
જો આ બે વૃક્ષો ન હોત તો શાંતિનિકેતન પણ ન હોત?
નિમિત્ત એ ‘કશુંક’ કે ‘કોઈક’ નથી, છતાં નિમિત્ત માત્રથી કોઈક કશુંક કરે છે!
અહીં સઘળું પૂર્વ નિર્ધારિત છે. હા, એ વાત અલગ છે કે પૂર્વ નિર્ધારિત શું છે તેની આપણને જાણ નથી હોતી. આમ જુઓ તો, શું થવાનું છે તેની જાણ નથી હોતી એનો જ આનંદ છે. વાનગી મોઢામાં મૂક્યા પહેલાં જ એના સ્વાદનો અહેસાસ થઈ જાય તો વાનગીનો ચાર્મ રહે ખરો? ખાધા પછી મીઠી લાગે કે કડવી, એ અનુભવની મજા જ કંઈક ઓર છે ! પણ હા, એ ‘પછી થયેલો અનુભવ’ પણ પૂર્વ નિર્ધારિત જ હતો તે ભૂલવા જેવું નથી.
જીવનમાં બે બાબત નક્કી છે : ‘કશુંક’ થાય છે, અને એ કશુંક ‘કોઈક’ કરે છે… આ ‘કશુંક’ એટલે શું તે અનુભવવાનું છે અને ‘કોઈક’ એટલે કોણ તે શોધતા રહેવાનું છે. અહીં કશુંક કશુંક થયા કરે અને તે કોઈક – કોઈક કર્યા કરે તેનો જ આનંદ છે. આ આનંદમાં એક નવું બળ ભળે છે, જેને ‘નિમિત્ત’ કહે છે. ‘કશુંક થાય છે’ અને ‘કોઈક કરે છે’ની વચ્ચે એક અદ્રશ્ય બળ છે તે નિમિત્તે છે. આ નિમિત્ત એ ઉદીપક છે.
નિમિત્ત તો કોઈ પદાર્થ હોય, કોઈ સ્મરણ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ ઘટના હોય, કોઈ દ્રશ્ય હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ જીવ હોય, કોઈ નિર્જીવ હોય, કોઈ વાત હોય, કોઈ અકસ્માત હોય, કોઈ શબ્દ હોય, કોઈની હાજરી હોય કે પછી કોઈની ગેરહાજરી હોય. નિમિત્ત નિમિત્ત માત્ર હોય, તે હોય છતાં ન હોય અને તે ન હોય છતાં હોય. નિમિત્તે એ કશુંક નથી, નિમિત્ત એ કોઈક નથી, છતાં નિમિત્તને કારણે કશુંક છે અને નિમિત્ત માત્રથી કોઈક કશુંક કરે છે!
સાંજનો પહોર હતો. સૂકા વેરાન વગડામાં જઈને એક પાલખી જઈ રહી હતી. અંદર ઋષિ જેવા એક ભવ્ય પુરુષ બેઠા હતા. વૃક્ષવિહીન પ્રદેશમાં એમને એકાએક બે વૃક્ષ દેખાયાં. એમને કુતૂહલ થયું. પાલખી થોભાવીને નીચે ઊતર્યાં. આ સ્થળ એમને જોતાંવેંત ગમી ગયું. બહુ શાંતિનો અનુભવ થયો. વળી આ જગ્યા તો કોલકત્તાથી માત્ર સો માઈલ દૂર હતી. ધર્મચિંતન કરવા માટે અહીંનું એકાંત સારું રહેશે. આવું વિચારીને બીરભૂમ જિલ્લાના બોલપુર ગામ પાસે આવેલી આ જમીન એમણે ખરીદી લીધી. એ ભવ્ય પુરુષ હતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, રવીન્દ્રનાથના પિતા. મહર્ષિ અહીં અવારનવાર આવતા અને તંબૂ તાણીને રહેતા.
જમીન ૧૮૯૩માં ખરીદાઈ. ૧૮૬૪માં પેલાં બે વૃક્ષો નજીક મહર્ષિએ એક પાકું મકાન બંધાવ્યું અને તેનું નામ રાખ્યું ‘શાન્તિનનિકેતન’. રવીન્દ્રનાથ ત્યારે ત્રણ વર્ષના. પિતા જોડે અહીં આવતા. તેર વર્ષના થયા ત્યારે પિતા સાથે હિમાલય જતી વેળા આ મકાનમાં રહેલા. પછી તો પરિવાર સાથે પણ અહીં રહ્યા. વિસ્મયની વાત એ હતી કે આ સૂકા પ્રદેશમાં, જ્યાં એક પણ વૃક્ષ નહોતું ત્યાં આ બે વૃક્ષ કેમ કરીને ઊગ્યાં ? મહર્ષિને એ વૃક્ષોની નીચે બેસવાની ઈચ્છા કેમ થઈ ? આ પ્રશ્નોના કોઈ ઉત્તર નથી. ઉત્તર નથી તેની જ મજા છે. તો અહીં શાન્તિનિકેતન પણ ન હોત ! આજના કારણ કે એટલું ચોક્કસ કે આ બે વૃક્ષ જો ન હોત રમણીય આ લોકથી, આકાશથી, આનંદથી, શાંતિથી પરિપૂર્ણ શાન્તિનિકેતનના પૂર્વસૂરિઓ તો આ બે છાતિમ (સપ્તપર્ણ) વૃક્ષો ४.
શાન્તિકેતનમાં આ બે વૃક્ષનો મહિમા આજે પણ અકબંધ છે !… આ બે વૃક્ષ તે શાન્તિનિકેતનના સર્જનનું નિમિત્ત…! પંખીએ એક દિવસ આકાશને જોયું અને વિપીન પરીખે લખ્યું: ‘પિંજરામાં ગાતાંગાતાં નિમિત્ત દુઃખની શરૂઆત પણ હોઈ શકે અને ત્યારથી એના દુઃખની શરૂઆત થઈ…!” શાન્તિનિકેતનનું સર્જન પણ…!
