હું વિચારવા લાગી કે એક દિવસ અમૃતા જી ઈમરોઝજી ને કહ્યું હતું, ‘ઈમરોઝ, તમે હજુ જુવાન છો. તમે જઈ ને ક્યાંક વસી જાઓ. તમે પોતાના રસ્તે જાઓ,  મારો શો ભરોસો  કેટલા દિવસ રહું ન પણ રહું.’
 
 ‘તમારા વગર જીવવું મરવા બરાબર છે અને હું મરવાનું નથી ઈચ્છતો,’ ઈમરોઝજીએ જવાબ આપ્યો હતો.
 
 એક દિવસ ફરી કોઈક  ઉદાસ ક્ષણે તેઓએ ઈમરોઝજીને કહ્યું હતું, ‘ તમે પહેલા દુનિયા કેમ નથી જોઈ આવતા?… અને જો તમે પાછા આવ્યા અને તમે મારી સાથે જીવવાનું પસંદ કર્યો તો પછી હું એ જ કરી છે તમે ઇચ્છશો.’
 
 ઇમરોઝ ઊઠ્યા અને તેઓએ તેમના રૂમમાં ત્રણ ચક્કર મારીને કહ્યું: લ્યો, હું આ દુનિયા જોઈ આવ્યો હવે શું  કહો છો?’
 
 આ વાતને યાદ  કરીને અમૃતા જી કહે છે: ‘આવા માણસને કોઈ શું કરે? હસે કે રોવે?
 
 અમૃતા અને ઇમરોઝ બંને માને છે કે  એમને ક્યારેય કોઇ સમાજની સ્વીકૃતિની આવશ્યકતા ન હતી. એક વાર મેં ઇમરોઝ ને સીધેસીધું પૂછી લીધું,
 તો તેઓ બોલ્યા:  ‘એ પ્રેમી યુગલો કે જેને પોતાના પ્રેમ પર ભરોસો નથી હોતો તેને જ સમાજિક સ્વીકૃતિની  જરૂરત હોય છે. અમે બંને અમારા મનથી વિકૃત છીએ પછી સમાજને શું જરૂર છે?  અમારા કિસ્સામાં સમાજની કોઈ ભૂમિકા જ નથી અને સમાજની સામે જઈને શા માટે કહેતાં ફરીએ છીએ અમે એકબીજા માટે છીએ, અમે એકબીજાને પ્યાર કરીએ છીએ.’