by Bhadrayu Vachhrajani | Aug 11, 2025 | Gramsetu |




કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શૅર કરવામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે?
સંસ્કાર અને સંસ્કૃતિની નગરી ભાવનગર. દક્ષિણામૂર્તિ, શિશુવિહાર, ઘરશાળા, ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, માનભાઈ ભટ્ટ. કેટલી ‘પાયાનાં’ સિક્ષણની સંસ્થાઓ? કેટલી વિરલ વિભૂતિઓ! આ નગરીએ બીજ રોપ્યાં એક સાદ્યંત કલાકારનાં. તારીખ બારમી અને તિથિ બારસ, ૧૯૩૪માં આવો સમન્વય તે જ્યોતિ માનભાઈ ભટ્ટનો જન્મ દિવસ! રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી બહાર નીકળવા મથનાર કુટુંબ. બાપુજી સુધારાવાદી. કદાચ એટલે જ તો એ સમયમાં જ્યોતિ ભટ્ટનો જન્મ થયો હૉસ્પિટલમાં, ઘરમાં નહીં. બા કહેતાં : ‘તારી ઘરમાં સુવાવડ ન થઈ તે ય ક્રાંતિ ગણાય એ સમયની…’ લીમડીવાળી સડક ભાવનગરની, જે પછીથી કૃષ્ણનગર બનવાનું હતું, ત્યાં ઉછેર.
બાપુજી માનભાઈ ભટ્ટ. બહુ મોટું નામ ગણાય, આજે પણ. બંદરમાં નોકરી. જમાનાથી ઘણા આગળ. સવારના ત્રણ-ચાર વાગે ઊઠી જાય. ઉકરડા તરીકે ઉપયોગ થતો હતો તે સ્થળને તેમણે રમણીય બનાવ્યું. જમીન સમથળ કરી, ખાડા બૂર્યા, ઘરેથી લઈ જઈ પાણી સીંચ્યું. ‘અમને ય નાની નાની ડોલ લાવી આપેલી, પાણી પેલી જગ્યાએ લઈ જવા. સાંજે બાબા ગાડીમાં મને બેસાડી તેમાં પુસ્તકો ભરી ત્યાં લઈ જાય અને ત્યાં પુસ્તકાલય ચલાવે. આ સ્થળ ‘શિશુવિહાર’ તરીકે ખ્યાત થયું. ટેકરી પરનું બાલમંદિર, કરચલિયાપરામાં. ગિજુભાઈ બધેકા સાથે કંઈક નાતો ખરો, કારણ રોજ અમારા ઘરે આવતા. ગિજુભાઈની બાળવાર્તાઓ તમે વાંચી હશે, મેં ગિજુભાઈ પાસેથી સાંભળી છે! બા ભણેલા નહીં. ભરતકામમાં રસ બહુ. ચાકળા ઊંઘા કરી જોતાં કે ભરેલા ટાંકા પાછળથી કેવા લાગે છે તે નીરખતાં ? મારા જન્મ પછી દર બે વર્ષે એક સભ્યનો ઉમેરો થતો. એમને ગમતું વાંચી લેતાં. બા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવેલાં અને બાપુજી ક્રાંતિકારી સુધારામાં માને. પણ બન્નેએ એકબીજાની સ્વતંત્રતા જાળવેલી. કુટુંબમાં પોલીસખાતાનું વાતાવરણ. પિતા પોલીસ શિસ્ત શીખ્યા, હું તે ન જ શીખ્યો. બાપુજી લોકોને મારતા-કૂવામાં ઊંધા લટકાવતા. નાનપણમાં ભય મને બાપુજીનો જ વધુ લાગતો. તેથી હું બહુ બીકણ બન્યો!’ જ્યોતિભાઈ ધીમું બોલે છે, આંખ સજળ છે એટલા ભાવથી બોલે છે, બે વાક્યો બોલે એમાં ત્રણવાર સહજતાથી હસીને બોલે છે. દિલ કોરા કૅનવાસ જેટલું ચોખ્ખું છે તે પામી શકાય છે.
બાલમંદિરથી ધોરણ-૧૨ સુધી સળંગ ‘ઘરશાળા’માં ભણ્યા. બાળકને ઘર જેવું લાગવું જોઈએ તેથી ઘરશાળા. દસ વર્ષના હતા ત્યારથી જ્યોતિભાઈને ન.પ્ર. બુચ સાથે સંબંધ. તેની અસર આજે ય ખરી. બાહ્ય વાતાવરણ આશ્રમ જેવું નહીં પણ બાકી બધું એવું. શાળા નાની. પાંત્રીસનો વર્ગ એક જ. જાણીતા ફૉટોગ્રાફર કિશોર પારેખ, છેલ્લાં પચાસ વર્ષોથી અમેરિકા વસતા શિલ્પી નરેન્દ્ર પટેલ વર્ગમિત્રો. દક્ષિણામૂર્તિમાં ટાગોરનો પ્રભાવ હતો. માતૃભાષામાં જ ભણવાનું. પરીક્ષા નહીં. માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ઇન્દ્રિયોનો અનુભવ. માપદંડ નહીં પણ વૅલ્યુ જજમૅન્ટ. શીખવવું એ જ હેતુ, પરીક્ષાની હુંસાતુંસી નહીં. ઘરશાળા સિવાય ક્યાંય સહશિક્ષણ ન હતું. ટાબરિયાંઓને પણ શિક્ષકો તું કહીને ન બોલાવે. ભાવનગર રાજ્યની ઑલિમ્પિક થતી ત્યારે. ઘરશાળાનું એમાં પર્ફોર્મન્સ સારું, પણ પુરસ્કાર લેવા નહીં જવાનું! પૉસ્ટ વર્લ્ડ વૉર પુસ્તક લખાયું ‘તોતોચાન’. એમાં જે શાળાની વાત લખી છે તે તો બધું જ ઘરશાળામાં હતું જ! હરભાઈ માધવજીભાઈ પટેલ – જગુભાઈ શાહ. શનિ-રવિ અને વરસાદ પડે ત્યારે શાળા બંધ! રવીન્દ્રનાથ ટાગોરની અસર સાથે પ્રહલાદ પારેખ ઘરશાળામાં, એટલે ‘વર્ષામંગલ’ ગવાતું ચોમાસામાં. આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. હરભાઈ સહિત બધા એમાં ફરવા નીકળતા. પક્ષીઓમાં રસ લેતા કર્યા નહીં, પણ થયા! નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? એના બદલે ચીતરીને જ્યોતિભાઈ દેખાડે જગુભાઈ શાહને. ‘જગુભાઈ સારા ચિત્રકાર સારા શિક્ષક – બાળકોમાં રસ લેનાર જીવ. અમે ચિત્રકાર હોઈએ એવો અહેસાસ કરાવનાર શિક્ષક. આજે પીંછી-પેન્સિલ કે કેમેરો પ્રેમથી રમાડી શકું છું તેનો બધો જશ ચિત્રશિક્ષકોને…’ જ્યોતિ ભટ્ટ અહોભાવથી કહે છે.
પ્રખર ચિત્રકાર જ્યોતિ ભટ્ટનું પ્રથમ ચિત્ર સર્જાયું ૧૯૪૬માં બાર વર્ષની ઉંમરે! હરિજન માથે મળનો ડબ્બો લઈને જતો હોય તેવું ચિત્ર. ‘જુગુપ્સા’ વિરોધ થયેલો. આવું ગંદું ચિત્ર? ત્યારે લાગેલું જ્યોતિભાઈને કે: ‘આ ચિત્ર ગંદુ અને ચિત્રનો વિષય ગંદો, એમાં ફેર છે. જુગુપ્સા જન્મે એટલી વાસ્તવિકતા સર્જે તે ચિત્ર ગંદું કેવી રીતે હોઈ શકે!’
ધૂરંધર શિક્ષકોની મૂડીથી ભર્યાભર્યા થયા જ્યોતિભાઈ. બુચભાઈ, હરભાઈ, એન.એસ. બેન્દ્રે (પછીથી અમદાવાદના સ્લમમાં જઈ શિક્ષણની ધૂણી ધખાવનાર) રઘુભાઈ નાયક, છેલભાઈ વ્યાસ…! છેલભાઈએ ઇતિહાસ એવો દિલથી શીખવેલ કે જ્યોતિભાઈના મનમાં અંગ્રેજો પ્રત્યેની નફરત વધી, પરિણામે મૅટ્રિકમાં અંગ્રેજીનું પેપર દેવા ન ગયા! વર્ગની ભીંત ઉપર ચિત્રો દોરાવવાની શરૂઆત જગુભાઈએ કરાવેલી… (આજે જે બાલમિત્ર વર્ગની સંકલ્પના છે તેનો ઉદ્ભવ જગુભાઈએ નીજી ઉત્સાહથી કરેલો વર્ષો પહેલાં!) જ્યોતિ ભટ્ટ અને મિત્રોએ પોતાનાં કદથી ચાર-પાંચ ગણાં મોટાં ચિત્રો કરવા મળતાં ભીંત પર.
ધ્રાંગધ્રા કૉંગ્રેસ ભરાયેલી. તેની સજાવટ જગુભાઈએ સંભાળેલી, તેમાં જ્યોતિભાઈ હોંશેહોંશે જોડાયાનું યાદ કરે છે. આમ આત્મવિશ્વાસ પાક્કો બંધાવ્યો, વાતાવરણે અને શિક્ષકોએ. જેમનાં નામ પાઠયપુસ્તકમાં વાંચતા તે બધા સંસ્થામાં નજર સામે આવતા! સુંદરમ્, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પ્રહલાદ પારેખ, શ્રીધરાણી સાથે સંવાદ સાધવાની તક મળેલી. શિશુવિહારે જ્યોતિ ભટ્ટને કેળવ્યા. શિશુવિહારમાં જીવનલક્ષી પ્રવૃત્તિઓ થતી. રમતગમત + વ્યાયામ + બૅન્ડ વગાડતાં શીખવું અને કોઈને ત્યાં વરઘોડામાં જઈ બૅન્ડ વગાડવાં + ફ્યુઝ બાંધતાં શીખવું + સાઇકલ રીપેરિંગ – પંક્ચર સાંધવું – ગ્રીષ્મ તાલીમ વર્ગો દરમ્યાન તો સાથે જમવું, ગાવું, નાચવું, ચોકીદારી કરવી, ચાલતાં ચાલતાં પ્રવાસો કરવા + શેરી નાટકો કરવાં અને ‘ચુંદડિયા બ્રાહ્મણ’નું નાટક કરી અંધશ્રદ્ધા દૂર કરવી… ઘણું બધું કર્યું શિશુવિહારમાં અને દ્વારા… જીવન તરબતર થઈ ગયું જ્યોતિભાઈનું! નાનપણની પેલી બીક નીકળી ગઈ. જીવન એટલે પ્રવૃત્તિ જાણે કે…
‘એસ.એસ.સી.માં ચિત્રમાં સૌથી ઓછા માર્ક હતા, પણ દિલમાં એક જ સ્વપ્ન કે શાંતિનિકેતન જવું છે, બસ.’ શા માટે તે કંઈ સ્પષ્ટ નહીં. વડોદરામાં કલાભવન ચાલતું હતું. વડોદરામાં જ એમ.એસ. યુનિવર્સિટીમાં પહેલી ફાઇન આર્ટ્સ ફૅકલ્ટી હતી. નરેન્દ્ર પટેલ, સોમાભાઈ શાહ, એન.એસ. બેન્દ્રે, માર્કન્ડ ભટ્ટ… અહીં જ્યોતિ ભટ્ટે ડિપ્લૉમાં અને પૉસ્ટ ડિપ્લોમાં કર્યું. વડોદરામાં કેમ ભણ્યા તેની તો એક દાસ્તાન છે.
પિતાજીની સ્થિતિ સારી નહીં. પક્ષી વિષેનું બારેક રૂપિયાનું એક પુસ્તક ખરીદવું હતું તો તે પિતા માટે મુશ્કેલ હતું. ‘આવતા મહિને લઈશું.’ એવું કહેલું ત્યારે. એટલે બને એટલા પૈસા ઘરેથી ઓછા લઈ વડોદરામાં ભણવું તેવું જ્યોતિભાઈએ નક્કી કરેલું. સાત વર્ષમાં દસ જગ્યા બદલી રહેવાની. હૉસ્ટેલમાં મિત્રના રૂમમાં સામાન પડ્યો રહે, રાત્રે અગાશી પર, સવારે બાથરૂમ વાપરીને કૉલેજમાં આખો દિવસ કાઢવાનો! સિનેમાની ઓરડીમાં રહ્યા, શિક્ષકોને ઘરે રહી ખાધું-પીધું! પણ આ મુશ્કેલીને જ્યોતિભાઈ સંઘર્ષ કહેવા તૈયાર નથી. જીવનની આ તો વાસ્તવિકતા છે, જે તમને ઘડે છે.
૧૯૫૪માં નેહરુએ પાર્લામૅન્ટ હાઉસમાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યું, જેમાં ભારતનો ઇતિહાસ હોય. તેમાં બેન્દ્રેસાહેબના ચાર વિદ્યાર્થીઓનાં ચિત્રો ગયાં, તેમાં જ્યોતિ ભટ્ટ એક. પિતા માનભાઈ ભટ્ટ હંમેશા કહેતા કે : ‘જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવાનું.’ ૧૯૫૭થી ૧૯૫૯ ભારત સરકારની ‘ગુરુ-શિષ્ય કલ્ચરલ સ્કૉલરશિપ મળી. ગુરુઓ વડોદરા કૉલેજમાં જ હતા એટલે ત્યાં બે વર્ષો ગાળ્યાં. ગુરુવર્ય ટાગોરપ્રિય કે.જી. સુબ્રમણ્યમ જેને પ્રેમથી સૌ ‘અમારા મણિસાહેબ’ કહેતા તે ઇંગ્લેન્ડ ગયેલા તેના સ્થાને શીખવવાની પણ તક મળી. એ વખતે ફ્રીલાન્સ જીવવાનું અઘરું હતું. ૧૯૫૯થી ૧૯૯૨ સુધી સળંગ તેંત્રીસ વર્ષ જ્યોતિભાઈ એમ.એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. ઍક્સચેન્જ ઑફ સ્ટુડન્ટ ફૅલેશિપ મળતાં ઇટાલી એક વર્ષ, અમેરિકા બે વર્ષ રહ્યા અને ત્યાંના મ્યુઝિયમો ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રૉકફેલર સ્કૉલરશિપ/ફેલેશિપ તથા વચ્ચે ટ્રાવૅલ ગ્રાન્ટ. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, ગ્રીસ, ન્યૂયોર્કમાં બેસી ચિત્ર, ફૉટોગ્રાફી અને લેખોનું સર્જન થયું. નૅશનલ ઍકેડેમી દ્વારા નૅશનલ પ્રાઇઝ ‘પ્રેસિડેન્ટ ગૉલ્ડ પ્લૅક’ મળ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાના સહિત ચાર પુરસ્કારો મળ્યા.
ફાઇન આર્ટ સ્કૂલમાં ચોવીસ કલાક કામ થઈ શકે તેવું વાતાવરણ મળ્યું. રાત્રે બે-અઢી સુધી ‘કેવી રીતે કરવું’ તેની નહીં પણ ‘શું કરવું’ અને શા માટે કરવું’ની ગડમથલ ચાલતી. ‘યુનિવર્સિટીમાં હડતાલ હોય પણ અમે પાછલા બારણેથી અંદર આવી કામ કરતા હોઈએ. સર્જનમાં એકવાર રસ પડે પછી વિસર્જનમાં કેવી રીતે રસ પડે?’ કહેનાર જ્યોતિ ભટ્ટ ૧૯૬૭થી ત્રીસ વર્ષ છબીકલામાં માહિર બન્યા. કલા સર્જન વિષે ‘કુમાર’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’માં નિયમિત લેખો લખ્યા. સુરેશ જોષીના પ્રથમ પુસ્તકનું ક્યુબિક ટાઇટલ પણ રચ્યું, ગુલામ મહોમ્મદ શેખ સાથે રહી (બ્લૉકનો ખર્ચ ન થાય એટલે) જાતે જ લાકડામાં બ્લૉક કોતરી આપ્યો! શેખ, ભૂપેન ખખ્ખર અને જ્યોતિ ભટ્ટે ફૉકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું. ગામના પાદરમાં રહેલા પાળિયાને કોઈ સાચવતું નથી. પાળિયાને સાચવવા તેને ઉપાડીને તો ન લઈ જવાય, લઈ જાવ તો જ્યાં રાખો ત્યાં શોભે નહીં. પણ તેની છબિમાં તો તેને આયુષ્ય બક્ષી શકાય ને? આખરે તો વાત ઇમૅજ ક્રિઍટ કરવાની છે ને! પીંછી-કલમ કે કૅમેરો તો સાધન જ છે. ‘India 24 hours’ નામનું જબરું મોટું પુસ્તક થયું. તેમાં પચ્ચીસ ભારતીય ફૉટોગ્રાફરોમાં એક જ્યોતિ ભટ્ટ છે. ૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય બાલવર્ષ દરમ્યાન તેમણે પ્રદર્શન કર્યું : શૈશવ. તેમાં પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ડોકું કાઢીને ઊભી છે ને પાછળ બ્લરમાં દોડતાં બાળકો છે, તેવો ફૉટોગ્રાફ હતો એ.
જ્યોતિ ભટ્ટને વિચાર આવ્યો કે : ‘આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના બાપા ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. ‘હોંગકોંગમાં આવેલ એશિયન આર્ટ આર્વાઇઝ દ્વારા જ્યોતિ ભટ્ટના સમગ્ર કાર્યને ડિજિટલાઇઝ કરવાનું કામ ચાલે છે. જ્યોતિ ભટ્ટ કહે છે : ‘કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શૅર કરવામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે? કૃષ્ણએ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું તે સાચું પણ જશોદાએ માટીમાં બ્રહ્માંડ જોયું તેનો આદર કેમ નહીં?
by Bhadrayu Vachhrajani | May 30, 2025 | Gramsetu |

ચાલો, આજે આપણે શિક્ષણ અને સંશોધનની એક હાલતીચાલતી વિદ્યાપીઠને મળીએ… જામનગરના જામસાહેબ કચ્છથી આવ્યા ત્યારે તેમણે પહેલી રાજધાની જામખંભાળિયામાં સ્થાપેલી. આજે પણ તેના કોઈ કુંવરનો રાજ્યાભિષેક થાય છે ત્યારે તે જામખંભાળીયામાં જ થાય છે. તાલુકા મથકનું નાનું શહેર જામખંભાળિયા. ચૈિત્ર સુદ બીજ. શુક્રવાર. ૧૯૪૪ના માર્ચની છવ્વીસ તારીખે જન્મ અહીં ચન્દ્રકાન્તભાઈનો. ઘી અને તેલી બે નદી અહીં. જ્યાં આજે ય ઘીની પૂજા થાય છે એવું ખામનાથ મહાદેવનું વિશિષ્ટ મંદિર. શંકરલાલ પડોશમાં રહેતા પ્રભાવી નાગર. તેના ઘરમાં બીલીનું ઝાડ. ત્યાંથી બીલીપત્રો લાવવાનાં. દાદાને આપવાનાં અને પડોશી ઢેબરભાઈને ચન્દ્રકાંતે દઈ આવવાનાં. આ ઢેબરભાઈનાં પત્ની તે શિક્ષણ સંશોધનના ભિષ્મ પિતામહ ડૉ. એમ. બી. બુચસાહેબનાં બહેન થાય. ચન્દ્રકાંત દાદાને, ઢેબરભાઈને બીલીપત્રો આપે પછી પોતે રાખે અને ખામનાથ મહાદેવને દર્શને જઈ પોતે ચડાવે. ઘણા દિવસો તો રોજના હજાર બીલીપત્રો ભાવથી ચઢાવતો ચન્દ્રકાંત કથા સાંભળવાનો જબરો શોખીન. એકાગ્રતા એવી કે કથાકારો એને શુકદેવજીનું ઉપનામ આપે! કૉલેજમાં ગયા પછી ચન્દ્રકાંતને ભગવાનના સ્થાને પ્રકૃતિને કે વિજ્ઞાનને મૂકવાની ઇચ્છા થઈ ત્યાં સુધી એ ભક્તિસભર.
દાદા-દાદી પાસેથી શિક્ષણ અને સંસ્કાર મળ્યાં. પરંપરાગત સંયુક્ત બ્રાહ્મણ કુટુંબ. દાદા કાપડના પ્રસિદ્ધ વેપારી. બાળપણ વખતે તો જાણે silver spoon in the mouth. દાદાને મિલ્કતો ખરીદવાનો શોખ. નાગરપાડામાં મકાનોનું એક આખું સંકુલ લીધેલું. એમાં સ્થળાંતરિત થયા પછી ત્રણ કાકાઓ ત્યાં જ અલગ મકાનમાં ગોઠવાયા. દાદાને પ્રાણીઓ પાળવાનો શોખ. ગાય-બળદ-ઘોડા. નાની અશ્વશાળા ઘરમાં, ઘોડાગાડી ઘરમાં. એક સાથે બે ઘોડા જોડી શકાય એવી ગાડી માજોલી”માં નિશાળે જવાનું ચન્દ્રકાંતે, નિશાળ નજીક હતી તો પણ! ઘરમાં ગ્રંથો પુષ્કળ ચન્દ્રકાંતના સુંદરકાંતના બધા જ ખંડો, ભગવદ્ગીતા, રામચરિતમાનસ, યોગ વિષેના ગ્રંથો. વાચનની ટેવ દાદાએ પાડી. નાગરપાડામાં નાગરોના સંસ્કારો મળ્યા. રોજ રાત્રે દાદાએ શીખવેલ પદ્ધતિસર રામચરિતમાનસ ચન્દ્રકાંતે જાહેરમાં વાંચવાનું. ચોપાઈ, સોગઠા ગાઈને! નજીકમાં નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર. તેની પૂજાવિધિ જોવાની. કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં નાગર યુવકો ત્રિપુરાસુરનું દહન કરતા. ત્યાં સંન્યાસી રહેવા આવે તો તેને ભોજન દેવા જવાનું. આ રીતે લક્ષ્મી હતી ત્યાં શ્રી—સરસ્વતીનું આગમન થયું.
પિતાજી ધંધામાં. માતાજી બાળકોનાં ઉછેરમાં. એટલે એ બન્નેએ શિક્ષણ આપ્યું એવું ન બન્યું. કડક પિતાજીનો ડાહ્યો દીકરો ચન્દ્રકાંત. પિતાની ઇચ્છા તો IAS બનાવવાની હતી, પણ પોતાની ખ્વાઈશ તો ડૉક્ટર થવાની હતી! પણ થયા શિક્ષકોના શિક્ષક. જીવનને વળાંક આપે તેને જ નિયતિ કહેવાય ને? દાદાની શાખ કે ધાક કેવી, ખબર છે? આ કુટુંબના મુંબઈના કોઈ મહેમાન અહીંથી પસાર થતાં હોય તો તેને ચા-નાસ્તો ન કરાવી લઈએ ત્યાં સુધી ટ્રેન અહીં રોકી રખાતી! કેશવજીભાઈના મહેમાન છે ને પછી?! ચન્દ્રકાંત એકથી ચાર ધોરણ ભણ્યા ભાટિયાઓનાં દાનથી બનેલ ‘બટુભાઈ રતનશી ધનજી વીરજીયાણી તાલુકા શાળા નં. ૨’માં. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક હતા પ્રભાશંકરસાહેબ. બધા છોકરાવ પાસે બોર્ડમાં એક શબ્દ જ લખાવે. બધાએ લખ્યું : ‘રબડ.’ એક માત્ર ચંદ્રકાંતે લખ્યું: ‘રબ્બર! વર્ગમાં માન તેનું કારણ આ. શિક્ષકો બિનતાલીમી ખરા પણ કામને સમર્પિત. તૈયાર કરીને સમજીને પછી જ શીખવે. રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું ત્યારે, જો કે, ચન્દ્રકાંતને એ બહુ આવડતું ય નહીં ને ફાવતું ય નહીં. જામખંભાળિયામાં ત્યારે મિડલ સ્કૂલ હતી, સ્ટેશન રોડ પર, ખૂબ સુંદર મકાન (આજે ય છે ત્યાં જ). જેનો એક હાથ કાંડા ઉપરથી કપાયેલો હતો તેવા શિક્ષક કાંતિલાલ દવે આજે પણ ચન્દ્રકાંતભાઈની નજર સામે છે. છઠ્ઠું ધોરણ. ભૂગોળ ભણાવે અને ભૂગોળ તો પહેલેથી કંઠસ્થ. મિત્ર જેઠો બાજુમાં. ચન્દ્રકાંતે નોટમાં મોટું ચિત્ર ઇલેક્ટ્રિક કંપનીનું દોર્યું. બન્નેએ હરખાતાં તેમાં નામ આપ્યું: ‘ઓઘો ઍન્ડ ગોધો ઇલેક્ટ્રિક કંપની! કાંતિલાલ જોઈ ગયા. બન્નેને આવા હાથે ય ગરદનથી પકડી આગળ લાવ્યા ને નોટ ક્લાસને દેખાડી કહ્યું: ‘જુઓ, આ ઓઘો અને ગોધો અને આ એની ઇલેક્ટ્રિક કંપની!” માર્યા નહીં પણ ખિજાયા જરૂર. એક મિત્ર તનસુખ મહેતા ખૂબ હોંશિયાર. પહેલો જ આવે. છઠ્ઠા ધોરણમાં ચન્દ્રકાંતે તેને ચેલેન્જ મારી પહેલો નંબર લીધો. પણ એક જ વાર, પછી તો છેક સુધી તનસુખ મોખરે રહ્યો. પછીથી આ તનસુખ મહેતા રાજકોટની કોઈ કૉમર્સ કૉલેજમાં પ્રતિભાશાળી અધ્યાપક બન્યાનું ચન્દ્રકાંતભાઈએ સાંભળેલું.
પોતાની ઇચ્છા ડૉક્ટર થવાની એટલે રાખ્યા વિજ્ઞાનના વિષયો અને પ્રથમ વર્ગમાં મૅટ્રિક પાસ થયા. પણ વૅકેશનમાં ટાઈફૉઇડ થયો. ઘરમાં કોઈને કાંઈ પ્રવેશની ચિંતા ન હતી. સાજા થઈને ગયા ડી. કે. વી. સાયન્સ કૉલેજ, જામનગર. પ્રિન્સિપાલ જે. બી. શાંડિલ્યસાહેબે કહ્યું: ‘તારા માટે જગ્યા ઉપરથી પાડું? બધી જગ્યા ભરાય ગઈ છે. જાવ, આવતા વર્ષે આવો…”કુટુંબ ઘસાયું હતું. આર્થિક ભીંસ શરૂ થઈ હતી. પ્રશ્ન થયો: ‘એક વર્ષ બગાડવું કે આર્ટ્સમાં જતા રહેવું?” દ્વારકામાં નવી કૉલેજ શરૂ થતી હતી. તેમાં પ્રવેશ મળે તેમ હતો. પણ આર્થિક બોજાનું શું? પણ ત્યારે દ્વારકામાં શંકરાચાર્ય તરીકે અભિનવ સચ્ચિદાનંદતીર્થ મહારાજ હતા. એમણે સંસ્કૃત એકેડેમી શરૂ કરી કારણ એમને વિદ્યા અને સંસ્કૃત માટે આદર હતો. સવારના કૉલેજમાં અને બપોરના સંસ્કૃત એકૅડેમીમાં જે વિદ્યાર્થી ભણે (૧) તેની ફી ન લેવી (૨) હૉસ્ટેલની ફી ન લેવી (૩) માસિક રૂ. ૩૫/- શિષ્યવૃત્તિ આપવી એવી યોજના મહારાજે જાહેર કરી. આને લઈને ચન્દ્રકાંતભાઈની મૂંઝવણ ગાયબ થઈ ગઈ. ફૂડબિલના રૂપિયા ત્રીસ શિષ્યવૃત્તિમાંથી ભરવાના, આર્ટ્સ કૉલેજમાં સ્નાતક ભણવાનું અને વિશેષમાં સંસ્કૃતમાં શાસ્ત્રીય પદ્ધતિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એમાં પણ ભાષાશાસ્ત્રી વિદ્વાન ટી. એન. દવે લંડનથી આવેલા અને તેને મહારાજે અહીં રોકી લીધેલા, તો બિહારના વ્યાકરણાચાર્ય શોભાનંદ ઝા પાસે સંસ્કૃતનું પાયાનું જ્ઞાન મેળવવામાં ચન્દ્રકાંતભાઈ મશગૂલ થઈ ગયા. એસ.વાય.બી.એ. સુધી આમ ચાલ્યું ત્યાં જીવનનો કપરો વળાંક સામે આવ્યો. માત્ર તેંતાલીસ-ચુમાલીસ વર્ષની વયે પિતાજીએ વિદાય લીધી. બા, ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોની જવાબદારી આવી ગઈ. અચાનક કાકાએ કહ્યું: ‘ચન્દ્રકાંત, હવે નોકરી શોધી લો ને કુટુંબની જવાબદારી ઉપાડી લો.’ દ્વારકાનાં બન્ને ભણતર અધૂરાં છૂટ્યાં. ભાણવડ તાલુકાનું વેરડ ગામ. ત્યાંની શાળામાં લેખિત પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ. સરપંચ હોંશિયાર અને અનુભવી, કલ્યાણસંગ વીરજી જાડેજા. એકવીસ વર્ષના ચન્દ્રકાંત ભોગાયતા અંકગણિતના શિક્ષક થયા. કુટુંબને વેરડ લાવ્યા. બીજા પગારમાંથી ટી.વાય. ઍક્સટર્નલની ફી ભરી, પુસ્તકો લીધાં. સરપંચશ્રીએ ચાલુ પગારે રજા આપી, ફી અને ચોપડીના નાણા આપ્યા ને ગુજરાતની તે સમયની ખ્યાતનામ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજમાં B.Ed. કરવા મોકલ્યા. સરપંચની શરત એટલી કે પ્રથમ વર્ગ લાવવાનો! લગ્ન પછી બી.એડ્. શરૂ કર્યું અને ત્યાં જ પ્રથમ લક્ષ્મીજી પણ પધાર્યાં.
શિક્ષક થયાના પાંચ વર્ષ પછી B.Ed. કર્યું છતાં આ વર્ષ જીવનનું ઉત્તમોત્તમ વર્ષ ચન્દ્રકાંતભાઈ લેખે છે. પ્રિન્સિપાલ મહેશભાઈ વૈષ્ણવ. ‘પ્રથમ દિવસે તેઓ નોટિસબોર્ડ પર સમયપત્રક ચોંટાડતા હતા. હું ત્યાં ઊભો રહી જોતો હતો. થોડીવાર પછી વિનયપૂર્વક તેમની અનુમતિ લઈ મેં કહ્યું: ‘સાહેબ, આપે આમાં બે શબ્દોનો ખોટો ઉપયોગ કર્યો છે. પૂર્વાનહ એટલે સવાર; અપરાનહ એટલે બપોર પછી. સમય આધારિત આ બે શબ્દો વાપરવામાં અદલાબદલી થઈ ગઈ છે.” એમણે તો કાગળો ઉતારી લીધા ને ઓફિસમાં જતા રહ્યા. RGT કૉલેજની પ્રાર્થના એટલે શણગાર. પ્રાર્થનામાં તે દિવસે જ્યારે પ્રાચાર્યશ્રી બોલવા ઊભા થયા ત્યારે એમણે જાહેરમાં કહ્યું : ‘આજે ગુરુ શિષ્ય બન્યો ને શિષ્ય ગુરુ! આજે કેવડી મોટી ભૂલ થઈ જાત? સવારવાળી ઘટના ભાવથી વર્ણવી મને મોટો કરી દીધો! પોતાના માટે સવારે ચા બનાવે ત્યારે હું રૂમમાં વાંચતો હોઉં તો ત્યાં મને ય ચા આપી જાય! હું B.Ed.માં યુનિ.માં પ્રથમ આવ્યો. મહેશભાઈએ બધાંને પત્ર લખ્યો: સ્થાપનાનાં સોળ વર્ષે કૉલેજનો કોઈ તાલીમાર્થી યુનિવર્સિટી પ્રથમ આવ્યો. કૉલેજ તરુણ વયમાં પ્રવેશી ત્યારે જ ઊંચકાઈ ગઈ…….’ ચન્દ્રકાંતભાઈએ ત્યાંથી M.Ed. પણ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે કર્યું. પછી ડી. કે. વી. જામનગરમાંથી M.A. ગુજરાતી સાથે કર્યું. ગુલાબદાસ બ્રોકરના પિતાના નામનો સુવર્ણચંદ્રક પણ મેળવ્યો. તેમનો સ્વભાવ કે જે ભણાવવું હોય તે પહેલાં ભણવું, તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક ભણવું. M.A. શરૂ કરતાં પહેલાં સંદર્ભસૂચિ તૈયાર કરી પ્રાધ્યાપક લાભશંકર પુરોહિતને ઘરે જઈને બતાવી પૂછ્યું: શું આ પુસ્તકો પૂરતાં છે? શ્રી લાભશંકરભાઈ સાનંદાશ્ચર્ય વિદ્યાના સાચા અર્થી સામે જોઈ રહ્યા! ૧૪ વર્ષ વેરડમાં માધ્યમિક શિક્ષક; એક વર્ષ જામવણથલી હાઈસ્કૂલમાં આચાર્ય; પાંચ વર્ષ માધ્યમિક શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગરમાં વ્યાખ્યાતા; પાંચ વર્ષ શિક્ષણશાસ્ત્ર ભવન — ભાવનગરમાં અધ્યાપક; પાંચ વર્ષ ત્યાં જ રીડર અને અગિયાર વર્ષ ત્યાં જ પ્રાધ્યાપક હેડ અને શિક્ષણ વિદ્યાશાખાના ડીન રહ્યા ચન્દ્રકાંત ભોગાયતા! ભાવનગર આવ્યા ને લાઇબ્રેરી સાથે ગાઢ નાતો ફરી બંધાયો. લાઈબ્રેરિયન “હોવાથી” નહીં, પણ લાઇબ્રેરિયન ‘હોવા છતાં’ જબરી વાંચનની ટેવવાળાં ઉષાબહેન બુચે પુસ્તકાલય નામનો વારસો જાણે ચન્દ્રકાંતભાઈ માટે શોધી આપ્યો! યુનિવર્સિટીના ભવનાધ્યક્ષ થયાથી તો તેમના માટે આંતરરાષ્ટ્રીય જર્નલ્સની રત્નોની ખાણ ઉપલબ્ધ થઈ. ચન્દ્રકાંતભાઈ કહે છે: ‘આંતરરાષ્ટ્રીય સામયિકો પાછળ હું પાગલ છું. તમે એના અભ્યાસ વિના ક્યારેય પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી સંસ્થાને લાવી શકો જ નહીં, એવું મારું દૃઢ માનવું છે.”
સંશોધનની શિસ્તના ધોરણો પાળવામાં કડક ગણાતા એ સમયના ધૂરંધર સંશોધક ડૉ. હરિભાઈ દેસાઈ પાસે Ph.D. કરવા માટે રજૂઆત કરતો ત્રીસ પાનાંનો નિબંધ લખી મોકલેલો. ચન્દ્રકાંતભાઈને જવાબમાં રજિસ્ટ્રેશનનું ફૉર્મ મોકલી સાથે લખ્યું: ‘આ લેખ કોઈ ઉત્તમ સામયિકમાં છપાવા માટે મોકલો. ‘What is what? ની સ્પષ્ટતા માર્ગદર્શક ડૉ. રવીન્દ્ર દવેમાંથી ડૉ. હરિભાઈ દેસાઈમાં ઊતરીને, તેમના શિષ્ય ચંદ્રકાંત ભોગાયતામાં સ્થાયી થઈ! અરે, આજે સિત્તેર વર્ષ નજીક પહોંચેલા ચન્દ્રકાંતભાઈને કોઈ પણ ગાઈડ કે સંશોધક પત્ર લખીને પોતાનું Ph.D.નું માત્ર શીર્ષક જણાવે ત્યાં તેઓ વરસી પડે. સુઘડ—મોહક અક્ષરોમાં લગભગ પૂરેપૂરાં સંશોધનની રૂપરેખા અને કાર્યપદ્ધતિ crystal clear કરીને દસેક પાનમાં મળી જ સમજો! શ્રી હરિ ઓમ આશ્રમ શ્રેષ્ઠ સંશોધક ઍવૉર્ડ બે વખત મળ્યો છે! સોળ સંશોધકોને ડૉક્ટરેટનું માર્ગદર્શન, ૩૮ રીસર્ચ પેપર્સ, ૮૦ અભ્યાસ લેખો, સાત પુસ્તકો આપનાર ચન્દ્રકાંતભાઈ ભોગાયતાએ ચિંતનાત્મક અધ્યાપન’ના ખ્યાલને ભારતમાં રમતો મૂક્યો છે. પોતે જે માને છે તે જ સ્પષ્ટ અને મૃદુતાથી કહેવાનું અને તેનાં માઠાં પરિણામો આવે તો ભોગવવાનાં,” આ સિદ્ધાંતના સ્વામી ડૉ. ચન્દ્રકાંત ભોગાયતાએ પોતાનાં કુટુંબને ગિજુભાઈની બાળવાર્તાઓ નાટકના અભિનયથી ભજવતું કર્યું છે. BITS, મિલાનીમાં દીકરો ભણતો હતો ત્યારે ત્યાં પણ કૂતરાને દૂધ પાતો નિયમિત! શિક્ષણ-સંશોધનના સાધક સંવેદનાના ઉપાસક છે…
by Bhadrayu Vachhrajani | Mar 30, 2025 | Gramsetu |

‘જિનિયસ’ શબ્દનો અર્થ નિહાળવો છે, તો ઢાંકીસાહેબને મળો..
સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી બચુભાઈ રાવતનું ‘કુમાર’ નિયમિત વાંચે. હાઇસ્કૂલમાં હશે ત્યારે તેમણે કુમા૨માં લેખો વાંચ્યા, ભારત સહિત વિવિધ દેશોના પ્રાચીન ભવનો અને તેના સ્થાપત્ય-શિલ્પ-કલા અંગેનાં! આ લેખોમાં ઠાંસોઠાંસ માહિતી હતી કે જે પેલા વિદ્યાર્થી માટે રસપ્રદ શિક્ષણની સામગ્રી બની રહી. વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે જ એમણે અન્ય મિત્રો સાથે મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળ’ની સ્થાપના કરી, અને આ મંડળે આજુબાજુમાં ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યો! બાળપણથી જ કલા-સ્થાપત્ય-સંગીત-દેવાલયો-સંગ્રહાલયોના ગહન અભ્યાસના માર્ગે વળેલ મધુસૂદન અમીલાલ ઢાંકી, આજે ગુજરાતમાં – ભારતમાં વિદેશોમાં ‘[કીસાહેબ’ના આદરભર્યા નામથી પ્રતિષ્ઠિત છે. જિનિયસ’ શબ્દનો મૂળ અર્થ સમજ્યો હોય તો ૮૬ વર્ષની જ્ઞાનવૃદ્ધ + અનુભવ સમૃદ્ધ + શિશુ સહજ વિશુદ્ધ ‘ઢાંકીસાહેબ’નાં ચરણો પાસે પલાંઠીવાળીને કલાકોના કલાકો બેસવું પડે. કોઈ પૂછે કે : ગુજરાતની ખરી અસ્મિતા કઈ?” તો ગર્વથી છાતી ફુલાવી એક નામ આપી જ શકાય અને તે મધુસૂદન અમીલાલ ઢાંકી.
મૂળ પોરબંદર પાસેના ઢાંક ગામના એટલે અટક પડી ઢાંકી. મૂળ નામ સરસ્વતીચંદ્ર. પાંચમા ધીરા સુધી એ જ નામ રહ્યું. ત્યારબાદ અમીલાલભાઈને કોઈકે કહ્યું કે : “આ નામ રાશિ પ્રમાણે નથી, તો રાશિ પ્રમાણે નામ પાડો’ અને એમ આપણને મળ્યા મધુસૂદન ઢાંકી. નામ ભલે બદલ્યું, પણ એ જ્વમાં આજે પણ સરસ્વતી દેવી પાકે પાયે ધામા નાખી બિરાજ્યાં છે, તેમાં બે મત નથી. આ વાતની સાબિતી છે આપણી પાસે. ઢાંકીસાહેબને ૨૦૧૧ના વર્ષનો ‘રણજિતરામ સુવર્ણચંદ્ર’ એનાયત થયેલ છે, તો વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ’નું નાગરિક સન્માન પ્રાપ્ત થયેલ છે. આ પૂર્વે ઢોંકીસાહેબને કુમારચંદ્રક, પ્રાકૃત જ્ઞાનપીઠ પુરસ્કાર, એશિયાટિક સોસાયટી ઑફ બૉમ્બે દ્વારા કેમ્બલ મમોરીઅલ ગોલ્ડમૅડલ, હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, રસિકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે. ઢાંકીસાહેબના લલિત લખાણોના પુસ્તક શનિમેખલા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું. પોતાનાં અતિ વિશિષ્ટ પ્રદાન બદલ, ભારતીય અભિલેખવિદ્યામાં ભગવાનલાલ ઇન્દ્રજી અને ભારતીય પુરાતત્ત્વમાં હસમુખ સાંકળિયાનું સ્થાન છે તેવું જ પ્રદાન ભારતીય દેવાલય સ્થાપત્યનાં ક્ષેત્રે મધુસૂદન ઢાંકીનું છે. તેઓ જીવ ભલે ભારતમાં એક નાના શહેર અમદાવાદમાં વસે પણ ટોકીસાહેબની ખ્યાતિ અને પ્રતિષ્ઠાભરી ચેતના વિશ્વનાં કર્ણકણર્મા શ્વસે છે એ નિર્વિવાદ છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષજ્ઞ પોરબંદરમાં. પૂનાની જગવિખ્યાત ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા (Geology) અને રસાયણશાસ્ત્ર સાથે B.ની પદવી મેળવી. બેંકમાં નોકરીથી કારકિર્દીનો પ્રારંભ, પણ મૂળ ખ્વ સંશોધનનો અને કલા- સ્થાપત્યનો. ૧૯૫૧માં મિત્રો સાથી મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળના નેજા હેઠળ પોરબંદરની આજુબાજુના જૂનાં સ્થાપત્યોની શોધ ચલાવી અને ઘાં નવાં મંદિરો શોધી કાઢ્યો. વડોદરા મ્યુઝિયમના ક્યુરેટર (ઢાંકીસાહેબ ક્યુરેટર’ ન કહેર્તા ‘રક્ષપાલ’ કહે છે!) હરમાન ગોયન્સે ઢાંકીની કામગીરીને બિરદાવી પ્રોત્સાહન આપતા રહ્યા. એ પછી જૂનાગઢમાં તેમણે ઉદ્યનવિદ (horticulturist) તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેઓ ગમતીલા પ્રાતત્ત્વના વ્યવસાયમાં જોડાયા. જૂનાગઢ અને જામનગરના સંગ્રહલયમાં તેઓએ ‘રક્ષપાલ’ તરીકે કામગીરી કરી. ઢાંકીસાહેબ ગુજરાતના પુરાતત્ત્વ સર્વેક્ષણમાં જોડાયા અને તેમણે પ્રભાસપાટણનું ઉત્ખનન કર્યું અને કચ્છની લોકકલાઓ અંગે ક્ષેત્રકાર્ય કર્યું. રાજકોટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિઑલૉજી અને મ્યુઝિયમમાં સેવા આપી. ૧૯૬૬માં તેઓ વારાણસીમાં અમેરિકન એકેડમી (અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ)માં જોડાયા અને ત્યાંથી જ સેન્ટર ફોર આર્ટ ઍન્ડ આર્કિઑલૉજીના નિયામક પદેથી નિવૃત્ત થયા. મધુસૂદન ઢાંકી અમદાવાદની એલ ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજમાં પણ ભારતીય કલા-સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા હતા. કલા-સ્થાપત્યના અભ્યાસ અર્થે તેમણે લગભગ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું, તો ભારતીય કલા-સ્થાપત્યની પડોશી દેશો પર કેવી અસરો પડી છે અને ત્યાંની સ્થાનિક શૈલીઓ કેવી છે તેનો અભ્યાસ કરવા માટે તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પન્ન ક્ષેત્રકાર્ય કર્યું. યુરોપના ગૉર્થિક સ્થાપત્ય માટે કીસાહેબને એક અજ્ઞાત લગની છે, અને એ સ્થાપત્યના અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડમાં ક્ષેત્રકાર્ય કર્યું છે. ઢાંકીસાહેબની વિશિષ્ટ વ્યાખ્યાન શ્રેણીઓ યુ.એસ.એ. અને યુ. કે.માં યોજાયેલ છે.
ઢીંકીસાહેબનાં વિરલ પ્રદાનને જાણવા માટે કેટલાક માઇલસ્ટૉનને સ્પર્શવું જરૂરી છે. (૧) પહેલા ભારતીય સ્થાપત્યનું વર્ણન અને મૂલ્યાંકન પણ સામાન્ય રીતે યુરૉપના સ્થાપત્યની પરિભાષાના આધારે જ કરવામાં આવતું. મધુસૂદન ઢાંકીએ પ્રથમ વાર જ સંસ્કૃતમાં લખાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને આધારે દેવાલય સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરી આપી. આ જ કાર્યના ભાગરૂપે તેમણે કેટલીયે વાસ્તુશાસ્ત્રને લગતી કૃતિઓનાં સાચાં અને તર્ક સમાંકનો કરી આપ્યાં.
(૨) એમનો પહેલો દીર્ઘલેખ તે ગુજરાતનાં સોલંકીયુગીન મંદિરોની આનુપૂર્વી’ (આનુપૂર્વી = Chronology). આ લેખથી પહેલી જ વાર ભારતનાં કોઈપણ પ્રદેશનાં અને કોઈપણ યુગનાં મંદિરોની સાલવારી અને એના દ્વારા તેમની ક્રોનોલૉજી, પ્રારંભ-વિકાસ-અન્ય સ્થાપત્ય કલાનાં લક્ષણો નિયત કરી શકાય. આ દીર્ઘલેખ દ્વારા ઢીંકીસાહેબે મંદિર સ્થાપત્યના વિકાસ અને ઉત્ક્રાન્તિનાં દ્વાર ખોલી આપ્યાં, તો સ્થાપત્યની સંશોધન પદ્ધતિ ઘડી આપી.
(૩) અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા પછી તેમણે ભારતીય દેવાલય સ્થાપત્ય માકોશ (Encyclopedia of India Temple Architecture)ની યોજના ઘડી. ઢાંકીસાહેબે ભારતનું અને અન્ય દેશોનું ક્ષેત્રકાર્ય અર્થે ભ્રમણ કરી અસંખ્ય ફોટા લેવડાવ્યા, વિધાનો (plan) તૈયાર કરાવ્યાં તથા એ મંદિરો વિશેની દંતકથાઓ એકઠી કરી. આ ભગીરથ ક્ષેત્રકાર્ય અને સંસ્કૃતના વાસ્તુશાસ્ત્રના ગ્રંથોના વર્ષોના અભ્યાસ પછી છેક ૧૯૮૩માં પ્રથમ ગ્રંથ પ્રકટ થયો!!
(૪) ભારતીય સ્થાપત્ય સિવાય નિગ્રંથ કહેતાં સાહિત્ય અંગે પણ ઢાંકીસાહેબનાં સંશોધનો વિશ્વવિશ્રુત અને વિદ્વત્ત માન્ય છે. એમણે જૈન સાહિત્યની વિવિધ કૃતિઓનાં પાઠ નિશ્ચિત કરી આપ્યો છે, કૃતિઓના તેમ જ એમના કર્તાઓના સમય કી આપ્યા છે.
(૫) ગુજરાતના સ્થાપત્યમાં જોવા મળી જાળીઓનો એક અભ્યાસલેખ ઢાંકીસાહેબે વર્ષો પહેલાં ગુજરાતીમાં આપેલ છે, તેના પરથી કલ્પી શકાય કે છેક ૧૯૬૩થી તેમણે આ વિષય પર કામ શરૂ કરેલ હશે તેઓના પુસ્તક ભારતીય દેવાલયોની જાળીઓમાં માત્ર ભારતીય જાળીઓની જ વાત નથી, હકીકત જુદી જ છે. તેમણે અહીં ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત અગ્નિ એશિયાઈ રાષ્ટ્રોનાં દેવાલયોની જાળીઓ વિશે પણ સમાન્તરે પ્રકાશ પાડ્યો છે. ઇસ્લામી અને યુરોપનાં ગૉર્થિક સ્થાપત્યમાં જોવા મળતી આ પ્રકારની પ્રકાશ અને વાયુના પ્રસારણ માટેની સમાન્તર પ્રયુક્તિઓ વિશે પણ વિગત ચર્ચા કરી છે. ગૉયિક જાળીઓની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તેના પર એક સ્વતંત્ર પ્રકરણ ઢાંકીસાહેબે લખ્યું છે. ગુજરાતને વિશ્વ સાથે જાળીની મદદથી જોડતું ઢાંકીસાહેબનું આ પુસ્તક તેઓએ પોતાના Ph.D.ના માર્ગદર્શક અને જાણીતા ઇતિહાસકાર મોતીચન્દ્રને અર્પણ કર્યું છે.
(૬) અત્યાર સુધીમાં, દક્ષિણ ભારતનાં દેવાલયો અથવા દ્રાવિડી શૈલીના દેવાલયો વિષે ત્રણ ગ્રંથો અને ઉત્તર ભારતની નાગરી શૈલીના ત્રણ ગ્રંથો મહકોશના ભાગરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે, ચોથો ગ્રંથ પ્રસિદ્ધ થવામાં છે જે દ્રાવિડી શૈલીનાં દેવાલયોને લગતો છે.
(૭) મંદિરોના સ્થાપત્ય, શિલ્પ અને તેના વિવિધ અંગો વિશે સ્વતંત્ર પુસ્તકો-લેખો વગેરેની સંખ્યા ૩૦૦ થી વધુ થાય છે. હાલમાં, નાદુરસ્ત તબિયત છı ઢાંકીસાહેબ શેત્રુંજીના મંદિરો વિશેનાં તેમનાં પુસ્તકને આખરી ઓપ આપી રહ્યા છે.
(૮) જૂનાગઢ-જામનગરમાં રક્ષપાલ હતા તે સમય દરમ્યાન ઢાંકીસાહેબે સૌરાષ્ટ્ર-કચ્છની લોકકલાઓ અંગે ઊંડું કાર્ય કરી ૧૯૬૬માં પુસ્તક આપ્યું : “The Embroidery and Bead Work of Kutch and Saurashtra’ જોકે, આ સમયે તેમણે ભારતીય પુરાતાત્ત્વિક સંદર્ભે મળતા મોતીઓ અને મણકાઓનો જબરો અભ્યાસ કર્યો, પુસ્તક લખ્યું પણ તે કદી પ્રસિદ્ધ ન થયું અને કમનસીબે ગેરવલ્લે ગયું.
આપણી એટલે કે જિજ્ઞાસુ-અધ્યાપની કલ્પના જ્યાં પૂરી થઈ જાય ત્યાંથી ઢાંકીસાહેબ પોતાની સંશોધન સફર શરૂ કરે છે! કલા-સ્થાપત્યના સાચા વિદ્યાર્થીઓ પોતાનાં ભણતરમાં ગેરી તાતોવ્સ્કી અને જોર્જ મિશેલને ભળે છે, વાંચે છે… એ ગૅરી તાતોસ્કી ઢાંકીસાહેબને ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસના પિતા’ કહે છે, તો જોર્જ મિશેલ ટોકીસાહેબને ‘ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા’ : the architect divine સાથે સરખાવે છે.
ઢાંકીસાહેબે હિન્દુસ્તાની અને કર્ણાટકી એમ બેઉ ભારતના Classical (માર્ગી) સંગીતની પણ તાલીમ લીધી છે. તેઓ આ બન્ને શાસ્ત્રીય પદ્ધતિઓ કલા-સ્થાપત્યમાં નરી આંખે નિષ્કળે છે અને કહે છે: ‘the architectural forms are static and the musical images are kinetic’. કડક અને શિસ્તપ્રિય સંશોધક ઢાંકીસાહેબ સ્નેહાળ, ઉખિલ, રમૂજપ્રિય છે. ઢોંકીસાહેબનું શિશુસહજ હાસ્ય આપણને વહલા દાદાજીના દર્શન કરાવે છે.
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | Gramsetu |



નિવૃત્ત થતી દીકરીએ કહ્યું : “તમે ઉપરના માળે રહો છો ને ફોનની ઘંટડી વાગે એટલે વીસ પગથિયાં ઊતરી નીચે આવો છો, તે તમને કોર્ડલેસ ફોન લઈ દઉં. તમારે આ ઉંમરે ઊતરચડ નહીં.” દીકરીના વહાલને પ્રેમથી પાછો વાળતાં પિતાજી બોલ્યા : રક્ષા તારી વાત સાચી છે કે મારે દી’માં આઠ-દસ વાર ઊતરચડ થાય છે, પણ એ બહાને મારા શરીરને કસરત થઈ જાય છે. અમથુંય હવે નવ્વાણું વર્ષે બહાર ફરવા જવાનું ઘટી ગયું છે. તો ભલેને ફોનની ઘંટડી વાગે, હું પગથિયાં ચડઉતર કરી લઈશ. જરાક જાળવીને આવજા કરીશ પણ કોર્ડલેસ ફોન લેવા જેટલી મારી ઉંમર નથી.’ આ શબ્દો પોતાના જીવનનાં નવ્વાણુ વર્ષ સ્ફૂર્તિમય વિતાવનાર દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવના છે.
યુવાનોને શરમાવે તેવો આત્મવિશ્વાસ જેની અખૂટ મૂડી છે તે ડી. ડી. વૈષ્ણવ પોરબંદરના છાયા વિસ્તારમાં રહે છે અને આજે પણ ડંકી સીંચી પાણીની ડોલ ભરી પોતે પોતાનાં કપડાં ધુએ છે. પોતાનું કામ જાતે જ કરવાના આગ્રહી છે. નિયમિત યોગ અને કસરત તથા અચૂક ચાલવાનું. તેઓની ચોતરફ પુસ્તકો પડયાં હોય અને દિનુભાઈ જ્યારે જુઓ ત્યારે વાંચતા જ હોય, બહુ પ્રયાસ કર્યો દિનકરભાઈ વૈષ્ણવ વિષે તેઓનાં જ મુખેથી કશુંક સાંભળવાનો, પણ નિષ્ફળ! મારા જીવનમાં નોંધવા જેવું કે લખવા જેવું કશું નથી. મારું શરીર અને મારું જીવન મેં બરાબર જાળવ્યું છે. યુવાનીમાં દેશી રમતો રમીને શરીરને ખડતલ બનાવ્યું. નિયમિત સાદું ભોજન લેવાનો આગ્રહ રાખ્યો. ઘડિયાળના કાંટા સાથે જીવન જીવવાનું. ઊઠવાનો-નાસ્તાનો-જમવાનો અને સૂવાનો સમય સાચવવાથી આજ સુધી કોઈ શારીરિક તકલીફ પડી નથી. ભગવાનની કૃપાથી આધુનિક જમાનાના ડાયાબિટીસ-બીપી-કોલેસ્ટરોલ જેવા રોગ પણ મારી નજીક ફરક્યા નથી.’ દિનકરરાય વૈષ્ણવ પૂરેપૂરી સ્વસ્થતાથી પોતા વિષે આટલી વાતો કરે છે.
૧૯૧૪માં જન્મેલા ડી. ડી. વૈષ્ણવ પોરબંદરની રાજાશાહીથી લઈને આદિન સુધીના ઇતિહાસના સાક્ષી છે. પોરબંદરના ઇતિહાસનું આ માનવીય વટવૃક્ષ છે.
વૃક્ષપ્રેમી અને શિસ્તના પરમ આગ્રહી. ખુમારી એવી કે કોઈપણ માથાભારેને પાકા મનોબળથી પડકારી શકે. યુવાન દિનકર રસ્તા પરથી પસાર થતા હતા. એક છોકરી પણ ત્યાંથી નીકળી અને એ છોકરીને એકલી ભાળી કોઈ જોરુકો સાઇક્લીસ્ટ ત્યાંથી પસાર થઈ પેલીની મશ્કરી કરવા લાગ્યો. છોકરો પેલીની છેડતી કરે ત્યાં તો દિનકરે જઈ એ મે૨ છોકરાનો હાથ પકડી ખખડાવી કાઢ્યો. દિનકરનો આત્મવિશ્વાસ જોઈને પેલો પોબારા ગણી ગયો. પોરબંદરમાં માથાભારે મેરને પડકારવાની હિંમત કોઈ ખુમારીથી છલકતો જણ જ કરી શકતો ત્યારે! પેલી છોકરી ભાવવશ પોતાના માર્ગે ને યુવાન દિનકર જાણે કંઈ બન્યું જ નથી એટલી સહજતાથી આગળ ચાલતો થયો. ખુમારી અને સહજતાનો આવો સુમેળ આજે પણ દિનુદાદામાં જોવા મળે છે.
પોતાના જીવનનાં પચાસથી વધુ વર્ષો શિક્ષણ જગતને અર્પણ કરનાર દિનકરરાય વૈષ્ણવ મોટીમસ પદવીઓ ધરાવતા નથી. પિતાજી ધીરજલાલ વૈષ્ણવ જીવતી જાગતી ડિક્સનેરી જેવા હતા. એ પણ શિક્ષક હતા, પણ પૅરાલિસિસ થતાં નોકરી છોડી એટલે કુટુંબની જરૂરિયાતને ધ્યાનમાં લઈને દિનકરભાઈ શિક્ષક થયા. ભાઈને ભણવાની અને આગળ વધવાની અનુકૂળતા કરી આપી પોતે પોરબંદરને જ ‘જિના યહાઁ‚ મરના યહાઁ’ની જેમ સ્વીકારી લીધું. ભાઈ પ્રભાકર પ્રાધ્યાપક થયા. મુંબઈ જઈ તેઓ એલ્ફીન્સ્ટન કૉલેજમાં ભણ્યા, શાંતાક્રુઝના સારદ વૃંદમાં બેઠક જમાવી, પોદાર સ્કૂલમાં નોકરી કરી, નરસિંહરાવ દિવેટિયાના લહિયા બન્યા ને વર્ષો સુધી રાજકોટની માતુશ્રી વિરબાઈમા મહિલા કૉલેજમાં પ્રાધ્યાપક રહી નિવૃત્ત થયા. પ્રભાકરભાઈનાં દીકરી રેણુ સાથે વાત કરો તો પણ મોટાઈ એટલે કે દિનકરભાઈની કહાની જ વધુ આવે. કુટુંબભાવના તો ગજબની! દ્વારકાદાસ વિઠલાણી સ્કૂલમાં દિનકરભાઈ મેટ્રિક સુધી ભણ્યા અને પછી એ જ શાળામાં ચોંત્રીસ વર્ષ શિક્ષક તરીકે ભણાવ્યું! નિવૃત્તિ પછી દિનકરભાઈ વૈષ્ણવે વીસ વર્ષ આર્યકન્યા ગુરુકુળમાં શિક્ષણ આપ્યું. અંગ્રેજી એટલું સારું કે પોરબંદરના નામી રાજવી ઘરાનાના અને રાજકીય ક્ષેત્રના મહારથીઓને અંગ્રેજી અને ગુજરાતી શીખવ્યું.
પોરબંદરના રાજવી રાણા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણીને આવ્યા પછી રાજ્યની ગાદી પર બેઠા. તેઓ રમતના ખેલાડી, ક્રિકેટની ટીમ લઈને ઇંગ્લૅન્ડ રમવા ગયેલા અને ત્યાંથી પાછા આવી પોરબંદરના વિકાસ માટે કાર્યશીલ બનેલા. આ રાજવી પરિવારને દિનકરરાય વૈષ્ણવ સાથે ઘરનો નાતો. રાજાનાં બીજાં પત્ની વેલ્સ દેશનાં હતાં. તેઓને ગુજરાતી શીખવવા જતા ડી. ડી. વૈષ્ણવ. દિનુદાદા સ્વતંત્રતાકાળના પણ સાક્ષી. પોતે ચૌદ વર્ષના હતા ત્યારે ગાંધીજીને જે ગાંધીજી પોરબંદર આવ્યા ત્યારે તેમનું સ્વાગતગીત દિનકરના કંઠે આંખોમાં છલકતાં તેજથી દિનુદાદા કહે છે કે : “ત્યારે બાપુને બહુ નજીકથી નિહાળેલા, પણ ગાંધીજીની ચામડી શાઇનિંગવાળી હતી ત્યારે… આઝાદીની ચળવળમાં પોરબંદરના
સિંહફાળાનો હું સાક્ષી છું.’ આજે ભાવસિંહજી સ્કૂલના મેદાનમાં ભૂતનાથનું મંદિર છે. તેને નવા નિયમ અનુસાર તોડી નાખવાની ગતિવિધિ ભૂતકાળમાં થયેલી. ૧૯૪૭ પહેલાં પણ આ મંદિર હતું તેનો પુરાવો અધિકારીઓને શોધ્યો ન જડ્યો. દિનકરરાય વૈષ્ણવ ૧૯૨૨ની સાલનો મંદિરનો ફોટો લઈ પહોંચ્યા અને કોર્ટે આ મંદિરને જીવતદાન બક્યું! આ વડીલ આવા કેટલાય પ્રસંગોના ઇતિહાસના સાક્ષી રહ્યા છે જેને આધારે આજનું પોરબંદર ઘડાયું છે. દિનુભાઈ કહે છે ઃ પોરબંદરમાં અન્ય શહેરો જેવી આધુનિક વ્યવસ્થાઓ ઓછી છે પરંતુ પોરબંદર પાસે જે કલા અને સ્થાપત્યનો વારસો છે અને ભવ્ય ઇતિહાસ છે તે અન્ય કોઈ શહેર પાસે નહીં હોય. રજવાડી વારસો, ઐતિહાસિક શિલ્પ-સ્થાપત્યો, ધર્મસ્થળો વગેરે નમૂનેદાર છે. અહીંનું હવામાન સાફ છે. ઐતિહાસિક પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ પોરબંદર મોખરે આવે. મારે જો પોરબંદરને ઉપમા આપવી હોય તો હું તેને ‘સુરમ્ય નગરી’ની ઉપમા આપું.’ પોતાનું પોરબંદર રૂડું અને રળિયામણું છે તેવું કહેતાં દિનકરભાઈની નજર સામેથી જાણે વર્ષોનાં વર્ષ પસાર થઈ જાય છે. પોતે છ ભાઈઓનો પરિવાર, પોરબંદરમાં વારંવાર મળે ત્યારે જાણે મેળાવડો જામે. સંગીત-સાહિત્ય-ઇતિહાસ-સંસ્કારની વાતો ખૂટે જ નહીં. જીવનના પ્રશ્નો તો તેમાં ફરકે ય નહીં. શું વાંચ્યું, શું સાંભળ્યું, શું જીવ્યા તેની હસીખુશીભરી વાતો. પછીની પેઢી પર અજાણતાં જ આ સંસ્કારોએ રાજ કર્યું. લાગણી અને સંભાળ જેવી જાત પ્રત્યેની, તેવી જ સમગ્ર કુટુંબ પ્રત્યેની. નાગરી પ્રણાલી મુજબ દિનુભાઈ હિંડોળે હિંચકતા હોય ને બન્ને પડખે બે બાળકો નિદ્રા રાણીને આવકારતાં હોય. હિંડોળાને ઠેલા વાગતા જાય ને રામસહસ્રનામ કે શક્રાદય ધીમે સ્વરે દિનુભાઈ ગાતા જાય! બન્ને બાળકો સૂઈ ગયાં છે એવી ખાતરી થાય એટલે બાળકોને યથાસ્થાને સૂવડાવી દિનુભાઈ ઊપડે સંગીતના કાર્યક્રમોમાં! રાત્રે આવે ત્યારે પોતાના ઉપરના ખંડમાં, જ્યાં રેડિયો હોય, ચોપડીઓ હોય, સંગીતનાં સાધનો હોય! ૧૯૯૪માં એક ઘટના બની. સૌ સૂર્યકાકીની તબિયત નરમગરમ હતી. પત્ની સ્વસ્થ છે એમ જાણી દિનુભાઈ રાત્રે સંગીતના કાર્યક્રમમાં ગયા. પત્નીએ એમને રોકવાનું જરૂરી ન ગણ્યું. વહેલી સવારે ધીમા અવાજે મોટા દીકરાને માએ કહ્યું : “તમારા બાપને ઉઠાડોને!’ તરત જ દિનકરભાઈ બાજુમાં ગોઠવાયા. એક દીકરીની ચિંતા માને ખરી. સૂર્યબાળાબેન બોલ્યાં : મને લાગે છે કે મને તેડું આવ્યું છે, પણ…. દિનકરભાઈ પૂર્ણ સ્વસ્થતાથી બોલ્યા : ‘તમે એમની ચિંતા ન કરો, અમે સૌ છીએ ને! જો તમને તેડું આવ્યું હોય તો ત એંસી વર્ષના દિનકરભાઈના શબ્દો અટક્યા ત્યાં જ તેમના ખોળા 275/408 મુકી દીધો. તે સમયની દિનુદાદાની સ્વસ્થતા અને ત્યાર પછીની આ પારા પર્યા દરમ્યાનની સહજતામાં ભગવદ્ગીતાનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જોવા મળે!
દિનુદાદાના મોટા દીકરા આજે બોંત્તેર વર્ષે દરિયે નહાવા જાય છે કારણ કે દિનુદાદા પોતે આજે પણ નિયમિત રામકૃષ્ણ લાઇબ્રેરીમાં અચૂક જાય છે.
અખબારો, પુસ્તકો અને મૅગેઝિન ઝીણવટથી વાંચતા આ વયોવૃદ્ધને જોઈને કેટલાય યુવાનો પ્રેરણા મેળવે છે. અહીંના ગ્રંથપાલનું કહેવું છે કે : ‘લાઇબ્રેરીની શરૂઆત અહીં થઈ ત્યારથી વૈષ્ણવસાહેબ અહીં આવે છે. દરેક પ્રકારનાં પુસ્તકો દાદા વાંચે છે. નવલકથા હોય કે નવલિકા. વાર્તાસંગ્રહ હોય કે ધર્મપુસ્તકો.’ દિનકરભાઈ ધીમું મરકતાં કહે છે : ‘અંગ્રેજીનાં સાતસોથી વધુ, ગુજરાતીમાં તો એક હજારથી વધુ પુસ્તકો વાંચ્યાં હશે. સંસ્કૃત ધર્મ પુસ્તકો મેં જીવનની ઢળતી સંધ્યાએ વાંચવા શરૂ કર્યાં. મને સમજાયું છે કે હકારાત્મક વાંચન પ્રભાવશાળી વ્યક્તિત્વની ઉપમા તો અપાવે જ છે પરંતુ સાથોસાથ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના પર્સનાલિટી ડેવલપમૅન્ટ જેવા કોર્સની જરૂર પડતી નથી.’ જીવનનાં ચાલીશ વર્ષો દિનકરભાઈ હોલ્ડ્રીકલ્ચરમાં પણ પ્રવૃત્ત રહ્યા છે. વૃક્ષપ્રેમ અપાર છે. વૃક્ષો કપાય તો એમનું દિલ દુઃખે છે. સંપૂર્ણપણે ખાદીધારી દિનુદાદાની સ૨ળ-સહજ જીવનરીતિ અને શિક્ષણમાં એકધારું પાયાનું પ્રદાન એક વર્ષો જૂનાં વડલા સમાન છે. દાદા પાસે ત્રણ ત્રણ પેઢી ભણી છે.
પ્રખર અભ્યાસુ સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ નરોત્તમ પલાણ તો દિનકરભાઈને ગુરુ માને છે અને કહે છે કે : “આજની તારીખે વિભિન્ન વિષયો અંગેનું એમનું જ્ઞાન સલામને પાત્ર છે. આજે કોઈપણ ધર્મનું અઘરામાં અઘરું પુસ્તક તમને દિનુકાકા પાસેથી મળે જ. એક સાચુકલા વૈષ્ણવજનનું જીવતું જાગતું ઉદાહરણ છે દિનકરભાઈ.’
સ્વયંને પારખવા માટે કે અન્યને ભણાવવા માટે મોટી મોટી ડિગ્રીઓ હોવી જ જોઈએ એવું જરૂરી નથી તેની સાબિતી છે દિનકરરાય ધીરજલાલ વૈષ્ણવ, ઉંમર વર્ષ ૯૯, છાયા વિસ્તાર, પોરબંદર! એક સાદા-સરળ સવાયા ગાંધીને મળવા જેવું છે.
by Bhadrayu Vachhrajani | Dec 9, 2024 | Gramsetu |

શિક્ષણની અનેકાનેક પ્રવૃત્તિઓને પડદા પાછળથી સઘળો ટેકો કરનાર સહૃદયી સ્વજન
‘૧૯૬૦માં હું જ્યારે અમેરિકાથી અહીં આવ્યો ત્યારે ધર્મ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા વિશે ઝાઝી ખબર ન હતી, પરંતુ Co એકવાર રામકૃષ્ણ પરમહંસનાં પુસ્તકો વાંચ્યા પછી ધર્મ અને આધ્યત્મિકતા પ્રત્યેની મારી રુચિ વધતી ગઈ. સમય જતાં મારી પ્રમા વિચારધારા સંપૂર્ણ બદલાઈ ગઈ. મારી જાતને સુધારવા માટે ધ્યાન અને યોગ શરૂ કર્યાં, પરિણામે મારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પછી રમણ મહર્ષિનાં પુસ્તકો વાંચ્યા ને તેમનાં વિચારોથી મારો જીવનપ્રવાહ જ બદલાયો. મારા જીવન ઘડતરમાં તેમના વિચારોથી આમૂલ પરિવર્તન આવ્યું. ભગવાનને હું મારા મિત્ર માનું ૐ નમઃ છું. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અપાર છે, પણ હું પૂજાપાઠ કરતો નથી. કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી. વહેલી સવારે દોઢ કલાક યોગ, ધ્યાનમાં વિતાવું છું. ભગવાન મારા મિત્ર છે તેથી રોજ મંદિરમાં જવાનો નિયમ મેં બનાવ્યો નથી…’ બહુ ઓછું બોલતા અને સતત પડદા પાછળ રહી પ્રવૃત્તિમય રહેતા એક ચોરાણુ વર્ષના જુવાનના આ શબ્દો છે. એમનું નામ ડૉ. રાસબિહારી એન. વકીલ છે. મૂળ વતની એન. સી. વકીલ અને હીરાગૌરી વકીલના ત્રીજા સુરતના સંતાન. પિતાજી બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના રાજ્યના જજ હતા. બદલી થતી રહે તેથી રાસબિહારીજી ધારવાડ, અમદાવાદ, કર્ણાટક, રોહા વગેરે સ્થળે ભણ્યા. પિતા ન્યાયાધીશ એટલે બહુ કોઈને મળે-હળે નહીં. માતા અને ભાંડરુઓના પ્રેમમાં ઉછેર. ડૉ. રાસબિહારી એન. વકીલને સૌ ભાવથી ‘રાસુ’ કહીને બોલાવે. રાસુ વકીલનું જીવન અને જીવકાર્ય વિરલ, પણ પોતે એટલા સીધા- સાદા-સહજ કે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ S રાસુ વકીલ કેવડી હસ્તી છે?! બિરલા વિશ્વકર્મા વિદ્યાલયના બીજા જ બૅચમાં સિવિલ ઇજનેરીનું ભણવા દાખલ થયા. કૉલેજની શરૂઆત, સગવડતા ઓછી. રાસુભાઈમાં નેતૃત્વના ગુણો એટલે કૉલેજના જનરલ સૅક્રેટરી બન્યા. કૉલેજ પૂરી કરી ત્યાં પિતાજીએ કહ્યું : ‘મારી પાસે મર્યાદિત બચત છે. કાં તો આ બચતમાંથી નાનો વ્યવસાય શરૂ કર અને કાં એ બચત આગળનું ભણવામાં વાપર. રાસુ તો બૉટમાં બેસી યુ.એસ. ઊપડ્યા. ઘરનાં સૌને ત્રણ મહિને ખબર મળ્યા કે રાસુ સલામત રીતે અમેરિકા પહોંચી ગયો છે! યુનિવર્સિટી ઑફ વિસ્કૉનસીન, યુ.એસ.એ.માંથી માસ્ટર ઑફ સાયન્સ અને પીએચ.ડી. કર્યું. કન્સલ્ટિંગ ઍન્જિનિયરિંગની ન્યૂયોર્ક સ્થિત ફર્મ અમ્મન ઍન્ડ વિટની તથા બર્ન, સ્વિટર્ઝલેન્ડની મૅસર્સ લૉસિન્જર ઍન્ડ કંપનીમાં કામ કર્યું. અમેરિકાનો નિવાસ બાર વર્ષ લંબાયો. ત્યાંથી પરત ભારત આવ્યા ને રાસુભાઈનાં જીવને આધ્યાત્મિક વળાંક લીધો. સ્ટ્રક્ચરલ ઍન્જિનિયરિંગ, ટીચિંગ અને પ્રેક્ટિસ એવા ત્રિવિધ મોરચે કાર્યરત થયા. અમદાવાદમાં સ્થાયી થયા અને કસ્તૂરભાઈ લાલભાઈથી પ્રભાવિત થયા, જેના ફળસ્વરૂપે CEPTની સ્થાપના થઈ. અમદાવાદ સ્થિત ગુજરાતની રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ‘સૅન્ટર ફૉર ઍન્વાયરમેન્ટ પ્લાનિંગ ઍન્ડ ટૅક્નોલોજી’ના ડીન- ડાયરૅક્ટર તરીકે ૨૦૧૨ સુધી રાસુભાઈ વકીલ અવિરત રહ્યા. કહોને રાસુભાઈએ CEPTને પોતાની જિંદગી સમર્પિત કરી. આજે CEPT એ યુનિવર્સિટી છે, જે ફૂલ ટાઈમ અન્ડર ગ્રેજ્યુએટ આર્કિટેક્ચર, અને પૉસ્ટ ગ્રેજ્યુએટ ઍકેડેમિક પ્રૉગ્રામ કન્સ્ટ્રક્શન, પ્લાનિંગ, ઇન્ટીરીઅર ડિઝાઇન, લૅન્ડસ્કેપ ડિઝાઇન જેવી શાખાઓમાં ઑફર કરે છે. ૧૯૬૨ થી ૨૦૧૨ સુધી ડૉ. રાસબિહારી એન. વકીલ માત્ર ને માત્ર CEPTમય બનીને જીવંત રહ્યા.
રાસુભાઈ હૉલીસ્ટીક ઍપ્રોચના ભિષ્મપિતામહ પુરવાર થયા. ‘પ્લમ્બિંગ સર્વિસ ડિઝાઇન’ની પરિકલ્પના રાસુભાઈની દેન છે. આઇ.ટી.આઈ.માં પ્લમ્બિંગ સર્વિસને એક વિષય તરીકે દાખલ કરી પ્લમ્બર્સને લાઇસન્સ આપવાની રાસુભાઈની હિમાયત ચોતરફ આવકારપાત્ર બની. માત્ર બાંધકામ જરૂરી નથી, તેનું પ્લમ્બિંગ, તેની વૉટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં પણ યુવાનોને તાલીમબદ્ધ કરવા જોઇએ તેવું ઝીણું કાંતનારા રાસુ વકીલ છે. તોંતેર વર્ષની ઉંમરે રાસુભાઈએ આઇ.આઇ.એમ., અમદાવાદના નવા કૅમ્પસની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરેલી! ઘણી વિખ્યાત ઊંચી ઇમારતોની ડિઝાઇન ઉપરાંત અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ઉપરાંત કલકત્તા અને રાજકોટના સ્ટેડિયમની ડિઝાઇન પણ રાસુભાઈએ તૈયાર કરી. તેઓએ એશિયા અને આફ્રિકામાં પણ ડિઝાઇનિંગનું આગવું કામ કર્યું છે! રાસુભાઈ ‘સિમ્પલ લિવિંગ ઍન્ડ હાઇ થિન્કિંગ’ના માનવ છે. ત્રીસ વર્ષો સુધી એક જ બ્રિફકૅસ વાપરનાર આ રાસુભાઈએ પ્રતિજ્ઞા લીધી છે કે કોઇનાં લગ્નપ્રસંગમાં જમીશ નહીં, કારણ? લગ્ન જેવા પ્રસંગે થતો બગાડ એમને ગમતો નથી! પોતાને વારસાગત મળતી મિલકત રાસુભાઈએ ન સ્વીકારી તેને એક ટ્રસ્ટમાં જમા કરાવી. જેમાંથી જનસેવાનાં કાર્યો મૂંગા મોઢે કર્યાં. શંખેશ્વર-સમી વિસ્તારમાં ધરતીકંપથી અસર પામેલા લોકો માટે કાર્ય કર્યું. ૨૦૦૧થી શિક્ષણ માટે અમૂલ્ય પ્રદાન કર્યું. આ અસરગ્રસ્ત વિસ્તારોની માધ્યમિક શાળાઓના ધોરણ-૧૦ના પરિણામ સુધારવા, વિજ્ઞાન શિક્ષણ માટે પ્રયોગશાળાઓ વિકસાવવી, પુસ્તકાલયો સમૃદ્ધ કરવાં, યુવક પ્રવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિકાસની શિબિરો કરવી… ૨૦૦૩ થી ૨૦૦૬ દરમ્યાન ‘પિપલ્સ કમિશન ઑન સ્કૂલ ઍજ્યુકેશન’ અંતર્ગત ડૉ. રવીન્દ્રભાઈ દવે, ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિક, ડૉ. પી.જી. પટેલને આગળ કરી રાસુભાઈએ નક્કર પ્રદાન કર્યું. ૨૦૧૨થી માતૃભાષા સંવર્ધન માટે ‘માતૃભાષા અભિયાન’ ટ્રસ્ટની રચના કરી. આટલું બધું કાર્ય કરવા છતાં રાસુભાઈ કદિ મંચ પર ન આવે, કદિ ભાષણ ન કરે, માત્ર સાથીદારોને જ આગળ કરે. કોઇને ભાગ્યે જ ખબર પડે કે આવડા મોટા પ્રકલ્પને પૂરેપૂરો પોતાના ખભ્ભ તો રાસુભાઈએ ઉપાડ્યો છે! અમદાવાદના ગરીબ વિસ્તારના બાળકોનાં શિક્ષણ માટે ખનગી રાહે સહયોગ અવિરત ચાલે.
રાસુભાઈની સહજતા કેટલી? ‘સેપ્ટ’માં સાથીદારોને પૂર્ણ સ્વાયત્તતા. ‘સેપ્ટ’નાં કૅમ્પસમાં રાત્રે અઢી-ત્રણ વાગે યુવાન- યુવતીઓ ડિઝાઇનની ગહન ચર્ચા કરતા જોવા મળે. પોતાની ઑફિસ ચોવીસ કલાક ખુલ્લી. ટૅબલ ઉપર એક પણ ફાઇલ નહીં. બાળકથી લઇને વૃદ્ધ સુધી સૌ સાથે પ્રસન્નતાથી હળતા-મળતા રાસુભાઈની ખેતી, હૉમિયોપેથી, આયુર્વેદની જાણકારી દાદ માંગી લે તેવી. ગાંધીનગર પાસેના રાંધેજામાં મિત્રો સાથે રહી બનાવેલું ‘સુંદરવન’ રાસુભાઈની ભેટ છે! વૈકલ્પિક તબીબી સારવાર આપી પણ જાણે! અમેરિકામાં વસેલા એટલે તેની સારપ જીવનવ્યવહારમાં ઊતરી. પોતાનાં કપડાં, પોતાનાં વાસણ આજે પણ પોતે જ સાફ કરે. આગળનું જ જોવા ટેવાયેલા રાસુભાઈ માનવની ઊજળી બાજુ જ નોંધે અને એટલે સહજ રીતે જીવંત રહી શકે છે. ચોરાણુ વર્ષના રાસુભાઈ વકીલ તમને આજે ચુમ્માલીસના દીસે, કારણ ભગવાનના માનવ સ્વરૂપમાં રાસુભાઈની અપાર શ્રદ્ધા છે.
by Bhadrayu Vachhrajani | Oct 12, 2024 | Gramsetu |


શિક્ષક થવું હોય તો બી.એડ્. થવું પડે. એન. એચ. પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, આણંદમાં પ્રવેશ માટે ફૉર્મ ભર્યું. ઍડમિશન માટે પ્રિન્સિપાલ પટિયાલસાહેબે ઇન્ટરવ્યૂ લીધો, પિસ્તાલીશ મિનિટ લાંબો. મિત્રની અદાથી પ્રશ્નો પૂછ્યા. શોખ ગાવાનો છે એવું જાણ્યું તો વિજયને કહ્યું : કશુંક ગાઓ ને! હરિવંશરાય બચ્ચનની રચના ‘દિન જલ્દી જલ્દી ઢલતા હૈ’ સૂરબદ્ધ રીતે રજૂ કરી. પૂછ્યું : સ્વ૨૨ચના કોની છે? વિજ્યે નીચું જોઈ હસતાં હસતાં જવાબ આપ્યો : “ખુદકા કૉમ્પોઝિશન હૈ!’ હિન્દીમાં જવાબ સાંભળીને તેની વાતો શરૂ થઈ. છઠ્ઠા-સાતમા ધોરણમાં વિજયે હિન્દી દૂસરી-તિસરી પરીક્ષા પાસ કરેલી. પ્રેમચંદજીની ગોદાન’ અને ‘ગબન’ તો નાનપણમાં વાંચેલ. સિયારામશરણ ગુપ્તની નવલકથા ‘નારી’, ફણીશ્વરનાથ રેણુની ‘વહ ફિર નહીં આઈ’ અને મોહન રાકેશની ‘આષાઢકા એક દિન’ વાંચીને વિજય નામધારી યુવાન કેટલીયવાર રહ્યો છે. પ્રવેશ આપતા પહેલાં જ પટિયાલસાહેબને સમજાયું કે આ ભાવિ શિક્ષકે બે કામ કર્યાં છે : વાંચવાનું અને ટેબલ ટેનિસ રમવાનું… બી.એ.માં અંગ્રેજીના મૅથડ માસ્ટર મળ્યા પ્રા. હરેન્દ્રભાઈ પટેલ. એમણે વિજયને ઉઘાડ્યો, જબરું તાદાત્મ્ય સર્જ્યું. વિજયે અંગ્રેજી કંઈ બહુ શોખથી નહીં રાખેલું… અને આમ પણ સાયન્સમાં ભણવા બેઠેલા વિજયભાઈ હારીને આર્ટ્સમાં આવેલા. હિન્દી ફેવરીટ સબ્જેક્ટ પણ મોટાભાઈ ૨મેશભાઈ સેવકે અંગ્રેજી રખાવ્યું.
નવનિર્માણ આંદોલનને કારણે વગર પરીક્ષાએ આગળ વધેલા વિજયે એસ.વાય. અને ટી.વાય. આણંદ આર્ટ્સ કૉલેજમાં કર્યું. અહીં મળ્યા સ્કૉલર અને સાહિત્યકાર એસ. વી. નાડકર્ણીસાહેબ. તેમણે વિજયને બોલતો કર્યો. જબરું ટ્યુનિંગ. વિક્ટોરિયન ઍઇજ પરનું સાહિત્ય અસાઇન્મેન્ટમાં સોંપ્યું. તેમાં ખૂબ મહેનત કરીને વિજય સેવકે જ્યારે તેની પ્રસ્તુતિ કરી ત્યારે નાડકર્ણીસાહેબને એ થયું ‘ક્લિક લાઇક ઍનિથિંગ… અહીંથી વિજય ઊંચકાયો. ગિરીશ કર્નાડના શિક્ષક અને હયવદન’ની પ્રસ્તાવના લખનાર પ્રો. કુટંકોટીસાહેબ બે દિવસ અહીં આવ્યા અને એમનામાં વિજ્યને રંગદેવતાનાં દર્શન થયાં… આટલો ઍક્ટિવ વિજય પરીક્ષાના પરિણામમાં પાછળ. ગોખવાનું ગમે જ નહીં. મમ્મીએ નાનપણમાં જાતે મૌલિક જવાબ લખવાનું શીખવેલું. સ્નાતકનાં છેલ્લાં વર્ષમાં માર્ક્સ લાવવા માટે વિજયે જરૂરી બાર પ્રશ્નો ગોખ્યા. પછી પરીક્ષામાં ઑક્યા અને ત્યારે પચાસ ટકા પહોંચાયું. પણ ભણવાથી કંટાળેલ એટલે એમ.એ. ન કર્યું. વાંચવાનો શોખ એટલે વડોદરામાં લાઇબ્રેરી સાયન્સ શરૂ કર્યું. ડાકોરથી અપડાઉન અને શારીરિક તકલીફને લીધે તે કોર્સ પૂરો ના કર્યો. ઘરનાં નારાજ અને વિજ્ય હતાશ. ઘરમાંથી જૂનાં જૂનાં પુસ્તકો કાઢી વાંચ્યાં. એમાં ભાઈએ એસ.ટી.સી. કરેલું તેનાં પુસ્તકો હાથ લાગ્યાં ને તે વાંચતા જ વિજયમાં સૂતેલો શિક્ષક જાગ્યો અને તેમાં મળ્યા પ્રિ. પટિયાલસાહેબ અને પ્રા. હરેન્દ્ર પટેલ. એકદમ અંતર્મુખી, એકલો અને કશું જ ન બોલતો વિજય બહાર નીકળ્યો હરેન્દ્રભાઈને કારણે. પોતાનાં પુસ્તકો અને પોતાનું મટીરિયલ આપીને કહે : આનાં પરથી તારું ખુદનું મટીરિયલ બનાવ…’ અને ગાડી પાટા પર ચડી ગઈ. ઍક્શન રિસર્ચ, લર્નિંગ ટુ બી અને બ્લૂમ્સ ટેક્સૉનોમીનું ટુ પહેલું વૉલ્યુમ તો વિજય સેવકે બી.એડ્. કરતાં કરતાં વાંચી નાખ્યાં. વર્ષના પહેલા જ દિવસે બી.એ.ના ભરચક્ક ક્લાસમાં પોતાની ઓળખ અંગ્રેજીમાં અને ઘેઘુર અવાજમાં આપી સૌનું ધ્યાન ખેંચનાર વિજય સેવક બી.એડ્.માં ગોલ્ડ મૅડાલિસ્ટ થયા! આ સમાચાર ફોઈને ઘરે ગયેલા વિજયને મોટાભાઈએ આપ્યા ત્યારે વિજયને થયેલું કે અત્યારે જ હરેન્દ્રભાઈ પાસે જઉં ને તેમને છાતીએ વળગાડીને રડી પડું. જો કે, આજે પ્રા. હરેન્દ્ર પટેલ નથી તેની વાત કરતાં વિજ્ય સેવક લિટરરી રડી પડે છે! What a great contribution of a teacher in one’s Life!
સુવર્ણચન્દ્રક વિજેતા બી.એ., બી.એડ્. વિજય સેવકને નોકરી ન મળી. ત્રણ જગ્યાએ કોઈક છેલ્લી ઘડીએ વચ્ચે ઘૂસી જાય. પટિયાલસાહેબે કહ્યું : ‘સુરત જા, એમ.એડ્. કર. ગુણવંત શાહ પાસે ભણ.’ ચિઠ્ઠી લખી આપી. મોડું થયું હતું. પોતાના રૂમમાં બેસાડી ગુણવંત શાહે રજિસ્ટ્રારને ફોન કરી પ્રવેશ અપાવ્યો. ટિમલિયાવાડથી પોતાની ફિયાટ કારમાં ગુણવંત શાહ આવે અને રસ્તામાં વિજયને ઊભો ભાળે કે તરત ગાડી થોભાવી બેસાડે. વિજય સેવકની નજર આગળ પડેલ આર. કે. નારાયણની નૉવેલ પર પડી. તેણે એ નૉવેલ વાંચેલી એટલે એની વાત માંડી. બહુ આત્મીયતા થઈ ગુરુ શિષ્ય વચ્ચે. વિજયને ટી-શર્ટ પહેરવાની અને તેનું ઉપરનું બટન ખુલ્લું રાખવાની ટેવ. ગુણવંત શાહે પોતાની ચૅમ્બરમાં બોલાવી કહ્યું : બટન બંધ કર…’ પછી પ્રત્યાયનની ઊંચાઈ ત્યારે પકડાય જ્યારે એક કલાક પછી ગુણવંત શાહ ફરી વિજય સેવકને પોતાની પાસે બોલાવે છે, સમજાવે છે કે તને નહીં ગમે, દોસ્ત, પણ આ બધી મેનર્સ છે, એટિકેટ છે! વિજય સેવક કહે છે કે, ‘અમારા વચ્ચે બંધાયેલો રૅપો જાણે ગુણવંતભાઈ ખોરવવા માંગતા ન હતા. એક ટીચર ઍજ્યુકેટરની આ ઊંચાઈ મારા દિલમાં આજે ય સંગ્રહાયેલી છે.’ જો કે, વિજય સેવકની પહેલી નોકરી પણ ગુણવંતભાઈના બાપ્રેમીબહેનની શાળા લોકમાન્ય વિદ્યાલય, રાંદેરમાં. એ ગૉલ્ડન પિરિયડ. વિજયસરનો દબદબો કારણ ગુણવંતભાઈએ મોકલેલો છોકરો! અહીંથી પ્રયોગશીલ શિક્ષકનો જન્મ થયો. એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભ વિદ્યાનગરના ડૉ. સુભાષ જૈન ટીચ ઇંગ્લિશ, લર્ન ઇંગ્લિશ’ સિરિઝ ચલાવતા. તેમાં વિજ્યની પસંદગી થઈ. વર્ષમાં ચારેક લેસનનું રેકોર્ડિંગ કરાવવા અમદાવાદ સ્ટુડિયોમાં વિદ્યાર્થીઓ સાથે જવાનું થયું. અહીં ડૉ. સુલભા દેશપાંડે અને ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજાનો પરિચય થયો અને બન્ને પાસેથી આજે પણ ‘પામવાનું’ સદ્ભાગ્ય વિજય માણે છે. શિક્ષણ ધૂરંધર ડૉ. દાઉદભાઈ ઘાંચીનું નામ બહુ સાંભળેલું. વિજય સેવકના પ્રિય પ્રા. હરેન્દ્રભાઈ પટેલના એ ગુરુ, બી.એડ્. કરતી વખતે દાઉદભાઈ ઘાંચીનું પુસ્તક વિજયને હરેન્દ્રભાઈએ ભેટ આપેલું, ઘાંચીસાહેબ સુરત આવ્યા ને વિજયે તેની સાથે ગોષ્ઠિ કરી અને તેનો લેખ પોતાની ‘ગુજરાત મિત્ર’ની કટારમાં લખ્યો ત્યારથી બન્ને વચ્ચે ગાઢ નાતો… આમ, ઠેરઠેરથી સારપ અને ઉત્કૃષ્ટતા ગજવે બાંધવાની ટેવ વિજય સેવકને.
લોકમાન્ય વિદ્યાલયની પહેલી નોકરીમાં જ વિજયે નાટકના નાના-મોટા પ્રયોગો કર્યા. એરિયા થિયેટર અને બેર સ્ટેજના પ્રયોગમાં સિંહાસન ખાલી છે’ નાટકનું દિગ્દર્શન કર્યું. શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો. સિમલા નૅશનલ ડ્રામા કૉમ્પીટીશનમાં જ્યોતિ વૈદ્યનું ‘બંધ દરવાજા’ અનુવાદ કરીને રજૂ કર્યું અને નૅશનલ ઍવૉર્ડ જીત્યો. ચિનુ મોદી, નિમેષ દેસાઈ, ઇન્દુ પુવારની શિબિરોમાં અભિનયને લઢવાની તક મળી. આ વાતાવરણથી પ્રેરાયને ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં સહાયક નિયામકની ક્લાસ ટુ ગૅઝેટેડ પોસ્ટ પર જવાનું થયું. GPSC પસાર કરી. ઇન્ટરવ્યૂમાં માર્કન્ડ ભટ્ટ અને વનલતા મહેતાએ વિજયને પસંદ કરી વડોદરા વર્તુળનો હવાલો સોંપ્યો. સાડા ત્રણ વર્ષ ધ્રુવકુમાર શાસ્ત્રીની નિશ્રામાં વિયે કામ કર્યું. ધ્રુવભાઈ શાસ્ત્રીનાં સૂચનથી થીમ એક, એકાંકી અનેક’ની યોજના વિજ્યે અમલમાં મૂકી. જે આજે પણ એકાંકી રાજ્ય સ્પર્ધા તરીકે અમલમાં છે. પણ વહીવટ ઝાઝો ને સર્જનાત્મકતા ઓછી હતી એટલે વિજયનો જીવ રૂંધાયો. સાડા ત્રણ વર્ષમાં બે જ પુસ્તકો વાંચી શકનાર વિજયે રાજીનામું આપ્યું. બહુ સમજાવ્યો સૌએ કે ક્લાસ વનનું પ્રમોશન હમણાં જ મળી જશે. પણ ના, વિજય સેવકની અંદર ઊછળતો નાટકિયો શિક્ષક ન માન્યો ને એ આર. ડી. કોન્ટ્રાક્ટર હાઈસ્કૂલ, સુરતમાં શિક્ષક થયા. અહીં રહીને ખૂબ લેખન કર્યું, ડૉક્ટરેટ કર્યું અને શિક્ષણ પ્રયોગો કર્યાં. ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં ટ્રાન્સલેટર તરીકે કામ કર્યું. બે વર્ષ ‘ન્યૂફાઇન્ડર” નામની કટાર લખી, ‘એક હાદસા’ કૉલમ લખી બાર વર્ષ. પંજાબ કેસરી – પ્રતિનિધિપત્ર – દિવ્યભાસ્કરમાં પણ લખતા રહીને પોતાની આગવી ઓળખ ડૉ. વિજય સેવકે ઊભી કરી. ભગવતીકુમાર શર્માએ દર સોમવા૨ના અને પોતે વિદેશ હોય ત્યારના અગ્રલેખો / તંત્રીલેખો વિજય સેવક પાસે લખાવી કલમની ધાર કાઢી આપી.
રાજા રણછોડરાયના ધામ ડાકોરમાં લક્ષ્મીજીના મંદિર પાસે બોડાણાના ઘરની શેરીનું છેલ્લું મકાન પૂજાલાલ ચુનીલાલ સેવક(પાર્શદ)નું. ત્યાં ૧૯૫૭માં જન્મેલ વિજય કેશવલાલ સેવક ભક્તિભાવનાચગાન-સંગીત નૃત્ય-ભજન કીર્તન વચ્ચે ઉછરેલા દાદા પગથી હારમોનિયમ વગાડતા. પિતા સુંદર અભિનેતા. બુલંદ અવાજ. પિતા અને કાનાં નાટકોનાં હર્સલમાં જઈ વિજ્ય બેસે. ક્યારેક નાનો રોલ પણ કર્યું. ઘઉં સાનો આઠસો ઑપેરા આજે પણ છે. નાટકના આ સંસ્કારો સાથે ડૉ વિજ્ય સેવક ૧૯૯૬થી સુરતની વી ટી. ચોક્સી સાર્વજનિક બી.એડ્. કૉલેજમાં અધ્યાપક તરીકે બરાબર ખીલ્યા છે. વર્ગખંડને રંગમંચમાં ફેરવ્યો છે. અંગ્રેજી અધ્યાપનને એણે અભિનય અને અભિવ્યક્તિના માર્ગે વાળેલ છે. વિવેટર ઇન એજ્યુકેશન’ની અતિ સફળ પ્રયોગ અમલમાં મૂક્યો છે. અનેક નાટ્યગ્રહીઓ સાથે મળી કેટકેટલાં નાટકો લખ્યાં – દિગ્દર્શિત કર્યાં – અભિનિત કર્યાં. રેડી, સ્ટેડી ઍન્ડ ગૉ’ અને ફન વીથ ઇંગ્લિશ’ પુસ્તકો લખ્યાં અને તેને વર્ગખંડમાં ભજવીને ભણાવ્યાં. ઍક્સેરિમેન્ટ તેનો સ્વભાવ છે. રૂઢિગત રિંગ અને ગમતું નથી. સેલ્ફ લર્નિંગની જબરી હિમાયત વિથ કરે છે. ગિજુભાઈ બધેકાની જેમ વિજ્ય સેવકનો વર્ગ મિિમડિયા હોય છે. વિયનું કેનવાસ વિશાળ છે. ટિચીંગ નહીં, એક્સપ્લેનેશન નહીં, પણ ઑરેશન, જૉયલ લર્નિંગ છાપાનાં કટિંગ, ડી, કાર્ટૂન, ચિત્રો ભાવિ શિક્ષકોને આપવાનાં અને તેના પરથી વિચારે ચડાવી તેનાં ઇમ્પ્રોવાઇડ્રેશન રજૂ કરાવવાનાં! સેલ્ફ લર્નિંગ ઇગ્લિશના ડૉ. વિજ્ય સેવકના પ્રથીગી આખા ગુજરાતમાં ફેલાવા, એટલું જ નહીં રાષ્ટ્રીય નાટ્ય સંસ્થા NSD દ્વારા તેની નોંધ લેવામાં આવી અને થિયેટર ઇન ઍજ્યુકેશન’નો પ્રોજેક્ટ વિજ્ય સેવકને નૅશનલ રિસોર્સ પર્સન બનાવી સોંપવામાં આવ્યો હમણાં જ આ પ્રયોગમાં સુરતની ચાલીસેક સ્કૂલ્સના ચાલીસ શિક્ષકો, ચારસો વિદ્યાર્થીઓ અને હજાર જેટલાં માતાપિતા આ થિયેટરમાં તાલીમ પામ્યાં, રમતાં રમતાં ભણી શકાય તેવું સ્વીકારી શક્યા. NSDના રાષ્ટ્રીય તજ્ઞ તરીકેનું બહુમાન ગુજરાતને પ્રથમવાર મળે છે, કારણ ડૉ. વિજ્ય સેવક જેટલો ક્રિએટીવ ટાસ્ક બૅઇઝ લર્નિંગ કે પ્રોસેસ સેન્ટર્સ ડ્રામાનો ટીચર ઍજ્યુકેટર ગુજરાતમાં એક માત્ર છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ડૉ. વિજય સેવકનું પુસ્તક તમસો મા જ્યોર્તિગમય’ પુરસ્કૃત થવું છે, બાળનાટકો પર કામ કરી સિદ્ધાંતો – પ્રક્રિયા સ્થાપિત કરી થેરાપ્યુટિક યુઝ ઑફ ડ્રામા ઇન ઍજ્યુકેશન વિકસાવવાના અને તેનાં દ્વારા જ શિક્ષણ આપવાનાં સ્વપ્નાં વિજય સેવે છે, I dont teach. I make them learn’ કહેનાર ડૉ. વિજ્ય સેવક માને છે કે, “શિક્ષકનું કંદ શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપ જેવું હોવું અનિવાર્ય છે, જે શિષ્યને નિશામાંથી બેઠો કરી શકે!’
by Santulan | Sep 13, 2024 | Gramsetu |
by Bhadrayu Vachhrajani | Sep 12, 2024 | Gramsetu |


ધોરાજીની એ. ઝેડ. કનેરિયા હાઈસ્કૂલમાં એક નવા શિક્ષક જોડાયા. અંગ્રેજી ભણાવે. બી.એડ્.ની ડિગ્રી લઈને આવેલા તાજા શિક્ષક. એવું જ માને કે બી.એડ્.ની તાલીમમાં શીખ્યા તે બધું જ સાચું. તે પ્રમાણે જ વર્તે. આચાર્ય કાંતિભાઈ હાંસલિયા ગણિતના બહુ સારા શિક્ષક. એમણે બહુ ફ્રીડમ આપી પેલા નવા શિક્ષકને. બીજા શિક્ષકો અંગ્રેજી પહેલાં લખાવે પછી બોલતાં શીખવે. પણ આ નવા શિક્ષક પહેલાં બોલતાં શીખવે. પોતે બોલે. વિદ્યાર્થીઓને બોલવા પ્રેરે. અંગ્રેજીમાં વાતચીત કરવાની છૂટ આપે. તેમની વચ્ચે જઈ બેસે અને ગ્રુપમાં વાતો કરે. નામથી બોલાવે સૌને. બોર્ડ પાસે વિદ્યાર્થીને બોલાવી હાથમાં ચોક આપી લખવા કહે. ક્લાસમાં અવાજ બહુ થાય. દર દસ મિનિટે શિક્ષકે બોલતા બંધ થઈ જવું પડે ત્યારે છોકરાઓ શાંત થાય. બીજા શિક્ષકો છોકરાઓને મારે – બહુ મારે. પણ આ ભાઈસાહેબ એવું ન જ કરે. વિદ્યાર્થીઓ પણ કહે કે સાહેબ તમે અમને મારો તો જ અમે શાંત રહીશું. પણ એ કહે : “મા૨વાથી થોડું આવડે? હું મારીશ નહીં. ધીમે ધીમે વાતો કરતા જઈશું અને તમને મઝા આવવા લાગશે એટલે તમે વાતો કરી જ નહીં શકો!’ ખરેખર એવું થયું. છ મહિના પછી સ્થિતિ પલટાઈ ગઈ. વિદ્યાર્થીઓને જાણવાની – પોતાની જાતે શીખવાની મઝા આવવા લાગી. શિક્ષક મિત્ર થઈ ગયા અને મિત્રના ક્લાસમાં અવાજ થોડો કરાય? આ જોઈને બીજા શિક્ષકોએ પણ મારવાનું ઘટાડ્યું. નવા શિક્ષકે તેઓને સમજાવ્યું : તમે વીસ વર્ષોથી માર્યા જ કરો છો તો શું વિદ્યાર્થીઓ હોંશિયાર થઈ ગયા ખરા? મારવું એ પદ્ધતિ નથી. બે શિક્ષકો તો મારતા સાવ બંધ થયા! આચાર્ય બહુ છૂટ આપે એને. એના ક્લાસની અંગ્રેજીની પરીક્ષા નહીં લેવાની! પેપર કાઢે તો ચિત્રવાળું કાઢે. મૂલ્યાંકનની પોતાની પેટર્ન! ત્રેવીસ જેટલી પ્રવૃત્તિઓ કરાવે, તેનું મટીરિયલ બનાવે. છોકરા સાથે વૉલીબૉલ-ક્રિકેટ રમે. સાથી શિક્ષકો સાથે કેરમ પણ રમે… આ શિક્ષક પ્રાર્થનાસભા પોણો કલાકની ગોઠવે. તેમાં પુસ્તક પરિચય કરાવે. નવી નવી ચોપડીઓ છોકરાઓને બતાવી તે વાંચવા પ્રેરે! જે છોકરો પુસ્તક વાંચે તેને ઊભો કરી કહે
ચાલ પ્રાર્થનામાં તેં વાંચેલી ચોપડી વિષે વાતો કર… આચાર્યએ ત્રણસો પુસ્તકોવાળી લાઇબ્રેરી એને સોંપેલી અને એને સત્તા આપેલી કે તમને જ્યાં જે સારું પુસ્તક મળે તે ખરીદી લઈ બિલ આપી દેજો. પાંચ વર્ષે આ શિક્ષક અધ્યાપક તરીકે વલ્લભવિદ્યાનગર ગયા ત્યારે ધોરાજીની કનેરિયા હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા પાંચ હજારની હતી! બારમા સાયન્સની અંગ્રેજીની ટૅક્સ્ટ અઘરી હતી તો તેને એમણે ફરી લખી. અંગ્રેજીનું પરિણામ ૩૫માંથી ૫૫ ટકા અને છેલ્લે ૮૫% સુધી પહોંચાડ્યું એમણે. આ શિક્ષકે દસમા-બારમાના વિદ્યાર્થીઓને ગુણવંતરાય આચાર્ય, ક. મા. મુનશી, જે. કૃષ્ણમૂર્તિનાં અને ભાષાંતરનિધિનાં પુસ્તકો વાંચતા કર્યા!! લાઇબ્રેરીમાં સ્કૂલ પહેલાં – રિસેસમાં – સ્કૂલ છૂટ્યા પછી પુસ્તક ઇસ્યુ કરાવવા માટે બારી પાસે લાંબી લાઇન થતી અને ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતું અદ્ભુત દૃશ્ય સર્જાતું!
ઊંધું ઘાલીને વાંચવા ટેવાયેલ આ અભ્યાસુ સંશોધક શિક્ષક ડૉ. મહેન્દ્ર ચોટલિયા શિક્ષકત્વનાં એ પાંચ વર્ષોને ભર્યુંભાદર્યાં ગણે છે. આ ફાયદો મળ્યો કુટુંબને કારણે. પોતે Second Generation Teacher. માતા-પિતા બન્ને શિક્ષક. પિતાજી પહેલાં સ્વીપર હતા! ભણ્યા. ગાય-ભેંસનું છાણ ભેગું કરી છાણાં વેંચી જીવન ચલાવતા. શાળાંત થયા. પીટીસી થયા. હટકે સ્વભાવના શિક્ષક થયા.
મહેન્દ્રનો જન્મ જ શાળાની આસપાસની ઘટના. ધોરાજી પાસેનું ફરણી ગામ. ગામમાં મકાન ન હતું. શાળામાં જ રહેવાનું. દિવસે ક્લાસરૂમ અને સવાર-સાંજ ઘર. મહેન્દ્ર ત્યાં જ જન્મ્યો-ઊછર્યો-રહ્યો. ક્લાસરૂમ સાથે તેનો નાભિનાળનો સંબંધ! મહેન્દ્ર ચોટલિયા ગંભી૨ અને ઈન્ટ્રોવર્ટ લાગે. સાદો-સીધો-સુધડ વસ્ત્રોધારી. unassuming personality. પણ રમૂજ-વ્યંગ-સહજતાથી ભરપૂર. તે કહે છે : હું ક્લાસરૂમમાં જ ઊછર્યો એટલે જે નુકસાન થવાનું હતું તે નાનપણમાં જ થઈ ગયું! હું ઘણાના હાથમાં ફર્યો હોઈશ એટલે જીવનની શરૂઆતમાં જ અચેતન લર્નિંગ થયું, તેની મૅટ્રિક્સ ઊભી થઈ અને પછી તેમાં જીવનભર ભરતકામ થતું ગયું!” મા-બાપનું પહેલું સંતાન. બા કન્યાશાળામાં ત્યાં ચાર ધોરણ સુધી અને બાપુજી તાલુકાશાળામાં ત્યાં પાંચથી… અઢી વર્ષે કક્કો બારાખડી શીખ્યા વગર વાંચતાં પિતાએ શીખવી દીધું. બળદનું ચિત્ર બતાવે. નીચે લખ્યું હોય ‘બળદ.’ પછી બોલાવે. પછી છેલ્લા બે અક્ષરો દાબી દે અને ‘બ’ની ઓળખાણ કરાવે! સાઇકલ ૫૨ ગામમાં લઈ જાય તો દુકાનનાં બૉર્ડ વંચાવે. દોરેલું ચિત્ર જોઈ ખબર પડે કે આ સાઇકલની દુકાન છે! બા ઘરે સેવ-ગાંઠિયા બનાવે. તેમાંથી બગડો ને ચોગડો શોધવાનું કહે… આમ થયું મહેન્દ્રનું inceidental learning! પહેલા ધોરણમાં દાખલ નહોતો થયો ત્યારે મહેન્દ્રને પિતાએ જયભિખ્ખુની નાની નાની બત્રીસ પાનની મોટાં અક્ષરોવાળી બસ્સો પુસ્તિકાઓનું ખોખું ખોલી આપ્યું.રામાયણ-મહાભારતનાં પાત્રોનાં જીવન એમાં. પહેલા ધોરણમાં દાખલ થતાં પહેલાં આ બધી પુસ્તિકાઓ વાંચી કાઢેલી… (ત્યારે કોઈપણ શિક્ષક કરતાં મહેન્દ્રની લિટરસી વધુ હતી!) વળી ચૌદ પડોશીવાળા ડેલામાં રહેવાનું પછી બન્યું. એટલે ચો૨ના માથાની જેમ ૨ચ્યા. રખડ્યા પણ ખરા. પડોશમાં બીડી વાળના૨નું ઘર. તો મદદ કરવા બીડી પણ વાળી. તે વખતે નંબર ગેઇમ નહીં. માર્ક કે ટકાની ટકટક નહીં. પાંચમા ધોરણ સુધીમાં તો ગંભી૨ વાચક બની ગયો. મહેન્દ્રએ ત્યારે ક. મા. મુનશીની લોપામુદ્રા – કૃષ્ણાવતાર, દર્શકની દીપનિર્વાણ, હિન્દી નવલ ‘નિર્મલા’ વાંચી નાખી હતી. બારીમાં બેસીને ‘નિર્મલા’ વાંચતા વાંચતા રડ્યાનું મહેન્દ્ર આજે યાદ કરે ત્યારે કંઠ ગળોગળો થાય છે. મહેન્દ્રના પિતાજી અરજણભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઍક્સટર્નલ બી.એ. કર્યું સંસ્કૃત મુખ્ય વિષય સાથે ત્યારે મહેન્દ્ર છઠ્ઠા ધોરણમાં. પિતાને વાંચવાનો કંટાળો આવે એટલે લંબાવે ને મહેન્દ્રને કહે તું વાંચ હું સાંભળું છું. કાલિદાસભાસ ત્યારે વાંચી સંભળાવેલા! આ બધાંથી મહેન્દ્રમાં ચોપડી વાંચવાની સ્પીડ આવી. ચારસો કે છસો પાનાની બુક તો તે ઝટ ઉપાડે!
વૅકેશન વીતે ખેતરમાં. પાસા પાડવા, ઓઘો વાળવો, પાણી વાળવું, હાલનું હાંકવું, બાજરી બનાવવી, અને એ કરતાં-કરતાં કોળી-વાઘરીના છોકરા સાથે રખડવાનું આંબલી-કેરી પાડવાના! પંચમહાભૂત સાથે નાતો બંધાયો તેમાંથી ઘણું બધું ડિપૉઝીટ થયું. ઘરમાં સૌ એને મનુ કહે. વૅકેશનમાં ઘરે સૌ રાહ જોવે મનુની. કારણ મનુને ફરમાઈશ થાય. ‘વાર્તા કહે અને એકાદો ટુચકો મેલ’ મનુના ઘરમાં એક નોટ રાખેલી. ઘ૨ના કોઈ ટુચકો સાંભળે તો એમાં લખી લેવાનો. આમ, મનુ નાનપણથી ટુચકા સમૃદ્ધ. ડોંગરે મહારાજની કથા સાંભળી. બીજીવાર બાપુજીએ કહ્યું : સાંભળે છે તે લખ. લખવાને કા૨ણે શિફ્ટિંગ થયું, અર્થગ્રહણ થયું. પાંચ ભાઈ-બહેનો. બે-બે વર્ષ નાનાં. બાપુજી ભૂત પલિતમાં ન માને. ક્યાંય ભૂત થાય છે એવું સાંભળે તો મનુને લઈને ઊપડે જોવા. એકવાર કરશનભાઈના ખેતરે મામાના ખીજડાનો ભડકો જોવા લઈ ગયેલા. પિતાજીએ ભૂતના ટેકરા પર લઘુશંકા કરાવેલી, પછી ભૂત વિષે કોઈ શંકા રહી નથી’ એમ ખડખડાટ હસતાં મહેન્દ્ર કહે છે. મહેન્દ્ર આઠમા ધો૨ણમાં ત્યારે બાપુજી પોરબંદરની આર.જી.ટી.માં બી.એડ્. કરવા ગયા એટલે ઘ૨ ચલાવવાની જવાબદારી આવી. હિસાબ લખવાનો, કકસ૨ ક૨વાની, ભાવતાલ કરાવવાના એવું બધું કર્યું. ધોરાજીની લાઇબ્રેરીનાં બધાં પુસ્તકો નવમા ધોરણ સુધીમાં વાંચી નાખ્યાં. બાર વર્ષે શાળાંત કર્યું. ભગવતસિંહજી હાઈસ્કૂલ, ધોરાજીમાંથી મૅટ્રિક થયો. સાયન્સમાં જઈ શકાય તેમ હતું પણ પિતાજીએ ગજબ ગણિત ગણાવ્યું. ‘ડૉક્ટર થઈશ તો ખાવાનો ટાઇમ નહીં મળે, પૈસા કમાવામાં પડી જઈશ, પોતાનો નહીં રહે અને ઇજનેર થઈશ તો સરકારમાં જઈ ખોટાં કામમાં ભાગીદાર થવું પડશે; એનાં કરતાં આર્ટ્સમાં જા,
અંગ્રેજી રાખીને ભણ, મજા પડી જશે…’ મહેન્દ્ર માટે સાહિત્ય અધ્યયનનું નવું જ ક્ષેત્ર ખૂલ્યું. એક વર્ષ ધોરાજી, એક વર્ષ રાજકોટ ક૨ી, અધ્યાપકો સાચું છે માટે’ ભાવનગરની શામળદાસ કૉલેજમાં બે વર્ષ! પી. પી. મહેતા, પ્રભુ દેસાઈ, અશ્વિન ભટ્ટ બહુ સારા અધ્યાપકો. પ્રભુ દેસાઈએ વિવેચનની, અનંત ભટ્ટે શેક્સપિયરની, મુકુંદભાઈ વેએ અમેરિકન લિટરેચરની, જગદીશભાઈ દવેએ ઍલિયટની બારીઓ ઉઘાડી દીધી. પ્રભાકર રાવળે માણસ તરીકેની કોમળતા શીખવી. જો કે, મહેન્દ્ર ચોટલિયા મોટી વાત હળવાશથી કહે છે કે : ત્યારે એમ.એ.માં એક જ વિદ્યાર્થીને સેકન્ડ ક્લાસ હતો. મને પચાસ ટકા ન આવ્યા, એટલે સારું થયું કે હું અંગ્રેજીનો અધ્યાપક ન થયો.’ Radio Journalism સાથે પત્રકારત્વમાં દોઢ વર્ષનો પી.જી. ડિપ્લોમા મેળવ્યો. ભૂપત વડોદરિયા સાથે કામ કર્યું. નોકરીની ઑફર થઈ પણ જર્નાલિઝમમાં ડેડલાઇન’નું બંધન! વલ્લભવિદ્યાનગરથી બી.એડ્. કર્યું ત્યાં મળ્યા સંસ્કૃત ભાષા અને શિક્ષણ દર્શનના ધૂરંધર પ્રા. શાસ્ત્રી જ્યેન્દ્ર દવે અને પ્રિ. આર. એસ. ત્રિવેદી. વર્ગમાં એકલા બેસી સાત્રની નવલકથા ‘લોજિયા’ વાંચતા મહેન્દ્રને જોઈ દવેસાહેબે પાસે આવી પૂછ્યું : આ શું વાંચે છે? સાત્રે તું વાંચે છે? ભલે, પછી મળજે.’ પછી તો દવેસાહેબે મહેન્દ્રને માર્ટિન બુબરનું I am Thou આપ્યું. બી.એ.માં તે અધૂરું રહ્યું, તો એમ.એ.માં લઈ ફરી વાંચ્યું અને શાસ્ત્રી દવેજીનાં માર્ગદર્શનમાં તેના ૫૨ જ Ph.D. કર્યું. હા, બી.એડ્. ભણતી વખતે મહેન્દ્રને રાજકોટની સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રમાં નોકરીનો ઑર્ડર મળ્યો. પિતાજીએ કહ્યું : તને ઠીક લાગે તેમ કર. મહેન્દ્રએ બી.એડ્. ભણાવતા બધા જ અધ્યાપકોને પૂછ્યું તો બધાએ બી.એડ્. પડતું મૂકી બૅન્કમાં જોડાય જવા આગ્રહ કર્યો! મહેન્દ્રને મૂંઝારો થયો : “આ બધા વર્ગમાં તો એમ કહે છે શિક્ષક ઉત્તમ વ્યવસાય છે. પોતે ય શિક્ષક છે, છતાં મને કેમ ના પાડે છે? એમને ભણાવવાની મઝા નહીં આવતી હોય?’ ધોરાજીમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નાવીન્યપૂર્ણ કાર્ય કર્યાં પછી જ્યાં ભણ્યા ત્યાં જ બી.એડ્.ના અધ્યાપક થવાની તક મળી. જેની પાસે ભણ્યા, તેની સાથે ભણાવ્યું. એ જ ધોરાજીવાળી સ્ટાઇલથી અને ખુમારીથી બી.એ.માં પ્રયોગશીલતા જાળવી રાખી. ભાવિ શિક્ષકો સાથે આત્મીયતા કેળવી. જેવા છો તેવા વ્યક્ત થાવ અને હેતુવિહીન સંબંધ રાખો’ની બુબરની ફિલસૂફી અમલમાં મૂકી. Love and Relationship in Education Dialogue in Educational ssl 444 કરી શિક્ષકોને જીવનભરના મિત્રો બનાવ્યા. પહેલાં જે જિવાયું, તેનું પછી થિયરાઇઝેશન થયું. એમ.એ.માં પ્રાધ્યાપક થવાની તક મળી તે છેલ્લાં દસ વર્ષથી સ્વીકારી. ત્યાં સમજાયું કે ઃ તમારો ‘આઇ’ બદલે તે શિક્ષણ છે. આપણામાં જીવનનું નિર્માણ થાય તો સાચા શિક્ષક. સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલિયાને હમણાં રાજ્ય સરકારની સ્વપ્નિલ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે આમંત્રણથી બોલાવવામાં આવ્યા છે. દસ મિનિટમાં પંદર પુસ્તકોની વાત જેની જીભે આવ્યા વગ૨ ન રહે તે મહેન્દ્ર ચોટલિયા સ૨ળ છે, સહજ છે, પુષ્કળ વાંચનાર છે, ધરમપુરનાં આદિવાસી બાળકો વચ્ચે જઈ ભણાવનાર નિજાનંદી શિક્ષક છે, ગહન વિચારોમાં પ્રવૃત્ત રહેવા છતાં હળવોફૂલ માણસ છે. ઓછી પિછાણ અને વ્યાપક વિચાર- પછેડીવાળા મહેન્દ્ર ચોટલિયા સાથે ગોઠડી માંડવી તે જીવનનો લ્હાવો છે, કારણ તે માને છે કે : હું કંઈ કરવા નથી આવ્યો. જે કંઈ થઈ જાય છે તે મારા આનંદનો વિસ્તાર છે.’
by Bhadrayu Vachhrajani | Jun 1, 2024 | Gramsetu |
by Santulan | Apr 23, 2024 | Gramsetu |
by Santulan | Mar 29, 2024 | Gramsetu |
by Santulan | Feb 27, 2024 | February - શાસ્ત્રી જયેન્દ્ર કે દવે, Gramsetu |
by Santulan | Feb 18, 2024 | Gramsetu, January 2024 |