પ્રશ્નોપનિષદ

 જીવનમાં પ્રશ્ન શો છે,
 તે આપણને ખબર છે ખરી?
 જીવન આપણને જે પ્રશ્ન પૂછે છે તે સાંભળવા જેટલી ધીરજ આપણી પાસે છે ખરી? 
આપણે  કૃષ્ણની રાહ જોયા વગર જ જવાબ કરવા લાગીએ છીએ અને પરિણામે આપણને મળે છે કંઈક જુદું જ! ‘અર્વાચીન પ્રશ્નોપનિષદ’  એ પૂછનાર માટે છે;
 પરિણામ પણ સ્પષ્ટ છે: જે પૂછે તે પામે છે.’
 જે પૂછતો જ નથી તે કાં તો પરમજ્ઞાની છે ને કાં તો મૂઢ છે!
 આપણે તો અર્જુનની જેમ પ્રશ્ન પૂછનાર થવાનું છે બેધડક અને બિનચૂક  પૂછવું છે અને પ્રતિક્ષા કરવી છે કે કોઈ કૃષ્ણની કે જે ઉત્તરમાં આપણને આખી ‘ગીતા’ કહી જાય! આ પુસ્તક આવો જ વિનમ્ર પ્રયાસ છે. આપણે ‘પૂછતા નર પંડિત’ નથી થવું, આપણે તો પૂછતાં પૂછતાં પરમને પામવા છે.