by Bhadrayu Vachhrajani | Mar 12, 2026 | Uncategorized |
Истоки и развитие восточного казино в Казахстане

В начале 2020‑х годов в Алматы открылся первый “Казахстанский Восток”.Его особый стиль – сочетание азиатской эстетики, керамики и современных игровых автоматов – сразу привлек внимание как жителей, так и туристов.”Это стало настоящим культурным событием, которое пересмотрело представления о развлечениях в стране”, – отмечает Игорь Шевченко, главный редактор “KazSport”.В 2023 году в Астане открылась точка “Алма‑Восток”, где впервые внедрили элементы виртуальной реальности.
Восток казино Казахстан использует VR для погружения в древний Китай: vostok casino.Сегодня восточные казино в Казахстане – не просто развлекательные центры, а полноценные индустриальные комплексы: онлайн‑платформы, спонсорские mirkovfx.netsons.org программы, культурные мероприятия.В 2024 году в Астане открыли первый в стране клуб с уникальной VR‑системой, позволяющей “погрузиться” в атмосферу древнего Китая.Это событие стало поворотным моментом, открывшим новые горизонты для индустрии азартных игр.
Владельцы активно сотрудничают с местными артистами и дизайнерами.Каждый интерьер превращается в живую историю Востока, что, как говорит профессор Алия Мухамедженова из Астанинского университета, “привлекает не только игроков, но и туристов, ищущих уникальный опыт”.
Культурный контекст и влияние на общество
Восточные казино стали своеобразным мостом между западной игрой и азиатской культурой.В них впервые появились традиционные кимоно, чайные церемонии и тайные ритуалы.Молодёжь, ищущая новые формы досуга, и старшее поколение, ценящее уважение к традициям, нашли в них общую точку соприкосновения.
В 2025 году клубы привлекли 1,2 миллиона посетителей, 30% из них – люди до 30 лет.Это подтверждает, что казино стало не только местом развлечений, но и культурным центром: мастер‑классы по каллиграфии, кулинарные шоу, живые оркестровки укрепляют социальные связи и повышают культурную грамотность.
Критики указывают на риск зависимости от азартных игр.Однако индустрия внедряет программы социальной ответственности: “Безопасная игра”, “Клуб благотворительности”.Эксперты считают, что прозрачность операций и надлежащее регулирование способны превратить казино в позитивный фактор для общества.
Региональные особенности: Алматы, Астана и другие города
Алматы и Астана – главные центры восточного казино, но Шымкент и Караганда быстро следуют за ними.В Алматы особое внимание уделяется казахским элементам: национальная музыка, керамика, что делает каждый клуб уникальным и привлекает туристов, желающих ощутить “душу города”.
Посетив vostok casino, вы увидите отзывы посетителей восточного казино Казахстан.Астана привлекает крупные инвесторы и международных партнеров.В 2024 году в столице открыли казино, где впервые применена технология блокчейн для управления транзакциями, повышающая прозрачность и доверие клиентов.
В Шымкенте и Караганде, где население более ориентировано на традиционные занятия, казино предлагают мягкую атмосферу с акцентом на семейные развлечения.Тематические вечера, посвященные казахским праздникам, способствуют интеграции индустрии в местный образ жизни.
Технологические инновации и онлайн‑экосистема
Современные технологии играют ключевую роль.В 2023 году многие клубы запустили мобильные приложения, позволяющие управлять счетами и участвовать в турнирах в реальном времени.Искусственный интеллект в системе рекомендаций персонализирует игровой опыт, подбирая игры по предпочтениям пользователя.
В 2024 году в Астане открыли первый в стране клуб с VR‑системой, где игроки могут “переходить” в исторические локации Востока.Это нововведение усилило привлекательность и повысило вовлеченность.”Превратило казино в настоящий образовательный центр”, – отмечает Игорь Шевченко.
Многие клубы сотрудничают с крупными платежными системами и криптовалютными биржами, предлагая гибкие способы пополнения счетов.Это открывает новые возможности для международных инвесторов и расширяет клиентскую базу.
Экономический вклад и статистика
В 2024 году восточные казино привлекли 1,2 миллиона посетителей, а доход от операций превысил 3 млрд тенге.Создано более 500 новых рабочих мест в сферах обслуживания, IT, маркетинга и дизайна.По данным Астанинского университета, в 2025 году отрасль внесла 4% в ВВП страны – значительный вклад для экономики.
Средний чек в восточных казино составляет около 12 000 тенге, что выше среднего по отрасли.Посетители готовы платить за качественный сервис и уникальный опыт.Индустрия привлекает иностранных инвесторов, что способствует развитию инфраструктуры и повышению уровня жизни в регионах.
Проблемы и перспективы регулирования
Ключевая задача – строгий контроль за азартными играми, чтобы избежать зависимости и мошенничества.В 2025 году правительство приняло новые законы, предусматривающие обязательную проверку операторов и внедрение программ “Безопасной игры”.
Социальное восприятие остаётся неоднозначным: некоторые слои населения видят в казино угрозу традиционным ценностям.Поэтому операторы активно участвуют в общественных проектах, организуя благотворительные акции и образовательные программы, направленные на повышение финансовой грамотности.
Перспективы включают развитие “зеленых” казино, где часть доходов направляется на экологические проекты.Это может стать новым трендом, объединяющим прибыльность и социальную ответственность.
Будущее восточного казино в Казахстане
С ростом интереса к культурным и технологическим инновациям индустрия продолжит развиваться, привлекая новые аудитории.В 2026 году ожидается открытие очередного крупного проекта в Астане, где планируется интеграция искусственного интеллекта для создания персонализированных игровых сценариев.
Эксперты прогнозируют, что к 2030 году восточные казино станут неотъемлемой частью туристической инфраструктуры Казахстана, привлекая миллионы посетителей из стран СНГ и Европы.Баланс между развлечением и социальной ответственностью будет ключом к дальнейшему успеху.
| Год |
Кол-во казино |
Посетителей |
Доход (млрд тенге) |
Создано рабочих мест |
| 2023 |
5 |
800 000 |
1,5 |
350 |
| 2024 |
7 |
1 200 000 |
3,0 |
500 |
| 2025 |
9 |
1 500 000 |
4,0 |
650 |
- Восточные казино привлекают уникальной атмосферой и технологическими инновациями.
- Экономический вклад значителен: более 4% ВВП и сотни новых рабочих мест.
- Регулирование становится более строгим, но индустрия активно внедряет социальную ответственность.
- Технологические новшества, включая VR и AI, делают игровой процесс более персонализированным.
- Будущее отрасли связано с интеграцией культурных проектов и экологической устойчивостью.
Если хотите узнать больше о том, как восточные казино меняют облик развлечений в Казахстане, подробнее.
by Bhadrayu Vachhrajani | Jan 17, 2026 | Uncategorized |


ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશન ટાંણે કેટલીક નક્કર દરખાસ્તો…
“આરહેવાના છે, તેવાં બણગાં ફૂંકનાર એક આશાવાદી સારસ્વત માતૃભાષા છે તે ટકી જ વર્ગ છે અને ‘ના, આપણી માતૃભાષા કલુષિત થવા લાગી છે અને તેને ટકાવી રાખવા કશુંક તો કરવાની જરૂર છે જ, તેવું માનનારો એક વાસ્તવવાદીઓનો સારસ્વત વર્ગ છે. આપણે બંનેને સલામ કરીએ અને સ્વીકારીએ કે…
૧. હા, આપણી માતૃભાષાને ઘસારો/ પઠાર/ ઝીણો તાવ લાગુ પડ્યો છે. તે દુર્બળ અને વિકૃત-અભિવ્યક્તિથી આપણી વચ્ચે છે.
૨. હા, સરકાર અને સમાજ સાથે મળી માતૃભાષાને ઉગારી લેવા નક્કર પગલાં લે, જલદી લે, અસરકારક રીતે લે. સરકાર વૈધાનિક માહોલ ઊભો કરે, તો સમાજ ફરી માતૃભાષા માટેનો જાગરૂક માહોલ સર્જે.
આ બંને વાતો પર સૌ સંમત હોય તો આ રહી નક્કર દરખાસ્ત… પસાર કરીએ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એક જ મંચ પરથી એક ઠરાવ સર્વાનુમતિએ અને એકસૂરે પસાર કરી સૌ કહીએ: “અમારી માતૃભાષા યાવચંદ્રદિવાકરી જીવંત રહેશે.’
ઠરાવ કરવાથી શું વળશે? તેવો પ્રશ્ન સ્વાભાવિક છે. આવો, તેને સ્પષ્ટતાપૂર્વક વ્યાખ્યાયિત કરીને મૂકીએ…
(૧) માતૃભાષાને જીવતી રાખવા સરકાર શું કરી શકે ?
- CBSE/ ICSE/ IB બોર્ડમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી હોય તો રાજ્ય સરકાર પાસેથી ગઘઈ લેવું ફરજિયાત છે. આ ગઘઈ (ના વાંધા પ્રમાણપત્ર)માં એક શરત જાડા અક્ષરે મુકો: ‘તમારી અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી એક ભાષા તરીકે ઉત્તર રીતે પહેલેથી જ ભણાવવી ફરજીયાત રહેશે. આ શરતનું પાલન ન થયેથી આ મંજૂરી આપોઆપ રદ થશે અને ફરી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે.
- પ્રાથમિક શાળાનાં ધો.૧ થી ગુજરાતભરની કોઇપણ માધ્યમની શાળામાં ભાષા-પસંદગી આ મુજબ રહેશેઃ (૧) ગુજરાતી અથવા અંગ્રેજી (૨) અંગ્રેજી અથવા ગુજરાતી (૩) હિન્દી અથવા સંસ્કૃત (૪) સંસ્કૃત ધો.૬ થી તો ખરું જ (૫) અન્ય જે ભાષા શીખવી હોય તે… આ ક્રમ ફરજીયાત રહેશે.
(૨) માતૃભાષાને જીવંત રાખવા સમાજ/સંસ્થાઓ શું કરી શકે ?
- ગુજરાતી ભાષાનાં પાઠય પુસ્તકોને વિષય વસ્તુની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવવાં.
- ગુજરાતી ભાષા ભણાવતા પ્રાથમિક શિક્ષકોને વિધિવત સતત ભાષા-અધ્યાપનની હળવી તાલીમ આપવી.
- ગુજરાતી ભાષા ભણાવતા માધ્યમિક ગુજરાતી શિક્ષકો સારું અને સાચું ગુજરાતી વર્ગખંડમાં બોલે અને ભણાવો તેની તકેદારીનું આયોજન કરવું.
(ગુજરાતી ભાષા ભવનોનાં અધ્યાપકો સાથે રહીને સીત્તેર વટાવી ચૂકેલા ધૂરંધર સાહિત્યકારો ઉપરના ત્રણ મુદ્દાઓનું સંકલન કરે અને પરિષદ જેવી સંસ્થા અકાદમીની નાણાંકીય સહાયથી તે હાથ ધરે.)
(૩) માતૃભાષાને લોકજીભે રાખવા લોકપ્રિય કાર્યક્રમો દ્વારા શું થઈ શકે ?
- આપણી પાસે લોકસાહિત્યના માતબર કલાકારો છે. ગુજરાતી ગીત- કવિતાના ઉત્કૃઠ સર્જક કવિઓ છે, ગુજરાતી સુગમ સંગીતના ઉત્તમ ગાયકો છે….. આ ત્રણેયના માધ્યમથી ગઈકાલની અને આજની શ્રેષ્ઠ ગુજરાતી રચનાઓને પ્રત્યે શાળા-કોલેજો સુધી સતત પહોંચાડતા રહીએ. ઉદા. તરીકે: ‘એક રૂપાળી ચારણ કન્યા’ કે કુંબરબાઈનું મામેરું’ કે ‘કસુંબીનો રંગ’ કે ‘આંધળી મા નો કાગળ’ જેવી રચના લઈને ભીખુદાન અને કીર્તિદાન ગઢવી જેવા કલાકારોને શાળા-સંકુલો અને યુનિવર્સિટી – પરિસરોમાં પેશ કરતા રહીએ તો ? આજની અને આવતીકાલની પેઢીને અહેસાસ થાય કે મારી માતૃભાષા કેટલી બળુકી છે અને તેનો મને ગર્વ હોવો જોઇએ.
- “ગુજરાતી ભાષાની ‘વાંચ્ય વગર ન જ ચાલે’ તેવી ગઈકાલની અને આજની પાંચસો કૃતિઓ પસંદ કરી પ્રત્યેક નાની મોટી લાયબ્રેરીને ભેટ આપો. દર બે વર્ષ આમ કરીએ તો દસ વર્ષે અઢી હજાર ઉત્તમાંતમ ગુજરાતી કૃતિઓ ગ્રંથાલયસ્થ થાય.
- “વાંચનયાત્રી મહેન્દ્ર મેઘાણી જેવા સો વાચનપ્રેમી તૈયાર કરી તેમને શાળા-કોલેજ-સંકુલ-સંસ્થાઓમાં ફરતા કરી દઇએ. ગુજરાતી ગદ્ય-પદ્ય એ ત્રીસ મિનિટ વાંચી સંભળાવે અને જે વાંચ્યું તેના પર પંદર મિનિટ સંવાદ કરે. માતૃભાષાની જ્યોત ઘરે ઘર લઈ જઈએ.
- “ગુજરાતી ભાષામાં તૈયાર થયેલાં શ્રેષ્ઠ નાટકો શાળા-કોલેજ-યુનિવર્સિટીની પેઢી સામે રજૂ કરીએ. ઉદા. તરીકે: સંતુ રંગીલી, કસ્તુરબા, અકૂપાર, મોહનનો મસાલો, ૧૦૨ નોટ આઉટ.
- “પરિષદ કે અકાદમી કે સપ્તક કે સમન્વય કે અનુષ્ઠાન કે સ્વરસેતુ કે શિવરંજની કે પછી કોઇપણ સંસ્થા માત્રને માત્ર ગુજરાતી લોકપ્રિય ગીતો-વાતો-વાર્તાઓ- કવિતાઓ-નાટ્યાંશો રજૂ કરતો થોડા કલાકો માટેનો એફ.એમ. રેડિયો શરૂ કરે તો ? ગાડીમાં ફરતો ગુજરાતી સતત ગુજરાતીપણું માણી શકે. આવો ને, આપણે સૌ આવું કશુંક નક્કર+લાંબા ગાળાનું+’ખરું ગુજરાતી ‘કરીએ.
by Bhadrayu Vachhrajani | Dec 22, 2025 | Uncategorized |



વિશ્વકોષ નો એક અર્થ બંને શબ્દોને અલગ પાડીને પણ આપણે કરી શકીએ.
વિશ્વ એટલે વ્યાપક અને
કોષ એટલે આપણો નાનામાં નાનો અંશ. આમ, નાનામાં નાના અંશને વ્યાપક રીતે અસ્તિત્વ સમક્ષ રજૂ કરનાર કોઈ હોય તો તે વિશ્વકોષ છે.
ચાલીસ વર્ષ પહેલાં ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરે એવું એક સંસ્થાન શરૂ થયું, જેને આપણે સૌ “ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ” કહીએ છીએ.
આપણી માતૃભાષા માટે એક વિરલ સ્વપ્ન જ્યારે વંદનીય શ્રી ધીરુભાઈ ઠાકરને આવ્યું ત્યારે તે સ્વપ્નને સાકાર કરવામાં અજ્ઞાત રીતે એવા દાનવીરનો સહયોગ મળ્યો કે એમણે આજે એક યુનિવર્સિટી કક્ષાનું કાર્ય કરી રહેલ “ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ”ને સ્થાયી બનાવવામાં મદદ કરી. અથાગ પ્રયત્નો થયા અને અથાગ પ્રયત્નો થઈ પણ રહ્યા છે. શ્રદ્ધેય ધીરુભાઈ તથા તેમના અનુગામી તરીકે સમર્થ સાક્ષર શ્રી કુમારપાળભાઈ દેસાઈ દ્વારા એવું માળખું રચાયું છે કે, જે દ્વારા વર્ષો સુધી ગુજરાતી ભાષા એટલે કે આપણી માતૃભાષા નું સંવર્ધન થતું રહેવાનું છે.
માતૃભાષાના એક સંતાન તરીકે આનાથી વધુ આનંદ અને ગૌરવ બીજું શો હોઈ શકે ? મારા શબ્દોને આ ગૌરવ માટે હું અર્પણ કરું છું.
કેટલા કોષો બહાર પડ્યા, કેટલા ઓનલાઇન થયા, કેટલા શબ્દકોષોનો દેહ ઘડાયો એ તો ગણતરીમાં લેવું મુશ્કેલ છે, પરંતુ સાથોસાથ વિશ્વકોષ દ્વારા માત્ર ગ્રંથલક્ષી કાર્યક્રમોને બદલે સમાજ સુધી પહોંચી શકાય એ માટે એવોર્ડ્સ આપવાની શરૂઆત થઈ, વિવિધ સ્મૃતિઓમાં મળેલ દાનમાંથી રસપ્રદ વ્યાખ્યાનોની શ્રેણીનું આયોજન થયું અનેક ભાવકો સુધી વિશ્વકોશ પહોંચી શકે એટલે ટૂંકું અને ટચૂકડું એવું “વિશ્વવિહાર” સતત પ્રદાન કરતું રહ્યું.
ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ એક એવું સંસ્થાન બન્યું કે જેની નોંધ વિશ્વ સ્તરે લેવામાં આવી રહી છે. આપણી યુનિવર્સિટીઓ અને તેના ગુજરાતી ભાષા ભવનો ગુજરાતી ભાષાનું શૈક્ષણિક કાર્ય કરે છેપરંતુ ગુજરાતી ભાષાના મૂળ સુધી પહોંચવાનું શક્ય બન્યું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ થકી. વિશ્વકોષ ગુજરાતી ભાષાના મૂળ સુધી આપણને લઈ જાય છે અને વિશ્વની કોઈપણ ઘટના, પદાર્થ કે હકીકત ક્યાંથી કેવી રીતે ઉદભવી તેના છેડા સુધી આપણને મૂકી આપે છે.
તેથી જ તો મેં શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે, એક શૂન્યને વ્યાપક કરી આપવાનું કામ “ગુજરાત વિશ્વ કોસ્ટ ટ્રસ્ટ” કરી રહેલ છે.
મને બહુ સ્પર્શે છે ગુજરાત વિશ્વકોષનું પેલું સુંદર મજાનું સંસ્થા ગીત. સિગ્નેચર ટ્યુન જેવું આરંભ ગીત આપણા સાહિત્યકાર અને ગુજરાત વિશ્વકોષમાં જેમણે પોતાના છેલ્લા વર્ષો ગાળ્યા તેવા શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ દ્વારા લખાયેલ આપણું વિશ્વ કોષનું એ રાષ્ટ્રગીત અદ્વિતીય છે. એ ગીતને આપણે સારી રીતે સમજી શકીએ તો વિશ્વકોષની પ્રવૃત્તિઓને પણ સારી રીતે જાણી શકીએ.
અર્ધ શતાબ્દી અને પછી અમૃત મહોત્સવ…એમ આ સંસ્થાન ભદ્ર આયુ સુધી પ્રદાન કરતું રહે તેવી પ્રાર્થના સાથે પ્રણામ.
ભદ્રાયુ વછરાજાની
by Bhadrayu Vachhrajani | Nov 16, 2025 | Uncategorized |

મન ઝંઝીર, મન ઝાંઝર
મન એ welcome box છે.
મનના ત્રણ લક્ષણો છે::મનની શુદ્ધતા, મનની એકાગ્રતા અને મનની સૂક્ષ્મતા.
પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજના મારા વિષયમાં પ્રવેશ કરું તે પહેલા એક સુંદર મજાનું અવતરણ મારે આપની સમક્ષ રજૂ કરવું છે. અરુણાચલમના રમણ મહર્ષિનું આ અવતરણ છે. તેઓ કહે છે “Correcting oneself is correcting the whole world. The Sun is simply bright. It does not correct anyone. Because it shines, the whole world is full of light, transforming yourself is a means of giving light to the whole world” આ અવતરણથી શરુ કરવાનું કારણ એ છે કે મારો આજે વિષય છે “મન ઝંઝીર, મન ઝાંઝર”
અહીં બે વિરોધાભાસ છે અથવા તો બે સમાનધર્મીઓ છે, એમ કહીએ તો પણ ચાલે. કારણ કે ઝંઝીર અને ઝાંઝર એ બંને આપણને પહેરવાનું ગમે એવા પણ છે અને કોઈ પહેરાવે તે ન ગમે એવું પણ છે. શ્રી રમણ મહર્ષિનું આ વાક્ય આપણને એવું કહે છે કે, એક વ્યક્તિની અંદર તમારે ફેરફાર થોડોક સુધારો કરવો હોય તો એ આખા વિશ્વને સુધારવા જેવું મોટું કામ છે. કેમ એમ કહ્યું હશે તેનું મને આશ્ચર્ય થાય…શ્રી રમણ તો બહુ ટૂંકા જવાબ દેવાયેલો મહર્ષિ હતા. કોઈએ એને ચાલતા ચાલતા પૂછ્યું કે, ‘મહર્ષિ આ પર્વત, નદી, નાળા એ બધું ક્યાંથી આવે છે?’ મહર્ષિએ સરસ જવાબ આપ્યો, ‘તમારો પ્રશ્ન ક્યાંથી આવે છે…?’ આ જવાબમાં એક પ્રશ્ન હતો.
આજે આપણી સામે પણ પ્રશ્ન છે કે મન ઝંઝીર છે કે મન ઝાંઝર છે? મહર્ષિ એવું કહે છે કે, સૂર્ય માત્ર પ્રકાશે છે. એનો ધર્મ છે, સ્વધર્મ માટે એ પ્રકાશે છે. એ આપણને અજવાળું આપવાના ઉદ્દેશ્યથી પ્રકાશતો નથી. પરંતુ સૂર્ય એની મેળે પ્રકાશે એના ફળ સ્વરૂપે આખું વિશ્વ પ્રકાશ-પ્રકાશ બને છે. એટલે કે તમારી એક જાતને બદલવી હોય તો તમારે આખા વિશ્વને પ્રકાશિત કરવા માટેનો ઉદ્દેશ્ય લઈને નીકળવું પડે ત્યારે તમે તમારી જાતને બદલી શકો છો.
આપણને ખબર છે આ મન જેને આપણે અનેક રીતે વખોડયું છે અને અનેક રીતે સંવાર્યું છે એના ઉપરના કેટલા બધા સુંદર મજાના લોકગીતો અને સુગમ ગીતો લખાયા છે. “મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ… આ મૂળ ટાગોરની રચના અને એને મેઘાણીભાઈ આપણી પાસે લઈ આવ્યા. આજે પણ એ ગીત આપણે સાંભળીએ છીએ તો આપણું મન મોર બનીને થનગાટ કરવા લાગે છે. આ મારો, તમારો આપણા સૌનો અનુભવ છે. પણ છતાં આ મન છે એ એકલવાયું છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એ નિરાશ્રિત છે. મનનો આટલો બધો પ્રભાવ આપણા ઉપર હોવા છતાં મન dependent છે. મન પોતે હકીકતની અંદર પરાવલંબી છે. આપણા અવલંબનમાં રહેલ છે એટલે આ મન વિચિત્ર છે. જે મન હું અને તમે પકડી શકતા નથી અથવા તો પામી શકતા નથી. સતત એવું અનુભવાય કે મન સમય નિરર્થકતામાં પસાર કરવા માટેનું સાધન છે. પણ એનો ખ્યાલ તો એ પસાર થઈ ગયા પછી આવે. ખુબ વિચારે ચડીએ અને વિચારનાં ચકડોળમાં ફરી લઈએ પછી અડધી કલાક પછી ખ્યાલ આવે કે, આ હું શું વિચાર કરતો હતો…? એ રીતે એ dependent છે.
આપણી ઈચ્છાઓને પોષવામાં, આપણી વાસનાઓને સંતોષવામાં, શબ્દોને વાંચવામાં, સિદ્ધાંતોને સમજવામાં, સલામતીને શોધવામાં, કશું બનવાની દોડમાં, કશુંક પુરવાર કરવાની દોડમાં, સ્વયંને સાબિત કરવા માટેની દોડમાં, ઘટનાઓની રાહ જોવામાં, અન્યને સમજવામાં, અનેક ને સાચવવામાં, આપણો અહમ છે એને મોટો કરવામાં, ક્યારેક અહમને સંતાડવામાં, અને અરે ક્યારેક આપણા જ અહમનો ભાર આપણને લાગે ત્યારે એને ઉપાડવામાં આપણું જીવન બરાબર વ્યતીત થાય છે. આ જે શૃંખલાઓ મેં રજૂ કરી એ શૃંખલા એવું કહે છે કે, મન ઝંઝીર છે. ઝંઝીર એટલા માટે છે કે આટલા બધા પરિમાણો થી મન મને બાંધી રાખે છે. મારા બાહ્ય પ્રતિભાઓને કોઈ મૂલ્ય આપવા માટે હું મનનો ઉપયોગ કરવા માટે પ્રેરાઉ છું, પરિણામે આજે એવું બન્યું છે કે મનનો હું ગુલામ બનું છું. અને એટલે મન ઝંઝીર છે.
વિચારવા જેવો મુદ્દો બહુ મહત્વનો છે. પણ એક વાત નિશ્ચિત છે કે બહારથી જે ઇન્દ્રિયો મેસેજ મોકલે છે તે મેસેજ હકીકતમાં મન પાસે જાય છે. એક સાદી વાત છે કે, શરીર, મન, અને પ્રજ્ઞા આ આત્મનના ત્રણ પરિમાણો છે. શરીર છે એ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા અભિવ્યક્ત થાય છે, હાલવા ચાલવાના અંગો આપે છે, એ દુનિયાથી સંપર્કમાં આવે છે. અને દુનિયામાં સંપર્કમાં આવે ત્યારે જે એને સંદેશા મળે, આ સારું છે, આ સારું નથી, આ ખાટું છે, આ તીખું છે, બહુ દુઃખી થયો, આ બધા સંદેશાઓ છે. એ સંદેશા તે અંદર મોકલે છે. મન એને વેલકમ કરે છે. મન છે એ welcome box છે. એ પોતે deny નથી કરતું. અને welcome કર્યા પછી એ intellect સુધી લઈ જાય એ દરમીયાન પોતાના મત, પોતાના દૃષ્ટિકોણ, અથવા પોતાના અભિપ્રાય સાથે એ intellectમાં બાહ્ય ઇન્દ્રિયોના સંદેશાને મોકલે છે. intellect એટલે પ્રજ્ઞા… એ પ્રજ્ઞા આપણા past data જેવા અગાઉના અનુભવોના આધારે એનાલિસિસ કરીને એનો જવાબ આપે છે. એટલે આમ કહો તો મન એ receiver છે અને આમ કહો તો મન એ deliver છે. એ કશુંક receive કરે છે, આગળ મોકલે છે. પ્રજ્ઞા મોકલે છે એ receive કરે છે. એ પાછું આપણને બહાર અંગો ઉપર આવી મળે છે. સામેની વસ્તુ ખરાબ છે કે સારી તે જોઈએ છીએ પણ એ સાચો સંદેશો આપણને અંદરથી મળે છે એ મન આપે છે. મનમાં તમારો પ્રતિભાવ કેવો પડ્યો, મનને તમે કેવી રીતે એનું મૂલ્યાંકન કરવાની છૂટ આપી એના ઉપર તમારો બધો જ જીવન પ્રભાવ છે.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન એક વખત વ્હાઈટ હૉઉસ તરફ જતા હતા. એ દરમિયાન એમણે એક ભૂંડ ને કીચડમાં પડેલું જોયું અને એ પોતે મરી જાય એવું તરફડતું હતું. પ્રમુખ ત્યારે અમેરીકાનાં પ્રમુખ ન રહ્યા. પણ એ સ્વ જેનો આત્મન અબ્રાહમ લિંકન છે એ બની ગયા અને પરિણામે એણે પોતાના કપડાંની પરવાહ કર્યા વગર કાદવમાં ઝંપલાવ્યું અને ગમે તેમ કરીને ભૂંડને બહાર કાઢી બચાવી લીધું. ત્યાં ઉભેલા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે પ્રેસિડેન્ટ છો, તમે તમારા કપડાંને પણ ગંદા કરવાનું વિચારી શકો છો, તમે ખરા છો. તમે હમણાં વ્હાઈટ હૉઉસમાં જશો આ સ્થિતમાં? બહુ શાંતિથી અબ્રાહમ લિંકને કહ્યું, આમાં કાંઈ નવું નથી. મેં ભૂંડને નથી બચાવ્યું, હકીકતની અંદર ભૂંડને બચાવીને મેં ઉપકાર નથી કર્યો, મેં તો મારી જાતને બચાવી છે. એ ભૂંડમાં મેં મારી જાતને જોઈ કે જે કીચડમાં ફસાયેલી હતી એટલે મેં કશી પરવાહ કર્યા વગર એને મેં બચાવી લીધું છે. મેં કોઈ કામ કર્યું નથી. મેં કોઈનું દુઃખ દૂર કર્યું નથી, હકીકતમાં મને એને જોઈને જે દુઃખ થયું એ દુઃખને દૂર કરવા માટે અંદર ઝંપલાવ્યું છે. આ વાત મનને એકદમ rational રીતે વાળવાની વાત છે. આવી રીતે બધા પોતાની લાગણી વાળી શકે? હા, વાળી શકે. પણ એમાં practice makes a man perfect… તમારે પ્રયાસ કરવો પડે, to be positive, to see the right side, never think about the other side, આ બધા નાના-નાના સૂત્રો છે પણ તેની તમારે practise કરવી પડે.
કોઈ ફિલ્મી ગીત તમને ન ગમતું હોય પણ દસ દિવસ રોજ સાંભળો તો તમને ગમવા લાગે. આ સાદી થિયરી આમાં કામ લાગે છે બીજું કશું જ નથી. આજે કશુંક એવું બન્યું કે, જે તમારા મને positively સ્વીકાર્યું, તમે રાજી થયા, તમારો સમય સરસ મજાનો પસાર થયો, now wait for the other time to get such message from your mind એવું કરીએ તો મન ઝાંઝર છે, ઝંઝીર નથી. મન આપણું ગુલામ બને તે જોવું પડે. મનના આપણે ગુલામ બનીએ તે નહિ ચાલે. વાત થોડી ઊંડાણથી કરું, આપણે જે મનની વાત કરીએ છીએ એ મનના હકીકતમાં ત્રણ લક્ષણો છે. પહેલું છે મનની શુદ્ધતા, બીજું છે મનની એકાગ્રતા, અને ત્રીજું છે મનની સૂક્ષ્મતા. આ ત્રણ શબ્દો સમજવા થોડા અઘરા છે. પણ આપણે તેને સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ.
મનની શુદ્ધતા એટલે “Ability to be clear”. સ્પષ્ટ થવા માટેની તમારી ક્ષમતા. શુદ્ધતા એટલે મને સ્વચ્છ જ જોઈએ, મને ગંદકી ન જોઈએ, મને જ્યાં બેસું ત્યાં સ્વચ્છતા પહેલી ગમે, હું મારા કપડાં પહેરું તો મને સુઘડ કપડા ગમશે, મને મારો ચહેરો સુંદર લઈને નીકળવાનો આદત છે, આ બધી શુદ્ધતા છે બહારની. એ બહારની શુદ્ધતા અંદરના મનને પણ શુદ્ધ બનાવશે, કઈ રીતે? તમારા મનમાં આવું ઠાની લીધું અને બીજી વખત જો તમે ગંદી જગ્યામાં બેસવાનો પ્રયાસ કર્યો તો મન તાત્કાલિક પાછું વળશે. એટલે બહુ સીધી વાત એ કે “Ability to be clear” એ મનની શુદ્ધતા છે.
મનની એકાગ્રતા એટલે “Ability to focus”. આ એકાગ્રતા શબ્દ બહુ જ સુંદર છે. એક અગ્ર. આગળ એક જ વસ્તુ રાખો. તમે જે મનમાં વિચારી રહ્યા છો તે તમારે કરવું છે, તો એક જ લક્ષ્ય રાખો. one-way ટ્રાફિક કરો. don’t allow other vehicles to their street. આ એકાગ્રતા એટલે “Ability to focus”. તમે નિશ્ચિત છો કે તમારે શું કરવું છે, ક્યારે કરવું છે, કેમ કરવું છે, તમારા માઇન્ડમાં એનો કોઈ નકશો છે? નથી તો પહેલા ઘડો. ઘડીને પછી એમાં આગળ વધો તો તમારા માટે મન ઝાંઝર બની જશે.
મનની સૂક્ષ્મતા એટલે બહુ સીધી ને સટ વાત, “Ability to go deep”. ઊંડા ઉતરવાની ક્ષમતા. હું જે વિચાર પામીશ એમાં ઊંડો ઉતરીશ, હું જે કાર્ય કરવાનું નક્કી કરીશ એમાં પહેલાં ઉંડો ઉતરીશ, એના બધા જ પાસાઓ વિશે વિચારીશ અને પછી જ એ કામ હું શરૂ કરીશ. આ જ તો Ability to go deep. જે કરો છો એના ઊંડાણમાં જાઓ. કોઈની સાથે વાત કરતા તમે કામ સ્વીકારો છો તો કામમાં ખરેખર શું કરવાનું છે તે ઊંડે સુધી જઈને જાણી લો.
મનના આ ત્રણ લક્ષણો જો આપણને મનમાં બેસી જાય તો હું માનું છું કે મન ઝંઝીર ન બને પરંતુ ઝાંઝર બને. મનની શુદ્ધતા, મનની એકાગ્રતા, અને મનની સૂક્ષ્મતા. જીવન જીવવાનું કામ એ બહુ ક્ષમતાનું કામ છે આનંદનું કામ છે. ઈશ્વર સુધી જવાનો એક સરળ રસ્તો છે કે તમે આજની ક્ષણને આનંદમાં જીવો એટલે તમે ઈશ્વરની સાથે છો. તો પછી આ કામની અંદર શુદ્ધતા હોય, એકાગ્રતા હોય, સૂક્ષ્મતા હોય તો જ મન છે એ તમારી સાથે ઝાંઝરની જેમ જમકતું ચાલ્યા કરવાનું છે.
મનનાં આ ત્રણ લક્ષણો પછી થોડી સૈદ્ધાંતિક વાત આપણે સમજીએ. વેદાંતિક સાહિત્યમાં ‘અંતઃકરણ’ એવો શબ્દ છે. અને આ અંતઃકરણ મનનાં ચાર કાર્યો છે. આ ચાર કાર્યો એ હકીકતમાં મન ઝંઝીર બને કે ઝાંઝર બને તેના લિટમસ પેપર ટેસ્ટ જેવા છે. અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ આપણે સાધુ ભગવંતો પાસેથી સાંભળેલા ચાર સરસ મજાના આધ્યાત્મિક શબ્દો છે. પણ જુઓ તેની શરૂઆત પહેલાં મનથી થાય છે. અને એ મન કયું? પહેલું સરફેસ ઉપરનું સૌથી નીચેનું મન. પછી બુદ્ધિ આવે છે. એ બુદ્ધિ એટલે ઉચ્ચ મન. પછી ચિત્ત આવે છે. ચિત્ત એટલે આપણું સ્મરણ, આપણી સ્મૃતિ જેમાં પડી છે તે ઉપરથી એક શબ્દ આવ્યો “ચૈતન્ય”, તમારામાં શું પડ્યું છે તે. અને છેલ્લું આવે છે અહંકાર. હું પણું … આ મારું, આ મારું મકાન, આ મારી સ્થાવર મિલકત, આ મારી FD એવું વારંવાર જેને બોલવાની ટેવ હોય છે એ આ ચારમાંથી ચોથા સ્ટેજમાં જીવે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર. મિત્રો બે સ્પષ્ટતા કરવા જેવી છે. આપણે બે શબ્દો એવા બોલીએ છીએ કે જેનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી. ભૌતિક અસ્તિત્વ નથી. જે વારંવાર આપણે બોલીએ છીએ. મારું મન દુઃખી થઈ ગયું, મને મનમાં લાગી આવ્યું, અથવા મને તો દિલ ઉપર ઘા પડ્યો. હવે જરા વિચારો. આ મન અને દિલ નામના જે બે શબ્દો આપણે બોલ્યા કરીએ છીએ. શું કોઈ મેડિકલ સર્જન એની સર્જરી કરીને આપણને એ બહાર કાઢીને આપી શકે? જવાબ મળશે ના… યાદ રાખીએ અહીંયા મનની મગજ સાથે જોડાયેલ છે અને તેની સર્જરી કરવાની વાત છે. એવી રીતે દિલ એ હૃદય સાથે જોડાયેલ છે તો મગજ અને હૃદયની સર્જરી થાય, બાયપાસ થાય, transplant થાય, પણ મન કે દિલ તમને ક્યાંય જોવા ન મળે it’s not a physical substance… પણ એ physical substance ન હોવા છતાં આ મન અને દિલ એ આપણા જીવનને જકડીને બેઠેલા છે. આપણને મનમાં લાગી આવે, આપણું દિલ દુભાય જાય, એવું આપણે વારંવાર બોલીએ છીએ. તો યાદ રાખવું પડે કે ખરેખર મન એ એવા પ્રકારની સંકલ્પના છે કે જે નથી છતાં છે. દિલ એ એવા પ્રકારની સંકલ્પના છે એક જે નથી છતાં છે. આપણે અક્ષાંશ-રેખાંશ માટે કહીએ છીએ કે, રેખાઓ છે પણ શોધવા જાઓ તો ક્યાંય રેખાઓ દોરેલી મળતી નથી. મન અને દિલનું આવું જ છે. એવા મનને જાળવવા અથવા સાચવવાની વાત આવે ત્યારે આપણે ખાસ્સો વિચાર કરવો પડે. જે નથી છતાં છે.
આપણે આંખો બંધ કરીએ, આપણે ચાલતા હોઈએ, આપણે ખાતા હોઈએ કે આપણે સુઈ ગયા હોઈએ તો પણ જે કાર્યરત છે એ આપણું મન છે. આપણે લોકો ધીમે-ધીમે કરતાં ડર અનુભવીએ છીએ એનું કારણ પણ આ મન છે જેને આપણે સમજ્યા નથી. પછી આમ થશે તો…, અકસ્માત થશે તો…, માનો કે પ્લેન તૂટી પડશે તો…, આ ત્રણ મણ ના ‘તો’ જેટલા છે એ હકીકતમાં ભય છે. ભય સૂચક છે કે જે ભય આપણને વારંવાર ડિસ્ટર્બ કરે છે. અને એ પહેલા મનમાંથી આવે છે. એટલે એમ કહેવાય કે એવે સમયે મન ઝંઝીર છે.
મન કેવી રીતે અસર કરે છે? એનો એક સુંદર મજાનું ઉદાહરણ હું તમારી સાથે શેર કરું… એકનાથ મહારાજ મહારાષ્ટ્રનું બહુ મોટું નામ, મોટા સાધુ. ભક્તિ, ધ્યાન અને ઉપાસનામાં ને સાધનામાં જીવન ગુજારે, નામના પણ મોટી. એક વખત એક વ્યક્તિ રોજ આવે, ત્યાં બેસે અને રોજ જતો રહે. એક દિવસ એણે એકનાથજીને આવીને કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હું રોજ આવું છું, તમને રોજ જોઉં છું, મારે એક પ્રશ્ન પૂછવો છે તમે એક સિદ્ધહસ્ત વ્યક્તિ ને સાધુ છો. પણ શું તમે ખરેખર બહારથી જેટલા પવિત્ર છો એટલા અંદરથી પણ છો? આ મને સહજ જિજ્ઞાસા થઈ છે એટલે મારે પૂછવું છે. એકનાથ મહારાજે કહ્યું કે, તારા પ્રશ્નનો તો જવાબ આપું, પણ તું મારી સાથે વાત કરતી વખતે જે હાથના હાવભાવ કરતો હતો ને દોસ્ત એમાં મેં તારી રેખા જોઈ છે. એટલે હું જવાબ આપું એ પહેલા તારું ધ્યાન દોરું. તારી મૃત્યુની રેખા કહે છે કે, તારું મૃત્યુ નજદીક છે. સાત દિવસની અંદર તારું મૃત્યુ થઈ જશે. એટલે તારું ધ્યાન દોરું. હવે હું તને જવાબ આપું. પેલો યુવક કહે હવે મારે જવાબ નથી જોઈતો. મારે હવે અહિયાં હાજર જ નથી રહેવું. અને હજી એને એકનાથ મહારાજ કંઈક કહે ત્યાં તો એ ભાગ્યો. એકનાથ મહારાજ સમજતા હતા કે મેં આવું કેમ કીધું છે. પેલો માણસ ઝડપથી ગયો, પોતાના જેટલા લેણા-દેણા જેટલું હતું એ બધું પૂરું કરી નાખ્યું. જેને ક્ષમાયાચના કરવાની હતી એને ક્ષમા યાચના કરી. સાત દિવસની મુદ્દતમાં ભવિષ્યનું થાય એટલું આયોજન કર્યું, પોતાની પત્ની, મા-બાપ સૌની ક્ષમા માંગી, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો…. અને સાતમા દિવસે મૃત્યુની બરાબર અપેક્ષા રાખીને બેઠો હતો ત્યાં સાંજે એકનાથ મહારાજ એને ઘરે આવ્યા. એને જોઈને ઘરના બધા રડવા લાગ્યા કે આ મહારાજે કહ્યું એમાં અમારો દીકરો સાતમે દિવસે જવાનો છે. પણ એકનાથજીએ કીધું કે તમે રડો નહિ, મને એમની પાસે લઈ જાઓ, એ ક્યાં છે? તો એ અંદર ખાટલા ઉપર સૂતો છે. એ બીમાર છે? ના પણ એ એકદમ માનસિક બીમારીમાં આવી ગયો છે. એકનાથ મહારાજ એની નજીકમાં જાય છે. પેલો સુતા-સુતા પ્રણામ કરે છે, અને કહે છે કે, પ્રશ્ન પૂછવામાં મારી કોઈ ભૂલ થઈ હોય, મારાથી કંઈ એવું થઈ ગયું હોય તો માફ કરજો, હું કાલે વિદાય લેવાનો છું. એકનાથ મહારાજે કહ્યું, બેટા તું ઉભો થા, તારી વિદાય કાલે નથી. શું વાત કરો છો? હા, તારી વિદાય કાલે નથી, સાત દિવસ બાકી છે એવું કહ્યું ત્યારે આ સાત દિવસમાં તેં કોઈ પાપ કર્યું છે? તેં કોઈને દુઃખ પહોંચાડ્યું છે? તેં કોઈની હત્યા કરી છે? કોઈને મારવાનો પ્રયાસ કર્યો છે? કોઈને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો છે? બોલ શું કર્યું છે? છોકરાએ કહ્યું કે, કેવી વાત કરો છો? સાતમે દિવસે મરી જવાનું નક્કી હોય તો કોઈ આવું કરે? એકનાથ મહારાજે કહ્યું કે, તેં તે દિવસે મને પૂછેલ પ્રશ્નનો જવાબ તારા આ છેલ્લા પ્રશ્નમાં આવી ગયો?? હું તો તારા પ્રશ્નનો જવાબ આપવા જ આવ્યો છું. તેં કહ્યું એ જ તારો જવાબ છે. જો સાત દિવસ હોય અને તમે કાંઈ ખોટું ન કરો, તમારું મન એવું પ્રબળ બની જાય કે સત્ય સિવાય કાંઈ નહીં, અહિંસા સિવાય કાંઈ નહિ, કરુણા સિવાય કાંઈ નહિ તો જે કાલે મરી જવાનો છે એવી તૈયારી કરીને બેઠો છે એ ભીતરથી ન સુધર્યો હોય એવું તું માને છે? મને તો એમ જ છે કે હું કાલે જતો રહેવાનો છું. એટલે હું જેવો બહાર દેખાઉ છું એવો અંદર છું. સૌ સ્વજનો, મારે ને તમારે જીવવાની આ પ્રક્રિયા સમજી લેવાની જરૂરત છે.
સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કરે છે. તે એમ કહે છે કે રોજ રાત્રે એવું માનીને સુવો કે આજે મારી છેલ્લી રાત્રી છે. તો તમે બીજે દિવસે ઉઠશો ત્યારે આજે મારું નવું જીવન છે એનો સંતોષ તમારી સાથે હશે. વિવેકાનંદજી કહે છે કે, આપણને મૃત્યુનો ભય એટલો ડરાવે છે. આપણે રોજ સામે જોઈએ છીએ કોઈક ને કોઈક તો મરે જ છે. પણ આપણે એમ માનીએ કે એ તો કોઈ ને કોઈ મરે છે. મારું મરવાનું થવાનું નથી. તો મનને આપણામાં રાખવાનો એક સરસ ઉપાય એ છે કે શુદ્ધ રાખવાનું, એને એકાગ્ર રાખવાનું, એને સૂક્ષ્મ રાખવાનો રોજ વિચાર કરીએ કે આજે મારો છેલ્લો દિવસ છે. બીજે દિવસે સવારે નક્કી કરીએ કે આખી જિંદગી મારી છે અને એવી રીતે આપણે કામ કરીને આગળ વધીએ. આપણે એવું યાદ રાખીએ છીએ કે, મન કહે છે તે કરવું પડે છે. આ વાત સાચી નથી. જો આપણે વિચારીએ કે નાનો નિર્ણય લેવામાં પણ હું દ્રઢતાપૂર્વક નિર્ણય લઈ શકું છું તો મન આપને ફોલો કરે છે. ટેકનોલોજીએ પણ હવે આપણી સમક્ષ આ વાતને સ્પષ્ટ કરી દીધી છે. આજે સવારના ઊઠીને મેં ભયની બે વાત કરી, તો મારો આખો દિવસ ભયજનક જવાનો છે. સવાર પડીને મેં શંકા વ્યક્ત કરી તો મારા 24 કલાક શંકામાં વીતવાના છે. જે ઇનપુટ તમે પહેલો આપ્યો છે એ જ ઇનપુટ અલ્ગોરિધમ પ્રમાણે વારંવાર આવતો રહેવાનો છે. આપણે સૌ વાતો કરીએ છીએ કે ભાઈ નાના છોકરાઓને તમે મોબાઈલ ન આપવો, કેમ ન આપવો? તો જવાબ મળે છે કે, એ લોકો ન જોવું જોઈએ એવું જોવા લાગે. આનો અર્થ શો? અર્થ બહુ સીધો. વિજ્ઞાન અને ટેકનોલોજીના લોકો એમ કહે છે કે, આને અલ્ગોરિધમ કહેવાય. એટલે કે તમારી નજરે મોબાઇલમાં બીજું કશું જોતા જોતા એક ખરાબ વસ્તુ જોવાઈ ગઈ એટલે એ પેલું મન નામનું અંદરનું બોક્સ પકડે છે કે આમણે આ જોયું, તેથી આની સામે હવે આવું જ રજુ કરો, એને કહેવાય અલ્ગોરિધમ. આ મેં દેશી ભાષામાં અલ્ગોરિધમ સમજાવ્યું. હવે વિચાર કરો દિવસ ઉગે ત્યારે તમે ભય નો ઈનપુટ આપ્યો છે. અને એ ભયનો ઇનપુટ અંદર મનમાં જાય છે એટલે એ નક્કી કરે છે કે આને ભયવાળી વસ્તુઓ સાથે સારો નાતો છે એમાં એ આપણી ભેગો રહે છે એટલે એને ભય દેખાડ્યા કરો. આવું હકીકતમાં જે ટેક્નોલોજીમાં બને છે એ આપણામાં મન સાથે પણ બનતું આવ્યું છે. તમને ખબર છે કે ટેક્નોલીજીમાં તમે એક શબ્દ લખો તો હવે શું લખવાના એ પણ ઉપર લખાઈ જાય છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જે દુનિયામાં આપણી ઉપર સતત એક કેમેરો છે. અને એ કેમેરો મને અને તમને સતત ઓબ્ઝર્વ કરે છે. એમાં મને ગમ્યું, મને ન ગમ્યું, મને સારું લાગ્યું, મને ન લાગ્યું, આ ખાવાનું સારું, આ ખાવાનું નથી સારું, એ બધું અંદર કેમેરામાં જાય છે અને એમાંથી કેમેરો પકડે છે અને એક કરતાં બીજી વાર શું કર્યું એ વારંવાર આપો. આ પણ જીવનમાં સાબિત થતી રચના છે. તમને ખબર છે કે તમે કોઈ સંબંઘીને ઘરે જમવા ગયા હોવ અને મોહનથાળ કર્યો હોય અને તમે એક બટકો ખાઈ જાઓ તો તાત્કાલિક બીજો ટુકડો આવશે. બીજું ખાઈ જશો તો ત્રીજું આવશે. કારણ એને ખબર પડી કે આને મોહનથાળ ભાવે છે. બસ એ જ ટેક્નોલોજી કરે છે એને અલ્ગોરિધમ કહેવાય છે.
હવે યાદ રાખો અલ્ગોરિધમની મદદથી તમારી આંખ સામે શું મૂકવું, તમારા વિચારમાં શું લઈ આવું, આ બધી વાત જો નિશ્ચિત થતી હોય તો મનને સારા વિચાર આપ્યા વગર આપણે સારું મળે એવી અપેક્ષા નહીં રાખીશું. અને એટલા માટે મનને ઝાંઝર બનાવવું એ આપણા હાથમાં છે. તમે જે આપશો તે તમને મળશે. સીધી જ વાત. ગાઈડ નામનું પિક્ચર આપણે જોયું હશે એમાં દેવાનંદ છે એ હિરોઈનને લઈને ગુફા પાસે જાય છે. અને ગુફા પાસે જઈને એમ કહે છે કે જો આ ગુફામાંથી મારી ઈચ્છા છે એનો જવાબ મળશે. એટલે એ ગુફામાં મોઢું રાખીને બોલે છે, में उनसे प्यार करता हूँ? એટલે જવાબ આવે કે करता हूँ… करता हूँ…. करता हूँ… એટલે હિરોઈનને કહે છે કે જો ગુફા પણ એમ કહે છે કે હું તને પ્રેમ કરું છું. હવે આપણને ખબર છે કે આ પડઘો છે તો એટલું સમજી લેવાની જરૂર છે કે ઘા અને પડઘા જો સરખા હોય તો આપણો ઘા નરમ હશે તો જવાબમાં નરમ મળશે. તમે જે આપશો તે તમને મળશે. સ્પષ્ટ વાત કે આપણું મન ઝંઝીર બનીને ન રહે પણ ઝાંઝર બનીને રહે.
એક બહુ જાણીતું ઉદાહરણ મને યાદ આવ્યું છે આપની સમક્ષ રજુ કરું. ફરી એકવાર એકનાથ મહારાજને યાદ કરું, આમ તો ત્રણ મહાન સંતોની વાત છે. એકનાથ મહારાજ, તુકારામજી અને આપણા નરસિંહ મહેતા. એકનાથ મહારાજ છે એ પંઢરપુરમાં દર્શને જાય અને વિઠ્ઠલની સાથે આખો આખો દિવસ કાઢે. એકનાથજીને લાયક પત્ની મળી હતી. પત્ની બહુ સારી હતી. પત્નીએ એમ કહ્યું હતું કે તમે ધર્મધ્યાન કરો, તમે ભગવાનની પૂજા અર્ચનમાં રહો, તમે ઘરની ચિંતા ન કરતા એ હું સંભાળી લઈશ. સમજવાનો પ્રયાસ કરીએ. એ હકારાત્મક પત્ની હતી. એકનાથજીએ પંઢરપુરમાં મંદિરમાં જઈને આભાર માન્યો ભગવાનનો. શું આભાર માન્યો, ક્યા શબ્દમાં? કે, હે વિઠ્ઠલ, હું બહુ રાજી થયો છું, બહુ આભાર માનું છું કે મને ઘરની ચિંતા જ નથી. મારી પત્ની એટલી બધી સરસ આપી છે કે એણે કીધું કે ઘર હું સંભાળીશ તમે ધર્મ સંભાળો. હે વિઠ્ઠલ, આ તારી કૃપાથી મને આટલો ફાયદો થયો. તુકારામજી મહારાજમાં આનાથી ઉલટું હતું. તુકારામ મહારાજની પત્ની કર્કશા હતી. બહુ ત્રાસ વિતાવતી. કોઈ શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે ક્યારેક ક્યારેક તુકારામ મહારાજની ઉપર ગુસ્સો કરીને ધોલ ધપાટ કરી લે. પણ તુકારામ મહારાજ હંમેશા આનંદમાં રહેતા. એકનાથજી જે મંદિરમાં ગયા એમાં તુકારામજી દાખલ થયા. અને એણે જઈને કીધું, ભગવાન તારો ખૂબ આભાર માનું છું. તેં એટલી સરસ પત્ની આપી છે કે એ એના કંકાશમાં પડી છે એટલે મારે ઘર સામું જોવાની જ કોઈ જરૂર નથી પડતી. હું ઘરે નથી જતો અને તારી પાસે પડ્યો રહું છું એટલે હું તારો આભાર માનું છું. અને નરસિંહ મહેતાનાં કિસ્સામાં તો એના પત્નીનું અવસાન વહેલું થઈ ગયું. એના દીકરાનું અવસાન થયું, પણ નરસિંહ છે તે ફરી એકવાર એકનાથ અને તુકારામની જેમ ઈશ્વરનો આભાર માને છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ... ત્રણ વ્યક્તિઓ છે, એકની પત્ની ખુબ સરસ છે, એકની કર્કશા છે, એકની પત્ની જ નથી, જતી રહી છે દેવ પાસે છે. ત્રણેય લોકો વિચારે છે ત્યારે ભગવાનનો આભાર માને છે. બસ આ મનને હકારાત્મકતાથી કેમ ઠેલી શકાય, કેમ ભેગું લઈ શકાય એનું સાદર ઉદાહરણ છે.
એકહાર્ટ ટોલે નામનો બહુ મોટો તત્ત્વચિંતક થઈ ગયો. એણે કહેલું “How you take it and how you make it” કોઈપણ બાબતને તમે કેવી રીતે લ્યો છો એના ઉપરથી એ કેવી રીતે બનશે એ નક્કી થાય છે. તમે હાય-હાય જો કરીને લેશો તો જવાબ હાય હાયમાં આવશે. એક બહુ funny વાત છે કે, મહિલા સંગઠન હતું અને મહિલા સંગઠનમાં એક અગ્રણી મહિલા પ્રવચન કરવા આવવન છે અને એને વિષય આપ્યો “મહિલાઓની હાય-હાય બોલવાની ટેવ” એમણે અડધી કલાક પ્રવચન કર્યું. પ્રવચન પૂરું થવા આવ્યું જ પણ પેલો વિષય ક્યાંય ન આવ્યો. પ્રવચનનો વિષય હતો “મહિલાઓની હાય-હાય બોલવાની ટેવ”… વક્તવ્ય પૂરું થતું હતું ત્યાં એનાઉન્સરે જઈને વક્તાના કાનમાં કહ્યું કે, તમારો વિષય તો રહી ગયો. તો મહિલાએ કીધું, હાય હાય એ તો હું ભૂલી જ ગઈ. અને પ્રવચન પૂરું થયુ. તમારા મનમાં જે શબ્દો પડ્યા છે એ શબ્દો તમને છોડીને જતા નથી જ્યાં સુધી તમે એને જાકારો ન આપો. તમારા મનમાં જે વિચારો પડ્યા છે એ વિચારો સ્થાયી થઈને રહેશે જ્યાં સુધી તમે એને નહીં હડસેલી કાઢો. તમારે ટેવ પાડવી પડશે મનને, મન માટે વિચારને અને વિચારની પ્રક્રિયા તમે જે પ્રમાણે આગળ ધપાવશો એમ Either or તમારી પ્રશસ્તિ અથવા તો તમારું જે થવાનું હશે તે થતું રહેશે.
મન જો મોબાઇલની જેમ વર્ક કરતું હોય, અલ્ગોરિધમ એમાં પણ છે, પણ એ અલ્ગોરિધમ મને અને તમને કાયમ માટે શિકાર બનાવ્યા કરે તો એના માટે છૂટવા માટે કયો રસ્તો છે? છૂટવાનો બહુ સીધો સાદો રસ્તો છે. પહેલી વસ્તુ છે મનની સજાગતા. to be aware for your mind. એક વિચાર આવે એટલે વિચારને સજાગતા પૂર્વક ઓબ્ઝર્વ કરવો પડશે. હું આપને એક નાનું ઉદાહરણ આપું, આપણને બહુ સરળતાથી આ મુદ્દો સમજાય એવી તાર્કિક વાત કરું. આ પણ કદાચ તમે કોઈ એક ગામડિયા જેવા ગિરધર કાનાણી નામના ભાઈ છે અને એ બહુ તાત્ત્વિક વાત એકદમ હળવાશથી કરે છે. એમણે કહેલી આ વાત છે. (જુઓ આ મેં જેની વાત કરી એનું નામ મેં આપને જણાવી દીધું, કારણ કે મારે એનો અપરાધ નથી કરવો. જૈન દર્શન કહે છે કે, જે જેનું છે તે તેનું છે એમ કહેવામાં તમે સમય પસાર ન કરો અથવા વિનમ્રતા બતાવો એ તમારી અહિંસા છે.) એ સુંદર વાત કરે છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શું છે? એમણે કીધું, બેઠો હતો ને વિચાર આવ્યો કે હાલો ગામને છેડે આંટો મારી આવું. એટલે બાઇકને કિક મારીને નીકળ્યો. મારા મને કીધું કે નવરો છો તો હાલ ઉપડ, લટાર માર, મજા આવશે. હું નીકળ્યો. નીકળ્યો ત્યાં રસ્તામાં મારો ભાઈબંધ મળ્યો અને કહે કે કઈ બાજુ જાય છે ? તો કહે ગામ ને છેડે, તો કહે ધ્યાન રાખજે ત્યાં પોલીસ ઉભા છે અને હેલ્મેટ ન પેહેરે એનો દંડ કરે છે. તો તરત જ મારી બુદ્ધિ જાગી અને બુદ્ધિએ કહ્યું કે ભાઈ હજાર રૂપિયાનો દંડ ભરવા લટાર મારવા ક્યાંય ન જવાય. પાછો વળ… ત્યાં પેલું ચિત્તની અંદર વિશ્લેષણ થઈને ડેટા આવ્યો. કાંઈ હજાર રૂપિયાનો દંડ ન હોય એ તો એ ન જોવે એમ ચાતરીને વયા જવાય... મન, બુદ્ધિ, ચિત્ત ત્યાં પેલો અહંકાર જાગ્યો. મને કોણ રોકે? રોકે તો ખરો જોઈ લેવું છે. આ ચાર સ્ટેપ વિચારનાં ચાલ્યા. એકમાં આનંદથી ઉપડ્યા, બીજામાં તમને કોઈએ ડરાવ્યા, વિચારવા માંડ્યાં, ત્રીજામાં તમારા ચિત્તે કહ્યું કે ભાઈ એવું બનવાનું નથી અને ચોથામાં અહંકારે વસ્તુ પકડી લીધી. કાંઈ કોઈ ન કરે તને કોણ કોઈ કરે? આ તને કહ્યું એ એટલું મોટું થયું કે નક્કી કર્યું કે જવું છે. અને પછી જે થયું તે થયું. પછીની વાત નથી કરવી. વાત તો આપણે એ કરવી છે કે તમને મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર કેવી રીતે ભેગા આવે, તમને ખબર ન પડે. વિચારો બદલવાની આખી ફ્રીક્વન્સી એટલી ફાસ્ટ હોય કે તમને એનો ખ્યાલ નથી આવતો. છતાં બદલી જાય છે અને એની અસર થઈ જાય છે તે આપણને ખબર છે. આ જ પ્રક્રિયા ઉંધી પણ ચાલે. તમે નીકળી ગયા અહંકારને લઈને, તમને રોકવામાં આવ્યા, હજાર રૂપિયા દંડ થયો, અને તમે દંડ ભરીને પાછા ફર્યા, ત્યારે એ અહંકાર શાંત થઈ જશે જેણે તમને ઉશ્કેર્યા હતા. એ વખતે તમને પેલું મન શાંત થયેલું લાગશે. તમને પેલી બુદ્ધિ થશે કાંઈ કોઈ ન લે. ચાલ ને નિકળ ને… તો એવે ટાણે બુદ્ધિગમ્ય કામ કર્યું ગણાશે, કે અહંકારે શૂન્ય કામ કર્યું ગણાશે. એટલે આ ચાર પગથિયાં એકબીજા સાથે અંદરો અંદર પરોવાયેલા છે. અને પરોવાયેલા પગથિયામાં આપણે ક્યારેય ભેળવાઈ જઈએ એ નક્કી નથી. આપણા જીવનની અંદર ઘણી ઘટના બને છે. મેં તો સાદી સરળ ઘટનાથી તમારી સાથે વાત કરી.
મન નામનો આ જે સિદ્ધાંત છે એને આપણે માકડું કહીએ, એને આપણે કુદાકુદ કરતું જીવજંતુ કહીએ, મન છે એ ચોર છે એવું આપણે બોલીએ છીએ, જે વિશેષણ આપીએ તે આપી શકાય. ખોટા નથી. પ્રસંગે-પ્રસંગે મન પોતાના વિશેષણો ને સાચા પાડે છે. પણ એટલું નિશ્ચિત, આ મનની અંદર એક વખત જે વિચાર ઘુસી જાય એ જો બહાર કાઢવાની સતર્કતા ન રાખીએ તો મન તમને સુખ શાંતિથી બેસવા દેતું નથી. એક નાનકડી મજાની વાત કરું, એક રાજા હતા બધી વાતે સુખ હતું અને માટે ટાલ પડી ગઈ. ધીમે ધીમે વાળ ઉતરવા લાગ્યા અને ટાલ પડી ગઈ. હવે રાજાને ખૂબ ખરાબ લાગ્યું કે મારા માથે વાળ નથી? આ તો બરાબર ન કહેવાય. પાઘડી પહેરી રાખે, મૂંઝાયા કરે, પોતાનો ચહેરો પોતાને ગમતો નથી, એટલે રાજાએ એક વખત એલાન કર્યું કે મારા માથા ઉપર જે વાળ ઉગાડી આપે એને એક સો સોનામહોર આપું. નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો. બાદશાહનો કોઈ નજીકનો માણસ હતો. મંત્રી એને જઈને ગામમાં કહ્યું કે આવું કોઈ માણસ મળે તો આપો, આપણા રાજા ખૂબ દુઃખી છે, એમની ટાલ ઉપર વાળ ઉગાડવા છે. એક વાણંદ બહાર આવ્યો. અને એણે આવીને કહ્યું કે હું કરી દઉં. તો કહે ધ્યાન રાખ ભાઈ, સો સોનામહોરના લોભમાં કાંઈ નક્કી ન કરતો. વાળ નહિ ઉગે તો આ રાજા છે એ વાત તું યાદ રાખજે. વાંણદે કહ્યું કે, કહેવાય તો ગયું છે હવે શું કરવું? એટલે એણે કીધું પણ મારી એક શરત… લઈ ગયા રાજા પાસે, રાજાએ કીધું કે તારી શરત શું છે? તો કહે હું વાળ ઉગાડી દઉં તો સો હીરામણી આપવાના તમારે. ન ઉગાડું તો મારી ઉપર કોઈ પ્રત્યાઘાત નહી આપવાનો. પણ મારી શરત એ છે કે, હું જ્યારે માથામાં તેલથી માલિશ કરવાની શરૂઆત કરું ત્યારે તમારે વાંદરાનો વિચાર નહીં કરવાનો. રાજાને થયું આપણે ક્યાં વાંદરાનું વિચારીએ જ છીએ ભાઈ… અને અમથું અમથું થોડી કોઈ વાંદરા વિષે વિચારે…. કાંઈ વાંધો નહિ ચાલ તારી શરતનું હું પાલન કરીશ. હું વાંદરા વિષે નહિ વિચારું. સમજજો, આ વ્યંગથી આપણને આધ્યાત્મ તરફ લોકો લઈ જાય છે. પેલા વાંણદે માલીશ શરુ કર્યું. અને પાંચ મિનિટ થઇ ત્યાં રાજાને વિચાર આવ્યો કે, વાંદરાની વાત આમણે કેમ કરી હશે? હું તો કોઈ દિવસ વાંદરાને યાદ કરતો જ નથી. પછી થયું એવું કે ઉપર પેલો માલિશ કરતો જાય અને રાજા વાંદરાની ભેગા ઘુમરીએ ઘુમરીએ વિચારમાં ચડતા જાય. વાંદરો ક્યાંય નહોતો એની ખાતરી હતી છતાં પણ વાળ ઉગાડવાની આખી પ્રક્રિયાને વાંદરો યાદ ન આવવો જોઈએ એ એક વિચારે ડિસ્ટર્બ કર્યો. કોઈકે નાખ્યો શબ્દ, શરત કોઈકની હતી, પણ એ કોઈકની વાત મારા મનમાં આવી ગઈ એટલે હું એના ચક્રમાં ફસાયો. હકીકતમાં ‘મન ઝાંઝર મન ઝંઝીર’ એ વિષયને આપણે બદલીને એવું કહેવું પડશે કે ‘મન મંદિર, મન પ્રાર્થના.’ ઝાંઝર અને ઝંઝીર બે માંથી કશું નથી જોતું, કારણ કે બંનેમાં એક્સ્ટ્રીમ, બંને અંતિમ, બંને છેડાઓ છે. ઝંઝીર તો છે જ પણ ઝાંઝર સાથે રાખીને આખી જીંદગી ન જીવી શકાય. પરિણામે આપણે એમ કહેવું પડે ‘મન મંદિર, મન પ્રાર્થના.’ અને હકીકતમાં આપણા સંતો મહંતો પણ એવું કહે છે કે પ્રાર્થના એ મનમાં કરવાની વસ્તુ છે. આપણે એમ પણ કહીએ કે, પ્રાર્થના એ મનને કરવાની વસ્તુ છે. કે ‘હે મન તું મને સાચો માર્ગ દેખાડ જે.’
આપણે કોઈ બાહ્ય સંત – ફકીરને મળવું હોય છે અને તે આપણને નાનકડો ફાયદો કરાવીને સાચો રાહ પકડાવી દે છે. મહમદ પેગંબર સાહેબ પાસે ઘણા લોકો દુઆ લેવા આવે. એક વ્યક્તિએ આવીને કહ્યું કે, પયગંબર સાહેબ, હું અલ્લાહને વાસ્તે લડાઈમાં જવા ઈચ્છુ છું. પયગંબર સાહેબ બોલ્યા, વિચાર બહુ સારો છે, પણ તારી મા જીવે છે? હા, મારી મા જીવે છે ને… પયગંબર સાહેબે પાછો પ્રશ્ન પૂછ્યો કે, તું જતો રહે તો એની સારવાર કરવા માટે કોઈ ઘરે છે? તો કહે, ના એની સારવાર કરવા માટે તો કોઈ નથી હું જ છું. પયગંબર સાહેબે સરસ જવાબ આપ્યો કે, તો જા તારી માની સેવા કર, કારણ કે એના પગમાં જ જન્નત છે. જે જન્નત માટે થઈને તું લડાઈ કરવા જવાનું નક્કી કરી બેઠો છે…. સમજદાર કો ઈશારા કાફી હૈ, એવું આપણે બોલીએ છીએ. આપણા કોઈ બુદ્ધ પુરુષ, આપણા કોઈ આત્મીય પુરુષ, સંત મહંત, સુફી લોકો ક્યારેક ક્યારેક એક નાનકડો ચમકારો કરી જતા હોય છે અને એ ચમકારા ના માર્ગે આપણે વળવાનું શરૂ કરીએ તો અનેક પ્રશ્નો અનેક ભ્રમણાઓ આપણી દૂર થઈ જાય છે. પેલી જાણીતી વાત છે કે નાસ્તિકને આવીને સંત સાથે જરા ગરબડ કરવી હતી એટલે એણે પૂછ્યું કે તમે ભગવાનમાં માનો છો? હા માનું છું, ભગવાન છે એવું તમે માનો છો? તો કહે હા માનું છું. અત્યારે છે એવું ય તમે માનો? તો કહે હા માનું છું…સાબિત કરો, નાસ્તિક નાસ્તિક છે અને આસ્તિક આસ્તિક છે. જેમ નાસ્તિકે નકાર પકડી રાખ્યો તેમ પેલા આસ્તિક ફકીરે હકાર પકડી રાખ્યો. બરાબર આ યુદ્ધ જીવનમાં ચાલતું હોય ત્યારે આપણે સમજવાની જરૂર છે કે હકાર જ જીતશે નકાર જીતશે નહીં. માટે આપણો પક્ષ હકાર તરફ હોવો જોઈએ. પેલા નાસ્તિકે કહ્યું કે સાબિત કરો કે ભગવાન છે. હવે પેલા સંત ફકીર તો શું કરે ભગવાનની પૂજા કરતા હતા અને એણે પંચ પાત્રની અંદર સરસ મજાનું પંચામૃત ભર્યું હતું એ એક આચમની ભરી અને પેલાને કીધું કે લે, એણે પોતે આચમની લીધી પછી એણે પૂછ્યું કે આ શું છે? તો કહે એ પ્રસાદી છે, પંચામૃત છે. તો કહે એમ નહિ આ શું છે? તો કહે દૂધ છે. શું કરવું? પી જા. એટલે પેલો માનીને પી ગયો. કેવું લાગ્યું દૂધ તો કહે ગળ્યું લાગ્યું. ખાંડ છે અંદર. તે જે દૂધ પીધું ને એ દૂધ આમાં પંચપાત્રમાં પડ્યું છે. આ પંચપાત્રમાં ભર્યું બધું લઈને જા. અને ત્યાં ખૂણે બેસી જા. ખૂણે જઈને મને બે જુદા કરી દે, ખાંડ ને દૂધ જુદા કરી આપ. પેલો માણસ તો મૂંઝવણમાં મુકાઈ ગયો કે એ કેવી રીતે થાય? અને એ નતમસ્તક થયો અને કીધું કે, મારી ભૂલ થઈ ગઈ. તો કહે બેટા તારી ભૂલ નથી થઈ, સારું થયું તે પૂછી લીધું. તારી આ ઉંમરે કોઈકને પૂછતો રહેજે. પછીની જિંદગી આપણી બહુ સુંદર રીતે ચાલે. અને તે પૂછ્યું એટલે મેં તને જવાબ ન આપ્યો સાબિતી જ આપી. જેવી રીતે આ દૂધની અંદર સાકર છે છતાં દેખાતી નથી અનુભવાય છે. એવી જ રીતે આ ઈશ્વર આપણી આજુબાજુ છે જ, પણ એને અનુભવવાનો હોય. ક્યારેય વિચાર કર્યો કે રાત કોણ પાડે છે? ક્યારેય વિચાર કર્યો કે દિવસ કોણ ઉગાડે છે? ક્યારેય વિચાર કર્યો કે મેં ખાધેલો ખોરાક બીજે દિવસે અંદર કોણ પચાવી નાખે છે? આ પ્રશ્ન પૂછ્યા વગર જે જવાબ નથી એ આપણો ઈશ્વર છે. વાત તો બહુ નાની અને સમજની છે. કદાચ ઈશ્વરનો સાક્ષાતકાર જેને થયો હોય એના જેટલી જ આ દ્રઢ વાત છે કે જેમાં માણસે પોતે પોતાના મનને કેવી રીતે કોઈના ઈશારે સુધારવાનું પગલું ભરવું તે મહત્વનો વિષય છે.
રાખવા જેવું એ છે કે, જેવું મન એવો મનુષ્ય. બીજી વાત એ યાદ રાખવા જેવું છે કે મનમાં જે જશે તે પાછું આવશે. ત્રીજી વાત એ યાદ રાખવાની છે કે મન તો આપણને હંમેશા બીજી દિશામાં જ ખેંચશે. ચોથી વાત એ યાદ રાખવાની છે મન છે એના ભરોસે કાયમ રહેવાય નહીં. જરા આજની ભાષામાં કહેવું હોય તો હમણાં જ બનેલી એક ઘટના સાથે વાત કહું. હમણાં આપે સૌ એ કદાચ જાણ્યું હશે કે એક બેન ઓડી ગાડી ની અંદર બેઠા હતા. પોતે ગાડી ચલાવતા હતા અને એમને ક્યાંક જવું હતું. એટલે એમણે જીપીએસ માં એ લોકેશન નાખેલું હતું. જીપીએસ માં લોકેશન નાખી દીધું પછી એ બેન હતા. અને નિસફીકર થઈને આનંદથી ગાડી ચલાવતા હતા. બન્યું એવું કે એક સમય આવ્યો કે ગાડી ચાલવાને બદલે ઊંડા નદીનાં પ્રવાહમાં પડી. જયારે જીપીએસ હજી આગળનો રસ્તો દેખાડતું હતું. એ તો સારું થયું કે નજીકમાં કેટલાક લોકો હતા એને પાછળ ને પાછળ ઝંપલાવ્યુ અને બહેનને જીવતા બહાર લઈ લીધા. મારે કહેવું હોય તો એમ કહી શકું કે આપણું મન છે ને એ જીપીએસ જેવું છે. જીપીએસમાં તમે નાખીને નિશ્ચિત થઈ જશો તો નહિ ચાલે. તમારે દરેક વખતે નિશ્ચિન્તતા સાથે રાખીને શું થઈ રહ્યું છે ત્યાં મનને હાજર રાખવું પડશે. તમને એ પણ કદાચ ખ્યાલ હશે કે તમે જીપીએસમાં લોકેશન નાખી દ્યો અને એ લોકેશન નજીક આવે એટલે જીપીએસ પોતાની દુકાન બંધ કરી લે. હવે તમે અહીંયા ગોતી લો. મનનું પણ આવું જ છે. તમને એવી સિચ્યુએશનમાં મૂકી દે છે કે હવે તું લડી લે. તો એવે ટાણે આપણે રસ્તો બોલીને ક્યાંક નદીમાં ખાબકી ન પડીએ એના માટે પણ મનની સાથે દોડવું, મનની સાથે રહેવું, મનને આપણાથી થોડું પાછળ રાખવું. પહેલા વિચારીને પછી નિર્ણય લેવો.
વિચાર મનને સાધવા માટેનો ઉત્તમ રસ્તો છે. અને આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે विचार प्रवाह: इति मनः… મન એટલે શું છે? વિચારોનો પ્રવાહ, ઢગલો, ધોધમાર. મને લાગે છે કે આપણે મનને ઝાંઝર તરીકે શોધવાને બદલે, મનને ઝંઝીર તરીકે શોધવાને બદલે મનને મંદિર તરીકે શોધીએ. આ પર્વ આપણને એવું શીખવે છે કે, પર્વ તરીકે હું દર વર્ષે આવું છું દોસ્ત, આ વર્ષે કશાક સંકલ્પ કરી લે, મનમાં હકારાત્મકતા બેસાડી દે, એ બેસાડી દઈશ તો આવતું વર્ષ તારું અદ્ભૂત જશે. Take away શું? પર્યુષણ, પર્વાધિરાજ દર વર્ષે આવે તો કેમ આવે દર વર્ષે? એને ખબર છે કે એક વર્ષમાં આ મારા ભક્તનું ઇનબોક્સ ભરાઈ ગયું હશે. ઠાંસોઠાંસ ભરાણું હશે. ચાલો હું પર્વ તરીકે જાઉં, એ લોકો સાથે અમુક દિવસ રહું, અને એને વિચારવા મજબુર કરું કે આ ભરાઈ ગયેલું ઇનબોક્સ ખાલી કરો, નવા વિચારને સ્થાન આપો, અને મનની લગામ તમારા હાથમાં રાખો. નમસ્કાર….
(શ્રી મુંબઈ જૈન યુવક મંડળ, મુંબઈ દ્વારા પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાન માળામાં 2025 ના વર્ષમાં આપેલ વ્યાખ્યાનના હોમવર્ક પરથી આ લેખ તૈયાર કરેલ છે.)
okx wallet extension) naturally, keep the article in HTML, and follow standard editorial best practices (clear structure, accurate information, appropriate tone for a US audience).
by Bhadrayu Vachhrajani | Nov 6, 2025 | Uncategorized |
Tell me how you’d like to proceed:
– Do you want a concise article (700–900 words) or a long-form piece (1,200–1,600 words)?
– Any required SEO keywords besides “okx wallet extension”?
– Any specific audience level: beginner, intermediate, or advanced?
– Any sections you must include (e.g., setup guide, security tips, comparison table)?
Once you confirm, I’ll produce the HTML article content that’s honest, useful, and publication-ready.
by Bhadrayu Vachhrajani | Oct 28, 2025 | Uncategorized, દીપોત્સવી લેખ |
સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક.
ઉમાશંકર જોશી કહે છે : “એનું નામ પાણી ઉપર આલેખાયેલું છે ! જે કાંઈ લખાયું તે આનંદનું, આનંદને અર્પણ !”
એમની ભાષામાં ચોમાસા ના પહેલા ઝાપટાં જેવી તાજગી અને માટીની મહેક હતાં.
ગાંધીજીએ બેધડક કહી દીધેલું કે, “કાં તો ટ્રેન ખોટાકાઈ હશે અથવા સ્વામી મરી ગયો છે, એ સિવાય સ્વામી મોડો ન પડે.”
આજના કોઈ નવાસવા વાચકને જો સ્વામી આનંદની શૈલીને માણવી હોય તો “ધરતીની આરતી” હાથમાં લઈને બેસી જવું જોઈએ, પછી તેને છોડી શકાય તો કહેજો !!
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાક્ષર શ્રી રઘુવીર ચૌધરી સ્વામી આનંદ ને “સાચા કીમિયાગરનો શબ્દલોક” કહે છે.
એમનો પગ ક્યાંય ઠરીને ઠામ ન થયો. યુવાવસ્થા દરમિયાન કરેલા દેશાટનથી સ્વામી લગભગ આખો દેશ ઘુમી વળ્યા છે અને એમ થતાં તે કંઇ કેટલાય પ્રદેશો અને પ્રજાઓ, એમની સંસ્કૃતિ અને પ્રકૃતિ, રીત અને રિવાજો, રીતિ અને તહેવારો તથા ભાષા અને ભાવના ઊંડા અનુભવમાં મુકાયા છે.
પોતાની પહેલી પચ્ચીસી સ્વામીએ સન્યાસ્તમાં વિતાવી હતી. આ વર્ષો મહાસાગરમાં તરતી હિમશીલાની માફક બહુધા અછતા રહ્યા છે. સ્વામીની જીવન તવારીખમાં એ વર્ષોનો ચોક્કસ હિસાબ-કિતાબ મળતો નથી પણ સત્તાવીસ વર્ષની ભરયુવાનીમાં ઠરેલા મન અને મજબૂત શરીર સાથે એ ગાંધીજીનો સંપર્ક પામે છે. સ્વામી ગાંધી પરિવારના સદાયના સદસ્ય બને છે. એમણે પોતાની જાતને હંમેશા ગાંધીના કાસદ તરીકે ઓળખાવી અને એનું ભારોભાર ગૌરવ પણ કર્યું. જેમના પગે ભમરો હતો કે જે વર્ષો સુધી ક્યાંય પગ વાળીને બેઠા નહોતા એ જ સ્વામી ગાંધીજીના છાપા છાપવા 32 કલાક એક આસને બેસીને પ્રુફ વાંચે છે. જેવી સ્વામીની કર્મનિષ્ઠા એવી જ એમની સમયની ચોકસાઈ અને નિયમિતતા એવી કે સહકાર્યકર મિત્રોએ સદાય જાગતા રહેવું પડે. એમની એક સમય સૂચકતા પ્રસંગે ગાંધીજીએ બેધડક કહી દીધેલું કે, “કાં તો ટ્રેન ખોટાકાઈ હશે અથવા સ્વામી મરી ગયો છે, એ સિવાય સ્વામી મોડો ન પડે.”
આશ્રમનું જે પ્રકારે કામ સોંપાય તે બધું જ કામ એમણે કરવાનું નક્કી કર્યું. મીટીંગ અને બેઠકોની નોંધ લેવી, એમના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ જેવા છાપ છાપવા, ‘નવજીવન’ સંભાળવું, ગ્રામ ઉદ્યોગ અને ગો સેવા સંઘનો વહીવટ કરવો, કસ્તુરબા રાષ્ટ્રીય સ્મારક ફાળાની જવાબદારી સંભાળવી.. એવા અનેક કામ એમણે ગાંધીના ઈશારે સ્વીકાર્યા અને એક નિષ્ઠાથી પૂર્ણ કર્યાં. બિહારનો ધરતીકંપ, ગુજરાતનું રેલ સંકટ અને બારડોલીનો સત્યાગ્રહ આ બધા એવા મોરચા હતા જેમાં સ્વામીએ મોખરાની લડત આપેલી અને બધા કિલ્લા પર ફતેહ કરેલી.
ગાંધીજીનાં મુખપત્રોમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન’ શીર્ષકથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓ ને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, તજજન્ય અલગારીપણું, અનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાન પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત્ કચ્છી-સિંધી બોલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બહુધા સંઘેડા ઉતાર, તત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ અર્થાભિવ્યક્તિ ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગો તથા કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.
જીવનભર સતત કંઈ ને કંઈ લખતા રહેલા સ્વામીએ વર્ષો સુધી પોતાનું કશું લખાણ ગ્રંથસ્થ થવા દીધું નહોતું. વળી સ્વામી ખાલી કાગળ શાહીના બગાડના પણ પાકા વિરોધી. છે. “મારી કેફિયત”માં એમણે લખ્યું છે: કશા ઉપકારક કાર્યનો રેકોર્ડ કર્યા વગર નકરું જીભ-કલમનું ડહાપણ ડોળી ને માણસ સંસારનો કશો ઉપકાર કરી ન શકે અને નકરા લેખન કે વકતૃત્વની સેવાક્ષેત્રમાં કશી કિંમત નથી, એટલે કે માણસ કશી સત્કાર્યની મૂડી નિપજાવે એ પછી જ એણે શબ્દનો વેપલો કરવો જોઈએ.” એક વરિષ્ઠ સાક્ષરે કહ્યું હતું કે સ્વામી મૌલિક લેખક છે અને પછી મૌલિક લેખકની વ્યાખ્યા એમણે આ રીતે કરી : “મૌલિક લેખક તે એ નહિ કે જે કોઈની નકલ ન કરતો હોય, પણ તે કે જેની કોઈ નકલ કરી શકે નહીં.”
સ્વામી આનંદ સાધુ ખરા પણ ઉત્તમના ઉપાસક. જીવન, રહેણીકરણી, બોલચાલ, લખાણ બધું જ સંઘેડા ઉતાર કે પાસાદાર ન હોય તો એમને ન ચાલે. લખવા માટેની જાડી ડયૂફોલ્ડ પેન પણ નીબ ઝીણામાં ઝીણી.. આ બધા દ્વારા ઉત્તમ કરવા જીવડો તોડીને મહેનત કરે. એકવાર ગુજરાતના ઉત્તમ કોટિના સાહિત્યકારને સ્વામીએ કહ્યું કે, તમારું લખાણ બેનમૂન હોય છે અને આવું ચીથરાં જેવું છાપકામ કરાવો છો તે કેમ ચાલે ? જવાબમાં સાહિત્ય ઉપાસકે કહ્યું કે: “બાળોતિયાં ધોવાનું કામ મારું નહીં ..” ત્યારે સ્વામીને ઘણું ખોટું લાગેલું કે, જે માધ્યમ તમારું સાહિત્ય લોકો સુધી પહોંચાડે છે તેમાં છાપકામમાં તમે રસ જ ન લો તે કેમ ચાલે?
“જૂની મૂડી” નામથી સ્વામી આનંદે ગુજરાતી ભાષાને એક શબ્દકોશ આપ્યો છે એની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે:
“ભાષા એ ધરતી પરનો પાણી વીરડો છે. જનવાણી એ અખૂટ સરવાણી છે. ઘડા પાણીના વીરડાને વાડકી કે છાલિયાથી ઉલેચ્યે જાઓ ને સો બેડા પાણી ભરી લો.ન ઊલેચો તો વીરડાનું પાણી ઘડો જ રહેશે. એમ વાડકી છાલિયાથી એને ઉલેચવાની પ્રક્રિયા પણ જનવાણી જ છે. એનાથી રોજેરોજ ઉલેચાયા વગર વિરડો મેલો અને બંધારણ બની જશે. ભાષા રૂપી વીરડાનું પાણી જનવાણીને વાટકે ચડે ત્યારે જ એ ફિલ્ટર અને ક્લોરિનેટ થઈને પ્રજાના વાપરવા માટે નરવું થયું ગણાય.”
સાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડૉ. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી અને મોનજી રુદર, વામનદાદા તથા સાધુસમાજની કૈકં તેજ-તપઃપૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગોબરા અને ક્રૂર આતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની ચરિત્રકથાઓનાં સંગ્રહો ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ’ (૧૯૬૯), ‘મોતને હંફાવનારા’ (૧૯૬૯), ‘સંતોના અનુજ’ (૧૯૭૧), ‘સંતોનો ફાળો’ (૧૯૭૮), ‘નઘરોળ’ (૧૯૭૫), ‘ગાંધીજીના સંસ્મરણો’ (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે, ૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદ્રષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’ (૧૯૨૨), ‘ઈશોપનિષદ’, ‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા’, ‘નવલાં દરશન અને બીજા લેખો’ (૧૯૬૮), ‘માનવતાના વેરી’ (૧૯૬૬), ‘અનંત કળા’ (૧૯૬૭), ‘આતમનાં મૂલ’ (૧૯૬૭), ‘સર્વોદય વિચારણા’ (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. ‘સમાજચિંતન અને બીજા લેખો’ (૧૯૮૩), ‘ધર્મચિંતન અને બીજા લેખો’ (૧૯૮૨) ઉપરાંત સાધુજીવન દરમિયાન કરેલ યાત્રા-પ્રવાસોની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન’ માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તરાપથની યાત્રા’ અને ‘બરફ વચ્ચે બદરીનાથ’ (અન્ય સાથે, ૧૯૮૦) તથા સ્વેનહેડિનની ભ્રમણકથાનો અનુવાદ ‘એશિયાનાં ભ્રમણ અને સંશોધન’ (૧૯૭૯) વગેરે એમનાં મરણોત્તર પ્રકાશનો છે. ‘બચપણનાં બાર વરસ’ (૧૯૮૨) નામે અપૂર્ણ આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે.
આ ઉપરાંત તેઓના વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા કહેવતોનો સંગ્રહ ‘જૂની મૂડી’ (૧૯૮૦) તો એમનાં પુસ્તકોમાંથી મૂળશંકર મો. ભટ્ટે પસંદ કરી આપેલાં લખાણોનો અદભુત ભાષાકર્મ વાળાં ચરિત્રોનો સંગ્રહ ‘ધરતીની આરતી’ (૧૯૭૭) માં પ્રગટ થયો છે. આજના કોઈ નવાસવા વાચકને જો સ્વામી આનંદની શૈલીને માણવી હોય તો “ધરતીની આરતી” હાથમાં લઈને બેસી જવું જોઈએ, પછી તેને છોડી શકાય તો કહેજો !!
સ્વામી આનંદ એટલે નરવા ઉદગારોનો ફુવારો. શબ્દ એમના ચિત્તમાંથી ચળાઈને આવે ત્યારે એવો નવો નક્કોર લાગે કે, અનાયાસે ચિત્તમાં આનંદ આનંદ થઈ જાય !! સ્વામી આનંદને સૌ પ્રેમથી સ્વામીદાદા કહેતા. સ્વામીદાદાનું શબ્દચિત્ર શ્રી વાડીલાલ ડગલી આમ આલેખે છે :
“ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો. જિંદગીના વાવાઝોડામાં હિમાલયની ટોચ સુધી ઊછળેલું અને વસઈની ખાડીમાં પછડાયેલું પણ સારી પેઠે સાચવેલું રિટાયર્ડ રાજવી જેવું બાધી દડીનું સોહામણું શરીર. એક ચાંપ દાબે તો મોંમાંથી ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ દાબે તો જીભમાંથી ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે નહીં. ટીકીટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા બેઠા હોય તો ય લાગે કે આ તે કયા મલકની માયા ! બોલે ત્યારે લોકડિક્સનેરીના શબ્દો ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડે. માણહ એકલો; પણ સ્ટેઈજ વિના, લાઈટ વિના, ડ્રેસ વિના અને બીજા એક્ટર – એક્ટ્રેસો વિના ગાંધી મહાત્માના નાટકનાં દૃશ્યો દેખાડતો જાય. કામ પતાવી વિદાય થાય તે પછી પણ ઓરડામાં બાંયો ચડાવેલી ચેતનાના લિસોટા મેલતો જાય.”
આપણી લોકબોલીના શબ્દોની થોડા ટ્રકો ભરાય એટલી નોટો એમણે તૈયાર કરી હતી. વિચારની દુનિયામાં જે અવજ્ઞાનો હુંકાર કરે તે સ્વામી આનંદના સગા થઈ જતા. એક સરકારી સામયિકનું પાનું બતાવ્યું. કહે : “આવા નઘરોળ લોકો દારૂબંધીનો શો પ્રચાર કરી શકવાના હતા ? આ એક પાનામાં અઠ્યોતેર પ્રૂફની ભૂલો છે.” પાના સામું જોયું તો લાગ્યું કે, આ છાપકામ છે કે ટાગોરનું કોઈ ચિત્ર છે ? સ્વામીદાદાએ એટલી ઝીણવટથી ભૂલો કાઢેલી કે, આખુંયે પાનું એમના પરિશ્રમની કલાકૃતિ બની ગયું હતું.
આપણી ગુજરાતી ભાષાના એક સમર્થ સાહિત્યકાર યશવંત શુક્લ સ્વામી આનંદને આ રીતે ઓળખે છે : “સ્વામી આનંદ જેવું વ્યક્તિત્વ આપણા સાધારણ દુન્યવી વ્યવહારોમાંથી જડવું મુશ્કેલ છે. આ તો જે નાના છોકરાને ભગવાન દેખાડવાની લાલચ આપીને પેલો અજાણ્યો બાવો ભગાડી ગયો હતો એ બાવાનો હેતુ ગમે તે હોય પણ એ છોકરાની ભગવાનને પામવાની લગન એણે જીવનમાં ક્યારેય છોડી નહોતી. એ કદી સંન્યાસી મટયા ન હતા. સંસાર સાથેનો સંબંધ કાપ્યા વિના રાત દિન પોતાના સંન્યસ્ત ધર્મમાં જ રત એવા સ્વામી આનંદે ગુજરાતી ભાષા સાહિત્ય ઉપર અનહદ ઉપકાર કર્યો છે. સ્વામી દાદા ખપ વગર બોલે નહીં અને મૂંગા હોય ત્યારે સહેજ કરડા પણ લાગે, પણ સદાય નિજ કામમાં નિમગ્ન. તેમ છતાં પોતાના માર્મિક અનુભવો જેમની આગળની ખોલવું ગમે તેમને કહેવા ને સદા તત્પર !”
સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક. ગાંધીજીના અંતેવાસીઓમાં સ્વામીદાદા જેવું કોઈ વ્યક્તિત્વ હોય તો તે મહાદેવભાઈ હતા. ફેર એટલો કે મહાદેવભાઈ કદાચ વધુ મોટા ભક્ત અને જરા વધુ એકધારી કુમાશવાળા. સ્વામીદાદા ગાંધીજીના પ્રખર સાથી, પણ એમના ગમાઅણગમા તીવ્ર. પ્રકૃતિએ સાવ એકલવીર આથી જ તેમની શબ્દસાધનાએ અજાણ્યાં ઊંચાણો છતાં કર્યાં. આજથી સો વરસ પછી ગાંધીજીના સાથીઓનું સાહિત્યને અર્પણ મૂલવાશે ત્યારે સ્વામી આનંદનું નામ કદાચ મોખરે હશે. સ્વામી આનંદના જીવન અને સાહિત્યમાં જે સચ્ચાઈની ધૂણી ધખે છે તે કાળને માત કરશે.
ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવનમાંથી છૂટા થયા ત્યારે સ્વામી આનંદે નવજીવન સાપ્તાહિક તથા તેના છાપખાનાની વ્યવસ્થા હાથમાં લીધી અને ગુજરાતી મુદ્રણકળાએ પડખું બદલ્યું. શુદ્ધ – અણિશુદ્ધ મુદ્રણની પરિપાટી સ્વામીદાદાએ પાડી તે આજે પણ નવજીવનમાં ચાલે છે અને એનો ચેપ ઠેર ઠેર ફેલાયો છે. સ્વામી આનંદ ગાંધીજીના પત્રોના કેવળ મુદ્રક નહોતા, એ તો ગાંધી-પત્રકારત્વના વહાણના કૂવાથંભ હતા. ગાંધીજીએ સ્વામી આનંદના અર્પણને આ શબ્દોમાં અંજલિ આપી છે : ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ (નવજીવનની) જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.”
ગાંધીજીનાં બે સૌથી મહત્ત્વનાં પુસ્તકો : આત્મકથા અને અનાસક્તિયોગ. આ બંને પુસ્તકો સ્વામી આનંદના તકાદાથી તેમણે લખ્યાં. આત્મકથા ‘નવજીવન’માં હપ્તાવાર છપાયેલી. 1922માં નવજીવનના મુદ્રક તરીકે વાંધાભર્યું લખાણ છાપવા માટે પહેલી વાર જેલમાં ગયા. આ સમય દરમિયાન મહાદેવભાઈ અને સરદાર સાથેનો સંબંધ ધનિષ્ઠ થયો. 1928ના બારડોલીના સત્યાગ્રહ વખતે સ્વામી આનંદ સરદારના મંત્રી બન્યા. સરદારનાં વિરલ ભાષણો ગુજરાતી ભાષામાં ટકી રહ્યાં છે તેનો જશ સ્વામી આનંદને જવો જોઈએ. 1930ના મીઠાના સત્યાગ્રહમાં સ્વામી ફરીવાર જેલમાં ગયા. 1932માં ત્રીજી વાર. પછીનાં વર્ષો દરમિયાન સ્વામી આનંદે હરિજનમંદિરપ્રવેશ ચળવળના મુખી કાર્યકર્તા તરીકે કામ કર્યું અને બિહાર ધરતીકંપમાં ગાંધીજીના પ્રતિનિધિ તરીકે સેવા આપી. સ્વામી આનંદ વર્ષો સુધી અમદાવાદમાં સરદાર પટેલના પાડોશી તરીકે રહ્યા. વળી મહાદેવભાઈ દેસાઈના અંગત મિત્ર. 1942, ઓગસ્ટની નવમીએ વહેલી સવારે મુંબઈમાં બિરલા હાઉસ પર ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના “ક્વીટ ઈંડીયા”વાળા પ્રવચનની નકલો પ્રીંટ કરી દેશભરમાં પહોંચાડવાની જવાબદારી સ્વામીજીને સોંપેલી. તેમણે સફળતાથી અઘરું કામ પાર પાડ્યું.
1935થી તેમણે દરિદ્રનારાયણની વચ્ચે જઈ બેસવાનું નક્કી કર્યું, અને થાણા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગાંધી આશ્રમ સ્થાપ્યો. ગ્રામોદ્યોગોની દૃષ્ટિએ સ્વામી આનંદે 734 ગામોની પગપાળા ચાલીને તપાસ કરેલી. કસ્તૂરબાના મૃત્યુ પછી જે રાષ્ટ્રીય સ્મારક ફાળો ઊભો થયો તેના સ્વામી આનંદ મૂળ સંસ્થાપક અને એક મંત્રી બન્યા. સ્વરાજ મળ્યું ત્યાં સુધી સ્વામી આનંદ આદિવાસીઓ વચ્ચે ગાંધી આશ્રમમાં રહ્યા. ભારત આઝાદ થયું ત્યારે 1947માં પંજાબ, દહેરાદૂન અને હરદ્વારમાં નિરાશ્રિતો વચ્ચે કામ કરેલું.
સ્વામીને માટે પણ આ વર્ષો અત્યંત વિષાદનાં હતાં. મહાદેવભાઈના મૃત્યુએ તેમને ભાંગી નાખ્યા હતા ગાંધીજીના મૃત્યુ પછી એમનો દુનિયા બદલવાનો રસ ઓછો થયો હતો. એમણે પોતે આ વર્ષોમાં પુસ્તકપ્રકાશન કરવાનું નક્કી કર્યું તે વખતની તેમની સ્થિતિનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે : “વર્ષો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જિગરી સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઉદ્ધાર કરવાના લહાવા આરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વર્ષોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.” એમની ગાડી લગભગ નવ વરસ પછી આવી. અચાનક 1976ના જાન્યુઆરીની પચીસમી તારીખે 89 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું.
1969માં તેમની કૃતિ ‘કુળકથાઓ’ માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને એનાયત થયું. તેમણે આ માનનો આભારપૂર્વક અસ્વીકાર કરતાં કહેલું કે, સાધુ તરીકે તેમનાથી કોઈ કાર્યનું વળતર લઈ શકાય નહીં. જીવનભર અંગત જીવન વિશે જડબેસલાક મૌન સેવનાર સ્વામીએ પોતાની આત્મકથા મરણોત્તર પ્રકાશન બને એવી ઇચ્છા રાખી હતી. જેને અંગ્રેજીમાં બાયોગ્રાફિકલ એસે કહે છે તે ચરિત્ર નિબંધના સ્વામી આનંદ ઉત્તમ કસબી હતા.
સ્વામી આનંદની શૈલી એવી આગવી અને ચલચિત્રાત્મક છે કે, આપણે કોઈ કલાચિત્ર (આર્ટ મૂવી) જોતા હોઈએ એટલો આનંદ થાય. એમના ગદ્યનું પોત એટલું બળકટ અને કુમાશવાળું છે કે આપણું મન પહેલી જ કંડિકાથી તેમાં તણાવા માંડે. એમના ગદ્યનું સૌથી પહેલું લક્ષણ એ છે કે, એનું કોઈ અનુકરણ ન કરી શકે. નામ ન લખ્યું હોય તો પણ વાક્યે–વાક્યે સ્વામી આનંદની છાપ ઊઠેલી દેખાય. લોક-ગુજરાતી અને તળપદા શબ્દોનું જોમ એમના ગદ્યમાં જે રીતે પ્રગટ થયું છે તે જોઈ કોઈ ને લાગે કે આ કોઈ આધુનિક ચરિત્રનિબંધ છે કે અમર લોકકથા છે ? એમની પીંછીમાં ચિત્રો ઉપસાવવાની જેટલી કળાશક્તિ છે તેટલો જ વેગ છે. આથી તેમની કથાશૈલીમાં મુનશી અને પન્નાલાલનું મિલન જોવા મળે છે.
સ્વામી હતા બાળબ્રહ્મચારી સાધુ, પણ ગાંધીજીના સમાગમ પછી તેમના મનમાં એ વાત નક્કી થઈ કે, સંસારમાં રહી અનાસક્ત સેવા કરે તેના જેવો બીજો કોઈ સાધુ નથી. એમના પુસ્તક ‘સંતોના અનુજ’માં આ જીવનફિલસૂફી તેમણે આમ વ્યક્ત કરી છે :
“સાધુ એટલે સાધનાવન્તા, જીવનને સાધના ગણીને જીવનારા, જિંદગીના તમામ ઝીણામોટા વહેવાર પ્રભુ સમર્પણ ભાવનાથી કરનારા ભક્ત માણસો. પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને મધ્યયુગીન સંતો કે આધુનિક કાળના ગાંધીજી સમા જગમાન્ય, અગર તો સ્વ. મશરૂવાળા કે નાનાભાઈ ભટ્ટ સુધીના ઘણા ખરા મહાનુભાવો ગૃહસ્થજીવન જીવ્યા. સંસારના લાખો કરોડો દુન્યવી માનવીઓની જેમ જ એમણે પોતપોતાનાં કામકાજ વહેવાર માનવધર્મ અદા કર્યાં. તેમ કરતાં કરતાં અસંખ્ય માટીપગા દુન્યવી માણસોની જેમ એમણે પણ ભૂલો કરી. નબળાઈઓ બતાવી. પડ્યા-આખડ્યા, ગાફેલગીરી કીધી. છક્કડો ખાધી, વેદિયો-બાવળાય ઠર્યા. પણ દરેક વેળા જાગી સમજીને પાછા ઊઠ્યા, ઊભા થયા અને નમ્રપણે પોતાની ભૂલથાપ પોતાની આગળ, પોતાના મિત્ર પરિવાર સમક્ષ કે દુનિયા સમક્ષ કબૂલીને આગળ ધપ્યા. અને અંતે જિંદગીની બાજી જીતીને પ્રભુચરણે વિરમ્યા.”
તિથલના દરિયાકિનારે વસેલા અલબેલા ફોટોગ્રાફર અને વિશ્વ સ્તરે તસવીર-ચિંતનથી પ્રસિદ્ધ થયેલા શ્રી અશ્વિન મહેતાનું પુસ્તક છે “છબી ભીતરની”.. તેનો પહેલો જ લેખ સ્વામી આનંદને ઓળખવા માટે પર્યાપ્ત છે.
“સ્વામી આનંદનો “ભાવના મૂર્તિ” લેખ વાંચ્યો ત્યારે મને થયેલું કે આ લેખક છે કોણ ? એમની ભાષામાં ચોમાસા ના પહેલા ઝાપટાં જેવી તાજગી અને માટીની મહેક હતાં. પાણીના રેલા જેવી સરળતા હતી અને શબ્દોનું તો પૂછવું જ શું? પેલી “પાઇડ પાઈપર” પરની બાળવાર્તા માં આવે છે તેમ તેમની કલમના સૂરથી ઉંદરડાના ધાડા ની જેમ બધા ક્યાં ક્યાંથી ભેગા થઈ ગોઠવાઈ એમની પાછળ પાછળ ચાલી નીકળતા! થયું, આ માણસને મળવું જોઈએ. કૌસાની રહે છે, ખોરાકમાં માત્ર દૂધ લે છે!! આવો મોટો માણસ કાગળનો જવાબ આપતો હશે ? મનમાં ગાંઠ વાળીને દુગ્ધાહાર વિશે મેં દસ પંદર સવાલ પૂછી નાખ્યા ! ત્યાં તો તરત જવાબ આવ્યો છે. અક્ષરો ખુબ ઝીણા પણ કીડીની ટાંગ જેવડા નહીં પણ રૂપાળા જુવારના દાણા જેવા.. એકેએક અક્ષર પલાંઠી વાળીને બેઠેલો ! ખરી ખૂબી તો એ કે તેમણે મારા બધા મુદ્દા નો વિગતવાર જવાબ આપેલા અને પાછું લખેલું ફલાણી તારીખે મુંબઈ આવું છું ત્યારે મળીશું !
આવા સ્વામી આનંદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કલ્પી શકો છો ? પહેલીવાર મને હિમાલય દેખાડવા લઈ ગયેલા ત્યારે કનખલ-હરિદ્વારના ટચુકડા રામકૃષ્ણ મંદિરમાં સ્વામીની મસમોટી કાયાને જમીન પર જોઈને હું તો ડઘાઈ જ ગયેલો.. સ્વામી આનંદ તપોવનજીની અને રામકૃષ્ણ પરમહંસ ની વાતો સૌથી વધારે કરતા. ખાસ તો કહેતા : હિંદુ ધર્મ પ્રચાર માટે નથી, પણ હૃદય ગુફામાં સેવવાનો અને આચરવાનો ધર્મ છે, રામકૃષ્ણદેવ કહે છે : “તમે પહેલાં કમળ બનો, પછી ભમરા આપોઆપ આવશે.”
મારા અઢી દાયકા ના પરિચયમાં મેં સ્વામી આનંદ ને ચારેક વાર રડતાં જોયેલા.
(1) એક કાશ્મીરી ભરવાડણે પીર પંજાલના ઊંચા પહાડોમાં તેમને કેવી રીતે બચાવેલા તેનું ઋણ સ્વીકાર કરતા બધાની વચ્ચે તેમણે આંસુની અંજલી આપેલી.
(2) બીજીવાર અતુલપ્રસાદના એક બંગાળી કાવ્યનું પઠન કરતા વરસાદ પછી શિરીષના ફૂલ-પાન પાણી ખેરવે તેમ તેઓ સહજ રીતે રડેલા.
(3) સીતાજી નો ઉલ્લેખ માત્ર તેમના મર્મને વીંધી જતો. ચારણ કવિ દાદલ નું એક ભજન “લખમણ મારાં રે રખોપાં કરશે રામ, રામનાં કોણ કરશે રે” એ વાંચતા અને
(4) નિનુભાઈ મજુમદાર નું “સીતાયણ” તેમને ટેઈપ પર સંભળાવતો હતો ત્યારે બહુ હોઠ પીસવા છતાં આંસુ રસ્તો શોધી જ કાઢેલો, એનો હું સાક્ષી છું.”
શ્રી અશ્વિન મહેતા ઉમેરે છે કે : “સ્વામી આનંદની તંદુરસ્તી ને જુસ્સો છેવટ લગી ટકી રહ્યા એની પાછળનું ઘણું મોટું કારણ હિમાલય હતો. સ્વામી એટલે હિમાલય, ઘૂઘવતી નદીઓ અને અડીખમ ચટ્ટાનો, ઉત્તુંગ બરફાનો અને ઘનઘોર જંગલો. મારાથી પૂછાઈ ગયેલું : તમે હિમાલયમાં કેટલા માઈલ ચાલ્યા હશો ? પહેલાં તો ઘણા ગલ્લાતલ્લા કર્યા, પણ પછી મેં જાતે જ અંદાજે બાર-પંદર હજાર માઈલ નો આંકડો મુક્યો ત્યારે ખૂબ સંકોચ સાથે માત્ર “હા” એટલું બોલેલા ને પછી ઠપકો આપીને કહે કે, સાધુ એવો હિસાબ રાખે નહીં અને એને પુછાય ય નહીં!!! દિવસના 40- 50 માઈલ ચાલતા ને ગેલન ના હિસાબે દૂધ પીતા.”
સ્વરાજ આશ્રમ, બારડોલીમાં વસતા સરદારસાહેબના પડછાયા સમાન ઉત્તમચંદ શાહના પરિવાર સાથે સ્વમી આનંદને ઘરોબો. ત્યાંની વિદ્યાલયની દીકરીઓ સાથે તો સ્વામી વિદ્યાર્થી બની જાય. સ્વામીદાદાએ ઉત્તમચંદ શાહના કુટુંબને હિમાલય દેખાડવાનું બીડું ઝડપ્યું, તેનાં સંસ્મરણો ઉત્તમદાદાના દીકરી શ્રી નિરંજના કલાર્થી બહુ જીવંત રીતે વર્ણવે છે. “કૌસાની ખાતે પહોંચ્યા પછીની એક રાત્રે સ્વામીદાદા આવ્યા અને બુમ પાડી કહે બાળકોને ઉઠાડો, આજે પૂર્ણિમાનો ચંદ્ર છે. મારે બાળકોને રાત્રીના હિમાલયના દર્શન કરાવવા છે. અને સ્વામી બોલવા લાગ્યા : “જ્યોત્સના સજાવેલો હિમાલય જુઓ. ચાંદનીમાં હિમાલય સાવ અલગ જ લાગે છે. સવારે શ્વેત દેખાતો હિમાલય રાત્રીએ ચાંદનીમાં જાણે ચાંદીના પતરાથી મઢી ન દીધો હોય ?? વળી આજે તો પૂર્ણિમાની ચાંદની એટલે સોળે કળાએ ખીલેલો ચંદ્ર હિમાલયને બેનમૂન બનાવી મૂકે છે. બરફ આચ્છાદિત હિમમાળા !” સ્વામીદાદા તો મૌલિક અને ભાષાની ખાણ એટલે હિમાલયને એવો સજાવીને વર્ણન કરે કે સૌ દંગ રહી જાય !! એક બાજુ હિમાલય અને બીજી બાજુ હિમાલય જેવા મનોબળના મલિક સ્વામીદાદા, પછી બીજું શું જોઈએ ??
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાક્ષર રઘુવીર ચૌધરી સ્વામી આનંદ ને “સાચા કીમિયાગરનો શબ્દલોક” કહે છે. સ્વામી આનંદ એક વ્યક્તિ તરીકે પણ સદીઓ સુધી યાદ રહેશે. ગાંધીજીએ જે સાથીઓમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો એમાંના એક હતા સ્વામી આનંદ. એમણે દિલ્હીની સાહિત્ય અકાદમીએ જાહેર કરેલો પુરસ્કાર સ્વીકાર્યો નહોતો. સંસાર છોડનારે દ્રવ્ય અને યશ બંને માટે કેવી અનાસક્તિ કેળવી હોય એનું દ્રષ્ટાંત સ્વામી આનંદ હતા.” ઉમાશંકર જોશી કહે છે : “એનું નામ પાણી ઉપર આલેખાયેલું છે ! જે કાંઈ લખાયું તે આનંદનું, આનંદને અર્પણ !”
બહારથી કઠોર દેખાતો આ માણસ હૃદયથી બહુ કોમળ હતો. ઓછી વાતચીતમાં પણ કંઈ બોલાય ગયું હોય તો તરત ફોન કરીને કે પત્ર લખીને જણાવતા : “મારી ભૂલ થઈ ગઈ, ક્ષમસ્વ. મારી જાગૃતિ એટલી ઓછી કહેવાય !”
“તમે આજકાલ ના છોકરા રકાબીયે રકાબી દૂધ પીવો, હું તો મોટું તપેલું અધ્ધર ઉઠાવી એક શ્વાસે ગટગટાવી જતો હતો”,, સ્વામીનું આ ચિત્ર કે રેલવેના સામાન્ય વર્ગમાં ઉપરના પાટીએ પ્રવાસ કરતા પેશાબ-પાણી માટે ઉતરવું ન પડે માટે આગલા દિવસથી ઉપવાસ શરૂ કરતાં સ્વામીજી, કાકાસાહેબ સાથે હિમાલયના પ્રવાસ કરતા અને એના સ્મરણો મરાઠીમાં આલેખતા અને પછી માઈલોના માઈલો ચાલી નાખતા સ્વામીજી, વિનોબાજીના પ્રવચનનો સીધો અંગ્રેજી અનુવાદ કરનાર સ્વામીજી, ગુજરાતની એકેએક બોલી પર પ્રભુત્વ ધરાવતા અને પુસ્તકના ઉત્તમ મુદ્રણ ના આગ્રહી સ્વામી આનંદ તો ક્યારેક વાત કરતા કરતા નાચી ઉઠતા સ્વામી આનંદ કાયમ માટે વાચકનું આત્મબળ બનતા રહેશે.
સ્વામી દાદાને જ્યારે જ્યારે જીજ્ઞાશાવશ તેના પૂર્વરંગ વિશે પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે ત્યારે એમણે “નદીના મૂળ વિશે અને સાધુ ના કુળ વિષે જિજ્ઞાસા ન સેવવી” એવો એકધારો ઉત્તર પકડાવ્યો છે. ઘર છોડીને ચાલી નીકળ્યા ત્યારે આ હિંમતલાલના પિતા રામચંદ્ર મહાશંકર દવે ગામની શાળાના મહેતાજી. માતા પાર્વતીમા સાવ અભણ પણ જાજરમાન અને માયા મમતાથી ભર્યાં. સ્વમાનની વાતે એ ધારદાર. છોકરા છૈયાની હાજરીમાં પતિએ ઉપડતે સાદે વાત કરી તે વેળા પતિને ઉત્તર આપ્યા પછી છૈયા છોકરા સાથે મૈયર જઈને વસ્યા અને સોળ વરસ લગી પતિ સાથે અબોલા પાળ્યા !
સ્વામીએ ઉલ્લેખ કર્યો છે એ અનુસાર ભાષાની ખાંખત એમને માતા પાસેથી વારસા રૂપે મળી છે. સાવ નિરક્ષર માતાને વિવિધ વ્રત-ઉત્સવને ટાણે ગાવાના ગીતો અને નળાખ્યાન કંઠસ્થ હતા. વળી રોજિંદા વહેવારમાં ભાષા ભંડાર ભર્યો રૂઢિપ્રયોગ અને કહેવતની તો એમાં ધાણી ફૂટે !! પોતાના પૂર્વરંગની ખાતાવહીમાં પિતાના નામનું પાનું કોરું છે એવું કહેનારા સ્વામી માની સૈયર એવી માસીના ખોળે એમના ત્રણ પુત્રોના બાળ-અવસાન પછી પુષ્ય-પુત્ર તરીકે ગિરગામ મોરારજી ઘરાનાની સાથે રહ્યા. ઘરાનાના ઘરેણાં સમાન ધનીમાએ સ્વામીના પાલક પિતા ઉમાશંકરને મોઢે ભવિષ્યવાણી ભાખેલી કે, “ઉમાશંકર, આ તારો ભાણેજો બાપ, મોસાળ, કોઈનો થવાનો નથી. એને પગે ભમરો છે”.. પુત્રના લક્ષણ પારણામાંથી કહેવતને સાર્થક કરતી એ આગાહી સ્વામીના જીવનમાં તંતોતંત સાચી ઠરી હતી.
સ્વામીએ એમના મા-મેળાપની કૃતાર્થતાની લાગણી પ્રગટ કરતી વેળા લખ્યું છે:
“મારો નાનો આવ્યો?” હાથમાંથી માળા પડી જાય અને આંખેથી વહી નીકળે છે ગંગાજમના ! સ્વામીએ પૂછ્યું : “ મા ગામમાં કોઈ જાણતું ન હતું કે હું આવવાનો છું અને તમે તો દરવાજો ઉઘાડતાની સાથે જ મારા નામે મને બોલાવ્યો તે કેમ કરતાં ખબર પડી ?” જવાબ મળ્યો: “આ હૈયામાં બીજું છે કોણ ? ચૌદ વર્ષથી માળા ફેરવું છું તે કેની ? રામની ? રામનું તો નામ, રામ કેવો ને વાત કેવી? મારા દીકરા તે મારા રામ. બીજા રામને હું ઓળખતી નથી. તારે કઈ વાતે કમી હતી તે મને વલવલતી મૂકીને નાઠો ? આટલી ઉંમરે મને બાળી ? પણ બાળે તે જ બાળક ! ચાર ખંડ ધરતી ખૂંદી વળ, પણ આખરે તારી ધરતીનો છેડો માની પાની હેઠળ જ છે.” પાવનકારી એ માના છેલ્લા દિવસોમાં સ્વામી એક અઠવાડિયું ઘેર તેમની સન્મુખ રહ્યા. એ આઠ દિવસો વિશે તેમણે તહેદિલથી લખ્યું છે: “ એ આઠે દિવસ મારી જિંદગીના કીમતી વારસારુપ છે. માના તરફથી મને જે વારસો જીવનમાં મળ્યો છે તેનું ખરું દર્શન આ આઠ દિવસોમાં થયું અને હું ધન્ય થઇ ગયો.”
વગર સંસારનો આ સંસારી જીવ તેની આસપાસના આખી જિંદગી ગળાડૂબ રહ્યો છે છતાં આ મોહ માયાનો પાસ સરખો લાગવા દીધો નહીં .
સ્વામીને અલવિદા!
by Bhadrayu Vachhrajani | Oct 9, 2025 | Uncategorized |

તીખું તમતમતું ખાનાર આપણી પ્રજા, તીખું તમતમતું જોવા ને કરવા પણ પ્રેરાય, એ સ્વીકારવું રહ્યું !!
નગ્નતા કદાચ મારા મનને ડિસ્ટર્બ કરી શકે પણ અશ્લીલ બાબત મારા ચિત્તનો એકદમ ભરડો લઈ શકે.
બાળકને આપણે પ્રકૃતિ સમજાવીશું તો, એને નગ્નતા વિશે પ્રશ્ન નહીં થાય.
આપણા પવિત્ર ધર્મશાસ્ત્ર શ્રીમદ્દ ભાગવત પુરાણનું કહ્યું માનીએ તો અત્યારે કળિયુગ બરાબર વ્યાપ્ત થવામાં મસ્ત છે. કળિયુગ પોતાના બધા જ લક્ષણોને બધી જ બાજુઓથી અગ્રેસર કરવામાં પોતાનો સમય વીતાવે છે. એવી ઘટનાઓ બની રહી છે, એવા પ્રસંગો બની રહ્યા છે કે આપણને સમય સામે પ્રશ્નાર્થ થાય કે, ઈશ્વર આવી પરિસ્થિતિનું નિર્માણ કરે ખરો ? આખું વિશ્વ જાણે કે, આજે અશાંતિ, અમંગળ, અને અપ્રસ્તુત બાબતોના એક મોટા વર્તુળમાં ઘેરાઈ ગયું છે. પરિણામે આપણને આજનો કાળ રાવણ જેવો લાગે છે. શ્રીમદ્દ ભગવદગીતાએ જે ત્રણ તત્વો ઉપર ભાર મૂક્યો તે સત્વ, રજસ, અને તમસ માંથી જાણે સત્વ અત્યારે ગુમ થઈ ગયું છે. અત્યારના રજસ અને તમસ વચ્ચે ભૂંડી સ્પર્ધા ચાલતી હોય એવું લાગી રહ્યું છે. જે દશે દિશાઓની અંદર દુરિત ફેલાવવા માટે જ્ઞાની હોવા છતાં પંકાઈ ગયો એવા રાવણના દસ માંહેના એક માથા એવા અશ્લીલતાને ધ્યાનમાં રાખીને કેટલીક પેટ છૂટી વાતો કરવી છે.
આપણને બે શબ્દો જડે અશ્લીલ અને નગ્ન, જેમાં નગ્ન અથવા નગ્નતા એ પ્રાકૃતિક પરિપ્રેક્ષ છે, જ્યારે અશ્લીલ અથવા અશ્લીલતા એ આપણી નજરનું પરિણામ છે. આપણી મન પ્રક્રિયામાં જે નગ્ન છે તે પ્રાકૃતિક છે. પરંતુ આપણે દુરિતમાર્ગે વળી વળીએ તો એ નગ્નતામાં અશ્લીલતા જોવાનું કામ પણ આપણું એ જ મગજ કરે છે ! જે પ્રકૃતિ હકીકતમાં અસ્તિત્વ દ્વારા સાવ ખુલ્લમ ખુલ્લી એટલે કે અપાર નગ્ન સ્વરૂપે આપણને મળી છે. આનો અર્થ થાય કે, આપણી ચો તરફની પ્રકૃતિ નગ્ન છે. આપણી ચો તરફની અસ્તિત્વની ઘટાઓ એ સદંતર રીતે ઉઘાડી છે. પ્રકૃતિ ઉઘાડે છોગ આપણી ઉપર વરસી છે. આપણી આસપાસ પ્રકૃતિનું પૂર્ણત: અનાવૃત હોવું એ નગ્નતા છે. હવે આ નગ્નતાને હું ખરાબ વિચારથી બાંધવા લાગું તો હું પ્રકૃતિની અશ્લીલતા તરફ જઈ રહ્યો છું.
શાંત ચિતે વિચારવા જેવી વાત છે. ઉમાશંકર જોશી કહે છે, ‘દેનાર તો દે નયન જ માત્ર, શું દેખવું તે કથવા ન પાત્ર‘ આપણને આપનારે તો નયનો આપ્યા છે. નજર આપી છે, નજર દ્વારા દૃષ્ટિ આપી છે, પણ એનાથી શું જોવું, એનાથી શું પારખવું, એને જોઈને પારખીને શું પામવું, તે એણે કહ્યું નથી. આપનારે જે આપેલ છે તે પ્રકૃતિની પ્રસન્નતા ઉઘાડે છોગ આપી છે. એને કેવી રીતે જોવી, પ્રકૃતિ તરીકે કે નગ્નતા તરીકે કે પછી રહેલી ઈરોટિક બાબતને શોધીને મનને ભ્રમિત થાય એવી પૂર્વધારણાઓ બાંધીને જોવી…?? એ તો આપણા પર છે ને ??
“અશ્લીલતા અને અભિવ્યક્તિ સ્વાતન્ત્ર્ય” વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતા નિવૃત્ત આઈપીએસ શ્રી રમેશ સવાણી કહે છે કે, “‘અશ્લીલતાનો વેપાર’ ચલાવી લેવાય છે; પરન્તુ ‘અશ્લીલતાની કલાત્મક અભિવ્યક્તિ’ ચલાવી લેવાનો ઈનકાર કરવામાં આવે તે સમાજની માનસિક બીમારીનો નમુનો કહેવાય. જે સમાજમાં નિયંત્રણોને પ્રાધાન્ય આપવામાં આવે તે સમાજમાં કળાનો વિકાસ પુર્ણ કક્ષાએ પહોંચતો નથી.” અશ્લીલતા કોને કહેવી? સર્જક શ્રી રમણ પાઠક કહે છે : “સુરુચિ ભંગ કરે તે અશ્લીલ. સુરુચિ–કુરુચિની લાગણી અમુક અંશે પ્રાકૃતિક અને મહદંશે સાંસ્કૃતિક છે. પતિ પત્ની વચ્ચેનો સમ્બન્ધ એ નૈતિક અપરાધ નથી; પરન્તુ એ માટે પ્રયોજાતા ચોક્કસ શબ્દો પ્રતિબંધિત મનાય છે.”
અશ્લીલતા નક્કી કરવા ત્રણ મુદ્દા મહત્ત્વના છે (1) તેનો ઈરાદો શો છે? (2) તે કઈ રીતે રજુ થઈ છે? તેને કઈ રીતે દર્શાવેલ છે? (3) તેની અસર શી છે? આ દ્રષ્ટિએ જોઈએ તો ખજુરાહોનાં શિલ્પો અશ્લીલ લાગતાં નથી. ખજુરાહોનાં શિલ્પો અને સામયિકોમાં પ્રગટ થતી મહિલાઓની નગ્ન તસ્વીરોમાં તથા બ્લ્યુ ફીલ્મો વચ્ચે તફાવત છે. ખજુરાહોનાં શિલ્પો પોતાનામાં ખોવાયેલા છે ને બીજાને લલચાવતા હોય તેવો કોઈ ભાવ તેમાં નથી, જ્યારે સામયિંકોમાં પ્રગટ થતી નગ્ન તસ્વીરો તથા બ્લ્યુ ફીલ્મોમાં બીજાને લલચાવવાનું તત્ત્વ વધારે પ્રમાણમાં હોય છે અને તેથી તે અશ્લીલ છે.
મહિલા દર્દીને તપાસતા નગ્ન વીડિયો પોર્નોગ્રાફીની જેમ લોકો જુએ, તેને ડાઉનલોડ કરવાના પૈસા આપે છે ત્યારે
અશ્લીલતાનો મોટો વેપાર જનસમાજ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. શાળામાં ભણતા નાની ઉંમરનાં બાળકો વચ્ચે બનતી ઘટનાઓ ચોંકાવનારી છે. બળાત્કાર, હત્યાઓ કે પછી હની ટ્રેપ કે અન્ય ગુનાઓ વધી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પીરસાતું કન્ટેન્ટ જાતીય આવેશને ઉશ્કેરે છે. ટેક્નોલોજી સારું કે ખરાબ કે હલકું બધે બધું જ પીરસી રહેલ છે અને તેમ કરવું એ તેનો ધંધો છે, એટલે કોમ્પ્યુટરની મદદથી એ જોનારને એકવાર પણ ગંદી વસ્તુ જોતા જાણી જશે એટલે તેની વોલ પર એક પછી એક તે જ પ્રકારનું અશ્લીલ કન્ટેન્ટ આવતું જ રહેશે. ટેક્નોલોજી નિષ્ણાતો તેને ‘અલ્ગોરિધમ’ કહે છે. તીખું તમતમતું ખાનાર આપણી પ્રજા તીખું તમતમતું જોવા પણ પ્રેરાય છે, એ સ્વીકારવું રહ્યું !!
આવું થાય છે ટેબુ કારણ ?? કારણ એટલું જ કે, આપણે આપણા સંતાનોને એક નાનકડું બાળક જન્મે ,મોટું થાય, પુખ્ત બને, યુવાન કે યુવતી બને, એ બીજા કોઈ વિજાતીય પાત્ર સાથે પરણે, અને એમને સંતાન થાય,,,, આ આખી, બાળકમાંથી બાળક સર્જાવાની પ્રક્રિયા કે જે એકદમ જીવ વૈજ્ઞાનિક ઘટના છે, એવું આપણે આપણા બાળકોને સમજાવી શક્યા નથી. તેઓ માટે સેક્સ એક તાજુબ છે, વિસ્મય છે અને પ્રશ્નાર્થ છે કે જેનો ઉકેલ ક્યાંયથી મળતો નથી એટલે તેઓ સેક્સનું એક્સપેરિમેન્ટશન કરવા લલચાય છે. આપણે સમજાવી નથી શક્યા કે, એક સ્ત્રી છે, બીજો પુરુષ છે. સ્ત્રી પણ પ્રકૃતિ છે, પુરુષ પણ પ્રકૃતિ છે. બંનેનું નિર્માણ એક જ તત્વમાંથી થયું છે. આખી દુનિયાને ચલાવવા માટેની આ ઈશ્વરની એક બહુ પરિમાણીય વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થાની અંદર જે જે વાતો આવે છે એમાં પ્રકૃતિ છે.
લગભગ આજથી ચાલીશ વર્ષ પહેલા જાતીયતા અને જાતીય શિક્ષણ એ બંનેને સાથે જોડીને ડોક્ટરેટની પદવી માટે મેં સંશોધન કર્યું. એ સમયે બનેલી એક નાનકડી વાત. મોડાસાની એક કોલેજમાં મારું અભ્યાસ માટેનું કામ ચાલતું હતું. પ્રાયોગિક ધોરણે હું બીએડ કરી રહેલા શિક્ષકો સાથે દશેક દિવસના સઘન સેમિનારમાં હતો અને એ દરમિયાન મેં કહ્યું કે, આપણા દેવસ્થાનોની બહાર દીવાલો પર જે છે તે નગ્નતા જરૂર છે, પણ ચિંતા ન કરો, તેમાં અશ્લીલતા નથી. કોઈ દેવી કે કોઈ શિલ્પ જોઈએ તો આપણને કેમ એમાં અશ્લીલ નથી લાગતું અને પ્રકૃતિ લાગે છે, અથવા સ્થાપત્ય લાગે છે. અને એ જ રીતે કોઈ સ્ત્રી અને પુરુષને જોઈએ તો કેમ આપણે એકદમ ઝંખવાઈ જઈએ છીએ…વગેરે વગેરે.. એ વાત દરમિયાન નજીકમાં રહેલા બે ત્રણ મંદિરો ગલતેશ્વર, શામળાજી વગેરે મંદિરોની વાત કરી. બધા શિક્ષકોને તો આશ્ચર્ય થયું કે, આવી વાત હોઈ શકે ખરી ? અને આ વાત સાંભળીને, મેં એ લોકોનો પ્રશ્નાર્થ તેઓના મોઢા ઉપર પારખી લીધો. કહ્યું કે, આપને કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો. તે દિવસે સાંજના જમણ વખતે બધાએ અડ્ડો જમાવીને કહ્યું કે, “આ વાત અમને સાચી લાગતી નથી. તમે કહ્યું કે દેવસ્થાનો ઉપર છે એને તમે ઈરોટિક ન ગણી શકો. દેવસ્થાનો ઉપર આવું કશું હોય જ નહિ. સાહેબ, અમે સંમત નથી આ વાત સાથે..” મેં એ વાત સ્વીકારી અને કહ્યું કે, ચાલો, આવતી કાલે સવારનું સેશન એ મંદિરોમાં લઈશું. સૂચના આપી કે, દેવસ્થાનમાં અંદર ગયા પહેલાં બહારનાં સ્થાપત્યોને આપણે પોતે બારીકાઈથી જોઈશું. જે શિલ્પ સ્થાપત્ય છે એને નિહાળી નિહાળીને સમજવું છે કે, નગ્નતા ક્યાં છે અને અશ્લીલતા ક્યાં છે ?? એ દિવસ પુરો થયો ત્યારે બધા જ ભાવિ શિક્ષકોને એક વાતનો અહેસાસ હતો કે, આપણે જેને નગ્ન અશ્લીલ માનીએ છીએ એ તો પ્રકૃતિ છે. આપણે એને જુદી નજરે નિહાળીએ છીએ એટલે આપણને એ અશ્લીલ લાગે છે. અને એ સૌ સંમત થયા કે, બાળકને આપણે પ્રકૃતિ સમજાવીશું તો એને નગ્નતા વિશે પ્રશ્ન નહીં થાય. કમનસીબે ભારત દેશ ના મોટા મોટા મંદિરોની બહારની દીવાલો ઉપર જે શિલ્પ સ્થાપત્ય રાખીને બેઠો છે છતાં આ દેશમાં જાતીય શિક્ષણ આપવું જોઈએ એ એક ખ્યાલનો ભારોભાર વિરોધ થઈ રહ્યો છે.
છેલ્લી વાત, નેટ કનેક્શન આવ્યું, ઇન્ટરનેટની દેન થઈ, લગભગ-લગભગ બધાના હાથમાં મોબાઈલ આવ્યા, અમાપ એટલો ડેટા આપણે ફ્રી કરી દીધો, અને આપણા તરુણોને, કિશોરોને, યુવાનોને, આપણે નગ્નતા પણ નહીં, પ્રકૃતિ પણ નહીં, અશ્લીલતાના એક ભંડારની વચ્ચે છુટા મૂકી દીધા અને એ પણ સમજાવ્યા વગર કે અશ્લીલતા શું છે ?? યાદ રાખવા જેવું છે કે, નગ્નતા કદાચ મારા મનનો કબજો લઈ શકે પણ અશ્લીલ બાબત મારા ચિત્તને એકદમ ભરડો લઈ શકે. આ વાત કોઈ રીતે સમજાવ્યા વગર મેં એ લોકોને બધા વાયરસની વચ્ચે છુટ્ટુ મૂકી દીધા. વર્ગખંડમાં આપણે પુષ્પ કેમ બને તે પરાગરજ વાળી વાત ન શીખવી. એક નાનકડા કુતરા કુતરીમાંથી ગલુડિયા કેમ જન્મે એ વાત વિજ્ઞાનની હોવા છતાં ન કહી અને એ જ રીતે એક મા અને એક બાપ માંથી એક બાળક કેવી રીતે જન્મે એ પણ એક વૈજ્ઞાનિક ઘટના હોવા છતાં એ લોકોથી છાની રાખી. જે છાનું રાખ્યું તેને લોકોએ અશ્લીલ માન્યું અને એને શોધવા માટે એણે પોતાનો સમય કાઢવાનું પસંદ કર્યું.. ચોતરફ એ જ છે ને ?? પરિણામ એ થયું કે રાવણનાં દશ માથામાંથી આજે અશ્લીલતાનું માથું મોટું થઈ ગયું છે.
છેલ્લી વાત, આ અશ્લીલતાના આ ઘોડાપુરને શું અટકાવી ન શકાય ?? અવશ્ય અટકાવી શકાય અને તેના માટે પણ ટેક્નોલોજી જ આપણી મદદે આવી શકે. પણ આપણા શાસકોની દાનત જ જો પ્રજાને ગુમરાહ થતી રાખીને પોતાના રોટલા શેકી લેવા હોય તો એ ક્યાંથી શક્ય બને ?? ચીનમાં ગુગલ નથી, વોટ્સઅપ નથી, …તો ચીન શું પાછળ રહી ગયેલ છે ?? જગત પર રાજ કરે છે, કારણ કે તેના શાસકો લક્ષ્ય પર નજર રાખીને શાસન કરે છે. ત્યાં નેટવર્કનો ડેટા આટલો સસ્તો નથી કે, યુવાનો ભણવા ગણવાનું પડતું મૂકીને રીલ્સ બનાવવામાં મસ્ત રહે !! સર્જનાત્મકતા ખતમ કરીને આપણા મન નામના ડબ્બામાં વિકૃતિ ઠાંસોઠાંસ ભરી દેવાનું આ રાષ્ટ્ર વ્યાપી ષડયંત્ર છે.
by Bhadrayu Vachhrajani | Aug 11, 2025 | Uncategorized, સ્વૈર વિહાર - મધુવન |

રજનીશજી કહે છે કે, “પાગલ બાબાની સાથે જ મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતા–ઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”
એક રોચક વાત જાણવાથી આશ્ચર્ય થશે.
જીસસ અને મોઝેઝ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસનને પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધા અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. આ અંગે રજનીશ કહે છે. “હું પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યા.”
મગ્ગા બાબા પછી અન્ય એક વિલક્ષણ વ્યક્તિએ રજનીશના જીવનમાં આગમન કર્યું તે હતા પગલા બાબા (પાગલ બાબા). તેઓ ખરેખર પાગલ જ હતા. તેઓ રજનીશને મળ્યા તે ઘટના પણ ઘણી વિચિત્ર હતી અને તે માટે નિમિત્ત બની હતી એ સાકર નદી જેમાં રજનીશ કલાકો સુધી તરતા રહેતા હતા.
એક દિવસ તેઓ નદીમાં તરતા હતા એવામાં પાગલ બાબા ત્યાંથી પસાર થયા અને રજનીશને જોઈને તેમણે નદીમાં છલાંગ લગાવી દીધી અને બંને સાથે સાથે તરવા લાગ્યા. એ વખતે પાગલ બાબા ઘરડા હતા અને રજનીશની ઉંમર ૧૨ વર્ષ જ હતી. પાગલ બાબા થાકી ગયા તો તેમણે કહેવું પડ્યું કે,આપણે અહીં જ અટકી જઈએ. રજનીશ તો થાકે તેમ જ ન હતા. રજનીશ ૧૨ વર્ષના હતા એટલા માટે નહીં પણ એટલા માટે કે, તે તો આ નદીની માછલી જ હતા.!!
પાગલ બાબા તેમના ગામમાં આંધીની માફક આવતા હતા અને ૧૨ વર્ષના આ છોકરાને લઈને ચાલવા માંડતા. રજનીશનાં નાની કે તેમનાં માતા-પિતા પાગલ બાબાને આમ કરતાં રોકી શકતાં ન હતાં. હકીકત તો એ હતી કે તેઓ રોકાવા પણ માગતાં ન હતાં, કેમ કે તેમને ખાતરી હતી કે પાગલ બાબા પાસે તેમનો પુત્ર સુરક્ષિત હતો, સલામત હતો.
રજનીશના જીવનમાં પાગલ બાબાની બે ભૂમિકા રહી છે. પહેલી તો એ કે તેમણે આ પાગલ બાબા સાથે ઘણાં સ્થાનોની મુલાકાત લીધી અને તેઓ ઘણા મોટા કલાકારો અને સંગીતકારોને મળી શક્યા. રજનીશના જ શબ્દોમાં, “તેમની સાથે જ મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતા–ઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”
પાગલ બાબાનું બીજું યોગદાન હતું મસ્તી બાબા સાથે રજનીશની ઓળખાણ કરાવવી. પાગલ બાબા તેમના જીવનમાં અંતિમ દિવસોમાં થોડા ચિંતિત રહેવા માંડ્યા હતા અને રજનીશને એમ લાગવા માંડ્યું હતું કે, તેઓ ઘણી વ્યાકુળતાથી કોઈની રાહ જોઈ રહ્યા છે. આ વાત સાચી પણ હતી, કેમ કે તેઓ ખરેખર કોઈની રાહ જોતા હતા અને તે હતા મસ્તો બાબા એટલે કે મસ્તી બાબા. હકીકતમાં પાગલ બાબાને પોતાના જીવનના અંતનો આભાસ થઈ ગયો હતો અને તેઓ ઈચ્છતા હતા કે, મૃત્યુ અગાઉ તેઓ રજનીશને મસ્તી બાબાના હાથમાં સોંપી જાય. તેઓ આમ કરવાનું કેમ ઇચ્છતા હતા? આ અંગે પાગલ બાબાનું કહેવું હતું કે, “એવી પ્રથા છે કે કોઈ બાળક બુદ્ધત્વ પ્રાપ્ત કરવાનો હોય તો ઓછામાં ઓછા ત્રણ બુદ્ધ પુરુષ દ્વારા બાળપણમાં જ તેને માન્યતા મળી હોવી જોઈએ.” મગ્ગા બાબા પ્રથમ બુદ્ધ પુરુષ હતા જેમણે રજનીશના બુદ્ધત્ત્વને પારખી લીધું. પાગલ બાબા બીજા હતા અને હવે ત્રીજાની રાહ જોવાતી હતી જે હતા મસ્તી બાબા.
પાગલ બાબા આ દુનિયામાંથી વિદાય લે તે પહેલાં મસ્તી બાબા પહોંચી ગયા અને પાગલ બાબાએ રજનીશ સાથે તેમની ઓળખાણ કરાવતાં કહ્યું કે, “આ છોકરો (રજનીશ) મારે માટે સર્વસ્વ છે. કદાચ હું જે કરવા માંગું છુ તે આ કરી શકશે. તું તેના ચરણ સ્પર્શ કર. હું રાહ જોઈ રહ્યો હતો જેથી હું તારી ઓળખાણ કરાવી શકું.” અને આ સાથે ૩૫ વર્ષના એ મસ્તી બાબાએ ખરેખર રજનીશના ચરણસ્પર્શ કરી લીધા અને ભવિષ્યમાં પણ આમ કરતા રહ્યા.
મસ્તી બાબા યુવાન હતા અને ઘણા તેજસ્વી હતા. તેમનું વ્યક્તિત્ત્વ મહાન અને પ્રભાવશાળી હતું. બંને વચ્ચે ઉંમરમાં ૨૦ વર્ષનું અંતર હોવા છતાં બંનેનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહ્યો, કેમ કે ઉંમરનું અંતર રજનીશ માટે ક્યારેય મહત્ત્વનું રહ્યું ન હતું. જે બાળકની પોતાની નાની અને પોતાનાથી ૩૫ વર્ષ મોટા શંભુ બાબુ સાથે મિત્રતા રહી હોય તેની સરખામણીએ તો મસ્તી બાબા યુવાન હતા.
આ એ સમયની વાત છે જ્યારે રજનીશ માત્ર ૨૦ વર્ષના હતા. તેઓ મસ્તી બાબા સાથે વડાપ્રધાનના નિવાસ ત્રિમૂર્તિ ભવન ખાતે પંડિત નહેરૂને મળવા ગયા. પોતાનો વારો આવે તેની રાહ જોતા એક કેબિનેટ પ્રધાન પણ ત્યાં બેઠા હતા. હવે પછીની વાત રજનીશના જ શબ્દોમાં, “અમે અંદર ગયા અને ત્યાં પાંચ મિનિટને બદલે દોઢ કલાક સુધી રોકાયા. મસ્તી બાબાને વડાપ્રધાન સહિત બધા ઓળખે એટલે તેમને વડાપ્રધાને પહેલાં બોલાવી લીધા. આમ અમે દોઢ કલાક સુધી રોકાયા અને બહાર મોરારજી દેસાઇએ રાહ જોવી પડી. તેમના માટે આ સહન કરવું મુશ્કેલ હતું. તેમના મળવાના સમયે એક સાધુ અને એક નવયુવાન પહેલેથી ઘૂસી ગયા હતા જેને કારણે તેમને ૯૦ મિનિટ બહાર રાહ જોવી પડી.” ઉલ્લેખનીય છે કે રજનીશે પોતાના જીવનમાં જે રાજકારણીઓનો વિરોધ કરવો પડ્યો તેમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજીભાઈ દેસાઈ આજીવન રજનીશના વિરોધી રહ્યા અને રજનીશ પણ ખુલ્લેઆમ મોરારજી દેસાઈની નીતિઓની ટીકા કરતા રહ્યા. ઈ.સ. ૧૯૭૭થી ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન હતા અને આ ગાળો રજનીશ માટે અપેક્ષાકૃત કપરો સમય રહ્યો, પરંતુ વડાપ્રધાનનો મજબૂત હોદ્દો પણ રજનીશને તેમનો વિરોધ કરતાં રોકી શક્યો નહીં પણ તે અગાઉ કરતાં પણ કટ્ટર વિરોધી બની ગયા. રજનીશનું માનવું છે કે, “ત્રિમૂર્તિ ભવનની મુલાકાતના એ દિવસથી જ તેઓ મારા દુશ્મન બની ગયા.”
હવે આપણે ફરીથી રજનીશનું એક વક્તવ્ય જોઈએ જે તેમણે પંડિત નહેરુ સાથેની મુલાકાત અંગે આપ્યું છે, “જીવનમાં પહેલીવાર હું આશ્ચર્યચક્તિ થઈ ગયો, કેમ કે હું તો ત્યાં એક રાજકારણીને મળવા ગયો હતો અને હું જેને મળ્યો તે રાજકારણી નહીં પણ કવિ હતા. જવાહરલાલ નહેરુ રાજકારણી ન હતા. અફસોસ છે કે તેઓ પોતાનાં સપનાં સાકાર કરી શક્યા નહીં. તેઓ ખરેખર મહાન હતા. તેઓ એક યુવાનને બહાર સુધી મૂકવા આવ્યા, જેની જરૂર ન હતી અને પછી હું કારમાં બેઠો એટલે તેમણે જાતે જ કારનો દરવાજો બંધ કર્યો તથા કાર રવાના થઇ નહીં ત્યાં સુધી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા અને બિચારા મોરારાજી દેસાઈ આ બધું જોતા હતા. તે તો કાર્ટુન છે, પરંતુ આ કાર્ટુન હંમેશાં માટે મારો દુશ્મન બની ગયો. તેમણે મને નુકસાન કરવાના ભરપૂર પ્રયાસ કર્યા પણ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહીં.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 8, 2025 | Uncategorized |

વર્તમાન ગુજરાતમાં જે વિચારકો અને વિચાર પ્રસારકો છે તેમાં ભદ્રાયુભાઈ વછરાજાની એક અગ્રણી છે. તેમણે વર્ષો સુધી શિક્ષણ જગતમાં નોંધનીય કાર્ય કર્યું છે. યુનીવર્સીટી ક્ષેત્રે તેમણે તાલીમ સંદર્ભે અને જાતીય શિક્ષણ બાબતે ધ્યાનાકર્ષક કામ કર્યું છે. નિવૃત થયા પછી પણ તેમણે વિવિધ ક્ષેત્રે કામો કર્યા છે અને આજે પણ સક્રિય રહી તેમના જ્ઞાનનો લાભ અનેક સંસ્થાઓને આપે છે.
આ સાથે, સમાંતરે, તેઓ સાહિત્ય ક્ષેત્રે પણ સક્રિય રહી અનેક વિષયો પર લખે છે અને વક્તવ્યો દ્વારા વિચારોને જનતા સમક્ષ પહોંચાડે છે. વિવિધ વિષયો પર તેમણે ત્રીસથી વધારે પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, ગાંધીજી, ગીતા જેવા વિવિધ વિષયો પણ ખેડાણ કર્યું છે. અનુવાદ ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે તાજેતરમાં પુન: ભગવદ ગીતા પર એક મનનીય પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભગવદ ગીતા એક એવો ગ્રંથ છે જેના પર અગણિત વિચારકોને મનન કરવાનું અને લખવાનું ગમ્યું છે. પ્રાચીન કાળથી માંડીને આજ સુધી તેના પર ટીકાઓ લખાતી રહી છે. ગીતાની ખૂબી એ છે કે તે ખૂબ જ મનનીય ગ્રંથ છે. ઉપનીષદોનો સાર છે. ઉપનીશદો તો ગાઢ ચિંતન ધરાવતા અને અનુભૂતિયુક્ત ઋષિઓ દ્વારા લખાયેલા ગ્રંથો છે. એમાં ચાંચ ડુબાડવી કોઈ વિરલનું કામ છે. એટલે જ ભગવાન વ્યાસે તેના સાર રૂપે ગીતા સર્જી છે. અને, આમ તો, ગીતા પણ સમજવી એટલી જ કઠિન છે. છતાં વાંચતી વેળા એવું લાગ્યા કરે કે તે સમજાય છે. અને ત્યારે વાચકને એવી અનુભૂતિ થાય કે પોતાને જે સમજાયું છે તેને વ્યક્ત કરવું જોઈએ. એટલે શંકરાચાર્યથી લઈને આજ સુધી તેના પર અસંખ્ય ટીકાઓ પ્રકાશિત થઇ છે. આ પુસ્તક તેમાં ઉમેરો કરે છે.
પણ ભદ્રાયુભાઈ પોતાના જોખમી સાહસ બાબતે સજાગ છે. તે નોંધે છે કે :” વરસતા વરસાદનાં વહેતા પાણીમાં કાગળની હોડી તરતી મુકવા સિવાય મારી કોઈ કાબેલિયત નથી તેમ જાણવા છતાં ગીતાના અગાધ સમુદ્રમાં મારી લેખિનીના હલેસા બનાવી હું નાનકડું હોડકું લઈ તરી જવા નીકળ્યો છું તેનું મને ભાન છે.”
ગીતાનો તેમને શરૂઆતથી જ પરિચય છે. સમજ વધી પછી ગીતાના અનેક ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો જેમાં તેમને વિનોબાજીનું પુસ્તક “ ગીતા પ્રવચનો” અત્યંત ગમી ગયુ અને તેનું સતત અધ્યનન કરતા રહ્યા છે એટલું જ નહિ પણ પાંચસોથી વધારે લોકોને તે પુસ્તક ભેટ આપી આ પુસ્તકનો વ્યાપક પ્રસાર પણ કર્યો છે.
કોરોના દરમ્યાન તેમણે પુન: ગીતાનો ઊંડાણથી અભ્યાસ કર્યો. અનેક ભાષ્યો વાંચ્યા. શિક્ષકની ટેવ મુજબ દરેક અધ્યાયમાંથી મહત્વના મુદાઓ તારવતા ગયા. પછી તેના પર પોતાનું અવલોકન લખ્યું જે તેમણે પોતાની કોલમમાં રજુ કર્યું. તેના તેમને અનુકૂળ પ્રતિભાવો મળ્યા જેનાથી ઉત્સાહિત થઇ તેમણે આ પુસ્તક “ ભદ્ર્ગીતા” પ્રકાશિત કર્યું છે. ૨૨૦ જેટલા દળદાર પાનાવાળું આ પુસ્તક તેના શીર્ષકથી જ આકર્ષક બન્યું છે. ભગવાન કૃષ્ણના ચરણો પાસે બેઠેલ અર્જુન અને તેમના સામે વિશ્વરૂપ દેખાતા કૃષ્ણનો ફોટો જ વાચકને આકર્ષી જાય છે ને વાંચવા પ્રેરે છે. છેલ્લા પૂઠે મોરારી બાપુનો સંદેશ પણ વાચકને પ્રેરે છે.
ભદ્રાયુભાઈ કહે છે કે આ પુસ્તક કોઈ ભાષ્ય નથી. વિવેચન પણ નથી. પણ એક વિદ્યાર્થીએ કરેલ “હોમવર્ક” છે. તેમણે ગીતાને વિસ્મયથી જોઈ-તપાસી છે. આ વિસ્મય વહેંચવાનો તેમનો પ્રયાસ છે. ગીતાના અનંત આકાશને તેમણે આ પુસ્તક રૂપી બારીના આકાશ દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે.
પુસ્તકમાં તેમણે અઢાર અધ્યાયને ૬૫ પ્રકરણમાં વહેંચી દીધા છે. દરેક અધ્યાયને પણ ત્રણ-ચાર પેટા પ્રકરણમાં વહેંચી મુદાવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આમ તો તેમને દરેક મુદાને પોતાની જ સમજ પ્રમાણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમના પર જે ગ્રંથોનો પ્રભાવ પડ્યો છે તેના વિચાર અને અર્થઘટન તેમના અભ્યાસમાં સતત દેખાઈ આવે છે. સૌથી વધારે પ્રભાવ વિનોબાજીનો દેખાય છે. લગભગ દરેક પાને તેમનું એકાદ અવતરણ તો જોવા મળે જ છે. પોતે જે મૌલિક વિચાર રજુ કરે છે તેના ટેકા માટે પણ વિનોબાજીના વિચારનો સહારો લે છે. આ સાથે દરેક નવો અધ્યાય શરુ કરે છે ત્યારે તેને સંક્ષેપમાં સમજાવવા માટે તેઓ સ્વામી રામસુખદાસની ગીતાનો સીધો જ આધાર લે છે.
પણ તેમના વિચારને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે લાગે છે કે તેઓ ગીતામાં રહેલ ત્રણે મુદાઓ- કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તીયોગને- વિસ્તૃત રીતે સમજાવે છે. અને આ સમજ તેઓ વર્તમાન સમાજને અને વ્યક્તિઓના માનસને ધ્યાનમાં રાખી સમજાવે છે. ભલે તેઓ પોતાને વિદ્યાર્થી માને છે, પણ તેઓ તેજસ્વી વિદ્યાર્થી છે જે દરેક બાબતને ઝડપથી સમજીને તેનો સાર કહેવા સક્ષમ છે. વિનોબા કે રામસુખદાસજીને ઊંડાણથી સમજ્યા છે ને તેને સરળ ભાષામાં વ્યક્ત કરે છે. સમાંતરે ગાંધીજી, કિશોરલાલભાઈ, શ્રી મોટા વગેરેના ગીતા સંબંધી વિચારોને પણ આપી ગીતાને વદારે વ્યાપકતાથી સમજાવે છે.
પુસ્તકની બે બાબત ધ્યાન ખેંચે છે. એક તો દર છ અધ્યાય પુરા થાય પછી તેઓ આ બધા અધ્યયોના વિચારોને સાર રૂપે મુકી દે છે. આનો ફાયદો એ છે કે કદાચે કોઈ સમગ્ર પુસ્તક ન વાંચી શકે, તો આ સાર વાંચીને પણ પુસ્તકનો, એટલે કે ગીતાના વિચારોને, સમજી શકે છે. અથવા જેમણે આ પુસ્તક વાંચી લીધું છે, પણ પછી પણ તેનું અધ્યયન ચાલુ રાખવા માગે છે, તેઓ પણ સમગ્ર પુસ્તક ન વાંચી આ છ-છ અધ્યાયોનું દોહન ફરી ફરી વાંચી પોતાના અભ્યાસને ચાલુ રાખી શકે છે.
બીજું, દરેક પ્રકરણના અંતે ગીતાના જ વિચારોને સ્વતંત્ર રીતે એકાદ ફકરામાં મુક્યા છે. તે પણ નવરાશના સમયમાં મમળાવવા માટે ઉપયોગી બને છે. આમ, સમગ્ર પુસ્તક વાંચે, છ-છ અધ્યયોના સાર વાંચે કે દરેક પ્રકરણના અંતે આપેલ વિધાનો વાંચે, વાચકને તો દરેકમાં ચિંતનનો જ લાભ મળ્યા કરે છે. આ રીતે, એકી સાથે ભદ્રાયુભાઈ વાચકને વિવિધ દૃષ્ટિકોણથી ગીતાનો અભ્યાસ કરવા કે તેના વિષે ચિંતન કરવા પ્રેરે છે.
ભગવદ ગીતા તો એક સનાતન, વ્યાપક, અનંતની ઝાંખી આપતો ગ્રંથ છે. તેને ગમે તેટલી વાર વાંચીએ, કદી સંતોષ નથી થવાનો. જેમ વંચાશે તેમ તૃપ્તિ પણ થશે અને વધારે વાંચવા-વિચારવાની ઝંખના વધશે. અને આ અધ્યયન, સંભવ છે, ક્યારેક વાચકને સાધક થવા તરફ દોરશે. ગીતા માત્ર વાંચવા-વિચારવાનો ગ્રંથ નથી, સાથે નિદિધ્યાસનનો, એટલે કે જીવવાનો, પણ ગ્રંથ છે. વાંચીને જીવાશે તો વાચક-સાધક-પણ અર્જુન જેમ બોલી ઉઠશે કે “ મારો પણ મોહ નષ્ટ થઇ ગયો છે અને હું પણ સ્થિત થઇ ગયો છું.” તે પણ વિશ્વરૂપનો સ્પર્શ કરી કૃતકૃત્ય થઇ જશે. ભદ્રાયુભાઈનું આ પુસ્તક, તેમના જ શબ્દોમાં, તેમાં નાની હોડી થઇ અનંતના કિનારે લઈ જવાનો નાનકડો પ્રયાસ કરે છે.
( “ ભદ્ર્ગીતા “ : ભદ્રાયુ વછરાજાની : પ્રકાશક : નવભારત પબ્લીકેશન્સ, ૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ – 380009, ફોન : ૦૭૯-૨૬૫૮૩૭૮૭ : કીમત : રૂ. ૬૦૦. )
ભદ્રગીતા અહીંથી મેળવી શકાશે. (Click hear for link)
by Bhadrayu Vachhrajani | Feb 2, 2025 | Uncategorized |
. ‘મારી શાળા આચાર અને નવાચાર‘: પ્રવૃત્તિરત કર્મઠ શાળાઓની ભાળ કરી આપતું પુસ્તક
એક વિચાર આવ્યો કે, લાવો ને, ગુજરાતની એવી શાળાઓને શોધીએ કે જ્યાં વિદ્યાર્થી, સમાજ અને સમર્પણ આજે પણ મધ્યમાં હોય !
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના કર્મઠ કાર્યકર્તાઓ ખૂબ નક્કર અને પાયાનું કામ ગુજરાતના શિક્ષણ જગતમાં કરી રહ્યા છે. તેથી તે સૌ સાથીઓને આવી શાળાઓ સુધી પહોંચવા આહ્વાન કર્યું અને કચ્છ જેવા સાવ ગુજરાતના પશ્ચિમ બાજુની માલીસરાવવાંઢ પ્રાથમિક શાળા મળી આવી, તો બીજી તરફ સાતપુડાની પર્વતમાળાની મધ્ય શોભાયમાન ગોરા પ્રાથમિક શાળા કે જે નર્મદાના પુનર્વસન નિર્માણથી શરૂ થઈ છે, તે પણ નજર સામે આવી. હા, આવી શાળાઓ ઝાકમઝોળ કે વિદ્યાર્થી આંકડામાં લડખડાતી લાગે પણ તેના એ શિક્ષણસાધકોને સલામ કરવી પડે કે તેઓ આવી અલ્પ સુવિધા કે વિદ્યાર્થીઓની વચ્ચે પણ હતોત્સાહિત થયાં વગર સતત એક પલાંઠી વાળીને ધૂણી ધખાવી છે. તેઓ ગુજરાતની આપણી ૩૨૦૦૦થી વધુ પ્રાથમિક શાળાઓને ‘મારું કામ એ જ મારો સંદેશ”ની પંચ લાઈન આપી રહ્યા છે. આ પુસ્તક દ્વારા શાળાશિક્ષણમાં જીવનના સાર્વત્રિક ક્ષેત્રે પિંડ ઘડતરમાં ચાકડાના ટપલાનું કામ કરતી સંસ્થાઓ પર અજવાળું રેખાંકિત કરી સૌને પથદર્શક બનાવવાનો લ્હાવો સંપાદક અને નિવૃત્તિ પછી પણ સતત પ્રવૃત્ત રહેતા શ્રી તખુભાઇ સાંડસુરે આપણને આપ્યો છે.
શાળાઓ રાષ્ટ્ર નિર્માણના ચેતનાકેન્દ્ર છે તે વાત લગભગ આ તમામ સંસ્થાઓ પ્રતિપાદિત કરે છે. મહેસાણાની બાલસાસણ અને ભાન્ડુપરા અને દૂધાભાઈની અમીરગઢ તથા વિમલભાઈની જિગર ટુકડો એવી ભાડજ સરકારી શાળા શિક્ષણમાં આશાવાદને ઓક્સિજન આપે છે. તેમના પ્રયોગોની એક પછી એક ચર્ચા કરવા બેસીએ તો લેખ જરૂર કરતાં વધુ લંબાઈ જાય, પણ એટલું જરૂર કહીએ કે ત્યાં જે થાય છે તેને ગુજરાત અનુસરે તો જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષકો દેવદૂત છે.
અહીંની અનુક્રમણિકા જ શાળાની વિશેષતાને આગળ ધરે છે.
- સંસ્કાર તીર્થ : શિલ્પ અને શિલ્પકારો…
- જીવન અને પ્રકૃતિનું સાધનાતીર્થ : નારાયણ વિદ્યાવિહાર,…
- કડીરૂપ કાર્યમાં સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ, કડી…
- શિક્ષણ, ધર્મ અને સંસ્કૃતિનું ત્રિમંદિર : ઉ.બુ. વિદ્યાલય સાગોડિયા…
- પ્રવૃત્તિઓ અમારો પ્રાણ : ભાવિન વિદ્યાવિહાર…
- વિજ્ઞાન અને રમકડાં : બાલસાસણ શાળાની આગવી ઓળખ…
- કામથી ઊજળાં અમે : ભાડજ પ્રા.શાળા…
- ભાન્ડુપરા પ્રાથમિક શાળાની ‘અનુપમ’ વાત…
- મોડલ શાળા : શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળા…
- ટ્વેન્ટી ફોર બાય સેવન છાત્ર સંગાથી : શ્રી ચારોડિયા પ્રાથમિક શાળા…
- નો પ્લાસ્ટિક પ્લીઝ : અમીરગઢ શાળા…
- શૂન્યથી સો સુધીની સફર : માલીસરાવાંઢ પ્રા. શાળા…
- છાપરાની દીકરીઓનો અવાજ: હમ ભી કહાઁ કમ હૈ…
- શ્રેષ્ઠતાના માર્ગે : સદનપુર પ્રાથમિક શાળા…
- રાઈનો દાણો નહીં, રોડમેપ ગોરા …
પુસ્તક મેળવીને પણ રસપૂર્વક વાંચી જવા જેવું છે. આપણે તો તેની કેવળ એક ઝલક મેળવી શકીશું.
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના વરદ હસ્તે સ્થપાયેલ, શ્રી લાલેશ્વર મહાદેવના સાંનિધ્યમાં તેમજ પવિત્ર એવી સરસ્વતી નદીના તીરે વસેલા સાગોડીયા ગામનાં સીમાડે બાવળિયાઓનું રાજ. ખારોપાટ એવી ધરા ઉપર સદ્ગુરુ શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબનાં પાવન ચરણો પડતાની સાથે જ આ છેવાડાની ભૂમિ જાણે નવપલ્લિત થઈ. મહારાજ સાહેબશ્રીએ ઈ.સ.1966 વસંત પંચમીના પવિત્ર દિને આ ધરા ઉપર એક આશ્રમની શરૂઆત કરી. આ આશ્રમ સ્થાપવા પાછળનો એકમાત્ર હેતુ શિક્ષણના પ્રસાદ અને આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા છેવાડાના માનવીનો ઉદ્ધાર કરવાની હતી. મહારાજ સાહેબશ્રીના દ્વારા રોપાયેલા આ સંકલ્પ બીજને હજાર જેટલા ગ્રામજન-સેવકોએ સિંચ્યું અને સર્વમંગલમ આશ્રમ નામે તેને વટવૃક્ષ બનાવ્યું. ગ્રામજનોએ ગુરુદેવના પવિત્ર સંકલ્પને સાકાર કરવા માટે માત્ર સમયનું યોગદાન જ નહીં, પરંતુ પોતાની પાસે રહેલી ભૂમિનો પણ મોટો હિસ્સો ગુરુજીનાં ચરણે ધરી આશ્રમને વિકસાવવામાં ફાળો આપ્યો. ઘણી અગવડો નાણાંની અછત, તેમજ વીજળી-પાણીની તંગી જેવાં અનેક વિઘ્નોને પાર કરતાં-કરતાં આશ્રમ વિકસિત થતો ગયો અને સમયાંતરે દાતાશ્રીઓ દ્વારા આશ્રમને મળેલ દાન દ્વારા ગૌશાળા, વૃદ્ધાશ્રમ, ધ્યાનકેન્દ્ર આત્મ આરાધના કેન્દ્ર શાળા તેમજ વિદ્યાર્થીઓને રહેવા માટે સુવિધાજનક હોસ્ટેલનું નિર્માણ થયું. અત્રે ઉલ્લેખનીય છે કે ઈ.સ. ૨૦૦૧માં આવેલા કારમા ભૂકંપ પછી અનાથ બનેલાં કેટલાંય બાળકોને ગુરુજીની સૂચનાથી કચ્છમાંથી સાગોડિયા આશ્રમમાં લાવવામાં આવ્યાં. વિનામૂલ્યે શિક્ષણ, રહેવા-જમવાની સુવિધા તેમજ અન્ય જીવનજરૂરિયાતની ચીજો પૂરી પાડી, ભૂકંપમાં અનાથ થયેલાં બાળકોને માતા-પિતાની છત્રછાયા આશ્રમે જ પૂરી પાડી.
“જીવનજ્યોત જ્ઞાનમંદિર”થી નામાભિધાન થયેલ આ શાળા શ્રીમતી લીલાવતી પોપટલાલ શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સર્વપ્રથમ સંવાહિકા તરીકે શ્રીમતી રમીલાબહેન ગાંધી નિમાયાં અને તેમણે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ધાર્મિક કાર્યો તેમજ છાત્રાલયની પ્રવૃત્તિને એવી તે વેગવંતી બનાવી કે તેમનાં કાર્યોની સુવાસ પાટણ સુધી સીમિત ન રહેતાં સમગ્ર ગુજરાતમાં પહોંચી ગઈ. અત્યંત કોઠાસૂઝથી કામ લઈ તેમણે શાળા જ નહીં પરંતુ સર્વમંગલમ આશ્રમને ગૌરવરૂપ બનાવ્યું. સાવ વાડોલિયું કરેલી ત્રણ ચાર પતરાંવાળી ખીટડીમાં આશ્રમ છાત્રાલય અને શાળાનું કામકાજ ચાલે દુવિધા અને સુવિધા જેવાં શબ્દની મથામણમાં પડવાનું જ નહીં. “આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય’ એવી નેમવાળા તમામ કર્મચારીઓ દ્વારા શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી જ રહી.
શાળાના શિક્ષિકા શ્રી નયનાબહેન સુથાર દ્વારા “અનુપમ કોર્નર’ નામનો એક નવો જ કૉન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો. જેમાં સાત પ્રકારના અનુપમ નોર્મ્સને “ઑલ ઈન વન” કહી શકાય તેવી રીતે “અનુપમ કોર્નર”માં સમાવિષ્ટ કર્યા છે. આ કોર્નરને ચારેબાજુ નીચે પૈડાં લગાવેલ હોવાથી જ્યાં લઈ જવો હોય ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. આ રહ્યા એ નોર્મ્સ…
આજનું ગુલાબ ::જે બાળક ચોખ્ખું-સ્વચ્છ થઈને શાળાએ આવે છે તેને ‘આજનું ગુલાબ’ બનાવી, ગીત ગાઈ પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આજનો દીપક :: જે બાળકનો જન્મદિવસ હોય તેને ગીત ગાઈને શુભકામના પાઠવવામાં આવે છે.
રામદુકાન :: જેમાં શૈક્ષણિક સાધન-સામગ્રીની કિંમત લખેલી જ હોય છે. બાળક જાતે જ કિંમત વાંચી, વસ્તુ લઈ રામદુકાનમાં પૈસા નાખે છે.
ખોયા–પાયા :: બાળકને કોઈ પણ વસ્તુ જડે કે પછી જે વસ્તુ પોતાની ન હોય તે આમાં નાખે છે અને જો પોતાની વસ્તુ ખોવાઈ હોય તો આમાંથી પાછી મેળવી લે છે.
અક્ષયપાત્ર :: દરેક ધોરણનાં બાળકો દરરોજ વારાફરતી માચીસની પેટીમાં સમાય તેટલા દાણા લાવી આમાં નાખે છે. પછી તે દાણા શાળામાં રહેલ ચબૂતરા પર નાખવામાં આવે છે.
વાર્તાથી વિચાર :: વાર્તાનાં પુસ્તકો મૂકેલાં હોય છે. બાળકને જે પુસ્તક વાંચવું હોય તે પુસ્તક જાતે જ લઈને તેનું વાંચન કરી શકે છે.
અક્ષય પોષણ :: જે બાળકનો જન્મદિવસ હોય છે તે બાળક ચોકલેટના બદલે પોતાની યથાશક્તિ મુજબ મગ લાવીને આ પાત્રમાં નાંખે છે. સમયાંતરે તેમાંથી ‘મગચાટ’ અને ‘મગ—ભાત’ બનાવીને બાળકોને પીરસવામાં આવે છે. બાળકોનો શારીરિક વિકાસ સારો થાય તે હેતુથી શાળામાં આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. મહિને એકાદ વખત વારાફરતી શિક્ષકો દ્વારા ‘તિથિ ભોજન’ પણ આપવામાં આવે છે.
( શાળાઓના વિકાસમાં પડતી તકલીફો અને તેને એક બાજુ મૂકીને કેમ એક સુંદર જ્ઞાનવર્ધક પરિસર બનાવી શકાય તેનો સર્વાંગી ચિતાર આપતું આ પુસ્તક મેળવવા માટે મોબાઈલ 9427560366 પર સંપર્ક કરી શકાશે .)
by Bhadrayu Vachhrajani | Dec 24, 2024 | Uncategorized |

…તારી કરુણાનો કોઈ પાર નથી…
….આવો વિચાર જેને આવે તે સંત અને એ સંત એટલે મોરારિબાપુ !!
સૌને આશ્ચર્ય છે કે, મોરારિબાપુ ગુજરાતમાં હવે હેલિકોપ્ટરમાં જ આવ જા કરે છે !! આશ્ચર્ય સકારણ છે. બાપુના એવા અનેક ચાહક યજમાનો છે કે જેને માટે બાપુ સર્વસ્વ છે. બાપુને તકલીફ ન પડે તેની તેઓ સદાય કાળજી લેતા હોય છે. ..પણ આ સેવા માટે બાપુની અપાર કરુણા જ મુખ્ય છે.
“સત્ય – પ્રેમ – કરુણા” નું જીવન સૂત્ર લઈને બાપુ વિશ્વભરમાં માનસની પોથી દ્વારા વ્યાપી ગયા છે. બાપુ કહે છે કે, “સત્ય ખુદ માટે, પ્રેમ સામેના જીવ માટે અને કરુણા સૌ માટે !” અને આ સૌ માટેની કરુણા બાપુના જીવનનાં ડગલે ડગલે વરસે છે.
હમણાં બે ઘટના એવી બની કે, સૌને બાપુએ વિચારતા કરી મુક્યા.
બાપુ જોડિયાથી ગીતા જયંતિ નો ઉત્સવ પૂર્ણ કરી તલગાજરડા હેલિકોપ્ટરમાં પધાર્યા. તેઓને મૂકીને હેલિકોપ્ટર તો પાછું અમદાવાદ જતું રહેવાનું હતું. પણ નિયમ મુજબ છેક અમદાવાદ સુધીની વિત્તજા સેવા તો કરી દીધેલ હતી. હવે જુઓ, અહીં બાપુની કરુણાને વિચાર આવ્યો કે, હેલિકોપ્ટર ખાલી અમદાવાદ જાય એની બદલે તેમાં કોઈને સફર કરાવીએ તો ?? બાપુએ ત્યાં હેલિપેડ પર જે ત્રણ સેવકો હતા એમને કહ્યું કે, તમે અમદાવાદ સુધી ઉડી આવો. વળતાં બસમાં આવી જજો. બસની ટિકિટ અને હાથ ખર્ચીની રકમ સૌના હાથમાં આપી “જય સિયારામ” કહીને હેલિકોપ્ટર ઉડ્યું. સૌ વિચારતા રહી ગયા કે, આવો વિચાર તો બાપુને જ આવે!
વાત આટલેથી અટકતી નથી. બાપુ બારડોલી અને અમદાવાદનો પુરુષોત્તમભાઈને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂર્ણ કરી બાપુ હેલીકોપ્ટરમાં તલગાજરડા આવવા નીકળ્યા. બાપુએ ફરી કરુણા વરસાવી. આ ઉડન ખટોલાનું બધું તો છેક અમદાવાદ સુધીનું અપાઈ ગયું છે. તરત બાપુએ નીલેશભાઈને કહેણ મોકલ્યું કે, ચિત્રકૂટધામના સેવક વિઠ્ઠલભાઈ અને બાપુનાં ઘરે સેવા કરતાં ઉજી માડી અને રસીલા માડીને હેલિકોપ્ટરમાં બેસી અમદાવાદ ફરી આવવાનું કહો. તેઓને બસની ટિકિટ અને હાથ ખર્ચીના આપી દેજો. હેલિપેડ ઉપર વિઠ્ઠલભાઈ ને બે માડીઓ તૈયાર હતાં. બાપુ ઉતર્યાને ત્રણેય સેવકો તેમાં બેસી ઉડ્યા !
નાના માણસ માટે આમ ચાર્ટર ફ્લાઈટ માં સેર કરવી એ જીવનનું ક્યારેય પૂરું ન થનારું સ્વપ્ન હોય છે. અશક્ય જ રહેવા ટેવાયેલા આ નાના માણસના સ્વપ્નને બાપુએ સાકાર કર્યું !! જરા વિચારીએ કે વિશ્વ સ્તરે જેમનો પડ્યો બોલ ઝીલવા અનેક લોકો રાહ જુએ છે તેવા જગ વિખ્યાત વ્યક્તિ નાના સેવકોને યાદ કરે ખરા ?? કોઈ ન કરે તો તે જાણે પણ બાપુ તો કરે જ.
આવો વિચાર જેને આવે તે સંત અને એ સંત એટલે આપણા સૌના પ્રિય મોરારિબાપુ.
સંત પરમ હિતકારી….. આ સૂત્ર બોલાતું બહુ સાંભળ્યું છે, પણ અમલમાં મુકાયું હોય એવું બહુ ભાળ્યું નથી. બાપુ અશક્યને શક્ય કરનાર યુગપુરુષ છે.
ભદ્રાયુ ના જય સિયારામ
+++++++++++++++++++++
વિગત+ફોટાનું સૌજન્ય:
નીલેશભાઈ,
સંગીતની દુનિયા, મહુવા
by Bhadrayu Vachhrajani | Nov 28, 2024 | Uncategorized |
“નરસિંહ મહેતાએ એકોતેર કુળ તાર્યા.. હું કબૂલ કરું કે, મારું મૂળ તો સાહેબ અહીંયા છે, જૂનાગઢમાં.. એટલે મને લગાવ છે. અમસ્તુ અમસ્તું કાંઈ થતું નથી. જીવણદાસ મહેતા નાગર કૉંજળી ના નાગર અને ધ્યાનસ્વામી બાપા એક અવધૂત અદભુત સંત સૌરાષ્ટ્રમાં આવ્યા અને એમની પાસે જઈને એમણે દીક્ષા લીધી. પણ એમણે કહ્યું કે, જીવણદાસ મહેતા તમે નાગર છો. એક જ્ઞાતિમાં આબદ્ધ છો. પણ હું તો એ બધાથી ‘જાતિ પાતી નહીં રે હરિ કેરા દેશ’ માં એવો એક સાધુ છું. હું દીક્ષા આપું પણ એક શરતે, તમારે વિરક્ત નથી રહેવાનું, તમારે ગૃહસ્થ થવાનું છે. અને જીવણદાસ મહેતા કોંજળી માં આખો આજે મહેતા પરિવાર છે. કાલ સુધી યોગેન્દ્રભાઈ મહેતા, યોગિનીબહેન મહેતા જે ફિલોસોફીસ્ટ હતા તે ભાવનગરમાં રહેતા હતા. સાહેબ, કોંજળીમાં હજી નાગર પરંપરાના લક્ષણો છે.
હું જાણું ત્યાં સુધી, હવે ખબર નહિ હવે ભેળાઈ ગયું હોય તો… કોંજળી એટલે તલગાજરડાથી બે કિલોમીટર દૂર. વચ્ચે વાયા પીઠોરીયા હનુમાન. ત્યાં કોઈ બીડી નોહ્તું પીતું, ત્યાં નાગર પરિવાર સિવાય કોઈ પાન ન ખાતું. આ લક્ષણો મેં મારી નજરે જોયેલા છે. એવા સમયમાં એ જીવણદાસ મહેતા મૂળ નાગર પુરુષ, અમારી સાત પેઢી તરી. એકોતેરતો નહિ, ભદ્રાયુભાઈ…પણ સાત તરી, મારા બાપ. જીવણદાસ મહેતા ગૃહસ્થ થયા અને એના દીકરા પછી ગૃહસ્થને ત્યાં જન્મ્યો એ નારાયણદાસ બાપૂ. નારાયણદાસ બાપૂને ત્યાં જન્મ્યો એ પ્રેમદાસ બાપુ. પ્રેમદાસબાપૂ ને ત્યાં જન્મ્યો એ રઘુરામ બાપૂ, રઘુરામબાપૂ ને ત્યાં જન્મ્યો એ ત્રિભુવનદાસ દાદા,,, ત્રિભુવનદાસ દાદા ને ત્યાં જન્મ્યા એ પ્રભુદાસ બાપૂ, અને એને ત્યાં જન્મ્યો એ મોરારી બાપુ… અમારા સાતેય કુળ તાર્યા. અમારા તો સાતેય તરી ગયા અને હું તો આ માનસ નાગરમાં નરસિંહ મહેતાનો મોટો ભંડારો કરવા આજે જૂનાગઢ આવ્યો છું.
મારા બાપ નરસિંહ મહેતાની તો એક જ હૂંડી સ્વીકારી હશે. તલગાજરડાની મારા ઠાકુરે અનેક હૂંડી સ્વીકારી. એનો આ જ 21મી સદીનો અનુભવ તમને કહું છું. એ આ સંતોની કૃપા, મને જૂનાગઢ કોલેજ કરવાની શું કામ ઈચ્છા થઈ ? જૂનાગઢ કરતાં ભાવનગર નજીક હતું. પણ મારા મનમાં ક્યાંક ચેતનામાં કે જો આગળ ભણવું હોય તો જૂનાગઢ ભણવું કારણ કે ત્યાં મારો નાગરો થયો છે. આ મારી ચેતના ઝંખતી હતી. ભલે બહાઉદીન કોલેજે મને એડમિશન ન આપ્યું. કેમ ન આપ્યું ને… મને સાવ આટલા માર્ક્સમાં ?? જાઓ પાછા … આમ સૌ ચોખ્ખી ધડ દઈને ના પાડી . જેમ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધ માટે નરસિંહ મહેતો જૂનાગઢની બજારમાં ઘી લેવા નીકળ્યો અને જયારે ખબર પડી વ્યાપારીઓને કે આના પૈસા તો મહિના દિવસ પછી આવશે એટલે ધડ દઈને ના પાડી દેતા હતા, એમ બાઉદીન કોલેજના પ્રિન્સિપાલે મને ધડ દઈને ના પાડી. ને સાહેબ મોરારી બાપુએ પછી નક્કી કર્યું કે, જૂનાગઢની કોલેજ આપણને ન ભણાવે તો કાંઈ નહિ પણ જૂનાગઢ જિલ્લામાં તો ભણવું છે, જ્યાં મારી નાગરી ચેતના ઘૂમી રહી છે. અને તેથી હું શાહપુર ભણ્યો. જૂનાગઢ જિલ્લાએ મને પી.ટી.સી. બનાવ્યો. પી.ટી.સી. કાંઈ જેવી તેવી … જુનીયર પી.ટી.સી. પછી સિનિયર ઘરે બેસીને… એટલે તમે એમ ના માનતા કે બાપુ સાવ ઠોઠ છે.
તમને કહું કે, પહેલો વહેલો મને માસ્તરમાં નોકરીમાં લીધો એ પણ એક નાગર હતો, ઉમા કાન્ત વોરા.. જેમણે મને પહેલી વખત નિમ્યો પ્રાઇમરી ટીચર તરીકે એ નાગર હતો. યાદ છે. એમનો નિમણૂક પત્ર મને મળેલો. એટલે નાગરનું ઋણ છે. ત્યાં કથા કરી, પછી અધ્યાપન મંદિરમાં કરી, આપણે સોમનાથ નો ફાંટો ફાટે, એ પછી આમથી વેરાવળ આવીએ ને આમથી આમ આવીએ ત્યાં વચ્ચે અધ્યાપન મંદિર આવે. છાયાસાહેબ પ્રિન્સિપાલ હતા. ત્યાં એક કથા કરી પછી જ શિશુ મંગલ કથા કરી. ભીખુદાનભાઈ મને કહે કે, મારા બાપુજી તમને સાંભળવા આવતા.
અને પછી તો પુષ્પાબેન, મારા ઉપર થોડી ગુરુ કૃપા કે હું એમને થોડોક આમ કબુલ થવા માંડ્યા. નહિતર એના વિચારો એટલે… સ્વાભાવિક છે. તો કહેવાનો મારો અર્થ એ બાપ કે, ત્રણ ત્રણ કથાઓ મેં એની પાસે કરી. નહીંતર એનું મને થોડુંક ‘એવું’ હતું. પણ જૂનાગઢમાં તો મંડાણ જ એમને જ કરાવેલું. એ મારા બૂચસાહેબ..વિક્રમભાઈ બુચ. આ બધા આયોજકો હતા એ મને યાદ છે. આ બધા વિષ્ણુ સહસ્ત્રનામ છે મારા માટે. તો બાપ આખું જગત બ્રહ્મમય લાગે.
અને હું મારા શ્રોતાઓને હૃદયથી કહું સાહેબ. થોડું થોડું સમજાયું છે એ કહું કે તમને ત્યાં સુધી બીજો તમારાથી નાનો દેખાય કે આ મારા માટે ઓછું ભણેલો છે, કે મારા કરતાં એની પદવી નીચી છે, કે આ મારા કરતાં જાતનાતમાં જરાક ઓલો છે, કે મારા કરતાં આમ પેલો છે એવું જ્યાં સુધી તમને બીજું દેખાય ત્યાં સુધી યાદ રાખજો, તમારું કે મારું મન શુદ્ધ નથી થયું સાહેબ.
જેનું મન શુદ્ધ થશે તેને આખું જગત બ્રહ્મમય ભાસશે. આ જગતમાં આંખ ઉઘડે ને ખબર છે કે બધું શુદ્ધ જ છે, અશુભ કાંઈ છે જ નહીં સાહેબ. જેને આ સમજાય જાય એને બ્રહ્મમય દ્રષ્ટિ મળી , સમજો.”
by Bhadrayu Vachhrajani | Nov 23, 2024 | Uncategorized |

અઢારમો અને છેલ્લો અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર…આપણને જીવનમાં ગીતા બોધનું માર્ગદર્શન આપે છે.
સાચો ભક્ત તો ઈશ્વરને હંમેશાં એમ જ કહેશે કે, આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ કે જેને જીવનનું અંતિમ ફળ માનવામાં આવે છે તે મારે નથી જોઈતું. કારણ મુક્તિ એટલે એક જાતની ભક્તિ જ નથી શું ? મોક્ષ એ પણ એક ભોગ છે, ફળ છે. ‘આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવ’, એવું ભગવાન કહે છે.
પ્રેમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી.મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. ‘તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતા-શોધતો તારી સામે આવીને ખડો થાય.’ સાધકે સાધનામાં જ રંગાઈ જવું, માતે સંશોઘ્ન ર્મળિ માહો રાગ ગર્મમા, અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલાં જ કહ્યું છે. હવે ફરીથી છેવટે પણ ભગવાન આપણું ધ્યાન દોરે છે. ‘અહં ત્યાં સર્વપાપેખ્યો મોક્ષ કુંષ્યામિ મા સુવ:’હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું નાચિંત થઈ જા. મોક્ષ આપવાવાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે. સાધનાની ફિકર કર, મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ બિચારી મોહિત થઈને તારી પાસે આવશે.’
નિરપેક્ષ વૃત્તિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો છે. તેના ગળામાં મોક્ષ લક્ષ્મી
વરમાળા પહેરાવે છે. ‘સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા’. હું કંઈક કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. નાનો છકરો સાચું બોલે છે, પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી, કારણ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે. સિદ્ધાવસ્થામાં જે નિસિદ્ધ છે, તે ત્યાં નામનુંય ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી નથી, જે થવું જોઈએ તે હાથથી કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું, પણ આપમેળે ટળી જાય છે. આવી એ નીતિશૂન્ય અવસ્થા છે. આ જે સાધનાની પરકાઠા, આ જે સાધનાની સહજાવસ્થા, તે નીતિનો પરમ ઉત્કર્ષ છે.
આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા, તેનો પહેલો પ્રસિદ્ધ ઉદ્ગાર છે ને ! ‘આ વિશ્વમાં જે – જે કંઈ છે તે હું છું’. જ્ઞાની પુરુષ નિરંકાર હોય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે. એ જ વખતે તેને ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. એ અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી. ભાવાવસ્થા એ ક્રિયા અવસ્થા નથી.
આ ભાવાવસ્થાની માફક જ્ઞાનીપુરુષની ક્રિયા અવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે ? તે જે જે કંઈ કરશે તે બધું સાત્ત્વિક જ હશે. બીજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખોય દેહ, એની બધી ઈન્દ્રિયો, એ બધા સાત્ત્વિક થયેલા હોવાથી તેની અંદર તેની દરેક ક્રિયા સાત્ત્વિક જ થશે. ભાવાવસ્થા અનેક ક્રિયા અવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી
એક સ્થિતિ છે. જેને જ્ઞાન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી. પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને દીવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી, તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી. આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં સાધનાની પરકાષ્ટાની દશામાં સંભવે છે.
આ જે અક્રિયા અવસ્થા છે. છેવટની દશા છે, તેને પોતાની રીતે કેવી રીતે કરવી ? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો કરવો પડે. હું કેવળ નિમિત્ત માત્ર છું. કર્મનું કર્તૃત્વ મારી પાસે નથી, એ મનન કરતાં રહેવું. આ અકર્તૃત્વ વાતની ભૂમિકા પહેલાં નમ્રપણે સ્વીકારવી. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જનથી એવી જ્ઞાનીની અવસ્થા પ્રાપ્ત થશે.
એ અવસ્થામાં પાછી અગાઉ કહેલી ત્રણ અવસ્થા છે. એક તેની ક્રિયાવસ્થા. બીજી ભાવાવસ્થા. જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે. પણ તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં.
અઢારમાં અધ્યાયના અંતમાં એક સરસ મજાની વાત ભગવાન કરે છે. ભગવાને શરૂઆતમાં અર્જુનને એક વખત કહ્યું કે, ‘હે અર્જુન, આજે મેં બધું તને કહ્યું તે તું બધું બરાબર સમજ્યો હોઈશ. હવે તારો વિચાર કરીને તને જે સુજે તે કર.’ ભગવાને અર્જુનને મનની મોટાઈથી છૂટ આપી છે.
by Bhadrayu Vachhrajani | Nov 17, 2024 | Uncategorized |


સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર પડે, એ કાંઈ સારું કહેવાય ?? ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ તો કહે છે : ‘અમને માવતર જોઈએ છે.’.!!!!!
વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે કે, સમાજમાં વૃદ્ધાશ્રમોનું હોવું એ કાંઈ સારું કહેવાય?? દરેકના મનમાં ઊભી થતી શંકા કઈ સમજતી અને કયા શબ્દોથી સ્પષ્ટ કરવી તે સમજાતું નથી, કારણ એ છે કે, આપણા સમાજે ‘વૃદ્ધાશ્રમ’ શબ્દને એક નજરે અળખામણો કરી દીધો છે. જો કે, શંકા સાવ ખોટી પણ નથી, એટલા માટે કે, આપણા દેશમાં અને એમાં પણ ગુજરાતમાં ખાસ કરીને વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે. સદભાવના વૃદ્ધાશ્રમના ભેખધારી સેવક ધીરુભાઈ કાનાબારના કહ્યા પ્રમાણે, ગુજરાતની અંદર 163 વૃદ્ધાશ્રમો છે. એનો અર્થ એવો છે કે, વૃદ્ધોને અમુક ઉંમર પછી સાચવવાનું એના દીકરા દીકરીઓ કે દીકરી અને જમાઈ કરી શકતા નથી એટલે એમની પાછળની અવસ્થાએ એમને આશ્રમમાં સ્થાન આપવામાં આવે છે. વૃદ્ધોને માનભેર જીવવાનું આશ્રમ એટલે વૃદ્ધાશ્રમ છે, એવી વ્યાખ્યા કરી શકાય.
પ્રશ્ન એ વિચારવા જેવો છે કે, આવું કેમ બને છે ? સમાજ કેમ આ પ્રકારના ટિપિકલ વૃદ્ધાશ્રમોમાં વધારો કરતો જાય છે ? આપણને બે બાબતો જવાબમાં મળે છે. એક: વૃદ્ધો પોતાની અસહાય અવસ્થામાં ક્યાં જઈને રહીશું અથવા કોની સારવાર લઈશું અથવા તેનો ટેકો કોણ કરશે એ ચિંતામાં ને ચિંતામાં મોટા થતા હોય છે. એ ભય ધીમે ધીમે એમની ઉંમર સાથે વધતો જતો હોય છે, પરિણામે વૃદ્ધાશ્રમમાં જતા પહેલાંના ચાર પાંચ વર્ષોમાં કુટુંબનું વાતાવરણ એવું તંગ બની જતું હોય છે કે, દીકરો વહુ કે દીકરી જમાઈ અને વડીલો વચ્ચે તનાવ ઉભો થતો રહે છે.
આપણા સમાજમાં એવું પણ કહેવાય છે કે, કોઈપણ વૃદ્ધ દીકરાને લઈને વૃદ્ધાશ્રમમાં જતા નથી, પણ તેમણે દીકરાની વહુને લઈને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે !! આ જ વાતને જો જરાક ઉલ્ટી વિચારીએ તો એવું કહી શકાય કે, આપણી દીકરીઓ ભૂલી જાય છે કે, હું આ ઘરની વહુ છું એટલે મને કદાચ સાસુ સસરા સાથે ફાવતું ન હોય તેવું બની શકે પણ,, આવી જ એક વહુ મારા ઘરે પણ છે, જેને મારો ભાઈ પરણીને લઈ આવ્યો છે, એને પણ જો એના સાસુ સસરા પ્રત્યે ધીમે ધીમે કરતા દ્વેષ થતો જશે તો એવું બનશે કે આ ઘરમાંથી હું બે વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલીશ ત્યારે સામે મારા ઘરમાંથી પણ બે વડીલોને વૃદ્ધાશ્રમમાં જવાનું થશે. દીકરી દીકરી તરીકે જો વૃદ્ધોને અપાર પ્રેમ કરી શકતી હોય તો, એ બીજા ઘરે ગયા પછી વહુ તરીકે પોતાના બીજા મા-બાપને કેમ એટલો પ્રેમ નહીં કરી શકતી હોય એ સંશોધનનો વિષય છે અને આ સત્ય પણ છે.
આપણે સમાજનું ઘડતર જ એવું કર્યું છે કે, દીકરી મોટી થાય ત્યારથી આપણે તેને મનમાં સતત સાસરું , સાસુ, સસરા, નણંદ આ બધા પાત્રો પ્રત્યે ઝીણી શંકા અને એક પ્રકારનો અણગમો ઉત્પન્ન થાય તેવું ઠાલવતા હોઈએ છીએ અને ફલતઃ જ્યારે ખરેખર દીકરી કોઈના ઘરે જાય છે ત્યારે એને સસરો કોઈ ‘બીજો માણસ’ લાગે છે, સાસુ એને કોઈ બીજું ‘ટીકાખોર’ પાત્ર લાગે છે. નણંદ પોતાના વ્યવહારોમાં વાંધો ઊભો કરતી સ્ત્રી લાગે છે અને આથી જે એક દિવાલ રચાય છે એ ધીમે ધીમે કરતાં વૃદ્ધાશ્રમ તરફના ડગલા મંડાવા ફરજ પાડે છે. બીજું એક કારણ એવું પણ છે કે, વડીલો પોતાની વધતી ઉંમર સાથે પોતાના આગ્રહો, હઠાગ્રહો, ગમા અને અણગમાઓ, કેટલાક પૂર્વગ્રહો એવી રીતે મોટા કરતા જાય છે કે, તેઓ પોતે મોટી ઉંમરના થાય ત્યાં સુધીમાં દીકરા-વહુ અને સાસુ – સસરાની વચ્ચે એક ન દેખાય તેવી દિવાલ ઊભી કરી ચૂક્યા હોય છે. એક સાદું ઉદાહરણ લઈએ કે દીકરા અને વહુ ને ઘરે જ્યારે સંતાન આવે ત્યારે એનું બચપણ સાચવવાનું કામ દાદા દાદી ચોક્કસ કરી શકે. એમને વહાલ કરવાનું, એમને પ્રેમ કરવાનું, એમને સારા મજાના સંસ્કારો પાડવાનું, બાળક સાથે રમતમાં સમય વિતાવવાનું, કેટલાક સ્તોત્રો કે શ્લોકો બોલાવવાનું, હળવી પ્રવૃત્તિ કરવાનું અને સુટેવો ઘડવામાં દાદા દાદી બહુ મોટો ફાળો આપી શકે. આથી ઊલટું પણ થાય છે કે, જ્યારે સંતાનને એક સૂચના માતા પિતા આપતા હોય ત્યારે એ સૂચનાને નહીં અનુસરવાનું વલણ વડીલ તરીકે દાદા દાદી અજાણતાં શીખવે છે. વડીલો એવો ભાવ નથી ઉત્પન્ન કરતા કે સંતાને એના મમ્મી પપ્પા કહે તેમ કરવું જોઈએ અથવા તો ‘મમ્મી પપ્પા સાચી સૂચના આપે છે અને એને ગણકારીએ નહીં, તે ન ચાલે’,, આવું કહેવાનું જોખમ કોઈ દાદા દાદી લેતા નથી. એટલે ઘણા ઘરની અંદર આપણે જોયું છે કે, દાદા કે દાદી એ હકીકતમાં દીકરા વહુના સંતાન માટે ઊભી થતી જોખમકારી પ્રવૃત્તિને લઈને વૃદ્ધાશ્રમમાં જતાં હોય છે.
આપણે જો નિષ્પક્ષ બની વિચારીએ તો એ સાર ઉપર પહોંચી શકીએ કે, આ બાબતમાં બંને પક્ષોએ એકદમ સાવધ રહીને આગળ વધવાનું રહે છે. બહુ ઓછા કિસ્સાઓમાં આર્થિક સંકડામણ કે ભૌતિક સંકડામણ કે અન્ય કોઈ બાબતો વૃદ્ધાશ્રમ તરફ જવાનું કારણ બનતા હોય છે, પરંતુ ઘણા બધા કિસ્સાઓની અંદર જેમની પાસે ભૌતિક સંપત્તિઓ છે, એ સંપત્તિ તુરંત જ હસ્તગત કરવાની લાલચથી પણ વડીલોને વૃદ્ધાશ્રમ તરફ ધકેલવામાં આવે છે. જે યોગ્ય છે કે નથી તે તો પ્રત્યેક કિસ્સાને જોઈને નક્કી કરી શકાય. એક વાત એવી છે કે, વડીલોએ પોતાના જીવતે જીવત બધી જ મિલકત કે સંપત્તિઓ પોતાના સંતાનોને અર્પણ ન કરી દેવી જોઈએ, કારણ કે એક સામાન્ય મનોવૈજ્ઞાનિક અસરરૂપે વડીલો પાસે સંપત્તિ છે તે આપણને મળવાની છે એવો એક લોભ, લાલચ અથવા તો ઈચ્છા પણ વડીલોને સાચવવાની પ્રેરણા આપે છે, અલબત્ત આ પ્રેરણા યોગ્ય નથી, પણ આવું બનતું હોય છે એવું આપણે નોંધવું તો પડશે.
આ બધા કિસ્સાઓને જોઈએ તો વૃદ્ધાશ્રમની સંખ્યા વધે તે યોગ્ય ન ગણાવું જોઈએ. વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે, કારણ કે આપણી સામાજિક સમજ ખૂબ ઓછી થતી જાય છે, આપણા કુટુંબો તૂટતા જાય છે, ધીમે ધીમે કરતાં આપણા વિભક્ત કુટુંબો કે જેમાં હવે માત્ર પતિ, પત્ની અને એક સંતાન જ હોય એવા કેન્દ્રીય કુટુંબો બની ગયા છે એટલે ‘હું,ફઈ ને રતનીયો’ એમ ત્રણ જણા નો સંસાર..એમાં કોઈ વધે તે ત્રણમાંથી કોઈ સહન ન કરી શકે એવી આપણી પરિપાટી થઈ ગઈ છે.
સદભાવના વૃદ્ધાશ્રમ ઉપર કહેલી બધી જ બાબતોથી સાવ જ જુદી રીતે વૃદ્ધોનો સ્વીકાર કરે છે. અને એટલા માટે જ રાજકોટમાં જ્યારે પ્રિય મોરારીબાપુની ‘શ્રી રામકથા માનસ સદભાવના‘ નું ગાન થવાનું છે ત્યારે એક પ્રશ્ન સૌના મનમાં રહે છે કે, વૃદ્ધાશ્રમો હોવા જોઈએ કે ન હોવા જોઈએ ?? જ્યારે મારા સોશિયલ મીડિયાના ગ્રુપ ઉપર મેં એ બાપુની કથાનો સંદેશો વહેતો મૂક્યો અને જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ વિશે માહિતી આપતો વીડિયો મૂક્યો ત્યારે દેશ પરદેશથી એવા પ્રશ્નો આવીને ઊભા રહ્યા કે, આ વૃદ્ધાશ્રમ હોય તે કલંક ન કહેવાય ?? કોઈકે એવું સૂચન પણ કહ્યું કે, તમારે બાપુને સમજાવવા જોઈએ કે, વૃદ્ધાશ્રમો માટે કથા ન કરવી જોઈએ…આ લોકોને સ્પષ્ટતાપૂર્વક જ્યારે જેટલો જવાબ યોગ્ય લાગ્યો તેટલો આપ્યો પણ એમાંથી વિચાર આવ્યો કે લાવ, આપણે સ્પષ્ટ કરીએ કે, ખરેખર સદભાવના વૃદ્ધાશ્રમ એ અન્ય સામાન્ય વૃદ્ધાશ્રમો કરતા પાયાથી અલગ ક્યાં પડે છે ? સદભાવના વૃદ્ધાશ્રમ બોર્ડ લગાવે છે અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટમાં જાહેર રસ્તા ઉપર અને બોર્ડમાં એક ટાઈટલ છે : ‘અમારે માવતર જોઈએ છે‘ અને એ લખ્યા પછી એની નીચે કેવા પ્રકારના વડીલોને અમે સ્વીકારીએ છીએ કે આવકારીએ છીએ એની બહુ જ સ્પષ્ટ વિશેષણોમાં સૂચના લખેલી હોય છે::
જેને સંતાન ન હોય અથવા જેને દીકરો ન હોય, જે નિરાધાર હોય, જે પેન્શન ન મેળવતા હોય ને એકલા જ હોય અને સંપત્તિ ન હોય ને એકલા હોય અને જેનું કરનાર કોઈ ન હોય અને જે અસહ્ય બીમારી કે રોગમાં સપડાયા છે એવા વૃદ્ધોને સદભાવના વૃદ્ધાશ્રમ આવકારે છે. હાલ એ સંખ્યા છસોથી વધુ મછે. જેમાંથી લગભગ એકસો એંસી વૃદ્ધો તો પૂરેપુએ પથારીવશ છે.
સદભાવના વૃદ્ધાશ્રમની ઘણી બાબતો વિગતે કહેતા રહેવાનો મનોરથ છે, પણ અત્યારે આટલું સ્પષ્ટ કરીએ કે, અન્ય વૃદ્ધાશ્રમો કરતા સદભાવનાનું કાર્ય ક્યાંય જુદું પડે છે. એવા વૃદ્ધો છે કે એમની જ વાત સાંભળીએ તો આપણને એમ થાય કે, આનું કોણ કરશે અને આમનું સદભાવના નહીં કરે, તો આનું શું થશે? આ બે પ્રશ્નોના જવાબ આપણે વિગતે મેળવીશું. અત્યારના સદભાવના વૃદ્ધાશ્રમ માટે આટલી સ્પષ્ટતા કાફી છે. હાલ તો સદભાવના શબ્દને ચરિતાર્થ થાય તેવું વિશ્વ શ્રેષ્ઠ કાર્ય કરનાર સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે યોજનાર પ્રિય બાપુ મુખેથી શ્રી રામકથામાં લીન થઈએ અને આપણી શક્ય કરુણા વહેતી કરીએ.
by Bhadrayu Vachhrajani | Nov 7, 2024 | Uncategorized |

કોઈ એવી સ્કૂલ હશે કે જેનું નામ નક્કી કરવા માટે પાંચસોથી વધુ સૂચનો મેળવવામાં આવ્યાં હોય? કોઈ એવી શાળા હોય કે જેની સ્થાપના ચાર શિક્ષક જીવોએ સાથે મળી આજથી ૨૭ વર્ષ પહેલાં કરી હોય? કોઈ એવી શાળા જોઈ છે કે જેનું સંચાલન By the teachers, of the teachers and for the teacher હોય? કોઈ એવું શિક્ષણ સંકુલ ખ્યાલમાં છે કે જ્યાં ૨૬ જાન્યુઆરીની ઉજવણી લાલકિલ્લા પર થતી ધ્વજવંદન પરેડ જેટલી જ આન-બાન-શાનથી થતી હોય? એવી કઈં શિક્ષણ સંસ્થા છે કે જેના દ્વારા સ્થાપનાકાળથી આજ સુધી અભ્યાસ કરી જનાર વિદ્યાર્થીઓ સાથે પોતીકો આત્મીય નાતો બંધાયેલ હોય? કોઈ એવી શિક્ષણ સંસ્થા છે ગુજરાતમાં કે જેના આચાર્ય છાપામાં સરસ લેખ વાંચે કે પોતાના પર સુંદર એસ.એમ.એસ. આવ્યો હોય તો સ્ટાફરૂમમાં દોડી જઈ, વર્ગમાં જતા શિક્ષકોને રોકીને તેની સાથે share કરતા હોય? કઈ એવી શાળા હશે જે પોતાના બધા જ વાલીને સાથે લઈ ખાસ શૉ બુક કરાવી ‘તારે જમીન પર’ ફિલ્મ દર્શાવવાનું વિચારી શકે? કઈ સ્કૂલનું ભાવાવરણ એવું તંદુરસ્ત હશે કે જ્યાં સંચાલક આચાર્યના ખભે હાથ મૂકીને ખડખડાટ હાસ્ય વહેતું મૂકી શકે? કોઈ એવી સ્કૂલ હશે કે જ્યાં સંચાલક, આચાર્ય અને શિક્ષકો પોતાની પ્રામાણિકતાને પ્રયત્ન વગર પુરવાર કરી શકતા હોય? એવી સ્કૂલ ક્યાં જડે કે જ્યાં સંચાલક + સ્થાપક + આચાર્ય તરીકે રહેનાર વ્યક્તિ વિધિવત્ નિવૃત્ત થાય પછી પણ એ સ્કૂલ એવી જ ધબકતી ચાલતી હોય? આવી વિરલ, આવકારદાયક ઘટના જેવું transformation આપણાં પ્રવર્તમાન સંજોગોમાં શક્ય છે ખરું? અને છેલ્લી વાત… આ અને આવા પ્રશ્નોની યાદી ખાસ્સી લાંબી થાય અને છતાં કશુંક રહી ગયું હોય એવો અહેસાસ થાય તેવી કોઈ શાળા હોય તેવું માન્યામાં આવે છે? આ પ્રશ્નોના જવાબો મેળવવા અને નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓની પાઠશાળાને ‘ફીલ’ કરવા માટે અને તમારે ભરૂચના દહેજ લિંક રોડ પર આવેલ ‘એમિટી સ્કૂલ’ની એક વાર નિરાંતે મુલાકાત લેવી જ પડે.
આ ‘વિશેષ’ કટારમાં આપણે વ્યક્તિવિશેષને મળીએ છીએ ત્યારે હજુ સુધી તો આપણે શાળાના જ ગુણગાન ગાયાં છે! પરંતુ મજા પડે એવી મજબૂરી એ છે કે : રણછોડ શાહની વાત માંડીએ તો ઍમિટી સ્કૂલ વિશે વાત થયા વગર ના રહે અને ઍમિટી સ્કૂલની વિગતો જાણીએ તો રણછોડભાઈ શાહની વાતો આવ્યા વિના ના રહે! એક જ સિક્કાની અભિન્ન બે બાજુઓ એટલે ઍમિટી સ્કૂલ અને રણછોડ શાહ, કારણો સ્પષ્ટ. રણછોડ શાહ અડીંગો જમાવી બેસનાર આચાર્ય ન હતા, એ શાળાનો ચૌટો ના છોડનાર સંચાલક નથી, એ ઘરેડબદ્ધ-ઘુવડગંભીર-ચીલાચાલુ શિક્ષણ નિયામક નથી, એ માત્ર જીવતા નથી, જીવંત પણ છે! હરપળ શિક્ષણ શ્વસે છે તેથી રણછોડ શાહ આજે સિત્તેર વર્ષે વિચારોમાં તાજા અને જીવનમાં ગતિવાન છે. એમણે શરત કરી છે કે મારા વિશે નહીં, ‘ઍમિટી સ્કૂલ’ નામના અમારા શિક્ષણપ્રયોગ વિશે લખો. પણ આ ઍમિટીઅન થૉટ’નાં બીજ ક્યાંથી રોપાયાં એ જાણવા ધરતીને ઓળખવી પડશે ને?
બાવીસ વર્ષની ઉંમરે શિક્ષકત્વના માર્ગે વળનાર રણછોડ શાહ B.Sc., M.Ed. છે, સળંગ સાડત્રીસ વર્ષનો માતબર શિક્ષણ અનુભવ ધરાવે છે. સાત વર્ષ વડોદરાની શાળામાં શિક્ષક રહ્યા. સાડા ચાર વર્ષ ડભોઈ, સુરત અને આણંદની ઍજ્યુકેશન કૉલેજમાં અધ્યાપક રહ્યા. ચાર વર્ષ સુધી ભારત સરકારના ઍજ્યુકેશન ઑફિસર તરીકે દારેસલામ ખાતે ગવર્નમેન્ટ ઑફ ટાન્ઝાનિયા મિનિસ્ટ્રી ઑફ ઍજ્યુકેશન સાથે ડેપ્યુટેશન પર કાર્યરત રહ્યા. ત્યાંથી પાછા આવી ભરૂચની રૂંગટા વિદ્યા ભવનના પ્રિન્સિપાલ તરીકે છ વર્ષ અને અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે બે વર્ષ કાર્ય કર્યું. આ બધું સરસ જ હતું, પણ રણછોડભાઈનો શિક્ષક જીવ મૂંઝાતો હતો. એમને તો શિક્ષકત્વ જીવવું હતું. ૧૯૮૬માં ઍમિટીનું બીજ રોપાયું. રણછોડભાઈ અને તેમનાં શિક્ષક પત્ની સંગીતાબેન, સહકર્મીઓ અને મિત્રો પ્રમેશબેન અને શૈલાબેને શિક્ષણનો સ્વસ્તિક રચ્યો. ઍમિટીમાં પહેલો પ્રવેશ લેનાર ‘ભૂલકાં-૧’નો વિદ્યાર્થી શૈલેષ પટેલ શાળાનો ઉદ્ઘાટક બન્યો! બસ, ત્યારથી આજ સુધી કેળવણીની હરણફાળ ભરવામાં ઍમિટીએ પાછું વાળીને જોયું નથી.
રણછોડ શાહ નાવીન્યના ઉપાસક અને વિચારશૈલી સભર પ્રવૃત્તિના સાધક, એ જાણે કે પ્રવૃત્તિની પાઠશાળા. એમને સૂઝે પણ એવું કે આપણને રણછોડભાઈ ઇનોવેશનના ઇકબાલ દીસે!
* એમિટીના મકાનનું ખાતમુહૂર્ત રક્તપિત્તના દર્દીઓના મસીહા, ગણિતના પ્રાધ્યાપક સુરેશ સોનીના વરહસ્તે થયું. ત્યાર પછી આ કૅમ્પસમાં તૈયાર થયેલ તમામ મકાનોનાં ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન શાળામાં કામ કરતાં શિક્ષકોના હસ્તે જ! * બાળકનાં ભણતરના પહેલાં વર્ષથી જ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં એક-એક પૂરકવાચનનું પુસ્તક દાખલ થયું છે. આ પુસ્તકોની પ્રતિ વર્ષ પસંદગી શ્રી રણછોડ શાહ પોતે કરે છે અને પોતાના દીકરા માટે કન્યા શોધતા હોય એટલી આત્મીયતાથી કરે છે. * ઍમિટીમાં પ્રત્યેક વર્ગને ચાર સામયિક વાચનભેટ રૂપે આપવામાં આવે છે. ઍમિટીમાં પ્રત્યેક શિક્ષકને પ્રતિ વર્ષ ચાર પુસ્તકોની ભેટ મળે છે, પરિણામે ઍમિટીના પ્રત્યેક શિક્ષક પાસે એક નાની નીજી લાઇબ્રેરી બની રહી છે. * કોઈપણ બાળકને સિદ્ધિ-પ્રાપ્તિએ ભેટ એટલે ખાસ ઉંમરને ધ્યાનમાં લઈ પસંદ કરેલું પુસ્તક. * વર્ષ દરમિયાન શાળામાં સો ટકા હાજર રહેનાર વિદ્યાર્થીઓનું ૧૯૮૬ થી સન્માન થાય છે. એક સમારંભ થાય તેનું નામ : નિયમિતતા અભિવાદન સમારંભ’. તેમાં શતશઃ હાજર રહેનાર વિદ્યાર્થીઓ અને સૌથી ઓછી રજા લેનાર કર્મચારીઓનું અભિનંદન થાય. * પ્રતિ વર્ષ ઉત્તમોત્તમ વિદ્યાર્થી શોધી ૨૬મી જાન્યુઆરીના શાનદાર સમારંભમાં Best Amitian Award આપી ગૉલ્ડ મૅડલથી સન્માન થાય. • ઍમિટીમાં સતત પંદર વર્ષ કાર્યરત કર્મચારીને નવાજવામાં આવે અને સન્માન પેટે પંદર હજાર અર્પણ કરવામાં આવે છે. * પ્રતિવર્ષ થીમ બેઇઝ્ડ વાર્ષિક દિન ઉજવાય. જેમાં માનવ સ્વાસ્થ્ય પ્રદર્શન (જીવંત અંગો સહિત), ભૃગુકચ્છથી ભરૂચ, કાવ્યમેળો, ગણિતદર્શન, ભારતની ભાષાઓનો નાટ્યમેળો, પ્રકૃતિ પ્રવૃત્તિનો સમાવેશ થાય. * શાળા-વિદ્યાર્થી-માબાપ અને સમાજને શાળાકાર્યથી પરિચિત કરતું સામયિક મૈત્રીસેતુ’ ઍમિટીનું અદકેરું પ્રદાન છે. સ્થાપનાકાળથી આજ સુધી વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં લોકાર્પિત થાય. * તમામ કાર્યક્રમોની ઉદ્ઘોષણા અને વ્યવસ્થાપન વિદ્યાર્થીઓ જ કરે અને અનૌપચારિક તાલીમ પામે. * વર્ષમાં ચાર ફૅકલ્ટી ડૅવલપમૅન્ટ ટ્રેનિંગ તો હોય જ.
ગુજરાતના લગભગ બધા જ શિક્ષણવિદો અને સાહિત્યકારો ઍમિટીમાં પદાર્પણ કરી ગયા છે. ભારતના ટોચના તજ્ઞો પણ અહીં આવી ગયા છે. વિદ્યાર્થીઓ વર્ષારંભે વિશેષ મુલાકાતથી કાર્ય શરૂ કરે. દર્દીઓની વચ્ચે કે જેલના કેદીઓ વચ્ચે કે વિકલાંગો વચ્ચે એક દિવસ ગાળે અને કરુણાની અનુભૂતિ કરે. ઍમિટીનો પરિસર-વિસ્તાર પૂરમાં ડૂબે તો તેને બચાવવા વિદ્યાર્થીઓ કેડ સમાયા પાણીમાં ઍમિટી પહોંચી સહાયમાં લાગે. ગુજરાત બોર્ડનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો તથા CBSEનું અંગ્રેજી માધ્યમ અહીં છે એટલે માહોલ કૉન્વેન્ટ સ્કૂલનો, પણ કલેજું ભારતીય સંસ્કૃતિનું… ૨૦૦૧માં આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી હવે માત્ર સંચાલક’ બનેલા રણછોડ શાહ પૂરો સમય ઍમિટીમાં યાદ રાખીને’ ગાળતા નથી. પોતે જે જે માનવીય કેળવણીના પ્રયોગો કર્યા છે તેને હવે તેઓ પુસ્તક રૂપે સમાજમાં મુકે છે.
શિક્ષણ અંગે દસ પુસ્તકો આપનાર રણછોડ શાહની ત્રણ ખૂબીઓ છે : (૧) તેઓ ટીમ બિલ્ડિંગના માણસ છે. (૨) તેઓ સેકન્ડ લાઇન ઑફ લિડરશિપ સફળતાથી ઘડી શક્યા છે. (૩) તેઓ દિવ્ય મૈત્રીના ઍમિટી” શબ્દને સાર્થક કરી શક્યા છે. પ્રયોગશીલ નથી તે શિક્ષક નથી. પ્રવૃત્તિશીલ નથી તે આચાર્ય નથી. પરિવર્તનશીલ નથી તે સંચાલક નથી. જ્યારે જે હોવું જોઈએ, ત્યારે તે જેમનામાં હતું કે છે, તે રણછોડભાઈ શાહ, મિલો તો જાનો.
by Bhadrayu Vachhrajani | Oct 4, 2024 | Uncategorized |


કસ્તુરબા અને ભક્તિબા :: સ્વતંત્રતા સંગ્રામનાં સૌરાષ્ટ્રીયન નારી રત્નો
સૌરાષ્ટ્ર એટલે ‘સુરાષ્ટ્ર’ , પ્રાગ્-ઐતિહાસિક તથા પ્રાચીન કાળમાં એ સુરાષ્ટ્ર કહેવાતું હતું. મૈત્રક રાજાઓની રાજધાની વલભી સુરાષ્ટ્રમાં હતી. સોલંકી કાલમાં ‘સુરાષ્ટ્રમંડલ’ એવો પ્રયોગ થયો છે. સિદ્ધરાજ જયસિંહના 1209–1210ના દાહોદ અભિલેખમાં ‘સુરાષ્ટ્રામાલવેશ્વરૌ’ તથા કુમારપાલના સમયમાં માંગરોળ–સોરઠમાં સચવાયેલા ઈ. સ. 1146ના અભિલેખમાં મુલૂક ગૂહિલને ‘સુરાષ્ટ્રનાયક’ કહ્યો છે.
કોઈએ તેને ‘સુરાષ્ટ્ર એટલે સારો દેશ, તો કોઈએ તેને ‘સુરરાષ્ટ્ર’ એટલે દેવોનો દેશ કહ્યો છે. અંગ્રેજ ગ્રંથકારોએ તેને ‘સૌર રાષ્ટ્ર’ એટલે સૂર્યપૂજક લોકોનો દેશ કહ્યો છે. ‘સૌરાષ્ટ્ર’નો ‘સુરાષ્ટ્ર’ તરીકે ઉલ્લેખ ગિરનારના શિલાલેખમાં પણ જોવા મળે છે.
મુસ્લિમ અમલ દરમિયાન આ પ્રદેશનું નામ અપભ્રંશ થઈને ‘સોરઠ’ થયું. ..તો જૂનાગઢના બાબી વંશના નવાબોનું શાસન ‘સોરઠ સરકાર’ તરીકે ઓળખાતું હતું. જોકે તેમની રાજમુદ્રામાં તો નાગરી લિપિમાં ‘સૌરાષ્ટ્ર’ શબ્દ મૂકવામાં આવ્યો હતો. મરાઠાઓએ આ પ્રદેશ ઉપર આક્રમણો કર્યાં ત્યારે સૌપ્રથમ તેમને કાઠી નામની લડાયક પ્રજાનો સામનો કરવો પડેલો. તેથી તેમણે આ પ્રદેશને ‘કાઠિયાવાડ’ કહ્યો. પછી અંગ્રેજોએ પણ ‘સૌરાષ્ટ્ર’નું ‘કાઠિયાવાડ’ નામ છેક 1947માં આઝાદી મળી ત્યાં સુધી ચાલુ રાખેલું. આઝાદી પછી ફરી તેનું પ્રાચીન નામ ‘સૌરાષ્ટ્ર’ સ્વીકારવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર તેનાં પાંચ રત્નો માટે પ્રસિદ્ધ છે, જે આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યાં છે.
सौराष्ट्रे पंचरत्नानि नदीनारीतुरंगमा: ।
चतुर्थ सौमनाथश्च, पंचमं हरिदर्शनम् ।।
પુરાણોમાં સૌરાષ્ટ્રને દેવભૂમિ, સર્વશ્રેષ્ઠ દેશ અને સુંદર પ્રદેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેથી જ કવિ ન્હાનાલાલ તેને ‘પુરાણ–પ્રસિદ્ધ ઇતિહાસોજ્જ્વલ ભૂમિ’ અને કવિ બોટાદકાર તેને ‘સ્વર્ગકુંજ સમ અમ માતૃભૂમિ’ કહે છે.
સૌરાષ્ટ્રની રાષ્ટ્રીય ચળવળના મુખ્ય નેતાઓમાં મનસુખ રવજી મહેતા, અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, જગુભાઈ પરીખ, નાનાભાઈ ભટ્ટ, ઉછરંગરાય ન. ઢેબર, મણિલાલ કોઠારી, ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી, ચીમનભાઈ વૈષ્ણવ, અંધ કવિ હંસ, વીરચંદભાઈ શેઠ, જેઠાલાલ જોશી વગેરે હતા. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન સૌરાષ્ટ્રમાં યુવક-મંડળોએ અને વિદ્યાર્થી-મંડળોએ મહત્વની કામગીરી બજાવી હતી. તેઓ શૈક્ષણિક સંસ્થાઓ ઉપર પિકેટિંગ કરતા અને ભાંગફોડની પ્રવૃત્તિ પણ કરતા. તેમાંથી મુખ્ય હતા – કનક દેસાઈ, ગુણવંત પુરોહિત, ગજાનન અને ઘનશ્યામ પુરોહિત, જશવંત મહેતા, જયમલ્લ પરમાર, નિરંજન વર્મા, જયંતિ માલધારી અને રતુભાઈ અદાણી.
15 ઑગસ્ટ, 1947ના દિવસે ભારતને આઝાદી મળી, ત્યારે સરદાર પટેલની કુનેહથી ભારતનાં મોટા ભાગનાં દેશી રાજ્યો ભારત સાથે જોડાઈ ગયાં હતાં; પરંતુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢે ભારત સાથે ન જોડાઈને ઇતિહાસ સર્જ્યો હતો. તેમાં પણ 82 ટકા હિન્દુ વસતિ ધરાવતા જૂનાગઢ જેવા નાનકડા રાજ્યે પાકિસ્તાન સાથે જોડાણ કરી સૌરાષ્ટ્રની પ્રજામાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. જૂનાગઢના આ નવાબી શાસનને દૂર કરી ત્યાં પ્રજાકીય શાસન સ્થાપવા માટે જૂનાગઢની આરઝી હકૂમતની રચના કરવામાં આવી હતી. તેના વડા તરીકે ગાંધીજીના ભત્રીજા અને મુંબઈના નીડર પત્રકાર શામળદાસ ગાંધી હતા અને રતુભાઈ અદાણી તેના સર સેનાપતિ હતા. તેમણે લોકસેના ઊભી કરી. લોકસેનાએ જૂનાગઢનાં કુલ 106 ગામ કબજે કરી લીધાં હતાં. તેથી ભયભીત થયેલા નવાબ કરાંચી નાસી ગયા.
સ્વતંત્રતા સંગ્રામનાં સૌરાષ્ટ્રીયન નારી રત્નો
આઝાદ ભારતના ૭૫ વર્ષના ઐતિહાસિક સમયગાળાનો સાક્ષાત્કાર કરવા “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના સાક્ષી બની શકયા છીએ. આઝાદીની આ ચળવળમાં મહિલાઓએ પણ પુરૂષ સમોવડી બનીને ખભેખભા મિલાવીને મહત્વની ભૂમિકાઓ અદા કરી હતી. જેમાં આજે વાત કરવી છે, મૂળ સૌરાષ્ટ્રનાં ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના મહિલા સ્વાતંત્ર્ય સેનાની એવા, બાપુ જેમને આદરથી ‘બા’ કહેતા તે કસ્તુરબા ગાંધીની અને ભક્તિબા દેસાઈ ની … અને એમ આપણે સૌરાષ્ટ્રનાં સ્વતંત્રતાની લડતના બે નારી રત્નોની વંદના કરવી છે.
કસ્તુરબા ગાંધીનો જન્મ થયો 11 એપ્રિલ, 1869, પોરબંદર, ગુજરાતમાં..પિતા ગોકુલદાસ મકનજી. અને મોહનદાસ કરમચંદ ગાંધી :: બાપુ :: ગાંધીજી સાથે જીવન સંગિની બની રહ્યાં. સંતાનોમાં ચાર દીકરા હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ.. બાપુને જીવનભર મનોદૈહિક ટેકો બની રહેવાનું કાર્ય એ કસ્તુરબાના જીવનને ચાર ચાંદ લગાવે છે. કસ્તુરબાએ બાપુના ખોળામાં 22 ફેબ્રુઆરી, 1944, આગાખાન મહેલ, પુના ખાતે દેહ છોડ્યો.
કસ્તુરબા તો ગાંધીજીનો પડછાયો બનીને જીવ્યાં એટલે જ્યાં ગાંધીજીની વાત આવે ત્યાં કસ્તુરબા પડદા પાછળ પ્રેરકબળ તરીકે હોય જ.ગાંધીજીના જીવનના પ્રસંગોમાં બાનું જીવન સમાઈ જ જાય. અને તેથી અહીં કસ્તુરબાના જીવનને કાવ્યાત્મક ભાવમાં પેશ કરવાનું પસંદ કરું છું. ભારતના કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સી બી આઈ), દિલ્હીના અતિરિક્ત પોલીસ અધિક્ષક શ્રી મુકેશ મુકુંદ નાં હિન્દી પુસ્તક “સ્વતંત્રતા સંગ્રામ એવં 75 વીરાંગનાએં “ નો આધાર લીધો છે. આઝાદીના અમૃતકાળ દરમ્યાન ભારતની અજ્ઞાત વીરાંગનાઓમાંથી પંચોતેર પસંદ કરી તેમની જીવનીને પદ્ય શૈલીમાં મુકુન્દજીએ મુકેલ છે. કસ્તુરબા ગાંધીને તેઓ આ રીતે ચરિતાર્થ કરી આપે છે.
કસ્તુરબા ગાંધી (બા)
શુભ સંકલ્પ, દૃઢ ઇચ્છા, સ્વતંત્ર નિર્ણયમાં દૃઢ,
સાહસ, સ્નેહ, જનહિત, ચિત્તમાં કરુણાનો સ્વર.
બાપુએ લીધું: સમગ્ર રાષ્ટ્ર સેવાનું મહાવ્રત,
પત્નીના રૂપમાં મન–વચન–કર્મથી એ જ રાહ પર સફર.
અહિંસા, સત્યાગ્રહ, ગાંધીજીની આઝાદીના અફસાના
ગાંધીને બાનાં તપ–ત્યાગ– સાંનિધ્યની છાયા.
જ્યારે જ્યારે ગાંધીને મળી જેલની ચાર દીવાલ,
દેશહિતમાં બાની અગ્રિમ ભૂમિકા પર સૌની સલામ.
દક્ષિણ આફ્રિકામાં જ્યારે, ખ્રિસ્તી સિવાયનાં લગ્ન થયાં અમાન્ય,
બાએ લીધો સત્યાગ્રહનો ટેકો ને કર્યો એ કાયદાનો વિરોધ ભરપૂર.
પછી ચંપારણ સત્યાગ્રહ હોય કે પછી હોય ખેડાનું આંદોલન,
બાની કાયમ સાર્થક ભાગીદારી, મહિલા ઉત્થાન પર દીધું જોર.
ગાંધીને થઈ જેલ, જ્યારે થયું અસહયોગ આંદોલન,
બાએ ગાંધીજીના સંદેશાઓનો કર્યો દેશમાં પ્રચાર.
મીઠાં સત્યાગ્રહ વખતે પણ ગાંઘીજીને ફરી મળી જેલ,
પોલીસની જોરજુલ્મી માટે બાએ સરકાર પર કર્યો પ્રહાર.
રાજકોટ ઠાકોર સાહેબ, જ્યારે ભૂલી બેઠા પોતાના બધા વાયદાઓ,
વિરોધમાં જનમાનસ ગયું ને થયું સત્યાગ્રહનું આહ્વાહન.
બા પણ પ્રતિરોધમાં ઉતયાઁ, લઈને બુલંદ ઈરાદા,
બાને કર્યા નજરબંધ જ્યાં કેવળ એકાંત અને જગ્યા સૂમસામ !
ભારત છોડો સંગ્રામ, ગાંધી સહિત બધા નેતાઓને જેલ,
શિવાજી પાર્કમાં બા એ કર્યો ભાષણનો વિચાર.
બાની ધરપકડ કરીને તેમને રાખ્યાં આગાખાં મહેલમાં બંધ,
જ્યાં બાપુને બા સાથેના છેલ્લાં મિલનનો હતો ઈંતઝાર
નિયતિની વ્યવસ્થા અનોખી, જેલમાં બાનું નિધન,
તપ–ત્યાગ– સંઘર્ષથી આલોકિત હતું એમનું જીવન.
કૃતજ્ઞ રાષ્ટ્રની સ્મૃતિ, બાનું રહેશે અમર નામ,
આઝાદીનો અમૃત મહોત્સવ, વારંવાર કરીએ પ્રણામ.
ભક્તિબાનો જન્મ ૧૬ ઓગષ્ટ, ઈ.સ.૧૮૯૯માં ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેઓ લીંબડીના દીવાન ઝવેરભાઈ અમીન અને દીવાળીબેનના પુત્રી હતાં. “નામ એવા જ ગુણ” રાજદરબારમાં ઉછરેલ હોવા છતાં બાળપણથી જ આધ્યાત્મિક એવા ભક્તિબાના જીવનમાં ધાર્મિક સંસ્કારોનું મૂલ્યવાન પ્રદાન હતું. ઈ.સ.૧૯૧૩માં ઢસા-રાયસાંકળી-વસોના દરબાર અને ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનારા ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા એવા ગાંધીવાદી ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ સાથે લગ્ન થયા. દરબાર ગાંધીજીની લડતમાં જોડાયા.
ભક્તિબા પણ રાજરાણીનો શણગાર ત્યજીને રાષ્ટ્રીય સ્વયંસેવિકા બની ગયા. ઈ.સ.૧૯૨૧થી ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમજ બોરસદની લડતમાં જોડાયા. તે દરમ્યાન રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ના અમદાવાદ ખાતેના અધિવેશનમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. ઈસ.૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહ અને નાગપુરના ધ્વજ સત્યાગ્રહમાં ભક્તિબાએ ભાગ લીધો. ઈ.સ.૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં શરૂઆતમાં સ્ત્રીઓ આગળ આવવા શરમ અનુભવતી હતી. ભક્તિબાએ મણિબેન પટેલ અને મીઠુબેન પિટીટ સાથે મળીને સ્ત્રીઓને આગળ આવવા પ્રેરણા આપી. ધીમે ધીમે આગળ જતા સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતાં પણ વધી ગઈ. બોરસદની છાવણીનું સફળ સંચાલન કર્યું. ઈ.સ.૧૯૩૦ની મીઠાની લડત વખતે દારૂ તેમજ વિદેશી માલ વેંચનારી દુકાનો ઉપર પિકેટિંગ કરતાં પકડાયા અને જેલવાસ ભોગવવો પડ્યો. ઈ.સ.૧૯૪૨માં “હિન્દ છોડો” લડતમાં જોડાતાં તેમને ૧૧ વર્ષની જેલ પણ થઈ હતી. ભક્તિબાએ જુદી-જુદી લડતોમાં ભાગ લેતા કુલ સાડા ત્રણ વર્ષ જેલવાસ ભોગવ્યો.
ભક્તિબા સેવા, નીડરતા અને ત્યાગનો ત્રિવેણી સંગમ હતા. દેશસેવામાં કુટુંબની તેમ જ પોતાના નાના બાળકોની પણ ચિંતા નહોતી કરી. ભક્તિબા હરહંમેશ દરેકને મદદ કરવા તત્પર રહેતાં. રાયસાંકળીના દરબારગઢને એન્જસીએ સીલ મારેલા ત્યારે નીડર અને બાહોશ ભક્તિબાએ કોશ લઈને સીલ તોડીને એકલા રહીને બહાદુર વીરાંગનાનો પરિચય કરાવ્યો હતો. લીંબડીની લડત વખતે રાજ્ય તરફથી સિતમોની ઝડી વરસતી હતી ત્યારે રાજ્યે ઉભી કરેલ ગુંડા ટોળીઓનો સામનો કરવા તેમની વચ્ચે જઈને ઉભા રહ્યા હતા. જે લીંબડી રાજ્યમાં તેઓ મોટા થયા હતા તે જ રાજ્યમાં અન્યાયો સામે લડવામાં પણ પાછી પાની કરી નહોતી. ચૂંટણી સમયે પોતાના વડીલ બંધુ કોંગ્રેસની સામે ઉભા હતા ત્યારે તેમની સામે પણ પ્રચાર કરતાં તેઓ ખચકાયા નહિ. તેઓ સત્યનિષ્ઠ, ર્નિભય અને તપસ્વી પ્રેરણામૂર્તિ બની રહ્યાં.
ઈ.સ.૧૯૪૨ની આઝાદીની લડત પછી દરબાર દંપતી રાજકોટમાં આવ્યા અને સમાજ સેવા કરવા લાગ્યાં. તેમણે કન્યા કેળવણી ક્ષેત્રે કાર્ય હાથ ધર્યું અને તેમના માર્ગદર્શન હેઠળ પૂતળીબા ઉદ્યોગ મંદિર(રાજકોટ), વલ્લભ કન્યા કેળવણી મંદિર (રાજકોટ) અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય(નડિયાદ) સહિતની ગુજરાતભરની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ખેડા જીલ્લાના સ્કૂલ બોર્ડમાં સભ્ય હતાં. ઈ.સ.૧૯૫૧માં તેમના પતિ ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના અવસાન બાદ પણ તેમણે સમાજસેવાના કાર્યો અવિરતપણે ચાલુ રાખ્યાં. ઈ.સ.૧૯૫૪માં તેમણે સાતેક માસનો આફ્રિકાનો પ્રવાસ કરી સાડા ત્રણ લાખનું ભંડોળ સમાજસેવા માટે એકત્ર કર્યું.
ઉછરંગરાય નવલશંકર ઢેબર – ઢેબરભાઈ પોતાને દરબાર સાહેબના છઠ્ઠા પુત્ર તરીકે ઓળખાવતા. ઈ.સ. ૧૯૫૪માં ઢેબરભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને દિલ્હી ગયા, તેમની સંભાળ લેવા ભક્તિબા પણ દિલ્હી ગયાં. પિતૃગૃહે તથા શ્વસુરગૃહે ગર્ભ શ્રીમંત હોવા છતાં વૈભવવિલાસ છોડી સાદગીપૂર્ણ જીવન જીવ્યા. ગાંધી વિચારોને અનુસરી, સ્વઆચરણથી ગાંધીજીના રચનાત્મક કાર્ય કરી ગાંધી વિચારોને સાર્થક કરી બતાવ્યા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરીને સામાજિક ક્ષેત્રે પડદા પ્રથા, દહેજ પ્રથા, ધાર્મિક-અંધશ્રદ્ધાઓ, દારૂનું વ્યસન, ચોપાટ રમતની અતિરેકતા વગેરે જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના પ્રયાસો કર્યા અને સામાજિક સુધારણાની દિશામાં પહેલ કરી. ઉપરાંત, સમાજમાં કચડાયેલા, દબાયેલા એવા દલિતોના ઉત્થાન માટે પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યા હતા. સામાજિક સુધારણાની સાથોસાથ તેમણે, પુસ્તકાલય પ્રવૃતિ વગેરે શૈક્ષણિક વિકાસ દ્વારા સમાજનું નવસર્જન કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ, ગુજરાતના આ નારી રત્નનું સમાજસુધારણા ક્ષેત્રે અથાગ પુરૂષાર્થ અને સામાજિક ઉત્થાનમાં અનેરૂ પ્રદાન છે. શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ ખેડાણ કરનાર ભક્તિબા ૧૪ માર્ચ, ૧૯૯૪ના દિવસે વસો ખાતે દુઃખદ અવસાન પામ્યાં. ભક્તિબાની સેવાઓને બિરદાવતા ભારત સરકારે રાજકોટના એક રેલ્વે સ્ટેશનનું નામકરણ “ભક્તિનગર” રાખ્યું હતું. ત્યાગ-તપશ્ચર્યાને કારણે તેઓ “ભક્તિબા”નું બિરૂદ પામ્યાં હતા. ભક્તિબાનું જીવનસૂત્ર હતું, “આપણે લાખોને મદદરૂપ થઈ શકીએ એવી આપણી સ્થિતિ નથી, પરંતુ લાખોને માટે કામ કરનાર વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ તો લાખોને સાચવ્યા બરાબર છે. આંખમાં મૃત્યુ જોવાની તેમની હિંમત, માતૃભૂમિ પ્રત્યેનો તેમનો તીવ્ર પ્રેમ – “કોમલ હૈં, કમજોર નહીં તું. શક્તિ કા નામ હી નારી હૈ” શબ્દો તાદૃશ કરે છે.
આમ સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાંથી મહત્વનું ઈશ્વર સર્જિત માનવીય રત્ન તે નારી અને એ નારી સમાજના પ્રતિનિધિરૂપ બે રત્નો એટલે કસ્તુરબા ગાંધી અને ભક્તિબા દેસાઈને આપણે શબ્દાંજલિ આપી કૃતકૃત્ય થઈએ.
by Bhadrayu Vachhrajani | Aug 19, 2024 | Uncategorized |

લાલદે મા શરીર ઉપર વસ્ત્ર રાખતી નહિ અને પહાડોની ગુફાઓમાં પડી રહેતી. પંખીઓ તેના માથે ખભે બેસતાં ને ટહુકા કરતાં. લાલમા તેમને ગીતો સંભળાવતી !!
“પહેલગામથી શ્રીનગર તરફ આમારું સ્ટેશન-વિન પૂરપટ આવતું હતું. અવંતીપુર વટાવી અમે પેંપુર(પદ્મપુર) તરફ હંકાર્યું ત્યારે સંધ્યાકાળ થયો. કાશ્મીરની સંધ્યા જેણે જોઈ હશે તે સમજી શકશે કે એની રમ્યતા કેવી હેાય છે !?!
પેંપુરથી થોડેક દૂર ડ્રાઈવરે સ્ટેશન-વેગન અટકાવ્યું. અમારા મનમાં એમ કે, એને જરા થાક ખાવો હશે અને બીડી પીવી હશે. અમે સૌ લટાર મારવા ઊતર્યા. સંધ્યાકાળનું આકાશ ચારે તરફની ગિરિમાળા ઉપર બેઠું બેઠું જાણે સંગીતની લહરીઓ છોડતું હતું.
ડ્રાઈવર બાજુની એક ટેકરી ઉપર ચડવા લાગ્યો. ટેકરી ઉપર એક નાના સરખા ચોગાનમાં કેટલાક દીવાએ બળતા હતા. ડ્રાઈવરે અમને બધાને પોતાની પાછળ આવવા કહ્યું.
એક સમાધિ ઉપર ફૂલ હતાં અને મોટો દીવો પ્રકાશતો હતો. મુસ્લિમ ડ્રાઈવરે આંખો મીંચીને ધ્યાન ધર્યું. પછી પોતે ઘૂંટણિયે પડ્યો અને સમાધિ ઉપર પોતાનું માથું મૂક્યું. એની ભાવનિમગ્નતા હું જોઈ રહ્યો.
“કોની સમાધિ છે આ?” આખરે મેં એને પૂછ્યું,
“લાલદે માની.”
થોડી વાર સુધી મને એ નામની કશી સમજ પડી નહિ. વધુ જાણવાના ઇરાદાથી હું તેના તરફ જોઈ રહ્યો.
“ લાલદે મા મોટાં તપસ્વી હતાં.” ટેકરી ઉપરથી નીચે ઊતરતાં તેણે ચોખવટ કરી.
મારા મનમાં વાત કંઈક ગોઠવાવા લાગી. કાશ્મીરની વિખ્યાત યોગિની લલ્લેશ્વરીની જ આ સમાધિ હશે એવું મને લાગ્યું. સંધ્યાકાળનું આકાશ ઈશ્વરની માયા જેવું અદ્ભુત લાગતું હતું. સ્ટેશન-વેગન પૂરપાટ ચાલવા લાગ્યું.
“લાલદે માનાં ગીતો દરેક કાશ્મીરીને મોંએ છે, સાહેબ ! મામાં ભારે સત હતું.” ડ્રાઈવરે મારા અજ્ઞાનનો પડદો દૂર કરવા કોશિશ કરી.
“આ લાલદે તે મશહૂર લલ્લેશ્વરી કે?” મેં પૂછયું.
ડ્રાઈવરને એ નામમાં કશી ગમ પડી નહિ. એ મારા તરફ પોતાને કાંઈ ન સમજાયું હોય તેમ જોઈ રહ્યો.
“એની મને ખબર નથી. અને સાહેબ ! માએ ઘરબાર છોડી દઈ કાશ્મીરની ખીણમાં ઘૂમવા માંડ્યું અને ઈશ્વરની ભક્તિમાં પોતે મસ્ત રહેતાં. એમનાં ગીતો અમારે કંઠે રહ્યાં છે.” મને વાત સમજાઈ ગઈ. પેલી સમાધિ લાલદે એટલે કે લલ્લેશ્વરીની હતી. એ શૈવયોગીની વિષે મેં થોડું વાંચ્યું હતું. વાચન તાજું કરવાની મને ઈચ્છા થઈ.
શ્રીનગર પહોંચ્યાં ત્યારે સૂરજ આથમી ગયો હતો. શિકારામાં હું હાઉસબોટ ઉપર આવ્યો ત્યાં સુધી લલ્લેશ્વરીની વાત મારા મનમાં ઘોળાયા કરતી હતી.
કાશ્મીરના એક વિદ્વાન પંડિત તે જ રાતે મને અચાનક મળવા સારું આવ્યા. એ સંસ્કારી અને પ્રેમી માણસ અમારા જમવાના ખંડમાં અમારી કોફીનો સત્કાર કરવા બેઠા.
“પંડિતજી, પેંપુરની પાસે પેલી જે લાલદેની સમાધિ છે તે લાલદે કોણ?” મેં પૂછ્યું.
“લાલદે તે લલ્લાવાક, જેને લલ્લેશ્વરી પણ કહે છે.” એટલું કહી તેમણે એક કાશ્મીરી ગીત લલકાર્યું, જે નીચે મુજબ હતુંઃ
”તૂરિ સલિલ ખટુ તાય તૂરી, હ્યમ્ય ત્રિ ગૈય ભિન્ના ભિન્ન વિમર્શા.
ચૈતન્ય રવ ભાતિ સબ્ સમે, શિવમય ચરાર્ જગ પશ્યા.“
એ જૂની કાશ્મીરી બાની પેલા પંડિતના સુંદર કંઠમાં ઘણી મીઠી લાગતી હતી. ત્રણ ચાર વાર એમણે ઉથલાવી ઉથલાવીને એ ગીત ગાયા કર્યું. અને પછી એમણે અર્થ જે સમજાવ્યો તે નીચે મુજબ હતો:
“માયાવી જગત બરફનો કટકો છે. આખરી સત્ય એની અંદર રહેલું પાણી છે. જુદીજુદી જાતનાં હું પદ ઝાકળનાં બિંદુઓ જેવાં છે. વિશ્વને તમે એ રીતે ઓળખો.”
એ ગીતમાં શૈવ ફિલસૂફી છલોછલ ભરી હતી. લલ્લેશ્વરીની જ્ઞાનમસ્તીનો ઝાંખો ખ્યાલ એમાંથી તરી આવતો હતો.
લલ્લેશ્વરીનું ક્ષર જીવન આપણી મીરાંબાઈના જીવનને ઘણું મળતું છે. લાલદે શિવની ભક્ત હતી. મીરાં કૃષ્ણની ભક્ત હતી. એનો જન્મ ચૌદમા સૈકાની મધ્યમાં થયો હતો. માતાપિતા બ્રાહ્મણ હતાં અને પેંપુરની પાસેના એક ગામડામાં વસતાં હતાં. જન્મથી જ તેમનામાં યોગસિદ્ધિ દેખાતી હતી. યોગિની ધ્યાનમગ્ન રહેતી અને મૌન રાખતી. એનું વળી લગ્ન કરવામાં આવ્યું. સાસરું પેંપુરમાં હતું. વર અને તેનું કુટુંબ ઊંચા કુળનાં હતાં. પણ વાતાવરણ જુદી જાતનું હતું. વર પૂરો દુનિયાદારી માણસ હતો, સંસારનો પાકો કીડો હતો. લલ્લેશ્વરીને ત્રાસ અને દુઃખ આપવામાં બંને જણાંએ બાકી રાખી નહિ. શિવમાં મસ્ત બનેલી યુવાન છોકરી એક રાતે ઘર છોડીને રસ્તે પડી.
શ્રીનગરની પાસે એને એક વૃદ્ધ તપસ્વીએ આશરો આપ્યો, એ તપસ્વીનું નામ સિદ્ધ શ્રીકંઠ, જેમને લોકો સિદ્ધમોલ કહેતા. લાલદે એમની પાસેથી યોગદીક્ષા પામી, અને પોતાના બાપનું નામ જે કોઈ પૂછતું તે સિદ્ધમોલનું નામ દેતી. એ સિદ્ધ પુરુષે લલ્લેશ્વરીને ગૂઢ જ્ઞાન આપ્યું અને પછી તો પોતે દિવસ અતે રાત શિવની મસ્તીમાં રહેવા લાગી. એની મસ્તી અને જ્ઞાનસિદ્ધિ એવા તો જામ્યાં કે સિદ્ધ- મોલને પણ પોતે ટપી ગઈ.
જ્ઞાનમસ્તીની ભરતીમાં ઉચ્ચારેલાં તેનાં વાક્યોનો એક સંગ્રહ થયો છે. જૂની કાશ્મીરીને સંસ્કૃતમાં રૂપાંતર કરનાર રાજાનક ભાસ્કર મૂળની મસ્તીને બરાબર ઉતારી શક્યા નથી. છતાં ગીતોના ભાવ થોડાઘણા લાવી શક્યા છે, એવું જ્યોર્જ ગ્રીઅર્સન કહે છે.
લલ્લેશ્વરીનાં ગીતો સાંભળવા હિંદુ-મુસલમાન સૌ ટોળે મળીને એકઠા થતા. મુસલમાનો પણ એનાં ગીતો ગાતા અને લલ્લેશ્વરીની બાધા માનતા. સનાતની પંડિતોને જોઈ યોગિની લાલદે ચાબખો મારતી કે,
“મૂર્તિ પથ્થર છે અને નીચે ધરતી મંદિર છે. કોની પૂજા કરીશ તું, ઓ પંડિત ! તને કહું કે ઉપર જે આકાશ છે તે મન છે અને નીચે જે ધરતી છે તે આત્મા છે.”
જ્ઞાનની જેને કેવળ આરૂઢ દશા કહેવામાં આવે છે એવી દશામાં આખરે તે પ્રવેશી ગઈ. શરીર ઉપર વસ્ત્ર રાખતી નહિ અને પહાડોની ગુફાઓમાં પડી રહેતી. પંખીઓ તેના માથે અને ખભે બેસતાં અને ટહુકા કરતાં. લાલમા તેમને ગીતો સંભળાવતી અને તેમની ચાંચમાં જે તેઓ ફળનો કટકો લાવતાં તે લાલમાના ખોળામાં મૂકી દેતાં. યોગિની એ ફળો ખાતી.
મનનું નિરીક્ષણ કરતી પોતે લલકારે છેઃ
“મન, આ તારું નથી છતાં તું કેમ મસ્તાને ચડે છે? અસત્યને તું સત્ય રૂપે કયે કારણે ઓળખે છે? તારી ટૂંકી સમજને લીધે તું છેતરાય છે અને નાહક આવન-જાવન કરે છે.”
જેને આપણે ઋતંભરા પ્રજ્ઞા અર્થાત્ દૈવી જ્ઞાન કહીએ તેવું જ્ઞાન લલ્લેશ્વરીમાં ભર્યું હતું. એની વાણીમાં ઋષિઓની વાણીના પડઘા હતા. ઋગ્વેદની ઘોષા, વાક, સરસ્વતી, આદિ સ્ત્રી–ઋષિઓનું આ૫ણને સ્મરણ કરાવે એવી લલ્લેશ્વરીની આર્ષ પ્રતિભા હતી. શૈવદર્શનના પંડિતો લલ્લેશ્વરીને ઋષિનું પદ આપે છે.
લલ્લાના બોધે કાશ્મીરના શૈવદર્શનને એક નવો જ વળાંક આપ્યો. હિંદુ અને મુસલમાન બંને ધર્મોના તત્વોની એણે એકતા સમજાવી. પ્રણવની એટલે કે ઓંકાર ની એની ઉપાસના પ્રખર હતી. મુસ્લિમ સૂફીઓ એના ચરણની રજ માથે મૂકતા અને તેમને તે અલ્લાહ શબ્દની અંદરનો મહાપ્રાણ એટલે કે દીર્ઘ હકાર છૂટો કરી બતાવી ઓંકારનું રહસ્ય સમજાવતી.
એણે કોઈ સંપ્રદાય સ્થાપ્યો કે ચલાવ્યો નથી, પરંતુ તેની પાસેથી ગૂઢ જ્ઞાન મેળવનારા યોગીજનો આજે પણ ગુરુપરંપરાની રીતે પ્રણવની ઉપાસના કરે છે.
(1959 માં જેની પ્રથમ આવૃત્તિ બહાર પડી અને 1980માં જેની બીજી આવૃત્તિ પ્રકાશિત થઇ તે પુસ્તક એટલે અગમનિગમ. એક સમયના સમર્થ લેખક અને ચિંતક શ્રી નર્મદાશંકર મહેતાના પુત્ર તે શ્રી યશોધરા મહેતા. એ સમયના ‘ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય’ ના બંધુઓ સર્વશ્રી શંભુભાઈ અને ગોવિંદભાઇ શાહ દ્વારા ‘અગમનિગમ’ શીર્ષકથી પહેલી આવૃત્તિ છપાઈ. તેની બીજી આવૃત્તિ તરત જ કરાવી પડે તેમ હતી પરંતુ તે પહેલા એ ગુર્જર બંધુઓ કાળના પ્રવાહમાં અચાનક ચાલ્યા ગયા અને વાત રહી ગઈ. તે છેક 1980માં બીજી આવૃત્તિ બહાર આવી !!… આ પુસ્તકનો સંદર્ભ લઈને આ લેખ તૈયાર કરેલ છે, તેની સાદર નોંધ લઉં છું.) (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 7, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
પોતાની અંતિમવિધિ માટે આવનાર કુળ–બ્રાહ્મણને આપવાની દક્ષિણાનું કવર પણ બનાવીને મૂકી ગયા હતા !!!
તમને પ્રશ્ન થશે કે ભગવાનનું તે વળી મૃત્યુ થાય ?? હા, હા, થાય જ ને !! જે જન્મે તે મરે જ, એ ક્રમ તો અવતાર ધારણ કરનાર ભગવાનોએ પણ જાળવ્યો છે ને !! સમર્થ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણને પણ એક જરા પારધી એક નજીવા બાણથી શિકાર સમજીને અલવિદા કહી શક્યો. જે મનુષ્ય અવતાર ધારણ કરે તે અવશ્ય મૃત્યુને વરે જ.
બસ, એમ જ, સદેહે અમારી વચ્ચે જીવેલા અમારા ભગવાને પણ વિદાય લીધી, પણ એમની વિદાય પણ અદ્દલ પેલા મૂળ ભગવાન જેવી જ. દિવ્ય અને સહજ. એકદમ પવિત્ર અને મંગલ. એ શિક્ષક હતા અને ગણિત ભણાવતા હતા. તે દરમિયાન ભગવાનને હૃદયની કશીક તકલીફ થઈ. પણ આ તો ભગવાન એટલે ખાસ ગણકારે નહીં !! “હશે કંઈક, શરીર શરીરનું કામ કરે, દર્દ તો મહેમાન કહેવાય. થોડા દિવસ રોકાશે ને પછી એની મેળે જતું રહેશે.” આવું ભગવાન કહ્યા કરે. પોતાની મેળે ડોક્ટરને બતાવી આવે અને ડોક્ટરે કહ્યું કે, અમદાવાદમાં એક હાર્ટ હોસ્પિટલ છે, તેમાં હૃદયના વાલ્વની સર્જરી કરાવવી પડશે, એટલે ભગવાને અમદાવાદ જવાનું પેકિંગ કર્યું શરૂ. અમે ગ્રુપના સભ્યોએ ભગવાન માટે એક ઉત્સવ-સંધ્યાનું આયોજન કર્યું અને ભગવાનને અમે ફેરવેલ પાર્ટીના માહોલમાં અમદાવાદ મોકલ્યા. એ ઉત્સવ સંધ્યામાં ઓશોને સાંભળ્યા, ભગવાન પાસેથી પોતાના હૃદય અંગેની વાતો સાંભળી અને ખાણી-પીણી કરી. ભગવાનને અમે કહ્યું કે, ‘તમારા હૃદયનો વાલ બરાબર ટાઈટ કરાવતા આવજો, કારણ હવે આપણે પાછા અમદાવાદ કે ક્યાંય જવું નથી.’ અરે ભગવાને અમને જવાબ આપ્યો કે, “હું મારા પક્કડ-પાનાં લેતો જાઉં છું ને, જુઓ, હૃદયને એકદમ ઠીકઠાક કરાવી લાઉ.”
અમે ભગવાનની તબિયત વિશે ચિંતિત ન હતા પણ અમે સતત તબિયતના અપડેટ્સ મેળવતા હતા. સર્જરી થઈ ગઈ પછી અમે ફોનથી વાતો પણ કરતા અને અમને આનંદ હતો કે, ભગવાન બહુ મઝામાં છે અને તેમના નિરાળા સ્વભાવ મુજબ હસતા-રમતાં થઈ રહ્યા છે. નવરાત્રી નજીક આવતી હતી એટલે એક રાત્રે ભગવાને મને ફોન ઉપર કહ્યું કે, ‘મારે માસીને કે જે પ્રજ્ઞાચક્ષુ હતાં, નવરાત્રીમાં માઈ મંદિર લઈ જવાના હોયને એટલે હું બે-ત્રણ દિવસમાં રાજકોટ આવી જાઉં છું. મને હવે કોઈ તકલીફ નથી, અહીં ખાઈ-પીને જલસા કરું છું.’ અમે સૌ મિત્રોને આ સમાચાર આપ્યા અને અમારા ગ્રુપમાં ઉત્સાહનું મોજું ફરીવળ્યું. પણ પણ પણ…ભગવાન રામને થયું હતું એમ જ ‘સવારે શું થવાનું છે ?’ વાળી પંક્તિ સાચી પડી. બીજે દિવસે સવારે અચાનક સમાચાર આવ્યા કે ‘ભગવાને વિદાય લીધી છે’ !!! અમારી ઉપર તો જાણે હિમાલય પડયો, અમે સૌ નિઃશબ્દ,અવાચક અને દુઃખથી છલોછલ !!!
પણ જેમ જેમ ભગવાનની લીલા સાંભળતા ગયા તેમ તેમ અમે ભગવાન પર અહોભાવથી વરસતા ગયા. તેમના કુટુંબમાંથી જાણવા મળ્યું કે, ભગવાન બધી જ તૈયારી કરીને જ અમદાવાદ ગયા હતા. તૈયારીઓ જાણીને ભગવાનને મળેલા દિવ્ય સંકેતો અમારા મનમાં સુસ્પષ્ટ થતાં ગયા અને અમે કેવળ ‘જય ભગવાન, જય ભગવાન’ની ધૂન રટતા રહ્યા. ભગવાને પોતાનો સેલરી બેન્ક એકાઉન્ટ જાતે બંધ કરાવી દીધો હતો. પોતાના રૂમના એક ગોદરેજ કબાટમાં ભગવાન પોતાને છેલ્લે પહેરાવવાના વસ્ત્રોને ઘડી કરીને મૂકી ગયા હતા, પોતાની અંતિમવિધિ માટે આવનાર કુળ-બ્રાહણને આપવાની દક્ષિણાનું કવર બનાવીને પેલા વસ્ત્રો ઉપર ગોઠવીને મૂકી ગયા હતા.!!! આર્ષ વિદ્યા મંદિર, કે જેના પરિસરના વૃક્ષને ભગવાન પાણી પાવા જતાં તે મંદિરના પરિસરમાં અમદાવાદ જવાની આગલી સાંજે ભગવાન ગયેલા અને વૃક્ષ નીચે એકાદ કલાક આંખ બંધ કરીને બેસેલા, તેવું એક મંદિરભકતે પછીથી અમને કહ્યું !! જે માઈ મંદિર પોતાના પ્રજ્ઞાચક્ષુ માસીને દર્શન કરવા ભગવાન લઈ જતાં તે માઈમંદિરમાં રહેલી સમાધિઓ પાસે ભગવાન આંખ બંધ કરીને બેસેલા અને તેમની આંખમાંથી આંસુઓ વહી જતાં હતા તેવું એકથી વધુ સાક્ષીઓએ અમને કહ્યું !! અને હા,અમારા ગ્રુપના મિત્રોએ સાથે મળી એક ફાર્મ હાઉસની સ્કીમમાં પ્લોટસ લેવાનું નક્કી કરેલું ત્યારે અમે ઘણું કહ્યું, છતાં ભગવાને પોતાના નામે પ્લોટ ન જ લીઘો અને તેઓ જે નાના ભાઈ સાથે રહેતા હતા તેમના નામ પર જ દસ્તાવેજ કરાવેલો. ભગવાનના આ નિર્ણયનું રહસ્ય પણ અમને ભગવાનની વિદાય પછી સમજાયું.
અમારા ભગવાન આજે પણ અમારી સામે જ ઉભા છે, અમે દૃઢપણે માનીએ છીએ કે આપણને તો ભગવાન પોતે સામેથી આવીને મળ્યા છે અને આપણી સાથે જીવ્યા છે. આજે પણ ‘જય ભગવાન’ બોલીએ કે સ્મરીએ કે તરત ભગવાન અમારી આંખોમાં હાજરાહજૂર થઈ જાય છે. અમારે તો ઉપર જઈએ કે તરત અમારા ભગવાનની સાથે પાછી ગોષ્ઠિઓ માંડવી છે.
by Bhadrayu Vachhrajani | Jun 30, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
મૃત્યુનો મંગળ તરીકે સ્વીકાર કરવાની એક બહુ મોટી શીખ અમને ભગવાન આપતા હતા.
એક અતિ વિરલ વ્યક્તિત્વ કે જેને અમે ‘જય ભગવાન’ કહીને બોલાવતા હતા તેની વાત આપણે માંડી છે. અમારા જય ભગવાન જાણે સમાજની સેવા કરવા અથવા તો દરેક વ્યક્તિ સાથે કરુણાનો સંબંધ બાંધવા પ્રગટ્યા હોય એવું અમને લાગતું. કોઈપણ નું દુઃખ હોય તો એ દુઃખ ના સમયે જય ભગવાન ખમ્ભે થેલો લટકાડીને હાજર હોય. એક બાબત બરાબર અમે નોંધી કે ઉત્સવના પ્રસંગે અને દુઃખના પ્રસંગે સમાન રીતે જય ભગવાન હસતો ચહેરો રાખીને હાજર હોય.
અમે એવું પણ નોંધેલું કે ઓશોના પ્રિય શિષ્ય હોવાથી તેઓના મનને દુઃખ બહુ ઓછી અસર કરી શકતું હતું. એનું ઉદાહરણ અમે તેમના પિતાશ્રીના દેહાવસાન વખતે અનુભવ્યું. એમણે જોયું કે પિતાશ્રી હવે થોડો સમય છે, ત્યારથી એમણે પિતાશ્રીની બાજુમાં બેસીને ધ્યાનસ્થ થવાનો પ્રયાસ કર્યો. અને જ્યારે બે-ત્રણ કલાકો પછી તબીબે આવીને કહ્યું કે, તેઓએ પ્રાણ છોડી દીધા છે ત્યારે વજ્રાસનમાં બેસીને અમારા જય ભગવાન ખડખડાટ હસવા માંડ્યા. એટલું બધું હસવા મંડ્યા કે આજુબાજુના લોકોને થોડું વિચિત્ર પણ લાગ્યું !! . પણ અમારા જેવા જે નજીક હતા એમણે જોયું કે એ ખડખડાટ હસતા હતા પરંતુ એમની આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા. મૃત્યુનો મંગળ તરીકે સ્વીકાર કરવાની એક બહુ મોટી શીખ અમને ભગવાન આપતા હતા.
અરે, તમારે માત્ર એક નામનો પરિચય હોય તો પણ ભગવાન ત્યાં પહોંચી જાય અને એમના દુઃખમાં મદદ કરે. કેટલાય કુટુંબોના લગ્ન પ્રસંગો કે જેમાં દીકરીઓને પરણાવવાની હોય તો એમાં પૂરેપૂરું રસોડું સંભાળવાનું કામ જય ભગવાન કરે. એ સમય હતો કે જ્યારે કંદોઈ આવતો અને મીઠાઈ બનાવતો, બહેનો આવતા અને ફરસાણ બનાવતા, અને પછી એક-એક ડીશનો ભાવ નક્કી કરીને બહેનો રસોઈ કરવા આવતા ત્યારે આપણા ઘરના ઘણા લોકોએ સાથે રસોડામાં રહેવું પડતું. માનો કે કંદોઈ મોહનથાળ બનાવે તો એને ચોકીની અંદર પાથરીને પછી એના ચોસલા બનાવવા, ચોસલા ઉખેડવા, સરસ મજાના ગોઠવવા, આ બધું કામ કરવું એ ભગવાનનો બહુ જ શોખનો વિષય. આખું લગ્ન પૂરું થઈ જાય, કન્યાદાન દેવાઈ જાય, અથવા તો વર પરણી ઉતરે, તો પણ મુખ્ય મંડપમાં કોઈ દિવસ ભગવાન જોવા ન મળે. ભગવાન ક્યાં છે? તો કે મંડપમાં રહેલા રસોડામાં છે, અને એમણે સાદો લેંઘો જેને ગોઠણ સુધી ચડાવી દીધો હોય, અને એક સાદો સદરો પહેરીને દાળના કમંડળો ભરતા કે શાકના તપેલાઓ ઉંચકતા તમે એમને બહુ સહજતાથી જોઈ શકો. આપણે એને જમવા બોલાવવા જઈએ કે ભગવાન ચાલો જમી લઈએ ત્યારે એનો જવાબ સાંભળવા જેવો હોય, એ કહે, ‘મારે જમવાની જરૂર નથી, કારણ કે, હું રસોઈ બનતી હતી ત્યારે બધું થોડું-થોડું ચાખતો જતો હતો. હવે એટલી ભૂખ રહી નથી.!!’
આપણને આશ્ચર્ય થાય કે, સંબંધની વાત ક્યાંય આવતી નથી, રિલેશનશિપ જેવો શબ્દ ક્યાંય આવતો નથી, છતાં પણ આપણે ત્યાં પ્રસંગ ત્રણ દિવસનો, ચાર દિવસનો, અઠવાડિયાનો હોય તો પણ ભગવાન પુરા દિવસ રસોડાની બધી વ્યવસ્થા સંભાળતા હોય. મારા માતુશ્રીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અને એ સમય હતો ગોધરાકાંડનો. એ સમયમાં બહુ મુશ્કેલી હતી પણ અમારે હૈયે ધરપત હતી કે, ભગવાન છે એ હોસ્પિટલ સાચવી લેશે. જેવી ખબર પડે એટલે ભગવાન થેલાની અંદર એક જોડી કપડાં લઈ અને હોસ્પિટલે પહોંચી જ ગયા હોય. કોઈનું પણ કંઈ હોય, ભગવાન હાજર હોય. અને આવતા વેંત પોતાનો થેલો લટકાડીને કહે , “તમે તારે ફ્રી, હવે હું અહીંયા છું કોઈ ચિંતા ન કરતાં.” એક દિવસ, બે દિવસ, વચ્ચે એમને કોઈ રિલીવ કરે, ન કરે, જમવાનું ટિફિન એનું આવે ન આવે, ભગવાનને કશી ચિંતા ના હોય. આપણને આશ્ચર્ય એ વાતનું થાય તેવી સહજતાથી બીમારની સાથે પોતે સમય પસાર કરે, એને કશુંક વાંચી સંભળાવે, એની સાથે સતત વાતો કરતા રહે અને હસી-મજાક કરતા રહે, હોસ્પિટલનું વાતાવરણ પણ હળવું રાખે, એવા એ ભગવાન હતા.
કોઈને ભેંટ આપવાની એમની પદ્ધતિ પણ બહુ જ વિશિષ્ટ હતી. પોતે વારંવાર ઘરે આવે અથવા કોઈને ઘરે જાય તો પોતે સીધા રસોડામાં પાણી પીવા માટે દોડી જાય, અને એવે ટાણે પોતાના થેલામાંથી એક નાનકડી કોથળી કાઢે ને રસોડામાં રહેલા ફ્રીજને ખોલી અંદર રાખી દે. કોઈને કશું કહે નહીં. ઘણો વખત પછી તમને સાંજે ખબર પડે કે, આ ફ્રિઝની અંદર પ્લાસ્ટિકની કોથળીમાં ગુલાબજાંબુ અથવા રસગુલ્લા કોણ મૂકી ગયું હશે?, ત્યારે સૌને યાદ આવે કે, ભગવાન આજે આપણે ત્યાં જમવા આવ્યા હતા એટલે એ પોતાનો ભાવ આ રીતે પ્રગટ કરી ગયા છે. લગ્ન પ્રસંગ હોય તો એ વખતે જે કેસેટ આવતી ઓડિયો કેસેટ, એ કેસેટ બધાને ભેંટ કરે. ઓશોના પ્રવચનો પોતે સાંભળે, અને પછી આપણને આપે. પણ એ આપવાની રીત પણ કોઈ મંચ ઉપર જઈને, ફોટા પડાવીને કે એવી નહિ, રીત પણ બહુ સીધી અને સાદી. જેના લગ્ન હોય અથવા જેને ઘરે પ્રસંગ હોય, એની પાસે જાય, કશું જ ઊંચા સ્વાદે બોલ્યા વગર હળવેથી કહે , ‘તમારા લગ્ન થાય છે ને, સમય મળે તો આ સાંભળજો, મજા આવશે.’
સાચું પૂછો તો ભગવાન એવું વ્યક્તિત્વ હતા કે એમની હાજરી હોય તો સૌને એમ લાગે વાહ ! આપણે ભર્યા-ભર્યા બની ગયા. કોઈપણ કામ કરવું એ ભગવાન માટે કોઈ નાની મોટી વાત નોહતી. ભગવાન શ્રીકૃષ્ણ માટે આપણે સાંભળેલું એણે પાતર પણ ઉપાડેલા, એમણે મહાભારતના યુદ્ધમાં ઘોડાઓનો ખરેરો પણ કરેલો, ઘોડાના ઘાવ પણ લૂંછેલા, બસ એવી જ રીતે અમારા ભગવાન કોઈ પણનું કોઈ પણ કામ કરી શકે. સમારંભ પૂરો થાય અને મંડપમાંથી ખુરશીઓ ભેગા કરતા કોઈને જુઓ તો એ ભગવાન હોઈ શકે. બધી વસ્તુ આડી-અવળી હોય એને ભેગી કરવા માંડે તો એ ભગવાન કોઈ શકે. અને એટલા બધા અલગારી, મજાના, કે જાણે શું બને છે એની એને ચિંતા ના હોય.
અમારા મત પ્રમાણે તો ઓશો પછી ઓશોની જેમ જીવનારા અમારા ભગવાન ધ્યાનમાં બેઠા હોય તો સહજતાથી ધ્યાનમાં હસતા જાય, રડતા જાય અને વિચિત્ર રીતે આપણને જોવા મળે એવા ભગવાનની દશા હોય. રાજકોટમાં એક માઈ મંદિર છે, જ્યાં તેના પ્રજ્ઞાચક્ષુ માસીને નિયમિત લઈ જવાના, હાથ પકડીને લઈ આવવાનું કામ ભગવાન પ્રેમથી કરતા. આ માઈ મંદિર ની અંદર તમે જાઓ તો માસી એક બાજુ બેઠા હોય અને કોઈ એક પિલરને ટેકો દઈને, આંખ બંધ કરીને, ભગવાન ધ્યાનમાં ઉતર્યા હોય. અમારે ઘરે આવે ત્યારે અમારો દીકરો હસી મજાક કરે કે ભગવાન, તમે તો માઈ મંદિર માં ધ્યાન કરતા હતા પણ આમ તો તમે ઝોંકા ખાતા હતા, હો!! આ સાંભળીને એ ખડખડાટ હસે અને પછી એમ કહે કે, ઝોકાં ખાવા કે નીંદર કરવી એ પણ એક ધ્યાન જ છે.
2001માં રાજકોટ ઉપર ભયાનક ભૂકંપ આવ્યો ત્યારે માસી સાથે ભગવાન માઈ મંદિરના એક પિલર પાસે બેઠા હતા. અને આશ્ચર્ય થશે કે મંદિરમાંથી સૌ લોકો બહાર દોડી આવ્યા કે ધરતીકંપ થયો, પણ અંદર પલાઠી મારીને, આંખ બંધ કરીને બેઠા હતા, અમારા ભગવાન. કેટલીએ વાર પછી કોઈએ જઈને ઉઠાડયા કે, ચાલો બહાર, ત્યારે એ એકદમ હસતાં હળવે પગલે આવ્યા અને કહ્યું, શું થયું, કેમ બહાર બોલાવ્યો? બધાએ કહ્યું કે તમને કાંઈ અસર ન થઈ? ધરતીકંપ થયો. તો કહે ના, મારી તો આંખ બંધ હતી એટલે ખબર ન હોય. એટલી બધી સહજતાથી બધાના ભયને ઓછો કરી નાખ્યો આ વાત કરીને કે અમને એમ થયું કે, ભૂકંપ વખતે આપણી બાજુમાં ભગવાન ઊભા છે અને એણે આપણને શાંત્વના આપવા માટે આ વાતાવરણ સર્જ્યું છે.
અમારા આ ભગવાને આ પૃથ્વી ઉપર થી વિદાય લીધી એ પણ બહુ દિવ્ય રીતે વિદાય લીધી, તે વાત કરીને આપણે ભગવાન શ્રેણી પૂર્ણ કરીશું.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 28, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપર જોવા એ થોડો કંટાળાનો વિષય ગણાય
આપણે ભગવાનને મળી રહ્યા છીએ અને તેના ભગવાનપણાની વાતો કરી રહ્યા છીએ… ભગવાન મારા-તમારા જેવા શિક્ષક હતા એટલે તેઓની કથા અહીં માંડી છે. આ કથા સત્યકથા છે અને તે વાંચીને આપણને થાય કે જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!
જય ભગવાન વિરલ વ્યક્તિત્વ હતા એ અમને ધણી મોડી ખબર પડી. એમનામાં કોઈ દૈવીવાતો બેઠીહતી, એનો પણ અમને પછી ખ્યાલ આવ્યો.કારણ કે એ ક્યારેય ગંભીર અવસ્થામાં અમારી સામે આવ્યા જ નહોતા. સદા ખુલ્લા મોઢે હરાનારા અને ખડખડાટ હસતા-હસતા પોતાનીટાલ અને દાઢી ઉપર હાથ ફેરવનાર જય ભગવાન અમારી સાથે કયારેય દુ:ખદર્દવાળા જોવા મળ્યા નથી.
અમે બધા શિક્ષકો.શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપરજોવા એ થોડો કંટાળાનો વિષય હોય. પણ અમને ક્યારેય કંટાળો ન લાગ્યો, એનું કારણ એ કે ભગવાન પેપર જોવાના દિવસોમાં અમારી સાથે ને સાથે હોય. દિવસના સ્કૂલેથી છૂટે અને સાંજ પડે એટલે ભગવાન થેલીમાં પેપર લઈને અમારા ઘરે આવે અને સૌ મિત્રોને ભેગા કરે. અમારું શિક્ષકવૃંદ અમારા મકાનમાં નીચે ડાયરો જમાવે. બધા પોતપોતાના પેપર લઈને આવ્યા હોય પણ વાતોચીતો અને ટોળટપ્પામાં એટલો બધો સમય જાય કે કોઈ પેપર બહાર પણ ન કાઢે !! થોડીથોડીવારે ભગવાન એવું યાદ અપાવે કે, આપણે પેપર જોવાના છે હો… અને એવું કહીને પાછા કહે કે, જરાક ચા પી લઈએ પછી પેપર કાઢીએ. ચા બનાવતા બનાવતા ભગવાનને વિચાર આવે કે, ઈચ્છા હોય તો થોડા ભજીયા બનાવી નાખીએ… એટલે જે બહેનો હોય તેની સાથે ભગવાનપોતે મિક્સ ભજીયા બનાવવામાં લાગી જાય. એ બધું પૂરું થાય અને બધા ભજીયા અને ચા ની ઉજાણી પૂરી કરે એટલે ભગવાન ફરીવાર યાદ આપે કે, આપણે પેપર જોવાના છે હો ! અને અમારા જૂથમાંથી કોઈ વળી સંનિષ્ઠ હોય તો બે-ચાર પેપર જોવા લાગે.
ભગવાન ઓશોપ્રેમી એટલે સુંદર મજાની ઓડીઓ કેસેટ (એ સમયમાં હતી) માં ઓશોનું કોઈ સુંદર વકતવ્ય વગાડે અને કહે આ વાત સાંભળી લઈએ પછી પેપરજોઈએ. !! ઓશોવચન શરૂ થાય કે તરત જ ભગવાન પલાંઠી મારી આંખ બંધ કરીને બેસી જાય !!! ભગવાનની દાઢી એવી કે આપણને બાજુમાં ઓશો ખુદ બેઠા હોય એવું જ ભાસે !! ભગવાને તો આવીને પેપરવાળી થેલી એક ખીંટી ઉપર ટીંગાડી દીધી હોય. એ હજી ખીંટી ઉપરથી નીચે ન આવી હોય. ઓશોનું વકતવ્ય પૂરું થાય એટલે ભગવાન હસતા-હસતા એમ કહે કે, સુંઠ નાખેલો ગરમા ગરમશિરો ખાધો હોય તો મજા આવે અને એની વાતને બધા જ લોકો ટેકો કરે અને ફરી એકવાર એક નાનકડું જૂથ રસોડામાં પહોંચી જાય. સંગીત વાગતું રહે ને એમ કરતા કરતા લગભગ રાતનાં બે કે અઢી વાગે એટલે પછી ભગવાન એવું કહે, હવે અત્યારે પેપર ન જોવાય.વિધાર્થીઓને અન્યાય થાય. ઊંઘમાં ઓછા માર્ક અપાય જાય તો એ સારું ન કહેવાય એટલે પછી અમારો દિવસ આટોપાઈ જાય. બે કે ત્રણ દિવસ આવા જાય પછી ખીંટી ઉપરથી થેલી ઉતારીને ભગવાન પોતાના ઘરે વિદાયથાય.
આ ભગવાન આમ તો ‘મિસ્ટિક’ હતા,અજબનું રહસ્યમય વ્યક્તિત્વ હતા. એ એવું જીવન જીવતા હતા કે આપણને આશ્ચર્ય થાય.ઘરે આવે અને રાત રોકવાના હોય તો એ ડ્રોઈંગરૂમની અંદર નીચે સુઈ જાય. એને ઓશિકાની એ જરૂ નહિ, એને ચટ્ટાઈની જરૂર નહીં. અને નીચે સૂઈને પછી પગ ઉપર પગ ચડાવી દે, જેવી રીતે ભાલકાતીર્થ પાસે ભગવાનશ્રીકૃષ્ણ બેઠા છે એવી અદામાં લંબાવે અને થોડી વારમાં એને ઊંઘ પણ આવીજાય. વહેલી સવારે અમે ઉઠીએ કે ભગવાન સાથે ચા-પાણી પીએ ત્યાં તો રૂમ ખાલી હોય. જરા બહાર જઈને જુઓ તો સાઈકલ પણ ન હોય. ભગવાન પોતાની માયા સંકેલીને ફરી એકવાર પોતાના ઘરે પહોંચી ગયા હોય. બીજી વખત આવે ત્યારે વાત કરીએ કે, ‘ભગવાન, તમે કેમ સવારના પહોરમાં ભાગી ગયા હતા ?’ તો એ તરત જ કહે કે, ભાભીને વહેલા ઉઠીને પાણી ન ભરવું પડે ને ! અમારા સવારના સાડાપાંચ વાગ્યે નળમાં પાણી આવે છે એટલે એ સમયે હું પહોંચી ગયો હોઉં તો ભાભીને થોડો આરામ થઈ શકે !!!
ખબર નથી કે, અમારા ભગવાન લહેરી હતા એટલે પરણ્યા નહોતા કે પછી પરણ્યા નહોતા એટલે લહેરી હતા ??
by Bhadrayu Vachhrajani | Jun 17, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
આપણે ભગવાનની વાત કરતા હતા. એવા ભગવાન કે જે દેહધારી હતા અને જેમની સાથે અમે જીવીને ખુબ આનંદ માણ્યો છે, પ્રવાસ કર્યા છે તેવા ભગવાન. હું તમને એક બે પ્રસંગો કહું એટલે તમને વધુ ઉત્કંઠા થશે.
એ તમારે ઘરે આવે અને ઝાંપો ખોલીને જો સાઈકલ તમારા ઘરની અંદર લે તો તમારે સમજવાનું કે ભગવાન આજે તમારે ત્યાં રાત્રી નિવાસ કરશે. હવે એ ભગવાન ઘરમાં આવે અને તમને પૂછે, ‘ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ છે ?’ તમે કહો કે, ‘ના ના ક્યાંય જવું નથી, બેઠા છીએ !’ સામાન્ય રીતે શનિ રવિમાં જ આમ બનતું હોય કારણ કે બાકીના દિવસોમાં તો સ્કૂલ હોય તો ક્યારેક આવું તો વેકેશનમાં જ બનતું હોય કારણ કે અમે બધા જ માસ્તરો હતા. આપણે કહીએ કે, ક્યાંય જવું નથી એટલે એ બેઠા હોય ત્યાંથી ઊભા થાય અને પોતે જે પેન્ટ પહેર્યું હોય ઢીલું ઢીલું, એ પેન્ટ ડ્રોઈંગ રૂમમાં સૌની સામે ઉતારી નાખે. શરૂ શરૂમાં અમને આશ્ચર્ય થતું પણ એ પેન્ટ ઉતારે એની નીચે એક ઘરમાં પહેરવાનો લેંઘો પહેર્યો હોય, એટલે એ પેન્ટ ઉતારી અને અંદરના રૂમમાં જઈને કોઈપણ બારણે લટકાવે. ખીટી શોધવા જેટલો એ શ્રમ ન લે. અને પછી શર્ટ ઉતારી એ પણ લટકાવે, ત્યાં એણે સદરો પહેર્યો હોય !! એટલે જેવું પાક્કું થયું કે તમારો કોઈ કાર્યક્રમ ભગવાન ડિસ્ટર્બ કરવાના નથી એટલે પછી ભગવાન ઘરેલુ પહેરવેશમાં આવી જાય અને લેંઘા ઉપર સદરો પહેરીને આખો દિવસ તમારી સાથે ગાળે.
એ સોફામાં બેસે, હિંડોળા પર બેસે કે ખુરશીમાં બેસે તો લગભગ ત્રીજી ચોથી મિનિટે એની પલાંઠી લાગી ગઈ હોય. અથવા ટેસથી પગ ઉપર પગ ચડાવી દીધો હોય અને બે હાથને પોતાની ટાલમાં ફેરવતા ફેરવતા એમને માથા પાછળ ટેકવી દીધા હોય. ઊંધી અદબ એણે વાળી લીધી હોય અને પછી લાખ લાખની વાતો, હસી મજાક, હળવી ફૂલ જેવી… પણ એ વાતમાં ક્યારેય ભગવાન કોઈની નબળી વાત ન કરે. એમને ભૂલથી પણ આપણાથી કહેવાય જાય કે, કોઈ ભાઈ આવા છે, તો એ પોતાનો જમણો હાથ ઉંચકાવે, પોતાની ટાલમાં ફેરવે, પોતાના નાક પાસે બરાબર રાખે અને પછી લાંબી દાઢી ઉપર ફેરવી અને પાછો મૂકી દે. આપણને એમ લાગે કે, એણે ભાઈને ઉપરથી લીધા, એને વંદન કરી અને દાઢી ઉપર ફેરવી અને એ વાતને એણે નીચે મૂકી દીધી.
ભગવાનને ક્યારેય કોઈનું વિવેચન કરતા અમે સાંભળ્યા નહીં. અથવા ભગવાનને કોઈની ટીકામાં પોતાનો સુર પૂરાવતા અમે સાંભળ્યા નહીં. હા, ઘણાબધા મિત્રો ભેગા થયા હોય અને કોઈ કોઈનું કશીક કૂથલી કરવાનું કામ પણ ચાલે તો એમાં ભગવાન વાંધો ન લે પણ એ એકબાજુ બેઠા બેઠા ખડખડાટ હસ્યા કરતા હોય. હવે અમને એમ સમજાય છે કે, એ આપણી આ અવસ્થા ઉપર હસી કાઢતા હતા.!!
એક બીજો નાનકડો પ્રસંગ કહું. માનો કે તમારે ઘરે આવ્યા અને એણે સાઈકલ અંદર લીધી એટલે તમારે સમજવાનું કે એ તમારે ઘરે રોકવાના છે. પછી તમારા ડ્રોઈંગરૂમમાં આવીને પહેલો પ્રશ્ન પૂછે : ‘કંઈ પ્રોગ્રામ ? ઘરે જ છો કે બહાર જવાનું છે ?’ એટલે મારા પત્ની રસોડામાંથી કહે કે, ‘આજે અમારે મામાને ત્યાં જમવાનો પ્રોગ્રામ છે’, એટલે જય ભગવાન જવાબ આપે, ‘કેટલા વાગે ?’ તો કહે, ‘સાડા બાર – એક વાગ્યે.’ ‘ઓહો..સાડા બાર – એક ને ! હજી તો ત્રણ કલાક છે.’ અમે એવો આગ્રહ કરીએ કે, કંઈ વાંધો નહીં અમે નહિ જઈએ. તો કહે, ‘ના ના, તમારે તમારો પ્રોગ્રામ ચાલુ રાખવાનો. હું તો નવરો હતો એટલે આંટો મારવા આવ્યો હતો.’ હવે આ જેવી ખબર પડે તો ભગવાન પોતાનું પેન્ટ ઉતારે નહીં, પોતાનું શર્ટ ઉતારે નહીં કારણ કે ભગવાન અમારી સાથે બે ત્રણ કલાક વાતો કરી છાશ કે ચા કે બન્ને પી ને અમારી સાથે જ અંદર ઝાંપામાંથી સાઈકલ બહાર કાઢી સાઈકલના ટેકે ટેકે ચાલતા ચાલતા શેરીના નાકા સુધી આવી પોતાને ઘરે પાછા ચાલ્યા જાય. એમને જરાય એવું ન લાગે કે, આ લોકોને ત્યાં મારે રહેવું હતું ને રહી ન શક્યો અને હા, અમને પણ જરા જેવો ય ભાર ન લાગે કે ભગવાનને આપણે ના પાડી.
આ સહજ વ્યક્તિત્વ એ અમારા જય ભગવાન. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 19, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
‘અસ્તિત્વએ સૌને ઘરે ઘરે જઈને જાણે કહી દીધું કે ‘આજે તમે ન જશો, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
પોતાનાં જીવનના પૂર્વકાળમાં સખ્ત પરિશ્રમ કરી સમૃદ્ધ થયેલ એક ઉદ્યોગવીરને ઓશો નામધારી જડીબુટ્ટી જડી અને તેમણે જીવનને આનંદોત્સવમાં પલટી નાખ્યું. જીવનની જહોજલાલી જે પૂર્ણતઃ પામે છે ને માણે છે તે જ ઈચ્છે ત્યારે સહજ થઈ સઘળું છોડી પોતાનો નોખો – અનોખો માર્ગ કંડારી શકે છે ! એ ભરચક્ક જીવન જીવ્યા. સંઘર્ષ કર્યો. કમાયા, વાપર્યું,બચાવ્યું. સ્વ થી લઈને સર્વ સુધી પ્રત્યેકને હળ્યા, મળ્યા, ભળ્યા અને જે જેવા હતા તેવા તેને સ્વીકાર્યા. બસ, આ જ ઓશોમાર્ગ છે. જે પોતે શાંત થતો જાય અને અન્ય સૌને અપાર શાંતિનો માહોલ બક્ષે તે જ તે સાચો ઓશોપ્રેમી છે.
આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટથી વીસેક કિલોમીટર દૂર વાગુદળ ગામ પછી બાલસરનાં પાદરમાં આવેલ ‘ઓશો વાટિકા’ના સ્વામી સંજય ભારતીની… સંજય સ્વામી અને કમુ મા ચહેરા પર સ્મિત અને આંખમાં પ્રેમસભર દંપતી છે, અને તેમના દ્વારા થયેલ સર્જન ‘ઓશો વાટિકા’ પરમ તત્ત્વની સતત હાજરી પુરાવતું પ્રશાંત સ્થાન છે, પણ આપણે એમનાં જીવનની ગઇકાલ કે આજની વાત નથી ક૨વી. આપણે તો વાત કરવી છે, જગતની દ્રષ્ટિએ એક દુર્ઘટનાની પણ સંજય સ્વામીની નજરે તો એ સુખદ પળ હતી કે જ્યારે અસ્તિત્વએ હાજરી પુરાવી હતી !
દુર્ઘટના અને સુખદ પળ ?? હા, આવું બને એક સાથે ? ચર્મચક્ષુથી જુએ તેના માટે તો એક અકસ્માત, કારણ ઓશો વાટિકાનો ધ્યાનખંડ ધરાશાયી થયો, પણ દિવ્યચક્ષુથી નિહાળે તેના માટે દિવ્ય પળ ! કારણ અસ્તિત્વએ એક જ પળમાં દૂર સુદૂરથી આવનાર ઓશોપ્રેમીઓને સંકેત કરીને ગેરહાજર કરી આપ્યા !!
હા, વાત જરા વિગતથી જાણીએ. સ્વામી સંજય ભારતી ભાવવિભોર થઈને એ પળને ફૂલડે વધાવતાં વર્ણવે છે : રોજના નિયત ક્રમ મુજબનાં ધ્યાન અહીં થતાં રહે છે અને અમે સદગુરુને સાથે રાખી ધન્ય થઈએ છીએ. ધ્યાનખંડમાં સો થી દોઢસો સન્યાસીઓ નિજ મૂડમાં નાચે, ગાય ને ધ્યાનસ્થ બને. સવારના છ વાગ્યે ડાયનેમિક મેડિટેશન શરૂ થાય અને રાજકોટથી, મેટોડાથી, સન્યાસીઓ પોણા છ સુધીમાં ગાડી પાર્ક કરી ખંડમાં ગોઠવાય જાય.
સંજય સ્વામી ને કમુ મા આગોતરા પહોંચી જાય ખંડદ્વારે.. તે દિવસે કમુ માની આંખ દુઃખવા આવી સવારમાં ને એમણે સંજય સ્વામીને કહ્યું, હું આજે નહીં આવું. એક ઈનોવામાં છ મિત્રો સાથે આવે, એમાંના ગાડી માલિકના પત્નીએ રાત્રે પતિદેવના એલાર્મને બંધ કરી દીધો ! એક દંપતિ નિયમિત આવે. પતિ ટૂરમાં હોય તો પણ પત્ની આવે જ, એ પ્રભાતે એમને આળસ આવ્યું ! ત્રણ મિત્રોને પરિવારના ઈમરજન્સી કામ માટે વહેલી સવારે બહારગામ જવાનું થયું ! આમ પચ્ચીસથી ત્રીસ નિયમિત સન્યાસીમાંથી કોઈ ન ફરકયું !
‘હશે, જેવી ગુરુની ઈચ્છા.’ એમ મન વાળી સંજય સ્વામી હવે ધ્યાનખંડમાં પ્રવેશ્યા. રોજ તો એ મધ્યમાં બેસે, પણ આજે પ્રવેશદ્વાર પાસે રહેલ મ્યુઝિક સિસ્ટમની નજીક બેઠા અને ધ્યાનમગ્ન થયા. નિયત દોર પૂરો થયો ને એકાદ કલાક પછી આંખો ખોલીને ઊભા થવા જાય ત્યાં જ મોટો ધડાકો થયો અને સંજય સ્વામી નજીકના દ્વારથી બહાર કૂદ્યાને ધ્યાનખંડ ધબાય નમઃ !! આગળની આખી રાત વરસાદ પડયો હતો, ખંડમાં પીઓપી સજાવટ હતી તેમાં કદાચ પાણી લીક થયું હોય,,,, જે થયું તે પણ એક માત્ર સંજય સ્વામીની ઉપસ્થિતિ અને એક જ પળમાં અસ્તિત્વએ હાજરી પુરાવી પણ એ જ અસ્તિત્વએ અનેકને સંકેત આપી કહી દીધેલું કે, ‘જ્યાં છો ત્યાં રહો.’ સંજય સ્વામી તો પરમની હાજરી માણતા હસવા લાગ્યા, કમુ મા પણ બહાર દોડી આવ્યા, વાટિકામાં રહેતા કાર્યકરો પણ આવી ગયા ! સૌને આનંદ અને આશ્ચર્ય બંને હતા કે આજે કોઈ સન્યાસી ન હતા !! ધ્યાનખંડે ભૂમિ પર આળોટવાનું નક્કી કર્યું. આ બધા તો ઓશોપ્રેમી એટલે આ ઘટના માટે ‘ઉત્સવ’ ઉજવાયો અને એ વખતે નિયમિત ડાયનેમિક એટેન્ડ કરનાર સૌ પોતે તે જ સવારે કેમ ન આવી શક્યા તે વર્ણવતા હતા, સૌ નાચ્યા, ગળે મળ્યા, ખુબ હસ્યા ને અશ્રુથી પરમને અભિષેક કર્યો !!
વો ચાહે સો હોઈ !! એમ આપણે બોલીએ છીએ પણ આ ઓશોપ્રેમીઓએ અનુભવ્યું. રોજની જેમ પચ્ચીસ-ત્રીસ પ્રેમીઓ આવ્યા હોત અને ધ્યાનખંડમાં જ બેઠા હોત તો ??…. આ ‘તો’ નો જવાબ અસ્તિત્વએ ઝીલી લીધો અને સૌને-બધાને ઘરે ઘરે જઈને જાણે કહી દીધું કે ‘આજે જશો નહીં, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’
by Santulan | Dec 21, 2023 | Uncategorized |
by Bhadrayu Vachhrajani | Aug 5, 2023 | Uncategorized |
img { width: 750px; } iframe.movie { width: 750px; height: 450px; }
Зеркало Вавада доступ к играм и акции для игроков
Зеркало Вавада доступ к играм и выгодные акции
Забудьте о сложностях с доступом к азартным развлечениям – используйте альтернативные ссылки. Они обеспечивают стабильное соединение и позволяют наслаждаться любимыми слотами и настольными вариациями без задержек. Эти адреса можно найти на официальных ресурсах или у партнеров платформы. Важно регулярно проверять обновления, так как ссылки могут меняться.
Также не упустите возможность ознакомиться с актуальными предложениями. Регулярные бонусы, фриспины и кэшбэки могут значительно увеличить ваш банкролл. Подписка на рассылки или уведомления от платформы поможет своевременно быть в курсе о новых акциях и специальных мероприятиях.
Разумно ознакомиться с разделами, в которых представлены самыя популярные игры. Не только новинки, но и классические варианты могут стать источником интересного времяпрепровождения. Обязательно ознакомьтесь с правилами, чтобы максимально использовать предложения и не допустить ошибок во время игры.
Зеркало Вавада: доступ к играм и акции для игроков
Чтобы получить возможность участвовать в лучших развлечениях, стоит обратить внимание на альтернативные пути, позволяющие обойти блокировки. Один из них – использование специальных ссылок, которые предоставляют прямой вход в любимые площадки.
Специальные предложения и бонусы часто обновляются. Регулярно проверяйте раздел с акциями, чтобы не пропустить выгодные предложения. Это могут быть как персональные подарки, так и общие программы лояльности.
- Бонусы на первый депозит нередко достигают значительных размеров.
- Фриспины – отличный способ попробовать новые слоты без риска потерять деньги.
- Кэшбэк позволяет возвращать часть потерь, что значительно повышает комфорт игры.
Не забывайте, что наличие мобильной версии сайта также открывает новые горизонты. Загрузите приложение или используйте адаптированный интерфейс для смартфонов, чтобы всегда быть на связи.
Участие в турнирах приносит не только удовольствие, но и возможность заработать дополнительные призы. Подробности всегда указаны в соответствующем разделе на платформе.
- Регулярно участвуйте в акциях, чтобы максимизировать свои шансы на успех.
- Смотрите, какие мероприятия проходят в прямом эфире, чтобы не упустить важные события.
Обратите внимание на систему уровней, которая позволяет зарабатывать дополнительные привилегии. Чаще всего чем больше вы играете, тем больше возможностей открываете для себя и выгодных предложений.
Как правильно воспользоваться зеркалом Вавада для доступа к играм
Для начала, убедитесь, что у вас есть актуальная ссылка на ресурс. Заходите на официальный сайт или используйте доверенные источники, чтобы получить ее. Не забывайте проверять наличие рекламы и ненадежных сайтов. Таким образом, вы избежите ненужных проблем с доступом к развлечениям, которые вам интересны.
После перехода используйте сразу свои учетные данные для входа в систему. Если у вас еще нет профиля, стоит пройти процесс регистрации, что займет всего несколько минут. Обратите внимание, что могут понадобиться документальные подтверждения для идентификации, следите за требованиями платформы.
Согласно информации, доступной на различных форумах, используйте возможности платформы для ознакомления с предложениями и новинками. Личные кабинеты зачастую содержат эксклюзивные предложения и бонусы. Например, ссылку на ресурс можно найти здесь: вавадо. Используйте доступные инструменты для оптимизации своего опыта и увеличения шансов на выигрыш.
by Santulan | Apr 1, 2023 | Uncategorized |
by Santulan | Aug 14, 2022 | Uncategorized, પ્રશ્ન વિશેષ - દિવ્ય ભાસ્કર |
ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા, તેનો મને ખ્યાલ જ નથી !!’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
આપણે એ જાણ્યું કે જે ઈનપુટ સગર્ભાવસ્થા દરમ્યાન અપાશે તે જ ઈનપુટ જન્મ લેનાર બાળક માટે પ્રિ ડેટા બની રહેશે. અવતરનારું બાળક આપણે મોકલેલા ઈનપુટ અને નવ માસના ગર્ભકાળ દરમ્યાનના ભાવાવરણનો પાસ્ટ ડેટા લઈને જ આવશે. આપણે એ સમયને જ પૂર્વજન્મ ગણીએ તો ય ચાલે. એ સમયગાળામાં Maximum positive inputs to yourself will go to the child and will develop the mind accordingly. આથી એક ફાયદો થશે કે તમે આ નવ મહિના જે પોઝિટિવિટી તમારામાં ઉમેરતા રહ્યા તેનો અને બાળક જન્મ્યું ત્યારે જે તમારો આનંદ છે એ બંનેનો સરવાળો થશે, કે જે બાળકના ઉછેરમાં તમને બહુ આનંદથી જોડશે.
વિચારોની કેળવણી માટે બહુ જ મહત્વનો મુદ્દો તે તમે કેટલા વિસ્તારો છો !..તમે કેટલા ખુલો છો ? તમે કેટલા વિસ્તરો છો, તમારો વિસ્તાર કેટલો વધે છે. વિસ્તાર એટલે કોઈને મળવાનો, કોઈને સાંભળવાનો, કોઈની સાથે સંવાદ કરવાનો, કોઈને એકાગ્રતાથી જોયા કરવાનો, નદી પાસે બેસીને ખળખળ વહેતી નદીને જોયા કરવાનો, પર્વત સામે આશ્ચર્યથી જોયા કરવાનો, પક્ષીઓના કલરવને બહુ વિસ્મયથી સાંભળવાનો અને વિચારવાનો કે ‘કોણ છે આ બધું કરનાર?’ ગઈકાલે જ મને કોઈએ કહ્યું કે ‘આ લીલી પાંખવાળું કબૂતર છે’, તો મારા માટે એ વિસ્મયનો વિષય બને છે, કારણ મેં કોઈ દિવસ નથી જોયું!! વિસ્મય છે, એ મારા માટે. એવે ટાણે મને થાય કે હવે આ શું પક્ષીની વાત કરે છે, હવે મૂકને પક્ષી, ભાઈ ? than i will not gain … I will not gain that it will not go inside. આપણા ઘરમાં બહારથી કોઈને કોઈ આવતું રહે છે. વિક્રમ સારાભાઈએ કહ્યું હતું કે, ‘મારા ઘરમાં એટલા બધા સ્ટાલવર્ટ લોકો આવ્યા કરતા હતા પિતાશ્રીની પાસે કે હું તો એની સામું ફરી ફરીને જોયા જ કરતો. અને મારી મા મને પરિચય કરાવતી કે આ સાયન્ટિસ્ટ છે, આ લીડર છે.’ વિક્રમ સારાભાઈને ઘરે જ બેસાડીને ભણાવવામાં આવ્યા હતા, એ સ્કૂલે નહોતા ગયા. એના લીધે એક બાળક તરીકે એમ તો થાય જ કે હું આના જેવો થાઉં. હવે ‘એના જેવો થઉં’ એવો વિચાર આવે કે તરત જ તમે એના લક્ષણ સામે જોશો. કોઈ વ્યક્તિ આપણને ગમી જાય એટલે આપણે આપણા માથાની સ્ટાઇલ એમના જેવી કરી નાખીએ કે માથામાં વેણી એમની જેમ લગાવીએ છીએ..‘કેમ એના જેવું થવું?’ આ ‘એના જેવું થવું’ એ સંકલ્પના અંદર ગઈ કે તરત જ It will add value to yourself.
કુલચંદ્ર યાજ્ઞિકસાહેબ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પહેલા કુલપતિ હતા. વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ યાજ્ઞિકસાહેબ નડિયાદમાં છે. તમે જે ગુજરાતી સામાયિક ખોલો એમાં પહેલા કુલીનચંદ્ર યાજ્ઞિક સુભાષિતો સમજાવતા હાજર હશે. મેં એને પૂછ્યું કે, સાહેબ આટલા બધા શ્લોક તમને કેવી રીતે આવડે ? તમને કોણે શીખવ્યા ? તો સરસ જવાબ આપ્યો કે, ‘અમારા ઘરનું વાતાવરણ જ એવું હતું, મારા દાદા સવારના ઉઠે ત્યારથી એ કશુંક ગણગણ્યા કરતા.’ હવે જુઓ, કેટલી અસર થાય છે. દાદા એટલે ત્રીજી પેઢી થઇ કુલીનચંદ્ર યાજ્ઞિકની. ‘પછી મારા માતા અને પિતા પણ એકદમ ધાર્મિક હતા, બીજું કઈ નહીં પણ દીવો કરે, અગરબત્તી કરે એટલે અમે સુતા હોઈએ અને અમને ઉઠાડે ત્યાં અગરબત્તીની સુગંધ આવતી હોય. એટલે ઉઠીએ ત્યાં બધું આહલાદક હોય. કોઈ જાતની ચિંતા ન હોય. આપણને એમ થાય કે, વાહ સરસ સુગંધ આવી.. પછી બીજું કઈ ન કરે પણ એ પૂજાપાઠ કરતા હોય અને અમે તૈયાર થતા હોઈએ. એ દરમિયાન એ મૉટે થી શ્લોક બોલતા હોય. રાત્રે અમે જમી લઈએ પછી અમે ભાઈ અને બહેન હીંચકા ઉપર બેઠા હોઈએ. મારા પિતાશ્રી ઘરમાં જમ્યા પછીનું ચાલતા હોય અને મા રસોડામાં બધું સમેટતી હોય. મારા પિતાશ્રી બહારથી શ્લોકની એક પંક્તિ બોલે એટલે એની પછીની પંક્તિ મારા માતુશ્રી બોલે. અને પછીની પંક્તિ અમારે બે જણાએ બોલવાની. એમાં અમને ન આવડે તો માતુશ્રી અને પિતાશ્રી બંને બાજુમાં આવી જાય અને બોલાવડાવે અને કહે હવે બીજી વાર બોલો, ત્રીજી વાર બોલો, અને પાછા જતા રહે. પછી બીજો શ્લોક બોલે. ખરું કહું, નાનપણમાં મને ખબર નથી કે આ ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા છે ?’
by Santulan | Jun 1, 2022 | Uncategorized |
આપણે ત્યાં દિવાળી વખતે અનેક વિશેષાંકો બહાર પડે છે. અખબારો દ્વારા પડે તો ગુજરાત રાજ્ય દ્વારા પણ પડે. પણ કોઈ સંસ્થા દ્વારા ચાર ચાર વિશેષાંકો અમૃત મહોત્સવની ઉજવણી તરીકે બહાર પડયા હોય તે જવલ્લે જ જોવા મળે તેવો દાખલો છે.
કોઈ સામાયિકને ૭૫ વર્ષ થાય અને તેની ઉજવણી થાય એ એક વિરલ ઘટના છે એટલા માટે કે આજના સમયમાં માસિક, સામાયિક કે વર્તમાનપત્ર પણ ચલાવવા એ બહુ કસોટીનો વિષય બન્યો છે. ત્યારે ૬૮ વર્ષથી કાર્યરત લોકભારતી સણોસરા અને તેની સમૂહ સંસ્થા દ્વારા પ્રકાશિત થતા ‘કોડિયું’ નામના સામાયિકને ૭૫ વર્ષ થયા અને તેનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો. વિશેષ પરિચયની જરૂર નથી કારણકે ગુજરાતમાં અને ભારતમાં બુનિયાદી શિક્ષણની સ્પષ્ટ સંકલ્પના આપનાર નાનાભાઈ ભટ્ટ, તેમની સાથે જોડાનાર મનુભાઈ પંચોલી ‘દર્શક’, મૂળશંકર મો. ભટ્ટ તથા ન. પ્ર. બુચદાદા,, આ ચાર મિત્રો દ્વારા જે ત્રણ સંસ્થાઓ કાર્યરત થઈ તે આજે પણ અનેક મુશ્કેલીઓની વચ્ચે સરકારના પ્રતિકૂળ નિર્ણયો છતાં પોતાનું પોત પોતાની રીતે જાળવી રહી છે. એમના દ્વારા પ્રકાશિત ‘કોડિયું’નો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો અને એ અમૃત મહોત્સવ યાદગાર રહી શકે એટલા માટે ‘કોડિયું’ સામાયિકના ચાર વિશેષાંકો બહાર પાડવામાં આવ્યા. આ ચાર વિશેષાંકો હકીકતમાં ચાર ધ્યેમંત્રોને સમાવીને બહાર પાડવામાં આવ્યા અને જુદા જુદા સંપાદકોને એમનું સંપાદન સોંપવામાં આવ્યું. પણ આપણે વાત કરવી છે લોકાભિમુખ નાઈ તાલીમની કેળવણી દ્વારા સંતુલિત વિકાસ સાધવા પ્રયત્નશીલ સંસ્થાના સામાયિક તરીકે ‘કોડિયું’ દ્વારા બહાર પડેલા ‘સૌંદર્ય વિશેષાંક’ની. આ સૌંદર્ય વિશેષાંકના સંપાદક છે શિક્ષણજગતમાં જેને તલસ્પર્શી ઊંડાણવાળો અભ્યાસ કરનાર વ્યક્તિત્વ અને અનેક વિદ્યાર્થીઓને સમાજની અંદર વાંચતા, વિચારતા અને ચિંતન કરતા કરી મુકનાર વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક શ્રી મહેન્દ્ર ચોટલીયા.
તંત્રી સ્થાનેથી અરુણભાઈ દવે એક સુંદર વાત આ સૌંદર્ય વિશેષાંકમાં કરે છે કે, આ સૌંદર્ય વિષય સુઝ્યો ક્યાંથી ? આ સૌંદર્ય વિષય સૂઝવા પાછળ એક નાનકડી ઘટના તેઓ દર્શાવે છે. દર્શકદાદા અને અરુણભાઈ ઈંગ્લેન્ડમાં શેક્સપિયરનું ગામ જોવા ગયા. ત્યાં ફરતા ફરતા જોયું તો દર ૧૦૦ મીટરે એક ગાર્ડન, સુંદર મજાનો બગીચો, એમણે ત્યાંના સ્થાનિક લોકોને પૂછ્યું કે આટલા બધા ગાર્ડન કેમ છે અહીં, ભાઈ ? તો જવાબ બહુ સુંદર મળ્યો, ‘ભાઈ, શેક્સપિયરનું ગામ છે. લાગવું તો જોઈને !’ એ જવાબ આ દાદા અને દાદા માનસ પુત્રના મનમાં વસી ગયો ! ત્યારથી અરુણભાઈએ સંકલ્પ કરેલો કે, આપણે લોક્ભારતીને એવી સુંદર બનાવવી કે કોઈ આવીને પૂછે કે, તમારી સંસ્થા આટલી બધી રૂપાળી કેમ છે ? તો આપણે કહી શકીએ કે, ‘ભાઈ, આ નાનાભાઈ અને મનુભાઈની સંસ્થા છે, લાગવી તો જોઈએ ને !’
સંપાદક પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલીયાએ આ અંકમા લેખોને પાંચ વિભાગોમાં ગોઠવ્યા છે. ૧) સૌંદર્ય પ્રવેશ, જેમાં સૌંદર્ય શું છે તેનો પરિચય અને ઓળખ છે ૨) સાહિત્ય અને કળામાં સૌંદર્ય એટલે કે આ ક્ષેત્રમાં સૌંદર્યને કઈ રીતે પ્રગટાવવામાં આવે છે તેની ઉદાહરણ સહિત સમજ છે. ૩) જ્ઞાન ક્ષેત્રના વિષયોમાં સૌંદર્ય શામાં અને કેવી રીતે પ્રગટે છે તેની રજુઆત છે. ૪) સૌંદર્ય મીમાંસા વિભાગ કે જેમાં સૌંદર્યની વિભાવનાની તત્વચર્ચાઓ અને ચિંતકોના દ્રષ્ટિબિંદુઓનો સમાવેશ છે અને ૫) સૌંદર્યની કેળવણી માટેના વિભાગમાં બાળકો અને મોટેરાંઓમાં સૌંદર્યદ્રષ્ટિ કઈ રીતે કેળવી શકાય તેનું માર્ગદર્શન રજૂ કરવામાં આવ્યું છે.
કવિવર ટાગોરની વાત ગમી જાય એવી છે, “મનુષ્યને જો પૂર્ણ કરવો હોય તો સૌંદરચર્ચાને ઉડાવી દીધે ન ચાલે. રસગ્રહણના અધિકારી થતા પહેલાં કઠણ ખેતી જરૂરી છે. રસના માર્ગમાં ભોળવનારી ઘણી આડખીલી નડે છે. એ બધી અડચણોને દૂર કરીને જે પૂર્ણ થવા માંગે છે, તેને માટે નિયમ સંયમ ઘણા જરૂરી છે. રસને માટે આ નિરસતા સ્વીકારવી પડે છે.”
ટાગોર એક સુંદર વાત ઉમેરે છે, “વાઘ અને ગાય એક સાથે પાણી પી શકે પણ તે ક્યારે પીવે, જયારે વાઘ પણ પૂર્ણ થયો હોય અને ગાય પણ પૂર્ણ થઈ હોય ત્યારે. આ રીતે જે વ્યક્તિ સ્થિર ભાવે મોટાની સાથે નાનાને, સમગ્રની સાથે પ્રત્યેકને મેળવીને જોવાનું ન જાણે ત્યાં સુધી તે ઉત્તેજનાને જ આનંદ અને વિકૃતિને જ સૌંદર્ય માનવાના ભ્રમમાં પડે છે. સૌંદર્યબોધનો પૂર્ણભાવે અનુભવ મેળવવા અંતે ચિત્તની શાંતિ જોઈએ. તેમાં અસંયમને ક્યાંય સ્થાન નથી. ફૂલના સૌંદર્ય કરતા મનુષ્યનું મુખ આપણને વધારે આકર્ષે છે, કારણકે મનુષ્યના મુખમાં કેવળ આકૃતિનું લાવણ્ય નથી, પરંતુ એમાં ચેતનાની દીપ્તિ, બુદ્ધિની સ્ફૂર્તિ અને હૃદયનું લાવણ્ય છે; તે આપણા ચૈતન્યને, બુદ્ધિને અને હૃદયને અધિકૃત કરે છે. તે આપણી પાસેથી જલ્દી પૂરું થવા માગતું નથી.
જયારે સૌંદર્ય વ્યક્તિગત સ્વાર્થ દ્વારા બદ્ધ, ઈર્ષા દ્વારા વિદ્ધ કે ભોગ દ્વારા જીર્ણ થશે નહીં ત્યારે તે શાંતિમાં અને મંગળમાં નિર્મળભાવે સ્ફૂર્તિ પામશે. જ્યાં સુધી સૌંદર્યને આપણે આપણી વાસનાની કેદથી મુક્ત રીતે ન જોઈ શકીએ ત્યાં સુધી તેને પૂર્ણ જોયું ન ગણી શકાય. આપણી અશિક્ષિત, અસંયત, અસંપૂર્ણ દ્રષ્ટિથી જે કાંઈ જોઈએ છીએ તેમાં આપણને તૃપ્તિ મળતી નથી.
જ્યાં આપણે આરંભની સાથે અંતનું, પ્રધાનની સાથે ગૌણનું, એક અંશની સાથે બીજા અંશનું ગૂઢ઼તર સામંજસ્ય જોઈને આનંદ મેળવીએ છીએ ત્યાં આપણે દ્રષ્ટિભ્રમ ઉતપન્ન કરે તેવા સૌંદર્યના ગુલામીખતને માન આપતા નથી. જ્યાં ધૈર્ય, વીર્ય, ક્ષમા, પ્રેમ વગેરે પ્રકાશ પાડે છે ત્યાં રંગરોગાનના આડંબરની જરૂરિયાત આપણે બિલકુલ જોતા નથી. કુમારસંભવમાં મહાદેવે જયારે છુપા વેશે જઈને તાપસી ઉમાની પાસે શંકરના રૂપ, ગુણ, વય, વૈભવ વગેરેની નિંદા કરી ત્યારે ઉમાએ જણાવ્યું ममात्र भावेकरसम मनः स्थितं (તેમના તરફ મારું મન માત્ર ભાવનારસમાં તરબોળ છે) ભાવરસમાં અસુંદરનો કઠોર વિચ્છેદ ચાલ્યો જાય છે.”
ટાગોર સમાપનમાં સુંદર વાત કહે છે કે, ‘જ્ઞાન દ્વારા સમગ્ર જગતમાં વ્યાપ્ત કરવું, કર્મ દ્વારા સમસ્ત જગતમાં પોતાની શક્તિને વ્યાપ્ત કરવી અને સૌંદર્યબોધ દ્વારા સમસ્ત જગતમાં આપણા આનંદને વ્યાપ્ત કરવો એ જ મનુષ્યત્વનું લક્ષણ છે. એટલે કે જગતને જ્ઞાનરૂપે, શક્તિરૂપે અને આનંદરૂપે ઉપલબ્ધ કરવું એનું નામ જ મનુષ્ય થવું કહેવાય.’
જીવન આનંદના ત્રણ સ્ત્રોત છે. ૧) નિષ્કામ કર્મ ૨) અધ્યાત્મ અને ૩) કળા. આપણે જીવનમાં જે પણ કરતા હોઈએ એમાં જો સૌંદર્ય દ્રષ્ટિ કેળવાય તો કંટાળો જન્મતો જ નથી.અને ચારે બાજુ માત્ર સારપની જ ખેતી થવા લાગે છે.