અસ્મિતા વિશેષ સંવાદ : 39 : શ્રી અમૃત ગંગર

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

ફિલ્મ કે નાટક કે રંગમંચીય કલાઓ અંગે આપણે ત્યાં બહુ સંશોધનપૂર્વકનું ખેડાણ થયું નથી અથવા તો ખુબ જ ઓછું થયું છે. ત્યારે મૂળ કચ્છના અને હવે ભારતભરમાં પોતાના ઉંડાણભર્યા કાર્યથી પ્રસિદ્ધ શ્રી અમૃત ગંગર સાથે દીર્ઘ સંવાદ કરવાનો મોકો મળ્યો. તેઓએ દિલથી થિયેટરના પ્રત્યેક  પાસાની છણાવટ કરી. થોડા અંશો અહીં આગોતરા જાણીએ: 

“ એ સમયે તો ગાંઠના પૈસા ખર્ચવા પડતા હતા. કોઈ મને ફાયનાન્સ કરવાવાળું ન હતું. એક મશરૂવાળા કરીને મુંબઈ યુનિવર્સીટીના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટના એક ડીન હતા કદાચ કિશોરલાલ મશરૂવાળાના ફેમિલીમાં હતા. તેઓ  મને જયારે મળે ત્યારે એના ખિસ્સામાં જેટલા પૈસા હોય ૨૦૦ રૂપિયા કે ૩૦૦ રૂપિયા એ મારા ખિસ્સામાં મૂકી દે. કહે, તું રાખ તને કામ આવશે. પ્રોગ્રામ નોટ બનાવે છે, તું આટલું કામ કરે છે તારી પાસે પૈસા નથી તું રાખી લે….જબરજસ્તી મને આપે. આ રીતે બધું ચાલ્યું અને અમે એટલા બધા પુસ્તકો પબ્લિશ કર્યા છે. ખરેખ તો ફકીરીમાં જ કામ થાય છે. આ તમે કરોડો રૂપિયા અબજો રૂપિયા હોય ભલે પણ કબીર થવું હોય તો  એમાં વણાટ કામ કરવું પડે. અને દોહા ત્યારે રચાય. આ ફકીરાઈ કે ફકીરી ન હોય તો ન થાય કશું …

અંદરની ભૂખ હોય છે ને એ ક્યારેક તમને લાઈફમાં કામ આવે છે. થયું એવું કે જયારે હું લાર્સન એન્ડ ટોબ્રોમાં હતો ત્યારે એક બે મહિલા ડેન્માર્કની કારણ કે લાર્સન એન્ડ ટોબ્રો ડેનિસ કંપની હતી. પવઈમાં ઓફિસ હતી અમારી તો બંને બહેનો પૂછી પૂછીને આવી ગઈ. કોઈકને  તો એણે પૂછ્યું હશે કે આ કામ અમને કોણ કરી આપે ? તો એણે મારું નામ સૂચવ્યું. એમનુ  કામ હતું  મહાલક્ષ્મી મંદિર પર એ રિસર્ચ કરવાનું. તો પછી મને સાંજના બોલાવ્યો, તાજ હોટેલમાં, ડિનર માટે ..પછી બધી વાતો થઇ અને કંઈક એમને વિશ્વાસ બેઠો હશે મારી વાતો પરથી તો એ કામ મને સોંપીને ગઈ અને એક નાની પુસ્તિકા આપી  કે આનો  અંગ્રેજી અનુવાદ કરીને અમને મોકલી દેજો. જે પુસ્તિકા ગુજરાતીમાં હતી. મેં અનુવાદ કરીને મોકલ્યું એટલે એમને પહેલા વિશ્વાસ ન થયો કારણકે ભારતીયો પર વિશ્વાસ ઓછો હોય એ વખત એવો હતો કે આપણે સમયમાં પાકા ન હોઈએ. સમય આપ્યો હોય તો જઈએ નહીં, સમય પર કઈ વચન આપ્યું હોય તો પાળીએ નહીં આ એક ભારતીયની છાપ હતી. પણ છતાં  આ બહેનોએ એક જોખમ લઈને મને કામ સોંપ્યું. અને મેં મળ્યું થોડા મહિના મેટર મોકલી  આપ્યું. એમનો એક પત્ર આવ્યો કે, અમે તમને ડેનમાર્ક બોલાવવા માંગીએ છીએ. અમારી પાસે બહુ પૈસા નથી.  તમે બંને જણા (મારી પત્ની અને હું)  આવી શકશો તો આટલા અમે તમને આપી શકીએ… બહુ નાની રકમ હતી. ત્યારે અમે દિલ્હી થી એરોફલોટ (જે રશિયન વિમાન ચાલે તો ધન ધન ધન રીક્ષા કેમ રોડ પર ચાલે એવું લાગે.) માં દિલ્હી થી બેઠા અમે.  મુંબઈથી દિલ્હી ટ્રેનમાં ગયા અને પછી પ્લેનમાં ગયા. એ પહેલી વિઝિટ અમારી. આ ફળ્યું. મારું કામ જ હતું આ… જો તમે નિષ્ઠાપૂર્વક અને બુદ્ધિ પૂર્વક કામ અને હૃદયથી કામ કરેલું હોય તો ક્યાંક ને ક્યાંક તમને કામ આવે છે. 

અને પછી મારું તો ગાડું ચાલ્યું. પછી મેં નોકરી છોડી દીધી. પછી હું આના પર જ હતો. પછી મને પ્રોજેક્ટ આવતા ગયા. કોઈ ઇન્સ્ટોલેશનના હોય, પ્રોડક્શનના હોય, લખાણ લખવાના હોય કે સ્કેન્ડિનેવિયન પ્રોજેક્ટ ઘણા બધા પર કામ કર્યું છે મેં.  યુરોપિયન પ્રોજેક્ટ ઘણા પર મેં કામ કર્યું છે અને લગભગ આખું યુરોપ ફરી વળ્યો. ઈરાન જવાનું ત્રણ ચાર વાર થયું છે. લગભગ ઈરાન જોઈ લીધું. જ્યુરી પર હોય એટલે તમને સુંદર હોસ્ટ છે તમને એ મહેમાનગતિ એટલી સારી રીતે કરી શકે. યજમાન બધા અમને લઇ ગયા બધે.  સિરાઝ અને ઇરાનના જે ઐતિહાસિક શહેરો છે બધે જ.. એવી જ રીતે સ્કેન્ડિનેવિયા, નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ બધે જ ત્યાં સારી રીતે અમને સ્વીત્ઝર્લેન્ડ એ બધા દેશોમાં અમે રહ્યા સારી રીતે. અમેરિકા ગયો તો યેલ યુનિવર્સીટીએ મને આમંત્રણ આપેલું. યેલ એટલે બેસ્ટ યુનિવર્સીટી, ત્યારે હું એક રિસર્ચ કરતો હતો. એક ઓલ ઇન્ડિયા રેડિયોનું પેલું સિગ્નેચર ટ્યુન છે ને જે સવારના વાગે છે એના પર હું કામ કરતો હતો. અમેરિકામાં હતો એટલે મને થયું  થોડું રિસર્ચ આગળ ધપાવું જો કરક્યાંક રહેવાનું મળે તો,,. મારા  મિત્રને ઘરે રહ્યો કનેટીકટમાં.  તો ત્યાં વોલ્ટર કાફમેન પર પુસ્તક લખ્યું. વોલ્ટર કાફમેન was the composer of the signature tune એન્ડ not maheli maheta !!  ત્યાં સુધી એમ જ મનાતું હતું કે,  આ ઝુબીન મહેતાના ફાધરે કર્યું છે.  પણ ઝુબીન મહેતાની જયારે કાશ્મીરમાં એમની કોન્સર્ટ હતી ત્યારે એમણે  જાહેરમાં કહેલું કે,   “આ વોલ્ટર કાફમેનનું કમ્પોઝીશન છે, જે ઓલ ઇન્ડિયા રેડિયોનું સીગ્નચર ટ્યુન છે,  મારા પિતાજીએ વાયોલિન વગાડ્યું છે એમાં.” .  અને ત્યાં વોલ્ટર કફમેન જે મ્યુઝિકોલોજિસ્ટ હતા, કમ્પોઝર હતા જ્યાં ભણાવતા હતા એ ઇન્ડિયાના યુનિવર્સીટીમાં હું ગયો. ત્યાંના વ્યવસ્થાપકે તો બોક્સના બોક્સ મારા ટેબલ પર મૂકી દીધા. કાર્ટન બોક્સ એમાં બધા કાગળો જોતો હતો એમાં એક કાગળ મને મળ્યો મધુસુદન ઢાંકીનો !! વિચાર કરો, તમે બ્લ્યુમિન્ગટન અને ત્યાં  મધુસુધન ઢાંકી નીકળે !!  મેં ત્યારે એમને ઇમેઇલ કર્યો: ઢાંકી સાહેબ,  તમારો પત્ર મને અહીં મળ્યો..કહે,  ઘણી બધી મહેનત કર્યા પછી મારું આ પુસ્તક બન્યું. ફર્સ્ટ ટાઈમ વનરાજ ભાટિયાએ એનું વિમોચન કર્યું હતું, એમની સહી પણ છે. વનરાજ ભાટિયાના અક્ષર છે, આમ તો કચ્છના અમારા માંડવીના ભાટિયા પણ મોટા કમ્પોઝર કહેવાય. વનરાજભાઈ વોલ્ટર કાફમેનના મિત્ર થાય.. જયારે તમારા મૂળમાં કંઈક રોપ્યું હોય ને ત્યારે આવું કશુંક થાય છે…”