શાળાનું કામ તો માનવીઓનું ચણતર કરવાનું છે.  એવાં માનવીઓનું ચણતર કરવાનું છે કે જેમનામાં ભવ્યતા છે, ઉચ્ચતા છે; જેમને પોતાનું હૃદય, પોતાનો અંતરાત્મા છે; જેમણે જીવવા અને મરવા માટેના આદર્શો પોતાની આંખ સામે રાખેલા છે; જેમની પાસે સાચું બોલવાની હિંમત છે, નિરાશા અને ભયંકરતાનો સામનો કરવાની અખૂટ તાકાત છે, જેમની પાસે દ્રષ્ટિ છે, જેમણે અંતરાત્માને સાક્ષી રાખી અને ઈશ્વરને માથે રાખી, સેવા અને સમર્પણની ભાવનાથી કામ કરવાનું વ્રત લીધેલું છે.
–  પ્ર. ત્રિવેદી