અસ્મિતા વિશેષ સંવાદ : (50) : શ્રી ગીત સેઠી

અસ્મિતા વિશેષ સંવાદ : (50) : શ્રી ગીત સેઠી

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

અસ્મિતા વિશેષ સંવાદની અર્ધી સદીની યાત્રામાં આપણને  સ્પોર્ટ્સ ક્ષેત્રના એક વર્લ્ડ ચેમ્પિયન બની રહેનાર શ્રી ગીત સેઠી સાથે અદભુત સંવાદ કરવાનો લ્હાવો મળેલ છે. બિલિયર્ડ જુનિયર્સના ચેમ્પિયન અને નેવુંના દશકના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ગીતજી સાથેનો સંવાદ આજના અને આવતીકાલના યુવાનો માટે પ્રેરણાના ઝરણા જેવો રહ્યો. આવો, તેમની વાતો જાણીએ..

શ્રી ગીત ઉછર્યા રેલવે કવાટર્સના પરિસરમાં જ્યાં સ્પોર્ટ્સની સુંદર સગવડો હોય. તેઓએ ઇન્ડોર ગેમ્સ ના બંધ ઓરડાઓમાં દૂરથી ઘણું દૂરનું જોયા કર્યું અને વિચાર્યા કર્યું, તેમાં તેઓને બિલયાર્ડનો ખંડ અને તેની નાની કાચની બારી ખુબ આકર્ષી ગઈ.  

એ સમયે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને એ ખંડમાં પ્રવેશ પ્રતિબંધ હતો. ગીતજી દૂરથી એ રમતને કાચની આરપાર નિહાળતા હતા અને પોતાની આરપાર ઉતારતા હતા. તેઓને ઈચ્છા તો બહુ થતી કે બિલીયર્ડની દાંડી પકડીને રંગરંગના દડાઓને હળવો  ધક્કો લગાવું,, પણ એ શક્ય ન હતું. 

ભાગ્યએ અચાનક કરવટ  બદલી અને સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યોને અને બધી ક્લબ્સને કહ્યું કે,  તરુણોને પણ બિલિયર્ડ શીખવો જેથી કરીને તેઓ યુવાન થાય ત્યારે વિશ્વ સાથે રમી શકે અને આપણો  દેશ તેમાં નામ રોશન કરી શકે. ગીત સેઠી  નામધારી છોકરાને તો દોડવું હતું અને ઢાળ મળ્યો… હવે તે વિધિવત બિલિયર્ડ ખંડમાં પ્રવેશ્યો અને રમવા લાગ્યો. દૂરથી નિહાળેલી રમત તેનું કૌશલ્ય બની ગયું અને  તે  ઉમરે  તો એ જુનિયર્સનો બે વખત નેશનલ ચેમ્પિયન બની ગયો.!! પિતાશ્રીએ ભણવા માટે આગ્રહ તો કરેલો જ અને એસએસસી વખતે તો ત્રણ મહિના બિલીયર્ડને વીંટો વાળી એક બાજુ મુકાવીને પરીક્ષાની તૈયારીએ વાળી દીધેલ. ધોરણ અગિયાર અને બારમા પિતાશ્રીએ સાયન્સ લેવાનો જ આગ્રહ કર્યો તો ગીતે તેમ કર્યું અને સાથે સાથે રમત પણ આગળ વધારી. પણ આ બે વર્ષમાં ગીતની એકાગ્રતા રમતમાં વધારે જ છે તેવું પામી જનાર પિતાશ્રીએ એકદમ સહજતાથી કહ્યું કે, ‘હવે આર્ટ્સ રાખીને ડિગ્રી મેળવી લેવી પણ રમતમાં આગળ વધવું.’ પિતાશ્રીના આ હૃદય પરિવર્તનને ગીત સેઠી બહુ જ આદરપૂર્વક પ્રણમે  છે. 1973-74 થી શરુ થયેલ આ રમતે  મક્કમ ગતિથી ગીતને સફળતા અપાવી  પણ  1989-90 માં તેમને સેડબેક લાગ્યો અને ગીત રમતમાંથી બહાર ફેંકાય જાય એટલી હદે પાછળ પડી ગયા..!! 

અહીં નોંધવા જેવી ઘટના બને છે અને શ્રી ગીત સેઠી પોતાના કોચ કે ગુરુને શોધીને પોતાની પાયાની ભૂલ તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. શ્રી ગીત સેઠી કહે છે કે, મને પહેલીવાર ખબર પડી કે, મારી રમવાની ટેક્નિક સાવ ખોટી જ  હતી, પણ મારા આત્મવિશ્વાસથી રમતો ને જીતતો હતો અને તેનો અહમ મને ટેક્નિકને સાચા માર્ગે વાળવા દેતો ન હતો. કોચે ધ્યાન દોર્યું ને સાચી ટેક્નિક શીખવી પછી શ્રી ગીત સેઠીએ પોતાની જાતને ત્રણ વર્ષો માટે સ્પોર્ટ્સ ક્લબના ખંડમાં બંધ કરી દીધી  અને સતત મહેનત કરી સાચી ટેક્નિક પ્રાપ્ત કર્યા  પછી જ બહાર નીકળી કોઈ ટુર્નામેન્ટ રમે છે. અને આ ઉગ્ર સાધનાનું ફળ પણ ઉત્તમ મળે છે. ત્રણ વર્ષ પછી ફરી તેઓ ટુર્નામેન્ટ રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ  ચેમ્પિયન બની રહેલ માઈકલ ફરેરાને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાવે છે અને રેકોર્ડ બ્રેક સ્કોર કરે છે, જે આજે છેલ્લા પચાસ વર્ષનો ઉચ્ચતમ સ્કોર રહેલ છે.  

પરંતુ જયારે અચાનક રમતમાં શિકસ્ત ઉપર શિકસ્ત મળવા લાગે છે ત્યારે ગીત સેઠી હચમચી ઉઠે છે .. જો કે, આ વખતે પણ નાસીપાસ થવાને બદલે કે ડિપ્રેશનમાં  આવી જવાને બદલે  ગીત તેનો  પડકાર રૂપ સામનો કરે છે,  તે તબક્કાની તેઓની સ્થિતિ વિષે તો આપણે સંવાદ નિહાળીશું ત્યારે જ ખ્યાલ આવશે.

અસ્મિતા વિશેષ સંવાદ : (49) : શ્રી અનિલ રેલીયા

અસ્મિતા વિશેષ સંવાદ : (49) : શ્રી અનિલ રેલીયા

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com

અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે એક વિશિષ્ટ કલા-સમીક્ષક અને ચિત્રો-ગ્રાફિક્સના ખજાનાને સાચવીને બેસેલ એક વ્યક્તિ વિશેષને મળીએ. તેઓનો અતૂટ નાતો  વિશ્વના ખ્યાતિ પ્રાપ્ત અને ફકીરીમાં જીવેલા ચિત્રકાર શ્રી એમ. એફ. હુસેન સાથે રહ્યો, તો ભારતના ટોચના ગ્રાફિક આર્ટિસ્ટ્સ સાથે તેઓ આજે પણ કાર્ય કરી રહેલ છે. અમદાવાદના એક આધુનિક ખૂણામાં પોતાની સમૃદ્ધ આર્ટ ગેલેરી સાથે નિજાનંદમાં રહેતા એ કલાકાર છે શ્રી અનિલ રેલીયા. તેઓ કઈ રીતે આ વિશિષ્ટ માર્ગે વળ્યા તેની કહાની સાંભળીએ:   

 

“મારા પાડોશીઓમાં કાપડના હોલસેલ વેપારીઓ હતા, જે લોકોને ત્યાં બહારગામથી પાર્સલ આવે તે  ગાંસડીઓ ઉપર લેબલ હોય. મને એ લેબલ બહુ આકર્ષિત કરતા. એકાદ વખત મેં એ લેબલ કાઢી લીધા તો વઢ પણ પડી હતી કે,  “આમાં કયો માલ છે એના માટે લેબલ હોય છે,  તારે લેબલ કાઢવા હોય તો બધો માલ ખાલી થઈ  જાય પછી કંતાન પડ્યા હોય એના પરથી લઇ લેવાના પણ પહેલાં કાઢવા નહીં.” પછી તો મને મજા પડી ગઈ એ લોકો જ્યારે બધો માલ રાત્રે કાઢી લે પછી  દુકાન આઠ સાડા આઠે બંધ થઇ જાય પછી એ લોકો દુકાનના માણસો હોય એ સ્ટોક બધો રેક માં ગોઠવી દે. પછી હું સવારે ભીના કપડાં લઈને જઉં અને  એના ઉપર મુકું ને ઉખાડું અને પછી સ્કૂલ નોટબુકમાં રાખતો.  એવા લેબલો મેં ભેગા કર્યા. 

બીજી વસ્તુ એ સમયમાં ટિકિટો ભેગા કરવાનો શોખ એ રીતે મને મેચબોક્સના ઉપરના રેપરો ભેગા કરવાનો શોખ, કારણ કે એમાં જુદી જુદી છાપો આવે ! સામાન્ય રીતે અમુક જ બ્રાન્ડ વેચાતી હોય એ મળે પણ મારું ઘર રેલવે લાઈનની બાજુમાં. તો ફરવા માટે અમે રેલવે લાઈન પર જતા તો જુદી જુદી ન સાંભળેલી એવી પરી છાપ હોય કે રોકેટ છાપ હોય કે એવા જુદા પ્રકારની બધી છાપો મળે અને એ છાપો લઈને સ્કૂલે જતો અને બતાવતો એટલે મારો એમાં વટ પડતો. લોકો ખુશ થતા કે, તું તો જુદું જ લઈને આવ્યો. સામાન્ય સુરતમાં વપરાતી માચિસબોક્સ કરતા જુદા જ પ્રકારનું હોય. તો એ મારા વખાણ થાય એ મને આનંદ થાય. textile ના લેબલની વાત કરું તો આજે પણ મારા સંગ્રહમાં એ સંગ્રહ સ્કૂલના દિવસોમાં ભેગા કરેલા લેબલ છે. અને એ સહજતાથી સાચવી શકાયા છે. એ સ્કૂલની બૂકમાં હતા.

હું બરોડા ફાઈન આર્ટ્સમાં માં ભણવા ગયો.  પણ એ પણ આકસ્મિક જ રીતે જ થયું   હું જયારે દસમા ધોરણમાં હતો ત્યાં સુધી તો મને પણ નહોતી ખબર કે મને એવા શિક્ષક પણ ના મળ્યા કે જે મને ગાઈડ કરે કે આવી ફાઈન આર્ટને લગતી કોઈ કોલેજો હોય કે જેમાં કલા શીખી શકો. મને પણ એવું ખબર ન હતી કે આ જે સરકસના કે ફિલ્મોના ચિત્રો દોરનાર કે જેને હું જોયા કરતો તે  કોઈ ભણેલા નહોતા. એ બધા પોતે પોતાની રીતે કરતા. …. પણ પિતાજીની એવી ઈચ્છા કે ડિગ્રી તો જોઈએ જ.  પણ મારા માટે એ અશક્ય હતું. મારા માટે ફાઈન આર્ટ્સની વાત કરી હતી પણ હજુ તો હું દસમામાં હતો એટલે કશો નિર્ણય લેવાયો ન હતો. અને એમ હતું કે જેમ આગળ જશું એમ બધું થશે. પણ દસમાં ના વેકેશનમાં પ્રસંગ એવો બન્યો કે મારા ભાઈ જે ડોક્ટર બન્યા હતા એમને મળવા માટે એક મિત્ર કે જે  અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે એ વખતે એ આફ્રિકા રહેતા હતા એમને મળવા એમનો બીજો મિત્ર વડોદરાથી આવ્યો,  જે વડોદરામાં આર્કીટેક હતો. તો એણે મારા ઘરની દીવાલો ઉપર લાગેલા ચિત્ર અને ફ્રેમમાં મુકેલા  મારા ડ્રોઈંગ હોય એ જોયા. એણે બહુ સહજતાથી ભાઈને પૂછ્યું,  ‘આ બધું કોનું છે ?’ તો કહે, ‘મારો ભાઈ કશું નથી કરતો બસ  આવું જ કરે છે.’ એમણે આવી રીતે મારો પરિચય કરાવ્યો, તો કહે,  ‘એને  ફાઈન આર્ટમાં મુકો ને,’  તો ભાઈ કહે, ‘એ શું છે ?’ તો એ કહે, ‘આવી કોલેજ  વડોદરામાં છે.’  મારા સુધી વાત આવી એટલે મેં કીધું, મારે જાણવું પડશે  એટલે પ્રોસ્પેક્ટ્સ મગાવ્યું અને એ આવ્યું ને મારા જીવનનો રાહ બદલાઈ ગયો. મેં જયારે જોયું ત્યારે એમાં ક્લે મોડલિંગ, વુડ કાર્ટ, પ્રિન્ટ મેકિંગ, ડ્રોઈંગ ડિઝાઇન આવા જ વિષયો. આપણા સાયન્સ, જિયોગ્રાફી એવા એક પણ વિષય નહીં. મને થયું આવી પણ કોલેજ હોય છે ખરી !!! મારા માટે આશ્ચર્યની વાત હતી.  મેં કહ્યું કે,  મારા આમાં જ ભણવું છે,  બસ ત્યાંથી મારી વાત શરૂ થઇ. એમાં એમ કહેવાયું હતું કે,  તમારે એમાં ભણવું હોય તો તમારી પાસે SSC માં (અગિયારમા ધોરણમાં)  તમારે ડ્રોઈંગ વિષય તરીકે લેવો પડે. તો મેં એ પણ લીધો.  આનંદની વાત એ હતી કે એમાં એડમિશન લેવા માટે તમારે માર્ક્સથી કોઈ મતલબ નહોતો. કેટલા ટકા છે એનાથી મતલબ નહોતો પણ ત્યાં લેવાતી એપ્ટિટ્યુડ ટેસ્ટ પાંચ વિષયોની લેવામાં આવે એમાં ક્લે મોડલિંગ, ડ્રોઈંગ અને ડિઝાઇન એ રીતની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાતી એનાથી તમારી આંગળીઓની, તમારી દ્રષ્ટિની ચપળતા  શું છે, એનો ખ્યાલ આવે. અને એક લેખિત પરીક્ષા કે જેને ડિગ્રી લેવી છે એના માટે. મારે ડિગ્રી જ લેવાની હતી એટલે મેં ડિગ્રીમાં જ ફોર્મ ભર્યું હતું, અને જયારે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હું ગયો તો પેલા ચાર પેપર તો સરસ રીતે મેં આપ્યા પણ જયારે ડિગ્રી માટેનું લેખિત પેપર આપવાની વાત આવી તો મેં સવાલો વાંચ્યા અને સમજ પણ પડી  પણ હું ઇંગલિશ માં લખી શકું એમ ન હતો કારણકે ઇંગલિશ મારું બહુ જ કાચું  હતું. તો મેં પહેલાં તો ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું પણ તરત મને કહેવામાં આવ્યું કે આવું તો નહીં ચાલે.  મેં કહ્યું, મને આવડે છે, પણ હું લખી નથી શકતો. તરત જવાબ  મળ્યો કે હિન્દી આવડે તો હિન્દી લખો. એટલે મેં હિન્દીમાં લખ્યું. પછી જયારે ઇન્ટરવ્યૂ લેવાયો  ત્યારે મારી આગળ આ જ પ્રશ્ન આવ્યો કે, તમારે ડિગ્રી લેવી છે તો તમને ઇંગલિશ આવડવું જોઈએ. તો મેં કહ્યું, મને જેટલું આર્ટ માટેનું જરૂરી હશે  એટલું તો હું પીકઅપ કરી લઈશ,  પણ મને ચોક્કસ આમાં રહેવું છે અને મને એડમિશન મળી ગયું. જેવું એડમિશન મળ્યું એવી મારી આખી નવી દુનિયા ખુલી ગઈ…”

 

અસ્મિતા વિશેષ સંવાદ : 48: શ્રી પ્રફુલ્લ અનુભાઈ

અસ્મિતા વિશેષ સંવાદ : 48: શ્રી પ્રફુલ્લ અનુભાઈ

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

બહુમુખી વ્યક્તિત્વ શ્રી પ્રફુલ્લ અનુભાઈ. એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, સોસ્યોલોજી, ડિઝાઇન, એન્થ્રોપોલોજી, કરીક્યુલમ ડેવલપમેન્ટ,…. અને… કેટલાય ક્ષેત્રોમાં વ્યસ્ત રહી જીવન વિતાવનાર શ્રી પ્રફુલ અનુભાઈ સાથેના સમવાદમાંથી થોડું : 

વિદેશમાંથી કરીક્યુલમ ડિઝાઇનમાં મને ત્રણ શબ્દો કીધેલા. 

  1. વિઝિબિલિટી, 2) વાયેબીલીટી અને 3) ડિસાઇરેબિલીટી. 

વિઝિબિલિટી ક્યાંથી આવે ? stem સબ્જેક્ટ્સમાંથી સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. 

વાયેબીલીટી ક્યાંથી આવે ? ફાયનાન્સ, એકાઉન્ટિંગ, ઇકોનોમિક્સ. 

અને ડિસાઇરેબિલીટી.??  what will happen to the environment , what will happen to the next generation ? એ બધું આવે હ્યુમેનિટીસ અને સોશિયલ સાયન્સમાંથી. 

હવે આ ત્રણ શબ્દો પકડીને કરીક્યુલમ એની આજુબાજુ બનાવેલો. આ બધા વિષયોને આવરી લેતો. એટલે કે ઓલ રાઉન્ડ ડેવેલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ માટે એક લિબરલ એજ્યુકેશનનો પાયો જરૂરી છે. પછી જેને જે કંઈ સ્પેશ્યલાઇઝેશન કરવું હોય એ કરી શકે છે,  આ એક બહુ જરૂરી વાત છે. આવા દાખલા  ત્યાં મેં જોયેલા, જે અહીંયા જલ્દીથી જોવા નથી મળતા. હું ત્યાં કોલેજમાં ગયો. મને એક ફેકલ્ટી મેમ્બરનો પરિચય કરાવ્યો. એન્થ્રોપોલોજીસ્ટ છે. મને થયું એન્થ્રોપોલોજીસ્ટ એન્જીનીયરીંગ કોલેજમાં ? એટલે કહે છે હા, હા. મેં પૂછ્યું,  તમે શું ભણાવો છો ? મને કહે I teach a course aging adults એન્જીનીયરીંગ કોલેજમાં. મને નવાઈ લાગી એટલે કહ્યું,  હું તમારો લેક્ચર અટેન્ડ કરી શકું ? તો મને કહે,  હા જરૂર આવો. હું ગયો.. what she had done was ત્યાંની કમ્યુનિટીમાંથી ચાલીસ જુના માણસોને લઇ આવેલા અને ચાલીસ છોકરાઓની સાથે પેર કરેલા. ચાર મહિના એ લોકોને એકબીજાના સહવાસથી એક બીજાને જોવાના. એમાંથી પેલા લોકોની જરૂરિયાત શું છે જુના માણસોની ? એની જરૂર પ્રમાણે નક્કી કરવાનું. કોઈકને ચાલવાની તકલીફ છે તો વહીલચૅર બનાવો. કેવી બનાવશો કે એને ચાલવાની ક્યાં તકલીફ છે ? સ્ત્રી છે, પુરુષ છે, હાઈટ, બોડી, વજન, ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, ફ્લેટ સરફેસનું શું ? આ બધા ઘણા કારણોને જોઈને પેલા વિદ્યાર્થીઓ સમજતા જાય એ પ્રમાણે વહીલચેરની ડિઝાઇન બનાવતા જાય. એ રીતે કોઈને જોવાની તકલીફ હોય તો ગ્લાસીસ કેવા બનાવવાના, કઈ રીતે જોવાની તકલીફ ન પડે ? આવી બધી વાત આવે અને આવી જ એક વાત હું સ્ટેનફર્ડ ગયેલો ત્યાં થયેલી. સેન્ટર ફોર ડિઝાઇન રિસર્ચ હતું CDR એ ત્યાં આગળ એક્સપોઝર માટે બધાની જોડે ઓળખાણ કરાવી, વાત કરાવી પછી મને કહે છે કે, અહીંયા છોકરાઓને અમે ઇનોવેશન માટે એન્કરેજ કરીએ છીએ. પછી મને દાખલો આપ્યો. પાંચ છોકરાઓનું એક ગ્રુપ હતું અને એમને વિચાર આવ્યો કે દુનિયાના બેકવર્ડ કન્ટ્રીમાં પ્રોબ્લેમ ઓફ પ્રીમેચ્યોર બેબીઝ છે. પ્રીમેચ્યોર બેબીઝ મોર્ટાલીટી રેટ બહું  વધારે છે. કારણ કે રૂરલ એરિયામાં હોસ્પિટલ નથી. એટલે એમણે  શું કર્યું ? એ ગયા પેલા ડોકર્ટસ પાસે. મેડિકલ સ્કૂલ હતી ત્યાં ગયા.. એ કહે બેબીઝને કેમ આવું થાય છે ? તો કહે છે,, કારણ એ છે કે બોડી ટેમ્પરેચર જાળવવા સક્ષમ નથી. જેના કારણે મૃત્યુ પામે છે. દિવસમાં ટેમ્પરેચર બદલાય, દિવસે દિવસે બદલાય એની જોડે એડજસમેન્ટ થવું જોઈએ એ કરી નથી શકતા પ્રિમેચ્યોર બેબીઝ. તો એ શોધી કાઢ્યું કે આ તકલીફ છે. પછી તે નેપાળ ગયા. પાંચ છોકરાઓ. સાંભળજો બહુ રસપ્રદ વાત છે ત્યાં આગળ જોયું હોસ્પિટલ છે. નજીકના ગામડામાં ગયા જોયું કે, એ લોકોને નજીકની હોસ્પિટલ જતા પાંચ દસ કલાક પણ જાય અને ચોવીસ કલાક પણ થાય. એટલે એમણે ફરી પ્રોબ્લેમ શોધ્યો. બહારના કોઈ સપોર્ટ વગર ૪૮ કલાક સુધી બોડી ટેમ્પરેચર જાળવવું. પ્રોડક્ટ માટેનો concept બનાવ્યો. ગયા પાછા સ્ટેનફર્ડની લેબમાં. કીધું કે એવી કોઈ વેક્સીન કે એવું કઈ શોધવું કારણ કે માતાની સ્કિન સાથે જે બાળક હોય ને તો એને બહુ સારું રહે, એની તબિયત માટે, એવી બધા ડોકટરે વાત કરી. એટલે ગયા અને કીધું છે આપણે એક સ્લીપિંગ બેગ બનાવો કે જેમાં ટેમ્પરેચર સ્ટેબલ રહે. અને પેલા બાળકને એમાં મૂકી દેવાનું અને મધર એમાં બાળકને લઈને જાય એવું એક સોલ્યુશન કર્યું . એ ગયા ત્યાં અને કીધું કે એવો રસ્તો બતાવો અમને લોકો ને કે જેમાં ઓછામાં ઓછી તકલીફથી ટેમ્પરેચર રહે સ્લીપિંગ બેગ્સનું. એટલે એક કેમિકલ વેક્સ આવે છે. પેલા લોકોને સૂચન કર્યું કે આ વેક્સ મુકો, ગરમ પાણી નાખો એટલે ટેમ્પરેચર આવી જાય. સિમ્પલ સોલ્યુશન લઇ આવ્યા. પછી એ ડિઝાઇન કરી, પ્રયોગ કર્યા બધું થયું ઇન્ડિયા આવીને પછી આ કર્યું કંપનીનું નામ ‘એમ્બ્રેસ’ પાડ્યું. બંગ્લોરમાં એ કંપની બની અને ચાલુ કર્યું. ત્યારે હું બહુ પ્રભાવિત થયો કે આ ૧૮ – ૨૦ વર્ષના છોકરાઓ કમાલ કરે  છે ને ?

અસ્મિતા વિશેષ સંવાદ : 47 : શ્રી મલ્લિકા સારાભાઈ

અસ્મિતા વિશેષ સંવાદ : 47 : શ્રી મલ્લિકા સારાભાઈ

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતા હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યા છે તો વળી વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યા છે. આવો, શ્રી મલ્લિકા સારાભાઈ સાથેના સચોટ સંવાદના થોડા અંશો જાણીએ : 

“જિંદગીમાં ઉતાર ચડાવ બહુ આવ્યા.  પહેલા પહેલા હંમેશા લોકો પૂછતાં કે,  તને શું દબાવ છે ?  તારા મમ્મી પપ્પા બંને જણા તો એટલા બધા જાણીતા છે, આટલા મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે,  તું નૃત્ય જ કરજે,  તું સાયન્સ જ કરજે,  તું અમારું નામ ડુબાડી ન દેતી.. એવું કોઈ દિવસ હતું નહીં. 

એક બહુ જ સહજ પાર્ટનરશીપ હતી, અમારા  ચાર જણાંની. અમે જયારે મોટા થયા હતા ત્યારે અને સામુહિક કોઈ નિર્ણય લેવાનું હોય તો એમાં બાળકો ગમે તેટલા નાના હોય પણ ઇન્વોલ્વ કરવાના, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતા શીખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો..? .. ત્યાં સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઉભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોય શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી,  અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની જે પણ પ્રશ્ન હોય ત્યાર સુધી તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો  પડશે. હું ઈચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતા તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા,  ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. મેં કીધું ને કરો એવું કોઈ દિવસ નહીં. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કઈ સ્ટેન્ડ લેવું હોય ને  અમ્મા કહે કે ના,, પણ ના એટલે ના નહીં બેસીને સમજાવે કે કેમ ના ?”

“ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઇ જાય પછી તે સ્વીકારાઈ જાય ખરું ?”

“સહજતાથી નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જયારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખુલે. તો પણ હું જો disagree કરતી હોઉં તો પાછું બે ત્રણ વર્ષ પછી ફરીથી ખુલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં એન્ટી  પોઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું હું તમને કહું ને અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ન ઘરમાં ટ્રીટ જ નહીં  કરેલા. 

મારું પહેલું જો એન્કાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે SSC કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશા ઓળખ્યા છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી  રહ્યું છે ??  એમાં અનંગ દેસાઈ એક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલા. અમે એકબીજાના સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકોનોમિક્સ લીધેલું અને નવું નવું મેં બેડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કોર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કોર્ટ અને કેન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શોર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કેન્ટીનમાં આવે. અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. મારા ક્લાસમાં પરવીન બાબી, મારા ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે. મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી, એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખુબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કેન્ટીનમાં ન જઈએ,  અમને પણ દાળવડા ખાવા છે એટલે ઝેવિર્યસ ની હિસ્ટ્રીમાં પહેલીવાર પાંચ છ ખુબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો. એટલે આજે પણ મને એવી  વ્યક્તિઓ મળે છે અને કહે છે કે, જે અમને HK માં હતા એ વખતે અને  HL માં હતા એ વખતે અમે તમને જોવા જ આવતા હતા એટલે અમે આ જેન્ડરનું થોડું ચેન્જ કરવા માંડ્યા. પહેલી મીડ ટર્મ પતી એટલે અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાબુભાઇ પટેલ કે જેમની ગાઈડ યુનિવર્સીટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું ? ગાઈડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ક્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવા કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઇ તમે મારા માર્ક્સ જોવો છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઇ ગયા તો રસ્ટીકેટ કરી નાખી ત્રણ અઠવાડિયા. તો બધા જોવા આવ્યા કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં  કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઇ ગયું…”

 

અસ્મિતા વિશેષ સંવાદ : (46) : શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com

ભારોભાર કરુણાથી છલકતું એક સર્જક હૃદય વિશ્વકોશના સ્ટુડીઓમાં ત્રણ કલાક પોતાની આભા છોડી ગયું એવો અનુભવ જેમણે કરાવ્યો તે કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથેના આત્મીય સંવાદના કેટલાંક સ્મરણો…

“મારી બા એ બિલકુલ સૌરાષ્ટ્રની એક અભણ સ્ત્રી. આ પહેલું વાક્ય હું કાયમ એના માટે બોલું એ સૌરાષ્ટ્રની એક એવી અભણ સ્ત્રી કે જેને હું પૂછું, તું કેમ ભણી નહીં ? તો કહે, અમારા જમાનામાં છોકરીઓ ભણતી નહોતી. બીજું હું એને  પૂછું કે,  તને આ બધું સૂઝે છે ક્યાંથી ? કારણ કે એને કવિતાઓ ગાવાની ટેવ પડી ગઈ હતી. પોતે ઘરને કોઈ દિવસ તાળું ન મારે. હું બગીચામાં રમતો હોઉં ધૂળમાં,  તો એ શાક લેવા ગઈ હોય તો જાય અને જતા જતા ઘરની જાળી તરફ, પગથિયાં તરફ ડોક્યું કરીને ગાતી જાય, હું હમણાં જઈને આવું છું, મારું ઘર સાચવજે ગોવિંદા... એનામાં શ્રદ્ધા જબરજસ્ત હતી. એને હું પૂછું કે, તેં  ભગવાનને જોયો છે ? તો આ શ્રદ્ધા કોની પર રાખે છે ? તો એ હંમેશા કહેતી કે,  શ્રદ્ધા છે એ હંમેશા આપણી અંદરથી આવે છે. તેની પાસેથી ઘણા ઘણા એવા શબ્દો, ઘણી એવી વાતો શીખ્યો જે મને પછી ખબર પડી કે એના પ્રમાણ તો બહાર મળે છે, બહારના ગ્રંથોમાં મળે છે. ગ્રંથો પ્રમાણે એના જીવનમાં કંઈ જોવા ન મળ્યું. પણ એના જીવનમાં જે કંઈ જોવા મળતું હતું, એ ગ્રંથોમાં મળતું હતું. બીજું એની પાસેથી જીવનમાં શીખ્યો કે દરેક વસ્તુ સ્વીકારી લેવી. એ સુખની કલ્પના ના કરે, દુઃખની કલ્પના ના કરે. જયારે જે પરિસ્થિતિ થાય એનો એ સ્વીકાર કરી લે. ક્યારેક મને એની સામે વાંધો પણ પડતો કે આવું કેમ ? ક્યારેક મને એની બાળપણની વાતો કરે ત્યારે અમદાવાદની અંદર કોલસાનું રેશનિંગ હતું. આ અમદાવાદમાં ૧૯૪૭ પહેલાં કોલસાનું રેશેનિન્ગ  હતું ઘણી બધી હાડમારીઓ વચ્ચે ઘરની અંદર ચૂલો કરીને જીવતું હતું એ જમાનામાં એવી વાતો કરે કે જે મારા જન્મ પહેલાની હતી. પછી હું એને કહું કે, કોઈ દિવસ તને ભગવાન સામે વાંધો નથી પડતો ! તું માંગે છે ખરું ભગવાન પાસે  ? તો એ કહે, ભગવાન પાસે માંગવાનું નહીં ,,એટલે મેં કીધું,  તો શું કરવાનું ? મને કહે,  હંમેશા ભગવાન પાસે આપણે શાંત થતા શીખવાનું,, આ મારા માટે બહુ મોટી વાત હતી કારણ કે હું તો હંમેશા રસ્તે ચાલતો હોઉં ને જો સામે ગાય આવતી હોય તો પણ બીક લાગે કે, આ શિંગડું મારશે તો ? એટલે હું એ બીજા ત્રીજા ધોરણમાં ભણતો છોકરો પ્રાર્થના કરી લઉ કે, હે  ભગવાન,  આ ગાયથી મને બચાવેલી લેજે. કોઈક વાર કૈક મૂંઝવણ થાય કે  જયારે હોમવર્ક કરીને લઇ ન ગયો હોય ત્યારે મને થાય કે આજે સાહેબ મારું હોમવર્ક ન તપાસે તો સારું ભગવાન,  મને બચાવી લેજે. કોઈક વાર નાના નાના સુખો માંગી લેતો ભગવાન પાસે. ને મારી બા કહે કે, ભગવાન પાસે કશું માંગવું નહીં. મેં કીધું, કેમ ? તો કહે, કદાચ ખોટું માગ્યું હોય તો ? તો પછી.. મેં કહ્યું ભગવાન,  ક્યાં આપે જ છે ?  તો એ મને કહે,  ભગવાન કોઈને આપતા પણ નથી અને કશું કોઈનું લઇ પણ નથી લેતા !!  આ એમની પાસેથી પહેલું મળેલું માર્ગદર્શન સિદ્ધાંત. મેં કીધું,  તો ભગવાન શું કરે છે. તો મને કહે છે કે,  બસ જોયા કરે અને હાથ આમ કરીને કહે કે તથાસ્તુઃ ,, આ વસ્તુએ મને એટલો બધો અંદરથી ઘડ્યો. આ એક જ વાકય તથાસ્તુઃ વાળું અને મને થયા કરે કે,  હું કશું ખોટું તો થાય કે ભગવાન તથાસ્તુઃ કહી દેશે તો ? કંઈક મનમાં વિચાર આવે ખોટો ને ભગવાન તથાસ્તુઃ કહી દેશે તો ? આ માંદા પડ્યા તો હજી તબિયત બગડી જશે એવું નથી વિચારવું હવે જલ્દી સાજા થશે એવું વિચારવું છે. તો મારા વિચારોને વળાંક આ રીતે મળ્યો. આ બાળપણ…

માતા પિતા બંને એડવાન્સ કહેવાય કારણ કે એ લોકોની જે વાતો સાંભળી છે મેં, એ વાતો ઉપરથી મને એમ લાગ્યા કરે છે કે ગામની અંદર એ માત્ર બધાને પ્રેમ કરતા હતા. સૌના કુટુંબીજન હોય એવું લાગ્યા કરે. મારા બાના મૃત્યુ વખતે એના ગામથી બધા એ કહ્યું કે, તમે ક્યારે આવશો મારે ગામ ? તો મને થયા કરતું હતું કે, આ લોકો બધા જે પત્રો લખે છે તો મને લાગતું કે આ બધા પત્રો ઔપચારિકતા ખાતર લખે છે. આટલા બધા લોકો શું કામ પત્રો લખે ? અનુકૂળતાએ લગભગ એકાદ મહિના પછી ગામ ગયો તો મને એવું હતું કે,  લગભગ ૨ – ૩ કલાકમાં બધાને મળીને પતી જશે અને પાછો અમદાવાદ આવતો રહીશ. પણ લોકો આવતા રહ્યા, લોકો મળતા રહ્યા સાંજ સુધી મળતા રહ્યા. સાંજ સુધી મળતા રહ્યા ત્યારે પહેલી વાર બા ના મૃત્યુ ઉપર જે એ વખતે રડેલો તેવો જ રડ્યો કારણ કે મારા મનમાં એમ થતું હતું કે બા સંઘર્ષમાં ઉછરેલી છે એટલે પૈસાની કંજૂસ છે. કોઈક વાર લાગતું હતું કે,  બા બધાની પાસે કાયમ પૈસા માંગી લે છે એટલે જરૂર એને કોઈકને ઘરમાં કુટુંબીજનોને આપવા હશે. પણ એની કંઈ  ખબર નહોતી પડતી. હું એમ કહું ને કે બા મારો પગાર વધ્યો તો કહે,  એમ,  કેટલો વધ્યો ? તો હું કહું,  બા ૫૦૦ રૂપિયા વધ્યો. તો એ કહે કે,  એ ૫૦૦ રૂપિયા મને આપજે. કોઈક વાર ઓચિંતું એમ કહે કે,  બેટા એક કામ કરને તાંબાના બે ઘડા લઇ આપ ને.. હું કહું કે આપણા ઘરમાં તો કઈ જરૂર નથી તો પણ લાવી આપવા પડ્યા હોય. કોઈક મને મળવા આવ્યું હોય તો એ કહે કે,  મારે સાડીની દુકાન છે તો એને કહે કે આ તમને પૈસા આપું તમે ૫ સાડીઓ લાવી આપજો ને. મને ખબર નહોતી પડતી આ શું છે ? ગામમાં માવજીભાઈ ધનજીભાઈ પ્રજાપતિ એને અમે મામા કહેતા. અને પછી એ ગામ મને  હું ભાણકો કહેતું. મજાની વાત એ હતી કે જે બધા મળવા આવતા ગયા. એમાં કોઈકે કહ્યું કે તમારી બા એ તો અમારી દીકરીનું મોસાળું કર્યું હતું. કોઈ આવીને કહે કે, અમારી દીકરીનું કરિયાવર એમણે કર્યું હતું, કોઈ કહે મારા છોકરાના છોકરાને રમકડાં લાવી આપતા હતા અમદાવાદથી કોઈ કહે કે, ગરમ સ્વેટરો લાવી આપતા હતા. તો મને લાગ્યું કે જે બહુ કંજૂસાઈમાં રહેતી હતી જે કાયમ અમારી પાસેથી પૈસા માંગી જ લેતી હતી, એના પૈસા ખરેખર જાય છે ક્યાં… એમની પાસેથી હું પ્રેમ કરતા શીખ્યો, હું સહજ રહેતા શીખ્યો. સૌનો સ્વીકાર. એટલે હું મજાકમાં પણ કહેતો કે તું સૌનો સ્વીકાર નથી કરતી, માત્ર દુઃખનો સ્વીકાર કરે છે. તારા જીવનમાં સુખ તો ક્યાં આવ્યું ?  એના માટે એક શેર લખ્યો હતો :

કટકે કટકે તું જીવ કાપે છે,

કયો ગજ છે તું કોને માપે છે ?  (ઈશ્વરને માપે છે કે તારી જાતને માપે છે. )”

અસ્મિતા વિશેષ સંવાદ : (45) :: શ્રી બકુલ ધોળકિયા

અસ્મિતા વિશેષ સંવાદ : (45) :: શ્રી બકુલ ધોળકિયા

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ અને સંતુલન, રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે અર્ધ સાડી તારા પ્રયાણ કરી રહેલ યાદગાર સંવાદ શ્રેણીઅસ્મિતા વિશેષ સંવાદના પીસ્તાલીશમાં મણકામાં અમે મળ્યા IIM, Ahmedabad ના વરિષ્ઠ ફેકલ્ટી અને પૂર્વ ડાઈરેક્ટર શ્રી બકુલ ધોળકિયા ને..

પોતાના જીવનના એક એક પાસાને મુક્ત મને અભિવ્યક્ત કરીને બકુલભાઈએ જીવન  કિતાબને ખુલ્લી મૂકી દીધી. પોતાની નબળાઈને પણ એકદમ સહજતાથી સ્વીકારનાર શ્રી બકુલભાઈનું પ્રદાન  મેનેજમેન્ટની દુનિયામાં અગ્રેસર છે. આજે તેઓની નિખાલસતાની આરસી દર્શાવતા નાના પ્રસંગોને અહીં પેશ કરું છું.

“ મારા માતા પિતા એ સમયમાં એમના ઈન્ટર કાસ્ટ મેરેજ કરેલા.  એટલે મારા માતાના પક્ષથી એટલે કે માતાના પિયર તરફથી એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો કારણ કે એ સમયમાં ઈન્ટર કાસ્ટ મેરેજ સ્વીકાર્ય નહોતા. એટલે અમારું ફેમિલી ન્યુક્લિયર ફેમિલી હતું. માતા પિતા અને અમે બે. મારા ફાધરના  અંકલ અને મારા ફાધરના મોટા બહેન  અમારી સાથે રહેતા હતા એટલે એ સેન્સમાં અમારું જોઈન્ટ ફેમિલી કહેવાય,  પણ જે સેન્સમાં લોકો જોઈન્ટ ફેમિલી ગણે છે તે સેન્સમાં નહીં.

હવે મેટ્રિક એટલે એ જમાનામાં બોર્ડ એકઝામ મેટ્રિકની હતી. ૧૧ + ૪, વળી સિસ્ટમ હતી,  ૧૨ + ૨ નહોતું એટલે કે  ૧૦+૨+૩ ની ફોર્મ્યુલા નહોતી. એટલે પહેલા ધોરણથી અગિયારમા ધોરણ સુધી મારું શિક્ષણ ગુજરાતી મીડિયમમાં થયું. એટલે ઘણા લોકોને IIM માં નવાઈ લાગતી હતી કે હું વર્નાક્યુલર  ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, પણ એ વાતની મને સહેજ પણ નવાઈ નહોતી લાગતી. મને વાતનો ગર્વ છે અને હું પોતે એમ માનું છું કે, માતૃભાષામાં શિક્ષણ લેવાથી સમજણ વધારે ઊંડી હોય છે, શિક્ષણ વધારે ગહન બની શકે. એટલે એનું જો કોઈ ઉદાહરણ હોય તો હું પોતે છું. અંગ્રેજી એક ભાષા છે અને અંગ્રેજી ભાષા હું જયારે પહેલ વહેલી વાર આઠમા ધોરણમાં આવ્યો ત્યારે મારા ફાધર મને શીખવી. સ્કૂલમાં નહીં.

સ્કૂલમાં તો આઠમા ધોરણ પછી આવતો અંગ્રેજી વિષય એટલે સાતમું ધોરણ પૂરું થયું ત્યારે એના સમર વેકેશનમાં મેં ઘરે અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો. હવે એ જમાનામાં એમ.એસ.યુનિવર્સીટી ઓફ બરોડા એ એકમાત્ર એવી યુનિવર્સીટી હતી કે જેમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી માધ્યમ હતું અને એ વડોદરામાં હતું. પણ કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતીના આવે એટલા માટે પહેલું વર્ષ કોલેજનું,, એમાં અમને ઓપશન આપવામાં આવતો હતો કે તમારે અંગ્રેજીમાં ભણવું છે કે ગુજરાતીમાં ? પણ બીજા વર્ષથી અંગ્રેજી કમ્પલસરી હતું.

મારો સ્વભાવ પહેલેથી જ જરા તીખો. ગુસ્સો બહુ જલ્દી આવે અને lose tempered અને પછી એના ઉપર કંટ્રોલ ના રહે. બહુ નાનપણથી મારો જયારે જન્મ થયો ત્યારે નર્સ જે પાણી પીવડાવવા આવે એ પીવડાવવા આવી તો મેં લાત મારીને ચમચી ફેંકી દીધેલી એવું મારી મધરે મને કહેલું. એટલે ગળથૂથી થી આ ગુસ્સો મારી સાથે છે. પછી હું જયારે સ્કૂલમાં આવ્યો ત્યારે એમાં સ્લેટો એટલે કે  પાટી પેન આવતી. પહેલા ધોરણની વાત છે. તો મારા ક્લાસમેટ સાથે કૈંક  ધમાલ થઇ, તો પેલાને ગુસ્સો ચડ્યો. એટલે  એણે મારી સાથે મિસબિહેવ કર્યું અને એણે મને માર્યું એટલે મેં ટીચરને જઈને ફરિયાદ કરી. ટીચરે કશું ન કર્યું એટલે પછી રિસેસમાં એ માણસની સ્લેટ મૂકીને એના ઉપર હું કૂદ્યો અને એની સ્લેટ તોડી નાખી. એટલે પછી ફરિયાદ થઇ. ટીચરને ખબર નહીં કે મારા મધર એજ્યુકેશન ઈન્સ્પેકટર હતા અને એણે મારા મધરને બોલાવ્યા. એટલે મારા મધરે સૌથી પહેલાં આખા ક્લાસની વચ્ચે મને લાફો માર્યો અને કહ્યું કે, “ આ તારાથી ના થાય. ગમે તે થાય પણ તારે તારા ગુસ્સા ઉપર કાબુ રાખવો પડે.” પછી ટીચરને કહ્યું કે એણે જયારે તમને ફરિયાદ કરી ત્યારે તમારે જોવું જોઈતું હતું ને કે શું થયું છે. મારાં મધરની આ સ્ટાઇલ મને ગમી. એટલે I am trying to say that my major challenge was to control my anger. ( મારા ગુસ્સા ઉપર મારે કાબુ મેળવવો એ મારી સામેનો મોટો પડકાર હતો.)

 

અસ્મિતા વિશેષ સંવાદ :: (44) :: શ્રી કાર્તિકેય સારાભાઈ

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

વિશ્વભરના ગુજરાતીઓ ગૌરવભેર જેમનું સ્મરણ કરે છે તે શ્રી વિક્રમ સારાભાઈ નું આખું જ કુટુંબ ઈશના આશિષો પ્રાપ્ત કરેલું વિશેષ કુટુંબ છે. શ્રી વિક્રમભાઈની જેમ જ વિજ્ઞાન, પર્યાવરણ, શિક્ષણ માટે સતત કાર્યરત શ્રી કાર્તિકેય સારાભાઈ વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને તેઓની સાથે સુદીર્ઘ સંવાદ થયો, તેના કેટલાક અંશો….

“એક નવું પહેલું કામ જે આવ્યું તે પ્રોટીન ફૂડ એસોસિએશનનું. પ્રોટીન ફૂડ એસોસિએશન લોકો ભાત અને દાળમાંથી  જે પ્રોટીન એબ્સોર્બ થાય છે એના માટે તેઓ પહેલા ભાતનું પ્રોટીન શોધે પછી દાળનું અને પછી સરવાળો કરે અને એ સરવાળો બીટ અને દૂધ કરતા ઘણો ઓછો આવે છે એવું પુરવાર કરે. પછી એવું સૂઝ્યું કે આ બેયને સાથે રાંધીએ તો શું થાય, સાથે ખાઓ તો શું થાય ? તો સાથે કરીને જોયું તો ભાતને લીધે જે દાળનું પ્રોટીન વધારે એબ્સોર્બ થવા માંડ્યું. કન્કલુઝન એવું હતું સાયન્ટિફિક રિસર્ચનું કે ભાત અને દાળ સાથે ખાવા જે આપણે કદાચ ૫૦૦૦ વર્ષથી કરતા આવીએ છીએ પણ એનું કારણ ખબર ન હતી , તેથી એ રીતે કરતા હોઈશું. એટલે કે ત્રણ ઈડલી સાંભાર અને ચટણી સાથે જેટલું પ્રોટીન આપે છે એ બે ગ્લાસ દૂધ જેટલું હોય છે.  આ વસ્તુની  આપણે બધાને જાણ કરવાની છે. એ બહુ રસપ્રદ પ્રોજેક્ટ હતો. 

Organisation  માં ને બિઝનેશમાં મારું કામ ત્યાં શરૂ થયું કમ્યુનિકેશનનું. એ સમય હું મુંબઈ હતો પછી તો અહીં આવ્યો અમદાવાદ. નહેરુ ફાઉન્ડેશનની નીચે એક જ સંસ્થા હતી કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને એમાં પણ મુશ્કેલી કે ગ્રાન્ટ હતી નહીં બીજા વર્ષમાં હવે આગળ કેવી રીતે લઇ જવું ? એ પ્રશ્ન હતો. મને યાદ છે કે  દિલ્હી સાથે જે ગ્રાન્ટ ની શરૂઆત થઇ, એ કમ્યુનિટી સાયન્સ સેન્ટર માટેની ગ્રાન્ટ લાવવી હતી એ આપણે લાવી શક્યા એ વખતે. એટલે બીજા બે વર્ષ સુધી તો સંસ્થા ચાલશે એટલે એ મારું જે નહેરુ ફાઉન્ડેશન સાથે જે જોડાણ શરૂ થયું એ આનાથી થયું. સાયન્સ સેન્ટરનું થોડા વર્ષ પછી લગભગ ૭૭ સુધીમાં સેટલ થયું.. મને થયું કે થલતેજ ટેકરા ઉપર વૃક્ષો વાવવાનું આપણે શરૂ કરીએ. અને એ વખતે અમ્માએ પણ થોડું શરૂ કરેલું. પરંતુ  કશું પણ વાવીએ તો રહે નહીં,  કારણ કે આજુબાજુમાં બધા માલધારીઓ હતા (એ વખતે થલતેજ બહુ દૂર ગણાતું હતું આજે શહેરની વચ્ચે આવી ગયું. એટલે)  પણ થલતેજ ટેકરા ઉપર પછી નક્કી કર્યું કે કામ શરૂ કરવું અને વિક્રમભાઈના વિચાર છે એને કઈ રીતે આગળ લાવવા. એમાં એક આ પહેલો પ્રશ્ન વૃક્ષો ઉગાડવાનો હતો. એટલે ચોકીદારો રાખ્યા પણ કશું વળ્યું નહીં. મને  લાગ્યું કે એ લોકોની સાથે વાત કેમ ન કરવી. એટલે આજુબાજુના બધા માલધારીઓ હતા એને આપણે બોલાવ્યા. અમે કીધું કે, જો અમે અહીંયા એક સંસ્થા ઉભી કરવા પ્રયત્ન કરીએ છીએ. અહીંયા વૃક્ષો અમારે વાવવા છે પણ તમારા ઢોર આવે છે તો કંઈ બચતું નથી અને અમારા જમાદાર એમ કહે કે,  તમે આવીને પાણીની ચોરી કરી જાઓ છો. મેં કીધું આપણે પડોશી છીએ એટલે  ચોરીની વાત  હોય નહીં. એટલે તમે મુખ્ય બારણેથી આવો, સવારે અને સાંજે જેટલું પાણી લેવું હોય એ ભરીને લઇ જાઓ. તમારા બાળકોને ચણી બોર ભાવતા હોય અને બોર ખાવા હોય તો એ ખાઓ અને ઘાસ ઉગ્યું હોય તો આવીને કાપીને લઇ જાઓ,  પણ ઢોર અંદર ન આવે. ..એ લોકો આમ થોડા દૂર જઈને વાત કરી આવ્યા. પછી આવીને કહે કે, તમારી આ શરત અમને મંજુર છે. બીજે દિવસેથી એકેય ઢોર આવે નહીં આપણે ત્યાં… આવી પરિસ્થિતિ આટલી વાતચીતથી જ સર્જી શકાઈ.  

એક બે મહિના પછી આવ્યા તો બધા સવારે બહાર લાઈન થઇને ઉભા હતા, મેં કીધું શું થયું ? મેં તો ગાડી ઉભી રાખી. મને કહે છે કે એવું છે કે,  આપણે ત્યાં કચ્છથી કોઈ માલધારી આવ્યા છે,  એને આપણી વાતની ખબર નહીં,  આપણી line of control ની ખબર નહીં એટલે એના ઢોર પાછળથી આવીને પેસી ગયેલા નુકસાન પણ તમારે થયું છે પણ અમારે એટલું જ કહેવું છે,  આ અમારો ભંગ નથી,  આ ભૂલ થઇ ગઈ છે અને કાલથી નહીં થાય એટલે એક અમારા કુટુંબને ત્યાં પણ રાખ્યું છે. અને શરૂ થયું બીજે દિવસથી  …અને આજે તમે જોશો તો એક નાનું ઉપવન જેવું છે. આપણી પાસે ૧૧૦ કે ૧૧૫ જેટલા જુદા જુદા વૃક્ષો છે  અને આજે કોઈ આવીને જુએ તો કહે કે,  આટલું સરસ પર્યાવરણ. પણ એક વૃક્ષ હતું અને આ જે વાતચીત થઇ એના શબ્દોએ  સોશિયલ ફેન્સીંગ એટલે લોકોની વાડ બાંધી. લોકોની સમજથી વાડ બાંધી. પણ આ જે બધા કોન્સેપટ અમારા કામમાં આવેલા એ બધા થયા છે આવા બનાવોથી. એ વખતે કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં મેં કામ ચાલુ રાખેલું અને એ કામમાં રજોડા કરીને ગામ છે બોડકા પાસે તો દર ગુરુવારે અમે જઈએ,  હું ને જયશ્રીબહેન. ત્યાં ત્રીજા અને ચોથા ધોરણમાં ગણિત અને વિજ્ઞાન શીખવાડીએ. ચોક લઈને શીખવાડવાનું.

મેં એક દાખલો આપ્યો ૨૫ ગુણ્યા ૫,  તો ઘણા ખરા વિદ્યાર્થીઓના જવાબ ખોટા પડ્યા જવાબ.  પહેલો જવાબ હતો ૩૦. એટલે ગુણાકાર અને સરવાળો વચ્ચે નો ભેદ સમજાયો નહીં, ગુણાકારનો સરવાળો થઇ ગયો. બીજો  હતો  ૪૫..એને  વદી લેતા આવડ્યું પણ ગુણાકાર ન કર્યો. ત્રીજો જવાબ હતો  અને ચોથો  હતો ૧૨૫. હવે શિક્ષક બહેન એ વખતે બધાને ઉભા કરે. ગણિતમાં ભૂલ થાય ને એટલે બધાની પાસે ફરી વાર આ બોલાવડાવે એક પણ વિદ્યાર્થીએ આંકની ભૂલ નથી કરી એ પ્રોસેસ સમજતા નહોતા પણ આંકની ભૂલ નથી કરી. પણ એ શિક્ષકને સમજણ જ ના પડી કે, આ બાળકો મૂળ ગણિતમાં જ ભૂલ કરે છે અને હું આ બધું કરાવડાવું છું ફરીથી,  તો પણ આ કેમ ભૂલ કરે છે.  હવે મેં પછી સમજાવ્યું કે ભાઈ ત્રીસ વાળા અહીંયા જાઓ,  બધા ૪૫ વાળા આ બાજુ જાઓ, ૧૦૫ વાળા પેલી બાજુ અને ૧૨૫ વાળા બીજી તરફ. ૧૨૫ જવાબ આપનાર બાળકોમાંથી એક એકને બાકીના ત્રણ જૂથમાં મોકલી કહ્યું કે હવે તમે તમારા જૂથમાં જે છે તેને શીખવો. પેલા બેન કહે કે,  આ તો ગજબનું થઇ ગયું ક્લાસમાં બાળક બાળક પાસે શીખવવાનું કરો છો અને અને બધાને individual attention  મળે છે હું તો એવું ઈચ્છું છું કે શિક્ષણમાં જે ફેરફાર કરવાના છે તે આ જ પ્રકારના કરવાના છે.  જયારે એ બાળકોને સમજણ પડી ગઈ કે શું કરવાનું છે તો બધાના  જવાબ સાચા. પછી એ સૌને એવા જ બીજા દાખલા આપ્યા  તો બધા સાચા પડયા. કારણ કે એ લોકોની  ભૂલ આંકની તો નહોતી પણ સમજની હતી.  એટલે શિક્ષિકાબેનને તો  સ્કૂલ સાથે જાદુ કરી ગયા હોય એવું લાગે ને  કહે તમે આવીને આટલું શીખવાડી ગયા જે વસ્તુ હું ફરી ફરીને શીખવાડતી એ આવડે નહીં,  પણ તમે શીખવ્યું એ આવડી ગયું એટલે એ વખતે વિશ્વાસ પડ્યો.   

બાળક કે કોઈ પણ વ્યક્તિ કઈ પણ કરતી હોય ને તો સૌથી પહેલા એ ભૂલ છે એવું ના સમજે. એની વિચાર કરવાની શ્રેણી જુદી છે. એ વિચાર જુદી રીતે કરે છે પણ ભૂલ નથી હોતી. એક વાર અમારે ઘરે એક નાની  પૂજા છે,  તો એક મંજુબેન કરીને હતા એ ફૂલ ગોઠવે.  બહુ સરસ રીતે શણગાર થાય અને હું દીવો કરું. એ મંજુબેન આવ્યા નહોતા એટલે અમારે રામકુમારી ઉત્તરપ્રદેશના બેન છે એટલે એમણે ગોઠવ્યા બધા ફૂલ ઉત્તર દિશામાં એટલે મંજુબેન આવીને કહે કે,  જોયું આ લોકોમાં  અક્કલ જ નથી,  કશી ખબર જ નથી.. કેવી રીતે ફૂલ ગોઠવવા એ પણ નથી ખબર. મને  પેલો મારો રજોડાનો ખ્યાલ ખરોને એટલે  મને થયું કે  અક્કલ નથી એવું બોલાય નહીં. એટલે મંજુબેન માટે ફૂલ એ શણગાર છે. શણગાર હોય એટલે આપણા તરફથી આવે છે. આ રામકુમારી માટે એક અર્પણ છે ફૂલ એટલે એ પેલી બાજુ જુએ છે. એટલે એ ભૂલ નથી પણ એ બંનેનો ભાવ જુદો હતો. આમાં ફૂલ મુકવાનો ભાવ જુદો હતો !!  અને આ બે નાના ઉદાહરણ આપ્યા પણ એ હું છેક climate change ના discussion માં આ વસ્તુ વાપરૂં છું.”

અસ્મિતા વિશેષ સંવાદ (43) :: પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ

અસ્મિતા વિશેષ સંવાદ (43) :: પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

એક વિશેષ અનુભવ સાથે જૂનાગઢની ગિરી કંદરાઓની વચ્ચે પારસધામ ખાતે ચાતુર્માસ ગાળી રહેલ પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબનો અનુકૂળ સમય લઈને હું અસ્મિતા વિશેષ સંવાદ માટે પહોંચ્યો અને એક શીતળ ઝરણાની જેમ મહારાજ સાહેબની વાણીથી શાંતિ અનુભવી. તેઓશ્રીએ પૂર્ણ નિખાલસતાથી પોતાના પૂર્વાશ્રમની જીવન યાત્રા વર્ણવી. તેમાંથી થોડો ભાગ માણીએ  : 

“અમે બહુ નાની ઉંમરમાં એટલે કે ૧૩ – ૧૪  વર્ષની ઉંમરમાં લાઠીની અંદરમાં એક જનતા તાવડો કરીને એક દુકાન ખોલેલી. કેમ ? તો એ સમયે ફરસાણના ભાવ એટલા બધા વધી ગયેલા હતા કે સામાન્ય વ્યક્તિને જેની શાક લેવાની કેપેસીટી ન હોય એ, ખાલી સેવ નાખીને પોતાનું નાનકડું શાક બનાવીને જીવતા હોય એને  એ પણ મળી ન શકે એટલી પરિસ્થિતિ ખરાબ હતી અને એ સમયે અમે પોતાના હાથેથી બનાવી બનાવી અને હજારો ગરીબોને વેંચતા. લાઇનોની લાઈનો લાગતી. અને અડધી કિંમત કરતા પણ અડધી કિંમતમાં એ સમયે આપતા હતા. ૧૩ – ૧૪ વર્ષની ઉંમરમાં, કેમ કે મૂળભૂતતામાં અમારો નેચર જ એ હતો કે પોતના દુઃખ કરતા બીજાના દુખે દુઃખી થાઓ. હું જયારે કલ્પના કરું ને ત્યારે સમજાય કે પોતાના દુઃખ કરતા બીજાના દુખે દુઃખી થવું એ કોઈ સ્કૂલના પાઠથી શીખાતું નથી એ તો આપણા અંતરમાં જનમ જનમના પાઠ  ભણાવાયેલા હોય છે અને તો જ એ આપણને સમજાતું હોય અને તો જ એ આપણને realize  થતું હોય અને તો જ આપણને કોઈના દુઃખ વખતે… મને યાદ છે કે  જયારે સાતમું પાસ કર્યું લાઠીમાં,  ત્યાર પછી હું આઠમા ધોરણમાં સ્ટડી કરવા માટે મારે અમરેલી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં જવાનું હતું. અને કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં પ્રવેશ  લેતી વખતે આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે જેમાંથી આવવાનો, જવાનો અને ભણવાનો આ ત્રણે ત્રણ ખર્ચ હું કાઢી શકું. મેં જયારે ઘરમાં આ વાત મૂકી કે કોઈ વાતની ના નથી પણ કોઈ વાતની હા કહેવા માટેની ક્ષમતા નહોતી. મને યાદ છે કે મેં અમરેલી પાંચ દસ પચીસ લોકોને વાત કરી કે મારે ભણવું પણ છે, પણ સાથે ક્યાંક મારી આ તેર વર્ષની ઉંમરમાં, કારણકે 8th  std  માં કોઈ બાળક ભણતું હોય એની ઉંમર તેર વર્ષની હોય તો, મારા તેર વર્ષની ઉંમરમાં જોબ જોઈએ છે.  મને આજે પણ યાદ છે કે અમરેલીની અંદર ટાવર રોડ પર એક સુવાસ બુકસ્ટોર કરીને એક બુકસ્ટોર જે આજે પણ છે એ બુકસ્ટોરમાં હું જોબ કરતો. સવારે સાડા  ચાર વાગે ઉઠું, સદા પાંચે રેડી થઈને છ વાગે લાઠીના બસ સ્ટોપ સુધી પહોંચી જાઉં. તેર વર્ષની ઉંમરે પાછળ દફ્તર હોય, હાલ્ફ કે ફૂલ પેન્ટ પહેરેલું હોય, mostly તો હાલ્ફ પેન્ટ જ પહેરેલું હોય અને બસમાં ચડવાનું અને જે અડધો કલાકનો ટાઈમ હોય ત્યારે પાછી બાકીની ઊંઘ પુરી કરી લેવાની  અને  બસ સ્ટોપ આવે એટલે ઉતરીને સીધો જયારે હું સુવાસ બુકસ્ટોર પર પહોંચું ત્યારે હજી તો સવારના માત્ર સાડા સાત જ વાગ્યા હોય.  દુકાનો બધી બંધ હોય, મારે જવાનું અંદર, ઉપર શેઠ પાસે જવાનું, ચાવી લેવાની, લોક ખોલવાના, લોક ખોલી અને જેટલા દરવાજા હોય ફૂલ સાઈઝના એને ઉપાડવાના ઉપાડીને અંદર મૂકી દેવાના એટલે આખી દુકાન ઓપન થઇ જાય,. બધા કાઉન્ટર બહાર કાઢવાના. ઝાડું મારવાનું, પોતું મારવાનું, બધા કાઉન્ટર ચમકાવવાના, બધી વસ્તુ લટકાવવાની ને બધું પ્રદર્શન કરવાનું, ત્યાં સુધીમાં એ અડધી કલાકમાં મારા સ્કૂલનો ટાઈમ થઇ જાય. ત્યાંથી ભાગી અને રાઈટ પોણા બે કિમી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ પહોંચવાનું,  ત્યાં દુકાને શેઠ આવી ગયા હોય એને દુકાન સોંપવાની અને નીકળી જવાનું. બાર વાગ્યા સુધી સ્ટડી કરી અને સાડા બાર વાગ્યે જેવો ક્લાસ પૂરો થાય એટલે ત્યાંથી ભાગતા. એક વાગે જોબ ચાલુ થઇ જતી હતી. એક વાગેએ પહેલા પહોંચી જવાનું. અને જે પાંચ સાત મિનિટનો સમય ભાગતા ભાગતા વધે ત્યાં  પહોંચી એ સમયમાં દફ્તરમાં નાનકડો લંચ બોક્સમાં ત્રણ ચાર થેપલા હોય,  એ થેપલા ફટાફટ ખાઈ લેવાના કેમ કે એક વાગે એટલે જોબ સ્ટાર્ટ થઇ જાય. એક ને પાંચ થાય તો પ્રોબ્લેમ થઇ જાય. 

થેપલાંની સાથે છુન્દો હોય તો હોય, ક્યારેક શેઠને એમ થાય કહે કે, જા  ઉપરથી દહીં લઇ આવ. દહીં લઇ આવું  ને થેપલા સાથે ખાવા મળે. હું સુવાસ બુકસ્ટોર વાળનો ઉપકાર એમ માનીશ કે એણે મને સેલ્સમેનશિપ કરતા શીખવાડી. કોઈ પણ વસ્તુની રજુઆત કેમ કરાવી, એ વસ્તુને કેવી રીતે સામે વાળાના હાર્ટ સુધી પહોંચાડવી.  હું એ તેર વર્ષની ઉંમરે (લગભગ આઠ નવ મહિના જોબ કરી હશે પણ) હું શીખી ગયો. એમણે મને બહુ સરસ રીતે શીખવાડ્યું. જીવનના આવા કેટલાય પ્રસંગોને મારા માટે કેવળ પ્રસંગ નથી, પણ જીવનની પાઠશાળા છે. 

હું રોજ જયારે સુવાસ બુકસ્ટોરમાં શેઠનો બપોરનો આવવાનો ટાઈમ ત્રણ વાગ્યાનો અને ત્રણ વાગે એટલે મારે એમની માટે દુકાને ચા લઈ આવવાની. એટલે ચાની લારી હતી ત્યાં હું જાઉં,  ઉભો રહું, એ ચાનો કપ આપે એ હું લઈને ઢોળાઈ ન જાય એનું ધ્યાન રાખીને ભીડની વચ્ચેથી આવીને હું શેઠને ચા પીવડાવું. મન તો મને પણ બહુ થાય પણ… હું જયારે પાછો કપ આપવા માટે જાઉં ત્યાં જ બરોબર એક લોટરી વાળાની દુકાન પર લોટરી વેચાતી હતી. એ સમયે ગુજરાત સરકારની ગુર્જર લક્ષ્મી લોટરી ચાલતી એ સમયે અને બન્યું એવું કે હું લોટરીની દુકાન ઉપર લોટરીની ટિકિટને ચેક કરું અને પછી એક દિવસ લોટરી લેવા માટે જે ઉભેલા હતા એ ભાઈઓને કીધું,  આ નંબરની લોટરી લઈ લે તને લોટરી લાગી જશે. પણ હું તને ટિપ્સ આપું તો તારે મને દસ રૂપિયા આપવાના કારણ કે એ સમયે પગાર હતો સુવાસ બુકસ્ટોરના કામનો માત્ર  ૭૫ રૂપિયા !!. એ ભાઈને કીધું તારે દસ રૂપિયા મને દેવાના.  તને ઓછામાં ઓછું પાંચ હજાર રૂપિયા તો ઇનામ લાગશે જ.. અને બરોબર તે દિવસ થાય ને મને ક્યારે શેઠ ચા લેવા જવાનું કહે એની રાહ જોતો હોઉં. એ જેવું મને ચા લેવાનું કહે એટલે હું ઉભો રહી જાઉં, પેલા ભાઈની રાહ જોઉં. મેં એને કહી રાખ્યું હતું કે મને આ જ સમયે આવવા મળશે, બાકી નહીં મળે. પછી તો એને  પણ ખબર પડી ગઈ કે આ જ ટાઈમે આ છોકરો આવે છે. જેવી એની લોટરી લાગી ગઈ કે તરત કહે, લે, તારા દસ રૂપિયા. હું કહેતો કે, તમને એટલા બધા મળ્યા તો દસ વધારે આપોને. તો કહે : નહીં. બીજો નંબર કહે  તો આપીશ. એટલે હું પાછો બે ત્રણ દિવસ ચેક કરું એટલે એમાં કઈ હોય નહીં એટલે પેલો વ્યક્તિ ગુસ્સે થાય, પણ હું કહું કે એમાં કોઈ લાગવવાળો નંબર જ નથી. એ બહુ ગુસ્સે થાય,  નહીં તારે આજે કહેવાનું જ છે. આમ કે તેમ કે.. મેં કીધું મારે દુકાન જવાનું મોડું થાય છે. મોડું થાય તો  શેઠ મારશે,  કેમ કે શેઠની પડતી હતી  જો જરાક પણ મોડું થાય તો.  જરાક પણ ભૂલ થાય એટલે ફટાક.. જોરદાર પડતી. એટલે રોતા રોતા અંદર જઈને ફરી પાછો કામમાં લાગી જતો.  મને ખબર હતી કે જો જોબ નહીં હોય તો સ્ટડી નહીં થાય. .. મારા  જીવનના આવા કેટલાય પ્રસંગો મારા માટે કેવળ પ્રસંગ નથી, પણ જીવનની પાઠશાળા છે. 

અસ્મિતા વિશેષ સંવાદ : (42) શ્રી ચિંતન પરીખ

અસ્મિતા વિશેષ સંવાદ : (42) શ્રી ચિંતન પરીખ     

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

આપણાં મેનેજમેન્ટ ક્ષેત્રમાં મલ્ટીટાસ્કીંગ શબ્દ તો થોડા વર્ષો પહેલાં આવ્યો, પણ શ્રી ચિંતન પરીખ જીવનના પ્રત્યેક તબ્બકે મલ્ટીટાસ્કર રહ્યા છે. તેઓએ વર્ષો પહેલા તેમાં માસ્ટરી મેળવી લીધી અને ફલત: તેઓશ્રી સ્ટુડીઓમાં આમંત્રિત હતા. ક્યુ ક્ષેત્ર એવું છે કે તેની ચિંતનભાઈ ખેડી ચુક્યા  હોય !! ચાલો, તેમને માણીએ

“મને વાંચનનો એવો ચસ્કો લાગ્યો અને  ફાયદો એ થયો કે (જે અત્યારે પોતાને પણ થોડું સરપ્રાઈઝિંગ લાગે છે ) પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ આ બધા પુસ્તકો મેં છઠ્ઠા ધોરણમાં વાંચી લીધેલા. કારણ કે બીજું કંઈ કામ નહીં એટલે હું બેસીને વાંચ્યા જ કરું વાંચ્યા જ કરું અને મારા ઘરમાં એક ખૂણો હતો. ઘરમાં બધાને ખબર હોય કે ચિંતન ક્યાં છે ? જમવાનો સમય થયો છે,  એવું કહે ત્યારે મારી મમ્મીને એ ખૂણામાંથી હું મળું. મારા પપ્પા મમ્મીએ મને કહેવું પડે કે,  ભાઈ તારે આટલું બધું ભણવાની જરૂર નથી,  તું આખો દિવસ કંઈક ને કંઈક કર્યા ન કર. એના ભાગરૂપે ૯ વર્ષની ઉંમરનો હતો ત્યારે મને સરદાર પટેલ સ્ટેડિયમની બાજુમાં ગુજરાત સ્ટેટ એસોસિયેશન દ્વારા  ટેનિશ કોર્ષ થયેલ એ ટેનિશ કોર્ષમાં મને મુક્યો અને મને કહ્યું કે,  રોજ સાંજે પાંચ વાગે થોડું રિલેક્સ થવા પણ તારે રમવું. એ ૯ વર્ષની ઉંમરે જે ટેનિશનું રેકેટ પકડ્યું એ હજુ આજ દિવસ સુધી છૂટ્યું નથી. ખુબ ટેનિશ રમ્યા. વેકેશનમાં તો સાડા ત્રણ વાગે પહોંચી જઈએ. ને વખતે શું ગાયના છાણના કોર્ટ્સ હતા, સિન્થેટિક કોર્ટ્સ તો હતા નહીં. મોંઘામાં મોંઘા ટેનિશ બોલ  ૮ રૂપિયાના આવે અને અમે સાડા ત્રણ રૂપિયા મહિને ભરીએ એટલે અમને ત્યાંથી ટેનિશ બોલ મળે અને અમારે રમવાનું. સાડા ત્રણ વાગ્યે તો કોર્ટ ઉપર ચાલે તો બુટની અંદરથી પગના તળિયે દઝાય. પણ એ એક ચસ્કો હતો જે  ચાલુ રહ્યો,  પછી તો  જુનિયર ચેમ્પિયનશિપ, સ્ટેટ લેવલ ચેમ્પિય થયો. ગુજરાત યુનિવર્સીટીને ચારેય વર્ષ મેં કેપ્ટન  તરીકે રિપ્રેઝન્ટ કર્યું. …આજે પણ ૩૬૫ દિવસ હું  ટેનિશ રમ્યા કરું.

મારા જીવનમાં નિરંજન ભગત સાહેબ બહુ આત્મીય સ્થાન જમાવ્યું.ભગત સાહેબને હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો ત્યારે થોડી ઘણી વાર મળ્યો હતો. મને થયું કે સાહેબ,  તમે બધી વાતો કરો છો,  મારે લંબાણથી સાંભળવું છે તો મને કહે તમે  ઘરે આવો.  મેં કહ્યું ચોક્કસ. પછી બે ત્રણ વાર ઘરે મળ્યા પછી એમને બહુ ફાવી ગયું.. પછી લગભગ ૧૯૮૩ થી એમણે કહ્યું કે હવે મારા માટે શુક્રવાર એ શુક્રવાર નથી એ ‘ચિંતનવાર’ છે, એટલે દર શુક્રવારે અમે નક્કી કર્યું કે સાડા સાત આઠની વચ્ચે મારી ગાડી એમને જલદર્શન ફ્લેટ પર લેવા જાય અને ભગત સાહેબ આવે.  એ વખતે અમારા ઘરનું વાતાવરણ અમે એવું રાખેલું અમે કોઈને નિમંત્રતા નહોતા પણ it was like open house બધાને ખબર કે શુક્રવારે સાહેબ ચિંતનભાઈને ત્યાં હશે અને બેઠક જામી હશે. અને સાહેબનું કેવું કે, ભગત  સાહેબ આવે પછી ખબર પડે કે એમની સાથે કોણ આવ્યું છે તો કોઈ દિવસ બોદલેર આવ્યા હોય, કોઈ દિવસ સાફો આવ્યા હોય અને કોઈ દિવસ મીરા સાહેબની વાણીમાં બેસીને આવે.  મીરા આવ્યા હોય એ પછી જે બોલે તો તમારે ૧૨ વાગ્યા સુધીની તૈયારી રાખવાની. પછી જેમ જેમ આત્મીયતા વધતી ગઈ પછી તો સાહિત્ય ઉપરાંત જાત જાતની વાતો ચાલે. એજ્યુકેશનની વાત નીકળે. કંઈક પોલિટિક્સની વાત નીકળે. કંઈક જુદો બનાવ બન્યો હોય કોન્ટ્રોવર્શિયલ છાપામાં આવ્યું હોય એની વાત નીકળે અને અમારે ત્યાં જે બે ચાર નિયમિત આવતા હોય મિત્રો સાહેબને પણ એમની સાથે બહુ ફાવતું હોય. અને જોરદાર દલીલો થાય અને સાહેબ તો ગુસ્સે થઇ જાય છેલ્લે હસી રમીને છુટા પડવાનું પણ એ અદભુત સમય હતો અને દર શુક્રવારે બધા રાહ જોતા હોય કે હવે સાહેબ આવશે અને પછી શું ટોપિક નીકળે છે જોઈએ.

અમારા બાળકોને પણ મજા આવે.  સાહેબ પેરિસ ગયેલા મહિનો ફરેલા બધે. પછી મેં કહ્યું કે,  સાહેબ અમારે જવું છે તો અમને જરા ગાઈડ કરો,  શેફાલી કહે :  સાહેબ ચાલો તમે જ ચાલો ને અમારી સાથે.. તો સાહેબ કહે,  ચાલો ચોક્કસ આવી જાઉં. એટલે સાહેબ અમારી સાથે ફોરેન પણ આવે અને ફરે અને આખું પેરિસ પગે ચાલતા ખૂંદી વળીએ. અને સાહેબના આંગળીના વેઢે  હોય કે અહીંયા આગળ તો જો પિકાસોનું પ્રાઇવેટ કલેક્શન મ્યુઝિયમ છે,  અહીંયા આગળ રેસ્ટ્રોરેન્ટ છે ત્યાં આગળ ફલાણા ફલાણા ચિત્રકારો ભેગા થતા હતા,  ત્યાં આવા બનાવો બનેલા.. વિદેશમાં ફર્યા, અહીંયા રહ્યા અને જાતજાતના સાહિત્યના સાહેબના અવલોકનો, સાહેબની અન્ડરસ્ટેન્ડિંગ મને લાગે છે કે મીરા વિશેના ભારતના સૌથી મોટા સ્કોલર નિરંજન ભગત હતા. અને નરસિંહ મહેતાનું પણ એટલું જ એમનું અન્ડરસ્ટેન્ડિંગ એટલે એ એમનો વ્યાપ હતો કે મીરા અને નરસિંહ મહેતાથી શરૂ કરી અને સુન્દરમ, ઉમાશંકરથી રાજેન્દ્રશાહ સુધી અને પેલી બાજુ બોદલર સુધી, કાફ્કાથી માંડીને સાફો સુધી એ આખી એની રેન્જ હતી.

છેલ્લા થોડા વર્ષોમાં સાહેબને મેં એક ચસ્કો લગાડેલો. મને  ચલચિત્રોનો બહુ શોખ પણ ચલચિત્રોનો શોખ એટલે વર્લ્ડના જે મોસ્ટ રિનાઉન્ડ ડાયરેકટર્સ હોય એના ચલચિત્રો લાવવા જ પડે.  મારે અને એની રેન્જ ૧૯૨૬ થી શરૂ કરીને ૨૦૨૩ સુધીની હોય એટલે એ વખતે જે હોય એ એમ,, કન્ટેમ્પરરી પણ હોય. એટલે કોરોસોવાથી  શરૂ કરીને અત્યારે મોર્ડન માઈકલ હેનીકે સુધીના એવોર્ડ વિનિંગ લગભગ ૨૪ – ૨૫ ભાષાના ચલચિત્રો હું ભેગો કરતો ગયો અને અત્યારે એ આંકડો લગભગ ૪૦૦૦ એ પહોંચ્યો છે. મારું પ્રાઇવેટ કલેક્શન અને દરેક ચલચિત્ર ઈંગ્લીશ હોય તો પણ નીચે સબટાઈટ્લ હોય. અને સાહેબને મજા આવે. મેં કહ્યું સાહેબ આપણે અઠવાડિયે એક પિક્ચર જોવું. એટલે હું અને સાહેબ ત્યાં આવીએ. બધા ભેગા થઈને એક સિલેક્ટ કર્યું હોય કે સાહેબ આજે આ સરસ છે અને સાહેબ આજે આ સ્વીડિશ મુવી છે, આજે જાપાનીશ મુવી છે, સ્પેનિશ મુવી, ફ્રેન્ચ છે.. એટલે સાહેબની યાદમાં અમે, નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું. જેમાં એક આઈડિયા એવો આવ્યો કે અમે એક ‘નિરંજન કાફે’ શરૂ કરીએ, બધા ભેગા થયા હોય. અને બીજી પ્રવૃત્તિમાં  આ ચલચિત્રોનું આપણે ચાલુ રાખવું જોઈએ. એટલે અત્યારે અમદાવાદ યુનિવર્સીટીના ઓડિટોરિયમમાં અમે દર બીજા અને ચોથા શુક્રવારે આ ચિત્રો અમે બતાવી છે. આ ચલચિત્રોના  બહુ જ રસિકો છે એમને ખબર જ  હોય કારણ વર્ષનું કેલેન્ડર બની જાય અને  દર વખતે એક નવું ચલચિત્ર હોય.”

અસ્મિતા વિશેષ સંવાદ : (41) ડૉ.તેજસ પટેલ

અસ્મિતા વિશેષ સંવાદ : (41) ડૉ.તેજસ પટેલ

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

જેઓ વિશ્વવિખ્યાત હાર્ટ સર્જન છે અને જેમને બાપા શ્રી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર અર્ધી કલાકમાં હૃદયની અઘરામાં અઘરી સર્જરી એનેસ્થેસિયા આપ્યા વગર તેઓની 88 વર્ષની ઉંમરે સહજતાથી કરી તેવા પદ્મશ્રી ડો. તેજસ પટેલ સાથેઓ સંવાદ સ્મરણીય રહ્યો. આવો તેની ઝલક મેળવીએ

“મારા ફાધર ફિઝીશ્યન હતા અને હું પાંચ વર્ષનો હતો ત્યારે મારા મધરનું અકાળે અવસાન થયું, મૃત્યુ થયું ત્યારે હું પાંચ વર્ષનો ને મારી નાની બહેન છ મહિનાની હતી.  મારા ફાધરે ફૂલ ફોક્સ અમારા એજ્યુકેશનમાં આપ્યું. પર્ટીક્યુલરલી મારા એજ્યુકેશનમાં આપ્યું. અને એટલા માટે થઈને એમણે ફરી વખત મેરેજ પણ ના કર્યા ને હું મોસાળમાં મોટો થયો,  મારા નાના નાની અને મામા મામી સાથે. પણ મારું ભણવાનું અને માનસિક રીતે આખું ઘડતર એને મજબૂત બનાવવાનું કામ  મારા ફાધરે કર્યું. MD medicine તરીકે પ્રેક્ટિસ કરતાં હતા અને હું પ્રેક્ટિસમાં ૯૭માં  આવ્યો તે દિવસથી તો બિલકુલ છોડી દીધું,  કારણ કે આધ્યત્મિકતા  તરફ તો ક્યારના વળી ગયેલા હતા. એટલે જે મારો બેઝ મારા ફાધરે બાંધ્યો. કયો. બહુ જ મહેનત કરાવતા હતા અને ઘણી વખત પ્રેશર  લાગે આપણને એ લેવલે,  પણ એ વખતે એમનું એક જ કહેવું હતું કે,  ભાઈ તમે એક જ વસ્તુમાં ચેમ્પિયન થઇ શકો. એક ઉદાહરણ આપું કે નાનપણમાં અમે  ફ્લેટમાં રહેતા હતા મોસાળમાં,  તો મિત્રો સાથે ક્રિકેટ રમતો  હોઉં ને ભૂલમાં આવે ને જુએ, તો બોલાવીને મને ખખડાવતા હતા. મને કહે કે ક્રિકેટ કેમ રમો છો ? ભણો. .. ઈન્ડિયાની ક્રિકેટ ટીમમાં ખાલી ૧૧ જ પ્લેયરો છે. એટલે તું ગેરી સોબર્સ કે સુનિલ ગવાસ્કર કે ડોન બ્રેડમેન થવાનો હોયને તો તું રમ ક્રિકેટ, બાકી આ નહીં ચાલે. આમાં કોઈ સ્કોપ છે નહીં એટલે ભણવા ઉપર ફોકસ કરો અને એવા લેવલે પહોંચો કે,  જેથી તમારે કોઈની પાસે હાથ ફેલાવવાનો ના રહે પણ તમારા કામને લઈને જ દર્દીઓ તમારી પાસે આવે.  ડોક્ટર બનવાનું તો નક્કી જ. અને દસમા ધોરણમાં હું આવ્યો દાસ્મની એક્ઝામ મેં પાસ કરી. એ વખતે ગુજરાતમાં પહેલાં કાર્ડિયોલોજિસ્ટ દિલ્હીથી પાસ થઈને આવ્યા હતા એની એડ આવી હતી તે એ વખતે ભારતમાં ૧૨ – ૧૫ સીટો જ હતી. !!

ભણવામાં સ્કૂલમાં બીજો નંબર આવે તો પણ બીક લાગે કારણ કે એ ધમકાવતા હતા.  અત્યારે પણ મને હસવું આવે છે કે દસમામાં બોર્ડમાં છઠ્ઠો નંબર હતો મારો. એટલે મને તો એમ કે આજે તો બહુ ખુશ થશે તો મને કહે કે આપણો પહેલો કેમ ન આવ્યો,??? ફાઇનલ MBBS માં હું યુનિવર્સીટી ફર્સ્ટ હતો એટલે ૭૨% એટલે જ બહુ જ હાઈ સ્કોર હતો એ જમાનામાં… this is way back  in 1985 ફાઇનલ MBBS એટલે કહે કે આપણા ૭૫% કેમ ન આવ્યા ? so he used to be constantly after being me એટલે એ વખતે મને ખરાબ લાગતું હતું કે કેમ એવું કરે છે?  

જીવનમાં તબીબી પ્રેક્ટિસમાં પણ બહુ પ્રેશર આવે જ. આપને નવાઈ લાગશે મારા ઉપર કેટલું પ્રેશર હશે જયારે પ્રમુખ સ્વામી ઉપર પ્રોસિઝર કરવાની હતી. he was 88 i think અને બહુ જ સિંક થઇ ગયા હતા. પેસમેકર જયારે કરવાનું હતું ત્યારે આખી દુનિયાની નજર હતી. બધા હરિભક્તો અમેરિકા ને એમ જુદા જુદા હતા એ બધા કહે કે અહીંયા લઇ આવો , પણ સ્વામી નું બહુ ચોખ્ખું જ કહેવાનું જ હતું કે,  તેજસ જ કરશે. તેજસ અને ટીમ જ કરશે. બીજું કે એમનામાં એનેસ્થેસિયા પણ અપાઈ એવું હતું નહીં કારણ કે એ ઉંમરે આટલી બધી તકલીફો અને બાયપાસ થઈ  ગયેલું ને ઘણી  બધી માથાકૂટો હતી. એનેસ્થેશિયામાંથી બહાર ન આવે તો શું ? એટલે આ વસ્તુ પણ મેં સ્વામી સાથે ચર્ચા કરી હતી કે,  બહુ જ માથાકૂટ છે આ બધી. હા, એ કહું કે મારા ફાધર બિગ ટાઈમ ડિસાઇપલ અને મને બધા સંતોને ઘણા બધાને હું ટ્રીટ કરું પણ મારે રોજ મંદિરે અવરજવર કે એવું કશું નહીં. હું આધ્યાત્મિક છું પણ હજુ હું એવો ધાર્મિક નથી. કારણ કે ફ્રેન્કલી સ્પીકિંગ કોઈ પણ ફિલ્ડમાં જાઓ અને તમે એને  જસ્ટિસ આપી ના શકો ત્યાં સુધી તમારે એ ફિલ્ડમાં જવાની જરૂર નથી. એ વખતે એમણે કહ્યું કે, મને કશું નહીં થાય, તું તારે કર ને.. અને બધા ટેંશનમાં પણ એક વસ્તુ કહું કે, બાપાએ ક્યારેય  હુંકારો કર્યો નથી.   જે પણ દુઃખ હતું ને એ એમના આત્મા સુધી પહોંચતું જ નહોતું. એમના શરીરને અડીને  નીકળી જતું હોય એવું મને એ વખતે ફીલ થયું. ખરેખર બોડી, માઈન્ડ અને સૉઉલ માટે  himself he is able to separate all these three things,  it was very divine experience, કારણ કે વિશ્વરભરમાંથી અનેક ચાહકો આવ્યા હતા. પ્રેશર કેટલું બધું કે સ્વામીને હૉપ[ઇટાલમાં તો રખાય એમ જ ન હતું. એટલે એમના માટે ICU અને બધું BAPS ટેમ્પલ માં જ તૈયાર કરેલું હતું . પછી સ્વામીને બેસાડીને એમની જે કાર હતી, સ્પેશિયલ કેડીલેગ એમાં બેસાડી દીધા આગળ. સ્વામી ગોગલ્સ પહેરીને બેઠા હતા હું પણ એમની સાથે બેઠો હતો અને ગાડીમાં અમે લોકો અડધો કલાકમાં પાછા ત્યાં લઇ આવ્યા. ઘણા લોકોને એમ થયું કે આ કેવળ તપાસ  કરીને પાછા આવ્યા છે. એટલે પેસમેકરની પ્રક્રિયા સિવાય એમને હોસ્પિટલમાં રાખ્યા જ નથી. એટલે સીધા લાવીને એમના રૂમમાં ડિપ્લોય કાર્ય !! . બે દિવસ પછી અમે ત્યાં રહ્યા. આ તો બહુ રોમાંચક ઘટના છે. એટલે it was quite bit  of risk taking પણ મારે એમની ઈચ્છાને માન આપવું હતું એટલે મેં રિસ્ક લીધું.”

 

અસ્મિતા વિશેષ : 40 : શ્રી રાહુલ શુક્લ

અસ્મિતા વિશેષ : 40 : શ્રી રાહુલ શુક્લ

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

અસ્મિતા વિશેષ સંવાદ દરમ્યાન એવા નોખાં અનોખાં વ્યક્તિત્વોને મળવાનું થાય છે કે આપણે સર્જનહાર ઉપર વારી જવાનું મન થાય. શ્રી રાહુલ શુક્લ સાથેના હળવા અને છતાં માર્મિક સંવાદમાંથી તો જીવનના કેટકેટલાય આયામો સામેના પડળ ખુલી ગયા. એક વ્યક્તિ પોતાના વતન માટે માતૃભૂમિ માટે હૃદયથી કેટલો ભાવુક હોય છે !! રાહુલ શુક્લની વાતોમાં નિજી મૂલ્ય વ્યવસ્થાનો રણકો સાંભળવા મળ્યો. આવો, તેમના જ કેટલાક શબ્દોને સાંભળીએ…

“..હું અમેરિકા ભણવા ગયો તો ૧૪૦૦ ડોલર ની લોન લઈને ગયો હતો. મારા ફાધર બહુ જ ઇન્ટરએકચ્યુઅલ વ્યક્તિ પણ પૈસા કમાવાનું  એમને ક્યારેય સારું આવડ્યું નહીં. તો પૈસા તો હતા નહીં પણ એમની ખુબ ઈચ્છા કે હું પરદેશ જઈને ભણું. ભણવા કરતા એ કહે કે તું દુનિયાને જો અને દુનિયાને સમજ. તો પછી ૧૪૦૦ ડોલર ની લોન લઈને હું અમેરિકા ગયો. અને કારમી ગરીબી કારણ કે કોલેજની ફી એ બધું ભરો પછી ૧૪૦૦ ડોલર પછી કંઈ  હતું નહીં એટલે મેં જાતજાતની નોકરીઓ કરી. સિક્યુરિટી ગાર્ડ એટલે કે પગી અને વેઈટર અને ડ્રાઇવર અને એવું બધું… તો આના લીધે થયું શું કે મને અત્યારે પણ દરેક વ્યક્તિ અને દરેક પ્રોફેશન  માટે માન છે. હું કોઈ દિવસ એવું નથી વિચારતો,  હું ફિલ્મ જોવા જાઉં  અને પેલો ગેટકીપર ટિકિટ ફાડતો હોય  તો હું એને કહું,  તેં  બહુ સરસ રીતે ટિકિટ ફાડી . કારણકે એને મન તો એમાં જ એને ગૌરવ લેવાનું છે ને. એટલે મેં જે જે કામ કર્યાં .. મને છે ને તમે કોઈ પણ કામ આપો, મને એ ગમતું હોય કે ન ગમતું હોય હું આનંદથી કરું. તમે મને કહો કે અહીંયા સંજવારી કાઢી નાખ, તો હું કિશોરકુમારના ગીત ગાતા ગાતા તાલબદ્ધ રીતે સંજવારી કાઢું… નખરે વાલી… એમ કરીને એટલે એને લીધે જે જિંદગીમાં આ સફળતા પણ વધારે  છે. જયારે તમે કોઈ ન ગમતું કામ મોઢું ચડાવીને કરો તો.. તમે મારા મધર એમ કહેતા કે. રોતા જાય એ મૂઆના સમાચાર લઈને આવે. એટલે હું હંમેશા આનંદથી રહ્યો ને આવી કેટલીય નોકરી કરી. એક વાર મેં સમર જોબ લીધો હતો અમેરિકામાં ભણતો હતો ત્યારે. મારા ગામથી બે સ્ટેશન દૂર ટ્રેન લઈને જવાનું સવારે ૬.૨૦ ની ટ્રેન હતી એટલે ટિકિટબારી બંધ હોય પણ પેલો ટ્રેનનો અંદરનો જે કંડકટર હોય એ જ તમને ટિકિટ વેચે. એટલે ૨૫ સેન્ટ જવાના અને પાછો આવું સાંજે ત્યારે ૨૫ સેન્ટ આવવાના. હું ખિસ્સામાં ૨૫ ૨૫ સેન્ટના બે સિક્કા લઈને જાઉં. અને પેલો આવે એટલે હું કહું કે મેટાચંદ ગામની ટિકિટ આપો. એક દિવસ મારે ૧૦ મિનિટ મોડું થઇ ગયું  તો પણ હું તો દોડતો ગયો. તો હજી તો ટ્રેન ઉભી હતી. હું નસીબદાર એટલે બેસી ગયો ટ્રેનમાં અને પછી પેલો કંડકટર આવ્યો એટલે મેં કીધું મેટાચંદ. એ કહે, આ તો ફાસ્ટ ટ્રેન છે.. મેટાચંદની તો ગઈ દસ મિનિટ પહેલા. અને આ તો છેક નૂર્વક  જાય છે એટલે તારે નૂર્વક ની ટિકિટ લેવી પડશે,  ૭૫ પૈસા આપ મને. મારી પાસે ૨૫ ૨૫ ના બે સિક્કા હતા. હું તો અવાચક.. હવે મારે શું કરવું ?  આવી  કોઈ પૈસાની  તકલીફ મેં  કોઈ દિવસ જોઈ નહોતી. તે મારી સામે એક ઘરડા કાકા બેઠા હતા. મોટી હેટ પહેરી હતી અને મારી સામે જોયું. મુંજાયેલું મોઢું જોયું અને  મને કહે What  is the matter son ? એટલે મેં કીધું, આ હું ખોટી ટ્રેનમાં બેસી ગયો છું અને આ નૂર્વક નું કહે છે. મારી પાસે પૂરતા પૈસા નથી. ૭૫ સેન્ટ કહે છે અને મારી પાસે ૫૦ જ છે. એટલે એણે ખીસામાંથી ૨૫ સેન્ટ કાઢીને મને આપ્યા અને તો પણ મારા મોઢા ઉપર મૂંઝવણ. પાછો ક્યાંથી આવીશ હું નૂર્વક થી ? મને એમ થયું કે સાલું પાછું કોઈક પાસેથી માંગવા પડશે, હું શું કરીશ ? એણે જોયું still you look in trouble, what is the matter son ? મેં કીધું how would I Come back એટલે એણે પાકીટ ખોલ્યું અને એણે મને ૧ ડોલરની નોટ આપી. હું એટલો આભારવશ થઇ ગયો અને એટલો મુંજાઈ પણ ગયો.  આંખમાં આંસુ દડ દડ થતા હતા,  પણ હું કઈ બોલી ન શક્યો. પછી તે દિવસે સાંજે આવીને મારા પાર્ટનર, યસુદાસ બહુ જ હોશિયાર સજ્જન વ્યક્તિ,  એને કીધું કે,  મેં પેલા કાકાનું એડ્રેસ પણ ન લીધું, નહિતર એક કવરમાં ૧ ડોલર અને ૨૫ સેન્ટ મૂકીને મોકલી દેત. એટલે એણે મને કીધું કે,  કોઈક આપણા તરફ kindness દેખાડે ને તો kindness ને પરત નથી કરવાની હોતી. એને આગળ વધારવાની હોય છે. એ કહે don’t return, it pass it on તો અત્યારે મેં વઢવાણમાં બે એમ્બ્યુલન્સ મારી કંપનીની રાખી છે. કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ થી  હોસ્પિટલ જવું હોય તો,, ઘણા લોકોનું રસ્તામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચતા જ અવસાન થઇ જતું હતું તો,, અમે ICU ની ફેસેલીટીવાળી બે એમ્બ્યુલન્સ અને કોઈ જાતના પૈસા વગર .. અમે દર વર્ષે ૪૦૦ થી ૫૦૦ લોકોને અહીંયા લાવીને પાછા મૂકી આવીએ છીએ. અમે કોરોના વખતે ગામમાં બધાને માસ્ક બનાવીને આપ્યા હતા. પછી અત્યારે બીજી કેટલી આવી ફેસેલીટીસ કરી છે. સુરેન્દ્રનગરની કેટલીયે સંસ્થાઓને ખુબ દાન કરીએ છીએ. તો મને કોઈકે પૂછ્યું કે તમે કેમ આટલું બધું દાન કરો છો? તો મેં કીધું, મારે પેલા કાકાના  ૧ ડોલર ને ૨૫ સેન્ટ ચૂકવાયા નથી હજુ, એટલે એ હું ચૂકવવા મારાથી બનતી કોશિશ કરું છું…” 

શ્રી અમૃત ગંગર

અસ્મિતા વિશેષ સંવાદ : 39 : શ્રી અમૃત ગંગર

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

ફિલ્મ કે નાટક કે રંગમંચીય કલાઓ અંગે આપણે ત્યાં બહુ સંશોધનપૂર્વકનું ખેડાણ થયું નથી અથવા તો ખુબ જ ઓછું થયું છે. ત્યારે મૂળ કચ્છના અને હવે ભારતભરમાં પોતાના ઉંડાણભર્યા કાર્યથી પ્રસિદ્ધ શ્રી અમૃત ગંગર સાથે દીર્ઘ સંવાદ કરવાનો મોકો મળ્યો. તેઓએ દિલથી થિયેટરના પ્રત્યેક  પાસાની છણાવટ કરી. થોડા અંશો અહીં આગોતરા જાણીએ: 

“ એ સમયે તો ગાંઠના પૈસા ખર્ચવા પડતા હતા. કોઈ મને ફાયનાન્સ કરવાવાળું ન હતું. એક મશરૂવાળા કરીને મુંબઈ યુનિવર્સીટીના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટના એક ડીન હતા કદાચ કિશોરલાલ મશરૂવાળાના ફેમિલીમાં હતા. તેઓ  મને જયારે મળે ત્યારે એના ખિસ્સામાં જેટલા પૈસા હોય ૨૦૦ રૂપિયા કે ૩૦૦ રૂપિયા એ મારા ખિસ્સામાં મૂકી દે. કહે, તું રાખ તને કામ આવશે. પ્રોગ્રામ નોટ બનાવે છે, તું આટલું કામ કરે છે તારી પાસે પૈસા નથી તું રાખી લે….જબરજસ્તી મને આપે. આ રીતે બધું ચાલ્યું અને અમે એટલા બધા પુસ્તકો પબ્લિશ કર્યા છે. ખરેખ તો ફકીરીમાં જ કામ થાય છે. આ તમે કરોડો રૂપિયા અબજો રૂપિયા હોય ભલે પણ કબીર થવું હોય તો  એમાં વણાટ કામ કરવું પડે. અને દોહા ત્યારે રચાય. આ ફકીરાઈ કે ફકીરી ન હોય તો ન થાય કશું …

અંદરની ભૂખ હોય છે ને એ ક્યારેક તમને લાઈફમાં કામ આવે છે. થયું એવું કે જયારે હું લાર્સન એન્ડ ટોબ્રોમાં હતો ત્યારે એક બે મહિલા ડેન્માર્કની કારણ કે લાર્સન એન્ડ ટોબ્રો ડેનિસ કંપની હતી. પવઈમાં ઓફિસ હતી અમારી તો બંને બહેનો પૂછી પૂછીને આવી ગઈ. કોઈકને  તો એણે પૂછ્યું હશે કે આ કામ અમને કોણ કરી આપે ? તો એણે મારું નામ સૂચવ્યું. એમનુ  કામ હતું  મહાલક્ષ્મી મંદિર પર એ રિસર્ચ કરવાનું. તો પછી મને સાંજના બોલાવ્યો, તાજ હોટેલમાં, ડિનર માટે ..પછી બધી વાતો થઇ અને કંઈક એમને વિશ્વાસ બેઠો હશે મારી વાતો પરથી તો એ કામ મને સોંપીને ગઈ અને એક નાની પુસ્તિકા આપી  કે આનો  અંગ્રેજી અનુવાદ કરીને અમને મોકલી દેજો. જે પુસ્તિકા ગુજરાતીમાં હતી. મેં અનુવાદ કરીને મોકલ્યું એટલે એમને પહેલા વિશ્વાસ ન થયો કારણકે ભારતીયો પર વિશ્વાસ ઓછો હોય એ વખત એવો હતો કે આપણે સમયમાં પાકા ન હોઈએ. સમય આપ્યો હોય તો જઈએ નહીં, સમય પર કઈ વચન આપ્યું હોય તો પાળીએ નહીં આ એક ભારતીયની છાપ હતી. પણ છતાં  આ બહેનોએ એક જોખમ લઈને મને કામ સોંપ્યું. અને મેં મળ્યું થોડા મહિના મેટર મોકલી  આપ્યું. એમનો એક પત્ર આવ્યો કે, અમે તમને ડેનમાર્ક બોલાવવા માંગીએ છીએ. અમારી પાસે બહુ પૈસા નથી.  તમે બંને જણા (મારી પત્ની અને હું)  આવી શકશો તો આટલા અમે તમને આપી શકીએ… બહુ નાની રકમ હતી. ત્યારે અમે દિલ્હી થી એરોફલોટ (જે રશિયન વિમાન ચાલે તો ધન ધન ધન રીક્ષા કેમ રોડ પર ચાલે એવું લાગે.) માં દિલ્હી થી બેઠા અમે.  મુંબઈથી દિલ્હી ટ્રેનમાં ગયા અને પછી પ્લેનમાં ગયા. એ પહેલી વિઝિટ અમારી. આ ફળ્યું. મારું કામ જ હતું આ… જો તમે નિષ્ઠાપૂર્વક અને બુદ્ધિ પૂર્વક કામ અને હૃદયથી કામ કરેલું હોય તો ક્યાંક ને ક્યાંક તમને કામ આવે છે. 

અને પછી મારું તો ગાડું ચાલ્યું. પછી મેં નોકરી છોડી દીધી. પછી હું આના પર જ હતો. પછી મને પ્રોજેક્ટ આવતા ગયા. કોઈ ઇન્સ્ટોલેશનના હોય, પ્રોડક્શનના હોય, લખાણ લખવાના હોય કે સ્કેન્ડિનેવિયન પ્રોજેક્ટ ઘણા બધા પર કામ કર્યું છે મેં.  યુરોપિયન પ્રોજેક્ટ ઘણા પર મેં કામ કર્યું છે અને લગભગ આખું યુરોપ ફરી વળ્યો. ઈરાન જવાનું ત્રણ ચાર વાર થયું છે. લગભગ ઈરાન જોઈ લીધું. જ્યુરી પર હોય એટલે તમને સુંદર હોસ્ટ છે તમને એ મહેમાનગતિ એટલી સારી રીતે કરી શકે. યજમાન બધા અમને લઇ ગયા બધે.  સિરાઝ અને ઇરાનના જે ઐતિહાસિક શહેરો છે બધે જ.. એવી જ રીતે સ્કેન્ડિનેવિયા, નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ બધે જ ત્યાં સારી રીતે અમને સ્વીત્ઝર્લેન્ડ એ બધા દેશોમાં અમે રહ્યા સારી રીતે. અમેરિકા ગયો તો યેલ યુનિવર્સીટીએ મને આમંત્રણ આપેલું. યેલ એટલે બેસ્ટ યુનિવર્સીટી, ત્યારે હું એક રિસર્ચ કરતો હતો. એક ઓલ ઇન્ડિયા રેડિયોનું પેલું સિગ્નેચર ટ્યુન છે ને જે સવારના વાગે છે એના પર હું કામ કરતો હતો. અમેરિકામાં હતો એટલે મને થયું  થોડું રિસર્ચ આગળ ધપાવું જો કરક્યાંક રહેવાનું મળે તો,,. મારા  મિત્રને ઘરે રહ્યો કનેટીકટમાં.  તો ત્યાં વોલ્ટર કાફમેન પર પુસ્તક લખ્યું. વોલ્ટર કાફમેન was the composer of the signature tune એન્ડ not maheli maheta !!  ત્યાં સુધી એમ જ મનાતું હતું કે,  આ ઝુબીન મહેતાના ફાધરે કર્યું છે.  પણ ઝુબીન મહેતાની જયારે કાશ્મીરમાં એમની કોન્સર્ટ હતી ત્યારે એમણે  જાહેરમાં કહેલું કે,   “આ વોલ્ટર કાફમેનનું કમ્પોઝીશન છે, જે ઓલ ઇન્ડિયા રેડિયોનું સીગ્નચર ટ્યુન છે,  મારા પિતાજીએ વાયોલિન વગાડ્યું છે એમાં.” .  અને ત્યાં વોલ્ટર કફમેન જે મ્યુઝિકોલોજિસ્ટ હતા, કમ્પોઝર હતા જ્યાં ભણાવતા હતા એ ઇન્ડિયાના યુનિવર્સીટીમાં હું ગયો. ત્યાંના વ્યવસ્થાપકે તો બોક્સના બોક્સ મારા ટેબલ પર મૂકી દીધા. કાર્ટન બોક્સ એમાં બધા કાગળો જોતો હતો એમાં એક કાગળ મને મળ્યો મધુસુદન ઢાંકીનો !! વિચાર કરો, તમે બ્લ્યુમિન્ગટન અને ત્યાં  મધુસુધન ઢાંકી નીકળે !!  મેં ત્યારે એમને ઇમેઇલ કર્યો: ઢાંકી સાહેબ,  તમારો પત્ર મને અહીં મળ્યો..કહે,  ઘણી બધી મહેનત કર્યા પછી મારું આ પુસ્તક બન્યું. ફર્સ્ટ ટાઈમ વનરાજ ભાટિયાએ એનું વિમોચન કર્યું હતું, એમની સહી પણ છે. વનરાજ ભાટિયાના અક્ષર છે, આમ તો કચ્છના અમારા માંડવીના ભાટિયા પણ મોટા કમ્પોઝર કહેવાય. વનરાજભાઈ વોલ્ટર કાફમેનના મિત્ર થાય.. જયારે તમારા મૂળમાં કંઈક રોપ્યું હોય ને ત્યારે આવું કશુંક થાય છે…” 

 

શ્રી સતીશ વ્યાસ

         અસ્મિતા વિશેષ સંવાદ :(38) :: શ્રી સતીશ વ્યાસ

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

ભાષા ભવનના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થનાર શ્રી સતીશ વ્યાસ કેવળ ગુજરાતીના પ્રાધ્યાપક રહીને નિવૃત્ત નથી થયા. તેઓએ અનેક ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે અને સઘળા ક્ષેત્રો વિદ્યાર્થીઓની અભિવ્યક્તિને સ્પર્શતા. વિદ્યાર્થીઓ અને તે પણ યૌવનથી છલકતા !! તેઓને ગમતીલી પ્રવૃત્તિમાંથી અભિવ્યક્તિની ઉત્તક કળા નાટક તરફ સતિષભાઈ ક્યારે  વાળી દે તે કોઈને ન સમજાય. પોતે મૃદુ છતાં મક્કમ અને સસ્મિત સંવાદ કરીને તમને ખેંચી રાખી શકે તેવું તેમનું વ્યક્તિત્વ. ગુજરાતીમાં માતબર પ્રદાન કરનાર સતિષભાઈ સાથે અસ્મિતા સંવાદમાં વાતચીત નો દોર બહુ આનંદથી ચાલ્યો. આપણે થોડો રસ ચાખીએ..

“એક વાર આજોલમાં એક શિબિર થઇ. અનેક પ્રવૃત્તિવાળા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. કવિતા વાળા થોડા, વક્તૃત્વ વાળા ઝાઝા. મને અને મણિલાલ પટેલને વક્તૃત્વની તાલીમ માટે આજોલ મોકલવામાં આવ્યા. થયું એવું કે ત્યાં વક્તૃત્વની  તાલીમ લેવા માટે તો બે જ વિદ્યાર્થીઓ હતા અને નાટ્ય તાલીમના અનેક વિદ્યાર્થીઓ હતા. અને આગળના દિવસોમાં એ સૈદ્ધાંતિક ચર્ચાઓથી બહુ કંટાળેલા હતા. અમે ચોથા કે પાંચમા દિવસે ગયા, શિબિર ૯ કે ૧૦ દિવસની હતી ત્યારે. એ વિદ્યાર્થીઓએ કહ્યું કે,  સાહેબ સૈદ્ધાંતિક વાતો અમે એટલી બધી સાંભળી છે (કેટલાક કલાકારો મને ઓળખતા પણ હતા ત્યારે)  કે આમાંથી અમારે નીકળવું છે. કહે આમાંથી કંઈક માર્ગ કાઢો. મેં કીધું અમારી તો આ ભૂમિકા નથી, અમે  તો વક્તૃત્વ માટે આવ્યા છીએ,  અમે તો આ ના કરી શકીએ.  પછી કહે કે, ના ના પણ તો પણ થોડો સમય સાંજે આવો, તમે વક્તૃત્વની તાલીમ ભલે બે ત્રણ વિદ્યાર્થીઓ છે, એને આપો સાંજના એકાદ કલાક દરમિયાન અમારી સાથે થોડી નાટકની વાત કરો અને કશુંક અમારી પાસે કરાવડાવો તો વધારે સારું..

રીસેસમાં અમને એવું કહેવામાં આવ્યું અને પછી મેં મણિભાઈને કહ્યું, આપણે ચાલો ને બેસીએ જરા, મોડા જઈશું. મણિભાઈ તો એ રીતે બહુ ઉદાર છે અને સારી મૈત્રી પણ ખરી અમારી. તો પછી ત્યાં એક વસ્તુ આપી વિદ્યાર્થીઓને કહ્યું, ચાલો, તમે  એક ઈમ્પ્રોવાઈઝ કરો.  કશુંક તમારી આગળ વસ્તુ રજુ  કરીએ અને તમે એમાંથી નાટક વિકસાવો. મજા પડી ગઈ બાળકોને અને કંઈક એ વખતે સૂઝ્યું એવું કે  ચલોને આપણી જૂની બધી વાર્તાઓ ઘણી છે. સાહિત્યમાં ભણાવેલી જ હોય આપણે તેવી એક વાર્તામાં એવું આવતું કે, એની નાયિકા નાયકને બળદ બનાવી દે છે. એક વાર્તામાં એવું આવે છે, પછી ઘાણીએ લગાડે છે અને એવું બધું… આવી બધી ઘણી વાર્તાઓ આપણે ત્યાં પડેલી છે અને પછી એક બળદ પાસે અમાનુષી રીતે કામ લેવામાં આવે. અમાનુષ જ હોય ને પછી બળદ છે એટલે… એનું શોષણ કરવામાં આવે.. આવી પરિસ્થિતિ આવી હોય તો વિચાર કરતા કરતા એવું લાગ્યું કે, આપણે બળદને બળદ રાખવો છે, નાયિકા ને પણ સામાન્ય નાયિકા રાખવી છે અને કંઈક એવું કરીએ કે લગ્ન થયું છે અને પહેલી જ રાત્રે પુરુષનું બળદમાં કે આખલામાં રૂપાંતરણ  થઇ જાય. મણિભાઈની સાથે વાત કરીને આવું એક થીમ બાળકોને આપીએ. જોઈએ શું કરે છે. અને કહ્યું કે, ચાલો આનું નાટક કરો.

અને પેલા ગામડાના વિદ્યાર્થીઓ હતા, એ કહે કે, સાહેબ લગ્નથી શરૂ કરીએ તો ? પહેલી રાત્રિની વાત પર એકદમ નથી આવવું. લગ્નના ગીતો શરૂ કરી દીધા. અને આ બાળકોનું એટલું ઇન્વોલ્વમેન્ટ થયું કે એમાંથી એ એક કલાક દરમિયાન એક આખા નાટકનું માળખું  તૈયાર થઇ ગયું. પારિવારિક થયું આખું. એમાં સાસુ પણ આવે, સસરા પણ આવે પછી પત્ની ફરિયાદ કરે કે આ તો આખલો છે, તમે મને ક્યાં આની સાથે પરણાવી ? શયનગૃહમાંથી બહાર આવે ત્યારે એ  આખલો હોય જ નહીં. એટલે સાસુ સસરા કહે છે કે,  તું તો બદનામ કરે છે અમારા દીકરાને,, આમ કરીને કે આખું સરસ વ્યવહારિક નાટક ઉભું થયું. અને એમાંથી પછી મેં પહેલું પૂર્ણ કદનું નાટક લખ્યું ફૂલ લેન્થ. મણિભાઈ સાથે ચર્ચા કરીને ‘પશુપતિ’ એવું નાટકનું શીર્ષક આપ્યું. ત્યાર  પછીથી હું  ફૂલ લેન્થ નાટક તરફ વળ્યો. આ એક મોટો ચેન્જ અમદાવાદમાં આવ્યા પછીનો. ભણાવવાનું તો ચાલુ હો,  એમાં બિલકુલ બાંધછોડ નહીં, એ રીતે નાટક તરફ આગળ વધાયું …” 

શ્રી વસંત ગઢવી

અસ્મિતા વિશેષ સંવાદ : (37)

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

એક બહુ પરિમાણીય વ્યક્તિત્વ એટલે શ્રી વસંત એસ. ગઢવી. મૂળ સરકારી વહીવટમાં અવ્વલ દરજ્જે ફરજ બજાવી અને શ્રેયકર કાર્ય કરીને નિવૃત્તિ પછી પણ ઉચ્ચ પદ પર નિયુક્તિ મેળવતા રહ્યા. પણ શ્રી ગઢવીસાહેબની જિહવા પર અને કલમ પર મા સરસ્વતીનો ઉપકાર કાયમ રહેલ છે. તેઓ સાહિત્યના ઉપાસક છે અને લોકસાહિત્યના મર્મી છે. તેઓ ભણતા હતા એ દરમ્યાન જ ભગત બાપુ  સાથે બેસવાનું મળ્યું તે મોટો લ્હાવો. ખુબ સરળ અને શાંત પ્રકૃતિના ગઢવીસાહેબ સાથે આત્મીય સંવાદ ધીર ગંભીર પ્રવાહ જેવો ગહેરો રહ્યો. આવો તેઓની વાત સાંભળીએ :: 

“કોલેજનો અભ્યાસ થયો એ ભાવનગર અમારી બોર્ડિંગ હોવાથી ભાવનગરમાં થયો. આને પણ હું જીવનનો એક મોટો લ્હાવો ગણું છું. કારણ કે ભાવનગરમાં ગયા પછી થોડા સમયમાં જ એવું લાગ્યું કે ઘણી બધી જગ્યાએ અહીંયા કંઈક સાંભળવા જેવા આયોજનો થાય છે. જયેન્દ્ર ત્રિવેદી જેવાને બોલતા સાંભળ્યા ત્યારે એમ થયું કે આને જ તો નોલેજ કહેવાય. પહોંચવું હોય તો આ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. બોર્ડિંગમાં ભગતબાપુ પણ નિયમિત રીતે આવે અને રોકાઈ પણ ખરા. ભગતબાપુને  મળવા જે લોકો આવે એમને નજીકથી જોવા એ પણ લ્હાવો હતો. હિતેન્દ્ર દેસાઈ, મોરારજી દેસાઈ આવે પછી ત્યાંના સાંસદ અને આપણા નાણા પ્રધાન પણ રહી ચૂકેલા જસવંત મહેતા એક વૈદ્ય મોટાભાઈ ગઢડાવાળા જે  સાહિત્યકાર પણ પ્રખર હતા, જયમલભાઈ વગેરે આવે, મેરૂભા આવે, જયહિન્દના તંત્રી બાબુભાઇ શાહ આવે તો આ બધા લોકોને નજીકથી જોવાની તક મળે.

માણસ સાથે કઈ રીતે વાત થવી જોઈએ એ બાબતમાં ભગતબાપુની હું ક્ષમતા ઘણી જોઉં છું. અમે હિતેન્દ્રભાઈને લઈને અંદર ગયા. હિતેન્દ્રભાઇ એ વખતે સત્તા પરથી દૂર થઇ ગયેલા હતા, એટલે હિતેન્દ્રભાઈએ કહ્યું કે,  બાપુ અમે લોકોની થાય એટલી સેવા કરી અને જે લોકોએ નક્કી કર્યું એ પણ અમે સ્વીકારીએ છીએ. પણ આટલા વર્ષો સુધી આપ ચોક્ક્સ માનશો કે અમે સારી સેવા તો કરી છે. એટલા તો આપના આશીર્વાદ અમારા ઉપર હશે. આપનું  માનવું પણ હશે. હિતેન્દ્રભાઈએ ભગતબાપુને ઠાવકાઈથી જવાબ આપ્યો કે,  તમે ઘણું સારું કામ કર્યું એમાં કોઈ બેમત નથી પણ કનૈયાલાલ દેસાઈ (હિતેન્દ્રભાઈના પિતા)ની સમકક્ષ ન પહોંચાયું. હિતેન્દ્રભાઈએ સ્વીકાર્યું  કે, બાપુજી જેટલું તો ના થઇ શકે.

 ઘણા વર્ષો પછી હું  સુરત કલેકટર તરીકે ગયો એટલે ઓલપાડના ગામડાઓમાં ગયો. એમાં જોગાનુજોગ કનૈયાલાલની ઓલપાડના ઘણા બધા ગામોમાં મોટી જમીનદારી હતી. એમના મેં ફોટા કોઈ જગ્યાએ જોયા. કોઈ સરપંચના  ચા પીવા ગયો ત્યાં ફોટા જોયા.  તો મને થયું હિતેન્દ્રભાઇ જેવો ફેસ કોનો છે ? તો કહે,  કનૈયાલાલ દેસાઈનો ફોટો છે. પછી મેં કીધું કનૈયાયાલ દેસાઈ વિષે મેં કઈ સાંભળ્યું નથી. જુના જે  આગેવાનો હતા એક બે એણે  કહ્યું કે,  સાહેબ એ એક અદભુત વ્યક્તિ હતા. આટલી બધી એમની જમીનદારી હતી પણ સરળતા ઘણી ને ખેડૂતો સાથે વ્યવહાર બહુ સારો. પણ એક દિવસ એમના ઉપર વિનોબા ભાવેનો પત્ર આવ્યો. ત્યારે તો પોસ્ટકાર્ડ લખતા હતા કે હું ભૂદાનયાત્રામાં ગુજરાતમાં લગભગ આ ગાળામાં આવીશ. તો તે વખતે સુરત જિલ્લામાં આ તારીખો લગભગ આવશે અને બારડોલી આ તારીખે જાહેરસભા મારી કરીશ. એ બારડોલી જાહેર સભામાં ટેન્ટેટિવ તારીખ આ છે,  પણ તમને હું અત્યારથી કહી રાખું છું. તમારે એ સભાનું પ્રમુખ સ્થાન લેવાનું છે. ભૂદાનની આ  સભાનું તમારે પ્રમુખ સ્થાન લેવાનું છે. એ કાગળ વાંચીને એક બે દિવસ પછી એમણે એમના કેટલાક ખેડૂત ખાતેદારો હતા એમને બોલાવ્યા ને  બધાને કહ્યું કે, આ  જમીન છે એ હું તમને તમારા નામે કરી દેવા માંગુ છું. (પોતાની જમીન સ્વેચ્છાએ એમના નામે કરી દેવા માંગે છે.) એમના કાગળો તો મારા માણસો કરી આપશે. પણ તમારી સંમતિ જોઈએ છે મારે… એમણે હાથ જોડીને કહ્યું. લોકોએ કહ્યું,  ‘ભાઈ અમે ક્યાં માંગી છે ? આ જમીનની અમે ક્યાં તમારી પાસે માંગણી કરી છે ? અમે કોઈ ફરિયાદ કરી છે ?’ એણે કહ્યું કે,  ફરિયાદ કે માંગણીની તો આ વાત જ નથી, તમે કરો પણ નહીં. પણ વિનોબાની ભૂદાનની સભાનું જો પ્રમુખ સ્થાન મારે લેવાનું હોય તો એ પહેલા મારે આ વિધિ કરવી પડે. આ વાત કરવાનો એમના માટે કોઈ TRP મેળવવાનું  તો કારણ જ નથી, નથી મારા માટે TRP મેળવવાનું કારણ એટલે આ વાત  જે બનેલી છે એ હું કહું છું,  છતાં ઘણી ઓછી જગ્યાએ કહું છું, કારણ કે હવે લોકો આ સ્વીકારવા તૈયાર નથી.

હું કલેકટર હતો ને હિતેન્દ્રભાઈના મોટાભાઈને જયારે પણ મળ્યો, તેઓ બેંકમાં પ્રમુખ હતા એટલે કોઈપણ પબ્લિક બોર્ડ માટે એમની પાસે જઉં તો પહેલા એ એવું કહે કે,  તમારે મને બોલાવી લેવો જોઈએ. કલેકટરો બહુ કામમાં હોય, અમે આવી જઈએ, અમારે કાર્યકરોને શું કામ ? એટલે પેલા વિવેક અને પછી તમે જે પણ કામ લઈને ગયા હો તમે એમને કહો કે, ધારો કે ૫૦ લાખ રૂપિયા રોકવાના છે તો એ ૪૯ લાખની વાત ન કરે. તમારે ત્યાં આવી, તમારી ઓફિસમાં તમે જેનું નામ આપો એને  બીજે દિવસે ચેક આપી જાય. તકલીફો તો ઘણી પડી હશે, સંઘર્ષ ઘણા કરવા પડ્યા હશે ત્યારે આપણને એમ થાય કે આમના પ્રમાણમાં તો આપણે કોઈ સંઘર્ષો કર્યા જ નથી.” 

શ્રી દલપત પઢીયાર

અસ્મિતા વિશેષ સંવાદ : (36)

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

શ્રી દલપત પઢીયાર. નિવૃત્ત વરિષ્ઠ સરકારી અધિકારી, પણ એ તો એમની  સ્થૂળ ઓળખ પણ સૂક્ષ્મ ઓળખ એ કે દલપત પઢીયાર અંતર યાત્રા ના સાધક છે. તેઓ ઉત્તમ કવિ છે અને લોકઢાળના ગીતોના સર્જક છે. શ્રી રવિભાણ પરંપરાના ગાદીપતિ છે. તેઓએ સંવાદમાં કેટલીક  ઊંડાણભરી વાતો બહુ સહજતાથી પેશ કરેલ છે. આવો, દલપત પઢિયારની એક સ્પર્શીલી ઘટનાથી સંવાદનો માહોલ ઘડીએ. 

“મારી સાતમી પેઢીનો વડવો વીરદાજી.  એ બધી રીતે પૂરો. બધા અપકૃત્યો કરે. મોટી રાડ હતી એની..પહેલા એવું કહેવાતું કે વડોદરાનું દાતરડું ખોવાયું હોય ને તો અનઘડ કહાનવાડી વાળા લઇ ગયા હશે એવી છાપ હતી. ધાડ પાડનારા ખરા અમારા લોકો એ જમાનામાં. ધાડ બહારની પણ પાડે અને અંદરની પણ પાડે તે સાચો. અને વીરદાજીની ધાડ અંદર પડી ગઈ. મારા ઘરની જ વાત કરું તો એમણે મોર મારેલો, મોરની હત્યા કરેલી..મોરની હત્યા કરીને ઘરની અંદર જ એનું બધું સાફસૂફ કર્યું.

એનો બાપ મારો વડવો ભવાનદાસ કરીને,  એ ભગત. ભજન સિવાય એને કંઈ ગમે નહીં. અને શેરખી જે રવિભાણ સંપ્રદાયની બહુ પહેલી જગ્યા. એના સાધુ અમારે ત્યાં ગામમાં આવતા. એની સાથેની બેઠક ઉઠક એટલે એ ભગત,, પણ સોબત વીરદાની જુદી એટલે એણે પોતાના કર્મો કરી જ રાખેલા. એટલે એક દિવસ એવું થયું ભવાનદાસજીને કે આ તો નહીં સુધરે, આનું શું કરવું, પણ હવે બીજું કઈ થાય નહીં..એટલે પિતાજી  ભવાનદાસજીએ મરી જવાનો વિચાર કર્યો.  હવે શું જીવીને કરવાનું જ્યાં આવું બધું ઘરમાં થાય છે… એટલે એણે અમારું જૂનું ઘર હતું. તે ઘરમાં મોટી પાટડી. ત્યાં એક ફાંસો બાંધીને મરી જવાનો વિચાર કર્યો.  તે જ દિવસે શેરખીના કોઈ મહારાજ (નામ યાદ નથી દયાળદાસ કે કોઈ હતા) તે આવી ગયા. અને ફાંસો ખાતા ભવાનદાસને  અટકાવ્યા. એમણે કહ્યું કે,  મારો દીકરો જો એનાં કૃત્યો ન છોડવાનો હોય તો મારો દેહ મારે રાખવો નથી, હું આ દેહ છોડી દઈશ. બે માંથી એક જ વસ્તુ નક્કી છે. આ સંકલ્પ હતો… કંઈક જોગ હશે. વીરદાને બોલાવ્યો તે દિવસે પેલો ગામમાં પણ હતો. ખબર નહીં વાતો જે સાંભળી છે એ કહું કે એણે  આવીને જોયું તો પોતાના પિતાના  ગાળામાં ફાંસો છે ને  સાધુ ઉભા છે. એને સાધુ સાથે કંઈ નિસબત નથી. પિતા પરનો પ્રેમ ઓછો નથી પણ કર્મ વળગેલું હતું એટલે સોબત હતી અને સાધુને પણ કોણ જાણે શું હિંમત હતી કે એ મોટી લાકડી રાખે તે  સાધુએ લાકડી  વડે વીરદાને ખુબ માર્યો. હવે આ તો એક સાથે દસને વધેરી નાખનારો બહારવટિયો.. તે  સાધુ એ માર્યો પણ  એ ઉભો રહ્યો. એ જ તો વાત છે  કે જોગ હશે. એ ઉભો રહ્યો.  કહે શું છે ? તો કે જો આ તારા કર્મે તારો બાપ મરવાનો છે  તું નક્કી કરી લે આજે કે,, તારે બાપ જોઈએ છે કે પાપ જોઈએ છે ?  હવે તું નક્કી કરી લે અને સાહેબ, શું લાગ્યું તો એણે એ ફાંસલો ઉતારીને પોતાના ગાળામાં પહેરી લીધો. તમારે ના જવાનું હોય જવાનું હોય તો મારે જવાનું હોય. સાધુએ એ બેયને ઉતાર્યા તે દિવસથી મારા ગામમાં દીવો છે.  આજે હું સાતમી પેઢીનો એનો વારસ છું. ગાદી છે અને રવિભાણ  સંપ્રદાયની ગાદીનો હું આજનો ઉત્તરાધિકારી છું. 

મારી જગ્યાના અઢીસો ગામ છે. અઢીસો ગામમાં અમે સાત પેઢીથી કામ કરીએ છીએ. અને કેટલાક ગામ તો ૫૦૦૦ કે ૨૦૦૦ ની વસ્તીવાળા આખા ગામ છે. અને અઢીસો  ગામમાં અમારા અનુયાયીઓ છે ને એ વિસ્તરતા ગયા છે. એ માણસે પહેલ વહેલું આ કામ શરૂ કરેલું. છોડ્યું તે દિવસથી છોડ્યું. અને બીજે દિવસથી ઘોડો લઈને જતો રહ્યો. એ ઘોડો રાખતા. અને ઘોડો લઈને ગામમાં ગયા કે હવે આ દેશમાં એવું તો કંઈક જગાડીને જ આવીશ મારા ગામમાં.. સાંજે ગયા તો કહેવાય છે કે, સંધ્યા ટાણે એક માતાજીને ભોગ ધરાવાતો પશુઓનો. વીરદાજી માટે તો ગઈ કાલનો જ બનાવ હતો. એ  જઈને ઉભો રહ્યો અને કીધું કે, આ બરાબર નથી એટલે કે આ ભોગ  ન ધરાવાય.  ગામની વચ્ચે કહે છે કે આ બરાબર નથી અને આખી રાત ઉભો રહ્યો છે કે આની હત્યા નહીં થઈ શકે. હવે. તમારે જે કરવું હોય એ કરો. એની જગ્યાએ મને તમે વધેરો તો મને વાંધો નથી. પણ આ પ્રાણીઓને છોડવા પડશે  અને સવાર સુધી ચાલ્યું આ બધું. ત્યારનું તો જડત્વ ને બધું દેખીતું છે પણ વીરદાજીએ  કીધું તમારે ભોગ જ ધરાવવો હોય તો હું છું. એટલે એણે સાતેય પ્રાણીઓના ગળામાં પહેરાવેલા હાર જાતે પહેરી લીધા અને પછી એ ભોગની જે જગ્યા હતી ત્યાં ઉભો રહ્યો. આ તો છૂટશે જ… મને તમે કરો.. તમારી વિધિ પુરી થઈ જશે.  સવારની વેળાએ સાતેયના પ્રતીક રૂપે તે દિવસે સુખડીનો પ્રસાદ થયો અને પેલા પ્રાણીઓ છૂટ્યા. આ પ્રથા આજે પણ ત્યાં પ્રસાદની જ છે… આ કામ અમારું આજે પણ અમે કરીએ છીએ.”

 

ડો. સુધીર શાહ

અસ્મિતા વિશેષ સંવાદ : (35)

ભદ્રાયુ  વછરાજાની                                              bhadrayu2@gmail.com 

સંસ્કારનો વારસો પિતાશ્રી દ્વારા કેવી રીતે પછીની પેઢીમાં ઉતરે તે અંગેનો  બેનમૂન સંવાદ યોજાયો વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડીઓમાં.. ગુજરાતના ખ્યાતનામ તબીબવર્ય ડો. સુધીર શાહ પોતાની મૃદુ વાણીથી જીવનના યાદગાર પ્રસંગો કહી રહ્યા હતા અને સમય ક્યાં વીતી રહ્યો છે તેનો ખ્યાલ રહ્યો ન હતો. પ્રસિદ્ધિ કે ખ્યાતિ મેળવવી એ જીવનનું લક્ષ્ય ન હોઈ શકે પણ ઉદાત્ત માનવીય વ્યવહારોમાં ઉત્તમ કેમ સિદ્ધ થવું એ જ જીવન ધ્યેય બની શકે, તેની પ્રતીતિ ડો. સુધીર શાહ સાથેના અસ્મિતા વિશેષ સંવાદથી અમને થઇ અને આપને  પણ થશે જ….

“આગલી રાતનો સંવાદ બાપ દીકરાનો સાંભળવા જેવો છે. મેં પપ્પાને કીધું કે, પપ્પા કાલે આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ છીએ…. એટલું કહીને પછી  હું આંટા મારવા લાગ્યો. મને કહે, બેટા, નર્વસ કેમ લાગે છે તું.? પપ્પા તો નસ પકડી શકે ને .??.. મેં કીધું,  પપ્પા સાચું કહું આટલા બધા પૈસા ખર્ચીને આપણે પ્રેક્ટિસ તો શરૂ કરીએ છીએ પણ મારી પ્રેક્ટિસ ચાલશે ? પપ્પા,  આ લોન ને  બધું ભરપાઈ  કરી શકીશું ? મને બાજુમાં બેસાડ્યો,  મારે માથે હાથ ફેરવ્યો.  મને કહે,  બેટા તું મારો દીકરો છે. પ્રોફેશનલ બ્લડ તારામાં છે. પ્રોફેશન કેવી રીતે કરવું એ તને આવડે છે. I am sure તારી પ્રેક્ટિસ સારી રીતે ચાલશે. કારણકે how to tackle situation you know,  પ્લસ,  તું આટલું બધું ભણ્યો છે. તારું જ્ઞાન આટલું સારું છે,  એટલે I am sure કે તારી પ્રેક્ટિસ ચાલશે. વિશેષમાં તારામાં કરુણાનો અંશ હું જોઉં છું એ પણ તને મદદ કરશે. પછી  કહે,  આજે તારે મને બે પ્રોમિસ આપવાના છે. મેં કીધું, ચોક્કસ પપ્પા. પહેલા હું હાથ જોડી ગયો….  બેટા, બે પ્રોમિસ . ૧) જેના મોઢે ઈશ્વરનું નામ હોય, કોઈ પણ સંધુ સંત હોય, જૈન હોય, સનાતન ધર્મ હોય, વૈષ્ણવજન હોય, બ્રહ્માકુમારી હોય, મૌલવી હોય કે ક્રિશ્ચિયન ફાધર કોઈ પણ હોય એને બે હાથ જોડવાના અને એક પણ પૈસો સ્વીકારવાનો નહીં. એમણે  એકેય પૈસો લીધો નહોતો. તારે પણ નહીં લેવાનો, આપણી આ પ્રથા છે એ ચાલુ રાખજે. અને એના વતી કોઈ પૈસા આપે તો પણ નહીં લેવાના. એટલું જ નહીં પણ બધાને વચ્ચેથી સંતને પહેલા લેવાના કારણ કે એ આપણું ઉત્તરદાયિત્વ છે. એ સમાજને સાચવે છે, આપણે એને સાચવવાના. મને કહેતા એટલો આનંદ થાય છે કે ૩૨ વર્ષમાં મેં એક દિવસ પણ આ પ્રોમિસ તોડ્યું નથી. અને ૨) ગરીબ, વિધવા, દુઃખી વગેરે હોય એને હાથ લાંબો કરવો  પડે એવું નહીં કરવાનું. આપણે જોઈ લેવાનું, સમજવાનું કે આ દુઃખી છે ? ૨૫%, ૫૦%, ૧૦૦% જે આપણને અનુકૂળ લાગે એ આપણી રીતે ફ્રી કરી દેવાનું. અને આ બે કરીશ ને તો ઉપરથી અનંત આશીર્વાદ તારી પર વરસશે. ને તારી પ્રેક્ટિસ ચાલશે. તારું કામ સીમાચિહ્ન બનશે આ મારા અંતરના આશીર્વાદ છે. This is what he said.

અને પરિણામે ૫૦૦૦ જેટલા સંતો મારા  હાથ નીચે આ રીતે સારવાર પામ્યા છે. અને એ પણ પ્રણામ કરીને બે હાથ જોડીને આનંદથી… ક્લિનિકના બધા માણસોને ખબર છે કે સાધુ સંત આવે એટલે  બધું બાજુ પર મૂકીને,  જે ચાલુ છે એ પેશન્ટ જોઈને તરત એમને લઇ લેવાના. ઈમરજન્સી કોઈ સિરિયસ હોય તો એને લઇ લેવાના બાકી આ સાધુ સંત ને જ પહેલા લેવાના…અને એ લોકોને સત્તા આપેલી છે બહાર કે ગરીબ કે દુઃખી હોય અને મારું ધ્યાન ન હોય તો કોઈ પણ જાતના ડિસ્ક્રિમિનેશન વગર એમને રાહત આપી જ દેવાની.  એ જ કહે કે સાહેબ જુઓ તમારું ધ્યાન નહીં હોય પણ આ માણસના આપણે ઓછા કરવા પડશે. They can also do, or they will draw my attention …………. કેટલા આશીર્વાદો મળે… પૈસા આપે છે ભગવાન, નથી આપતા એવું નથી, મારી જરૂરિયાત કરતા વધારે આપે છે..I honestly mean that …

કોવિડ  સમયે ગરીબો, લેબર સાથે બધાને જમાડવાથી માંડીને જે કઈ જરૂરિયાત હોય બધી પુરી કરવાની. અમુક સાધુ સંતોને ખબર પડી તો એમણે ભેટ મોકલાવી કે તું બેટા વાપર, અમને તારા પર ૧૦૦% વિશ્વાસ છે તું બધાને સાજા કરીશ. એટલે તો કહું ને ઈશ્વર એટલો બધો દયાળુ છે કે પળે પળે એની હાજરી તમે જાણી શકો અને માણી શકો….” ..

 

શ્રી નાથાલાલ ગોહિલ

અસ્મિતા વિશેષ સંવાદ :: (34)

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

એક નાના ગામની કોલેજમાં ચાર દસક સુધી શ્રી નાથાલાલ ગોહિલ ગુજરાતીના એકનિષ્ઠ અધ્યાપક રહ્યા. પણ ના, કેવળ અધ્યાપકગીરી જ કરે તો એ શ્રી ગોહિલસાહેબ શાના  ?? ભાષા ભવનના પ્રાધ્યાપકને શરમાવે એવું સંશોધન અને તે પણ પાયાનું.. સંત સાહિત્ય અંગે ગજબનાક ઊંડાણ ધરાવતું અધ્યયન કાર્ય અને તેને પરિણામે અનેક ગ્રંથોથી  સભર  ભંડાર સાહિત્ય જગતને અર્પણ કર્યો. ધીર ગંભીર અને છતાં પ્રબળ કથનના  ધણી શ્રી નાથાલા ગોહિલ સાથેના આત્મીય સંવાદની થોડી વાતો: 

“પરિવારમાં ન કલ્પી શકાય એવી એક સત્ય ઘટના બની. મારા પિતા પ્રજ્ઞાચક્ષુ.  ભગત તરીકે ઓળખાય.  ભજનના સારા ગાયક. મા વીરબાઈમા મજૂરી કરે અને આંગણે આવેલા અભ્યાગતોને જમાડીને જમે. આવો પરિવાર  મારા ઘરની ઓળખ.  સાધુ સંતોનો દુવારો કોઈપણ આવે એ ત્યાં ઉતરે, રોકાય અને સત્સંગ ભજન ચાલે…  પણ આ પરિવારની એક મોટી કુદરતી અપકૃપા કે મારા ભાઈ બહેન જયારે ઉંમરલાયક થાય અને જયારે એની સગાઈ કે લગ્નની વાત કરે એવા જ દિવસોમાં એકાએક એનું મૃત્યુ થાય. એમાં ગળે ન ઉતરે એવી સત્ય ઘટના એ છે કે એવા મારા દસ ભાઈ બહેન આ પ્રમાણે મૃત્યુ પામ્યા. હવે એ વખતે મારો જન્મ થયો ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ દીકરાને જીવતો રાખવો હોય તો જન્મ સમયે જ એનું નાક વીંધવામાં આવે. એ વખતે જે  સુયાણીઓ હતી એ કહે કે માત્ર આપણે વીંધવું નથી,  પણ એને ખોટ રાખીએ એટલે આખો છેદ અહીંયા જન્મતાની સાથે કરી નાખ્યો અને એ જ સમયે મારું નામ ‘નાથો’  રાખવામાં આવ્યું. એટલે જન્મ પ્રમાણે કુંડળી પ્રમાણેનું મારું આ નામ નથી. આ ખોટું નામ એ નાથો. અને એ કહે કે નાથો રાખીએ તો એ જીવી જશે. એટલે આ ઘટના મારા નામ સાથે જોડાયેલી છે.

મારી ઉંમર દોઢેક વર્ષ હશે. અને એ વખતે અતિ તાવ અને ઝાડા શરૂ થયા. મારું ગામ એટલે ગામડું. મારું ગામ એટલે આમ તો ગિરનારની છાયામાં જ ગણાય,  શિલોદર ગામ,  તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ.  હું ત્યાં બીમાર પડ્યો.  ત્યારે દવાખાનું કે બીજી કોઈ સુવિધાઓ હતી જ નહીં. અને તેમ છતાં દેશી  ઉપચારો કર્યા પણ ઝાડા કાબુમા ન આવ્યા અને ન તાવ પણ ઉતર્યો. એટલે અમારું એક આસ્થાનું સ્થળ મારા માતા પિતાનું એ જૂનાગઢમાં સવરા મંડપની જગ્યા. જૂનાગઢમાં ગિરનાર જયારે જઈએ ત્યારે શરૂઆતમાં પ્રવેશદ્વાર આવે અને વાઘેશ્વરી મંદિર આવે એની બાજુની આ જગ્યા. સવરા  મંડપએ બહુ પ્રાચીન જગ્યા છે. આ  સવરા મંડપમાં ભવિષ્યમાં જે સામાજિક, રાજકીય ક્રાંતિનું કેન્દ્રબિંદુ થાય એવી ભવિષ્યવાણીઓ પણ થયેલી છે. ત્યાં નાથજોગી સેવનાથ મહારાજ અને એમના પટશિષ્ય વૈદ્યનાથ મહારાજ ત્યાં રહે. હવે વૈદ્યનાથ મહારાજ એટલે પૂર્વકાળના મારા મામા. એટલે મને લઈને જૂનાગઢ રેલવે સ્ટેશનથી ચાલતા ચાલતા જયારે સેવનાથ બાપુની જગ્યામાં જતા હતા ત્યાં મારી મા બોલી,  ભગત આ નાથો ટાઢો બોર થઇ ગયો છે. એટલે મારા બાપે કહ્યું,  ગાંડી થઇ ગઈ છે ? ગિરનારની છાયામાં આવી ગયા છીએ આપણે. રખવાળો ગિરનાર છે,  અલખધણી છે,  શું કામ ઉપાધિ કરે છે ? કઈ નહીં થાય,  તું તારે હાલવા માંડ હાલવા. સેવનાથ બાપુની જગ્યામાં ગયા.  ગુરુ શિષ્યની પણ કેટલીક પરંપરાઓ હોય છે. ગુરુ ઉંચી ગાદીએ બેઠા હોય,  નીચે ધૂણુ હોય અને એનાથી થોડે દૂર એના પટશિષ્ય બેઠા હોય. હવે જ્યાં સુધી નાથજોગી ગુરુ મહારાજ બેઠા હોય ત્યાં સુધી પટશિષ્ય એક પણ શબ્દ બોલતો નથી માત્ર ગુરુના ઈશારા પર ચાલતો હોય, પણ  એનાથી બોલાય નહીં. નહિતર એની બેન આવી હતી,  બેનનો દીકરો આ હાલતમાં આવ્યો છે,  એટલે સહેજે મામા તરીકે ભલે નાથજોગી થઇ ગયો છે,  પણ પ્રત્યાઘાત આપણને નથી આપતા. એટલે મને લઈને ધુણાની બાજુમાં મૂકી દીધો અને મારી મા એટલું જ કહે કે,  ‘ જોગી તારે શરણે મુકવા આવી છું.  દસ સંતાનને મેં આ ધરતી ઉપર ભંડારી દીધા છે.  હવે અગિયારમો ભંડારવાની મારી હામ નથી. એને બદલે એ નાથજોગીડો થશે ને તો પણ મને ગમશે.  અમે તેને  અહીંયા મુકવા માટે આવ્યા છીએ.  સવરા  મંડપને ખોળે આવ્યા છીએ એ ભલે જોગીડો થાય પણ એમ તો કહેવાશે ને મારો દીકરો જોગીડો જીવે છે. હવે તમે જે કરવું હોય એ કરો,  બચાવો તો પણ તમારો.’  વૈદ્યનાથ મહારાજ તો કશું બોલતા નથી,  સેવનાથ મહારાજ છે એટલે. સેવનાથ મહારાજ ઉભા થયા ધૂણે ગયા ધુણામાંથી ભભૂત લીધી મને ચાંદલો કર્યો,  થોડીવાર થઇ એટલામાં હું ચાલતો ચાલતો એટલામાં ફરવા મંડ્યો. ચાલતો ચાલતો જ્યાં ગુરુ મહારાજની ગાદી છે  ત્યાં જઈને ગાદી પકડીને ઉંચો થવા ગયો ને તેઓ બોલ્યા :  આવી ગયો જોગી ? અહીંયા બેસવા માટે આવી ગયો ? એટલે એ પછીથી તો નાથજોગીની કૃપાએ એટલે બની શકે કે જે સોયાણીએ  નામ નાથો આપ્યું હતું,  પણ નાથ તો અહીંયાથી શરૂ થયું એમ પણ બની શકે.”  

 

શ્રી ગોવિંદભાઈ ધોળકિયા :: ગોવિંદકાકા

અસ્મિતા વિશેષ : (33) 

ભદ્રાયુ વછરાજાની                                                              bhadrayu2@ gmail.com 

ગુજરાતનું હીરા ઉદ્યોગમાં અવ્વલ દરજજાનું નામ સ્થાપિત કરનાર શ્રી ગોવિંદભાઈ  લાલજીભાઈ ધોળકિયા.  યુવાની સુધી તો  એને સૌગોવિંદોકહેતાપણ આજે સૌ તેમને પ્રેમભાવથીગોવિંદકાકાકહીને આદર આપે છે. શ્રી ગોવિંદકાકા સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ આપણને કોઠા સૂઝથી કાર્ય  અને વિચારને અમલમાં મુકવાની ધગશ કેવા પરિણામ લાવી શકેતેની બારાક્ષરી શીખવે છે. ચાલો, તેઓની જીવનગાથાની એક ઝલક મેળવીએ.

“અમારી કંપનીમાં એવું sentence છે કે,  તમે વ્યસન છોડો અગર કંપની છોડો. આખી કંપની નિર્વ્યસની છે. છ સાત હજાર લોકો !  અમારા ભત્રીજા સવજીભાઈની કંપનીમાં ય  પણ એમ. અમારા કાકા  ભત્રીજાની કંપનીઓમાં  ૧૪ હજાર લોકો છે,  એ સૌ નિર્વ્યસની છે. આવું  તમને ક્યાંય જોવા નહીં મળે. વ્યસન એટલે દારૂની જ વાત નથી,  પણ નો ટોબેકો, નો સિગાર,  કોઈ વસ્તુ નહીં. તો એ લોકોનું  જીવન તો બન્યું પણ અમને શું ફાયદો ?  અમે જેને ફેમિલી મેમ્બર માનીએ છીએ  એ લોકોને નિર્વ્યસની કર્યા તો આજે અમારા છોકરા નિર્વ્યસની થયા. અમને એ ફાયદો થયો કે આખું ફેમિલી  કે ખાનદાન નિર્વ્યસની બન્યું. એટલે કર ભલા તો હોગા ભલા. એટલે બહુ જન હિતાય એમ કહીએ છીએ ત્યારે સર્વજન્ માં  આપણો જણ આવી જાય છે. 

એક યુનિક પદ્ધતિ અમારા ફેમિલીમાં એ પણ છે કે,  છોકરાઓને અમે  ૫ કે  ૬ વીક માટે unknown  જગ્યાએ મોકલીએ છીએ. જેટલા છોકરાઓ અમારા ફેમિલીમાં મોટા થાય એને  કોલેજકાળ દરમિયાન એમણે બહાર જવાનું. જવાનું એટલે એને કાંઈ  ખબર ન હોય કે એણે  ક્યાં જવાનું ? એની  આખી એક સિસ્ટમ છે કે જે બે જણાને આ વખતે જવાબદારી સોંપી હોય તો એ બે જણા બધું કરે. પછી ત્રણ છોકરા જવાના હોય કે ચાર એ લોકોને સ્ટેશન ઉપર જઈને જ કહેવામાં આવે કે તારે બેંગ્લોર જવાનું છે, તારે ચંદીગઢ જવાનું છે.  પછી જ એને સેકન્ડ ક્લાસની ટિકિટ આપવામાં આવે. એને પાંચ હજાર રૂપિયા સાથે આપ્યા હોય અને કહ્યું હોય કે,  તારે પાછો આવે ત્યારે કેટલા વધારીને આવે છે  એ તારે જોવાનું. એ બધા  જ છોકરાઓની નોખી નોખી સ્ટોરી બને છે.  ઉદાહરણ કે,  એ લોકો એમ કહે કે,  અમે મેકડોનાલ્ડ સામે જ હોય પણ ઈચ્છા થાય તે ખવાય તો નહીં,  કારણકે એટલા બધા પૈસા તો હોય નહીં,  કમાણી હોય નહીં,  પૈસા ખૂટી જાય એટલે સમજાય કે આપણે  રોજ મેકડોનાલ્ડમાં જતા ત્યારે  તો સહેલું લાગતું હોય પણ અમને ખબર પડી કે મેક્ડોનાલ્ડની કિંમત તો જેની પાસે પૈસા નથી એને છે, અમને નથી. એટલે હવે એમને સમજાય કે આ જે ખાવા માટે જઈએ  છીએ એ કેટલું મહત્વનું છે. 

હમણાં જ ત્રણ મહિના પહેલા છોકરા જઈને આવ્યા. જે છોકરાઓ જાય એનું વજન ચાર, પાંચ કે છ કિલો ઓછું થાય. ચાર વીકમાં  આખી દુનિયામાં પોતાનું કોઈ જ ન મળે. એને એ જ શહેરમાં જવાનું કે જ્યાં  પહેલાં  કોઈ દિવસ ગયો નથી. એને કોઈ સ્માર્ટ ફોન નહીં આપવાનો કે એ કશું  શોધી શકે. એટલે તો એને  નોકિયાનો ફોન સાદો ફોન આપેલો હોય. પંદર વર્ષ પહેલાં મારો  દીકરો ગયો ત્યારે તો મોબાઈલ જ ન હતો. એસટીડી માંથી રોજ એક ફોન કરવાનો..  હવે તો પોતાના ફોન હોય એટલે કરી દે. એટલે રોજ એના મેસેજ લઇ લેવાના પણ એ બે જ જણાને ખબર હોય. ઘરમાં બધાને એમ કહેવામાં આવ્યું હોય કે,  એ આફ્રિકા ગયા છે કે સ્કીઈંગ  કરવા હિમાલય ગયા છે,  કે જ્યાં મોબાઈલ ન લાગે એવી રીતે આખું પ્લાન બનાવે. હવે  તો ફેમિલીમાં પણ બધાને સમજ પડવા મંડી કે આ ભલે ક્યે ફોન નથી લાગતો, પણ  એ લોકોને ક્યાંક મોકલેલા છે. છોકરાઓ આવ્યા હોય ત્યારે ભેટી  ભેટીને જે બધા રડારડ કરે ને હરખના આંસુ આવે એ આખી દુનિયા જ જુદી છે.

પણ આ તો જીવનનો ક્યાંય ન મળે એવો અનુભવ પ્રાપ્ત થાય. હા એ અમારા ચાર છોકરાઓ ગયા હતા એણે  એમ કીધું કે,  આ એક મહિનાનો અનુભવ અને ચાર વર્ષની કોલેજને તમે સરખાવો તો એક મહિનાનો જે અનુભવ છે એમાં શીખવાનું વધારે મળ્યું. ચાર વર્ષની કોલેજ આટલું ન શીખવાડે. એટલે વિનોબાજી કહેતા કે જીવન પોતે જ અભ્યાક્રમ છે. અમને વિચાર આવ્યો કે આપણે છોકરાઓને કહીએ છીએ કે, અમે આમ કરતા અને આમ સાપ અમારા ઘરમાં આતા મારતા  ને મને બે વાર વીંછી  કરડ્યો ‘તો  એવી બધી વાત કરીએ તો એમાં  કોઈને  રસ નથી આપણી વાત સાંભળવામાં.. એ જુવાનિયાઓ કહે કે,  એ ભાઈ, એ  તમારો ત્યારનો સમય હતો,  અત્યારે શું હવે એમ થાય ?? એટલે એને આ પ્રેક્ટિકલ નોલેજ  આપો એટલે એ જાતે જ સમજે.  આપણે કઈ કહેવું જ નથી કે જીવન કેવું હોય એટલે અમે આ રસ્તો શોધ્યો કે આ અસલ દુનિયા એ લોકો જોઈ લે કે લોકો કેવી રીતે જીવે છે.”

 

શ્રી ગફૂરભાઈ બિલખિયા

અસ્મિતા વિશેષ સંવાદ : (32)

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

સેવા, સમજ, સમાનતા, સંવેદનશીલતા, સંવાદિતા, સાલસતા, સરળતા,,,,આમ સ થી શરુ થતા બધા જ હકરાત્મક શબ્દો જેનાં રુધિરમાં વહે છે તે પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન એટલે શ્રી ગફૂરભાઈ  બિલખિયા… એમને પોતાના વિષે વાત કરવાનો બહુ સંકોચ પણ મારી સાથે પ્રેમનો નાતો  એટલે મને નકારી ન શક્યા. અમે તો પહોંચ્યા તેમની  વાપીસ્થિત હવેલી પર અને માંડ્યો  સંવાદ.

“મારી મા છે એ દામનગરના હતા. દામનગર એટલે ગાયકવાડ સરકારનું ગામ અમરેલી જિલ્લાનું ને ત્યાં ગાયકવાડને કારણે છોકરીઓની સ્કૂલ હતી. હરિજનની પણ સ્કૂલ હતી અને કેળવણી માટે ગાયકવાડ સરકારે ઘણી બધી મહેનત કરેલી. મારી માતા છ ધોરણ  સુધી ત્યાં ભણેલા.  મારા ગામનો ગરાસદાર પણ ભણેલો નહોતો. એટલે કોઈ કાગળ આવે તો મારી બા પાસે એ વંચાવવા આવતા. ને મારી બા એને વાંચી દેતી હતી.  ત્યાં એવો નિયમ હતો ગામના  ગરાસદારનો કે વહુએ ગરાસદારનું એક માણું દરણુ (અનાજ) દળી દેવું પડે. એને વેઠ કહેવાય.  એક માણું એટલે પાંચ કિલો દર મહિને દળી દેવું પડે. એનો પ્હાયતો  મૂકી જાય અને પાછો લઇ જાય. હવે મારી મા ભણેલી હતી અને કાગળ વાંચી દેતી હતી એટલે મારી મા ની વેઠ બંધ. મારા ઘરમાં ને મારા સગાવ્હાલા  બધાને એવું થયું કે ભણે એને વેઠ નહીં કરવાની. ભણેલા ન હોય,  અભણ હોય એણે વેઠ કરવી પડે.  

હું પંદર વર્ષનો ને મારું વેવિશાળ કરેલું . લગનમાં અમે દસ જ જણા ગયા હતા. મારા સસરા લોકોનું કુટુંબ બહુ મોટું. અને એ લોકો પૈસાદાર પણ ખરા. મારા ઘરડા સસરા કાસમદાદા બહુ સારા લોકો . મેં કીધું હું શેરો  નહીં બાંધું ધુ, હું ઘોડે નહીં બેસું, હું ખાદીની ટોપી અને ફાળકી સુતરની અને ચપ્પલની પહેરીને હું આવીશ અને હું ચાલતો ચાલતો આવીશ. તો પેલો ડોસો કહે કે  એ કહે તે  કરવા દે ને જે કરવું હોય એમાં  શું વાંધો છે આપણને. પછી મારા નિકાહ થયા. પછી વળાવે બીજે દિવસે કન્યાને અને છેડાછેડી બાંધવાનો રિવાજ હિન્દૂ જેવો જ હતો. હું કન્યાની પાછળ છેડાછેડીને કારણે એટલે બધી બાઈઓ રડે, તો હું પણ રડવા લાગ્યો.  મારી કાકીજી બહુ હોશિયાર હતી.  એ કહે,  તું શું કામ રડે છે ? મેં કીધું તમે રડો એટલે હું રડું છું. હું પહેલેથી કોઈ કન્યાને વળાવી ન શકતો. એ રડે એ મને ગમે નહીં. મારી દીકરીને હું કહું કે જો તમે હસતા હસતા જાઓ તો હું આવું. તમારો રડવાનું નહીં,  જો હીબકો ભર્યો તો પછી મારાથી છૂટી જશે એટલે મને બહુ રડવું આવી જતું. 

અમે ઘરે આવી ગયા પછી ત્યાં બાઈઓ બેસવા બોલાવે કે અમારે ઘરે ચાલો. બીજે દિવસે બે ત્રણ બાઈઓ પાણી ભરીને આવતી હતી,  એ કહે, આ ક્યાંથી લઇ આવ્યા છો તમે ? કઈ ખાઈ નહીં, કઈ પીવે નહીં, કઈ એને પગ દાબતાં આવડે નહીં. કઈ નથી તારી વધુમાં હા, છે રૂપાળી.  પણ ખાઈ પીવે નહીં. મેં ઘરે આવીને પૂછ્યું કે,  અહીંયા આપણે  ત્યાં તો રિવાજ છે,  તો કહે,  હું તો હિંદુના ઘરનું  ખાતી નથી. તો કહે મેં કહ્યું કે જો એમને ઘરેથી  છાશ લઇ આવીએ અને એની કઢી બનાવીએ  તે  બાજરાના રોટલા સાથે ખાઈ શકીએ છીએ, બોલો તો એનું   મારે શું કરવું ? મને કહે આપણે દૂધ ખાઈશું. મેં કીધું દૂધ લેવાના પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે એટલે મુશ્કેલી બહુ પડશે તો કહે ના હું વેઠીશ. લૂખો રોટલો ખાઈશ તમે મૂંઝાશો નહીં. વાત સાંભળીને મને પહેલા તો બહુ મોટો આચકો લાગેલો પણ એણે એમ કીધું ને કે,  હું લૂખો રોટલો ખાઈને પણ જીવીશ તમે મૂંઝાતા નહીં એ મને બહુ ગમ્યું. જો કે ભદ્રાયુભાઈ,  આજે તો અમર ઘરમાં હિન્દુની બે દીકરીઓ વહુઓ થઈને આવી છે ને સૌ એકમેકના થઈને રહે છે.” 

 

શ્રી જોરાવરસિંહજી જાદવ

અસ્મિતા વિશેષ સંવાદ :: (31) 

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

ખુબ અજાણ વ્યક્તિઓ દ્વારા પ્રસ્તુત થઇ રહેલ લોકવિદ્યા, લોકવાદ્ય, લોકનૃત્ય, લોકકથા,,,,વગેરેને ખોજીને તેને સંગોપી લેવા માટે જીવનભરનો પુરુષાર્થ કરનાર શ્રી જોરાવરસિંહ જાદવે  અસ્મિતા વિશેષ સંવાદ દરમ્યાન અચંબિત કરી મૂકે તેવી વાતો કરી. એક નાની શી ઝલક…

“મને કહેવામાં આવ્યું કે બેન્કની રજત જયંતી છે એ નિમિત્તે એક અદભુત લોકકળાનો કાર્યક્રમ કરવો છે. બજેટની કોઈ લિમિટ નથી. તમને યોગ્ય લાગે એવા કલાકારો તમે લઇ આવો. તો અમે તો સૌરાષ્ટ્રની રાસ મંડળી, ગરબા ગ્રુપ અને ભવાઈ કલાકારો બધાને લાવવાનું નક્કી કર્યું  પછી મને થયું કે પેલી ગુલાબીને આપણે આમાં લાવવી જોઈએ. એટલે મેં ચેરમેનને વાત કરી, સાહેબ એક મદારણ છે અને ખુબ સરસ નૃત્ય કરે છે.  એ તો ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને  મને કહે,  આ રજત જયંતીમાં  દસ હજાર લોકો ભેગા થાય અને તમે મદારણને નચાવશો ? તમારે મને બેંકમાં રહેવા દેવો છે કે કઢાવી મુકવો છે ? અઠવાડિયા પછી એના મેનેજરને મોકલ્યા.  મને કહે,  સાહેબ આપણે પેલી મદારણને મળવા જવું છે, ચેરમેન  એનો કાર્યક્રમ રાખવાની ના નથી પડતા પણ  મને  કહે કે,  તમે જઈને જોઈ આવો તો જ લાવવાની,  નહિતર ના પડી દઈશું. ગુલાબી અને તેના સાથીદારોનો માઉન્ટ આબુ ઉપર પ્રોગ્રામ હતો. રાજસ્થાનના કલાકારોને ટુરીઝમે બોલાવેલા તો ત્યાં શોધતા શોધતા અમે રાજસ્થાન ટુરિઝમની ઓફિસ ગયા,  તો દરવાજા આગળ એક રાજસ્થાની લોકોનું ટોળું. બધા ભાઈઓ ને બાઈઓ બેઠેલી. મેં એને પૂછ્યું,  ગુલાબી યહાં આયી હે ? તો એક બાઈ મારી સામે  ઊંચું જોઈને કહે,  ક્યા કામ હે ગુલાબી કા  ? મેં કીધું,  મુઝે  ઉનસે મિલના હે.  તો કહે,  મૈ  તો ગુલાબી હું. ઓળખાય નહીં એવા કપડાં પહેરેલા.  મેલા ઘેલા કપડાં અને તેથી ઘડીક ભર તો મેં પણ એને ન ઓળખી . મેનેજર તો ઘડીક મારી સામે જોવે અને ઘડીક એની સામે જોવે પછી મને કહે સ્ટેજ ઉપર સારા કપડાં તો પહેરશે ને ? મેં કીધું, તમે જુઓ તો ખરા. પછી બધી વાતો કરી અને કહે, શામકો મેરા પ્રોગ્રામ હૈ, ટુરિઝમવાલોકા, આપ  નખી તાલાબ  પર આ જાના… અને સાંજે એણે જે કરબેલીયન  નૃત્ય રજૂ કર્યું એ જોઈને મેનેજર મને કહે કે, સાહેબ બીજાને કોઈને લાવો કે ન લાવો પણ આપણા પ્રોગ્રામમાં ગુલાબોને તો આપણે ચોક્કસ લઇ જવાની છે. મેં એની જોડે વાત કરી, મહેસાણા એક પ્રોગ્રામ છે ત્યાં આવવાનું છે, એણે કહ્યું, આ જાઉંગી…એક જ વાક્ય એનું,  ‘હા, સાહેબ આ જાઉંગી.’ મહિના પછી પ્રોગ્રામ હતો. મહેસાણાના  પ્રોગ્રામમાં ચાર પાંચ આઇટમો પછી ગુલાબીને મૂકી અને એણે કાળા  કપડાં પહેરીને  અરરર …અરરર .. કરીને  જે જમાવટ કરી કે  લોકો ઉભા થઈને છ વખત once more once more કરાવીને જંપ્યા !!   પછી તો એને  ત્યાંથી અમે અમદાવાદ લઇ આવ્યા અને રાજકોટ અને  ભાવનગર કાર્યક્રમ  કર્યો અને પછી અમદાવાદ દૂરદર્શન ઉપર એમનું ઇન્ટરવ્યૂ કર્યું..  તો ઇન્ટરવ્યૂમાં એણે સરસ કલાભર્યા નૃત્ય રજૂ કર્યાં  અને થોડી પ્રશ્નોત્તરી કરી. એ ઇન્ટરવ્યૂ સંગીત નાટક અકાદમી દિલ્હીના સેક્રેટરીએ જોઈને મને ફોન કરીને બધી વિગત માંગી કે, ભાઈ આ કલાકાર કોણ છે,  ક્યાંના છે ?  એ વર્ષ હતું ૧૯૮૫ ની સાલનું. અને ગુલાબીને દિલ્હી બોલાવીને એને કહ્યું કે,  ફ્રાન્સમાં ઇન્ડિયન ફોલ્ક આર્ટ ફેસ્ટિવલ છે, વહાં  તુજે જાના હે… સીધી એને ફ્રાન્સના પ્રોગ્રામમાં મોકલી. ગુલાબીમાંથી ગુલાબો થઇ અને વિશ્વવિખ્યાત ડાન્સર ગુલાબો તરીકે સુપ્રસિદ્ધ થઇ છે.  અને હા, એ કશું ભણી નથી. આખી સહી કરતા પણ આવડતું નથી. પણ ફ્લાઈટમાં એકલી જ પ્રોગ્રામ કરવા જાય છે. વર્ષમાં ત્રણ ચાર મહિના તો ફ્રાન્સમાં જ હોય છે. આ ગુલાબોને ભારત સરકારે ‘પદ્મશ્રી’નો ખિતાબ અર્પણ કરેલ છે.”

 

શ્રી ગુણવંત શાહ

 અસ્મિતા વિશેષ સંવાદ ::(30) 

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

ગુજરાતને અને ગુજરાતીને શ્રી ગુણવંત શાહનો પરિચય આપવાની જરૂર હોય ખરી ?? શિક્ષણશાસ્ત્રના મૂર્ધન્ય પ્રાધ્યાપક, ગુજરાતી સાહિત્યના અગ્રિમ સર્જક, અધ્યાત્મ માર્ગના અનેક ગ્રંથોના લેખક અને રાષ્ટ્રની કે સમાજની હરપળ ચિંતા કરી ખલેલ પામનાર ચિંતક શ્રી ગુણવંત શાહ. તેઓ પદ્મશ્રી છે , સાહિત્યરત્ન છે, અનેક સન્માનો તેઓના નામે છે,,, જો કે આ બધા જ વિશેષણો ગુણવંત શાહના નામથી ઉજળા થયાં  છે. અસ્મિતા વિશેષ સંવાદ માટે તેઓશ્રી સહકુટુંબ વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને નરમ તબિયત વચ્ચે પણ નિજી મૂડમાં યાદગાર સંવાદ કર્યો. તેમાંથી એક નાની વાત અહીં પ્રસ્તુત છે…

ભદ્રાયુ :: બા એ જે છૂટ ગુણવંતને નહોતી આપી એ બધી જ છૂટ ગુણવંતે એના સંતાનોને આપી. 

@ હા, કોઈએ મને કન્સર્ન કર્યો નથી.  લગ્ન કરતા પહેલાં કે લગ્ન નક્કી કરતા પહેલાં. They informed  me. મેં કહ્યું આપણે તપાસ કરીએ જરા,  એટલામાં તો આવીને કહ્યું કે,  ભાઈ હવે નક્કી થઈ ગયું છે. મેં કીધું ભલે.. અને એમાં મારા વિચારો એવા ઉદાર ખરા કે It  is decided by God.  Marriages are made in heaven.  અને ભૂલ કરે તો પણ એમણે લીધેલો નિર્ણય સારો,  આપણે થોપી બેસાડીએ તેના કરતા,  એવી મારી માન્યતા. વિવેકપૂર્વક inform કરે, આપણું સાંભળવા પણ તૈયાર પણ માનવા તૈયાર નહીં અને મેં એવું કહ્યું જ નથી એ લોકોને. આ હું મારી બા ના ડહાપણ પરથી પણ શીખ્યો કે થોડોક  એ લોકો પર પણ વિશ્વાસ રાખવા જેવો છે. એ મારી બા તરફથી મળેલો મોટામાં મોટો લેસન. આ તદ્દન ફ્રેન્ક વાત કરી દીધી તને. 

ભદ્રાયુ :: અને વિવેકના કિસ્સામાં ?

@ વિવેકના કિસ્સામાં તો એવું થયું કે મુસલમાન સાથે મેરેજ કરવાના અને એને પણ ખબર કે ભાઈને જરા કન્સર્ન કરવા પડશે. કુમુદબેનને ત્યાં હું અને વિવેક સુતેલા હતા. એટલે વિવેક ઉઠ્યો.  મને કહે કે, ‘ભાઈ એક વાત કરવી છે.’ મેં કીધું, ‘દીકરા લગ્નની ?’ તો કહે,  ‘હા,’ મેં કીધું,  વાહ,  બહુ સારું,  કારણકે એ લગ્ન કરવાની ઉતાવળમાં નહોતો,  ફિલ્મ લાઈનમાં ખરો ને..મને કહે,  ‘ભાઈ,  લવ થયો છે,’ what a good  news’ ..’’પણ ભાઈ, છોકરી મુસલમાન છે’.  મેં કીધું, ‘કાંઈ  વાંધો નહીં,  જો છોકરી સારી હોય તો આપણને વાંધો નથી. તારી પસંદગીની હોય તો..’. એ કહે,  ‘મારી પસંદગીની છે,  પૂરેપૂરો વિશ્વાસ છે મને અને બહુ જ સારી છોકરી છે.’ બીજું કઈ ? તો કહે,  she is already married’.’ મેં કીધું,  ‘તેની અત્યારે શું સ્થિતિ છે ?’ તો કહે,  ‘એને એક છોકરી પણ છે.’ મેં કીધું,  ‘બીજું કઈ પણ કહેવાનું હોય તો કહી દે… લંગડી છે, લુલી છે એવું કાંઈ  હોય તો પણ કહી દે. હવે તું મારી પરીક્ષા લઇ રહ્યો છે ? એક પછી એક પગથિયાં ચડતો જાય છે.’ તો કહે,  ‘ના ના ભાઈ એવું નથી આમ,,તેમ..’ એણે ધીરજથી કામ લીધું. પછી એવું બન્યું કે  ભગવાનની મોટી મહેરબાની  આજે અમે બહુ ખુશ છીએ. વિવેકની પત્નીને  રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે. ફિલ્મની સ્ટોરી લખવાનો… બતુલને… તું બતુલ સાથે બેસીને વાત કરે તો તને એમ લાગે કે સેન્સિબલ છે. પૂરેપૂરી  સેન્સિબલ… હજુ સુધી એક પણ દિવસ ઉંચે સાદે વાત નથી થઈ અમારે આખા કુટુંબમાં બતુલ સાથે…

 

વિનોદ જોશી

અસ્મિતા વિશેષ સંવાદ :: (29) 

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ગુજરાતી કવિતાના ગીતકવિ પ્રા. ડો. વિનોદ જોશી ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ગુજરાતી ભાષા ભવનના પૂર્વ અધ્યક્ષ છે અને તેઓશ્રી સુ પ્રસિદ્ધ કવિ-વિવેચક અને ભાવપૂર્ણ વક્તા છે. તેઓનાં ગીતો ગુજરાતી સુગમ સંગીતનું નઝરાણું બની રહ્યા છે. અસ્મિતા વિશેષ સંવાદમાં તેઓની શબ્દબ્રહ્મની ખોજ તરી આવે છે. તેઓના જીવનનો એક પ્રસંગ જાણીએ :  

“હું ભણ્યો બોટાદમાં કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હું ગ્રેજ્યુએટ થયો. એ ગાળામાં નવનિર્માણ  આંદોલન થયેલું ગુજરાતમાં. માસ પ્રમોશન અપાયેલું ત્યારે પણ  મેં માસ પ્રમોશન નહોતું સ્વીકાર્યું. આની સાથે જ જોડાયેલી ઘટના છે. માસ પ્રમોશન મળ્યું, મેં ન સ્વીકાર્યું એટલે પરીક્ષા આપવાની થઇ પણ બોટાદ કોલેજને પરીક્ષા કેન્દ્ર ન મળ્યું. તો મારે ભાવનગરમાં પરીક્ષા આપવા જવાનું થયું. હું ભાવનગરમાં કોઈને ઓળખું નહીં. અને કવિતા લખતો હતો એટલે એમ થયું કે ભાવનગરના કોઈ કવિને ત્યાં જાઉં. તો નાથાલાલ દવેને ત્યાં હું ગયો. અને મારી ઓળખાણ આપી. મેં કીધું હું પરીક્ષા આપવા આવ્યો છું. એટલે કહે કે રહેશો ક્યાં ? થોડીવાર તો કંઈ  જવાબ આપ્યો નહીં. પણ મારી ચિંતા એ જોઈએ ગયા હોય કે ચહેરો વાંચી ગયા હોય એમ એમણે કહ્યું કે તમારે અહીંયા જ રહેવાનું છે. એ કવિના ઘરે આવી રીતે હું મારી પરીક્ષા ચાલી ત્યાં સુધી રહ્યો.

પહેલી રાત્રે હું જયારે સૂતો એમના ઘરે,  ત્યારે ક્યાં સૂવું એ જગ્યા બતાવી એમણે મને કહ્યું કે  આ પલંગ પર તમારે સુવાનું છે. હું તો કોઈ દિવસ પલંગ પર સૂતેલો નહીં.  ઘરમાં નીચે ગોદડાં પાથરીને સુઈ જવાનું આ જ ટેવ હતી. પલંગ ઉપર ક્યારેય સૂતેલો નહીં, એટલે મારા ચહેરા ઉપર પાછો ક્ષોભ આવ્યો. મને કહે,  કેમ મૂંઝાઓ  છો ? મને કહે,  આ પલંગ પર ઉમાશંકર જોશી પણ સુતેલા છે. પછી હું સૂતો એ રાત્રે. અને રાતના એક બે વાર મારી ઊંઘ ઉડી ગઈ.  પેલું વાક્ય મારા ચિત્તમાં આવ્યા કરે કે ‘આ પલંગ પર ઉમાશંકર જોશી સુતેલા છે’ . એટલે એક કવિના ઘરમાં જેના ઉપર એક કવિ સુતા હોય એ પલંગ પર મારું સુવાનું ને એ બધું મારી અંદર એવું ઘુમરાયા કર્યું કે મને એવું લાગવા માંડયું  કે હું કવિતા કરી શકીશ, હું કવિ થઇ શકીશ. અને ત્યારે તો બીજા ઘણા સામાયિકોમાં કવિતા છપાતી હતી. એ વખતે મહેન્દ્ર મેઘાણી મિલાપ ડાયજેસ્ટ પ્રગટ કરતા હતા. નવનીત સમર્પણ બંને જુદા સામાયિકો હતા. સમર્પણમાં પણ મારું છપાતું અને નવનીતમાં પણ છપાતું.  આ બધા સામાયિકોમાંથી મહેન્દ્ર મેઘાણી મિલાપમાં મારી કવિતા છાપતા એટલે એ મને ઓળખતા.  મને થયું કે હવે કવિતા એ મારી સાચી દિશા છે. હકીકતે મારામાં સર્જકતાનું કંઈક બીજ તો પડેલું હશે જ. કારણકે હું નાનો હતો ત્યારે ચિત્રો દોરતો. ઘણા સરસ ચિત્રો મેં કરેલા… ચિત્રકાર સારો થઇ શક્યો હોત.. મારામાં ધૈર્યનો અભાવ હતો. ચિત્રમાં ધૈર્યની બહુ જરૂર પડે. એટલે એ ન થયું. મારે ગાયક થવું હતું. મેં એક વખત એવો પણ વિચાર કર્યો કે હું સારો ગાયક થાવ કારણકે મારો અવાજ સારો હતો અને ઉચ્ચારો હું સ્પષ્ટ કરી શકતો હતો. પણ દુર્ભાગ્યે હું કોઈ તાલીમ લઇ ન શક્યો. એટલે ચિત્ર ગયું, સંગીત પણ ગયું એટલે હાથમાં રહ્યો શબ્દ. અને શબ્દમાં પછી હું આ રીતે પોષણ મળતું ગયું  એમ આગળ ચાલ્યું.”

શ્રી પંકજ જોશી

અસ્મિતા વિશેષ સંવાદ : 28

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

ખગોળ શાસ્ત્રને ધરમૂળથી આત્મસાત કરનાર ડો. પંકજ જોશી, એવા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની છે કે તેઓ વાત કરે ત્યારે કોઈ પ્રકાંડ શાસ્ત્રી વાત કરતા હોય તેવો ભાવ પ્રગટે. પંકજભાઈ વિજ્ઞાની ખરા, પણ તેઓ અધ્યાત્મને પણ વિજ્ઞાનની મદદથી એવી રીતે સમજાવે કે બાળક થી લઈને સિનિયર સીટીઝન સુધીની પ્રત્યેક વ્યક્તિને જટિલ બાબત પણ ગળે ઉતરે. મુંબઈના TIFR ના સાયન્ટીસ્ટ પંકજભાઈએ ખગોળવિજ્ઞાનમાં ઓથોરિટી ગણાય તેવું સંશોધનાત્મક પ્રદાન કર્યું અને વિશ્વ સ્તરે તેઓને માન  અને સન્માન મળ્યાં. આમ છતાં તેઓ એકદમ down to earth વ્યક્તિ. પુરી સહજતાથી એ કોઈની પણ સાથે સંવાદ કરી શકે. અસ્મિતા વિશેષ સંવાદ દરમ્યાન પણ તેઓની સાદગી અને નિખાલસતા સ્પર્શી ગઈ. તેઓ અમેરિકાનો એક અનુભવ વર્ણવે છે તે માણીએ ::

“એક વખત હું ધીરજરામ શાસ્ત્રીજીની સાથે વાત કરતો હતો.  જયારે  MSc પૂરું કર્યું ને ત્યારે મેં એમને કહ્યું કે,  હવે મારે આ બધું મૂકી દેવું છે. વિજ્ઞાન અને ગણિતનું સંશોધન નથી કરવું અને આપણા જે શાસ્ત્રો છે એના અધ્યયનમાં મારે લાગી જવું છે. મારા મનમાં તો એમ હતું કે પોતે જ્યોતિષના વિદ્વાન, આયુર્વેદના વિદ્વાન અને શાસ્ત્રીજીની  ડિગ્રી ધરાવે છે તો એ મને કહેશે કે,  હા  હા બહુ સારું.. (એક નવો ચેલો મળ્યો એમ…) એ મને કહે કે,  શું ફેર પડે છે ? અત્યાર સુધી વ્યવહારમાં આ ગણિતનો પરિચય છે તે ચાલુ રહેવા દે, તો મેં કીધું, પણ  શાસ્ત્રોનું અધ્યયન…  તો મને કહે,  એ અંદરથી સૂક્ષ્મ રીતે થઇ જશે. આ શાસ્ત્રીજીએ આવું કહ્યું  એટલે ટૂંકમાં એણે મને હા ન પાડી. બીજી બાજુ મકરંદભાઈ (સાંઈ મકરંદ) સાથે એકવાર વાત કરી.  ‘મકરંદભાઈ આટલી બધી ચર્ચાઓ અને આપણે મળીએ અને આ બધી જાતજાતની આ બધી વાતો ને હું આ વિજ્ઞાનમાં ક્યાંથી ઘુસી ગયો??  ત્યારે મકરંદભાઈ મને કહે છે કે,  કેમ પંકજ,  તને એ ખબર નથી કે ઈશ્વર પોતે મોટો વિજ્ઞાની છે ! આપણે ત્યારે તો એક જ પંક્તિ હોય છે.  ઈશ્વર પોતે જ મોટો વિજ્ઞાની હોય છે એ ખબર નથી તને ? એવો સવાલ કરે છે તો મારું કહેવાનું એ છે કે આપે જે વાત કરીને આ તત્ત્વતઃ બંને વસ્તુ ભિન્ન નથી પણ આ જે સોસાયટીની અંદર ઈઝમ અને ઘણું બધું છે એટલા માટે હું આ વારંવાર વિચારે ચડું  છું. મારે કુમારપાળભાઈ સાથે પણ હમણાં જ્યારે છેલ્લી વાર માધવપ્રિયદાસજી આવ્યા હતા અને વિશ્વકોશનું કશુંક ઉદઘાટન હતું એ સમયે કુમારપાલભાઈ કહે કે,  તમે વિજ્ઞાનના માણસ છો.  પણ ત્યારે આ જ વાત અમારે થયેલી કે આ જે સમન્વય છે એ આજની પરિસ્થિતિમાં, વધારે તો આપણા બાળકોને અને આપણા યંગ પીપલને આપણે કેવી રીતે સમજાવીશું ? આજે એમને કહીશું કે પાંચ માળા કરી લો, પૂજામાં જઈને બેસો તો… એમ કશું નહીં થાય. એમને તમારે વિજ્ઞાન દ્વારા ધર્મ આપવો પડશે. ને એમાં કોઈ વિરોધ નથી. એમાં કોઈ પરંપરાને કોઈ નુકસાન નથી, ઉલટું  એ પરંપરાને સાચી રીતે સમજતા શીખશે.  તમે એવું  કહો કે,  અમે શું કામ વિજ્ઞાન દ્વારા અધ્યાત્મને આપીએ ?? તો એમાં કોઈ  નીચા નથી થતા. તમે એક જુદી પદ્ધતિ શીખવો છો. અને આપણે ત્યાં  જુદી જુદી પદ્ધતિ તો હંમેશા સ્વીકારાણી છે.  આપણા ઉપનિષદોમાં તો હંમેશા પ્રશ્નોત્તરની પરંપરા રહી છે. એટલે આ વસ્તુ જે છે એ બહુ જરૂરી છે. મને એક જ આ દાખલો યાદ આવે છે તો કહી દઉં… કે હું લોસએન્જલ્સમાં હતો, ત્રણ ચાર વર્ષો પહેલા.  કોરોના આવ્યો એની પહેલા. ત્યાં લોસએન્જલસમાં ચિન્મય મિશન બહુ મોટું છે.  મને કહે કે,  તમે ફિઝિક્સ અને વેદાંત ઉપર વાત કરો. મેં કીધું, તમારા હિસાબે અને તમારા જોખમે હું તો વાત કરું.  મને કઈ વાંધો નથી. મને કહે કે ના તમારે કરવાનું છે. એટલે પછી કહે કે બે લેક્ચર આપવા પડશે. કારણકે અમારી કેપેસીટી ૧૦૦૦ લોકોની જ છે. મેં કીધું ભલે, આપણે તો એ હેતુ માટે જ આવ્યા છીએ. આ બે લેક્ચર થયા પછી નાના નાના ગ્રુપમાં ત્યાં બધા લેક્ચર્સ ઘણા થયા. ત્યાં આપણા એક સોનીજી છે બકુલભાઈ તરીકે એમને બધા પ્રેમથી ઓળખે છે. એટલે પછી એ ગ્રુપ્સમાં એક અમેરિકન લેડી હતી. એ અમેરિકન લેડીની ઉપસ્થિતિમાં  હું બધી વાત કરતો હતો કે આ મન, આ માઈન્ડ ને અંતઃકરણ ને એ બધું ત્યારે એકદમ ઉભા થયા એ  બહેન અને મને કહે છે : આ તમે બધી માઈન્ડ ને અંતઃકરણ આ બધી વાત કરો છો તો શું આ બધી વાત છે, આ બધું કોણે  જોયું છે ? અને At  the end it is ન્યુરૉન્સ in the brain . the ન્યુરૉન્સ in the brain which are producing effect.  આપણે જે કાંઈ અનુભવ કરીએ છીએ. એટલે આ બધી તમારી વાત ધડ માથા વગરની છે એવુ મને કહેવા લાગ્યાં. મેં કીધું,  બહુ સરસ, ચાલો તમે આ વાત કરી તે સંમત. હવે તમે એમ કહો છો ને કે ન્યુરૉન્સ  in the brainની વાત કરું તો ન્યુરૉન્સ ને એનું નેટવર્ક તમે એ બધું જોયું  છે ? તો કહે,  મેં ન્યુરૉન્સ જોયા તો નથી. તો મેં કીધું, તો  તમે કેમ માનો છો ?  તો કહે કે એ તો સાયન્સ કહે છે, પ્રયોગો ને બધું છે એટલે. તો મેં કીધું પણ તમે તો જોયા નથી ને ! અને સાયન્સમાં પણ શું મેથોડોલોજી છે એ બધું ચેક તો કરીને ડાયરેકટલી કે ઈન્ડાયરેક્ટ્લી શું આમાં છે, તે તો વિજ્ઞાને જાણ્યું હશે ને? મને કહે, હા એ તો બરાબર છે. મેં કીધું એ વાત પણ… તમે મને કહો  કે,  Do you agree that you exist ? તો એકદમ મારી સામે ઉભા થઈને કહે કે,  what do you mean ? of course, I exist. I am very much here and I Exist. Definitely I exist. પછી મેં કીધું , બરાબર છે. Do you agree that you feel pleasure, pain, you have sometimes certain emotions, sometimes love, sometimes

hate, sometimes angry, sometimes anxiety, some different type of you know it happens all the time?  પછી મેં કીધું what do you prefer ? what do you like? તેઓ કહે, I like to be always in pleasant condition of mind.  મેં કહ્યું :: than you want to be happy right ? in your existence. You like to be in a certain state of mind all the time where you get the happiness. માઈન્ડ નો શબ્દ પણ જવા દો, પણ in your existence you want to be in a certain state.  ત્યારે મને કહે,  એ તો બરાબર છે એમાં ક્યાં કોન્ટ્રોવર્સી છે ?  તો મેં કીધું let us think how to do, how to achieve that. So what are the ways we are talking about that nothing more.  આ વાતની જ આપણે વાત કરી રહ્યા છીએ,  ન્યુરૉન્સને ય ભૂલી જાઓ ને…”

 

શ્રી ગુલામ મોહમ્મદ શેખ

              અસ્મિતા વિશેષ સંવાદ : 27

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

એક અનેરું વ્યક્તિત્વ, જેની અંગુલીઓ ઉત્તમ સાહિત્ય સર્જે છે અને ક્લાસિક ચિત્રો પણ દોરે છે !! બંને કલાઓમાં એ શીર્ષસ્થ છે. મૂળ સુરેન્દ્રનગરના વાતની અને વડોદરાની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના પારંગત શ્રી ગુલામ મોહંમદ શેખ મળવાની અને ગોષ્ઠી કરવાનું ગમે તેવું વિશેષ વ્યક્તિત્વ. તેઓની સિદ્ધિને સાચા અર્થમાં પહેચાનવા માટે તેઓની  વડોદરા સ્થિત વૃક્ષોથી આચ્છાદિત હવેલીની નિરાંત જીવે મુલાકાત લેવી રહે. પતિ અને પત્ની બંને ચિત્ર સર્જન માટે લગભગ આખો દિવસ પોતે શોખથી બનાવેલા સ્ટુડીઓમાં જ ગુજારે છે. અમે કોરનાકાળ હળવો થયો કે તરત તેઓના નિવાસે પહોંચ્યા અને તેઓ સાથે રસપ્રદ સંવાદ કર્યો. 

શ્રી ગુલામ મોહંમદ શેખ સાહેબ પોતાના જીવનની ચડતીની વાત કરે છે. :::

“જુઓ, મારા મનમાં બીજું કશું ન હતું.  એમ.એફ. હુસૈનને  અમે લોકો ભણતા હતા ત્યારે મહેન્દ્રસાહેબે બોલાવ્યા એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવીને દેખાડેલું. બહુ મોટા ગજાના કાલા સર્જક,  મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા અને એમણે ઘોડાનું એક ચિત્ર દોરી  દેખાડ્યું. એ સમયે એમની સાથે ઓળખાણ થઇ અને એમને મેં મારા ચિત્રો બતાવ્યા. ત્રીજા ચોથા વર્ષમાં હું કેવું કરતો હોઈશ ? … પણ એમણે જોયું અને પછી હું જયારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું કે મારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું છે.  મારે મારી મેળે મારું પોતાનું કશુંક કરવું છે. એટલે કે  હું કરું..  પણ કેવી રીતે કરું ? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસૈન તો ઘોડા માટે બહુ જાણીતા છે. પણ એમના ઘોડા એ પ્રકારના કે જે સમયને પાર શું કહેવાય એવા.  જેમાં અત્યંત પુષ્કળ ઉર્જા, સ્ફૂર્તિ અને આવેગને એ બધું જ છે. એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી.  એ ઘોડા એ માત્ર ઘોડાઓ છે એટલે કે ઉર્જાના પ્રતીકો છે. મારો ઘોડો તો જાણે  ઘોડાગાડીનો ઘોડો હતો. બિચારું ટાયડું  ઘોડું… તેણે  ગાડી ખેંચવાની. એટલે મારો ઘોડો તો જાણે હજુ ફરે છે અને શોધ્યા કરે છે કંઈક  અને એનું મોઢું ખુલ્લું છે. જે અર્થમાં કહો તે અર્થમાં.  અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ !  હું દુનિયામાંથી કશુંક શોધવા માંગતો હતો અને એ શોધવા માટે મારી પાસે કશું નહોતું તો ઘોડો હાથમાં આવ્યો અને ઘોડા દ્વારા મેં આખી દુનિયા જોઈ. એ અરસામાં મેં લગભગ ૧૦૦ – ૨૦૦ ચિત્રો કર્યા. ખુબ કામ કરતો. સૌથી મોટી ફાઈન આર્ટસ કોલેજની એ ખૂબી કે ચોવીસ  કલાક આખી સંસ્થા ખુલ્લી રહે.  તમારે આખો દિવસ ગમે ત્યારે ત્યાં કામ કરવું હોય તો કરી શકો. અને પછી ચિત્ર માટેની સામગ્રી તો આમ તેમ ઠેબા મારીને પણ અમે શોધી લેતા, મળી જતું બધું… પચાસ  રૂપિયાની સ્કોલરશીપ મળી કે ન મળી,,, ઘણી વાર મળે,  ઘણી વાર ક્લાર્ક  ખાઈ જાય તો પણ મેં ગમે તેમ કરીને મારું કામ ચલાવ્યું અને ચિત્રો  કરતો રહ્યો. એટલા બધા ચિત્રો કર્યા કે પછી મને એમ થયું કે મારે મારું પ્રદર્શન કરવું જોઈએ અને મેં જહાંગીર આર્ટ ગેલેરી, મુંબઈ  બુક કરાવી અને પછી એમ.એફ.હુસૈનને લખ્યું કે મારે મારા ચિત્રોનું પ્રદર્શન કરવું છે. તમને નવાઈ લાગશે પણ ૧૯૬૧ નું મારું પહેલું પ્રદર્શન જહાંગીર આર્ટ ગેલેરીમાં થયું એનું ઉદઘાટન એમ.એફ.હુસૈને કરેલું. તેઓ આવ્યા કવિતા વાંચી. મને તો કલ્પના નહીં કે  કવિતા એવું બધું એ પોતાની મેળે લખતા હતા 

એ વખતે મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા મુંબઈમાં છે ત્યાં બધા કલાકારોના સ્ટ્યુડીઓસ છે,  તેમાં એ લોકો કામ કરે રોજ. એમાં લગભગ ૧ રૂપિયો ભાડું લેવાતું એવું કહેવાતું, સોની બાટલીવાળા એનું સંચાલન કરતા હતા. ત્યાં હું ગાયતોન્ડે, તૈયબ મહેતા અને એવા બધા કલાકારોને મળેલો. હુસૈને મને કીધું કે આ ગાય છે, આ તૈયબ, આ ફલાણું ને આ પેલા. બધાને પહેલા નામે બોલાવવાના. મણી સાહેબને મણી ન કહેવાય, મણીસાહેબ કહેવાય. અહીંયા હું ગાયતોન્ડેને  હું ગાય કહીને બોલાવું અને  તૈયબ મહેતાને તૈયબ કહીને બોલવું. એટલે મારો નવો સબંધ બંધાયો કલાકારો સાથેનો, કલા સાથેનો સબંધ તો હતો જ. નક્કી કર્યું કે આપણે કલાકાર જ થવું છે. આપણે આમાં જ પડવું છે. આપણે કોઈમાં આસ્થા હોય તો બીજી બધી આસ્થાઓ બાજુએ મૂકી સૌથી મોટી આસ્થા તે આ. મારે આમાં પ્રવેશ કરવો છે અને બને ત્યાં સુધી મારે એક જુદું જીવન જીવવું છે,  પૈસો મળે કે ન મળે. એ જમાનામાં કોઈ ખાસ એવી ગેલેરી નહોતી, એ જમાનામાં લોકો ચિત્રો ખરીદતા નહોતા એવું નહોતું. મારું પહેલું પ્રદર્શન થયું એમાંય મારા બે ચિત્રો વેચાયેલાં. વકીલ એન્ડ સન્સે  મારા ચિત્રોનું પોસ્ટકાર્ડ પણ છાપેલું. પિક્ચર પોસ્ટકાર્ડ છાપેલું. મેં માણ્યું કે કઈ નહોતું છતાં પણ આટલું તો હતું ને..!! અને હું જયારે મુંબઈ ગયો ને આર્ટ  ગેલેરીમાં પ્રદર્શન ખોલ્યું ત્યારે કેટલા બધા લોકો હતા. તમને નવાઈ લાગશે કે ઈબ્રાહીમ અલ્કાઝી,  અલ્કાઝી જે NSD  ના ડિરેક્ટર,  એ તે વખતે ભોળાભાઈ મેમોરિયલ  ઇન્સ્ટિટ્યૂટમાં બેસતા અને વ્યાખ્યાનો આપતા અને ઘણું બધું કરતા. અને એમનું થિયેટર પણ ચાલતું હતું તેઓ  મારું પ્રદર્શન જોવા આવ્યા હતા ને પ્રદર્શનના શીર્ષકો વાંચીને એટલા બધા ખુશ થયા અને મને પૂછેલું કે, તું વાંચે છે ? અને મેં એમને .થોમસની વાત કરી તો એટલા બધા ખુશ થઇ ગયા કે આટલી  બઘી  તને ખબર છે ? મેં કીધું,  આ મારા ગુરુ તો  સુરેશ જોશી એ તો મલ્હારમેં, રેલ કે, મેરુદા , પાસ આ બધાની કવિતાઓ એમણે અમારા સુધી પહોંચાડી છે. અને એમના સામાયિકોમાં તો મેં લખ્યું છે મને ઘરે બોલાવ્યો રાતે. મારી ઉંમર કેટલી એ તમે ગણો ૨૪ વર્ષ અને આ બધાનો પરિચય મને થયો એટલે મોટા ગજાના કલાકારોનો પરિચય થયો. 

મને હવે તો પાકું થયું કે મારે કલાકાર જ થવું છે પૈસો મળે કે ન મળે. એ જુદી વાત છે. ક્યાંક તો તમારે ગાંઠ બાંધવી જ પડે ને ! ક્યાંક તો તમારે નક્કી કરવું પડે ને કે શું કરશો તમે ? તમારે મા બાપને જવાબ તો આપવાનો નથી,  કારણકે મારા પિતાજીએ તો ત્યાં સુધીમાં વિદાય લઇ લીધી હતી. મારા ભાઈઓ પોતાની નોકરીઓ કરતા હતા.  એટલે મારે એમને કઈ આપવાનું નહોતું પણ મારી એમના તરફની સૌથી મોટી લાગણી એ જ છે કે મારા પિતાએ  મને ભણવા મોકલ્યો અને મારા ભાઈઓએ પણ મને નાની મોટી મદદ કરી. મારા કુટુંબે કોઈ આડખીલી નાખી નથી. એટલે આને તમે જે કહેતા હો  તે,, કૌટુંબિક વારસો કહો, કાઠિયાવાડી વારસો કહો કે ગુજરાતનો કે ભારતનો કે જે કંઈ  પણ કહો તે આ આપણો સાંસ્કૃતિક વારસો છે અને તેનો મને સીધે સીધો અનુભવ થયો.  એજ અરસામાં તમને બહુ નવાઈ લાગશે કે મહેન્દ્રસાહેબે મને બોલાવ્યો કારણકે રતન  નામના શિક્ષક હતા એમને કોમનવેલ્થ શિષ્યવૃતિ મળી અને એ ઇંગ્લેન્ડ જવાના હતા,  એટલે  મહેન્દ્રસાહેબ કહે કે  તું ભણાવીશ ? મેં કીધું કે મારું તો હજુ એમ.એ. નું બીજું વર્ષ બાકી છે,, તો એ કહે કે,  એમાં શું છે,  અહીં ભણવાનું અને ત્યાં ભણાવવાનું એટલે એક વર્ગમાં ભણ  અને  બીજા વર્ગમાં ભણાવ. નીચલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ..  અને એવી રીતે હું ભણ્યો. મને ૨૫૦ રૂપિયાની નોકરી પણ મળી. પહેલા પગારમાંથી એટલી બધી મજા કરી અને મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી..’

 

શ્રી દિનકર જોશી

             અસ્મિતા વિશેષ સંવાદ : 26 

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

ગુજરાતી સાહિત્યમાં અભ્યાસપૂર્ણ પ્રદાન કરનાર સાક્ષર શ્રી દિનકર જોશી શારીરિક તકલીફોને અવગણીને વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને દિલ ખોલીને વાતો કરી. એમના જીવનના અનુભવો એટલા ઉમદા છે કે તેમાંથી એક નવલકથા બને. ભારોભાર શિક્ષક દિનકરભાઈ છ્યાંસી વર્ષે અડીખમ છે. તેમની સાથેનો સંવાદ જીવનનો એક લ્હાવો બની રહ્યો.

“જન્મ પૂરતી હું વાત કરું તો મોસાળનું ગામ ભડી ભંડારીયા, ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ૧૯૩૭, ૩૦ મી જૂન. એવું કહેવાય છે કે પેલી થાળી વગાડતા. મારી પહેલા ત્રણ બહેનો.. ત્રણ બહેનો પછી મારો જન્મ. એટલે થાળી વગાડેલી મોસાળના ઘરમાં કે દીકરો આવ્યો. આ દીકરો જે મોસાળમાં આવ્યો એ દીકરો રહેવા તો પછી પૈતૃક ઘરે ગયો. પોતાના પૈતૃક વારસાનું બાપનું ગામ હતું બાજુમાં,  ભડી ભંડારીયા થી પાંચેક કિમિ દૂર અને એનું નામ જો એકવાર બોલીશ તો તમને યાદ નહીં રહે,  તમારે બે ત્રણ વાર ગોખવું પડશે. નાગધણીબા... ૮૦૦ માણસની વસ્તી. ઘરમાં લાઈટની તો વાત છોડો, ગામમાં બસ નહીં, ટ્રેન નહીં, શાળા નહીં, દવાખાનું નહીં કશું જ નહીં. પાણી ભરવા પણ ગામથી  ૧ કિમિ બહાર દૂર નદીએ જવાનું.. આવું આ ગામ. હવે આ ગામમાં થોડો વખત રહ્યા, પણ એ ગામમાં જે થોડા વર્ષ રહેવાના આવ્યા એમાં કેટલીક એવી વસ્તુઓ આજે હું યાદ કરું છું ત્યારે મને ખબર પડે છે કે કેટલું બધું આજે પણ જીવતું રહ્યું છે અંદર,  કે જેણે મને ઘડ્યો છે. આ ગામમાં સ્કૂલ તો હતી નહીં પણ..પાટી પેન લઈને એક નિવૃત વયોવૃદ્ધ કાકા બેસતા એ છોકરાઓને બોલાવતા. ત્રણ ચાર વર્ષનો હતો કદાચ એ પહેલાનું તો યાદ નથી. પણ ત્યાં હું ગયો અને પહેલી વાર એકડો ઘુટેલો એવું આજે મને યાદ છે. પણ પછી જાજું રહેવાનું અહીં બન્યું નથી. પણ ત્યારે  બાપુજી મુંબઈની  મુળજી જેઠા માર્કેટમાં, અમે અહીં નાગધણીબા ગામમાં. દર મહિને મનીઓર્ડર આવે એની રાહ જોવાની, ખર્ચીના દિવસો હતા એ… અઠવાડિયામાં એક વાર ટપાલી આવે ભડી ભંડારીયા ગામથી…અને જયારે આવવાનો હોય ત્યારે ચોરે બધા ભેગા થઈ જાય. અને ટપાલી વીણી વીણીને કાગળમાં જે સંદેશાઓ હોય તે ‘અલ્યા ભાઈ,  તું આને આપી દેજે’….’તું આને આપી દેજે’… એમ બધા બે ચાર પાંચ જણા જે બેઠા હોય એને આપી દે…. આ જગ્યાએ થોડો વખત રહ્યા પણ થોડા થોડા વખતના અંતરે બનેલા નાનકડા એક બે પ્રસંગો કહું..

અમારે ત્યાં સાપ બહુ નીકળતા… અમે એને એરૂ કહીએ…. એરૂ નીકળે ને એને મોટો જીવ કહેવાય.. ઘરમાં મોટો નીકળ્યો  એટલે એરૂ નીકળ્યો . આ એરૂ નીકળે એટલે એને પકડવા માટે અંબારામભાઈ કરીને એક બાવો.. એક્સપર્ટ… એ સાપના મોઢેથી સાપને પકડી લે.. અને સાપ પછી ભાઈના હાથ ઉપર વીંટળાય એ મેં જોયેલું છે. અને પછી એ સાપને ગામને પાદર જઈને છૂટો મૂકે. આ જોઈને મને બીક લાગતી ત્યારે હું ચાર પાંચ વર્ષથી વધારે મોટો નહીં હોઉં કદાચ પણ એ પ્રસંગ યાદ રહી ગયો છે. અંબારામભાઈને મેં પૂછ્યું,  કાકા તમને બીક નથી લગતી ? આ એરૂ કરડી જવાની ? ત્યારે એમણે હસતા હસતા કહેલું, ‘દીકરા એરૂ કરડે નહીં,  એના મોઢે તાળું હોય, અને એ તાળાની ચાવી ભગવાન આગળ હોય. ભગવાન એનું તાળું ચાવીથી ખોલે તો જ કરડે. એટલે એનાથી બીવાનું નહીં.!!! એક સવાલ ત્યારથી મનમાં થઈ ગયેલ હશે એમ આજે મને લાગે છે કે ભગવાન તાળું ખોલે તો જ એરૂ કરડે નહિતર એરુથી બીવાનું નહીં. આજે પણ એરુંથી બીવું  છું. આજે તો સાપ જોવા જવાનું હોય કે સામે આવતો હોય તો બીક લાગે છે પણ અંબારામભાઈ ત્યારે યાદ આવે છે કે બીવાનું નહીં ઉપરવાળો જયારે કહેશે ત્યારે જ એરૂ આવશે. ઉપરવાળો નહીં કહે  ત્યાં સુધી બીવાનું કારણ  નથી. આ એક સંસ્કાર એ વખતે થયેલા જે મને આજે યાદ આવે છે. વર્ષો થઈ ગયા… પણ આ એક બીજ રોપાયેલું.

એક બીજી વાત કહું તમને..

મારા બાપુજીના મોટાભાઈ એને જીબાપા કહેતા. આજે જીપપ્પા કે એવું કંઈક કહે છે ને એમ અમે  જીબાપા કહેતા. ઘરેથી સવારે ન્હાવા માટે નદીએ જવાનું. જીબાપા, કાકા, મોટા બે ચાર વડીલો, ખભે ધોતિયા અને ટુવાલ લઈને વીટલો વાળી, બગલમાં મૂકી નદીએ જાય.. અમે છોકરાઓ એમની આંગળીએ.. નદીએથી નાહીને પાછા ફરતા હતા. રોજની જેમ નહાવાનું, કપડાં ધોવાના, કપડાં સુકવવાના, શંકરના મંદિરે આરતી કરવાની અને પછી ઘરે આવવાનું. જીબાપાની આંગળીએ વળગીને આવતો હતો. બાપુજી નહોતા,  જીબાપા હતા. અને મોટા વડીલો વાતો કરતા હતા.  વાતો કરતા કરતા શું વાતો હતી તે  સમજાણી નહીં. જીબાપા કોકની વાત કરતા કરતા બોલ્યા ‘અરે, એની તો..’ ને એ ગાળ બોલ્યા… અને કોઈક અપશબ્દ બોલ્યા જેનો અર્થ મને ત્યારે સમજાયો નહોતો. એ શબ્દ મેં પહેલીવાર ત્યારે સાંભળ્યો હતો. તો એ બોલ્યા સાથે  બધા બોલ્યા :  હા સાચી વાત તેં  કરી..  મને થયું આ શું હશે ?  સાંજે જીબાપા ઘરમાં બેઠા હતા ત્યાંથી બૂમ મારી એ દિનુ અહીં આવ.. હું ફળિયામાં રમતો હતો. પથ્થરો કાઢતો હતો ફળિયામાંથી. જીબાપાએ ફરીવાર બોલાવ્યો, ‘અલ્યા સાંભળતો નથી ? અહીં આવ.’ મેં કહી દીધું,  ‘મારે આવવું તો છે જીબાપા,  પણ આ પથ્થરો એની માનો…’ એ જ શબ્દ જે જીબાપા બોલ્યા હતા. ‘શું બોલ્યો તું?’ જીબાપાનો ચહેરો ફરી ગયો. મારો કાન પકડયો. ‘ફરીવાર બોલ… ક્યાંથી શીખ્યો આવું?’ એક લાફો માર્યો. મેં કહ્યું  ‘તમે બોલ્યા ત્યારે તો બધા હસ્યાં હતા,  મને શું કામ મારો છો ?’ જીબાપા લેવાય ગયા, એનો ચહેરો સુકાઈ ગયો.. મારી પાસે આવ્યા, માથે હાથ ફેરવ્યો અને કહ્યું :: ‘દીકરા, બીજું ગમે તે બોલે પણ તારે આવું બોલાય નહીં… યાદ રાખજે તારે આવું ન બોલાય…

ભદ્રાયુભાઈ’,  લગભગ એંશી વર્ષ થયા હશે એ વાત ને આ ગાળ ત્યારે સાંભળી હતી એ પછી અનેક અપશબ્દો સાંભળ્યા છે.  બધા અપશબ્દોનો અર્થ હવે આવડે છે,  નથી આવડતું એમ નહીં… બધા અપશબ્દો ખબર છે…પણ ઘણીવાર કોઈની જોડે બોલવાનું થાય  ત્યારે સાંભળ્યા પણ છે. પણ વળતા બોલાયા નથી. તરત મને જીબાપા યાદ આવે છે કે દીકરા તારાથી આવું બોલાય નહીં…શું કામ ન બોલાય એ ખબર નથી ? પણ  જે દિવસે કાને પડેલી એ વાત છે,  આજે આટલા વર્ષે પણ એમ  થાય છે કે,  મારાથી ન બોલાય .”

 

શ્રી અમૃત મોદી

અસ્મિતા વિશેષ સંવાદ : 25

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

ગાંધીને જેમણે  જોયા નથી પણ જેમણે ગાંધી કાર્ય અને તેમાં પણ ગાંધી લેખન સાથે સીધો જીવન સંપર્ક બાંધ્યો છે. વિનોબાજીની બહુ નજદીક રહીને અમૃતભાઈએ કાર્ય કર્યું છું. વિનોબાજીની રોજિંદી કાર્યવાહીની નોંધ કરતા રહેવાનું કાર્ય એમણે કર્યું છે. એવા  સાબરમતી આશ્રમના નિવાસી શ્રી અમૃત મોદી સાથે ધીર ગંભીર સંવાદ  થયો. દાંત વગરનું મોઢું પણ વાત સ્પષ્ટ અને ક્રમબદ્ધ. ચાલીસ વર્ષોથી કેવળ ગાંધી-શબ્દ-દેહ સાથે વિતાવનાર અમૃત મોદી બહુ નિખાલસતથી વાતો માંડે છે. થોડી વાતોનો આસ્વાદ માણીએ  : 

“1947 ની 15મી ઓગસ્ટે અમે આખી રાત જાગેલા અને અનેક જાતના મશાલ સરઘસ અને સ્લોગનોથી માહોલ જામ્યો. એક નાટક કર્યું ૩ કલાકનું… મારે કહેવું જોઈએ કે એટલા નાના ગામમાં એક જયંતીભાઈ રાવલ હતા, એમણે ‘આઝાદીની લડતનો ઇતિહાસ’ જેવું નાટક લખેલું અને અમે ગામના યુવાનોએ એ ભજવેલું. ત્રણ કલાક સુધીનું નાટક લખી શકે એવું કોઈ નાના ગામડામાં હોઈ શકે એ બતાવે છે કે ગામ નાનું હતું પણ ત્યાંનું વાતાવરણ સ્વતંત્રતાના રંગે રંગાયેલું તેજસ્વી હતું એટલે કોઈ માણસને આવું ત્રણ કલાકનું સુંદર નાટક લખવાનું સૂઝી શકે. અને નાટ્યલેખક ન હોય તો એ અંદરના ઉમળકાથી લખાય, એવું અહીં બનેલું.  બધી જાતની રાષ્ટ્રીય પ્રવૃત્તિ જે દેશમાં ચાલતી એનો પડઘો અમારા ગામમાં પડે અને લોકો એને પ્રતિસાદ આપે. સમાચાર પણ રસપૂર્વક બધા વાંચે એટલે છાપા આવે અને છાપા જાહેરમાં મુકાય. આવા  ગામ સાથે સબંધ પણ બહુ સારો જ બધાય ને ? 

એ ૧૪ મી અને ૧૫ મી ઓગસ્ટ મારા ગામમાં ભારે ઉત્સાહ હતો. લોકોનો બહુ,  ઉમંગ પણ કારણ કે ૧૯૪૨ થી દર વર્ષે ગાંધી જયંતિએ ઉજવણી થાય અને ગાંધીજીની ઝૂંપડી બનાવવામાં આવે, બીજા પણ અનેક નાના મોટા કાર્યક્રમો જેવા કે ખાદી, કાંતણ અને જાત જાતની હરીફાઈઓ જેવી કે વકતૃત્વ  અને કવિતાઓ પઠન  એથી વાતાવરણ જામતું. બીજું કે આગેવાનો પણ દ્રષ્ટિવાન હતા. એટલે અનેક પ્રકારની પ્રવૃતિઓ થતી. મને સૌથી વધારે લાગ્યું કે એ ગામમાં સ્વતંત્રતા માટેની ભૂખ, સ્વતંત્રતા માટેની તલપ હતી. હવે નાના ગામમાં, અંતરિયાળ ગામમાં આ એક વિશેષતા હતી.

એ દરમિયાનમાં ગુજરાતમાં ભૂમિદાનની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. એનું કામ બહુ ચાલતું હતું. અનેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી પણ કોઈ સંગઠન નહોતું. સંગઠન બહુ જ સ્વાભાવિક રીતે હતું એટલે કે નોન ફોર્મલ હતું. નારાયણની દેસાઈની પ્રેરણાથી સાબરમતી આશ્રમમાં દર મહિનાની ૭ મી તારીખે એક સભા થાય એ સભાના કોઈ સંયોજક નહીં, કોઈ મંત્રી નહીં, કોઈ આવાહક નહીં, બધાને જાહેર કરી  દીધેલું કે ૭ મી તારીખે સવારે ૧૦ વાગે સભા શરૂ થશે ને  સાંજે ૫ સુધી ચાલશે,  એમાં જેને રસ હોય તે આવે. એટલે સીધા પ્રવૃત્તિ સાથે જોડાયેલા માણસો આવી જતા હતા. અને કોઈ પણ પ્રકારના સંગઠન વિના સભા યોજાતી.  એનું નામ પણ ૭ મી તારીખ ને લીધે  ‘સપ્તમી સભા’ રાખેલું.  બધી જ વ્યવસ્થા સાબરમતી આશ્રમમાં બપોરની જમવા વગેરેની  થઈ જાય. અને એ સભાઓ ચાલતી હતી એની મારફત બધું કામ ચાલતું હતું.  પણ પછી દાન, પૈસા મળવા મંડયા એટલે એની વ્યવસ્થા માટે સંગઠનની જરૂર પડી. તો ૧૯૫૯ માં અમે ‘ગુજરાત સર્વોદય મંડળ’નું સંગઠન કરી અને રજીસ્ટર કરાવ્યું.  આ પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે હું મહેસાણા જિલ્લાનું પણ કામ કરતો,  ધીરે ધીરે આ પ્રવૃત્તિમાં  પણ જોડાતો રહ્યો. એટલે એ સંઘઠનનો આરંભ કરવાની અને  તેનું કાર્યાલય સંભાળવાની જવાબદારી મને સોંપવામાં આવી. મેં સાબરમતી આશ્રમમાં એની શરૂઆત કરી. દરમિયાન અમને એક પ્રેસ પણ શરૂ કરવું હતું અને ભૂમિપુત્ર તો  એના પહેલા ૧૯૫૧ થી કે ૧૯૫૫ થી શરૂ કરી દીધું હતું. એટલે એની પણ કાયમી વ્યવસ્થા માટે મકાનની જરૂર હતી. આ સર્વોદય મંડળની રચના કરી એટલે એને માટે પણ મકાનની અને જમીનની જરૂર હતી. તો મકાન અમને વડોદરામાં એક જગ્યાએ ભાડેથી મળી ગયું અને એક તૈયાર પ્રેસ મળ્યું. એનું કામ બધું ખાસ કરીને પ્રમોદ ચોક્સી સંભાળતા. પ્રમોદ ચોક્સી પણ વડોદરાના અને એમની અનુકૂળતા માટે આ કાર્યાલય અમે વડોદરા રાખ્યું અને ત્યાં વિનોબાજી વડોદરામાં રહેલા પણ ખરા, એ પણ લાગણી એટલે ગુજરાત સર્વોદય મંડળનું બધું અને ભૂમિપુત્રનું બધું કામ વડોદરાથી શરૂ કર્યું. ૧૯૭૪ સુધી હું વડોદરા રહ્યો અને આ બધા કામમાં હું સક્રિય એટલે ગુજરાત સર્વોદય મંડળનું કાર્યાલય એના પછી સેક્રેટરી તરીકે અને પછી ભૂમિપુત્રના પ્રિન્ટર તરીકે યજ્ઞ પ્રકાશનના મુદ્રક… એવી બધી પ્રવૃત્તિમાં મારું  નામ રહ્યું અને એ કામ કરતો રહ્યો.

ભૂદાનનું કામ બધું યજ્ઞ ભાવનાથી જ થતું હતું. એટલે અમે એના પ્રકાશનનું નામ ‘યજ્ઞ પ્રકાશન’ રાખ્યું છે. અને એ બધું કામ સારા પ્રમાણમાં ચાલ્યું. અને ધીરે ધીરે વધતું પણ ગયું. આ પ્રવૃત્તિ સતત ચાલી. એમાં અખિલ ભારતીય કક્ષાના અમારા કાર્યક્રમો પણ થાય અને જયપ્રકાશ પારાયણ તેમજ વિનોબાની ભૂદાનની પદયાત્રા પણ આવી ગઈ તો એના કામો અને પછી દાદા ધર્માધિકારી, ધીરેન્દ્ર મજમુદાર અને બીજા  અખિલ ભારતીય કક્ષાના બધા આગેવાનોના પ્રવાસો ગોઠવાય અને પ્રવૃતિઓ સતત ચાલે અને એના સંયોજનના કામમાં સક્રિય થવાનું રહ્યું એટલે એ પ્રકાશનનું કામ અને સંગઠનના કામમાં સમય ગયો.  જીવનનો એ પણ એક આનંદનો  ભાગ છે, એટલે ૬૦ થી ૭૪ સુધીનો.. 

આ એ વખતે વિનોબા સાથે અમારે દર વર્ષે બે પ્રકારના સંમેલનો થાય. એક કાર્યકર્તાનું સંમેલન થાય એને ‘સર્વસેવાસંઘની સભા’ કહે અને એક લોકોનું સંમેલન થાય એને ‘સર્વોદય સંમલેન’. બીજી નાની નાની સભાઓ થાય,  જુદા જુદા કામો માટે. લગભગ એ વખતે બધે એવો જ રિવાજ હતો કે વિનોબાની પદયાત્રા જ્યાં હોય ત્યાં આવી સભાઓ ગોઠવવી,  જેથી એમનું માર્ગદર્શન મળી શકે. એટલે આ રીતે અનેક  પ્રસંગોમાં મારે વિનોબાજીને મળવાનું થયું  અને દર્શન પણ થયાં. પછી ૧૯૭૦ માં વિનોબાના પ્રવચનોની નોંધ લેનારા માણસોમાં ત્રણ ચાર જણા થયા અને એમાં મારો પણ સમાવેશ થયો અને વિનોબાની યાત્રામાં સાથે રહેવાનું અને એના પ્રવચનો જે થાય અને એમની સાથે  લોકોની  વાટાઘાટો કે વાતચીતો ચાલે એ બધું પણ નોંધવાનું કામ મને મળ્યું.  એટલે વિનોબાજી ના નજીકના સંપર્કમાં આવવાનું થયું.  જીવનના આ વર્ષો ખુબ સુખદ લાગે છે.

એટલૅ કે ચાલીશ વર્ષની ઉંમરે વિનોબાજી સાથે પદયાત્રાનો પણ લાભ મળ્યો અને નારાયણભાઈ કે જયપ્રકાશજી કે રવિશંકર મહારાજ સાથે પણ પદયાત્રા થઈ. ( આવી વિભૂતિઓ સાથે ૪૦ વર્ષ સુધીમાં પરિચય થવો,  એમના કામના સહભાગી બનવું અને  વિનોબાજીની નોંધો કરવી !! એટલે જીવનનો પહેલો અર્ધ ભાગ  તો સુંદર અને સમૃદ્ધ કામ થયું એટલે પછીનો જીવન-ભાગ  તો એમના કામમાં જ વીત્યો હોય,  બીજું કઈ વિચારી જ ન શકાય. !!) 

એ દરમિયાન મારા માતા પિતા તો હયાત હતા. પણ એ બધા પોતાના ગામમાં રહેતા અને પત્ની પણ મારી  પદયાત્રા અને એ બધામાં સાથે સાથે રહે. સાઠથી ચુમોત્તેર વચ્ચેના ગાળામાં મારે દીકરા અને દીકરીનો જન્મ થયો એટલે કુટુંબની જવાબદારી ઉભી થઈ ગઈ અને એને કારણે મારે કોઈ એક જગ્યાએ સ્થિર કામ કરવું જોઈએ એવી જરૂરિયાત ઉભી થઈ.  પછી હું સાબરમતી આશ્રમમાં પાછો આવ્યો. એ વખતે પણ સાબરમતી આશ્રમ સાથે પરીક્ષિતભાઈ મજમુદાર  અને  મામા સાહેબ ફડકે હતા એમની સાથેનો સંપર્ક સતત હતો. અને આવી પરિસ્થિત ઉભી થઈ એટલે મને સાબરમતી આશ્રમમાં સ્થાન મળી ગયું. એટલે ૧૯૭૪ થી આજ સુધી હું સાબરમતી આશ્રમ નિવાસ કરું છું  અને ગાંધીના શબ્દદેહને પ્રકાશિત કરવાનું કાર્ય કરું છું.”

રમેશ સંઘવી

અસ્મિતા વિશેષ સંવાદ (24) 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

શિક્ષણ, સાહિત્ય, સેવા, પ્રકાશનની દુનિયામાં પ્રદાન કરનાર ધૈર્યશીલ વ્યક્તિત્વ એટલે ગાંધીજન રમેશ સંઘવી. એમની સાથેનો સંવાદ આધ્યાત્મિકતાના માર્ગે આગળ ધપ્યો. શાંત વહેતા જળની જેમ મૃદુ અવાજમાં એકદમ ધીરજથી પોતાની મક્કમ વાતો રમેશ સંઘવીએ કરી. એ સંવાદનો સ્વાદ ચાખીએ. 

“ગામડાનું કામ કરું, શિક્ષણનું કામ કરું, સાહિત્યનું કામ કરું એ પહેલેથી જ ગમતું હતું. એટલે જે કઈ કામો કર્યા એ ગામડાને કેન્દ્રમાં રાખીને કર્યા. ગાંધી, ગામડું, ગરીબાઈ  આ બધું એક સાથે જોડાયેલું જ લાગ્યું છે. એટલે ગાંધીને યાદ કરું એટલે ગામડું યાદ આવે, ગાંધીને યાદ કરું એટલે જે છેલ્લો માણસ છે એ યાદ આવે. એટલે ગાંધીનું કામ કરવું હોય તો ગામડામાં બેસીને કરાય તો વધારે ગાંધીનું કામ થઇ શકે. વધારે ગરીબોનું કામ થઇ શકે. શિક્ષણનું કામ ગમતું હતું સાથે સાથે સાહિત્યનું કામ પણ ગમતું હતું. સાહિત્યમાં અક્ષરભારતી કરીને એક પુસ્તકોનું પ્રકાશન ગૃહ અને વેચાણગૃહ શરૂ કરેલું. શિક્ષણ માટે થોડી શાળાઓ અને સંસ્થાઓ શરૂ કરી.  એક સંસ્થા મેં શરૂ કરી એ કચ્છના  રણની વચ્ચે. કચ્છનું જે મોટું રણ છે એ મોટા રણમાં ધોળાવીરા કરીને જૂની પુરાતત્વની નગરી નીકળી છે,  વર્લ્ડ હેરિટેજ ગણાય છે તો એ ધોળાવીરા જતા પહેલા એની બાજુમાં જ રતનપર નામનું આયરોનું ગામ આવે,  ચારે બાજુ રણ જ. દસેક કિમી રણ ક્રોસ કરીએ ત્યારે બેટ ઉપર પહોંચાય. બેટનું નામ ‘ખડીર બેટ’. બાર તેર નાના નાના ગામડાઓ. છેલ્લું ગામ ધોળાવીરા, પહેલું ગામ અમરાપર.એના પછી આસપાસ બીજા નાના નાના ગામડાઓ. તો એવા વચ્ચેના એક રતનપર ગામમાં આગેવાન સવાબાપા એણે અમને નવ દસ એકર જમીન ભેટ આપી અને એ જમીન ઉપર શાળા, છાત્રાલય અને બીજી બધી ઘણી પ્રવૃત્તિ શરૂ કરી. આજે પણ ૨૫૦ બાળકો ત્યાં રહે છે, જમે છે, ભણે છે, કેમ્પસ પર જ છે. દસ ધોરણ સુધીની શાળા છે પણ અત્યારે હું નથી સંભાળતો બીજા મિત્રો સંભાળે છે, પણ ચાલે છે આજે પણ. તો એ આખા વિસ્તારમાં લાઈટ પણ નહોતી, રસ્તાઓ પુરા નહોતા. જયારે શરૂ કર્યું ત્યારે, ટેલિફોન તો વાત જ નહીં, મોબાઈલનો તો યુગ આવ્યો નહોતો. અને એવા વિસ્તારમાં આપણે કામ શરૂ કર્યું તો પણ એ પડકાર જેવું લાગ્યું નથી. પડકાર હોવા છતાં પણ એમ લાગ્યું કે આપણે એની સાથે એકરસ થઇ ગયા છીએ.  અને એના  સંવેદનો, આંદોલનો એ આપણી સાથે જોડાઈ ગયા છે તો જુદાઈ લાગતી નહોતી. મજા આવતી હતી. અંદર બાળકોને  લઇ આવતા વઢિયાઓમાંથી,, વઢિયા એટલે સાવ કાચું મકાન હોય, ઘાસ છાયેલું હોય, ભીંતડાં હોય તો હોય તો એ પણ ઘાસના જ હોય. દરવાજામાં કઈ ન હોય એક પતરું આડું  મૂકી દીધું હોય. ચોરાઈ જાય એવું કશું અંદર હોય જ નહીં એટલે એવી ચિંતા ન હોય. એટલે એવામાંથી અમે દીકરીઓને લઇ આવતા અને શિક્ષણકામ શરૂ કર્યું અને એ પછી વિકસતું ગયું, પાણીના કામ કર્યા, સ્વાવલંબનના કામો કર્યા, ત્યાં ખાસ કરીને બહેનોને સ્વરોજગારી મળે એના માટેના સિલાઈ મશીન શીખવવાના, એમ્બ્રોડરી શીખવવાના એ બધા કામો કર્યા, વ્યસન મુક્તિના થોડા કામો કર્યા એ પ્રકારે એ આખા વિસ્તારમાં પ્રવૃત રહ્યા. જે કર્યું તેના કેન્દ્રમાં  પ્રવૃત્તિ જ રહી. પ્રવૃત્તિ દ્વારા જ શીખવાનું. એવું જ કર્યું કે બાળકો થોડું બગીચાનું કામ કરે, સફાઈનું કામ કરે, પ્રવાસે લઇ જઈએ, જાતે રસોઈ બનાવે એ બધી પ્રવૃત્તિ જ કરે. એમાંથી જ શીખવાનું  થાય. 

૧૯૬૭ માં ગ્રેજ્યુએટ થયો પછી કામ કર્યું. કચ્છમાં લખપર તાલુકો છે બહુ જ છેવાડાનો અને પછાત તાલુકો ગણાય. એમાં એક દયાપર ગામ. એ દયાપર ગામમાં ગયો હું તો  મગનભાઈ સોનીએ મને કહ્યું કે તું ત્યાં બેસ અને ગમે તે કામ શરૂ કર એટલે ત્યાં થોડુંક સફાઈનું એવું તેવું કામ શરૂ કર્યું. અને સાત ધોરણ સુધીની શાળા ગામમાં હતી,  આઠમું ધોરણ શરૂ કર્યું. પછી પાછું મેં B Ed કર્યું પછી પાછું ત્યાં જવાયું નહીં. પણ એ કામ ૧૯૬૭ માં શરૂ કર્યું પછી B Ed કર્યું. B Ed કર્યા પછી સિદ્ધપુરની બાજુમાં એક સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ એ ૧૯૬૮ માં શરૂ થયેલી મકાન વગેરે બન્યું નહોતું પણ જમીન ઘણી હતી. સરકારે એ વખતે ૪૦૦ એકર જમીન આપેલી અને ૩૦૦ એકર રિઝર્વ રાખેલી. એ વખતે શ્રીમન નારાયણ ગવર્નર હતા. ગવર્નરનું રાજ્ય હતું એટલે ૪૦૦ એકર જમીન તો ખાતે જ ચડાવી દીધી. બહુ વિશાળ જમીન. કેટલીય  જમીન તો સરસ્વતી નદીને કાંઠે આવેલી અને એ આખી વિદ્યાપીઠની શરૂઆતથી ૧૯૭૦ થી ૧૯૭૪ સુધી ચાર વર્ષ હું ત્યાં રહ્યો. પછી ૧૯૭૪ માં ટ્રસ્ટીઓ સાથે થોડા મતભેદોને કારણે મન થોડા ઉંચા થયા એટલે અમે ઘણાએ એક સાથે ત્યાંથી કામ છોડી દીધું. પણ ત્યાં પણ લોક્ભારતીનો વિચાર હતો એ મુજબ ત્યાં બધું ગોઠવાયું હતું કારણકે અમે બધા લોકભારતીમાં ભણેલા હતા. અમારા પ્રિન્સિપાલ જયંતભાઈ શાહ હતા એ પણ લોકભારતીમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને આખું વાતાવરણ ઉભું થયું એ એવું જ ઊભું થયું એમાં અમારું પણ ઘડતર થયું. સંસ્થાનું તો નિર્માણ થતું ગયું પણ અમારું પણ નિર્માણ થતું ગયું. આંતર ચેતના પણ એક પ્રકારની એક ખુલ્લા ઉજાસ કે ખુલ્લાપણું અનુભવતી ગઈ અને એ બહુ ઉપયોગી બનતું ગયું. પછીના જે કામો થયા એમાં આ અનુભવો બહુ કામમાં આવ્યા.

કોઈ વસ્તુ છોડી ન શકાય એવું નહિ. કેમ ન છોડી શકાય ? તો કે પછી આજીવિકાનું શું થાય ? એનાથી અમે  જુદા પડ્યા છીએ. અંદર નો એક પ્રવાહ સતત રહ્યો. કે અફસોસ  ક્યાંય ન થયો. ઘણું શરૂ કર્યું. લોકો એમ પણ કહે કે,  આટલું બધું ઊભું કર્યા પછી તમે મુક્ત થઇ જાઓ છો તે કશી જ પછી આસક્તિ નથી રહેતી ?  એટલે આસક્તિ કે ચીટકાવ કે એટેચમેન્ટનો ભાવ સતત કે આ મારું છે એવું ક્યાંય રહ્યું નથી. એ વળગાડ  નથી રહ્યો. બસ એક સાધના રહી કે આસક્તિથી કેમ મુક્ત થવું અને અહંકારથી કેમ મુક્ત થવું. આ બે વસ્તુ છે એ સાધનામાં અવરોધ બને છે.

મને સમજ્યું છે કે ગાંધીના બે સ્વરૂપો હતા. એક લોકો સાથેનું, રાષ્ટ્ર સાથેનું સ્વરૂપ હતું અને બીજું પોતાની જાત સાથેનું હતું. એટલે જ  નારાયણભાઈ બે શબ્દો કહેતા કે ગાંધી ‘લોક્સ્થ’ અને ‘આત્મસ્થ’ પણ હતા. ગાંધીનું બીજું પાસું સાધનાનું પાસું હતું. ગાંધી માટે હું તો જોઉં છું કે જે પ્રવૃત્તિ કરતા, વ્યવહાર કરતા, બેઠા હોય, કે  જે કઈ કરતા હોય એ બધું એમની સાધના હતી.  અને  એ રીતે જોઈએ તો ખ્યાલ આવે કે જાગૃતિથી એ બધું કામ કરતા હતા. એ ક્યારેક આશ્રમવાસીઓને ખિજાયા પણ હોય. નાનકડી સજા પણ કરી હોય એવું પણ બન્યું છે પણ આ બધું સાધનાનો જ એક ભાગ હોય, એ રીતે બન્યું છે, કોઈ દ્વેષભાવથી બન્યું જ નથી. પોતાની પણ સાધના અને જે વાતાવરણ નિર્માણ કરવું છે એના માટે બધાને . ચાર્જિંગ કરે છે. તો વાતાવરણ નિર્માણ કરવા માટે થઈને ક્યારેક આવું કરવું પડે, કટુતા વાપરવી પડે તો વાપરી હોય, પોતાની જાત માટે પણ વાપરી છે, કસ્તુરબા માટે પણ વાપરી છે, પોતાના બાળકો માટે પણ વાપરી છે પણ એક સાધનાના ભાગરૂપે વાપરી છે. એટલે એ વાત આપણી મોટાભાગની સંસ્થાઓના ગાંધીજનો પકડી શક્યા નથી.

હું જયારે અહંકારમાં પડું, આસક્તિમાં પડું તો મને જ દુઃખ ઊભું કરે છે ને,  કારણ કે હું છોડી નથી શકતો,  તો છોડી નથી શકવાનો જે ભાર છે એ મને દુઃખ આપ્યા કરે છે. હું છોડી દઉં છું પછી મને દુઃખ રહેતું નથી. ગમે તે વસ્તુ હોય. અને આમ જોવા જઈએ તો છોડવામાં કઈ જતું નથી. આમ તો ઘણું મેળવો છો બીજી રીતે જોઈએ તો. છોડીને પણ ઘણું મેળવો છો એટલે હતું એના કરતા વધારે મેળવી શકાય છે કારણકે તમે ખાલી બની ગયા, કેટલો અવકાશ આવ્યો. આજે અવકાશમાં સાધનાની વાત આવે છે. વિચારોમાં, આચરણમાં બધું ભરચક્ક અને ભીડવાળું હોય. આજના જુવાનિયાઓ પણ એવી વાત કરે છે મને સ્પેસ જોઈએ. એમાં તથ્ય છે. અને એ સ્પેસ ભલે માત્ર ભૌતિક રીતે ખરેખર જે આગળ વધે તો અંદર જે ધ્યાન છે  એ શું છે, સ્પેસ જ છે એક પ્રકારની, સાધના કે જે કઈ અધ્યાત્મની યાત્રા એ ખુલ્લા થવાની યાત્રા છે. અંદરનું બધું બહાર કાઢીને શૂન્યતા છે એને જીવવાની વાત છે. એ અધ્યાત્મની યાત્રા છે. એ અધ્યાત્મની યાત્રા  જીવનથી જુદી નથી. એ જ જીવનની યાત્રા છે. અને એ થાય ને તો વ્યક્તિ પોતે ઘણો સ્વસ્થ રહી શકે છે. માનસિક રીતે, શારીરિક રીતે, પારિવારિક રીતે થોડો સ્વસ્થ રહી શકે અને આસપાસમાં થોડું યોગદાન આપી શકે. એટલે મને  પહેલેથી એ માર્ગ પ્રકૃતિ દ્વારા, નિયતિ દ્વારા મળેલો કે જેમાં કરવાનું, ઘણું કરવાનું, પણ પછી મુક્ત થતા જવાનું. ભૂલી જવાનું. આપણે કહીએ ને નેકી કર, કુવેમેં ડાલ.

 

લોર્ડ ભીખુ પારેખ

અસ્મિતા વિશેષ સંવાદ : 22

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com 

વિદેશ વસતા એવા ભારતીય કે જેમને વિશ્વસ્તરે પ્રખર વિચારક અને જનમત પ્રહરી તરીકે સૌ ઓળખે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, ગુજરાતની અગ્રીમ એવી શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના યશસ્વી પૂર્વ કુલપતિ અને લંડનના ‘લોર્ડ ઓફ  હાઉસ’ના મનોનિત સદસ્ય પ્રા. ડો. લોર્ડ ભીખુ પારેખ સાથે દીર્ઘ સંવાદ કરવાનો લ્હાવો મળ્યો એમના વડોદરાના નિવાસસ્થાને.. એ દીર્ઘ સંવાદમાંથી તેઓશ્રીના બચપણના સ્મરણોને આવો વાગોળીએ. એ યાદ રહે  કે આ લેખ તો એક મહા આરતીની આચમની સ્વરૂપ  છે, આપે એમની સાથેનો પૂરો સંવાદ માણવો  રહ્યો..  

પ્રશ્ન: આપના  એંસી વર્ષના જીવનના  સંઘર્ષ અને મહેનતની વાત  ખાસ આપની પાસેથી જાણવી છે. જરા વિગતે કહેશો ?? 

ળવું સ્મિત વેરીને લોર્ડ બોલ્યા: કેટલો સમય આપશો, દસ વર્ષ આપશો મને ? જે મને જીવતા આટલો સમય થયો આજે એ ટૂંકમાં કહું તો,  મારો જન્મ અમલસાડ ગામમાં થયેલો.  નાનકડું ગામ. એક સ્કૂલ,  એમાં હું ભણ્યો. ૧૫ વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યું. હવે શું કરવું ? મારા ફાધરને સોનીનો ઘંધો. દાગીનાઓ બનાવવા અથવા કોઈને ઘડી આપવા. એમના કુટુંબમાં કોઈ વધુ ભણેલું નહીં. મેટ્રિક સુધી ભણેલો હું પહેલો આ કુટુંબમાં. એટલે પિતાજીએ મને કહેલું કે હવે આપણે આગળ ભણવાની જરૂર નથી, તું સોનીના ધંધામાં આવી જા. મેં કહ્યું મને આ ધંધો એટલો બધો પસંદ નથી.  તમને આટલી બધી મહેનત કરતા જોઉં છું ત્યારે મને થાય છે કે આ મહેનત મારે નથી કરવી… સારું.. સમજી ગયા…આગળ ચાલ્યો. કોલેજમાં ગયો.  ક્યાં જવું ? બાજુમાં નવસારી છે ત્યાં જવું કે દૂર મુંબઈ છે ત્યાં જવું ? …મારો આગ્રહ હતો કે મુંબઈ જઈએ. એક પગલું લેવું જ છે તો જબરજસ્ત પગલું  લેવું જોઈએ.. એટલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગયો. ત્યાં મેં બી.એ. કર્યું. એ પાસ કર્યા પછી મને થયું કે હવે તો બેન્કના ક્લાર્ક જેટલી જ લાયકાત તો મેં મેળવી હશે. ત્યારે મારા પ્રોફેસર હતા એમણે કહ્યું કે,  ના, પારેખ તું અહીંયા ના અટકી શકે.. એમ.એ. કર.,, તો એમ.એ. કર્યું. એ કર્યા પછી મને થયું બસ હવે માસ્તરગીરી છે, લેક્ચરર થઈશ. કોલેજમાં મારા શિક્ષક હતા ઉષાબેન મહેતા,  ગાંધીજીની  લડતમાં ભાગ લેતા હતા,  એમણે કહ્યું કે તમે અહીંયા અટકી ના શકો. Ph D કરવું પડશે. Ph D એટલે શું એ ખ્યાલ પણ નહોતો. અને એ પણ પાછું અહીંયા નહીં,  લંડનમાં .!! મેં કીધું ગામડાનો છોકરો અને લંડન ? મારા ફાધર સોનીનો  ધંધો કરે,  થોડા ઘણા પૈસા બચાવ્યા હશે અને મારે એને પરદેશમાં વાપરી નાખવાના ! ‘ના, તારામાં  શક્તિ છે તારે જવું પડશે’, એટલે જેટલો એમને મારામાં વિશ્વાસ હતો એટલો મને મારી જાતમાં નહોતો. આગ્રહ કર્યો એમણે અને હું લંડન ગયો. અને પછી તો જીવન આખું બદલાતું ગયું. ચાર વર્ષ માટે Ph D કરવા ગયો હતો ને ત્રણ વર્ષ કર્યું એટલામાં તો મને નોકરી આપી.  યુનિવર્સીટીમાં જ પહેલી નોકરી અને પછી હાવર્ડ યુનિવર્સીટીએ મને નોકરી આપી, જે યુનિવર્સીટી સારી ગણાય અને મારું  જે ડિપાર્ટમેન્ટ હતું  પોલિટિક્સનું  એ દુનિયામાં ખાસ કરી બ્રિટનમાં સારામાં સારું  ડિપાર્ટમેન્ટ ગણાતું હતું, ત્યાં મને જોબ આપી અને ત્યાં હું અત્યાર સુધી કામ કરતો રહ્યો. આમ  મારું જીવન એટલે  ૧૯૬૪ માં હાર્વર્ડ યુનિવર્સીટીમાં ગયો અને આજે ૨૦૨૨ માં હું ત્યાં જ છું. જો  કે યુનિવર્સીટી જોડે મારા સબંધો ૨૦૦૦ની સાલ માં પુરા થયા,  કારણ કે રિટાયરમેન્ટની  ઉંમરે પહોંચ્યો હતો,. એ જ વર્ષમાં મને બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર ટોની બ્લેરે  ‘હાઉસ ઓફ લોર્ડ્સ’માં એપોઇન્ટ કર્યો,  એટલે લંડન જવાનું થયું. હાલ બે કામ કરી રહ્યો છું. પુસ્તકો લખવા અને પાર્લામેન્ટમાં પબ્લિક લાઈફમાં જે કઈ મહત્વના પ્રશ્નો હોય એના પર બોલવું. લ્યો, આ આખી યાત્રાનો સાર. જે ૮૦ વર્ષની યાત્રા તમે કહો છો તેનું  આ સ્કેલીટન સ્ટ્રક્ચર.

પ્રશ્ન: આપનું  નામભીખુશા માટે રાખ્યું હશે ? 

ફરી એકવાર હળવું હાસ્ય કરીને ‘ભીખુ’ નામધારી બુઝર્ગ બોલ્યા: એમાં મોટો ઇતિહાસ છે કે મારું નામ ક્યાંથી આવ્યું. મારું નામ ભીખુ. મારી આગળના જે સંતાનો  હતા એ બધા ગુજરી ગયેલા. જન્મ્યા અને ત્રણ, ચાર, છ મહિના કે એક વર્ષમાં ત્રણ સંતાનો  – બે છોકરા અને એક છોકરી જન્મ્યા ને ગુજરી ગયા. ત્યારે મારા પિતાજી અને માતાજીને થયું કે આવું કેમ થાય છે ? કોઈ બ્રાહ્મણને પૂછ્યું તો એણે કહ્યું કે તમે જો સંકલ્પ લો કે ભીખ ઉપર જ તમે છોકરાને જીવાડશો તો  તમારા ઘરમાં જે કોઈનો શ્રાપ લાગ્યો હશે કે એવું કઈ થયું હશે એની અસર નહીં  થાય. એટલે પ્રતિજ્ઞા લેવડાવી મારા ફાધર ને મધર પાસે કે આ છોકરાને ધવડાવશે વેટ  નર્સ !!  એટલે કે  મારી મા ન ધવડાવે. આપણે જેને વેટ નર્સ કહીએ એમની કોઈ બહેન કે જ્યાં છોકરું જન્મ્યું  હોય એ વેટ નર્સ મને ધવડાવે.  કપડાં ભીખ માંગીને લીધેલા, એટલે સગા વ્હાલા આપી જાય. જે કંઈ  મારી છ મહિના સુધીની જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો પારકા માણસો આવીને આપી જાય અને તે રીતે હું જીવ્યો. એટલે ભીખનું માગેલું મારું જીવન, એટલે નામ આપ્યું ભીખુ. મારું  નામ છે એ એટલું બધું સૂચક છે કે જયારે જયારે નામ આવે ત્યારે પ્રશ્નાર્થ થાય જ.. ઇંગ્લેન્ડ ગયો ત્યારે પણ કહ્યું કે નામ બદલી નાખ અને સારું કઈ નામ રાખ.. મેં કીધું, ના આ નામ મને અતિ પ્રિય છે. આ નામથી  મારા આખા જીવનનો શું પર્પઝ છે એ મને ખ્યાલ આવે છે.  ભીખુ નામ છે એનો અર્થ એ થયો કે હંમેશા મને યાદ અપાવે છે કે હું મારા પેરેન્ટ્સને કેટલો બધો વ્હાલો હતો.. મારે માટે ભીખ માંગવાની તકલીફ  મારા મધરે છ આઠ મહિના સુધી લીધી !! બીજું કે લોકોએ છૂટથી આપ્યું એટલે હું જીવ્યો એટલે મારું જીવન છે એ લોકોનું દાન છે,  મારું નથી. અને બીજું કે હું જ્યારથી  જન્મ્યો ત્યારથી એક રસ્તો ખુલ્લો થયો અને પછીના બાળકો એકે એક જીવ્યા. એટલે એ બધા બાળકોનો પણ સ્ત્રોત કે  ઉદભવસ્થાન હું છું,  કારણકે હું જીવ્યો તો  મારાં  ફેમિલી ઉપર શ્રાપ કે એવું કઈ હશે એ નીકળી ગયું  અને બીજા બધા બાળકો આ રીતે મોટા થતા ગયા. એટલે મારા ઉપર વૈશ્વિક કે કૌટુંબિક બધી જવાબદારી આવીને ઉભી રહી. હું એકલો નથી, એક આખી ચેઇન છે અને  એ સાંકળનો હું એક ભાગ છું. અને મહત્વનો ભાગ છું. નવું ભવિષ્ય ઉભું થયું મારા આવ્યાથી.  

 

શ્રી સુરેશ સોની

અસ્મિતા વિશેષ સંવાદ :21

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com  

શ્રી સુરેશ સોનીએ સંકલ્પ કર્યો છે કે તેઓને પંચોતેર વર્ષ  થયા ત્યારથી તેઓ પોતાનું સેવા-કેમ્પસ છોડીને ક્યાંય બહાર જશે નહીં… વાત માન્ય, પણ અમારે તો અસ્મિતા વિશેષ સંવાદમાં તેમની સેવા-જીવન-યાત્રા અંગે સંવાદ કરવો જ હતો અને એટલે અમે તો કેમેરા-લાઇટ્સ લઈને ઉપડ્યા તેમનાં  નિવાસ કમ સેવાક્ષેત્રે… રક્તપિત્ત વાળા લોકોનું એક આખું નગર !! અદભુત કાર્યના દર્શન થવાના  હતા તેની તો ખાતરી જ હતી પણ અમે શ્રી  સુરેશભાઈ સાથેના સંવાદથી તો જાણે  અવાચક જ થઈ ગયા !! આવો તેના થોડા અંશો  જાણીએ ::  

 ‘મારો જન્મ ૧૯૪૪ માં નર્મદા કિનારે સિનોર ગામમાં થયો. એ ગામથી એક બે કિમી આગળ માલસર ગામ પ્રસિદ્ધ છે પૂજ્ય ડોંગરેજી મહારાજને કારણે. મારા પપ્પાને અમે મોટાભાઈ કહીને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બોલાવતા  અને મારા માતુશ્રીને અમે બધા સાનીબા કહેતા. મારા દાદા વહેલા ગુજરી ગયેલા એટલે મારા પિતા શ્રી હરિલાલભાઈને ચૌદ પંદર વર્ષની ઉંમરે  ભણવાનું છોડી અને એમના બાપાની સોના ચાંદીની દુકાનમાં બેસવાનું થયું. એ દુકાનમાં બેઠા ધંધો ચાલવા મંડયો. બે એક વર્ષ પછી એક દિવસ એમને ઓચિંતો વિચાર આવ્યો એ જમાનામાં એવું હતું કે તમે પાંચ ગ્રામ સોનુ આપો છો અને અમે તમે દાગીના પાછા આપીએ ત્યારે પાંચ ગ્રામ વજન કરીને આપવાનું.  તમારે મજૂરીના પૈસા આપવાના. પણ એકલા સોનાના દાગીના કોઈ દિવસ થાય નહીં એમાં તાંબુ તો ઉમેરવું જ પડે. એટલે પાંચ ગ્રામની સામે પાંચ ગ્રામ આપીએ એટલે જેટલું તાંબુ ઉમેરાયું એટલું સોનુ અમને મળ્યું !! એમના મનમાં વિચાર આવ્યો કે ભલે આખી દુનિયામાં આ બધું ચાલે અને તે  કાયદેસર પણ ગણાય છે પણ આ નૈતિક રીતે બરાબર નથી.  એટલે એમણે સંકલ્પ કર્યો કે હું આવું નહીં ચલાવી લઉં. અને એના કરતાં એમની મહાનતા એ છે કે જે થોડો ઘણો વારસો મારામાં આવ્યો એમણે જે નિર્ણય કર્યો તે અગાઉની તારીખથી અમલમાં મુક્યો, તે દિવસથી નહીં. તેમણે ગણતરી કરી કે હું દુકાનમાં બેઠો ત્યારથી આજ સુધી આવું હું કેટલું કમાયો એનો હિસાબ કર્યો. અને પછી ધીમે ધીમે એટલા પૈસા બચાવ્યા અને અમારા ઘરની નજીક રામજી મંદિર હતું ત્યાં આગળ દાગીના કરીને ભેટમાં આપી આવ્યા અને ત્યાર પછી એ બિલકુલ પ્રામાણિકતાથી જીવ્યા. 

અમે સાત ભાઈ બહેનો,  એમાં હું સૌથી નાનો અને આજે મને ૭૮મું  વર્ષ ચાલે છે એટલે તમે કલ્પના કરી શકો કે ક્યાં જમાનાની આ બધી વાતો છે. એમણે એ જમાનામાં નર્મદાની પગે ચાલીને પરિક્રમા કરેલી.  તે વખતે હું સિનોરમાં પ્રાથમિક શાળામાં, પણ પિતાશ્રી માંદા પડ્યા એટલે એમને થોડી મદદ થાય એ હિસાબે હું બે ત્રણ મહિના વડોદરા આવીને રહ્યો. ભાઈને ઘરે હું રહેવા આવ્યો અને તે વખતે એમને થોડી મદદ કરું, પણ એમણે તે વખતે મને ગણિત પાકું કરાવડાવ્યું એને કારણે છેવટે હું Msc વિથ મેથેમેટિક્સ થયો અને વડોદરા યુનિવર્સીટીમાં મેથેમેટિક્સનો અધ્યાપક થયો.  અમારા ગણિત-શિક્ષકે  ભણાવતા ભણાવતા ક્યારેક ઈનડાયરેકટલી વાત કરી હશે કે આપણે માણસ છીએ તો આપણે માણસો માટે કશુંક તો કરવું જોઈએ.. અને ભગવાનની કૃપાથી આ વાત મારા મગજમાં ઉતરી ગઈ. કશું કરવું છે એ વિચાર કરવા મંડયો,  શું કરવું છે એ કશું સૂઝતું નહીં. એ જમાનાનું ઓલ્ડ એસ એસ સી થયો અને મેં નોકરી સ્વીકારી લીધી.  પણ મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે જયારે મારું  મનગમતું ક્ષેત્ર મળે ત્યારે નોકરી છોડી દેવી. શોધ ચાલુ હતી. આ ૧૯૬૬ ની વાત. ૧૯૬૬ થી ૧૯૭૦ નાના નાના કામો હું કરતો. દા.ત. વડોદરા એચસીજી હોસ્પિટલમાં અઠવાડિયામાં એક દિવસ જવાનું ને કોઈને કાગળ લખવો હોય તો લખી આપવાનો,  કોઈને ખાવું હોય તો લાવી આપવાનું, કોઈ બે ચાર મહિના હોસ્પિટલમાં જ રહેવાનું હોય તો એને મનગમતી ચોપડીઓ લાવીને વાંચવા આપવાની અને રજા પડે ત્યારે ચોપડી પાછી લઈ આવવાની. ૧૯૭૦ માં વડોદરામાં સરકારી લેપ્રેસી હોસ્પિટલ હતી. એનું નામ અનસૂયા લેપ્રેસી હોસ્પિટલ.  એક જમાનામાં એવું કહેવાતું હતું કે અત્રી  ઋષિને રક્તપિત્ત થયેલો ત્યારે અનસૂયા માએ  માટી લગાડીને એ રોગ મટાડેલો અને એ જે જગ્યાએ ત્યાં રહેલા એ નર્મદા કિનારે ગામનું નામ પણ અનસૂયા. અને માટીથી તો રોગ મટાડેલો એટલે એ જમાનામાં વડોદરાની ગાયકવાડ સરકારે ત્યાં લેપ્રેસી હોસ્પિટલ ઉભી કરેલી અને એનું નામ પાડેલું અનસૂયા લેપ્રેસી હોસ્પિટલ. ત્યાં મારા મિત્રનો બનેવી કમ્પાઉન્ડર . અમે લોકો પંદર દિવસે ભેગા થઈએને  પિક્ચર જોવા જઈએ અને કોઈકને ઘરે જઈને ટોળા ટપ્પા મેરી.  ૧૯૭૦ માં મને વિચાર આવ્યો કે આપણે એને ઘરે જઈએ છીએ જ્યાં હોસ્પિટલમાં એનું ક્વાર્ટર છે પણ હોસ્પિટલ આપણે તો જોઈ જ  નથી. એટલે થયું કે ચાલો હોસ્પિટલ જોઈએ. ૧૯૭૦ ની વાત ત્યારે મારી દીકરી પણ ત્રણ ચાર મહિનાની હતી. અમે હોસ્પિટલ જોઈ ખાટલે ખાટલે ફર્યા ત્યારે થયું કે આ કામ તો કરવા જેવું છે. હું કશું કામ શોધું છું તે. એકાદ મહિના પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. અમદાવાદમાં સદવિચાર  પરિવાર નામની સંસ્થા અને એનો હું મેમ્બર હતો. એટલે એના હિસાબે વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે રાખડી બાંધવા જતા એટલે એના પછી મને  વિચાર આવ્યો કે આ લેપ્રેસી હોસ્પિટલમાં આવવાવાળા એક વખત ઘર છોડે પછી પાછા ક્યાંય જતા નથી. મહિના પછી રક્ષાબંધન આવે છે તો આપણે ત્યાં જઈને રક્ષાબંધન કરીએ. એટલે અમે ગયા,  રાખડી બાંધી પછી મેં પૂછ્યું, હું તમને કેવી રીતે મદદરૂપ થાઉં. ત્યાં એક ભાઈ હતા એમણે કહ્યું કે સુરેશભાઈ મારી મદદની જરૂર અહીં હોસ્પિટલમાં નથી અહીંથી આ લોકો પાછા  ઘરે જઈ શકવાના નથી.  બહાર નીકળીને એમણે  ભીખ મંગાવી ન પડે તેવું કશુંક કરો. શરીર પરના જખ્મ કરતાં દિલ પરના જખ્મ એમના વધારે હતાં. ત્યાં અમે  કામ શરૂ કર્યું થોડા વખતમાં મારી પત્ની ઇન્દિરા પણ ત્યાં આવતી થઈ. લોકોનું માથું ઓળી આપે. કોઈ એમ કહે મારે આજે શિરો ખાવો છે તો ઘરેથી લાવીને શિરો ખવડાવે.’

‘અને આમ, અમારો સેવા યજ્ઞ શરુ થયો અને મેં મેથ્સના પ્રોફેસરની નોકરી છોડી દીધી. આજે તો રક્તપિત્ત અને મંદ બુદ્ધિના લોકોનું એક આખું નગર અહીં અમે વસાવ્યું છે. અહીં સૌ સ્વતંત્ર છે અને છતાં સૌ સાથે છીએ…’

 

રીમા નાણાવટી

અસ્મિતા વિશેષ સંવાદ : 20 

bhadrayu2@gmail.com                                             ભદ્રાયુ     વછરાજાની    

એક બેઠી દડીના સાવ સાદા નારી, જે સદા સ-સ્મિત રહ્યાં  તેમને સ્ટુડીઓમાં આવકારતા લાગ્યું કે, ઓહો, ‘સેવા’ સંસ્થાની ધુરા સંભાળતા અને દેશ વિદેશમાં ફરતા આ નારી  તે જ રીમા નાણાવટી !! ?? હા, કલેક્ટર  થવા નીકળેલ વ્યક્તિ નીચે બેસીને બહેનોના ટોળાં વચ્ચે કામ કરે અને એમાં જ ગળાડૂબ બની જાય એ તો અચંબિત કરે તેવી વાત છે. જિંદગી તમને કેવા ઉત્તમ પડાવ પર લઇ જતી હોય છે તેનું જ્વલંત ઉદાહરણ રીમા નાણાવટી છે. આપણે તેમની સાથેના સંવાદની ઝલક મેળવીએ…

“મેં તો સેવામાં પુરા તન-મન લગાડી દીધાં.  વર્ષ તો ક્યાં જતું રહ્યું એ મને ખબર પણ ના પડી. તે વખતે ઈલાબેન પાર્લામેન્ટમાં રાજસભામાં સભ્ય હતા એટલે આમ સેવામાં આવો ને તો કહે, બેન બેન.. તો મને થયું આ બેન કોણ છે ? આ બેનને તો આપણે કોઈ દિવસ મળ્યા જ નથી. અનિલાબેન પણ એમ કહે કે, બેન આવવાના છે,,, બેન જોડે વાત થઇ,, બેનનો ફોન આવ્યો પણ આ બેન કોણ છે એને  તો આપણે મળ્યા જ નહોતા. લગભગ બે ત્રણ મહિના થયા હશે તો કોઈ  કહે કે કાલે બેન આવવાના છે, કાલે બેન આવવાના છે. હું પણ રાહ જોઈને ઉભી હતી કે હા અહીંયા હવે આ બહેન આવશે.  પછી ઈલાબેન આવ્યા અને એમનું એવું હતું જે કોઈ નવું સેવામાં જોડાયું હોય તો એ એમને મળવા બોલાવે. તો એમણે મને મળવા બોલાવી. તો હું મળવા ગઈ. વાતચીતમાં મેં કહ્યું કે  હું વર્ષ એક કામ કરી લઉં પણ મને કંઈક ચેલેન્જિન્ગ હોય ને તો આપો. બાકી પછી તમે એવું કહો કે આ બધા આમંત્રણો છે ને ફોલ્ડ કરો ને કવરમાં નાખો ને પોસ્ટ કરી આવો તો એવું એકાદ વાર મને વાંધો ન આવે. પણ એ જ કામ મારે જો કર્યા કરવાનું હોય તો મને પછી બહુ ન ગમે. હા, એવું એક બે વાર કર્યું પછી  મેં કહ્યું કે આ કામમાં તો મને શું શીખવા મળે છે ? પછી ફરી બીજા દિવસે મને બોલાવી અને એમણે મને એક ફાઈલ આપી કે અને કહ્યું કે તમારે તો  એમ પણ કલેકટર બનવું હતું ને  તો તમે સેવાના કલેકટર બનો. મને કહે આ ફાઈલ વાંચી લો, પછી આપણે ફરી કાલે વાત કરીએ.

ફાઈલમાં તો ચાર પાંચ કાગળ હતા. કંઈક બનાસકાંઠા રૂરલ વોટર સપ્લાય સ્કીમ અને એ સ્કીમનું બધું લખેલું હતું. હવે આ શું બનાસકાંઠા ને શું  વૉટર સપ્લાય સ્કીમ ને એ બધું હું તો ચાર પાંચ વાર વાંચી ગઈ. પણ એમાં મારે શું કરવાનું છે ? એટલે મેં જઈને મારા પપ્પાને બતાવી કે મને તો આવી કોઈક ફાઈલ આપી છે. એ કહે હું તો  કહેતો જ હતો કે આવી બધી  જગ્યાએ કામ કરવા જવાય જ નહીં. તો કહે શું તું આ બધું લઈને બેઠી છે ? મેં કહ્યું કાલે સમજી લઉં પછી આપણે વિચારીએ પાછું. તો હું પાછી ગઈ અને એમણે મને કહ્યું કે ફાઈલ વાંચી ? મેં કહ્યું ફાઈલ તો વાંચી,  પણ મને ખ્યાલ ન આવ્યો,  કારણ કે હું કોઈ દિવસ બનાસકાંઠા ગઈ નથી એટલે એ કઈ બાજુ આવ્યું એ પણ મને ખ્યાલ નથી. વોટર સપ્લાયમાં પણ મેં કોઈ દિવસ કામ કર્યું નથી. કારણકે હું એન્જીનીયરીંગ તો ભણી જ નથી. તો એમણે કહ્યું કે,,,, “પણ કલેકટર હોત તો ? તો તેં કર્યું હોત ને.. તો હવે  તમે કરો.”  મેં કહ્યું, સારું. એટલે મેં કહ્યું કે શું કરવાનું ? એમણે કહ્યું કે, હા પ્રોગ્રામ આપણે ડિઝાઇન કરવાનો છે અને સરકારને આપવાનો છે કે આ વોટર સપ્લાયમાં બહેનોને કેવી રીતે સંગઠિત કરવાની. એટલે હું પછી વોટર સપ્લાય બોર્ડમાં ગઈ, આખી સ્કીમ એમના પાસેથી લીધી, એમને કહ્યું કે મારે બનાસકાંઠા જવું છે એટલે ઇલાબેનના હસબન્ડ હતા રમેશભાઈ ભટ્ટ એ પણ આ સ્કીમમાં સંકળાયેલા હતા. એમણે રિસર્ચ કરવાનું હતું એટલે હું એમને  મળી અને મેં એમને કહ્યું કે શું કરવાનું મારે  ? એટલે એમણે એવું કહ્યું કે જઈને પહેલા ત્યાં રહો અને તમે સમજો કે આ બધું શું છે ? એટલે હું તો બનાસકાંઠા ગઈ અને પછી તો ૯ વર્ષ ત્યાં રહી. રાધનપુર કરીને નાનકડું ગામ જે હવે તો શહેર જેવું થઇ ગયું પણ ત્યારે એ નાનકડું ગામ હતું અને હું ત્યાં ગુજરાત વોટર સપ્લાય એન્ડ  સ્ટોરેજ બોર્ડની ઓફિસમાં ગઈ. આ વોટર સપ્લાય સ્કીમની ઓફિસ એટલે હું ત્યાં ગઈ અને રાધનપુરમાં ૯ વર્ષ રહી..

હા, પિતાશ્રી અને માતાશ્રીને ગમ્યું નહોતું કે હું  સેવામાં જોડાઈ છે. પણ હવે એને રુચિ પડે તો જવા દઈએ, એમ ધાર્યું હશે.. પણ એને અંદર અંદર એવું હશે કે  આ બહુ લાબું ટકશે નહીં. આવી જશે એક બે મહિનામાં પાછી  અને અને એમાંય રાધનપુર તો કોણ રહેવાનું હતું એટલે એમને એમ હતું કે આવી જશે ઠેકાણે અને બનાસકાંઠામાં ૯ વર્ષ એ ખાસ્સો લાંબો ગાળો. હું પહેલીવાર ગઈ ત્યારે તો લગભગ બાવીસેક વર્ષની જ હતી. નાની છોકરી જેવી. બધી બહેનોને પણ એવું થતું હતું કે આ શહેરની છોકરી આવી ગઈ છે એ શું આપણું કરવાની ?  એને તો કંઈક નોકરી હશે એટલે એ તો અહીંયા આવે છે. એ બહેનો પણ મને બહુ ચકાસે .” 

 

વીનેશ અંતાણી

અસ્મિતા વિશેષ સંવાદ : 19 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com  

ગુજરાતી સાહિત્યમાં નવલકથા લેખનમાં મોખરાનું  નામ એટલે વીનેશ અંતાણી. આમ તો એ  પ્રસાર માધ્યમના માનવી. એક વખતના બળુકા માધ્યમ આકાશવાણીમાં દુર્ગમ સ્થળોએ રહીને પ્રદાન કરનાર અધિકારી. પણ કલમ અને કલ્પના સાથે તેમને પૂર્વ જન્મનો નાતો  એટલે એમના  દ્વારા  કલમને કાગળ સ્પર્શે અને અસ્ખલિત શબ્દોનું સર્જન થાય. ચાલીસેક વર્ષો પછી પણ વીનેશ અંતાણી એટલે પ્રિયજન, એવું બોલાય અને હોંશથી હૃદય ભરાય જાય એવા યાદગાર સર્જનના માતબર પ્રદાતા વિનેશ અંતાણીને વિશ્વકોશના સ્ટુડીઓમાં સંવાદ માટે નોતરી શક્યા એ જ મોટું સદ્ભાગ્ય, કારણ એ તો હવે વર્ષના છ માસ હૈદરાબાદ કુટુંબસ્થ  થઈને વસે છે. વીનેશ અંતાણીને જ સાંભળીએ :

        “મારી ઓળખાણ આપતા કોઈએ કહ્યું કે વીનેશભાઈ પ્રિયજનના જનપ્રિય લેખક છે.  એણે કશું જ નહોતું કર્યું પણ પ્રિયજન માંથી જન શબ્દ પહેલા લીધો અને પછી જનપ્રિય કર્યું. મારી ઓળખાણો અપાય છે પણ એ ઓળખાણ મને વિશેષ સ્પર્શી ગઈ….પ્રિયજનનને કારણે જે મારો બીજો અનુભવ છે કે તમારે લોકોની રુચિ પ્રમાણે જ લખવું જોઈએ એવું કઈ જરૂરી નથી. સર્જક જો ધારે તો પોતાની કલમથી વાચકોની રુચિને ઘડી પણ શકે. ‘પ્રિયજન’ તમને પણ એટલી જ પ્રિય છે. મારાથી પણ વધારે પ્રિય છે. તો એમાં કલાના અંશો છે, કલાત્મકતા પણ છે. છતાં પણ એ લોકો સુધી  બહુ પહોંચી છે. 

       અત્યારે પ્રિયજન હવે ૪૧ વર્ષની થઇ… ૪૧ વર્ષ પહેલા લખાયેલી છે છતાં પણ એ એવી જ તરુણ છે, એવી જ યુવાન છે અને એવી જ પ્રૌઢ છે. હજુ પણ હું જોઉં છું કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જયારે મને મળે ત્યારે એમની આંખોમાં પ્રિયજનની વાત કરતા કરતા જે ભાવો આવે છે, જે મુગ્ધતા આવે,  જે લગાવ આવે છે એમનું જે પ્રિયજન પ્રત્યેનું જે પ્રિયજનપણું દેખાય છે એ હજી મને બહુ નવાઈ પમાડે છે. કારણ કે આજે  ૪૧ વર્ષની થયેલ ‘પ્રિયજન’ વખતે તો એ લોકો જન્મ્યા પણ નહોતા. મેં ‘પ્રિયજન’ લખી એ પહેલા મેં નાટક લખ્યું હતું, માલીપા નામનું.. માલીપા એટલે સૌરાષ્ટ્રમાં માંહ્યલી પા તો આપણા લોકવાર્તાકાર બચુભાઈ ગઢવી હતા. એ એકવાર અમારે ભુજમાં આવ્યા હતા. જો જો કેવી રીતે કૃતિનો જન્મ થતો હોય છે એ પણ કેટલું બધું મહત્વનું છે. અને હું તો હંમેશા કહેતો એવું છું કે માત્ર સર્જકને, લેખકને, કવિને કે કોઈ પણ કલાકારને પોતાની કૃતિ અવતરવાનો માત્ર એના સર્જકને જ લોભ નથી હોતો પેલી કૃતિને,   પેલી કલાને પણ લોભ હોય છે કે હું અવતાર લઉં, હું અવતરણ કરું એના માટે એ ક્યારેક કોઈક વ્યક્તિની પસંદગી કરે છે અને જાણે ઉપરથી કોઈ પ્રકાશપૂંજ આવતો હોય એમ એ કૃતિ તમારી અંદર સાંગોપાંગ પ્રવેશ કરે છે. પ્રિયજને તો મારી અંદર એ રીતે જ પ્રવેશ કર્યો છે. તો વાત હતી એ કે બચુભાઈ ભુજ આવ્યા હતા ત્યાં એ સૌરાષ્ટ્રની લોકવાર્તા કહેતા હતા. તો વારંવાર માલીપા માલીપા શબ્દનો પ્રયોગ કરે હું તો રૂમના છેવાડે બેઠો હતો અને સાંભળતો હતો. પછી મને થયું કે આ માલીપા શબ્દ બહુ સારો છે અંગ્રેજીમાં within શબ્દ માટે માંહ્યલીપા થી વધારે ગુજરાતી શબ્દ હોય શકે નહીં. તો એ વખતે હું આકાશવાણીમાં હતો અમારા સ્ટેશન ડાયરેક્ટર ચંદ્રકાન્ત ભટ્ટ હતા. એમણે સૌરાષ્ટ્રના લોકસાહિત્ય પર પુષ્કળ કામ કર્યું. અમારે ત્યાં એ વખતે આકાશવાણીમાં દર વર્ષે રેડિયો નાટ્ય મહોત્સવ ઉજવાતો. એમાં દરેક ગુજરાતના સ્ટેશન અને મુંબઈનું સ્ટેશન પણ એમાં એક એક કલાકના નાટક આપે. ભટ્ટ સાહેબે કહ્યું કે વીનેશ આ વખતે નાટક તારે લખવાનું… તો મેં કહ્યું,  સારું પણ મારી પાસે કોઈ વિષય નથી. તો કહે એ તું કરજે ને.. તો એ જ વખતે આ માંહ્યલી પા શબ્દ વાપર્યો હતો તો મેં ભટ્ટ સાહેબને કહ્યું કે નાટકનું નામ માંહ્યલી પા રાખીએ તો ? તો કહે હા જરૂર રાખ માંહ્યલી પા રાખ. બસ આટલી જ વાત અને એ નાટક શેડ્યુલ થઇ ગયું. હું નાગર એટલે મેં મારા નાટકને છેલ્લે રખાવ્યું. છેલ્લે દિવસે મારું નાટક. તો નાટ્યમહોત્સવના દિવસો નજીક આવતા હતા. પણ મારા મનમાં નાટકના નામ સિવાય કશું જ નહોતું, થીમ નહોતી. માત્ર within શબ્દ હતો. એટલે એક વસ્તુ નક્કી હતી ભદ્રાયુભાઈ કે જે અંદર ચાલતું  હશે એના વિષે આ નાટક બનશે. તો કઈ હતું નહીં ને દિવસો નજીક આવતા હતા ૧૫ દિવસ જ બાકી હતા. ત્યારે સ્ક્રિપ્ટ પણ તૈયાર નહોતી. અને એ મહોત્સવ જાન્યુઆરીમાં થવાનો હતો. તો શિયાળાની એક ઠંડી રાતે હું અને પુષ્પા અમારા ભુજના ઘરમાંથી વૉક કરવા માટે નીકળ્યા. પુષ્પાને તૈયાર થઈને આવતા જરા વાર લાગી. તો પછી ત્યાં સુધી હું મારા પુસ્તકો પાસે ઉભો હતો. એ એમાંથી એક પુસ્તક મેં કાઢ્યું સમય પસાર કરવા માટે.

તમે જુઓ કૃતિ કેવી રીતે અવતરણ કરે છે એની આ વાત છે. અને એમાંથી એક પુસ્તક નીકળ્યું આકસ્મિક રીતે એ પુસ્તક મેં ખોલ્યું,  યોગાનુયોગે એક પાનું ખુલ્યું  ત્ત્યાં થી એક નવી વાર્તા શરૂ થતી હતી. અને એમાં જે પાનું ખુલ્યું એમાં ડાબા હાથે એક વાર્તા હતી parting પાર્ટિંગ – છૂટા પડવું અને પહેલું વાક્ય હતું એના બે પાત્રો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી છૂટા પડે છે. ભદ્રાયુભાઈ,  એ જ  ક્ષણે આખું માલીપા નાટકનું થીમ અને પાછળથી જે પ્રિયજન લખાઈ એનું થીમ મારા મનમાં સ્પષ્ટ થઇ ગયું હતું. પાત્રોના નામ સાથે. એટલું જ નહીં એ નાટકનું અને પછી જે અંતનું વાક્ય બન્યું કે,, ‘ચારુ દિવાકરને કહે છે કે આજે તું જાય છે ત્યારે એવું લાગે છે કે જાણે કે દિવાકર બીજીવાર મૃત્યુ પામી રહ્યા છે’. એ વાક્ય સહિત આખું થીમ મારા મનમાં સ્પષ્ટ થઇ ગયું. એ કૃતિએ અવતાર લીધો મારામાં એ ક્ષણે. 

બીજી પણ એક વાત છે મારા મનમાં કે દરેક સર્જકની દરેક કૃતિ પોતાના જન્માક્ષર લઈને જન્મે છે. મારી આ કૃતિના જન્માક્ષરમાં એવા ગ્રહો હશે કે એને લોકોની એટલી બધી ચાહના મળશે અને એ તને એક વખતના વીનુમાંથી જનપ્રિય બનાવશે એવા કંઈક ગ્રહો એમાં પડ્યા હોવા જોઈએ. પછી અમે બહાર નીકળ્યા રસ્તામાં મેં પુષ્પાને આખું થીમ કહ્યું એ કહે કે આ તો બહુ સારું છે. અમે આવ્યા તો રસ્તામાં એક મારો પ્રિય પાનવાળો હતો એની પાસેથી મેં ૩૦૦ તમાકુના ૨ પડીકી બંધાવી. ઘેર આવ્યો લૂંગી પહેરી, ઈસ્ત્રી વાળું બાંડીયું પહેર્યું પાના ગોઠવ્યા અને લખવાનું ચાલુ કર્યું. સવાર પડી ત્યાં સુધીમાં ‘માલીપા’ નાટક લખી લીધું હતું. બધું જ સાંગોપાંગ ઉતરતું આવ્યું. નાટક ભજવાયું, રજૂ થયું, બહુ જ ગમ્યું લોકોને નાટક પણ. એના બીજા કે ત્રીજા દિવસે હું બહાર નીકળ્યો હતો ત્યારે એક રિટાયર્ડ પોસ્ટ માસ્તર અને એમના બીજા વૃદ્ધ મિત્રો લગભગ ૭૫ થી વધુના એ લોકો બે જણા મળ્યા. એમાંથી એકે મને કહ્યું એ છોકરા ઉભો રે… હું એ વખતે છોકરો હતો. મારી છાતી એ પંખુડો અડાડીને કહે કે તને અમારી વાતોની ક્યાંથી ખબર પડી ? મેં કહ્યું શું થયું મેં તો કંઈ કર્યું નથી. તો કહે કાલે રેડિયો ઉપર તારું નાટક સાંભળ્યું. તેં તો  અમારી જ વાતો લખી છે. એ ક્ષણથી પ્રિયજન બીજાને પ્રિય થવાની શરૂઆત થઇ ગઈ હતી જયારે મને આજે પ્રિયજનની ૨૦ આવૃતિઓ પછી કોઈ ૧૭ કે  ૧૮ વર્ષના છોકરા છોકરીઓ મળે અને એ જે ચમક એની આંખોમાં દેખાય એ પેલા રિટાયર્ડ વૃદ્ધ માસ્તરની આંખોમાં દેખાતી ચમક જેવી જ ચમક હતી.”

ગોરજ મુનિ સેવા આશ્રમના ડો. વિક્રમ પટેલ

અસ્મિતા વિશેષ સંવાદ : (18)

વડોદરાના વાઘોડિયા ગામ પાસે એક સ્પર્શી જાય તેવો માનવીય આશ્રમ છે. ના, અહીં કોઈ ધ્યાન-પૂજા-ભજન- હવન થતાં નથી પણ અહીં અદભુત માનવસેવાનો ધૂણો અવિરત ધખે છે. એક વિરલ સાધ્વી અનુબેન (ઠક્કર) અહીં તેમના ગુરુ શ્રી મુનિ બાબાની આજ્ઞાથી આવ્યા, સેવામય રહ્યા અને અહીં જ વિરમ્યા. ડોક્ટર થવા નીકળેલ એક યુવાન અનુબેનના કહેવાથી બધું છોડી અહીં 1983થી આવી વસ્યો અને આજે અનુબેનની દૈહિક ગેરહાજરીમાં વિરાટ વિવિધક્ષેત્રીય સેવાયજ્ઞ કરે છે. એ યુવાન ડોક્ટર એટલે અસ્મિતા વિશેષ  સંવાદમાં પધારેલા ડો. વિક્રમ પટેલ.

એકદમ સૌમ્ય અને સાલસ વિક્રમને પહેલો જ પ્રશ્ન પુછાય ગયો કે તમે અહીં કેમ આવી ચડ્યા ?? અને ડો. વિક્રમે જે જવાબ આપ્યો તે જાણીએ…

અનુબહેનના બા બાપુજી સાણંદમાં રહેતા હતા. નાનપણથી ભક્તિ અને સન્યાસ તરફ એમની વૃત્તિ હતી. સાણંદ ગામની બહાર એક મહારાજ રહેતા હતા.  સંતનું  નામ કોઈને ખબર નથી,  પણ બાર વર્ષ મૌન રાખેલું એટલે લોકો એને મૌનિ બાબા તરીકે ઓળખે. સાણંદની બહાર. બહેન ત્યાં જતા આવતા હતા અને એમને થયું કે આ કોઈ સારા ઉચ્ચ કોટિના સંત છે અને બહેનને દીક્ષા લેવાનો વિચાર તો હતો. એટલે પહેલા તો બહેન કોલકત્તા ગયા બેલુર મઠ કારણકે સ્વામી વિવેકાનંદ એમના માટે ભાવના પુરુષ હતા. અને લગ્ન માટે પણ બેન ઘણી વાર મને એમ કહેતા કે  સ્વામી વિવેકાનંદ જેવા મળે તો હું કરું ને નહિતર ક્યાંથી કરું ??  પણ ત્યાં  આગળ એમને સન્યાસ આપવાની ના પાડી કે અમારે ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ જોઈએ. અનુબહેન સાત ચોપડી પાસ હતા. એટલે મુનિ મહારાજને એમણે વિનંતી કરી કે મારે સન્યાસીની થવું છે,  મને સન્યાસ આપો. એટલે મુનિ મહારાજે કીધું કે જો આ એક બાવો તો મફત ખાય છે એમાં તારે વધારો શું કામ કરવો છે ? એના કરતા તમે શિક્ષિકાનું ભણેલા છો, તો શિક્ષિકાનું કામ કરો.એટલે બેને પૂછ્યું કે ક્યાં કરું, શું કરું ? એટલે અત્યારે જે આશ્રમ છે એની પાસે મુનિ મહારાજના એક ભક્તનું ખેતર હતું અને મહારાજ ત્યાં આવતા કારણકે પાછળ એક સુંદર નાનકડી નદી છે. બારેમાસ વહેતી એટલે એમની પ્રકૃતિને અનુકૂળ હતું ધ્યાન વગેરે કરવા માટે.. એટલે એમણે અનુબહેનને કીધું કે હું ત્યાં જાઉં છું.  ત્યાં શિક્ષણનું કશું છે નહીં. મા બાપ આખો દિવસ ખેતરમાં રહે  અને છોકરાઓ શેરીમાં રખડ્યા કરે. એટલે અનુબહેને ત્યાં આવી ૧૯૭૮ માં પહેલા એક બાલમંદિર ચાલુ કર્યું. અને બે વર્ષ એ મુનિ મહારાજના ભક્તને ત્યાં રહ્યા અને પછી આ જે જગ્યા અત્યારે મુનિ સેવા આશ્રમ છે ત્યાં આગળ એમણે આશ્રમનું  રજીસ્ટ્રેશન કરીને સ્થાપના  કરી અને ૧૯૮૦ માં મુનિ સેવા આશ્રમ અસ્તિત્વમાં આવ્યો. પહેલા ત્રણેક વર્ષ બહુ મુશ્કેલી પડી. પચાસ રૂપિયા લઈને આવેલા એ પચાસ  રૂપિયા બાળકોના નાસ્તામાં દસ દિવસમાં વપરાઈ ગયા. પછી શરૂઆતમાં આજુબાજુના સારા ઘરોએ જઈને લોકોને વિનંતી કરે કે બાલમંદિર ચલાવું છું મને નાસ્તો કે એના માટે કંઈ આપો.. અમુક બાળકો આવે અમુક ના આવે એટલે પછી ઘરે જાય સાંજે અને કહે કેમ નથી આવ્યો ? મા બાપ કહે બીમાર પડ્યો છે. પૂછે કે  શું કર્યું ? તો કહે  આ ભુવોનું  પાણી લઇ આવ્યા છીએ , દોરો મંત્રાવી લાવ્યા છીએ  એટલે અનુબેનને વિચાર આવ્યો કે એકાદ નાનું ક્લિનિક ચાલુ કરીએ. પૈસા હતા નહીં એ વખતે એટલે અમારી મેડિકલ કોલેજમાં આવેલા અને અમને ઈન્ટર્ન્સને રિકવેસ્ટ કરવા કે ભાઈ તમે છોકરાઓ શું કરો છો ? અમે કીધું કઈ નહીં, ખાઈ પી ને મજા…બીજું તો શું… તો કે તમે રવિવારે વારાફરતી મારે ત્યાં ન આવો ? હું તમને આવવા જવાનું બસ ભાડું આપીશ.. એટલે અમને થયું કે મજા આવશે ચાલો.. એટલે એ રીતે અમે બધા વારાફરતી આવતા હતા. પણ ગામના લોકો ને તો ખબર નહીં કે ઈન્ટર્ન્સ એટલે શું એટલે એમને એમ કે ડોક્ટર આવે છે.. એટલે મોટા લોકો પણ આવવા લાગ્યા. એમાંથી બેનને થયું કે એક ડેઈલી ક્લિનિકની જરૂર છે અહીંયા.. એમાંથી ખબર નહીં પણ શું હશે મારું અને એનું ભાગ્ય,, \એમણે મને કીધું કે, તું વિક્રમ રહી જા તો આપણે ડેઈલી ક્લિનિક ચાલુ કરીએ.’ એટલે મેં કીધું ઇન્ટર્નશિપ પુરી થાય પછી વિચારું બેન.. ત્યાં સુધી દર રવિવારે આવતો રહીશ.

ઇન્ટર્નશિપ પછી મારો વિચાર હતો ઓર્થોપેડિક કરવાનો. મેં કીધું ઓર્થો કરીને પછી આવું  તો બેન કહે … ‘એ તો બધી વાતો..ઊંટના શીંગડા જેવી.. એ પછી તો તમે કઈ આવવાના નથી. આવવું હોય તો અત્યારે આવી જાઓ’.. પછી મને થયું કે આ વાત તો સાચી એટલે હું બીજે દિવસે બેગ લઈને આવી ગયો એટલે ત્યારથી પછી આશ્રમ જોડે…હું કાયમી આવ્યો ૧૩ મી ફેબ્રુઆરી ૧૯૮૩ના ….

 

ગુજરાતને ‘સપ્તક’નું વ્યસની બનાવનાર શ્રી મંજુ મેહતા

                   અસ્મિતા વિશેષ સંવાદ : 17

 ગુજરાતનેસપ્તકનું વ્યસની બનાવનાર શ્રી મંજુ મેહતા 

એક રાજસ્થાની નારી તમને આજે સદંતર ગુજરાતી લાગે અને જે વાત કરે ત્યારે તમને સુરાવલિઓનો ભાસ થાય તો તે શ્રી મંજુ મહેતા છે એમ સમજવું. એ ‘સપ્તક’ સંગીત મહાકુંભના દ્યોતક છે, સર્જક છે, અને પોશક પણ છે. આખું કુટુંબ કેવી રીતે સંગીતમય બને તે ઊંડાણથી જાણવા માટે આ સંવાદ સાંભળવો બહુ જરૂરી છે. સંગીત એ આરાધનાનો વિષય છે અને મંજુબેનની વાતોમાંથી સંગીત માટેની તેઓની સાધનાના દર્શન થાય છે. આવો,  મંજુબેનના જીવનનીશરૂઆતને માણીએ…

‘મારા પિતાશ્રી અને મારા માતુશ્રી બંને સંગીતના ફિલ્ડમાં બહુ જ આગળ વધેલા. જયારે રાજસ્થાનમાં મહિલાઓને સંગીત કરવા માટે પ્રેરિત નહોતા કરતા એટલે કે મહિલાઓ સંગીત કરે તેને સારું નહોતા સમજતા એ સમયમાં મારા પિતાશ્રી કે જેમને સંગીતનો બહુ જ શોખ હતો એ એમના  શોખના લીધે સ્વયમ હાર્મોનિયમ લઇ આવ્યા પછી બધા કમ્પૉસિઝન્સ એમાં ગાય અને વગાડે. મારા જીવનનો એક ખાસ પ્રસંગ એ છે કે મારા મધરને મારા ફાધરે કહ્યું કે તમારે સંગીત શીખવું પડશે,  કારણકે મને આટલો બધો શોખ છે…!!! એટલે તમારે સંગીત શીખવું જ પડશે. તો જયારે હું લગભગ છ સાત વર્ષની હતી ત્યારે મારા મમ્મીને અલવર સંગીત શીખવા દર શનિ રવિ જવું પડતું હતું. ક્યાંથી જવાનું ? જયપુરથી અલવર જવાનું,  કારણકે જયપુરમાં એ ઘડી એવા કોઈ સારા ગુરુ નહોતા કે જે કોઈ લેડીને સરસ રીતે શીખવાડી શકે. તો અમે લોકો છ છ વર્ષના હતા.  મમ્મી અમને લઈને ટ્રેનમાં જતા હતા અલવર. અરે,  ત્યાંના જે સિતારીષ્ટ  હતા એમને ત્યાં મારા મધર પછી તો શીખવાડતા પણ હતા. આમ  અમે લોકો છ સાત વર્ષના હતા ત્યારથી મારા મધરે સખત સંઘર્ષ કર્યો. બચ્ચાઓને લઈને જવાનું, શીખવાનું. પછી ત્યાં અમે બે દિવસ રહેતા હતા.  ત્યાં આંબાના ઝાડ અને સરસ વાતાવરણ તો અમે તો રમતા હોઈએ અને પછી મારા મમ્મી પાછા લઈને આવે. એ પછી મારા મધર મહારાજા કોલેજમાં મ્યુઝિક ટીચર તરીકે રહ્યા. અને પછી એ ભરતપુર કોલેજમાં મ્યુઝિકના લેક્ચરર રહ્યા. પછી લખનૌ મારા મધર મોરિસ કોલેજમાં એક્ઝામ આપવા ગયા વિશારદની અને મને લઇ ગયા. તો મમ્મી બતાવે છે કે ઘોડાગાડીમાંથી હું પડી ગઈ. એક્ઝામ લેવા જઈ રહ્યા હતા અને ઘોડાગાડી માંથી પડી ગઈ હતી. તો પણ મને લઈને પરીક્ષાખંડમાં ગયા,  બધાએ બહુ સહકાર આપ્યો ને પરીક્ષા આપીને આવ્યા. એટલે એ સમયની વાત,  વિચાર કરો હું આજે ૭૫ ની છું..!!!!

પછી ધીમે ધીમે અમારા મધર ફાધર ના લીધે બધા જ છોકરાઓને,  ઘરમાં એક વસ્તુ થતી હોય તો ક્યાં જવાના હતા,  ત્યાંને ત્યાં બધા સાંભળે અને પછી એમ બધાને જ સંગીતનો શોખ લાગી ગયો. પછી મારા મોટા ભાઈ કે જે મારા ગુરુ પંડિત શશી મોહન ભટ્ટજી એ સિતાર વગાડતા હતા. અને એ ભારતરત્ન પંડિત  રવિશંકર જયારે દિલ્હી ઓલ ઇન્ડિયા રેડીયોમાં હતા ત્યારે એમની પાસે શીખવા જતા હતા. એ લગભગ ગુરુજીના  પહેલા કે બીજા જ સ્ટુડન્ટ હતા કે જે દિલ્હી જઈને શીખતાં હતા. એમને જોઈને મને સિતાર શીખવાની ઈચ્છા થઇ. અને એ પછી મારા મોટા ભાઈ ત્યાંની જયપુરની યુનિવર્સીટીની  કોલેજમાં હેડ ઓફ ધ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ રહ્યા.

મને સિતાર શીખવાની ઈચ્છા તો આઠ વર્ષથી થઇ પણ દસ અગિયાર વર્ષે હું થોડું ગાઈ લેતી હતી એટલે નાના બાળકોના પ્રોગ્રામમાં જઈને સિતાર વગાડતી હતી. પણ એ ઘડી કઈ ગાડી ની વ્યવસ્થા નહીં એક જણે કોઈને સાઈકલમાં બેસાડી લે તો પકડી લીધું એક જણે રિક્ષામાં લઈને જાઉં એવી રીતે..બહુ કઈ ફેસિલિટી નહોતી, આજ કાલ તો બહુ ફેસિલિટી છે, અમારા  જમાનામાં એવું કઈ નહોતું. પણ એક રીતે જોઈએ તો એ ફેસેલિટી નહોતી ત્યારે જે શીખી શકાયું એ આજે ફેસેલિટી સાથે શીખી શકાતું નથી. જ્યારે હું પરણીને અહીંયા આવી અને હું રેડિયોમાં ૬૯ માં સૌથી પહેલા ‘બી  હાઇ ગ્રેડ’માં પાસ થઇ,  એ સમયમાં લાઈવ પ્રોગ્રામ થતા હતા. એ વખતે તો જયારે પ્રોગ્રામનો ટાઈમ હોય ત્યારે આપણે સિતાર લઈને જવાનું. એકવાર  સવારમાં અને  ફરી એકવાર રાત્રે.. ત્યારે મને હજુ યાદ છે કે હું રિક્ષામાં બેસી સિતાર લઇ મારી બેબીને દૂધની બોટલ આપી  અને બેસાડીને  રિક્ષાવાળા ભાઈને કહું કે,  ‘આવું છું હમણાં.’  એટલે એક આખું દ્રશ્ય ફરીવાર ભજવાયું. મારા માતાશ્રી અલવર જતા હતા ત્યારે અમે  ભેગા જતા હતા અને પછી મારે જયારે પરફોર્મ કરવાનું આવ્યું ત્યારે મારી  દીકરી સાથે આવતી હતી !!’ 

મંજુબેનનું  આખું કુટુંબ જ સંગીતમય અને કુટુંબમાં સંગીત સિવાય કશું જ નહીં. તેમાં એક ભાઈ એટલે વિશ્વખ્યાત પંડિત વિશ્વમોહન ભટ્ટ કે જે વિચિત્ર વીણા ના દ્યોતક રહ્યા છે. આ સંસ્કારોએ માનુજુબેન અને તેઓના પતિશ્રીએ ‘સપ્તક’ ની દીર્ઘસ્થાયી ભેટ અમદાવાદ અને ગુજરાતને આપી અને ફલત: દેશના ધુરંધર સંગીત ખેરખાંઓ ગુજરાત આવવાની રાહ જોતા થયા અને ગુજરાતનું નામ વિશ્વમાં રોશન થયું. ‘સપ્તક’ કેમ-ક્યારે-કેવી રીતે શરુ થયું અને કેમ આટલી પ્રસિદ્ધિ પામ્યું તે જાણવા માટે આપે શ્રી મંજુબેન મહેતા સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ સાંભળવો રહ્યો.

 

હરીશ મીનાશ્રુ

અસ્મિતા વિશેષ સંવાદ (16) 

કવિતા જગતમાં ઉત્તમ સર્જન કરનાર અગ્રીમ વ્યક્તિઓમાં શ્રી હરીશ મીનાશ્રુનું નામ મોખરે છે. તેઓની  જીવનની યાત્રા વિશિષ્ટ સંજોગોના પડાવો પરથી પસાર થઈ છે. પિતાશ્રીની નાની શી પેઢી અને દીકરાની બેંકમાં કારકિર્દી પણ સદગુરુનો  સ્પર્શ એવો થયો કે અંતરની યાત્રાનો દોર ઘૂંટાવા લાગ્યો અને તેમાંથી સહજ પ્રગટે તેમ પદ્ય સર્જન થવા લાગ્યું. એક જુદા પ્રદેશની અનુભૂતિ તેઓને થઈ  છે અને તે કવિતાઓમાં બરાબર ઉતરી છે. સાદી  છતાં  પ્રેરક જીવનશૈલીના સાધક શ્રી હરીશ મીનાશ્રુ સાથેનો સંવાદ ધરાતલને સ્પર્શવાનો લ્હાવો બની રહ્યો… 

આપના ઉછેર અંગે વાત કરશો ??

“મારા પિતાજી મૂળ આણંદથી નજીક કંજરી ગામના,  એ અમારું મૂળ ગામ ત્યાં બાપદાદાના જમાનાની થોડી  જમીનો પણ હશે. પણ પિતાશ્રી બધાં ભાઈઓને બધું જ સોંપી અને આણંદ આવી ગયેલા. આણંદ અને કંજરી વચ્ચે કોઈ ખાસ અંતર નથી. હવેના જમાનામાં તો એને અંતર જ ના ક્હેવાય. માંડ  ૧૦ કિમિ હશે. અને અહીં એમના એક સ્નેહી સાથે એમનો છીકણીનો ધંધો.  એમાં એમણે કામ શરૂ કરેલું. પછી એ સ્વતંત્ર રીતે પણ કરતાં થયા. એટલે અત્યાર સુધી એમ સમજો ને કે પાંચેક વર્ષ સુધી એ મારા ‘બાપાની પેઢી’ કહું તો ગમ્મતનો વિષય ગણાય. કારણકે નાની અમથી એક દુકાન અને એમાં બધું કામ ચાલે.  છીંકણી બનાવવાનું અને ઘુંટવાની જ પ્રક્રિયાઓ છે એ બીજે થતી હોય પણ વેચાણની વ્યવસ્થા પેઢી પર  થતી હોય. મારા ભાઈ અત્યાર સુધી એ દુકાન ચલાવતા હતા. પછી એમની અવસ્થા થઈ એટલે એ છોડ્યું.  મારું કહેવાનું તાતપર્ય એટલું મારા ફાધર એક સનાતની બ્રાહ્મણ. ગાંધીયન એસ્થેટિકનો એક નાનકડો નમૂનો.  જેને ક્હેવાય ને લોવર મિડલ ક્લાસ. આપણે એને મિડલ ક્લાસ પણ ન કહી શકીએ એવા પ્રકારની આર્થિક અવસ્થા. એટલે મને બરાબર યાદ છે કે જયારે ૧૯૫૩ માં મારો જન્મ થયો હશે તો તે વખતે જે મકાન હતું એમાં છતમાં પણ વચ્ચે ગાબડું. અને દાદર ચડીને ઉપરના એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો પડી  ન જવાય એટલે વચ્ચે જે ઉઘાડી ભીંત હતી એ પકડીને સાચવીને આ બાજુના રૂમમાં જવાનું.. આવા પ્રકારની સ્થિતિ. પણ સાત આઠ વર્ષ પછી મને એવું લાગે છે કે મારું બચપણ એ છતાં પણ બહુ સારી રીતે ગયેલું કેમ કે સ્થિતિ થોડી સુધરવા માંડી હશે અને મારા બા તો કહેતા કે તારાં માથા પર લાડવાનો ડબ્બો હંમેશા રાખતા. આજે તો કોઈ રાખતું નથી પણ  મગસનો ડબ્બો ત્યારે શુકનવાળા સંતાન પર રાખતા હતા. આવી સંઘર્ષની અવસ્થામાં પણ એક બાળક તરીકે મારી ઉછેરની બાબતમાં કે બીજી કોઈ બાબતમાં મને ઓછું આવે એવું તો નથી થયું. અને સાત આઠ વર્ષ પછી મારા બાપુજીએ નવું પાક્કું મકાન કર્યું કે જે આજે પણ છે મારી પાસે અને ત્યાં અમે અવાર નવાર જતાં હોઈએ છીએ અને ખાસ તો  ઉત્તરાયણ વખતે ખાસ જતાં હોઈએ છીએ. ગામ મળે, ત્રીજો માળ મળે અને અગાસીઓને છાપરાને પતરાને બધું મળે કે જેથી આપણે કોઈની પતંગ કાપી પણ શકીએ અને કોઈ આપણી પણ કાપી શકે. કેમ કે અત્યારે હું જ્યાં રહું છું ત્યાં અગાસી છે ખરી પણ પડોશી પતંગ ચગાવે નહીં અને આપણી પતંગ પડોશી સુધી પહોંચે નહીં એટલું અંતર હોય છે. એટલે પતંગ પણ એક ઇમેજ બની જાય છે તમારી નિકટતાની. એટલે મારું બચપણ તો આ રીતે સરસ ગયેલું.”

ગાંધીયન એસ્થેટિકએવો આપે શબ્દ પ્રયોગ કર્યો  એ કેવી રીતે ?

“ગાંધીયન એસ્થેટિક. હું એસ્થેટિક શબ્દ કહું છું ત્યારે એમાં કળા ઉપરાંત સમાજ પણ આવી જાય. કેમ કે ગાંધીએ એમ કહ્યું કે આઈ એમ એન આર્ટિસ્ટ. તો એ અર્થમાં જયારે જુઓ છો ત્યારે મારા બાપુજીને મેં હંમેશા ખાદીના વસ્ત્રોમાં જોયા છે. અને દેખાવે મળતા એટલા આવે એટલે સૌ  કહે કે કાકા નહેરુ જેવા લાગે છે. કેમકે માથે ટોપી પહેરે. અને બીજી એક વસ્તુ એ હતી કે ઘરમાં એ ફાટલું એની પર થીગડાં મારેલા હોય એવો  ખાદીનો  ઝભ્ભો અને ધોતિયું પહેરીને બેસતા. અને એ જ રીતે ઘરમાં રહે. પણ જો બહાર જવાનું હોય કે કોઈને ત્યાં શોભામાં અભિવૃદ્ધિ કરવાની હોય તો ખરેખર અભિવૃદ્ધિ થાય એ રીતે ખાદીનો સરસ મજાનો ઝભ્ભો , સરસ ઈસ્ત્રી કરેલી હોય, એ જ કાપડની ટોપી એવું ધારણ કરીને જ જાય. પછી હું જોઉં કે એમની  સેન્સ ઓફ ટાઈમિંગ તો ગજબની.  ગાંધીના એસ્થેટિકમાં એટલે કે અમુક વાગ્યે જ નીચે ઉતરે, ઉઠે  તો બહુ વહેલા. ચાર વાગ્યા માં ઉઠી જાય અને ખોખારા ખાવામાં ફળિયામાં સૌથી પહેલાં એ હોય અને એમના ખોખારા સાંભળે એટલે આજુબાજુના પાડોશીઓને ખ્યાલ આવે કે આ ચાર વાગવા આવ્યા અને પછી એ પરવારીને સેવા પૂજા કરે. કારણકે એ સનાતન બ્રાહ્મણ અને  એમના એક ગુરુ હતાં જીવાનંદ સરસ્વતી,  બંગાળી હતાં. અને એમની પાસે  એમણે સંસ્કૃતનો પણ થોડો ઘણો અભ્યાસ કરેલો. મારી પાસે જે કેટલાક સંસ્કૃતના પુસ્તકો છે એ મારા પિતાજીના છે પણ એમને અભ્યાસ કરવાનો મોકો નહીં મળેલો આર્થિક કારણોસર. પણ બહુ વેળા સર એને આણંદ આવી જવું પડેલું અને કામે વળગી જવું પડેલું… એ પુસ્તકો અને એ સંસ્કારોનું  હું જીવું છું.”

 

અરુણાબેન જાડેજા

અસ્મિતા વિશેષ સંવાદ (15)  

મૂળ તેઓ અરૃણાતાઈ…પણ આજે અરુણાબેન જાડેજા…

પુસ્તક-પ્રેમ , રસોઈ-સ્નેહ, વાંચન-મનન લગાવ, પરંપરા-આદર અને જીવન-આનંદ એટલે  અરુણાબેન. આવો, એમની સાથે થયેલ રસપ્રદ સંવાદની કેટલીક પળોમાં લટાર મારીએ.. 

વાંચનની લાગણી ક્યારથી લાગેલી ?

એકવાર  રેલવેમાં હતાં  તે મારા કાકા સાથે મારા આઇએ મને મોકલી મામા ને ત્યાં અમદાવાદ અને કંઈક બે આના કે  ત્રણ આના આપેલા  કે રસ્તામાં તારે કંઈ ખાવું હોય તો રાખ. પણ મેં ‘ચંપક’ લીધું અને નીચે ઉતરીને નક્કી કર્યું કે ખાવું નથી કશું,  પણ પહેલા ચંપક  વાંચવું છે. અને  હું સુરતી એટલે પેલા ભુસા ભજીયા આવતા એ છાપાના કાગળમાં જ હોય એટલે પછી બીજા બધાં ખાવા માંડે તો મને એમ થાય કે આ લોકો ખાઈ લે તો હું તે છાપાંનો  ટુકડો વાંચી લઉં !! એટલું બધું ગાંડપણ વાંચવાનું… ભાઉએ પણ કહેલું કે તું જોઈએ એટલા  પુસ્તકો વાચ,  તને લાવી આપું, જેટલી હોય એટલી લાયબ્રેરીમાં સભ્ય થઈ જવાનું. ભલે એક બે ફ્રોક આપણે ઓછાં હોય તો ચાલશે..  આજે પણ મરાઠી સામયિકો પણ અને ગુજરાતી તો બધાં જ નું  આપણે  આજીવન લવાજમ ભરેલું છે. 

ભણવાનું હોય એ પણ વાંચવાનું એટલું જ ગમે કે ના ?

ગમે ગમે…ભણવામાં પણ કેવું છે ગણિત બિલકુલ ના ગમે. વિજ્ઞાન પણ ના ગમે. ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી એ બધું બહુ ગમે. અને કેવું કે ચોપડીઓ આવે એ પહેલાં જ ચોપડીની સુગંધ લેવાની!! કોઈ વાર જ નવી ચોપડી આવે બાકી તો સેકન્ડ હેન્ડ લાવવાની બધી. પણ પછી હું આઈને કહું એક નવી લાવી આપોને સુગંધ માટે !! પછી તો હું મારા છોકરાઓને માટે બધી જ નવી કોરી ચોપડી લાવી હતી. અને મારી દીકરીની દીકરી મારી પાસે રહેતી એના પુસ્તકો લાવું પછી સરસ પૂંઠા ચડાવીને ખાખી કલરના સ્ટીકર લગાવીને નામ લખીએ. પણ હું એને કહું પહેલાં તું સુગંધ લે. સુગંધ આ પુસ્તકની  !! .. 

ગણિત વિજ્ઞાન ન આવડ્યું તો પણ  પાસ થઈ જવાતું હતું ને ?

હા, થઈ જવાય. કાયમ આમ તો પહેલો બીજો નંબર આવે. પણ આપણને તો ખબર છે કે આપણે લખવા બેસીએ ને પછી લખાય જાય ને પછી ઘણા કહે કે હું મારું પિક્ચર નથી જોતી કોઈ દિવસ કે  હું મારું ગાયેલું ગીત નથી સાંભળતી. એમ હું પણ કોઈ દિવસ મારું લખેલું વાંચું નહીં,  કારણ કે એમ થાય કે આના કરતા તો  મેં  કેટલું સારું લખ્યું હોત. આ વાત માટે બોરીસાગર સાહેબનું એક વાક્ય યાદ કરું : આ જે આપણને અસંતોષ રહે ને, (આમ તો અસંતોષ એ નેગેટિવ છે, નકાર છે)  એ  ડિવાઇન ડિસ સેટિસ્ફેક્શન છે.             

આપનાં લગ્ન મોટી ઉંમરે અને વિશિષ્ટ સંજોગોમાં થયાં, એમનાં વિષે વાત કરો ને 

મારી બહેનપણી  મંજુના બા એટલે કે સાહેબના પહેલાં પત્ની બોર્ન કેન્સરમાં ગુજરી ગયા. અમે નજીક જ રહેતાં હતાં. એ પોલીસ ક્વાટર્સમાં રહેતા અને સામેની બાજુ હું વાડીયા કોલેજમાં રહેતી.. મંજુ પણ બહુ આવતી અને મંજુના બા પણ બહુ આવતા મારે ત્યાં.. હું માંદી – સાજી હોઉં તો મારું ધ્યાન રાખે કે આ ડભોઇની દીકરી છે. એનું ધ્યાન રાખવાનું. પણ મંજુના બા ગુજરી ગયા.

પછી એક વાર હું અને મારી બીજી એક બહેનપણી (જે મારી સાથે કોલેજમાં પ્રોફેસર જ હતાં) અમે  બંને જણા મંજુના  ઘરે કંઈ મળવા ગયા હશું. એમણે અમને બંનેને કહ્યું:  મારે  ફરીથી લગ્ન કરવાં છે પણ મારી ઉંમરની આસપાસની ઉંમરના હોય, ત્યક્તા હોય, વિધવા હોય, અથવા અપરિણીતા રહ્યા હોય એ તમે જોજો.  પર નાતના ચાલશે પણ અમારા દરબારોની બધી મર્યાદા હોય એ સાચવવું પડે એટલે એ જોજો.  પછી મેં અને મારી બહેનપણીએ શોધ માંડી.  મારો ભાઈ ડભોઇમાં હતો એને પરદેશ જવા માટે પાસપોર્ટ પર કંઈક  સહી જોઈતી હતી ત્યારે મેં સાહેબને નાનો  પત્ર લખી કહ્યું કે ડભોઇમાં તમારા કોઈ ઓળખીતા હોય તો એને કહેજો ને,  મારા ભાઈને સહી કરાવવી છે. અમારી પત્ર વ્યવહારની આ પહેલી શરૂઆત. અને અમારા બંનેનો પ્રણય પાંગર્યો એ પત્ર દ્વારા. અઢી વર્ષ અમારો ડેટિંગ પિરિયડ પણ પત્રો દ્વારા. પ્રત્યક્ષ મળવાનું કંઈ નહીં એકાદ વાર થયું બાકી પત્રો દ્વારા જ… 

એમની ઉંમર ત્યારે કેટલી હશે ?

મારાથી ૨૧ વર્ષ મોટા.

અમે જયારે લગ્ન  કર્યાં ત્યારે હું ૩૦ ની અને એ ૫૧ ના હતાં. પોલીસખાતામાં હતાં તો પણ તેઓ બહુ  પત્રો લખતાં…એટલે મારો ભાઈ એવું કહેતો કે આમને ક્યાંથી  ટાઈમ મળતો હશે  ? આ તો સોમ થી શનિ સુધીના પત્રો લખી જ રાખતા હશે અને પછી રોજ એક એક પેલા કોન્સ્ટેબલને કહેતા હશે કે પોસ્ટ કરી આવ જા.

દીકરી મંજુના તો લગ્ન થઈ ગયા મારા આવતા પહેલાં. હવે દીકરાના બાકી હતાં. એટલે એમણે પણ કહ્યું અને મેં પણ કહ્યું કે પહેલાં દીકરાના લગ્ન થવા દો, ધામધૂમથી કરો. હું જાહેરમાં કહું આજે કે  મેં સાહેબને કહેલું કે પહેલાં દીકરાનો બેડરૂમ બંધ થાય પછી આપણો બંધ થાય એમાં શોભા છે, એમાં આપણી મર્યાદા છે. એટલે મહિના પહેલાં એમના લગ્ન થયા અને પછી અમારા કોર્ટ મેરેજ થયા. પિતાજી તો બહુ વિરોધમાં હતાં …

(અને પછી તો જીવનના એક પછી એક પાનાં અરુણાબેને ભાવથી ખોલ્યા અને સંવાદ જીવંત ગોષ્ઠિ બને રહ્યો…) 

 

વૈશ્વિક ખગોળવિજ્ઞાની ડો. જે. જે. રાવલ

અસ્મિતા વિશેષ સંવાદ: 14

એક કહેવત છે કે નજદીકના લોકોને આપણે સાચી રીતે ઓળખી શકતા નથી. જે નજીક છે તે સહજ છે એટલે તેઓની ઘણી સિદ્ધિઓ આપણી  નજરે ચડતી જ નથી. શનિ ગ્રહને વલયો છે તેવી ઘોષણા કરવામાં જેમનું નામ વૈશ્વિક સ્તરે ગુંજેલું તે આપણા ગુજરાતના હળવદના પ્રા. ડો. જે. જે. રાવલ. પછી તો અનેક નવા ગ્રહોની ઓળખાણ રાવલસાહેબે કરાવી અને ઈન્ટરનેશનલ જર્નલ્સમાં જેમના  સંશોધન પત્રો પ્રકાશિત થયા. આ ભારતીય ખગોળ વિજ્ઞાની ડો. જે. જે. રાવલ એટલા બધા સહજ વ્યક્તિ છે કે તેમની સાથે ગોષ્ઠી કરવામાં તમને સ્વજનભાવ જન્મે જ જન્મે. એ Down to earth વિશ્વસ્તરના વિજ્ઞાની રાવલસાહેબ સાથેનો સંવાદ સાવ જ નિરાળો રહ્યો. આવો, તેમના જ શબ્દોમાં તેમની જીવન-ઘટનાઓનો સ્વાદ ચાખીએ…

‘અમે લોકો હળવદના બ્રાહ્મણ અને જયારે હું નાનો હતો ત્યારે હળવદમાં પાંચ થી સાત હજારની વસ્તી. એમાં ૯૦% બ્રાહ્મણો. અને લાડવાનો બહુ મહિમા અને બીજું કે મારો જન્મ મારા પિતાના મૃત્યુ પછી ત્રણ મહિના પછી થયેલો. મારા પિતા જાન્યુઆરીમાં મૃત્યુ પામેલા અને મારો જન્મ માર્ચમા થયેલો. 

મારા પિતા તો લાખોપતિ હતા. એ જમાનામાં લાખોપતિ, ઘરે ઘણા નોકર ચાકરો, ભરવાડો અને ઘોડાગાડીઓ અને ઘોડાઓ અને અમારા ઘરની અંદર એક રૂમમાં ગુણોની ગુણો રોકડા રૂપિયા પડ્યા રહેતા અને મારા મધર પાસે ૧ મણ સોનુ હતું. અને મારી મધર જયારે બહાર નીકળે તો બધા જોવા નીકળતા અને આખા સૌરાષ્ટ્રમાં મોટા મોટા શહેરોમાં અમારી મોટી મોટી પેઢીઓ હતી અમારો ધંધો ઉનનો હતો, એટલે બધા ભરવાડો પણ બહુ આવે ઉન લઈને.  હવે એમાં બધી પેઢીઓમાંથી ઉન ભરાણું અને ભાવ તળિયે આવી ગયો.  અમારી  ૮ હવેલી હતી એમાંથી ૭ વેંચાઈ ગઈ. ૧ હવેલી બાકી રહી જેમાં અમે રહેતા હતા અને એ ૭૦૦ રૂપિયાની મોર્ગેજ પર હતી. એ ૭૦૦ રૂપિયા ભરતા અમને ૪૦ વર્ષ લાગ્યા. જો એનું વ્યાજ લીધું હોત તો એ આખું મકાન જતું રહેત !! 

આમ છતાં પણ મારા પિતાશ્રી  ફિલોસોફર.  કોઈ દિવસ એમણે એમ નથી કીધું કે મારી પાસે હતું ને ગયું. એમનું મૃત્યુ થયું ત્યારે મારી મધર પાસે  ૫ રૂપિયા, અને ૫ તોલા સોનુ અને મકાન ૭૦૦ રૂપિયામાં મોર્ગેજ મકાન એટલું હતું !! મારી માતાએ પાડોશીના ઘરે વાસણ માંજવાનું કામ કરવું પડ્યું. કપડાં ધોવાનું કામ કર્યું પણ એ ડર્યા નહીં અને અમને ભણાવ્યા. અમે ચાર બહેનો અને પાંચ ભાઈઓ, આમ નવ બચ્ચાઓને મૂકીને મારા ફાધર ગુજરી ગયા.. મારો નંબર છેલ્લો કારણકે એમના મૃત્યુ પછી ત્રણ મહિને મારો જન્મ..મારા પિતાજી જો બજારમાં નીકળે  ને કોઈ એમ કહે કે ગટુબાપા ખાવાનું નથી તો બે મણ અનાજ કોઈને ત્યાંથી ઉધાર લઈ આપે એવો એ માણસ.આજે પણ મને મારા નામથી કોઈ ઓળખે નહીં પણ એમ કહે કે જટાશંકર રાવલનો દીકરો જીતેન્દ્ર રાવલ !!  આજની તારીખે પણ મારા બાપથી હું ઓળખાઉં છું. 

સ્થિતિ બહુ ખરાબ એટલે અમે લોકોએ ભગવાની નોકરી સ્વીકારી લીધી, મંદિરમાં પૂજારી થઈ ગયા અને અમારા ઘર આગળ એક શાસ્ત્રીજી રહે. અમારા હળવદ ગામમાં બધા બ્રાહ્મણો રહ્યા એટલે થોડું ઘણું સંધ્યા વંદન અને એવું  તો ભણવું જ પડે.. અને પાઠશાળામાં ભણવા જતા તો સંધ્યા વંદન, પંચનાથની પૂજા અને રુદ્રી અને બધું, યજુર્વેદ ને એ બધું ભણતા. અને પછી તો વેદો, ઉપનિષદો, ગીતાપાઠ કરવા જવું પડે, પાંચ રૂપિયામાં ૫ કલાક સુધી ગીતાપાઠ કરવા પડે.  પાંચમા ધોરણથી છેક SSC સુધી હું પ્રથમ જ રહ્યો અને બધામાં ૯૦ કે ૮૫ ટકા માર્ક આવે. સંસ્કૃતમાં ૯૫ માર્ક આવે. સંસ્કૃતમાં અમને બોલતા આવડતું. એક જમાનામાં અમે ૫૦ લાઈનનો નિબંધ લખી શકતા. હજી શ્લોકો વગેરે બધું યાદ છે. પાંચમા ધોરણથી વેદોમાં મને બહુ રસ પડેલો.. વેકેશનમાં કંઈ કામ નહીં એટલે કાલા ફોલતાં. અમે લોકો ૧૨ વર્ષ સુધી તો ગામની બહાર પણ નથી ગયા. 

ઋગ્વેદમાં બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું એની પણ વાત છે એની  કોઈ ના ન પાડી શકે. What is the ultimate matter of the universe આ બ્રહ્માંડનું મૂળતત્વ શું એ શોધવા સૌ મથે છે જયારે આપણે લોકોએ  એ  બધું પહેલેથી શોધેલું છે કે આ બધું એક જ ચેતના અથવા અદ્વૈત.. એ બધું એક જ છે. વિજ્ઞાન પણ સમજાય અને વેદો પણ સમજાય અને આપણને બહુ આનંદ આવે.  પણ તકલીફ શું કે,  જે સંસ્કૃત જાણે છે અને  વેદો વાંચે છે એને વિજ્ઞાનની ખબર નથી અને વિજ્ઞાન જાણે છે એને વેદોની ખબર નથી. કનેક્ટિવિટી નથી. એ કનેક્ટિવિટી હોય તો એ ખબર પડે કે આપણા મનિષીઓ એમ જ નથી મરી ગયા. આ જે ખગોળવિજ્ઞાન છે  એ તો સદીઓના  જ્ઞાનનો સંગ્રહ છે.”

ધરમપુરનાં સેવાદીપ સુજાતા શાહ

અસ્મિતા વિશેષ સંવાદ : 13 

કોઈ યુવતી ભણી ગણીને સરકારી કાયમી નોકરીમાં લાગી ગયા પછી એ બધું છોડીને દૂર દરાજના અંતરિયાળ વિસ્તારમાં જઈને સેવા કાર્યમાં જિંદગી વિતાવે એ વાત માન્યામાં આવે તેવી નથી ને ?? હા, પણ જેનો ઉછેર જ વેડછીના વડલાની શીળી છાયામાં ગ્રામ પરિવેશમાં ખાદી પહેરીને થયો હોય તેવી યુવતી તો આવું ન વિચારે તો જ પ્રશ્ન ખરો ને ? આ બંને પ્રશ્નાર્થોનો જવાબ આપે છે સુજાતા શાહ. આજે પણ જ્યાં મોબાઈલ જોડી શકતો નથી તેવા વિસ્તારમાં પલાંઠી મારીને બેસેલ સુજાતા શાહ  સંવાદમાં ભાવુક થઈને પોતાની કહાની કહે છે ત્યારે અહેસાસ થાય કે ‘જીના ઇસીકા નામ હૈ’…આવો, જાણીએ  સુજાતા શાહની એક રોમાંચક ઘટનાને.. 

“હું વેડછીમાં રહી ને ઉછરેલી એટલે સેવાનું  કામ કરતી સંસ્થાઓ સાથે સંપર્ક ઘણા એટલે મને ખબર હોય કે અહીંયા અહીંયા આવું સેવાનું કામ થઈ રહ્યું છે, એટલે શનિ રવિ અથવા કોઈ વાર રજા મૂકીને પણ એવા કામો જ્યાં ચાલતા હોય ત્યાં હું જોવા જતી. અને મારે આવા કામ કરવા હતા એવું નક્કી પણ એટલો કોન્ફિડન્સ નહોતો.  મને એ નહોતી ખબર કે મારો એકદમ રસનો વિષય કયો ?  કારણ ભણવામાં સિન્સિયર વધારે એટલે વાંચ વાંચ કરેલું વધારે.. એટલે એવું પણ થતું કે ગામમાં કામ કરવું છે પણ ગામમાં જઈને મિટિંગ કરવી હોય તો શું વાત કરવાની, કેવી રીતે ગામમાં જઈને ઉભું રહેવું ? એ કંઈ ખબર નહીં . એટલે મારી મેળે જ એવું વિચાર્યું કે આપણે શરૂઆત એવી રીતે કરીએ કે જ્યાં પહેલેથી કામ થતું હોય એવી  કોઈ સંસ્થામાં જોડાઈએ તો આપણને અનુભવ મળે અને ગામડામાં રહેવા પણ મળે. કોકિલાબેન અને ભીખુભાઇ વ્યાસ વેડછીના જ. અમારી બાજુમાં જ ઘર અને એ ધરમપુરમાં કામ કરતા એટલે એમને ખબર પડી અને મને પણ ખબર પડી એટલે એ જયારે ધરમપુર જતા હોય  ત્યારે હું એમની સાથે ધરમપુર જાઉં કારણકે એ પોતે પણ ત્યારે એમની બોરખડીના  વિદ્યામંદિરમાં આચાર્ય તરીકે હતા.  એ કાયમ ધરમપુર નહોતા રહેતા એટલે એ  જવાના હોય ત્યારે હું સાથે જાઉં.. બધું જોઈ આવું. એક તો મને ધરમપુર પહેલી જ નજરે બહુ ગમી ગયું,  કારણકે એનું કુદરતી સૌંદર્ય અને એનો વિસ્તાર અને એમની સંસ્થામાં દરેક ફિલ્ડમાં કામ થતા જોયાં. એજ્યુકેશનનું, ખેડૂતો સાથેનું, ગામ માટે જરૂરી પ્રવૃત્તિઓ વગેરે.

એટલે બે વર્ષની નોકરી પછી મેં નક્કી કરી લીધું કે મારે કોકીલાબેનની સાથે જોડાઈને ધરમપુરમાં કામ કરવું છે અને ત્યારે મા બાપની સામે ઘરમાં એકદમ ઠોસ કંઈક જાહેર કર્યું કે હવે મારે ધરમપુરમાં કોકીલાબેનની સાથે જોડાઈને કામ કરવા જવું છે. અને ત્યારે પછી એકજાતનો વિરોધ વગેરે બધું શરૂ થયું. બધા મુખ્યત્વે એ સમજાવતા કે, ‘આમાં સલામતી શું ? આવી સંસ્થાઓ તો આજે છે ને કાલે નથી. અને ધરમપુર તને ફરવા જવું ગમે, પણ ત્યાં  કાયમ રહેવું નહીં . ઈલેક્ટ્રીસીટી નહીં, રસ્તા નહીં, પાણીના નળ નહીં, શાકભાજી દૂધ નહીં તો તને બે દિવસ ગમશે, અઠવાડિયું ગમશે તું ત્યાં રહીશ કેવી રીતે ?’ આ બધું બહુ બહુ ચાલ્યું.

એ દરમ્યાન એવી પણ કોઈ ક્ષણ આવી કે મેં પણ થોડો વધુ વિચાર કર્યો.  કોઈ એવી વાત લાવ્યું કે તું પરમેનન્ટ નોકરી છોડીને ન જા,.. તું એક વર્ષની લિવ વિધાઉટ પે મૂકી દે. એટલે એક  વર્ષ તું ત્યાં રહી જુએ તો તને ખબર પડે કે ત્યાં તારાથી રહેવાય છે કે નહીં ?  અને આ આ બાજુ  નોકરીની પણ સલામતી. એ મને ગમી ગયું એટલે હું ઢીલી પડી અને મેં અરજી કરી મારી સ્કૂલમાં કે મને ૧ વર્ષની લિવ વિધાઉટ પે જોઈએ છે.  અમારા પ્રમુખ  ખાદીવાળા અને આવા કામને માનવાવાળા,  એટલે મને એવું હતું કે મારી અરજી તો મંજુર થઈ જ જશે. પણ એ એક વર્ષની લિવ ના-મંજુર થઈ.  ધરમકાકાની ઉંમર ૯૦ વર્ષ, ખાદી જ પહેરતા, એટલે હું સીધી એમની પાસે ગઈ ને પૂછ્યું કે મારી અરજી નામંજૂર કેવી રીતે કરી ? હું તો સેવા કામ કરવા જાઈ  રહી છું એટલે  મારી સામે જોયું અને પછી પૂછ્યું કે,  ‘તારે ખરેખર આવું કામ કરવા જવું છે ?’ મેં કીધું હા. એનો એ જ સવાલ ફરી કર્યો,  મેં કીધું હા… ત્રીજી વાર પૂછ્યું,  મેં કીધું હા,,.. તો કહે કે તારે ખરેખર જવું હોત તો તું આવી અરજી ના કરત. તું મારી દીકરી હોત તો હું પણ તને આ સલાહ આપત કે તું ૧ વર્ષની રજા લઈને જા. પણ તને હું એક વડીલ તરીકે સલાહ આપું છું કે તારે ખરેખર જવું હોય,,,,તો,,, તારે ખરેખર જવું હોય તો તું દોરડું કાપીને જા એટલે કે તું રાજીનામુ આપીને જા.  તારી નોકરી ચાલુ હશે તો તને થોડું પણ એમ થશે કે મને નથી ફાવતું એટલે તારા પાછા આવવાના ચાન્સ બહુ વધી જશે. અને બીજું એક સ્કૂલના પ્રમુખ તરીકે તો હું તારું અરજી નથી જ કરવાનો કારણકે સ્કૂલ એ મારી ફરજ છે. તને ફાવી ગયું અને તું પછી ન આવે તો અમારે તારી ૧ વર્ષ રાહ જોવાની અને પછી મારે બીજા નવા ટીચર શોધવાના એટલે તારી રજા તો મંજુર નહીં જ થશે પણ તારે માટે પણ એ જરૂરી છે કે તું આ દોરડું કાપીને જા… બસ, એમ જ દોરડું કપાયું અને હું ધરમપુર, પિંડવળ, ખડકીની બનીને જીવવા લાગી.” 

શ્રી કુમારપાળ દેસાઈ

અસ્મિતા વિશેષ સંવાદ : 12

વિશ્વભરમાં જૈન સાહિત્યની પગદંડીએ યાત્રાઓ કરનાર પ્રાધ્યાપક ગુજરાતી સાહિત્ય માટે પોતાની નિવૃત્તિને જ નિજાનંદી પ્રવૃત્તિ બનાવે ત્યારે જે વ્યક્તિત્વ મળે તેને શ્રી કુમારપાળ  દેસાઈ કહે છે. એ સાહિત્યના, અધ્યાત્મના, જીવન-દિવ્યતાના, સ્પોર્ટ્સ ફિલ્ડના, કટાર લેખન જગતના અને સૌથી વધુ તો જીવનને ભરપૂર જીવનાર જીવનના માલિક છે. કયું  ક્ષેત્ર એવું છે કે તેને કુમારપાળભાઈ સ્પર્શ્યા  નથી એ જ પ્રશ્ન છે. અને તેમના ગુરુસખા સમાન શ્રી ધીરુભાઈ ઠાકરની નિશ્રામાં રહીને તેઓએ ગુજરાતી સાહિત્યની એકમેવ ગૌરવ-સંસ્થા નું વિશ્વકોશનું નિર્માણ કર્યું અને ધીરુભાઈની વિદાય પછી સુચારુ સંચાલન પણ કરી રહ્યા છે. બિલકુલ મૃદુભાષી કુમારપાળભાઈ સાથે અસ્મિતા વિશેષ સંવાદ થોડી ગડમથલ પછી શક્ય બન્યો, કારણ તેઓનો પ્રશ્ન હતો કે, આ શ્રેણીનું નિર્માણ જો વિશ્વકોશ જ કરતું  હોય તો તેમાં હું શા માટે ? પણ તેઓને સમજાવી શકાયા  કે અમે તો કુમારપાળભાઈ ના બહુવિધ પ્રદાનની ગાથાને કચકડે મઢવા  માંગીએ છીએ. બહુ સરળ  અને સહજ પ્રકૃતિના કુમારપાળભાઈ સાથેનો સંવાદ એકદમ ઝરણાની જેમવહ્યો  તેનો સંવાદકર્તા તરીકે મને આનંદ છે. આવો, તેમની જ પાસેથી તેમના જીવનની માર્મિક વાતો જાણીએ::

‘મારા પિતાશ્રીનું એકાએક અવસાન થયું અને મારા પિતાશ્રી એમના મિત્રોને કહેતા. એમના મિત્રોમાં એક ગોવિંદપ્રસાદ વૈદ્ય હતા, તે એમને કહેતા કે તમે વૈદ્યરાજ સવારમાં વાંચશો કે  મારો મિત્ર ચાલ્યો ગયો,  એકાએક જતો રહ્યો. અને વૈદ્યરાજ અમારે ત્યાં આવે. પિતાશ્રીને પુષ્કળ ડાયાબિટીસ છતાં ડબલ ખાંડવાળી ચા લે. વૈદ્યરાજ મારે ત્યાં આવે એટલે મારા મધરને કહે કે વૈદ્યરાજની મોળી ચા અને મારી ડબલ ખાંડવાળી ચા મોકલો. એકવાર પુનિત મહારાજ અમારે ત્યાં આવેલા. પુનિત મહારાજ બહુ ગંભીર અને બહુ ચિંતાગ્રસ્ત હતા. પછી પુનિત મહારાજને કહ્યું કે શું થયું છે તમને ??  તો એ કહે મને ડાયાબિટીસ થયેલ છે. એટલે મારા ફાધરે કીધું,  ચાલો પેંડા ખાઈએ આપણે. પેલો ડાયાબિટીસનો ભય છે એ કોઈ દિવસ એમને અડે નહીં. એમના પોતાના જીવનમાં એમને કિડની, ડાયાબિટીસ, આંખે ઓછું દેખાય પણ એમની  ખુમારી અદભુત. એ એવી ખુમારી હતી કે જે કદાચ હું આપને વર્ણવી ન શકું. કોઈ પણ માણસ હોય કે કોઈ બહુ મોટા શ્રેષ્ઠી હોય,  કસ્તુરભાઈ લાલભાઈ હોય તો એમને પણ પોતાને જે લાગે તે કહી  શકતા. કોઈને કોઇ રીતે પાછા પાડવાની વાત જ નહીં. 

એમના જીવન વિષે તો મેં એક પુસ્તક પણ લખ્યું છે.  એના ઉપરથી અમે એક નાટક પણ તૈયાર કર્યું,  એ ઘણી જગ્યાએ રજૂ થયું છે. ઘણા પ્રસંગો છે પણ પિતાશ્રીનું એકાએક અવસાન થયું પછી હું બહુ ડિસ્ટર્બ રહેતો, હું સાંજે જમી ન શકું કારણ કે અમે સાથે જમતા તો મારા કાકા આવે,  મારી સાથે બેસે, અમે જમીએ. પછી એક દિવસ મારી માતાએ મને કહ્યું, બેટા તું સિંહનું સંતાન છે. કેમ આવી રીતે રહે છે ? તું જો… કેટલી મોટી વાત છે આ કે હું મારી જિંદગીની પળે પળ એમની માટે વિતાવતી હતી, પણ  એ ગયા એટલે તું જો મેં મારું મુખ તારા દીકરાઓ તરફ ફેરવી લીધું છે. એમ તારે  હવે  તારી જે જવાબદારી છે એ સંભાળવી જોઈએ,  નિરાશ ન થવું જોઈએ. મારા કુટુંબમાં કોઈ પણ આઘાતજનક ઘટના બને એટલે બાને  સૌ પહેલા બોલાવી લે,  કારણકે હિંમત આપનારા એક જ સ્ત્રી છે, બીમાર કોઈ હોય અને ઉપર રહેતો હોય તો એનાથી દાદર તો ન ચડી શકાય,  પરંતુ નીચે ફ્રૂટ વગેરે  બધું લઇ આવે ને આપે. મારી સોસાયટીમાં કોઈ માણસને ત્યાં પ્રસંગ હોય તો પહેલા ૫૦૦ રૂપિયા લેવા આવે અને કહે જયાબેન ૫૦૦ રૂપિયા આપો. કારણ તમારા પૈસા લઈએ  એટલે અમારું કામ પતી જાય છે. પૈસા ઘણા એની પાસે હોય પણ કહે કે તમારા શુકનના પૈસા હોય એટલે અમારું કામ પતી જાય છે !!  એની છેલ્લી ઘડી હતી ત્યારે એણે મને બે કામ સોંપેલા. મને કહે એ આપણા વડીલ છે જે એમના પિતાનું એકાએક અવસાન થયું એના દીકરાને નોકરી અપાવવાની જવાબદારી તારી અને બીજા હતા એ સૌરાષ્ટ્રમાં મારા મામાના દીકરા એમને થોડું માનસિક ચિત્તભ્રમ થઇ ગયેલું.  મને કહે એના કુટુંબની જવાબદારી તારી. બસ આ બે,  બાકી કશું જ નથી. 

છેલ્લી વખતે મને એણે બોલાવ્યો . મારા પિતાશ્રી જયારે અવસાન પામ્યા ત્યારે એમણે એક ડાયરી લખી રાખેલી એક મહિના પહેલા ૨૪ ડિસેમ્બર ૧૯૬૯ માં અવસાન પામ્યા. ૨૩ મી નવેમ્બરે આ લખેલી અને એમાં લખેલું કે,  જિંદગીમાં આટઆટલા રોગો છે,  પણ જિંદગી યાત્રા જેવી ગઈ,  રાજા મહારાજા જેવી ગઈ !!  તમે વિચાર કરો કેવી ખુમારી હશે. પછી કહે,  હવે થોડો સમય છે.  મારું મૃત્યુ થાય તો કોઈએ રડવાનું નહીં, સ્મશાનયાત્રામાં માત્ર ભજન ગાવા, મારી માતાએ વૈધવ્યના ચિન્હો ધારણ ન કરવા.. ઈશ્વર પેટલીકરે કહ્યું કે, હું એમને એટલા બધા ક્રાંતિકારી નહોતો માનતો કે એ કહે કે  વૈધવ્યના ચિન્હો ધારણ ન કરવા.  છેલ્લા ચાર વાક્યો એમની ડાયરીમાં હતાં કે …. 

 ૧) ગરીબોની સેવા કરવી. 

૨) પારેવાને જાર નાખવી. 

૩) બને તેટલું તીર્થાટન  કરવું અને 

૪) સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું. 

લોકો પોતાના આદર્શની શોધ કરે છે પણ  મને આ ડાયરીમાંથી આદર્શ મળી ગયો.

શ્રી ગૌરાંગ વ્યાસ

અસ્મિતા વિશેષ સંવાદ : 11

ગુજરાતી ગીત સંગીતનું એક સુરીલું નામ એટલે અવિનાશ વ્યાસ. તેઓશ્રી માટે તો “અવિનાશી અવિનાશ” એવા પુણ્ય વચનો બોલાય છે. ગુજરાતી ગીત-ગરબા-સુગમ-ફિલ્મી રચનાઓથી ભરેલો  ભારોભાર વૈવિધ્યનો સુર-શબ્દ થાળ  એટલે શ્રી અવિનાશ વ્યાસ. એ અવિનાશભાઈની યાદને આજે પણ તરોતાજા રાખી રહ્યા છે તેમના સુરીલા પુત્ર શ્રી ગૌરાંગ વ્યાસ. 

આ બાપ-દીકરાએ  ગુજરાતી જીભે ગુજરાતી ગીત-ગરબા અને કેટલીય ઉત્તમોત્તમ રચનાઓને જીવંત રાખી છે. ગૌરાંગભાઈ સાથે સંવાદ માંડયો  ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ પિતાશ્રીને ‘ભાઈ’ કહે છે. ગૌરાંગભાઈએ દિલથી વાતો કરી પોતાની સુરના ખોળે જ  વીતી રહેલી ઝીંદગીની. તેઓના કેટલાય યાદગાર ગીતો કેવા સંજોગોમાં રચાયાં તેનું વર્ણન તો આપણને રોમાંચિત કરી મૂકે છે. પિતાશ્રી અવિનાશભાઈ કેમ દર ભાઈબીજે શ્રી અંબાજી જતા જ, તેની વાતો શ્રદ્ધા આગળ માથું ઝુકાવવું મજબુર કરે છે. મણિયારો જે અતિ લોકપ્રિય થયું તેમાં શ્રી પ્રફુલ્લ દવેને કેમ લીધા કે લતાદીદી યાત્રામાં કેમ જોડાયાં એ વિગતો દર્શકોના ચિત્તમાં  આ સંવાદને  યાદગાર બનાવવા સમર્થ છે.  

“ લગભગ ૧૯૭૫ માં મુંબઈમાં એક નિરંજન મહેતા અને અહીંના આપણા બહુ જાણીતા પત્રકાર દિગંત ઓઝા એ બંને ભાઈ પાસે ગયા. હું તો અમદાવાદમાં હતો.  મને ખબર નહોતી. એમણે ભાઈને  કીધું કે અમે એક ફિલ્મ બનાવીએ છીએ અને એનું નામ છે લાખોફૂલાણી  અને એને માટે અમે આવ્યા છીએ.  તો ભાઈ કહે,  ચોક્કસ કરીએ.  બોલો શું કરવાનું છે આપણે નક્કી કરીએ. તો દિગંતભાઈ કહે,  પહેલા એક વાત એવી કરવાની છે કે આ પિક્ચરમાં સંગીત તમારું નથી.  ભાઈ  જરા વિચારમાં પડી ગયા કે મારું સંગીત નથી તો તમે અહીંયા શું કામ  આવ્યા છો,  કારણ શું ? તો કહે આમ અમે વિચાર એવો કર્યો છે કે ગૌરાંગ વ્યાસ સંગીત આપશે…. હવે એક સ્વતંત્ર સંગીતકાર તરીકેની કામગીરી મને મળે એમાં કયા પિતાને આનંદ ના થાય ? કોઈ પણ સવાલ નથી. પછી ભાઈ બહુ ખુશ થયા એ કહે કે ચોક્કસ ગૌરાંગ કરશે. ગૌરાંગ હમણાં થોડા દિવસમાં મુંબઈ આવવાનો જ છે અને હું એને વાત કરીશ ગૌરાંગ ચોક્કસ પિક્ચર કરશે પણ મારી એક શરત એટલી છે કે ગીતો તો હું જ લખીશ. એટલે કોઈ પણ સંગીતકાર માટે ભાઈ ગીતો લખતા જ નહોતા. એકલા ગીતો કોઈના  લખતા નહોતા ગીત સંગીત બંને સાથે હોય તો જ લખે,  પણ આ પિક્ચરમાં એમણે  માત્ર ગીતો લખ્યા અને લાખોફૂલાણી  ૧૯૭૫ કે ૧૯૭૬ માં લગભગ કર્યું. એ પિક્ચર મારું પહેલું હતું. એ વખતે રેકોર્ડિંગમાં એવું હતું કે રીટા ભાદુરીનું પહેલું પિક્ચર, મારું પણ પહેલું જ પિક્ચર અને આપણા ખુબ જ લોકપ્રિય લોકગાયક પ્રફુલ દવે એમનું પણ પહેલું પિક્ચર. પ્રફુલ દવેનો રસધારા કરીને એક કાર્યક્રમ થતો હતો.  એમાં પ્રફુલ દવેને મેં સાંભળેલા અને એમની પાસેથી મેં મણિયારો સાંભળ્યું. એટલે એ ફિલ્મ ડિરેક્ટર હતા અરુણ ભટ્ટ.  વિજય ભટ્ટના દીકરા.  એમને મેં કહ્યું કે,  ભાઈ આ એક રાસ તમને સંભળાવું . એમ કરીને મેં એમને મણિયારો સંભળાવ્યું. તો મણિયારો એમને ખુબ જ ગમ્યું. મેં કીધું કે આ ગીત આપણે રેકોર્ડ કરવું હોય તો પ્રફુલ દવે પાસે જ ગવડાવાય એ સિવાય કોઈ પણ ચાલે નહીં. એટલે અરુણભાઈ કહે છે કે,  ભાઈ સાવ નવા ગાયક તો નહીં ચાલે.  આપણે એક કામ કરીએ.  રાસ તો રાખીએ પણ મહેન્દ્ર કપૂર પાસે ગવડાવીએ. મેં કીધું મહેન્દ્ર કપૂર ગાશે પણ એ વાત નહીં બને જે પ્રફુલ દવેમાં બનશે. તમે એક વાર એને સાંભળી લો. તમને એવું લાગે કે આ બરાબર નથી તો આપણે એને જવા દઈશું. એટલે મેં પ્રફુલભાઈને મુંબઈ બોલાવ્યા અને એણે અરુણભાઈને આ મણિયારો સંભળાવ્યું. અને અરુણભાઈ ખુશ થઇ ગયા. એ કહે આ તો જબરજસ્ત ગાયક છે કોઈ સવાલ જ નથી. 

પણ તકલીફ એવી હતી કે મણિયારો ગીત એ ખાલી ફિમેલ ગીત હતું એમાં પુરુષનું કઈ નહોતું. એટલે અરુણભાઈએ ભાઈને કીધું કે હવે આમાં  તમારે નવા અંતરા લખવા પડશે, એમાં બે અંતરા જે હતા એ રાખ્યા અને બે અંતરા નવા લખવા એવું કીધું એણે. ભાઈ કહે સારું લખી કાઢીશ. બીજે દિવસે અમે ગીત ઉપર બેઠા હતા. ભાઈએ  અઢાર અંતરા લખી કાઢ્યા અને એક પછી એક સંભળાવવા લાગ્યા.  અરુણભાઈ ગુંચવાઈ ગયા કે આમાંથી કયું સારું છે તો એમાંથી ગમે તેમ કરી બે અંતરા પસંદ કર્યા. પણ ભાઈ તો શીઘ્ર કવિ હતા એટલે ફટાફટ એણે  અઢાર અંતરા લખી કાઢ્યા. પછી હવે પ્રફુલ દવેનું રેકોર્ડિંગ કરવું એવું નક્કી થયું. એની સાથે ફિમેલ વોઇસ તરીકે સુમન કલ્યાણપુરને ગવડાવવાનું નક્કી કર્યું. હું  પ્રફુલભાઈને સુમન કલ્યાણપુરની ઘરે લઇ ગયો,  રિહર્સલ કરાવવા માટે..  મેં સુમનજીને કહ્યું કે આ જે ગીત  છે એ લોકગીત છે,  એનો જે લ્હેકો છે એ તમે જરા સાંભળી લો. આ રીતે જ ગવાય તો મજા આવશે.  પ્રફુલભાઈએ મણિયારો સંભળાવ્યું ને  સુમન કલ્યાણપુરને આનંદ થયો.  એણે કીધું કે હવે હું પ્રયાસ કરું કે  આ રીતે લ્હેકો કરવાનો. મેં કહ્યું કશો વાંધો નહીં અને એ રીતે લાખોફૂલાણી નું  પહેલું ગીત અમે રેકોર્ડ કર્યું. મણિયારો. જે આજ સુધી લોકોના હૈયે છે. એમાં અંતરા  થોડા મોડીફાય કરીને નવા કર્યા અને એ રીતે આખા ગીતને શણગારીને રજૂ કર્યું. લોકોને ખુબ ગમ્યું. એટલું બધું ગમ્યું કે સરસપુર કે એવા એરિયામાં એક થિયેટર હતું એમાં લોકોએ મણિયારો ગીતને વન્સ મોર આપ્યું. અને લોકોએ હો…હો… કરી કે આ ગીત ફરીથી સાંભળવું છે. થિયેટરમાં ફરીથી લાઈટો થઇ અને એ ગીત ફરીથી સંભળાવ્યું એટલે લોકો શાંત થયા..”

સ્વામી સત્યવેદાંતજી

અસ્મિતા વિશેષ સંવાદ : 10

ઓશો સદીઓ સુધી જીવંત રહે તેવા ચિંતકનું નામ છે. જેમને વિદ્રોહી કહેવામાં આવ્યા તે ઓશોના પરમ સાધક અને ઓશોના હસ્તે દીક્ષા લેનાર સ્વામી સત્ય વેદાંતજી સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ અવિસ્મરણીય રહ્યો. ઓશોએ જયારે દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેમને દીક્ષા આપવાની જવાબદારી સોંપી તે સત્ય વેદાંતજી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી ડોક્ટરેટ કરેલ વ્યક્તિવિશેષ છે. સવામી સત્ય વેદાંતજી  મિસ્ટિક સેન્ટ ઓશો સાથેના અનુભવો વહેંચે છે…

“ 10th જાન્યુઆરી 1975  આઈ લેફ્ટ શિકાગો ફોર પુના. એક વર્ષ પૈસા ભેગા કરીને હું મુંબઈ આવ્યો.એટલે ત્યાં જયારે ટ્રેનમાં હું આવતો હતો તો મારી સામે એક પારસી ભાઈ બેઠા હતા.  એણે પૂછ્યું ક્યાં જાઓ છો ? મેં કીધું, હું જાઉ છું ભગવાન રજનીશ આશ્રમ. તો કહે રજનીશ આશ્રમ ? ના ના ના ત્યાં ના જાઓ,  ત્યાં જવા જવા જેવું નથી…મેં કીધું , હું તો ત્યાં જવા માટે જ  આવ્યો છું ને હું તો જવાનો છું. એ કહે તને ખબર છે ત્યાં શું થાય છે ? મેં કીધું,  મને ખબર નથી હું તો ત્યાં ક્યારેય ગયો નથી.  તો કહે જયારે તમે એની સામે બેસો ને તો તમને હિપ્નોટાઈઝ કરી નાખશે.  મેં કીધું તો હવે શું કરવું ? તો કહે  તમે જયારે બેસો તો હાથમાં પિન રાખજો તો હિપ્નોટીઝ્મ કામ નહીં કરે. એને મારી પર શું દયા આવી તો મને એનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કીધું કે,  કશું પણ થાય તો તમે સીધા મારે ત્યાં આવતા રહેજો.  મેં કીધું,  થેન્ક યુ વેરી મચ. . મને એવો વિચાર આવ્યો કે એક વ્યક્તિ એવી છે કે જે માત્ર ઓડીઓ સાંભળે છે એને મળવા દોડી આવે છે અને બીજી વ્યક્તિ જે એને મળી નથી જાણતી નથી એ તમને ટાંકણી  પિન રાખવા કહે છે…!!!

પછી ત્યાં સ્ટેશન પાસે એક લોજ હતી,  ત્યાં સમાન મુક્યો અને સમાન મૂકી  હું આશ્રમ તરફ આવ્યો. એ વખતે શું થયેલું કે ઓશો હમણાં જ પુના આવ્યા હતા ૧૯૭૪ માં ત્યાંથી શિફ્ટ થયાં હતા એટલે આશ્રમનું બધું ગોઠવાતું હતું.

પુના આશ્રમમાં મા યોગ લક્ષ્મી ઓશો ના સેક્રેટરી હતા એ ઓશો નું બધું સાચવતા હતા,  તો એમની સાથે મારો કોરોસ્પોન્ડસ  થયેલો હતો. એટલે જેવો હું એની ઓફિસ પહોંચ્યો તો કહે,  આ ગયે ભાઈ આપ ? ..મૈને કહા,  હા મૈં  આ ગયા.મેં કહ્યું કે ભગવાનના દર્શન થશે ? તો એણે કહ્યું, ખબર નહીં દર્શન થાય, ન થાય …મેં કીધું,  What do you mean દર્શન થાય નહીં થાય.. હું શિકાગો થી એના દર્શન કરવા આવ્યો છું..  તમે કલ્પના કરી શકો કે,  મને કેટલો ધક્કો લાગ્યો હશે. કારણકે આટલી બધી અનસર્ટેઈનિટી માટે કહે …ખબર નહીં દર્શન થાય ન થાય. તો માએ કહ્યું તમે સવારે છ વાગ્યે આવો,  સક્રિય ધ્યાન કરો અને પછી નવ  વાગે ઓશો નું પ્રવચન છે પછી જોઈએ શું થાય છે ?   મને  એટલી નિરાશા થઈ કે એટલે દૂરથી આવ્યો છું,  શું થશે દર્શન થશે કે નહીં..

જાન્યુઆરીનો મહિનો હતો ઠંડી એટલી હતી એટલે સવારે છ  વાગ્યે મારાથી એ ધ્યાન ન થયું પણ નવ  વાગ્યે એમનું પ્રવચન હતું ઉપર ગેલેરીમાં લગભગ ૩૦-૩૫ સાધકો અમે બેઠા હતા અને ઓશો આવ્યા. તે વખતે એમણે કબીર ઉપર વ્યાખ્યાનમાળા શરૂ કરી હતી. અને સર,  એણે બોલવાનું શરૂ કર્યું અને મારું રડવાનું શરૂ થયું. મને જરા પણ ખ્યાલ નહીં શા માટે રડવું આવે છે… કોઈએ કશું કહ્યું નહોતું, કોઈની સાથે વાત થઈ નથી, આરામથી નાઈ ધોઈને આવી ગયો હતો. એ દોઢ કલાક સુધી બોલતા રહ્યા હું દોઢ કલાક સુધી રડતો રહ્યો. મને હજુ ખબર નથી કે શા માટે રડવું આવતું હતું. રડયા કર્યો,  રડયા કર્યો ક્યારે ઉઠીને એ જતા રહ્યા મને ખ્યાલ નથી. દોઢ કલાક પછી હું ત્યાંથી ઊઠયો ને આમ તેમ ચક્કર લગાવતો હતો એટલામાં કોઈને કીધું,  આવો આવો મા લક્ષ્મી તમને એની ઓફિસમાં બોલાવે છે… એ કહે,  આજે દર્શન થઈ ગયા … તો હું ઉછળવા મંડયો.  મને કલ્પના નહોતી કે એટલા વહેલા દર્શન થઈ જશે, એમણે  કહ્યું તમે સાંજે ગેઇટ પર પહોંચી જજો કોઈ તમને ત્યાંથી અંદર લઈ જશે અને ત્યાં તમને દર્શન થશે.

૧૦ મી ત્યાં પહોંચ્યો હતો. ૧૧ મી એ સાંજે ત્યાં અંદર લઈ જવામાં આવ્યો. ત્યાં એવું હતું કે ઓશો આવીને ખુરશી ઉપર બેસતા અને સામેથી બધા લોકો આવતા અને ખુરશીની બાજુ માં બેસતા…ખબર નહીં કોઈએ એવી વ્યવસ્થા કરી હશે તો મને ઓશોના પગ પાસે જગ્યા આપી ને ત્યાં બેસાડયો. ઓશો આવ્યા. આ બાજુ બધાં સન્યાસીઓ બેઠા હતા. મા તરૂ હતી, મા દર્શન હતી એમને પૂછ્યું,  કેમ છો, બધું કેમ ચાલે છે.. કોઈના માતાની તબિયત વિશે પૂછ્યું.  એમ કરતા કરતા સામે એક બ્રિટિશ મહિલા બેઠી હતી.  એ ત્રણ અઠવાડિયાથી આવી હતી એ આજે પાછી જવાની હતી. તો એણે કહ્યું ભગવાન તમે મને એવું મેડિટેશન સજેસ્ટ કરો કે હું ઘરે જઈને કરી શકું. તો એમણે મનીષા  ને કહ્યું કે એને પ્રાર્થના ધ્યાન બતાવો. પ્રાર્થના  ધ્યાન ઘણું સુંદર હોય છે.  એમાં ઘૂંટણ પર બેસી બંને હાથ આકાશ તરફ રાખી એવી કલ્પના કરવાની હોય કે વિશ્વની બધી ઉર્જા તમારી ઉપર ઉતરી રહી છે. આશીર્વાદ વરસી રહ્યો હોય એવો અનુભવ કરવાનો. પછી જયારે એમ લાગે કે શરીર ઉર્જાથી ભરાઈ ગયું છે ત્યારે માથું પૃથ્વી પર ટેકવી દેવાનું..એવું સાત વખત કરવાનું. સાત થી વધુ નહીં, સાતથી ઓછું નહીં…એ એની પ્રક્રિયા છે જે એને બતાવી. 

અને પછી ત્યાં એક ભારતીય મહિલા બેઠી હતી એને ૪-૫ વર્ષનું બાળક હતું,  એ બહુ ચિંતામાં હતી.  એણે કીધું ભગવાન આને કાગળ ખાવાની બહુ ટેવ છે. તો ભગવાને કહ્યું,  એમ કરો એને તમારા ખોળામાં સુવડાવો.  ઓશોએ ૫ – ૭ સેકન્ડ એની સામે જોયું અને બાજુ કાગળ હતા,  જેમાં એ નામ કે કશુંક એવું લખતા હતા,  એ આપ્યું ને કહ્યું લે.. ખા.. તો બાળક ‘નહીં નહીં હવે હું ક્યારેય નહીં ખાઉં…મને નહીં જોતું’…ઓશો એ કીધું,  હવે ક્યારેય કાગળ નહીં ખાય,  ચિંતા ન કરો પણ એને એની રીતે મોટો થવા દો. એટલું કહીને એની વાત પુરી થઈ. 

પછી એની નજર મારા  ઉપર પડી. હું સાચું કહું છું નકલ તો હું કરી ના શકું, એટલો મીઠો મધ જેવો અવાજ,   તમે કલ્પના ન કરી શકો એવો રેશમ જેવો કોમળ અવાજથી એણે મને પૂછ્યું,  તમારે કંઈ કહેવું છે ? તમારે કંઈ  કહેવું છે તો ચીસ પાડીને રડી પડયો અને એમનાં ચરણોમાં પડીને મેં કહ્યું કે,  ભગવાન,  હવે તમે મને કદી ન છોડતા …  ભગવાન હવે તમે મને કદી ન છોડતા..  એવું મારા મુખેથી નીકળતું હતું. ઓશોએ કહ્યું,  નહીં નહીં,  હવે હું તને નહીં છોડું,  ક્યારેય નહીં છોડું, શિકાગોમા પણ તારી સાથે જ રહીશ. બધું મારા પર છોડી દે…

સર, જયારે જયારે મેં એમના ચરણસ્પર્શ કર્યા છે આટલા વર્ષોમાં,  ૪૫ વર્ષ એમની સાથે થયાં મને,  જયારે હું કઈ કહેવા જાઉ તો કહે,  બધું મારા પર છોડી દે… 

(અલબત્ત, અહીં એ નોંધાતા દુઃખ થાય છે કેઆ સંવાદનું શૂટિંગ કર્યાના  ત્રણેક મહિનામાં જ સ્વામી સત્ય વેદાંતજી પરલોક સિધાવ્યા. ..ૐ શાંતિ:)

મિત્તલ પટેલ

અસ્મિતા વિશેષ સંવાદ :: 09

જેને  ઘર નથી કે જેને પોતાના   આધાર સમાન કોઈ પુરાવો નથી  કે જેને વિચરણ કરતા રહેવું એ જ જીવન છે તેવા વિચરતી જાતિના લોકો માટેનું સરનામું બની રહેલ અમદાવાદના મિત્તલ પટેલ સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ કરુણા અને લડી લેવાની જીન્દાદીલીના સમન્વય જેવો રહેશે. આવો મિત્તલ પાસેથી કેટલીક વાતો જાણીએ :: 

“સ્પોર્ટ્સમાં હું બહુ સરસ હતી અને એટલે સાતમા ધોરણમાં હું ભણતી હતી ત્યારે  એથ્લેટિકમાં સ્પોર્ટ્સ માટે મારું સિલેક્શન થયું અને પહેલી વખત મા બાપથી દૂર જવાની વાત થઈ. અમારા ગામમાં એ વખતે કદાચ મારા સિવાય કોઈ એવી છોકરી નહોતી કે જે  બહાર આવી રીતે ભણવા માટે જવાનું નક્કી કરતી હોય. ઈનફેક્ટ,  મારી મમ્મી સાત ચોપડી ભણેલી પણ એણે કીધું કે તારે જવાનું છે. બહુ નવાઈની વાત એ હતી કે જયારે મમ્મીએ કીધું કે તારે જવાનું છે ત્યારે પહેલાં તો બહુ ઉત્સાહ થયો કે આખા જિલ્લામાં આપણે એક જ પસંદ થયાં છીએ તો વટ પડી જાય. પણ જયારે દિવસ નક્કી થયો કે આ દિવસે તારે જવાનું છે એ દિવસે બહુ ડર લાગ્યો. હું મમ્મીનો પલ્લુ કોઈ દિવસ ના છોડું. એ મામાના ઘરે જવાનું નક્કી કરે,  બે કે પાંચ દિવસ માટે તો હું ધમપછાડા કરતી કે એ મને મૂકીને કેવી રીતે જઈ શકે ? નિશાળ ચાલુ હોય એટલે મને ના લઈ જાય એવી હતી હું. જયારે મારો જવાનો ફાઇનલ દિવસ આવ્યો કે કાલે સવારે તારે જવાનું છે એ રાત્રે હું ભાંગી પડી.  મેં મમ્મીને કીધું કે, મમ્મી હું તારા વગર ના રહી શકું, તું હોય તો હું બધું જ કરી શકું .. મારી મમ્મી મારી માટે બહુ આઇડિયલ છે.  એણે બહુ બધું શીખવ્યું છે.  મને પ્રેમથી કહ્યું કે બસ, આપણે નથી જવું.  બરાબર રીતે સમજાવી પછી હું રિલેક્ષ થઈ ગઈ. પછી એણે મને જે સમજાવ્યું એ મને બરાબર યાદ છે અમારા રસોડાના ચૂલાની બાજુમાં બેસાડીને એણે મને કીધેલું કે મારું પલ્લુ પકડીને તું આખી જિંદગી તો જીવી શકીશ. એ પલ્લુ પકડીને તું રહીશ તો મારી મર્યાદામાં તને શીખવા અને જાણવા મળશે પણ એ પલ્લુ છોડીને બહારની દુનિયામાં મારા વગર પ્રવેશ કરીશ તો એક આખી નોખી દુનિયા તને જોવા મળશે. ત્યાં તારે એકલાએ જ બધું કરવાનું થશે.  એટલે ભૂલ કરીશ તો હું નહીં હોઉં, સારું કરીશ તો પણ હું નહીં હોઉં પણ એ બધાની વચ્ચે તારે તારી જાતને એકલાએ સંભાળવાની છે અને એ મજા છે ને એ બહુ જુદી છે તો તું એ મજા માટે એકવાર જા, બે મહિના રહેજે. ના ફાવે તો આવતી રહેજે.  એટલે પછી મને લાગ્યું કે,  ના વાત સાચી છે,  ચાલ હું પ્રયત્ન કરીશ. અને એણે બહુ જ પ્રેમથી બધું સમજાવ્યું. મને બાજરીનો કડક રોટલો એટલે ચૂલો ઠર્યા પછી તવીમાં રહે ને કડક થાય એ મારો ફેવરિટ તો એણે મને બનાવીને ખડાવ્યો અને જાણે મને એક લાલચ આપતી હોય એની જેમ… 

અને મને હંમેશા એ યાદ રહ્યું કે બીજા દિવસે સવારે મારા પપ્પા બધું રેડી કરીને મને મુકવા આવતા હતા અને  હું તૈયાર થઈને બહાર જઈ રહી હતી ત્યારે મમ્મીએ ફરી મને બોલાવી ત્યારે એક સરસ વાત કરી. પહેલાં પંપાળી, પ્રેમ કર્યો અને કે જો હવે તું જાય છે તો ત્યાં હું નહીં હોઉં અને તું જે પણ સફળતા પ્રાપ્ત કરીશ એની હિસ્સેદારી અમારા બધાની હશે, નિષ્ફ્ળ થશે તો હું તો ઊભી જ હોઈશ પણ તું જે પણ જે પણ કામ કરીશ એને માટે રિસ્પોન્સિબલ માત્ર ને માત્ર તું જ હોઈશ. સારું કરીશ કે  ખરાબ કરીશ કૈં પણ ત્યાં હું જોવા માટે નથી, ત્યાં હું ટોકવા માટે પણ નહીં હોઉં એટલે કોઈ પણ નિર્ણય કરે તો દસ વખત વિચારીને પછી નિર્ણય કરજે. એ વખતે ફોનની સગવડ એટલી બધી નહોતી કે ફટ કરીને હું એને ફોન પણ કરી શકું અને કદાચ એ મેં હમેશા યાદ રાખી.અને પછી સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ભણવા ગઈ અને મમ્મી વગર ટકી ગઈ અને રાજ્યકક્ષા અને નેશનલ પણ રમી અને દસ ધોરણ સુધી ભણવાનું થયું. પણ ગામ હંમેશા હૃદયની નજીક રહ્યું.

                                 ******************************************

મને પહેલાં એમ થતું હતું કે આ સદાવ્રતો કેમ ખોલવાના  ગામેગામ ? લોકો પોતાના પૈસાથી ખાઈ ન લે ? પણ એ વખતે મને એમ થયું કે ગામેગામ સદાવ્રતો હોવા જોઈએ અને ચોવીસે કલાક ચાલવા જોઈએ. ભૂખ લાગે અને આપણી પાસે ૩૨ પકવાન હોય ત્યારે આપણને ફૂડનું મહત્વ નથી સમજાતું પણ આપણને અતિશય ભૂખ લાગી છે અને આપણી પાસે કશું જ ખાવાનું નથી અને કોઈ ભૂખ્યું જયારે આપણી પાસે આવીને ભોજનની માંગ કરે છે એ ચીજ કદાચ ત્યારે હું સમજી શકી. એક બહુ જ અગત્યની વાત રોડ પર સુવાની વાત.  એક પડાવ પર મને એવું થયું કે રોડના ફૂટપાથ પર કામદારો જ્યાં સુવે ને એવી એક લાઈનમાં હું પણ સુતેલી.  આજુબાજુ બધા પુરુષો વચ્ચે મેં મારું પાથરણું પાથરીને એક ખરીદી લીધેલો ધાબળો લઈ  ત્યાં સુવાનું મેં કર્યું, કામદારો વાત કરતા હતા કે ફલાણા જગ્યા ઉપર દારૂ પી ને શેરડી ભરેલો ટ્રક ચલાવતો હતો ને ઊંધો વાળ્યો ત્યાં ચાર કામદારો ફૂટપાથ પર સુતા હતા… એટલે હું સુઈ ગયેલી ને પછી ઊભી થઈ ગઈ અને મેં કીધું,  અહીંયા આવું થાય ?  એટલે પેલા બિચારા કહે આપણે ત્યાં આવું નહીં થતું, તમતમારે સુઈ જાઓ. મેં કીધું તમે કેવી રીતે માની લ્યો કે આપણે ત્યાં આવું નથી થતું ?  આવું તો કોઈની પણ સાથે થઈ શકે. પણ એમણે મને કીધું કે તમતમારે નિરાંતે સુઈ જાઓ પણ પછી ઊંઘ આવે ! મને એમ થયું કે હું રોડ બાજુ  પગ રાખું કે માથું રાખું ?  પહેલાં તો એમ થયું કે પગ રાખું,  કંઈ  પડે તો પગ જ કચડાઈ જાય તો અપંગ થઈ જવાય  પણ જીવાય તો ખરું .. પછી એમ થયું કે,  ના ના અપંગ થઈને જીવીએ એના કરતા માથું રાખીએ તો પૂરું થઈ જાય. 

આજે જે વાત કરું છું તો  મજાક લાગે પણ આ લાઈફ છે. આજે પણ છાપાઓમાં આપણે વાંચીએ છીએ ચાર કે પાંચ લોકો કચડાઈ ગયા. પણ ઘર ના  હોવું ને એ મહત્વ આપણને નથી ખબર પડતી. મને એમ થાય કે આપણા દેશમાં આપણી એવી કેવી પરિસ્થિતિએ પહોંચ્યા છીએ કે કામદારો માઈગ્રેશન કરીને કમાવા અર્થે કોઈ જગ્યા ઉપર આવે છે તો આપણે એને સેફ શેલ્ટર નથી આપી શકતા ?? બહુ શરમની વાત છે કે ચાર જણા કચડાઈ ગયા, પુલ નીચે સુતા હતા ને કોઈની ગાડી ફરી વળી ને આ બધું … અને બીજે દિવસે આપણે વળતર જાહેર કરીએ છીએ તો એ સોલ્યુશન નથી….”

યઝદી કરંજીયા

અસ્મિતા વિશેષ સંવાદ : 08

પારસીઓ દેખાવે અને બોલવે પરાણે વ્હાલા લાગે તેવા અને તેમાં પણ જેમણે  જિંદગી રંગમંચ પર વિતાવી હોય તે તો વધુ આકર્ષક અને પ્રભાવક લાગે. પદ્મશ્રી યઝદી કરંજિયા એક સાંગોપાંગ નાટ્યકર્મી છે, તેનો અહેસાસ આપણને તેના સ્મિત ભર્યા મુખારવિંદ પરથી આવ્યા વગર ન રહે. પોતાની મીઠી બોલીમાં શ્રી યઝદી કરંજિયા સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ પણ મીઠડો જ લાગશે. 

“વલસાડ મારી જન્મભૂમિ, સુરત મારી કર્મભૂમિ અને આખું વિશ્વ મારી રંગભૂમિ. હવે હું મારી વાત કરું. મારા સંત સમા મમ્મી ડેડીની વાત કરું. હા, મારી મમ્મી ૧૦૦% હાઉસવાઈફ, બિલકુલ ઈનોસન્ટ આત્મા. એમ સમજોને કે અમારે માટે, અમારા ફેમિલી માટે મૂંગે મોઢે જીવન સમર્પિત કરી દીધું. મારા મમ્મી બહુ જ દેખાવડા પણ કોઈ પણ દેખાડા વગર એમણે આખું જીવન અમારા માટે સમર્પિત કરી દીધું. ‘એ રિયલ હાઉસવાઈફ’. 

મારા પપ્પા સુરતની પારસી બોયઝ ઓર્ફનેજનાં વિદ્યાર્થી હતા.  એ ઓર્ફનેજ કહેવાય ખરી પણ એમાં માત્ર ઓરફન વિદ્યાર્થીઓ ન રહે પરંતુ  એવા વિદ્યાર્થીઓ પણ રહે કે જેના મા બાપ બહુ રિમોટ વિલેજીસમાં  રહેતા હોય,  શિક્ષણની બહુ સગવડ ન હોય. મારા દાદા ખંભાતમાં રહે જેને આપણે કેમ્બે કહેતા હતા, જેમ ભરૂચને અંગ્રેજો ભરોચ  કહેતા,  વડોદરાને બરોડા કહે છે તેમ ખંભાતને એ લોકો કેમ્બે કહે. મારા દાદા ખંભાતના ધર્મગુરુ,,, એટલે ધર્મ, સંસ્કાર, પ્રેમ એ અમને વારસામાં મળેલા. પિતાજી બહુ એવરેજ વિદ્યાર્થી. He was not very smart or very intelligent પણ એટલું નક્કી માનજો કે ભગવાન દરેક વ્યક્તિને તેની ફરજ સોંપીને આ પૃથ્વી પર મોકલે છે. એ ફરજ તમે જો સારી રીતે નથી બજાવતા તો ભગવાન તેને પાછો મોકલે છે,  જેને આપણે પુનઃ જન્મ કહીએ છીએ કે જા ભાઈ તેં  પુરી ફરજ નથી બજાવી,  તું જા ફરજ બજાવીને પાછો આવ. 

મારા પિતાજી ઓર્ફનેજમાં શીખતાં. પોતે  સામાન્ય વિદ્યાર્થી અને  મેટ્રિકલેશન સુધી આવ્યા. હવે સ્કૂલમાં   નોટીસબોર્ડ પર એક દિવસ એમણે પીટબેંડ શોર્ટહેન્ડ ગોલ્ડ મેડલ લટકતો જોયો. નીચે હતું કે, આ પરીક્ષા લેવાશે અને  એના પેપરો લંડનમાં તપાસાશે અને પછી પરિણામ આવશે ને જે જીતશે તેને આ મેડલ મળશે. મારા પિતાજી તે મેડલ જોયા કરતા હતા, તો પાછળથી એના મિત્ર હશે એણે  આવીને કહ્યું : વાહ, તું તો એવી રીતે આ મેડલને જોવે છે કે આ મેડલ તને જ મળી જવાનો.!! પિતાજી કહે,  કેમ નહીં મળે ? જે મહેનત કરે તેને મળે. આ વાત એમના હૃદયને  સ્પર્શી ગઈ  એટલે એણે નક્કી કર્યું કે I will try to win this medal. એમણે મેટ્રિકલેશનના બધા લેશનો બાજુ પર મૂકી દીધા. ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ બધું બાજુએ મૂકી દીધું. મેટ્રિકલેશનમાં હતા તો પણ આખો દિવસ રાત He worked  for shorthand. એમણે  શોર્ટહેન્ડ એટલું મજાનું બનાવી દીધું કે એ ગોલ્ડ મેડલ જીત્યા. જે શિક્ષક એમને શીખવતા હતા એણે પ્રિન્સિપાલને ફરિયાદ કરી કે આમાં કૈંક  ગોલમાલ લાગે છે,  આ છોકરો ગોલ્ડ મેડલ લાવી જ નહીં શકે. પ્રિન્સિપાલ સાહેબ કહે આપણી ઓફિસમાં ફરી પરીક્ષા લઈએ. પપ્પાની પરીક્ષા લીધી અને he won the gold  medal પણ એ મેટ્રિકલેશનમાં ફેઈલ થયા. કેમકે બીજા વિષયો તો એમણે  બાજુમાં મૂકી દીધા હતા. એટલે ગાંસડી પોટલાં લપેટીને પરિણામ પછી ખંભાત આવી ગયા. 

હવે કુદરતનો ક્રમ એવો છે ને કે એમને આ શોર્ટહેન્ડનું જ્ઞાન અદભુત આવી ગયું, સાથે ટાઈપરાઇટિંગ પણ ખરું અને થોડેઘણે અંશે એકાઉટન્સી પણ જાણતા હતા. ખંભાત આવ્યા, પણ નોકરી કોણ આપે ?  એટલે ખંભાતની ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, જે આમ તો ગુજરાતી જ શીખવતી હતી, ત્યાં ગયા અને કહે કે ભાઈ મને સર્વિસ જોઈએ. He was very good scoutmaster. He was very good cricketer પછી તે ખંભાત સ્ટેટના ક્રિકેટના કેપ્ટ્ન પણ બન્યા. તેઓ વોલીબોલ પ્લેયર પણ હતા એટલે એમને સ્કાઉટટીચરની નોકરી  પ્રિન્સીપાલે આપી. ૧૫ રૂપિયા પગાર.  એમને દિલમાં કંઈક થયા કરતું એટલે થોડા સમય પછી પ્રિન્સિપાલને વાત કરી કે, સર,  મારી પાસે વિપુલ જ્ઞાન છે શોર્ટહેન્ડનું, ગોલ્ડ મેડલ છે મારી પાસે,  ટાઈપરાઇટિંગ હું બહુ સારું જાણું છું અને થોડે ઘણે અંશે એકાઉન્ટન્સી. જો આપ રજા આપો તો હું મારા ઘરની અંદર એક નાનો રૂમ છે ત્યાં હું મારો ટાઈપરાઇટિંગ અને શોર્ટહેન્ડ ક્લાસ ખોલું, પ્રિન્સિપાલે કહ્યું, ખોલો મને કઈ વાંધો નથી. એટલે એમણે  ઘરના બારણાં આગળ લખી દીધું The cambe institute of commerce નામ પણ આપી દીધું. થોડા દિવસ ગયા પ્રિન્સિપાલે પૂછ્યું, કેટલા વિદ્યાર્થી ?? તો કહે,  કોઈ નથી આવ્યું. કોણ આવે કોઈને ખબર પણ નથી..!! પ્રિન્સીપાલે કહ્યું,  આ મારો દીકરો મોહન, મોહન  એટલે તો  ભગવાનનું  નામ,  એને તું શોર્ટહેન્ડ શીખવ, ટાઈપરાઇટિંગ શીખવ,  બોલ તારી ફી કેટલી ?,,, પપ્પા કહે, સાહેબ તમારી પાસે કંઈ ફી લેવાય ? તો કહે, ના ફી તો લેવાની તો જ એ વિદ્યાર્થી  ગણાય. મારા પુત્ર તરીકે તારે નથી શીખવવાનું,  એને તારા વિદ્યાર્થી તરીકે એને શીખવવાનું છે.. તો પપ્પા કહે,  સાહેબ ટાઈપરાઇટિંગના ૫ અને શોર્ટહેન્ડના ૫ એમ કુલ  ૧૦ રૂપિયા આપજો. એટલે  કેમ્બે ઈન્ટિટ્યૂટનો પહેલો વિદ્યાર્થી મોહન .. તમે માનશો નહીં,  આજ દિવસ પર્યન્ત  અમે જયારે પહેલી રસીદ ફાડીએ અને છોકરાને રસીદ આપીએ ને તો “મ”  પરથી જ શરૂ કરીએ !!  આજે પણ, પછી અટક હોય કે નામ હોય પણ “મ” હોય તો પહેલી રસીદ એની.” 

(સંકલન: ભદ્રાયુ વછરાજાની)

નિરંજન રાજ્યગુરુ

અસ્મિતા વિશેષ સંવાદ :: 07

અલખ નિરંજનની આહલેક જગાડનાર કોઈ સાધક કે મુનિ આપણને  મળ્યા છે એવો અહેસાસ થયા વગર ન રહે જયારે આપણે (શ્રી ડોક્ટર) નિરંજન રાજ્યગુરુને મળીએ. એમાં પણ નિરંજનભાઈના હાથમાં એકતારો આવે અને તેઓ બુલંદીથી ભજન લલકારે ત્યારે આપણે ખુદ આંખ બંધ કરી તલ્લીન થઈ  જઈએ !! …એવા ઓલિયા ફકીર દેખાતા અને હકીકતમાં ભજન સાહિત્યના મર્મી સાધક શ્રી નિરંજન રાજ્યગુરુ સાથેના અસ્મિતા વિશેષ સંવાદના શરૂઆતના અંશો માણીશું…

“મારો જન્મ મારા મોસાળમાં, મંડલીકપુર ગામમાં કે જે  ગિરનારની ગોદમાં આવેલું, કહો ને કે  ગિરનારનો દત્ત શિખરનો પડછાયો જેના ઉપર પડે એવું મંડલીકપુર ગામ અને ત્યાં મારા નાના એટલે મારા માતાના પિતા શિક્ષક હતા.અહીં ૧૯૫૫ માં ૨૪ ડિસેમ્બરના રોજ મારો જન્મ થયો. મારું વતન ઘોઘાવદર. મારા પિતાજી ત્યાં તાલુકા શાળાના આચાર્ય. તાલુકા શાળાના આચાર્ય તો થયા પણ ઘોઘવદર ગામમાં એ નિશાળ જયારે શરૂ થઈ ત્યારે ત્યાંના વયપત્રક રજીસ્ટરમાં પહેલો ક્રમ વલ્લભભાઈ રાજ્યગુરૂનો. ભગવતસિંહજીના વખતમાં અમારી સ્કૂલ શરૂ થઈ એ સમયે બાજુનું વાછરા ગામ જે  ૩ કિલોમીટર દૂર ત્યાં નિશાળ  હતી. મારા પિતાજી પહેલું ધોરણ ભણવા ત્યાં ત્રણ કિલોમીટર દૂર ચાલીને જતા, કારણ  ત્યારે ઘોઘાવદરમાં નિશાળ નહોતી. આમ, ભાયાતના ગામમાં સ્કૂલ હતી અને ભગવતસિંહજીના પોતાના ગામમાં સ્કૂલ નહોતી એટલે એ સમયે મારા પિતાજીને  ચાલીને જવું પડતું. મારા પિતાજી  ઉંમર પોણા ત્રણ વર્ષના હતા ત્યારે માતા અને પિતા બંનેનું મરકીના  રોગમાં અવસાન થયેલું. મારા પિતાજીના મોટાભાઈ,  કર્મકાંડ અને બ્રાહ્મણનું ગામોટું કામ કરે. ત્યારે  ઘોઘાવદરની સડક બંધાતી એટલે  માથા ઉપર ટોપલા લઈ અને માટી સારીને એ મજૂરી કરે. મારા પિતાજીના મોટાભાઈએ  મારા પિતાજીને ભણાવ્યા, રાખ્યા. પોતે લોટ માંગવા જાય અને, બે બહેનો અને એક નાનો ભાઈને મારા પિતાજીએ  ઉછેરીને મોટા કર્યા. પછી વાછરાની નિશાળે ભણવા જાય. એમાં એક વખત ભગવતસિંહજી શાળામાં આવ્યા. બધાએ એમને વિનંતી કરી કે અહીંયા સ્કૂલ થાય તો વધારે સારું, એટલે બીજા જ વર્ષથી ઘોઘાવદરમાં સ્કૂલ શરૂ થઈ અને રજીસ્ટરમાં પહેલું નામ મારા પિતાજીનું ! સાતમું  ધોરણ પાસ કરીને  ભગવતસિંહજી પાસે ગયા એટલે એને તરત જ ધોરાજી પાસેના ભોળા ગામમાં શિક્ષક તરીકેની નોકરી ભગવતસિંહજીએ આપી દીધી.  

ગોંડલ સ્ટેટના ૮૨ ગામ પણ એમાં જ્યાં કોઈ તેજસ્વી વિદ્યાર્થી હોય અને ભગવતસિંહજીને ખબર હોય અને એમાંય બ્રાહ્મણનો દીકરો હોય તો ‘ભાઈ,  તારે નોકરી કરવી છે ને, મા બાપ નથી, બ્રાહ્મણિયું કામ કરે છે શિક્ષક થઈ જા, ૭ રૂપિયાનો પગાર મળશે !!.’ પછી તો એ બુનિયાદી શાળા થઈ, પછી તાલુકા શાળા થઈ તો મારા પિતાશ્રી  એના પ્રથમ આચાર્ય થયા, પછી પોસ્ટ ઓફિસ થઈ એના પ્રથમ પોસ્ટ માસ્ટર થયા, સહકારી મંડળી થઈ એના સહકારી મંત્રી થયા !!  પંચાયત ગ્રામ પંચાયત થઈ તો ગ્રામપંચાયતમાં પણ આદ્ય મંત્રી તરીકે મારા પિતાજીનું નામ. 

સાહિત્ય, સંગીત અને કલા આ ત્રણે ત્રણ ધારાઓ જ્યાં વહે તે ઘોઘાવદર ગામ એટલે આપણા મધ્યકાલીન સંતકવિ દાસીજીવણનું ગામ. અને ત્યાં મારો ઉછેર થયો. પિતાજી સાહિત્યકાર પણ હતા, સંગીતકાર  પણ હતા, કલાકાર પણ હતા, ચિત્રો પણ દોરે, તો આ બધી જ વસ્તુ ધીરે ધીરે  મારા બાળપણથી જ મારામાં  અંદર ઉતરતી આવી અને સૌથી વિશેષ વાત તો એ કે મારા પિતાશ્રી મકરંદભાઈના ગાઢ મિત્ર. ૬ કિલોમીટર ગોંડલ અને ગોંડલમાં  મકરંદભાઈ રહે. સાત ધોરણ સુધી હું ઘોઘાવદર રહ્યો અને અહીંની શાળામાંથી જ સાતમું પાસ થયો. . અમે બે ભાઈઓ, મારા મોટાભાઈ ગીરીશભાઈ રાજ્યગુરુ હતા એ હમણાં ૩ વર્ષ પહેલા અવસાન પામ્યા. એ ભુવનેશ્વરીમાં ચીફ એકાઉન્ટન્ટ હતા. મારાથી નાની બહેન છે એ ગોંડલ છે. મૂળ મોટા દેવળીયામાં એ આયુર્વેદિક ડોક્ટર છે. 

મારા માતુશ્રીનું નામ વિજયાબેન,  મોહનલાલ આત્મારામ વ્યાસ એટલે મારા નાના, જે શિક્ષક હતા મંડલીકપુર ગામે.  મારા પિતાજીએ પ્રૌઢ  શિક્ષણ કેન્દ્રો શરૂ કરેલા, અસ્પૃશ્યતા નિવારણનું કામ કરે અને ગાંધીજીની બધી  પ્રવૃતિઓ ચલાવે. તેઓ રાત્રિશાલા ચલાવે અને તેને લઈને ઘોઘાવદર આખું ગામ સાક્ષર તઃયું  !! મારા બા પણ રાત્રીશાળામાં બહેનોને શીખવાડે અને ૬૦ – ૬૦ વર્ષના અભણ ક્યાંક રહી ગયા હોય તો એ બધા રાત્રીશાળામાં ભણવા આવે. એ વખતે અમે બંને ભાઈઓ નાના,, અમારે ત્યાં સામયિકો આવતા. રમકડું, ઝગમગ, બાલમિત્ર, બાલજીવન.. આ રમકડુમાં તો  મકરંદભાઈના કાવ્યો આવતા..  ઘરમાં બે ત્રણ હજાર પુસ્તકો, મેઘાણીભાઇના બધા પુસ્તકો, એટલે હું હજુ પહેલા ધોરણમાં બેઠો નહોતો ત્યાં મને લખતા વાંચતા આવડતું હતું અને તાલુકા શાળાનો આચાર્યનો દીકરો એટલે હું કોઈ દિવસ પહેલા ધોરણમાં બેઠો જ નથી. મારા પિતાજી સાતમું ધોરણ ભણાવે એટલે હું એની ખુરશી પાસે બેસું એટલે સાતમા ધોરણના વિદ્યાર્થીઓને હું લેખન લખાવતો હોઉં !!”

(સંકલન: ભદ્રાયુ વછરાજાની)