પેન્સિલ-પીંછી ને કૅમેરો જીવનમાં જેને વરેલો… લેખન – ચિત્ર છબિકલાના સાદ્યંત કલાકાર -જ્યોતિભાઈ ભટ્ટ

પેન્સિલ-પીંછી ને કૅમેરો જીવનમાં જેને વરેલો… લેખન – ચિત્ર છબિકલાના સાદ્યંત કલાકાર -જ્યોતિભાઈ ભટ્ટ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શૅર કરવામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે?

સંસ્કાર અને સંસ્કૃતિની નગરી ભાવનગર. દક્ષિણામૂર્તિ, શિશુવિહાર, ઘરશાળા, ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, માનભાઈ ભટ્ટ. કેટલી ‘પાયાનાં’ સિક્ષણની સંસ્થાઓ? કેટલી વિરલ વિભૂતિઓ! આ નગરીએ બીજ રોપ્યાં એક સાદ્યંત કલાકારનાં. તારીખ બારમી અને તિથિ બારસ, ૧૯૩૪માં આવો સમન્વય તે જ્યોતિ માનભાઈ ભટ્ટનો જન્મ દિવસ! રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી બહાર નીકળવા મથનાર કુટુંબ. બાપુજી સુધારાવાદી. કદાચ એટલે જ તો એ સમયમાં જ્યોતિ ભટ્ટનો જન્મ થયો હૉસ્પિટલમાં, ઘરમાં નહીં. બા કહેતાં : ‘તારી ઘરમાં સુવાવડ ન થઈ તે ય ક્રાંતિ ગણાય એ સમયની…’ લીમડીવાળી સડક ભાવનગરની, જે પછીથી કૃષ્ણનગર બનવાનું હતું, ત્યાં ઉછેર.

બાપુજી માનભાઈ ભટ્ટ. બહુ મોટું નામ ગણાય, આજે પણ. બંદરમાં નોકરી. જમાનાથી ઘણા આગળ. સવારના ત્રણ-ચાર વાગે ઊઠી જાય. ઉકરડા તરીકે ઉપયોગ થતો હતો તે સ્થળને તેમણે રમણીય બનાવ્યું. જમીન સમથળ કરી, ખાડા બૂર્યા, ઘરેથી લઈ જઈ પાણી સીંચ્યું. ‘અમને ય નાની નાની ડોલ લાવી આપેલી, પાણી પેલી જગ્યાએ લઈ જવા. સાંજે બાબા ગાડીમાં મને બેસાડી તેમાં પુસ્તકો ભરી ત્યાં લઈ જાય અને ત્યાં પુસ્તકાલય ચલાવે. આ સ્થળ ‘શિશુવિહાર’ તરીકે ખ્યાત થયું. ટેકરી પરનું બાલમંદિર, કરચલિયાપરામાં. ગિજુભાઈ બધેકા સાથે કંઈક નાતો ખરો, કારણ રોજ અમારા ઘરે આવતા. ગિજુભાઈની બાળવાર્તાઓ તમે વાંચી હશે, મેં ગિજુભાઈ પાસેથી સાંભળી છે! બા ભણેલા નહીં. ભરતકામમાં રસ બહુ. ચાકળા ઊંઘા કરી જોતાં કે ભરેલા ટાંકા પાછળથી કેવા લાગે છે તે નીરખતાં ? મારા જન્મ પછી દર બે વર્ષે એક સભ્યનો ઉમેરો થતો. એમને ગમતું વાંચી લેતાં. બા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવેલાં અને બાપુજી ક્રાંતિકારી સુધારામાં માને. પણ બન્નેએ એકબીજાની સ્વતંત્રતા જાળવેલી. કુટુંબમાં પોલીસખાતાનું વાતાવરણ. પિતા પોલીસ શિસ્ત શીખ્યા, હું તે ન જ શીખ્યો. બાપુજી લોકોને મારતા-કૂવામાં ઊંધા લટકાવતા. નાનપણમાં ભય મને બાપુજીનો જ વધુ લાગતો. તેથી હું બહુ બીકણ બન્યો!’ જ્યોતિભાઈ ધીમું બોલે છે, આંખ સજળ છે એટલા ભાવથી બોલે છે, બે વાક્યો બોલે એમાં ત્રણવાર સહજતાથી હસીને બોલે છે. દિલ કોરા કૅનવાસ જેટલું ચોખ્ખું છે તે પામી શકાય છે.

બાલમંદિરથી ધોરણ-૧૨ સુધી સળંગ ‘ઘરશાળા’માં ભણ્યા. બાળકને ઘર જેવું લાગવું જોઈએ તેથી ઘરશાળા. દસ વર્ષના હતા ત્યારથી જ્યોતિભાઈને ન.પ્ર. બુચ સાથે સંબંધ. તેની અસર આજે ય ખરી. બાહ્ય વાતાવરણ આશ્રમ જેવું નહીં પણ બાકી બધું એવું. શાળા નાની. પાંત્રીસનો વર્ગ એક જ. જાણીતા ફૉટોગ્રાફર કિશોર પારેખ, છેલ્લાં પચાસ વર્ષોથી અમેરિકા વસતા શિલ્પી નરેન્દ્ર પટેલ વર્ગમિત્રો. દક્ષિણામૂર્તિમાં ટાગોરનો પ્રભાવ હતો. માતૃભાષામાં જ ભણવાનું. પરીક્ષા નહીં. માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ઇન્દ્રિયોનો અનુભવ. માપદંડ નહીં પણ વૅલ્યુ જજમૅન્ટ. શીખવવું એ જ હેતુ, પરીક્ષાની હુંસાતુંસી નહીં. ઘરશાળા સિવાય ક્યાંય સહશિક્ષણ ન હતું. ટાબરિયાંઓને પણ શિક્ષકો તું કહીને ન બોલાવે. ભાવનગર રાજ્યની ઑલિમ્પિક થતી ત્યારે. ઘરશાળાનું એમાં પર્ફોર્મન્સ સારું, પણ પુરસ્કાર લેવા નહીં જવાનું! પૉસ્ટ વર્લ્ડ વૉર પુસ્તક લખાયું ‘તોતોચાન’. એમાં જે શાળાની વાત લખી છે તે તો બધું જ ઘરશાળામાં હતું જ! હરભાઈ માધવજીભાઈ પટેલ – જગુભાઈ શાહ. શનિ-રવિ અને વરસાદ પડે ત્યારે શાળા બંધ! રવીન્દ્રનાથ ટાગોરની અસર સાથે પ્રહલાદ પારેખ ઘરશાળામાં, એટલે ‘વર્ષામંગલ’ ગવાતું ચોમાસામાં. આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. હરભાઈ સહિત બધા એમાં ફરવા નીકળતા. પક્ષીઓમાં રસ લેતા કર્યા નહીં, પણ થયા! નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? એના બદલે ચીતરીને જ્યોતિભાઈ દેખાડે જગુભાઈ શાહને. ‘જગુભાઈ સારા ચિત્રકાર સારા શિક્ષક – બાળકોમાં રસ લેનાર જીવ. અમે ચિત્રકાર હોઈએ એવો અહેસાસ કરાવનાર શિક્ષક. આજે પીંછી-પેન્સિલ કે કેમેરો પ્રેમથી રમાડી શકું છું તેનો બધો જશ ચિત્રશિક્ષકોને…’ જ્યોતિ ભટ્ટ અહોભાવથી કહે છે.

પ્રખર ચિત્રકાર જ્યોતિ ભટ્ટનું પ્રથમ ચિત્ર સર્જાયું ૧૯૪૬માં બાર વર્ષની ઉંમરે! હરિજન માથે મળનો ડબ્બો લઈને જતો હોય તેવું ચિત્ર. ‘જુગુપ્સા’ વિરોધ થયેલો. આવું ગંદું ચિત્ર? ત્યારે લાગેલું જ્યોતિભાઈને કે: ‘આ ચિત્ર ગંદુ અને ચિત્રનો વિષય ગંદો, એમાં ફેર છે. જુગુપ્સા જન્મે એટલી વાસ્તવિકતા સર્જે તે ચિત્ર ગંદું કેવી રીતે હોઈ શકે!’

ધૂરંધર શિક્ષકોની મૂડીથી ભર્યાભર્યા થયા જ્યોતિભાઈ. બુચભાઈ, હરભાઈ, એન.એસ. બેન્દ્રે (પછીથી અમદાવાદના સ્લમમાં જઈ શિક્ષણની ધૂણી ધખાવનાર) રઘુભાઈ નાયક, છેલભાઈ વ્યાસ…! છેલભાઈએ ઇતિહાસ એવો દિલથી શીખવેલ કે જ્યોતિભાઈના મનમાં અંગ્રેજો પ્રત્યેની નફરત વધી, પરિણામે મૅટ્રિકમાં અંગ્રેજીનું પેપર દેવા ન ગયા! વર્ગની ભીંત ઉપર ચિત્રો દોરાવવાની શરૂઆત જગુભાઈએ કરાવેલી… (આજે જે બાલમિત્ર વર્ગની સંકલ્પના છે તેનો ઉદ્ભવ જગુભાઈએ નીજી ઉત્સાહથી કરેલો વર્ષો પહેલાં!) જ્યોતિ ભટ્ટ અને મિત્રોએ પોતાનાં કદથી ચાર-પાંચ ગણાં મોટાં ચિત્રો કરવા મળતાં ભીંત પર.

ધ્રાંગધ્રા કૉંગ્રેસ ભરાયેલી. તેની સજાવટ જગુભાઈએ સંભાળેલી, તેમાં જ્યોતિભાઈ હોંશેહોંશે જોડાયાનું યાદ કરે છે. આમ આત્મવિશ્વાસ પાક્કો બંધાવ્યો, વાતાવરણે અને શિક્ષકોએ. જેમનાં નામ પાઠયપુસ્તકમાં વાંચતા તે બધા સંસ્થામાં નજર સામે આવતા! સુંદરમ્, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પ્રહલાદ પારેખ, શ્રીધરાણી સાથે સંવાદ સાધવાની તક મળેલી. શિશુવિહારે જ્યોતિ ભટ્ટને કેળવ્યા. શિશુવિહારમાં જીવનલક્ષી પ્રવૃત્તિઓ થતી. રમતગમત + વ્યાયામ + બૅન્ડ વગાડતાં શીખવું અને કોઈને ત્યાં વરઘોડામાં જઈ બૅન્ડ વગાડવાં + ફ્યુઝ બાંધતાં શીખવું + સાઇકલ રીપેરિંગ – પંક્ચર સાંધવું – ગ્રીષ્મ તાલીમ વર્ગો દરમ્યાન તો સાથે જમવું, ગાવું, નાચવું, ચોકીદારી કરવી, ચાલતાં ચાલતાં પ્રવાસો કરવા + શેરી નાટકો કરવાં અને ‘ચુંદડિયા બ્રાહ્મણ’નું નાટક કરી અંધશ્રદ્ધા દૂર કરવી… ઘણું બધું કર્યું શિશુવિહારમાં અને દ્વારા… જીવન તરબતર થઈ ગયું જ્યોતિભાઈનું! નાનપણની પેલી બીક નીકળી ગઈ. જીવન એટલે પ્રવૃત્તિ જાણે કે…

‘એસ.એસ.સી.માં ચિત્રમાં સૌથી ઓછા માર્ક હતા, પણ દિલમાં એક જ સ્વપ્ન કે શાંતિનિકેતન જવું છે, બસ.’ શા માટે તે કંઈ સ્પષ્ટ નહીં. વડોદરામાં કલાભવન ચાલતું હતું. વડોદરામાં જ એમ.એસ. યુનિવર્સિટીમાં પહેલી ફાઇન આર્ટ્સ ફૅકલ્ટી હતી. નરેન્દ્ર પટેલ, સોમાભાઈ શાહ, એન.એસ. બેન્દ્રે, માર્કન્ડ ભટ્ટ… અહીં જ્યોતિ ભટ્ટે ડિપ્લૉમાં અને પૉસ્ટ ડિપ્લોમાં કર્યું. વડોદરામાં કેમ ભણ્યા તેની તો એક દાસ્તાન છે.

પિતાજીની સ્થિતિ સારી નહીં. પક્ષી વિષેનું બારેક રૂપિયાનું એક પુસ્તક ખરીદવું હતું તો તે પિતા માટે મુશ્કેલ હતું. ‘આવતા મહિને લઈશું.’ એવું કહેલું ત્યારે. એટલે બને એટલા પૈસા ઘરેથી ઓછા લઈ વડોદરામાં ભણવું તેવું જ્યોતિભાઈએ નક્કી કરેલું. સાત વર્ષમાં દસ જગ્યા બદલી રહેવાની. હૉસ્ટેલમાં મિત્રના રૂમમાં સામાન પડ્યો રહે, રાત્રે અગાશી પર, સવારે બાથરૂમ વાપરીને કૉલેજમાં આખો દિવસ કાઢવાનો! સિનેમાની ઓરડીમાં રહ્યા, શિક્ષકોને ઘરે રહી ખાધું-પીધું! પણ આ મુશ્કેલીને જ્યોતિભાઈ સંઘર્ષ કહેવા તૈયાર નથી. જીવનની આ તો વાસ્તવિકતા છે, જે તમને ઘડે છે.

૧૯૫૪માં નેહરુએ પાર્લામૅન્ટ હાઉસમાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યું, જેમાં ભારતનો ઇતિહાસ હોય. તેમાં બેન્દ્રેસાહેબના ચાર વિદ્યાર્થીઓનાં ચિત્રો ગયાં, તેમાં જ્યોતિ ભટ્ટ એક. પિતા માનભાઈ ભટ્ટ હંમેશા કહેતા કે : ‘જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવાનું.’ ૧૯૫૭થી ૧૯૫૯ ભારત સરકારની ‘ગુરુ-શિષ્ય કલ્ચરલ સ્કૉલરશિપ મળી. ગુરુઓ વડોદરા કૉલેજમાં જ હતા એટલે ત્યાં બે વર્ષો ગાળ્યાં. ગુરુવર્ય ટાગોરપ્રિય કે.જી. સુબ્રમણ્યમ જેને પ્રેમથી સૌ ‘અમારા મણિસાહેબ’ કહેતા તે ઇંગ્લેન્ડ ગયેલા તેના સ્થાને શીખવવાની પણ તક મળી. એ વખતે ફ્રીલાન્સ જીવવાનું અઘરું હતું. ૧૯૫૯થી ૧૯૯૨ સુધી સળંગ તેંત્રીસ વર્ષ જ્યોતિભાઈ એમ.એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. ઍક્સચેન્જ ઑફ સ્ટુડન્ટ ફૅલેશિપ મળતાં ઇટાલી એક વર્ષ, અમેરિકા બે વર્ષ રહ્યા અને ત્યાંના મ્યુઝિયમો ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રૉકફેલર સ્કૉલરશિપ/ફેલેશિપ તથા વચ્ચે ટ્રાવૅલ ગ્રાન્ટ. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, ગ્રીસ, ન્યૂયોર્કમાં બેસી ચિત્ર, ફૉટોગ્રાફી અને લેખોનું સર્જન થયું. નૅશનલ ઍકેડેમી દ્વારા નૅશનલ પ્રાઇઝ ‘પ્રેસિડેન્ટ ગૉલ્ડ પ્લૅક’ મળ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાના સહિત ચાર પુરસ્કારો મળ્યા.

ફાઇન આર્ટ સ્કૂલમાં ચોવીસ કલાક કામ થઈ શકે તેવું વાતાવરણ મળ્યું. રાત્રે બે-અઢી સુધી ‘કેવી રીતે કરવું’ તેની નહીં પણ ‘શું કરવું’ અને શા માટે કરવું’ની ગડમથલ ચાલતી. ‘યુનિવર્સિટીમાં હડતાલ હોય પણ અમે પાછલા બારણેથી અંદર આવી કામ કરતા હોઈએ. સર્જનમાં એકવાર રસ પડે પછી વિસર્જનમાં કેવી રીતે રસ પડે?’ કહેનાર જ્યોતિ ભટ્ટ ૧૯૬૭થી ત્રીસ વર્ષ છબીકલામાં માહિર બન્યા. કલા સર્જન વિષે ‘કુમાર’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’માં નિયમિત લેખો લખ્યા. સુરેશ જોષીના પ્રથમ પુસ્તકનું ક્યુબિક ટાઇટલ પણ રચ્યું, ગુલામ મહોમ્મદ શેખ સાથે રહી (બ્લૉકનો ખર્ચ ન થાય એટલે) જાતે જ લાકડામાં બ્લૉક કોતરી આપ્યો! શેખ, ભૂપેન ખખ્ખર અને જ્યોતિ ભટ્ટે ફૉકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું. ગામના પાદરમાં રહેલા પાળિયાને કોઈ સાચવતું નથી. પાળિયાને સાચવવા તેને ઉપાડીને તો ન લઈ જવાય, લઈ જાવ તો જ્યાં રાખો ત્યાં શોભે નહીં. પણ તેની છબિમાં તો તેને આયુષ્ય બક્ષી શકાય ને? આખરે તો વાત ઇમૅજ ક્રિઍટ કરવાની છે ને! પીંછી-કલમ કે કૅમેરો તો સાધન જ છે. ‘India 24 hours’ નામનું જબરું મોટું પુસ્તક થયું. તેમાં પચ્ચીસ ભારતીય ફૉટોગ્રાફરોમાં એક જ્યોતિ ભટ્ટ છે. ૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય બાલવર્ષ દરમ્યાન તેમણે પ્રદર્શન કર્યું : શૈશવ. તેમાં પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ડોકું કાઢીને ઊભી છે ને પાછળ બ્લરમાં દોડતાં બાળકો છે, તેવો ફૉટોગ્રાફ હતો એ.

જ્યોતિ ભટ્ટને વિચાર આવ્યો કે : ‘આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના બાપા ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. ‘હોંગકોંગમાં આવેલ એશિયન આર્ટ આર્વાઇઝ દ્વારા જ્યોતિ ભટ્ટના સમગ્ર કાર્યને ડિજિટલાઇઝ કરવાનું કામ ચાલે છે. જ્યોતિ ભટ્ટ કહે છે : ‘કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શૅર કરવામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે? કૃષ્ણએ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું તે સાચું પણ જશોદાએ માટીમાં બ્રહ્માંડ જોયું તેનો આદર કેમ નહીં?

 

 

 

 

શિક્ષણના ઋષિતુલ્ય ઉપાસક, શિક્ષણના સાધક અને સંશોધનના આરાધક  ડેૉ. ચન્દ્રકાંત ભોગાયતા

શિક્ષણના ઋષિતુલ્ય ઉપાસક, શિક્ષણના સાધક અને સંશોધનના આરાધક ડેૉ. ચન્દ્રકાંત ભોગાયતા

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ચાલો, આજે આપણે શિક્ષણ અને સંશોધનની એક હાલતીચાલતી વિદ્યાપીઠને મળીએ… જામનગરના જામસાહેબ કચ્છથી આવ્યા ત્યારે તેમણે પહેલી રાજધાની જામખંભાળિયામાં સ્થાપેલી. આજે પણ તેના કોઈ કુંવરનો રાજ્યાભિષેક થાય છે ત્યારે તે જામખંભાળીયામાં જ થાય છે. તાલુકા મથકનું નાનું શહેર જામખંભાળિયા. ચૈિત્ર સુદ બીજ. શુક્રવાર. ૧૯૪૪ના માર્ચની છવ્વીસ તારીખે જન્મ અહીં ચન્દ્રકાન્તભાઈનો. ઘી અને તેલી બે નદી અહીં. જ્યાં આજે ય ઘીની પૂજા થાય છે એવું ખામનાથ મહાદેવનું વિશિષ્ટ મંદિર. શંકરલાલ પડોશમાં રહેતા પ્રભાવી નાગર. તેના ઘરમાં બીલીનું ઝાડ. ત્યાંથી બીલીપત્રો લાવવાનાં. દાદાને આપવાનાં અને પડોશી ઢેબરભાઈને ચન્દ્રકાંતે દઈ આવવાનાં. આ ઢેબરભાઈનાં પત્ની તે શિક્ષણ સંશોધનના ભિષ્મ પિતામહ ડૉ. એમ. બી. બુચસાહેબનાં બહેન થાય. ચન્દ્રકાંત દાદાને, ઢેબરભાઈને બીલીપત્રો આપે પછી પોતે રાખે અને ખામનાથ મહાદેવને દર્શને જઈ પોતે ચડાવે. ઘણા દિવસો તો રોજના હજાર બીલીપત્રો ભાવથી ચઢાવતો ચન્દ્રકાંત કથા સાંભળવાનો જબરો શોખીન. એકાગ્રતા એવી કે કથાકારો એને શુકદેવજીનું ઉપનામ આપે! કૉલેજમાં ગયા પછી ચન્દ્રકાંતને ભગવાનના સ્થાને પ્રકૃતિને કે વિજ્ઞાનને મૂકવાની ઇચ્છા થઈ ત્યાં સુધી એ ભક્તિસભર.

દાદા-દાદી પાસેથી શિક્ષણ અને સંસ્કાર મળ્યાં. પરંપરાગત સંયુક્ત બ્રાહ્મણ કુટુંબ. દાદા કાપડના પ્રસિદ્ધ વેપારી. બાળપણ વખતે તો જાણે silver spoon in the mouth. દાદાને મિલ્કતો ખરીદવાનો શોખ. નાગરપાડામાં મકાનોનું એક આખું સંકુલ લીધેલું. એમાં સ્થળાંતરિત થયા પછી ત્રણ કાકાઓ ત્યાં જ અલગ મકાનમાં ગોઠવાયા. દાદાને પ્રાણીઓ પાળવાનો શોખ. ગાય-બળદ-ઘોડા. નાની અશ્વશાળા ઘરમાં, ઘોડાગાડી ઘરમાં. એક સાથે બે ઘોડા જોડી શકાય એવી ગાડી માજોલી”માં નિશાળે જવાનું ચન્દ્રકાંતે, નિશાળ નજીક હતી તો પણ! ઘરમાં ગ્રંથો પુષ્કળ ચન્દ્રકાંતના સુંદરકાંતના બધા જ ખંડો, ભગવદ્ગીતા, રામચરિતમાનસ, યોગ વિષેના ગ્રંથો. વાચનની ટેવ દાદાએ પાડી. નાગરપાડામાં નાગરોના સંસ્કારો મળ્યા. રોજ રાત્રે દાદાએ શીખવેલ પદ્ધતિસર રામચરિતમાનસ ચન્દ્રકાંતે જાહેરમાં વાંચવાનું. ચોપાઈ, સોગઠા ગાઈને! નજીકમાં નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર. તેની પૂજાવિધિ જોવાની. કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં નાગર યુવકો ત્રિપુરાસુરનું દહન કરતા. ત્યાં સંન્યાસી રહેવા આવે તો તેને ભોજન દેવા જવાનું. આ રીતે લક્ષ્મી હતી ત્યાં શ્રી—સરસ્વતીનું આગમન થયું.

પિતાજી ધંધામાં. માતાજી બાળકોનાં ઉછેરમાં. એટલે એ બન્નેએ શિક્ષણ આપ્યું એવું ન બન્યું. કડક પિતાજીનો ડાહ્યો દીકરો ચન્દ્રકાંત. પિતાની ઇચ્છા તો IAS બનાવવાની હતી, પણ પોતાની ખ્વાઈશ તો ડૉક્ટર થવાની હતી! પણ થયા શિક્ષકોના શિક્ષક. જીવનને વળાંક આપે તેને જ નિયતિ કહેવાય ને? દાદાની શાખ કે ધાક કેવી, ખબર છે? આ કુટુંબના મુંબઈના કોઈ મહેમાન અહીંથી પસાર થતાં હોય તો તેને ચા-નાસ્તો ન કરાવી લઈએ ત્યાં સુધી ટ્રેન અહીં રોકી રખાતી! કેશવજીભાઈના મહેમાન છે ને પછી?! ચન્દ્રકાંત એકથી ચાર ધોરણ ભણ્યા ભાટિયાઓનાં દાનથી બનેલ ‘બટુભાઈ રતનશી ધનજી વીરજીયાણી તાલુકા શાળા નં. ૨’માં. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક હતા પ્રભાશંકરસાહેબ. બધા છોકરાવ પાસે બોર્ડમાં એક શબ્દ જ લખાવે. બધાએ લખ્યું : ‘રબડ.’ એક માત્ર ચંદ્રકાંતે લખ્યું: ‘રબ્બર! વર્ગમાં માન તેનું કારણ આ. શિક્ષકો બિનતાલીમી ખરા પણ કામને સમર્પિત. તૈયાર કરીને સમજીને પછી જ શીખવે. રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું ત્યારે, જો કે, ચન્દ્રકાંતને એ બહુ આવડતું ય નહીં ને ફાવતું ય નહીં. જામખંભાળિયામાં ત્યારે મિડલ સ્કૂલ હતી, સ્ટેશન રોડ પર, ખૂબ સુંદર મકાન (આજે ય છે ત્યાં જ). જેનો એક હાથ કાંડા ઉપરથી કપાયેલો હતો તેવા શિક્ષક કાંતિલાલ દવે આજે પણ ચન્દ્રકાંતભાઈની નજર સામે છે. છઠ્ઠું ધોરણ. ભૂગોળ ભણાવે અને ભૂગોળ તો પહેલેથી કંઠસ્થ. મિત્ર જેઠો બાજુમાં. ચન્દ્રકાંતે નોટમાં મોટું ચિત્ર ઇલેક્ટ્રિક કંપનીનું દોર્યું. બન્નેએ હરખાતાં તેમાં નામ આપ્યું: ‘ઓઘો ઍન્ડ ગોધો ઇલેક્ટ્રિક કંપની! કાંતિલાલ જોઈ ગયા. બન્નેને આવા હાથે ય ગરદનથી પકડી આગળ લાવ્યા ને નોટ ક્લાસને દેખાડી કહ્યું: ‘જુઓ, આ ઓઘો અને ગોધો અને આ એની ઇલેક્ટ્રિક કંપની!” માર્યા નહીં પણ ખિજાયા જરૂર. એક મિત્ર તનસુખ મહેતા ખૂબ હોંશિયાર. પહેલો જ આવે. છઠ્ઠા ધોરણમાં ચન્દ્રકાંતે તેને ચેલેન્જ મારી પહેલો નંબર લીધો. પણ એક જ વાર, પછી તો છેક સુધી તનસુખ મોખરે રહ્યો. પછીથી આ તનસુખ મહેતા રાજકોટની કોઈ કૉમર્સ કૉલેજમાં પ્રતિભાશાળી અધ્યાપક બન્યાનું ચન્દ્રકાંતભાઈએ સાંભળેલું.

પોતાની ઇચ્છા ડૉક્ટર થવાની એટલે રાખ્યા વિજ્ઞાનના વિષયો અને પ્રથમ વર્ગમાં મૅટ્રિક પાસ થયા. પણ વૅકેશનમાં ટાઈફૉઇડ થયો. ઘરમાં કોઈને કાંઈ પ્રવેશની ચિંતા ન હતી. સાજા થઈને ગયા ડી. કે. વી. સાયન્સ કૉલેજ, જામનગર. પ્રિન્સિપાલ જે. બી. શાંડિલ્યસાહેબે કહ્યું: ‘તારા માટે જગ્યા ઉપરથી પાડું? બધી જગ્યા ભરાય ગઈ છે. જાવ, આવતા વર્ષે આવો…”કુટુંબ ઘસાયું હતું. આર્થિક ભીંસ શરૂ થઈ હતી. પ્રશ્ન થયો: ‘એક વર્ષ બગાડવું કે આર્ટ્સમાં જતા રહેવું?” દ્વારકામાં નવી કૉલેજ શરૂ થતી હતી. તેમાં પ્રવેશ મળે તેમ હતો. પણ આર્થિક બોજાનું શું? પણ ત્યારે દ્વારકામાં શંકરાચાર્ય તરીકે અભિનવ સચ્ચિદાનંદતીર્થ મહારાજ હતા. એમણે સંસ્કૃત એકેડેમી શરૂ કરી કારણ એમને વિદ્યા અને સંસ્કૃત માટે આદર હતો. સવારના કૉલેજમાં અને બપોરના સંસ્કૃત એકૅડેમીમાં જે વિદ્યાર્થી ભણે (૧) તેની ફી ન લેવી (૨) હૉસ્ટેલની ફી ન લેવી (૩) માસિક રૂ. ૩૫/- શિષ્યવૃત્તિ આપવી એવી યોજના મહારાજે જાહેર કરી. આને લઈને ચન્દ્રકાંતભાઈની મૂંઝવણ ગાયબ થઈ ગઈ. ફૂડબિલના રૂપિયા ત્રીસ શિષ્યવૃત્તિમાંથી ભરવાના, આર્ટ્સ કૉલેજમાં સ્નાતક ભણવાનું અને વિશેષમાં સંસ્કૃતમાં શાસ્ત્રીય પદ્ધતિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એમાં પણ ભાષાશાસ્ત્રી વિદ્વાન ટી. એન. દવે લંડનથી આવેલા અને તેને મહારાજે અહીં રોકી લીધેલા, તો બિહારના વ્યાકરણાચાર્ય શોભાનંદ ઝા પાસે સંસ્કૃતનું પાયાનું જ્ઞાન મેળવવામાં ચન્દ્રકાંતભાઈ મશગૂલ થઈ ગયા. એસ.વાય.બી.એ. સુધી આમ ચાલ્યું ત્યાં જીવનનો કપરો વળાંક સામે આવ્યો. માત્ર તેંતાલીસ-ચુમાલીસ વર્ષની વયે પિતાજીએ વિદાય લીધી. બા, ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોની જવાબદારી આવી ગઈ. અચાનક કાકાએ કહ્યું: ‘ચન્દ્રકાંત, હવે નોકરી શોધી લો ને કુટુંબની જવાબદારી ઉપાડી લો.’ દ્વારકાનાં બન્ને ભણતર અધૂરાં છૂટ્યાં. ભાણવડ તાલુકાનું વેરડ ગામ. ત્યાંની શાળામાં લેખિત પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ. સરપંચ હોંશિયાર અને અનુભવી, કલ્યાણસંગ વીરજી જાડેજા. એકવીસ વર્ષના ચન્દ્રકાંત ભોગાયતા અંકગણિતના શિક્ષક થયા. કુટુંબને વેરડ લાવ્યા. બીજા પગારમાંથી ટી.વાય. ઍક્સટર્નલની ફી ભરી, પુસ્તકો લીધાં. સરપંચશ્રીએ ચાલુ પગારે રજા આપી, ફી અને ચોપડીના નાણા આપ્યા ને ગુજરાતની તે સમયની ખ્યાતનામ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજમાં B.Ed. કરવા મોકલ્યા. સરપંચની શરત એટલી કે પ્રથમ વર્ગ લાવવાનો! લગ્ન પછી બી.એડ્. શરૂ કર્યું અને ત્યાં જ પ્રથમ લક્ષ્મીજી પણ પધાર્યાં.

શિક્ષક થયાના પાંચ વર્ષ પછી B.Ed. કર્યું છતાં આ વર્ષ જીવનનું ઉત્તમોત્તમ વર્ષ ચન્દ્રકાંતભાઈ લેખે છે. પ્રિન્સિપાલ મહેશભાઈ વૈષ્ણવ. ‘પ્રથમ દિવસે તેઓ નોટિસબોર્ડ પર સમયપત્રક ચોંટાડતા હતા. હું ત્યાં ઊભો રહી જોતો હતો. થોડીવાર પછી વિનયપૂર્વક તેમની અનુમતિ લઈ મેં કહ્યું: ‘સાહેબ, આપે આમાં બે શબ્દોનો ખોટો ઉપયોગ કર્યો છે. પૂર્વાનહ એટલે સવાર; અપરાનહ એટલે બપોર પછી. સમય આધારિત આ બે શબ્દો વાપરવામાં અદલાબદલી થઈ ગઈ છે.” એમણે તો કાગળો ઉતારી લીધા ને ઓફિસમાં જતા રહ્યા. RGT કૉલેજની પ્રાર્થના એટલે શણગાર. પ્રાર્થનામાં તે દિવસે જ્યારે પ્રાચાર્યશ્રી બોલવા ઊભા થયા ત્યારે એમણે જાહેરમાં કહ્યું : ‘આજે ગુરુ શિષ્ય બન્યો ને શિષ્ય ગુરુ! આજે કેવડી મોટી ભૂલ થઈ જાત? સવારવાળી ઘટના ભાવથી વર્ણવી મને મોટો કરી દીધો! પોતાના માટે સવારે ચા બનાવે ત્યારે હું રૂમમાં વાંચતો હોઉં તો ત્યાં મને ય ચા આપી જાય! હું B.Ed.માં યુનિ.માં પ્રથમ આવ્યો. મહેશભાઈએ બધાંને પત્ર લખ્યો: સ્થાપનાનાં સોળ વર્ષે કૉલેજનો કોઈ તાલીમાર્થી યુનિવર્સિટી પ્રથમ આવ્યો. કૉલેજ તરુણ વયમાં પ્રવેશી ત્યારે જ ઊંચકાઈ ગઈ…….’ ચન્દ્રકાંતભાઈએ ત્યાંથી M.Ed. પણ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે કર્યું. પછી ડી. કે. વી. જામનગરમાંથી M.A. ગુજરાતી સાથે કર્યું. ગુલાબદાસ બ્રોકરના પિતાના નામનો સુવર્ણચંદ્રક પણ મેળવ્યો. તેમનો સ્વભાવ કે જે ભણાવવું હોય તે પહેલાં ભણવું, તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક ભણવું. M.A. શરૂ કરતાં પહેલાં સંદર્ભસૂચિ તૈયાર કરી પ્રાધ્યાપક લાભશંકર પુરોહિતને ઘરે જઈને બતાવી પૂછ્યું: શું આ પુસ્તકો પૂરતાં છે? શ્રી લાભશંકરભાઈ સાનંદાશ્ચર્ય વિદ્યાના સાચા અર્થી સામે જોઈ રહ્યા! ૧૪ વર્ષ વેરડમાં માધ્યમિક શિક્ષક; એક વર્ષ જામવણથલી હાઈસ્કૂલમાં આચાર્ય; પાંચ વર્ષ માધ્યમિક શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગરમાં વ્યાખ્યાતા; પાંચ વર્ષ શિક્ષણશાસ્ત્ર ભવન — ભાવનગરમાં અધ્યાપક; પાંચ વર્ષ ત્યાં જ રીડર અને અગિયાર વર્ષ ત્યાં જ પ્રાધ્યાપક હેડ અને શિક્ષણ વિદ્યાશાખાના ડીન રહ્યા ચન્દ્રકાંત ભોગાયતા! ભાવનગર આવ્યા ને લાઇબ્રેરી સાથે ગાઢ નાતો ફરી બંધાયો. લાઈબ્રેરિયન “હોવાથી” નહીં, પણ લાઇબ્રેરિયન ‘હોવા છતાં’ જબરી વાંચનની ટેવવાળાં ઉષાબહેન બુચે પુસ્તકાલય નામનો વારસો જાણે ચન્દ્રકાંતભાઈ માટે શોધી આપ્યો! યુનિવર્સિટીના ભવનાધ્યક્ષ થયાથી તો તેમના માટે આંતરરાષ્ટ્રીય જર્નલ્સની રત્નોની ખાણ ઉપલબ્ધ થઈ. ચન્દ્રકાંતભાઈ કહે છે: ‘આંતરરાષ્ટ્રીય સામયિકો પાછળ હું પાગલ છું. તમે એના અભ્યાસ વિના ક્યારેય પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી સંસ્થાને લાવી શકો જ નહીં, એવું મારું દૃઢ માનવું છે.”

સંશોધનની શિસ્તના ધોરણો પાળવામાં કડક ગણાતા એ સમયના ધૂરંધર સંશોધક ડૉ. હરિભાઈ દેસાઈ પાસે Ph.D. કરવા માટે રજૂઆત કરતો ત્રીસ પાનાંનો નિબંધ લખી મોકલેલો. ચન્દ્રકાંતભાઈને જવાબમાં રજિસ્ટ્રેશનનું ફૉર્મ મોકલી સાથે લખ્યું: ‘આ લેખ કોઈ ઉત્તમ સામયિકમાં છપાવા માટે મોકલો. ‘What is what? ની સ્પષ્ટતા માર્ગદર્શક ડૉ. રવીન્દ્ર દવેમાંથી ડૉ. હરિભાઈ દેસાઈમાં ઊતરીને, તેમના શિષ્ય ચંદ્રકાંત ભોગાયતામાં સ્થાયી થઈ! અરે, આજે સિત્તેર વર્ષ નજીક પહોંચેલા ચન્દ્રકાંતભાઈને કોઈ પણ ગાઈડ કે સંશોધક પત્ર લખીને પોતાનું Ph.D.નું માત્ર શીર્ષક જણાવે ત્યાં તેઓ વરસી પડે. સુઘડ—મોહક અક્ષરોમાં લગભગ પૂરેપૂરાં સંશોધનની રૂપરેખા અને કાર્યપદ્ધતિ crystal clear કરીને દસેક પાનમાં મળી જ સમજો! શ્રી હરિ ઓમ આશ્રમ શ્રેષ્ઠ સંશોધક ઍવૉર્ડ બે વખત મળ્યો છે! સોળ સંશોધકોને ડૉક્ટરેટનું માર્ગદર્શન, ૩૮ રીસર્ચ પેપર્સ, ૮૦ અભ્યાસ લેખો, સાત પુસ્તકો આપનાર ચન્દ્રકાંતભાઈ ભોગાયતાએ ચિંતનાત્મક અધ્યાપન’ના ખ્યાલને ભારતમાં રમતો મૂક્યો છે. પોતે જે માને છે તે જ સ્પષ્ટ અને મૃદુતાથી કહેવાનું અને તેનાં માઠાં પરિણામો આવે તો ભોગવવાનાં,” આ સિદ્ધાંતના સ્વામી ડૉ. ચન્દ્રકાંત ભોગાયતાએ પોતાનાં કુટુંબને ગિજુભાઈની બાળવાર્તાઓ નાટકના અભિનયથી ભજવતું કર્યું છે. BITS, મિલાનીમાં દીકરો ભણતો હતો ત્યારે ત્યાં પણ કૂતરાને દૂધ પાતો નિયમિત! શિક્ષણ-સંશોધનના સાધક સંવેદનાના ઉપાસક છે…

ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા  મધુસૂદન ઢાંકી..

ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા મધુસૂદન ઢાંકી..

‘જિનિયસ’ શબ્દનો અર્થ નિહાળવો છે, તો ઢાંકીસાહેબને મળો..

સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી બચુભાઈ રાવતનું ‘કુમાર’ નિયમિત વાંચે. હાઇસ્કૂલમાં હશે ત્યારે તેમણે કુમા૨માં લેખો વાંચ્યા, ભારત સહિત વિવિધ દેશોના પ્રાચીન ભવનો અને તેના સ્થાપત્ય-શિલ્પ-કલા અંગેનાં! આ લેખોમાં ઠાંસોઠાંસ માહિતી હતી કે જે પેલા વિદ્યાર્થી માટે રસપ્રદ શિક્ષણની સામગ્રી બની રહી. વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે જ એમણે અન્ય મિત્રો સાથે મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળ’ની સ્થાપના કરી, અને આ મંડળે આજુબાજુમાં ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યો! બાળપણથી જ કલા-સ્થાપત્ય-સંગીત-દેવાલયો-સંગ્રહાલયોના ગહન અભ્યાસના માર્ગે વળેલ મધુસૂદન અમીલાલ ઢાંકી, આજે ગુજરાતમાં – ભારતમાં વિદેશોમાં ‘[કીસાહેબ’ના આદરભર્યા નામથી પ્રતિષ્ઠિત છે. જિનિયસ’ શબ્દનો મૂળ અર્થ સમજ્યો હોય તો ૮૬ વર્ષની જ્ઞાનવૃદ્ધ + અનુભવ સમૃદ્ધ + શિશુ સહજ વિશુદ્ધ ‘ઢાંકીસાહેબ’નાં ચરણો પાસે પલાંઠીવાળીને કલાકોના કલાકો બેસવું પડે. કોઈ પૂછે કે : ગુજરાતની ખરી અસ્મિતા કઈ?” તો ગર્વથી છાતી ફુલાવી એક નામ આપી જ શકાય અને તે મધુસૂદન અમીલાલ ઢાંકી.

મૂળ પોરબંદર પાસેના ઢાંક ગામના એટલે અટક પડી ઢાંકી. મૂળ નામ સરસ્વતીચંદ્ર. પાંચમા ધીરા સુધી એ જ નામ રહ્યું. ત્યારબાદ અમીલાલભાઈને કોઈકે કહ્યું કે : “આ નામ રાશિ પ્રમાણે નથી, તો રાશિ પ્રમાણે નામ પાડો’ અને એમ આપણને મળ્યા મધુસૂદન ઢાંકી. નામ ભલે બદલ્યું, પણ એ જ્વમાં આજે પણ સરસ્વતી દેવી પાકે પાયે ધામા નાખી બિરાજ્યાં છે, તેમાં બે મત નથી. આ વાતની સાબિતી છે આપણી પાસે. ઢાંકીસાહેબને ૨૦૧૧ના વર્ષનો ‘રણજિતરામ સુવર્ણચંદ્ર’ એનાયત થયેલ છે, તો વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ’નું નાગરિક સન્માન પ્રાપ્ત થયેલ છે. આ પૂર્વે ઢોંકીસાહેબને કુમારચંદ્રક, પ્રાકૃત જ્ઞાનપીઠ પુરસ્કાર, એશિયાટિક સોસાયટી ઑફ બૉમ્બે દ્વારા કેમ્બલ મમોરીઅલ ગોલ્ડમૅડલ, હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, રસિકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે. ઢાંકીસાહેબના લલિત લખાણોના પુસ્તક શનિમેખલા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું. પોતાનાં અતિ વિશિષ્ટ પ્રદાન બદલ, ભારતીય અભિલેખવિદ્યામાં ભગવાનલાલ ઇન્દ્રજી અને ભારતીય પુરાતત્ત્વમાં હસમુખ સાંકળિયાનું સ્થાન છે તેવું જ પ્રદાન ભારતીય દેવાલય સ્થાપત્યનાં ક્ષેત્રે મધુસૂદન ઢાંકીનું છે. તેઓ જીવ ભલે ભારતમાં એક નાના શહેર અમદાવાદમાં વસે પણ ટોકીસાહેબની ખ્યાતિ અને પ્રતિષ્ઠાભરી ચેતના વિશ્વનાં કર્ણકણર્મા શ્વસે છે એ નિર્વિવાદ છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષજ્ઞ પોરબંદરમાં. પૂનાની જગવિખ્યાત ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા (Geology) અને રસાયણશાસ્ત્ર સાથે B.ની પદવી મેળવી. બેંકમાં નોકરીથી કારકિર્દીનો પ્રારંભ, પણ મૂળ ખ્વ સંશોધનનો અને કલા- સ્થાપત્યનો. ૧૯૫૧માં મિત્રો સાથી મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળના નેજા હેઠળ પોરબંદરની આજુબાજુના જૂનાં સ્થાપત્યોની શોધ ચલાવી અને ઘાં નવાં મંદિરો શોધી કાઢ્યો. વડોદરા મ્યુઝિયમના ક્યુરેટર (ઢાંકીસાહેબ ક્યુરેટર’ ન કહેર્તા ‘રક્ષપાલ’ કહે છે!) હરમાન ગોયન્સે ઢાંકીની કામગીરીને બિરદાવી પ્રોત્સાહન આપતા રહ્યા. એ પછી જૂનાગઢમાં તેમણે ઉદ્યનવિદ (horticulturist) તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેઓ ગમતીલા પ્રાતત્ત્વના વ્યવસાયમાં જોડાયા. જૂનાગઢ અને જામનગરના સંગ્રહલયમાં તેઓએ ‘રક્ષપાલ’ તરીકે કામગીરી કરી. ઢાંકીસાહેબ ગુજરાતના પુરાતત્ત્વ સર્વેક્ષણમાં જોડાયા અને તેમણે પ્રભાસપાટણનું ઉત્ખનન કર્યું અને કચ્છની લોકકલાઓ અંગે ક્ષેત્રકાર્ય કર્યું. રાજકોટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિઑલૉજી અને મ્યુઝિયમમાં સેવા આપી. ૧૯૬૬માં તેઓ વારાણસીમાં અમેરિકન એકેડમી (અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ)માં જોડાયા અને ત્યાંથી જ સેન્ટર ફોર આર્ટ ઍન્ડ આર્કિઑલૉજીના નિયામક પદેથી નિવૃત્ત થયા. મધુસૂદન ઢાંકી અમદાવાદની એલ ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજમાં પણ ભારતીય કલા-સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા હતા. કલા-સ્થાપત્યના અભ્યાસ અર્થે તેમણે લગભગ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું, તો ભારતીય કલા-સ્થાપત્યની પડોશી દેશો પર કેવી અસરો પડી છે અને ત્યાંની સ્થાનિક શૈલીઓ કેવી છે તેનો અભ્યાસ કરવા માટે તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પન્ન ક્ષેત્રકાર્ય કર્યું. યુરોપના ગૉર્થિક સ્થાપત્ય માટે કીસાહેબને એક અજ્ઞાત લગની છે, અને એ સ્થાપત્યના અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડમાં ક્ષેત્રકાર્ય કર્યું છે. ઢાંકીસાહેબની વિશિષ્ટ વ્યાખ્યાન શ્રેણીઓ યુ.એસ.એ. અને યુ. કે.માં યોજાયેલ છે.

ઢીંકીસાહેબનાં વિરલ પ્રદાનને જાણવા માટે કેટલાક માઇલસ્ટૉનને સ્પર્શવું જરૂરી છે. (૧) પહેલા ભારતીય સ્થાપત્યનું વર્ણન અને મૂલ્યાંકન પણ સામાન્ય રીતે યુરૉપના સ્થાપત્યની પરિભાષાના આધારે જ કરવામાં આવતું. મધુસૂદન ઢાંકીએ પ્રથમ વાર જ સંસ્કૃતમાં લખાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને આધારે દેવાલય સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરી આપી. આ જ કાર્યના ભાગરૂપે તેમણે કેટલીયે વાસ્તુશાસ્ત્રને લગતી કૃતિઓનાં સાચાં અને તર્ક સમાંકનો કરી આપ્યાં.

(૨) એમનો પહેલો દીર્ઘલેખ તે ગુજરાતનાં સોલંકીયુગીન મંદિરોની આનુપૂર્વી’ (આનુપૂર્વી = Chronology). આ લેખથી પહેલી જ વાર ભારતનાં કોઈપણ પ્રદેશનાં અને કોઈપણ યુગનાં મંદિરોની સાલવારી અને એના દ્વારા તેમની ક્રોનોલૉજી, પ્રારંભ-વિકાસ-અન્ય સ્થાપત્ય કલાનાં લક્ષણો નિયત કરી શકાય. આ દીર્ઘલેખ દ્વારા ઢીંકીસાહેબે મંદિર સ્થાપત્યના વિકાસ અને ઉત્ક્રાન્તિનાં દ્વાર ખોલી આપ્યાં, તો સ્થાપત્યની સંશોધન પદ્ધતિ ઘડી આપી.

(૩) અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા પછી તેમણે ભારતીય દેવાલય સ્થાપત્ય માકોશ (Encyclopedia of India Temple Architecture)ની યોજના ઘડી. ઢાંકીસાહેબે ભારતનું અને અન્ય દેશોનું ક્ષેત્રકાર્ય અર્થે ભ્રમણ કરી અસંખ્ય ફોટા લેવડાવ્યા, વિધાનો (plan) તૈયાર કરાવ્યાં તથા એ મંદિરો વિશેની દંતકથાઓ એકઠી કરી. આ ભગીરથ ક્ષેત્રકાર્ય અને સંસ્કૃતના વાસ્તુશાસ્ત્રના ગ્રંથોના વર્ષોના અભ્યાસ પછી છેક ૧૯૮૩માં પ્રથમ ગ્રંથ પ્રકટ થયો!!

(૪) ભારતીય સ્થાપત્ય સિવાય નિગ્રંથ કહેતાં સાહિત્ય અંગે પણ ઢાંકીસાહેબનાં સંશોધનો વિશ્વવિશ્રુત અને વિદ્વત્ત માન્ય છે. એમણે જૈન સાહિત્યની વિવિધ કૃતિઓનાં પાઠ નિશ્ચિત કરી આપ્યો છે, કૃતિઓના તેમ જ એમના કર્તાઓના સમય કી આપ્યા છે.

(૫) ગુજરાતના સ્થાપત્યમાં જોવા મળી જાળીઓનો એક અભ્યાસલેખ ઢાંકીસાહેબે વર્ષો પહેલાં ગુજરાતીમાં આપેલ છે, તેના પરથી કલ્પી શકાય કે છેક ૧૯૬૩થી તેમણે આ વિષય પર કામ શરૂ કરેલ હશે તેઓના પુસ્તક ભારતીય દેવાલયોની જાળીઓમાં માત્ર ભારતીય જાળીઓની જ વાત નથી, હકીકત જુદી જ છે. તેમણે અહીં ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત અગ્નિ એશિયાઈ રાષ્ટ્રોનાં દેવાલયોની જાળીઓ વિશે પણ સમાન્તરે પ્રકાશ પાડ્યો છે. ઇસ્લામી અને યુરોપનાં ગૉર્થિક સ્થાપત્યમાં જોવા મળતી આ પ્રકારની પ્રકાશ અને વાયુના પ્રસારણ માટેની સમાન્તર પ્રયુક્તિઓ વિશે પણ વિગત ચર્ચા કરી છે. ગૉયિક જાળીઓની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તેના પર એક સ્વતંત્ર પ્રકરણ ઢાંકીસાહેબે લખ્યું છે. ગુજરાતને વિશ્વ સાથે જાળીની મદદથી જોડતું ઢાંકીસાહેબનું આ પુસ્તક તેઓએ પોતાના Ph.D.ના માર્ગદર્શક અને જાણીતા ઇતિહાસકાર મોતીચન્દ્રને અર્પણ કર્યું છે.

(૬) અત્યાર સુધીમાં, દક્ષિણ ભારતનાં દેવાલયો અથવા દ્રાવિડી શૈલીના દેવાલયો વિષે ત્રણ ગ્રંથો અને ઉત્તર ભારતની નાગરી શૈલીના ત્રણ ગ્રંથો મહકોશના ભાગરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે, ચોથો ગ્રંથ પ્રસિદ્ધ થવામાં છે જે દ્રાવિડી શૈલીનાં દેવાલયોને લગતો છે.

(૭) મંદિરોના સ્થાપત્ય, શિલ્પ અને તેના વિવિધ અંગો વિશે સ્વતંત્ર પુસ્તકો-લેખો વગેરેની સંખ્યા ૩૦૦ થી વધુ થાય છે. હાલમાં, નાદુરસ્ત તબિયત છı ઢાંકીસાહેબ શેત્રુંજીના મંદિરો વિશેનાં તેમનાં પુસ્તકને આખરી ઓપ આપી રહ્યા છે.

(૮) જૂનાગઢ-જામનગરમાં રક્ષપાલ હતા તે સમય દરમ્યાન ઢાંકીસાહેબે સૌરાષ્ટ્ર-કચ્છની લોકકલાઓ અંગે ઊંડું કાર્ય કરી ૧૯૬૬માં પુસ્તક આપ્યું : “The Embroidery and Bead Work of Kutch and Saurashtra’ જોકે, આ સમયે તેમણે ભારતીય પુરાતાત્ત્વિક સંદર્ભે મળતા મોતીઓ અને મણકાઓનો જબરો અભ્યાસ કર્યો, પુસ્તક લખ્યું પણ તે કદી પ્રસિદ્ધ ન થયું અને કમનસીબે ગેરવલ્લે ગયું.

આપણી એટલે કે જિજ્ઞાસુ-અધ્યાપની કલ્પના જ્યાં પૂરી થઈ જાય ત્યાંથી ઢાંકીસાહેબ પોતાની સંશોધન સફર શરૂ કરે છે! કલા-સ્થાપત્યના સાચા વિદ્યાર્થીઓ પોતાનાં ભણતરમાં ગેરી તાતોવ્સ્કી અને જોર્જ મિશેલને ભળે છે, વાંચે છે… એ ગૅરી તાતોસ્કી ઢાંકીસાહેબને ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસના પિતા’ કહે છે, તો જોર્જ મિશેલ ટોકીસાહેબને ‘ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા’ : the architect divine સાથે સરખાવે છે.

ઢાંકીસાહેબે હિન્દુસ્તાની અને કર્ણાટકી એમ બેઉ ભારતના Classical (માર્ગી) સંગીતની પણ તાલીમ લીધી છે. તેઓ આ બન્ને શાસ્ત્રીય પદ્ધતિઓ કલા-સ્થાપત્યમાં નરી આંખે નિષ્કળે છે અને કહે છે: ‘the architectural forms are static and the musical images are kinetic’.  કડક અને શિસ્તપ્રિય સંશોધક ઢાંકીસાહેબ સ્નેહાળ, ઉખિલ, રમૂજપ્રિય છે. ઢોંકીસાહેબનું શિશુસહજ હાસ્ય આપણને વહલા દાદાજીના દર્શન કરાવે છે.

 

 

 

પોરબંદરનો જ્ઞાનવૃદ્ધ વડલો : એક સવાયા ગાંધીજન ઓછું ભણીને ઝાઝું ભણાવનાર : દિનકરરાય વૈષ્ણાય

પોરબંદરનો જ્ઞાનવૃદ્ધ વડલો : એક સવાયા ગાંધીજન ઓછું ભણીને ઝાઝું ભણાવનાર : દિનકરરાય વૈષ્ણાય

નિવૃત્ત થતી દીકરીએ કહ્યું : “તમે ઉપરના માળે રહો છો ને ફોનની ઘંટડી વાગે એટલે વીસ પગથિયાં ઊતરી નીચે આવો છો, તે તમને કોર્ડલેસ ફોન લઈ દઉં. તમારે આ ઉંમરે ઊતરચડ નહીં.” દીકરીના વહાલને પ્રેમથી પાછો વાળતાં પિતાજી બોલ્યા : રક્ષા તારી વાત સાચી છે કે મારે દી’માં આઠ-દસ વાર ઊતરચડ થાય છે, પણ એ બહાને મારા શરીરને કસરત થઈ જાય છે. અમથુંય હવે નવ્વાણું વર્ષે બહાર ફરવા જવાનું ઘટી ગયું છે. તો ભલેને ફોનની ઘંટડી વાગે, હું પગથિયાં ચડઉતર કરી લઈશ. જરાક જાળવીને આવજા કરીશ પણ કોર્ડલેસ ફોન લેવા જેટલી મારી ઉંમર નથી.’ આ શબ્દો પોતાના જીવનનાં નવ્વાણુ વર્ષ સ્ફૂર્તિમય વિતાવનાર દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવના છે.

યુવાનોને શરમાવે તેવો આત્મવિશ્વાસ જેની અખૂટ મૂડી છે તે ડી. ડી. વૈષ્ણવ પોરબંદરના છાયા વિસ્તારમાં રહે છે અને આજે પણ ડંકી સીંચી પાણીની ડોલ ભરી પોતે પોતાનાં કપડાં ધુએ છે. પોતાનું કામ જાતે જ કરવાના આગ્રહી છે. નિયમિત યોગ અને કસરત તથા અચૂક ચાલવાનું. તેઓની ચોતરફ પુસ્તકો પડયાં હોય અને દિનુભાઈ જ્યારે જુઓ ત્યારે વાંચતા જ હોય, બહુ પ્રયાસ કર્યો દિનકરભાઈ વૈષ્ણવ વિષે તેઓનાં જ મુખેથી કશુંક સાંભળવાનો, પણ નિષ્ફળ! મારા જીવનમાં નોંધવા જેવું કે લખવા જેવું કશું નથી. મારું શરીર અને મારું જીવન મેં બરાબર જાળવ્યું છે. યુવાનીમાં દેશી રમતો રમીને શરીરને ખડતલ બનાવ્યું. નિયમિત સાદું ભોજન લેવાનો આગ્રહ રાખ્યો. ઘડિયાળના કાંટા સાથે જીવન જીવવાનું. ઊઠવાનો-નાસ્તાનો-જમવાનો અને સૂવાનો સમય સાચવવાથી આજ સુધી કોઈ શારીરિક તકલીફ પડી નથી. ભગવાનની કૃપાથી આધુનિક જમાનાના ડાયાબિટીસ-બીપી-કોલેસ્ટરોલ જેવા રોગ પણ મારી નજીક ફરક્યા નથી.’ દિનકરરાય વૈષ્ણવ પૂરેપૂરી સ્વસ્થતાથી પોતા વિષે આટલી વાતો કરે છે.

૧૯૧૪માં જન્મેલા ડી. ડી. વૈષ્ણવ પોરબંદરની રાજાશાહીથી લઈને આદિન સુધીના ઇતિહાસના સાક્ષી છે. પોરબંદરના ઇતિહાસનું આ માનવીય વટવૃક્ષ છે.

વૃક્ષપ્રેમી અને શિસ્તના પરમ આગ્રહી. ખુમારી એવી કે કોઈપણ માથાભારેને પાકા મનોબળથી પડકારી શકે. યુવાન દિનકર રસ્તા પરથી પસાર થતા હતા. એક છોકરી પણ ત્યાંથી નીકળી અને એ છોકરીને એકલી ભાળી કોઈ જોરુકો સાઇક્લીસ્ટ ત્યાંથી પસાર થઈ પેલીની મશ્કરી કરવા લાગ્યો. છોકરો પેલીની છેડતી કરે ત્યાં તો દિનકરે જઈ એ મે૨ છોકરાનો હાથ પકડી ખખડાવી કાઢ્યો. દિનકરનો આત્મવિશ્વાસ જોઈને પેલો પોબારા ગણી ગયો. પોરબંદરમાં માથાભારે મેરને પડકારવાની હિંમત કોઈ ખુમારીથી છલકતો જણ જ કરી શકતો ત્યારે! પેલી છોકરી ભાવવશ પોતાના માર્ગે ને યુવાન દિનકર જાણે કંઈ બન્યું જ નથી એટલી સહજતાથી આગળ ચાલતો થયો. ખુમારી અને સહજતાનો આવો સુમેળ આજે પણ દિનુદાદામાં જોવા મળે છે.

પોતાના જીવનનાં પચાસથી વધુ વર્ષો શિક્ષણ જગતને અર્પણ કરનાર દિનકરરાય વૈષ્ણવ મોટીમસ પદવીઓ ધરાવતા નથી. પિતાજી ધીરજલાલ વૈષ્ણવ જીવતી જાગતી ડિક્સનેરી જેવા હતા. એ પણ શિક્ષક હતા, પણ પૅરાલિસિસ થતાં નોકરી છોડી એટલે કુટુંબની જરૂરિયાતને ધ્યાનમાં લઈને દિનકરભાઈ શિક્ષક થયા. ભાઈને ભણવાની અને આગળ વધવાની અનુકૂળતા કરી આપી પોતે પોરબંદરને જ ‘જિના યહાઁ‚ મરના યહાઁ’ની જેમ સ્વીકારી લીધું. ભાઈ પ્રભાકર પ્રાધ્યાપક થયા. મુંબઈ જઈ તેઓ એલ્ફીન્સ્ટન કૉલેજમાં ભણ્યા, શાંતાક્રુઝના સારદ વૃંદમાં બેઠક જમાવી, પોદાર સ્કૂલમાં નોકરી કરી, નરસિંહરાવ દિવેટિયાના લહિયા બન્યા ને વર્ષો સુધી રાજકોટની માતુશ્રી વિરબાઈમા મહિલા કૉલેજમાં પ્રાધ્યાપક રહી નિવૃત્ત થયા. પ્રભાકરભાઈનાં દીકરી રેણુ સાથે વાત કરો તો પણ મોટાઈ એટલે કે દિનકરભાઈની કહાની જ વધુ આવે. કુટુંબભાવના તો ગજબની! દ્વારકાદાસ વિઠલાણી સ્કૂલમાં દિનકરભાઈ મેટ્રિક સુધી ભણ્યા અને પછી એ જ શાળામાં ચોંત્રીસ વર્ષ શિક્ષક તરીકે ભણાવ્યું! નિવૃત્તિ પછી દિનકરભાઈ વૈષ્ણવે વીસ વર્ષ આર્યકન્યા ગુરુકુળમાં શિક્ષણ આપ્યું. અંગ્રેજી એટલું સારું કે પોરબંદરના નામી રાજવી ઘરાનાના અને રાજકીય ક્ષેત્રના મહારથીઓને અંગ્રેજી અને ગુજરાતી શીખવ્યું.

પોરબંદરના રાજવી રાણા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણીને આવ્યા પછી રાજ્યની ગાદી પર બેઠા. તેઓ રમતના ખેલાડી, ક્રિકેટની ટીમ લઈને ઇંગ્લૅન્ડ રમવા ગયેલા અને ત્યાંથી પાછા આવી પોરબંદરના વિકાસ માટે કાર્યશીલ બનેલા. આ રાજવી પરિવારને દિનકરરાય વૈષ્ણવ સાથે ઘરનો નાતો. રાજાનાં બીજાં પત્ની વેલ્સ દેશનાં હતાં. તેઓને ગુજરાતી શીખવવા જતા ડી. ડી. વૈષ્ણવ. દિનુદાદા સ્વતંત્રતાકાળના પણ સાક્ષી. પોતે ચૌદ વર્ષના હતા ત્યારે ગાંધીજીને જે ગાંધીજી પોરબંદર આવ્યા ત્યારે તેમનું સ્વાગતગીત દિનકરના કંઠે આંખોમાં છલકતાં તેજથી દિનુદાદા કહે છે કે : “ત્યારે બાપુને બહુ નજીકથી નિહાળેલા, પણ ગાંધીજીની ચામડી શાઇનિંગવાળી હતી ત્યારે… આઝાદીની ચળવળમાં પોરબંદરના

સિંહફાળાનો હું સાક્ષી છું.’ આજે ભાવસિંહજી સ્કૂલના મેદાનમાં ભૂતનાથનું મંદિર છે. તેને નવા નિયમ અનુસાર તોડી નાખવાની ગતિવિધિ ભૂતકાળમાં થયેલી. ૧૯૪૭ પહેલાં પણ આ મંદિર હતું તેનો પુરાવો અધિકારીઓને શોધ્યો ન જડ્યો. દિનકરરાય વૈષ્ણવ ૧૯૨૨ની સાલનો મંદિરનો ફોટો લઈ પહોંચ્યા અને કોર્ટે આ મંદિરને જીવતદાન બક્યું! આ વડીલ આવા કેટલાય પ્રસંગોના ઇતિહાસના સાક્ષી રહ્યા છે જેને આધારે આજનું પોરબંદર ઘડાયું છે. દિનુભાઈ કહે છે ઃ પોરબંદરમાં અન્ય શહેરો જેવી આધુનિક વ્યવસ્થાઓ ઓછી છે પરંતુ પોરબંદર પાસે જે કલા અને સ્થાપત્યનો વારસો છે અને ભવ્ય ઇતિહાસ છે તે અન્ય કોઈ શહેર પાસે નહીં હોય. રજવાડી વારસો, ઐતિહાસિક શિલ્પ-સ્થાપત્યો, ધર્મસ્થળો વગેરે નમૂનેદાર છે. અહીંનું હવામાન સાફ છે. ઐતિહાસિક પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ પોરબંદર મોખરે આવે. મારે જો પોરબંદરને ઉપમા આપવી હોય તો હું તેને ‘સુરમ્ય નગરી’ની ઉપમા આપું.’ પોતાનું પોરબંદર રૂડું અને રળિયામણું છે તેવું કહેતાં દિનકરભાઈની નજર સામેથી જાણે વર્ષોનાં વર્ષ પસાર થઈ જાય છે. પોતે છ ભાઈઓનો પરિવાર, પોરબંદરમાં વારંવાર મળે ત્યારે જાણે મેળાવડો જામે. સંગીત-સાહિત્ય-ઇતિહાસ-સંસ્કારની વાતો ખૂટે જ નહીં. જીવનના પ્રશ્નો તો તેમાં ફરકે ય નહીં. શું વાંચ્યું, શું સાંભળ્યું, શું જીવ્યા તેની હસીખુશીભરી વાતો. પછીની પેઢી પર અજાણતાં જ આ સંસ્કારોએ રાજ કર્યું. લાગણી અને સંભાળ જેવી જાત પ્રત્યેની, તેવી જ સમગ્ર કુટુંબ પ્રત્યેની. નાગરી પ્રણાલી મુજબ દિનુભાઈ હિંડોળે હિંચકતા હોય ને બન્ને પડખે બે બાળકો નિદ્રા રાણીને આવકારતાં હોય. હિંડોળાને ઠેલા વાગતા જાય ને રામસહસ્રનામ કે શક્રાદય ધીમે સ્વરે દિનુભાઈ ગાતા જાય! બન્ને બાળકો સૂઈ ગયાં છે એવી ખાતરી થાય એટલે બાળકોને યથાસ્થાને સૂવડાવી દિનુભાઈ ઊપડે સંગીતના કાર્યક્રમોમાં! રાત્રે આવે ત્યારે પોતાના ઉપરના ખંડમાં, જ્યાં રેડિયો હોય, ચોપડીઓ હોય, સંગીતનાં સાધનો હોય! ૧૯૯૪માં એક ઘટના બની. સૌ સૂર્યકાકીની તબિયત નરમગરમ હતી. પત્ની સ્વસ્થ છે એમ જાણી દિનુભાઈ રાત્રે સંગીતના કાર્યક્રમમાં ગયા. પત્નીએ એમને રોકવાનું જરૂરી ન ગણ્યું. વહેલી સવારે ધીમા અવાજે મોટા દીકરાને માએ કહ્યું : “તમારા બાપને ઉઠાડોને!’ તરત જ દિનકરભાઈ બાજુમાં ગોઠવાયા. એક દીકરીની ચિંતા માને ખરી. સૂર્યબાળાબેન બોલ્યાં : મને લાગે છે કે મને તેડું આવ્યું છે, પણ…. દિનકરભાઈ પૂર્ણ સ્વસ્થતાથી બોલ્યા : ‘તમે એમની ચિંતા ન કરો, અમે સૌ છીએ ને! જો તમને તેડું આવ્યું હોય તો ત એંસી વર્ષના દિનકરભાઈના શબ્દો અટક્યા ત્યાં જ તેમના ખોળા 275/408 મુકી દીધો. તે સમયની દિનુદાદાની સ્વસ્થતા અને ત્યાર પછીની આ પારા પર્યા દરમ્યાનની સહજતામાં ભગવદ્ગીતાનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જોવા મળે!

દિનુદાદાના મોટા દીકરા આજે બોંત્તેર વર્ષે દરિયે નહાવા જાય છે કારણ કે દિનુદાદા પોતે આજે પણ નિયમિત રામકૃષ્ણ લાઇબ્રેરીમાં અચૂક જાય છે.

અખબારો, પુસ્તકો અને મૅગેઝિન ઝીણવટથી વાંચતા આ વયોવૃદ્ધને જોઈને કેટલાય યુવાનો પ્રેરણા મેળવે છે. અહીંના ગ્રંથપાલનું કહેવું છે કે : ‘લાઇબ્રેરીની શરૂઆત અહીં થઈ ત્યારથી વૈષ્ણવસાહેબ અહીં આવે છે. દરેક પ્રકારનાં પુસ્તકો દાદા વાંચે છે. નવલકથા હોય કે નવલિકા. વાર્તાસંગ્રહ હોય કે ધર્મપુસ્તકો.’ દિનકરભાઈ ધીમું મરકતાં કહે છે : ‘અંગ્રેજીનાં સાતસોથી વધુ, ગુજરાતીમાં તો એક હજારથી વધુ પુસ્તકો વાંચ્યાં હશે. સંસ્કૃત ધર્મ પુસ્તકો મેં જીવનની ઢળતી સંધ્યાએ વાંચવા શરૂ કર્યાં. મને સમજાયું છે કે હકારાત્મક વાંચન પ્રભાવશાળી વ્યક્તિત્વની ઉપમા તો અપાવે જ છે પરંતુ સાથોસાથ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના પર્સનાલિટી ડેવલપમૅન્ટ જેવા કોર્સની જરૂર પડતી નથી.’ જીવનનાં ચાલીશ વર્ષો દિનકરભાઈ હોલ્ડ્રીકલ્ચરમાં પણ પ્રવૃત્ત રહ્યા છે. વૃક્ષપ્રેમ અપાર છે. વૃક્ષો કપાય તો એમનું દિલ દુઃખે છે. સંપૂર્ણપણે ખાદીધારી દિનુદાદાની સ૨ળ-સહજ જીવનરીતિ અને શિક્ષણમાં એકધારું પાયાનું પ્રદાન એક વર્ષો જૂનાં વડલા સમાન છે. દાદા પાસે ત્રણ ત્રણ પેઢી ભણી છે.

પ્રખર અભ્યાસુ સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ નરોત્તમ પલાણ તો દિનકરભાઈને ગુરુ માને છે અને કહે છે કે : “આજની તારીખે વિભિન્ન વિષયો અંગેનું એમનું જ્ઞાન સલામને પાત્ર છે. આજે કોઈપણ ધર્મનું અઘરામાં અઘરું પુસ્તક તમને દિનુકાકા પાસેથી મળે જ. એક સાચુકલા વૈષ્ણવજનનું જીવતું જાગતું ઉદાહરણ છે દિનકરભાઈ.’

સ્વયંને પારખવા માટે કે અન્યને ભણાવવા માટે મોટી મોટી ડિગ્રીઓ હોવી જ જોઈએ એવું જરૂરી નથી તેની સાબિતી છે દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવ, ઉંમર વર્ષ ૯૯, છાયા વિસ્તાર, પોરબંદર! એક સાદા-સરળ સવાયા ગાંધીને મળવા જેવું છે.

કાયમ પડદા પાછળ રહી અન્યને આગળ કરનાર સ્થપતિ, CEPT ની સંકલ્પનાના સર્જક અને સંવાહક – વકીલ

કાયમ પડદા પાછળ રહી અન્યને આગળ કરનાર સ્થપતિ, CEPT ની સંકલ્પનાના સર્જક અને સંવાહક – વકીલ

 

શિક્ષણની અનેકાનેક પ્રવૃત્તિઓને પડદા પાછળથી સઘળો ટેકો કરનાર સહૃદયી સ્વજન

‘૧૯૬૦માં હું જ્યારે અમેરિકાથી અહીં આવ્યો ત્યારે ધર્મ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા વિશે ઝાઝી ખબર ન હતી, પરંતુ Co એકવાર રામકૃષ્ણ પરમહંસનાં પુસ્તકો વાંચ્યા પછી ધર્મ અને આધ્યત્મિકતા પ્રત્યેની મારી રુચિ વધતી ગઈ. સમય જતાં મારી પ્રમા વિચારધારા સંપૂર્ણ બદલાઈ ગઈ. મારી જાતને સુધારવા માટે ધ્યાન અને યોગ શરૂ કર્યાં, પરિણામે મારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પછી રમણ મહર્ષિનાં પુસ્તકો વાંચ્યા ને તેમનાં વિચારોથી મારો જીવનપ્રવાહ જ બદલાયો. મારા જીવન ઘડતરમાં તેમના વિચારોથી આમૂલ પરિવર્તન આવ્યું. ભગવાનને હું મારા મિત્ર માનું ૐ નમઃ છું. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અપાર છે, પણ હું પૂજાપાઠ કરતો નથી. કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી. વહેલી સવારે દોઢ કલાક યોગ, ધ્યાનમાં વિતાવું છું. ભગવાન મારા મિત્ર છે તેથી રોજ મંદિરમાં જવાનો નિયમ મેં બનાવ્યો નથી…’ બહુ ઓછું બોલતા અને સતત પડદા પાછળ રહી પ્રવૃત્તિમય રહેતા એક ચોરાણુ વર્ષના જુવાનના આ શબ્દો છે. એમનું નામ ડૉ. રાસબિહારી એન. વકીલ છે. મૂળ વતની એન. સી. વકીલ અને હીરાગૌરી વકીલના ત્રીજા સુરતના સંતાન. પિતાજી બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના રાજ્યના જજ હતા. બદલી થતી રહે તેથી રાસબિહારીજી ધારવાડ, અમદાવાદ, કર્ણાટક, રોહા વગેરે સ્થળે ભણ્યા. પિતા ન્યાયાધીશ એટલે બહુ કોઈને મળે-હળે નહીં. માતા અને ભાંડરુઓના પ્રેમમાં ઉછેર. ડૉ. રાસબિહારી એન. વકીલને સૌ ભાવથી ‘રાસુ’ કહીને બોલાવે. રાસુ વકીલનું જીવન અને જીવકાર્ય વિરલ, પણ પોતે એટલા સીધા- સાદા-સહજ કે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ S રાસુ વકીલ કેવડી હસ્તી છે?! બિરલા વિશ્વકર્મા વિદ્યાલયના બીજા જ બૅચમાં સિવિલ ઇજનેરીનું ભણવા દાખલ થયા. કૉલેજની શરૂઆત, સગવડતા ઓછી. રાસુભાઈમાં નેતૃત્વના ગુણો એટલે કૉલેજના જનરલ સૅક્રેટરી બન્યા. કૉલેજ પૂરી કરી ત્યાં પિતાજીએ કહ્યું : ‘મારી પાસે મર્યાદિત બચત છે. કાં તો આ બચતમાંથી નાનો વ્યવસાય શરૂ કર અને કાં એ બચત આગળનું ભણવામાં વાપર. રાસુ તો બૉટમાં બેસી યુ.એસ. ઊપડ્યા. ઘરનાં સૌને ત્રણ મહિને ખબર મળ્યા કે રાસુ સલામત રીતે અમેરિકા પહોંચી ગયો છે! યુનિવર્સિટી ઑફ વિસ્કૉનસીન, યુ.એસ.એ.માંથી માસ્ટર ઑફ સાયન્સ અને પીએચ.ડી. કર્યું. કન્સલ્ટિંગ ઍન્જિનિયરિંગની ન્યૂયોર્ક સ્થિત ફર્મ અમ્મન ઍન્ડ વિટની તથા બર્ન, સ્વિટર્ઝલેન્ડની મૅસર્સ લૉસિન્જર ઍન્ડ કંપનીમાં કામ કર્યું. અમેરિકાનો નિવાસ બાર વર્ષ લંબાયો. ત્યાંથી પરત ભારત આવ્યા ને રાસુભાઈનાં જીવને આધ્યાત્મિક વળાંક લીધો. સ્ટ્રક્ચરલ ઍન્જિનિયરિંગ, ટીચિંગ અને પ્રેક્ટિસ એવા ત્રિવિધ મોરચે કાર્યરત થયા. અમદાવાદમાં સ્થાયી થયા અને કસ્તૂરભાઈ લાલભાઈથી પ્રભાવિત થયા, જેના ફળસ્વરૂપે CEPTની સ્થાપના થઈ. અમદાવાદ સ્થિત ગુજરાતની રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ‘સૅન્ટર ફૉર ઍન્વાયરમેન્ટ પ્લાનિંગ ઍન્ડ ટૅક્નોલોજી’ના ડીન- ડાયરૅક્ટર તરીકે ૨૦૧૨ સુધી રાસુભાઈ વકીલ અવિરત રહ્યા. કહોને રાસુભાઈએ CEPTને પોતાની જિંદગી સમર્પિત કરી. આજે CEPT એ યુનિવર્સિટી છે, જે ફૂલ ટાઈમ અન્ડર ગ્રેજ્યુએટ આર્કિટેક્ચર, અને પૉસ્ટ ગ્રેજ્યુએટ ઍકેડેમિક પ્રૉગ્રામ કન્સ્ટ્રક્શન, પ્લાનિંગ, ઇન્ટીરીઅર ડિઝાઇન, લૅન્ડસ્કેપ ડિઝાઇન જેવી શાખાઓમાં ઑફર કરે છે. ૧૯૬૨ થી ૨૦૧૨ સુધી ડૉ. રાસબિહારી એન. વકીલ માત્ર ને માત્ર CEPTમય બનીને જીવંત રહ્યા.

રાસુભાઈ હૉલીસ્ટીક ઍપ્રોચના ભિષ્મપિતામહ પુરવાર થયા. ‘પ્લમ્બિંગ સર્વિસ ડિઝાઇન’ની પરિકલ્પના રાસુભાઈની દેન છે. આઇ.ટી.આઈ.માં પ્લમ્બિંગ સર્વિસને એક વિષય તરીકે દાખલ કરી પ્લમ્બર્સને લાઇસન્સ આપવાની રાસુભાઈની હિમાયત ચોતરફ આવકારપાત્ર બની. માત્ર બાંધકામ જરૂરી નથી, તેનું પ્લમ્બિંગ, તેની વૉટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં પણ યુવાનોને તાલીમબદ્ધ કરવા જોઇએ તેવું ઝીણું કાંતનારા રાસુ વકીલ છે. તોંતેર વર્ષની ઉંમરે રાસુભાઈએ આઇ.આઇ.એમ., અમદાવાદના નવા કૅમ્પસની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરેલી! ઘણી વિખ્યાત ઊંચી ઇમારતોની ડિઝાઇન ઉપરાંત અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ઉપરાંત કલકત્તા અને રાજકોટના સ્ટેડિયમની ડિઝાઇન પણ રાસુભાઈએ તૈયાર કરી. તેઓએ એશિયા અને આફ્રિકામાં પણ ડિઝાઇનિંગનું આગવું કામ કર્યું છે! રાસુભાઈ ‘સિમ્પલ લિવિંગ ઍન્ડ હાઇ થિન્કિંગ’ના માનવ છે. ત્રીસ વર્ષો સુધી એક જ બ્રિફકૅસ વાપરનાર આ રાસુભાઈએ પ્રતિજ્ઞા લીધી છે કે કોઇનાં લગ્નપ્રસંગમાં જમીશ નહીં, કારણ? લગ્ન જેવા પ્રસંગે થતો બગાડ એમને ગમતો નથી! પોતાને વારસાગત મળતી મિલકત રાસુભાઈએ ન સ્વીકારી તેને એક ટ્રસ્ટમાં જમા કરાવી. જેમાંથી જનસેવાનાં કાર્યો મૂંગા મોઢે કર્યાં. શંખેશ્વર-સમી વિસ્તારમાં ધરતીકંપથી અસર પામેલા લોકો માટે કાર્ય કર્યું. ૨૦૦૧થી શિક્ષણ માટે અમૂલ્ય પ્રદાન કર્યું. આ અસરગ્રસ્ત વિસ્તારોની માધ્યમિક શાળાઓના ધોરણ-૧૦ના પરિણામ સુધારવા, વિજ્ઞાન શિક્ષણ માટે પ્રયોગશાળાઓ વિકસાવવી, પુસ્તકાલયો સમૃદ્ધ કરવાં, યુવક પ્રવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિકાસની શિબિરો કરવી… ૨૦૦૩ થી ૨૦૦૬ દરમ્યાન ‘પિપલ્સ કમિશન ઑન સ્કૂલ ઍજ્યુકેશન’ અંતર્ગત ડૉ. રવીન્દ્રભાઈ દવે, ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિક, ડૉ. પી.જી. પટેલને આગળ કરી રાસુભાઈએ નક્કર પ્રદાન કર્યું. ૨૦૧૨થી માતૃભાષા સંવર્ધન માટે ‘માતૃભાષા અભિયાન’ ટ્રસ્ટની રચના કરી. આટલું બધું કાર્ય કરવા છતાં રાસુભાઈ કદિ મંચ પર ન આવે, કદિ ભાષણ ન કરે, માત્ર સાથીદારોને જ આગળ કરે. કોઇને ભાગ્યે જ ખબર પડે કે આવડા મોટા પ્રકલ્પને પૂરેપૂરો પોતાના ખભ્ભ તો રાસુભાઈએ ઉપાડ્યો છે! અમદાવાદના ગરીબ વિસ્તારના બાળકોનાં શિક્ષણ માટે ખનગી રાહે સહયોગ અવિરત ચાલે.

રાસુભાઈની સહજતા કેટલી? ‘સેપ્ટ’માં સાથીદારોને પૂર્ણ સ્વાયત્તતા. ‘સેપ્ટ’નાં કૅમ્પસમાં રાત્રે અઢી-ત્રણ વાગે યુવાન- યુવતીઓ ડિઝાઇનની ગહન ચર્ચા કરતા જોવા મળે. પોતાની ઑફિસ ચોવીસ કલાક ખુલ્લી. ટૅબલ ઉપર એક પણ ફાઇલ નહીં. બાળકથી લઇને વૃદ્ધ સુધી સૌ સાથે પ્રસન્નતાથી હળતા-મળતા રાસુભાઈની ખેતી, હૉમિયોપેથી, આયુર્વેદની જાણકારી દાદ માંગી લે તેવી. ગાંધીનગર પાસેના રાંધેજામાં મિત્રો સાથે રહી બનાવેલું ‘સુંદરવન’ રાસુભાઈની ભેટ છે! વૈકલ્પિક તબીબી સારવાર આપી પણ જાણે! અમેરિકામાં વસેલા એટલે તેની સારપ જીવનવ્યવહારમાં ઊતરી. પોતાનાં કપડાં, પોતાનાં વાસણ આજે પણ પોતે જ સાફ કરે. આગળનું જ જોવા ટેવાયેલા રાસુભાઈ માનવની ઊજળી બાજુ જ નોંધે અને એટલે સહજ રીતે જીવંત રહી શકે છે. ચોરાણુ વર્ષના રાસુભાઈ વકીલ તમને આજે ચુમ્માલીસના દીસે, કારણ ભગવાનના માનવ સ્વરૂપમાં રાસુભાઈની અપાર શ્રદ્ધા છે.

 

થિયેટર ઈન એજ્યુકેશનના અધ્યાપક અભિનેતા ડો. વિજય સેવક

થિયેટર ઈન એજ્યુકેશનના અધ્યાપક અભિનેતા ડો. વિજય સેવક

 

શિક્ષક થવું હોય તો બી.એડ્. થવું પડે. એન. એચ. પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, આણંદમાં પ્રવેશ માટે ફૉર્મ ભર્યું. ઍડમિશન માટે પ્રિન્સિપાલ પટિયાલસાહેબે ઇન્ટરવ્યૂ લીધો, પિસ્તાલીશ મિનિટ લાંબો. મિત્રની અદાથી પ્રશ્નો પૂછ્યા. શોખ ગાવાનો છે એવું જાણ્યું તો વિજયને કહ્યું : કશુંક ગાઓ ને! હરિવંશરાય બચ્ચનની રચના ‘દિન જલ્દી જલ્દી ઢલતા હૈ’ સૂરબદ્ધ રીતે રજૂ કરી. પૂછ્યું : સ્વ૨૨ચના કોની છે? વિજ્યે નીચું જોઈ હસતાં હસતાં જવાબ આપ્યો : “ખુદકા કૉમ્પોઝિશન હૈ!’ હિન્દીમાં જવાબ સાંભળીને તેની વાતો શરૂ થઈ. છઠ્ઠા-સાતમા ધોરણમાં વિજયે હિન્દી દૂસરી-તિસરી પરીક્ષા પાસ કરેલી. પ્રેમચંદજીની ગોદાન’ અને ‘ગબન’ તો નાનપણમાં વાંચેલ. સિયારામશરણ ગુપ્તની નવલકથા ‘નારી’, ફણીશ્વરનાથ રેણુની ‘વહ ફિર નહીં આઈ’ અને મોહન રાકેશની ‘આષાઢકા એક દિન’ વાંચીને વિજય નામધારી યુવાન કેટલીયવાર રહ્યો છે. પ્રવેશ આપતા પહેલાં જ પટિયાલસાહેબને સમજાયું કે આ ભાવિ શિક્ષકે બે કામ કર્યાં છે : વાંચવાનું અને ટેબલ ટેનિસ રમવાનું… બી.એ.માં અંગ્રેજીના મૅથડ માસ્ટર મળ્યા પ્રા. હરેન્દ્રભાઈ પટેલ. એમણે વિજયને ઉઘાડ્યો, જબરું તાદાત્મ્ય સર્જ્યું. વિજયે અંગ્રેજી કંઈ બહુ શોખથી નહીં રાખેલું… અને આમ પણ સાયન્સમાં ભણવા બેઠેલા વિજયભાઈ હારીને આર્ટ્સમાં આવેલા. હિન્દી ફેવરીટ સબ્જેક્ટ પણ મોટાભાઈ ૨મેશભાઈ સેવકે અંગ્રેજી રખાવ્યું.

નવનિર્માણ આંદોલનને કારણે વગર પરીક્ષાએ આગળ વધેલા વિજયે એસ.વાય. અને ટી.વાય. આણંદ આર્ટ્સ કૉલેજમાં કર્યું. અહીં મળ્યા સ્કૉલર અને સાહિત્યકાર એસ. વી. નાડકર્ણીસાહેબ. તેમણે વિજયને બોલતો કર્યો. જબરું ટ્યુનિંગ. વિક્ટોરિયન ઍઇજ પરનું સાહિત્ય અસાઇન્મેન્ટમાં સોંપ્યું. તેમાં ખૂબ મહેનત કરીને વિજય સેવકે જ્યારે તેની પ્રસ્તુતિ કરી ત્યારે નાડકર્ણીસાહેબને એ થયું ‘ક્લિક લાઇક ઍનિથિંગ… અહીંથી વિજય ઊંચકાયો. ગિરીશ કર્નાડના શિક્ષક અને હયવદન’ની પ્રસ્તાવના લખનાર પ્રો. કુટંકોટીસાહેબ બે દિવસ અહીં આવ્યા અને એમનામાં વિજ્યને રંગદેવતાનાં દર્શન થયાં… આટલો ઍક્ટિવ વિજય પરીક્ષાના પરિણામમાં પાછળ. ગોખવાનું ગમે જ નહીં. મમ્મીએ નાનપણમાં જાતે મૌલિક જવાબ લખવાનું શીખવેલું. સ્નાતકનાં છેલ્લાં વર્ષમાં માર્ક્સ લાવવા માટે વિજયે જરૂરી બાર પ્રશ્નો ગોખ્યા. પછી પરીક્ષામાં ઑક્યા અને ત્યારે પચાસ ટકા પહોંચાયું. પણ ભણવાથી કંટાળેલ એટલે એમ.એ. ન કર્યું. વાંચવાનો શોખ એટલે વડોદરામાં લાઇબ્રેરી સાયન્સ શરૂ કર્યું. ડાકોરથી અપડાઉન અને શારીરિક તકલીફને લીધે તે કોર્સ પૂરો ના કર્યો. ઘરનાં નારાજ અને વિજ્ય હતાશ. ઘરમાંથી જૂનાં જૂનાં પુસ્તકો કાઢી વાંચ્યાં. એમાં ભાઈએ એસ.ટી.સી. કરેલું તેનાં પુસ્તકો હાથ લાગ્યાં ને તે વાંચતા જ વિજયમાં સૂતેલો શિક્ષક જાગ્યો અને તેમાં મળ્યા પ્રિ. પટિયાલસાહેબ અને પ્રા. હરેન્દ્ર પટેલ. એકદમ અંતર્મુખી, એકલો અને કશું જ ન બોલતો વિજય બહાર નીકળ્યો હરેન્દ્રભાઈને કારણે. પોતાનાં પુસ્તકો અને પોતાનું મટીરિયલ આપીને કહે : આનાં પરથી તારું ખુદનું મટીરિયલ બનાવ…’ અને ગાડી પાટા પર ચડી ગઈ. ઍક્શન રિસર્ચ, લર્નિંગ ટુ બી અને બ્લૂમ્સ ટેક્સૉનોમીનું ટુ પહેલું વૉલ્યુમ તો વિજય સેવકે બી.એડ્. કરતાં કરતાં વાંચી નાખ્યાં. વર્ષના પહેલા જ દિવસે બી.એ.ના ભરચક્ક ક્લાસમાં પોતાની ઓળખ અંગ્રેજીમાં અને ઘેઘુર અવાજમાં આપી સૌનું ધ્યાન ખેંચનાર વિજય સેવક બી.એડ્.માં ગોલ્ડ મૅડાલિસ્ટ થયા! આ સમાચાર ફોઈને ઘરે ગયેલા વિજયને મોટાભાઈએ આપ્યા ત્યારે વિજયને થયેલું કે અત્યારે જ હરેન્દ્રભાઈ પાસે જઉં ને તેમને છાતીએ વળગાડીને રડી પડું. જો કે, આજે પ્રા. હરેન્દ્ર પટેલ નથી તેની વાત કરતાં વિજ્ય સેવક લિટરરી રડી પડે છે! What a great contribution of a teacher in one’s Life!

સુવર્ણચન્દ્રક વિજેતા બી.એ., બી.એડ્. વિજય સેવકને નોકરી ન મળી. ત્રણ જગ્યાએ કોઈક છેલ્લી ઘડીએ વચ્ચે ઘૂસી જાય. પટિયાલસાહેબે કહ્યું : ‘સુરત જા, એમ.એડ્. કર. ગુણવંત શાહ પાસે ભણ.’ ચિઠ્ઠી લખી આપી. મોડું થયું હતું. પોતાના રૂમમાં બેસાડી ગુણવંત શાહે રજિસ્ટ્રારને ફોન કરી પ્રવેશ અપાવ્યો. ટિમલિયાવાડથી પોતાની ફિયાટ કારમાં ગુણવંત શાહ આવે અને રસ્તામાં વિજયને ઊભો ભાળે કે તરત ગાડી થોભાવી બેસાડે. વિજય સેવકની નજર આગળ પડેલ આર. કે. નારાયણની નૉવેલ પર પડી. તેણે એ નૉવેલ વાંચેલી એટલે એની વાત માંડી. બહુ આત્મીયતા થઈ ગુરુ શિષ્ય વચ્ચે. વિજયને ટી-શર્ટ પહેરવાની અને તેનું ઉપરનું બટન ખુલ્લું રાખવાની ટેવ. ગુણવંત શાહે પોતાની ચૅમ્બરમાં બોલાવી કહ્યું : બટન બંધ કર…’ પછી પ્રત્યાયનની ઊંચાઈ ત્યારે પકડાય જ્યારે એક કલાક પછી ગુણવંત શાહ ફરી વિજય સેવકને પોતાની પાસે બોલાવે છે, સમજાવે છે કે તને નહીં ગમે, દોસ્ત, પણ આ બધી મેનર્સ છે, એટિકેટ છે! વિજય સેવક કહે છે કે, ‘અમારા વચ્ચે બંધાયેલો રૅપો જાણે ગુણવંતભાઈ ખોરવવા માંગતા ન હતા. એક ટીચર ઍજ્યુકેટરની આ ઊંચાઈ મારા દિલમાં આજે ય સંગ્રહાયેલી છે.’ જો કે, વિજય સેવકની પહેલી નોકરી પણ ગુણવંતભાઈના બાપ્રેમીબહેનની શાળા લોકમાન્ય વિદ્યાલય, રાંદેરમાં. એ ગૉલ્ડન પિરિયડ. વિજયસરનો દબદબો કારણ ગુણવંતભાઈએ મોકલેલો છોકરો! અહીંથી પ્રયોગશીલ શિક્ષકનો જન્મ થયો. એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભ વિદ્યાનગરના ડૉ. સુભાષ જૈન ટીચ ઇંગ્લિશ, લર્ન ઇંગ્લિશ’ સિરિઝ ચલાવતા. તેમાં વિજ્યની પસંદગી થઈ. વર્ષમાં ચારેક લેસનનું રેકોર્ડિંગ કરાવવા અમદાવાદ સ્ટુડિયોમાં વિદ્યાર્થીઓ સાથે જવાનું થયું. અહીં ડૉ. સુલભા દેશપાંડે અને ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજાનો પરિચય થયો અને બન્ને પાસેથી આજે પણ ‘પામવાનું’ સદ્ભાગ્ય વિજય માણે છે. શિક્ષણ ધૂરંધર ડૉ. દાઉદભાઈ ઘાંચીનું નામ બહુ સાંભળેલું. વિજય સેવકના પ્રિય પ્રા. હરેન્દ્રભાઈ પટેલના એ ગુરુ, બી.એડ્. કરતી વખતે દાઉદભાઈ ઘાંચીનું પુસ્તક વિજયને હરેન્દ્રભાઈએ ભેટ આપેલું, ઘાંચીસાહેબ સુરત આવ્યા ને વિજયે તેની સાથે ગોષ્ઠિ કરી અને તેનો લેખ પોતાની ‘ગુજરાત મિત્ર’ની કટારમાં લખ્યો ત્યારથી બન્ને વચ્ચે ગાઢ નાતો… આમ, ઠેરઠેરથી સારપ અને ઉત્કૃષ્ટતા ગજવે બાંધવાની ટેવ વિજય સેવકને.

લોકમાન્ય વિદ્યાલયની પહેલી નોકરીમાં જ વિજયે નાટકના નાના-મોટા પ્રયોગો કર્યા. એરિયા થિયેટર અને બેર સ્ટેજના પ્રયોગમાં સિંહાસન ખાલી છે’ નાટકનું દિગ્દર્શન કર્યું. શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો. સિમલા નૅશનલ ડ્રામા કૉમ્પીટીશનમાં જ્યોતિ વૈદ્યનું ‘બંધ દરવાજા’ અનુવાદ કરીને રજૂ કર્યું અને નૅશનલ ઍવૉર્ડ જીત્યો. ચિનુ મોદી, નિમેષ દેસાઈ, ઇન્દુ પુવારની શિબિરોમાં અભિનયને લઢવાની તક મળી. આ વાતાવરણથી પ્રેરાયને ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં સહાયક નિયામકની ક્લાસ ટુ ગૅઝેટેડ પોસ્ટ પર જવાનું થયું. GPSC પસાર કરી. ઇન્ટરવ્યૂમાં માર્કન્ડ ભટ્ટ અને વનલતા મહેતાએ વિજયને પસંદ કરી વડોદરા વર્તુળનો હવાલો સોંપ્યો. સાડા ત્રણ વર્ષ ધ્રુવકુમાર શાસ્ત્રીની નિશ્રામાં વિયે કામ કર્યું. ધ્રુવભાઈ શાસ્ત્રીનાં સૂચનથી થીમ એક, એકાંકી અનેક’ની યોજના વિજ્યે અમલમાં મૂકી. જે આજે પણ એકાંકી રાજ્ય સ્પર્ધા તરીકે અમલમાં છે. પણ વહીવટ ઝાઝો ને સર્જનાત્મકતા ઓછી હતી એટલે વિજયનો જીવ રૂંધાયો. સાડા ત્રણ વર્ષમાં બે જ પુસ્તકો વાંચી શકનાર વિજયે રાજીનામું આપ્યું. બહુ સમજાવ્યો સૌએ કે ક્લાસ વનનું પ્રમોશન હમણાં જ મળી જશે. પણ ના, વિજય સેવકની અંદર ઊછળતો નાટકિયો શિક્ષક ન માન્યો ને એ આર. ડી. કોન્ટ્રાક્ટર હાઈસ્કૂલ, સુરતમાં શિક્ષક થયા. અહીં રહીને ખૂબ લેખન કર્યું, ડૉક્ટરેટ કર્યું અને શિક્ષણ પ્રયોગો કર્યાં. ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં ટ્રાન્સલેટર તરીકે કામ કર્યું. બે વર્ષ ‘ન્યૂફાઇન્ડર” નામની કટાર લખી, ‘એક હાદસા’ કૉલમ લખી બાર વર્ષ. પંજાબ કેસરી – પ્રતિનિધિપત્ર – દિવ્યભાસ્કરમાં પણ લખતા રહીને પોતાની આગવી ઓળખ ડૉ. વિજય સેવકે ઊભી કરી. ભગવતીકુમાર શર્માએ દર સોમવા૨ના અને પોતે વિદેશ હોય ત્યારના અગ્રલેખો / તંત્રીલેખો વિજય સેવક પાસે લખાવી કલમની ધાર કાઢી આપી.

રાજા રણછોડરાયના ધામ ડાકોરમાં લક્ષ્મીજીના મંદિર પાસે બોડાણાના ઘરની શેરીનું છેલ્લું મકાન પૂજાલાલ ચુનીલાલ સેવક(પાર્શદ)નું. ત્યાં ૧૯૫૭માં જન્મેલ વિજય કેશવલાલ સેવક ભક્તિભાવનાચગાન-સંગીત નૃત્ય-ભજન કીર્તન વચ્ચે ઉછરેલા દાદા પગથી હારમોનિયમ વગાડતા. પિતા સુંદર અભિનેતા. બુલંદ અવાજ. પિતા અને કાનાં નાટકોનાં હર્સલમાં જઈ વિજ્ય બેસે. ક્યારેક નાનો રોલ પણ કર્યું. ઘઉં સાનો આઠસો ઑપેરા આજે પણ છે. નાટકના આ સંસ્કારો સાથે ડૉ વિજ્ય સેવક ૧૯૯૬થી સુરતની વી ટી. ચોક્સી સાર્વજનિક બી.એડ્. કૉલેજમાં અધ્યાપક તરીકે બરાબર ખીલ્યા છે. વર્ગખંડને રંગમંચમાં ફેરવ્યો છે. અંગ્રેજી અધ્યાપનને એણે અભિનય અને અભિવ્યક્તિના માર્ગે વાળેલ છે. વિવેટર ઇન એજ્યુકેશન’ની અતિ સફળ પ્રયોગ અમલમાં મૂક્યો છે. અનેક નાટ્યગ્રહીઓ સાથે મળી કેટકેટલાં નાટકો લખ્યાં – દિગ્દર્શિત કર્યાં – અભિનિત કર્યાં. રેડી, સ્ટેડી ઍન્ડ ગૉ’ અને ફન વીથ ઇંગ્લિશ’ પુસ્તકો લખ્યાં અને તેને વર્ગખંડમાં ભજવીને ભણાવ્યાં. ઍક્સેરિમેન્ટ તેનો સ્વભાવ છે. રૂઢિગત રિંગ અને ગમતું નથી. સેલ્ફ લર્નિંગની જબરી હિમાયત વિથ કરે છે. ગિજુભાઈ બધેકાની જેમ વિજ્ય સેવકનો વર્ગ મિિમડિયા હોય છે. વિયનું કેનવાસ વિશાળ છે. ટિચીંગ નહીં, એક્સપ્લેનેશન નહીં, પણ ઑરેશન, જૉયલ લર્નિંગ છાપાનાં કટિંગ, ડી, કાર્ટૂન, ચિત્રો ભાવિ શિક્ષકોને આપવાનાં અને તેના પરથી વિચારે ચડાવી તેનાં ઇમ્પ્રોવાઇડ્રેશન રજૂ કરાવવાનાં! સેલ્ફ લર્નિંગ ઇગ્લિશના ડૉ. વિજ્ય સેવકના પ્રથીગી આખા ગુજરાતમાં ફેલાવા, એટલું જ નહીં રાષ્ટ્રીય નાટ્ય સંસ્થા NSD દ્વારા તેની નોંધ લેવામાં આવી અને થિયેટર ઇન ઍજ્યુકેશન’નો પ્રોજેક્ટ વિજ્ય સેવકને નૅશનલ રિસોર્સ પર્સન બનાવી સોંપવામાં આવ્યો હમણાં જ આ પ્રયોગમાં સુરતની ચાલીસેક સ્કૂલ્સના ચાલીસ શિક્ષકો, ચારસો વિદ્યાર્થીઓ અને હજાર જેટલાં માતાપિતા આ થિયેટરમાં તાલીમ પામ્યાં, રમતાં રમતાં ભણી શકાય તેવું સ્વીકારી શક્યા. NSDના રાષ્ટ્રીય તજ્ઞ તરીકેનું બહુમાન ગુજરાતને પ્રથમવાર મળે છે, કારણ ડૉ. વિજ્ય સેવક જેટલો ક્રિએટીવ ટાસ્ક બૅઇઝ લર્નિંગ કે પ્રોસેસ સેન્ટર્સ ડ્રામાનો ટીચર ઍજ્યુકેટર ગુજરાતમાં એક માત્ર છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ડૉ. વિજય સેવકનું પુસ્તક તમસો મા જ્યોર્તિગમય’ પુરસ્કૃત થવું છે, બાળનાટકો પર કામ કરી સિદ્ધાંતો – પ્રક્રિયા સ્થાપિત કરી થેરાપ્યુટિક યુઝ ઑફ ડ્રામા ઇન ઍજ્યુકેશન વિકસાવવાના અને તેનાં દ્વારા જ શિક્ષણ આપવાનાં સ્વપ્નાં વિજય સેવે છે, I dont teach. I make them learn’ કહેનાર ડૉ. વિજ્ય સેવક માને છે કે, “શિક્ષકનું કંદ શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપ જેવું હોવું અનિવાર્ય છે, જે શિષ્યને નિશામાંથી બેઠો કરી શકે!’

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

Gramsetu – 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

mc

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ધોરાજીની એ.બૈડ, કમરિયા હાઈસ્કૂલમાં એક નવા શિક્ષક બેડાયા. અંગ્રેજી ભણાવે. બી.એડ.ની ડિગ્ની લઈને આવેલા તાજા શિક્ષક, એવું જ માને કે બી.ઐ.ની તાલિમમાં શીખ્યા તે “બધું જ સાચું. તે પ્રમાણે જ વર્તે. આથાય કાંતિભાઈ સલિયા, ગતિના બહુ સાશ શિક્ષક, એમણે બહુ ફ્રિડમ આપી પેલા નવા શિક્ષકને, બીજા શિક્ષક અંગ્રેજી પહેલાં લખાવે પછી બોલાં શીખવે પણ આ નવા શિક્ષ પહેલાં બોલતાં શીખવે, પોતે બોલે. વિધાથીખીને બીલવા પ્રેર. અંગ્રેજીમાં વાતચીત કરવાની છૂટ આપે,તેમની વચ્ચે જઈ બેસે અને ગ્રુપમાં વાતો કરી. નામથી બોલાવે સૌને, બોર્ડ પાસે વિધાર્થીને બોલાવી હાથમાં ચાક આપી લખવા કહૈ. ક્લાસમાં અવાજ બહુ થાય, ૬૨ દસ મિનિટ શિક્ષક બોલતા બંધ થઈ જવું પડે ત્યારે છોકરાઓ શાંત થાય. બી શિક્ષકો ાઓને મા૨ે – બહુ ભારે મહા આ ભાઈસાહેબ એવું ન જ કરે. વિદ્યાર્થીઓ પણ કહે કે સારૈબ તમે અમને મારી, તી જ અમે શાંત રહીશું. પણ એ કરેઃ મારવાથી થોડું આવડે હું મારીશ નહીં. મે મે વાતો કરતા જઈશું અને તમને મમ્ફા આવવા લાગશે એટલે તમે નાની કરી જ નહી શકો ! ? ખરેખર એવું થયું. છ મહીના પછી સ્થિતિ પલટાઈ ગઈ, વિધાર્થીઓને જાણવાની-પોતાની જાતે શીખવાની મઝા આવવા લાગી. શિક્ષક મિત્ર થઈ ગયા અને મિત્રના ક્લાસમાં અવાજ થોડી કરાય આ જોઈને બીજા શિક્ષકોએ પણ મારવાનું ઘાયું. નવા શિક્ષકે તેઓને સમાવ્યું : તમે વીસ વી માથાં જ કરી ી. તો શું વિધા સંશિયાર થઈ ગયા ખરા જ મારવું એ મદ્ધતિ નથી. બે શિક્ષકો તો સાવ બંધ થયા ! આચાયૅ બહુ છૂટ આપે અને એના ક્લાસની અંગ્રેજીની પરીક્ષા નહી લેવાની ! પ્રેમમ કાઢે તો ચિત્રવાળું કાઢે. મૂલ્યાંકનની પોતાની ઈંટન : ગૈવીસ જેટલી પ્રવૃત્તિઓ કરાવે, તેનું ભિિરયલ બનાવે. છોકશ સાથે વોલાબીલ-ફ્રિક્રેટ મે. સાથી શિક્ષકી સાથે ક્રમ મ ગે.. આ શિક્ષક ભ્રાર્થનાસભા પોણો કલાકનો ગોઠવે. તેમાં મુસ્તક પરિચય કરાવે. નવી નવી ચોમડી છોકરાઓને બતાવી તે વાંચવા પ્રેરે ! જે કોક્ક્સ પુસ્તક વાંચે તેને ઊભો કરી કહે?ચાલ પ્રાર્થનામાં તે વૉયેલા ચોમી વિષે વાતો કર. આચાર્યએ ત્રણસો પુસ્તકીવાળી લાયબ્રેરી એને સાયેલા અને અને સત્તા આપેલા તમને જ્યાં જે સારું પુસ્તક મળે તે ખરીદી લઈ બિલ આ દૈ‰ પાંચ વર્ષે ખા શિક્ષક અધ્યાપક તી? વલ્લભવિધાનગર ગયા ત્યારે ધીજીની કરિયા હાઈસ્કૂલની લાયબ્રેરીમાં ભુસ્તીની સંખ્યા પાંચ હજારની હતી ! બારમા સાયન્સની અંગ્મેની ટેસ્ટ અઘરી હતી તો તેને એમણે ફરી લખી અંગ્રેજીનું મણિામ 3મ ટકામાં પમ રા અને છેલ્લે ૮મ. સુધી પીયાડ્યું એમણે આ શિક્ષકે દસમા-બારમાના વિદ્યાશ્ર્ચીને ગુયૅનાય આચાર્ય,દયા મુન્શો,જે.કૃષ્ણમૂર્તિ નાં અને ભાયાંતરનિધિનો પુસ્તક વાંચતા કર્યા !! લાયબ્રેરીમાં સ્કૂલ મહેલાં – રિસેસમાં સ્કૂલ છૂટ્યા ભછી પુસ્તક ઈસ્યુ કરાવવા માટે બારી માસે લાંબી લાઈન થતી અને ભાગ્યે જ એવા મળવુ અżદ્ભુત દૃશ્ય સર્જાવું . કઈ સમ ઊંધું ઘાલીને વાંચવા ટેવાયેલ આ અભ્યાસુ સંશોધક શિક્ષક ડૉ. મૌન્હેં ચોર્યલયા શિક્ષકત્વના એ પાંચ વધીને લાભાર્યાં ગહી છે. આ ફાયટી મળ્યા કુટુંબને કારણે, મૌન Second Generation Teacher. માતા-પિતા બને શિક્ષક. પિતાજી પટેલો સ્વીયર હતા ! ભણ્યા ગાય-લગ્નનુ ણ તેનું કરી છાણાં વંચી જીવન ચલાવત્તા. ળાંત થયા. પીટીસી થયા. છૂટક સ્વભાવના શિક્ષક થયા.

મહેન્દ્રનો જન્મ જ શાળાની આસપાસની ઘટના, ધૌરાજી પાસેનું ર્રણી ગામ. ગામમાં માન ન હતું. શાળામાં જ રહેવાનું. વિસે ક્લાસરૂમ અને સવા૨ – સાંજ ઘર. મહેન્દ્રે ત્યાં જ જન્મ્યો – ઉદયા – રહ્યા . ક્લાસરૂમ સાથે તેની નાલિનાળનો સંબંધ ! મહેન્દ્ર ચૌલિયા શૈલી અને ઈન્ટ્રોવર્ટ લાગે, સાદી-સીયા- સુઘડ વસ્ત્રોધારી, unassumin personality. પણ મુજ-વ્યંગ-સહજતાથી ભરપૂર.તે કરે છેઃ ‘હું ક્લાસરૂમમાં જ ઉછ્યા એટલે જે નુકશાન થવાનું હતું. તે નાનમ હામાં જ થઈ ગયું! હું શ્રાના હાથમ યો હઈશ એટલે જીવનની શરૂઆતમાં જ અચેતન લર્નિંગ થયું, તેની મેટ્રિક્સ ઊભી થઈ અને પછી તેમાં જીવનલ ભરતકામ થતું ગયું !’ મા-બામનું પહેલું સંતાન, બા કન્યાશાળામાં ત્યાં ચાટ ધોરણ સુધ્ધ અને બાપુજી તાલુકાશાળામાં ત્યાં મોચી.. અઢી વર્ષે કો બારાખડી શીખ્યા વગર વાંચતાં મિતાએ શીખવી દીધું’, બળદનું ચિત્ર બતાવે, નીચે લખ્યું હોય ‘બદ’. પછી બોલાવે. પછી છેલ્લા બે અક્ષર દાબી દે અને ‘બ’ની ઓળખાણ કરાવે કે, સાઈકલ પુ૨ ગામમાં લઈ જાય તો દુનનાં બોર્ડ વંચાવે. દોરેલું ચિત્ર બેઈ ખબર પડે કે આ સાઈકલની Śાન છે કે, બા ઘરે સૈવ-ગાંઠીયા બનાવે,તેમાંથી બગડે ને ચોડી શોધવાનું કહે。。 આમ થયું મહેન્દ્રનું inccidental learning :પહેલા ધોરણમાં દાખલ નહીતો થયો ત્યારે મહેન્દુને મિતાએ જયભિખ્ખુની નાની નાની બન્નીસ પાનની મોટ અક્ષરોવાળી બસ્સો મુસ્તિકાઓનું ખોખું ખોલી આપ્યું. રામાયણ- મહાભારતનાં પાત્રોનાં જીવન એમાં રહેલા પુસ્તિકાઓ બધો વાંચી કાઢેલી..(ત્યારે કોઈત્રણ શિક્ષક કર્તા મહેન્દુની લિટરસી કલામાં રહેવાનું પછી બન્યું. એટલે ચોરનાં માથાની જેમ રચ્યા- રખડ્યા પણ ખરા. પડોશમાં બીડી વાળનારનું ઘર. તો મદદ કરવા બીડી પણ વાળી. તે વખતે નંબ ગેઇમા નહી માર્ક કે ટકાની ટકટક નહીં. પાંચમા ધોરણ સુર્કીમાં તો ગંભીર વાચક બની ગયી. મહેન્દુખે ત્યારે કમામુનશીની લોપામુકા-કૃષ્ણાવતાર, દર્શકની ીયનિયા, હિન્દી નવલ ‘નિર્મલા વાંચી નાખી હતી. બારીમાં બેસીને નિર્મલા વાંચતા વાંચતા રયાનું દૈત્યું આજે યાદ કરે ત્યારે કંઠ, ગળો થાય છે. મêન્ટુના પિતાજી અજાભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી એક્સટર્નલ બાએ કર્યું સંસ્કૃત મુખ્ય વિષય સાથે ત્યારે મહેન્દુ છઠ્ઠા ધાણાં, પિતાને વાંચવાનો કંટાળો આવે એટ્લે લંબાવે ન હન્ટુને કહે શું વાં હું સાંલખું છું. કાલિદાસ- લાસ ત્યારે વાંચી સંભળાવેલાં છે. આ બધાં મહેન્દ્રમાં ચોડી વાંચવાની સ્પીડ આવી. ચાસી કે છી માનાની બુક તો ઝટ ઉપાડે ! બૈંકશન વીતે ખેતરમાં. માસા માડવા, ઓધી વાળવા,પાણી વાળવું, હાલ હોકવું, બાજરી બનાવવી, અને એ કશ્તોં-કરતાં કોળી-વાઘરીના છીકા સાથે રખડવાનું – આંબલી-દૈવી પાડવાના ! પંચમહાભૂત સાથે નાતા બંધાયી તેમાંથી ઘણું બધું ડિપોઝીટ થયું. ઘરમાં સૌ એને મનુ કરે. વેકેશનમાં ઘર સૌ રાહ જોવ મનુનો કારણ મનુને ફ્માઈશ થાય વાર્તા કરે અને એકાદી 3થી મેલ, મનુનાં ધમાં એક નૉટ રાખેલી. ઘરના નઈ ચી સાંભળે તો એમાં લખી લેવાની. આમ, મનુ નાનમ ય્યા સમૃદ્ધ ડોગર મણાજની કથા સાંભળી. બીજીવાર બાપુજીએ કીધું ! સાંભળે છે તે લખ. લખવાને કારણે શિશ્ચંગ થયું, અર્થગ્રહણ થયું. પાંચ લાઈ-જૈની. બે-બે વર્ષ નાનાં, બાપુજી ભૂત પલિતમાં ન માતૈ.ક્યાંય ભૂત થાય છે એવું સાક્ષી તા મનુને લઈને ઉપડે જેવા, એકવાર. કરશનભાઈના ખેતર મામાના ખીજડાની લડી જેવા લઈ ગયેલા. પિતાજી ખં ભૂતનાકા પર લઘુશંકા ાવેલી, પછી ભૂત વિષે કોઈ શંકા રહી ના.

એમ ખડખડાટ હસતાં દૈન્દ્ર કી છે. ભટ્ટનું આઠમા ધોરણમાં ત્યારે બાપુજી મીમબંધની આર.જી.ટી.માં બીફ્ કરવા ગયા એટલે ઘર ચલાવવાની જવાબદારી ખાવી, હિસાબ લખવાની, ઈસ ક્રમવાની, ભાવતાલ કરાવવાના એવું બધું કર્યું. ધશજીની લાયબ્રેરીનાં બધાં પુસ્તી નવમા ધારા મુદ્રામાં વાંચી નાખ્યાં. બાર વર્ષે ળાંત કર્યું. ભગવતસિં∞ હાઈસ્કૂલ, ધોરાજી મૉ મેટ્રિક થયો. સાયન્સમાં જઈ શકાય તેમ હતું મહા પિતાજીષ્મ ગજબ ગણિત ગણાવ્યું. ડૉ થઈશ તો ખાવાની ટાઇ નહી મળે, કૈસા કમાવામાં પડી જઈશ, પોતાની નહીં રહે અને ઈજનેર થઈશ તો સરસમાં જઈ ખોટ શ્રમમાં ભાગીદાર થવું પડરી, એનાં કરતાં સ્માર્ટમાં જા, અંગ્રેજી રાખીને લ, મજા પડી જશે. મહિન્દ્ર માટે સાહિત્ય અધ્યયનનું નવું જ ક્ષેત્રં ખુલ્યું. એક વર્ષ ધોરાજી, એક વર્ષ રાજકીટ કરી અધ્યાપન સારા છે માટે ભાવનગરની શામળદાસ Ăલેજમાં બે વર્ષ ! પી.સી.મહેતા, પ્રભુ દેસાઈ, અશ્ચિન લ? બહુ સારા અય્યામ પ્રભુ દેસાઈએ વિવેચનની, અનંત ભટ્ટ શઋમિયરની, મુકુંદભાઈ દવેએ અમેકિન લિટર ચરની, જગદીશભાઈ દવેએ એલિયટની બારી ઉઘાડી દીર્ધી, પ્રભાકર રાવળ માણસ તીની કોમળતા શીખવી, તે મટેનું ચોર્યલયા મોટી વાત હળવાશ કદ છે ? ત્યારે એમ.એ.માં એક જ વિદ્યાનો સેકન્ડ ક્લાસ હતી. મને પચાસ ટકા નખાવ્યા, એટલે સારું થયું કે હું ખંગ્રેશના અધ્યાપક ન થયાં ? Radio Jouznalism સાથે પન્નારત્વમાં દોઢ વર્ષના પી.જી. ડિપ્લોમા મેળવ્યો ભૂપત વડોરિયા સાથે ક્રમ કર્યું. નોકરીની આ થઈ પણ જર્નાલિઝમમાં ‘લાઈન’નું બર્ધન – વલ્લભવિધાનગર થી બી. એડ્. ક્યું. ત્યાં મળ્યા સંસ્કૃત ભાષા અને શિક્ષણદર્શનના ધૂરંધર પ્રા. શાસ્ત્રો જય ‘ લૉજિયા’ મૈં અને ફ઼િ. આર.એસ. ત્રિવેદી. વર્ગમાં એકલા બેસી સારની નવલકથા વાંચતા મહેન્દુને જૈઈ વેસાહેબ પાસે આવી લૂછ્યું : ‘આ શું વાંચે છે ? સા નું વાંધે છે ? લલ, મહીં મળજે.’ પછી તો વૈસારેલ ટેન્દ્રન માર્ટિન બુબનું T Om Tho4 આપ્યું. બી.એડ્. માં તે અધુરું રહ્યું, તો એમ.એડ્. મો લઈ શ્રી વાંચ્યું અ શાસ્ત્રી વજીનાં માર્ગદર્શનમાં તેનાં પર Py, કર્યું. હા, બી.એડ્. ભણતી વખતે મદનુંને રાજકોટન સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રમાં નોકરીનો ઓર્ડર મળ્યો, મિતજીએ કહ્યું તને ઠીક લાગે તેમ કર. મહેન્દ્રએ બી. એડ્, ભણાવતા બધા જ અધ્યાયીને પૂછ્યું તો બધાએ બી.એડ. તું મુકો બેન્કમાં બેડાય જવા આગ્રહ કર્યો ! મહત્વને મૂંઝારો થયો : ‘આ બધા મીતે ય શિક્ષક છે, છતાં મને કેમ ના પાડે છે ધોરાજીમાં મોંચ વર્ષ શિક્ષક તરીકે નાવીન્યમૂર્ણ કાર્ય કર્યા પછી જ્યાં ભણ્યા ત્યાં જ બીીફ્ના અધ્યાપક થવાની ત મળી. જેની પાસે લક્ષ્યા, તેની સાથે લણાવ્યું. એ જ ધોરાજીવાળી સ્ટાઈલ અને ખુમારીથી બી.એડ,માં પ્રુથીંગશીલતા નળવી રાખી, ભાવિ શિક્ષક સાથે આત્મીયતા કેળવી. જેવાતેવ વ્યક્ત થાવ અને જૈતુવિહિન સંબંધ રાખો ની બુબની ફિલસુફી અમલમાં મુકી. Love and Relations in eduation અને dialoge in educationનો થા પાક્કો અમલ કરી શિક્ષીને જીવનભરના મિત્ર બનાવ્યા. પહેલાં જે જીવાયું, તેનું મર્ધી થિયરાઈઝેશન થયું. એમ, એડ્, માં પ્રાધ્યાયક થવાની તક મળી છેલ્લાં દસ વર્ષ સ્વીકારી. ત્યાં સમજાયું કે: તમાÊ’આઇ’ બદલે શિક્ષણ છે. આપણામાં જીવનનું નિર્માણ થ તો સાચા શિક્ષક, સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ.મહત્વ ચોટલિયાને હમણાં રાજ્ય સરકારની સ્વપ્નિલ ચિલ્ડ્રન યુનિવર્સિટી માં ડાયરેક્ટર તરીકે બોલાવવામાં આવ્યા છે. દસ મિનિટ માં પંદર પુસ્તકોની વાત જેના મોઢે આવ્યા વગર રહે નહીં તે મહેન્દ્ર ચોટલીય સરળ છે ,સહજ છે.પુષ્કળ વાંચનાર છે. ધર્મપુરના આદિવાસી બાળકો વચ્ચે જઇ ભણાવનાર નિજાનંદી શિક્ષક છે. ગહન વિચારોમાં પ્રવૃત રેવા છતાં હળવાફૂલ માણસ છે. ઓછી પિછાણ અને વ્યાપક વિચાર  પછેડીવાળા મહેન્દ્ર ચોટલીયા સાથે ગોઠડી માંડવી તે જીવનનો લ્હાવો છે કારણ કે તે મને છે કે ‘ હું કઈ કરવા નથી આવ્યો, જે કઈ થઈ જાય છે એ મારા આનંદનો વિસ્તાર છે’.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

ધોરાજીની એ. ઝેડ. કનેરિયા હાઈસ્કૂલમાં એક નવા શિક્ષક જોડાયા. અંગ્રેજી ભણાવે. બી.એડ્.ની ડિગ્રી લઈને આવેલા તાજા શિક્ષક. એવું જ માને કે બી.એડ્.ની તાલીમમાં શીખ્યા તે બધું જ સાચું. તે પ્રમાણે જ વર્તે. આચાર્ય કાંતિભાઈ હાંસલિયા ગણિતના બહુ સારા શિક્ષક. એમણે બહુ ફ્રીડમ આપી પેલા નવા શિક્ષકને. બીજા શિક્ષકો અંગ્રેજી પહેલાં લખાવે પછી બોલતાં શીખવે. પણ આ નવા શિક્ષક પહેલાં બોલતાં શીખવે. પોતે બોલે. વિદ્યાર્થીઓને બોલવા પ્રેરે. અંગ્રેજીમાં વાતચીત કરવાની છૂટ આપે. તેમની વચ્ચે જઈ બેસે અને ગ્રુપમાં વાતો કરે. નામથી બોલાવે સૌને. બોર્ડ પાસે વિદ્યાર્થીને બોલાવી હાથમાં ચોક આપી લખવા કહે. ક્લાસમાં અવાજ બહુ થાય. દર દસ મિનિટે શિક્ષકે બોલતા બંધ થઈ જવું પડે ત્યારે છોકરાઓ શાંત થાય. બીજા શિક્ષકો છોકરાઓને મારે – બહુ મારે. પણ આ ભાઈસાહેબ એવું ન જ કરે. વિદ્યાર્થીઓ પણ કહે કે સાહેબ તમે અમને મારો તો જ અમે શાંત રહીશું. પણ એ કહે : “મા૨વાથી થોડું આવડે? હું મારીશ નહીં. ધીમે ધીમે વાતો કરતા જઈશું અને તમને મઝા આવવા લાગશે એટલે તમે વાતો કરી જ નહીં શકો!’ ખરેખર એવું થયું. છ મહિના પછી સ્થિતિ પલટાઈ ગઈ. વિદ્યાર્થીઓને જાણવાની – પોતાની જાતે શીખવાની મઝા આવવા લાગી. શિક્ષક મિત્ર થઈ ગયા અને મિત્રના ક્લાસમાં અવાજ થોડો કરાય? આ જોઈને બીજા શિક્ષકોએ પણ મારવાનું ઘટાડ્યું. નવા શિક્ષકે તેઓને સમજાવ્યું : તમે વીસ વર્ષોથી માર્યા જ કરો છો તો શું વિદ્યાર્થીઓ હોંશિયાર થઈ ગયા ખરા? મારવું એ પદ્ધતિ નથી. બે શિક્ષકો તો મારતા સાવ બંધ થયા! આચાર્ય બહુ છૂટ આપે એને. એના ક્લાસની અંગ્રેજીની પરીક્ષા નહીં લેવાની! પેપર કાઢે તો ચિત્રવાળું કાઢે. મૂલ્યાંકનની પોતાની પેટર્ન! ત્રેવીસ જેટલી પ્રવૃત્તિઓ કરાવે, તેનું મટીરિયલ બનાવે. છોકરા સાથે વૉલીબૉલ-ક્રિકેટ રમે. સાથી શિક્ષકો સાથે કેરમ પણ રમે… આ શિક્ષક પ્રાર્થનાસભા પોણો કલાકની ગોઠવે. તેમાં પુસ્તક પરિચય કરાવે. નવી નવી ચોપડીઓ છોકરાઓને બતાવી તે વાંચવા પ્રેરે! જે છોકરો પુસ્તક વાંચે તેને ઊભો કરી કહે

ચાલ પ્રાર્થનામાં તેં વાંચેલી ચોપડી વિષે વાતો કર… આચાર્યએ ત્રણસો પુસ્તકોવાળી લાઇબ્રેરી એને સોંપેલી અને એને સત્તા આપેલી કે તમને જ્યાં જે સારું પુસ્તક મળે તે ખરીદી લઈ બિલ આપી દેજો. પાંચ વર્ષે આ શિક્ષક અધ્યાપક તરીકે વલ્લભવિદ્યાનગર ગયા ત્યારે ધોરાજીની કનેરિયા હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા પાંચ હજારની હતી! બારમા સાયન્સની અંગ્રેજીની ટૅક્સ્ટ અઘરી હતી તો તેને એમણે ફરી લખી. અંગ્રેજીનું પરિણામ ૩૫માંથી ૫૫ ટકા અને છેલ્લે ૮૫% સુધી પહોંચાડ્યું એમણે. આ શિક્ષકે દસમા-બારમાના વિદ્યાર્થીઓને ગુણવંતરાય આચાર્ય, ક. મા. મુનશી, જે. કૃષ્ણમૂર્તિનાં અને ભાષાંતરનિધિનાં પુસ્તકો વાંચતા કર્યા!! લાઇબ્રેરીમાં સ્કૂલ પહેલાં – રિસેસમાં – સ્કૂલ છૂટ્યા પછી પુસ્તક ઇસ્યુ કરાવવા માટે બારી પાસે લાંબી લાઇન થતી અને ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતું અદ્ભુત દૃશ્ય સર્જાતું!

ઊંધું ઘાલીને વાંચવા ટેવાયેલ આ અભ્યાસુ સંશોધક શિક્ષક ડૉ. મહેન્દ્ર ચોટલિયા શિક્ષકત્વનાં એ પાંચ વર્ષોને ભર્યુંભાદર્યાં ગણે છે. આ ફાયદો મળ્યો કુટુંબને કારણે. પોતે Second Generation Teacher. માતા-પિતા બન્ને શિક્ષક. પિતાજી પહેલાં સ્વીપર હતા! ભણ્યા. ગાય-ભેંસનું છાણ ભેગું કરી છાણાં વેંચી જીવન ચલાવતા. શાળાંત થયા. પીટીસી થયા. હટકે સ્વભાવના શિક્ષક થયા.

મહેન્દ્રનો જન્મ જ શાળાની આસપાસની ઘટના. ધોરાજી પાસેનું ફરણી ગામ. ગામમાં મકાન ન હતું. શાળામાં જ રહેવાનું. દિવસે ક્લાસરૂમ અને સવાર-સાંજ ઘર. મહેન્દ્ર ત્યાં જ જન્મ્યો-ઊછર્યો-રહ્યો. ક્લાસરૂમ સાથે તેનો નાભિનાળનો સંબંધ! મહેન્દ્ર ચોટલિયા ગંભી૨ અને ઈન્ટ્રોવર્ટ લાગે. સાદો-સીધો-સુધડ વસ્ત્રોધારી. unassuming personality. પણ રમૂજ-વ્યંગ-સહજતાથી ભરપૂર. તે કહે છે : હું ક્લાસરૂમમાં જ ઊછર્યો એટલે જે નુકસાન થવાનું હતું તે નાનપણમાં જ થઈ ગયું! હું ઘણાના હાથમાં ફર્યો હોઈશ એટલે જીવનની શરૂઆતમાં જ અચેતન લર્નિંગ થયું, તેની મૅટ્રિક્સ ઊભી થઈ અને પછી તેમાં જીવનભર ભરતકામ થતું ગયું!” મા-બાપનું પહેલું સંતાન. બા કન્યાશાળામાં ત્યાં ચાર ધોરણ સુધી અને બાપુજી તાલુકાશાળામાં ત્યાં પાંચથી… અઢી વર્ષે કક્કો બારાખડી શીખ્યા વગર વાંચતાં પિતાએ શીખવી દીધું. બળદનું ચિત્ર બતાવે. નીચે લખ્યું હોય ‘બળદ.’ પછી બોલાવે. પછી છેલ્લા બે અક્ષરો દાબી દે અને ‘બ’ની ઓળખાણ કરાવે! સાઇકલ ૫૨ ગામમાં લઈ જાય તો દુકાનનાં બૉર્ડ વંચાવે. દોરેલું ચિત્ર જોઈ ખબર પડે કે આ સાઇકલની દુકાન છે! બા ઘરે સેવ-ગાંઠિયા બનાવે. તેમાંથી બગડો ને ચોગડો શોધવાનું કહે… આમ થયું મહેન્દ્રનું inceidental learning! પહેલા ધોરણમાં દાખલ નહોતો થયો ત્યારે મહેન્દ્રને પિતાએ જયભિખ્ખુની નાની નાની બત્રીસ પાનની મોટાં અક્ષરોવાળી બસ્સો પુસ્તિકાઓનું ખોખું ખોલી આપ્યું.રામાયણ-મહાભારતનાં પાત્રોનાં જીવન એમાં. પહેલા ધોરણમાં દાખલ થતાં પહેલાં આ બધી પુસ્તિકાઓ વાંચી કાઢેલી… (ત્યારે કોઈપણ શિક્ષક કરતાં મહેન્દ્રની લિટરસી વધુ હતી!) વળી ચૌદ પડોશીવાળા ડેલામાં રહેવાનું પછી બન્યું. એટલે ચો૨ના માથાની જેમ ૨ચ્યા. રખડ્યા પણ ખરા. પડોશમાં બીડી વાળના૨નું ઘર. તો મદદ કરવા બીડી પણ વાળી. તે વખતે નંબર ગેઇમ નહીં. માર્ક કે ટકાની ટકટક નહીં. પાંચમા ધોરણ સુધીમાં તો ગંભી૨ વાચક બની ગયો. મહેન્દ્રએ ત્યારે ક. મા. મુનશીની લોપામુદ્રા – કૃષ્ણાવતાર, દર્શકની દીપનિર્વાણ, હિન્દી નવલ ‘નિર્મલા’ વાંચી નાખી હતી. બારીમાં બેસીને ‘નિર્મલા’ વાંચતા વાંચતા રડ્યાનું મહેન્દ્ર આજે યાદ કરે ત્યારે કંઠ ગળોગળો થાય છે. મહેન્દ્રના પિતાજી અરજણભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઍક્સટર્નલ બી.એ. કર્યું સંસ્કૃત મુખ્ય વિષય સાથે ત્યારે મહેન્દ્ર છઠ્ઠા ધોરણમાં. પિતાને વાંચવાનો કંટાળો આવે એટલે લંબાવે ને મહેન્દ્રને કહે તું વાંચ હું સાંભળું છું. કાલિદાસભાસ ત્યારે વાંચી સંભળાવેલા! આ બધાંથી મહેન્દ્રમાં ચોપડી વાંચવાની સ્પીડ આવી. ચારસો કે છસો પાનાની બુક તો તે ઝટ ઉપાડે!

વૅકેશન વીતે ખેતરમાં. પાસા પાડવા, ઓઘો વાળવો, પાણી વાળવું, હાલનું હાંકવું, બાજરી બનાવવી, અને એ કરતાં-કરતાં કોળી-વાઘરીના છોકરા સાથે રખડવાનું આંબલી-કેરી પાડવાના! પંચમહાભૂત સાથે નાતો બંધાયો તેમાંથી ઘણું બધું ડિપૉઝીટ થયું. ઘરમાં સૌ એને મનુ કહે. વૅકેશનમાં ઘરે સૌ રાહ જોવે મનુની. કારણ મનુને ફરમાઈશ થાય. ‘વાર્તા કહે અને એકાદો ટુચકો મેલ’ મનુના ઘરમાં એક નોટ રાખેલી. ઘ૨ના કોઈ ટુચકો સાંભળે તો એમાં લખી લેવાનો. આમ, મનુ નાનપણથી ટુચકા સમૃદ્ધ. ડોંગરે મહારાજની કથા સાંભળી. બીજીવાર બાપુજીએ કહ્યું : સાંભળે છે તે લખ. લખવાને કા૨ણે શિફ્ટિંગ થયું, અર્થગ્રહણ થયું. પાંચ ભાઈ-બહેનો. બે-બે વર્ષ નાનાં. બાપુજી ભૂત પલિતમાં ન માને. ક્યાંય ભૂત થાય છે એવું સાંભળે તો મનુને લઈને ઊપડે જોવા. એકવાર કરશનભાઈના ખેતરે મામાના ખીજડાનો ભડકો જોવા લઈ ગયેલા. પિતાજીએ ભૂતના ટેકરા પર લઘુશંકા કરાવેલી, પછી ભૂત વિષે કોઈ શંકા રહી નથી’ એમ ખડખડાટ હસતાં મહેન્દ્ર કહે છે. મહેન્દ્ર આઠમા ધો૨ણમાં ત્યારે બાપુજી પોરબંદરની આર.જી.ટી.માં બી.એડ્. કરવા ગયા એટલે ઘ૨ ચલાવવાની જવાબદારી આવી. હિસાબ લખવાનો, કકસ૨ ક૨વાની, ભાવતાલ કરાવવાના એવું બધું કર્યું. ધોરાજીની લાઇબ્રેરીનાં બધાં પુસ્તકો નવમા ધોરણ સુધીમાં વાંચી નાખ્યાં. બાર વર્ષે શાળાંત કર્યું. ભગવતસિંહજી હાઈસ્કૂલ, ધોરાજીમાંથી મૅટ્રિક થયો. સાયન્સમાં જઈ શકાય તેમ હતું પણ પિતાજીએ ગજબ ગણિત ગણાવ્યું. ‘ડૉક્ટર થઈશ તો ખાવાનો ટાઇમ નહીં મળે, પૈસા કમાવામાં પડી જઈશ, પોતાનો નહીં રહે અને ઇજનેર થઈશ તો સરકારમાં જઈ ખોટાં કામમાં ભાગીદાર થવું પડશે; એનાં કરતાં આર્ટ્સમાં જા,

અંગ્રેજી રાખીને ભણ, મજા પડી જશે…’ મહેન્દ્ર માટે સાહિત્ય અધ્યયનનું નવું જ ક્ષેત્ર ખૂલ્યું. એક વર્ષ ધોરાજી, એક વર્ષ રાજકોટ ક૨ી, અધ્યાપકો સાચું છે માટે’ ભાવનગરની શામળદાસ કૉલેજમાં બે વર્ષ! પી. પી. મહેતા, પ્રભુ દેસાઈ, અશ્વિન ભટ્ટ બહુ સારા અધ્યાપકો. પ્રભુ દેસાઈએ વિવેચનની, અનંત ભટ્ટે શેક્સપિયરની, મુકુંદભાઈ વેએ અમેરિકન લિટરેચરની, જગદીશભાઈ દવેએ ઍલિયટની બારીઓ ઉઘાડી દીધી. પ્રભાકર રાવળે માણસ તરીકેની કોમળતા શીખવી. જો કે, મહેન્દ્ર ચોટલિયા મોટી વાત હળવાશથી કહે છે કે : ત્યારે એમ.એ.માં એક જ વિદ્યાર્થીને સેકન્ડ ક્લાસ હતો. મને પચાસ ટકા ન આવ્યા, એટલે સારું થયું કે હું અંગ્રેજીનો અધ્યાપક ન થયો.’ Radio Journalism સાથે પત્રકારત્વમાં દોઢ વર્ષનો પી.જી. ડિપ્લોમા મેળવ્યો. ભૂપત વડોદરિયા સાથે કામ કર્યું. નોકરીની ઑફર થઈ પણ જર્નાલિઝમમાં ડેડલાઇન’નું બંધન! વલ્લભવિદ્યાનગરથી બી.એડ્. કર્યું ત્યાં મળ્યા સંસ્કૃત ભાષા અને શિક્ષણ દર્શનના ધૂરંધર પ્રા. શાસ્ત્રી જ્યેન્દ્ર દવે અને પ્રિ. આર. એસ. ત્રિવેદી. વર્ગમાં એકલા બેસી સાત્રની નવલકથા ‘લોજિયા’ વાંચતા મહેન્દ્રને જોઈ દવેસાહેબે પાસે આવી પૂછ્યું : આ શું વાંચે છે? સાત્રે તું વાંચે છે? ભલે, પછી મળજે.’ પછી તો દવેસાહેબે મહેન્દ્રને માર્ટિન બુબરનું I am Thou આપ્યું. બી.એ.માં તે અધૂરું રહ્યું, તો એમ.એ.માં લઈ ફરી વાંચ્યું અને શાસ્ત્રી દવેજીનાં માર્ગદર્શનમાં તેના ૫૨ જ Ph.D. કર્યું. હા, બી.એડ્. ભણતી વખતે મહેન્દ્રને રાજકોટની સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રમાં નોકરીનો ઑર્ડર મળ્યો. પિતાજીએ કહ્યું : તને ઠીક લાગે તેમ કર. મહેન્દ્રએ બી.એડ્. ભણાવતા બધા જ અધ્યાપકોને પૂછ્યું તો બધાએ બી.એડ્. પડતું મૂકી બૅન્કમાં જોડાય જવા આગ્રહ કર્યો! મહેન્દ્રને મૂંઝારો થયો : “આ બધા વર્ગમાં તો એમ કહે છે શિક્ષક ઉત્તમ વ્યવસાય છે. પોતે ય શિક્ષક છે, છતાં મને કેમ ના પાડે છે? એમને ભણાવવાની મઝા નહીં આવતી હોય?’ ધોરાજીમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નાવીન્યપૂર્ણ કાર્ય કર્યાં પછી જ્યાં ભણ્યા ત્યાં જ બી.એડ્.ના અધ્યાપક થવાની તક મળી. જેની પાસે ભણ્યા, તેની સાથે ભણાવ્યું. એ જ ધોરાજીવાળી સ્ટાઇલથી અને ખુમારીથી બી.એ.માં પ્રયોગશીલતા જાળવી રાખી. ભાવિ શિક્ષકો સાથે આત્મીયતા કેળવી. જેવા છો તેવા વ્યક્ત થાવ અને હેતુવિહીન સંબંધ રાખો’ની બુબરની ફિલસૂફી અમલમાં મૂકી. Love and Relationship in Education Dialogue in Educational ssl 444 કરી શિક્ષકોને જીવનભરના મિત્રો બનાવ્યા. પહેલાં જે જિવાયું, તેનું પછી થિયરાઇઝેશન થયું. એમ.એ.માં પ્રાધ્યાપક થવાની તક મળી તે છેલ્લાં દસ વર્ષથી સ્વીકારી. ત્યાં સમજાયું કે ઃ તમારો ‘આઇ’ બદલે તે શિક્ષણ છે. આપણામાં જીવનનું નિર્માણ થાય તો સાચા શિક્ષક. સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલિયાને હમણાં રાજ્ય સરકારની સ્વપ્નિલ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે આમંત્રણથી બોલાવવામાં આવ્યા છે. દસ મિનિટમાં પંદર પુસ્તકોની વાત જેની જીભે આવ્યા વગ૨ ન રહે તે મહેન્દ્ર ચોટલિયા સ૨ળ છે, સહજ છે, પુષ્કળ વાંચનાર છે, ધરમપુરનાં આદિવાસી બાળકો વચ્ચે જઈ ભણાવનાર નિજાનંદી શિક્ષક છે, ગહન વિચારોમાં પ્રવૃત્ત રહેવા છતાં હળવોફૂલ માણસ છે. ઓછી પિછાણ અને વ્યાપક વિચાર- પછેડીવાળા મહેન્દ્ર ચોટલિયા સાથે ગોઠડી માંડવી તે જીવનનો લ્હાવો છે, કારણ તે માને છે કે : હું કંઈ કરવા નથી આવ્યો. જે કંઈ થઈ જાય છે તે મારા આનંદનો વિસ્તાર છે.’

શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી

ગ્રામસેતુ: મે 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

309 ભવન બાંધવાનો સંકલ્પ તેઓ લઇ ચુક્યા છે અને હજી તેઓનો જુસ્સો અપ્રતિમ છે.

આપણા ફકીર સંત શ્રી વિનોબાજીએ ભૂદાન યાત્રા માટે યાદગાર રહેશે…લગભગ લગભગ તેમ જ સુરતના એક ભગત સમ ઉદ્યોગપતિ શ્રી કેશુભાઈ ગોટી ભવનદાન યજ્ઞ માટે ખ્યાતનામ બની રહેશે, એ નક્કી.

આવો, આપણે શ્રી કેશુભાઈ ગોટી પાસેથી જ જાણીએ તેમની આ ભવનદાન યાત્રા વિશે….

પહેલો વિચાર ક્યારે આવ્યો કે આપણે શિક્ષણના ભવનો બાંધવા ?

કેશુભાઈ : પહેલા તો હું રહ્યો મૂળ સ્વામિનારાયણ, પછી હું પાર્ષદ થવા ગયો ત્યારે મારા મેરેજ ની તૈયારીઓ ચાલતી હતી, મેરેજ ને બે-ત્રણ વરસ ની વાર હતી ત્યારે હું બે-ત્રણ હીરાની ઘંટી ચલાવતો. મેરેજ ને બે મહિનાની વાર હતી અને મને વૈરાગ આવ્યો. આમ તો વૈરાગ્ય મનમાં ઘૂસ્યો હતો લાંબા ટાઈમથી જ.

એક વડતાલવાળા સ્વામી હતા એમની સાથે બધો પત્ર-વ્યવહાર ચાલતો હતો.બધું નક્કી કર્યું. એટલે હું સવારે કારખાનું ચાલુ કરાવી સૂરતથી ભરુચ ની બસ પકડી, ભરુચથી એક ભક્તાણી નામની ગાડી વડતાલ જતી હતી, તે પકડી ને હું વડતાલ ગયો. ત્યાં ગયો પછી અઠવાડિયા પછી મને એવું થયું કે અહીંયા હું નહીં રહી શકું. પછી મને થયું કે આવી રીતે ગયા હોઈએ એટલે અહમ પણ હોય અને સ્વમાન પણ હોય એટલે કીધું હવે જીવન પસાર કરી નાખીએ. હું મારા અંતઃશત્રુ ની પીડા સહન ના કરી શકયો. ખાસ કરીને તો કામવાસનાની, એટલે હું બે વર્ષે પાછો આવ્યો.

પાછા આવ્યા પછી  સર્વોદય વિચારના મારા ગામના મોહનભાઈ વાણીયાની સાથે મારી મિત્રતા થઈ. કારણ કે  મને કોઈ બુદ્ધિશાળી કે વિચારશીલ માણસ સાથે  બેસવાની પહેલેથી નાનપણથી આદત હતી. તો એની સાથે રાત્રે ૧૨-૧૨ વાગ્યા સુધી વિનોબાભાવે ની વાતુ સાંભળતો. મેગેઝિન “ભુમિપુત્ર”ના વધીને છ થી દશ અંક વાંચ્યા હશે.બીજું કાંઈ મેં વિનોબા ભાવેનું વિશેષ કોઈ સાહિત્ય વાંચ્યુ નથી. ખાસ મોહનભાઈ પાસેથી વાતો સાંભળેલી. આ વાત છે ૧૯૮૨ ની.

હવે ૧૯૮૨ ની સાલ માં દિવાળીએ સુરત થી સૌરાષ્ટ્રમાં બહુ બધાં લોકો આવતા હોય એટલે સરકારી બસ માં જગ્યા ના મળતી એટલે બધા ગામ-ગામની પોતાની બસ ભાડે બાંધતા. એમાં અમારી બસ ભાડે બાંધી હતી , સરકારી બસ પણ સ્પેશિયલ અમારા ગામની જ, એને અકસ્માત થયો, અકસ્માત થયો એમાં બે-ત્રણ છોકરાં ને વાગ્યું, એમાં બે ને સામાન્ય હતું. પછી એમને હોસ્પિટલમાં લઈ ગયા, એમાં હું, મોહનભાઈ વાણીયા અને એક બાબુ રાબડીયા, ત્રણ જણા રોકાણા હતા. એમાં બે ને જે પાટાપિંડી સામાન્ય હતી એ કરાવીને મોહનભાઈ વાણીયા બે છોકરા ને લઈને ગયા.અને એક ને એડમિટ કર્યા  “ચરોતરી આરોગ્ય મંડળ હોસ્પિટલ” માં… અને પ્રેમજી રાબડીયા નામનો છોકરો હતો એને વધુ વાગ્યું હતું, પણ મારા તાજેતાજા જ વિનોબા ભાવેના વિચારો મારા મગજ ઉપર અસર કરી ગયેલા હતા, તે સેવામાં હું એટલે રોકાયો હતો. પછી એ પ્રેમજી રાબડીયાને ટાંકા લીધાં અને ત્રણ દિવસ રાખ્યો ને પછી રજા આપી. મારી સાથે બાબુ રાબડીયા હતો, એ શરીરમાં થોડો હલકો હતો ને એ તેડે તો ઓલા છોકરાને દુઃખે, એટલે ઑલો પ્રેમજી મને એમ કહે કે, કેશુભાઈ, તમે તેડો એટલે ખંભે બેસાડીને છેક સુધી ચડાવવા-ઉતારવા બધું મેં કર્યું તો મને આનંદ બહુ આવ્યો.. જ્યારે હું પાર્ષદ હતો ને મંદિરે જતો કે પાર્ષદ હતો ત્યારે રોજ સાંજે સૂતાં પહેલાં ઘનશ્યામ મહારાજની પચાસ માળા ફેરવતો, તો મારું મન મને પરાણે જોડી રાખતું, મને કંઈ સુખ મળતું નહીં અને મારા મન સાથે માથાકૂટ જ કરવાની રહેતી. કંટાળો આવે ત્યારે પચાસ પુરી થાય…!! પણ આ છોકરાની સેવામાં  મને મજા બહુ આવી. એટલે ત્યાંથી પછી વિચારમાં પરિવર્તન આવ્યું.

આપનો પહેલેથી સ્વભાવ આવું વિચારતા રહેવાનો ખરો કે ??

કેશુભાઈ: આમ હું સ્વભાવે તાર્કિક માણસ છું. કોઈ કહે ને માની લીધું એવો મારો સ્વભાવ નથી. કોઈનો અનાદર કરવાનો નહીં પણ ઊંડું જાણવાનો સ્વભાવ છે. એટલે જ મારા બહુ બધા માર્ગદર્શક છે, બહુ બધા પ્રેરક છે અને બહુ બધા ગુરુઓ છે. તો એ યાત્રા આગળ વધતા-વધતા એક બાજુ બીઝનેસ, એક બાજુ આ યાત્રા, થોડું વાંચન સાઇડમાં ચાલુ હતું, થોડી ચર્ચાઓ જ્ઞાની માણસો સાથે ચાલુ હતી, એમ કરતાં કરતાં થોડા આપણે વધારે સક્ષમ થયા એટલે આદિવાસી વિસ્તારમાં જવાનું નક્કી કર્યું, કારણ કે વિનોબા ભાવેના હિસાબે પેલો છેવાડાના માણસનો વિચાર તો  ઘર કરી જ ગયો હતો. આદિવાસી વિસ્તારમાં જવાનું ચાલુ કર્યું એટલે ત્યાંની અસુવિધા, ત્યાંની ગરીબાઈ બહુ બધું અસર કરી ગયું.

એમાં એક કમળાપુર ગામ છે ત્યાં ગયા ત્યાં વસોકાકા કરીને સરપંચ ગામ ચલાવતા હતા. ત્યાં જઈને બાળક જેવો થઈ ને મારી કાલીઘેલી ભાષા ને મારી જે કાંઈ આવડત હોય એ પ્રમાણે બાળકોને ઉત્સાહ માં લાવવાનું કામ કરતો. અને કપડાં આપ્યા ને નાસ્તા-પાણી કરાવીને ત્યાંથી આવતા રહ્યા. એમાં  ઘણી ઘટના ઘટી, એમાંની એક ઘટના તમને કહું. એ કમળાપુરમાં અમે લોકો બેઠા હતા ને સામે બાળકો બેઠા હતા. એમાં એક દીકરી ને મેં ઉભી કરી, ઉભી થઇ ને એ રડવા માંડી, એટલે મેં બાજુમાં બેઠેલા ટીચર ને પૂછ્યું કે આ રડે છે કેમ ? તો ટીચર એ કહ્યું કે એના મા-બાપ કોઈ નથી ને પહેર્યે એક જોડી કપડાં જ છે, એનો ભાઈ પણ અહીંયા છે ને કોઈ એમનું છે નહીં!!!. આવી ઘટનાઓ તો ઘણી ઘટી પણ આ ઘટના મારા હૃદયમાં ઊંડી અસર છોડી ગઈ, કેમ કે મેં મારા બાળપણમાં એટલી ગરીબી જોઈ છે. કોઈ દિવસ નવા કપડાં નોહતા પહેર્યા કે દિવાળીમાં કોઈ દિવસ નવા ફટાકડા નોહતા ભાળ્યા, કોઈ દિવસ પેટ ભરીને કે મિષ્ટાન નોહતું ભાળ્યું. બહુ ગરીબાઈ જોયેલી એટલે અપમાન પણ એ ઉંમરમાં બહુ સહન કર્યા હતા મેં, આ બધું તાજું થયું ત્યાં.

અને પછી બે’ક ગાઉ દૂર ગયા ત્યાં ધોરણ ૯ થી ૧૨ ચાલતું હતું, જે ઝીણાભાઈ દરજીએ સ્થાપેલી સંસ્થા.. અને ત્યાંથી ડિમાન્ડ આવી કે કન્યા છાત્રાલય બનાવી દયો તો સારું. તો મેં  ઘનશ્યામ ભોજાણીને  વાત કરી કે તું પાર્ટનર થા. એટલે એમણે કહ્યું કંઈ વાંધો નહીં કેશુભાઈ, એટલે છાત્રાલય બનાવવાનું નક્કી કર્યું. એ માટે અમારા એક  કર્મયોગી મિત્ર એક કોન્ટ્રાકટરને લઇને આવ્યા ઓફિસે. એને પૂછ્યું તો કોન્ટ્રાક્ટર કહે, આમાં મારો ૨૦% નફો હોય છે, એ ૨૦% કહે એટલે અમારી વેપારી ભાષા માં ૩૦% તો સામાન્ય હોય. મેં એવું વિચાર્યું કે, આ કામમાં નફાવાળું ના ચાલે. મારું મિત્ર વર્તુળ સારું ને જોડે કામ કરે તેવા. એટલે  કર્મયોગી પંદર કપલને મેં ઘરે જમવા બોલાવ્યાં. અને વિચાર સમજાવ્યો. આપણને આ કઈ રીતે સસ્તું પડે ? આપણે કોના માટે આ મટિરિયલ લઈએ છીએ, એ  જો આપણે વેપારીને સમજાવવામાં સફળ રહીએ તો નફો તો આમ નીકળી જશે. પણ જો આપણે કરુણાથી વાત સમજાવીશું અને ભાવિ પેઢી માટે શિક્ષણ ભવન બાંધવું છે તે ગળે ઉતરાવી શકીશું તો એ ૧૦ ટકા માઇનસમાં કામ કરશે. હવે એમાં અમે લેબર કોન્ટ્રાકટરથી માંડી ને બધા મટીરીયલમાં સફળ ગયાં. તો અમારું જે ભવન બન્યું  એ બન્યું ઘણું સસ્તું અને જે જોવે એને એમ થાય આટલા રૂપિયા માં આવડું ભવન ?

# ..એટલે એનો અર્થ એવો થયો ને કેઆપે યજ્ઞની જેમ   કામ ઉપાડ્યું ? 

કેશુભાઈ : ના, એની મને કાશી જ ખબર નથી પણ જુસ્સો બરાબર ચડ્યો હતો કે દૂર દરાજના બાળકોને શિક્ષણથી વંચિત નથી રાખવા. હવે  લોકાર્પણનું કોઈ આગવું આયોજન ન હતું. હું પ્રવચન કરવા ઉભો થયો. સ્વાભાવિક રીતે જુ  હું  નામ આપવાથી થાકેલો માણસ હતો, એનું કારણ એ હતું કે મારા ગ્રાન્ડ-ફાધરે  આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં હડિયાદમાં ત્રણ વડીલોએ થઈને મંદિર બનાવ્યું હતું, એમાં ત્રીજા વડીલ મારા ગ્રાન્ડ-ફાધર. અને હું નાનો હતો ત્યારે અમારા જેના-જેના નામ હતા એની  જેના નોહતા એને ઈર્ષા થતી અને હતાં એને અહમ થતો.આ મારી નાની ઉમરમાં આ બધી ચર્ચાઓ મેં વારંવાર-વારંવાર સાંભળેલી, એમાં જેઓના નામ હતા તેઓને અહમ હતા મારા પરિવાર સહિત, અને જેઓના નોહતા તેઓને ઈર્ષા હતી. બીજું, સામાજીક કામમાં મને મારો આત્મા કોરી ખાતો હતો કે વેપાર તો ગણિત થી કરીએ પણ દાન પણ ગણિત થી જ કરવાનું ??! આપણો  લાભ હોય એની પાછળ જ કરવાનું ?! એટલે મારો આત્મા કોરી ખાતો હતો. એમાં  આત્મા માંથી સુર નીકળ્યો કે આપણે  ૧૧ ભવન બનાવીશું. પચાસ ટકા આર્થિક યોગદાન અમે આપીશું અને પચાસ ટકામાં સહયોગી દાતાઓ જે જોડાય તે. ક્યાંય પણ ભવન ઉપર સિમેન્ટથી મોટું નામ લખાય એ પણ એમનું, દાતા પરિવારની તકતી એમની, લોકાર્પણકર્તાની તકતી એમની, અમે ક્યાંય નામ નહીં રાખીએ. કેમ કે હું થાકેલો હતો. મારો આત્મા મને પીડતો હતો. એ તે દિવસે એને વાચા આપી એટલે ત્યાં ને ત્યાં ચાર પાર્ટનર મળી ગયા. ચોથા નું લોકાર્પણ હતું,  જુગતરામ કાકા ના કોઈ મિત્ર બ્રાહ્મણ જ હતા એમની દીકરીઓ સંભાળે  છે. તો ત્યાં અગિયાર ભવન માટેના દાન જાહેર થઇ ગયા, ચાલુ ફંક્શને !! એટલે મેં બે-પાંચ મિનિટ વિચાર્યું ને છેલ્લે પૂછ્યું કે મારો અંદર નો અવાજ શું છે ? તો અંદરનો અવાજ પોઝિટીવ હતો કે આમાં આગળ વધવું જોઈએ, એટલે જીતુ મકવાણા અમારા સુરતનો એન્કર હતો એટલે હું સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને એને કહી  આવ્યો કે આપણી કોઈ બાઉન્ડરી  નથી. જો આપણને વધુ દાતાઓ મળશે તો આપણે વધુ ભવન બનાવીશું. એટલે પછી પચીસ નો સંકલ્પ કર્યો. એમાં પચીસ દાતા થઈ ગયેલા.

એમાં ગોકુલ આઠમ આવી, તો ગોવિંદ કાકા ધોળકિયાનો આઠમના દિવસે ફોન આવેલો. ‘કેશુભાઈ , કાલે મળવા આવોને થોડું કામ છે’,  તો હું તેમને મળવા ગયો બીજા દિવસે. એટલે મેં એમની સલાહ લીધી અને કીધું કે કાકા આવું છે. દાતા તો મળી જાય એવું છે. તો એણે મને પ્રોત્સાહિત કર્યો કે, કેશુભાઈ આપણા જ પૈસા, કોઈ મિડલ મેન નહીં, કોઈ વહિવટી ચાર્જ નહીં, સીધા જ ગરીબોના કામ માટે વપરાતા હોય ને  તમે એક રૂપિયો વાપરો તો સામે વાળો એક વાપરવાનો અને તમે નહીં વાપરો તો સામે વાળો વાપરવાનો જ નથી. એટલે મેં એકાવન નો સંકલ્પ કર્યો. હવે એકાવન નો સંકલ્પ કર્યો એમાં એક પ્રદિપસિંહજી છે. ચાર્ટર્ડ- એકાઉન્ટન્ટ છે, એમની મુંબઇ, સુરત ઓફિસ છે. પચાસ ચાર્ટર્ડ-એકાઉન્ટન્ટ એમને ત્યાં સર્વિસ કરે છે. અને મારા મિત્ર હતા તો એમને મેં આમંત્રણ આપ્યું. એક ભવનમાં તો તરત ભાગીદાર થઈ ગયા અને આવ્યા લોકાર્પણમાં… લોકાર્પણમાંથી આવ્યા પછી અઠવાડિયા પછી મને ફોન આવ્યો, “આપ ચાઇ પીને કે લિયે ઓફિસ આઈએ”. હું ગયો તો એમણે કહ્યું:  “મને આ તમારું કામ બહુ ગમ્યું , આનાથી સારું કોઈ કામ ન હોય” એટલે મારી તમને એક રિકવેસ્ટ છે બે હાથ જોડીને, તમે ૧૦૮ નો પ્રણ લ્યો. અને અત્યારે જ કોઈ ને કહી દો કે, મેં ૧૦૮નો સંકલ્પ લીધો છે. અને યદિ “આપકો પાર્ટનર ના મિલે તો પ્રદીપ સિંહ બેઠા હૈ.”

એ વાત પછી તો અમે અમારું મોડલ સુધાર્યું અને ભાવ પણ વધી ગયા હતા, પણ એમણે વાત કરી પછી મારે ૫૭ વધારવાના હોય તો મારા ભાગમાં નવ કરોડ રૂપિયા આવતા હતા. એટલે એ વિચાર્યું. ઈશ્વર અને તમારા બધાનાં માર્ગદર્શન અને સલાહથી જે કંઈ શીખ્યો છું કે, સલાહ દેવાવાળા ય ભાવમાં નથી, લાગણીમાં નથી, ક્યાંય કોઈ વડામાં બંધાયેલો નથી એ બધું પાંચ મિનિટ માં મેં એમને માપ્યા. પછી મેં અંદરવાળા ને પૂછ્યું, તો અંદરથી એક અવાજ આવ્યો કે તને સલાહ દેનારમાં માં ઈશ્વર આવીને બોલે છે. એટલે મેં તરત જ મથુરભાઈ ને ફોન કર્યો કે આપણે આજથી ૧૦૮નો સંકલ્પ લઈએ છીએ. પછી તો  ૧૦૮ સહયોગી દાતાઓ ક્રોસ કરી ગયા,  એટલે ૧૫૧ ભવનનો સંકલ્પ કર્યો.

હવે ૮૨-૮૩મું લોકાર્પણ હતું,  ત્યાં ૧૫૩ દાતાઓ થઈ ગયા. તેથી  ૧૭૫ નો સંકલ્પ કર્યો. પછીનાં  ભવન માં પાર્ટનર હતા અનુભાઈ તેજાણી. ચોમાસું હતું ને એના બે ય  લોકાર્પણ એક જ દિવસે હતાં. તો સવારે કશું  ના બોલ્યા પણ બપોર પછી સ્ટેજ ઉપર અમે બન્ને બાજુમાં બેઠા હતા તો મને કહે  કેશુભાઈ ૧૭૫નો આંકડો શું લેવો ?  મારી બીજી પાંચ લખો. એટલે મેં ૨૦૮નો સંકલ્પ કર્યો, ત્યારે તો ૨૦૮ પાર્ટનર નોહતા પણ ૨૦૮નો આંકડો પર કરી નાખ્યો. એમાં ગયા ઉનાળે હું અમેરિકા ગયો. “વિવેકાનંદ નેત્ર-મંદિર” માં  ભાવિન પટેલ છે.  એમણે  મને ચાર પુસ્તકો “સ્વામી વિવેકાનંદના” આપ્યા. હું સાથે બેગમાં લઇ ગયો. હવે લાલજીભાઈના ઘરે ન્યુયોર્ક રોકાણા હતાં, ત્યાં બધા રોજ શોપીંગ માં જાય ને  મને શોપીંગનો ટકોય શોખ નથી. એટલે મેં બેસીને એ પુસ્તકો વાંચ્યા. એ પુસ્તકો વાંચ્યા અને “સ્વામી વિવેકાનંદ” ના જે હું તમને અત્યારે વાત કરું ને , એનાં જે દર્દો ભારતની ગરીબી, ભારતની પરાધીનતા , એની માનસિક , આર્થિક ને શારીરિક બધી રીતની કંગાલીયત વાંચીને  એટલે હું દ્રવી ગયો. મારુ હૈયું વલોવાઈ ગયું ને મેં ત્યાં ન્યુયોર્ક બેઠા-બેઠા જ ૩૦૯ નોં સંકલ્પ કર્યો. બોલો લ્યો, આ મારી કહાની છે, ભદ્રાયુભાઈ…

*************************************

કેશુભાઈ નવા યુગના વિનોબાજી હોય તેવું લાગે છે ને ?? તેમની સાથેની ગોષ્ઠી તો ઘણી લાંબી છે પણ આપ સૌની જાણ માટે કે 309 માંથી 181 શિક્ષકન ભાવનોના લોકાર્પણ થઇ ચુક્યા છે. અરે, 309 માંથી 267 ભવન માટેના દાતાઓ પણ નક્કી થઇ ચુક્યા છે. અને હા, હવે કેશુભાઈની આ શિક્ષણ ભવન અર્પણની યાત્રા કેવળ ગુજરાત સુધી સીમિત નથી રહી, પરંતુ ભારતના પંદર રાજ્યો સુધી વિસ્તરી ચુકી છે. તેઓએ જબરી ટિમ બનાવી છે અને મોંઢામાં આંગળા નાખી જઈએ એવું સઘન આયોજનનું નેટવર્ક ગોઠવી લીધું છે.

શ્રી કેશુભાઈ ગોટી  કેવળ એક નહીં એમનું આખું કુટુંબ, મિત્રો, સંબંધીઓ એમને વ્હાલથી ‘કેશુ ભગત’ કહે છે, કારણ તેઓ ખરા અર્થમાં શિક્ષણ અને માનવની ભક્તિમાં લિન બની ગયા છે એટલે હોંશભેર અને જોશભેર એક મોજીલો કાફલો સાથે લઈને સાચા અર્થમાં શિક્ષણની યાત્રા કરી રહ્યા છે. કદાચ આ લેખ આપ વાંચશો ત્યાં સુધીમાં કેશુભાઈનો સંકલ્પ આગળને આગળ વધી ચુક્યો હશે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ગ્રામસેતુ એપ્રિલ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

R Mankad all.3

આયકરની નોકરી છોડી શિક્ષણનો કર ઝાલનાર સમાંતર શિક્ષણ વ્યવસ્થાના શિક્ષક શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ન ચોર હાર્યું ન ચ રાહાર્ય  ન ભાતૃભાજ્યમ્ ન ચ ભારકરિ વ્યયે કૃતે વર્ધત એવ નિત્ય, વિદ્યા ધર્મ સર્વ ધનમ્ પ્રધાનમ્।

એ માતાશ્રીની રોજની પ્રાર્થનાના શિડ્યુલનો પહેલો શ્લોક! દિવસનું ફૉર્મલ ઍજ્યુકેશન પૂરું થાય પછી ઘરે ઇન્ફૉર્મલ ઍજ્યુકેશન શરૂ થાય. શ્લોકથી શરૂઆત અને એમાં પણ વિદ્યાનું જ પ્રાધાન્ય અને મહત્ત્વ! તેથી જ તો શિક્ષણ સાથે જાણે નાળસંબંધ બંધાયો. સૉર્સ ઑફ ઇન્સ્પિરેશન ઍન્ડ ઍન્કરેજમૅન્ટ એટલે માતા અને પિતા. એમનું આખું જગત સમાય ગયું એ વિભૂતિઓમાં. શ્રી હરખલાલ વસંતરાય માંકડ અને સૌ. બાળાબહેન માંકડ. સૌથી મોટા પુત્ર રમેશભાઈ માંકડ. સંસ્કાર પિંડ ઘડાયો ભારતીય સંસ્કૃતિના ભાતીગળ માહેલમાં. માતા તેર વર્ષે પરણેલા. માત્ર ત્રણ ગુજરાતી ભણેલાં. જીવન કથા-કીર્તન-ધાર્મિક ગ્રંથોનું વાચન કરવામાં વીત્યું. માંડ માંડ ઉકલે તેવા અક્ષરોમાં બાળાબહેને ગ્રંથોનો નિચોડ પણ લખેલો. સંતાનોને વહાલથી કહેતા જાય : જ્યારે સમય મળે ત્યારે આ પુસ્તકો વાંચી જજો.’ પિતાશ્રી નૉનમૅટ્રિક. પણ એ સમયમાં નૉનમૅટ્રિક એક લાયકાત ગણાતી, કારણ કે તે સમયના નૉન-મૅટ્રિક આજના અનુસ્નાતકને પરસેવો પડાવે તેવા હોંશિયાર. પિતાશ્રીએ ગુજરાતી માધ્યમમાં ફોર્મ (આજનું આઠમું ધોરણ) શરૂ કરનારા દીકરા રમેશને આદેશ કર્યો : “From today onward you will speak with me in English for half an hour daily.’ ધીમે ધીમે સમય વધતો ગયો. સ્પેલિંગ-ઉચ્ચાર-રજૂઆત અંગે પિતાશ્રી સાથે રીતસર શાસ્ત્રાર્થ થતો ગયો.

બન્યું એવું કે રમૂજી પ્રકૃતિવાળા કાકા અમારા ઘરે આવેલા, રોકાયેલા. એમના ગયા બાદ પિતાજીને મેં કહ્યું : હીઝ કમ્પની ગેવ મી ગ્રેટ જૉય… પિતાજીએ મુદ્દો પકડ્યો. જોય’ શબ્દનો ઉપયોગ તો યોગ્ય કર્યું… પણ આપણે ક્યાંક બહાર ઘૂમતા હોઈએ ત્યારે ઊડતાં પંખીઓ (ફ્લાઇંગ બર્ડ્સ), વહેતી સરિતાઓ (ફ્લોઇંગ રિવર્સ), ડોલન કરતાં પુષ્પો (ડાન્સિંગ ફ્લાવર્સ) કે કોઈ અદ્ભુત શિલ્પ નિહાળવા મળે તો જોય’ શબ્દના સ્થાને કર્યો શબ્દ વાપરશો? એમણે જ જવાબ આપ્યો : “ડિલાઇટ” કે પ્લેઝર’ કે ‘જોય’ તો છે જ પણ તમે કુદરતી સૌંદર્યના મૂક ભાવે પ્રેક્ષક થાવ છો ત્યારે હૃદયના આનંદનું ઝરણું બહાર આવ્યું છે તે દર્શાવતો શબ્દ છે ‘રેપ્ચર’ (Rapture)… અને આનંદની માત્રા વધતી જાય તેમ શબ્દો બદલાતા જાય : રેપ્ચર’ પછી ‘એક્સટસી’ અને બ્લીસ’ મારી ઉંમર ન હતી આ બધું સમજી શકવાની, પણ ઉમેરાતું હતું બધું. પિતા વર્ણન કરી સમજાવતા. વિશાળ લલાટ હોય – લગભગ કાન સુધી અડે એવી લીંબુની ફાડ જેવી આંખો હોય – મુખારવિંદ પર તેજ હોય, નૂર હોય, આભા હોય

સમથિંગ લાઇક ઑરા હોય ત્યારે એવી પર્સનાલિટીને કહેવાય August Personality! બહુ મોટો થયો ત્યારે ઍપ્રોપ્રિએટ યુસેઝવાળી વાત શીખવી ન પડી કારણ પિતાજીએ નાની વયે બધું ઘોળી ઘોળીને પાયું હતું.’ રમેશભાઈ માંકડ પોતાનાં વનઆદર્શ એવાં મા-બાપ વિષે ભાવવિભોર થઈને બોલતા જ રહે છે.

જન્મ જામનગરમાં પણ શૈશવ ગાંધીભૂમિ પોરબંદરમાં. ત્યાં પ્રાથમિક શિક્ષણ, પછી ત્રણ વર્ષ રાજકોટ જેમાં એક વર્ષ દેવકુંવરબા સ્કૂલમાં અને મૅટ્રિક સુધી આલ્ફ્રેડ હાઈસ્કૂલ – આજની મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં. શિક્ષકો ઇનોવેટિવ અને સ્ટુડિયસ. એ શિક્ષકો એમ માનતા કે વિદ્યાર્થીઓને હોમવર્ક આપવાની વાત તો પછી આવે, પહેલાં શિક્ષકોએ હૉમવર્ક કરવાનું હોય! પોતે બરાબર તમારું સજ્જ ન હોય તો તેઓ રજા પર રહેતા. અંગ્રેજના શિક્ષકે સમજાવેલું કે : કોઈપણ ટેન્સ (કાળ) પ૨ તમારે પ્રભુત્વ તો જ આવી શકે જો તમે તેના ઉપર અનેકાનેક વાક્યો લખેલ હોય, શિક્ષક પોતે બોર્ડ પર એટલું લખતા તે સાંજે ઘરે પહોંચે ત્યારે ઘરના સભ્યો તેમનાં મસ્તક ૫૨ જમા થયેલી ચૉકસ્ટીકની ભુક્કી જોઈને કહે કે, “તું કડિયાનો દીકરો છો કે શિક્ષક ?” બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી બી.એ., રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી એમ.એ. અને એ.એમ.પી. લૉ કૉલેજમાંથી કાયદા સ્નાતકની ઉપાધિઓ પ્રાપ્ત કરનાર રમેશભાઈ માંકડના જીવનમાં જબ્બર વળાંક લાવનાર ઘટના બની. ૧૯૫૭નો સમય. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કૉલેજમાં જુનિયર બી.એ.માં ભણે. સંસ્કારી-સરળ- મહેનત-શાંત-સૌમ્ય યુવાન ઉછેરમાં પરગજુપણું મળેલું. અચાનક જાણવા મળ્યું કે એક બ્રાહ્મણ બહેનના પતિનું અકાળે અવસાન થયું. પતિ હતા પોસ્ટઑફિસમાં… નાની ઉંમરે વૈધવ્યનો ભોગ બનેલ બહેનને એક દીકરો. ભણે પણ ઠીક ઠીક સૌએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. જૂનાગઢના પોસ્ટમાસ્ટરે કહ્યું કે, બહેનનો દીકરો જો અંગ્રેજીમાં સરનામાં વાંચતાં શીખી જાય તો તેને મૅસેન્જર’ની જ્ગ્યા પર નોકરીએ રાખી દઈએ. બહેનનો આધાર ઊભો થાય. પણ આ ટૂંકા ગાળામાં સિદ્ધ કરવો પડે તેવો પડકાર ઉપાડે કોણ? રમેશ માંકડના કાને આ વાત આવી. તેણે બીડું ઝડપ્યું. કૉલેજ પહેલાં અને પછી, પેલા વિધવા માતાના દીકરા પાસે એમણે પલાંઠી વાળી. મા દીકરીના માથામાં તેલ નાખતી વખતે જેમ વહાલથી પાંથીએ પાંથીએ તેલ પૂરે, એટલા સ્નેહથી યુવાન રમેશ વિધવા માતાના આધારને અંગ્રેજી શીખવવા લાગ્યો. નિષ્કામ કર્મનો ગીતા ઉપદેશ ચિરિતાર્થ થયો. જુનિયર બી.એ.માં ભણતા છોકરાએ એક કુટુંબનો કાયમી આધાર બની રહેવામાં એક દીકરાને સફ્ળતા બક્ષી અને પોતાની જિંદગીના અધ્યાપન માર્ગનો અજાણતાં પાયો નાંખ્યો! આજે પંચોતેર વર્ષ તરફ સરકતા રમેશભાઈ માંકડ આ પ્રસંગ વર્ણવત ગળગળા થઈ જાય છે અને શાળા-કૉલેજની ઔપચારિકતામાં જે ન થઈ શકે તે કરી બતાવ્યાની ચમક આંખમાં છલકાય છે!

બસ, આ ઘટનાથી મનનો કોઈ અર્દશ્ય પ્રદેશમાં એક વાત ઘર કરી ગઈ કે, શાળા-કૉલેજમાં અપાતા ઔપચારિક શિક્ષણમાં જે કચાશ રહી જાય તેને દૂર કરવાનું કામ કરવા જેવું છે. પોતાના બન્ને ભાઈઓને વાત કરી. સારું એ હતું કે સૌથી નાના ભાઈ બિપીન માંકડનો ગણિત પર કાબૂ અને વચલા ભાઈ મધુભાઈ માંકડ સમાજવિજ્ઞાન ભણાવવામાં પ્રભાવક. જૂન ૧૯૫૮માં રાજકોટમાં સૌ પ્રથમ માંકડ ક્લાસીસનો જન્મ થયો. Alternative કે Parallel System of Educationનો પાયો નખાયો ગુજરાતમાં! ક્લાસીસ શરૂ કરતી વખતે માતાપિતાની નિશ્રામાં બેસી ત્રણેય માંકડ બંધુઓએ ક્લાસીસની આચારસંહિતા ઘડી. આજના કહેવાતા ટ્યૂશન ક્લાસીસવાળા માટે તો એ આચારસંહિતા દીવાદાંડી સમાન છે. (૧) ફીનું ધોરણ એટલું વધુ ન હોવું જોઈએ કે આ કાર્ય પાછળનો ઉમદા હેતુ માર્યો જાય. (૨) શિક્ષકનાં સંતાન પાસેથી ફી ન લેવી. (જેણે ભવ પાર ઉતાર્યાં અને ગંગા પાર ઉતારવાના નાણાં લેવાય ?’) (૩) એક શેરી તો એક કુટુંબ ગણાય, એટલે માંકડ કુટુંબની શેરીમાં રહેતાં કોઈ બાળકની ફી નહીં લેવાની. (૪) એક કુટુંબમાંથી એક વિદ્યાર્થી વર્ગમાં અભ્યાસ કરતો હોય તો તેના ભાઈ-બહેનની ફી નહીં લેવાની. (૫) થોડી ફીમાં બધા જ વિષયો ભણાવવાના (૬) લેખિત નોટ નહીં આપવાની પણ વિદ્યાર્થીને લખતા કરવાના. (૭) ટ્રાફિકની ગીચતા નિવારવા ક્લાસમાં આવનાર વિદ્યાર્થીએ વાહન લઈને નહીં આવવાનું! ૧૯૫૮થી ૧૯૭૦ સુધી માસિક રૂપિયા છમાં સાત વિષયો માંકડ ક્લાસીસમાં શીખવાયા. ગરીબ-નબળાંને મદદ મળે અને આપણને પેટ પૂરતી રોજગારી મળે તેટલા જ ઉદ્દેશથી ૧૬, પંચનાથ પ્લૉટ, રાજકોટ ખાતે ૧૯૫૮થી ૨૦૦૦ સુધી માંકડ ક્લાસીસ ચાલ્યા! ૨૦૦૦ની સાલ પછી નૈતિક મૂલ્યો બદલાયાં, શિક્ષકનું કતૃત્વ બદલાયું, અસ્વસ્થ અને બિનતંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ શિક્ષણમાં, એટલે રમેશભાઈ માંકડે ગીતાવચન મુજબ ‘કાચબો જેમ અંગોને સંકોરે સા’ પોતાની જાતને withdraw કરી લીધી!

સળંગ બેતાલીસ વર્ષો નિજાનંદ માટે સમાંતર શિક્ષણ વ્યવસ્થાના ધૂરંધર શિક્ષક બની રહેના૨ ૨મેશભાઈ માંકડ પાસે જે અંગ્રેજી શીખ્યા તે આજે અંગ્રેજી માધ્યમમાં ભણેલા ખેરખાં સામે ટક્કર લે છે. તેઓ પાઠમાળા શીખવે ત્યારે વર્ગમાં શાંત ઝરણું વહેતું હોય એવું લાગે. To beનાં રૂપ શીખવવાની અને તેમાંય ત્રીજા પુરુષ એકવચનમાં થતા બદલાવની રમેશભાઈની લઢણ આજે ય ઘણા હૃદય ધબકારે અકબંધ છે. એસ.એસ.સી.ની બોર્ડની પરીક્ષા પહેલાં અને દરમિયાન માંકડ બંધુઓ નબળાં અને ઓછાં આત્મવિશ્વાસવાળાં ગભરુ વિદ્યાર્થીઓનાં ઘરે જઈ બેસે ને જબરો માનસિક ટેકો કરે. રમેશભાઈ માંકડ કહે છે : બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં પ્રિ. ભરૂચાસાહેબ અને પ્રો. પ્રભુ દેસાઈએ જે શૈક્ષણિક પર્યાવરણ ઊભું કરેલું તેની મારા પર પ્રગાઢ અસર છે. બહાઉદ્દીન કૉલેજનાં Particles of Airમાં જે ભારોભાર વિદ્યા” હતી. તેને મેં મારી કર્મસ્થળે સર્જવા પ્રયત્ન કર્યો છે.’ જો કે, રમેશભાઈ માંકડની વિશિષ્ટ શિક્ષન્નયાત્રામાં એક સમયે ધર્મસંકટ પણ ઊભું થયું હતું. હોંશિયારી તો ગળથૂથીમાં. રમેશભાઈ UDCમાં સફળ થયા, જોડાયા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં. ૧૯૫૯થી ૧૯૬૫ કેન્દ્ર સરકારની નોકરી દરમ્યાન ખાતાકીય પરીક્ષામાં પાસ થયા. ડાયરેક્ટ રિફ્રૂટ એક્ઝામમાં પણ સફ્ળ થયા અને પ્રમોશન મળવાના હુકમો થયા. પોતે કુટુંબના મોટા દીકરા, પરિણીત અને એક દીકરાના પિતા. પ્રમોશનથી ઘરમાં ખુશીનો માહોલ. રમેશભાઈનું મન બીજા જ વિચારે ચડ્યું. માંકડ ક્લાસીસમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીના શિક્ષણનું નક્કર કામ થતું હતું, ત્યાં ધસારો વધી રહ્યો હતો. આઇ.ટી. ઇન્સ્પેક્ટરનું પ્રમોશન સ્વીકાર્યા પછી ક્લાસનું કામ કરવું નૈતિક રીતે ખૂંચશે તેની ખાતરી હતી. ધર્મસંકટ વખતે અધ્યાપન-લગાવ જીત્યો. જૂનાગઢની બ્રાહ્મણ વિધવા બહેનનો દીકરો નજર સમક્ષ આવ્યો. પ્રમોશન તો ન સ્વીકાર્યું પણ નોકરી જ છોડી દીધી! રમેશભાઈ મૃદુતાથી સાચા શિક્ષકના હૃદયની વાત કરે છે : નોકરી છોડી તે જીવનનું મોટામાં મોટું જોખમ હતું, પણ મને કોઈ Invisible Divine Force જીવનને યુ-ટર્ન આપવા પ્રેરણા આપતો હતો. બેંતાલીસ વર્ષોની પળેપળ વિદ્યાર્થી વચ્ચે જ રહ્યો, અંગ્રેજીમય બન્યો અને બનાવ્યો, હજારો વિદ્યાર્થીઓ સાથે પ્રેમનો નાતો બંધાયો તે મારી અખૂટ મૂડી.’ એક શિક્ષકને બીજું જોઈએ ય શું?

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..

ગ્રામસેતુ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

Dinkar 3

કમ્મરના મણકાની વેદના શબ્દો દ્વારા કાગળ પર ઊતરતી ચાલી!

ચૌદ વર્ષની ઉંમરે એક કિશોરને કમ્મરના મણકાની વિચિત્ર બીમારી ઘેરી વળે છે. તેનાં બેથી અઢી વર્ષ પથારીમાં જ વીતે છે. પથારીમાં પડ્યો પડ્યો તરુણ કંટાળે જ ને? ખાસ વાંચનનો શોખ નહીં, પણ કંટાળીને પડ્યાં પડ્યાં વાંચવાનું શરૂ કરે છે અને તેને વાંચનનો ચસકો લાગે છે! ઘરમાં ત્યારે બીજાં તો પુસ્તકો ન હતાં. એક જૂનું રામાયણ મળી આવ્યું તેમાંથી જટાયુવધ જેવા પ્રસંગ ચિત્રો ગમ્યાં. નાનાભાઈ ભટ્ટનાં મહાભારતનાં પાત્રો’ તો ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રસંગો’ વાંચી નાખ્યો. મણકાના દુખાવાને કારણે નિર્વસ્ત્ર અવસ્થામાં ખાટલા પર બાંધીને સૂવડાવી રખાતો તરુણ વાંચનનો રસિયો બને પછી તે જીવનભર વાચન-લેખન સિવાય કરે ય શું? બન્યું પણ એવું જ. દિનકર જોષી જેનું નામ આજે આઠમા દસકે સાહિત્યસર્જનની ઉપનિષદયાત્રામાં જ જીવન વિતાવે છે.

પછી તો હિતવર્ધક મંડળની લાઇબ્રેરીમાંથી રોજ એક પુસ્તક લાવવાનો ક્રમ થયો. કનૈયાલાલ મુનશી, ૨. વ. દેસાઈ, ઝવેરચંદ મેઘાણી પૂરા વાંચ્યા. સોળ વર્ષની ઉંમરે એક વાર્તા લખી : ગત આ અકસ્માતનું.’ ચાંદની વાર્તા માસિકમાં છાપવા મોકલી. છપાઈ તો નહીં, પણ પાછી ન આવી. દિનકરને કચોરી ખાવાનો શોખ. એકવાર કચોરી બાંધેલી તે છાપાંનું કાગળિયું જોયું તો તેમાં પેલી વાર્તા! તે છાપું હતું જનસત્તા. એક જ ગ્રુપનાં પ્રકાશન હોવાથી વાર્તા મોકલી ‘ચાંદની’માં ને છપાઈ જનસત્તા’માં! પણ પછી જ્યારે નવચેતન’માં ચાંપશી ઉદ્દેશીએ ‘સંભવામિ યુગે યુગે’ વાર્તા છાપી ત્યારે દિનકર જોશીને શેર લોહી ચડેલું. ત્યારે ઉંમર હતી એકવીસ વર્ષ. આમ તો ૧૯૫૦ થી લખવાનું શરૂ કર્યું છે, એ ગણીએ તો આજે છોત્તેર વર્ષના થયેલા દિનકર જોશી છેલ્લાં ત્રેસઠ વર્ષોથી લખે છે! સૂર્ય સમાન ઝળહળતા શબ્દોની આ ઉપાસના નહીં તો બીજું શું?

નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, આધ્યાત્મિક ચિંતનના સર્જક, મહાભારત અને રામાયણ આદિ પુરાણગ્રંથો અંગેના અભ્યાસગ્રંથોના લેખક, સંપાદક, કવિતાના આસ્વાદકાર તરીકે જેમનું નામ દેશભરમાં પ્રસિદ્ધ છે એવા કલમનરેશ દિનકર જોશીનું સર્જન હિન્દી, મરાઠી, અંગ્રેજી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ, તામિલ જેવી ભાષાઓમાં પણ પ્રકાશિત થયું છે. સવાસોથી વધુ પુસ્તકો પ્રકાશિત થયું છે તેમાંથી પચાસ પુસ્તકો તો અન્ય ભાષાઓમાં છપાઈને દેશભરનાં વાંચકો સુધી પહોંચ્યાં છે.

ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ દિનકર જોશીનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. કવિ નર્મદ, ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી, ભારતીય ઇતિહાસમાં ક્રુરુક્ષેત્ર પછીના મહાસંહાર માટે જેમને જવાબદાર ઠેરવી શકાય એવા મહમદ અલી ઝીણા તથા વૈશ્વિક કવિ રવીન્દ્રનાથ ટાગોરના જીવન ઉપર આધારિત એમની નવલકથાઓએ ગુજરાતી નવલકથા ક્ષેત્રે એક અનોખી કેડી કંડારી છે. હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યાંતરો થયા અને એના અંગ્રેજી નાટ્યરૂપે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ન્યૂયૉર્કમાં ગાંધી જયંતિ નિમિત્તે ઇન્ડો અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં યોજાયેલા સમારંભમાં રિચાર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી”, શ્યામ બેનેગલની ફિલ્મ મેકિંગ ઑફ મહાત્મા’ની સાથે જ પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતિરત થયેલું નાટક માત્મા વર્સેસ ગાંધી’ પણ સ્થાન પામ્યું હતું અને એમાં સન્માનિત થયેલા આ ત્રણેય કૃતિઓના નિર્માતા, દિગ્દર્શક અને લેખકર્મા શ્રી દિનકર જોશી પણ એક હતા.

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી કોઈપણ એક લેખકને એના જીવનકાળ દરમિયાન મહત્તમ પાંચ વખત પુરસ્કૃત કરી શકે તેવો નિયમ છે. દિનકર જોશી પાંચ વાર પુરસ્કૃત થયા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે વાર સન્માનિત આ સર્જકને “મેડમ બ્લેનેટેસ્કી પારિતોષિક’, સંસ્કાર ઍવૉર્ડ, ગિરનાર ઍવૉર્ડ પણ મળેલ છે. ૨૦૦૪માં દિનકર જોશીની લેખન કારકિર્દી નિમિત્તે મુંબઈની કેટલીક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં દિનકર જોશીના ૧૧ ગ્રંથો એકી સાથે જુદી જુદી ભાષાઓમાં પ્રકાશિત થયા. સમગ્ર ભારતીય ભાષાઓના સાહિત્યમાં આ ઘટનાને એક વિક્રમ તરીકે સ્વીકારીને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્ઝમાં સ્થાન આપવામાં આવ્યું. તેમના બહુ ચર્ચિત પ્રકાશનો પડછાયો’ પરથી તૈયાર થયેલ અંગ્રેજી નાટક “મહાત્મા વર્સેસ ગાંધી’નું નાટ્યું દિગ્દર્શન ફિરોઝખાને કર્યું. આ નાટક તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનના વિશેષ નિમંત્રણથી રાષ્ટ્રપતિ ભવનમાં ભજવાયું, તો આ નાટક્ના શૉ યુરોપ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકાના શહેરોમાં પણ થયા. દિનકર જોશીની નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે. શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ પછી શ્રીકૃષ્ણ હવે નથી’ એવું જાણતાંવેંત વસુદેવ, દેવકી, દ્રૌપદી, રુક્મિણી, સત્યભામા, અક્રુર, ઉદ્ધવ અને રાધાના અંતરમાંથી કેવો ચિત્કાર સરી પડ્યો હશે એ કલ્પનાને દિનકર જોશી શ્યામ એકવાર આવોને આંગણે’માં શબ્દદેહ આપે છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, તેલુગુ અને બંગાળીમાં અનુવાદિત આ ગ્રંથ ત્રણ સામયિકોમાં જુદી જુદી ભાષાઓમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થાય એ ગુજરાતી સર્જનનું ગૌરવ પૃષ્ઠ ગણાય! ગુજરાત, હૈદ્રાબાદ, મુંબઈ, ભોપાલમાં આ ધારાવાહિકરૂપે અનૂદિત થઈ.

દિનકર જોશીએ જીવનભર શું લખ્યું જ છે? અન્ય કંઈ ખરું કે નહીં?” આ પ્રશ્ન વજુદવાળો છે. ભાવનગરમાં ભડી ભંડારિયા નજીકનું નાનું ગામ નાગણિબા. ત્યાંના કર્મકાંડી બ્રાહ્મણ પરિવારમાં ચાર સંતાનોમાં એક તે દિનકર. મેટ્રિકમાં ૭૮% આલ્ફ્રેડ હાઇસ્કૂલમાંથી લઈ શામળદાસ કૉલેજના પ્રથમ વર્ષમાં બે મહિના માંડ કાઢ્યા. આર્થિક સ્થિતિ કથળી એટલે ભણવાનું પડતું મૂકી કલેક્ટર ઑફિસમાં સિત્તેર રૂપિયા પગારની નોકરી કરી. પછી વેસ્ટર્ન રેલવેમાં સ્ટેશન માસ્તર થયા, સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રમાં કલર્ક થયા. પણ ત્યારબાદ તો દેના બૅન્કમાં સળંગ સાડત્રીસ વર્ષ નોકરી કરી નિવૃત્ત થયા. પરંતુ આ જીવ બૅંક અધિકારી તરીકે નહીં, બલ્કે સાહિત્યકાર તરીકે પ્રખ્યાત થયો. હાલ પણ ઘરથી નજીક કાંદિવલીમાં જ એક નાનું લેખનઘર વસાવ્યું છે, તેમાં નીચી ખુરશી પર આરામથી બેઠા બેઠા બોલે છે, બાજુમાં બેસી દીકરી લખતી જાય છે. કમ્મરના મણકા હજુ વેદના આપે છે. ગળામાં અને કમ્મરમાં પટ્ટો, બેસતી વખતી ખાસ ગાદી… છતાં દિનકરભાઈ પ્રસન્ન અને પ્રફુલ્લિત… સવારે વહેલા જમીને બાપ-દીકરી આવે તે સાંજે મોડેથી જમવા ટાણે લેખનઘરેથી સ્વગૃહે પ્રયાણ કરે. હાલ કાંદિવલી ઍજ્યુકેશન સોસાયટીની કેટલીય શિક્ષણ સંસ્થાના વડીલ તરીકે માર્ગદર્શન આપે છે. એક માતબર કામ હાથ પર છે. ગુજરાતી સાહિત્યના સત્ત્વશીલ ગ્રંથોને વિવિધ ભારતીય ભાષાઓમાં અનુદિત કરાવીને, સંબંધિત ભાષાના સ્થાપિત પ્રકાશકો દ્વારા જ પ્રકાશિત કરાવવાના ઉદ્દેશથી ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ સ્થાપ્યું છે. જીવનની ઉત્તરાવસ્થામાં આ પ્રતિષ્ઠાનના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે અભિનવ કામગીરી કરી દિનકરભાઈ જોશીએ વીસ ગ્રંથો પ્રકાશિત કર્યા છે! ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યૂટ, પૂર્વેની મહાભારતની સંશોધિત આવૃત્તિનો ગુજરાતી અનુવાદ કરી તેના પંદર ગ્રંથો તેઓએ પ્રગટ કર્યા છે! દિનકર જોશી જેમ જેમ વધારે લખતા જાય છે તેમ તેમ વધારે ખીલતા જાય છે. લખતાં લખતાં તાજા રહેવાનું તેમને ફાવી ગયું છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે

અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે

અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે

ગ્રામસેતુ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

ખારા રણમાં મીઠી વીરડી સમા શિક્ષકવર્ય…

‘આપના પત્ર બદલ આભાર. આપે માગેલ મારી વિગતો, મારા પ્રદાનની વિગતો બદલ હું આપને નમ્રતાપૂર્વક જણાવું કે ઃ મેં પૂરાં ૪૧ વર્ષ, ૪ માસ પ્રશિક્ષણમાં અધ્યાપક તરીકે કામ કર્યું છે, નોકરી કરી છે. એ દરમિયાન મેં જે કાંઈ કર્યું છે તે પ્રદાન નથી. એ તો પગાર લઈ તેનાં વળતરરૂપે કરેલું કામ છે. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે કામ કરતો અધ્યાપક ધારાધોરણ પ્રમાણે પગાર લે અને તેની બદલીમાં વશક્ષણ (teaching), સંશોધન (research) અને વિસ્તરણ (extension)નું કામ કરે. જો માણસ મારી જેમ માથું મૂકીને કામ કરે તો તે બરાબર જ છે, એની કંઈ વિશેષ નોંધ ન લેવાની હોય. જી, એની કદર રૂપે આપના જેવા મિત્રો આવી લાગણી બતાવે, વિદ્યાર્થીઓમાં રસ્તામાં મળે તો બાઇક પરથી ઊતરી જાય, ભરબજારમાં પગે પડે એટલું પૂરતું છે. જે કામ કર્યું એની કદરરૂપે સરકાર પેન્શન આપે છે, એ ય પૂરતું છે. એ પેન્શનના જવાબમાં અમે રોજ સાત-આઠ કલાક પૂજા-પાઠ, વાચન, લેખન, ક્યાંક કોઈક બોલાવે તો જઈને યથાશક્તિ પ્રવચન વગેરે… ખાસ તો ઈશ્વર સ્મરણમાં કાળ-નિર્ગમન કરીએ છીએ. આ શરીર એનું પ્રારબ્ધ ભોગવે છે. અમે રામ-રટણમાં રાતા-માતા’ ફરીએ છીએ. એટલું ઘણું છે. મારા વિશે લેખ લખવાના ઉધામા રહેવા દો તેવી વિનંતી છે.’

માણસનો સ્વભાવ છે ને કે ના પાડ્યા પછી તો તે કરવાની ઇચ્છા પ્રબળ થાય, એવું જ મારું થયું. શાસ્ત્રી જ્યેન્દ્ર કે. દર્દીના આ પત્રમાં છલકતી તેમની વિનમ્રતા પછી તો ગાંઠ વાળી કે તેઓશ્રીની મનોમન ક્ષમાયાચના કરીને પણ તેઓ વિષે લેખ તૈયાર કરવો. તેઓશ્રીના વિદ્યાર્થીઓની છાનીછપની મદદ લીધી. ફોટોગ્રાફ પણ મિત્રદાવે સંસ્થામાંથી મેળવી આ શબ્દઅર્ધ્ય તૈયાર કર્યું!

શાસ્ત્રી જ્યેન્દ્ર કે. દવે જીવનભર શિક્ષા-સમાધિમાં શ્વસ્યા છે. એ વ્યવસાયે શિક્ષક’ હતા જ નહીં, કારણ શાસ્ત્રીજી જાન્ને સાત ભવથી શિક્ષક હોય એમ અવતર્યા. પ્રાથમિક શિક્ષણ ન લીધું હોવા છતાં પીએચ.ડી.ના ડિગ્રીધારી બન્યા, અનેકને ડૉક્ટરેટની પદવી બક્ષનાર માર્ગદર્શક બન્યા અને આજે નિવૃત્તિમાં પણ વિદ્યાદેવીના ખોળે પરમશિષ્યની અદાથી વલ્લભવિદ્યાનગરમાં વે છે. ધોતિયું અને સદરો પહેરેલ સહજતમ વ્યક્તિત્વ હિંડોળા પર હિંચકતું હોય તો તે સાવ પોતીકું જ લાગે. એક શિસ્તબદ્ધ, ડાહ્યોડમરો શિષ્ય જાણે શ્રી સરસ્વતીદેવી સામે પલાંઠી મારીને અદબ વાળીને આછું સ્મિત કરતો મગ્ન છે, એવું જ લાગે. સ્વસ્થતા તો શાસ્ત્રી સાહેબની. તેઓશ્રીનાં ધર્મપત્નીની ચીરવિદાય વખતે પણ શાસ્ત્રીજીની સ્વસ્થા તેઓને પ્રણામ કરવા પ્રેરે તેવી. છેલ્લા શ્વાસ લેવાઈ રહ્યા છે એવી જાણ થતાં પહેલાંથી શાસ્ત્રીજીએ મૃ, શુદ્ધ અને સ્વસ્થ કંઠે મંત્રગાન શરૂ કર્યું. અંતિમવિધિની સઘળી આવશ્યક શાસ્ત્રોક્ત પવિત્ર વિધિઓ શાસ્ત્રીજીએ ખુદ જ અપાર સ્વસ્થતાથી સ્તોત્રગાન સાથે સંપન્ન કરી અને બહેનશ્રી વસંતબેનને મંગલમયી વિદાય આપી. વલ્લભ વિદ્યાનગરના ઉપસ્થિત નગરજનો અને શિક્ષકોનો બહોળો સમુદાય તો આ સંસ્કાર, સ્વસ્થતા અને સહજતા જોઈ દંગ જ રહી ગયેલ!

મોરબીના વતની, જમશેદપુરમાં જન્મેલા અને બાળપણ સાહેબીમાં વિતાવનાર જ્વેન્દ્ર નાના હતા ત્યારે બગીમાં બેસીને શાળાએ જતા. પિતાશ્રી કર્મે શિક્ષક. તેને કોઈ જ્યોતિષીએ ત્યારે કહેલું : ભઈ, આની પાછળ મહેનત ન કરશો, એ એમની રીતે તૈયાર થઈ જશે.’ બસ, જ્યોતિષની આટલી જ વાતથી પ્રેરાઈને, ખુદ સંસ્કૃત- વેદ-જ્યોતિષ વિદ્યાના પ્રખર જ્ઞાતા પિતાશ્રીએ બાળક્ને ભન્નતરનાં બંધનમાં બાંધવાનું ટાળ્યું. ક-ખ-ગ શીખવ્યા વગર જ બ્રાહ્મણ કુળના શિક્ષક પિતાએ દીકરાને ઘરનું પવિત્ર વાતાવરણ અને પ્રેમાળ હૂંફ વચ્ચે છુટ્ટો મૂકી દીધો. ધીમે ધીમે દીકરો સંસ્કૃતમાં પારંગત થવા લાગ્યો. અમદાવાદ ખાતે ગુરુ પરંપરાની પાઠશાળામાં સંસ્કૃતનો પ્રખર અભ્યાસ કર્યા બાદ, સાહિત્યશાસ્ત્રમાં પારંગત બની પાઠશાળાની શાસ્ત્રી”ની ઉપાધિ મેળવી. આજનાં આપણાં સ્નાતકની સમકક્ષ ગણાતી આ ડિગ્રી મૂલ્યની દૃષ્ટિએ ક્યાંય અદકેરી! સ્નાતક થાય તે ચોપડી ભણે, શાસ્ત્રી થાય તે જીવન ભણે! સ્નાતકની ડિગ્રી કાગળિયું છે, ‘શાસ્ત્રી’ની ઉપાધિ તો માદળિયું છે. શાસ્ત્રીની ઉપાધિ મેળવી, વધુ અભ્યાસ માટે એક્વીસ વર્ષની વયે તેઓએ બી.એડ્. સમકક્ષ જી.બી.ટી.સી. પાસ કર્યું અને એમ.એડ્.ના પ્રવેશ માટે ગયા ત્યારે શિક્ષણ વિદ્યાશાખાના તજ્ઞ ડૉ. કે. જી. દેસાઈએ ટકોર કરી : સંસ્કૃત એક માત્ર ભાષા નથી, પહેલાં અંગ્રેજી શીખી આવો.’ જ્યેન્દ્રભાઈએ દલીલ ન કરી, પણ અંગ્રેજમાં પારંગત થવાનો માર્ગ પકડ્યો. એક જ વર્ષમાં અંગ્રેજી પર પ્રભુત્વ મેળવી એમ.એ.માં પ્રવેશ મેળવી લીધી. અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં પી.ટી.સીના અધ્યાપક તરીકે ૧૯૬૧માં જોડાયા. ત્યાંથી જ્વેન્દ્રભાઈ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તરફ વળ્યા તે એવા વળ્યા કે શાસ્ત્રીજીએ આજ સુધી ત્યાં જ પલાંઠી વાળી લીધી છે.

ગુજરાતી-હિન્દી-અંગ્રેજી-સંસ્કૃત ચારેય ભાષાઓ ઉપર ગજબનાક પક્કડ, ઊંડાન્નપૂર્વકનો અભ્યાસ સતત-સખત અધ્યયન, આજે પણ. સ્મરણશક્તિ તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિ તો બેજોડ. ફકરાના ફકરા કડકડાટ બોલે તો દંગ રહી જ્વાય. ડૉ. આર. એસ. ત્રિવેદી પાસે ડૉક્ટરેટ કર્યું. પૂજ્ય શ્રી રંગ અવધૂતજીના આજ્ઞાંકિત શિષ્ય અને પરમ ઉપાસકની આસ્થા એટલી પ્રબળ કે તેઓ પીએચ.ડી.ની થિસીસ ગુરૂદેવનાં સ્થાનકે ચરણે ધરીને પછી યુનિવર્સિટીમાં સોંપવા ગયા હતા! શાસ્ત્રીજીનાં માર્ગદર્શનમાં Ph.D. થનાર ડૉ. મોતીભાઈ પટેલને સાઠ વર્ષ થયાં ત્યારે તેના મહોત્સવની જવાબદારી જ્વેન્દ્રભાઈએ ઉપાડી, આટલા સહજ! કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ’ એવું પુસ્તક કરવાની પ્રેરણા પણ જયેન્દ્રભાઈએ આપી, જે પુસ્તકની સાત આવૃત્તિઓ થઈ! શાસ્ત્રીજીએ ગુજરાતી-કલા-સાહિત્ય-શાસ્ત્ર અને ફિલસૂફીના પચાસથી વધુ પુસ્તકો લખ્યાં છે. પહેલાં અંગ્રેજી શીખતા આવો’ એવું કહેનાર ડૉ. કે. જી. દેસાઈએ હોંશભેર શાસ્ત્રીજીનાં પુસ્તકની પ્રસ્તાવના લખી ગૌરવ અનુભવેલું! કેળવણીનાં તાત્ત્વિક આધારો”, “ભારતીય ચિંતકોનું શિક્ષણ ચિંતન’, ‘શિક્ષણ દર્શન પરિભાષા કોષ”, “સર્જન શિક્ષણ’, ‘શ્રી રંગ પ્રશ્નોત્તર માલા’ વગેરે પુસ્તકોને સાહિત્ય અકાદમી સહિત અનેક ઍવૉર્ડ પણ મળ્યા છે. શાસ્ત્રીજી’ના આદરભર્યા નામથી ઓળખાતા અને શૈક્ષણિક ફ્લિસૂફીના પરમજ્ઞાતા જ્વેન્દ્રભાઈ દવે ભક્ત ખરા, સાધક ખરા, ઉપાસક ખરા, ધીરગંભીર ખરા પણ ઘુવડ ગંભીર નહીં જ. તેમનો ચહેરો સાય સ્મિતભર્યો. વાતચીતમાં દર દસ મિનિટે વ્યંગ-વિનોદ-હળવી રમૂજ આવે જ આવે. એટલે જ તો તેઓ વિશાળ ચાહક વર્ગ અને બહોળા વિદ્યાર્થીવર્ગની મૂડી ધરાવે છે. પ્રાથમિક શિક્ષણ લીધા વગર Ph.D. થનાર શાસ્ત્રી જયેન્દ્ર દવે પાસેથી માર્ગદર્શન મેળવી સત્તાવીસ અધ્યાપકો Ph.D. થયા છે અને એ સૌ એક યા બીજી રીતે અગ્રેસર છે. પશ્ચિમનું તત્ત્વજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાનમાં અદ્વૈત વેદાન્તનો ઊંડો અભ્યાસ કરનાર જ્યેન્દ્રભાઈએ ‘રામાયણ-પ્રવીન્ન’ની પરીક્ષા ૧૯૫૭માં પાસ કરી છે. તેને તેઓ પોતાના જીવનની ખૂબ જ વહાલી ઘટના ગણે છે. મને આજે ય એવી ઉત્કંઠ ઝંખના થયા કરે છે કે આજેય એ પરીક્ષા લેવાતી હોય, હું પુનઃ એ પરીક્ષા આપું અને પુનઃ પુનઃ “રામાયણ-પ્રવીણ’ થયા કરું’ ૧૯૭૦ થી ૨૦૦૫ પાંત્રીસ વર્ષો પ્રત્યેક ચૈત્રી પૂનમે સવારથી પૂજા-પાઠ, સત્યદત્તની કથા, પ્રસાદ લઈ તરત બન્ને બાળકોને લઈ શાસ્ત્રી દંપતિ અમદાવાદના કૅમ્પના હનુમાનદર્શને. શાસ્ત્રીજીનું આ શાસ્ત્રવત્ જીવન એ જ એની જીવન મૂડી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર

મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર

મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર

ગ્રામસેતુ જાન્યુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

નિયતિ અને સમર્પણનો સાંગોપાંગ સરવાળો..

ગિરના જંગલની વચ્ચે ઘાંટવડ ગામ. જંગલ એટલે ગાઢ કે સૂર્યનો પ્રકાશ ન દેખાય. જંગલની વચ્ચે મોટો બંગલો. બંગલાની બે પાંખ. એક પાંખમાં કોડીનારના તલાટીનું કુટુંબ રહે. બીજી પાંખનો ઉતારા તરીકે ઉપયોગ થાય. જંગલમાં શિકાર કરવા જે રાજ-રજવાડાં-મોટા અધિકારીઓ આવે તે એમાં રાતવાસો કરે. શિકાર કરીને જે મોટાં ખૂંખાર પ્રાણીઓને માર્યાં હોય તેને ત્યાં લઈ આવે. ગાયકવાડી ગામ કોડીનારમાં તલાટીને ત્યાં જન્મેલ ‘ધીરુ’ બાળક હતો તે આ બધું જોયા કરે. શિકાર થયેલાં જનાવરનાં શરીર પર ડરતાં ડરતાં ધીરુ હાથ ફેરવે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય. જિંદગીના સોળ વર્ષોં આ માહોલમાં જીવનાર ધીરુને આજે પણ એ રોમાંચ યાદ છે. આજે ચોરાણું વર્ષે પૂરેપૂરી સ્વસ્થતા અને સજ્જતાથી વિશ્વ સાહિત્યના દરિયામાં વહાણ હંકારનાર શ્રી ધીરુભાઈ ઠાકરને મળીએ તો આપણને રોમાંચ થયા વગર રહે નહીં.

ગુજરાતી વિશ્વકોશ સર્જક શ્રી ધીરુભાઈ ઠાકર હળવાશથી કહે છે કે ઃ મારા જીવનમાં નિયતિએ બધું કરી આપ્યું, મેં તો માત્ર હાથ ઊંચો કરી તેની સાક્ષી પુરાવી છે.’

ચાણસ્મા ગામમાં શિક્ષણ થયું ધીરુભાઈનું. સહજતા લોહીમાં. એક વખત શાળામાં ડેપ્યુટી ઍજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા. એક વર્ગમાં દાખલ થઈ સામે દેખાવડો છોકરો હતો તેને પૂછ્યું : “હાથીદાંતનાં ઝાડ કેવા હોય ?” છોકરાએ અદબવાળી ઊભા થઈ ગભરાયા વગર જવાબ આપ્યો : હાથીદાંતનાં ઝાડ કાળાં, જાડાં ને કદાવર હોય!” વિચારીને જવાબ આપ્યો હતો અને જ્વાબ લગભગ સાચો પણ હતો. પેલા સાહેબે બાળકનો વાંસો થાબડી કહ્યું : “સેન્સ ઑફ હ્યુમર સારી છે.’ સાહેબના ગયા પછી બાળક ધીરુ શાળામાં હોંશિયાર તરીકે સ્વીકૃતિ પામી ગયો. ચાણસ્માની શાળાના આચાર્ય રામલાલ ચુનીલાલ મોદી કેટલાક વધુ તેજસ્વી છોકરાવને વિશેષ ભણતર આપવા સ્કૂલમાં રાત્રે બોલાવે. પથારી લઈને જવાનું. રામલાલ આચાર્ય ફાનસ લઈને આવે. પરીક્ષાની પોતે તૈયારી કરાવે. રાત્રે સૂતી વખતે ફરમાન કરે કે સવારે વહેલા ઊઠવાનું. કોઈ વિદ્યાર્થી પૂછી બેસે કે ઉઠાડશે કોણ?” તો રામલાલ રોકડું પરખાવે : “તમે તમારી જાતને કહો તો તમારી જાત તમને ઉઠાડશે. ટેવ પાડો તો તમારી અંદર બેઠેલો છે તે તમારો હુકમ માનશે જ.’ ધીરુભાઈ ઠાકર કહે છે : “ત્યારે આજના જેવું નહીં, મૅટ્રિકમાં પણ સંસ્કૃતમાં પ્રશ્ન પુછાય અને તેનો જવાબ પણ સંસ્કૃતમાં જ લખવાનો! ધીરુભાઈ સંસ્કૃત, ગુજરાતી, વિજ્ઞાનમાં હોંશિયાર.

ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અઢાર વર્ષ અધ્યાપક રહેનાર ધીરુભાઈ ઇજનેર થવાનું સ્વપ્ન લઈને ગુજરાત કૉલેજમાં સાયન્સમાં વિદ્યાર્થી બનેલા. તેમના જીવનનો પહેલો લેખ ‘આપણાં લગ્ન’ પણ ઇન્ટર સાયન્સમાં ગુજરાત કૉલેજના મૅગેઝિનમાં છપાયેલો. નિયતિએ કંઈક જુદું જ ધાર્યું હશે એટલે સાયન્સના પહેલા જ વર્ષની પ્રેક્ટિકલ પરીક્ષામાં ઍલ્યુમિનિયમના સૉલ્ટવાળી ક્રુસિબલ નીચે પડી, ફૂટી, નિરાશ થયા, નાપાસ થયા.. પ્રવાહ વળ્યો સેન્ટ ઝેવિયર્સ, મુંબઈમાં આર્ટ્સ ભણવા તરફ BA. વીથ સંસ્કૃત થવાનું ફૉર્મ ભરતા હતા ત્યાં પોતાના ગામ વિરમગામના પ્રાધ્યાપક કાંતિલાલ વ્યાસ મળ્યા. તેમણે કહ્યું : B.A. વીથ સંસ્કૃત ન થવાય, B.A. વીથ ગુજરાતીનું ફૉર્મ ભરી દે, અને ઝેવિયર્સ નહીં એલ્ફીન્સ્ટન કૉલેજમાં આવી જા.’ અને સંસ્કૃતમાં પારંગત થવા નીકળેલા ધીરુભાઈ ઠાકર આપણી ગુજરાતી ભાષાના જ્યોતિર્ધર થયા.

શ્રી ધીરુભાઈ ઠાકર અચ્છા નાટ્ય કલાકાર અને દિગ્દર્શક પણ. કૉલેજમાં ભન્નતા હતા ત્યારે મુંબઈમાં ચં. ચી. મહેતાનું નાટક ‘આગગાડી’ ભજવ્યું, પણ કોની સાથે ? ખુદ ચં. ચી. મહેતા, ધનસુખ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશીની સંગાથે… અને અધ્યાપક થયા ત્યારે ગુજરાત કૉલેજમાં ચં. ચી. મહેતાની કડક શિસ્તને આદર્શ તરીકે રાખી નાટકનું દિગ્દર્શન પણ કર્યું. દુષ્યંત નામનો એક ખેપાની વિદ્યાર્થી. એ સમયમાં ગુજરાત કૉલેજ એક જ, એલ. ડી. પછી શરૂ થઈ. દોઢસોનો વર્ગ. ધીરુભાઈ ઠાકર સૌથી નાના અને પ્રમાણમાં ‘કાચા’ અધ્યાપક. તેઓ પોતે જ કહે કે : “એ સમયના દિગ્ગજો સંસ્કૃતમાં પ્રો. અભ્યકર, અર્થશાસ્ત્રના પ્રો. મર્ચન્ટ, અંગ્રેજના પ્રો. ભાંડારકર અને પ્રો. વેલીન્કરની સામે હું કેમ ઊભો રહી શકીશ એ જ મૂંઝવણ. એમાં દુષ્યંત વર્ગમાં બેકાબુ, ચાલુ લેક્ચરે ક્લાસમાં કૅન્ટીનમાંથી ચા મંગાવીને પીવે, વર્ગમાં છઠ્ઠી ખોલીને બેસે ને કહે સર, વરસાદ કેટલો છે? બધા દુષ્કૃતથી ત્રાસી ગયેલા. દુષ્યંતે નાટકનાં રિહર્સલમાં દખલ શરૂ કરી. મેં તેને કહ્યું : તોફાન કરવા સહેલાં છે, નાટકમાં કામ કરવું અઘરું છે. દુર્ગંતે પડકાર ઝીલી લીધો અને વસવસો કરતાં કહ્યું : અમને નાટકમાં કોણ રાખે? મેં તક ઝડપી લઈ શરત મૂકી : પણ હું જે રોલ આપું તે શિસ્તબદ્ધ ભજવવો પડશે… દુષ્પ્રત હોંશથી ધનય ઠાકરનાં નાટક જો હું તું હોત…’માં નોકરના પાત્રને ભજવવા લાગ્યો. તેને ત્રીજું ઇનામ મળ્યું. દુષ્યંત તોફાની મટી અભિનેતા તરીકે ઓળખાવા લાગ્યો. પછીનાં જ બીજાં નાટકથી મેં તેને મુખ્ય રોલ આપ્યો અને તે બખૂબી અભિનય કરવા લાગ્યો.’

શ્રી ધીરુભાઈ ઠાકર દુષ્કૃતની વાતના અંતમાં કહે છે : માણસના બધા જ ખજાનાઓની ચાવીઓ લઈને ભગવાને શિક્ષકને મોકલ્યો છે. મારી પાસેની ચાવીથી આ ખજાનો ખૂલશે જ તેવી શ્રદ્ધા શિક્ષકમાં હોવી જોઈએ.’

૧૯૪૨ની દસમી ઑગસ્ટ શ્રી ધીરુભાઈ ઠાકરના જીવનનો વિરલ અને દિવ્ય દિવસ છે. આઝાદીની લડત ટોચ પર હતી. અમદાવાદમાં લૉ કૉલેજ તરફથી એક મોટું સરઘસ ગુજરાત કૉલેજ તરફ આવતું હતું. સરઘસની પાછળ પોલીસ અને પોલીસની ગાડીઓ ધસી એટલે સરઘસ ગુજરાત કૉલેજમાં ઘૂસ્યું. સરઘસની આગળ કૉલેજની છોકરીઓ હતી, પાછળ છોકરાઓ હતા. ગુજરાત આર્ટ્સ કૉલેજની સામે લાઇબ્રેરી અને આ બન્નેની વચ્ચે છોકરીઓની અફડાતફડી. અધ્યાપકો ઉપરથી આ જોતાં હતાં. પ્રિન્સિપાલ પટવર્ધને અધ્યાપકોને કહ્યું કે નીચે જઈ વિદ્યાર્થીઓને શાંત રાખો. પ્રા. સાલેતોર, પ્રા. એન. એમ. શાહ, પ્રા. દાવર અને સૌથી નાના પ્રા. ધીરુભાઈ ઠાકર નીચે દોડ્યા. ધક્કામુક્કી થઈ એમાં ધીરુભાઈ ઠાકર વિદ્યાર્થીઓની આગળ અને પોલીસોની સામે; વચ્ચે સાત-આઠ ફૂટનું અંતર, એમાં કોઈએ કાંકરીચાળો કર્યો!સામેથી ડી.વાય.એસ.પી.એ ‘ફાયર’નો હુકમ આપ્યો. વચ્ચે રહેલા ધીરુભાઈ ઠાકર એ કલ્પનાથી જ ધ્રૂજ્યા કે ગોળીબાર થશે તો વિદ્યાર્થીઓની લાશો પડશે એટલે પોલીસ ડી.વાય.એસ.પી. સામે હાથ ઊંચા કરી રાડ પાડી ઊઠ્યા : પ્લીઝ, સ્ટૉપ.’ અને ડી.વાય.એસ.પી.એ હાથમાં રહેલી બૅટન ધીરુભાઈના માથામાં ફટકારી, પોલીસે ગોળીબાર કર્યો, વિદ્યાર્થીઓ ઘવાયા પોલીસે હૉસ્ટેલ રૂમમાં જઈ માર માર્યો. ધીરુભાઈ ઠાકરને બાયૉલૉજી ભવનમાં પ્રાથમિક સારવાર આપી હૉસ્પિટલ ખસેડાયા જ્યાં દસ દિવસ રહેવું પડ્યું. કેટલાય લોકો અને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હૉસ્પિટલમાં આવ્યા. તેમના ચહેરા પર લાગણી સ્પષ્ટ દેખાતી હતી કે અમારા પ્રાધ્યાપક અમને બચાવવા પોતે ઘાયલ થયા! શ્રી ધીરુભાઈ ઠાકર જીવનનાં પરમ સત્યને તારવતાં કહે છે કે : ‘નિયતિ સાથે સમર્પણ જોઈએ. પ્રારબ્ધ અને પરિશ્રમ સાથે પ્રેમ ભળવો જોઈએ. આવા સથવારા વગર જીવન જીવવાનો આનંદ મળતો નથી.’

મોડાસાની શિક્ષણ તપોભૂમિના દ્યોતક, ગુજરાતીના પ્રકાંડ વિદ્વાન, વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ. ધીરુભાઈ ઠાકર ઉજાસના અણસારાથી છલકે છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback