‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. 

ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં  વર્ષો જૂનાં  એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ અગમનિગમ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ  કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!

જીવ, જગત, અને ઈશ્વર અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ  સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથીએનો અર્થ શું?

એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ  જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે,  આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ  પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા  પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી.

આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’  ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી.

ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો  વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ  નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી.

આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે  કરાવેલું. તેઓ કહેતા કે,  “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી  માટે વધુ બહેતર છે.”  જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને  મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ.

યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી  સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ  પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે.  શ્રી યશોધર  મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને  યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે.  મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.

 

‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

 

 

 

 

 

 

 

 

અંદર બાળક જીવે છે. બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. તેથી  જન્મ પૂર્વેનાં મહિનાઓની કાળજી લેવી જોઈએ

વિશ્વ માનવી શ્રી મોરારીબાપુ સરસ મજાની વાત કરે છે કે, શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. કારણ કે જેના પેટમાં એક ગર્ભ છે એ માતા જેટલું સાચવીને સંભાળીને પગલું ભરે છે, કે પડખું ફરે છે, ત્યારે શિક્ષકના ગર્ભ ની અંદર સામે બેઠેલા 40 બાળકો જન્મ લેતા હોય છે. એટલી કાળજી એણે  લેવી પડે, કારણ કે શિક્ષક એ 40 બાળકોને જન્મ આપનારી માતા છે…પ્રસુતાએ તો ઊંચે સાદે બોલવું નહિ, સારામાં સારું વાંચવું, એ ટાણે જેટલા આપણા અભરખા હોય ખાવા- પીવાના કે નાચવા  કુદવાના  એને થોડા સીમિત કરવા.

રોજ સાંજે જે ફૂડ પ્રોવાઇડર્સ હોય છે એને આપણે ઘરે બોલાવાનું બંધ કરવું જોઈએ, આપણને આવડતું હોય એવું દેશી સરસ મજાનું ખાવું જોઈએ, મને શું પચે છે એની તો મને ખબર હોવી જોઈએ ને ! ઘણાને ખબર નથી હોતી, પછી જ ખબર પડે કે આ ફાવ્યું નહીં.  તો આ બધી જ  ઝીણી-મોટી કાળજી લેવાની જ. દાદા-દાદી કે નાના નાની માટે એક વાત કરું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય, તો એનું આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે.પણ જ્યારથી મારી વાઈફ પ્રેગ્નેન્ટ થાય ત્યારથી, સલાહ સૂચનાઓ આપવાનું કામ આ  વડીલોએ કરવાનું નથી. ફુલ સ્ટોપ. આ બહુ  ક્લિયર કરવા  માંગુ છું. ‘ધ્યાન રાખજે હો’, આપણે દરેક વાક્ય આમ જ શરૂ કરતાં  હોઈએ  છીએ. ‘પછી કહેતી નહીં હો’,  ‘વાંધો પડે તો કે’તી નઈ હો’, આવી દરેક બાબત આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છીએ. No words like this…

અંદર બાળક જીવે છે. એ બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. આ જન્મ પૂર્વેનાં મહિનાઓની આટલી કાળજી લેવી. આ જાણવું જરૂરી છે કારણ કે, સામાન્ય રીતે આપણે પ્રેગ્નેન્ટ થઈ જઈએ, ત્યારથી લગભગ લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તી  ચોક્કસ કરવાનો છે, But to remember, there is someone with me, who can understand, who can smell, who can get some emotions, to be careful. નાગર કોમ્યુનિટીમાં નવરાત્રી દરમ્યાન શ્રી  માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. એટલે એવો ભાવ હોય કે માતાજી અમારે ઘરે 10 દિવસ રોકાવા આવ્યા છે. અને ત્યારે એટલી બધી ડિસિપ્લિન હોય કે, ‘માતાજી બેઠા છે ધીમે બોલો’, કોઈ જોરથી બોલે તો કહેવાય,  ‘અરે માતાજીને ડિસ્ટર્બ થશે’. એવું યાદ રાખીએ કે,  આ નાગર જ્ઞાતિમાં ભલે નવરાત્રીમાં સ્થાપન થાય, પરંતુ તમારે ઘરે બાળક જન્મવાનું છે એવી ખબર પડે ત્યારથી યાદ રાખજો કે માતાજી બેઠા છે. શાંતિ જળવાય, સરસ મજાનું હળવું સંગીત ચાલતું રહે, હસી મજાકની વાતો થતી રહે, કદાચ બહુ ઉગ્ર વાતાવરણ થાય તો ગર્ભવતી સ્ત્રીએ ઊઠીને બીજે જતા રહેવું અને તે સ્થાન છોડી દેવું , આટલી કાળજી એ સમયે લેવામાં આવે તો પછી નું કામ સરળ બને છે.

એક બાબત બહુ ચોખ્ખી કહેવામાં આવે છે કે, બાળક શું શીખે? જવાબ ચોખ્ખો, બાળક જે જીવે તે શીખે. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે. ‘Child chooses to learn.’  બાળક શું શીખે છે? જેને પસંદ કરે છે તે શીખે છે. તમારે શીખવવું છે તે શીખે તે જરૂરી નહીં. તમે જેટલા ઈનપુટ એની સામે મૂક્યા, એમાંથી એને જે પસંદ પડ્યું તે એ શીખશે. બાળકો વિશે આપણે કહીએ છીએ કે, મેં કેટલો પ્રયાસ કર્યો પણ એને મનમાં ચડ્યું જ નહિ, કર્યું જ નહિ એણે, એનો અર્થ એવો કે, એણે પસંદ નહોતું કર્યું. એનો થોડોક અર્થ એવો પણ ખરો કે, એની પાસે વસ્તુની રજૂઆતનો માર્ગ તમારો થોડોક નબળો બન્યો છે. Give them the choice. એને ચોઈસ આપો કે આમાંથી તું કર, તારે જે કરવું હોય તે કર. પણ મા-બાપ તરીકે આપણે એમ કહીએ છીએ કે આમ કર, હું કહું તેમ કર. યાદ રાખીએ કે, જ્યારે તમે બાળકને એમ કહો કે હું કહું તેમ કર, ત્યારથી જ શિક્ષણનું નિકંદન નીકળે છે. મનમાં ઉગેને કોળે કરે તે બાળકએવી વ્યાખ્યા છે.

મિત્રો ડેવલોપમેન્ટલ સાયકોલોજી એટલે ‘વિકાસલક્ષી મનોવિજ્ઞાન’. એમના એક ભીષ્મપિતામહ  છે ‘એલિઝાબેથ હાર્લોક’, એ એમ કહે છે કે, બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફૉર્મેશનનો અવસર છે. બાળક જન્મી ગયું અને એ ટીનેજ બને ત્યાં સુધીમાં  એટલે કે 0 થી  12. ટીન એઈજ એટલે  13,14,15,16,18,19. જે ઉંમરમાં છેલ્લે ટીન ટીન બોલાય તે ટીન એઈજ એટલે  ‘તરુણાવસ્થા’ એટલે  ‘એડોલેસન્સ’. આ  સમય છે એ હેબિટ ફોર્મેશનનો પિરિયડ છે. હેબિટ ફોર્મેસન એટલે શું? ટેવ પાડવાનો સમય. ટેવ ક્યાંથી પડે છે ??  મમ્મી શું કરે છે,? પપ્પા શું કરે છે,? આપણું  બાળક  બેસ્ટ ઓબઝર્વર છે. તમે માનતા હોવ કે એને ખબર નથી પડતી એવું નથી, તમે અહીંયા કંઈક  તમારામાં પડયા હો અને તમારું બાળક રમતું હોય, ત્યારે યાદ રાખવું કે એના કાન તમારી ઉપર જ છે. આ હકીકત છે.

હવે તો મનોવિજ્ઞાનના હાલનાં સંશોધનોએ સાબિત કર્યું છે કે,  ત્રણ થી સાડા ત્રણ મહિનાનું બાળક તમારા વાઇબ્રેસન્સની  નોંધ કરી શકે છે. માનો કે માતા-પિતાને એવી ઈચ્છા થઈ કે આપણી અંગત પળ  આપણે માણવી છે, અને બાજુના બેડરૂમમાં હોય અને એને એમ હોય કે, બાળક સુઈ ગયું છે, Then also the child is  able to feel  the vibrations at that time. યાદ રાખવું, બાળક જન્મી જાય ને પછી એ જ તમને  છેતરી શકે, તમે એને છેતરી જ ન શકો. પ્રયાસ કરજો. બે-ત્રણ દિવસ તમે રાજી થાવ તો પછી ખબર પડે આ તો એને આપણને બનાવ્યા છે. આ રિયાલિટી બને છે. બાર વર્ષની ઉંમર સુધી હેબિટ ફોર્મેશન પિરિયડ એટલે આ પિરિયડ દરમિયાન બાળક વિચારે છે કે, મમ્મી શું બોલી? પપ્પા શું બોલ્યા? સામસામે કેવી વડચડ થઈ? એકબીજા સામે કેવા હાવભાવ કર્યા?  એકબીજા સામે આંખો કાઢી? એકબીજાને ટેકો કર્યો? આ લોકોમાં કરુણા છે? આ ખોટાબોલા છે, આ બધું નોંધ્યા કરે છે. આ બાળક છે ને એ બોલ્યા વગર નોંધે બધું જ. યાદ રાખો, બધું જ નોંધે, બાર વર્ષ પછી… તેરમાં  વર્ષથી એ શરુ કરે મૂલ્યાંકન, નોંધેલામાંથી કયું વધુ સારું? અને જે વધુ સ્પર્શી ગયું હોય એને અમલમાં મૂકે. છ-સાત વર્ષના દીકરાને તમે બેઠાં હોવ ને ફોન આવ્યો તો તમે કહો કે, કહી દે,  ‘પપ્પા ઘરે નથી,’ 13 વર્ષના બાળકને તમે કહો કે કહી દે કે,  પપ્પા નથી, એટલે એ કહેશે કે,  ‘પપ્પા કહે છે કે એ ઘરે પપ્પા નથી’. એને ખબર પડી ગઈ કે,  આ લોકો  મારી પાસે ખોટું બોલાવી અને પોતે છુપાઈ જાય છે. તમે એવું માનો છે કે શું બાળક આવું બધું વિચારે? પણ હા, એનાથી પણ ઘણું બધું વિચારે… સાહેબ. (ક્રમશ:)

કુલપતિ ‘હોવું’ અને કુલપતિ ‘બનવું’

કુલપતિ ‘હોવું’ અને કુલપતિ ‘બનવું’

 

કુલપતિ હોવુંઅલગ વાત છે, કુલપતિ બનવુંસદંતર નોખી વાત છે…

‘કુલપતિ’ શબ્દ એવો છે કે તેના શબ્દાર્થ કરતાં તેના ભાવાર્થનું અદકેરું મહત્વ છે, અને એ દ્રષ્ટિએ જોઈએ તો કુલપતિ વિશ્વવિદ્યાપીઠના ભાવજગતના વડા છે ! કુલપતિ હોવું એ હકીકતમાં to be અને to have વચ્ચેની કશ્મકશ છે. કુલપતિ ‘હોવું’ અલગ વાત છે, ને કુલપતિ ‘બનવું’ સદંતર નોખી વાત છે.  કુલપતિનું પદ હાથીની અંબાડીએ બેસવા જેવું. ત્યાં બેસી તો જવાય. સ્થાન પણ માભા અને મોભાનું; પરંતુ ત્યાં બેસીને હાથીની ચાલે પ્રગતિ કરી શકાય; વળી નીચે તો ત્યારે જ ઊતરી શકાય કે જયારે હાથી નીચે બેસે !  સીધી ઉત્પાદકતા (Direct Productivity) કંઈ નહીં; ફૂટપટ્ટી લઈને માપી શકાય તેવું કોઈ કામ નહીં, છતાં સમાજના ઉદ્ધારની જવાબદારીનું પોટલું માથે ને માથે…

વહીવટની પોથીઓમાં ‘શું કરવું’ તે લખ્યું હોય છે, પરંતુ તે ‘કેમ કરવું’ તે લખ્યું હોતું નથી. આ વણલખેલી વાતને વાંચી જનાર ‘to have’ માંથી ‘to be’ તરફ પ્રયાણ કરી શકે છે. વહીવટ શબ્દ જ વિચિત્ર છે. કુલસચિવ વહીવટ કરે એમાં વહી ઓછી ને વટ ઝાઝો હોય એમ બને, પણવહી ભરચક્ક ને વટ આપણા સૌનોકરી જાણે તે કુલપતિ. વિશ્વકવિ ઉમાશંકર જોષી ગુજરાતના એકમાત્ર એવા કેળવણીવિદ્દ હતા કે જે ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનના કુલપતિપદે બિરાજમાન હતા. તેઓ કહેતા : જયારે બધા જ મકાનો ને ભવનો પડીને પાધર થઈ જાય પછી જે બચે તે યુનિવર્સીટી‘  કુલપતિ તે જે હળેમળે અનેકને, સાંભળે સૌને, અમલમાં મૂકે શ્રેષ્ઠને, સ્વીકારે શ્રેષ્ઠત્વને, કામ સોંપે પ્રતિબધ્ધને, શાબાશી આપે સક્ષમને, ધ્રુજાવે અલિપ્તને, સાચવી લે ફેન્સ – સીટરને અને ડામી દે અકર્તાભાવકોને ! એમનાથી પદ શોભે, પદથી પોતે નહીં. જે છોડાવી તો શકે જ, પરંતુ પોતે સ્વયં છોડી દઈ શકે. હા, કોઈક વળી હિમ્મત કરીને કૂદકો મારીને હાથીની અંબાડીને ‘ બાય બાય’  કહી દે એવું બને. કુલપતિપદેથી ખસી જવાના ગૌરવપ્રદ કિસ્સાઓ ઘણા છે. પદની ચાહત છોડી શકે છે તે જ લોકોની ચાહના મેળવી શકે છે. એમનું ભણતર એમના આત્માની ઉંચાઈ છે.  સંસ્કૃતિની ઉપનિષદ કે જ્યાં વૃક્ષની ઘટાઓ હોય, એક ઊંચો ઓટલો હોય અને દિવસ રાત ત્યાં વિદ્યાવ્યાસંગ ચાલતો હોય તો વિશ્વવિદ્યાપીઠનો આત્મા એ તેનો કુલપતિ ! અહીં લક્ષ્મી ન હોય, તો ય નારાયણ તો હોય જ…!

કુલપતિનું પદ ખરેખર તો  ગૌરવશાળી પદ છે. પ્રોફેસર તરીકે excellent knowledge મેળવી લીધા બાદ એ knowledge ને અમલમાં મૂકી શ્રેષ્ટત્વ પ્રાપ્ત કરી શકે તેવા સક્ષમ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની કુલપતિ તરીકે  નિમણૂંક કરવામાં  આવતી  હતી….પણ સત્તામાં ચૂંટાઈને આવતા પક્ષોએ ખુદ એમના દ્વારા નિમાયેલ regulatory authority નાં ધોરણોને નેવે મૂકીને ‘સારા’ને બદલે ‘મારા’ વ્યક્તિઓને કુલપતિ બનાવી દેવાની ભૂંડી રમત શરુ કરી ત્યારથી ગુજરાતની રાજ્યાશ્રિત યુનિવર્સિટીઓની હાલત પ્રાથમિક શાળાઓ જેવી થઇ ગઈ છે, તેના આપણે સૌ સાક્ષી છીએ.  હાઈકોર્ટ ખખડાવીને કહે કે, ‘આ ખોટું છે’ તો પણ તેને ન ગણકારવાનો અવિવેક આજકાલ બહાદુરી ગણાવા લાગેલ છે. સરકાર અંગે ફરિયાદ કરવા જેવું નથી કારણ કે ગાંધી સ્થાપિત ભવ્ય સંસ્થામાં પણ ‘મારી વ્યક્તિ કુલપતિ બને’ તે માટે દાવપેચ ખેલાયા  અને ફલત: જે થયું તે આપણી  સમક્ષ છે. ધીરે ધીરે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં ટોચનાં સ્થાનો ઉપર પોતે જ સીધા પેરેશૂટથી જ મુખિયાઓ ઉતારવાનું નક્કી કરી રહી છે. તાજેતરમાં જાહેર થયું છે કે ડીમ્ડ યુનિવર્સિટીઓ કે જે 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવે છે ત્યાં કુલાધિપતિ અને કુલપતિ બંને દિલ્હીથી જ નિમાશે. ગાંધી સંસ્થા ભલે કહેવાતા ગાંધીજનોનાં હાથમાં ના રહી પણ એ ગાંધી સંસ્થા ઉચ્ચ  શિક્ષણમાં ધરમૂળથી બદલાવ લાવવાનું નિમિત્ત  જરૂર બની, એટલો સંતોષ લઇ શકાય. જો કે હવે તો  પ્રાઈવેટ  યુનિવર્સિટીઓ વધી રહી છે. છેલ્લા આંકડાઓ પ્રમાણે ગુજરાત કુલ 58 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સાથે ભારતમાં નંબર વન છે.!! હવે એમાં તો કુલપતિનું શું થતું હશે તે તો ભગવાન જાણે !! એક બાબત તો નક્કી કે ઉચ્ચ શિક્ષણમાં હવે વિદ્યાર્થી કોઈનું કેન્દ્રસ્થાન નથી, ક્યાંક પૈસા તો ક્યાંક સત્તા તો ક્યાંક વળી કહેવાતાં મૂલ્યોના વાઘાઓ કેન્દ્રમાં છે. જે પગાર આપે છે તેને આધિપત્ય ભોગવવું છે, પછી તે સરકાર હોય કે સંસ્થા હોય. પગાર દેનારો કુલપતિને તો પગારદાર જ ગણે છે એટલે તેને ‘કહ્યાગરા કંથ’ ની અપેક્ષા હોય છે.

‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

અંદર બાળક જીવે છે. બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. તેથી  જન્મ પૂર્વેનાં મહિનાઓની કાળજી લેવી જોઈએ

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

વિશ્વ માનવી શ્રી મોરારીબાપુ સરસ મજાની વાત કરે છે કે, શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. કારણ કે જેના પેટમાં એક ગર્ભ છે એ માતા જેટલું સાચવીને સંભાળીને પગલું ભરે છે, કે પડખું ફરે છે, ત્યારે શિક્ષકના ગર્ભ ની અંદર સામે બેઠેલા 40 બાળકો જન્મ લેતા હોય છે. એટલી કાળજી એણે  લેવી પડે, કારણ કે શિક્ષક એ 40 બાળકોને જન્મ આપનારી માતા છે…પ્રસુતાએ તો ઊંચે સાદે બોલવું નહિ, સારામાં સારું વાંચવું, એ ટાણે જેટલા આપણા અભરખા હોય ખાવા- પીવાના કે નાચવા  કુદવાના  એને થોડા સીમિત કરવા. 

રોજ સાંજે જે ફૂડ પ્રોવાઇડર્સ હોય છે એને આપણે ઘરે બોલાવાનું બંધ કરવું જોઈએ, આપણને આવડતું હોય એવું દેશી સરસ મજાનું ખાવું જોઈએ, મને શું પચે છે એની તો મને ખબર હોવી જોઈએ ને ! ઘણાને ખબર નથી હોતી, પછી જ ખબર પડે કે આ ફાવ્યું નહીં.  તો આ બધી જ  ઝીણી-મોટી કાળજી લેવાની જ. દાદા-દાદી કે નાના નાની માટે એક વાત કરું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય, તો એનું આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે.પણ જ્યારથી મારી વાઈફ પ્રેગ્નેન્ટ થાય ત્યારથી, સલાહ સૂચનાઓ આપવાનું કામ આ  વડીલોએ કરવાનું નથી. ફુલ સ્ટોપ. આ બહુ  ક્લિયર કરવા  માંગુ છું. ‘ધ્યાન રાખજે હો’, આપણે દરેક વાક્ય આમ જ શરૂ કરતાં  હોઈએ  છીએ. ‘પછી કહેતી નહીં હો’,  ‘વાંધો પડે તો કે’તી નઈ હો’, આવી દરેક બાબત આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છીએ. No words like this… 

અંદર બાળક જીવે છે. એ બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. આ જન્મ પૂર્વેનાં મહિનાઓની આટલી કાળજી લેવી. આ જાણવું જરૂરી છે કારણ કે, સામાન્ય રીતે આપણે પ્રેગ્નેન્ટ થઈ જઈએ, ત્યારથી લગભગ લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તી  ચોક્કસ કરવાનો છે, But to remember, there is someone with me, who can understand, who can smell, who can get some emotions, to be careful. નાગર કોમ્યુનિટીમાં નવરાત્રી દરમ્યાન શ્રી  માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. એટલે એવો ભાવ હોય કે માતાજી અમારે ઘરે 10 દિવસ રોકાવા આવ્યા છે. અને ત્યારે એટલી બધી ડિસિપ્લિન હોય કે, ‘માતાજી બેઠા છે ધીમે બોલો’, કોઈ જોરથી બોલે તો કહેવાય,  ‘અરે માતાજીને ડિસ્ટર્બ થશે’. એવું યાદ રાખીએ કે,  આ નાગર જ્ઞાતિમાં ભલે નવરાત્રીમાં સ્થાપન થાય, પરંતુ તમારે ઘરે બાળક જન્મવાનું છે એવી ખબર પડે ત્યારથી યાદ રાખજો કે માતાજી બેઠા છે. શાંતિ જળવાય, સરસ મજાનું હળવું સંગીત ચાલતું રહે, હસી મજાકની વાતો થતી રહે, કદાચ બહુ ઉગ્ર વાતાવરણ થાય તો ગર્ભવતી સ્ત્રીએ ઊઠીને બીજે જતા રહેવું અને તે સ્થાન છોડી દેવું , આટલી કાળજી એ સમયે લેવામાં આવે તો પછી નું કામ સરળ બને છે. 

એક બાબત બહુ ચોખ્ખી કહેવામાં આવે છે કે, બાળક શું શીખે? જવાબ ચોખ્ખો, બાળક જે જીવે તે શીખે. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે. ‘Child chooses to learn.’  બાળક શું શીખે છે? જેને પસંદ કરે છે તે શીખે છે. તમારે શીખવવું છે તે શીખે તે જરૂરી નહીં. તમે જેટલા ઈનપુટ એની સામે મૂક્યા, એમાંથી એને જે પસંદ પડ્યું તે એ શીખશે. બાળકો વિશે આપણે કહીએ છીએ કે, મેં કેટલો પ્રયાસ કર્યો પણ એને મનમાં ચડ્યું જ નહિ, કર્યું જ નહિ એણે, એનો અર્થ એવો કે, એણે પસંદ નહોતું કર્યું. એનો થોડોક અર્થ એવો પણ ખરો કે, એની પાસે વસ્તુની રજૂઆતનો માર્ગ તમારો થોડોક નબળો બન્યો છે. Give them the choice. એને ચોઈસ આપો કે આમાંથી તું કર, તારે જે કરવું હોય તે કર. પણ મા-બાપ તરીકે આપણે એમ કહીએ છીએ કે આમ કર, હું કહું તેમ કર. યાદ રાખીએ કે, જ્યારે તમે બાળકને એમ કહો કે હું કહું તેમ કર, ત્યારથી જ શિક્ષણનું નિકંદન નીકળે છે. મનમાં ઉગેને કોળે કરે તે બાળકએવી વ્યાખ્યા છે.

મિત્રો ડેવલોપમેન્ટલ સાયકોલોજી એટલે ‘વિકાસલક્ષી મનોવિજ્ઞાન’. એમના એક ભીષ્મપિતામહ  છે ‘એલિઝાબેથ હાર્લોક’, એ એમ કહે છે કે, બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફૉર્મેશનનો અવસર છે. બાળક જન્મી ગયું અને એ ટીનેજ બને ત્યાં સુધીમાં  એટલે કે 0 થી  12. ટીન એઈજ એટલે  13,14,15,16,18,19. જે ઉંમરમાં છેલ્લે ટીન ટીન બોલાય તે ટીન એઈજ એટલે  ‘તરુણાવસ્થા’ એટલે  ‘એડોલેસન્સ’. આ  સમય છે એ હેબિટ ફોર્મેશનનો પિરિયડ છે. હેબિટ ફોર્મેસન એટલે શું? ટેવ પાડવાનો સમય. ટેવ ક્યાંથી પડે છે ??  મમ્મી શું કરે છે,? પપ્પા શું કરે છે,? આપણું  બાળક  બેસ્ટ ઓબઝર્વર છે. તમે માનતા હોવ કે એને ખબર નથી પડતી એવું નથી, તમે અહીંયા કંઈક  તમારામાં પડયા હો અને તમારું બાળક રમતું હોય, ત્યારે યાદ રાખવું કે એના કાન તમારી ઉપર જ છે. આ હકીકત છે. 

હવે તો મનોવિજ્ઞાનના હાલનાં સંશોધનોએ સાબિત કર્યું છે કે,  ત્રણ થી સાડા ત્રણ મહિનાનું બાળક તમારા વાઇબ્રેસન્સની  નોંધ કરી શકે છે. માનો કે માતા-પિતાને એવી ઈચ્છા થઈ કે આપણી અંગત પળ  આપણે માણવી છે, અને બાજુના બેડરૂમમાં હોય અને એને એમ હોય કે, બાળક સુઈ ગયું છે, Then also the child is  able to feel  the vibrations at that time. યાદ રાખવું, બાળક જન્મી જાય ને પછી એ જ તમને  છેતરી શકે, તમે એને છેતરી જ ન શકો. પ્રયાસ કરજો. બે-ત્રણ દિવસ તમે રાજી થાવ તો પછી ખબર પડે આ તો એને આપણને બનાવ્યા છે. આ રિયાલિટી બને છે. બાર વર્ષની ઉંમર સુધી હેબિટ ફોર્મેશન પિરિયડ એટલે આ પિરિયડ દરમિયાન બાળક વિચારે છે કે, મમ્મી શું બોલી? પપ્પા શું બોલ્યા? સામસામે કેવી વડચડ થઈ? એકબીજા સામે કેવા હાવભાવ કર્યા?  એકબીજા સામે આંખો કાઢી? એકબીજાને ટેકો કર્યો? આ લોકોમાં કરુણા છે? આ ખોટાબોલા છે, આ બધું નોંધ્યા કરે છે. આ બાળક છે ને એ બોલ્યા વગર નોંધે બધું જ. યાદ રાખો, બધું જ નોંધે, બાર વર્ષ પછી… તેરમાં  વર્ષથી એ શરુ કરે મૂલ્યાંકન, નોંધેલામાંથી કયું વધુ સારું? અને જે વધુ સ્પર્શી ગયું હોય એને અમલમાં મૂકે. છ-સાત વર્ષના દીકરાને તમે બેઠાં હોવ ને ફોન આવ્યો તો તમે કહો કે, કહી દે,  ‘પપ્પા ઘરે નથી,’ 13 વર્ષના બાળકને તમે કહો કે કહી દે કે,  પપ્પા નથી, એટલે એ કહેશે કે,  ‘પપ્પા કહે છે કે એ ઘરે પપ્પા નથી’. એને ખબર પડી ગઈ કે,  આ લોકો  મારી પાસે ખોટું બોલાવી અને પોતે છુપાઈ જાય છે. તમે એવું માનો છે કે શું બાળક આવું બધું વિચારે? પણ હા, એનાથી પણ ઘણું બધું વિચારે… સાહેબ. (ક્રમશ:)

ધોરણ ૬ :: ગુજરાતી (પ્રથમ ભાષા) નું  અજમાયશી પુસ્તક “પલાશ”

પહેલી વખત કેવળ સાહિત્ય નહીં, પણ ગુજરાતી ભાષા શીખવતું  પુસ્તક તૈયાર થયું છે. 

 ભદ્રાયુ વછરાજાની 

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ મિત્રો,
ખાસ કરીને માતૃભાષાના શિક્ષણ સાથે નિસબત  ધરાવનાર સૌ સ્વજનો,
નમસ્કાર.
રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦ ને લઈને સમગ્ર દેશમાં ૨૦૨૦ થી છેક ૨૦૩૦ અથવા ૨૦૩૫ સુધી
બદલાવનો માહોલ બનતો રહેવાનો છે. ધીમે ધીમે કરતાં ઘણું બધું બદલાશે અને બદલાતાં
બદલાતાં આપણને જે કોઠે પડશે એ અંતે આપણી નીતિનો અમલ ગણાશે.
આ વાતને જો ધ્યાનમાં લઈએ તો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૬ ના ગુજરાતી પ્રથમ
ભાષાના અજમાયશી પુસ્તક “પલાશ” અંગે હાલ અભ્યાસ થઈ રહ્યો છે, ચર્ચાઓ થઈ રહી છે
ત્યારે  કેટલાક શિક્ષક મિત્રો દ્વારા આ અંગે પ્રશ્નાર્થો ઊભા કરવામાં આવ્યા છે અને તેથી કેટલાક
નીતિ નિર્ધારકો પણ આ અંગે અવઢવમાં છે -એવી વાતો સાંભળવા મળે છે, ત્યારે કેટલાંક બહુ
સ્પષ્ટ મંતવ્યો આ સાથે હું પેશ કરું છું.
1) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ નો અમલ કરવો સૌ માટે ફરજિયાત છે એટલે કે એના 

સંદર્ભમાં જે કોઈ ફેરફારો થાય તે ફેરફારો આપણે સ્વીકારવાના છે, હૃદયપૂર્વક સ્વીકારવાના છે અને એને
અમલમાં મૂકીને ધીમે ધીમે આપણી જાતને એમાં ટેવ પાડવાની છે. એ દૃષ્ટિએ આ અજમાયશી પુસ્તક
આપણે સ્વીકારવાનું છે. .
૨) અજમાયશી પુસ્તક ‘પલાશ’ એ અગાઉ કરતાં  જુદું બન્યું છે. આપણા વિદ્યાર્થીઓ તો બીજા ધોરણથી
"પલાશ" જેવી સંરચનાવાદી અધ્યયન પદ્ધતિ અનુસાર તૈયાર થયેલાં પાઠ્યપુસ્તકો: 'કલ્લોલ' 'કલશોર'

'કુહૂ', કેકારવ'થી જ  ભણી રહ્યા છે. માત્ર ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને નવાં  લાગે છે. ધોરણ ૬-૭-૮ માટે
અત્યાર સુધી આવું પુસ્તક બન્યું નથી. 
આ ગુજરાતી ભાષાનું પુસ્તક છે. અત્યાર સુધી આપણને સાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે.  તેમાં કોઈની
બેઠેબેઠી કવિતા હોય, કોઈ પાઠ, કોઈ વાર્તા હોય અને આપણે એનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવતા
આવ્યા છીએ. એ અભ્યાસથી કૃતિઓનો, કે રચનાઓનો પરિચય અને આનુસંગિક ભાવાત્મક પાસાંઓનો
પરિચય અવશ્ય થાય છે. પણ આપણે ગુજરાતી ભાષા શીખી શકીએ એવું એમાંથી બહુ ઓછું બન્યું છે,
એવું આ પુસ્તકને ઝીણી નઝરે જોયા  પછી ચોક્કસ લાગે છે. જે શિક્ષકમિત્રોને આ મુદ્દા અંગે શંકા હોય
તે અગાઉના ગુજરાતીના પુસ્તકો ઉપાડે અને આ પુસ્તક સાથે સરખાવે તો એને ખ્યાલ આવશે. એ
પુસ્તકોની અંદર કવિતા બોલી જવાની હોય અથવા ગાવાની હોય, પાઠ વાંચી વાંચીને સમજાવવાનો હોય
અને જે સમજાય એને આનુસંગિક પ્રશ્નોના જવાબ આપવાના હોય. એટલે આપણું એ પુસ્તક પૂરું થયું.
એ તો  સાહિત્ય અંગેનું પુસ્તક હતું એમાં આપણે પૂછતા હતા કે,  "કવિ શું કહેવા માંગે છે,  લેખક આમાં
ક્યાં અલગ  પડે છે" વગરે…વગેરે… અહીંયા એવું નથી કારણકે અહીંયા આપણે વિદ્યાર્થીને ગુજરાતી
નામના વિષયના માધ્યમથી એક પ્રકારની ભાષા શીખવવી છે. ગુજરાતી ભાષાથી એને અવગત કરાવવા
ભાષા સાથે વિદ્યાર્થીના સ્વને જોડીને બૌદ્ધિક અને ભાવાત્મક પ્રક્રિયા ઊભી કરવી છે. એટલે એ દૃષ્ટિએ
આ પુસ્તક અવશ્ય જુદું પડે છે એટલે ઝડપથી આપણાં મનમાં નહીં બેસે, પણ હું માનું છું કે આ બદલાવ
અતિ આવશ્યક છે અને આ બદલાવ ક્રમશઃ ધોરણ ૭,૮,૯,૧૦ માં પણ જળવાઈ રહે તે જોવાની નીતિ
નિર્ધારકોની ફરજ બને છે,

૩) આ પુસ્તક અજમાયશી પુસ્તક છે, એનો અર્થ એવો છે કે જૂન મહિનાથી તેનો અમલ થયો છે. હજુ
આપણી પાસે આખું વર્ષ છે એ દરમ્યાન આપણને જ્યાં તકલીફો પડતી 
હોય તે તકલીફો માટે આ પુસ્તકમાં લખેલા નિષ્ણાતો કે લેખકો અને અન્ય શિક્ષણશાસ્ત્રીઓ છે એની
સાથે ગોષ્ઠિઓ ગોઠવી  શકાય કે એમનો કહેવાનો ભાવાર્થ શું છે તે સમજી શકાય તેવો પૂરો અવકાશ છે.
અને એ અવકાશને યોજવાની જવાબદારી પાઠ્યપુસ્તક મંડળ કે GCERT કે સરકારનું કોઈ પણ તંત્ર કરી
શકશે એમાં મને કોઈ શંકા નથી.
૪) શિક્ષક તરીકે આપણે નવીનતાનો આવકાર કરવો જોઈએ. ઠેર ઠેર જયારે વિશ્વમાં છેક આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ સુધીની વાતો ચાલતી હોય ત્યારે આપણ ઘરેડબદ્ધ જ પુસ્તકો ભણાવવા માટે ટેવાઈ
જઈએ અને બદલાવનો સ્વીકાર ન કરીએ તે યોગ્ય નથી. શિક્ષક તો એ છે કે જેને રોજ કંઈક બદલાવ
જોઈએ છીએ. અને બદલાવને એ પડકાર તરીકે સહન કરે છે અને સહન કર્યા પછી એ પુરા હૃદયથી એનો
સ્વીકાર કરી અને પોતે માધ્યમ બનીને વિદ્યાર્થીઓ સુધી એને પહોંચાડે છે. એ દૃષ્ટિએ આ પુસ્તક સૌએ
સ્વીકારવું જોઈએ  તેવું મને લાગે છે.

૫) ગુજરાતના વિદ્યાર્થીઓનું ગુજરાતી નબળું છે એવી વાતમાં પૂરું તથ્ય છે, કારણ કે બોર્ડની એક્ઝામમાં
આપણાં લગભગ અઢી કે ત્રણ લાખ ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. એનું કારણ કે
આપણે ગુજરાતીના પુસ્તકો ગુજરાતી સાહિત્યના પુસ્તકો તરીકે જ અમલમાં મુક્યા છે. આપણે પ્રાથમિક
કક્ષાએ ભાષા સજ્જતાના વિકાસને બદલે સાહિત્ય પ્રકારોમાં અટવાઈ ગયા છીએ. આપણે એવું માનીએ
છીએ કે નરસિંહ મહેતાનું નાનું પદ કોઈ વર્ગના પાઠ્યપુસ્તકમાં  મૂકી દઈએ એટલે બાળક તે સમજી જશે.
આપણે એને કહીએ કે આ મંદાક્રાંતા છંદ છે એટલે એ સ્વીકારી લેશે કે આ મંદાક્રાંતા છે. અત્યાર સુધીના
પુસ્તકો સારા હતા પણ એની અંદર તો કહેવાય તે સ્વીકારવું એવા  પ્રકારનું ચલણ હતું.  હવે તો જે તમે
સમજો છો એ તમે લખો, તે તમે અભિવ્યક્ત કરો અને અભિવ્યક્તિથી તમે સમજો કે મેં જે લખ્યું તે શું
છે 

એવો  એક વિશિષ્ટ અભિગમ અમલમાં આવ્યો છે. શિક્ષક ભાષા સાથે શું કરે છે તે અગત્યનું નથી; પરંતુ
બાળક ભાષા સાથે કેવી કેવી પ્રક્રિયાઓ કરીને ભાષાને અંતર્ગત કરે છે તે અગત્યનું છે. ત્યારે આ નવી
તરાહનું આપણે બહુ જ ઉમળકાથી સ્વાગત કરવું જોઈએ અને એમાં કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની
નિખાલસ સંવાદ કે ચર્ચા કરીને એના વિશેની સ્પષ્ટતા મેળવવી જોઈએ. 
મનોવિજ્ઞાન એવું નોંધે છે કે, જેમની ભાષા સમૃદ્ધ હોય તે પોતાના અનુભવો (જીવવાના, શીખવાના
અને વિચારવાના)ને સુપેરે આગળ વધારી શકે છે. કિશોરાવસ્થા સુધીમાં બાળકોનું વિકસી રહેલું મગજ
ભાષાના વાયરિંગથી શક્તિશાળી બનતું હોય છે. તેથી પ્રાથમિક શાળામાં બાળકોને ભાષા-પોષણ આપવાના
સભાન પ્રયાસો અનિવાર્ય છે. કેટલાક વિચારણીય મુદ્દાઓ અત્રે ટાંકુ છું :: 
@ મજા આવવી – એ ભાષા શીખવાની પૂર્વશરત છે.
@ જે ભાષામાં ગાતાં, લલકારતાં, વાર્તા કહેતાં, ગપ્પાં મારતાં, જાતભાતના વિષયો પર વાતચીત કરતાં
આવડે તે ભાષા પછીથી લખતાં અને વાંચતાં પણ આવડે.
 @ ભાષા શીખવા માટે બે કે તેથી વધુ માનવ ભેગા થાય  એટલે ભાષા આવડવા માંડે. તેથી આ પુસ્તકમાં
અનેક જૂથ પ્રવૃત્તિઓ તેમજ જોડી પ્રવૃત્તિઓ મૂકી છે.
@ વર્ગમાં વિદ્યાર્થીઓ ઊભાં થાય, થોડાં હાથ-પગ-જીભ હલાવે, થોડી કૂદાકૂદ કરે તે વિદ્યાર્થીઓ માટે
મજેદાર હોય છે. તેનાથી ખલેલ પહોંચે એવું લાગે  તો પણ  વિદ્યાર્થીના મગજના વિકાસ માટે સમયાંતરે
થતી શારીરિક ક્રિયાઓ ખૂબ જરૂરી છે, તેવું સ્વીકારવું .
@ માહિતી → અર્થગ્રહણ → સમજ → ઉપયોગ ——— સર્જન એવી નિસરણી દ્વારા
આપણે કલ્પનાશીલ બનીએ છીએ. આ પુસ્તકમાં કવિતાઓ, વાર્તાઓ, પ્રસંગો એવી રીતે રજૂ કર્યાં છે કે
જેથી વિદ્યાર્થીઓના અનુભવ, પૂર્વજ્ઞાન અને કલ્પનાશક્તિ અધ્યયનમાં જોતરાય. 

@ પાઠ્યપુસ્તકમાં ઇરાદાપૂર્વક પીરસવામાં આવેલી ભાષા અને વિદ્યાર્થીઓએ ઘર-કુટુંબ-શેરી-મહોલ્લા-
પાર્ટીમાંથી ગ્રહણ કરેલી ભાષાનો સંગમ કરવામાં આવ્યો છે. 
@ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુખર રીતે બહુભાષિતાને પ્રોત્સાહન આપે છે. N.C.F. (National
Curriculum Framework)  અને રા.શિ.ની. 2020ને અનુસરીને આ પાઠ્યપુસ્તકમાં અન્ય
ભારતીય ભાષાઓને ગુજરાતી ભાષા સાથે પ્રગટ રીતે સાંકળવામાં આવી છે.
@ આ પાઠ્યપુસ્તકની સંરચનામાં કેટલીક ખાસ થિયરી અને સિદ્ધાંતોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.
તેની વિગતો પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં જ સ્પષ્ટ કરેલી છે. 
@ ‘પલાશ’ એવું પુસ્તક બન્યું છે કે જેમાં શિક્ષકનો રોલ એક મિત્ર બની રહેવાનો છે, કારણ બાળક
પોતાની જાતે વાંચન કરી સૂચના મુજબ પ્રવૃત્તિ કરતો રહે તેવું તેનું ફોર્મેટ છે. કદાચ એવું પણ બને કે થોડા
હોશિયાર બાળક તો શિક્ષક કરતા આગળનાં પાનાંઓમાં ગતિ કરવા લાગશે. 
@ ‘શું’ નામના પાઠ્યપુસ્તકની સફળતા ‘કેવી રીતે’ નામના વર્ગકાર્ય દ્વારા સિદ્ધ થાય છે – તે
સુવિચારના વિચારવિસ્તાર તરીકે અમે આ પુસ્તકને ‘મેનુ ડ્રિવન’ એટલે કે ‘જુઓ અને કરો’ ટાઇપનું
બનાવ્યું છે. લર્નિંગ મૅન્યુઅલ જેવા આ પુસ્તકને કોઈ પણ સજાગ શિક્ષક વિદ્યાર્થીઓની સક્રિયતામાં
પલટી શકશે.
એક સાથે સમૂહમાં કોઈ બાબતને  સોશ્યલ મીડિયા કે શિક્ષક સમૂહોમાં વખોડી કાઢવાથી આપણું ભવિષ્ય
પાછળ ઠેલાશે  એ આપણે ભૂલવું ન જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં બધું જ ચાવી ચાવીને
આપણે ગળે ઉતારવાની જે પ્રક્રિયા આવી છે ત્યારે આપણાં મગજને ભલે થોડી કસરત ચોક્કસ થાય.
‘પલાશ’ પુસ્તક આપણને થોડીક ક્ષણ માટે પ્રશ્નાર્થ બનીને ઉભું રહેલું લાગે તો પણ તેના ઊંડાણમાં
જઈને વિચારવા જેવું આ પુસ્તક છે એવું  હું સ્પષ્ટ રીતે માનું છું.

હું આ પુસ્તકના સૌ મિત્રોને, એમના લેખકોને, સલાહકારને અને સંસ્થાઓને GCERT 
અને પાઠ્યપુતકમંડળ ને અભિનંદન આપું છું અને આમાં કોઈ ટેક્નિકલ વાતો આપણને 
અજમાયશ દરમિયાન મળે તેનો સુધારો કરીને બાકીનું as it is આગળ ધપાવવા માટે વિનંતી કરું છું.

 ભદ્રાયુ વછરાજાની (PhD in Education)  
9898920333  

email : bhadrayu2@gmail.com 
YouTube: https://www.youtube.com/@bhadrayuvachhrajani 
Facebook: https://www.facebook.com/bhadrayu.vachhrajani
Blog: https://bhadrayu.wordpress.com/ 
Instagram: https://www.instagram.com/bhadrayuvachhrajani/

ધોરણ ૬ :: ગુજરાતી (પ્રથમ ભાષા) નું  અજમાયશી પુસ્તક “પલાશ”

પહેલી વખત કેવળ સાહિત્ય નહીં, પણ ગુજરાતી ભાષા શીખવતું  પુસ્તક તૈયાર થયું છે. 

ભદ્રાયુ વછરાજાની 

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ મિત્રો,
ખાસ કરીને માતૃભાષાના શિક્ષણ સાથે નિસબત  ધરાવનાર સૌ સ્વજનો,
નમસ્કાર.
રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦ ને લઈને સમગ્ર દેશમાં ૨૦૨૦ થી છેક ૨૦૩૦ અથવા ૨૦૩૫ સુધી
બદલાવનો માહોલ બનતો રહેવાનો છે. ધીમે ધીમે કરતાં ઘણું બધું બદલાશે અને બદલાતાં
બદલાતાં આપણને જે કોઠે પડશે એ અંતે આપણી નીતિનો અમલ ગણાશે.
આ વાતને જો ધ્યાનમાં લઈએ તો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૬ ના ગુજરાતી પ્રથમ
ભાષાના અજમાયશી પુસ્તક “પલાશ” અંગે હાલ અભ્યાસ થઈ રહ્યો છે, ચર્ચાઓ થઈ રહી છે
ત્યારે  કેટલાક શિક્ષક મિત્રો દ્વારા આ અંગે પ્રશ્નાર્થો ઊભા કરવામાં આવ્યા છે અને તેથી કેટલાક
નીતિ નિર્ધારકો પણ આ અંગે અવઢવમાં છે -એવી વાતો સાંભળવા મળે છે, ત્યારે કેટલાંક બહુ
સ્પષ્ટ મંતવ્યો આ સાથે હું પેશ કરું છું.
1) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ નો અમલ કરવો સૌ માટે ફરજિયાત છે એટલે કે એના 

સંદર્ભમાં જે કોઈ ફેરફારો થાય તે ફેરફારો આપણે સ્વીકારવાના છે, હૃદયપૂર્વક સ્વીકારવાના છે અને એને
અમલમાં મૂકીને ધીમે ધીમે આપણી જાતને એમાં ટેવ પાડવાની છે. એ દૃષ્ટિએ આ અજમાયશી પુસ્તક
આપણે સ્વીકારવાનું છે. .
૨) અજમાયશી પુસ્તક ‘પલાશ’ એ અગાઉ કરતાં  જુદું બન્યું છે. આપણા વિદ્યાર્થીઓ તો બીજા ધોરણથી
"પલાશ" જેવી સંરચનાવાદી અધ્યયન પદ્ધતિ અનુસાર તૈયાર થયેલાં પાઠ્યપુસ્તકો: 'કલ્લોલ' 'કલશોર'

'કુહૂ', કેકારવ'થી જ  ભણી રહ્યા છે. માત્ર ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને નવાં  લાગે છે. ધોરણ ૬-૭-૮ માટે
અત્યાર સુધી આવું પુસ્તક બન્યું નથી. 
આ ગુજરાતી ભાષાનું પુસ્તક છે. અત્યાર સુધી આપણને સાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે.  તેમાં કોઈની
બેઠેબેઠી કવિતા હોય, કોઈ પાઠ, કોઈ વાર્તા હોય અને આપણે એનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવતા
આવ્યા છીએ. એ અભ્યાસથી કૃતિઓનો, કે રચનાઓનો પરિચય અને આનુસંગિક ભાવાત્મક પાસાંઓનો
પરિચય અવશ્ય થાય છે. પણ આપણે ગુજરાતી ભાષા શીખી શકીએ એવું એમાંથી બહુ ઓછું બન્યું છે,
એવું આ પુસ્તકને ઝીણી નઝરે જોયા  પછી ચોક્કસ લાગે છે. જે શિક્ષકમિત્રોને આ મુદ્દા અંગે શંકા હોય
તે અગાઉના ગુજરાતીના પુસ્તકો ઉપાડે અને આ પુસ્તક સાથે સરખાવે તો એને ખ્યાલ આવશે. એ
પુસ્તકોની અંદર કવિતા બોલી જવાની હોય અથવા ગાવાની હોય, પાઠ વાંચી વાંચીને સમજાવવાનો હોય
અને જે સમજાય એને આનુસંગિક પ્રશ્નોના જવાબ આપવાના હોય. એટલે આપણું એ પુસ્તક પૂરું થયું.
એ તો  સાહિત્ય અંગેનું પુસ્તક હતું એમાં આપણે પૂછતા હતા કે,  "કવિ શું કહેવા માંગે છે,  લેખક આમાં
ક્યાં અલગ  પડે છે" વગરે…વગેરે… અહીંયા એવું નથી કારણકે અહીંયા આપણે વિદ્યાર્થીને ગુજરાતી
નામના વિષયના માધ્યમથી એક પ્રકારની ભાષા શીખવવી છે. ગુજરાતી ભાષાથી એને અવગત કરાવવા
ભાષા સાથે વિદ્યાર્થીના સ્વને જોડીને બૌદ્ધિક અને ભાવાત્મક પ્રક્રિયા ઊભી કરવી છે. એટલે એ દૃષ્ટિએ
આ પુસ્તક અવશ્ય જુદું પડે છે એટલે ઝડપથી આપણાં મનમાં નહીં બેસે, પણ હું માનું છું કે આ બદલાવ
અતિ આવશ્યક છે અને આ બદલાવ ક્રમશઃ ધોરણ ૭,૮,૯,૧૦ માં પણ જળવાઈ રહે તે જોવાની નીતિ
નિર્ધારકોની ફરજ બને છે,

૩) આ પુસ્તક અજમાયશી પુસ્તક છે, એનો અર્થ એવો છે કે જૂન મહિનાથી તેનો અમલ થયો છે. હજુ
આપણી પાસે આખું વર્ષ છે એ દરમ્યાન આપણને જ્યાં તકલીફો પડતી 
હોય તે તકલીફો માટે આ પુસ્તકમાં લખેલા નિષ્ણાતો કે લેખકો અને અન્ય શિક્ષણશાસ્ત્રીઓ છે એની
સાથે ગોષ્ઠિઓ ગોઠવી  શકાય કે એમનો કહેવાનો ભાવાર્થ શું છે તે સમજી શકાય તેવો પૂરો અવકાશ છે.
અને એ અવકાશને યોજવાની જવાબદારી પાઠ્યપુસ્તક મંડળ કે GCERT કે સરકારનું કોઈ પણ તંત્ર કરી
શકશે એમાં મને કોઈ શંકા નથી.
૪) શિક્ષક તરીકે આપણે નવીનતાનો આવકાર કરવો જોઈએ. ઠેર ઠેર જયારે વિશ્વમાં છેક આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ સુધીની વાતો ચાલતી હોય ત્યારે આપણ ઘરેડબદ્ધ જ પુસ્તકો ભણાવવા માટે ટેવાઈ
જઈએ અને બદલાવનો સ્વીકાર ન કરીએ તે યોગ્ય નથી. શિક્ષક તો એ છે કે જેને રોજ કંઈક બદલાવ
જોઈએ છીએ. અને બદલાવને એ પડકાર તરીકે સહન કરે છે અને સહન કર્યા પછી એ પુરા હૃદયથી એનો
સ્વીકાર કરી અને પોતે માધ્યમ બનીને વિદ્યાર્થીઓ સુધી એને પહોંચાડે છે. એ દૃષ્ટિએ આ પુસ્તક સૌએ
સ્વીકારવું જોઈએ  તેવું મને લાગે છે.

૫) ગુજરાતના વિદ્યાર્થીઓનું ગુજરાતી નબળું છે એવી વાતમાં પૂરું તથ્ય છે, કારણ કે બોર્ડની એક્ઝામમાં
આપણાં લગભગ અઢી કે ત્રણ લાખ ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. એનું કારણ કે
આપણે ગુજરાતીના પુસ્તકો ગુજરાતી સાહિત્યના પુસ્તકો તરીકે જ અમલમાં મુક્યા છે. આપણે પ્રાથમિક
કક્ષાએ ભાષા સજ્જતાના વિકાસને બદલે સાહિત્ય પ્રકારોમાં અટવાઈ ગયા છીએ. આપણે એવું માનીએ
છીએ કે નરસિંહ મહેતાનું નાનું પદ કોઈ વર્ગના પાઠ્યપુસ્તકમાં  મૂકી દઈએ એટલે બાળક તે સમજી જશે.
આપણે એને કહીએ કે આ મંદાક્રાંતા છંદ છે એટલે એ સ્વીકારી લેશે કે આ મંદાક્રાંતા છે. અત્યાર સુધીના
પુસ્તકો સારા હતા પણ એની અંદર તો કહેવાય તે સ્વીકારવું એવા  પ્રકારનું ચલણ હતું.  હવે તો જે તમે
સમજો છો એ તમે લખો, તે તમે અભિવ્યક્ત કરો અને અભિવ્યક્તિથી તમે સમજો કે મેં જે લખ્યું તે શું
છે 

એવો  એક વિશિષ્ટ અભિગમ અમલમાં આવ્યો છે. શિક્ષક ભાષા સાથે શું કરે છે તે અગત્યનું નથી; પરંતુ
બાળક ભાષા સાથે કેવી કેવી પ્રક્રિયાઓ કરીને ભાષાને અંતર્ગત કરે છે તે અગત્યનું છે. ત્યારે આ નવી
તરાહનું આપણે બહુ જ ઉમળકાથી સ્વાગત કરવું જોઈએ અને એમાં કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની
નિખાલસ સંવાદ કે ચર્ચા કરીને એના વિશેની સ્પષ્ટતા મેળવવી જોઈએ. 
મનોવિજ્ઞાન એવું નોંધે છે કે, જેમની ભાષા સમૃદ્ધ હોય તે પોતાના અનુભવો (જીવવાના, શીખવાના
અને વિચારવાના)ને સુપેરે આગળ વધારી શકે છે. કિશોરાવસ્થા સુધીમાં બાળકોનું વિકસી રહેલું મગજ
ભાષાના વાયરિંગથી શક્તિશાળી બનતું હોય છે. તેથી પ્રાથમિક શાળામાં બાળકોને ભાષા-પોષણ આપવાના
સભાન પ્રયાસો અનિવાર્ય છે. કેટલાક વિચારણીય મુદ્દાઓ અત્રે ટાંકુ છું :: 
@ મજા આવવી – એ ભાષા શીખવાની પૂર્વશરત છે.
@ જે ભાષામાં ગાતાં, લલકારતાં, વાર્તા કહેતાં, ગપ્પાં મારતાં, જાતભાતના વિષયો પર વાતચીત કરતાં
આવડે તે ભાષા પછીથી લખતાં અને વાંચતાં પણ આવડે.
 @ ભાષા શીખવા માટે બે કે તેથી વધુ માનવ ભેગા થાય  એટલે ભાષા આવડવા માંડે. તેથી આ પુસ્તકમાં
અનેક જૂથ પ્રવૃત્તિઓ તેમજ જોડી પ્રવૃત્તિઓ મૂકી છે.
@ વર્ગમાં વિદ્યાર્થીઓ ઊભાં થાય, થોડાં હાથ-પગ-જીભ હલાવે, થોડી કૂદાકૂદ કરે તે વિદ્યાર્થીઓ માટે
મજેદાર હોય છે. તેનાથી ખલેલ પહોંચે એવું લાગે  તો પણ  વિદ્યાર્થીના મગજના વિકાસ માટે સમયાંતરે
થતી શારીરિક ક્રિયાઓ ખૂબ જરૂરી છે, તેવું સ્વીકારવું .
@ માહિતી → અર્થગ્રહણ → સમજ → ઉપયોગ ——— સર્જન એવી નિસરણી દ્વારા
આપણે કલ્પનાશીલ બનીએ છીએ. આ પુસ્તકમાં કવિતાઓ, વાર્તાઓ, પ્રસંગો એવી રીતે રજૂ કર્યાં છે કે
જેથી વિદ્યાર્થીઓના અનુભવ, પૂર્વજ્ઞાન અને કલ્પનાશક્તિ અધ્યયનમાં જોતરાય. 

@ પાઠ્યપુસ્તકમાં ઇરાદાપૂર્વક પીરસવામાં આવેલી ભાષા અને વિદ્યાર્થીઓએ ઘર-કુટુંબ-શેરી-મહોલ્લા-
પાર્ટીમાંથી ગ્રહણ કરેલી ભાષાનો સંગમ કરવામાં આવ્યો છે. 
@ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુખર રીતે બહુભાષિતાને પ્રોત્સાહન આપે છે. N.C.F. (National
Curriculum Framework)  અને રા.શિ.ની. 2020ને અનુસરીને આ પાઠ્યપુસ્તકમાં અન્ય
ભારતીય ભાષાઓને ગુજરાતી ભાષા સાથે પ્રગટ રીતે સાંકળવામાં આવી છે.
@ આ પાઠ્યપુસ્તકની સંરચનામાં કેટલીક ખાસ થિયરી અને સિદ્ધાંતોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.
તેની વિગતો પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં જ સ્પષ્ટ કરેલી છે. 
@ ‘પલાશ’ એવું પુસ્તક બન્યું છે કે જેમાં શિક્ષકનો રોલ એક મિત્ર બની રહેવાનો છે, કારણ બાળક
પોતાની જાતે વાંચન કરી સૂચના મુજબ પ્રવૃત્તિ કરતો રહે તેવું તેનું ફોર્મેટ છે. કદાચ એવું પણ બને કે થોડા
હોશિયાર બાળક તો શિક્ષક કરતા આગળનાં પાનાંઓમાં ગતિ કરવા લાગશે. 
@ ‘શું’ નામના પાઠ્યપુસ્તકની સફળતા ‘કેવી રીતે’ નામના વર્ગકાર્ય દ્વારા સિદ્ધ થાય છે – તે
સુવિચારના વિચારવિસ્તાર તરીકે અમે આ પુસ્તકને ‘મેનુ ડ્રિવન’ એટલે કે ‘જુઓ અને કરો’ ટાઇપનું
બનાવ્યું છે. લર્નિંગ મૅન્યુઅલ જેવા આ પુસ્તકને કોઈ પણ સજાગ શિક્ષક વિદ્યાર્થીઓની સક્રિયતામાં
પલટી શકશે.
એક સાથે સમૂહમાં કોઈ બાબતને  સોશ્યલ મીડિયા કે શિક્ષક સમૂહોમાં વખોડી કાઢવાથી આપણું ભવિષ્ય
પાછળ ઠેલાશે  એ આપણે ભૂલવું ન જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં બધું જ ચાવી ચાવીને
આપણે ગળે ઉતારવાની જે પ્રક્રિયા આવી છે ત્યારે આપણાં મગજને ભલે થોડી કસરત ચોક્કસ થાય.
‘પલાશ’ પુસ્તક આપણને થોડીક ક્ષણ માટે પ્રશ્નાર્થ બનીને ઉભું રહેલું લાગે તો પણ તેના ઊંડાણમાં
જઈને વિચારવા જેવું આ પુસ્તક છે એવું  હું સ્પષ્ટ રીતે માનું છું.

હું આ પુસ્તકના સૌ મિત્રોને, એમના લેખકોને, સલાહકારને અને સંસ્થાઓને GCERT 
અને પાઠ્યપુતકમંડળ ને અભિનંદન આપું છું અને આમાં કોઈ ટેક્નિકલ વાતો આપણને 
અજમાયશ દરમિયાન મળે તેનો સુધારો કરીને બાકીનું as it is આગળ ધપાવવા માટે વિનંતી કરું છું.

 ભદ્રાયુ વછરાજાની (PhD in Education)  
9898920333  

email : bhadrayu2@gmail.com 

Website: https://santulanctc.com
YouTube: https://www.youtube.com/@bhadrayuvachhrajani 
Facebook: https://www.facebook.com/bhadrayu.vachhrajani
Blog: https://bhadrayu.wordpress.com/ 
Instagram: https://www.instagram.com/bhadrayuvachhrajani/

5478 5471