
જીવન એટલે વિરોધાભાસ. તનાવ પણ અને સંતુલન પણ પ્રકાશ અને અપકાર પણ. જન્મ છે તો મૃત્યુનો અનુભવ પણ છે. પણ આને વિરોધાભાસ ગણવો કે સહયોગ? તનાવનું વિરોધી છે સંતુલન, પણ તનાવને દૂર કરવામાં સહયોગી બને છે સંતુલન! પ્રકાશ તો અંધકારથી સાવ વિપરીત, પણ પ્રકાશ વગર અંધકારનું હટવું શક્ય છે ખરું? બસ, આવો જ અનુભવ છે જીવન અને મૃત્યુનો. મૃત્યુની ભૂમિમાંથી તો જીવનનું ફૂલ ખીલે છે. પૃથ્વીમાં છોડ ઊગે, ખીલે, વૃક્ષ બને અને એક દિવસ એ જ પૃથ્વી તેની કબર બને. મૃત્યુમાંથી જીવન પ્રગટે છે અને મૃત્યુમાં જીવન લીન થઈ જાય છે.
તિબેટમાં એક ફકીર હતો. મારપા એનું નામ. તેની પાસે આવીને કોઈએ પૂછ્યું : જીવન અને મૃત્યુ વિશે કંઈક કહો. મારપા તો અટ્ટહાસ્ય કરવા લાગ્યો. મારપાએ કહ્યું: “તમારે જીવન વિશે જાણવું હોય તો કહું, કારણ મને તો જીવનનો પરિચય છે! મૃત્યુની વાતમાં હું કંઈ ન જાણું, કારણ મૃત્યુ સાથે આજ સુધી મારો ભેટો નથી થયો. મૃત્યુ સાથે મારો કોઈ પરિચય નથી. મૃત્યુ વિશે જાણવું હોય તો એને પૂછો જે મરી ગયા છે અથવા મરી રહ્યા છે. હું તો જીવન છું, મૃત્યુની ઓળખાણ થવાની હજી બાકી છે.’
પણ તો પછી દુ:ખ કેમ થાય છે સ્વજનના મૃત્યુથી? કોઈકના મૃત્યુ સમયે આપણી આંખમાં આંસુ કેમ આવે છે?…
આપણે કોઈકના મૃત્યુર્થી કદી દુઃખી થતા જ નથી ! સ્વજન ગયાનું એ દુઃખ નથી. આપણો ભ્રમ ભાંગ્યાનું દુઃખ છે. મારો અહમ્ તૂટ્યાનાં આંસુ છે. મારી ધારણા ખોટી પડયાનો વસવસો છે. ક્યો ભ્રમ? કેવો અહમ્ ? કઈ ધારણા …
મારા પ્રિયજન કે મારા આપ્તજન કદી મારાથી વિખૂટાં પડી જ ન શકે, ‘તે ભ્રમ, જે મા-બાપ-ભાઈ-બહેન-પતિ-ધની મર્યાં તે મરી જ કેમ શકે?’ તે અહમ્, ‘હજુ હમણાં તો હતાં, હવે નથી?’ તે ધારણા.
રડવું આવે છે તે ગયેલા માટે નહીં, ગયા તે જઈ જ કેમ શકે?” તેનું રડવું આવે છે. મેં માની લીધું હતું કે તેઓ તો રહેશે જ, કાયમ ! મારી આ ધારણા તૂટી તેનો વસવસો, તેનો વલોપાત, તેનું આકંદ. How can I be wrong: That too, death can make me fool? मृत्युनो १२ આપણને સતાવે છે. આપણને રડાવે છે. આપણે ક્યારે રડીએ છીએ? જયારે આપણે ડરીએ છીએ! કોઈને મરતા જોઈને, તેમની સાથે જીવતા હતા ત્યારે કરેલો અવિવેક, અન્યાય, અકર્મ આપણા માનસપટલ પર દૃશ્યમાન થાય છે, તેના પસ્તાવારૂપે આપણે રડી પડીએ છીએ. સ્વજનનું મૃત્યુ જોઈ મનમાં સરવૈયું મંડાય છે, Swot Analysis શરૂ થાય છે,… Analysisમાં સારપ ઝાઝી તો હર્ષનાં આંસુ અને ખારપ ઝાઝી તો દુ:ખનાં – વસવસાનાં આંસુ. કોઈકનું, બે સત્યો પ્રતિપાદિત કરતું મૃત્યુ. અશ્રુને આમંત્રે છે : (૧) ઓહો, આ આમ જતા રહ્યા? (૨) અરેરે,… હું પણ આમ જ જતો રહીશ… મૃત્યુનો આ અણદીઠ્યો ભય છે. મૃત્યુના ભયનો એક જ અર્થ છે : જીવનનો અપરિચય. મૃત્યુ જીવનનો વિરોધાભાસ નથી. મૃત્યુ જીવનનો સહયોગ છે. કાકાસાહેબ કાલેલકર સરસ વાત કરે છે : થાકેલો મજૂર વિસામો નથી લેતો? દિવસભર નાચીકૂદીને ખૂબ થાકી ગયેલું બાળક ઊંઘની સોડમાં નથી ભરાઈ જતું? પાકેલું ફળ પોતે જ નીચે નથી પડી જતું? થાક્યો પાક્યો માણસ ઊંઘી જવાની ઇચ્છા કરે તો આપણે દેકારો કરીએ છીએ? આંસુ સારીએ છીએ? કે તેને ઊંઘવા માટે વ્યવસ્થા કરી આપીએ છીએ!’ મૃત્યુની ભૂમિમાં જીવનનું એક ફૂલ ઊગી રહ્યું છે; આ દિવ્યપળનું સ્વાગત કરો, કારણ જીવનની યાત્રાનું પહેલું ડગલું જ મૃત્યુના માઈલસ્ટોન તરફ છે.
