ચિન્મય નાદ બિંદુ ફેસ્ટિવલ

@ ચિન્મય વિભૂતિ, કોલવણ, મુલશી ડેમ પાસે, પૂના.

ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

ચિન્મય મિશનની સ્થાપના ગુરુદેવ સ્વામી શ્રી ચિન્મયાનંદજીએ કરી છે. ઉદ્દેશ વેદાંત, ઉપનિષદ, ગીતા વગેરે શાસ્ત્રોનો કેવળ પ્રચાર પ્રસાર. બીજી કોઈ ઝંઝટ નહીં.

વિશ્વભરમાં, 300 થી વધુ મિશન કેન્દ્રો છે, 86 થી વધુ સ્કૂલ અને 09 થી વધુ કોલેજો છે જે લાખો વિદ્યાર્થીઓનું સંસ્કૃતિ અને સંસ્કાર ઘડતર કરે છે.

2017 માં UGC માન્ય ચિન્મય વિશ્વ વિદ્યાપીઠ First Private Deemed To Be University in Kerala ની સ્થાપના થઈ છે, જે ‘de novo’ સ્ટેટસ ધરાવે છે, જેમાં 80% થી વધુ ફેકલ્ટી PhD છે, જ્યાં 49% વિદ્યાર્થીઓ scholarship ઉપર અભ્યાસ કરે છે, જ્યાંથી 600 થી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક થઈ ચૂક્યા છે અને 1000 થી વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે… આ ચિન્મય વિશ્વ વિદ્યાપીઠ નું એક વિરલ અભ્યાસ કેન્દ્ર ચિન્મય વિભૂતિ, કોલવણ, પૂના ખાતે કાર્યરત છે જે ચિન્મય નાદ બિંદુ ગુરુકુલમ છે જ્યાં M.A. (સંગીત, નૃત્ય, ગાયન, વાદન વગેરે) નો અભ્યાસ કરાવવામાં આવે છે.

આ ગુરુકુલમ દ્વારા પ્રતિવર્ષ નાદ બિંદુ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં અમે ત્રણ દિવસ ભાગ લેવા આવ્યા છીએ, જેની ઝલક અહીં મૂકું છું. ગુરુજી સ્વામીશ્રી તેજોમયાનંદજી ની નિશ્રામાં આ ફેસ્ટિવલ સંગીત, નાટક, ગાયન, વાદનની પ્રસ્તુતિ કરી રહેલ છે. ગુરુજીએ સુંદર ભજનથી ઉદઘાટન પ્રવચન કર્યું. પદ્મશ્રી શેખર સેન દ્વારા one man act કબીર માણ્યું,,,કબીર નાટકનો આ 452 મો શો હતો !!!!!

આ વખતનો નાદ બિંદુ ફેસ્ટિવલ કેરાલિયન પર્યાવરણ થી સજ્જ છે, કારણ ચિન્મય મિશન ના સ્થાપક ગુરુદેવ શ્રી ચિન્મયાનંદજીની ૧૦૮ મી જન્મ જયંતી છે. અમે પણ પ્રારંભે કેરાલા નાં વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલાં.

વધુ તો લખવાનું શક્ય નહીં બને કારણ “હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું ” જેવી મારી સ્થિતિ છે.

ક્યારેક આ ચિન્મય વિભૂતિ વિશે વિગતે વાતો કરીશું. આ અમારું પ્રિય સ્થળ છે કારણ અહીં શાંતિ છે, પ્રસન્ન પ્રકૃતિ છે, અધ્યાત્મ નો સંસ્પર્શ છે.

https://vibhooti.chinmayamission.com/

હરિ ૐ… ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback