મચારિણી”, આ શબ્દના અર્થને ચરિતાર્થ કરે છે શ્રીમતી ઈન્દિરા સોની. આપણે આ દંપતીનો પરિચય પછીથી મેળવીશું પણ આજે ઈન્દિરાબેન પાસેથી એ જાણીએ કે, સેવાનો મારગ કેટલી કસોટીઓ કરે છે !!
સુરેશભાઈ સોનીનાં સહ ધર્મચારિણીની વાત એકાગ્ર થઈને જાણીએ…
“ઓગસ્ટ, ૧૯૯૫ થી અહીં વણાટનું કામ કરતા રક્તપિત્તગ્રસ્ત નટુ માંગલાએ સુરેશને કહ્યું કે ‘મહેનતાણું વધારો’, તેમણે કહ્યું કે, ‘ગણતરી કરીશું પછી સંસ્થા પ્રમુખશ્રી મુરબ્બી ઈન્દુભાઈ સાથે ચર્ચા કરીશું,’ પણ તેને ધીરજ ન રહી. એક દિવસ સવારે ઓફિસમાં, નીચે બેસી કામ કરતા સુરેશ પર, ચૂપચાપ આવી નટુએ એના પાકિટમાંથી પારિયું કાઢી કપાળ પર ઘા કર્યો, લોહીનો ફુવારો ઊડ્યો, ચશ્માં પડી ગયાં, કુદરતી રીતે સુરેશનો ડાબો હાથ ઊંચો થઈ ગયો. કોણી પર બીજો ફટકો મારી, પારિયું વીઝતો બહાર નીકળીને બોલ્યો: “સુરેશ સોની મરી ગયો.” આ સાંભળી બાજુની રૂમમાંથી સ્ટાફના મિત્રો દોડયા. નટુ તેઓને મારવા દોડયો. તેઓ ગભરાઈને ભાગ્યા. પટાવાળાએ ઘંટ વગાડવા માંડયો, લોકો પકડવા દોડયા, સ્ટાફના – મિત્રો ઓફિસમાં ગાદી પર પાથરેલી ચાદર કાઢી માથે હાથે લપેટવા માંડયા. ચાદર-કપડાં લોહીથી લથબથ હતાં.
એમ્બ્યુલન્સમાં સુરેશ જાતે બેઠા અને બધાને સ્પષ્ટ સૂચના આપી કે, કોઈ તેને મારશો નહિ. ખેતરમાંથી નટુને પકડી લાવી રૂમમાં પૂરી દીધો, વડોદરા હોસ્પિટલમાં ઓળખીતા ડોક્ટર મળી ગયા. સુરેશને જોતાં જ સ્ટ્રેચર મંગાવી ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા.
હું દીકરી પારૂલને મૂકવા વડોદરા સ્કૂલમાં ગઈ હતી. સુરેશે સ્ટાફનાં બહેનને કહ્યું, ઇન્દિરાને જણાવો. હું હોસ્પિટલમાં આવી. સ્ટ્રેચર પર સુરેશને સુવાડેલા – પાટા બાંધેલા જોયા, હું રડવા લાગી. “તમને કોણ માર્યા ?” તો હસીને કહે, “જો તને દાઢી નહોતી ગમતી ને ! માથાના – દાઢીના વાળ સફાચટ થઈ ગયા ને !”
સાંજના ૫ થી ૮ ઓપરેશન ચાલ્યું. લોહીના-ગ્લુકોઝના બોટલ ચાલુ હતા. કપાળમાં ૨૬ ટાંકા અને હાથમાં સળિયો નાખવો પડયો. ભાનમાં આવ્યા, એટલે સ્ટાફને શ્રમમંદિર મોકલી જાણ કરાવી કે, ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. માટે સવારથી શરૂ કરેલી ધૂન બંધ કરાવી બધાને જમાડો, સવારથી કોઈએ કશું જ ખાધું નહોતું.
બીજા દિવસે સહયોગના દર્દીઓએ હઠ પકડી કે, અમારે તો સુરેશભાઈને જોવા છે, જેથી વારાફરતી ટ્રેક્ટરમાં સમાય તેટલાને લાવવાનું શરૂ કર્યું. દરેક જણ પગે લાગી, માથે હાથ ફેરવી આંખમાં આંસુ સાથે આશીર્વાદ આપી વિદાય થતા. છાપામાં આ બનાવના સમાસાર વાંચીને કોઈ ફળા હાર, તો કોઈ નાળિયેર, કોઈ પૈસા લઈને આવતા જ ગયા, આવતા જ ગયા…ગામે ગામથી શુભેચ્છક મિત્રો, અનેકવિધ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો, ટેક્નોલોજી ફેકલ્ટીના ૧૨ વર્ષ દરમિયાન ભણાવેલ વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો, આર્થિક મદદ માટે આગ્રહ કરતા હતા, હું બે હાથ જોડી સૌને કહેતી, “ટ્રસ્ટ બધો જ ખર્ચ કરે છે, જરૂર નથી.” જે પણ આવતા સૌની આંખમાંથી અમે અશ્રુરૂપે વહેતો પ્રેમ નિહાળ્યો છે. ખભે હાથ મૂકી આશ્વાસન, શુભેચ્છા પાઠવતા હતા.
અમારા ગુરુ પૂ. શ્રી સંતરામ મહારાજ, પૂ. શ્રી નારાયણદાસ મહારાજે પૈસા લઈને એમના ભક્તોને મોકલ્યા: વડોદરા સંતરામ મંદિરના પૂ. શ્રી ભરતદાસજી દરરોજ આવે. દૂધ, નાસ્તો, જમવાનું મોકલે. હું કહું કે “ટિફિન સુરેશભાઈના ભાઈને ત્યાંથી આવે છે.” તો કહે, જે કોઈ પણ આવે, તેમને પ્રસાદરૂપે જમાડજો. નર્સો અને વોર્ડના દર્દીઓ પૂછે કે આ ભાઈ છે કોણ ? જે આવે તે એના પગે પડે છે, રડે છે, પ્રાર્થના-ભજન-ધૂન ગાય છે. બધા અહોભાવથી જોતા રહે, નડિયાદ હરિ ૐ આશ્રમના પૂ. શ્રી નંદુભાઈએ પૈસા મોકલ્યા. સારા થયા પછી તેમને પગે લાગવા ગયા, પાછા આપ્યા, ત્યારે તેમની આંખમાંથી આંસુ આવ્યાં. “સુરેશભાઈ, તમે મારા પૈસા વાપર્યા નહિ ?” આ અમારા પ્રત્યેનો એમનો સ્નેહાદર. આ બનાવ ન બન્યો હોત તો આટલા બધા સંતો-સ્વજનો અમને લાગણીસભર હૃદયથી ચાહે છે તેની ખબર ન પડી હોત !
જીવનમાં જરાક છોડયું તો કેટલું બધું અમને મળ્યું ! સંતોના – ઈશ્વરના આશીવાઁદ સતત મળતા રહે છે. આજે પણ તે દિવસ યાદ કરું છું, ત્યારે ભગવાન પરની શ્રદ્ધા વધતી જાય છે. દર્દીઓનો અઢળક પ્રેમ, તેમણે કરેલી સાચા હૃદયની પ્રાર્થનાએ જ સુરેશને નવું જીવન બક્ષ્યું છે.”
ખરો સમાજસેવક સમાજ માટે કામ કરતો હોવાથી વ્યક્તિગત સંપત્તિ ભેગી કરવા તરફ ધ્યાન આપતો નથી. બારડોલીની સુરુચિ સંસ્થાના સ્વ. મોહનભાઈ પરીખ કહેતા હતા કે, “આપણે સમાજની એક વિશાળ બેંકમાં સેવા દ્વારા જે કંઈ ડિપોઝીટ કરીએ છીએ તેનું વળતર મળી જ રહેતું હોય છે. હા, તેટલી ધીરજ ધરવી પડે, શ્રદ્ધા રાખવી પડે.”
by Bhadrayu Vachhrajani | Feb 14, 2025 | જનકલ્યાણ |

કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતા હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યા છે તો વળી વિદેશ સુધી કલા–નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યા છે.
આવો, શ્રી મલ્લિકા સારાભાઈના સચોટ જીવન અંશો સંવાદરૂપે માણીએ :
“જિંદગીમાં ઉતાર ચડાવ બહુ આવ્યા. પહેલા પહેલા હંમેશા લોકો પૂછતાં કે, તને શું દબાવ છે ? તારા મમ્મી પપ્પા બંને જણા તો એટલા બધા જાણીતા છે, આટલા મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે, તું નૃત્ય જ કરજે, તું સાયન્સ જ કરજે, તું અમારું નામ ડુબાડી ન દેતી.. એવું કોઈ દિવસ હતું નહીં.
એક બહુ જ સહજ પાર્ટનરશીપ હતી, અમારા ચાર જણાંની. અમે જયારે મોટા થયા હતા ત્યારે અને સામુહિક કોઈ નિર્ણય લેવાનું હોય તો એમાં બાળકો ગમે તેટલા નાના હોય પણ ઇન્વોલ્વ કરવાના, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતા શીખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો..? .. ત્યાં સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઉભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોય શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી, અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની જે પણ પ્રશ્ન હોય ત્યાર સુધી તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો પડશે. હું ઈચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતા તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા, ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. મેં કીધું ને કરો એવું કોઈ દિવસ નહીં. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કઈ સ્ટેન્ડ લેવું હોય ને અમ્મા કહે કે ના,, પણ ના એટલે ના નહીં બેસીને સમજાવે કે કેમ ના ?”
“ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઇ જાય પછી તે સ્વીકારાઈ જાય ખરું ?”
“સહજતાથી નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જયારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખુલે. તો પણ હું જો disagree કરતી હોઉં તો પાછું બે ત્રણ વર્ષ પછી ફરીથી ખુલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં એન્ટી પોઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું હું તમને કહું ને અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ન ઘરમાં ટ્રીટ જ નહીં કરેલા.
મારું પહેલું જો એન્કાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે SSC કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશા ઓળખ્યા છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી રહ્યું છે ?? એમાં અનંગ દેસાઈ એક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલા. અમે એકબીજાના સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકોનોમિક્સ લીધેલું અને નવું નવું મેં બેડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કોર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કોર્ટ અને કેન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શોર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કેન્ટીનમાં આવે. અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. મારા ક્લાસમાં પરવીન બાબી, મારા ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે. મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી, એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખુબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કેન્ટીનમાં ન જઈએ, અમને પણ દાળવડા ખાવા છે એટલે ઝેવિર્યસ ની હિસ્ટ્રીમાં પહેલીવાર પાંચ છ ખુબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો. એટલે આજે પણ મને એવી વ્યક્તિઓ મળે છે અને કહે છે કે, જે અમને HK માં હતા એ વખતે અને HL માં હતા એ વખતે અમે તમને જોવા જ આવતા હતા એટલે અમે આ જેન્ડરનું થોડું ચેન્જ કરવા માંડ્યા. પહેલી મીડ ટર્મ પતી એટલે અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાબુભાઇ પટેલ કે જેમની ગાઈડ યુનિવર્સીટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું ? ગાઈડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ક્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવા કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઇ તમે મારા માર્ક્સ જોવો છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઇ ગયા તો રસ્ટીકેટ કરી નાખી ત્રણ અઠવાડિયા. તો બધા જોવા આવ્યા કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઇ ગયું…”
by Bhadrayu Vachhrajani | Feb 10, 2025 | Articles |

શ્રી ભદ્રાયુ વછરાજાની સાથે બેઠક
તારીખ ૬ ડિસેમ્બર-૨૦૨૪ના દિવસે શાળામાં સ્નેહી શ્રી ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની અમારા આગ્રહને માન આપી સસ્નેહ મળવા આવ્યા. તેઓ સાથે અમારો એટલે કે શાળા સાથેનો સંબંધ એવો કે અમસ્તા પણ તેઓને મળવાનું મન થાય. આ વખતે પણ તેઓ આવ્યા અને શિક્ષકો સાથે બેઠક કરી, જેમાં તેમણે ખૂબ ઓછા સમયમાં પણ જીવનને વધુ સુંદર અને સ્વસ્થ બનાવતી અદ્ભૂત વાતો ખૂબ હળવાશથી કરી. તેમને પુછાયેલ ‘કેમ છો?’નો તેમણે આપેલ માર્મિક, વિચારપ્રેરક જવાબ સાંભળી સૌ ખુશ થઈ ગયાં.
શિક્ષણ તેમજ શિક્ષણ સિવાયની ઘણી જીવનોપયોગી વાતો તેમણે કરી. શિક્ષક હોવાનું ગૌરવ અને તેની ગરિમા જાળવવા અંગેની ઘણી સુંદર ઉપયોગી વાતો થઈ. બધાંને બહુ મજા આવી તેમને સાંભળવાની. આવી બેઠક પછી કોઈ પૂછે કે તમને શું મળ્યું આમાંથી!!? તો અમે કહીએ અપાર આનંદ, જીવનને વધુ સુંદર, ઉન્નત બનાવતા વિચારો અને નિઃસ્વાર્થ સંબંધો. જે શબ્દોમાં સમજાવી શકાય તેવા નથી હોતા. આવી સુંદર ક્ષણો આપવા માટે શ્રી ભદ્રાયુભાઈનો દિલથી આભાર.
બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે પેરેન્ટીંગ’
– ભદ્રાયુ વછરાજાની
બાર વર્ષ પછીનો પિરિયડ એવો છે કે, બાળકમાં જે કંઈ પણ ઇનપુટ અંદર ગયા હતાં, એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધ લોટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મુકવાનું બાળક શરુ કરે છે. અમલમાં મૂકીને એ જોશે. ઇઝ ઇટ સક્સેસફુલ ? તો હું પણ અમલમાં મુકું.જરા સેન્સિટિવ વાત કરું, કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો, તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યમાં અંદર તેને જ અનુસરવાનું. આપણા ઘણા કુટુંબો એવા છે કે બાપ બહાર બાલ્કનીમાં બેઠો-બેઠો રાડ પાડે, ‘પાણી લાવજો’, આમ કહેવું તે અસ્થાને કહેવાય. બાળક બધુ બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડે, પાણી લાવજે, બાળક ક્યાંય રમતું હોય ને જોવે તો-પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમદોડ હાથ સાફ કરીને પાણી લઈને આવી… ઊભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચ્યા કરતા હતા. બે-ત્રણ મિનિટ એણે કીધું. પાણી, જવાબ મળ્યો તોછડાઈથી ‘મુકી દે ત્યાં.’ આ નાનકડી ઘટના એના માઈન્ડમાં રજીસ્ટર થાય, થાય અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હવો જોઈએ. આ જ વાત ઉલ્ટી થઈ શકે. હસતા-હસતા કહી શકે. ‘તું બાલ્કનીમાં બેસવા આવને, ક્યારની શું કામકાજ કરે છે ? અને આવે ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજે આપણે બેય પીશું.’ જુઓ, પીવું છે તો મારે જ પાણી હો, પણ કહેવાની સ્ટાઈલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી, એવું છાપું મેં સંકેલી લીધું, ‘આવ-આવ બેસ-બેસ. રાખી દે પાણી રાખી દે. રવિવાર છે, સવારના પહોરમાં શું કામે લાગી જાય છે ? બેસને બાલ્કનીમાં.‘ બાળક આ વાત પણ ઓબ્ઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, બેય ઇનપુટ અંદર ગયા. હવે એ મોટું થશે ત્યારે જોશે કે આમાં સાચું શું ?
એક નાનકડી એક ટીપ, આપણે પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખીએ જરા. આ આપણે તુંકારા ઉપર આવી ગયા છીએ ને, એમાં ક્યારે તુંકારામાંથી તારો બાપ મારો બાપ’ ઉપર આવી જઈએ એ ખબર નથી પડતી. ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે, એ આવા નાના ઈનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે. ‘પપ્પા ક્યાં ગયા છે?’ એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે, ‘ખબર નથી, કહીને ગયા નથી.’ Thtat means it a tradition of the family. એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની રીત રાખેલ નથી. જેના પપ્પા કહ્યાં વગર જતા હોય, એનો એ દીકરો મોટો થઈને ક્યાં જવાનો હોય એ કીધા વગર જાય, તો એણે ફરિયાદ ન કરવી. કારણ કે ઇનપુટ તમે આપ્યો છે. આતો બહુ જીણી વાત છે, પરંતુ ધ્યાન રાખીએ કે, જીણી-જીણી વાતનાં સરવાળાને જ ‘પેરેન્ટીંગ’ કહેવાય છે.
તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી તમે બરાબર સાવચેત રહેવા જોઈએ. બાળક સુઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર નીકળીને ઝઘડવું, રેસકોર્સની પાળીએ બેસીને ઝઘડવું. રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેજો, ગાળાગાળી કરી લેશો તો પણ વાંધો નહીં, પછી પાછા હસતાં-૨મતાં થઈને ઘરે આવતા રહેવું. ભૂલેચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઊતર્યા, તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ હશે, તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે, તેમ સંતાન પોતે જીવશે.ઘર પછી કોનો આવે ? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો મોટો રોલ છે સાહેબ. માતા-પિતાએ એ સમજી લેવાની જરૂર છે, આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે, એને હું સોંપું છું.
Where i fail, teachers are successful. હું તમને એમ કહેવા માંગુ છું, તમે જે ટીચરને સોંપો છો, એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક જોઈએ. યાદ રાખવા જેવું છે, બાળક જરાક મોટું થાય, ચોથા, પાંચમા ધોરણમાં આવે, અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલે ચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો તો બાળકની લાગણી ઘવાય છે. બાર વર્ષની ઉંમર સુધીનો જે ગાળો છે. એના ટીચર એના માટે હીરો છે અને તમે એમ કહો, ‘તારા ટીચરને શું ખબર પડે ?’ ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે. નવી સદીના, એ બોલતા નથી, પોતાના રૂમમાં જતાં રહે છે અને પોતાની સાથે વાત કરે કે, ‘ટીચરને બધી ખબર પડે છે મમ્મી, તને જ નથી ખબર પડતી.’ પણ એ બિચારા એકબાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે. આપણે હજી બાકી છે.
બીજી એક વાત, દરેક કામ તમે જ કરવાના હો, તો તમે ભૂલ કરો છો, દરેક કામની અંદ૨ તમારા બાળકને હસતાં-રમતાં ઈન્વોલ્વ કરવું જરૂર છે. કેટલીક માતાઓ એમ માને છે કે, આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું જઈને પારકાં છોકરાંએ હેરાન કરવાની, આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો, કે સાસરે ગયેલી દીકરીના મા રોજ સવારે ફોન કરે, ‘બેટા શું રાંધ્યું? ભાત મુક્યા છે. ત્રણ સીટી વગાડજે હો, કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે ત્રણ સીટી વગાડજે. That is also habit for- mation. તમે એને ઇન્વોલ્વ કરો, ભીંડા કેમ સુધારાય ? ગોળ સુધારાય કે લાંબા સુધારાય, ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય. આ બધી પ્રક્રિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો. ભેગો દીકરાને લેતા જાઓ. ‘હાલ તને મજા આવશે.’ અને તમે પોતે જરા પાણીની પાઈપ લઈને ઉભા રહો, તમે જો જો દીકરો તરત કહેશે કે, પપ્પા મને આપો ને, When you involve them, they are eager to work. જ્યારે તમે એને ભેગા જોડો છો, ત્યારે જ એને કામ કરવાની મજા છે. અને ખરેખર કેળવણી એ છે ‘કોગ્નિટિવ’ એટલે ‘જ્ઞાનનો ડબ્બો’ આપણું શિક્ષણ રોજ જ્ઞાનનાં ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો ભરી, ડબ્બો બંધ કરે છે. બાળકને કહી દે છે કે, તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે. જે લગભગ કોઈ ખોલતું નથી. તો શું કરવું જોઈએ ? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ છે, એ એને એકવાર ક૨વા માટે આપો. કરતાં-કરતાં જે શીખાય એને કેળવણી કહેવાય.
કૈંક શ્રીમંતો ને સરદારો
ઊગ્યા, આથમિયા દરબારો;
ચક્રવર્તીઓ થયા ચાલતા બોલાવી ઘડીભર દેકારો; ને
એ સૌની મશ્કરી કરતી હસી રહી આજે યે ધરતી !
એ જ લહેરથી વિશ્વ વિહરતીઃ
કોની છે આ ધીંગી ધરતી ?
– કરસનદાસ માણેક
by Bhadrayu Vachhrajani | Feb 9, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા પ્રકાશિત થયેલ “બિલ નાઈટ” ના “પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન” નું સંપાદન ભાવ પ્રદેશમાં ખેંચી જાય છે..
“….આપણા સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જક, વિવેચક અને વિચારક કાકાસાહેબ કાલેલકર તો નેવું વર્ષ જીવ્યા હતા. ‘રખડવાનો આનંદ’ એમના જીવનનો આનંદ બન્યો હતો. તેમણે અનેક પ્રવાસો ખેડયા હતા અને છતાં તેઓ પ્રવાસને અંતે થાકેલા કે માંદા દેખાયા ન હતા. એકવાર કોઈકે તેમને તે વિશેનું કારણ પૂછેલું ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે, આ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ મારી પાછળ પડયાં છે. મને પકડવા માંગે છે પણ પકડી શકતા નથી. મારું સરનામું મેળવી તે જગ્યાએ જઈને પૂછે છે : કાકાસાહેબ ક્યાં છે? ત્યારે લોકો કહે છે, ‘કાલે અહીં હતા. આજે ક્યાં છે તેની ખબર નથી. વળી, બુઢાપો મૃત્યુ મારું સરનામું મેળવી હાંફતા હાંફતા નવી જ જગ્યાએ પહોંચે છે. ત્યાં લોકો કહે છે : હમણાં તો અહીં હતા. હવે ખબર નથી ક્યાં ચાલ્યા ગયા. હું જેટલી ઝડપે યાત્રા કરું છું તેટલી ઝડપે ન તો બુઢાપો દોડી શકે છે ન તો મૃત્યુ મને પકડી શકે છે. હું શું કરું? એમને ટાળવાની મેં ક્યારેય કોશિશ કરી નથી, એમને પામવાની ઉત્કંઠા પણ નથી. બંને જૂના દોસ્તો છે. કોઈને કોઈ દિવસ તો જરૂર મળશે. તેમાં જેટલી વાર લાગશે એટલા જ પ્રેમથી એકબીજાને ભેટીશું………!
ઉપરની વાત ૫૨થી આપણને એટલું સમજાય છે કે, કાકાસાહેબે નચિંત બનીને જીવન વીતાવ્યું હતું. એટલે જ તેમણે જીવનનો અધિકમાં અધિક આનંદ મેળળ્યો હતો. એવું આનંદમય અને પ્રવૃત્તિમય જીવન જીવવા આપણામાંથી મોટા ભાગના ભાગ્યશાળી થતા નથી. પરિણામે તેઓ પેલી જીવન ઘટમાળમાં ફસાઈને નિરસ અને કશી પ્રવૃત્તિ વગરનું જીવન જીવતા બુઢાપાને શાપ દેતા જીવન જીવતા હોય છે. ડોસા અને ડોસી બની નકામા અને નિરૂપદ્રવી બનતાં જીવનને આપણા કવિ વિપિન પરીખે સુંદર રીતે એની કાવ્યબાનીમાં મઢી લીધું છે :
ડોસો ચીમળાઈ ગયો છે.
ડોસાઓ ચીમળાતા હોય છે તેમ જ
ગઈકાલને યાદ કરી કપાળ પર હાથ પછાડે છે.
પોતે જ સાંભળતો નથી.
અને મોટે મોટેથી બૂમો પાડીને દીકરાઓને ભાંડે છે.
ડોશી પેલા ખૂણામાં બેઠી બેઠી જ વૃદ્ધ થઈ છે.
ગઈકાલે પતિ અને આજે છોકરાં–વહુ
ઘરમાં કોઈ એને સમજ્યું નહીં.
અને વાતવાતમાં આંખે મોતિયો આવી ગયો.
તોય કોઈને ફરિયાદ ન કરી
છોકરો આવ્યો તે ખૂબ નજર તાણી એ બોલી :
બેટા આવ્યો? જમીને જજે.
દીકરો સાચવીને જૂઠું બોલતો :
મા ભૂખ નથી.
ડોસીએ આગ્રહ કર્યો નહીં.
આંખે મોતિયો હતો, પણ
હજુ આંખમાં થોડાંક આંસુ બચ્યાં હતાં
એટલે કહ્યું: ભલે…
આપણાં વડીલો… વૃદ્ધો… ડોસા. ડોસીઓ. આપણાં પોતીકાં સ્વજન છે, માબાપ છે. આપણું આજનું અસ્તિત્વ એમને આભારી છે તે ભૂલવાનું નથી. એમની સંભાળ રાખવી—એમનું ગૌરવ જાળવવું એ આપણી પવિત્ર ફરજ બને છે. આવી ફરજ આપણો ધર્મ બને છે. વળી, આપણા ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં માબાપને… વડીલોને પ્રભુ સાંનિધ્યમાં મૂકીને “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ’ એવી પ્રાર્થનામાં મઢ્યાં છે… અને છતાં અહીંના આપણા સમાજમાં માબાપને વૃદ્ધાશ્રમમાં, ધરડાઘરમાં, ઑલ્ડ પીપલ્સ હોમમાં મોકલી આપવાનો જે પવન ફૂંકાવા લાગ્યો છે તેની સામે લાલ બત્તી ધરવી જ રહી. એમની પાછલી અને નિ:સહાય અવસ્થામાં ભાડૂતી એવી પરિચારિકાઓ દીકરાવહુની લાગણી, હૂંફ અને સંભાળ ન જ આપી શકે, તેમની પાછલી જિંદગીમાં આપણે તેમની જેવી અને જેટલી સંભાળ રાખી શકીએ તેવી અને તેટલી સંભાળ બીજા કોઈ રાખી શકે નહીં.”
(સદ્દગત બળવંત નાયકનો આ લેખ ‘ઓપિનિયન’ ના સપ્ટેમ્બર, 1999ના અંકમાં પ્રકાશિત થયો હતો, તેની સાદર નોંધ લઈએ.)
‘શ્રી બળવંત નાયકના પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન’ ના ગ્રંથમાં સાંપ્રત કાળ માટે ઉત્તમ સંદેશ આપતા એમના નિબંધ “આપણું આજનું અસ્તિત્વ માબાપને આભારી” ના માર્મિક અંશો વાંચીને આપણે તેઓને વાંચનાનજલિ આપી.
યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ હેઠળ હવે બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જન પુસ્તક પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકનું સંપાદન ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યકાર શ્રી વલ્લભભાઈ નાંઢાએ કર્યું છે. જ્યારે તેનું પ્રકાશન કેતન રૂપેરાની નિપુણ દૃષ્ટિ અનુસાર થયું છે.
બળવંતભાઈ ગાંડાભાઈ નાયક, “બિલ નાઈટ”
જીવનકાળ 15 મી ડિસેમ્બર 1920 થી 15 મી ફેબ્રુઆરી 2012.
ડાયોસ્પોરિક ગુજરાતી સાહિત્ય જમાતનાં એક અગ્રગણ્ય સાહિત્યકાર,
અકાદમી યુનાઇટેડ કિંગડમના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ પણ ખરા.
વલ્લભભાઈએ પોતે લખ્યું છે કે, ‘1972માં દેશના સરમુખત્યાર ઇદી અમીને 21 દિવસની અવધિ પૂર્ણ થાય એ પહેલા એશિયાનો એ દેશ છોડી ચાલ્યા જાય એવો ફતવો બહાર પાડ્યો. આવી કટોકટીભરી સ્થિતિમાં બળવંત નાયક જેવા સંવેદનશીલ સર્જક અવાજ ઉઠાવ્યા વગર રહી શકે ખરા? એ ફતવાના પ્રત્યુતર રૂપે સમ-સંવેદનશીલ સાહિત્ય સર્જક બળવંત નાયકે ‘ને ધરતીને ખોળે નરક વેરાયું‘ નવલકથા લખી. એમાં નંદનવન જેવી યુગાન્ડાની ધરતીને નરક જેવી વેદનશીલ પરિસ્થિતિમાં પલટાવી નાખનાર પરિબળરૂપ ઈદી અમીનની કૂટનીતિને દસ્તાવેજી આધારોને ખપમાં લઈને નિર્ભિકતાથી પડકારી. ભારતીય મીથને આ કથા બીજ સાથે પરોક્ષપણે સંયોજ્યું અને પ્રાદેશિક માન્યતાઓ, હકીકતો, અને તથ્યોને પણ કલાત્મક રીતે રજૂ કર્યા. એમાંથી ઉપસતા વાસ્તવ બોધને કારણે એ આફ્રિકન સભ્યતાની પ્રતિનિધિ કથા બની અને સાથોસાથ પશ્ચિમ જગતની પણ પરિચાયાક કથા બની રહી. આ નવલકથાનો “પેસેજ ફ્રોમ યુગાન્ડા” શીર્ષક હેઠળ લેખકે પોતે અંગ્રેજીમાં ભાવાનુવાદ કર્યો અને નોબેલ પારિતોષિક વિજેતા સર્જક અને અમેરિકાની સૌપ્રથમ અશ્વેત મહિલા ટોની મોરીસને ગુલામોની યાતનાઓને વ્યંજીત કરતી ‘ડાર્લિંગ’ નામની નવલકથા લખી. બળવંત નાયકે નવલકથાનું ‘લાડલી’ નામે ગુજરાતીમાં રૂપાંતર પણ કરી આપ્યું.
બળવંત નાયકની જીવનયાત્રા ગુજરાતી પ્રજાના વિદેશ વસવાટનું એક અનોખું રેખાચિત્ર છે. ગુજરાતના વાપી ગામના રહેવાસી અને 20મી સદીની શરૂઆતમાં જન્મેલા બળવંત નાયક મુંબઈ યુનિવર્સિટીની વિલ્સન કોલેજના વિદ્યાર્થી હતા. ત્યાં તેણે અભ્યાસ પૂરો કરી તેઓ સહકુટુંબ યુગાન્ડાના પાટનગર કંપાલામાં સ્થાયી થયા. તેઓ સ્થાનિક શાળાના આચાર્ય તરીકે સેવા કરતા હતા. ઈદી અમીને 1972માં જ્યારે યુગાન્ડાથી જે લોકો દેશના નાગરિક ન હતા તે લોકોને દેશ નિકાલ કર્યા તેમાંનું એક કુટુંબ બળવંતભાઈનું પણ ખરું. બળવંતભાઈ તેમના પત્ની અને બાળકો સાથે 1973ના ઓગસ્ટ મહિનામાં યુગાન્ડાથી બ્રિટન આવ્યા અને લંડન શહેરના જાણીતા સાઉથહોલ વિસ્તારમાં સ્થાયી થયા. ત્યાં તેમણે શિક્ષક તરીકે કામ કરવાની શરૂઆત કરી. ગુજરાત, યુગાન્ડા, અને બ્રિટનમાં વસવાટ કર્યો તે દરમિયાન બળવંત નાયકે ‘નવનીત સમર્પણ’ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના શ્રી વિપુલભાઈ કલ્યાણીના ‘ઓપિનિયન’ માસિકમાં અવારનવાર વિવિધ સાંપ્રત વિષયો ઉપર પોતાના વિચારોની છણાવટ કરી અને સનાતન માનવતાનાં વિવિધ પ્રશ્નોને તેમણે સાથે જોડ્યા.
બળવંત નાયક ગુજરાતી ભાષા અને સાહિત્યના ચાહક હતા એટલું જ નહિ, ગુજરાતી સાહિત્યના વિકાસમાં ખુબ મહત્વનો તેમણે ભાગ ભજવ્યો. પૂર્વ આફ્રિકા તેમજ બ્રિટનનાં ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસમાં તેમનું નામ હંમેશા અગ્ર સ્થાને અંકાયેલું રહેશે. તેમના રચનાત્મક અને વૈવિધ્યથી ભરપૂર જીવનનો અંત 2012માં 92 વર્ષની વયે થયો. ગુજરાતી સાહિત્યકારોની યાદીમાં તેમનું સ્થાન અનોખું છે. યુનાઈટેડ કિંગ્ડમ ના ગુજરાતી સાહિત્ય અકાદમીએ સ્તુત્ય કાર્ય કર્યાનો રાજીપો વ્યક્ત કરીએ.
by Bhadrayu Vachhrajani | Jan 30, 2025 | અખંડ આનંદ |

મહેન્દ્રભાઈ મેઘાણી આપણી વચ્ચે હવે નથી પણ તેમનું સાહિત્યસર્જન અને પબ્લિકેશન મૅનેજમેન્ટ આજે પણ સ્મરણયાત્રા જેવું છે. મહેન્દ્રભાઈને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દળવાનો શોખ. ઘરનાં, પાડોશનાં, મિત્રોનાં અનાજને ધંટીમાં દળી દે. શોખ પોષવા દળણાં ઉઘરાવવા પણ જાય ! પ્રસંગે ભેટમાં પોતે દળેલ થૂલી કે લાપસી આપી આવે ! ભાવનગરના જાણીતા કાર્યકર આત્મારામ ભટ્ટની દીકરી કુમુદનાં લગ્નમાં લાપસી ભરડીને પહોંચાડેલી, ત્યારથી કુમુદ તેમના ભાઈ મહેન્દ્ર મેઘાણીને રાખડી બાંધતાં !
આમ તો, મહેન્દ્ર મેઘાણી એટલે સતત સાહિત્યસર્જન અને વાંચનના વ્યાપ માટે વિચારતી કરુણાશીલ વ્યક્તિ.
એક વિચાર આવ્યો. લોકો પુસ્તકો સુધી આવે તેની રાહ જોવાને બદલે લોકો જ્યાં છે ત્યાં પુસ્તકોને લઈ જઈએ તો ? આ વિચારે જન્મ આપ્યો ‘પુસ્તકમેળા’ને. મુંબઈમાં સુંદરબાઈ હૉલમાં પહેલો પુસ્તકમેળો કર્યો. ‘લોકમિલાપ’ના કાર્યકરો અને બાકી સ્થાનિક મદદકર્તાઓ, ઉતારો સ્થાનિક મિત્રોના ઘરે, હોટેલમાં નહીં. ખર્ચ ઘટાડો પણ પુસ્તકો પોષાય તેવી કિંમતમાં વેચો. પૂના, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ અને ત્યાંથી વિદેશોમાં પણ પુસ્તકમેળાઓ યોજાવા લાગ્યા. ‘લોકભારતી’ના વિદ્યાર્થી અને ‘લોકમિલાપ’ના ચાહક હિરજીભાઈ શાહ આફ્રિકામાં રહે. એમણે કેન્યા, યુગાન્ડા અને ટાંઝાનિયામાં વસતા ગુજરાતીઓ માટે ૧૯૬૭મા પુસ્તકમેળો યોજવા મહેન્દ્ર મેઘાણીને આમંત્ર્યા. પુસ્તકો પહેલાં શિપમાં રવાના કરવાનાં. વેચાણમાંથી વળતર મળે તેમાંથી પ્રવાસખર્ચ નીકળ્યું.
૧૯૬૯માં ગાંધી શતાબ્દી વર્ષ હતું. એક વર્ષ આગોતરું આયોજન શરૂ કર્યું. ગાંધીની ભૂમિનો વ્યાપક પરિચય આપતાં ચારસો ભારતીય પુસ્તકો જે અંગ્રેજીમાં હતાં તેની યાદી બનાવી. સ્પૉન્સરિંગ કમિટી બનાવી, જેમાં જે. પી., નારાયણ દેસાઈ, વી. ડી. કેશકર, ગગનવિહારી મહેતા, મુલ્કરાજ આનંદ… આ નામો વિદેશોમાં પ્રખ્યાત અને આદરપાત્ર. એક હજાર ડૉલરમાં ચારસો પુસ્તકોની યાદી અને કમિટીની યાદી સાથે વિશ્વના દેશોને પત્રો લખ્યા. ન્યૂયૉર્કમાં નૉર્મન કઝીન ‘સેટર ડે રિવ્યૂ ઑફ લિટરેચર’ નામથી અઠવાડિક બહાર પાડે, તેમાં આ પત્ર છપાયો ને કૅનેડા, અમેરિકા, ઇંગ્લૅન્ડથી આમંત્રણો આવ્યાં. વિશ્વના અઢાર દેશોમાં જવાનું હતું, ચારસો ઉત્તમ પુસ્તકો લઈને. વળી, પુસ્તકો તો પહેલાં રવાના કરવાં પડે એટલે ખરીદવાં પડે એટલે નાણાંની જરૂર પડે. એ વખતે એક ડૉલરના ચાર રૂપિયા હતા. ‘લોકમિલાપ’ને એક લાખ રૂપિયાની જરૂર હતી. ‘મિલાપ’ માસિક દ્વારા અપીલ કરી : ‘અમને એક વર્ષ માટે રૂ. ૧૦૦ની વગર વ્યાજની લોન આપો.’ ચપટી વગાડતાં એક લાખ રૂપિયા મળ્યા. ૧૯૬૯નું આખું વર્ષ અઢાર દેશોમાં ફરીને ગાંધીભૂમિના ઉત્તમોત્તમ પુસ્તકોના મેળાનું મહેન્દ્રભાઈએ જબરૂ આયોજન કર્યું અને તે પણ લોકસહયોગથી લોકમિલાપ ટ્રસ્ટના પ્રમુખ હતા.‘લોકમિલાપ’ દ્વારા !
૧૯૭૨માં ઝવેરચંદ મેઘાણીની પંચોતેરમી જન્મજયંતીએ તેમના સાહિત્યનો વ્યાપક ફેલાવો કરવા લોકમિલાપ મેઘાણીનાં કાવ્યો, નવલિકાઓ અને લોકકથાઓનાં અઢીસો પાનાંનાં ત્રણ પુસ્તકોનો સંપુટ ‘કસુંબીનો રંગ’ નામથી બહાર પાડ્યો. સાતસો પચાસ પાનાંનું સુંદર પ્રકાશન. કિંમત રાખી રૂ. વીસ, પણ અગોતરા ગ્રાહક થાવ તો માત્ર રૂપિયા દસ અને દસ સેટ મંગાવો તો માત્ર રૂપિયા પાંચમાં !!! મેઘાણી કુટુંબે પુરસ્કાર જતો કરેલો. ‘અગોતરા ગ્રાહક’ યોજનાની વિશેષતા એ કે જેટલાં વેચવાનાં એટલાં જ છાપવાનાં. કશું પડતર કે વ્યય નહીં. ‘કસુંબીનો રંગ’ના સવા લાખ સેટના ઑર્ડર મળ્યા..
મહેન્દ્રભાઈ કહે છે કે, ‘રસ પડે, સમજાય અને પરવડે તેવું સાહિત્ય આપે તો લોકોને વાંચવું જ છે.’ પછી તો સતત ચાર વર્ષ આ જ યોજના દ્વારા ‘આપણો સાહિત્યવારસો’ શીર્ષકથી જુદા જુદા લેખકોનાં પાંચ પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં. ચયનની જવાબદારી ઉમાશંકર જોશીએ વહન કરી, કારણ ઉ. જો.લોકમિલાપ ટ્રસ્ટ ના પ્રમુખ હતા.
‘મિલાપ’ માસિક પચાસ વર્ષ ચાલેલું. તેની ફાઈલોમાં કેટલું સંગ્રહાયેલું ? નવી પેઢી સુધી તેમાંથી શ્રેષ્ઠતમ સાહિત્ય પહોંચાડીએ તો ? તેમાંથી પ્રગટ થઈ ‘અરધી સદીની વાચનયાત્રા’ અને એ તો ગુજરાતમાં અને ગુજરાતીઓના ઘરેઘર પહોંચી ! ‘લોકમિલાપ’ની એક ઓળખ તે ખિસ્સાપોથીની. બત્રીસ પાનાં અને બુશશર્ટના ખિસ્સામાં સમાઈ સમાઈ જાય તેવી નાની પુસ્તિકાઓનાં ત્રીસ શીર્ષક થયાં ને તેની દસ લાખ નકલો છપાણી !
મહેન્દ્રભાઈ લોકો સુધી પહોંચવા હંમેશાં તત્પર. કોઈ કહે, લોકો વાંચતા નથી તો મહેન્દ્રભાઈએ વાચનયાત્રા શરૂ કરી. મેઘાણીભાઈની નેવુંમી જન્મજયંતીએ તેમણે નેવું દિવસની વાચનયાત્રા આરંભી. ઘરે ઘરે જવાનું. ઘરનાંને અડોશપડોશના ચાલીસ પચાસની વચ્ચે અર્ધો પોણો કલાક બેસી શ્રેષ્ઠ કશુંક વાંચી સંભળાવવાનું અને એમ વાચનનો ચેપ લગાડતા જવાનો !!
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ
by Bhadrayu Vachhrajani | Jan 26, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

જેમણે પાંચ વર્ષ પહેલા પોતાને પંચોતેર વર્ષ થયા ત્યારે સહયોગ પરિસરની બહાર નહીં નીકળવાનો સંકલ્પ લીધો છે તેવા પ્રાધ્યાપકની નોકરી છોડીને રક્તપિત્તિયાઓની સેવા કરવા ભેખ ધારણ કરનાર શ્રી સુરેશ સોનીના પડછાયા સમાન ધર્મપત્ની ઈન્દિરાબેન વાત માંડે છે ::
“કોઈ ભવમાં બાંધેલા, મારા કર્મો જાગ્યા છે,
કાયાના દર્દ રૂપે, મને પીડવા લાગ્યા છે.“
“રાત્રે બાર વાગે હોસ્પિટલનો કમ્પાઉન્ડર અમને ભર- ઊંઘમાંથી જગાડે છે. સાહેબ પરાગભાઈને બહુ દર્દ થાય છે. એમને ઇંજેકશન-દવા આપી દઉં ?
ભાવનગરની ઝુંપડપટ્ટીમાં રહેતા રક્તપિત્ત રોગને કારણે સમાજે તિરસ્તકૃત કર્યા છે, તે પરાગભાઈ વર્ષોથી એકલા ત્યાં રહેતા હતા. પગમાં ખૂબ મોટો ઝખમ થવાથી તેમાં કીડા પડયા હતા. જેથી દુર્ગંધ મારતી હતી. ત્યાંના એક ભાઈ એક વર્ષ પહેલા સહયોગમાં મૂકી ગયા હતા. બંને પગે ઝખમ, એક પગ તો સડી ગયેલા. ડ્રેસિંગ કરતા, પણ સારું ન થતા ડોક્ટરે પગ કાપી નાંખ્યો,
ધીમે ધીમે તેમની શારીરિક સ્થિતિ બગડવા માંડી. જેથી તેમને હિંમતનગરની હોસ્પિટલમાં મોકલ્યા. તપાસ કરતાં ખબર પડી કે તેમને કેન્સર થયું છે. દવા શરૂ કરી. તેમને નવડાવવા પડે, ડ્રેસિંગ કરવાનું, કાને બિલકુલ સાંભળે નહિ. તેમને પુછું-કશું ખાવું છે ? ઈશારાથી સમજાવું, જવાબ આપે નહિ, સંસ્થા તરફથી લીલા નાળિયેર મંગાવીએ.
મને થાય છે કે,ખરેખર, આપણે બધા કેટલા બધા નસીબદાર છીએ. માંદા પડીએ, હોસપિટલમાં દાખલ થઇએ ત્યારે આપણો સમગ્ર પરિવાર આપણી સેવામાં લાગી જાય છે. રાત-દિવસ એકાદ જણ આપણી પાસે રહે છે. જ્યારે આવા એકલા-અટૂલા પથારીમાં કણસતાં હોય, પાણી પીધું હોય, ટોયલેટ જવું હોય તો તેની મદદ માટે કોઈ ન હોય, વોર્ડબોય હોય તે હાજર ન હોય. એની બાજુના ખાટલામાં એના જેવો જ દર્દી હોય તે શું મદદ કરે. ક્યારેક એવું પણ બન્યું છે ઊંઘમાં દર્દીનું મૃત્યુ થયું હોય અને બાજુવાળાને ખબર પણ ન હોય. એ દર્દીને મરતી વખતે કશી જ વેદના નહીં થઈ હોય ?
શા માટે આ વેદના – આ એકલતા ? આ દર્દી અને આ પીડા ? શા માટે ઇશ્વરનો આવો ભયંકર શાપ ?”
‘અણસાર’માં વર્ષાબેન અડાલજા લખે છે :
“આ વેદના જોઈ લોકોનો અંતરઆત્મા જાગે અને આવા દુ:ખી લોકોને ટેકો કરવા માનવજાત આગળ આવે. વેદનાગ્રસ્ત માનવી હરિ હોવાની એધાણી છે.”
“હજુ તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, ભગવાન પરાગભાઈને દુઃખમાંથી હવે મુક્તિ આપો. તેમના કર્મોની સજા પૂરી કરો. ત્યાં તો હોસ્પિટલમાંથી વોર્ડ બોય કહેવા આવ્યો. પરાગભાઈ મૃત્યુ પામ્યા છે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી કે શું ?
થોડી જ વારમાં તેમની અંતિમ વિધિ માટેની તૈયારી કરાવવા લાગ્યા. તેમના સગાં-વહાલા જે ગણો તે અમારા આશ્રમવાસીઓ, છાત્રાલયના દિકરા-દીકરીઓ, મંદબુદ્ધિવાળા દિકરા-દિકરીઓ. તેમને વિદાય આપવા રામધૂન બોલાવતાં અને જયશ્રીકૃષ્ણ- પ્રણામ કહેતા અંતિમ ધામમાં પ્રયાણ કર્યું. આ લેખ પૂર્ણ કરતાં સ્વપ્ને પણ ખ્યાલ નહોતો પરાગભાઈ દુ:ખમાંથી મુક્તિ પામશે.
તેમની બાજુના ખાટલામાં ચાલીસ વર્ષથી અમારી સાથે રહેતા ફતેસિંહ હાથ-પગના આંગળા વળી ગયેલા, નાક બેસી ગયેલું. પાતળા બાંધાના ગાંધી કુટિરમાં રહેતા હતા. અચાનક કમરમાં અસહ્ય પીડા થતા તેમને હિંમતસર ઓર્થોપેડિક ડોક્ટરને ત્યાં મોકલ્યા. દવા શરૂ કરી. માનસિક-શારીરિક રીતે ભાંગી પડેલા ફતેસિંહ કોઈ દવા ખાવા – કસરત કરવા તૈયાર નથી. કોણી પર મોટો ઝખમ થવાથી ખૂબ ગંધ મારે છે. પીડાને લીધે સ્નાન કરવાની ના પાડે છે. છતાં એ બે ચાર જણાએ પકડી રાખી નવડાવ્યા. કેટલાય દિવસ ન્હાયા ન્હોતા. મેં પુછ્યું, હવે કેવું લાગે છે તો કહે સારુ, પણ મારે જીવવું નથી. કુલા પર પણ મોટો ઝખમ પડયો છે.
આવા ભાઈ-બેનો મૃત્યુની રાહ જોઈ હોસ્પિટલના બિછાને પડેલા છે. કોઈને કીડનીની, કોઈ કેન્સર, તો કોઈ માનસિક તકલીફથી પીડાતા દર્દીઓની વેદના જોઈ મનમાં થાય છે ભગવાન આવું કોઈને પણ ન આપીશ. આ બધાને જોઈએ છીએ ત્યારે સુરેશને હું પૂછું છું કે આપણું મોત કેવું આવશે ? ત્યારે તે જવાબ આપે છે . પૂ. મોટા, પૂ. રામકૃષ્ણ પરમહંસને પણ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું છે, તો આપણે કોણ ?”
સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ એટલે ભગવાનની કૃપા.
1988ની ગણેશ ચતુર્થી તા. ચૌદ, સપ્ટેમ્બર ના રોજ વિસ રક્તપીતીઓ અને છ બાળકો સાથે સહયોગ ટ્રસ્ટ શરુ થયું. સર્વોદય આશ્રમ, મઢીના શ્રી રામુભાઇ પટેલે પોતાની બત્રીસ એકર જમીન બિનશરતી દાનમાં આપેલી. સંસ્થામાં 60 સ્ટાફમિત્રો, 44 ગાયો (માંદી, ખોડખાપણ વાળી) વળી અહીં જે આશ્રમવકસીઓ છે તેમાં 285 રક્તપિત્તવાળા લોકો અને તેના કુટુંબીઓ, દિવ્યાંગ 22 લોકો અને તેના કુટુંબીઓ, સામાજિક પ્રશ્નોવાળા 08 લોકો, માનસિક તકલીફવાળા 251 પુરુષો, માનસિક તકલીફવાળા 178 બહેનો અને 283 રક્તપિત્ત બાળકો થઈને કુલ 1027 આશ્રમવાસીઓનું આ સહયોગ નગર છે.
ગુજરાતમાં જ કેવળ નહીં પરંતુ ભારતભરમાં એક સૂત્ર ફરતું થઈ ગયું છે કે, “જેનું કોઈ નથી તેનું સહયોગ છે .”
by Bhadrayu Vachhrajani | Jan 19, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને જગાડવાનું ને ઢંઢોળવાનું કામ “સહયોગ” કરે છે.
ન માની શકાય તેવી આ વાત છે. ગમે તે જાતિ, ધર્મ હોય પણ માણસ આખરે તો માણસ છે. ભગવાને બધાને સરખા જ બનાવ્ય છે, પણ માણસે જ ધર્મ ને જાતિનાં વાડા બનાવ્યા છે.
સાબરકાંઠાનું ઈલોલ ગામ. ત્યાં મુસ્લિમોની વસ્તી વધુ છે. હિન્દુ-મુસલમાન પ્રેમથી હળીમળીને રહે છે. ઈલોલના મુસ્લિમ દંપતી નોખી માટીના છે. શ્રી હલીમાબેન અને શ્રી રહેમતુલા ઘણા વર્ષોથી ઈલોલમાં રહે છે. તેમના પરિવારમાં ત્રણ દિકરી ને એક દિકરો છે.
તેમના ઘરે થોડા ઘણા મંદબુદ્ધિવાળા એક હિન્દુ માનાભાઈ કચરાભાઈ વણકર અવારનવાર આવતો. હલીમાબેન તેને ક્યારેક ચા-નાસ્તો આપતા. માનાભાઈના પરિવારમાં કોઈ હતું નહિ. માતા-પિતા મૃત્યુ પામેલા. એટલે માનાભાઈ હલીમાબેનનો પ્રેમ જોતા ચા માંગે, એમ કરતાં પતિ- પત્નીને તેમના તરફ માયા બંધાઈ. પછી તો તે દરરોજ આવે અને બે ટાઈમ તેમને જમવાનું મળે. આ દંપતીએ વિચાર્યુ કે કાયમ એમને આપણે ત્યાં જ રાખીએ તો કેવું ? અને બાજુના રૂમમાં ખાટલો, ગોદડુ આપી તેમને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી અને ધીમે ધીમે તેઓ કુટુંબના સભ્ય બની ગયા. દિકરીઓ પણ તેમને સાચવતી.
થોડી બુદ્ધિ ઓછી અને ગુસ્સો બહુ. એટલે ક્યારેક સમયસર ચા ન મળે તો ગુસ્સે થઈ ગાળો બોલે. રહેમતુલ્લાની ભત્રીજી કે બીજા સગા આવે તો કહે “તમે બધા અહીં કેમ આવ્યા છો ? ખાવા આવો છો ? જતા રહો.
એકવાર હલીમાબેન કામમાં હતા, જમવાનું આપવામાં મોડું થયું તો તેમને સાવરણી મારી. હલીમાબેન એટલા ભલા અને લાગણીશીલ કે ગુસ્સે થવાને બદલે પ્રેમથી ચા પીવડાવીને ઠંડા પાડયા. આજુબાજુ પાડોશીઓ આ જુવે અને રહેમભાઈ – હલીમાબેનને કહે “તમે શું કામ આ માણસને રાખો છો ? તમારા સગા તો છે નહિ”. ત્યારે તેઓ કહે, “એ બિચારાનું કોઈ નથી, આ તો પ્રેમનો સંબંધ છે, મારો દિકરો આવું કરે તો હું એને કાઢી મૂકું, કાંઈ ?”
એકવાર હલીમાબેનની નજર માનાભાઈના હાથ પર પડી. ફોલ્લા પડેલા. દવાખાને લઈ ગયાં. જલ્દી રૂઝાય નહિ. રહેમભાઈ તેમને નવડાવે, કપડા પહેરાવે. તેમણે ચામડીના ડોક્ટરને બતાવ્યું. ખબર પડી કે રક્તપિત્તને કારણે તેમને રૂઝ આવતી નથી. અમદાવાદમાં નારોલમાં રક્તપિત્તની હોસ્પિટલમાં દાખલ કર્યા. દવા શરૂ કરી. થોડા મહિના રહ્યાં. સારૂં થયું. એકલા ઘેર ભાગી આવ્યા. રક્તપિત્ત રોગને કારણે, કુટુંબ-સમાજ, સ્વજનો હડધૂત કરે છે, તિરસ્કૃત કરે છે ત્યારે આ દંપતી તેમને પ્રેમથી રાખે છે. કોઈ પણ જાતના સંબંધ વગર !!
એકવાર પગમાં જખમ થવાથી તેમાં કીડા પડયા. હલીમાબેનની મોટી દિકરીએ દવા નાખી કીડા જાતે કાઢી પાટો બાંધ્યો, અને તે પણ મોઢું બગાડયા વગર, સૂગ ચડાવ્યા વગર. ચાર વર્ષ પહેલા ક્યાંકથી વૃદ્ધાશ્રમ શરૂ કરવા માનાભાઈને લેવા આવ્યા, આ ભાઈ ઘરડા થશે, તમારી પણ ઉંમર થશે, ત્યારે તમને તકલીફ પડશે, માટે અમે શરૂઆત માનાભાઈથી કરવા માંગીએ છીએ.
માનાભાઈને સમજાવી પટાવીને મોકલ્યા. સવારના ચાર વાગે બારણે ટકોરા સંભળાયા. જોયું તો માનાભાઈને મૂકવા આવનાર ભાઈ કહે, “માનાભાઈ તો એવું કહે છે, તમારા કરતા તો હલીમાબેન સારા, મને રાત્રે ૧૨ વાગે ચા માંગુ તો બનાવી આપે છે. મારે અહિં રહેવું નથી.” આવો નિસ્વાર્થ પ્રેમ આ દંપતી જ કરી શકે. આ માનાભાઈ પાસે કોઈ મિલકત નથી, છતાંય આ દંપતી પ્રેમથી તેમને રાખતા.
એકવાર ગામના મોભીઓએ રહેમતુલ્લાભાઈને કહ્યું, “આપણે મુસલમાન અને ભાઈ હિન્દુ છે. ક્યારેક તેમને કશું થશે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો. માટે તમે ગમે ત્યાં મૂકી આવો.” આ સાંભળી દંપતી ગભરાઈ ગયું. જે વ્યક્તિને ૨૦ વર્ષથી પોતાના ઘેર પરિવારનો સભ્ય ગણી રાખ્યો, પ્રેમ આપ્યો, તેમને કોઈ ગુના વગર કાઢી મૂકતા જીવ નહોતો ચાલતો.
ન છૂટકે તેઓ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્રનગર ચોકડી, હિંમતનગર માં શ્રી સુરેશ સોનીને મળ્યા અને કહ્યું, “માનાભાઈને અમે ૨૦ વર્ષ અમારે ત્યાં રાખ્યા હતા. હવે તમારી સંસ્થામાં કાયમ માટે મૂકવા આવ્યા છીએ. અમે મળવા આવતા રહીશું.” મૂકીને ભારે હૈયે વિદાય થયા. સંસ્થામાં બધાની સાથે રહે છે.
હલીમાબેનની દિકરીને રાજસ્થાન પરણાવી છે, તે રાજસ્થાન જતાં માનાકાકાને મળવા આવી. તેમને માટે નાસ્તો, સ્વેટર વગેરે લાવી, તેણીએ પૂછયું, “કાકા બીજું શું જોઈએ છે ?” તો કહે, મારે પાકિટ જોઈએ છે, “તમારે કેમ જોઈએ છે? તો માનાકાકા કહે, “મને દર મહિને સંસ્થામાંથી ૧૩૦ રૂ. વાપરવા આપે છે. જમવાનું, કપડાં, દવા તો મફત મળે છે. એટલે પૈસા મૂકવા પાકીટ જોઈએ ને ?”
દીકરીએ ફોનથી તેના પપ્પાને જણાવ્યું, “તમે સહયોગમાં જઈ માનાકાકાને પાકીટ આપી આવજો.” હલીમાબેન- રહેમતુલ્લા તેમના મિત્રની ગાડીમાં આવી સુરેશભાઈને મળ્યા અને બધા માનાભાઈને મળવા ગયા. પાકીટ, નાસ્તો, બિસ્કીટ વગેરે આપ્યું.
સુરેશભાઈએ તેમના ધર્મપત્ની ઈન્દિરાબેનને બોલાવીને કહ્યું, “ઇંદિરા, આ કંપનીને મળ. અહિં રહેતા આપણા ઘણાં રક્તપિત્તગ્રસ્તી અને મંદબુદ્ધિવાળાને કોઈ મળવા આવતું નથી, સગા વ્હાલા હોવા છતાં જ્યારે આ દંપતી લોહીનો સંબંધ ન હોવા છતાં માનવતાના સંબંધે લાગણીભર્યા દિલથી મળવા આવ્યા છે.
તેમના મુખે આ વાતો સાંભળી હૈયું ગદ્ગદીત થઈ ગયું. આવી ઘટનાઓ માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને જગાડવાનું, ઢંઢોળવાનું કામ કરે છે. આ દંપતીના હૃદયમાં વસેલા ખુદાને વંદન કરીને એટલું જ કહીએ કે પરવરદિગાર તેમને સુખી કરે અને એંસી વર્ષની કગારે ઉભેલા સન્યાસી સુરેશ સોની દંપતીને અને આખા ‘સહયોગ પરિસર’ ને સેવા કરવાનું બળ આપે.
હિન્દુ યા મુસલમાન, શીખ હૈ ઈસાઈ હૈ, યા પારસી હૈ હમ,
એતબારસે આજસે કહો ઈન્સાન હૈ હમ ઈન્સાન હૈ હમ…
by Bhadrayu Vachhrajani | Jan 13, 2025 | Articles |

સુષ્મા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં સૌ. ઈલા સાથે શિક્ષિકા અને મારો “નાટક – મિત્ર” પરેશ સરકારમાં લીગલ એડવાઈઝર. સુષ્મા પરેશના પ્રેમ લગ્ન અમારાં ઘરે થયાં. કહો કે, સુષ્માએ અમને બન્નેને કન્યાદાન કરવાનો લ્હાવો આપ્યો.
સુષ્મા+પરેશ વડગામા દંપતીનું પહેલું સંતાન પ્રેમમંદિરે જન્મ્યું. તેને ગળથૂથી પાઈ સૌ. ઈલાએ…તે સંતાનનું પ્રેમમંદિરે નામ રાખ્યું : નીર્ઝરી.
નીર્ઝરી ખૂબ હોંશિયાર, શાંત, પર્યાવરણ પ્રેમી, ટાટા ની સ્કોલરશીપ પર જર્મની જઈ ભણી. પછી ભારત આવીને બેંગલુરુમાં સ્ટાર્ટ અપમાં જોડાઈ. ત્યાંથી ગૌરવ, જૈન પરિવારનો દીકરો મિત્ર બન્યો અને એકાદ વર્ષ પહેલાં જીવનસાથી બન્યો. ગૌરવ હિન્દી બોલે પણ ગુજરાતી ઘણું સમજે. એ બહુ સ્મિત સભર યુવાન. જર્મનીની કંપનીમાં ભારતથી જોબસ્થ છે. બન્ને બેંગલુરુમાં કાર્યરત ને જીવનમસ્ત છે.
હમણાં બન્ને રાજકોટ આવ્યાં અને આજે માઘ પૂર્ણિમા દિને પ્રેમમંદિર પધાર્યાં, સાથે સુષ્મા પરેશ તો હોય જ ને !! ખૂબ વાતો કરી,, વિચિત્ર ભેજાંધરી ટ્રમ્પ થી ભગવદ ગીતા થી ઓશો થી મહાકુંભ સુધીની,,અને પછી ફાફડા – ભાખરી – ચા ને ન્યાય આપ્યો.
યુવા દંપતી પહેલીવાર પ્રેમમંદિર આવ્યું એટલે પ્રેમ પ્રસાદી રૂપે “ૐ ખેસ”, શ્રી ગોવિંદકાકા (સુરત) ની જીવનકથાનું અંગ્રેજી પુસ્તક, લોક કલા ચિત્ર અને મુખવાસ.. દંપતીને અર્પણ કર્યાં. હા, પ્રેમમંદિરના પ્રતિનિધિ રૂપે સુષ્માનાં વરદ હસ્તે જ અર્પણ વિધિ કરી. સુષ્માનું પિયર તો પ્રેમમંદિર જ કહેવાય ને !!!
આજની પૂર્ણિમાની સવાર અમારી ગોષ્ઠિથી યાદગાર બની ગઈ. આમ અમે આજે “પ્રેમ પરિવાર કુંભમાં આનંદનું વાતસ્નાન” કર્યું. એટલે તમને સૌને પણ સહભાગી બનાવ્યા છે.
તો
બોલો, આજકે આનંદ કી જય.
by Bhadrayu Vachhrajani | Jan 12, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

કલ્પસરનો વિભાગ સરકારમાં ચાલે છે, તાજેતરમાં જ અપડેટ થયેલ વેબસાઈટ છે, આર્થિક ફાળવણી છે તો પછી યોજના અટકે છે ક્યાં ??
કલ્પસર પરનો પ્રથમ લેખ વાંચીને ઘણા લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરવા બહાર આવ્યા, અલબત્ત એ સારી નિશાની છે, કારણ કે હવે ગુજરાતના સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, ખેડૂતો, સાંસદો, ધારાસભ્યો વગેરે સૌએ કલ્પસર યોજના માટે જાગવાનો અને સરકારને જગાડવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી આપણે નક્કર યોજનાઓને પડતર રાખીશું અને પાણીની કારમી તંગી સહન કર્યા કરીશું ??
જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત સરકારમાં કલ્પસર વિભાગ ગાંધીનગરના સેક્ટર દસ માં આવેલ નવા સચિવાલયના બ્લોક નંબર આઠના સાતમા મળે કલ્પસર વિભાગ કાર્યરત છે, તેની વેબ સાઈટ તા. ત્રણ, જાન્યુઆરી, 2025 સુધી અપડેટ થયેલ છે, ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો હવાલો પોતાના પાસે રાખ્યો હતો અને તેઓએ ખુદ કહેલ છે કે રેકોર્ડ સમયમાં આ પ્રકલ્પ પૂર્ણ કરી સૌરાષ્ટ્રની જળતંગી કાયમ માટે નિવારીશું. હજુ 2024ના સપ્ટેમ્બરની 11મી તારીખે અમરેલીના પૂર્વ ધારાસભ્યે પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખી કલ્પસર યોજનાને સત્વરે આગળ ધપાવવા અને તેમાં અમરેલીને સમાવિષ્ટ કરવા વિનંતી કરે છે. તેમના માટે કલ્પસર એ એક માત્ર બચાવ-આધાર છે કે જે સૌરાષ્ટ્રની જળ સમસ્યાનો કાયમ ઉકેલ આપી શકે.
એક વયોવૃદ્ધ જાગૃત વડીલ શ્રી વિનુભાઈ ગાંધીએ કલ્પસર સહયોગ સમિતિ રચીને અટકી પડેલ યોજણાને યોગ્ય દિશા દેવાના અનેક પ્રયાસો કર્યા છે. અને તેના પરિણામે જ, આ કલ્પસર યોજના અંગે ચિંતા ઉપજાવે તેવા અભ્યાસ લેખ દ્વારા ફરી શાસકોને ઢંઢોળવા નીકળનાર વયોવૃદ્ધ શ્રી વિનુભાઈ ગાંધીની વાતને સમાજ સુધી હું એક શિક્ષક તરીકે પહોંચાડી રહ્યો છું.
એક વાત ઘણા મિત્રોએ ફોનથી કરી કે, સૌરાષ્ટ્રની નેતાગીરી દબાણ લાવવામાં કાચી પડે છે, કારણ તેઓ પોતાના જ ઝઘડામાં વ્યસ્ત છે અથવા કહો કે, તેઓને અંદરોઅંદર ઝઘડવામાં જ વ્યસ્ત કરી દેવામાં આવેલ છે કે જેથી તેઓ લોકોની સમસ્યાને એક બાજુ મૂકી દે. !! એક અધ્યાપક મિત્રએ તો કટાક્ષ કરીને કહ્યું કે, અત્યારે આ ટ્રેન્ડ છે, પ્રોજેક્ટ મુકો, તેને મંજુર કરાવો, તેના માટે બાજેટ ફાળવો અને પછી તે પ્રોજેક્ટને ભૂલી જઈને નવો પ્રોજેક્ટ મુકો !!! …પ્રતિભાવો સાંભળીને અને અહીં તેને લખીને બહુ દુઃખ અનુભવાય છે કે, આપણે એક ખોબા જેવડા ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત , ઉત્તર ગુજરાત એવા પ્રાંતો માં વહેંચાઈ ગયા છીએ અને તેમાં પ્રાંતવાદ ઉભો કરી રાજ્યની સમસ્યાઓના કાયમી ઉકેલ લાવવાનું ભૂલી જઈએ છીએ.
કલ્પસર યોજનાના મૂલ્યાંકન માટે પ્રત્યક્ષ આવકના સ્રોતની સાથોસાથ પરોક્ષ લાભોથી મળવાપાત્ર આવક પણ લક્ષમાં લેવી ઘટે, તેવું સંશોધન પુસ્તિકામાં દર્શાવેલ છે.
- નવસાધ્ય થનાર ચારેક લાખ હેક્ટર જમીન,
- દસ થી બાર લાખ હેકટર જમીનને મળવાપાત્ર સિંચાઈની ફી/ ચાર્જ,
- રોજીંદા ૫૦ થી ૬૦ હજાર વાહનોની અવર-જવરનો ટોલ ટેક્સ,
- રેલ્વેની લાઈન તથા પાઈપ લાઈનનું ભાડું,
- પવન ઉર્જા/સૌરઉર્જાની વીજળી દ્વારા આવક,
- લાખો લોકોને રોજગાર/સ્વરોજગારની ઉપલબ્ધિ,
- કરોડો રૂપિયાનું વધવાપાત્ર ખેત ઉત્પાદન વગેરે રોકડ આવક તો થશે જ, પણ આ ઉપરાંત…
- ૬૬૦ કિલોમીટર લાંબી નહેરને લીધે સર્જાનાર પિયતના વિશિષ્ટ લાભો તેમજ પીવાલાયક પાણી મળવાથી સધાનાર જનઆરોગ્ય,
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે માર્ગવ્યવહારનું ૨૦૦ થી ૩૦૦ કિલોમીટરનું ઘટતા અંતરને કારણે બચવાપાત્ર ઈંધણ તથા પ્રદુષણ તથા સમય,
- દોઢેક કરોડની વસ્તી માટે રહેણાંક,
- થોકબંધ નવા ઉદ્યોગોનું નિર્માણ,
- મત્સ્યોદ્યોગ પર્યટન અને વહાણવટાનો વિકાસ,
- તાપમાનમાં ઘટાડો… જેવા અનેક પરોક્ષ લાભો સ્વરૂપ વળતર પણ મળવાનું જ છે.
આમ ગમે એટલુ મૂડીરોકાણ કરવામાં આવે તો પણ રોકડ આવકથી વ્યાજ અને હપ્તા ચૂકવી શકાશે, તેમજ સરકારની અને લોકોની આવક વધવાથી મળવાપાત્ર મૂડીથી સરવાળે ૧૨ થી ૧૫ વર્ષના ટૂંકા ગાળામાં સમુળગુ મૂડીરોકાણ પરત મેળવી શકાશે. ખાત્રીબંધ કહી શકાય કે કલ્પસર પ્રોજેકટ ક્યારેય એન.પી.એ.ના ઢગલામાં ઉમેરો નહી કરે. તેમજ કદાપી વિદેશગમન પણ નહી કરે. જેથી આ યોજના ઈકોનોમીકલી વાયેબલ તેમજ બેંકેબલ હોવા ઉપરાંત પાંચેક સદીની જળસુરક્ષા બક્ષે છે.
કેવળ ગુજરાતની જ વાત કરીએ તો કયા કયા ફાયદાઓ અહીં ગણાવેલ છે તે જોઈએ તો…
- કલ્પસર સરોવર ભૌગોલિક રીતે ગુજરાતની જ હદમાં આવેલું છે અને ઘણાં વિસ્તારને સ્પર્શે છે.
- કોઈ આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તકરાર સર્જાય તેમ નથી.
- કોઈની જમીન સંપાદન થતી નથી તેમજ કોઈનું સ્થળાંતર થતું નથી.
- જળસંકટગ્રસ્ત વિસ્તારની દસેક લાખ હેકટર જમીનને સિંચાઈ તેમજ પીવા માટે દશ હજાર કરોડ ઘન મીટર મીઠું પાણી મળશે, જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળશે.
- મધ્ય તેમજ દક્ષિણ ભારત સાથે સુરત મારફત ગુજરાતનું અને મધ્ય તથા દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રનું આદાન- પ્રદાન વધશે અને માર્ગનું અંતર ઘણું ઘટશે. તેથી ઈંધણ અને સમયની બચત થશે અને પ્રદુષણ ઘટશે.
- બધી મળીને ચારેક લાખ હેક્ટર ખારાપાટની અને ડૂબવાળી જમીન વાપરવા લાયક બનશે.
- સરોવરના ડેમ ઉપર આઠ માર્ગીય રસ્તા ઉપરાંત રેલ્વે, પાઈપ લાઈન, પવન ઉર્જા, સૌર ઉર્જાની હારમાળા સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
- વહાણવટુ, પર્યટન, મત્સ્યોદ્યોગ વગેરેથી અનેક લોકોને કામધંધા અને રોજગાર મળશે.
- પશુધન માટે પૂરતુ પાણી અને ઘાસચારો ઉપલબ્ધ થવાથી પશુપાલનને વેગ મળશે.
- ડેમ હેઠવાસના સમુદ્રની ભરતી – ઓટજન્ય વિજળી કાંઈ બળતણ વગર અપસાઈડ ડાઉન અંડરવોટર વીન્ડમીલની અદ્યતન ટેકનોલોજીથી હજારો મેગાવોટ જેટલી વિજળી ઉત્પન્ન કરી શકાશે.
- ખારોપાટવાળી જમીનમાં વિશાળ ઘાસ પ્લોટ તથા બિનદૂધાળ, વૃદ્ધ કે રખડતા પશુના ઢોરવાડા દ્વારા ગંજાવર બાયોગેસ પ્લાન્ટની હારમાળાનું નિર્માણ કરી શકાશે. જેથી નિંદામણમુક્ત ઉપજાઉ છાણિયું ખાતર, બળતણ માટે ગેસ, વાહન માટે સી.એન.જી. અને વિજળી મળતા થશે.
- નદીઓમાં ભરતીનું ખારું પાણી ભરાતુ બંધ થવાથી ભૂમિમાં ખારાશ પ્રવેશતી તેમજ પ્રસરતી બંધ થશે. જેથી ભૂમિની ફળદ્રુપતા વધશે. વનીકરણ તેમજ વૃક્ષારોપણને વેગ મળવાથી પર્યાવરણ સુધરશે.
- ખંભાત ધોલેરા ભાવનગર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં અનેક ઉદ્યોગો અને યોજનાઓનું નિર્માણ શક્ય બનશે.
- કલ્પસર પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્ય પણ ભાગીદાર હોવાથી રાજ્યની આવકમાં વધારો થશે. જેથી વર્ષોવર્ષ વધ્યે જતું જાહેર દેવું ભરવા માટે આ આવકનો ઉપયોગ શક્ય બનવાથી રાજ્ય ક્રમશઃ ઋણમુક્ત બની શકશે.
- ચોમાસામાં સરોવરની મહત્તમ જળસપાટીથી વધારાનું પાણી નળ સરોવર મારફત કચ્છના સૂરજબારી થઈને નાના રણમાં વહેવડાવવા માટે સાનુકૂળ ઢોળાવની ગ્રેવીટીનો લાભ લઈ શકાશે.
- ગુજરાત ભારતનું પૂરતુ પાણી ધરાવતું સર્વપ્રથમ સ્વનિર્ભર રાજ્ય બનશે. સમસ્ત ગુજરાત જળસંપન્ન બનશે. વધુમાં ગુજરાતનો સંતુલિત તેમજ સર્વાંગી વિકાસ શક્ય બનશે.
અંતરના ઘટાડાની અંદાજીત વિગતો જોઈએ તો..
- ભાવનગર થી સુરત::હાલનું અંતર કી.મી.478 ::આશરે ઘટાડો 343 કી.મી.::ઘટ્યા પછીનું અંતર 125
- રાજકોટ થી સુરત:: હાલનું અંતર કી.મી. 450:: આશરે ઘટાડો 175::ઘટ્યા પછીનું અંતર 275
- પોરબંદર થી સુરત:: હાલનું અંતર 650 કી.મી.::આશરે ઘટાડો 200 કિમિ :: ઘટ્યા પછીનું અંતર 450
- અમરેલી થી સુરત::હાલનું અંતર 550 કી.મી:: આશરે ઘટાડો 300:: ઘટ્યા પછીનું અંતર 250
- જામનગર થી સુરત::હાલનું અંતર કી.મી::550::આશરે ઘટાડો 150::ઘટ્યા પછીનું અંતર 400
- જૂનાગઢ થી સુરત:: હાલનું અંતર કી.મી 550:: આશરે ઘટાડો 200::ઘટ્યા પછીનું અંતર 350
હવે એ જાણીએ કે, કલ્પસર પ્રોજેક્ટને લગતી કામગીરી હાલ કેટલે પહોંચી છે ?
- મુખ્ય ૫૬ કામગીરીઓ પૈકી ૨૪ પૂર્ણ થવાના આખરી તબક્કામાં છે,
- ૧૩ કામગીરી શરૂ કરવાની મંજૂરીના છેલ્લા તબક્કામાં છે,
- ૧૦ કામગીરી આયોજનની કક્ષાએ છે અને
- ૯ કામગીરી નિતીવિષયક બાબતની છે. જેમાં ભાડભૂત બેરેજને લગતી તમામ કામગીરી ૨૦૧૨માં પૂર્ણ થઈ ગઈ છે.
- બેરેજની યોજના અલગ હોવાં છતાં દહેજ સુધીની ૩૨ કિલોમીટર લાંબી અને પૂરતી પહોળાઈની ઉંડાઈની કેનાલને લગતી કામગીરી ૨૦૧૮ સુધીમાં પણ શરૂ થઈ જણાતી નથી.
- ૨૦૧૮-૧૯ ના ગુજરાત રાજ્યના બજેટમાં પ્રથમ વખત જળસંપત્તિ કલ્પસર વિભાગને રૂા. ૧૪,૮૯૫ કરોડ જેટલી રકમ ફાળવેલ છે, જે તો છાંટણાં જેટલી જ હતી.
પ્રશ્ન એ રહે છે કે, આ યોજના અંગેનું ખરેખર શું આયોજન છે?.
વિશ્વરાષ્ટ્રસંઘ (યુનો)ની ચેતવણી અનુસાર ૨૦૫૦ના અરસામાં વિશ્વના ઘણાં વિસ્તારો જળસંકટની સમસ્યાનો સચોટ ઉકેલ નહીં કરે તો વિકટ જળકટોકટીનો ભોગ બનશે. જેથી કુદરતી બક્ષીસ સ્વરૂપ ખંભાતના અખાતનો સવેળા જળસંગ્રહ માટે ઉપયોગ કરીને જરૂર પડ્યે ભારત જળદાતા બનીને પોતે ઉગરે અને અન્યોને પણ ઉગારે તેવી ક્ષમતા ભારત ધરાવે છે.
(કલ્પસર સહયોગ સમિતિ દ્વારા આ અંગે જરૂરી માર્ગદર્શન સમાજના કોઈપણ રસ ધરાવનારને આપવા સમિતિ તત્પર છે::
સંપર્ક: વિનુભાઈ ગાંધી, ભાવનગર 0278 2427166 :: દિલીપભાઈ સખીયા, રાજકોટ 94272 07868:: સિદ્ધાંત વેકરીયા, સુરત 9377728822 )
by Bhadrayu Vachhrajani | Jan 10, 2025 | Articles |
સાત્વિક, સહજ, શોર્ટ એન્ડ સ્વીટ ઉપક્રમના સાક્ષી બનવાનો લ્હાવો !!
કાર્યક્રમનું સ્થળ હતું શ્રી અનિલ રેલિયાની જ વિજય ચાર રસ્તા પાસે phoenix કોમલેક્સ ના પ્રથમ મજલે આવેલ અદભુત Archer Art Galary, અમદાવાદ….
હા, હું નિવૃત્તિને માણી રહ્યો છું એટલે રાજકોટથી પહોંચ્યો કલા રસિકોની વચ્ચે..
૧૯૮૦-૧૯૯૦ ના દશકમાં શ્રી વૃંદાવન સોલંકી સાથે ખૂબ મળવાનું ને સંવાદવાનું થયું. તેઓ જૂનાગઢ હતા ને અમારી વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિના ભાગ રૂપે ત્યાં પ્રસન્ન વછરાજાની સાથે બ્રિટિશ કાઉન્સિલ ની ફિલ્મો રાજકોટ પછી જૂનાગઢ પછી ભાવનગર પછી સણોસરા પછી ધ્રોળ એમ દર્શાવવાનું કામ મેં બહુ ઉત્સાહથી કર્યું. ત્યારે શ્રી વૃંદાવન સોલંકી ની કલા યાત્રા જાણી અને માણી પણ..તેઓને વર્ષો પછી મળવાનો લહાવો લેવા અમદાવાદ ભાગ્યો..એમાં પણ વળી આત્મીય શ્રી અનિલ રેલિયાનું ઉષ્મા ભર્યું આમંત્રણ !!
આશ્ચર્યની વાત કહું ?? આ કાર્યક્રમમાં અનિલભાઈ અને વૃંદાવનભાઈ ઉપરાંત બહુશ્રુત શ્રી અમિત અંબાલાલ અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા.. અમિત અંબાલાલ, ભાગ્યેશભાઈ અને વૃંદાવન સોલંકીએ “લાઘવ” કોને કહેવાય એનું જાણે નિદર્શન કર્યું.!! ટૂંકું ને ટચી જાય તેવું !!
હળીમળી લીધું ને ચા કોફી ને ન્યાય આપી લગભગ સાડા પાંચે કાર્યક્રમ શરૂ થયો અને છ વાગ્યા આસપાસ કાર્યક્રમ પૂરો થઈ ગયો !!!
હા, ચારેય વ્યક્તિઓ બોલ્યા, ફૂલ ગુચ્છ અપાયા, ગ્રંથનું દર્શકાર્પણ પણ થયું,, બધું પણ no formality, no prathna, NO dip pragaty, no announcer, no parichay, ચારેય વક્તાઓ એકબીજાને ખો દેતા ગયા ને હેન્ડ માઇક સરકાવતા ગયા !! હા, અનિલ રેલિયાનો આ કલા ખજાનો સાચવી રહેલ તેમના પુત્રએ અઢી મિનિટમાં મૃદુ કંઠે આભારવિધિ કરી.
શોર્ટ અને સ્વીટ જ નહીં, સ્વિટેસ્ટ!!
બસ, પછી ફરી બધા ફરતા ગયા, ચિત્રોની હારમાળા અને ગ્રંથના દર્શન કરતાં ગયા ને ફોટાઓની ક્લિક થતી રહી. કેટકેટલા કલાકારો ને પ્રતિષ્ઠિત નગરજનો ને મળવાનું થયું… શીલા ભટ્ટ, સૌમ્ય જોશી, નૈષધ પુરાણી, શ્રી અને શ્રીમતી વિવેક દેસાઈ, તુષાર શુક્લ, કુમાર ભટ્ટ, અનુપમ બુચ, હાઉસિયમ નું સર્જક ડૉ. શાહ દંપતિ, નિસર્ગ આહીર, નીતિનભાઈ શુક્લ, એસ્ટર ડેવિડ, દીપક અંતાણી,,, it was a good evening for heart full fellowship… અને પછી ડાયરો પહોંચ્યો અનિલ રેલિયાના big art galary સમાન નિવાસસ્થાને..ફરી ત્યાં વાતોનો દોર અને રસાળ વિવિધ વ્યંજનો થી સભર ભોજન થાળ!!
શ્રી અનિલ રેલિયાનું ઘર ગુજરાતનું નઝરાણું છે, હા, એ આર્ટ ગેલેરી માં વસતું એક ઘર છે. ગૃહે વસતા સૌ મળતાવડા, સસ્મિત ને હળવા ફૂલ જેવા..
રાત્રે એક વાગે પ્રેમ મંદિર ના હિંડોળે હિંચકવા બેઠો ત્યારે એક યાદગાર ગીતની પંક્તિઓ મનમાં ગણગણી …
આવી સાંજ ક્યાંક મળી જાય ને તો જીવી લેવી !!
ભદ્રાયુ વછરાજાની
તા. ૧૦-૦૧-૨૫
મુંબઈ તરફ ઉડતી ફ્લાઈટમાંથી…
અનેક તસ્વીરો અને લિંક માટે અહીં 👇ક્લિક કરો
by Bhadrayu Vachhrajani | Jan 6, 2025 | દીપોત્સવી લેખ |

અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
શ્રી માતાજી (પોન્ડિચેરી) પુષ્પોને ઈશના પ્રતિનિધિ તરીકે સન્માન આપતાં હતાં, એ સ્મરણમાં રાખીને હું ફૂલોની છાબમાં પ્રતિ પળના સમાચારનાં પુષ્પો ભરી લાવતા ફૂલછાબ દૈનિકને ‘શુભ થાઓ’ નું પુષ્પ અર્પણ કરું છું.
શ્રી માતાજી દ્વારા આપણને એક સુંદર પુસ્તક મળેલ છે : ‘સુંદર કથાઓ’. ફેબ્રુઆરી, 1950માં આ પુસ્તક વિષે ટૂંકાક્ષરી માં શ્રી માતાજી કહે છે કે, ‘આ વાર્તાઓ એટલા માટે લખાઈ છે કે એ દ્વારા બાળકોને પોતાનું સ્વરૂપ ઓળખવામાં મદદ થાય અને તેઓ સત્ય સૌંદર્યના માર્ગે જતાં શીખે.’ શ્રી માતાજીના બાળકો એટલે આપણે સૌ !!આપણને પણ આપણું સ્વરૂપ ક્યાં ઓળખાયું છે ?
“રંતિદેવ એ રાજા હતા અને સાધુ થઈને જંગલમાં રહેતા હતા. એમણે પોતાનું ધન ગરીબોને આપી દીધું હતું અને જંગલના એકાંતમાં સાધુ જીવન ગાળતા હતા. એ અને એમનું કુટુંબ જીવન માટેની ઓછામાં ઓછી જરૂરીયાતો મેળવીને કામ ચલાવતા હતા.
એક દિવસ રંતિદેવ રાજાએ અડતાલીશ કલાક ઉપવાસ કર્યા. પછી એમને માટે ભાત, દૂધ અને ખાંડ નું બનાવેલું ભોજન તૈયાર કરવામાં આવ્યું. ત્યાં એમની કુટીરના બારણા પાસે એક ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો અને તેણે ભિક્ષાની માગણી કરી. રંતિદેવે પોતાના ભાતમાંથી અડધો ભાગ એને આપ્યો. તે પછી એક શુદ્ર કંઇક માંગતો માંગતો આવ્યો અને જે બાકી રહ્યું હતું તેમાંથી અડધો ભાગ રંતિદવે તેને આપ્યો.
એ પછી રંતિદેવે જોયું કે, એક કૂતરો ભસી રહ્યો છે. એ બિચારું પ્રાણી ખૂબ ભૂખ્યું હોય તેમ લાગતું હતું. રંતિદેવે જે કાંઈ વધેલું હતું તે તેને આપી દીધું. છેવટે પછી એક અંત્યજ સાધુ એમના દ્વાર ઉપર આવ્યો અને મદદ માટે યાચના કરી. રંતિદેવે એને દૂધ અને ખાંડ આપી દીધા અને ઉપવાસ ચાલુ રાખ્યો.
એ પછી ત્યાં ચાર દેવો આવ્યા અને રંતિદેવને કહેવા લાગ્યા:: “ રંતિદેવ, તમે જે ભોજન કરાયું છે તે અમને કરાવ્યું છે. અમે બ્રાહ્મણ, શૂદ્ર, શ્વાન અને ગરીબ અંત્યજ નું રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યા હતા. તમે અમારા સૌને માટેનું સારું કાર્ય કર્યું છે અને તમારામાં રહેલા પ્રેમ પૂર્ણ વિચારો માટે અમે તમારી પ્રશંસા કરીએ છીએ.’
આ ટચુકડી વાર્તા કહીને શ્રી માતાજી નોંધે છે :: એક પ્રેમ ભરેલું હૃદય સર્વ મનુષ્યો અને પ્રાણીઓને પણ એક જ કુટુંબના હોય તે રીતે એક જ માનવતા તરીકે નિહાળતું હોય છે.
ધન કમાઈ શકાય, વાપરી શકાય, વેડફી શકાય, સંગ્રહી શકાય અરે, તમે તેનું ધારો તે કરી શકો,,પણ ધનને જયારે સન્માર્ગે, અન્યાર્થે, કલ્યાણાર્થે વહેતું મૂકી શકો ત્યારે તે ધન ખરેખર ધન રહેતું નથી, પરંતુ એ ધન લક્ષ્મી બની જાય છે.
કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને ‘લક્ષ્મી’ કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે ‘લક્ષ્મી’ શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. ધનને જે સત્કાર્યે વાળે છે તે ‘લક્ષ્મી’ જ્યાં આવે છે એને લક્ષ્મીવાન કે શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે. અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક (ઘુવડ) માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સંપતિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે. મૂર્ખતાનું એક ઉદાહરણ આપણને મહાકવિ ખલિલ જિબ્રાન તેની નાનકી પુસ્તિકા “પ્રકૃતિનાં સંતાન અને પાગલ” માં આ રીતે આપે છે:
“એક શિયાળે સૂર્યોદય સમયે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, આજે તો ભોજનને માટે એક ઊંટ જોઈશે અને આખી સવાર તે ઊંટ ની શોધમાં રખડયું પરંતુ બપોરે ફરી તેણે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, એકાદ ઉંદર મળશે તોય ચાલશે !”
કેટલીક શાસ્ત્રીય વાતો મુજબ લક્ષ્મી હિંદુ ધર્મમાં કહ્યા પ્રમાણે સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી છે. ‘લક્ષ્મી’ શબ્દ સૌપ્રથમ ઋગ્વેદમાં નિર્દેશાયો છે. ત્યાં તે શોભા, સૌન્દર્ય વગેરેનો દ્યોતક છે. તેનો અર્થ સદનસીબ પણ થાય છે; પરંતુ પાછળથી સમૃદ્ધિ કે સંપત્તિનો ભાવ તેમાં ઉમેરાયો અને સુખ તથા સમૃદ્ધિની દેવી તરીકે તેનો મહિમા સ્વીકારાયો. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાય છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. લક્ષ્મીનાં વિવિધ નામોમાં ‘શ્રી’, ‘પદ્મા’, ‘ઇન્દિરા’, ‘કમલા’, ‘ચપલા’, ‘ચંચલા’, ‘સિંધુસુતા’, ‘હરિપ્રિયા’ વગેરે વિશેષ જાણીતાં છે.
આપણાં શાસ્ત્રો ધનના ઉપાર્જન માટેની કેટલીક આચારસંહિતા પણ સ્પષ્ટ સમજાવે છે. ધન ઉપાર્જન કરવાના અનેક માર્ગો છે. આસુરી પ્રવૃતિઓથી પણ ધન મેળવી શકાય છે અને આજે કળિયુગમાં તો એ માર્ગ વિશેષ સુલભ બન્યો છે, ત્યારે મગજમાં ઉતારી લેવું પડે કે દૈવી કે સન્માર્ગની પ્રવૃતિઓ દ્વારા જે ધન ઉપાર્જન થાય તેને જ લક્ષ્મી કહેવાય છે. ધર્મ વડે ધન મેળવવા માટેનો શ્લોક પણ છે :
धर्मार्जितभोगेन वैराग्यमुपजायते । विपरीतार्थभोगेन राग एव प्रजायते ।।
અર્થાત ‘ધર્મ વડે ઉપાર્જિત ધનના ભોગવવાથી એક દિવસ વૈરાગ્ય અવશ્ય ઉદિત થાય છે, પરંતુ અધર્મ વડે ઉપાર્જન કરેલ ધનના ભોગવવાથી તેના પ્રતિ આસક્તિ આવે છે.’ એવું विद्येश्वर संहिता 13 । 51 – 52 માં દર્શાવેલ છે. તો અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન દસ વર્ષથી વધુ સમય તાકતું નથી, તેવી ચેતવણી પણ શાસ્ત્રો આપે છે.
अन्यायोपर्जितं द्रव्यं दशवर्षाणि तिष्ठाति । प्राप्ते चैकादशे वर्षे समूलं तद् विनश्यति ।।
‘અન્યાય અને અનીતિથી ઉપાર્જન કરેલ / ઉપાર્જિત (એકઠું) કરેલું ધન વધુમાં વધુ દસ વર્ષ ટકે છે, જેવું અગિયારમું વર્ષ થાય કે તે મૂળ સહીત નાશ પામે છે.’ એવું चाणक्य नीति – 15.6 માં દર્શાવેલ છે.
ઋગ્વેદમાં આવતા ‘શ્રીસૂક્ત’માં ઐશ્વર્યના પ્રતીકરૂપ દેવતા તરીકે લક્ષ્મીનું નિરૂપણ છે. વાલ્મીકિ રામાયણ (બાલકાંડના પીસ્તાલીશમાં શ્લોકમાં )મા લક્ષ્મીને ‘શુભ્રવસ્ત્રધારિણી’, ‘તરુણી’, ‘મુકુટધારિણી’, ‘કુંચિતકેશા’, ‘ચતુર્હસ્તા’, ‘સુવર્ણકાન્તિ’, ‘મણિમુક્તાદિભૂષિતા’ વગેરે નામોથી નિર્દેશેલ છે. તે પછી પુરાણોમાં લક્ષ્મીને ‘કમલાસના’, ‘કમલહસ્તા’, ‘કમલમાલાધારિણી’ તથા ‘સદા વિષ્ણુના વક્ષ:સ્થલમાં રહેતી’ વર્ણવી છે. લક્ષ્મીની ઉત્પત્તિ અંગે પ્રચલિત માન્યતા મુજબ તે સમુદ્રમંથન દ્વારા ઉદભવેલ ચૌદ રત્નો પૈકીનું એક રત્ન છે, જેનો ભગવાન વિષ્ણુએ પત્નીરૂપે સ્વીકાર કર્યો. ત્યારબાદ તેમણે ક્ષીરસાગરમાં નિવાસ કર્યો. તૈત્તિરીય સંહિતામાં લક્ષ્મી અને શ્રી બંને આદિત્યની પત્નીઓ હોવાનું કહ્યું છે.
એક મત મુજબ ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર, આરોગ્ય, આશ્રય, આવરદા, ઉદ્યમ, સંતોષ અને જ્ઞાનને લક્ષ્મી કહે છે. લક્ષ્મી એટલે કેવળ ધન કે નાણું કે રૂપિયા પૈસા જ નહિ, પણ.. મહાભારત(શાન્તિપર્વ 124–45–60)માં આવતા લક્ષ્મી-પ્રહલાદ સંવાદ મુજબ, તેજ, ધર્મ, સત્ય, વૃત્ત, બલ અને શીલ જેવા માનવીય ગુણોમાં લક્ષ્મી રહે છે. અન્યત્ર (શાન્તિપર્વ–21) લક્ષ્મી-ઇન્દ્ર સંવાદમાં જણાવ્યું છે કે, પૃથ્વીનાં સૌ નિવાસસ્થાનોમાં ભૂમિ, જલ, અગ્નિ અને વિદ્યા એ ચાર સ્થાન લક્ષ્મીને સૌથી વધુ પ્રિય છે. વળી, સત્ય, દાન, વ્રત, તપસ્યા, પરાક્રમ અને ધર્મ જ્યાં વાસ કરે છે, ત્યાં લક્ષ્મી પણ નિવાસ કરે છે. દાનધર્મપર્વ–82 માં કહ્યા પ્રમાણે, ગાય અને ગોબરમાં પણ લક્ષ્મીનો નિવાસ છે.
સામાન્ય જનમાનસની વ્યવહારુ સમજ એ છે કે જે ઘરમાં વડીલોનાં પૂજા-સત્કાર, આદર-સન્માન થતાં હોય, અનાજ સુસંસ્કૃત અને નીતિથી પેદા કરેલું હોય અને ક્લેશ કદી ન થતો હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.
‘શ્રીસૂક્ત’ પ્રમાણે આનંદ, કર્દમ, શ્રીદ અને ચિકિલત એ તેનાં સંતાન છે. તો અન્ય એક સંદર્ભ અનુસાર ધર્મ, અગ્નિ, રાજા અને ચોર – એ ચાર લક્ષ્મીના પુત્રો છે. આમ છતાં ચોરી, વાસના, અપવિત્રતા અને અશાંતિ પ્રત્યે ઘૃણાને લીધે લક્ષ્મી પોતાને પ્રિય એવાં ભૂમિ વગેરે સ્થાનોનો ત્યાગ પણ કરે છે.
સહજ પ્રશ્ન થાય કે લક્ષ્મી દેવીનું વાહન ઘુવડ કેમ છે ? ધાર્મિક ગ્રંથો અનુસાર, એકવાર બધા દેવી-દેવતાઓ પૃથ્વી પર ફરવા આવ્યા. તે સમયે તમામ પ્રાણીઓ અને પક્ષીઓએ દેવતાઓને વિનંતી કરી કે, તેઓ તેમને તેમના વાહન તરીકે પસંદ કરે અને દાન કરે. બધા દેવતાઓએ પોતાનું વાહન પસંદ કર્યું, પરંતુ માતા લક્ષ્મી લાંબા સમય સુધી મૂંઝવણમાં રહ્યા. મા લક્ષ્મીએ પોતાના વાહન માટે કોની પસંદગી કરવી તે વિચારવાનું શરૂ કર્યું. આ દરમિયાન તમામ પશુ-પક્ષીઓ વચ્ચે ઝઘડો થયો, ત્યારે માતા લક્ષ્મીજીએ બધાને શાંત કર્યા અને કહ્યું કે, દરેક કારતક અમાવસ્યાએ તે પૃથ્વી પર ફરવા આવશે, પછી તે પોતાનું વાહન પસંદ કરશે. ત્યારપછી જ્યારે કારતક અમાવસ્યાનો દિવસ આવ્યો ત્યારે તમામ પશુ-પક્ષીઓ દેવી લક્ષ્મીની પ્રતિક્ષા કરવા લાગ્યા.
પરંતુ અમાવસ્યાની અંધારી રાત્રે સૌ કોઈ જોઈ શક્યા ન હતા. આવી સ્થિતિમાં જ્યારે રાત્રે માતા લક્ષ્મી આવ્યા તો ઘુવડ તેની તીક્ષ્ણ આંખોથી તેને જોઈને તેની નજીક પહોંચી ગયું. ઘુવડ એ હકીકતનું ઉદાહરણ બની ગયું છે કે જ્યારે તે ખૂબ જ અંધારું હોય છે, ત્યારે જ વસ્તુઓને જોવાની અને સમજવાની અસાધારણ ક્ષમતા જ કામ આવે છે. પછી ઘુવડએ દેવી લક્ષ્મીને પોતાનું વાહન બનાવવાની વિનંતી કરી. જેના પર માતાએ ખુશ થઈને ઘુવડને પોતાના વાહન તરીકે સ્વીકારી લીધું. આ રીતે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન બની ગયું. શાસ્ત્રોમાં પણ ઘુવડને વિશેષ ક્ષમતા અને અનોખા અભિગમ ધરાવતું પક્ષી માનવામાં આવ્યું છે, જે નકારાત્મક પરિસ્થિતિઓમાં સકારાત્મક વિચારની નિશાની છે.
આશ્ચર્ય થાય તેવી વાત છે કે, માતા લક્ષ્મીની એક મોટી બહેન પણ છે, જેમનું નામ અલક્ષ્મી છે. તેમનો સ્વભાવ માતા લક્ષ્મીથી એકદમ વિપરીત છે. ભાગવત મહાપુરાણના અનુસાર સમુદ્ર મંથનના વખતે પહેલા મોટી બહેન અલક્ષ્મી નિકળ્યા હતા. પોતાના નામ અનુસાર તેમણે અસુરી શક્તિઓનું વરણ કર્યું.
દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. જ્યારે પણ કોઈ ઘરમાં અલક્ષ્મીના પગ પડે છે તો તે દરિદ્રતા, મુશ્કેલી અને દુ:ખોના સમયમાંથી પસાર થાય છે. દેવી અલક્ષ્મી એવા ઘરોમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે, જે ગંદા રહે છે અને જ્યાંના લોકો હંમેશા ઝગડો કરવાનું પસંદ કરે છે. અધર્મ કે ખોટુ કાર્ય કરનારના ઘરે દેવી અલક્ષ્મી ખેંચાઈ આવે છે. તેમના આવતા જ તે ઘર ધન અને સ્વાસ્થ્ય બન્નેથી બરબાદ થઈ જાય છે. જ્યાં લોકો સાફ-સુથરા રહે છે, એક બીજા સાથે હળીમળીને રહે છે અને ભગવાનની પૂજા કરે છે ત્યાં અલક્ષ્મી દેવી ક્યારેય પ્રવેશ કરવાની હિમ્મત નથી કરતા. માન્યતા છે કે દેવી અલક્ષ્મીને ખાટ્ટી અને તીખી વસ્તુઓ નાપસંદ છે. માટે તેમને પોતાના ઘરથી દૂર રાખવા માટે મુખ્ય દ્વાર પર લીંબુ ને મરચાં લટકાવી રાખવાનું સૌ પસંદ કરે છે.
આ વિસ્તૃત લેખના સમાપને ફરી યાદ કરીએ ખલીલજીબ્રાનને…
જિબ્રાન આપણને પુણ્યેશ્વર અને પાપેશ્વર ની ઘટના કહે છે.
પુણ્યેશ્વર અને પાપેશ્વર ગિરિશૃંગ ઉપર મળ્યા.
પુણ્યેશ્વરે કહ્યું, “દેવબંધુ, આપને મારા નમસ્કાર.”
પાપેશ્વરે કશો જવાબ વાળ્યો નહીં
અને પુણ્યેશ્વરે કહ્યું, “આજે આપ નાખુશ જણાવ છો.”
પાપેશ્વરે કહ્યું, “હમણાં હમણાં લોકો મને ભ્રમથી પુણ્યેશ્વર તરીકે ઓળખી રહ્યા છે. તમારે જ નામે બોલાવતા થયા છે અને જાણે કે હું પોતે જ પુણ્યેશ્વરે હોઉં એ રીતનું મારા તરફ વર્તન પણ કરી રહ્યા છે. આ બધું મને બેચેન બનાવી મૂકે છે.”
અને પુણ્યેશ્વરે કહ્યું”,.. અને મને લોકો ભ્રમથી પાપેશ્વર તરીકે ઓળખવા લાગ્યા છે અને તમારે જ નામે બોલાવતા થયા છે.”
મનુષ્યની મતિ હીનતા ઉપર શાપ વરસાવતો પાપેશ્વર ત્યાંથી ચાલતો થઈ ગયો !!
જીબ્રાનની આ ઘટના આપણું પ્રતિનિધિત્વ કરે છે. એકવાર ગલત માર્ગે ધન આવતું થાય પછી આપણો અહંકાર આપણને તે માર્ગ છોડવા દેતો નથી. આપણો ઠસ્સો, આપણું અભિમાન, આપણા ધનનો નશો પાપેશ્વર તરીકે વર્તવાને માટે જ દોરી જાય છે.
by Bhadrayu Vachhrajani | Jan 6, 2025 | અખંડ આનંદ |

સાહિત્યને લોકજીભેથી લોકહૈયાં સુધી લઈ જવાનું કાર્ય કર્યું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ. તો વાચનને વ્યક્તિ, ઘર અને સમાજ સુધી લઈ જવાનું વ્યવસ્થાપન કર્યું મહેન્દ્ર મેઘાણીએ.
શબ્દ બ્રહ્મને ચરિતાર્થ કરનાર મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી બહુ અંતર્મુખી વ્યક્તિત્વ. ચોવીસ વર્ષની ઉંમરે પિતાશ્રીએ વિદાય લીધી અને આ ચોવીસ વર્ષોમાં પિતાશ્રી રાણપુર-બોટાદ—મુંબઈ-કલકત્તા એમ ફરતા રહ્યા. ૧૯૨૦થી ૧૯૨૮ સુધી તો ઝવેરચંદ મેઘાણી લોકો વચ્ચે છેવાડાનાં ગામોમાં ફર્યા અને જીવ્યા. તેથી તેમના દીકરા મહેન્દ્ર મેઘાણીને પિતાશ્રીનાં બહુ સંસ્મરણો યાદ ન હતાં. હા, તેમને સતત વાંચતા- લખતા-ભ્રમણ કરતા જ જોયાનું યાદ , પણ ત્યારે કોઈ સમજ ન હતી કે, પિતાશ્રી આવડા મોટા સાહિત્યકાર છે! દાદા કાલિદાસ મેઘાણીનું સ્મરણ ખરું અને તે પણ વિશિષ્ટ ! દાદા એજન્સીના પોલીસ ખાતામાં, બદલી થતી રહે. આ દાદાના અવસાન પાછળ દાડો કરેલો ત્યારે ભોજનમાં સૌને બુંદીના લાડુ મહેન્દ્રએ પીરસેલા. ત્યારથી જીવનપર્યંત બુંદીના લાડુ મહેન્દ્રભાઈને બહુ જ ભાવ્યા !
મહેન્દ્ર મેઘાણીનો જન્મ મુંબઈમાં અને મૅટ્રિક સુધીનું ભણતર પણ ત્યાં જ. કૉલેજ કરવા અમદાવાદ આવ્યા અને એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા. મુંબઈમાં જમુભાઈ દાણીએ ગુજરાતી અને મિસિસ ચોક્સીએ અંગ્રેજી સરસ ભણાવેલું. એલ.ડી.માં બે વર્ષ રહ્યા ત્યારે રા. વિ. પાઠક પાસે ગુજરાતી શીખવાનો લ્હાવો મળ્યો. ઇન્ટરમાં સારા માર્ક્સ આવ્યા ને સ્કૉલરશિપ મળી એટલે તે સમયના વાયરાને અનુસરી ૧૯૪૨ના જૂનમાં એલ્ફીન્સ્ટન કૉલેજ, મુંબઈમાં પ્રવેશ લીધો. ત્યાં જ ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થઈ એટલે ઓગસ્ટમાં કૉલેજ છોડી દીધી ! બસ, જીવનમાં ભણવાનું ત્યાં પૂર્ણવિરામ મુકાયું. આઝાદીની લડતમાં જોડાયા. તાર કાપ્યા, થાંભલા ઉથલાવ્યા. બોટાદમાં આવી ભાંગફોડિયા પ્રવૃત્તિમાં આનંદ માણતા દીકરાને પિતાશ્રીએ લાહોર મોકલ્યો રામજી હંસરાજની કંપનીમાં. ત્યાં રતિલાલ ઝાટકિયાએ સાચવ્યા. પણ વિધિની વક્રતા કેવી?
લાહોરનું એ કારખાનું તો હથિયારો અને વોર મટીરિયલ બનાવતું હતું. ઉદ્દામવાદી માનસના હાથમાં જ હથિયારો બનાવવાનું આવ્યું ! જો કે ત્યાં પોલીસ પહોંચી એટલે ભાગ્યા કાશ્મીર. ત્યાં ફર્યા, કાશ્મીર જોયું. ૧૯૪૭માં પિતાશ્રીનું અવસાન થયું ને ૧૯૪૮માં અમેરિકા ગયા. ખાસ કંઈ આયોજન વગર. ભણવું હતું. ત્યાં રહી કોલંબિયા યુનિવર્સિટીમાં ભણી પત્રકાર થવું હતું, કૃષ્ણલાલ શ્રીધરાણીની જેમ ! ન્યૂયોર્કના ઇન્ટરનૅશનલ હાઉસમાં નિવાસ. સ્નાતક થયા નહોતા એટલે અનુસ્નાતકમાં પ્રવેશ તો મળે નહીં. પણ ત્યાં બે છાપાંએ અવિધિસરના પત્રકારત્વના ગુણો સીંચ્યા. ન્યૂયૉર્ક ટાઈમ્સ અને ક્રિશ્ચિયન ટાઈમ્સ, દળદાર છાપાં. રોજ સવારે લાવવાનાં ને આખો દિ’ રૂમમાં બેસી રસપૂર્વક વાંચવાના. ત્યાં વળી ‘રિડર્સ ડાયજેસ્ટનો મેળાપ થયો. મનમાં સંકલ્પ કર્યો, ‘દેશ જઈ ગુજરાતીમાં આવું રિડર્સ ડાયજેસ્ટ શરૂ કરીશ.” ત્યારે જ યુનાઇટેડ નૅશન્સની સ્થાપના થયેલી. જૂના કતલખાનામાં તેનું કાર્યાલય. ત્યાં જઈને મહેન્દ્ર મેઘાણી બેસે ને વિચારે કે કોઈક દિવસ વિશ્વરાજ્ય થશે, તેની આ શરૂઆત છે!
છવીસ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ મુંબઈથી ‘મિલાપ’ માસિકનો પહેલો અંક બહાર પડ્યો ત્યારે પેલો સંકલ્પ ફળીભૂત થયો. એ ગુજરાતીનું રિડર્સ ડાયજેસ્ટ. અન્યત્ર છપાયેલા લેખોમાંથી પસંદિત લેખો છાપવાના. જરૂર પડે ટૂંકાવીને છાપવાના. સારા વિચારો સારા લેખો – સારાં પુસ્તકોનો પ્રચાર-પ્રસાર એટલે મિલાપ. બે હજાર ગ્રાહકો હતા તે જમાનામાં ! મુંબઈમાં કુર્લામાં એક નાનો અને ચૂંટેલાં પુસ્તકોનો ભંડાર શરૂ કર્યો. પણ પછી ૧૯૫૩માં મહેન્દ્રભાઈનાં અને તેમની પ્રવૃત્તિઓનાં મૂળિયાં નંખાયાં ભાવનગરમાં. માસિક બહાર પડે તે “મિલાપ’ ને પ્રકાશન સંસ્થા તે “લોકમિલાપ…” પુસ્તક ભંડારમાં બધા પ્રકાશકોનાં પુસ્તકો મળે, પણ પ્રકાશકોનાં ‘બધાં’ પુસ્તકો ન મળે ! લોકમિલાપ દરેક પુસ્તકની પાછળ રહે, ચકાસે અને શ્રેષ્ઠ લાગે તો જ તેને ભંડારમાં સ્થાન આપે. મહેન્દ્રભાઈ કહે છે : ‘રવિશંકર મહારાજનું દર્શન હતું. તેઓ કહેતા કે તમારા ઘરમાં રૂપિયો આવે ત્યારે તેને ખખડાવીને જોજો કે તે બોદો તો નથી ને? અમારે માત્ર ચોપડીઓ નહોતી વેંચવી. અમારે તો સાહિત્ય મારફત ભાવનાઓ અને વિચારોનો ફેલાવો કરવો છે. લોકમાનસમાં પરિવર્તન આવશે તો જ સમાજ બદલાશે. ભલે વાર લાગે. આપણે મરી જશું તો પાછા આવીશું, પણ કરીશું તો ઉત્તમ કામ જ…!’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jan 5, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
ગુજરાતમાં તો છેક ૧૯૬૨માં સ્વીકારાયેલ કલ્પસર સરોવર પ્રોજેક્ટ ૨૦૨૪માં પણ કચેરીના કાગળિયામાં અટવાઈ રહ્યો છે.
રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે પૂજ્ય મોરારીબાપુની ભવ્ય રામકથાનું જબરું આયોજન થયું. સદભાવનાના સ્વપ્નદ્રષ્ટા શ્રી વિજય ડોબરિયાનો એક મનોરથ એવો છે કે, ભારતભરમાં કુલ એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવીને ઉછેરવા !! આ કથાના આયોજનમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક બહુ મોટું મોડેલ મૂકેલું હતું અને તેની પાસે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકો તે મોડેલ નિહાળવા સૌને વિનંતી કરતા હતા અને સૌને વિગતે સમજૂતી આપતા હતા. ત્યાં લગભગ ત્રાણું વર્ષના ભાવનગરના ધોતિયું ને ટોપી પહેરેલ જ્ઞાનવૃદ્ધ શ્રી વિનુભાઈ ગાંધી અને રાજકોટના ડોક્ટર પમ્પના માલિક અને અનેક સેવા સંસ્થાઓના પ્રણેતા શ્રી પુરુષોત્તમભાઈ કામાણી સૌને આ યોજના વિષે દિલથી માર્ગદર્શન કરી રહ્યા હતા.આ બંને સેવાભાવી નાગરિકો આ મોડેલમાં મુકેલ કલ્પસર યોજના સાકાર થાય તો ગુજરાતની શકલ બદલાય જાય તેવી આશા વ્યક્ત કરતા હતા.
શું છે આ કલ્પસર યોજના અને તે શા માટે આગળ ધપાવવી જોઈએ તેનો વિગતે અભ્યાસ કર્યા પછી જે નવનીત તારવ્યું તે અહીં પ્રસ્તુત કરું છું.
દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનની પ્રજા જળ કટોકટીનો ભોગ બની ચૂકી છે. ત્યાંની સરકારે તો પાણી પૂરું પાડવાની અસમર્થતા જ જાહેર કરી દેવી પડી. ત્યાં સ્નાન કરવાની મનાઈ ફરમાવવી પડી. પાણીના ટેન્કર આવે ત્યારે માત્ર પચ્ચીસ લિટર પાણી મળે… આથી વધુ માંગણી કરનાર કે બળજબરી કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવી પડી. આપણે ત્યાંના કર્ણાટક રાજ્યમાં કાવેરી નદીના કાંઠે આવેલું પાટનગર બેંગલુરુ જળ કટોકટીનો ભોગ બન્યું છે.
વૈશ્વિક તાપમાન અને નિરંતર વધ્યે જતા વિવિધ પ્રદૂષણોના પ્રકોપને કારણે ઋતુચક્રના પ્રતિકૂળ પરિવર્તનનો ભોગ વિશ્વ બની રહ્યું છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની ઘટનાઓ પણ વધી રહી છે. ભૂગર્ભજળનું સ્તર વધુ ને વધુ ઊંડુ ઉતરી રહ્યું છે. સંખ્યાબંધ નદીઓનો જળપ્રવાહ ઘટી રહ્યો છે. અનેક નાની નદીઓ સૂકી ભટ્ટ બની ગઈ છે.
ભારતના ૭.૭૬ કરોડ લોકોને સુરક્ષિત પીવાલાયક પાણી મળતું નથી. સુરક્ષિત પાણી મેળવી શકતા ન હોય તેવા વિશ્વના દસ દેશોની યાદીમાં ભારત પ્રથમ નંબરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સૂચન મુજબ દરેક વ્યક્તિ માટે દરરોજ ઓછામાં ઓછું ૫૦ લીટર પાણી ઉપલબ્ધ હોવું જોઇએ. ભારતની વાર્ષિક માથાદીઠ જળઉપલબ્ધિ ઘટીને ૧૭૦૦ ઘનમીટર થઇ છે. જ્યારે ગુજરાતની માત્ર ૯૯૦ ઘનમીટર છે. દર વર્ષે સરેરાશ ૩૮૦૦૦ મીલીયન ઘનમીટર વરસાદી જળ ગુજરાતને મળે છે. તેમાંથી સરદાર સરોવરની મહત્તમ ઉંચાઇ સહિત પચીસેક હજાર મીલીયન ઘનમીટરનો હાલ સંગ્રહ થાય છે. બાકીનું ૩૫ થી ૩૮ ટકા વરસાદી જળ સમુદ્રમાં વહી જવા દેવાય છે.
ભારતમાં ખેતી માટે ૬૦ ટકાથી વધુ સિંચાઇ ભૂગર્ભજળ દ્વારા થાય છે. આપણું પીવાનું પાણી પણ ભૂગર્ભજળના ભંડારમાંથી આવે છે, જે ઝડપથી ખતમ થઇ રહ્યું છે. આપણે હાઇડ્રોલોજીકલ દુષ્કાળનો ભોગ બની રહ્યા છીએ. ૨૦૧૭માં દેશના ૫૯૭ જિલ્લા પૈકી ૧૭૩ જિલ્લામાં અપૂરતો વરસાદ થયો છે. જ્યારે દેશમાં ૧૦૨ ટકા વરસાદ નોંધાયો છે. ૧૯૭૦ના દાયકાથી ભૂગર્ભજળ મોટા પાયે ઉલેચાવા માંડયું અને ૧૯૮૦ના દાયકા પછીના ગાળામાં ગ્રાઉન્ડવોટર – ભૂગર્ભજળની સપાટી ૮ થી ૧૬ મીટર સુધી ઊંડી ઉતરી ગઇ છે. ભૂગર્ભજળમાં જેટલું પાણી રીચાર્જ થાય છે તેના કરતાં ઉલેચાવાનું પ્રમાણ વધું છે. તેથી ભારતમાં ભૂગર્ભજળની સપાટી દર વર્ષે 0.3 મીટર ઊંડી ઉતરે છે, જ્યારે ગુજરાતમાં દર વર્ષે ૩ થી ૫ મીટર ઊંડી ઉતરે છે.
ગુજરાતની વાત લઇએ તો છેક ૧૯૬૨માં સ્વીકારાયેલ કલ્પસર સરોવર પ્રોજેક્ટ ૨૦૨૪માં પણ કચેરીના કાગળિયામાં અટવાઈ રહ્યો છે. ગુજરાતનું કોઇક શહેર કેપટાઉન કે બેંગલુરુ જેવી જળ કટોકટીનો ભોગ ન બને તે માટે આ પ્રોજેક્ટ સત્વરે સાકાર થવો જરૂરી છે. ભૌતિક વિકાસની દોટમાં ગરકાવ રહીને આવા પાયાના પ્રાણ પ્રશ્નોની ઘોર ઉપેક્ષા થયા કરશે તો જળ સંકટના ખપ્પરમાં શું શું અને કેટલું હોમાઈ જશે તે કપરો કોયડો કંપાવનારો બની જશે. અરે સ્વયં વિકાસ જોખમાશે અને ખોરવાશે
આ એક જ પ્રોજેક્ટથી…
- ગુજરાતની જી.ડી.પી.માં નોંધપાત્ર વધારો થાય તેમ છે.
- બેરોજગારીની સમસ્યા પણ ઠીક ઠીક ઉકેલાય તેમ છે.
- આયોજન ઉપયોગ માટે દોઢ થી બે લાખ હેક્ટર જમીન નવસાધ્ય થાય તેમ છે. જેથી ગ્રામોદ્યોગ અને કૃષિ વિકાસ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ વિકસે તેમ છે.
- સૌરાષ્ટ્રથી સુરત સુધીનું જુદા જુદા શહેરોથી ૧૫૦ થી ૩૪૩ કિ.મી. સુધીનું માર્ગ વાહન વ્યવહારનું અંતર ઘટવાથી ઇંધણના વપરાશથી દર વર્ષે અબજો રૂપિયાનો ફાયદો થાય તેમ છે. પ્રદુષણ ઓછુ થશે.
- સૌરાષ્ટ્ર કચ્છનો સર્વગ્રાહી વિકાસ શક્ય બને તેમ છે.
- ૨૩૦૦ થી ૨૪૦૦ ચોરસ કિલોમીટર ખારા પાણીનો વિસ્તાર મીઠા પાણીનો વિસ્તાર બની જાય તેમ છે.
- ગુજરાતને આંગણે વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બની શકે તેમ છે.
- પી.પી.પી. પ્રોજેકટ તરીકે દુઝણી ગાય સમાન કલ્પસર સરોવર યોજના સવેળા સાકાર થાય તો ન ધારેલા ફળ મળે તેમ છે.
- સમગ્ર વિશ્વમાં વરસાદી જળનું વિશાળતમ સરોવર થઇ શકે એવી વિશિષ્ટ સુવિધા કુદરતે ગુજરાતને બક્ષી છે.
ભાવનગરની ખાડીવાળા સમુદ્રમાં ખંભાતના અખાત તરીકે ઓળખાતા સમુદ્રી વિસ્તારમાં જબ્બર જળાશય બનાવવાનું વિચારબીજ ૧૯૬૨ માં સ્વીકારાયા બાદ પૂરા પંચાવન વર્ષની વહીવટી માવજત છતાં હજુ બીજ ભોંભીતર રહ્યું છે !! કુદરતી કોપનો પણ સફળ સામનો શક્ય બનાવે તેવી આ યોજના બધા જ શાસકો સ્વીકારતા રહ્યા હોવા છતાં અસહ્ય ઢીલ થતી રહી છે.
ભારતીય સંસ્કૃતિમાં કિંમત કરતાં મૂલ્યને સવિશેષ મહત્વ અપાતું રહ્યું છે. પ્રગતિપ્રેરક ચાર્વાકે તેમજ ચાણક્યના અર્થશાસ્ત્ર માનવીય પોષણ માટે દેવું કરીને પણ ઘી પીવો જેવું સૂત્ર પ્રબોધ્યું છે. તેમ છતાં વારંવાર ચાણક્યની દુહાઈ દેનાર આપણે કેમ કશું કરતા નથી ??
- અગર જો દશ દિવસના કોમનવેલ્થ રમતોત્સવ માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી શકાતા હોય,
- જો બુલેટ ટ્રેઈન માટે સવા લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ દેવું કરીને પણ થઈ શકતું હોય તો
- જો કલ્પસર યોજના માટે થવાપાત્ર ખર્ચ/ મૂડી રોકાણની સામે ચારથી પાંચ સદી સુધી મળવા પાત્ર વળતર અનેક ગણું વધુ હોય તો પછી શાસકો કેમ જાગતા નથી?
(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Dec 29, 2024 | સ્વૈર વિહાર - મધુવન |


નહીં સમજાય એ બુદ્ધપુરુષો..ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય, અને એ સૌ ન સમજાય એની જ મજા છે.
વિનોબાજીને જેણે પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા તે આપણા બેસ્ટ ઝેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. સદીઓ સુધી આખું વિશ્વ જેને ‘સેન્ચ્યૂરીના બેસ્ટ હ્યુમન બીઇંગ’ તરીકે મતદાન કરીને પસંદ કરે છે. સાચું એ છે કે, ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન ન કરવો, નહીં સમજાય એ બુદ્ધપુરુષો..ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય, અને ન સમજાય એની જ મજા છે.
મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા અને અઠવાડિયું રહ્યાં. એક નાનકડી પુસ્તિકા છે, વાંચવા જેવી છે. ‘લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું’ અક્ષર ભારતી, ભુજનું પ્રકાશન છે. લુઇ પાશ્ચર દૂરથી આવે છે, એ સાયન્ટીસ્ટ છે, એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબર છે ગાંધીજીને, એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્વરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે, He is not comfortable. એટલે બાપુ ઈશારો કરે કે, નાનું સ્ટૂલ આપો. અને પછી એણે ઉભા થઈને રિકવેસ્ટ કરી કે, You can seat on this small table , you will not be comfortable sitting on the ground. બાપુને જમવામાં બાફેલો કાંદો ખાવાની ટેવ હતી અને એ બાફેલો કાંદો લુઈ પાશ્ચરની થાળીમાં મુક્યો. અને લુઈ પાશ્ચરને થયું કે, આ શું છે બાફેલું? એટલે એ ભાંગવા ગયા એટલે ગાંધીજીએ કીધું કે If you don’t, don’t do it. It’s a boiled onion you may not like but i feel that it is better for health. અને પછી હળવાશથી કહ્યું:: “ખાવાની ટેવ પાડો, અઠવાડિયું રહેશો તો કદાચ ફાવી જશે.” આ મહાત્મા ગાંધી.
અરે, જાપાનના ક્યોટોમાં એક ગાંધી સમ વ્યક્તિની કથા છે. એ વાઇસ હોલી પર્સનને જોવા માટે બધા વિઝીટર જાય. એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુઃખી હતો એટલે એને કોઈએ કહ્યું, ઉપર એક હોલી પર્સન રહે છે, એમને જઈને મળો,. અને એ ગયા. ગયા એટલે એક માણસે સ્વાગત કર્યું. એણે કીધું કે મારે પેલા પવિત્ર માનવને મળવું છે. જવાબ મળ્યો કે, આપનું સ્વાગત છે. . અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું હમણાં અહીંયા મને બેસાડશે. પરંતુ બેસાડવાની બદલે કહ્યું:: ‘Have you seen all these things?’ ‘If Yes, let’s go ahead. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પેલેસ જેવી મોટી જગ્યા. બધું જ ખાલી-ખાલી, કશું જ નહિ, અને છેવટે બહારનું બારણું આવ્યું ત્યાં એક્ઝિટ હતી. એક્ઝિટમાંથી બન્ને બહાર નીકળી ગયા. બહાર નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પેલાએ હાથ જોડ્યા,Thank you very much for visiting the place. પેલાએ કહ્યું, I would like to meet that holly person, હજી તો હું એને મળ્યો નથી, મારે મળવું છે એટલે તો અહીં આવ્યો છું. એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દસહ મુકું છું :: . ”Everyone you may meet in life, even if they appear insignificant see each of them as a wise holy man. If you do this, then whatever problem you brought here today, will be solved.” તમને જીવનમાં જે કોઈ મળે છે, ભલે ને એ તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે કે, આની સાથે શું વાત કરવી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પુરા થઈ જશે.
મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે.સી.કુમારપ્પા નામના એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને સાડા ત્રણ વાગ્યે એને મળવા આવ્યા, અને સવા ત્રણ વાગ્યે એમણે એન્ટ્રી મારી અને એમણે ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કીધું કે, મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે સાડા ત્રણ વાગ્યાનો, મેસેજ આવ્યો એટલે હું આવી ગયો છું . એટલે પેલાએ એમ કહ્યું કે, ગાંધીજી એ કહ્યું છે ને ? તો એ આવી જશે સાડા ત્રણે. અને એ પાછું વાળવા લાગ્યો. પેલા મુલાકાતીને એમ લાગ્યું કે He is neglecting me. એણે ફરીવાર ઉઠીને કહ્યું કે Go and give a message to Gandhi that i am here. એટલે એણે પાછું થોડીવાર પછી કહ્યું કે, Don’t worry, ગાંધી આવી જશે. He is very particular. સાડા ત્રણ થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવરણો મૂકી, મોઢા ઉપરનો રૂમાલ છોડી અને પછી અંદર ગયો અને પેલા ને કહ્યું, આવો, આપણે અંદર બેસીએ. એટલે પેલા મહાશયે કહ્યું, ‘ I would like to meet Gandhi.; એટલે સામે જવાબ મળ્યો કે, ‘Yes Welcome. Meet, I am Gandhi.’…. મને એવું લાગે કે He is the holy man of Kyoto કે જેને શોધવા ગયો અને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈનાં કામમાં વ્યસ્ત હતા. આટલી સહજતા. એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે નિંદા કરી શકીએ પણ સાહેબ પેન્સિલ વગર એને નીંદર ન આવે. એટલો બધો વિચિત્ર અને છતાં પવિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને આપણને ખ્યાલ નથી આવતો. વિચારવા જેવું એ છે કે, આ બધા લોકો તો જતા રહ્યા છે, તો આપણે કોને સ્વીકારવા? મને એવું લાગે છે કે ઝેન અત્યારે આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે, ક્યાંય શોધવાની જરૂરિયાત નથી.
બાઈબલનું એક વિધાન છે કે, “ ખખડાવો અને ખુલશે !!” બસ, આ શ્રદ્ધા આપણી ભૂમિના ઝેન ગુરુઓએ બંધાવેલી છે. તેના આધારે આપણી યાત્રા અવિરત કરતા રહીએ.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | Gramsetu |



નિવૃત્ત થતી દીકરીએ કહ્યું : “તમે ઉપરના માળે રહો છો ને ફોનની ઘંટડી વાગે એટલે વીસ પગથિયાં ઊતરી નીચે આવો છો, તે તમને કોર્ડલેસ ફોન લઈ દઉં. તમારે આ ઉંમરે ઊતરચડ નહીં.” દીકરીના વહાલને પ્રેમથી પાછો વાળતાં પિતાજી બોલ્યા : રક્ષા તારી વાત સાચી છે કે મારે દી’માં આઠ-દસ વાર ઊતરચડ થાય છે, પણ એ બહાને મારા શરીરને કસરત થઈ જાય છે. અમથુંય હવે નવ્વાણું વર્ષે બહાર ફરવા જવાનું ઘટી ગયું છે. તો ભલેને ફોનની ઘંટડી વાગે, હું પગથિયાં ચડઉતર કરી લઈશ. જરાક જાળવીને આવજા કરીશ પણ કોર્ડલેસ ફોન લેવા જેટલી મારી ઉંમર નથી.’ આ શબ્દો પોતાના જીવનનાં નવ્વાણુ વર્ષ સ્ફૂર્તિમય વિતાવનાર દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવના છે.
યુવાનોને શરમાવે તેવો આત્મવિશ્વાસ જેની અખૂટ મૂડી છે તે ડી. ડી. વૈષ્ણવ પોરબંદરના છાયા વિસ્તારમાં રહે છે અને આજે પણ ડંકી સીંચી પાણીની ડોલ ભરી પોતે પોતાનાં કપડાં ધુએ છે. પોતાનું કામ જાતે જ કરવાના આગ્રહી છે. નિયમિત યોગ અને કસરત તથા અચૂક ચાલવાનું. તેઓની ચોતરફ પુસ્તકો પડયાં હોય અને દિનુભાઈ જ્યારે જુઓ ત્યારે વાંચતા જ હોય, બહુ પ્રયાસ કર્યો દિનકરભાઈ વૈષ્ણવ વિષે તેઓનાં જ મુખેથી કશુંક સાંભળવાનો, પણ નિષ્ફળ! મારા જીવનમાં નોંધવા જેવું કે લખવા જેવું કશું નથી. મારું શરીર અને મારું જીવન મેં બરાબર જાળવ્યું છે. યુવાનીમાં દેશી રમતો રમીને શરીરને ખડતલ બનાવ્યું. નિયમિત સાદું ભોજન લેવાનો આગ્રહ રાખ્યો. ઘડિયાળના કાંટા સાથે જીવન જીવવાનું. ઊઠવાનો-નાસ્તાનો-જમવાનો અને સૂવાનો સમય સાચવવાથી આજ સુધી કોઈ શારીરિક તકલીફ પડી નથી. ભગવાનની કૃપાથી આધુનિક જમાનાના ડાયાબિટીસ-બીપી-કોલેસ્ટરોલ જેવા રોગ પણ મારી નજીક ફરક્યા નથી.’ દિનકરરાય વૈષ્ણવ પૂરેપૂરી સ્વસ્થતાથી પોતા વિષે આટલી વાતો કરે છે.
૧૯૧૪માં જન્મેલા ડી. ડી. વૈષ્ણવ પોરબંદરની રાજાશાહીથી લઈને આદિન સુધીના ઇતિહાસના સાક્ષી છે. પોરબંદરના ઇતિહાસનું આ માનવીય વટવૃક્ષ છે.
વૃક્ષપ્રેમી અને શિસ્તના પરમ આગ્રહી. ખુમારી એવી કે કોઈપણ માથાભારેને પાકા મનોબળથી પડકારી શકે. યુવાન દિનકર રસ્તા પરથી પસાર થતા હતા. એક છોકરી પણ ત્યાંથી નીકળી અને એ છોકરીને એકલી ભાળી કોઈ જોરુકો સાઇક્લીસ્ટ ત્યાંથી પસાર થઈ પેલીની મશ્કરી કરવા લાગ્યો. છોકરો પેલીની છેડતી કરે ત્યાં તો દિનકરે જઈ એ મે૨ છોકરાનો હાથ પકડી ખખડાવી કાઢ્યો. દિનકરનો આત્મવિશ્વાસ જોઈને પેલો પોબારા ગણી ગયો. પોરબંદરમાં માથાભારે મેરને પડકારવાની હિંમત કોઈ ખુમારીથી છલકતો જણ જ કરી શકતો ત્યારે! પેલી છોકરી ભાવવશ પોતાના માર્ગે ને યુવાન દિનકર જાણે કંઈ બન્યું જ નથી એટલી સહજતાથી આગળ ચાલતો થયો. ખુમારી અને સહજતાનો આવો સુમેળ આજે પણ દિનુદાદામાં જોવા મળે છે.
પોતાના જીવનનાં પચાસથી વધુ વર્ષો શિક્ષણ જગતને અર્પણ કરનાર દિનકરરાય વૈષ્ણવ મોટીમસ પદવીઓ ધરાવતા નથી. પિતાજી ધીરજલાલ વૈષ્ણવ જીવતી જાગતી ડિક્સનેરી જેવા હતા. એ પણ શિક્ષક હતા, પણ પૅરાલિસિસ થતાં નોકરી છોડી એટલે કુટુંબની જરૂરિયાતને ધ્યાનમાં લઈને દિનકરભાઈ શિક્ષક થયા. ભાઈને ભણવાની અને આગળ વધવાની અનુકૂળતા કરી આપી પોતે પોરબંદરને જ ‘જિના યહાઁ‚ મરના યહાઁ’ની જેમ સ્વીકારી લીધું. ભાઈ પ્રભાકર પ્રાધ્યાપક થયા. મુંબઈ જઈ તેઓ એલ્ફીન્સ્ટન કૉલેજમાં ભણ્યા, શાંતાક્રુઝના સારદ વૃંદમાં બેઠક જમાવી, પોદાર સ્કૂલમાં નોકરી કરી, નરસિંહરાવ દિવેટિયાના લહિયા બન્યા ને વર્ષો સુધી રાજકોટની માતુશ્રી વિરબાઈમા મહિલા કૉલેજમાં પ્રાધ્યાપક રહી નિવૃત્ત થયા. પ્રભાકરભાઈનાં દીકરી રેણુ સાથે વાત કરો તો પણ મોટાઈ એટલે કે દિનકરભાઈની કહાની જ વધુ આવે. કુટુંબભાવના તો ગજબની! દ્વારકાદાસ વિઠલાણી સ્કૂલમાં દિનકરભાઈ મેટ્રિક સુધી ભણ્યા અને પછી એ જ શાળામાં ચોંત્રીસ વર્ષ શિક્ષક તરીકે ભણાવ્યું! નિવૃત્તિ પછી દિનકરભાઈ વૈષ્ણવે વીસ વર્ષ આર્યકન્યા ગુરુકુળમાં શિક્ષણ આપ્યું. અંગ્રેજી એટલું સારું કે પોરબંદરના નામી રાજવી ઘરાનાના અને રાજકીય ક્ષેત્રના મહારથીઓને અંગ્રેજી અને ગુજરાતી શીખવ્યું.
પોરબંદરના રાજવી રાણા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણીને આવ્યા પછી રાજ્યની ગાદી પર બેઠા. તેઓ રમતના ખેલાડી, ક્રિકેટની ટીમ લઈને ઇંગ્લૅન્ડ રમવા ગયેલા અને ત્યાંથી પાછા આવી પોરબંદરના વિકાસ માટે કાર્યશીલ બનેલા. આ રાજવી પરિવારને દિનકરરાય વૈષ્ણવ સાથે ઘરનો નાતો. રાજાનાં બીજાં પત્ની વેલ્સ દેશનાં હતાં. તેઓને ગુજરાતી શીખવવા જતા ડી. ડી. વૈષ્ણવ. દિનુદાદા સ્વતંત્રતાકાળના પણ સાક્ષી. પોતે ચૌદ વર્ષના હતા ત્યારે ગાંધીજીને જે ગાંધીજી પોરબંદર આવ્યા ત્યારે તેમનું સ્વાગતગીત દિનકરના કંઠે આંખોમાં છલકતાં તેજથી દિનુદાદા કહે છે કે : “ત્યારે બાપુને બહુ નજીકથી નિહાળેલા, પણ ગાંધીજીની ચામડી શાઇનિંગવાળી હતી ત્યારે… આઝાદીની ચળવળમાં પોરબંદરના
સિંહફાળાનો હું સાક્ષી છું.’ આજે ભાવસિંહજી સ્કૂલના મેદાનમાં ભૂતનાથનું મંદિર છે. તેને નવા નિયમ અનુસાર તોડી નાખવાની ગતિવિધિ ભૂતકાળમાં થયેલી. ૧૯૪૭ પહેલાં પણ આ મંદિર હતું તેનો પુરાવો અધિકારીઓને શોધ્યો ન જડ્યો. દિનકરરાય વૈષ્ણવ ૧૯૨૨ની સાલનો મંદિરનો ફોટો લઈ પહોંચ્યા અને કોર્ટે આ મંદિરને જીવતદાન બક્યું! આ વડીલ આવા કેટલાય પ્રસંગોના ઇતિહાસના સાક્ષી રહ્યા છે જેને આધારે આજનું પોરબંદર ઘડાયું છે. દિનુભાઈ કહે છે ઃ પોરબંદરમાં અન્ય શહેરો જેવી આધુનિક વ્યવસ્થાઓ ઓછી છે પરંતુ પોરબંદર પાસે જે કલા અને સ્થાપત્યનો વારસો છે અને ભવ્ય ઇતિહાસ છે તે અન્ય કોઈ શહેર પાસે નહીં હોય. રજવાડી વારસો, ઐતિહાસિક શિલ્પ-સ્થાપત્યો, ધર્મસ્થળો વગેરે નમૂનેદાર છે. અહીંનું હવામાન સાફ છે. ઐતિહાસિક પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ પોરબંદર મોખરે આવે. મારે જો પોરબંદરને ઉપમા આપવી હોય તો હું તેને ‘સુરમ્ય નગરી’ની ઉપમા આપું.’ પોતાનું પોરબંદર રૂડું અને રળિયામણું છે તેવું કહેતાં દિનકરભાઈની નજર સામેથી જાણે વર્ષોનાં વર્ષ પસાર થઈ જાય છે. પોતે છ ભાઈઓનો પરિવાર, પોરબંદરમાં વારંવાર મળે ત્યારે જાણે મેળાવડો જામે. સંગીત-સાહિત્ય-ઇતિહાસ-સંસ્કારની વાતો ખૂટે જ નહીં. જીવનના પ્રશ્નો તો તેમાં ફરકે ય નહીં. શું વાંચ્યું, શું સાંભળ્યું, શું જીવ્યા તેની હસીખુશીભરી વાતો. પછીની પેઢી પર અજાણતાં જ આ સંસ્કારોએ રાજ કર્યું. લાગણી અને સંભાળ જેવી જાત પ્રત્યેની, તેવી જ સમગ્ર કુટુંબ પ્રત્યેની. નાગરી પ્રણાલી મુજબ દિનુભાઈ હિંડોળે હિંચકતા હોય ને બન્ને પડખે બે બાળકો નિદ્રા રાણીને આવકારતાં હોય. હિંડોળાને ઠેલા વાગતા જાય ને રામસહસ્રનામ કે શક્રાદય ધીમે સ્વરે દિનુભાઈ ગાતા જાય! બન્ને બાળકો સૂઈ ગયાં છે એવી ખાતરી થાય એટલે બાળકોને યથાસ્થાને સૂવડાવી દિનુભાઈ ઊપડે સંગીતના કાર્યક્રમોમાં! રાત્રે આવે ત્યારે પોતાના ઉપરના ખંડમાં, જ્યાં રેડિયો હોય, ચોપડીઓ હોય, સંગીતનાં સાધનો હોય! ૧૯૯૪માં એક ઘટના બની. સૌ સૂર્યકાકીની તબિયત નરમગરમ હતી. પત્ની સ્વસ્થ છે એમ જાણી દિનુભાઈ રાત્રે સંગીતના કાર્યક્રમમાં ગયા. પત્નીએ એમને રોકવાનું જરૂરી ન ગણ્યું. વહેલી સવારે ધીમા અવાજે મોટા દીકરાને માએ કહ્યું : “તમારા બાપને ઉઠાડોને!’ તરત જ દિનકરભાઈ બાજુમાં ગોઠવાયા. એક દીકરીની ચિંતા માને ખરી. સૂર્યબાળાબેન બોલ્યાં : મને લાગે છે કે મને તેડું આવ્યું છે, પણ…. દિનકરભાઈ પૂર્ણ સ્વસ્થતાથી બોલ્યા : ‘તમે એમની ચિંતા ન કરો, અમે સૌ છીએ ને! જો તમને તેડું આવ્યું હોય તો ત એંસી વર્ષના દિનકરભાઈના શબ્દો અટક્યા ત્યાં જ તેમના ખોળા 275/408 મુકી દીધો. તે સમયની દિનુદાદાની સ્વસ્થતા અને ત્યાર પછીની આ પારા પર્યા દરમ્યાનની સહજતામાં ભગવદ્ગીતાનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જોવા મળે!
દિનુદાદાના મોટા દીકરા આજે બોંત્તેર વર્ષે દરિયે નહાવા જાય છે કારણ કે દિનુદાદા પોતે આજે પણ નિયમિત રામકૃષ્ણ લાઇબ્રેરીમાં અચૂક જાય છે.
અખબારો, પુસ્તકો અને મૅગેઝિન ઝીણવટથી વાંચતા આ વયોવૃદ્ધને જોઈને કેટલાય યુવાનો પ્રેરણા મેળવે છે. અહીંના ગ્રંથપાલનું કહેવું છે કે : ‘લાઇબ્રેરીની શરૂઆત અહીં થઈ ત્યારથી વૈષ્ણવસાહેબ અહીં આવે છે. દરેક પ્રકારનાં પુસ્તકો દાદા વાંચે છે. નવલકથા હોય કે નવલિકા. વાર્તાસંગ્રહ હોય કે ધર્મપુસ્તકો.’ દિનકરભાઈ ધીમું મરકતાં કહે છે : ‘અંગ્રેજીનાં સાતસોથી વધુ, ગુજરાતીમાં તો એક હજારથી વધુ પુસ્તકો વાંચ્યાં હશે. સંસ્કૃત ધર્મ પુસ્તકો મેં જીવનની ઢળતી સંધ્યાએ વાંચવા શરૂ કર્યાં. મને સમજાયું છે કે હકારાત્મક વાંચન પ્રભાવશાળી વ્યક્તિત્વની ઉપમા તો અપાવે જ છે પરંતુ સાથોસાથ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના પર્સનાલિટી ડેવલપમૅન્ટ જેવા કોર્સની જરૂર પડતી નથી.’ જીવનનાં ચાલીશ વર્ષો દિનકરભાઈ હોલ્ડ્રીકલ્ચરમાં પણ પ્રવૃત્ત રહ્યા છે. વૃક્ષપ્રેમ અપાર છે. વૃક્ષો કપાય તો એમનું દિલ દુઃખે છે. સંપૂર્ણપણે ખાદીધારી દિનુદાદાની સ૨ળ-સહજ જીવનરીતિ અને શિક્ષણમાં એકધારું પાયાનું પ્રદાન એક વર્ષો જૂનાં વડલા સમાન છે. દાદા પાસે ત્રણ ત્રણ પેઢી ભણી છે.
પ્રખર અભ્યાસુ સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ નરોત્તમ પલાણ તો દિનકરભાઈને ગુરુ માને છે અને કહે છે કે : “આજની તારીખે વિભિન્ન વિષયો અંગેનું એમનું જ્ઞાન સલામને પાત્ર છે. આજે કોઈપણ ધર્મનું અઘરામાં અઘરું પુસ્તક તમને દિનુકાકા પાસેથી મળે જ. એક સાચુકલા વૈષ્ણવજનનું જીવતું જાગતું ઉદાહરણ છે દિનકરભાઈ.’
સ્વયંને પારખવા માટે કે અન્યને ભણાવવા માટે મોટી મોટી ડિગ્રીઓ હોવી જ જોઈએ એવું જરૂરી નથી તેની સાબિતી છે દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવ, ઉંમર વર્ષ ૯૯, છાયા વિસ્તાર, પોરબંદર! એક સાદા-સરળ સવાયા ગાંધીને મળવા જેવું છે.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | Articles |


જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે.
ઘણા લોકોને ઘણીવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે, આ જીંદગી ચાર દિવસની છે. ‘ચાર દિન કી ચાંદની’ એવું લોકો કહેતા હોય છે. મનમાં ક્યારેક પ્રશ્ન થાય કે, ચાર દિવસની જીંદગી છે એનો ખરેખર વ્યાપક અર્થ શો કરવો? ચાર પછી આવતો પાંચમો દિવસ શું છે ? અને વાસ્તવમાં આ પાંચમો દિવસ ચાર પછી જ આવે કે ?
મન છે એટલે એને પ્રશ્નો થવાના. અને પ્રશ્ન થશે તો એના ઉત્તર શોધવા માટે ગડમથલ કરવાની. ચાલો, આજે થોડી ગડમથલ કરીએ.
ખરેખર આ ચાર દિવસમાં જ જિંદગી છે અને પછી શું મૃત્યુ છે? ના, આ ગૂઢ વાત છે. ઊંડાણ વાળી વાત છે. ઝડપથી મનમાં ઉતરી જાય એવી વાત નથી. પાંચમા દિવસનો અર્થ જ એ છે કે, જ્યારે તમારી ચાર દિવસની જિંદગી પૂરી થઈ અને પરમાત્મા સાથે મિલનની ઘડી આવી તે પાંચમો દિવસ છે. ચાર દિવસમાં ઈશ્વર સાથે મિલન થતું નથી. કારણ કે જિંદગી આપણી છે એટલે એમાં અહંકાર છે. અહંકારમાં ક્યારેય મિલન શક્ય નથી. મિલન તો અહંકાર છૂટી જાય પછીના મૃત્યુમાં છે. જે મટી જાય છે, જે ઓગળી જાય છે, તેનું મિલન શક્ય છે. અને એ મિલન શક્ય બને તે દિવસ એ પાંચમો દિવસ છે. જે જીંદગીની બહાર હોઈ શકે. એનો અર્થ એવો થયો કે, આપણે જીવતા શીખીએ કે ન શીખીએ પણ આપણે મરતા શીખવું પડે. અને તો જ પાંચમો દિવસ આપણે જોઈ શકીએ.
હકીકતમાં મરવાની કળાનું નામ ધર્મ છે. એવી રીતે મરવાની કળા કે ફરી તમારે જન્મ લેવો પડે. એવી રીતે મરવાની કળા કે જેમાં મર્યા એટલે મર્યા, કાયમ માટે મર્યા. જેમ આપણે ફના થઈ ગયા એમ કહીએ, એટલે કે ભસ્મ થઈ ગયા, એમ શૂન્ય થઈ ગયા. તો અસલી જીંદગી જો મેળવવી હોય તો ફના થઈ જવું પડે. અસ્તિત્વ સાથે મેળાપ કરવો હોઈ, વાસ્તવિક અસ્તિત્વ સાથે ભળી જવું હોય તો આપણે મરણની કળા શીખવી જોઈએ. વાત તો જરા ઉલ્ટી થઈ કે તમારે જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે. આપણે જીવનભર એની શોધ કરીએ છીએ. એટલે આપણને એનું રહસ્ય મળતું નથી.પરંતુ રહસ્ય એને મળે છે, જે મૃત્યુમાં તેને શોધે છે.
આપણે પેલી જૂની પુરાણી વાર્તાઓ યાદ કરીએ. બાળકોની કહાનીઓમાં એવું કહેવામાં આવતું કે, કોઈ રાજા એવો હતો કે જેને કોઈ મારી ન શકે, એટલે પોતાની જીંદગી એક પોપટમાં, પોપટની ગરદનમાં રાખી દે. રાજા ઉપર ગમે તેટલા ઘા કરો પણ તે મરે નહિ. પણ તમે જેવું જઈને પોપટની ગરદન મરડી દો, તે તરત જ રાજા મરી જાય.!! ત્યારે તો આ વાર્તા ક્ષુલક લાગતી હતી. આજે હવે અર્થપૂર્ણ લાગે છે. આમ જો કે બાળકોની જ વાર્તા છે, વૃદ્ધો સમજી ન શકે. પણ નાનપણમાં આપણને એ રહસ્ય સમજાવવા તરફ ઈશારો કરતી એ કહાની છે. એમ કહેવા માંગે છે કે જ્યાં તમને જીંદગી દેખાય છે, ત્યાં જીંદગી નથી. જીંદગીનું રહસ્ય કોઈ બીજી જગ્યાએ પડ્યું છે. તમે જેના વિશે વિચારી પણ નથી શકતા એ જગ્યાએ છુપાયેલું છે. હું અને તમે જેની કલ્પના ન કરી શકીએ એવી જગ્યાએ એ પડ્યું છે. અને તેથી જે હોશિયાર છે તે લોકો એવી જગ્યાએ વસ્તુને સંતાડી દે છે કે જેના વિશે કોઈને કશો વિચાર ન આવે.
એક ઉદાહરણ લઈએ. મારી પાસે કેટલાક અસલી હીરા છે. હવે એને હું મારા ઘરમાં રહેલી કચરો ભરવાની બાલ્ટીમાં નીચે સંતાડીને રાખી દઉં છું. આમ કરવાથી ઘરમાં ઘૂસીને ચોર કશું પણ મેળવવા માંગે તો એને હીરા સુધી પહોંચવામાં તકલીફ પડવાની. કારણ કે કોઈ ચોર આવીને કચરા ટોપલી નથી જોવાનો. એ તિજોરીમાં શોધશે. જેની ઉપર બહાર તાળું લટક્યું છે, તેની અંદર હશે એમ માનશે. ક્યાંક જમીનમાં ટાઇલ્સ ઉંચી થઈ ગઈ હશે તો એ ખોલીને જોશે. કોઈ એવું વિચારી પણ નથી શકતું કે જે હીરો છે એ બહાર પડેલી કચરા ટોપલીમાં હશે. જે ઘરનો કચરો બહાર ફેંકી દેવાનો હોય એની અંદર હીરા છુપાયેલા પડ્યા છે. બસ આવું જ છે. જીંદગીનું રહસ્ય મૃત્યુમાં છુપાઈને પડ્યું છે, જેના વિશે કોઈ વિચાર નથી કરી શકતું .
મૃત્યુ એ જિંદગીથી ઉલ્ટી પ્રક્રિયા છે. એવી રીતે જીવો કે તમારું સરનામું ખોવાઈ જાય. અને એવી રીતે મરો કે તમારું નિશાન પણ ન રહે. એક જ ઉપાય છે, પાંચમો દિવસ. ચાર દિવસની જિંદગી અને પછી પાંચમો દિવસ. આ ચાર દિવસની જિંદગી તો એવી રીતે વીતી જાય છે,’ દો આરઝૂ મેં બીતે, દો ઇંતઝાર મેં’. બે દિવસ માંગવામાં ગયા અને બે દિવસ પ્રતીક્ષામાં ગયા. બહુ કંઈ હાથ લાગ્યું નહીં.
હવે પાંચમો દિવસ મહત્વનો છે. જ્યારે મને ને તમને ખબર પડે કે, મારું હોવું એ મારું હોવામાં જ અડચણ બરાબર છે. કારણ કે મારા હોવાનો મતલબ છે, હું પરમાત્માથી અલગ છું. હું છું એમ માનું છું ત્યારે જ હું પરમેશ્વરને આઘો મુકું છું. મારું હોવાનો મતલબ જ એ કે હું એક નથી, સંયુક્ત નથી. એ પરિપૂર્ણની સાથે હું એકરસ નથી. આ જ મોટું સ્પીડબ્રેકર છે. આ જ દુઃખ છે અને આ જ નરક છે.
જો દીવાલ હટી જાય, મારા હોવાપણાનો ખ્યાલ જતો રહે, તો જે મળે છે એ મૃત્યુ છે. ફરી એકવાર મૃત્યુનો અંત એ કે જેમાં હું છું ‘આઈ એમ સમથીંગ’ એ અહંકારને આપણે કાપીને ફેંકી દઈએ. હું તારાથી અલગ નથી, હું તારી અંદર છું. મારી અંદર જેવી સાગરની લહેરો ઊઠે છે એવી જ લહેરો તારી અંદર છે. મોજા સમુદ્રથી અલગ નથી હોતા. ગમે તેટલા ઉછળે, ગમે તેટલી ઊંચાઈ ઉપર જાય, જહાજોને ડુબાડી શકે છે, પહાડોને ડુબાડી શકે છે. પરંતુ એ લહેર સાગરની છે, સાગરથી અલગ નથી.
પોતાની જાતને અલગ માનવી એ આપણાં જીવનની મોટામાં મોટી અડચણ છે. ત્યાંથી જ પરમાત્મા અને આપણી વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે. અને એ જ ક્ષણ જો આપણને ખબર પડે તો ખ્યાલ આવે કે જિંદગીના ચાર દિવસ પછીનો દિવસ વીતવાની શરૂઆત થઈ. એવું નથી પાંચમે દિવસે બધું પૂરું થાય. પાંચમાં દિવસ પછી પણ આપણે જીવી શકીએ. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી આવ્યો. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ આવ્યો તે પછી તો એ 40 વર્ષ વધુ જીવ્યા. પરંતુ એ જીંદગી પહેલા જેવી ન હતી, અલગ હતી. એ જીંદગીનો રસ કોઈ જુદો હતો, ઉત્સવ કોઈ જુદો હતો. એના પછી તો તેઓ સાચું જીવ્યા. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા, ‘તમે તમારી જિંદગી એ દિવસથી ગણજો, તમારું જીવન એ દિવસથી ગણજો, જે દિવસે તમે સંન્યાસ લો. એના પહેલાની જીંદગીને ગણતરીમાં લેતા નહીં.
એ સમયનો એક સમ્રાટ હતો ‘પ્રસ્યેનજીત ‘. એ બુદ્ધના દર્શન માટે આવતો. આવીને એક વખત બાજુમાં બેઠો ત્યારે એક ભિક્ષુ આવ્યા. જેની ઉંમર લગભગ 75 વર્ષ હશે. એ વૃદ્ધ હતાં. એમણે ઝૂકીને બુદ્ધને નમસ્કાર કર્યા. બુદ્ધે પૂછ્યું, ‘ભિક્ષુ તમારી ઉંમર કેટલી?’ એ ભિક્ષુએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે, ‘ચાર વર્ષ પ્રભુ.’ પ્રસ્યેનજીત તો હેરાન થઈ ગયો. એને થયું કે, હદ થઈ, ચાર જ વર્ષ ! એકાદ-બે વર્ષ આઘા પાછા હોત તો ચલાવી લેત, પણ આ દેખાઈ છે તો 75 વર્ષનો. કદાચ 65 કહ્યા હોત કે 70 કહ્યા હોત તોય વાંધો ન હ્તો. એને આમ થયું કે કદાચ મને બરાબર સંભળાણું નથી. એ વૃદ્ધને પ્રસ્યેનજીતે કહ્યું કે, ‘મહાનુભાવ, હું બરાબર સાંભળી ન શક્યો આપે શું જવાબ આપ્યો. જરા જોરથી કહેશો? કેટલી ઉંમર છે આપની?’ તે વૃદ્ધે કહ્યું, ‘મહારાજ ચાર વર્ષ’. પ્રસ્યેનજીતે બુદ્ધની તરફ જોયું. બુદ્ધ હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘તમને કદાચ ખબર નહિ પડે કે અમે ઉંમર કઈ રીતે ગણીએ છીએ. આ વ્યક્તિ ચાર વર્ષ પહેલા સંન્યાસી થયા છે તો એની ઉંમર પણ ચાર વર્ષની જ ગણાય ને. એના પહેલા તો તે સુતા હતા. ધ્યાનની કોઈ પ્રકારની ઝલક પ્રાપ્ત થઇ ન હતી તો એ નીંદરના વર્ષોને કેમ ગણાય?? એ તો અંધારું હતું, એ રાત હતી, એની ગણતરી તો નકામી કહેવાય, કચરો કહેવાય. અને તેથી એ દિવસથી ગણતા આ વ્યક્તિને ચાર વર્ષ થયા છે. જે દિવસથી વ્યક્તિ શ્રોતાપન્ન થયો, જે દિવસથી એણે સત્યની ખોજની તલાશનું પહેલું કદમ ઉઠાવ્યું, એ દિવસથી અમારે ત્યાં હંમેશા ઉંમર ગણાય છે.’
બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી શરુ થયો. પછીના ચાલીસ વર્ષ એ જીવ્યા. પરંતુ આ જે ચાલીસ વર્ષ હતાં એ જુદા જ મહિમાનાં હતાં, જુદી ગરીમાના હતા, જુદા જ પરમાત્મમય અને ભગવત્તા પૂર્ણ હતાં. એમાં સીમા ન હતી. ચાલીસ વર્ષ સુધી લહેરની તરફ જીવ્યા. પરંતુ પાંચમો દિન આવ્યો અને પછીના ચાલીસ સાલ સાગરની જેમ જીવ્યા. આપણી જીંદગી ભલે ચાર દિવસની રહી, આપણે સ્વાગત તો પાંચમા દિવસનું કરવાનું છે.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | જનકલ્યાણ |

બહુમુખી વ્યક્તિત્વ શ્રી પ્રફુલ્લ અનુભાઈ. એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, સોસ્યોલોજી, ડિઝાઇન, એન્થ્રોપોલોજી, કરીક્યુલમ ડેવલપમેન્ટ,…. અને… કેટલાય ક્ષેત્રોમાં વ્યસ્ત રહી જીવન વિતાવનાર શ્રી પ્રફુલ અનુભાઈનું જીવન ઘડાયું તેઓના ચુસ્તતાના આગ્રહી પિતાશ્રીના ઘડતરથી..નાનપણમાં જાણતા અજાણતા આપણને આપણા માતા, પિતા કે ઘરનું વાતાવરણ ઘડે છે. કેટલીક ટેવો વડીલોએ રાખેલા આગ્રહોના કારણે પડી ગઈ અને આપણે જયારે મોટા થયા ત્યારે તેનું ફળ મળ્યું !!
શ્રી પ્રફુલ્લ અનુભાઈનું ઘડતર કેવી રીતે થયું તે અંગે થોડી વાતો તેમના જ શબ્દોમાં… :
“ફાધરની બાબતમાં એવું કે બધાની સાથે ફ્રેન્ડલી થઇ જાય પણ કામની બાબતમાં ઝીણવટ અને ચીવટ બહુ, એટલે મને વાત વાતમાં એમ કહે કે, કામ જે કંઈ કરો એ નિયમથી કરો. પછી એ ઉલ્લેખ કરે શ્રીમદ્ રાજચંદ્રના મોક્ષમાળાનો. અમે નાના હતા ત્યારે એવું હતું કે, દર રવિવારે એક સામાયિકમાં બેસાડે, પણ ધાર્મિક શ્લોકો વાંચવાના નહીં, પણ શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા પુસ્તક લઇ અને મણકાઓ લઇ અને વાત કરે અને પ્રેક્ટિકલ એની કોમેન્ટ્રી આપે. એટલે એમ કહે કે, આ મેં તમને નિયમની વાત કરી એ શ્રીમદ્ રાજચંદ્રનો એક મણકો છે, એમાં એ કહે છે : નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે, એટલે એ વાત સમજાવે, પ્રેક્ટિકલ દાખલાઓ લઈને સમજાવે. આ જાતનો એક સંસ્કાર જૂજ રીતે અમારામાં મુકેલો.
કોઈ જગ્યાએ ધર્મ, ઉપવાસ, આંબેલ, પચખાણ એવું કશું આવે નહીં. દેરાસર જવાનું છે, આટલી પૂજા કરવાની છે, એવું કશું ન આવે. અમારી આજુબાજુનું વાતાવરણ એવું હતું છતાં પણ એમનો આવો એક અભિગમ હતો કે, સંસ્કાર આ રીતે મળવા જોઈએ. એટલે એમ કહેતા કે, તમે પેન્સિલ વાપરવા માટે લીધી અને ઘરમાં એક જગ્યાએ મૂકી છે, બધા લોકો વારાફરતી જેને જરૂર પડે એ વાપરે છે, તો તમે ક્યાંક નાખીને ચાલ્યા જાઓ એ બરાબર નથી. પાછલા માણસનો વિચાર કરો કે, એને જયારે પેન્સિલની જરૂર પડશે ત્યારે એને ફાંફા નહીં મારવા પડે, પણ જે તે જગ્યાએથી મળી જશે, એવું દ્રષ્ટાંત આપીને વાત કરે. એમ કહે કે, કોઈ દિવસ રૂમમાં જાઓ ત્યારે તમારે જે વસ્તુ લેવી છે, અહીંયાથી લીધું, ત્યાંથી લીધું, કબાટ ખોલ્યો, કબાટ બંધ કર્યો, એમાંથી બે ત્રણ વસ્તુ લીધી, આમ તેમ કરીએ એમ નહીં. એવો પ્રયત્ન કરો કે, રૂમમાં જે પ્રમાણે વ્યવસ્થિત હતું એ પ્રમાણે તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે એટલું તો થાય જ, if not better. આવો એક પાઠ ભણાવ્યો.
બીજું કે જે કંઈ પણ કામ કરો એમાં excellence મેળવવું. એ સારી રીતે કરો. એ કામ કેમ વધારે સારી રીતે થાય એનો પ્રયત્ન હંમેશા કર્યા કરો, એ ખાસ એમનો આગ્રહ. પોતાના જીવનમાં પણ એમ જ કરેલું એટલે મને પણ એમ કહે કે, આ આપણે કરવું, આવી રીતે કરવું જોઈએ. પોતાનો એમનો દાખલો હતો એટલે અમે સમજી જઈએ તરત જ કે શું વાત કરવા માંગે છે. ઉદાહરણ તરીકે, એમણે એક દેરાસર બનાવ્યું શંખેશ્વરમાં. એનો આરસ લેવાનો હોય તો પોતે મકરાણા જાય. ધાર્મિક કામ છે, પોતાનું પર્સનલ કામ નથી છતાં મકરાણા જાય, સિલેક્ટ કરે અને કઈ જાતનો મારબલ જોઈએ એ નક્કી કરે, કયો મેચ થશે એ જોઈ લે અને પછી બરાબર ભાવતાલ કરીને લઇ આવે. એમણે દેરાસર બાંધ્યું એની એક નોંધ રાખેલી, ચોપડી બનાવેલી કે આ બારણું છે, આ માપ જોઈએ, એની પેલી તક્તિ આટલી જોઈએ. એટલે એમની સાથે રમણભાઈ ગાંધી કરીને એક ભાઈ હતા, એ જયારે મારા ફાધર ગુજરી ગયા ત્યારે પછી આ ચોપડી નીકળી એટલે મેં કીધું આ તમારા કામનું. મને કહે, આ તો દેરાસર બાંધવાનું બાઇબલ છે. એટલું બધું ઊંડાણથી બધું એમાં હતું કે, કેટલા પગથિયાં, કેટલું ડિસ્ટન્સ, કેટલી સાઈઝના દરવાજા, એની તક્તિ કેટલી બનાવવી, આરસ કેવો હોવો જોઈએ..બધું જ બધું અંદર લખેલું હતું. એટલે આવી એક ઝીણવટની વાત હતી. એટલે દરેક વખતે કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે યાદ આવે કે સારી રીતે કરવું જોઈએ. શોભે એવી રીતે કરવું જોઈએ, લોકોને આનંદ થાય એવી રીતે કરવું જોઈએ. એ જે sense of excellence એ પિતાશ્રીમાંથી આવેલી.”
આઈ. આઈ . એમ . અમદાવાદ થી લઈને ગુજરાતને સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ અપાવનાર સપ્તક સુધીની સંસ્થાઓને શ્રી પ્રફુલ્લ અનુભાઈની નિપુણતાનો લાભ મળેલ છે.
by Bhadrayu Vachhrajani | Dec 24, 2024 | વિશેષ લેખ |

તબીબી જગત માટે ગૌરવ :: બે સંતો ઉત્કૃષ્ટ તબીબોને નવાજે છે
“ઈશ્વરની નજીક કોણ ગણાય ??” મારો જવાબ છે :: સંતો અને તબીબો.
હા, બંનેમાં અપવાદો છે, પણ આપણે તો સારપ શોધવી છે, પછી શું !?
તબીબો છે તો next to God., તેમાં કોઈ બેમત નથી જ નથી. સારપ સારપને ઓળખે એ ન્યાયે ઉત્કૃષ્ટ સારવાર કરનાર તબીબોનો વાંસો થાબડવાનું સંતો ચૂકતા નથી..
અને અહીં તો સમાજને આખે આખો સ્વીકારનાર દંતાલીના સ્વામીશ્રી સચ્ચિદાનંદજી છે, તો સમાજની આધુનિકતાને શિક્ષિત કરનાર SGVP ના સંત શ્રી માધવપ્રિયદાસજી છે.
પૂજય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજને (શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદ) આશ્રમમાં તા.૧૧/૧૨/૨૦૨૪ નાં પડી જતાં જમણાં પગમાં ફ્રેકચર થયું. તરત જ પ્રાચિન અને અર્વાચીન સારવારનો જ્યાં સમન્વય છે તે અમદાવાદના SGVP ( સ્વામીનારાયણ ગુરુકુળ વિધાપીઠ પ્રતિષ્ઠાનમ્ )ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા અને
ત્યાં તેમનું સફળ ઑપરેશન થયું.
સ્વામીશ્રીને SGVP માંથી રજા આપે તે પહેલાં એ પાવન પ્રસંગ સહજ રીતે સર્જાયો.
સ્વામીશ્રીને ઓપરેશન કરનાર દસ ડૉક્ટરની ટીમને (ડૉક્ટર દીઠ) સાચા રૂદ્રાક્ષની સોનાની એક માળા (જે એક માળા રુપિયા એક લાખ ત્રીસ હજારની થાય .) સ્વામીશ્રી સચ્ચિદાનંદજી તરફથી
સ્વામીશ્રી માધવપ્રિદાસજીનાં દિવ્ય હસ્તે ભેટરૂપે અર્પણ કરવામાં આવી. હોસ્પિટલના બધા સ્ટાફને ગરમ સ્વેટર તથા પ્રસાદ આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
પૂજ્ય સ્વામીજીની તબિયત બિલકુલ સારી છે.. તેઓ સ્વસ્થ છે અને પ્રસન્ન છે.
આપણા ચિંતક શ્રી ગુણવંત શાહે વર્ષો પહેલાં કહેલું કે, “ભગવા વસ્ત્રો બે જ સંતોને શોભે છે,, એક) બ્રહ્મલીન અનુબેન (ગોરજ મુનિ સેવા આશ્રમ) અને સ્વામી શ્રી સચ્ચિદાનંદજી (દંતાલી પેટલાદ)” .. ગુણવંતભાઈની વાતમાં હવે બીજા ભગવા વસ્ત્ર ધારી સંતને ઉમેરીએ તો તેઓ છે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી.
તબીબી ક્ષેત્રના સંતોને અધ્યાત્મ જગતના સંતોએ રૂદ્રાક્ષની સોનાની માળા અર્પણ કરીને ભારતીય સંસ્કૃતિનું આચમન કરાવ્યું છે.
(વિગત+વીડિયો સૌજન્ય બદલ અહોભાવ:: શ્રી અજીતસિંહ પરમાર, કલોલ)
પ્રણામ…હરિ: ૐ… જય સિયારામ