મન નોન ફિઝિકલ સબસ્ટેન્સ છે, જેને પકડી, સ્પર્શી, જોઈ ન શકાય, એ મનમાં જે કાંઈ અવરજવર થાય છે એને વિચાર કહેવાય.

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com

આપણી લગભગ ગડમથલ છે સાવ ન જોયેલા અને ધારી લીધેલા બે શબ્દો માટે છે. મારું દિલ દુભાણુ. મારું મન મુંઝાણું !! આ બંને શબ્દો એ સંકલ્પના છે, substance નથી.  મન ક્યાં છે અને દિલ ક્યાં છે ?? આખા વર્લ્ડ લેવલના માઈન્ડના શિબિરો ચાલ્યા કરે ને લોકો જાતભાતની વાતો કરે !! 

આપણે મન છે. તમે જ્યાં છો ત્યાં તમારું મન છે આ પહેલી શરત. અને  જ્યાં તમે શરીરિક રીતે છો ત્યાં તમારું મન છે એવું માની લેવાની ભૂલ ન કરવી એ બીજી વાત. હવે બે માંથી કયું વિધાન સાચું ? બંને સાચા ? તમે જ્યાં છો ત્યાં તમારું મન છે એ વાતને જો આપણે સાચી પાડવી  હોય તો બીજી વાતને આપણે બરાબર પકડીને આપણું મન ક્યાંય ન જાય એના માટે મક્કમ રહેવું પડે. એટલે કે મનમાંથી આવતા વિચારોને પકડી રાખવા પડે !!  

એક વ્યક્તિએ મક્કમતાથી  નક્કી કર્યું કે હું અહીંયા જ છું. Physically, mentally, emotionally બધી જ રીતે હું અહીંયા જ છું.  હવે બાજુમાંથી મોહનથાળ બનતો હોય એવી માત્ર  સુગંધ આવે કે તરત  એ સુગંધ મનને કહેશે  કે ‘આ બાજુ મોહનથાળ છે હો… કદાચ આજે જમવામાં  હશે’. એ ભોળું  મન તો મોહનથાળ ખાવા તૌયાર થઇ ગયું ને મન ભાગ્યું અહીંથી ઉપડીને રસોડામાં..He has decided to control his mind but unfortunately he failed  to do it only do to smell …સુગંધ આવીને અવિચલ માણસને ચલિત કરી ગઈ. મોબાઈલ વાઈબ્રેશનમાં રાખ્યો છે. હવે  વાઈબ્રેશન થાય ને તમારું મન ત્યાં ગયું. અને મન કોનો ફોન હશે એવા વિચારોના રવાડે ચડી જાય. 

‘વિચાર પ્રવાહઃ ઈતિ મનઃ’ વિચારોનો પ્રવાહ એ જ મન છે એવું શાસ્ત્ર વિધાન છે. પણ  મન અને દિલ એ બે નોન ફિઝિકલ સબસ્ટેન્સ છે,  જેને પકડી ન શકાય, જેને સ્પર્શી ન શકાય, જેની ટ્રીટમેન્ટ ન કરી શકાય, જે દેખાય નહીં. અને એ મનમાં હકીકતમાં જે કાંઈ અવરજવર થાય છે એને વિચાર કહેવાય. પાણીનું એક કુંડુ ભર્યું છે.  તમે એની બાજુમાં ઉભા છો. અને ઝાડ ઉપરથી એક નાનકડું પાન  પડ્યું. . તરત જ પાણીનું ઉપરનું લેયર તરલ થશે. બસ એમ જ છે મનનું….. શાંત જળની જેમ  પડયું છે. કોઈ નીકળતા નીકળતા જરા સ્પર્શે છે ને મનમાં તરંગો ઉમટવા લાગે છે.  કોઈ વિચાર કે સંવેદના જરા જોરથી આવી અને સ્પર્શી ગઈ તો મન જરા ઝડપથી વિચલિત થશે. 

મન અને વિચાર એ ખરેખર એક સિક્કાની બે બાજુ છે. જેમાં વિચાર નથી એ મન નથી. અથવા તો જેમાં તરંગો નથી તે મન નથી.  આંખ બંધ કરીને મૌન બેસજો, આંખ બંધ કરજો, કાન બંધ કરજો, કંઈ પણ  સાંભળ્યા વગર બેસજો,, તો પણ એક પછી એક યાદો  આવવા લાગશે. આપણને સૂચના આપવામાં આવી હોય કે મોબાઈલને તમે સ્વીચ ઓફ કરીને બેસજો અને આપણે સ્વીચ ઓફ કરીને જ બેઠા હોઈએ તો પણ વિચાર આવે કે ‘સ્વીચ ઓફ કર્યો હતો કે નહોતો કર્યો. લગભગ તો કર્યો હતો, જોઈ લઉં ? ના,  ન જોવાય. સામે ગુરુજી બેઠા છે,’  વળી થોડી વાર થાય એટલે એમ થાય,  ‘જોઈ લઉં ? અચાનક રિંગ વાગશે તો ખરાબ લાગશે.’ Though  you are silent, you are not absolutely  silent. એનો અર્થ શું ? તમને ખલેલ પહોંચી રહી છે.  કઈ વસ્તુથી …? તમે ફોન સ્વીચ ઓફ કરીને જ બેઠા છો પણ ‘નહીં  કર્યો હોય તો..’ એવો એક કીડો અંદરથી તમારા મનમાં આવ્યો અને એણે તમને હલાવવાની શરૂઆત કરી દીધી !! આ છે વિચાર પ્રવાહ અને એ છે મન..

વિજ્ઞાન કહે છે કે માણસના મગજની અંદર લગભગ ૩૦૦૦ કરતા વધારે પ્રકારના સ્ત્રાવ થાય છે. તેમાંથી લગભગ ૧૦૦૦ કરતા વધુ પ્રકારના સ્ત્રાવ એવા છે કે જેના દ્વારા અપાતા ઉદ્દીપકની પણ પકડ હોય છે. દાખલા તરીકે હું તમને આઘાત આપે એવી કોઈ વાત કરું તો તમારા મગજની અંદરથી એવા સ્ત્રાવ ઝરશે કે જેથી  મારા પ્રત્યે નકારાત્મક વિચારો મનમાં  આવવાના શરૂ થઈ જશે. અને હું તમને ખુબ ગમે તેવી વાત કરું તો તમારા વિચારો છે એ મારા તરફના બદલાઈ જશે.. તો આ વિચારો અનેક સ્ત્રાવને  આધારે પણ  બધા ઘડાય  છે.