અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે

ગ્રામસેતુ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

ખારા રણમાં મીઠી વીરડી સમા શિક્ષકવર્ય…

‘આપના પત્ર બદલ આભાર. આપે માગેલ મારી વિગતો, મારા પ્રદાનની વિગતો બદલ હું આપને નમ્રતાપૂર્વક જણાવું કે ઃ મેં પૂરાં ૪૧ વર્ષ, ૪ માસ પ્રશિક્ષણમાં અધ્યાપક તરીકે કામ કર્યું છે, નોકરી કરી છે. એ દરમિયાન મેં જે કાંઈ કર્યું છે તે પ્રદાન નથી. એ તો પગાર લઈ તેનાં વળતરરૂપે કરેલું કામ છે. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે કામ કરતો અધ્યાપક ધારાધોરણ પ્રમાણે પગાર લે અને તેની બદલીમાં વશક્ષણ (teaching), સંશોધન (research) અને વિસ્તરણ (extension)નું કામ કરે. જો માણસ મારી જેમ માથું મૂકીને કામ કરે તો તે બરાબર જ છે, એની કંઈ વિશેષ નોંધ ન લેવાની હોય. જી, એની કદર રૂપે આપના જેવા મિત્રો આવી લાગણી બતાવે, વિદ્યાર્થીઓમાં રસ્તામાં મળે તો બાઇક પરથી ઊતરી જાય, ભરબજારમાં પગે પડે એટલું પૂરતું છે. જે કામ કર્યું એની કદરરૂપે સરકાર પેન્શન આપે છે, એ ય પૂરતું છે. એ પેન્શનના જવાબમાં અમે રોજ સાત-આઠ કલાક પૂજા-પાઠ, વાચન, લેખન, ક્યાંક કોઈક બોલાવે તો જઈને યથાશક્તિ પ્રવચન વગેરે… ખાસ તો ઈશ્વર સ્મરણમાં કાળ-નિર્ગમન કરીએ છીએ. આ શરીર એનું પ્રારબ્ધ ભોગવે છે. અમે રામ-રટણમાં રાતા-માતા’ ફરીએ છીએ. એટલું ઘણું છે. મારા વિશે લેખ લખવાના ઉધામા રહેવા દો તેવી વિનંતી છે.’

માણસનો સ્વભાવ છે ને કે ના પાડ્યા પછી તો તે કરવાની ઇચ્છા પ્રબળ થાય, એવું જ મારું થયું. શાસ્ત્રી જ્યેન્દ્ર કે. દર્દીના આ પત્રમાં છલકતી તેમની વિનમ્રતા પછી તો ગાંઠ વાળી કે તેઓશ્રીની મનોમન ક્ષમાયાચના કરીને પણ તેઓ વિષે લેખ તૈયાર કરવો. તેઓશ્રીના વિદ્યાર્થીઓની છાનીછપની મદદ લીધી. ફોટોગ્રાફ પણ મિત્રદાવે સંસ્થામાંથી મેળવી આ શબ્દઅર્ધ્ય તૈયાર કર્યું!

શાસ્ત્રી જ્યેન્દ્ર કે. દવે જીવનભર શિક્ષા-સમાધિમાં શ્વસ્યા છે. એ વ્યવસાયે શિક્ષક’ હતા જ નહીં, કારણ શાસ્ત્રીજી જાન્ને સાત ભવથી શિક્ષક હોય એમ અવતર્યા. પ્રાથમિક શિક્ષણ ન લીધું હોવા છતાં પીએચ.ડી.ના ડિગ્રીધારી બન્યા, અનેકને ડૉક્ટરેટની પદવી બક્ષનાર માર્ગદર્શક બન્યા અને આજે નિવૃત્તિમાં પણ વિદ્યાદેવીના ખોળે પરમશિષ્યની અદાથી વલ્લભવિદ્યાનગરમાં વે છે. ધોતિયું અને સદરો પહેરેલ સહજતમ વ્યક્તિત્વ હિંડોળા પર હિંચકતું હોય તો તે સાવ પોતીકું જ લાગે. એક શિસ્તબદ્ધ, ડાહ્યોડમરો શિષ્ય જાણે શ્રી સરસ્વતીદેવી સામે પલાંઠી મારીને અદબ વાળીને આછું સ્મિત કરતો મગ્ન છે, એવું જ લાગે. સ્વસ્થતા તો શાસ્ત્રી સાહેબની. તેઓશ્રીનાં ધર્મપત્નીની ચીરવિદાય વખતે પણ શાસ્ત્રીજીની સ્વસ્થા તેઓને પ્રણામ કરવા પ્રેરે તેવી. છેલ્લા શ્વાસ લેવાઈ રહ્યા છે એવી જાણ થતાં પહેલાંથી શાસ્ત્રીજીએ મૃ, શુદ્ધ અને સ્વસ્થ કંઠે મંત્રગાન શરૂ કર્યું. અંતિમવિધિની સઘળી આવશ્યક શાસ્ત્રોક્ત પવિત્ર વિધિઓ શાસ્ત્રીજીએ ખુદ જ અપાર સ્વસ્થતાથી સ્તોત્રગાન સાથે સંપન્ન કરી અને બહેનશ્રી વસંતબેનને મંગલમયી વિદાય આપી. વલ્લભ વિદ્યાનગરના ઉપસ્થિત નગરજનો અને શિક્ષકોનો બહોળો સમુદાય તો આ સંસ્કાર, સ્વસ્થતા અને સહજતા જોઈ દંગ જ રહી ગયેલ!

મોરબીના વતની, જમશેદપુરમાં જન્મેલા અને બાળપણ સાહેબીમાં વિતાવનાર જ્વેન્દ્ર નાના હતા ત્યારે બગીમાં બેસીને શાળાએ જતા. પિતાશ્રી કર્મે શિક્ષક. તેને કોઈ જ્યોતિષીએ ત્યારે કહેલું : ભઈ, આની પાછળ મહેનત ન કરશો, એ એમની રીતે તૈયાર થઈ જશે.’ બસ, જ્યોતિષની આટલી જ વાતથી પ્રેરાઈને, ખુદ સંસ્કૃત- વેદ-જ્યોતિષ વિદ્યાના પ્રખર જ્ઞાતા પિતાશ્રીએ બાળક્ને ભન્નતરનાં બંધનમાં બાંધવાનું ટાળ્યું. ક-ખ-ગ શીખવ્યા વગર જ બ્રાહ્મણ કુળના શિક્ષક પિતાએ દીકરાને ઘરનું પવિત્ર વાતાવરણ અને પ્રેમાળ હૂંફ વચ્ચે છુટ્ટો મૂકી દીધો. ધીમે ધીમે દીકરો સંસ્કૃતમાં પારંગત થવા લાગ્યો. અમદાવાદ ખાતે ગુરુ પરંપરાની પાઠશાળામાં સંસ્કૃતનો પ્રખર અભ્યાસ કર્યા બાદ, સાહિત્યશાસ્ત્રમાં પારંગત બની પાઠશાળાની શાસ્ત્રી”ની ઉપાધિ મેળવી. આજનાં આપણાં સ્નાતકની સમકક્ષ ગણાતી આ ડિગ્રી મૂલ્યની દૃષ્ટિએ ક્યાંય અદકેરી! સ્નાતક થાય તે ચોપડી ભણે, શાસ્ત્રી થાય તે જીવન ભણે! સ્નાતકની ડિગ્રી કાગળિયું છે, ‘શાસ્ત્રી’ની ઉપાધિ તો માદળિયું છે. શાસ્ત્રીની ઉપાધિ મેળવી, વધુ અભ્યાસ માટે એક્વીસ વર્ષની વયે તેઓએ બી.એડ્. સમકક્ષ જી.બી.ટી.સી. પાસ કર્યું અને એમ.એડ્.ના પ્રવેશ માટે ગયા ત્યારે શિક્ષણ વિદ્યાશાખાના તજ્ઞ ડૉ. કે. જી. દેસાઈએ ટકોર કરી : સંસ્કૃત એક માત્ર ભાષા નથી, પહેલાં અંગ્રેજી શીખી આવો.’ જ્યેન્દ્રભાઈએ દલીલ ન કરી, પણ અંગ્રેજમાં પારંગત થવાનો માર્ગ પકડ્યો. એક જ વર્ષમાં અંગ્રેજી પર પ્રભુત્વ મેળવી એમ.એ.માં પ્રવેશ મેળવી લીધી. અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં પી.ટી.સીના અધ્યાપક તરીકે ૧૯૬૧માં જોડાયા. ત્યાંથી જ્વેન્દ્રભાઈ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તરફ વળ્યા તે એવા વળ્યા કે શાસ્ત્રીજીએ આજ સુધી ત્યાં જ પલાંઠી વાળી લીધી છે.

ગુજરાતી-હિન્દી-અંગ્રેજી-સંસ્કૃત ચારેય ભાષાઓ ઉપર ગજબનાક પક્કડ, ઊંડાન્નપૂર્વકનો અભ્યાસ સતત-સખત અધ્યયન, આજે પણ. સ્મરણશક્તિ તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિ તો બેજોડ. ફકરાના ફકરા કડકડાટ બોલે તો દંગ રહી જ્વાય. ડૉ. આર. એસ. ત્રિવેદી પાસે ડૉક્ટરેટ કર્યું. પૂજ્ય શ્રી રંગ અવધૂતજીના આજ્ઞાંકિત શિષ્ય અને પરમ ઉપાસકની આસ્થા એટલી પ્રબળ કે તેઓ પીએચ.ડી.ની થિસીસ ગુરૂદેવનાં સ્થાનકે ચરણે ધરીને પછી યુનિવર્સિટીમાં સોંપવા ગયા હતા! શાસ્ત્રીજીનાં માર્ગદર્શનમાં Ph.D. થનાર ડૉ. મોતીભાઈ પટેલને સાઠ વર્ષ થયાં ત્યારે તેના મહોત્સવની જવાબદારી જ્વેન્દ્રભાઈએ ઉપાડી, આટલા સહજ! કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ’ એવું પુસ્તક કરવાની પ્રેરણા પણ જયેન્દ્રભાઈએ આપી, જે પુસ્તકની સાત આવૃત્તિઓ થઈ! શાસ્ત્રીજીએ ગુજરાતી-કલા-સાહિત્ય-શાસ્ત્ર અને ફિલસૂફીના પચાસથી વધુ પુસ્તકો લખ્યાં છે. પહેલાં અંગ્રેજી શીખતા આવો’ એવું કહેનાર ડૉ. કે. જી. દેસાઈએ હોંશભેર શાસ્ત્રીજીનાં પુસ્તકની પ્રસ્તાવના લખી ગૌરવ અનુભવેલું! કેળવણીનાં તાત્ત્વિક આધારો”, “ભારતીય ચિંતકોનું શિક્ષણ ચિંતન’, ‘શિક્ષણ દર્શન પરિભાષા કોષ”, “સર્જન શિક્ષણ’, ‘શ્રી રંગ પ્રશ્નોત્તર માલા’ વગેરે પુસ્તકોને સાહિત્ય અકાદમી સહિત અનેક ઍવૉર્ડ પણ મળ્યા છે. શાસ્ત્રીજી’ના આદરભર્યા નામથી ઓળખાતા અને શૈક્ષણિક ફ્લિસૂફીના પરમજ્ઞાતા જ્વેન્દ્રભાઈ દવે ભક્ત ખરા, સાધક ખરા, ઉપાસક ખરા, ધીરગંભીર ખરા પણ ઘુવડ ગંભીર નહીં જ. તેમનો ચહેરો સાય સ્મિતભર્યો. વાતચીતમાં દર દસ મિનિટે વ્યંગ-વિનોદ-હળવી રમૂજ આવે જ આવે. એટલે જ તો તેઓ વિશાળ ચાહક વર્ગ અને બહોળા વિદ્યાર્થીવર્ગની મૂડી ધરાવે છે. પ્રાથમિક શિક્ષણ લીધા વગર Ph.D. થનાર શાસ્ત્રી જયેન્દ્ર દવે પાસેથી માર્ગદર્શન મેળવી સત્તાવીસ અધ્યાપકો Ph.D. થયા છે અને એ સૌ એક યા બીજી રીતે અગ્રેસર છે. પશ્ચિમનું તત્ત્વજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાનમાં અદ્વૈત વેદાન્તનો ઊંડો અભ્યાસ કરનાર જ્યેન્દ્રભાઈએ ‘રામાયણ-પ્રવીન્ન’ની પરીક્ષા ૧૯૫૭માં પાસ કરી છે. તેને તેઓ પોતાના જીવનની ખૂબ જ વહાલી ઘટના ગણે છે. મને આજે ય એવી ઉત્કંઠ ઝંખના થયા કરે છે કે આજેય એ પરીક્ષા લેવાતી હોય, હું પુનઃ એ પરીક્ષા આપું અને પુનઃ પુનઃ “રામાયણ-પ્રવીણ’ થયા કરું’ ૧૯૭૦ થી ૨૦૦૫ પાંત્રીસ વર્ષો પ્રત્યેક ચૈત્રી પૂનમે સવારથી પૂજા-પાઠ, સત્યદત્તની કથા, પ્રસાદ લઈ તરત બન્ને બાળકોને લઈ શાસ્ત્રી દંપતિ અમદાવાદના કૅમ્પના હનુમાનદર્શને. શાસ્ત્રીજીનું આ શાસ્ત્રવત્ જીવન એ જ એની જીવન મૂડી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback