અસ્મિતા વિશેષ સંવાદ : 28

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

ખગોળ શાસ્ત્રને ધરમૂળથી આત્મસાત કરનાર ડો. પંકજ જોશી, એવા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની છે કે તેઓ વાત કરે ત્યારે કોઈ પ્રકાંડ શાસ્ત્રી વાત કરતા હોય તેવો ભાવ પ્રગટે. પંકજભાઈ વિજ્ઞાની ખરા, પણ તેઓ અધ્યાત્મને પણ વિજ્ઞાનની મદદથી એવી રીતે સમજાવે કે બાળક થી લઈને સિનિયર સીટીઝન સુધીની પ્રત્યેક વ્યક્તિને જટિલ બાબત પણ ગળે ઉતરે. મુંબઈના TIFR ના સાયન્ટીસ્ટ પંકજભાઈએ ખગોળવિજ્ઞાનમાં ઓથોરિટી ગણાય તેવું સંશોધનાત્મક પ્રદાન કર્યું અને વિશ્વ સ્તરે તેઓને માન  અને સન્માન મળ્યાં. આમ છતાં તેઓ એકદમ down to earth વ્યક્તિ. પુરી સહજતાથી એ કોઈની પણ સાથે સંવાદ કરી શકે. અસ્મિતા વિશેષ સંવાદ દરમ્યાન પણ તેઓની સાદગી અને નિખાલસતા સ્પર્શી ગઈ. તેઓ અમેરિકાનો એક અનુભવ વર્ણવે છે તે માણીએ ::

“એક વખત હું ધીરજરામ શાસ્ત્રીજીની સાથે વાત કરતો હતો.  જયારે  MSc પૂરું કર્યું ને ત્યારે મેં એમને કહ્યું કે,  હવે મારે આ બધું મૂકી દેવું છે. વિજ્ઞાન અને ગણિતનું સંશોધન નથી કરવું અને આપણા જે શાસ્ત્રો છે એના અધ્યયનમાં મારે લાગી જવું છે. મારા મનમાં તો એમ હતું કે પોતે જ્યોતિષના વિદ્વાન, આયુર્વેદના વિદ્વાન અને શાસ્ત્રીજીની  ડિગ્રી ધરાવે છે તો એ મને કહેશે કે,  હા  હા બહુ સારું.. (એક નવો ચેલો મળ્યો એમ…) એ મને કહે કે,  શું ફેર પડે છે ? અત્યાર સુધી વ્યવહારમાં આ ગણિતનો પરિચય છે તે ચાલુ રહેવા દે, તો મેં કીધું, પણ  શાસ્ત્રોનું અધ્યયન…  તો મને કહે,  એ અંદરથી સૂક્ષ્મ રીતે થઇ જશે. આ શાસ્ત્રીજીએ આવું કહ્યું  એટલે ટૂંકમાં એણે મને હા ન પાડી. બીજી બાજુ મકરંદભાઈ (સાંઈ મકરંદ) સાથે એકવાર વાત કરી.  ‘મકરંદભાઈ આટલી બધી ચર્ચાઓ અને આપણે મળીએ અને આ બધી જાતજાતની આ બધી વાતો ને હું આ વિજ્ઞાનમાં ક્યાંથી ઘુસી ગયો??  ત્યારે મકરંદભાઈ મને કહે છે કે,  કેમ પંકજ,  તને એ ખબર નથી કે ઈશ્વર પોતે મોટો વિજ્ઞાની છે ! આપણે ત્યારે તો એક જ પંક્તિ હોય છે.  ઈશ્વર પોતે જ મોટો વિજ્ઞાની હોય છે એ ખબર નથી તને ? એવો સવાલ કરે છે તો મારું કહેવાનું એ છે કે આપે જે વાત કરીને આ તત્ત્વતઃ બંને વસ્તુ ભિન્ન નથી પણ આ જે સોસાયટીની અંદર ઈઝમ અને ઘણું બધું છે એટલા માટે હું આ વારંવાર વિચારે ચડું  છું. મારે કુમારપાળભાઈ સાથે પણ હમણાં જ્યારે છેલ્લી વાર માધવપ્રિયદાસજી આવ્યા હતા અને વિશ્વકોશનું કશુંક ઉદઘાટન હતું એ સમયે કુમારપાલભાઈ કહે કે,  તમે વિજ્ઞાનના માણસ છો.  પણ ત્યારે આ જ વાત અમારે થયેલી કે આ જે સમન્વય છે એ આજની પરિસ્થિતિમાં, વધારે તો આપણા બાળકોને અને આપણા યંગ પીપલને આપણે કેવી રીતે સમજાવીશું ? આજે એમને કહીશું કે પાંચ માળા કરી લો, પૂજામાં જઈને બેસો તો… એમ કશું નહીં થાય. એમને તમારે વિજ્ઞાન દ્વારા ધર્મ આપવો પડશે. ને એમાં કોઈ વિરોધ નથી. એમાં કોઈ પરંપરાને કોઈ નુકસાન નથી, ઉલટું  એ પરંપરાને સાચી રીતે સમજતા શીખશે.  તમે એવું  કહો કે,  અમે શું કામ વિજ્ઞાન દ્વારા અધ્યાત્મને આપીએ ?? તો એમાં કોઈ  નીચા નથી થતા. તમે એક જુદી પદ્ધતિ શીખવો છો. અને આપણે ત્યાં  જુદી જુદી પદ્ધતિ તો હંમેશા સ્વીકારાણી છે.  આપણા ઉપનિષદોમાં તો હંમેશા પ્રશ્નોત્તરની પરંપરા રહી છે. એટલે આ વસ્તુ જે છે એ બહુ જરૂરી છે. મને એક જ આ દાખલો યાદ આવે છે તો કહી દઉં… કે હું લોસએન્જલ્સમાં હતો, ત્રણ ચાર વર્ષો પહેલા.  કોરોના આવ્યો એની પહેલા. ત્યાં લોસએન્જલસમાં ચિન્મય મિશન બહુ મોટું છે.  મને કહે કે,  તમે ફિઝિક્સ અને વેદાંત ઉપર વાત કરો. મેં કીધું, તમારા હિસાબે અને તમારા જોખમે હું તો વાત કરું.  મને કઈ વાંધો નથી. મને કહે કે ના તમારે કરવાનું છે. એટલે પછી કહે કે બે લેક્ચર આપવા પડશે. કારણકે અમારી કેપેસીટી ૧૦૦૦ લોકોની જ છે. મેં કીધું ભલે, આપણે તો એ હેતુ માટે જ આવ્યા છીએ. આ બે લેક્ચર થયા પછી નાના નાના ગ્રુપમાં ત્યાં બધા લેક્ચર્સ ઘણા થયા. ત્યાં આપણા એક સોનીજી છે બકુલભાઈ તરીકે એમને બધા પ્રેમથી ઓળખે છે. એટલે પછી એ ગ્રુપ્સમાં એક અમેરિકન લેડી હતી. એ અમેરિકન લેડીની ઉપસ્થિતિમાં  હું બધી વાત કરતો હતો કે આ મન, આ માઈન્ડ ને અંતઃકરણ ને એ બધું ત્યારે એકદમ ઉભા થયા એ  બહેન અને મને કહે છે : આ તમે બધી માઈન્ડ ને અંતઃકરણ આ બધી વાત કરો છો તો શું આ બધી વાત છે, આ બધું કોણે  જોયું છે ? અને At  the end it is ન્યુરૉન્સ in the brain . the ન્યુરૉન્સ in the brain which are producing effect.  આપણે જે કાંઈ અનુભવ કરીએ છીએ. એટલે આ બધી તમારી વાત ધડ માથા વગરની છે એવુ મને કહેવા લાગ્યાં. મેં કીધું,  બહુ સરસ, ચાલો તમે આ વાત કરી તે સંમત. હવે તમે એમ કહો છો ને કે ન્યુરૉન્સ  in the brainની વાત કરું તો ન્યુરૉન્સ ને એનું નેટવર્ક તમે એ બધું જોયું  છે ? તો કહે,  મેં ન્યુરૉન્સ જોયા તો નથી. તો મેં કીધું, તો  તમે કેમ માનો છો ?  તો કહે કે એ તો સાયન્સ કહે છે, પ્રયોગો ને બધું છે એટલે. તો મેં કીધું પણ તમે તો જોયા નથી ને ! અને સાયન્સમાં પણ શું મેથોડોલોજી છે એ બધું ચેક તો કરીને ડાયરેકટલી કે ઈન્ડાયરેક્ટ્લી શું આમાં છે, તે તો વિજ્ઞાને જાણ્યું હશે ને? મને કહે, હા એ તો બરાબર છે. મેં કીધું એ વાત પણ… તમે મને કહો  કે,  Do you agree that you exist ? તો એકદમ મારી સામે ઉભા થઈને કહે કે,  what do you mean ? of course, I exist. I am very much here and I Exist. Definitely I exist. પછી મેં કીધું , બરાબર છે. Do you agree that you feel pleasure, pain, you have sometimes certain emotions, sometimes love, sometimes

hate, sometimes angry, sometimes anxiety, some different type of you know it happens all the time?  પછી મેં કીધું what do you prefer ? what do you like? તેઓ કહે, I like to be always in pleasant condition of mind.  મેં કહ્યું :: than you want to be happy right ? in your existence. You like to be in a certain state of mind all the time where you get the happiness. માઈન્ડ નો શબ્દ પણ જવા દો, પણ in your existence you want to be in a certain state.  ત્યારે મને કહે,  એ તો બરાબર છે એમાં ક્યાં કોન્ટ્રોવર્સી છે ?  તો મેં કીધું let us think how to do, how to achieve that. So what are the ways we are talking about that nothing more.  આ વાતની જ આપણે વાત કરી રહ્યા છીએ,  ન્યુરૉન્સને ય ભૂલી જાઓ ને…”