ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા મધુસૂદન ઢાંકી..

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

‘જિનિયસ’ શબ્દનો અર્થ નિહાળવો છે, તો ઢાંકીસાહેબને મળો..

સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી બચુભાઈ રાવતનું ‘કુમાર’ નિયમિત વાંચે. હાઇસ્કૂલમાં હશે ત્યારે તેમણે કુમા૨માં લેખો વાંચ્યા, ભારત સહિત વિવિધ દેશોના પ્રાચીન ભવનો અને તેના સ્થાપત્ય-શિલ્પ-કલા અંગેનાં! આ લેખોમાં ઠાંસોઠાંસ માહિતી હતી કે જે પેલા વિદ્યાર્થી માટે રસપ્રદ શિક્ષણની સામગ્રી બની રહી. વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે જ એમણે અન્ય મિત્રો સાથે મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળ’ની સ્થાપના કરી, અને આ મંડળે આજુબાજુમાં ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યો! બાળપણથી જ કલા-સ્થાપત્ય-સંગીત-દેવાલયો-સંગ્રહાલયોના ગહન અભ્યાસના માર્ગે વળેલ મધુસૂદન અમીલાલ ઢાંકી, આજે ગુજરાતમાં – ભારતમાં વિદેશોમાં ‘[કીસાહેબ’ના આદરભર્યા નામથી પ્રતિષ્ઠિત છે. જિનિયસ’ શબ્દનો મૂળ અર્થ સમજ્યો હોય તો ૮૬ વર્ષની જ્ઞાનવૃદ્ધ + અનુભવ સમૃદ્ધ + શિશુ સહજ વિશુદ્ધ ‘ઢાંકીસાહેબ’નાં ચરણો પાસે પલાંઠીવાળીને કલાકોના કલાકો બેસવું પડે. કોઈ પૂછે કે : ગુજરાતની ખરી અસ્મિતા કઈ?” તો ગર્વથી છાતી ફુલાવી એક નામ આપી જ શકાય અને તે મધુસૂદન અમીલાલ ઢાંકી.

મૂળ પોરબંદર પાસેના ઢાંક ગામના એટલે અટક પડી ઢાંકી. મૂળ નામ સરસ્વતીચંદ્ર. પાંચમા ધીરા સુધી એ જ નામ રહ્યું. ત્યારબાદ અમીલાલભાઈને કોઈકે કહ્યું કે : “આ નામ રાશિ પ્રમાણે નથી, તો રાશિ પ્રમાણે નામ પાડો’ અને એમ આપણને મળ્યા મધુસૂદન ઢાંકી. નામ ભલે બદલ્યું, પણ એ જ્વમાં આજે પણ સરસ્વતી દેવી પાકે પાયે ધામા નાખી બિરાજ્યાં છે, તેમાં બે મત નથી. આ વાતની સાબિતી છે આપણી પાસે. ઢાંકીસાહેબને ૨૦૧૧ના વર્ષનો ‘રણજિતરામ સુવર્ણચંદ્ર’ એનાયત થયેલ છે, તો વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ’નું નાગરિક સન્માન પ્રાપ્ત થયેલ છે. આ પૂર્વે ઢોંકીસાહેબને કુમારચંદ્રક, પ્રાકૃત જ્ઞાનપીઠ પુરસ્કાર, એશિયાટિક સોસાયટી ઑફ બૉમ્બે દ્વારા કેમ્બલ મમોરીઅલ ગોલ્ડમૅડલ, હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, રસિકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે. ઢાંકીસાહેબના લલિત લખાણોના પુસ્તક શનિમેખલા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું. પોતાનાં અતિ વિશિષ્ટ પ્રદાન બદલ, ભારતીય અભિલેખવિદ્યામાં ભગવાનલાલ ઇન્દ્રજી અને ભારતીય પુરાતત્ત્વમાં હસમુખ સાંકળિયાનું સ્થાન છે તેવું જ પ્રદાન ભારતીય દેવાલય સ્થાપત્યનાં ક્ષેત્રે મધુસૂદન ઢાંકીનું છે. તેઓ જીવ ભલે ભારતમાં એક નાના શહેર અમદાવાદમાં વસે પણ ટોકીસાહેબની ખ્યાતિ અને પ્રતિષ્ઠાભરી ચેતના વિશ્વનાં કર્ણકણર્મા શ્વસે છે એ નિર્વિવાદ છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષજ્ઞ પોરબંદરમાં. પૂનાની જગવિખ્યાત ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા (Geology) અને રસાયણશાસ્ત્ર સાથે B.ની પદવી મેળવી. બેંકમાં નોકરીથી કારકિર્દીનો પ્રારંભ, પણ મૂળ ખ્વ સંશોધનનો અને કલા- સ્થાપત્યનો. ૧૯૫૧માં મિત્રો સાથી મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળના નેજા હેઠળ પોરબંદરની આજુબાજુના જૂનાં સ્થાપત્યોની શોધ ચલાવી અને ઘાં નવાં મંદિરો શોધી કાઢ્યો. વડોદરા મ્યુઝિયમના ક્યુરેટર (ઢાંકીસાહેબ ક્યુરેટર’ ન કહેર્તા ‘રક્ષપાલ’ કહે છે!) હરમાન ગોયન્સે ઢાંકીની કામગીરીને બિરદાવી પ્રોત્સાહન આપતા રહ્યા. એ પછી જૂનાગઢમાં તેમણે ઉદ્યનવિદ (horticulturist) તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેઓ ગમતીલા પ્રાતત્ત્વના વ્યવસાયમાં જોડાયા. જૂનાગઢ અને જામનગરના સંગ્રહલયમાં તેઓએ ‘રક્ષપાલ’ તરીકે કામગીરી કરી. ઢાંકીસાહેબ ગુજરાતના પુરાતત્ત્વ સર્વેક્ષણમાં જોડાયા અને તેમણે પ્રભાસપાટણનું ઉત્ખનન કર્યું અને કચ્છની લોકકલાઓ અંગે ક્ષેત્રકાર્ય કર્યું. રાજકોટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિઑલૉજી અને મ્યુઝિયમમાં સેવા આપી. ૧૯૬૬માં તેઓ વારાણસીમાં અમેરિકન એકેડમી (અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ)માં જોડાયા અને ત્યાંથી જ સેન્ટર ફોર આર્ટ ઍન્ડ આર્કિઑલૉજીના નિયામક પદેથી નિવૃત્ત થયા. મધુસૂદન ઢાંકી અમદાવાદની એલ ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજમાં પણ ભારતીય કલા-સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા હતા. કલા-સ્થાપત્યના અભ્યાસ અર્થે તેમણે લગભગ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું, તો ભારતીય કલા-સ્થાપત્યની પડોશી દેશો પર કેવી અસરો પડી છે અને ત્યાંની સ્થાનિક શૈલીઓ કેવી છે તેનો અભ્યાસ કરવા માટે તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પન્ન ક્ષેત્રકાર્ય કર્યું. યુરોપના ગૉર્થિક સ્થાપત્ય માટે કીસાહેબને એક અજ્ઞાત લગની છે, અને એ સ્થાપત્યના અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડમાં ક્ષેત્રકાર્ય કર્યું છે. ઢાંકીસાહેબની વિશિષ્ટ વ્યાખ્યાન શ્રેણીઓ યુ.એસ.એ. અને યુ. કે.માં યોજાયેલ છે.

ઢીંકીસાહેબનાં વિરલ પ્રદાનને જાણવા માટે કેટલાક માઇલસ્ટૉનને સ્પર્શવું જરૂરી છે. (૧) પહેલા ભારતીય સ્થાપત્યનું વર્ણન અને મૂલ્યાંકન પણ સામાન્ય રીતે યુરૉપના સ્થાપત્યની પરિભાષાના આધારે જ કરવામાં આવતું. મધુસૂદન ઢાંકીએ પ્રથમ વાર જ સંસ્કૃતમાં લખાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને આધારે દેવાલય સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરી આપી. આ જ કાર્યના ભાગરૂપે તેમણે કેટલીયે વાસ્તુશાસ્ત્રને લગતી કૃતિઓનાં સાચાં અને તર્ક સમાંકનો કરી આપ્યાં.

(૨) એમનો પહેલો દીર્ઘલેખ તે ગુજરાતનાં સોલંકીયુગીન મંદિરોની આનુપૂર્વી’ (આનુપૂર્વી = Chronology). આ લેખથી પહેલી જ વાર ભારતનાં કોઈપણ પ્રદેશનાં અને કોઈપણ યુગનાં મંદિરોની સાલવારી અને એના દ્વારા તેમની ક્રોનોલૉજી, પ્રારંભ-વિકાસ-અન્ય સ્થાપત્ય કલાનાં લક્ષણો નિયત કરી શકાય. આ દીર્ઘલેખ દ્વારા ઢીંકીસાહેબે મંદિર સ્થાપત્યના વિકાસ અને ઉત્ક્રાન્તિનાં દ્વાર ખોલી આપ્યાં, તો સ્થાપત્યની સંશોધન પદ્ધતિ ઘડી આપી.

(૩) અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા પછી તેમણે ભારતીય દેવાલય સ્થાપત્ય માકોશ (Encyclopedia of India Temple Architecture)ની યોજના ઘડી. ઢાંકીસાહેબે ભારતનું અને અન્ય દેશોનું ક્ષેત્રકાર્ય અર્થે ભ્રમણ કરી અસંખ્ય ફોટા લેવડાવ્યા, વિધાનો (plan) તૈયાર કરાવ્યાં તથા એ મંદિરો વિશેની દંતકથાઓ એકઠી કરી. આ ભગીરથ ક્ષેત્રકાર્ય અને સંસ્કૃતના વાસ્તુશાસ્ત્રના ગ્રંથોના વર્ષોના અભ્યાસ પછી છેક ૧૯૮૩માં પ્રથમ ગ્રંથ પ્રકટ થયો!!

(૪) ભારતીય સ્થાપત્ય સિવાય નિગ્રંથ કહેતાં સાહિત્ય અંગે પણ ઢાંકીસાહેબનાં સંશોધનો વિશ્વવિશ્રુત અને વિદ્વત્ત માન્ય છે. એમણે જૈન સાહિત્યની વિવિધ કૃતિઓનાં પાઠ નિશ્ચિત કરી આપ્યો છે, કૃતિઓના તેમ જ એમના કર્તાઓના સમય કી આપ્યા છે.

(૫) ગુજરાતના સ્થાપત્યમાં જોવા મળી જાળીઓનો એક અભ્યાસલેખ ઢાંકીસાહેબે વર્ષો પહેલાં ગુજરાતીમાં આપેલ છે, તેના પરથી કલ્પી શકાય કે છેક ૧૯૬૩થી તેમણે આ વિષય પર કામ શરૂ કરેલ હશે તેઓના પુસ્તક ભારતીય દેવાલયોની જાળીઓમાં માત્ર ભારતીય જાળીઓની જ વાત નથી, હકીકત જુદી જ છે. તેમણે અહીં ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત અગ્નિ એશિયાઈ રાષ્ટ્રોનાં દેવાલયોની જાળીઓ વિશે પણ સમાન્તરે પ્રકાશ પાડ્યો છે. ઇસ્લામી અને યુરોપનાં ગૉર્થિક સ્થાપત્યમાં જોવા મળતી આ પ્રકારની પ્રકાશ અને વાયુના પ્રસારણ માટેની સમાન્તર પ્રયુક્તિઓ વિશે પણ વિગત ચર્ચા કરી છે. ગૉયિક જાળીઓની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તેના પર એક સ્વતંત્ર પ્રકરણ ઢાંકીસાહેબે લખ્યું છે. ગુજરાતને વિશ્વ સાથે જાળીની મદદથી જોડતું ઢાંકીસાહેબનું આ પુસ્તક તેઓએ પોતાના Ph.D.ના માર્ગદર્શક અને જાણીતા ઇતિહાસકાર મોતીચન્દ્રને અર્પણ કર્યું છે.

(૬) અત્યાર સુધીમાં, દક્ષિણ ભારતનાં દેવાલયો અથવા દ્રાવિડી શૈલીના દેવાલયો વિષે ત્રણ ગ્રંથો અને ઉત્તર ભારતની નાગરી શૈલીના ત્રણ ગ્રંથો મહકોશના ભાગરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે, ચોથો ગ્રંથ પ્રસિદ્ધ થવામાં છે જે દ્રાવિડી શૈલીનાં દેવાલયોને લગતો છે.

(૭) મંદિરોના સ્થાપત્ય, શિલ્પ અને તેના વિવિધ અંગો વિશે સ્વતંત્ર પુસ્તકો-લેખો વગેરેની સંખ્યા ૩૦૦ થી વધુ થાય છે. હાલમાં, નાદુરસ્ત તબિયત છı ઢાંકીસાહેબ શેત્રુંજીના મંદિરો વિશેનાં તેમનાં પુસ્તકને આખરી ઓપ આપી રહ્યા છે.

(૮) જૂનાગઢ-જામનગરમાં રક્ષપાલ હતા તે સમય દરમ્યાન ઢાંકીસાહેબે સૌરાષ્ટ્ર-કચ્છની લોકકલાઓ અંગે ઊંડું કાર્ય કરી ૧૯૬૬માં પુસ્તક આપ્યું : “The Embroidery and Bead Work of Kutch and Saurashtra’ જોકે, આ સમયે તેમણે ભારતીય પુરાતાત્ત્વિક સંદર્ભે મળતા મોતીઓ અને મણકાઓનો જબરો અભ્યાસ કર્યો, પુસ્તક લખ્યું પણ તે કદી પ્રસિદ્ધ ન થયું અને કમનસીબે ગેરવલ્લે ગયું.

આપણી એટલે કે જિજ્ઞાસુ-અધ્યાપની કલ્પના જ્યાં પૂરી થઈ જાય ત્યાંથી ઢાંકીસાહેબ પોતાની સંશોધન સફર શરૂ કરે છે! કલા-સ્થાપત્યના સાચા વિદ્યાર્થીઓ પોતાનાં ભણતરમાં ગેરી તાતોવ્સ્કી અને જોર્જ મિશેલને ભળે છે, વાંચે છે… એ ગૅરી તાતોસ્કી ઢાંકીસાહેબને ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસના પિતા’ કહે છે, તો જોર્જ મિશેલ ટોકીસાહેબને ‘ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા’ : the architect divine સાથે સરખાવે છે.

ઢાંકીસાહેબે હિન્દુસ્તાની અને કર્ણાટકી એમ બેઉ ભારતના Classical (માર્ગી) સંગીતની પણ તાલીમ લીધી છે. તેઓ આ બન્ને શાસ્ત્રીય પદ્ધતિઓ કલા-સ્થાપત્યમાં નરી આંખે નિષ્કળે છે અને કહે છે: ‘the architectural forms are static and the musical images are kinetic’.  કડક અને શિસ્તપ્રિય સંશોધક ઢાંકીસાહેબ સ્નેહાળ, ઉખિલ, રમૂજપ્રિય છે. ઢોંકીસાહેબનું શિશુસહજ હાસ્ય આપણને વહલા દાદાજીના દર્શન કરાવે છે.