ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશન ટાંણે કેટલીક નક્કર દરખાસ્તો…

“આરહેવાના છે, તેવાં બણગાં ફૂંકનાર એક આશાવાદી સારસ્વત માતૃભાષા છે તે ટકી જ વર્ગ છે અને ‘ના, આપણી માતૃભાષા કલુષિત થવા લાગી છે અને તેને ટકાવી રાખવા કશુંક તો કરવાની જરૂર છે જ, તેવું માનનારો એક વાસ્તવવાદીઓનો સારસ્વત વર્ગ છે. આપણે બંનેને સલામ કરીએ અને સ્વીકારીએ કે…

૧. હા, આપણી માતૃભાષાને ઘસારો/ પઠાર/ ઝીણો તાવ લાગુ પડ્યો છે. તે દુર્બળ અને વિકૃત-અભિવ્યક્તિથી આપણી વચ્ચે છે.

૨. હા, સરકાર અને સમાજ સાથે મળી માતૃભાષાને ઉગારી લેવા નક્કર પગલાં લે, જલદી લે, અસરકારક રીતે લે. સરકાર વૈધાનિક માહોલ ઊભો કરે, તો સમાજ ફરી માતૃભાષા માટેનો જાગરૂક માહોલ સર્જે.

આ બંને વાતો પર સૌ સંમત હોય તો આ રહી નક્કર દરખાસ્ત… પસાર કરીએ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એક જ મંચ પરથી એક ઠરાવ સર્વાનુમતિએ અને એકસૂરે પસાર કરી સૌ કહીએ: “અમારી માતૃભાષા યાવચંદ્રદિવાકરી જીવંત રહેશે.’

ઠરાવ કરવાથી શું વળશે? તેવો પ્રશ્ન સ્વાભાવિક છે. આવો, તેને સ્પષ્ટતાપૂર્વક વ્યાખ્યાયિત કરીને મૂકીએ…

(૧) માતૃભાષાને જીવતી રાખવા સરકાર શું કરી શકે ?

  • CBSE/ ICSE/ IB બોર્ડમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી હોય તો રાજ્ય સરકાર પાસેથી ગઘઈ લેવું ફરજિયાત છે. આ ગઘઈ (ના વાંધા પ્રમાણપત્ર)માં એક શરત જાડા અક્ષરે મુકો: ‘તમારી અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી એક ભાષા તરીકે ઉત્તર રીતે પહેલેથી જ ભણાવવી ફરજીયાત રહેશે. આ શરતનું પાલન ન થયેથી આ મંજૂરી આપોઆપ રદ થશે અને ફરી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે.
  • પ્રાથમિક શાળાનાં ધો.૧ થી ગુજરાતભરની કોઇપણ માધ્યમની શાળામાં ભાષા-પસંદગી આ મુજબ રહેશેઃ (૧) ગુજરાતી અથવા અંગ્રેજી (૨) અંગ્રેજી અથવા ગુજરાતી (૩) હિન્દી અથવા સંસ્કૃત (૪) સંસ્કૃત ધો.૬ થી તો ખરું જ (૫) અન્ય જે ભાષા શીખવી હોય તે… આ ક્રમ ફરજીયાત રહેશે.

(૨) માતૃભાષાને જીવંત રાખવા સમાજ/સંસ્થાઓ શું કરી શકે ?

  • ગુજરાતી ભાષાનાં પાઠય પુસ્તકોને વિષય વસ્તુની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવવાં.
  • ગુજરાતી ભાષા ભણાવતા પ્રાથમિક શિક્ષકોને વિધિવત સતત ભાષા-અધ્યાપનની હળવી તાલીમ આપવી.
  • ગુજરાતી ભાષા ભણાવતા માધ્યમિક ગુજરાતી શિક્ષકો સારું અને સાચું ગુજરાતી વર્ગખંડમાં બોલે અને ભણાવો તેની તકેદારીનું આયોજન કરવું.

(ગુજરાતી ભાષા ભવનોનાં અધ્યાપકો સાથે રહીને સીત્તેર વટાવી ચૂકેલા ધૂરંધર સાહિત્યકારો ઉપરના ત્રણ મુદ્દાઓનું સંકલન કરે અને પરિષદ જેવી સંસ્થા અકાદમીની નાણાંકીય સહાયથી તે હાથ ધરે.)

(૩) માતૃભાષાને લોકજીભે રાખવા લોકપ્રિય કાર્યક્રમો દ્વારા શું થઈ શકે ?

  • આપણી પાસે લોકસાહિત્યના માતબર કલાકારો છે. ગુજરાતી ગીત- કવિતાના ઉત્કૃઠ સર્જક કવિઓ છે, ગુજરાતી સુગમ સંગીતના ઉત્તમ ગાયકો છે….. આ ત્રણેયના માધ્યમથી ગઈકાલની અને આજની શ્રેષ્ઠ ગુજરાતી રચનાઓને પ્રત્યે શાળા-કોલેજો સુધી સતત પહોંચાડતા રહીએ. ઉદા. તરીકે: ‘એક રૂપાળી ચારણ કન્યા’ કે કુંબરબાઈનું મામેરું’ કે ‘કસુંબીનો રંગ’ કે ‘આંધળી મા નો કાગળ’ જેવી રચના લઈને ભીખુદાન અને કીર્તિદાન ગઢવી જેવા કલાકારોને શાળા-સંકુલો અને યુનિવર્સિટી – પરિસરોમાં પેશ કરતા રહીએ તો ? આજની અને આવતીકાલની પેઢીને અહેસાસ થાય કે મારી માતૃભાષા કેટલી બળુકી છે અને તેનો મને ગર્વ હોવો જોઇએ.
  • “ગુજરાતી ભાષાની ‘વાંચ્ય વગર ન જ ચાલે’ તેવી ગઈકાલની અને આજની પાંચસો કૃતિઓ પસંદ કરી પ્રત્યેક નાની મોટી લાયબ્રેરીને ભેટ આપો. દર બે વર્ષ આમ કરીએ તો દસ વર્ષે અઢી હજાર ઉત્તમાંતમ ગુજરાતી કૃતિઓ ગ્રંથાલયસ્થ થાય.
  • “વાંચનયાત્રી મહેન્દ્ર મેઘાણી જેવા સો વાચનપ્રેમી તૈયાર કરી તેમને શાળા-કોલેજ-સંકુલ-સંસ્થાઓમાં ફરતા કરી દઇએ. ગુજરાતી ગદ્ય-પદ્ય એ ત્રીસ મિનિટ વાંચી સંભળાવે અને જે વાંચ્યું તેના પર પંદર મિનિટ સંવાદ કરે. માતૃભાષાની જ્યોત ઘરે ઘર લઈ જઈએ.
  • “ગુજરાતી ભાષામાં તૈયાર થયેલાં શ્રેષ્ઠ નાટકો શાળા-કોલેજ-યુનિવર્સિટીની પેઢી સામે રજૂ કરીએ. ઉદા. તરીકે: સંતુ રંગીલી, કસ્તુરબા, અકૂપાર, મોહનનો મસાલો, ૧૦૨ નોટ આઉટ.
  • “પરિષદ કે અકાદમી કે સપ્તક કે સમન્વય કે અનુષ્ઠાન કે સ્વરસેતુ કે શિવરંજની કે પછી કોઇપણ સંસ્થા માત્રને માત્ર ગુજરાતી લોકપ્રિય ગીતો-વાતો-વાર્તાઓ- કવિતાઓ-નાટ્યાંશો રજૂ કરતો થોડા કલાકો માટેનો એફ.એમ. રેડિયો શરૂ કરે તો ? ગાડીમાં ફરતો ગુજરાતી સતત ગુજરાતીપણું માણી શકે. આવો ને, આપણે સૌ આવું કશુંક નક્કર+લાંબા ગાળાનું+’ખરું ગુજરાતી ‘કરીએ.