વેદાંતના પાયાના બે પ્રશ્નો:
હું  હું કોણ છું? મારા જીવનનું લક્ષ્ય શું?
વેદાંતના પાયાના આ બે પ્રશ્નો હકીકતમાં વેદાંતે આપણને નથી પૂછવાના, આપણે આપણા મનને પૂછ્યા કરવાના છે! આપણે જીવનમાં કશું પામવા આવ્યા છીએ, ખાલી આંટો મારવા નહીં.
 
મકસદ વગર માણસ નહીં,
સમજ વગર સજીવ નહીં,
ઉદ્દેશ વગર ઉત્પતિ નહીં !
 
આપણને આવરણ વાળો નહીં, પણ આચરણ વાળો માણસ ગમે છે અને મારે તેવા બનવું છે, મારે મનનું inbox ખાલી રાખવી પડશે તો જ તેમાં સાત્વિક અને નૈતિક વિચારો ડાઉનલોડ થતા રહેશે.
life is a package deal. Accept and Enjoy it.
તેમાં જે ગમતું આવે તેને સાચવીને જીવવાનું.
તેમાં જે અણગમતું આવે તેને તારવીને જીવવાનો 
પણ જીવવાનું ભરચક અને ભરપૂર…
 
When you rule your mind,
you rule your world.