ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા, તેનો મને ખ્યાલ જ નથી !!’

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

આપણે એ જાણ્યું કે જે ઈનપુટ સગર્ભાવસ્થા દરમ્યાન અપાશે તે જ ઈનપુટ જન્મ લેનાર બાળક માટે પ્રિ ડેટા બની રહેશે. અવતરનારું બાળક આપણે મોકલેલા ઈનપુટ અને નવ માસના ગર્ભકાળ દરમ્યાનના ભાવાવરણનો પાસ્ટ ડેટા લઈને જ આવશે. આપણે એ સમયને જ પૂર્વજન્મ ગણીએ તો ય ચાલે. એ સમયગાળામાં Maximum positive inputs to yourself will go to the child and will develop the mind accordingly. આથી એક ફાયદો થશે કે તમે આ નવ મહિના જે પોઝિટિવિટી તમારામાં ઉમેરતા રહ્યા તેનો અને બાળક જન્મ્યું ત્યારે જે તમારો આનંદ છે એ બંનેનો સરવાળો થશે, કે જે બાળકના ઉછેરમાં તમને બહુ આનંદથી જોડશે.
વિચારોની કેળવણી માટે બહુ જ મહત્વનો મુદ્દો તે તમે કેટલા વિસ્તારો છો !..તમે કેટલા ખુલો છો ? તમે કેટલા વિસ્તરો છો, તમારો વિસ્તાર કેટલો વધે છે. વિસ્તાર એટલે કોઈને મળવાનો, કોઈને સાંભળવાનો, કોઈની સાથે સંવાદ કરવાનો, કોઈને એકાગ્રતાથી જોયા કરવાનો, નદી પાસે બેસીને ખળખળ વહેતી નદીને જોયા કરવાનો, પર્વત સામે આશ્ચર્યથી જોયા કરવાનો, પક્ષીઓના કલરવને બહુ વિસ્મયથી સાંભળવાનો અને વિચારવાનો કે ‘કોણ છે આ બધું કરનાર?’ ગઈકાલે જ મને કોઈએ કહ્યું કે ‘આ લીલી પાંખવાળું કબૂતર છે’, તો મારા માટે એ વિસ્મયનો વિષય બને છે, કારણ મેં કોઈ દિવસ નથી જોયું!! વિસ્મય છે, એ મારા માટે. એવે ટાણે મને થાય કે હવે આ શું પક્ષીની વાત કરે છે, હવે મૂકને પક્ષી, ભાઈ ? than i will not gain … I will not gain that it will not go inside. આપણા ઘરમાં બહારથી કોઈને કોઈ આવતું રહે છે. વિક્રમ સારાભાઈએ કહ્યું હતું કે, ‘મારા ઘરમાં એટલા બધા સ્ટાલવર્ટ લોકો આવ્યા કરતા હતા પિતાશ્રીની પાસે કે હું તો એની સામું ફરી ફરીને જોયા જ કરતો. અને મારી મા મને પરિચય કરાવતી કે આ સાયન્ટિસ્ટ છે, આ લીડર છે.’ વિક્રમ સારાભાઈને ઘરે જ બેસાડીને ભણાવવામાં આવ્યા હતા, એ સ્કૂલે નહોતા ગયા. એના લીધે એક બાળક તરીકે એમ તો થાય જ કે હું આના જેવો થાઉં. હવે ‘એના જેવો થઉં’ એવો વિચાર આવે કે તરત જ તમે એના લક્ષણ સામે જોશો. કોઈ વ્યક્તિ આપણને ગમી જાય એટલે આપણે આપણા માથાની સ્ટાઇલ એમના જેવી કરી નાખીએ કે માથામાં વેણી એમની જેમ લગાવીએ છીએ..‘કેમ એના જેવું થવું?’ આ ‘એના જેવું થવું’ એ સંકલ્પના અંદર ગઈ કે તરત જ It will add value to yourself.
કુલચંદ્ર યાજ્ઞિકસાહેબ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પહેલા કુલપતિ હતા. વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ યાજ્ઞિકસાહેબ નડિયાદમાં છે. તમે જે ગુજરાતી સામાયિક ખોલો એમાં પહેલા કુલીનચંદ્ર યાજ્ઞિક સુભાષિતો સમજાવતા હાજર હશે. મેં એને પૂછ્યું કે, સાહેબ આટલા બધા શ્લોક તમને કેવી રીતે આવડે ? તમને કોણે શીખવ્યા ? તો સરસ જવાબ આપ્યો કે, ‘અમારા ઘરનું વાતાવરણ જ એવું હતું, મારા દાદા સવારના ઉઠે ત્યારથી એ કશુંક ગણગણ્યા કરતા.’ હવે જુઓ, કેટલી અસર થાય છે. દાદા એટલે ત્રીજી પેઢી થઇ કુલીનચંદ્ર યાજ્ઞિકની. ‘પછી મારા માતા અને પિતા પણ એકદમ ધાર્મિક હતા, બીજું કઈ નહીં પણ દીવો કરે, અગરબત્તી કરે એટલે અમે સુતા હોઈએ અને અમને ઉઠાડે ત્યાં અગરબત્તીની સુગંધ આવતી હોય. એટલે ઉઠીએ ત્યાં બધું આહલાદક હોય. કોઈ જાતની ચિંતા ન હોય. આપણને એમ થાય કે, વાહ સરસ સુગંધ આવી.. પછી બીજું કઈ ન કરે પણ એ પૂજાપાઠ કરતા હોય અને અમે તૈયાર થતા હોઈએ. એ દરમિયાન એ મૉટે થી શ્લોક બોલતા હોય. રાત્રે અમે જમી લઈએ પછી અમે ભાઈ અને બહેન હીંચકા ઉપર બેઠા હોઈએ. મારા પિતાશ્રી ઘરમાં જમ્યા પછીનું ચાલતા હોય અને મા રસોડામાં બધું સમેટતી હોય. મારા પિતાશ્રી બહારથી શ્લોકની એક પંક્તિ બોલે એટલે એની પછીની પંક્તિ મારા માતુશ્રી બોલે. અને પછીની પંક્તિ અમારે બે જણાએ બોલવાની. એમાં અમને ન આવડે તો માતુશ્રી અને પિતાશ્રી બંને બાજુમાં આવી જાય અને બોલાવડાવે અને કહે હવે બીજી વાર બોલો, ત્રીજી વાર બોલો, અને પાછા જતા રહે. પછી બીજો શ્લોક બોલે. ખરું કહું, નાનપણમાં મને ખબર નથી કે આ ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા છે ?’